Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 205
________________ ૨૦૪ આગમ કથાનુયોગ-૬ કર્યો, ત્યારે તમે અમને વિપત્તિની વાત કેમ ન કરી ? ત્યારે સાધુએ કહ્યું કે, હું કંઈ પણ જાણતો નથી. કેવળ અમને સર્વજ્ઞનો એવો ઉપદેશ છે કે, સાધુને માલાપહત ભિક્ષા કલ્પ નહીં ઇત્યાદિ – પૂર્વવત્ ભિક્ષુના દૃષ્ટાંત મુજબ જાણવું – યાવત્ – સુરદત્તે પ્રવજ્યા ગ્રહણ કરી. (ઉપનય પૂર્વવત્ જાણવો.) ૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૩૯૧ + 9 ૦ આચ્છેદ્ય દોષના સંદર્ભમાં ગોવાળની કથા : વસંતપુર નામે નગર હતું. ત્યાં જિનદાસ શ્રાવક હતો. રુકિમણી તેની પત્ની હતી. તેમને ત્યાં વત્સરાજ નામે ગોવાળ હતો. તે દર આઠમે દિવસે સર્વે ગાય-ભેંસોના દૂધને ગ્રહણ કરતો હતો. કોઈ વખતે સાધુનું એક સંઘાટક (યુગલ) ભિક્ષા માટે આવ્યા. તે જ દિવસે દૂધ લેવાનો ગોવાળનો વારો આવ્યો. તેણે સર્વે ગાય-ભેંસને દોહી. જિનદાસ શ્રાવકે સાધુયુગલને ઉત્તમ પાત્ર જાણી તેમને ભક્તિથી અશનાદિ આપ્યા પછી, પે'લા ગોવાળનું દૂધ બળાત્કાર લઈને આપ્યું. તે વખતે ગોવાળને સાધુ પર દ્વેષ થયો, પણ માલિકના ભયથી કંઈ બોલ્યો નહીં. ત્યારપછી દૂધનું પાત્ર કંઈક ઉણું લઈને ઘેર ગયો. તેની પત્ની તે જોઈને રોષ પામી. ત્યારે ગોવાળે સત્ય વાત કહેતા તેણી પણ સાધુ પર આક્રોશ કરવા લાગી. નાના બાળકો પણ ઓછું દૂધ જોઈને રડવા લાગ્યા. આ પ્રમાણે સમગ્ર કુટુંબને વ્યાકુળ જોઈ તે ગોવાળને સાધુ ઉપર ઘણો રોષ ઉત્પન્ન થયો. ત્યારે તે ગોવાળ તે સાધુને મારવા ચાલ્યો. માર્ગમાં સાધુને જોઈને લાકડી લઈને તેની પાછળ દોડ્યો. સાધુનું તે તરફ ધ્યાન ગયું. તેને કોપાયમાન જોઈને વિચાર્યું કે, જિનદાસે બળાત્કારે આની પાસેથી દૂધ લઈને મને આપ્યું તેથી તે મારવા આવે છે. ત્યારે સાધુ પ્રસન્ન વદન થઈને તેમની સન્મુખ ચાલ્યા. તેમણે ગોવાળને કહ્યું કે, તારા માલિકના આગ્રહથી મેં દૂધ લીધું હતું, તું તારું દૂધ પાછું ગ્રહણ કર. આમ કહેતા તેનો કોપ શાંત થઈ ગયો. તેણે સાધુને કહ્યું, હે સુવિહિત ! હું તમને મારવા આવેલ, પણ આપના વચનથી મારો કોપાગ્નિ શાંત થયો છે તેથી તમે જ તે દૂધ ગ્રહણ કરો. મેં તો તમને પ્રાણનો નાશ કર્યા વિના છોડી મૂકયા પણ ફરીથી આવું આચ્છેદ્ય ગ્રહણ કરશો, નહીં. એમ કહી તે ગોવાળ પાછો ફર્યો. આ રીતે સાધુએ આચ્છેદ્ય દોષયુક્ત આહાર લેવો ન જોઈએ. ૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૩૯૭, ૩૮ + વૃ ૦ અનિકૃષ્ટ દોષ વિષયમાં મોદકનું દૃષ્ટાંત : રત્નપુર નગરમાં માણિભદ્ર આદિ બત્રીશ મિત્રો હતા. તેઓએ કોઈ વખતે ઉજાણી નિમિત્તે સામાન્ય મોદકો કરાવ્યા. પછી ઉજાણીએ ગયા. ત્યાં એકને મોદકનું રક્ષણ કરવા

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274