Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 239
________________ ૨૩૮ આગમ કથાનુયોગ-૬ ત્યારે તેણે વિચાર્યું કે, હું દીક્ષા લઈ લઉં. ત્યારપછી ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લીધી. સામાયિકાદિ અગિયાર અંગો ભણ્યા. કુતૂહલથી તે ઉત્તર મથુરા ગયા. તેનું નાશ પામેલ બધું જ દ્રવ્ય આવી ગયું હતું. તે સાધુ જ્યારે ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તેની પુત્રી વીંઝણો લઈને ઊભી રહી. પછી સાધુએ ભોજનમંડપ જોયો. ત્યાં ભિક્ષા મળી, તે લઈને આવ્યા. પછી ભાંડોપકરણને જોવા લાગ્યા. ત્યારે ગુરુએ પૂછ્યું કે, આ શું કરો છો ? સાધુએ સમગ્ર વૃત્તાંત નિવેદિત કર્યો. આ રીતે પહેલા જે બધું જ ગયું હતું તે બધું જ શ્વશૂર ગૃહે જોઈને તેને જ્ઞાન થયું કે, આ તો બધો સંપ્રયોગ અને વિપ્રયોગ છે. ૦ આગમ સંદર્ભ :આવયૂ.૧–પૃ. ૪૭૩; ૦ ઘર્મરુચિ :- (અપ્રશસ્ત દ્વેષનું દષ્ટાંત) નંદ નામે નાવિક હતો. તે લોકોને ગંગાનદી પાર કરાવતો હતો. કોઈ વખતે ધર્મચિ નામના અણગાર તેની નાવ દ્વારા ગંગાનદી પાર ઉતર્યા. લોકો મૂલ્ય ચૂકવી ચાલ્યા ગયા. નંદે ધર્મરુચિ સાધુને રોક્યા. ભિક્ષાની વેળા પણ પસાર થઈ ગઈ. તો પણ તેમને છોડ્યા નહીં. કેમકે સાધુ મૂલ્ય ક્યાંથી ચૂકવે ? રોષથી તેણે સાધુને રેતીના ઉષ્ણતાપમાં ઊભા રાખ્યા. તૃષાથી સૂકાવા લાગ્યા. ત્યારે રોષથી છોડ્યા. તે સાધુ દૃષ્ટિવિષ લબ્ધિવાળા હતા. તેણે નંદ નાવિકને બાળી નાંખ્યો. તે મરીને કોઈ ઘરમાં ગરોળીરૂપે જન્મ્યો. સાધુ પણ વિચરતો તે ગામે ગયા. ભોજનપાન ગ્રહણ કરીને આહાર કરવા માટે સભામંડપમાં ગયા. તેને જોતા જ પેલી ગરોળી (ગૃહકોકિલ) ક્રોધિત થઈ, ભોજન સ્થાને કચરો નાંખ્યો. સાધુ બીજા સ્થાને ગયા. એમ ઉપદ્રવ થતો જ ગયો. ત્યારે સાધુને જ્ઞાનથી ખ્યાલ આવ્યો કે, આ તો પેલા નંદ નાવિકનો જીવ જ છે, ફરી તેને બાળી નાંખ્યો. લાંબા કાળે તે મૃતગંગાએ હંસ થયો. જ્યારે સાધુ મહામાસમાં ગંગા પાર કરતા હતા ત્યારે તે હંસે તેની પાંખ વડે તેમને ભીંજવી દીધા. પછી તે સિંહરૂપે જન્મ્યો. સાધુ સાથે સાથે તે પર્વતથી જઈ રહ્યા હતા. ત્યારે તે સિંહે સાર્થને ભેદી નાંખ્યો. ફરી સાધુએ તેને બાળી નાંખ્યો. ત્યાંથી વારાણસીમાં બટુક થયો. ત્યાં પણ ભિક્ષા જતા તે સાધુને ધૂળ આદિથી ઉપસર્ગ કર્યો. ફરી બાળી નાંખ્યો. ત્યારપછી તે નંદનો જીવ રાજા થયો. જાતિસ્મરણ જ્ઞાન થતા, પૂર્વેના બધા અશુભ કાર્યો યાદ આવ્યા. ત્યારે તેણે વિચાર્યું કે, જો હવે સાધુને મારીશ તો ઘણાં ભવો ભટકવા પડશે. એટલે તેણે પોતાના પૂર્વભવોનો એક શ્લોક બનાવીને મૂક્યો. જાહેર કર્યું કે જે આ શ્લોકને પૂર્ણ કરશે તેને અર્ધ રાજ્ય આપીશ. વિચરતા એવા સાધુએ શ્લોકને પૂર્ણ કર્યો. રાજા સાંભળીને મૂછ પામ્યો. પછી સાધુની માર્ગણા કરી. જ્યાં સાધુ હતા ત્યાં આવ્યો, વંદન કર્યા અને શ્રાવક થયો. ધર્મરુચિ પણ આલોચના-પ્રાયશ્ચિત્ત કરી મોક્ષે ગયા.

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274