SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૨૨૧ તેટલામાં તે પરિવ્રાજક દેવકુલેથી દરિદ્ર પુરુષોને લઈને આવ્યો. તે બધી પેટીઓ ગ્રહણ કરી. નગરથી નીકળી ગયા. પછી પરિવ્રાજકે અગડદત્તને કહ્યું કે, અહીં જીર્ણોદ્યાનમાં થોડી નિદ્રા લઈએ. પછી નીકળીશું. જ્યારે દરિદ્રપુરષો સૂઈ ગયા ત્યારે પરિવ્રાજક અને અગsદત્ત બંને શય્યામાં ઊંઘવાનો ડોળ કરવા લાગ્યા. અગદત્ત ધીમેથી ઉઠીને વૃક્ષની છાયામાં સંતાઈ ગયો. દરિદ્રપુરુષોને નિદ્રાવશ જાણી તે પરિવ્રાજકે તેમને મારી નાંખ્યા. અગડદત્તને ત્યાં ન જોયો એટલે તેને શોધવા લાગ્યા. તેને પરિવ્રાજકને એક જ પ્રહારથી પાડી દીધો. પછી તેના કહેવા પ્રમાણે શ્મશાનના પશ્ચિમ ભાગે ગયો. ત્યાં પરિવ્રાજકની બહેન હતી. તેણીને પરિવ્રાજકની તલવાર આદિ નિશાની દેખાડી પછી ચુપચાપ તેણીનું ચરિત્ર જોવા લાગ્યો. તેણીએ અગડદત્તને વિશ્રામ લેવા કહ્યું ત્યારે અગરબત્ત તે શય્યામાંથી પ્રચ્છન્નપણે ખસી ગયો. તેણીએ પહેલાથી રાખેલી શીલા ત્યાં પછાડીને બોલી કે હાશ ! મારા ભાઈનો હત્યારો ખતમ થઈ ગયો. અગડદત્તે બહાર નીકળી તેણીને વાળ વડે પકડી લીધી. તેણીને પકડીને રાજગૃહે લઈ ગયો. પછી રાજઋદ્ધિ પામ્યો. આ પ્રમાણે અપ્રમત્ત રહેનારા કલ્યાણના ભાગી થાય છે. ૦ આગમ સંદર્ભ :આવ.પૂ.૧–પૃ. ૪૫ર; ઉત્તમૂ. ૧૨૧ની વૃ ઉત્ત.ચૂં.પૃ. ૧૧૬: – ૪ – ૪ – ૦ અગારી :- (આહારના વિષયમાં એક દષ્ટાંત) અગારીએ કોઈ પરિવ્રાજિકાને પતિના વશીકરણનો ઉપાય પૂછયો. તેણીએ અભિમંત્રિત ચોખા આપ્યા. પછી અગારીએ પતિની અનુકંપાથી તેને આપવાને બદલે ચોખા ફેંકી દીધા. તે ચોખા કોઈ ગધેડાએ ખાધા. તે ગધેડા મંત્રથી વશીકૃત્ થઈને આવીને અગારીના ઘરના દ્વારે માથું પછાડવા લાગ્યો. કેમકે તે મંત્રિત ચોખા ખાઈ જવાથી વશીકૃતુ થઈ ગયેલો. (આ દ્રવ્યાભિયોગનું દૃષ્ટાંત છે – સાધુએ આ અભિયોગનો ત્યાગ કરવો જોઈએ) ૦ આગમ સંદર્ભ :ઓહનિ. ૯૩૨, ૯૩૩ + ૬ ૦ અઍકારિયભટ્ટા :- (માનના વિષયમાં આ દૃષ્ટાંત છે.) ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું, ત્યાં જિતશત્રુરાજા, ધારિણી રાણી, સુબુદ્ધિ મંત્રી, ધન્ય શ્રેષ્ઠી અને તેની ભદ્રા નામે પત્ની હતી. તેઓની ભટ્ટા નામે પુત્રી હતી. માતા-પિતા સર્વ પરિજનને કહેતા કે, આ જે કરી શકે તે બીજી કોઈ કરી શકે નહીં. ત્યારે લોકોએ તેનું ‘અચ્ચકારિય ભટ્ટા' નામ પાડી દીધું. તે ઘણી રૂપવતી હતી. ઘણાં લોકો તેને વરવા તૈયાર હતા. ધનશ્રેષ્ઠીએ કહ્યું, જો આની સામે ચુંકાર પણ ન કરે, તેને હું આ કન્યા
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy