Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 133
________________ ૧૩૨: આભના ટેકા બહુ સહેલાઇથી અજાણ્યા લોકોને પણ બા પોતાના મિત્રો બનાવી શકતી. એક વખત મૈત્રીનો સંબંધ બંધાય પછી તેને તે આજીવન ટકાવી રાખતી. પારદર્શક નિખાલસતા, કોઈનું ય બૂરું બોલવાની સ્વભાવગત અશક્તિ અને સામા માણસને મદદરૂપ થઈ પડવાની તત્પરતા - બાના આ ગુણોને કારણે તેના પરિચયમાં આવનાર સૌ કોઈ તેની સામે માનથી જોતું. પોતાના આ ગુણો અમારામાં પણ ઊતરે એ માટે પણ બા સતત પ્રયત્ન કરતાં. બાની હાજરીમાં અમે જો કોઈની પણ ટીકા કરીએ તો તરત જ એ વ્યક્તિના ગુણો ગણાવી તેનાં વખાણ કરતા. અમે જે વાતે ટીકા કરી હોય તેનો બા વિરોધ કરતાં. પણ હળવેક રહીને અમને સમજાવી દેતાં કે એ વ્યક્તિને જરા જુદી રીતે પણ જોઈ શકાય. આવું થાય ત્યારે મનમાં ને મનમાં અને ક્યારેક અકળાઇએ કે ગુસ્સે પણ થઈએ પણ એ વખતે બાની આંખો સામે જોતાં જ અમારો બધો રોષ ઓગળી જતો. પુસ્તક : માતૃ પંચમી – સંપાદક : દીપક મહેતા લેખ : મારા બા - લેખક: સુનીલ કે. પંડ્યા | હે માનવ!બન તું હંસ | વાત આગળ વધે છે. . . . . . . રસ્તો ધીરે ધીરે ખૂટતો જાય છે. મૂલદેવે શરીર અને મનને પહેલેથી એવાં કેળવ્યાં છે કે નાની નાની પ્રતિકૂળતા આવે, મુશ્કેલીઓ આવે ત્યારે ચિત્ત પર એની જરાય અસર થવા ન દે અને બધું હસીને સહન કરી લે. આવા દિવસો ક્યારેક જ આવતા હોય છે એટલે એને પણ માણી લેવા. આવી રીતે ઘડાયેલાં મન અને તન આવા પ્રસંગોમાં સહાયક બને છે; બાધક બનીને બળવો નથી કરતાં. ખાવાનું ન આપ્યું, ન મળ્યું; તેથી તો શરીર કાબૂમાં રહ્યું, મનને પણ સંકલેશન થયો. આપણે જેને દષ્ટાભાવ કહીએ છીએ તે મૂલદેવમાં સહજ હતો. આખરે ગામ આવી ગયું. સાંજ પડવા આવી હતી. આવા મહાનગરમાં ભાગ્યોદય માટે પ્રવેશ કરવાનો છે તો નમતાં પહોરે શા માટે જવું? રાત અહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186