Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
सद्धिं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खते समाणे तत्थ सेहे पुव्वतरागं आलोएइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १२. केइ रायणियस्स पुव्व-संलवित्तए सिया, तं सेहे पुव्वतरागं आलवइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १३. सेहे रायणियस्स राओ वा वियाले वा वाहरमाणस्स अज्जो ! के सुत्ते के जागरे ? तत्थ सेहे जागरमाणे रायणियस्स अपडिसुणेत्ता भवइ आसायणा सेहस्स । भावार्थ :(૧૦) શૈક્ષ, રત્નાધિક સાધુ સાથે વિચાર ભૂમિ—ડિલ ભૂમિમાં ગયો હોય અને રત્નાધિક साधुनी पहेला सायमन (शौय शुद्धि) डरे, तो ते शैक्षथी थती आशातना थाय छे. (११) शैक्ष, रत्नाधि સાથે બહાર વિચારભૂમિ(સ્થંડિલ) અથવા વિહાર(સ્વાધ્યાય) ભૂમિમાં ગયો હોય ત્યારે રત્નાધિક સાધુની પહેલા ગમનાગમનની આલોચના કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૨) કોઈ વ્યક્તિ, રત્નાધિક સાથે વાર્તાલાપ કરવા માટે આવે ત્યારે શૈક્ષ રત્નાધિકની પહેલા જ વાર્તાલાપ કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૩) રાત્રે અથવા વિકાલ એટલે સંધ્યા સમયે રત્નાધિક સાધુ શિષ્યને સંબોધન કરીને કહે, હે આર્ય ! કોણ કોણ સુતા છો અને કોણ કોણ જાગો છો ? એ સમયે જાગતો હોય તો પણ ગુરુને ઉત્તર ન આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે.
૧૬
३ १४. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागस्स आलोएइ पच्छा रायणियस्स भवइ, आसायणा सेहस्स । १५. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागस्स उवदंसेइ पच्छा रायणियस्स भवइ, आसायणा सेहस्स । १६. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागं उवणिमंतेइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १७. सेहे रायणिएणं सद्धिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं रायणियं अणापुच्छित्ता जस्स जस्स इच्छइ तस्स तस्स खद्धं खद्धं दलयइ भवइ, आसायणा सेहस्स । १८. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता रायणिएणं सद्धिं आहारेमाणे तत्थ सेहे खद्धं-खद्धं डागं-डागं उसढं-उसढं रसियं-रसियं मणुण्णं-मणुण्णं मणामं मणामं णिद्धं-णिद्धं लुक्खं-लुक्खं आहारा भवइ आसायणा सेहस्स ।
भावार्थ :- (૧૪) શૈક્ષ અન્ન, પાણી, મેવો અને મુખવાસ આ પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષ પાસે તેની આલોચના કરે અને પછી રત્નાધિક પાસે કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૫) શૈક્ષ અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષને બતાવે અને પછી રત્નાધિકને બતાવે તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૬) શૈક્ષ અન્ન, પાણી, મેવો, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષને (ભોજન માટે) આમંત્રિત કરે અને પછી રત્નાધિકને આમંત્રિત કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૭) શૈક્ષ રત્નાધિક સાધુ સાથે ગોચરીએ ગયા હોય અને અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને ઉપાશ્રયમાં લાવીને રત્નાધિકને પૂછયા