________________
૪૨
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : મિથિલાનાં નગરજનોને પક્ષીઓરૂપ અને નમિરાજને વૃક્ષરૂપ બતાવ્યા છે.
૧૧. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર ત્યારબાદ નમિરાજર્ષિને સંબોધીને આ વચન બોલ્યો :
૧૨. હે ભગવન્! આ અગ્નિ અને (તેમાં મદદ કરનાર) વાયુ આ મંદિરને બાળી રહ્યો છે. અને તેથી (તમારું) અંતઃપુર પણ બળી રહ્યું છે. તેની શા માટે તે તરફ જોતા નથી ?
૧૩. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા મિરાજર્ષિ દેવેન્દ્ર પ્રતિ આ વચન બોલ્યા :
૧૪. જેનું ત્યાં (મિથિલામાં) કંઈ પણ છે જ નહિ તેવા અમે સુખેથી રહીએ છીએ અને સુખે કરીને જીવીએ છીએ. (તેથી હે બ્રાહ્મણ !) મિથિલા બળવા છતાં મારું બળતું નથી :
૧૫. કારણ કે સ્ત્રીપુત્ર પરિવારથી મુક્ત થયેલા અને સંસારના વ્યવહારથી પર થયેલા ભિક્ષુને કંઈ પ્રિય પણ નથી અને કંઈ અપ્રિય પણ નથી.
નોંધ : જ્યાં આસક્તિ છે ત્યાં જ તેષ છે, દ્વેષ છે ત્યાં અપ્રિયતા છે. જો પ્રિયતાનો નાશ થયો તો અપ્રિયતા સહેજે સમાઈ જાય અને એ બંને વિરમે કે દુઃખમાત્ર ગયું. કારણ કે દુઃખની લાગણી તેવા ભાવને લઈને જ થાય છે.
૧૬. ગૃહસ્થાશ્રમથી પર થયેલા એવા ત્યાગી અને સર્વ જંજાળથી મુક્ત થઈ એકાન્ત (આત્મ) ભાવને જ અનુસરનારા ભિક્ષુને ખરેખર દરેક સ્થળે બહુ આનંદ હોય છે.
નોંધ : રોગ બધો હૃદયમાં છે. હૃદયશુદ્ધિ થઈ ને સંતોષ જાગ્યો કે તુરત જ કલ્યાણ અને મંગળના દરેક સ્થળે દર્શન થવાનાં.
૧૭. આ અર્થને સાંભળીને હતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર ત્યારબાદ નમિરાજર્ષિને ઉદ્દેશીને આ પ્રમાણે બોલ્યો :
૧૮. હે ક્ષત્રિય ! કિલ્લો, ગઢનો દરવાજો, ખાઈઓ અને સેંકડો સુભટને હણી નાખે તેવું યંત્ર (તોપ જેવું યંત્ર) બનાવીને પછી જા.
નોંધ : તું તારા ક્ષત્રિય ધર્મને પહેલાં સંભાળી પછી ત્યાગીના ધર્મને સ્વીકાર. જો પહેલા ધર્મને ચૂકીશ તો આગળ કેમ વધી શકીશ ?
૧૯. ત્યારબાદ આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું.