Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવાળી પર્વ. પ બાહર નીકલ્યા, તે વખતનું વર્ણન અલૈકિક હતું. તે વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પછી ધર્મવીર વીરભગવંતે સાડાબાર વર્ષનું ઉગતપ કરી ભારતવર્ષની પ્રજાને આશ્ચર્ય પમાડી દીધી હતી. શૂલપાણિયક્ષ અને સંગમ દેવના ઉપસર્ગે સહન કરી તે મહાનુભાવે જૈન શાસનની મહત્તા આર્ય પ્રજાને દર્શાવી આપી હતી. અનુક્રમે ઘાતી કર્મનો ક્ષય થતાં વિશાખ માસની શુકલદશમીએ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. - પ્રિય ભગિની, એ મહોપકારી પ્રભુએ જે આહંતશાસનને ઉપકાર કર્યો છે, તે વર્ણવી શકાય તેવો નથી. ઈંદ્રભૂતિ વિગેરે અગીયાર ગણધરે થાપી શાસનની ઉન્નતિ દર્શાવી હતી. તે મહાશયના પરિવારમાં નવગચ્છ, ચૌદ હજાર સાધુઓ, છત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખને ઓગણસાઠ હજાર શ્રાવકે અને ત્રણ લાખને અઢાર હજાર, શ્રાવિકાઓ થઈ છે, જેથી પરંપરાથી આપણે શ્રાવક કહેવાઈએ છીએ. હોલીબહેન, એ મહાશય તીર્થપતિ સતતવિહારી હતા. તેઓએ જુદે જુદે સ્થલે ચાતુર્માસ્ય કરી ભારતવર્ષની આર્ય પ્રજા ઉપર મેટો ઉપકાર કરેલ છે. જયારે છેલ્લુ ચાતુર્માસ્ય પાવાપુરીમાં હરિતપાલ રાજાની સાનિધ્યે કર્યું હતું, ત્યાં પોતાનું અલ્પ આયુષ્ય જાણું પ્રભુએ કહિતને માટે સોળ પહોર સુધી ધર્મદેશના આપી હતી. આ વખતે પુણ્યપાલ નામે એક રાજા ત્યાં આવી ચડયો, તેણે પોતે જોયેલા આઠ ચમત્કારી સ્વમનો વૃત્તાંત પ્રભુને નિવેદન કર્યો, જે ઉપરથી જ્ઞાની ભગવતે જૈનશાસનની ભવિષ્ય સ્થિતિ સૂચવી હતી. પ્રિયહેન, એ પ્રભુના ભવિષ્ય વચન આ પાંચમા આરામાં યથાર્થ થતાં જાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24