________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર,
&& &&&&&&&& &&& && &&& && घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदनं चारुगंधं न प्राणांते प्रकृतिविकृतिर्जायते चोत्तमानाम् ॥ ભાવાર્થ એ છે કે–જેમ જેમ સેનાને તાવવામાં આવે તેમ તેમ તેને વાન વધતો જ જાય. જેમ જેમ શેલડીને છેદતા જાય તેમ તેમ તે વધારે સ્વાદિષ્ટ લાગે. જેમ જેમ સુખડને ઘસતા જાય તેમ તેમ તે મનોહર સુગંધ આપતી જ જાય તેમ ઉત્તમ (સજજન) પુરૂષોની પ્રાણાતે પણ ઉત્તમ પ્રકૃતિ બદલાય જ નહિ. આવી સજજનતા આદર્યો વિના કદાપિ પણ શ્રેય થવાનું નથી માટે દરેક શ્રેયાથી જનોએ એ અવશ્યાવશ્ય આદરવા યોગ્ય છે. સજજને સર્વ સાથે મૈત્રી રાખી શકે છે, જે કે સર્વ સુખનું મૂળ છે. સજજને સર્વ સદ્ગુણીમાંથી સહજે ગુણ ગ્રહણ કરી શકે છે, જે કે અનંત ગુણ પ્રાપ્તિનું મુખ્ય સાધન-વશીકરણ છે. સજજનો સદા કરૂણાદ્ર હોય છે, જેથી તેઓ સહજ પરોપકાર (પરમાર્થ સાધી શકે છે. અર્થાત્ યથાશક્તિ દુખી જનનાં દુઃખ દૂર કરવા તન મન અને ધનનો ભોગ આપી શકે છે. તેમજ તેવા પાપી નિહૂર પ્રાણીઓ ઉપર પણ કેશ નહિ ધરતાં ખરી ઉદાસીનતા પણ આવા સજજનજ ધારી શકે છે. આવી રીતે ટુંકાણમાં સજજન અને દુર્જનનો સ્વભાવ સમજી આત્માથી ભાઈઓ અને બહેનોએ પિતે સાક્ષાત્ સજજનતા આદરી અન્ય ભાઈઓ અને હેનોને દષ્ટાંત રૂપ થવા વિનંતિ છે તે સફળ થાઓ ! અને પરમ પવિત્ર જૈન શાસનની શોભામાં પ્રતિદિન વૃદ્ધિ થાઓ! તથાસ્તુ !
વર્તમાન સમાચાર. મુંબઈની યુનીવર્સીટી અને જનધર્મના પુસ્તકો થોડા વખત પહેલાં મહારાષ્ટ્રની જૈનસભાએ એક એવી મતલબની અરજી મુંબઇની યુનીવર્સીટીના રજીસ્ટ્રાર ઉપર મોકલી આપી છે કે-એ યુનીવર્સીટીની નીચે ચાલતી તમામ કલેજે માં
For Private And Personal Use Only