Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિશ્ચયનયની અપેક્ષાથી તે એક પણ ચિત્રમાસ ભાવિની અમાવસ્યામાં અશ્વિની નક્ષત્ર સંભવિત હોય છે. આ સૂત્ર આશ્વિન અને ચિત્રમાસ એ બે મહિનાઓને લઈને કહેવામાં આવ્યું છે. જે સમયે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે વિશાખા નક્ષત્રથી યુકત અમાવસ્યા હોય છે કારણ કે કૃત્તિકાથી પહેલા વિશાખા નક્ષત્ર પંદરમું નક્ષત્ર છે. જે સમયે વિશાખા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે પાશ્ચાત્ય અમાવાસ્યા કૃત્તિકા નક્ષત્ર યુક્ત હોય છે કારણ કે વિશાખા નક્ષત્રથી પહેલા કૃત્તિકા નક્ષત્ર ચૌદમું નક્ષત્ર છે, આ સૂત્ર કાતિક અને વૈશાખ માસને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. જે સમયે મૃગશિરા નક્ષત્રથી યુક્ત પર્ણમાસી હોય છે તે સમયે જ્યેષ્ઠા મૂળ નક્ષત્રથી યુક્ત અમાવાસ્યા હોય છે અને જ્યારે જ્યેષ્ઠામૂલ નક્ષત્રથી યુક્ત પર્ણમાસી હોય છે ત્યારે મૃગશિરા નક્ષત્રથી યુક્ત અમાવસ્યા હોય છે આ કથન માર્ગશીર્ષ અને જયેષ્ઠ માસને લક્ષમાં લઈને કરવામાં આવ્યું છે જ્યારે પુષ્ય નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પૂર્વાષાઢા નક્ષત્રથી યુક્ત અમાવાસ્યા હોય છે અને જ્યારે પૂર્વાષાઢા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પુષ્ય નક્ષત્રથી યુક્ત અમાવાસ્યા હોય છે. પ્રસ્તુત કથન પૌષમાસ તેમજ અષાઢ માસને લઈને કરવામાં આવ્યું છે. આવી રીતે માસાદ્ધમાસ પરિસમાપક નક્ષત્રનું કથન કરવામાં આવ્યું છે. રપા
માસપરિસમાપકનક્ષત્ર કા નિરૂપણ “વાપાળ પઢમં મા વત્તા જોતિ’ ઈત્યાદિ
ટીકર્થ-હવે સૂત્રકાર સ્વયં અસ્તવમન દ્વારા અહોરાતના પરિસમાપક હોવાના કારણભૂત માસ પરિસમાપક નક્ષત્રનું કથન કરે છે આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછયું છે-“વારા પઢમં માÉ #તિ ઇત્તા જોતિ' હે ભદન્ત ! ચાર માસને જે વર્ષાકાળ છે તે વર્ષાકાળના શ્રાવણમાસ રૂપ પ્રથમ માસના ક્રમશઃ પરિસમાપક સ્વયં અસ્તગમન દ્વારા કેટલા નક્ષત્ર છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“જોયા! ચારિ કરવા જોરિ હે ગૌતમ ! વર્ષાકાળના પ્રથમ શ્રાવણમાસના પરિસમાપક આ ચાર નક્ષત્ર છે– સં ના તેમના નામ આ પ્રમાણે છે–
“ઉત્તરાના ગર્ભમ સવળો ધનિટ્ટા ઉત્તરાષાઢા, અભિજિત્ શ્રવણ અને ધનિષ્ઠા આ ચાર નક્ષત્ર કેવી રીતે શ્રાવણમાસના પરિસમાપક હોય છે? આ સમ્બન્ધમાં સૂત્રકાર સ્પષ્ટ સમજાવવાના આશયથી કહે છે-“વત્તાસાદા મહોરજો ને ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણમાસના પ્રથમના ૧૪ અહોરાતની પરિસમાપ્તિ કરે છે. “મિ પર ગોરસે જોર અભિજિત નક્ષત્ર ૭ અહોરાતની પરિસમાપિન્ન કરે છે. “સવ ગ મહોરણે ઘનિ જ જોર જોરુ શ્રવણ નક્ષત્ર આઠ અહોરાતની પરિસમાપ્તિ કરે છે. અને ધનિષ્ઠા નક્ષત્ર એક
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૬