________________
આભના ટેકા: ૧૨૫ અને પોતાનો અહં સંતોષવા ખાતર આ માણસ સાવ રસ્તા ઉપર આવી ગયો ! જિંદગી ફરી એકડે એકથી શરૂ કરવાની થઈ. કેટલો બધો પાયમાલ થઈ ગયો. શી જરુર હતી આટલા બધા બેહાલ થવાની? પણ...
હાં, તો વાત એવી છે કે, અંતરંગ ભૂમિકાએ સમજણના સીમાડાનો વિસ્તાર એ જ્ઞાનનું ફળ છે. વાચન-શ્રવણ-મનનને મનના અને હૃદયના ઊંડાણમાં લઈ જઈ આપણી અંદરના પિંડના એક ભાગ રૂપે પરિણામવાના છે. તેનાથી આપણી દષ્ટિ મંજાય છે. આ મંજાયેલી દષ્ટિનું દર્શન સમ્યફ હોય છે. પોતાની જાતને દરિદ્ર ગણતા વેપારીની સમજણના સીમાડા વિસ્તરેલા હોત તો તેણે તે ઘટનાને સાવ જુદા જ દષ્ટિકોણથી અને સહજતાથી મૂલવી હોત. કદાચ સાવ હળવી નજરે જ જોઇને જમણવારના મંડપને છોડતાં તે વાતને ત્યાં જ ભૂલીને તે ઘરે આવ્યો હોત.
આપણે પણ એક તટસ્થ માણસ તરીકે આ પ્રસંગને જોઈને વિચારીએ તો આપણને પણ લાગશે કે સાવ મામૂલી વાતને કારણ વિના મોટું રૂપ આપી દીધું. મૂર્ખામી જ કરી. આમ ઘરબાર વેચીને કપડાંભેર નથઇ જવાય ! અંતે મળ્યું શું?
એટલેજ જેમ જેમ આપણે વાચન-શ્રવણને ઝીલતાં જઇએ તેમ તેમ તેના અજવાળે વિધેયાત્મક દષ્ટિ વિકસાવતા જઈએ. જાતનું નિરીક્ષણ કરીને આપણે આપણી મહત્તા અને મર્યાદા સમજતા જઈએ. આપણામાં જે ગુણો ખીલ્યા છે તેમાં સ્થિરતા પામવાની છે. એ ગુણો સચવાઈ રહે તે માટે કાળજી લેવાની છે. સાથે નવા ગુણોનો વિકાસ સતત થતો રહેવો જોઇએ. આમ, ગુણવિકાસ સાતત્ય અને ગુણવિશેષે સ્થિરતા- આ બધા પ્રવચન-શ્રવણના અંતરંગ ફળ છે અને તે મેળવવા મથવાનું છે.
જે આચરણ અંદરની સમજણમાંથી ઊગે છે તે લાંબો કાળ લીલુંછમ રહે છે, ક્યારે પણ કરમાતું નથી. નિષ્ઠાણ બનતું નથી. પાકટ સમજણ ઊગ્યા વિનાના આચરણની વિક્રમ આડઅસરો આજે ખૂબ જોવા મળે છે. એને કારણે ધર્મદંડાય છે તે ઘણું અનિચ્છનીય છે. ધર્મ ક્યારેય નીરસ નહોય; ધર્મ સદાય આર્ટ હોય. રસિક હોય. સર્વત્ર શુભદર્શી હોય. આ ફળ મેળવવા માટે મંથન જરૂરી છે. આપણે જ્ઞાન દ્વારા આપણી સમજણના સીમાડાનો વિસ્તાર સાધીએ. ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org