Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 218
________________ છે ? દ્વૈતાદ્વૈત ! પ્રશ્નકર્તા : કેટલાક કહે છે કે ‘જગતમાં આત્મા અદ્ભુત છે’ એ ખરું દાદાશ્રી : એ કહે, પણ આ તો અદ્વૈત દ્રષ્ટિ જ ઉત્પન્ન થઇ નથી ને આત્માને અદ્વૈત કહેવું એ ગુનો છે. આત્મા વસ્તુ જ ઓર છે અને આ તો ખાલી અદ્વૈત ભાવ ઉત્પન્ન કરે છે, પણ જયારે કોઇ મારે કે ગજવું કાપે ત્યારે એ અદ્વૈત ભાવ ક્યાં જતો રહે છે ? ત્યારે ખબર પડે કે આત્મા પ્રાપ્ત છે કે નહીં ! આત્મા પ્રાપ્ત કરેલાને તો નિર્ભયતા-સ્વતંત્રતા ઉત્પન્ન થઇ જાય, પણ છતાં અદ્વૈત ભાવ એ રીલેટિવ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય અને એવા તો હિંદુસ્તાનમાં ઘણા છે. આ બધા જાતજાતના પક્ષોમાં પડી ગયા ! જૈનો પડયા દ્વૈતમાં અને આ વેદાંતી લોકો પડયા અદ્વૈતમાં કે, ‘હું આત્મા જ છું, શુદ્ધ જ છું’ તો મંદિરમાં શું કરવા જાય છે ? પુસ્તક શું કામ પઢે છે ? આ એકાંતિક અદ્વૈતમાં પડયા ને પેલા એકાંતિક દ્વૈતમાં પડયા ! ‘હું કરું તો જ થાય ને ? મેં ક્રોધ કર્યો માટે મારે ભોગવવાનું ને ? આ તો જાતજાતની ભૂતાવળ વળગી છે ! એમાં ય પાછી જાતજાતની દુકાનો કાઢી લોકોએ વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે. આ અદ્વૈતવાળા અહીં અમને ભેગા થાય છે, એમને મારે કહેવું પડે છે કે, ‘તું અદ્વૈતવાળો છે તો અહીં શું જાણવા આવ્યો છે ?” તો એ કહે, ‘આત્માને આપ્તવાણી-૨ જાણવો છે.’ મેં કહ્યું, ‘ના, અદ્વૈતવાળાને આત્મા જાણવાનો બાકી ના હોય. તને આ અદ્વૈતનું સ્ટેશન કયાંથી મળ્યું ? આ તને આવા ગુરુ કયાંથી મળી આવ્યા તે આવું શીખવ્યું ?' ૩૯૪ એ મને કહે, ‘દાદા, તમે કેમ દ્વૈતમાં રહો છો ?” મેં કહ્યું, ‘દ્વૈતને તું સમજે છે ? અદ્વૈતને તું સમજે છે ? વાતને સમજ. આત્મા દ્વૈત સ્વરૂપે ય નથી ને અદ્વૈત સ્વરૂપે પણ નથી, એ તો દ્વૈતાદ્વૈત સ્વરૂપે છે.’ આ દ્વૈત થઇ જાય તો તો એને અદ્વૈતનો વિકલ્પ આવ્યા કરે ને અદ્વૈત સ્વરૂપ થઇ જાય તો એને દ્વૈતનો વિકલ્પ થયા કરે કે, ‘આ દ્વૈત આવ્યો અને આ અદ્વૈત આવ્યો.’ આત્મા તો દૈતાદ્વૈતથી પર છે, છતાં વ્યવહારમાં કહેવું હોય તો કહું કે, ‘આત્મા દ્વૈતાદ્વૈત છે, એકપક્ષી નથી; રીલેટિવ વ્યુ પોઇન્ટથી દૈત છે અને રીયલ વ્યુ પોઇન્ટથી અદ્વૈત છે.’ ‘દાદા’ વાત કરે તો દ્વૈત ભાવમાં હોય ને સ્વરૂપમાં હોય તો અદ્વૈત ભાવમાં હોય. માટે દ્વૈત હોય તો જ અદ્વૈત હોય અને અદ્વૈત હોય તો દ્વૈત છે, કારણ કે બન્ને ય રીલેટિવ છે. જયાં સુધી આત્મા ના જાણ્યો ત્યાં સુધી આ તો અદ્વૈતની દુકાન એકલી કાઢી, તો માર્યા ગયા ! માટે જાણ, કંઇક વિચાર કર. દ્વૈતમાં પડીશ તો ય દ્વંદ્વ ઊભાં થશે ને અદ્વૈતમાં પડીશ તો ય દ્વંદ્વ ઊભાં થશે ને દૈતાદ્વૈતમાં આવીશ તો કેંદ્ર ઊભાં નહીં થાય. સિદ્ધગતિમાં જાય છે ત્યારે વિશેષણ જ નથી હોતું, નિર્વિશેષ ! દ્વૈતાદ્વૈત તો ક્યાં સુધી ? દેહ છે ત્યાં સુધી. જો એકલો અદ્વૈત માને તો તો એકાંતિક થઇ ગયો ને એકાંતિક એટલે મિથ્યાત્વી કહેવાય; ને દ્વૈત માને તો ય મિથ્યાત્વી છે. આ તો એકાંતિક ના હોવું જોઇએ, દ્વૈતાદ્વૈત જોઇએ, અનેકાંત હોવું જોઇએ. વીતરાગો અનેકાંતિક હતા. એકાંતિક એટલે આગ્રહ કરી નાખ્યો, મોક્ષમાર્ગ તો નિરાગ્રહીનો છે. એ અદ્વૈતવાળાને પછી મેં પૂછ્યું, ‘તું પૈણ્યો નથી ?” ત્યારે તેણે કહ્યું, “પૈણ્યો છું, પણ એને બોલાવતો નથી.’ ‘બૈરીને રખડાવી મારી ? તને કેવો ગુરુ મળ્યો ? પૈણ્યા પછી અદ્વૈત થયો ? કંઇથી આવો થયો ?” ખરો અદ્વૈત કોણ ? સ્ત્રી હોય, છોકરાં હોય, પણ કોઇને કિંચિત્ માત્ર દુઃખ ના થાય એવું જેનું વર્તન હોય એ ખરાં દ્વૈતાદ્વૈતનાં લક્ષણ કહેવાય. આ

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256