Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 235
________________ આગમ કથાનુયોગ–૬ આઠ વર્ષિય મરકી રોગ તેના કુળ થયો. ત્યાં સુધી તે સાગરપોત સાર્થવાહના ઘેર રહ્યો. તે ઘરમાં ભિક્ષાર્થે આવ્યા, સાધુયુગલે કહ્યું કે, આ બાળક આ ઘરનો સ્વામી થશે. આ વાત સાર્થવાહે સાંભળી. તેથી તે સાર્થવાહે બાળકને મારી નાંખવા માટે ચાંડાલોને સોંપી દીધો. તે ચાંડાલો તે બાળકને દૂર લઈ જઈ, માત્ર આંગળી છેદી, ડરાવીને દેશ બહાર કાઢી મૂક્યો. નાશતા એવા તેને કોઈ ગોષ્ઠાધિપતિએ ગ્રહણ કર્યો. પુત્રની જેમ રાખ્યો. દામન્નક યુવાન થયો. કોઈ વખતે સાગરપોત સાર્થવાહે તેને જોઈને પરિજનોને પૂછ્યું કે, આ બાળક કોણ છે ? તેણે કહ્યું કે, તે બાળક અહીં અનાથ આવેલો. તેથી સાર્થવાહે લેખ આપીને તેને રવાના કર્યો. તે રાજગૃહીની બહાર દેવકૂળના પરિસરમાં સુતો હતો. સાગરપોતને વિષા નામે કન્યા હતી. તે પૂજા કરવા આવેલી તેણે દામન્નકને જોયો. પોતાના પિતાએ લખેલો લેખ વાંચ્યો. તેમાં લખેલું હતું કે, આ કુમારને વિષ આપી દેશો. તે કન્યાએ વિષને બદલે તેમાં વિષા કરી દીધું. તે નગરમાં પ્રવેશ્યો. તત્કાલ તેના વિષા સાથે લગ્ન થયા. જ્યારે સાગરપોત સાર્થવાહ આવતો હતો. ત્યારે તેણે સાગરપુત્રના મરણના સમાચાર સાંભળ્યા તે સાંભળી સાગરપોત સાર્થવાહનું હૃદય ફાટી ગયું. રાજાએ દામન્નકને તે ઘરનો સ્વામી બનાવ્યો. ભોગ અને સમૃદ્ધિ બંને પામ્યો. પછી રાજાએ તેને શ્રેષ્ઠીપણે સ્થાપ્યો. બોધિલાભ પામ્યો. ફરી ધર્માનુષ્ઠાન આચરીને દેવલોકે ગયો. એ રીતે પરલોકમાં પણ સુખ પામ્યો. ૨૩૪ અથવા શુદ્ધ પચ્ચકખાણના પ્રભાવથી દેવલોકે ગયો. પછી બોઘિલાભ થયો. સારાકુળમાં જન્મ પામ્યો, સુખની પરંપરા પામતો છેલ્લે સિદ્ધિગતિમાં ગયો. કોઈ આચાર્ય કહે છે કે તે જ ભવે સિદ્ધિ ગતિમાં ગયો. ~~ ઉપનય • આગમ સંદર્ભ = આવ.નિ. ૧૬૨૦ + ; આ પ્રમાણે પચ્ચખાણનું ફળ જાણવું. .. - X = X — જિતશત્રુ :~ (અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાયનો દોષ) ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું, જિતશત્રુ રાજા હતો. તેણે પોતાના દેશમાં ઘોષણા કરાવી, મ્લેચ્છ રાજા આવે છે, તો ગામનગર છોડીને દુર્ગમાં જઈને રહેવું તો તમે વિનાશ પામશો નહીં. પછી જેઓ રાજાના વચનથી દુર્ગ આદિમાં રહ્યા તે વિનાશ ન પામ્યા. જેઓ દુર્ગ આદિમાં ન ગયા. તે મ્લેચ્છ રાજાથી વિનાશ પામ્યા. વળી પાછા રાજાએ તેમને આજ્ઞા ભંગની સજારૂપે જે કાંઈ બાકી રહેલું તેને પણ દંડ્યા. એ રીતે અસ્વાધ્યાય કાળે જો સ્વાધ્યાય કરે તેને બે તરફથી દંડ થાય છે. આ ભવે દેવતા દ્વારા છળાય છે, પરભવે જ્ઞાનાદિ વિરાધના આશ્રિત પ્રાયશ્ચિત્ત આવે છે. ૦ આગમ સંદર્ભ : = નિસી.ભા. ૬૦૭૬ની ચૂ; આવ...૨-પૃ. ૩૨૪; -X-X-GATIN

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274