Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 248
________________ આપ્તવાણી-૨ પૂછીએ કે, સાહેબ, ભણી રહ્યા કે ?’ તો એ કહે, ભણી તો રહ્યો છું, પણ માળા તો ફેરવવી જ પડે ને ? !' ના, મોક્ષે જવું છે, ને લાકડાની માળાને ને મોક્ષને વેર છે. મોક્ષ માટે તો સ્વરૂપની રમણતા જોઇશે. આ તો લાકડાની રમણતા થાય છે, એથી મોક્ષ ના થાય. આ તો વેપાર માંડી બેઠા છે, એને ચેતવવા કહેવું પડે છે. ધર્મમાં વેપાર ના હોવો ઘટે, વેપારમાં ધર્મ હોવો જ જોઇએ. જયાં ધર્મમાં વેપાર પેઠો, પૈસા-વ્યવહાર પેઠો તો સમજી જવું કે આ રીયલ ધર્મ ન હોય, સાચો ધર્મ ન હોય. ૪૫૩ કો'કના કહ્યો પ્રમાણે ચાલે તો ય મોક્ષે જવાય પણ તે ય ચાલતો નથી, પોતાના ડહાપણથી જ ચાલ્યો છે. તેથી ગુરુ રાખવાનું કહેલું, પણ ગુરુ ઠામ-ઠેકાણા વગરના મળે-માર્કેટ મટેરીઅલ તે શું થાય ? આ તો ગુરુ જોડે કરાર નથી કર્યો એટલું સારું છે, નહીં તો કહે, ‘કેમ, પાંચ વર્ષના કરાર હતા ને બે વર્ષમાં ચાલ્યા જાવ છો ?’ વીતરાગ માર્ગ આવો ના હોય. ગુરૂકિલ્લી વીણ ગુરૂ કેવા ! આ જગતમાં સાચો ગુરુ મળવો મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં નિરંતર રહે, તે બેઉ ડૂબવાના. ગુરુનો અર્થ શો ? ગુરુ એટલે ભારે, તે પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે ! માટે એમ ને એમ જે ગુરુ થઇ બેઠા છે તે પોતે તો ડૂબે ને બીજાને પણ ડૂબાડશે. ગુરુકિલ્લી વગર ગુરુ થવાય તેમ નથી. પ્રશ્નકર્તા : ગુરુકિલ્લી એટલે શું ? શુદ્ધાત્માનું લક્ષ ? દાદાશ્રી : ના, તો તો મોક્ષ થઇ જાય. ભગવાનના વખતમાં ગુરુકિલ્લી અપાતી હતી. આ ગુરુ તો કોઇ પણ થાય, પણ તે વિષયોમાં નિસ્પૃહ હોવો જોઇએ. આ જગત તો રોગિષ્ઠો ને રોગીઓનું છે, ત્યાં તો ગુરુ થતાં પહેલાં ગુરુકિલ્લી હાથમાં હોવી જોઇએ. આ તો ગુરુ થાય તેને બે-પાંચ શિષ્યો હોય, ને એ એને બાપજી, બાપજી કરે એટલે કેફ વધી જાય, પણ ગુરુકિલ્લીથી નોર્મલમાં રહે. ગુરુકિલ્લી વગર શું જોઇને ગુરુ થઇ બેઠા છે ? જયાં સુધી ‘જ્ઞાની ૪૫૪ આપ્તવાણી-૨ પુરુષ' ગુરુકિલ્લી ના આપે ત્યાં સુધી ગુરુ કેમ થવાય ? ‘જ્ઞાની પુરુષ’ ‘ગુરુતમ’ હોય, એનાથી કોઇ મોટો ના હોય અને પોતે ‘લઘુતમ’ પુરુષ પણ છે, એમનાથી નાનું કોઇ ના હોય ! તમે કહો કે, ‘તમે આચાર્ય છો.’ તો અમે કહીએ કે, ‘એથી પણ ગુરુતમ છીએ.’ ભગવાન કહો તો અમે કહીએ, ‘એથી અમે પણ ગુરુતમ છીએ.’ અને તમે અમને કહો કે, ‘તમે ગધેડા છો.' તો અમે કહીએ કે, ‘અમે એથી પણ લઘુતમ છીએ.’ આવા ‘લઘુતમ’ ‘ગુરુસ્તમ’ પુરુષની શી રીતે ઓળખાણ પડે ? ને ઓળખાણ પડે તો કામ નીકળી જાય તેમ છે ! સ્વચ્છંદે રોકાયો મોક્ષ ! મોક્ષે જવું હોય તો સ્વચ્છંદ નામનો અનંતકાળનો રોગ કાઢવો જ પડશે. ‘જ્ઞાની પુરુષ’ વીતરાગી શબ્દો બોલે તેનાથી સામાનો રોગ જાય. માટે અમારે કહેવું પડે છે કે કઇ જાતના છો ? એક વખત તો પાંસરા થાવ. ‘હું છું. હું છું,’ તે શેમાં છે તું ? કો'કના આધીન રહોને ! ગમે તેના આધીન રહે તો પોતાને સ્વછંદ તો ના રહેને ! તેથી જ તો કૃપાળુ દેવે કહ્યું કે : ‘રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ.' - શ્રીમદ્ રાજચંદ્ર અને આગળ પાછો સ્વછંદ કાઢવાનો ઉપાય બતાવ્યો કે, ‘પ્રત્યક્ષ સદ્ગુરૂ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.’ - શ્રીમદ્ રાજચંદ્ર સાચો ગુરુ - સાચો શિષ્ય ! આ સાધુ-સંન્યાસીઓને શું છે કે કોઇને આધીન જ નથી. જો કોઇને આધીન હોય તો બન્ને વચ્ચે કલેશ ના થાય. ગુરુ શિષ્યને આધીન રહે કાં તો શિષ્ય ગુરુને આધીન રહે તો ઉકેલ આવે. ગુરુ શિષ્યને આધીન રહે તો શો વાંધો છે ? આંખો ના હોય ત્યારે ગુરુ શિષ્યને આધીન રહે છે જ ને ? તે એક અવતાર છતી આંખે શિષ્યને આધીન રહો ને, તો ઉકેલ આવે ! મનમાં ગુરુને થાય કે શિષ્ય દુરૂપયોગ કરશે.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256