________________
આપ્તવાણી-૨
૩૨૩
૩૨૪
આપ્તવાણી-૨
અનંતમાંથી એક - ચિત્ત આ અહીં સત્સંગમાં કવિનાં પદો ગવડાવીએ છીએ, શા માટે ? કે તેનાથી તેટલો સમય ચિત્ત “એક-ચિત્ત’ થયું. આખું જગત અનંતચિત્તમાં પડ્યું છે અને સાધુ, સંન્યાસીઓ અનેક-ચિત્તમાં છે અને તમને અમારી હાજરીમાં કે આ પદો ગાવ ત્યારે એક-ચિત્ત રહે. એક-ચિત્ત તો કોઇનું થાય જ નહીં ને ! આખું જગત ચિત્તને એકાગ્ર કરવા માટે ભાંગફોડ કરી રહ્યું છે, પણ એ શુદ્ધ થાય તો જ એકાગ્ર થાય. ‘જ્ઞાની પુરુષ' મળે તો જ ચિત્ત શુદ્ધ થાય.
વ્યવહારિક ચિત્ત ત્રણ પ્રકારનું છે : (૧) “અનંત-ચિત્ત’ એની સ્થિરતા જ ના હોય. | (૨) “અનેક-ચિત્ત’ એની સ્થિરતા હોય તેથી તો દેરાસરે કે મંદિરે જાય છે.
(૩) “એક-ચિત્ત’ એ થાય તો તો કામ જ કાઢી નાખે. પ્રશ્નકર્તા : દાદા, આત્મા એ જ પરમાત્મા છે ?
દાદાશ્રી : જયારે ‘આત્મા એ પરમાત્મા છે' એવો પરમાત્માનો અનુભવ થાય ત્યારે એ પરમાત્મા છે અને શુદ્ધાત્માનો અનુભવ થાય તો શુદ્ધાત્મા છે અને જગતના લોકોને મૂઢાત્માનો અનુભવ છે જ ને ! “આ મારા કાકા, આ મારા માસી, આ મારી મોટી સાસુની કાકીના દીકરા;' તે ‘અનંત-ચિત્ત’ થઇ ગયું આ તો “અનંત-ચિત્ત' થઇ ગયું છે અને તેથી તો આ બધું યાદે ય રહે. આ સગાની ઓળખાણમાં ચોક્કસ રહે અને પોતે કોણ છે એની ઓળખાણ રાખતો જ નથી ! જો પોતાની ઓળખાણ થઈ જાય તો કામ જ થઇ ગયું !
‘દાદા'નાં સ્વપ્ના આવે એ તો “એક-ચિત્ત” થાય ત્યારે આવે. સંસારના લોકો ચિત્ત ભણી નજર પણ કરતા નથી, એકલા મનને ખેંચાખેંચ કરે છે. આ ચિત્તથી તો સંસાર ખડો થયો છે. લોકોનાં ચિત્ત બધે વેરાઈ ગયાં છે.
પ્રશ્નકર્તા : ચિત્ત કેવી રીતે ઊભું થયું ?
દાદાશ્રી : બુદ્ધિ જે પ્રકાશ આપે છે એ શેયને જુએ તો એ અશુદ્ધ ચિત્ત, એ (ચિત્ત) શૈયાકારે શેયને જુએ. એ ઘેર ટેબલ, ખુરશી એ બધાને એક્ઝક્ટ જુએ, પણ તે શુદ્ધાત્માને ના જોઇ શકે.
પ્રશ્નકર્તા : ચિત્ત કર્મને આધીન ખરું ?
દાદાશ્રી : હા, પણ ચિત્ત અટકયું તો કામ થયું, પણ જો ચિત્ત ચોંટયું તો ફસાય. ગમે તેટલું મન વાળવાળ કરે, પણ ચિત્ત ત્યાં જ ચોંટી રહે. અનંત-ચિત્ત’ તો છે જ, એમાંથી અનેકમાં આવવું એ બહુ મુશ્કેલીની વાત છે અને એક-ચિત્ત થાય તો કામ થાય ! આપણું “જ્ઞાન” છે તેનાથી “એકચિત્ત' ભણી અવાય છે.
આ “અનંત-ચિત્ત'માંથી “અનેક-ચિત્ત'માં એટલે શું કે આપણી ગણતરી થાય કે અહીં અહીં ચિત્ત ગયું. આ અડતાલીસ મિનિટનું સામાયિક એટલે શું કે એ પછી ચિત્તનું સ્ટેજ બદલાય છે. આઠ મિનિટથી માંડીને અડતાલીસ મિનિટ સુધી ચિત્ત બંધાય. આઠ મિનિટથી ચિત્ત બંધાવા લાગે. આ દૂધનો આઇસ્ક્રીમ થતો હોય તો પહેલાં દૂધ બંધાય છે, તેથી આઇસ્ક્રીમ બંધાવાનું શરૂ થાય અને પછી આઇસ્ક્રીમ થઇ જાય, ઠરી જાય. આ ‘અનંત'માંથી “અનેકમાં આવ્યા અને જો આ ‘દાદા'નું સ્વપ્ન આવી જાય એટલે કે ચિત્તની “રીલ’ આવી જાય તો કામ થઇ જાય ને ત્યારે તો આ દાદાનાં ગજબનાં દર્શન થઇ જાય.
શુદ્ધ ચિત્ત - અશુદ્ધ ચિત્ત પ્રશ્નકર્તા : ચિત્તને નિજઘરમાં કેવી રીતે વળાય ?
દાદાશ્રી: ચિત્ત શુદ્ધ થાય તો જ નિજઘરમાં આવે. પહેલામાં પહેલી અશુદ્ધિ શું ? તો કે, હું ચંદુલાલ છું, હું જુવાન છું, હું આનો ધણી છું.” આ બધું અશુદ્ધ-ચિત્ત છે. એના ઉપરથી તો સમજાય છે કે ચિત્તનાં પરમાણું ઠેરઠેર વેરાઇ ગયાં છે અને આજે લોકોને તો ચિત્ત પણ બે-ચિત્ત થઇ ગયા છે ! ‘અનંત- ચિત્ત’ની ઉપર વધારે જાય તો બે-ચિત્ત થાય !