Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 216
________________ દષ્ટાંત ઉપનય ૨૧૫ રહ્યા. આ પ્રસંગે પૂર્વવરી સુબંધુમંત્રીએ અનુકૂલ પૂજાના બહાને તેમને છાણાથી સળગાવ્યા. આમ શરીર સળગવા છતાંયે તે ચાણક્ય ઋષિએ સમાધિમરણ પ્રાપ્ત કર્યું. (૭–૭૬ થી ૭૮) અમૃતઘોષ રાજર્ષિ :- કાકંદી નગરીમાં શ્રી અમૃતઘોષ નામે રાજા હતો. યોગ્ય અવસરે તેણે પુત્રને રાજ્ય સોંપી પ્રવજ્યાને ગ્રહણ કરી. સૂત્ર અને અર્થમાં કુશલ તથા કૃતના રહસ્યને પામનાર એવા તે રાજર્ષિ શોકરહિતપણે પૃથ્વી પર વિહાર કરતાં ક્રમશઃ કાકંદી નગરી પધાર્યા. ત્યાં ચંડવેગ નામના વૈરીએ તેઓના શરીરને શસ્ત્રપ્રહારથી છેદી નાંખ્યું. શરીર છેદાઈ રહ્યું છે, તેવી વેળાએ પણ તે મહર્ષિ સમાધિભાવમાં સ્થિર રહ્યા અને પંડિત મરણને પ્રાપ્ત કર્યું. (૧૦–૭૯, ૮૦) લલિતઘટા બત્રીશ પુરુષો :- કૌશાંબી નગરીમાં લલિતઘટા બત્રીશ પુરુષો પ્રખ્યાત હતા. તેઓએ સંસારની અસારતાને જાણીને શ્રમણપણાને ગ્રહણ કર્યું. મૃત સાગરના રહસ્યને પ્રાપ્ત કરનારા એવા તેઓએ શરીરના મમત્વથી રહિત બની, યોગ્ય અવસરે પાદપોપગમ અનશનને સ્વીકાર્યું. અકસ્માતુ નદીના પૂરથી તણાતાં મોટાદ્રહમાં તેઓ ખેંચાઈ ગયા. આવા અવસરે પણ તેઓએ સમાધિપૂર્વક પંડિતમરણને પ્રાપ્ત કર્યું. (૧૧-૮૧ થી ૮૩) સિંહસેન ઉપાધ્યાય :- કુણાલ નગરમાં વૈશ્રમણદાસ નામનો રાજા હતો. તેને રિષ્ઠ નામે મંત્રી હતો જે મિથ્યાષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળો હતો. તે નગરમાં કોઈ વખતે મુનિવરોને વિશે વૃષભ સમાન, ગણિપિટકરૂપ શ્રી દ્વાદશાંગીના ધારક તથા સમસ્ત મૃતસાગરના પારને પામનાર અને ધીર એવા શ્રી ઋષભસેન આચાર્ય સપરિવાર પધાર્યા. તેમના શિષ્ય શ્રી સિંહસેન ઉપાધ્યાય કે જેઓ અનેક પ્રકારના શાસ્ત્રાર્થ રહસ્યના જ્ઞાતા, તથા ગણની તૃપ્તિને કરનારા હતા. તેમને રાજમંત્રી રિષ્ઠની સાથે વાદ થયો. વાદમાં રિષ્ઠ પરાજિત થયો. આથી રોષથી ધમધમતા, નિર્દય એવા તેણે પ્રશાંત અને સુવિડિત શ્રી સિંહસેન ઋષિને અગ્રિથી સળગાવી મૂક્યા. શરીર અગ્નિથી બળી રહ્યું છે. આ અવસ્થામાં તે ઋષિવરે સમાધિ મરણને પ્રાપ્ત કર્યું. (૧૨-૮૪) કુરૂદત્ત શ્રેષ્ઠીપુત્ર :- હસ્તિનાગપુરના કુરુદત્ત શ્રેષ્ઠીપુત્રે સ્થવિરો પાસે દીક્ષા સ્વીકારી. કોઈ સમયે નગરના ઉદ્યાનમાં તેઓ કાયોત્સર્ગ ધ્યાને ઊભા હતા. ત્યાં ગોપાળે નિર્દોષ એવા તેઓને શાલ્મલીવૃક્ષના લાકડાની જેમ સળગાવી મૂક્યાં, છતાં યે આ અવસ્થામાં તેઓએ સમાધિપૂર્વક પંડિત મરણ પ્રાપ્ત કર્યું. (૧૩-૮૫) ચિલાતીપુત્ર:- ચિલાતીપુત્ર નામના ચોરે ઉપશમ, વિવેક, સંવરરૂપ ત્રિપદીને સાંભળીને દીક્ષા ગ્રહણ કરી, તે અવસરે તેઓ ત્યાંજ કાયોત્સર્ગધ્યાને રહ્યા. કીડીઓએ તેમના શરીરને ચાલણીની જેમ છિદ્રવાળું કર્યું. આમ શરીર ખવાતું હોવા છતાંયે તેઓ સમાધિમરણને પામ્યા. (૧૪-૮૬) ગજસુકુમાલ :- શ્રી ગજસુકમાલ ઋષિ નગરના ઉદ્યાનમાં કાયોત્સર્ગધ્યાને રહ્યા હતા. નિરપરાધી અને શાંત એવા તેઓને કોઈ પાપાત્માએ હજારો ખીલાથી જાણે મઢેલ હોય એવી રીતે લીલા ચામડાથી બાંધી, પૃથ્વી પર પછાડ્યા, તેમ છતાં તેઓએ સમાધિમરણને પ્રાપ્ત કર્યું. (આ ગજસુકુમાલ કૃષ્ણ વાસુદેવના ભાઈ સિવાયના બીજા


Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274