Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મામાનંદ પ્રકાશ, stesterete tratamente testostesterte tatater tiste testaturetesti testestertentretieteetate અત્યારે સંસ્કૃત ભાષાના અભ્યાસીઓના ધોરણમાં જે પુસ્તકે મુકરર કરવામાં આવે છે તે બહુધા બ્રાહ્મણ ધર્મના અનુયાયી પંડિતોના રચેલા છે; છેક મેટીક્યુલેરાનની પરીક્ષાથી માંડીને એમ, એ. ની ઉચ્ચ ડીગ્રી સંપાદન કરવા ઇચ્છતા યુવાનને નાટક, કાવ્ય કોષ, ન્યાયના ગ્રંથે, અલંકારના પુસ્તકે અને છેવટ ફિલસીના તત્વો પણ એ વિદ્વાનોના પ્રરૂપેલા શીખવવામાં આવે છે; એને બલે હવેથી જેન આચાર્યના રચેલા એવાજ ન્યાયાદિના ગ્રંથ પણ શિક્ષણ ક્રમમાં ઉમેરવા. જેન આચાર્યોએ તેતે વિષય ઉપર જેજે પુસ્તકો રચ્યાં છે, વ્યાખ્યાને આપ્યાં છે તે કઈ રીતે બ્રાહ્મણ ઘર્મના પડિતોથી ઉતરતાં નથી બલકે ઘણું ઘણું વિષયોમાં તે જૈન આચાયાના રચેલા ગ્રંથ શ્રેષ્ઠ માલુમ પ્રયાછે. દાખલા તરીકે શ્રીમદ્ હેમચં. દ્રાચાર્યના લખેલા ગ્રંથો પૈકી ઘણા વિદ્વત્તાથી પૂર્ણ અને કે પણ મતવાળાઓને અવિરોધી ડેઈન સર્વ માન્ય જણાયાછે તો મુંબઇની યુનીવર્સીટીએ એવા આ ઉત્તમ ગ્રંથોના અભ્યાસને લાભ સંસ્કૃતના જિજ્ઞાસુઓને શામાટે ન આપવો એનું કંઈ વાસ્તવિક કારણ જણાતું નથી. વળી મદ્રાસની યુનીવસટીએ સુદ્ધાં આ જણાવ્યા તેવાં સંગીન કારણે વિચારી જૈન ધર્મના પુસ્તકો પોતાની કોલેજોના શિક્ષણકમમાં દાખલ કર્યો છે. " ઈત્યાદિ ઇત્યાદિ સંજોગોને ધ્યાનમાં લઈ આ અમારી અરજી પર સંપૂર્ણ લક્ષ આપી એને સેનેટના મંડળીમાં પસાર કરાવી જિનવર્ગને આભારી કરો. ) - મહારાષ્ટ્રની જૈન સભાને આ સ્તુતા પ્રયાસ સાંભળી અમે આપણે બી.એ., એલ. એલ. મી., વગેરે ડીગ્રી ધરાવનારા ગ્રેજ્યુએટેનું જે વગવાળું મંડળ કેન્ફરન્સના હેતુઓ પાર પાડવાને સહાતભૂત થવા માટે મી. ઠઠ્ઠા જેવા સાક્ષર નરરતના અધ્ય. ક્ષપણ નીચે ઉભું થયું છે તે મંડળને સવિનય ભલામણ કરીએ છીએ કે એમણે પણ આ બાબતમાં સમૃત થઈ પૂરતા પ્રયાસ કરવા જરૂરી છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24