Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 223
________________ ૨૨૨ આગમ કથાનુયોગ-૬ આપીશ. કોઈ દિવસે સુબુદ્ધિમંત્રી સાથે તે પરણી. તે તેણીની સામે ચુંકારો પણ કરતો ન હતો. તે અમાત્ય રાત્રિના એક કામ પૂર્ણ થયો ત્યારે રાજકાર્ય સંપન્ન કરીને આવતો. ભટ્ટા રોજ તેના પર ગુસ્સે થતી કે તમે વેળાસર આવતા નથી. કોઈ વખતે રાજાને થયું કે આ મંત્રી આટલો જલદી કેમ ઘેર જાય છે ? રાજાને કોઈએ કહ્યું કે, તે પત્નીની આજ્ઞાનો ભંગ કરતો નથી. કોઈ વખતે રાજાએ તેને કામમાં રોકી રાખ્યો. ત્યારપછી ઘેર પહોંચ્યો ત્યારે ભટ્ટાએ દ્વાર બંધ કરી દીધા. અમાત્યએ બારણું ખોલવા બહુ વિનંતી કરી. ઝઘડો થતા તેણી પિતાના ઘેર જવા ચાલી પણ સર્વાલંકાર વિભૂષિતા તેણીને ચોરે પકડી લીધી. પછી પોતાની પત્ની બનવા કહ્યું. પણ તેણી શીલભંગ કરવા ઇચ્છતી ન હતી. પછી તેણી ત્યાં લાવણ્યરહિત થતી ગઈ. કોઈ વખતે તેણીનો ભાઈ ત્યાં આવ્યો. તેણીને ઓળખીને ધન આપીને તેણીને છોડાવી વન– વિરેચનાદિ દ્વારા ફરીથી તે નવયૌવના થઈ ગઈ પછી અમાત્ય પણ તેણીને સમજાવીને પાછી ઘેર લઈ ગયો. ત્યારે તેણીએ અભિગ્રહ લીધો કે મારે કદી ક્રોધ કે અભિમાન ન કરવું. ૦ આગમ સંદર્ભ :સૂય. ધૂ. ૧૦૫; ગચ્છા.મૂ. ૯૮ની છે નિસી.ભા. ૩૧૯૪ થી ૩૧૯૬ + 4 દસા. ૧૦૯, ૧૧૦ + ૬ – ૪ – ૪ – ૦ અજિતસેન :- (ગુણચંદ્ર – બાલચંદ્ર) (વોસિરાવવાની ક્રિયા ન કરવાથી કર્મબંધ, કરવાથી કર્મબંધના અભાવના વિષયમાં દૃષ્ટાંત) વસંતપુર નગરમાં અજિતસેન રાજા હતો, ત્યાં બે કુલપુત્ર હતા. જેમાં એક શ્રમણ-શ્રાદ્ધ (સમકિતી) હતો, બીજો મિથ્યાષ્ટિ હતો. કોઈ વખતે રાત્રિએ ઘોડા પર આરૂઢ થઈ સંભ્રમથી જલ્દી જવા ગયો ત્યારે તેઓના ખગો પડી ગયા ત્યારે શ્રાવક કુલપુત્રે તેને અધિકરણ જાણી હાથમાં લીધું નહીં, પણ ત્યાગ કર્યો. જ્યારે મિથ્યાષ્ટિએ બીજું ખગ લઈ લીધું. પણ રાજાને કંઈ વાત ન કરી. કોઈ વખતે કોટવાળ તેમને પકડી લાવ્યા. રાજાએ કોપાયમાન થઈને પૂછયું, ત્યારે ગુણચંદ્રએ રાજા પાસે સત્ય વૃત્તાંત જણાવ્યો. જ્યારે બાલચંદ્રએ સાચી વાત જણાવી નહીં. ત્યારે જેમનું ખગ ખોવાઈ ગયેલ પણ પ્રમાદથી શોધ્યું ન હતું અને જઠું બોલ્યો હતો. તે કુલપત્રને સજા કરી, પણ જેણે સત્ય કહ્યું તેને મુક્ત કર્યો. આ રીતે જેઓ પ્રમાદને વશ થઈને ન વોસિરાવવા રૂપ દોષનું સેવન કરે છે તેઓ અપરાધ પ્રાપ્ત થઈને જન્માંતરે દેહાદિને વોસિરાવતા નથી. જેઓ વોસિરાવવા રૂપ ક્રિયા કરે છે તે કર્મબંધનોથી મુક્ત થાય છે. ૦ આગમ સંદર્ભ :પત્ર પરની વૃ,

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274