Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 171
________________ આપ્તવાણી-૨ ૨૯૯ ૩00 આપ્તવાણી-૨ સંસારનો કંટાળો એ જ રણ ! દાદાશ્રી : આ સંસાર પર કંટાળો આવે છે ? પ્રશ્નકર્તા : . ફીઝિકલ છે, મશીનરીની જેમ. આ તો લાગે કે કન્ટ્રોલ થયું છે, પણ એ તો પૂર્વના હિસાબે. જો પૂર્વે એવું ગોઠાવાયું હોય, પૂર્વે ભાવમાં હોય તો આ ભવમાં દ્રવ્યમાં આવે, બાકી આ ભવે તો મન કન્ટ્રોલમાં લાવી શકે જ નહીં. મન એમ કશાથી ય બંધાય તેવું નથી. જેમ પાણીને બાંધવા વાસણ જોઇએ, તેમ મનને બાંધવા જ્ઞાન જોઇએ. મન તો જ્ઞાનીને જ વશ રહે ! મનને ટ્રેક્ટર નથી કરવાનું, પણ મનનો વિલય કરવાનો છે. મન એ તો સંસારસમુદ્રનું નાવડું છે, સંસારસમુદ્રને કિનારે જવા માટે નાવડાથી જવાય. આ જગત આખું સંસારસાગરમાં ડૂબકાં ખાય છે; તરે છે ને પાછાં ડૂબકાં ખાય છે ને એનાથી કંટાળો આવે છે. તેથી દરેકને નાવડાથી કિનારે જવાની ઇચ્છા તો હોય જ, પણ ભાન નથી તેથી મનરૂપી નાવડાનો નાશ કરવા જાય છે. મનની તો જરૂર છે. મન એ તો જોય છે ને આપણે પોતે જ્ઞાતા-દ્રષ્ટા છીએ. એ મનરૂપી ફિલમ વગર આપણે કરીએ શું ? મન એ તો ફિલમ છે. પણ સ્વરૂપનું ભાન નથી એટલે એકાકાર થઈ જાય છે કે, ‘મને સરસ વિચાર આવે છે' અને ખરાબ વિચાર આવે છે ત્યારે ગમતું નથી ! સારા વિચાર આવે તો રાગનું બીજ પડે છે ને ખરાબ વિચાર છે ત્યારે દ્વેષનું બીજ પડે છે. આમ, સંસાર ઊભો રહે છે ! ‘જ્ઞાની પુરુષ' ‘પોતે કોણ છે?” એ રીયલ સ્વરૂપનું ભાન કરાવે ત્યારે દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય, પછી મનની ગાંઠો ઓળખાય ને પછી મનની ગાંઠો જો જો કરીએ પછી તે ઓગળતી જાય. પ્રશ્નકર્તા : સંસારમાં બહુ નીરસતા લાગે છે. કયાં ય રૂચતું નથી, તો શું કરવું ? - દાદાશ્રી : કોઇ માણસને પાંચ-સાત દહાડા તાવ આવે ને, તો કહેશે, મને કશું ભાવતું નથી.’ ને લખી આપે કે, ‘મને કશું ભાવતું નથી.’ આવો કરાર કોઇ કરાવી લે તો શું આ કરાર કાયમનો રાખે ? ના. એ તો કહે, ‘આ કરાર ફાડી નાખો, ત્યારે તો મને તાવ આવેલો તેથી આવી સાઇન કરી આપેલી, પણ હવે તો તાવ નથી !' આ મનની ગતિ સમયે સમયે પલટાતી રહે. આ તો રસ પાછો આવશે ય ખરો. આ તો એવી કન્ડિશન આવે, ત્યારે કહે, ‘મને સંસાર હવે ગમતો નથી.’ ત્યારે આવી સાઇન કરી આપે, પણ આ કન્ડિશન તો પાછી પલટાવાની. દાદાશ્રી : તો એ રાગ છે. જયાં રાગ હોય ત્યાં જ કંટાળો આવે છે, એ સંયોગ અનુસાર હોય છે. આ કંટાળો એ બધા મનના વિચારે છે. આપણે તો વિચારોને કહીએ કે, ‘આવો, તમારે જેટલા આવવું હોય તેટલા આવો.” આ મનમાંથી વિચારો આવે છે એ તો મહીં સ્ટોક ભરેલો હતો તે નીકળે છે અને એ નીકળે છે તે નિર્જરા થાય છે. પણ નિર્જરા કયારે થાય છે ? કે આપણે શુદ્ધાત્મામાં રહીએ તો. તન્મયાકાર થાય તો તે કર્મો ચીકણાં થાય. આ તો મન જાતજાતનું બતાવે પણ આપણે તન્મયાકાર નહીં થવાનું; જોયા કરવાનું કે આવું બન્યું, તેવું બન્યું. એક બાજ વૈરાગ આવે અને બીજી બાજુ રાગ થાય જ, તો કઈ બાજુ રાગ છે તે તપાસ કર, માણસ પૈડો થાય ત્યારે વિચાર થાય કે હજી જિવાય તો સારું. આ કંઈ એના હાથમાં સત્તા છે ? એ તો જાતજાતના વિચારો આવે તે જોયા કરવાના ને જાણ્યા કરવાના. આ તો પોતાનું મૃત્યુ પોતે સ્વપ્નમાં જુએ ! જગત બહુ જુદી જાતનું છે ! આ બધે વૈરાગ્ય આવે અને ‘જ્ઞાની પુરુષ' પર રાગ આવે તો તો એના જેવું ઉત્તમ એકે ય નહીં ! એ તો બધા ય રોગોને ટાળનારું છે. આ મનુષ્ય અવતાર તો કેવો છે ? દેવોને ય દર્શન કરવા યોગ્ય ! દેવોને ય દુર્લભ !! પણ ફુલ પ્રકાશ થાય તો ! મનના રોગ જાય તો પ્રકાશ થાય. મનના રોગ લોકોને ના સમજાય કે આ બાજુનું મન રોગી છે અને બાજુનું મન તંદુરસ્ત છે. આ મન તંદુરસ્ત થાય તો વાણી તંદુરસ્ત થાય, દેહ તંદુરસ્ત થાય. માઇન્ડ વ્યગ્ર થઇ ગયું હોય તેથી એકાગ્રતાની દવા ચોપડે, પણ તે તો તેનાથી રોગ મટે પણ મોક્ષનું કશું વળે નહીં. આ તો માઇન્ડ નિરંતર વશ રહ્યા કરે, ત્યારે રોગ મટયો કહેવાય. નિરંતર વશ, એટલે આઘુંપાછું

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256