Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 05
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 275
________________ ૧૬ : નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર ઃ | 86 નરકનું આયુષ્ય બાંધે કોણ? • નરકના હેતુઓ : • નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગ્દર્શન : • શ્રી મૃગાપુત્રજીએ કરેલું નકદુઃખોનું વર્ણન : • ડરવું શાથી ? વિષયઃ શ્રી મૃગાપુત્રે પિતાને વર્ણવેલી નરકવેદનાની અનુભવ કથા અને નરકગતિનાં કારણો. નરકગતિનાં દુઃખોનું ટીકાકાર તેમજ યોગશાસ્ત્રાકાર મહર્ષિના શબ્દોમાં વર્ણન કર્યા બાદ એ જ વાતને પુષ્ટ કરવા માટે શ્રી મૃગાપુત્રે જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વમાં પોતે નરકાદિ ગતિઓમાં જે વિટંબના ભોગવેલી તેનું વર્ણન પ્રાકૃત ગાથાઓના આધારે કરેલ છે. જે એવું તો સાક્ષાત્ અને હૃદયદ્રાવક છે કે, જેને વાંચીને કોઈ પણ સહૃદય આત્મા જરૂર કંપી ઉઠે. આ બધી વાતોનું વર્ણન કર્યા બાદ ઉપસંહાર રૂપે પ્રવચનકારશ્રીજીએ સૌને – દુઃખથી નહિ પણ દુઃખના અનન્ય કારણરૂપ પાપથી ડરવાની સલાહ આપી છે. મુવાવાઝુd • વિવેકી આત્માઓએ દુઃખથી ડરવું એ હિતકર નથી, પણ દુઃખના હેતુઓથી ડરવું એ હિતકર છે: કારણ કે દુઃખથી ડરવામાં દુઃખ દૂર નથી થતું પણ દુઃખના હેતુથી ડરવામાં જ દુઃખ દૂર થાય છે. • દુઃખથી ડરનારો દુઃખથી ભાગવા ઇચ્છે છે, ત્યારે દુઃખના હેતુઓથી ડરનારો પાપથી ભાગવા ઇચ્છે છે. • દુઃખથી ભાગનારો દુઃખથી ન બચે પણ પાપથી ભાગનારો અવશ્ય દુઃખથી બચે. • નરકગતિને માનવાનો દાવો કરવો અને નરકનાં દુઃખો સાંભળીને કંપી ઊઠવું, તે છતાં પણ તેમાં લઈ જનારાં પાપોથી સહેજ પણ નહિ ડરવું એ કાંઈ સાચી આસ્તિકતા નથી : એટલું જ નહિ પણ એક જાતનો દંભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354