Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah
View full book text
________________
૧૭
અઢારમું] વિયાહજિયા, વીરસ્થવ ઈત્યાદિ અપાયો છે. આ પુસ્તિકા હીરાચંદ કકલભાઈ તરફથી વિ. સં. ૧૯૭૯માં પ્રસિદ્ધ થઈ છે.
વિયાહલિયા (વ્યાખ્યાચૂલિકા)–વિવાહની ચૂલિયા તે વિયાહચૂલિયા છે. આ સબંધમાં તે વવહારના ભાસના કર્તા, મલયગિરિસૂરિ અને અભયદેવસૂરિ એકમત છે. સ્થાનકવાસી સમાજે વિવાહચૂલિકા નામને જે ગ્રન્થ છપાવ્યો છે તે કઈ પ્રાચીન આગમ નથી.
વીરથવ (વીરરતવ )–આમાં ૪૩ પદ્યો છે. આમાં મહાવીરસ્વામીનાં વિવિધ નામો દ્વારા એમની સ્તુતિ કરાઈ છે. હરિભદ્રસૂરિએ “વીરસ્તવ” નામની કૃતિ રચ્યાનું કહેવાય છે, પણ એમ હોય તો પણ એ આ આગમથી ભિન્ન છે.
સંસતનિજુત્તિ ( સંસક્તનિયુક્તિ )–જેમ જંબુદ્દીવપત્તિ એ કંઈ જ બુદ્દીવપણુત્તિની ચુષ્ટિ નથી, પણું ગણિતની કૃતિ છે તેમ સંસત્તનિજજુત્તિ એ કઈ આગમ ઉપરની નિજજુતિ નથી, પણ ૬૩ ગાથામાં રચાયેલી એક સ્વતંત્ર કૃતિ છે. એ ની બીજી ગાથામાં સૂચવાયા મુજબ એ બીજા પુત્રમાંથી ઉદ્દધૃત કરાયેલી છે. અમુક સંયોગોમાં ઉત્પન્ન થતા સમ્મછિમ જીવોની ઉત્પત્તિ ઉપર આ પ્રકાશ પાડે છે. જૈન સાધુને ખાનપાનની કઈ ચીજ ખપે એ બાબત અહીં વિચારાઈ છે. પ્રસંગોપાત્ત અહીં મગધ, નેપાળ, કલિંગ, દ્રવિડ અને સૌરાષ્ટ્ર એ દેશ વિષે ઉલ્લેખ છે. આ કૃતિ ઉપર સંસ્કૃતમાં લગભગ છાયા જેવી અવચૂર્ણિ છે.
સારાવલી–૧૧૬ પદ્યમાં પાઈયમાં રચાયેલી આ કૃતિના પ્રારમ્ભમાં પાંચ પરમેષ્ઠીઓની સ્તુતિ છે. આમાં બાષભદેવના પૌત્ર પુણ્ડરીકનું જીવનવૃત્તાન્ત છે. આ સારાવલી ઉપર ગુજરાતીમાં બાલાવબોધ છે.
૧ “મનના મારથ સવિ ફળિયાથી શરૂ થતા સિદ્ધાચળના સ્તવનમાં આ સારાવલીની સાક્ષી અપાઈ છે. આ સ્તવન કેટલેક સ્થળેથી છપાયું છે તેમાં સારાવલીને બદલે “સ્થિરાવલી” એમ જે પાઠ જેવાય છે તે અશુદ્ધ છે. ૨ આ પાવવી ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250