SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ આગમ કથાનુયોગ-૬ આપીશ. કોઈ દિવસે સુબુદ્ધિમંત્રી સાથે તે પરણી. તે તેણીની સામે ચુંકારો પણ કરતો ન હતો. તે અમાત્ય રાત્રિના એક કામ પૂર્ણ થયો ત્યારે રાજકાર્ય સંપન્ન કરીને આવતો. ભટ્ટા રોજ તેના પર ગુસ્સે થતી કે તમે વેળાસર આવતા નથી. કોઈ વખતે રાજાને થયું કે આ મંત્રી આટલો જલદી કેમ ઘેર જાય છે ? રાજાને કોઈએ કહ્યું કે, તે પત્નીની આજ્ઞાનો ભંગ કરતો નથી. કોઈ વખતે રાજાએ તેને કામમાં રોકી રાખ્યો. ત્યારપછી ઘેર પહોંચ્યો ત્યારે ભટ્ટાએ દ્વાર બંધ કરી દીધા. અમાત્યએ બારણું ખોલવા બહુ વિનંતી કરી. ઝઘડો થતા તેણી પિતાના ઘેર જવા ચાલી પણ સર્વાલંકાર વિભૂષિતા તેણીને ચોરે પકડી લીધી. પછી પોતાની પત્ની બનવા કહ્યું. પણ તેણી શીલભંગ કરવા ઇચ્છતી ન હતી. પછી તેણી ત્યાં લાવણ્યરહિત થતી ગઈ. કોઈ વખતે તેણીનો ભાઈ ત્યાં આવ્યો. તેણીને ઓળખીને ધન આપીને તેણીને છોડાવી વન– વિરેચનાદિ દ્વારા ફરીથી તે નવયૌવના થઈ ગઈ પછી અમાત્ય પણ તેણીને સમજાવીને પાછી ઘેર લઈ ગયો. ત્યારે તેણીએ અભિગ્રહ લીધો કે મારે કદી ક્રોધ કે અભિમાન ન કરવું. ૦ આગમ સંદર્ભ :સૂય. ધૂ. ૧૦૫; ગચ્છા.મૂ. ૯૮ની છે નિસી.ભા. ૩૧૯૪ થી ૩૧૯૬ + 4 દસા. ૧૦૯, ૧૧૦ + ૬ – ૪ – ૪ – ૦ અજિતસેન :- (ગુણચંદ્ર – બાલચંદ્ર) (વોસિરાવવાની ક્રિયા ન કરવાથી કર્મબંધ, કરવાથી કર્મબંધના અભાવના વિષયમાં દૃષ્ટાંત) વસંતપુર નગરમાં અજિતસેન રાજા હતો, ત્યાં બે કુલપુત્ર હતા. જેમાં એક શ્રમણ-શ્રાદ્ધ (સમકિતી) હતો, બીજો મિથ્યાષ્ટિ હતો. કોઈ વખતે રાત્રિએ ઘોડા પર આરૂઢ થઈ સંભ્રમથી જલ્દી જવા ગયો ત્યારે તેઓના ખગો પડી ગયા ત્યારે શ્રાવક કુલપુત્રે તેને અધિકરણ જાણી હાથમાં લીધું નહીં, પણ ત્યાગ કર્યો. જ્યારે મિથ્યાષ્ટિએ બીજું ખગ લઈ લીધું. પણ રાજાને કંઈ વાત ન કરી. કોઈ વખતે કોટવાળ તેમને પકડી લાવ્યા. રાજાએ કોપાયમાન થઈને પૂછયું, ત્યારે ગુણચંદ્રએ રાજા પાસે સત્ય વૃત્તાંત જણાવ્યો. જ્યારે બાલચંદ્રએ સાચી વાત જણાવી નહીં. ત્યારે જેમનું ખગ ખોવાઈ ગયેલ પણ પ્રમાદથી શોધ્યું ન હતું અને જઠું બોલ્યો હતો. તે કુલપત્રને સજા કરી, પણ જેણે સત્ય કહ્યું તેને મુક્ત કર્યો. આ રીતે જેઓ પ્રમાદને વશ થઈને ન વોસિરાવવા રૂપ દોષનું સેવન કરે છે તેઓ અપરાધ પ્રાપ્ત થઈને જન્માંતરે દેહાદિને વોસિરાવતા નથી. જેઓ વોસિરાવવા રૂપ ક્રિયા કરે છે તે કર્મબંધનોથી મુક્ત થાય છે. ૦ આગમ સંદર્ભ :પત્ર પરની વૃ,
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy