Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 193
________________ આપ્તવાણી-૨ ૩૪૩ જ ના રહે, રૂપિયા તો મને યાદ જ નથી આવતા. લક્ષ્મી અને વિષય અમને વિચારમાં જ નથી આવતા, પણ લોકોને માન્યામાં શી રીતે આવે ? આ ગણતરી જ જુદી છે ! તારો જે ગુણાકાર છે, તેમાં તારી રકમ પરમેનન્ટ રકમ છે, અને બીજી ટેમ્પરરી રકમથી એને ગુણવા જાય છે ને ! હવે મારે તો બેઉ પરમેનન્ટ રકમો છે એટલે મારા ગુણાકાર ચાલ્યા કરે અને તું ગુણાકાર કરવા જાય તો ટેમ્પરરી રકમ ઊડી જાય, બીજી ટેમ્પરરી રકમ મૂકે ને ગુણાકાર કરવા જાઉં ત્યારે હોરી તો પેલી ટેમ્પરરી રકમ ઊડી જાય, તે તારો ગુણાકાર કોઇ દહાડો પૂરો થવાનો નથી, માટે પાંસરો ચાલને ! મહાવ્રત તમને સમજાયું ? વર્તે તે ! વર્તે એટલે યાદે ય ના હોય, સહજ ત્યાગ. હમણાં તમને બીડીનો ત્યાગ વર્તતો હોય તો બીડી તમને યાદ ના આવે અને ત્યાગ કરેલો હોય તેને યાદ આવ્યા કરે કે, “બીડી ત્યાગી છે.’ એટલે વર્નેલો ત્યાગ હોય તેની વાત જ જુદી છે ! એ ત્યાગનો અહંકાર ના હોય ! પણ કેટલાક ત્યાગનો ગાંડો અહંકાર કરે. અલ્યા, ત્યાગ વલ્યું છે માટે પાંસરો રહેને ! શું કરવા ત્યાગને ગા ગા કરે છે ? એનો અહંકાર શું કરવા કરે છે ? વર્તુલો ત્યાગ તો બહુ સારો કહેવાય. જેટલાં લફરાં ઓછાં થયાં એટલી ઉપાધિ ઓછી થઇ ગઈને ! અને આપણો મોક્ષમાર્ગ કેવો છે ? અક્રમ માર્ગ છે એટલે પહેલાનાં લફરાં હોય તેને રહેવા દેવાનાં, નવાં ઊભાં નહીં કરવાનાં અને જૂનાં કાઢવાનાં, એ પણ એની મેળે ખરી પડે ત્યારે જાય ! એક મહારાજે પાછી શોધખોળ કરી ખોળી કાઢયું કે, “અક્રમ એટલે તો અક્કરમી જ કહેવાય ને ?” હા, શોધખોળ તો સારી કરી, આ ય સાયન્ટિસ્ટનું કામ છે ને ! આટલી શોધખોળ આવડી એ ય સાયન્ટિસ્ટનું કામ છે ને ! નહીં તો આવી શોધખોળ આવડે નહીં. અક્કરમી એટલે કરમ ના બંધાય એવા અમને કહે છે, તે અમારે માટે એ પાંસરું બોલે છે ને ! કંઇ ગાળો ઓછા દે છે ?! પંચમહાવ્રતધારી બધા આરોપિત ભાવો છે. આ પંચમહાવ્રત સાચા ૩૪૪ આપ્તવાણી-૨ કે આરોપિત એવું તેવું કશું વિચાર્યું જ નથી ને ! તમે પોતે જ આરોપિત છો, પછી મહાવ્રતે ય આરોપિત જ હોયને ?! ત્યારે એ કહે કે, “આવું તો અમે વિચાર્યું જ નહોતું. ત્યારે તમે કંઇ ના વિચાર્યું હોય તેથી કંઇ મહાવીર છેતરાવાના નથી કે આ મોક્ષમાર્ગે ય છેતરાય તેવો નથી ! ભગવાન કંઇ છેતરાય એવા છે ? કેટલાક કહે, “અમે પંચમહાવ્રતધારી છીએ,’ પણ તે લોક માનશે, કારણ કે લોકોને લક્ષ્મીની પડી છે, વિષયોની પડી છે, બીજા કશાની પડી નથી. આ બાજુ મહાવ્રત છે કે અણુવ્રત છે. કે આરોપિત ભાવ છે, એવા તેવાનું કશું ભાન જ નથી ! આપણા જેવાને ખબર હોય ત્યારે બોલે નહીં, કારણ કે લોકવિરૂદ્ધ બોલવું એ ય ગુનો છે. લોકવિરૂદ્ધ એટલે શું ? કે જેવો અહીં આગળ વ્યવહાર ચાલતો હોય તેની વિરૂદ્ધ તે. ચોર લોકોનું ગામ હોય ત્યાં આગળ આપણે કહીએ કે, “પંચ મૂકો,’ તો પછી ગુનો છે ને ? ચોર લોકોના ગામમાં તમારું ગજવું કપાયું, હવે તમે કહો કે, ‘મારું ગજવું કાપી ગયું.’ ત્યારે લોકો કહેશે કે, ‘અમને શી ખબર પડે ? તમે પંચ મૂકો.’ પણ પંચ પાછા ચોરના ચોર ને ? એટલે લોકવિરૂદ્ધ ના બોલવું, પણ આપણને પૂછે તો જવાબ આપવો કે, “આ આરોપિત પંચમહાવ્રતધારી છે. જેમ આ ‘મહાવીર’ હમણાં મોક્ષ આપી દે, તેમ આ પંચમહાવ્રતધારી ફળ આપે (!)” કશું ના મળે, તો સડેલા ઘઉં મળે તો સડેલા લાવને ! કંઇક રોટલી તો ખાવી પડશે ને ? નહી તો મરી જવાશે, એટલે આ બધા સડેલા ઘઉં ખાય છે, ખાવું જ પડેને, છૂટકો જ નહીંને ! આ પંચમહાવ્રતધારી આરોપિત છે એવું જાણતા જ નહોતાને ? ‘જ્ઞાની પુરુષ’ એવો ફોડ પાડે ત્યારે ખબર પડે. ભગવાને ના કહ્યું હતું કે, ‘આરોપિત તરીકે પંચમહાવ્રતધારી રહેશો નહીં. તીર્થકરોની મૂર્તિ એકલી જ આરોપિત ભાવે રાખજો અને શાસ્ત્રો આરોપિત ભાવે રાખજો. આરોપિત ભાવે પંચમહાવ્રતધારી શબ્દને બગાડશો નહીં.” એના કરતાં તમે ‘પરિગ્રહના ત્યાગી છો.’ એમ કહેવું અને બીજા બધા ત્યાગના અભ્યાસી છીએ, તેને વ્રત ના કહેવાય ! પરિગ્રહનું મહાવ્રત તો મહા મહા ઊંચું કહેવાય ! ‘દાદા’ અપરિગ્રહી કહેવાય, એ સંપૂર્ણ અપરિગ્રહી છે, એકુ ય પરિગ્રહ એમના લક્ષમાં રહેતો નથી. એ ખોવાયો છે કે સાબૂત

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256