Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 05
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 303
________________ 188 - ૧૯ : ત્રસગતિનાં દુઃખો અને કર્તવ્યમાર્ગ - ૩૭ - ૨૮૭ જૂ' અને “માંકડ આદિ જીવો ત્રીદ્રિયપણાને પામેલા છે એટલે “ધૂકા' આદિ જીવોને “૧. સ્પર્શના, ૨. રસના અને ૩. ઘાણ” આ ત્રણ ઈંદ્રિયો હોય છે. ત્રણ ઇંદ્રિયોવાળા જીવો પૈકીના “જૂ' અને “માંકડ” આદિ જીવો શરીર દ્વારા પ્રમાદી આત્માઓથી મર્દન કરાય છે અને દયારહિત આત્માઓ એ જીવોને ગરમ પાણી દ્વારા તપાવે છે. નિર્દય આત્માઓ ત્રણ ઇંદ્રિયોવાળી કીડીઓને પગથી પીડે છે અને પ્રમાદી આત્માઓ સંમાર્જન કરતાં પડે છે. ન દેખી શકાય તેવા કુંથુ આદિ ત્રણ ઇંદ્રિયોવાળા જીવો ઉપયોગહીન આત્માઓ દ્વારા આસન આદિથી પીડાય છે. ચતુરિંદ્રિયોની પીડા : ત્રણ ઇંદ્રિયોવાળાં પ્રાણીઓની ત્રાસજનક દશાનું વર્ણન કર્યા પછી ચાર ઇંદ્રિયોવાળા પ્રાણીઓની પીડાઓનું વર્ણન કરતાં એ જ અનંત ઉપકારી આચાર્ય ભગવાન ફરમાવે છે કે – "चतुरिन्द्रियताभाजः, सरघाभ्रमरादयः । मधुभविराध्यन्ते, यष्टिलोष्टादिताडनैः ।।१।। ताड्यन्ते तालवृन्ताये-ाग्दंशमशकादयः । પ્રચત્તે ગૃહયારી-રામદાય: સારા” સરઘા-મધુમણિકા અને ભ્રમર' આદિ જીવો ચાર ઇંદ્રિયોને ધરનારા હોય છે અર્થાતુ એ જીવોને “૧. સ્પર્શના, ૨. રસના, ૩. ઘાણ અને ૪. ચક્ષ' આ ચાર ઇંદ્રિયો હોય છે. આ ચાર ઇંદ્રિયોને ધરનારા સરઘા અને ભ્રમર' આદિ જીવોને મધુભક્ષીઓ, લાકડી અને પથ્થર આદિના તાડનથી વિરાધે છે. શરીરના પૂજારીઓ દ્વારા, ‘દંશ અને મશક' આદિ ચાર ઇંદ્રિયોવાળા જીવો પંખા આદિથી એકદમ તાડન કરાય છે અને “ગૃહગોધા' આદિ હિંસક જીવો દ્વારા “મક્ષિકા' અને મર્કટ' (મચ્છર) આદિ ચતુરિંદ્રિય જીવો ગ્રસિત કરાય છે. જલચરો ઉપરના જુલમ : ત્રસ તિર્યંચો પૈકીના - “કીદ્રિય, ત્રીદ્રિય અને ચતુરિંદ્રિય' - આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિકલેંદ્રિય તિર્યંચોની દુઃખદ દશાનું વર્ણન કર્યા પછી “જલચર, સ્થલચર અને ખેચર' આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા પંચંદ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354