Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
Catalog link: https://jainqq.org/explore/034628/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુવાસ કાર્યાલયના નિયમ સુવાસ દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે પ્રગટ થશે. બારમી તારીખ સુધીમાં અંક ન મળે તે વડોદરા-ઓફિસના સરનામે ફરિયાદ કરવી. નમુનાને અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી. સુવાસ'માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. બા થી ૧ સુધી આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધો ન હેય તેમણે પોતાને લેખ મોકલતી વખતે તે લેખના હાંસિયામાં પુરસ્કાર' શબ્દ લખવે. લેખકેને તેમનો લેખ પ્રગટ થયા પછી પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને સુવાસ’ના ગ્રાહક ગણી તેમને મળતા પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ “આઉટ પ્રીન્ટસ” મોકલાશે. , તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયેલા સુવાચ્ય લેખ માટે “સુવાસંમાં ઉચિત સ્થાન છે. જેણે સંબંધમાં લેખકે એ ગુજરાત-વિદ્યાપીઠના કોશને અનુસરવું અશુદ્ધ લેખે માટે અસ્વીકારનો ભય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખોની એક અઠવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જે શ્રેમપૂર્વક આલેખાયલા હશે તે તે ઉચિત નોંધ સાથે તે જ મુદતમાં પાછી મોકલવામાં આવશે. તે સિવાયના લેખો જે લેખકે ટપાલ ખર્ચ મોકલી એક માહનાની અંદર પાછા નહિ મંગાવી લે તો તે રદ કરવામાં આવશે. તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થને અમે “ગ્રન્થ પરિચયમાં સ્થાન આપીશુ. તે સિવાયના ગ્રન્થની કેવળ નોંધ જ લેવાશે. “સુવાસ સંબંધી પત્રવ્યવહાર કરતી વખતે પિતાનું નામ અને સરનામું પૂરેપૂરું લખવું. “સુવાસને લગતે બધો પત્રવ્યવહાર નીચેના સરનામે કરે– સુવાસ કાર્યાલય • રાવપુરા • વડોદરા – થોડાક અભિપ્રાય :- | મુંબઈ પ્રાંતના કેળવણી ખાતાએ અને દરેક પુસ્તકાલયમાં આ પુસ્તક હોવું જ | વડોદરા રાજ્ય પુસ્તકાલય માટે જોઈએ એટલું જ નહિ પરંતુ તે વિશેષ વંચાયા એવી પેરવી મંત્રીઓએ કરવી જોઈએ... મંજુર કર્યું છે. પુસ્તકાલય” માસિક (વડોદરા) આવાં પ્રજા ઉપયોગી પુસ્તકને રાજ્ય અને ઉદ્યોગેના પ્રચાર માટે ઉભી થયેલી સંસ્થાએએ ઉત્તેજન આપી, ગ્રામ ઉદ્યોગને સજીવન નફાકારક કરવામાં સાથ અને સહકાર આપવો જોઈએ... “ગ્રામ જીવન, સહકાર્ય અને ખેતી” ભાગ પહેલે માસિક (વડોદરા) | નિષ્ણાતો અને અનુભવીઓએ લખેલા ......ઘર ગથ્થુ હુન્નરના આ જાતનાં દેખાતાં વિવિધ હુન્નરેથી ભરપુર પુસ્તક પુસ્તકે આપણે ત્યાં ઘણાં બહાર પડયાં છે, અને હજીયે ગમે તેવી જાહેરાતનાં ચોકઠાં સાથે બહાર જેની ઉત્તમતા વિષે અનેક સુપ્રસિદ્ધ પત્રોએ પડશે, પરંતુ આ પુસ્તકની વિશેષતા તેમાં મુકેલા | સારામાં સારા અભિપ્રાયો આપ્યા છે. પ્રયેગે જ માત્ર નથી. પણ જુદા જુદા વિષાની ઉમદા એક કાગળ અને સુંદર છપાઈ છતાં સારા અને અનુભવી લેખક પાસે લખાવેલા લેખેને | સંગ્રહીને આ પુસ્તકને વિવિધતા ભર્યું બનાવવામાં | કિંમત માત્ર ૨ રૂપીઆ, ટપાલ ખર્ચ માફ. આવ્યું છે તે છે.. મળવાનું ઠેકાણું— “રવિવાર” સાપ્તાહિક. (મુંબઈ) ....આવું શાસ્ત્રીય પુસ્તક બે રૂપિયાની કિંમતે | | શ્રી લક્ષ્મી પુસ્તકમાળા મળે એ ખરેખર સતું જ લેખાય.... “કમર” માસિક (સુરત) | પિસ્ટ સીનુગરા, (અંજાર-કચ્છ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ બાળક કાઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી સ્વ ત બાળક માસિક બાળા માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હોઇ આજના ગૈાઢ શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કઈ કઈ મળી રહેશે. ત્ર રીતે ૧૭ વરસ થી ||પ્રગટ થાય છે છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા એ તમારી સસ્થા કે ઘરમાં બાળક અવશ્ય હાવું જોઈએ, કેમકે નિર્દોષ બાલુડા ખાળક વાંચવા ઘણાં આતુર હાય છે : નવા વરસથી ઘણા ફેરફાર જણાશે. બાળક' કાર્યાલય, રાવપુશ-વઢાદરા. સુવાસ ’ દરેક સંસ્કારી સ્ત્રી પુરુષનું જીવનફૂલ છે. આશીર્વાદ વેતરકામના શિક્ષણ માટે ‘માસ્ટર કટર’ અથવા હામટેક્ષર' કિંમત: રૂ. ૨૦૧૨-૦ પેસ્ટિજ ૦૭-૦ પરદેશ શિલીંગ ૭. છાયા ટેલરીંગ કૉલેજ-વડાદરા. બેકાર દુનિયાને મહાન સ્વતંત્રપણે જીવન ગાળવું ડ્રાય આરામથી જીવન ગુજારવું હાય ફાઈના તાબેદાર ન રહેવું હાય ~: અને :— વગર પૈસે વેપાર કરવા હેાય તે છાયા ટેલરીંગ લેજમાં આજેજ દાખલ થાવ, અને શીવણ તથા વેતરણ શીખી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તા. કે. સવા આનાની ટિક્રિટ બીડી સૂચિપત્ર મગાવે. www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી ઉપયોગી પુસ્તકો ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ 1 / ૦ 1 ૦ ' ૦ | ૨ + ૧-૪ | સ્ત્રીશક્તિ ગ્રંથમાળા ૧ વંધ્યા ૦-૪ ૩૬ માતૃપ્રેમ ૨ કાકી ૦-૩ ૩૭ પારસી લગ્નગીતે ૩ કાયદામાં સ્ત્રીનું સ્થાન ૦-૩ ૩૮ સંતતિનિયમન ૪ અધોગના (વાર્તા) ૩૯ વહેમી પતિ ૫ ગૃહવ્યવસ્થાની વાતે ૪૦ આરોગ્ય અને સુખ ૬ ખાયણાં (લેકગીત) ૦-૫ ૪૧ સામાજિક વાતો ૭ બલિદાન (પ્રેરક ગીત) ૦-૫ ! ૪૨ રમુજી વાતે ૮ ભવાટવી ૪૩ ભલી ભાભી ૯ મા (વાર્તા) ૪૪ પતિ પ્રભુ છે ૧૦ જયાના પત્રો (કસોટીમાં લગ્ન). ૪૪ માંદગી અને માવજત ૧૧ પતિની પસંદગી ૪૬ વાતનું વતેસર ૧૨ લીલીની આત્મકથા ૪૭ ઘરેણને શેખ, ૧૩ ફેઈ ૪૮ પારસી સતીઓ ૧૪ પારસી વાનીઓ ૪૯ એકાદશી ૦-૧૧ ૧૫ વિધવા (વાર્તા) ૦-૫ ૫૦ રાણકદેવી ૦-૧૨ ૧૬ કેને પરણું (વાર્તા) ૫૧ શિવાજીની બા ૦-૧૦ ૧૭ સુઘડતા અને સુંદરતા ૦-૮ પર સાસુની શિખામણ ૧૮ હાસ્યને કુવારે ૫૩ કાયમનું અજ્ઞાન ૧૯ ભૂતના ભડકા (વાર્તા) ૧-૧૨ ૫૪ નામ વગરની નવલકથા ૨૦ વિષવૃક્ષ (વાર્તા) ૧-૮ ૫૫ નારી અભિષેક ૨૧ હાસ્યકલાપ (રમુજી) ૧-૮ ૫૬ માસિક ધર્મ ૨૨ દેવી ચૌધરાણી ૫૭ નવા સાથિયા ૨૩ વીર રેઝા (કોળુ ગુલાબ) ૫૮-૫૯ વીર તારા (બે ભાગ) ૨૪ હાસ્ય ઝરણું (રમુજી) ૬. ગોરમાનાં ગીતે ૨૫ “જરા ચાહ મુકજો” ૬૧ મેડમ ડેમી ૨૬ ગરબાવળી (રાષ્ટ્રીય) ૬૨ સામાજિક વાતો ૨૭ જીવનપલટ (વાત) ૬૩ ગુણીયલ ગૃહિણી ૨૮ સુખી ઘર (બેધક) ૬૪ સ્ત્રી સ્વાતંત્ર્ય ૨૯ ભરત ગૂંથણું ૬૫ દક્ષિણી રાંધણકળા ૩૦ ચોર્યાસીનું ચક્કર ૩૧ રઝીયા બેગમ ૬૬ સતી જસમાં ૩૨ ગૃહ વિવેક ૬૭ સંસારદર્શન ૩૩ સુખીના પત્રો ૦-૮ | ૬૮ ભૂમિમાતા આનંદમઠ ૩૪ સ્ટવનું શાસ્ત્ર ૩૫ શ્રી હૃદય ૦-૩, ૭૦ સાચાં સહેદર સ્ત્રીશક્તિ ગ્રંથમાળાનો આખો સેટ આજેજ વસાવે. કુલ ૭૦ પુસ્તકે બહાર પડયાં છે. તે રૂા. ૩રમાં મળે છે. પુસ્તકે છુટાં પણ મળી શકશે. નર જાદુ. લખેડ સીશકિત, કેળાંપીઠ, સુરત જ છે T TT TT - - - 8 8 1 6 6 1 1 | T - 1 * 8 P 1 * - | 1 6 ૦-૩ | ૬૯ બાળવિધવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ – માનસી કેટલાક અભિપ્રાય “સુવાસે' પિતાની ઉચ્ચ કેટિ હજી સુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્વથી ભરેલા હોય છે. – રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા . અભ્યાસપૂર્વક લખાયેલા છે. –અરદેશર ફરામજી ખબરદાર વડોદરથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચગ્રાહી માસિક ચૈત્ર-૧૯૯૫નો અંક શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળ્યો છે...જેવા સુલેખકોનાં ઉપયોગી વિચારણય લખાણ તંત્રી.મેળવી શકાય છે એ આનંદને વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા પ્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. –જન્મભૂમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. -ન્યુવક આ ન ફાલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવું નથી. “યથા નામા તથા ગુણ'ની જેમ ખાસ વાંચવા જેવું છે... લેખની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્ત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. –ખેતીવાડી વિજ્ઞાન સુવાસ'નું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે ...તેના સંચાલકોને ધન્યવાદ છે. . આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે છે? અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે -ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્યપ્રેમીઓને સા રાક પૂરો પાડે છે. -ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. – પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખે વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની ખેટ પૂરશે એવી આશા બંધાય છે. જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયો પરના લેખેથી ભરપૂર છે. –સયાજીવિજય સુવાસ' એના નામ પ્રમાણે સુવાસિત છે. -તંત્રી – દેશી રાજ્ય સુવાસ'ના કેટલાક અગ્રલેખોમાં જળવાયેલ રસ, તત્ત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંગ ટાગોર સિવાય ક્યાંય નથી અનુભવ્યો. --બ. ભ. પરીખ લાગે છે કે સુવાસ’ સ્વ. મટુભાઈ કાંટાવાળાના “સાહિત્ય' જેટલું ઉદાર દષ્ટિવાળું પત્ર થશે. તેના લેખેની પસંદગી ઘણા ઊંચા પ્રકારની છે. -તુનાં પુસુમતિ: સુવાસ'ના કેટલાક વિષયની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે. - મિત્રપ્રિય - બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ નવા अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ વિ. સ. ૧૯૯૫ : શ્રાવણ પુસ્તક ૨ જી ] वन्दे मातरम् [ અંક ૪ માતાને વંદન. પણ માતાને અર્થ નથી કેવળ ભૂમિ, તેમ નથી કેવળ જનની. વંદનને અર્થ ન હેાય દેવળ પૂજન–અર્ચન—સ્તવન. માન્યતે કૃતિ માતા એ માતાને વ્યુત્પન્ન અર્થ; એના રૂઢ અર્થ જનતી. પણ એને સંસ્કારિત અર્થ તા‘ જે જીવનસત્ત્વ બક્ષતું હેાય એવું પૂજનીય તત્ત્વ.’ વન્દનના શબ્દાર્થ ભલે સ્તુતિ કે અભિવાદન હોય. પણ એને સંસ્કારિત અર્થ તે વશ્વના રક્ષણુની જવાબદારી પણુ પાતામાં જ સમાવી દે છે. જનનીને પ્રતિદિન નમન કરનાર પુત્ર જનની પર આવી પડતી આફતના પ્રસંગે જો મૌન સેવે તે તે કરતાં નમન ન કરનાર છતાં એ આફતને વિદારનાર પુત્રનાં વંદન વધારે સાચાં લેખાય છે. સરસ્વતી કે સંસ્કૃતિનાં પૂજન તે હંમેશાં હજારેા કરતા હશે પણ એને જાળવવા જીવનના ખેલ ખેલનાર પ્રતાપ કે શિવાજીનાં જ પૂજન ઝીલાયાં છે. જન્મભૂમિને વંદન તેા લાખા કરતા હશે પણુ નોંધપાત્ર વંદન તેમનાં જ લેખાય છે જેમણે ભૂમિના રક્ષણ માટે કુરબાની કરી હેાય. સંકુચિત દૃષ્ટિના માનવીને મન માતા એટલે જનની; રાષ્ટ્રિય દૃષ્ટિના માનવીને મન માતા એટલે જનની ઉપરાંત જન્મભૂમિ; મહાત્માને મન માતા એટલે જગતનું પ્રત્યેક સ્રીતત્ત્વ. આમાં પરમ વિશુદ્ધ ભાવના તા મહાત્માની છે; પણ દરેક માનવી મહાત્મા ન ખની શકે. છતાં જીવનના, સંસ્કારના, દેશના, ધર્મના, પ્રજાના. શુદ્ધ સ્વાર્થીના રક્ષણને ખાતર ઓછામાં ઓછાં ચાર સ્ત્રી-તત્ત્વાને તે દરેક માનવે માતા તરીકે સ્વીકારી લેવાં અનિવાર્ય છે. એ ચારે એને જીવનનું સત્ત્વ બક્ષે છે. એમની વિશુદ્ધિ અને એમના સંરક્ષશુમાં જ એના જીવનની કિંમત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સુવાસ : શ્રાવણ ૧૯૯૫ ગર્ભમાં પોષનાર, જન્મ આપનાર, ખેળે ઉછેરનાર, અમૃતસમાં દૂધ પીનાર, બાળપણને સંસ્કારથી સિંચનાર જન્મદાત્રીને માનવી ગર્ભપુત્ર છે. માતા પણ જ્યારે દૂધ ન પાઈ શકે, યૌવન ઊછળતું હોય કે જીવનનાં સ ચુસાઈ ગયાં હેય, હાથમાં સમશેરે રમતી હોય કે પગનું કૌવત પણ આથમી ગયું હોય ત્યારે પણ જે એવા એકને જ નહિ અનેકને નિરંતર દૂધ પાયા કરે છે; જે માનવીની જ નહિ, પૃથ્વીમાતાની પણ માતા છે; સંતાનઘેલછાના પૂર્વસંસ્કાર સંતોષવાને જેને પ્રાણીની છતાં જગતમાતાની પવિત્ર જાતિમાં જન્મ મળે છે, જેનામાં શાંતિ-ગૌરવ-સહિષ્ણુતા માનવમાતા કરતાં પણ વિશેષ પ્રમાણમાં ઝળહળે છે તે ગાયમાતાને માનવી દૂધપુત્ર છે. જેણે આજીવન સંસ્કાર સિંચ્યા, તેજ બક્યું; માનવતા શીખવી, ધર્મ સમજાવ્યો; અનેકેને જેણે એક સાંકળે ગૂઠ, અલ્પમાં પણ જેણે આત્મભાન પ્રે; કલા અને સાહિત્ય, સ્થાપત્ય અને ગાર-જીવનનાં અનેક મધુર અંગે જેની સહાયથી ઝગમગ્યાં એ અદેહી છતાં પ્રત્યેકના હૃદયમાં વિરાજતી સંસ્કૃતિ-સરરવતી માતાને માનવી સંસ્કારપુત્ર છે. જે જડ છતાં ચેતનમાત્રને આધાર છે, કુદરતની રમણીય લીલાઓનું મંદિર છે; જે જળ પાય છે, જીવન રક્ષે છે; જે મૃત્યુ પછીની પણ શયનભૂમિ છે; સમસંસ્કારી બંધુઓની સાથે વસવાનું જે ગૃહમંદિર છે એ જન્મભૂમિને માનવી દેશપુત્ર છે. આ ચારે માતાઓ પ્રત્યે માનવીની સમાન જવાબદારી છે. એ ચારમાંથી એકની કિંમત ઓછી આંકનાર બાકીનાની વિશુદ્ધિ પર ત્રાપ મારે છે. જનની અને જન્મભૂમિને તો જગતનાં પ્રત્યેક રાષ્ટ્રોએ વંદનીય ગણેલ છે. પણ એ ભાવનાએ કેવળ એ લાલસાજ જન્માવી જેને અનુસરી તેમણે ઘડેલા નિયમોને સંસ્કૃતિનું નામ અપાયું-જે સંસ્કૃતિ આજે જગતની વિરલ પ્રજાઓને ચક્કીમાં પીસી રહી છે. પણ હિંદ જનની અને જન્મભૂમિ ઉપરાંત ગાય અને સરસ્વતી-સંસ્કૃતિને પણ વંદનીય ગણ્યાં. ગાયને માતા ગણવાથી હિંદની મહાન પ્રજાને આજીવન માતાનું દૂધ મળ્યું-જેણે એના જીવનમાં અન્યાયને આવતે અટકાવ્યું, જેના વિશુદ્ધ પ્રભાવથી એનામાં શિશુનો સમભાવ ને માધુર્ય કેળવાયાં. સંસ્કૃતિને માતા ગણવાથી તેનામાં એવું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસ્યું જે હજારો વર્ષોના આક્રમણ અને નીચ યુક્તિઓ સામે હજી પણ કેટલેક અંશે અવનત ઊભું છે. અને હિંદની સંસ્કૃતિ વધારેમાં વધારે ઉન્નત, સંરક્ષણીય અને પ્રભાવશીલ એ માટે છે કે તે કેવળ લાલસાઓ સંતોષવાને કે અન્યને ભણવાને નહિ પણ સંસ્કાર, ન્યાય ને તેજને ખીલવવાને, પ્રાણીમાત્ર પ્રત્યે બધુભાવ કેળવવાને, ભૂમિને રક્ષવાને, સમૃદ્ધિને વિકસાવવાને, માનવતા જાળવવાને રચાઈ છે. હિંદની મહત્તા જેટલી એના ભૂમિ-સ્વાતંત્ર્યમાં છે એટલી જ એ એના ગાય પ્રત્યેના માતૃભાવમાં, જનની પૂજામાં ને સંસ્કૃતિરક્ષામાં છે. જયપરાજય તો ભાગ્યને આધીન છે. પણ માનવીની કિંમત તે ન્યાયની, સંસ્કૃતિની, પવિત્રતાની કે સંસ્કારની જાળવણી માટેની એની તમન્નામાં છે. અને જ્યારે એ તમન્ના પૂરેપૂરી ઝગમગી ઉઠે ત્યારે જ વ માતરમ પદની ભાવનાને તે સાર્થક બનાવી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવનનું એક મોંધુ અને મધુર છતાં હળવું અને કરુણ સંસ્મરણ મોહન વ. ઠાકરે કોલેજમાંથી છૂટીને બપોરે ઘરભણું વળતું હતું ત્યાં ખજુર ભરેલી ઠેલણગાડી ઠેલી જતા કેઈ વૃદ્ધ ફરિયાનો સાદ મારે કાને પડેઃ “ખજુરો મસ્કતી ખજૂર....” અને અધમધરાતે વાંચતાંવાંચતાં એકાદ ઝોલું આવતાં હાથમાંનું પુસ્તક સરીને ભયે પડી જાય એમ મારું વન સરી પડયું; હું ચારપાંચ વરસને શિશુ થઈને પેલી ઠેલગાડીના ખાલી ભંડકિયામાં પોઢી ગયો ! બા તે મને ધાવણે મેલીને જ ધામમાં ચાલી ગઈ'તી એટલે મારે મન તે, બા કે બાપા જે કહે છે, એક ‘અધા જ હતા. વહેલી પરોઢે, હજુ તે મેંઝણુંય માંડ થયું હોય ત્યાં, શિયાળાની ગુલાબી ટાઢમાં એમની હૂંફાળી ગાદમાં અર્ધા ઊંધમાં, અર્ધા જાગત “મારે ઘેર આવજે માવા, સવારે ઢેબરાં ખાવા” એ મધુર પરભાતિયું સાંભળતા પડ રહે અને હજુ આજેય મને એ પરભાતિયું અને એના ગાનાર હેતાળ “અ” બંને, એવા ને એવાં જ સાંભરે છે ! - મિશનરેડ પરના વાડામાં, એક ઘટાદાર લીમડાની મીઠી છાંયે ગુણપાટ, ખપાટિયાં અને પતરાંમાંથી ઊભી કરેલી નાની શી ઝૂંપડીમાં અમે બાપદીકરો સુખે રહેતા! - સવારમાં વહેલા ઉઠી. દાતણપાણથી પરવારી, સહેલું કામ ‘અધાની આંગળીઓ વળગી, કે એમને ખાંધેલીએ ચડી, ભીમા કંદોઈની હાટથી ગરમાગરમ ફાફડિયા ગાંઠિયા, અને મોહનથાળ લેવા જવું એ ! મને ત્યારેય મો’નથાળ ખૂબ ભાવત, મોહન ખરોને ! અને “અધા” નેય અફીણની ગોળી પછી એ ડુંગે ઠીક માફક આવતો ! ઘેર આવી અધા મંગાળા ઉપર ઝટપટ બે રોટલા ટીપી કાઢતા, ને ડુંગળીનું ડચકું ને રોટલાનું બટકે સીરાવી ગામમાં ફેરીએ ઊપડતા. ઠેલણગાડીના થાળા ઉપર ખજુરનું વાડિયું ગોઠવાતું, ને નીચે, ભંડકિયામાં બંદા ! “ખર મસ્કતી ખજૂર' આમ સાદ દેતા બાપા શેરીએ શેરીએ ઘૂમતા હય, ને હું ભંડકિયામાં આરામથી ઘટી ગયો હોઉં! ધમ ધખ્યા હોય, ત્યારે કોઈ વડ કે લીમડાને છાંયે ગાડી ઉભી રાખી “અધા' ઘડીક પિરો ખાતા. હું જાગ્યો હોઉં, ને ભૂખ લાગી હેય તે, સામેની હોટેલમાંથી ચા-ગાંઠિયા મંગાવી રોઢે કરતા, અને પાછા ફરીએ ઊપડતા ! દિવસ નમતાં હુંય ઠેલણગાડીના થાળા ઉપર બેઠે બેઠે “ખજૂર લ્યો મસ્કતી ખજૂર” ની ઝીણી બૂમ પાડતો. - સાંજે પાટી-દફતર ઉલાળતા નિશાળિયાઓ નિશાળમાંથી નીસરી પાંસરા ઘેર જતાં મને ગાડીના થાળા ઉપર બેઠે બેઠે એકલે ‘દુકાન દુકાન રમતો જોઈ તાજુબ થતા ! કઈ પૂછતા “વલુકાકા અને રાજ સાથે જ કાં ફેર, ઘેર કેમ નથી રાખતા ?' કોઈ ઘરાક વળી પૂછતું: “આ તમારે દીકરે કે, કાકા ?” “દીકરે તે પ્રભુનો, ભાઈ, આપણે તે ગોવાળિયા રહ્યા, ગોવાળિયા !” અધા જવાબ વાળતા. એમની આ વાત સમજી શકું એટલે સમજણ ત્યારે તે થયો, એટલે તે મારી સીગારેટના ગોળ ડબ્બાનાં ઢાંકણાં ને સાંઠીકડાંની બનાવેલી લાકડી ને પથરા-ઠીકરાંનાં તેલાં વડે દુકાન દુકાન” રમવામાં જ વધુ મોજ માણતે. આજે, વીસવીસ વરસ પછી, જ્યારે એ બધું સંભારવા બેસું છું ત્યારે આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવે છે. “પ્રભુના બાળકને લાડકોડથી ઉછેરનાર એ “ગેવાળ” આજે નથી; છે, હૈયામાં સદાને માટે જડાઈ રહેલું એનું મધુરું સંસ્મરણ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ સર્વસિદ્ધિ ત્રદશી શ્રી. જેઠાલાલ ત્રિવેદી પંચાંગલેખકે ઉપર હરેન મજમુદારને મૂળથી જ સ્વાભાવિક રોષ હતો. ભગવાને સરજેલા દિવસમાં શબની વાઢકાપ કરનાર ડોકટરોની પેઠે યથેચ્છ કાપકૂપ કરવી એ હરેનની દષ્ટિએ અગ્ય લાગતું. વિંછુડો, વ્યતિપાત, શનિની દશા વગેરેમાં હરેનબાબુ બિલકુલ માનતા નહિ. એવા કુસંસ્કાર અને વહેમમાં એમના જેવો વિદ્વાન માણસ આસ્થા રાખે તે થઈ રહ્યું ? જે રીતે હરેનબાબુ પંચાંગમાં લખેલા નિષેધદિનેને માનતા નહિ, તે જ રીતે તેમાં ઉલ્લેખ કરેલા શુભ દિનેમાં કામ કરવા માટે પણ ઈચ્છા રાખતા ન હતા. પોતે કોઈ કામ માટે બહાર નીકળે તે વખતે કોઈ તેમને કહે કે “આજ સારે દિવસ છે તેથી કાર્યસિદ્ધિ થશે. ” તો તે જ વખતે તેઓ કદ્ધ થઈ ઘેર પાછા ફરતા. પછી તે દિવસ તેમને કામ કરવા માટે નકામે સમજવો. આ વિષયમાં તે તેમના સાહિત્યક બંધુ પ્રમથને કેટલે બધો ચીડવતા ને સમજાવતા તેની તે ગણત્રી જ ન થઈ શકે. ઊગતો લેખક હોવા છતાં પ્રમથ, એવા વહેમમાં માને છે એ તેમનાથી સહન થઈ શકતું નહિ. પરંતુ હજારવાર પ્રયત્ન કર્યા છતાં પણ તેઓ પ્રમથને પિતાના પક્ષમાં ભેળવી શક્યા નહિ. હરેન પોતે પણ લખતા હતા. એ વિષયમાં તેઓ પ્રમથ પાસેથી પ્રેરણું પણ મેળવતા હતા. પરંતુ અદ્યાપિપર્યત પત્રસંપાદકોને કૃપાલાભ તેમને નસીબે લખાયો હોય એમ લાગતું નહિ. તેમણે લગભગ બે ડઝન ટૂંકી વાર્તાઓ લખી, બધીએ એક પછી એક તમામ પ્રચલિત માસિક પત્રોના તંત્રીઓ તરફ મોકલાવી હતી. પરંતુ બધાની તરફથી તે વાર્તાઓ “સાભાર પરત”ના શેરા સાથે પરત કરવામાં આવી હતી. પરંતુ તેથી હરેન હારી જાય તેમ ન હતું. આ વખતે તેમણે પત્રના ઉત્તર-પ્રત્યુત્તરના રૂપમાં ટૂંકી વાર્તાઓ લખવાની નવી રીત શોધી કાઢી. એ નવી વાર્તા એમને એટલી ગમી ગઈ કે, હવે તે વાર્તા કેઈ સંપાદક પાછી નહિ મેલે એવી દઢ ધારણ તેમના મનમાં બંધાઈ ગઈ. પરંતુ ભૂતકાળની નિષ્ફળતાની સ્મૃતિ તેમના મનમાંથી હજી ભૂસાઈ ગઈ ન હતી. આથી તે વાર્તા રવાના કરતાં પહેલાં તેઓ એકવાર પ્રમથની પાસે ગયા ને પૂછ્યું: “તું શું ઉપાય કરે છે કે તારે કાઈ લેખ પાછો આવતો નથી ? જેવો મોકલાવે છે તેવો જ છપાઈ જાય છે. તેનું કારણ શું?” પ્રમથ સરળ ભાવે બેલ્યો “ભાઈ હું કાંઈ ઉપાય-બુપાય જાણતા નથી. પરંતુ એટલું ખરું કે, શાસ્ત્રવાકયમાં વિશ્વાસ કરીને સર્વસિદ્ધિ દશીને દિવસે હું મારા લેખ રવાના “એ બધા કુસંસ્કાર” કહીને હરેને દલીલ ચલાવવા ઈછા કરી. પણ સામો માણસ પ્રતિવાદ કરવા તૈયાર ન હોય ત્યાં દલીલ શી રીતે ચાલી શકે ? હરેન છાનામાને ઊઠીને પર તરફ વિદાય થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સર્વસિદ્ધિ ત્રયોદશી - ૧૫૯ ઘેર આવીને હરેન વિચાર કરવા લાગ્યાઃ “શું પ્રમથ તેના લેખ ત્રયોદશીને દિને રવાના કરે છે માટે પાછા નહિ આવતા હોય? ત્યારે ખરેખર એ તિથિમાં કાંઈ રહસ્ય હશે? ત્યારે પોતે પણ તેની ખાત્રી કરવા માટે પોતાનો લેખ એકવાર ત્રયોદશીએ રવાના કરે તે ?” પરંતુ બીજી જ ક્ષણે તે મન સાથે બોલી ઊઠડ્યોઃ “તેમ ન થાય. એતો વહેમ. કુસંસ્કાર ! કુસંસ્કાર !' કેટલાક દિવસ સુધી એ બંને વિરોધી વિચારોમાં તેનું મન ઝોલાવા લાગ્યું; પરંતુ માસિકમાં વાર્તા છપાવવાને નશે તેના પર કાબૂ જમાવી બેઠા હતા. તે મન સાથે વિચાર કરવા લાગ્યો કે, “પોતે તે તિથિ-નક્ષત્રમાં ખરેખર માનતો જ નથી. પરંતુ એકવાર પરીક્ષા તો કરી જુએ ! એમાં દેષ શું ?' આ રીતે છેવટે સર્વસિદ્ધિ ત્રયોદશીનો જ જય થયો. જાણવા પ્રમાણે હરેને પહેલીજવાર પંચાંગ ખેલી તિથિ જે, એક આનાની પિષ્ટ-ટિકિટ સાથે પિતાની લખેલી નૂતન વાર્તા એક પ્રખ્યાત માસિકના તંત્રી તરફ રવાના કરી દીધી. - સાધારણ રીતે વાત પાછી આવવાને સમય પસાર થઈ ગયો, પરંતુ વાર્તા આ વખતે પાછી આવી નહિ. હરેનબાબુના મનમાં આશાનો સંચાર થવા લાગ્યું. હરેને માન્યું કે, પોતાની વાર્તાને આ વખતે સ્વીકાર થયો છે. ખરેખર ત્રયોદશીમાં સિદ્ધિદાનની શક્તિ છે. પરંતુ આનંદદાયક સમાચાર ન આવે ત્યાં સુધી નિશ્ચિત થવાય નહિ. દરરોજ મથાજો તે પોષ્ટમેનની પ્રક્ષાક્ષા કરતા બેસતા. એ પ્રમાણે બે માસ વીતી ગયા. હવે તે સંપાદક તરફ ઉઘરાણી કરવાનો વિચાર કરતા હતા. પરંતુ એક દિવસ વધારે રાહ જોઈને લખીશ” એમ વિચાર કરતાં કરતાં સાત દિવસ વીતી ગયા. એક દિવસ એકાએક એક પોલીસ કર્મચારી હરેનબાબુ પાસે આવ્યો. તે હરેનબાબુને વૈરંટ દેખાડી પકડીને થાણામાં બચી ગયો ને ત્યાંથી કચેરીમાં લઈ ગયો. કચેરીમાં ગયા પછી હરેનબાબુએ જાણ્યું કે, એક યુવકે કેટલાક દિવસ પહેલાં આત્મ‘ હત્યા કરી હતી. એ સંબંધે તપાસ કરતાં તે યુવકના ઘરમાંથી હરેનબાબુએ લખેલે પત્ર મળી આવ્યો હતો. હરેન આ વાત જાણતાં જ બોલી ઊઠયો કે, “આ પણ એક જાતની ડીટેકટીવ વાર્તા છે કે શું?' નિર્દિષ્ટ તારીખે મુકદ્દમાની શરુઆત થઈ. હરેનને કેર્ટમાં લઈ જઈ આરોપીના પાંજરામાં ઊભો કરવામાં આવ્યો. સર્વથી પહેલાં શપથ આપવામાં આવ્યા. પછી ન્યાયાધીશે હરેનનું નામઠામ વગેરે પૂછયા બાદ પ્રશ્ન કર્યો. “તમે મણિમય શૈય નામના કોઈ યુવકને ઓળખો છો?” હરેન બોલ્યોઃ “ના છે.” ન્યાયાધીશ-જે યુવકે પલાશપુરમાં આત્મહત્યા કરી છે તેને તમે ઓળખતા ન હતા ? હરેન –ના, જી. ન્યાયાધીશે તુરત એક પત્ર બતાવી હરેનને પૂછ્યું: “જુઓ આ લખાણ આપના હાથે લખાયું છે કે નહિ ? ” હરેન પત્ર દેખી રચંભિત થઈ ગયો. તે તેણે છેલ્લીવાર લખેલી ટૂંકી વાર્તા છપાવવા મોકલી હતી અને જે પાછી નહિ આવવાથી તે એમ માનતા હતા કે, માસિકના સંપાદકે તે સ્વીકારી છે, તેનું એક પુછ હતું. તેમાં એક જગ્યાએ લખેલું હતું– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ - સુવાસ : શ્રાવણુ ૧૯૯૫ (: ભાઇ મણિમય, તમારા મનની એ અવસ્થામાં, તમારા કર્તવ્ય સબંધે મારા અભિપ્રાય માગેા છે ? તમારા ગંભીર દુઃખથી ખરેખર હું દુઃખી થાઉં છું. કિંતુ તમને કાંઈ પણ કહી શકતા નથી. તમારું મન પાતેજ તમારા માર્ગ બતાવશે... X × X ભાઈ તમારું ધૈર્ય અસીમ છે. તમારા જેવી અવસ્થામાં હું જે પાત્રો ઢાંઉ તા મારે માટે તે આત્મહત્યા સિવાય બીજો કાઇ ઉપાય રહે નહિ. હરને ન્યાયાધીશને કહ્યું કે, “હું એક લેખક છું. પત્રના ઉત્તર-પ્રત્યુત્તરના રૂપમાં એક વાર્તા લખી એક માસિકના સંપાદક તરફ મેાકલાવી હતી. આ પત્ર તે વાર્તાના એક ભાગ છે.’ ન્યાયાયાધીશે પૂછ્યું:“ત્યારે તે સંપાદક સાથે આપને શત્રુતા હતી, તેથી આપને વિપદમાં નાંખવા આ પત્ર તેણે પેાલીસ તરફ મેાકલાવ્યા છે, એમ આપ કહેવા માગે છે?” " હરેન કહે, “ ના જી .” ન્યાયાધીશે કહ્યું: “ત્યારે એમ કહેવા માગેા છે કે, પોલીસની સાથે આપને શત્રુતા છે. જેથી સંપાદકની આપીસમાંથી તેઓ તમારી વાર્તામાંથી આ પૃષ્ઠ કાપી લાવ્યા છે? '' હરેન કહે, “ના . ,, ન્યાયાધીશ કહેઃ “યારે શું કહેવું છે? હું તમારી લેખક તરીકે પરિચય આપવાની પ્રત્યુત્પન્ન મતિની તારીફ કરું છું. હું નણું છું કે, આજકાલના જીવાનેમાં તે વસ્તુને "" અભાવ નથી. હરેન નિરુત્તર રહ્યો. ન્યાયાધીશે ફરી પૂછ્યું: “આપ એમ કહેવા માગે છે કે, પત્રમાં લખેલેા મણિમય આપની કલ્પનાસૃષ્ટિનું એક પાત્ર માત્ર છે ? 39 હરેન મેલ્યાઃ “નિશ્ચય, એમ જ છે. ’ ન્યાયાધીશ કહેઃ “ અને કલ્પિત મણિમયની સાથે આત્મધાતી મણિમયના નામના મેળ એક અકસ્માત માત્ર છે. એવી ઘટના પણ ઘટી શકે. એમ જ કહેવું છે ને ?” હરૈન આશ્વાસિત થઈ એયેાઃ “ હા જી. એ એક અકસ્માત માત્ર. ખીજું શું?” ન્યાયાધીશ એલ્યું: “ ત્યારે આપ એમ પણ કહેવા માગે છે કે, આપના આ પત્ર ર્માણમયના ઘરની તપાસ દરમ્યાન મળી આવ્યે એ પણ એક અકસ્માત હાવાને સંભવ છે ? ’’ હરેન ચૂપ રહ્યો. ન્યાયાધીશ ધીમું હસીને ખેલ્યાઃ “ પત્રમાં આપેલા કલ્પિત નામ સાથે આપના પેાતાના વાસ્તવિક નામને મેળ પડે છે એ પણ એક અકસ્માત છે ? શું કહેવું છે ? હરેન કહેઃ “ આપનું કથન બરાબર સમળતું નથી. ’ ન્યાયાધીશઃ “ એમ પૂછું છું કે, આ પત્રની નીચે હરેન્દ્ર નામથી આપતી પાતાની સહી કરેલી છે. એ પણ કાલ્પનિક છે ? '' હરેને અત્યારસુધી તે સહી જોઈ ન હતી. તેણે તે પત્રમાં એકવાર જોઈ લીધી, પછી તે ખાલ્યુાઃ જી, એ નામ મારું છે, પરંતુ મેં લખેલું નથી. મારી લખેલી વાર્તામાં પત્રતી નીચે ફક્ત “તમારા ગુણમુગ્ધ બંધુ ' એટલું જ લખેલું હતું. બીજું ન્યાયાધીશ: આ પત્રમાં નીચે આપના હાથની સહી કરેલો કંઈ લખ્યું ન હતું. ” દેખાય છે. તે આપના હાથે થયેલી નથી એમ કહેવું છે ?” * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ સર્વસિદ્ધિ ત્રયોદશી - ૧૬૧ હરેનઃ “ના, છે. આ સ્થળે મારી સહી કરવાની જરૂર જ ન હતી. આ સ્થળે નામ લખવાની જરૂર હોત તો કાલ્પનિક મણિમયના કાલ્પનિક મિત્ર રાધાકાતનું નામ લખત. પરંતુ આ સ્થળે અનાવશ્યક લાગવાથી મેં કેઈનું નામ લખ્યું ન હતું.” ન્યાયાધીશ: “ઠીક, આપ આ કાગળના ટુકડા પર આપની સહી કરે.” હરેને સહી કરી આપી એટલે ન્યાયાધીશ તે સહીમાં અને પત્રમાંની સહીમાં કાંઈ ભેદ છે કે નહિ તે જોવા લાગ્યો, પરંતુ કંઈ ભેદ જણાય નહિ તે પછી હરેન તરફ જોઇને ન્યાધીશ બોલ્યોઃ “આપ પિતે જ ખાત્રી કરી જુઓ કે આ બંને સહીમાં કાંઈ ફેર માલમ પડે છે કે કેમ?” હરેને બરાબર પરીક્ષા કરી, પણ કાંઈ ફેર માલમ પડયો નહિ. પછી તે જોરથી બે: “એ મારી સહી નથી. આપને મારી વાતમાં વિશ્વાસ ન આવે તે, આપ યોગ્ય સમય આપો. તે સમય દરમ્યાન હું મારી વાતની સત્યતા સાબિત કરી આપીશ.” ન્યાયાધીશઃ “શી રીતે સાબિત કરી આપશે ? હરેઃ “મારી વાર્તાનું ખોખું લાવી આપને બતાવું, એથી મારી વાત આપને સાચી લાગશે, એમ આશા રાખું છું.” ન્યાયાધીશઃ “તેમ કરવાથી તે તમને વખત મળે એટલે આ પત્રને બંધબેસતી એકાદ વાર્તા લખી લાવે. કેમ ખરું ને?” હરેઃ “આપને મારો વિશ્વાસ ન આવે તે આપ જ મારે ઘેરથી વાર્તાનું બેખું મંગાવવા તજવીજ કરે.” ન્યાયાધીશ તે પ્રમાણે કરવા કબૂલ થયો. કારણ એમ કરવાથી પક્ષકારને પિતાના બચાવના સમર્થનની તક મળશે એમ તેને લાગ્યું. મુકદ્દમાની બીજી તારીખ પડી. ચારપાંચ દિવસ પછી હરેનને ખબર મળી કે, ન્યાયાધીશે તેને ઘેરથી વાર્તાનું ખોખું મંગાવવા વ્યવસ્થા કરી હતી. પરંતુ તે હાથ લાગ્યું નથી. વિશેષમાં તેને જણાવવામાં આવ્યું કે તેના પિતાની ઈચ્છા હોય તો તેને ખોખું મંગાવવાની તજવીજ કરવા છુટ છે. હરેને અગાઉની ઘટના વિગતવાર વર્ણવીને તેના મિત્ર પ્રમથને ઘરમાંથી વાર્તાનું ખુ શોધી કાઢી મક્લી આપવા લખ્યું. પ્રમથે ઉત્તરમાં લખ્યું કે તેની વાર્તાનું બેખું મળી આવ્યું નથી. પોલીસે ઘરની તપાસ કરી તે વખતે તે પોલીસને હાથ લાગ્યું છે કે નહિ તેની પણ પ્રમથને ચોક્કસ ખબર ન હતી. નિર્દિષ્ટ દિવસે મુકદમાની ફરી સુનાવણી થઈ. પરંતુ હરેન પિતાની વાતની સાબિતી આપી શક્યો નહિ. છેવટે ન્યાયાધીશને તેની વિરૂદ્ધ ચુકાદો આપવાને રહ્યો. ફોજદારી કાયદાની કલમ ૩૦૬ અનુસાર હરેનને આત્મહત્યાના પ્રચારક તરીકે છ માસની આસાન કેદ તથા ૫૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો. હરેનના પત્રથી મણિમય આત્મહત્યા કરવા પ્રેરાયો હતો છતાં હરેન પ્રત્યક્ષ સહાયકર્તા નહિ હોવાથી આટલી ઓછી શિક્ષા કરવામાં આવી હતી. પિલીસ હરેનને કોર્ટમાંથી થાણામાં ને ત્યાંથી જેલમાં લઈ ગયા. જેલમાં જતાં રસ્તામાં જરા આગળ ચાલતી બે વ્યક્તિઓની વાતચીત હરેને સાંભળી. એક જણ બોલ્યાઃ હવે મારું પ્રમેશન કેણુ અટકાવશે ? છેવટે સર્વસિદ્ધિ ત્રયોદશી સાધવી પડી. બીજું શું કરું?” બીજે માણસ બેલ્યોઃ “હકીકત શી બની હતી, તે જણાવ તે ખરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ - સુવાસ : શ્રાવણ ૧લ્પ પ્રથમ વ્યક્તિઃ “તે સાંભળી લે. મણિમય રેયની આત્મહત્યાના કેસના તપાસનો ભાર મારી ઉપર પડયો. તે દિવસે એકાદશી હતી. તે પછી એકબે દિવસ બાદ સર્વસિદ્ધિ ત્રયોદશીને દિવસે મણિમયના ગામે તપાસ કરવા માટે ગયો. સદ્દભાગે એ જ રાત્રે એક ટપાલ લૂંટાઈ. બીજે દિવસે સવારે થાણામાં ટપાલની લુંટની ખબર આવી. થાણાના દરેગા સાથે હું પણ તપાસ કરવા માટે ગયો. તપાસમાં મારા હાથમાં હરેનબાબુનું એક કવર આવી ગયું. તેમાં એક વાર્તા લખેલી હતી. બપોરે જમી પરવારીને એ વાર્તા વાંચી. વાર્તામાં એક પત્ર વાંચતાં જ મારા ભેજામાં એક વિચાર કર્યો. મનમાં વિચાર કર્યો કે મણિમયના કેસમાં કાંઈ પુરા હાથ નહિ લાગે તે છેવટે આ પત્ર ઉપરથી કેસ ઊભો થઈ શકશે. થયું પણ તેમ જ.” બીજી વ્યકિતઃ “હરેનબાબુએ કોર્ટમાં જે માથાઝીક કરી હતી તે બધી સાચી હતી કે શું ?' પ્રથમ વ્યકિતઃ “જરૂર સાચી.” બીજી વ્યક્તિઃ “ત્યારે તેના હસ્તાક્ષર એ પત્રમાં કયાંથી આવ્યા ?” પ્રથમ વ્યકિતઃ “બુદ્ધિ હેય તે બધુંય થાય. વાર્તાને છેવટે લેખકે પિતાનું નામ ઠેકાણું વગેરે લખે છે તે નથી જાણતો? તેનું અનુકરણ કરવું કંઈ અઘરું નથી. હરેનબાબુના મનમાં એમ હતું કે વાર્તાનું કાચું ટિપ્પણું બતાવી, મારે ઊભો કરેલો કેસ તેડી પાડે. પરંતુ હું તેનાથી ક્યાં કાચો હતો ? ઘરની જડતીને બહાને તે વાર્તાનું બેખું મેં પ્રથમથી જ હરેનબાબુના ઘરમાંથી સેરવીને હાથ કરી લીધું હતું. ભાગ્યબળે બે દિવસ રાહ જોઈને ત્રયોદશીને રેજ તપાસ માટે ગયે તેથી જ આ બધે મેળ બેઠા. ” પાછળ ચાલતાં આ બધે ઈતિહાસ સાંભળી રહેલા હરેનબાબુના મુખ પર દુઃખપૂર્ણ હાસ્ય છવાયું. તે મન સાથે જ બેલ્યાઃ “હાય, રે ત્રયોદશી, પ્રમથની નિર્દોષ સાહિત્યસેચના વેળાએ પણ તું સર્વસિદ્ધિ, વળી આ લોકના પાપકર્મ વખતે પણ તું સર્વસિદ્ધિ. કેવળ મારી વખતે જ તું સર્વનાશી ?” તે દિવસે હરેને પ્રતિજ્ઞા કરી. વાર્તા છપાવવાના નશામાં તથા સર્વસિદ્ધિવની પરીક્ષા કરવા જતાં જીવનમાં આ એકવાર જ તેણે ત્રયોદશીને માન આપ્યું હતું. તેનું ફળ પણ તેને હાથોહાથ મળ્યું. કેવળ અર્થદંડ જ નહિ, પરંતુ એકીસાથે છ માસની જેલ પણ સાથે સાથે મળી. માટે આ પ્રથમ અનુભવ તે જ છેલ્લે માનીને, હવે આ જીવનમાં પોતે કદી ત્રયોદશીની આડે પણ નહિ ઉતરે એવી તેણે પ્રતિજ્ઞા કરી.* * જી. બ્રહ્માનંદસેનની બંગાળી વાર્તા ઉપરથી. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ વટપદ્ર(વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખ [ ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાયવિદ્યામંદિર, વડોદરા ] [ ૮ } વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા તપાગચ્છને ઉપાધ્યાય નેમિ સાગરજીએ રાધનપુરથી માંડવગઢ તરફ વિહાર કરતાં રાજનગરથી ઉ. નેમિસાગરજીનું વડોદરામાં આવી દેવ-વંદન કર્યું હતું, માંડવગઢમાં પાતશાહ વડોદરામાં દેવ-વંદન જહાંગીરે વિજયદેવસૂરિને “સવાઈમહાતપા' બિરૂદ આપ્યું, ત્યારે ઉપર્યુક્ત નેમિસાગરે “જગ-જીક સવાઈ' પદ મેળવ્યું હતું– એમ વિ. સં૧૯૭૪માં સ્વર્ગવાસી થયેલા એ ઉપાધ્યાયના નિર્વાણ-રાસમાં સચન છે. નાકર કવિ—વિક્રમની સેળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીના આરંભ સુધી (વિ. સં. ૧૫૫૦ થી ૧૬૧૫) વિદ્યમાન મનાતા વડોદરાના વડેદરાના કવિઓ દી (ડી) સવાલ વણિફ વિકાના સુત વૈષ્ણવ કવિ નાકરને અહિં પહેલાં ઉલ્લેખ કરવો જોઈએ; જેણે ૧ શિવવિવાહ, ૨ ધ્રુવાખ્યાન અને ૩ આદિપર્વ, ૪ ગદાપર્વ, ૫ વિરાટપર્વ જેવાં ગુજરાતી કાવ્યો રચી વડોદરાના વડનગરા નાગર બ્રાહ્મણ મદનસુત જેવા કથાકારને આખ્યાન કરવા કૃષ્ણાર્પણ કર્યા હતાં. કવિ પ્રેમાનંદ–ગુજરાતની જનતામાં ઘણું જાણીતા થયેલા અને ગુજરાતના આધુનિક સાક્ષરોઠારા જયંતીઓ અને ચર્ચાઓ દ્વારા પ્રેમ અને આનંદપૂર્વક પ્રસિદ્ધિમાં મૂકાયેલા ભટ કવિ પ્રેમાનંદની જન્મભૂમિ તરીકે વડોદરાની વાડી વિખ્યાત થયેલી છે. પ્રેમાનંદની ખડકી, પ્રેમાનંદની પળ તરીકે પ્રખ્યાતિમાં મૂકાઈ છે. જો કે આ કથાકાર કવિએ બાલ્યવયથી સાળ-નંદુરબાર(ખાનદેશ)માં આશ્રય લઈને અને સૂરતમાં વાસ કરી પોતાની કૃતિયોને અને આખ્યાન-કથાઓને અધિક લાભ ત્યાંની જનતાને આપો જણાય છે, તેમ છતાં તેણે પોતાને વટપત્રવાસી અને કેટલીક કૃતિમાં “વીરક્ષેત્ર વડોદરૂં સૂચિત કરેલું છે. વડોદરામાં તેણે વિ.સં. ૧૭૨૦ (૧ ૩ અનિરુદ્ધ (આખા)હરણ-કથા,)માં લમણહરણ, વિવેકવણઝાર, માર્કંડેય પુરાણ, વિ. સં. ૧૭ર૭ માં ચંદ્રહાસનું અને અભિમન્યુનું આખ્યાન રચ્યું હતું; તથા વડોદરામાં નાગરી ન્યાતની પાટે ગાયેલું મામેરું અઘાવધિ નારી–સમાજમાં પ્રેમપૂર્વક બહુધા ગવાય છે. વડોદરાના વણિક હરિદાસ જેવા કવિ-શિષ્યો દ્વારા અને કવિ વલ્લભ જેવા પુત્ર દ્વારા કવિ પ્રેમાનંદની ઈષ્ટ કૃતિયોમાં સારી વૃદ્ધિ પુષ્ટિ થઈ જાય છે. વિક્રમની અઢારમી સદીના મધ્યભાગને શોભાવી ગયેલા, પુરાણના આખ્યાનકાર ગુજરાતી ભાષાના પ્રેમી આ કવિ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુઓએ, વડોદરા સાહિત્ય સભા તરફથી સન ૧૯૩૮માં પ્રકાશિત થયેલ “સાહિત્યકાર” સૈમાસિકને પ્રેમાનન્દ અંક જેવો જોઈએ. ૧ “રાજનગરથી ચાલે, મુનિવર--મારગે માહાલે; વહાલે એ વાંધા દેવ વડેદરે રે.” (મે. દ. દેશાઈ એ. જૈન રાસમાળા ભા. ૧, પૃ. ૫૦, ગા. ૭૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ અચલગચ્છમાં થયેલા જ્ઞાનસાગર કવિએ વિ. સં. ૧૭૨૭ માં ચૈત્ર શુ. ૧૩ સામવારે ગાડી પાર્શ્વનાથના સાંનિધ્યથી રચેલ ૧૯ ઢાલવાળી આ કુમાર આક ઋષિ ચાપાઈ (ઋષિ)ની ચેાપાઈ લઘુ વપમાં રચેલી જણાવી છે, તે કદાચ બીજા નાના વડાદરામાં રચી હશે—તેમ જણાય છે, ૧ દીક્ષા મરુધર (મારવાડ)નાં સિવાચી નગરમાં વાસ કરનાર છાજડ ગાત્રવાળા આસવાળ ગૃહસ્થ શા. હેમરાજ, પોતાની પત્ની રાજાભાઈ સાથે સ્તંભતીર્થ (ખંભાત)માં વેપાર માટે આવ્યા હતા. ત્યાં વિ.સે. ૧૭૨૮માં ચૈત્ર શુ. ૫ ધનજી નામે લક્ષ્મીસાગરસૂરિની પુત્ર પ્રાપ્ત થયે। હતા. આઠ વર્ષના તે પુત્રને લઈ તે વટપદ્ર (વડાદરા)માં આવ્યા હતા, તે અહિં રહેલા તપાગચ્છના વૃદ્ધિસાગરસૂરિની ધર્મ-દેશના સાંભળી ધનજીએ વિ.સં. ૧૭૩૬માં વૈ. શુ. ૩ દીક્ષા સ્વીકારી હતી, તે સમયે તેનું નામ નિધિસાગર રાખવામાં આવ્યું હતું. વિ. સં. ૧૭૪૫માં વૈં. વ. ૨ રાજનગરમાં વૃદ્ધિસાગરસૂરિએ તેમને સૂરિપદ આપ્યું ત્યારે લક્ષ્મીસાગરસુરિ નામથી પ્રસિદ્ધ કર્યો હતા. તે સમયે પાતશાહના માનીતા, શાહુ શાંતિદાસના સુત લક્ષ્મીચંદે ધણું દ્રવ્ય ખર્યાં મહાત્સવ કર્યા હતા. તેણે અનેક તીર્થોની યાત્રા કરી હતી, ઉપદેશાદિથી લાકા પર ઉપકાર કર્યા હતા. વિ. સં. ૧૯૮૮માં સૂરજપુર(સુરત)ના બીજા ચેમાસામાં શરીર અસ્વસ્થ થતાં સંઘની વિનંતિને માન આપી. તેઓએ વિજયદશમીએ પ્રમાદસાગર ઉપાધ્યાયને આચાર્યપદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપી તેમને પેાતાના પટ્ટધર તરીકે પ્રખ્યાત કર્યાં હતા. અંત સમયે ઉચિત ઉપદેશ આપી તેએ આસે હિંદ છ સ્વર્ગવાસી થયા હતા. સંધે બહુમાનથી અંતિમ સંસ્કાર કર્યાં હતા. વૃદ્ધિસાગરસૂરિ ગુરુની જેમ આ લક્ષ્મીસાગરસૂરિએ પણ, અંતિમ સમયે રાજનગર, રાધણુપુર, પાટણ, ખ’ભાત, માઁનપુર વિગેરે નગરાના સંધાને તથા વટપદ્ર. દર્ભાવતી (ડભાઈ), ભરૂચ વિગેરે શ્રેષ્ઠ સ્થાનોમાં વસતા શ્રાવકાને ધર્મલાભ કહેવરાવ્યા હતા; તેમાં વટપદ્ર નગરના શ્રાવક–સંધતા પણ ઉલ્લેખ છે. 1 “તે ગુરુને સુપસાયે ગાયા, આ ઋષિ ગુણવંત ૧૧ સત્તર સત્તાવીસે ચૈત્રે, સુદી તેરસ શશિવારે; પૂર્વાફાલ્ગુની ધ્વજાગે, લઘુવટપદ્ર મઝારી . ૧૨ એમ એગણીસમી ઢાલ ધન્યાશ્રી, જ્ઞાનસાગર કહી નેહે; ધવલ ધીંગ ગાડીની સાનિધિ, દિન પ્રતે દાલત ગેહ રે. ૧૩ —જૈન ગૂજ ર કવિએ (ભા. ૧, પૃ. ૭૬-૭૭ ) * 3 ૪ “એક દિન સુત સંધાતે લેઇ, તિહાંથી તે નીસરીયા; વડ વખતે વટપદ્રમાં આવ્યા, શુભ ગુણ ૨૫ણે તરીચા.’ લક્ષ્મીસાગર સૂરિ—નિર્વાણુ રાસ (એ. જૈન રાસમાળા ભા. ૧, પૃ. ૧૯૬ ) વૃદ્ધિસાગરસૂરિ અને લક્ષ્મીસાગરસૂરિના નિર્વાણરાસમાં એને ઇલ્લેખ છે. ×પાટણ રાધનપુર વલી વટપદ્ર નચર વર એહ×× ઇત્યાદિક પુર મંદિર” નગર અનઇ બહૂ ગામિ; ધર્મ લાભ પહેાચાડયા લેઇ અહ્મારૂં નામ.'' —દીપસૌભાગ્યે રચેલા વૃદ્ધિસાગરસૂરિનિર્વાણરાસમાં ( ઐતિહાસિ રાસસંગ્રહ ભા. ૩, પૃ. ૭૧ ચ. વિ. શ્ર'.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વટપદ્ર(વટાદરા)ના ઐતિહાસિક ઉલ્લેખા - ૧૬૫ વિ.સં. ૧૭૫૫માં વિજયદશમીએ વટપદ્ર(વડાદરા)માં પાર્શ્વનાથના પ્રસાદથી તપા૰–નાયક વિજયરત્નસૂરિના અધિકાર સમયમાં ગાડીદાસ નામના શ્રાવક કવિએ ૨૪ ઢાળામાં ૭૮૧ લેાક-પ્રમાણ નવકાર-રાસ રચ્યા હતા. વિક્રમની તેરમી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા ધ્રુવેન્દ્રસૂરિએ રચેલી શ્રાવકપ્રતિક્રમણુસૂત્ર-વૃત્તિ, જે વંદાવૃત્તિ નામથી એળખાય છે, તેમાં સંસ્કૃતમાં જણાવેલી નવકાર–પ્રભાવની રાજસિંહ-રત્નવતી વિગેરે કથાને ઉપર્યુક્ત રાસ દ્વારા ગુજરાતી ભાષામાં કવિતારૂપે ઉતારવાના પ્રયત્ન થયા છે. કિવ ગાડીદાસ નવકાર–રાસ “વટપદ્ર ને દર્શાવતી ભરૂચ છે તિમ વલી x x x x x ઇત્યાદિક વરક્ષેત્રમાં શ્રાવક જે વસે, તેહને તુમે ધર્માંલાભ કહેજો અતિરસે.” પં. સુમતિવિજયના શિષ્ય વાચક્ર રામવિજયે રચેલ ક્ષક્ષ્મીસાગરસૂરિ—નિર્વાણરાસ ( ઐ. જૈન રાસમાળા ભા. ૧, પૃ. ૨૦૮ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ બુદ્ધિ શ્ર. ૨૪---ત્યાં ટિપ્પણમાં વટપદ્રને વડનગર નામથી જણાવવામાં ભૂલ થઈ છે), 1 “ઈંમ જે નવ પદનેં ધ્યાવે, તે નિશ્ચે શિવ-પદપાવે હૈ; વિ મન–ક્રામિત પૂરે આસ, ઈમ પભણે ગાડીદાસ । ૧૪ * * ઢાલ ચેાવીસ પૂરી થઈ, શ્રીગોડી ગિલુ ગાજે રે; સકલ સી(સ)ધ મંગલ કર, દિન દિન અધિક દિવાજે આ ૮ ગિર * * સુવિહિત ગચ્છ--ચણાયર, શ્રીવિજયપ્રભગુરૂ ઇશ રે; તાસ પટાધર જગ-જચવ'તા, શ્રીવિજયરત્નસૂરીસ રે. તેન્ડુ તણે રાજે એ રચીયા, નવપદ- રામ રસાલ રે; ઈંહ ભવ પરભવ સુખના દાતા, નિત્ય નિત્ય મગલ-માલ રે. ટર્સે હરિ પંચ મનેાહર, માથા ગુણ-મણિ—માલા રે; જીવિજન–માનસ–કંઠે સેહાવા, દીસે ઝા અમાલા રે. અક્ષર-ગણના ગ્રંથે કીધી, લે!(^લે)કહ્આ સુખદાચ રે; સાતો ને ઉપર એકાસી, લખતાં સાહિલેા થાય રે. સવત સત્તર પંચાવનેં, આસા સુદિ દશમી કુજવાર રે; વટપદ્ર પાસ-પસાઉલિ, રાસ રચ્ચા નવકાર રે. કલસ. ૧- ગિ ૧૧ ગિ. ૧૨ ગ. ૧૩ (ગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૪ ગિરૂ. એ રાસ નવ પદ ભણે નિસુણે, મગલ-માલા તસ ધરે; નવ નિદ્ધિ ઋદ્ધિ સમૃદ્ધિ લીલા, કેવલ-કમલા તે વરે. શ્રીવિજયદશમી વિજયમુહુરત્ત, રાસ રચ્ચે અંતિસુંદરૂ, પ્રભુ પાસ ગૌડીદાસ પભણે, સકલ સિં(સ')ધમ ગલકરૂ. ૧૫ ઇતિ શ્રીપંચપરમેષ્ઠી મહામંત્ર નવકાર-રાસ સપૂ. શ્રીપાર્શ્વનાથપ્રસાદાત્ જીભ ભવતુ [સ, ૧૭૭૪ વર્ષામાં પ્રીતિવિમલ-શિષ્ય કનકવિમલ—શિષ્ય વિમયે વિરપુરમાં લખેલી થડાદરામાં પ્રાચ્યવિદ્યામંદિરમાં રહેલી ૨૭ પત્રવાળી પેથીના આધારે ) www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સુવાસ: શ્રાવણ ૧૯લ્પ અંચલગચ્છમાં થઈ ગયેલા કવિ ન્યા(જ્ઞા)નસાગરે વિ. સં. ૧૭ર૬માં સેખપુરમાં સિદ્ધચક્ર-મહામ્ય વિષય પર શ્રીપાલપની ચોપાઈ રચી હતી, તેની એક પ્રતિ વિ. સં. બીજા ઉલેખે ? ૫ ૧૭૭૦ વર્ષે ભાદ્ર. શુ. ૧૫ વટપદ્રનગરમાં લખાઈ હતી, તે હાલમાં ' ભાવનગરમાં જેનભંડારમાં છે. તપાગચ્છના અધિપતિ વિજયસમાસૂરિએ વિ. સં. ૧૭૭૪માં પિતાની આજ્ઞામાં રહેલા સાધુઓને જુદા જુદા સ્થાનોમાં સ્પેઇસ્થિતિ(ચોમાસું રહેવા)ના જે આદેશપદ્ધકે (આજ્ઞાના પટ્ટા-ફરમાનો) આયા હતા, તેમાં પં. લબ્ધિવિજય ગણિને વડાદર ક્ષેત્ર ફરમાવવામાં આવ્યું હતું.' વિ. સં. ૧૭૮૦માં પિષ શુ. ૫ શુકે વટપદ્રનગરમાં કુતુબપુરમાં ૫. કાંતિવિજયગણિએ રસતરંગિણીવૃત્તિની પ્રતિને પિતાના વાચન માટે લખી હતી. - જેના પ્રાચીન મંડપનું પહેલાં કવિ વિનયવિજયે કરેલું વર્ણન ઉપર દર્શાવેલું છે. શ્રીમંત સરકાર ગાયકવાડને રાજ્ય-ધ્વજ ભગવો ઝંડે જ્યાં ફરકે છે, તે રાજધાની વડોદરાને શ્રી પીલાજીરાવના સુપુત્ર શ્રીમંત દામાજીરાવ મહારાજાએ સન વડોદરા માંડે ૧૭૩૪=વિ. સં. ૧૭૮૦માં સ્વાધીન કર્યા પછી ત્યાં બે વર્ષમાં-વિ. સં. ૧૭૯૨માં તેમની આજ્ઞાથી આ વટપત્તન (વડોદરા)ના અધિપતિ (અધિકારી) ધીર સુબુદ્ધિમાન કૃપાવંત શ્રીમહાર(માજી)એ અત્યંત મનોહર લોકપ્રિય મંડપ (માંડવા)ને સારી રીતે-સુંદર કર્યો હતો.-એમ ત્યાંના સં. શિલાલેખ પરથી જણાય છે. ' વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન વિ. સ. ૧૭૯૩, ૧૭૯૫માં પાટણ રાજનગર વિગેરેમાં રહી ચાવીશી–સ્તવનાદિ રચના કરનાર અને વિ. પં. જિનવિજયનું સં. ૧૭૯૯માં પાદરામાં સ્વર્ગસ્થ થયેલા જેન છે. તપાગચ્છના કવિ આગમન જિનવિજય વિ. સં. ૧૭૯૭ લગભગમાં વડોદરામાં પધાર્યા હતા.' (ચાલુ) ૧ જૂઓ જૈનસાહિત્યશોધક નં. ૧, અં. ૩, પૃ. ૧૦૭ ક્ષેત્રાદેરાપટ્ટક ૧ ૨ પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પૂ. ૨૯૭ 3 [पं. २] " श्रीपीलाजिनृपोद्भवो विजयते दामाजिसंज्ञो नृपः । [पं. १३] श्रीमान् दामाजिसंझो निखिलनृपवरः स्ताचिरायुः स चायं ।। [प. १७-१८] तस्याज्ञापरिपालको नरवरचातुर्यरत्नाकरः श्रीमल्हारः [प. २०] तेन श्रीवटपत्तनाधिपतिना धीरेण सम्यकृतः श्रीदामाजिनृपाक्षया सुरुचिरो लोकप्रियो मंडपः । મરાજ યુરિનાત્ર ગળતઃ ઇગ્યાથોષિના पं. २४] स्वस्ति श्रीनृपविक्रमार्कसमयाद्याते शिवे वत्सरे પ્રવેશદ્વીમિ[s) દયારામg[5] જે સુમે...” [ વિ. સં. ૧૦૧૨-શવ સં. ૧ ૬૬૮=. સન ૧૦૨૬ ] - એન્યુઅલ રિપેર્ટ-ડા. આ ઓલાજી, બરોડા સ્ટેટ ૧૯૩૪-૩૫ (પૃ. ૨૨) પ્રેમપર ચેમાસું કરીને, વિહાર કરે મુનિરાયજી, ગામ નગર પાવન કરતાં, વડાદરે ગુરુરાયજી; ધન્ય ધન્ય એ ગુરુ જગે જયકારી.” -૫. ઉત્તમવિજયે રચેલ ૫. જિનવિજયનિર્વાણરાસ (એ. જેનરાસમાળા ભા. ૧, ૫. ૧૫૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ આધુનિક નેપાળના ભાગ્યવિધાતા સાહસશિરે મણી, નરકેસરી રાણા જંગબહાદુર ચીમનલાલ સંઘવી [ અનુસંધાન ગતાંક પૃ. ૧૪૦ ] રાણુએ જંગને વડે --પ્રધાન બનાવ્યા, પણ રાજાએ અનુમતિ આપવા ના કહી. તેણે જંગ અને રાણી પાસે ગઈ રાત્રે રેડાયલ ખૂનનો હિસાબ માગ્યો. રાણીએ તીણતાથી કહ્યું, “જે પૂછવા જશે તે હવે જે લોહી રેડાશે એની આગળ આ લેહી તે કશા. જે વિસાતમાં નથી.” રાજા બિચારો હતાશ બની ગયો. તેણે યાત્રાના બહાને કાશીનો રસ્ત પકડયો. પણું પાટનગરની બહાર તે રાજાને માર્ગ ઊલટો મેકળો બનશે માની જશે તેને યુક્તિથી પાછો વાળ્યો. બીજા જ દિવસથી જગે પિતાના પક્ષને મજબૂત બનાવવા માંડયો. રાજકુમારોના રક્ષણ માટે તેણે રાણીને શંકા ન જાય એ રીતે સુયોગ્ય વ્યવસ્થા કરી. લશ્કરમાં પિતાના પક્ષમાં માણસોની ભરતી કરી, જવાબદાર હોદાઓ પર યુક્તિથી પિતાના જ પક્ષકારો કે સંબંધીઓને ગોઠવવા માંડયા. જંગની પ્રતિભામાં અંજાયેલ રાણી તેને પિતાનો જ માની તે જે ફેરફાર કરે તેને અનુમતિ આપવા લાગી. પણ થોડા જ વખતમાં જંગ ઉઘાડે પડી ગયો. રાણીએ તેને પાટવીકુંવર અને તેના ભાઈનું તત્કાળ ખૂન કરાવી પોતાના પુત્રને રાજગાદીએ બેસાડવાને આગ્રહ કર્યો તે અંગે એવા અધર્મમાં ભાગ લેવા સીધી ના સંભળાવી. છંછેડાયલ રાણું વધારે ઉશ્કેરાઈ. તેણે જંગનું ખૂન કરાવી હવે એવા માણસને વડો–પ્રધાન બનાવવાનો નિશ્ચય કર્યો કે જે પોતાના પુત્રને ગાદીએ બેસાડવાનું પહેલેથી લિખિત વચન આપે. વીરધર નામને એક બુદ્ધિમાન છતાં તીણ મહત્વાકાંક્ષી પુરુષ એ વિરલ પદની લાલચે રાણીની અઘટિત શરતો સ્વીકારવાને પણ તૈયાર બન્યું. રાણીએ તેની સાથે મળી જંગના ખૂનની યુક્તિઓ રચવા માંડી. પણ જંગનું ભાગ્ય બળવાન હતું. ખૂનની કેટલીક યોજનાઓ નિષ્ફળ ગઈ, તે કેટલીક પડતી મૂકાઈ. આખરે જંગના સંખ્યાબંધ વિરોધીઓની સહાયથી રાણું અને વીરપજે જંગને નાનકડા યુદ્ધમાં જ હેમી દેવાની યુક્તિ વિચારી. પણ તે અમલમાં મૂકાય તે પહેલાં જ તેને પકડી પાડી જંગે વિરધજની સાથે તેના મદદગારનો પણ વધ કરાવી નાખ્યો ને રાણી પર પિતાના અને પાટવી કુંવરના ખૂનના પ્રયાસનો આરોપ મૂકો. રાજા અને કુંવર બંને તે રાણુથી ડરતા હતા. પણ જંગને ટેકો મળતાં તેઓ ઉત્સાહી બન્યા. તેમણે સંયુક્ત સહીથી એક આજ્ઞાપત્ર બહાર પાડયું જેમાં રાણીને, તેના અમર્યાદિત ખૂની પ્રપના પરિણામે, તેની સત્તા છીનવી લઈ, દેશની શાંતિ અને તેની મનશુદ્ધિ માટે દેશનિકાલ થઈ, કાશીમાં વસવાની સજા ફરમાવવામાં આવી. દુર્બળ છતાં મનસ્વી રાજાએ પણ એ જ પ્રસંગે પોતાનું રાજપદ કાયમ રાખી કાશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ નિવાસની ઈચ્છા દર્શાવી. જંગે તેને વાર્યાં પણ તે ન માનતાં તેને પણ, રાણી સાથે કાઈ કાવત્રામાં સામેલ ન થવાની ચેતવણી આપી, કાશીએ વળાવ્યા. પણ ઘેલે રાજા થાડાક દિવસ કાશીમાં ગાળી પાછે નેપાળને માર્ગે વહ્યા. પણ એ સમયે રાણીએ, તેના મળતિયાઓએ તે જંગના વિરોધીઓએ તેને જંગની સામે કાવત્રામાં સામેલ થવા લલચાવ્યેા. રાજા કસાઈ પાયેા. તે નેપાળની સરહદ પર છાવણી જમાવી, કાવત્રાંબાજોની પ્રેરણા પ્રમાણે, નેપાળની તિજોરીમાંથી જ મળેલ નાણાંની મદદથી તે, જંગની સામે ધસી જવાને, સૈન્ય એકત્ર કરવા માંડયે. જંગને આ સમાચાર મળી ચૂકયા હતા. તેણે રાજાને તરત જ પાટનગરમાં પાછા ક્રવાતે વિનંતિપત્ર મોકલ્યે. પણ રાજાએ તે ન ગણકારતાં ઉલટું એ મારાઓને પેાતાની લિખિત આજ્ઞા સાથે જંગનું ખૂન કરવા માકલ્યા. એ મારાએ જંગના જાસુસેાના હાથમાં પકડાઇ જતાં તેમણે ખૂનનું કાવત્રુ કખૂલી તે સંબંધી રાજાને આજ્ઞાપત્ર રજુ કર્યાં. જંગ એ જ્ઞાપત્ર લઇ તેપાળના સૈન્યની સામે ઊભેા રહ્યો અને રાજાની આ ખૂની આજ્ઞા તેમાંના રાઇને માન્ય છે કે કેમ તે વિષે પૂછપરછ કરી. આખા સૈન્યે એક અવાજે એ આજ્ઞાને અસ્વીકાર્ય જણાવી. જંગે તે જ ક્ષણે રાન્તને પદભ્રષ્ટ જાહેર કરી પાટવીકુંવર સુરેન્દ્રવિક્રમને નેપાળનું સિંહાસન સાંધ્યું. આ રીતે શાંત રાજક્રાન્તિ પછી જંગે નેપાળના ૩૭૦ જવાબદાર અમલદારાની સહીથી માજી મહારાજાને એક પત્ર માકલાવ્યેા, જેમાં જણાવવામાં આવ્યું કે, • અનેક ખૂની પ્રપંચામાં ભાગ લઈ મહારાજાએ પેાતાની માનસિક નબળાઇ પ્રદર્શિત કરેલી છે. એ સ્થિતિમાં તેમને નેપાળના સિંદ્ધાસને ચાલુ રાખવા એ ભયભરેલું હાઈ તેમના પાટવીકુંવર સુરેન્દ્રવિક્રમને પ્રામે પેાતાના મુગટમણ તરીકે સ્વીકાર્યો છે. મહારાજની ઈચ્છા જો નેપાલ બહાર વસવાની હાય તે તેમને સારૂં વર્ષાસન આપવામાં આવશે અને જો તેમને પાટનગરમાં વસવું હુંય તે તેમની માજી મહારાન્તને યાગ્ય સેવા ઉઠાવવામાં આવશે.’ પણ હઠીલા રાજા ન માન્યા. તેણે નેપાળની સરહદ પર પેાતાની લશ્કરી હીલચાલ ચાલુ જ રાખી. જંગે નછૂટકે પેાતાના મુખ્ય સેનાપતિને સામગ્રી સાથે રાજાને કાબૂમાં લેવાને મેકલ્યા. એ સેનાપતિએ રાજાના લશ્કરને મારી હઠાવતાં તેના ખુશામતિયા હાથમાં રાજાને જે કંઇ માલ આવ્યે તે લઈ નાસી ગયા. સેનાપતિ રાજાને એક પાલખીમાં મેસાડી સન્માનપૂર્વક પાટનગર ખટમંડુ લઇ ગયેા. ત્યાં તેને નિવાસ માટે એક સ્વતંત્ર મહેલ આપવામાં આવ્યે.. પણ છતાં રાજાની કાવત્રાણાજી ચાલુ રહેતાં એ જ મહેલમાં તેના પર સન્માનનીય નજરકેદીને ચેાગ્ય સખત દેખરેખ ગોઠવાણી. રાજાની આ સ્થિતિ છતાં રાણીએ, તેના મુખ્ય મદદગાર ગુરુપ્રસાદે અને તેના મળતિયાઓએ જંગના ખૂનને માટે હરેક પ્રયાસ ચાલુ જ રાખ્યા. પણ જંગની કુનેહબાજીથી એવા એક પણ પ્રયાસ સફળ ન થઈ શકયા. વિરાધીએએ મેકલાવેલ મારામાંથી કેટલાકને જંગે એવી કડક સખ્ત કરી, તેને ઝેર આપવાના પ્રયાસ કરનાર ફ્રૂટેલાં દાસદાસીઓની તેણે એવી કફોડી સ્થિતિ કરી કે પછી ગમે તેટલી લાલચે છતાં પણ વિરોધીઓને મારા મળવા જ મુશ્કેલ થઇ પડયા. રાણી નિરાશ બની, મળતિયાએ વિખરાઈ ગયા. ગુરુપ્રસાદ કંટાળીને જંગને શરણે આવ્યા. જંગે તેને લશ્કરમાં યેાગ્ય હૈદો આપ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ રાણા જંગમહાદુ૨ - ૧૬૯ આ વખતે જંગનું ભાગ્ય સાથે કળાએ ખીલી નીકળ્યું હતું. શક્તિ અને પ્રભાવ, સમૃદ્ધિ અને સત્તા, વિજય અને કીર્તિ તેના મુગટમાં મઢાયાં હતાં. રાજા તેના હાથમાં રમકડું હતા; પ્રજા તેના પર મુગ્ધ બની હતી; તેના વિરે।ધીએ કચરાઈ ગયા હતા. યશસ્વી પગલે તે નેપાળના ભાગ્યવિધાતાને પદે ચડી રહ્યો હતા. તેનું મધુર અને સ્વાભાવિક ઔદાર્ય પણ તેને તેમાં સહાયક બનતું. એક વખતે તે પાતાને માટે થાપથલી મહેલની આસપાસ એક સુંદર બગીચેા બનાવત હતા. તે અંગે એક માળીની માલિકીની ઘેાડાક એકર જમીનની તેને જરૂર પડી. રાજ્યના ચાલુ નિયમે તે જમીનની આંકણી કરાવતાં તેની કિંમત રૂ. ૭૦૦ રી. પણ માળીએ ખરીદનાર સમૃદ્ધિસંપન્ન વાવર છે એ જાણતાં રૂ. ૧૫૦૦ માગ્યા. જંગે એ કબૂલતાં માળીએ ૩૦૦૦ માગ્યા; ૩૦૦ કબૂલાતાં ૫૦૦૦ માગ્યા; તે ખૂલાતાં ૫૦૦ ઉપરાંત પોતાના સાતે દીકરાઓ માટે તેણે અકેક ધર પણ માગ્યું. જગે એને પેતાની પાસે ખેલાવી, મીઠાશથી સમજાવી રૂ. ૫૦૦થી તેને સંતોષ પમાડયા. માળી જંગ ગુણુપૂજક બન્યા. કાઇ પ્રસંગે તે શિકારેથી પાછા ફરતાં તરસ લાગવાથી એક ઝુંપડી સમીપે જઈ થાયે.. ખારણે ખેડેલ ડાથી પાસે તેણે પાણી માગ્યું. ડેાશીના મુખ પર ઉદાસીનતા હતી પણ અજાણ્યા મુસાફર–મહેમાનને જોતાં જ તેણે સ્મિતભર્યા ઊડીને તેને મધુર પાણી પાયું. જંગ ડાશીની આદરવૃત્તિ પર મુગ્ધ બન્યા. તેણે યુક્તિથી ડેાશી પાસેથી તેની દર્દભરી કથની કઢાવી. તે એ ર્દીને દૂર કરી, એની કંગાલિયતને પાછી હઠાવી, એને અને એના કુટુંબને સુખમાં રમતું જોયા પછી જ તે મહેલે પાા કર્યાં. એક દિવસે નેપાળમાં સૈકાઓથી ભયાનક લેખાતા માર્ગ પર એક જાન લુટાયાના જંગને સમાચાર મળ્યા. આવા બનાવા એ પ્રદેશમાં અને તેમાં પણ એ પન્થ પર તા સામાન્ય થઈ પડયા હતા. પણ જંગે તરતજ એ લૂટારાઓને પકડવાના, અને એ રસ્તા પર પાકી સડક બંધાવી પ્રજાની સલામતિને બંદોબસ્ત કર્યાં. એ અરસામાં જંગી માથે એક ધર્મસંકટ આવી પડયું. ખીજા શીખવિગ્રહમાં રજિતસિંહની હાર પછી તેમનાં મહારાણી ચંદકુંવરને ચુનારના કિલ્લામાં કુદ પૂરવામાં આવેલાં ને રણજિતસિહ સંસારત્યાગી—સાધુ બની નેપાળનાં જંગલામાં ચાલ્યા ગયેલા. કદ પૂરાયલાં મહારાણીને પતિના સમાચાર મળતાં તે અંગ્રેજોની આંખમાં ધૂળ નાંખી નેપાળ નાસી આવ્યાં. રણજિતસિંહ સાધુ બની ગયેલ હાઇ તેમની પંચાત નહાતી પણ નાસી આવેલાં મહારાણીએ તેા નેપાળની સરહદ પરથી રાણા પર પત્ર લખી રક્ષણની ઉલટી માગણી કરી. નેપાળને અંગ્રેજો સાથે મિત્રતા હતી ને શીખવિગ્રહમાં તે। અંગ્રેજોને મદદ કરવાને તે તત્પર પણ બનેલું. છતાં રાજવંશી અતિથિની માગણી તરછોડવામાં જંગને અધ જણાયા. તે મૂંઝાયા, પણ છેવટે તે સત્યને જ વળગી રહ્યો. મહારાણીને તેણે દિલાસાપૂર્ણ પત્ર લખ્યા અને તેમના સન્માન માટે હાથી, પાલખીએ, સૈન્યની ટૂકડી વગેરે સામાં મેાકલાવ્યાં. મહારાણી માંદાં હાઇ તેમની સારવાર માટે તેણે વૈદ્યો પણ સાથે જ માકલાવ્યા. થોડાક દિવસમાં તે ખટમંડુ આવી પહોંચતાં જંગે તેમને ઘટિત સન્માન આપી, ધર બંધાવવાની આર્થિક સગવડતા કરી આપી રૂ. ૩૦૦૦નું વર્ષાસન ખાંધી આપ્યું. અંગ્રેજ એલચીએ બ્રિટિશ શહેનશાહતના એવા અગત્યના અને નાસીલા કેદીને સંધરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ માટે સુલેહ તૂટવાની જંગને ચેતવણી આપી. પણ અંગ અતિથિધર્મમાં મક્કમ રહ્યો. અંગ્રેજ અધિકારીએ છેવટે મહારાણી કંઈ કાવવું ન ગોઠવે એની જવાબદારી જંગને માથે ઓઢાડી સંતોષ માન્યો.. નેપાળમાં પિતાની સત્તાનાં મૂળ જામી જતાં જંગે પરદેશે પ્રતિ પિતાની દૃષ્ટિ દોડાવી. ગારી પ્રજાનું રાજકારણ, તેને સ્વભાવ, તેની સ્થિતિ વગેરેનું નિરીક્ષણ કરવાની ને તે પ્રજા પર છાપ પાડી તેની સાથે મિત્રતા બાંધવાની તેને ઘણા સમયથી હોંશ હતી. તે હેશ પૂરી પાડવાને હવે તેને અનુકૂળ અવસર જણાયો. બ્રિટનનાં મહારાણીને નેપાળની મિત્રતાની ખાતરી આપવાના ને બંને પ્રજા વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવાના બહાને તેણે ઈગ્લાંડ જવાનો નિર્ણય કર્યો. ને થોડા જ સમયમાં યોગ્ય સાધનસામગ્રી ને રસાલા સાથે તે મુસાફરીએ નીકળી પડયો. કલકત્તા સુધી જમીનમાર્ગ અને ત્યાંધી યોગ્ય સ્થળો જોતાં જળમાર્ગ ઇગ્લાંડ પહોંચવાનો તેને ક્રમ હતો. કલકત્તા, મદ્રાસ, કેલ, એડન વગેરે સ્થળે અંગ્રેજોએ તેને સ્વતંત્ર રાજ્યના રાજવંશી પ્રતિનિધિ સરખું માન આપ્યું. જેમાં અનેકવાર અંગ્રેજ અમલદારોના સંસર્ગમાં આવ્યો હતો, તેણે નેપાળમાં કેટલાક સુધારા કર્યા હતા, પરદેશની મુસાફરીનું તેણે સાહસ પણ ખેડયું હતું છતાં ગમે તેવા પ્રસંગે પણ એક પણ હિંદુ રિવાજને તિલાંજલિ આપવાને તે તૈયાર નહોતો. તે બ્રિટિશ અમલદારોનું સન્માન સાચવતે પણ કોઇની સાથે પાણી શુદ્ધાં પણ પીવા ન બેસતા. જમીન પર ઊતર્યા વિના તે રાકને સ્પર્શ પણ નહિ, સ્ટીમરમાં કેવળ દૂધ-ફળથી જ ચલાવી લે. તેણે પોતાની સાથે ગાયો લીધેલી અને પોતાનાં જ માણસો સિવાય બીજાને હાથે તે તેમને કહેવા પણ ન દેતે. કલકત્તા, મદ્રાસ વગેરે નગરોની પિતાની નોંધપોથીમાં તેણે નોંધ લીધી છે પણ તે તેમનાં પરદેશી નામે નહિ-કાલિઘાટ, ચીનાપન વગેરે મૂળ હિંદુ નામે. એડન મૂકી સ્ટીમર સુએઝને બારે જઈ ઊભી. સુએઝની નહેર સદૂભાગે એ વખતે દાયેલ નહોતી. પરિણામે જમીનમાર્ગે તેમણે ઈજીપ્તમાં પ્રવેશ કર્યો. શાહ અબ્બાસપાશાએ જંગને ઘટિત સન્માન આપી તેને તેજવા આરબ ઘેડાની એક જોડ ભેટ ધરી; અંગે શાહને ચરણે કસ્તુરીના બાર ઘડા ને એક નેપાળી ખંજરની વળતી ભેટ મૂકી. ઈજીપતિએ જંગને ઉતારે બીજી પણ રાજવંશી ભેટ મોકલાવી. ત્યાં થોડાક દિવસ થોભી, સત્તાધીશ સાથે મિત્રતા કેળવી, જેવા જેવું જઈ લઈ જંગે ફરી સ્ટીમરની મુસાફરી શરૂ કરી. આ વખતે તેને ખબર પડી કે પિતાની સ્ટીમર પર પણ સ્ટીમરનાં માણસના ખેરાક માટે ગાયો કપાય છે. તેણે તરત જ સ્ટીમરના કપ્તાનને પોતાની પાસે બોલાવી જણાવ્યું કે સ્ટીમર પર જે ગાયો કપાવાની હોય તે તેઓ આ સ્ટીમર ખાલી કરી બીજી સ્ટીમર રોકી લેશે. કતાને તરત જ ગોવધ બંધ કરાવ્યો. થોડાક દિવસમાં તેઓ માહટા થઈ ઈગ્લાંડના સાઉધેમ્પ્ટન બંદરે પહોંચ્યા. બંદરના જકાતી અમલદારએ સામાન તપાસવાની માગણી કરી પણ જંગને બિનહિન્દુઓ પિતાના પવિત્ર સામાનને અડકે એ પસંદ ન હતું તેમ તેને એ પ્રકારના વ્યવહારમાં માનહાનિ પણ જણાઈ. તેણે પિતાના છ સૈનિકને ઉઘાડી તલવારે સામાન સાચવવાની આજ્ઞા કરી ને બંદરના અધિકારીઓને તેણે જણાવી દીધું કે જે તેઓ સામાન તપાસવાની હઠ નહિ છોડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ રાણા જંગમહાદુર - ૧૭૧ તા તે ખીજી જ સ્ટીમરમાં અહીંથી પાછા ફરી જશે. અધિકારીએએ મૂ’ઝાઇને વડાઅધિકારીને પૂછાવ્યું તે તેના તરથી અનુમંત મળતાં તેમણે સામાન તપાસવાની હડ છેાડી દીધી. કહેવાય છે કે ઈંગ્લાંડને જ'ગ પાસેથી જકાત નહેાતી જોઈતી, તેને તે નેપાળના એ વીરનું પાણી જ માપવું હતું. જગ થે।ડાક દિવસ ત્યાં જ રાકાયા અને પેાતાના માણસાને તેણે લંડનમાં પેાતાને માટે શી વ્યવસ્થા કરવામાં આવી છે તેની તપાસ કરવાને મેકલ્યા. જ્યારે તેને ખબર પડી કે પાતાનેા ઉતારા રીચમંડ ટેરેસ નામના એક ભવ્ય મહેલમાં રાખવામાં આવ્યું છે અને તેને યેાગ્ય સન્માન મળવાનું છે ત્યારે જ તે લંડન ગયે. લડનમાં મહારાણી વિકટારિયાએ થાડા જ દિવસ પહેલાં પુત્રને જન્મ આપેલ હાઈ તે પડદે હતાં; એટલે તેમની મુલાકાત તરત ન થઈ શકી, પણ બીજી નામાંકિત વ્યક્તિએ કે સંસ્થાઓએ જંગને પોતાને ત્યાં ન્હાંતરવાનેા લાભ ઉઠાવવા માંડયા. જંગને એ રીતે જ્યાંત્યાં જવું પસંદ નહાતું છતાં તેને ઇન્ડિયા આપીસ, લંડનનાં મુખ્ય નાટ્યગૃહા, ઘોડદોડનું મેદાન, ડયુક આક્ વેલિંગ્ટન તે બીજા કેટલાક સેનાપતિ, થેાડાક ઉમરાવા વગેરેનાં આમંત્રણ સ્વીકારવાં પડયાં. kk ઘોડદોડના મેદાનમાં કેટલાક ઉમરાવાએ દોડતા ઘેાડાઓ સામે જોઈ જંગને પૂછ્યું: આપ આમાંથી કર્યો. ધાડા આગળ આવી શકે એમ ધારા છે? '' જંગે એક તેજસ્વી છતાં અણુધાર્યા ધાડા સામે આંગળી ચીંધી અને બધાની અજાયખી વચ્ચે એ જ ધાડા આગળ આવ્યો. એક ખૂબસૂરત ઉમરાવજાદીએ જગને પેાતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું, પણ પોતાને સમય ન હેાઈ તેણે પેાતાના ભાઇઓને ત્યાં મેાકલ્યા. ઉમરાવજાદીએ તે। બાદશાહી ઠાઠમાઠથી ખાણાનાં ટેબલો તૈયાર કરાવેલાં પણ જંગના ભાઈએએ મુશ્કેલી ટાળવાને ઉમરાવાદીના ઝગમગતા રૂપની પ્રશંસા કરતાં કહ્યું, “ અમારાં નયન ભરાઈ ગયાં છે, ભૂખ જરીકે નથી રહી.' ઉમરાવજાદી કંઈ સમજી ન શકી. પણ પાસે બેઠેલા કૅપ્ટને તેને સમજ પાડી કે, ‘ તે હિંદુ છે; આપણી સ્પર્શેલ વસ્તુએ તેમનાથી ખાઈ ન શકાય '—ત્યારે ઉમરાવજાદીએ હસીને તેમની પ્રશંસા કરી. " એક દિવસે જંગે લંડનના કેટલાક તબેલાએની મુલાકાત લીધી. તે પ્રસંગે તેણે કેટલાક ઘેાડાઓની ખરીદી કરી. ત્યાંની એક ગેાશાળામાંથી તેણે કેટલીક ગાયા પણ ખરીદી. એક ઠેકાણે ખાનગી વેપારીના એક તેજસ્વી ઘેાડાએ તેનું ધ્યાન આકર્યું. તેણે તેના માલિકને તેની કિંમત પૂછી તેા તે રૂ. ૬૩૦૦ જણાવવામાં આવી. જંગે ધાડા કેવું કૂદી શકે છે એ તપાસવા છ્યુિં પણ માલિકે જણાવ્યું કે એ સહેલગાહી ધોડા હાઈ ઝાઝુ કૂદી ન શકે. છતાં જંગે એ ઘેાડાને દાવવાનેા આગ્રહ સેવતાં જંગના ભાઇએ દૂર એક ખુલ્લી તરવાર ૨ાપી તે ઘેાડાને નુકશાન થાય તે કિંમત ભરી આપવાની શરતે માલિક પાસે ધેડાને છૂટા મૂકાવ્યેા. બધા પ્રેક્ષકાની અજાયબી વચ્ચે ધેડા તલવાર કૂદાવી ગયા. હવે માલિક માંધા થઈ તેના રૂ. ૮૪૦૦ માગ્યા. જંગે હસીને કહ્યું, “ હવે તે તમને એના ૪૨૦૦ રૂપિયા જ મળશે અને તેમાં પણ જો ઢીલ કરશેા તા કિંમત ધીમેધીમે ઘટતી જ જશે. ગુંચવાઈને ગલ્લાંતલ્લાં કરતા એ અંગ્રેજ વેપારીએ છેવટે રૂ. ૨૧૦૦માં અંગતે જ એ ઘેાડી વેસ્થેા. જંગે તેને રૂ. ૫૦૦ની બક્ષીસ આપી. " 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ બીજે દિવસે જંગે લંડનની મુખ્ય વ્યાયામશાળાની મુલાકાત લીધી. ત્યાં લંડનના એક અદ્વિતીય ભલે પિતાની અનુપમ શક્તિનાં બણગાં ફૂંકતાં જંગે પિતાની સાથેના એક કુસ્તીબાજને એની સામે અખાડામાં ઉતાર્યો અને એ નેપાળીએ ઈંગ્લાંડના મલ્લનાં હાડકાં ખરાં કરી નાંખ્યાં. જંગે એ મલ્લ ઉપર દયા લાવી તેને થોડીક સેનામહોરે બક્ષી. આ પછી જંગે બેંક ઑફ ઇગ્લાંડ, ટેમ્સપૂલ, લંડનનાં દવાખાનાં, બાગબગીચા, સંગ્રહસ્થાને, લશ્કરી ટુકડીઓ વગેરેની મુલાકાત લીધી. કેટલેક સ્થળે જણાતી સુશોભિત વ્યવસ્થાએ તેને મુગ્ધ કર્યો. તેણે કેટલીક નેધો ટપકાવી લીધી. એ પ્રસંગે તે હિંદના માજી વાઈસરોય, ઈલાંડના પરદેશમંત્રી વગેરેના સંસર્ગમાં આવ્યો. એક દિવસે જંગ અકસ્માત માં પડશે. તે પ્રસંગે તે સમયના ઇગ્લાંડના નામાંકિત વૈદ્ય સર બે જામીનને બેલાવવામાં આવ્યા. બેન્જામીને સુંદર સારવાર કરી જંગને બે ત્રણ દિવસમાં જ સાજો કરી દીધું. જંગે વૈદ્યને ઉ૫૦૦ રૂપિયા ધામવા માંડ્યા પણ વૈધે પોતાની ફીના રૂ. ૧૫૦૦ ઉપરાંત વિશેષ લેવા ના કહી. આવા કેટલાક પુરુષોએ જંગના મન પર પ્રિટન અને તેની પ્રજા વિષે સુંદર છાપ પાડેલી. આ સમય દરમિયાન મહારાણી વિકટોરિયા પ્રતિભવન છેડી બહાર આવી ચૂક્યાં હતાં. તેમની સાથે તરત જ જંગની મુલાકાત ગોઠવવામાં આવી. જંગે પતિની સાથે દિવાનખંડમાં બેઠેલાં મહારાણીને નમન કરીને ભેટયું ધર્યું. મહારાણીએ વળતાં નમન કરી હસીને જંગનું સન્માન કર્યું ને તેની સાથે ખુલા દિલે વાતચીત કરી. જંગને મહારાણુ ખૂબ જ પ્રભાવશાળી ને આકર્ષક લાગ્યાં. બીજે દિવસે પણ મુલાકાત ગોઠવાઈ. તે વખતે મહારાણીએ જંગને બાલકુંવરની સંસ્કારવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. જંગે આમંત્રણને સ્વીકાર કરી પ્રસંગ પર હાજરી આપી. મહારાણીએ તેને પિતાની સમીપ જ બેસાડો. અહીં તે ભવિષ્યના જર્મન શહેનશાહ પ્રીન્સ વિલિયમ સાથે સંસર્ગમાં આવ્યો. મહારાણીએ જંગને નેપાળની પ્રાકૃતિક લીલા સંબંધી પૂછપાછ કરી. તે પછી બાલકુંવરની સલામતિમાં દારૂની રંગરેલ ચાલી પણ જંગે પિતાનો પ્યાલો સાથેના કેપ્ટનને આપી દીધો. થોડાક દિવસ બાદ મહારાણીએ એક જંગી મહેફીલ ગઠવી તેમાં તેમણે જંગને પિતાની સાથે જ જમવાને આગ્રહ કર્યો પણ જંગે વિનયપૂર્વક એ રીતે જમવાની પિતાની અશક્તિ દર્શાવી. તે પછી જંગે મિજબાનીઓ કે મુલાકાતો, ભેટ કે જુદી જુદી આકર્ષક કળાઓ-દરેક રસ્તે લંડનમાં મિત્રોનું જુથ જમાવવા માંડયું. મહારાણીને માનીત મહેમાન હોઈ અનેકાએ તેની સાથે મિત્રતા કેળવવામાં ગૌરવ જોયું. પ્રસિદ્ધ સેનાપતિ વેલિંગ્ટન ને મહારાણીના પતિ પ્રીન્સ આબર્ટ પણ તેની સાથે સ્નેહનાં બંધને સંકળાયા. જંગના ભાઇઓએ પાર્લામેન્ટના મુલાકાત લઈ ત્યાં પણ પિતાની છાપ પાડી. સ્ટીમર પર જ્યારે તેમને જંગી મહેફીલ અપાયું ત્યારે થેકરીએ આ નેપાળી મહેમાનોના માનમાં પિતાની જગવિખ્યાત સન્માનકવિતા રચેલી. છેલ્લે દિવસે જંગે રાણીની મુલાકાત લીધી. તે પ્રસંગે મહારાણીએ તેને સ્વતંત્ર રાજ્યના અધિપતિ સરખી વિદાય આપી, ઉમરા, ઉમરાવજાદીઓને મંત્રીઓથી ચિકાર દિવાનખંડમાં મહારાણીએ જંગના શૌર્યની, તેની પ્રતિભાની, તેની મમતાની પ્રશંસા કરી. અંગે આ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ રાણા જંગમહાદુંર - ૧૭૩ નેપાળને માટે ઇંગ્લાંડનું હૈયું જીત્યું પણ હિંદના કમનસીબે તે પોતાનું હૈયું પણ ઈંગ્લાંડને આપતા આવ્યા. મહારાણીએ તેના મન પર ઇંગ્લાંડ એટલે સ્વર્ગખંડ અને તેની પ્રજા એટલે દેવ એવી છાપ પાડી દીધી. એ છાપ ઇંગ્લાંડને સત્તાવનના ખળવા પ્રસંગે કામ લાગી. ઇંગ્લાંડ છોડી જંગ ફ્રાન્સ આણ્યેા. ત્યાં પણ તેને બાદશાહી સન્માન મળ્યું. ફ્રાન્સના પ્રમુખે તેનું ભાવભર્યું સ્વાગત કર્યું; અને જંગની સાથે ફરી પેરીસ અને ફ્રાન્સનાં જોવાલાયક સંગ્રહસ્થાના, કલાભવના, મહેલા કે બાગબગીચા બતાવ્યા. મહાન નેપોલિયનની દરગાહની જંગના મન પર ઘણી ઊંડી છાપ પડી. નેપોલિયનના ભાઇની પણ તેણે મુલાકાત લીધી. જ્યારે તેને ફ્રાન્સના એક લાખ સૈનિકાની વિરલ કવાયત ખતાવવામાં આવી ત્યારે તેણે ઊંડા સંતેષ ને ફ્રાન્સને માટે મધુર પ્રેમ અનુભવ્યેા. ફ્રાન્સની વિદાય પછી જગ મીસર અને એડન થષ્ટ મુંબઈ બંદરે ઊતર્યાં. અહીં પણ તેનું શાહી સન્માન થયું. અહીંથી તે દ્વારકાની મુલાકાતે ગયા ને ત્યાં પ્રભુચરણે રૂ. ૫૦૦૦ની ભેટ ધરી. તે પછી રામેશ્વરનાં દર્શન કરી ત્યાં પણ ૫૦૦૦ની ભેટ મૂકી તે કાલંખા થઈ કલકત્તા પહોંચ્યા. કલકત્તાથી બનારસ પહેાંચી ત્યાં તેણે કાર્શીવિશ્વનાથનું ભાવભર્યું પૂજન કર્યું. અહીં વસતાં નેપાળનાં માજી મહારાણી અને તેમના કુંવરા વચ્ચે ચાલતી તકરારના તેણે નીવડે આણ્યા અને પછી તરતજ તે નેપાળને પન્થે પડયા. એક વર્ષની ગેરહાજરી પછી તે ખટમંડુના પોતાના નામાંકિત મહેલ ચાપથલીમાં આવી પહાંચ્યા. જંગ આ રીતે પરદેશથી વિરલ પ્રીતિ વરીને આવ્યે છતાં કાવત્રાંબાજો હજી પ્યા નહેાતા. પરદેશમાં તેની સાથે રહેનાર એક સાથીએ ગુપ્ત અફવા ઉડાડી કે જંગે ખ્રિસ્તિસ્મા સાથે ભાજન લઈ હિંદુત્વને કલંક લગાડયું છે. જંગ જેવા નરવીરને હિંદુ સમાજની અાર કરવા સંભવિત નહાતા; એટલે તેના ખૂનની ચેાજના રચાણી અને તે યાજનામાં જંગના જ એ ભાઈ ઉપરાંત નાના રાજકુમાર વગેરે સામેલ થયા. પણ એક ભાઈનું હૈયું પીગળી જવાથી ચેાજના બહાર પડી ગઈ તે કાવત્રાંબાજોને કેદ કરી બ્રિટિશ હદમાં મેાકલી દેવામાં આવ્યા. આ પછી તેપાળમાં જગ બિનહરીફ બન્યા. તે જ નેપાળના સાચા શહેનશાહ ગણાવા લાગ્યા. રાણા સુરેન્દ્રવિક્રમે તેના વર્ચસ્વથી કંટાળી નિવૃત્ત થવાના વિચાર કર્યાં પણ જંગે તેને યુક્તિથી સિહાસન પર ટકાવી રાખ્યા. પ્રજામાં તેણે જરૂરી સુધારા કર્યા. કાયદાને વ્યવસ્થિત ખનાવી દેશમાં તેણે સુખ અને શાંતિની સ્થાપના કરી. જંગબહાદુર સ્વભાવે દયાળુ છતાં નિર્દયતાના કૅસેામાં તે કડક ન્યાયાધીશ હતા. એક પ્રસંગે એક મેચીની સાથે પ્રેમમાં પડેલી કાઈક સ્ત્રીએ પેાતાનું દુષ્ચરિત્ર છુપાવી રાખવાને પેાતાના બાળપુત્રને મારી તેનું જ માંસ પતિને પીરસ્યું. પતિને શક જતાં તેણે તપાસ કરાવરાવી ને પાપ બહાર આવતાં તે ક્રેસને છેવટના ફેંસલા જંગની સમીપ આવ્યેા. જંગ આ નિર્દયતા ન સહી શકો. તેણે તે સ્ત્રીને ભૂખ્યા વાધના પીંજરામાં ધકેલી દેવાની આજ્ઞા ફરમાવી. પણ વાધ એ સ્ત્રોતે ન અડકયો. જ્યારે એને ખૂબ ઉશ્કેરવામાં આળ્યે ત્યારે તેણે એને ચૂંથી નાંખી પણ દિવસા સુધી ભૂખે માર્યા છતાં એ સ્ત્રીના માંસને તે તે ન જ સ્પર્ધા જંગને આ પરથી પ્રાણીઓના સ્વભાવ, તેમની બુદ્ધિ, તેમની મહત્તા વગેરે વિષે માન પેદા થયું. જંગબહાદુરની વિરલ સેવાથી આકર્ષાઈ નેપાળની પ્રજાએ તેનું સ્મારક ઊભું* કરવાની મહેચ્છા દર્શાવી. જંગે પહેલાં તે વાંધા ઊઠાવ્યા પણ પછી ખૂબ આગ્રહ થતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ - સુવાસ : શ્રાવણ ૧૫ એક હાથમાં તરવાર અને બીજા હાથમાં ન્યાયઝન્ય પકડેલી જંગની આરસની પ્રતિમા, તેની અનુમતિથી, કવાયતભૂમિ ઉપર ખુલ્લી મૂકવામાં આવી. આ પછી જંગે નેપાળના રાજકારણમાં પોતાની પ્રતિભા અવિચલ બનાવવાને સુરેન્દ્ર વિક્રમની કુંવરી વેરે પિતાના મોટા પુત્રનાં લગ્ન લીધાં. લગ્ન પ્રસંગે વરની ઉંમર આઠ વર્ષની ને કુંવરીની ઉંમર છ વર્ષની હતી. લગ્ન પછી તરત જ રાજકુંવરી પિતાના પતિગૃહે રહેવાન ગઈ. તે પોતાની સાથે લાખાને કરિયાવર લાવેલી. એ રીતે જંગની મિલ્કતમાં પણ અપૂર્વ વધારો થતો ગયો. એ જ મહીનામાં જંગે પોતે પણ સ્વ. વડાપ્રધાન ફતેહજંગની પુત્રી ને પિતાના વિરોધી પક્ષના સરદાર ગુરુપ્રસાદની નાની બહેન વેરે લગ્ન કર્યો. બંને લો પ્રેમ કરતાં રાજકારણ પ્રધાન હતાં. એ બંનેથી જંગનું બળ નેપાળમાં અદ્વિતીય બન્યું. આ રીતે આંતરિક એકતા થઈ જતાં જંગની નજર બહારના પ્રદેશ પર પડી. તિબેટની સાથે નેપાળને થોડોક સમય જતાં ઝગડો જાગ્યો હતો. વર્ષો પહેલાં જ્યારે નેપાળ ને તિબેટ વચ્ચે ઝગડો જાગે ત્યારે તિબેટની મદદે ચીનની શહેનશાહત આવી પહોંચવાથી નેપાળને નમતું મૂકવું પડેલું ને પિતાને થોડોક પ્રદેશ ચીનને હસ્તક સોંપો પડેલો. તે વખતે તિબેટ અને નેપાળ બંને ચીનનાં ખંડિયાં ગયેલાં. તે પછી કંઈક શાંતિ હતી. પણ થોડાક વખતથી તિબેટના સત્તાધિશો અને ત્યાં રહેતા ચીનને એલચી નેપાળી વ્યાપારીઓ અને મુસાફરોને સતાવવા માંડયા હતા. આ માટે જંગે વિધિસર વાંધો ઉઠાવ્યો પણ તેને કંઈ નિકાલ ન આવતાં તેણે યુદ્ધનો આશ્રય લીધે. ચીનમાં આ સમયે આંતરિક ઝગડે ચાલતો હોઈ ત્યાંથી તિબેટને મદદ મળવી સંભવિત નહતી. એટલે જગને આ યુદ્ધમાં પાછલું કલંક ભૂંસી નાખવાની પણ આશા બંધાઈ. તેણે તરતજ લશ્કરમાં જરૂરી વધારો કરી તેમના હાથમાં અભિનવ શસ્ત્રો મૂક્યાં. દરેક ટુકડી પર તેણે વિશ્વાસુ અને વીર સેનાપતિની નિમણૂક કરી. લશ્કરી સ્વયંસેવકની ટુકડીઓ પણ જોતજોતામાં ઊભી થવા લાગી. એને નેપાળની વિજયધ્વજ ફરકાવવી હતી. શરૂઆતમાં તે તિબેટ સામનો કર્યો પણ તેનું બળ છેવટે ઘટવા માંડયું. નેપાળના હાથમાં તિબેટના કિલા, ઘોડા, લશ્કરી સરંજામ ને સમૃદ્ધિ આવવા લાગ્યાં. એક ઠેકાણેથી ૪૫ મણ તેજતુરી (સોનાની રેતી) મળી આવી. ચીનની મદદ ન મળી શકવાથી તિબેટ છેવટે નરમ પડી સલાહની માગણી કરી. ને નેપાળે દશ હજારની વાર્ષિક ખંડણી, નુકશાનને બદલે વગેરે લઈ તિબેટની સાથે મિત્રતાના કરાર કર્યા. આ રીતે સર્વત્ર વિજયી બનેલ જંગે હવે પોતાના ભાઈની તરફેણમાં નેપાળના પ્રધાનપદેથી રાજીનામું આપ્યું. પણ નેપાળી પ્રજાને એ ન સચ્યું. તેણે જંગને એ પદ સાચવવા ખૂબ આગ્રહ કર્યો. પણ જ્યારે જગે ન માન્યું ત્યારે તેમણે જંગને સુરેન્દ્રવિક્રમની અનુમતિથી, કચ્છી અને લાંજંગ નામે બે પ્રાન્તને સ્વતંત્ર રાજા બનાવ્યો; તેને મહારાજાને ઈલ્કાબ બો; નેપાળના સર્વસત્તાધિકારીના તેને અધિકાર આપ્યા; નેપાળપતિને પણ કબજામાં રાખવાની તેને સત્તા આપી ને નેપાળના વડાપ્રધાનનું પદ તેના વંશમાં કાયમ બનાવ્યું. એકાદ વર્ષ સુધી પ્રધાનપદ ભોગવી જંગને ભાઈ અવસાન પામ્યો. તે પછી જંગે ફરી એ પદ સંભાળી લીધું. પણ હવે તો તે નેપાળને ખરેખર ચક્રવર્તી સમ્રાટ બની ગયો. આ અરસામાં હિંદમાં સત્તાવનને બળવો ફાટી નીકળ્યા. ઇંગ્લાંડ જઈ આવ્યા પછી જંગે પિતાનું હૈયું તે બ્રિટનને ચરણે ધરી દીધું હતું. બળવાના સમાચાર મળતાં જ તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ રાણું જંગબહાદુર ૧૭૫ પિતાની શક્તિ અને સત્તા, સત્ય અને સમૃદ્ધિ અંગ્રેજોની સેવામાં ધર્યા; છ હજારના ગુરખા સૈન્ય સાથે તે હિંદી જુવાળને કચરી નાંખવા દોડી આવ્યો. પણ વાઇસરૉયે તેની સેવાને અસ્વીકાર કરતાં તેને વીલા મુખે પાછા ફરવું પડયું. એ સમયે કેટલાક સ્વદેશભક્તોએ તેને કચરી નાંખવાની યોજના ઘડી પણ યુક્તિબાજ જંગ સહેજે બચી ગયે. ને અંગ્રેજો જ્યારે હિંદમાં ખરેખર સપડાઈ ગયા ત્યારે જંગ ફરી તેમની મદદે દોડી આવ્યો ને પિતાની અનુપમ સેવાથી પડતા બ્રિટિશ સામ્રાજ્યને તેણે બચાવી લીધું. તેની એ સેવા અનેકવિધ હતી. કેટલેક ઠેકાણે તેના સૈન્ય બળવાખોરોને પાછા હટાવ્યા તે કેટલેક સ્થળે અંગ્રેજ મિત્રોને છૂટકારો કર્યો; કેટલેક ઠેકાણે તેમણે કતલ ચલાવી તે કાઈક સ્થળે લૂટફાટ પણ કરી. ઝનૂની બળવાખોરોની સામે તે જંગ અંગ્રેજોને દેવદૂત સામે થઈ પડયો. કેમકે તેનું સૈન્ય હિંદી યુદ્ધકળાથી પરિચિત હતું ને બળવાખોરો અંગ્રેજો સામે લડે એવા ઝનુનથી તેની સામે લડી શકતા પણ નહિ. કેટલાક હિંદી રાજાઓને પણ અંગ્રેજેના પલ્લે બેસાડવામાં તેણે મહત્વને ભાગ ભજવે. ઔધના નવાબે તેને બળવાખોરોને પક્ષે ભળવાની કરેલ વિનતિના જવાબમાં તેણે તે નવાબને અંગ્રેજોના ચરણે જઈ ઢળવાની દીધેલી સલાહ કણાજનક છે. અંગ્રેજોએ તેને એ મદદનો તાત્કાલિક બદલે ૫ણું આપો. લખનૌની કાયદેસર જંગી લૂંટમાં જંગને અને તેના સૈન્યને ભાગ પડાવવાની છૂટ આપવામાં આવી. કરોડોનું જવાહિર, કિમતી કાપડ, અગણિત નાણું, સોનાચાંદીનાં વાસણો, અમૂલ્ય કલાસામગ્રી અંગ્રેજ-ગુરખા લૂટારાઓને હાથમાં જઈ પડી. બિચારા લડાયક ગુરખાઓને તો અમૂલ્ય વસ્તુઓનું જ્ઞાન પણ નહોતું. મોતીની માળામાંથી સોનાના તાર ખેંચી લેવાને તેમણે લાખની કિંમતનાં મોતી રસ્તે વેરી નાંખ્યાં; અમૂલ્ય રત્નકંબલેને ભોંય પર પાથરી તેઓ તેના પર આળોટવા લાગ્યા. - હિંદી બળવાની આ રીતે ઘોર ખોદી વિજયી જંગ નેપાળ પાછો ફર્યો. અંગ્રેજોએ તેને પિતાના લાડીલા સહાયક તરીકે અભિનંદનના સંદેશા મોકલ્યા. હિંદી વાઈસરોય લેડ કેનિંગે જંગનાં ગુણગાન કરતો પત્ર લખી, તેની અનુપમ સેવાના બદલામાં, નેપાળને જે ડોક પ્રદેશ બ્રિટિશ હિંદમાં ભેળવી દેવામાં આવ્યો હતો તે તેને પાછો સેં. બ્રિટનના સત્તાધીશોને લાગ્યું કે કચરાયલ નેપાળ કરતાં સ્વતંત્ર નેપાળ તેમને વધારે લાભદાયી છે. પરિણામે નેપાળને તેમણે સન્માન્ય મિત્ર રાજ્ય તરીકે કબૂલ્યું. બ્રિટનનાં મહારાણીએ જંગ પર ભારેમાં ભારે ઈકાની નવાજેશ કરી. મહારાણીને પતિ પ્રીન્સ આલ્બર્ટે અભિનંદન પત્ર લખી તેની પ્રશંસા કરી. બળવાની નિષ્ફળતા પછી બળવાખોરોમાંના કેટલાક નેપાળની સરહદમાં ભરાયા. બ્રિટનના મિત્ર તરીકે તો જંગ એ બધાને અંગ્રેજોને સોંપી દેત પણ હિંદુઓને પવિત્ર અતિથિધર્મ તેનાથી છેડાય એમ નહતું. ઔધના નવાબ અને તેની માતા જેવી કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓને તેણે વર્ષાસન બાંધી આપ્યું, કેટલાકને નિવાસની ગોઠવણ કરી આપી, તોફાને ચડ્યા એને પૂરા કર્યા, ને જે લેકે ફોજદારી રીતે ગુન્હેગાર કરતા હતા, તેમને તેણે અંગ્રેજોને સોંપી દીધા. બળવાખોરોના હાથમાં કેટલાક અંગ્રેજ કેદીઓ હતા તેમને તેણે મુક્તિ અપાવી. જુના ભારતીય રાજવીઓની જેમ જંગ ઘણી વખત ગુપ્તવેશે નગરની નવાજૂની જાણવા નીકળતું. એ પ્રસંગે કઈ ગુપ્ત વરે, સાચા સેવકે કે દેશભક્તોનાં ભાગ્ય ખૂલી જતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સુવાસ : શ્રાવણ ૧૯ જ્યારે દ્રોહીઓ અને દંભીઓના પટ ચીરાઈ જતા. કેટલીક વખત તે જુગારખાનામાં જઈ ચડતો અને પિતે પણ ગુપ્તરીતે રમવા બેસી જતો. એવાં સ્થળે તેને ઘણું જાણવાનું મળતું. તે છત પણ સહેલાઈથી મેળવી લેતા. એક દિવસે તેણે એક જ રમતમાં રૂપિયા ૨૫૦૦ મેળવેલા. હિંસક પ્રાણીઓના શિકારને તેને વિશેષ શોખ હતો. તે માટે અનેક વખતે તે જીવલેણ સાહસમાં પણ ઝંપલાવતા. ઘણું વેળા તે ભાઈને પ્રધાનપદ સોંપી દિવસોના દિવસે જંગલમાં ગાળતા. એ સમયનાં એનાં સાહસો એવાં રોમાંચક છતાં એટલી સંખ્યામાં છે કે તે બધાંની નોંધ ઘણી લાંબી થઈ પડે. સાહસી હેવા સાથે જ તે સાહિત્ય અને કલાને પણ એટલો જ પૂજક હતો. સાહિત્યકારો અને કલાકારોને તે અવનવાં ઉત્તેજન આપતો. તેણે તે પ્રદેશનાં પંખીઓ અને પશુઓની જુદી જુદી જાતનાં તેમજ કુદરતી લીલાનાં લેવરાવેલ ચિત્ર હજી પણ સચવાઈ રહ્યાં છે. ગ્રન્થભંડારે પણ તેને અતિ પ્રિય હતા. રાજ્યના મુખ્ય ગ્રન્થભંડારમાંથી ગોરા વિદ્વાનોએ અમુક અલભ્ય અને પચાવી પાડવાના સમાચાર મળતાં જ તે ઉશ્કેરાઈ ગયેલું. તેણે કોઈ પણ ઉપાયે એ ગ્રન્થ કે તેની નજો મેળવવાનો આગ્રહ કર્યો. અને ગુમ થયેલમાંથી ઘણાખરાની નકલો તેણે એ રીતે પાછી મેળવાવી પણ લીધી. તેમાં કેટલાક તાંત્રિક ગ્રન્થો, મુદ્રારાક્ષસ, સિદ્ધાન્ત દીપિકા, ગુહ્ય સમાજ, મેઘસૂત્ર, વાજસૂચિ, વરાહમિહિરેકૃત જ્યોતિષ વગેરે મુખ્ય હતા. તેનો સ્વભાવ પણ એટલા જ ઉદાર હતો. તેણે બ્રાહ્મણને દાનમાં હજારો ગાયો આપી, સુવર્ણનો રથ આપો, રત્નધેનુ આપી. નાનાં છોકરાંઓને સાહસિક હરિફાઈઓમાં ઝેરી તે તેમને સુંદર અનામે આપતો. એક પ્રસંગે એક ગરીબ કાબુલીનું કાપડ ખપતું નહેતું ને તે બિચારાને દેશ પાછા જવું હતું, તે વખતે અંગે પોતાને બિનજરૂરી છતાં તેનું બધું જ કાપડ ખરીદી લીધેલું. નેપાળનાં કેટલાંક દેવાલયો સૈકાઓથી જીર્ણ થઈ રહ્યાં હતાં તે તેણે ચીનથી કુશળ ઇજનેરે બોલાવી લાખના ખર્ચ સમરાવી દીધાં. એક પ્રસંગે તે હરિહર છત્રના મેળામાં ગયેલ. ત્યાં વેપારીઓને પટાવવા તેણે એક જ રાતમાં રૂા. ૩૫૦૦૦ ની ચીજોની ખરીદી કરી. તેની ન્યાયપ્રિયતા પણ એટલી જ ઉજજવળ હતી. એક શહેરીએ તેના પિતાને ચોવીશ વર્ષ પૂર્વે, તેની ગરીબ સ્થિતિમાં, ગુપ્ત રીતે, રૂ. ૨૩૦૦ આપ્યા હોવાની વાત કરી ને અંગે તરત જ તેને વ્યાજ સાથે તે નાણાં ચૂકવી આપ્યાં. એક ગામના જમીનદારે ન્યાયાધીશને ફોડી એક કેસનો ચુકાદ પિતાની તરફેણમાં મેળવેલ. જંગ તરત જ ત્યાં જઈ પહોંચ્યો ને ઊંડી તપાસ કરી જમીનદાર દોષિત જણાતાં તેને દંડ કર્યો, નિર્દોષને બદલે આપો, ન્યાયાધીશને નાળિયેર પરખાવ્યું. મહારાણ સુરેન્દ્રવિક્રમે એક નિર્દોષ અમલદારનું અપમાન કરતાં તેણે મહારાણની પણ ધૂળ કાઢી નાંખી. સત્તાવન વીર સેનાપતિ નાનાસાહેબનાં નેપાળમાં વસતાં મહારાણીને એક ઝવેરીએ તેમની બે હીરાની બંગડીઓના વેચાણમાં છેતરેલાં, જંગને એ સમાચાર મળતાં જ તેણે ઝવેરીનો દંડ કરી મહારાણીને યોગ્ય બદલે અપાવ્યું. એક સ્થળે એક સ્ત્રીને રડતી જોઈ તે તેના ઊંડાણમાં ઊતર્યો અને તેમાં સ્ત્રીના ધણીને દેષ જણાતાં તેણે તે ધણીને ધમકાવ્યો એટલું જ નહિ પણ કાયદો કર્યો કે કઈ પુરુષ પોતાની પત્નીને વિશેષ પડતી હેરાન કરે તે તેને એવી કડક સજા કરવામાં આવશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ રાણ જંગબહાદુર - ૧૭૭ કે જેમાંથી તેની સ્ત્રી તેને માફી બક્ષે તે જ થેડીક છૂટછાટ મળી શકે. કેટલાક સૈનિકે એ કંઈક ચોરી કરતાં તેણે તેમને લાંબી સખત કેદમાં ધકેલી દીધા. કરછ કે બિહારમાંથી આવેલા થોડાક લોકોને નેપાળમાં કંઈ સ્થાન નહોતું. તેઓ કેચેમોચે કહેવાતા ને અંત્યજ લેખાતા. જંગે તેમને દરબારમાં હેરી પોતે જ તેમના હાથે પાણી પીધું ને નેપાળમાંથી એ જ પળે અસ્પૃશ્યતા દૂર થઈ એક સ્ત્રીએ ઘરમાં ધસી આવેલા એક વાઘ સામે ટક્કર ઝીલેલી તેને તેણે સુંદર ઈનામ આપ્યું. એક બુદ્ધ મંદિરની કેટલીક જાગીરો રાધે જપ્ત કરેલી પણ તેના દાનનું તામ્રપત્ર મળી આવતાં તેણે તે તરત જ પાછી સંપાવી. તેરાઈમાં થતી કેટલીક ચેરીઓની પાછળ ત્યાંના સૂબેદારને હાથ જણાતાં તેણે તેને સખત કેદમાં હડસેલી મૂક્યો. બાંકીના નાયબ સૂબાએ પોતાના પ્રદેશમાં સુંદર વ્યવસ્થા જાળવતાં તેને તેણે તરત જ ઊંચે દરજજે ચડાવ્યો. આમ દેષિતને શિક્ષા ને ગુણવાનને યોગ્ય ઇનામ દ્વારા તેણે અંધાધૂંધી ભર્યા નેપાળને થોડા જ સમયમાં સુંદર વ્યવસ્થાના શિખરે ચડાવી દીધું નેપાળનો સર્વસત્તાધીશ છતાં સિપાઈથી માંડી મહારાણા સુધીની બધી જવાબદારીઓ તેને શિરે લટકતી. બધાં જ કાર્યો પર તેને દેખરેખ રાખવી પડતી, બધી જ બાબતમાં તેની સલાહ મંગાતી. તે પરોઢમાં ઊઠી પ્રભુપૂજન કરતો; પછી નાસ્તો કરી ન્યાયાસન સંભાળત. ભેજન પછી બીજાં રાજકીય કામ પર તેને દેખરેખ રાખવી પડતી. બ્રિટનનો દસ્ત છતાં તે સ્વદેશપ્રેમી ને ધર્મનિષ્ઠ હતો. તેને આયુર્વેદ પર પૂર્ણ શ્રદ્ધા હતી. તે માટે તેણે હિમાલય અને પશ્ચિમ હિંદમાંથી અનેક જાતના છોડ મંગાવેલા. તેણે કેટલાક ભારરૂપ થઈ પડેલા રિવાજે જે કે બંધ કર્યા છતાં તે રીતરિવાજને ચુસ્ત ઉપાસક હતો. તેની કિંમત તે સમજી શક્ત. ચીનના શહેનશાહે જ્યારે તેની પ્રશંસા કરી યોગ્ય કાબ આપ્યો ત્યારે બ્રિટનના ગમે તેવા મોટા ઈલકાબ કરતાં તેણે તેની કિંમત વધારે આંકી. થોડાક સમય પૂર્વે પિતાના નાના પુત્રનું લગ્ન તેણે નાની રાજકુંવરી વેરે કરેલું. આ અરસામાં તેણે પોતાની પુત્રીનું લગ્ન નેપાળના પાટવીકુંવર શૈલેયવિક્રમ વેરે કર્યું. આમ નેપાળના રાજવંશ સાથે તેને સંબંધ અતૂટ બન્યો. હવે તે ઉત્તરાવસ્થામાં પ્રવેશતો હતો. તેણે માતાને બે પત્નીઓને, એક પુત્રને, બે ભાઈઓને સ્મશાને વળાવ્યા હતા. તેની સ્વાભાવિક શક્તિ એટલી જ પ્રભાવશીલ છતાં અંતરમાંથી તે ત્યાગી બની રહ્યો હતો. એક વખતે તો તેને સાધુ બની જતે માંડ અટકાવાયેલ. ૧૮૭૫ માં તેણે બીજી વખત યુરોપ જવાની વ્યવસ્થા કરી. થોડા જ સમયમાં યોગ્ય રસાલા સાથે તે નેપાળથી નીકળી ચૂકે. અલહાબાદમાં તેને એ રસાલા સાથે ત્રિવેણી સ્નાન કરવાની ઈચ્છા થઈ પણ લેફ. ગવર્નરે સશસ્ત્ર સૈનિકે સાથે નદી પર જવાની અનુમતિ ન • આપતાં તે ખીજાયો. વાઈસરોયને એ સમાચાર મળતાં જ તેણે દિલગીરી દર્શાવી બધી અનુકુળતા કરી આપી. પણ જંગે એ વખતે સ્નાન ન જ કર્યું - ત્યાંથી તે ગોદાવરી-નર્મદાના પ્રદેશમાં થઈ, ત્યાં પવિત્ર જળમાં સ્નાન કરી, મુંબઈ પહેર્યો. પણ મુંબઈમાં ઘેડાના અકસ્માતથી શારીરિક ઇજા થતાં તેને તરત જ નેપાળ પાછા ફરવું પડયું. આ અરસામાં બ્રિટનના પાટવીકુંવર હિંદની મુલાકાતે આવ્યા. જંગે પણ પોતાના ભાઈને સામે એકલી તેમને નેપાળમાં શિકારે આવવાનું આમંત્રણ આપ્યું. કુંવરે એ આમં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સુવાસ : શ્રાવણ ૧૯૯૫ ત્રણને સહર્ષ સ્વીકાર કર્યો. જંગે તેમની સાથે ત્રણેક અઠવાડિયાં સુધી તેરાઇના જંગલમાં ઘૂમી હિંસક પ્રાણીઓના શિકારની તેમને કળા શીખવી. કુંવર અતીવ આનંદ પામી શુભેચ્છા સાથે પાછા ફર્યા. જંગનું સ્વાસ્થ હવે ધીમેધીમે લથડતું જતું હતું. એ જ અરસામાં એનો બીજો પુત્ર અવસાન પામ્યું. તેને અપાર વેદના થઈ. તે શાંતિ માટે જંગલમાં શિકારે ચાલ્યો. પણ તબિયત વધારે લથડી. તેને તરત જ પાછો ફેરવવામાં આવ્યું. પણ રસ્તે તેની આંખનું નૂર ઓલવાઈ ગયું. ને પછીના બેત્રણ દિવસમાં જ બાગમતી નદીને કિનારે, પથરઘાટમાં, ૧૮૭૭ના ફેબ્રુઆરીની પચીશમીએ તે અવસાન પામે. તેની પાંચ પત્નીઓમાંથી મેટી ત્રણ તેની પાછળ સતી થઈ, નાની બેને કુમળાં સંતાન હોઈ તેમને તેમ કરતાં વિનંતિપૂર્વક અટકાવવામાં આવી. આમ જંગ ગયો, પણ નેપાળમાં એની જીવનપ્રભા હજી જીવતી જાગતી છે. નેપાળની ગાદી પર, ત્યાંના પ્રધાનપદે તેના જ વંશજો શોભે છે. મુસાફરે ત્યાંથી કંઈક ને કંઈક તેની જ સ્મૃતિ લઈ પાછાં ફરે છે. મજલિસમાં– નિતમ “અહો ! શા દિવ્ય સંગીતે આભ-પ્યાલી છલી રહે, કિન્નર કંઠ આ કેને નીરવે માધુરી ઝરે ? સ્વર હિલોળ ચગે, નભ નીલમાં મધુરિમા લસી મેઘકમાનની; સુભગ સાંજની માદક લાલિમાં ધ્રપી સૂર-માધુરી ગાનની !” સુરીલાં ગાનતાને કે દેહવલરી નાચતી, અંગની ભંગિમા દેખી નેનપલલવી રાચતી ! લાવણ્ય અંગે લસતાં અનંગનાં, લાલિત્ય એ લાસ્ય તણાં અનૂપ; સંગીત ને નૃત્ય-લીના સ્વરૂપ ભૂલે દિશા, જેમ દીવે પતંગિયા !” ગામને ગોંદરે સાંજે જામી છે મજલિસ, ત્યાં ગભરાજ ને ઊટે સંગીત નૃત્ય આદર્યાઃ “હેત ! હા! ખૂબ ! દુબારા!” પ્રસંશાની પરંપરા ચાલી અ ન્ય માટે ત્યાંઃ “અહે રૂપમ અહ ધ્વનિ ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ જગતને જેણે સંસ્કાર આપ્યા-સમૃદ્ધિ આપી, પયગંબરે આયા-તત્વજ્ઞાન આપ્યું, કલા આપી-સંસ્કૃતિ આપી છતાં આજે હિંદમાં જે ગુલામ છે, ન્યુઝીલેન્ડ કે - લિયામાં જે ભૂંસાઈ ગઈ છે, અમેરિકામાં આજ સુધી જેને બાળી દેવામાં આવી છે, ચીનમાં જેના પર બોંબ અને અગ્નિ વર્ષ છે, આફ્રિકામાં જેના પર ગુજરેલા અમાનષિક અત્યાચાર માટે શબ્દ નથી એ-જગતની રંગીન પ્રજાઓ નરસિંહ - દક્ષિણ-આફ્રિકામાં મહાત્માજીને ઝાડની ડાળી પર ફાંસીએ લટકાવી દેવાની યોજના અને ના. શાસ્ત્રીજી અને શ્રીમતી સરોજિની દેવી સામે થયેલ ગેરા હુમલાઓએ હિંદી પ્રજાનું એ પ્રદેશ પ્રત્યે ઠીક ઠીક ધ્યાન આપ્યું છે. આજે ફરી એ પ્રશ્ન હિંદના પ્રજાકીય સ્વમાનને મૂંઝવી રહ્યો છે. ત્યાં વસતા હિંદીઓએ વર્ષોથી અઘટિત અપમાને સહ્યાં છે, અસહ્ય ગુલામી વેઠી છે, મજૂરી કરી કરીને ગોરાઓને પૈસે કમાવી આપે છે–આજે એ ગોરાઓ કંઇક વર્ષોથી ઘડેલી પોતાની યોજના પ્રમાણે હિંદી વસાહતીઓને પાછા હડસેલવા માગે છે, અથવા એમના ન જેવા હક્કો મૂંટવી લઈ એમને અંત્યજવાડામાં ધકેલી દેવા માગે છે. આ પ્રસંગે દક્ષિણ–આફ્રિકામાં હિંદીઓના સ્થાન વિષે વિચાર ખાસ જરૂરી છે; પણ તે કેવળ હિંદી દષ્ટિએ નહિ પણ સમસ્ત રંગીન પ્રજાની દૃષ્ટિએ. કેમકે દક્ષિણ-આફ્રિકાની આ દ્વેષનીતિ–જો કે એના પરિણામે શોષવાનું તે મોટે ભાગે હિંદીઓને છે છતાં—કેવળ હિંદીઓ સામે નહિ, પણ મોટા ભાગની એશિયાવાસી રંગીન પ્રજા સામે આદરવામાં આવી છે; અને તે પણ ગોરી પ્રજાની આખી રંગીન પ્રજા પ્રત્યેની વલણનું એક પ્રકરણ જ છે. ગારી પ્રજાના ભીષણ અત્યાચારે અને રંગીન પ્રજાની કરુણતમ સ્થિતિને ઉખેળતાં પહેલાં એ જઈ જવું જરૂરી છે કે ગોરી કરતાં અનેકગણું મોટી રંગીન પ્રજા ગોરા પાશમાં શા માટે ચૂંથાઈ રહી છે?–અત્યારે તો એમ થવાનાં ત્રણ કારણ જણાય છેઃ એક ગરી પ્રજાનું દાનવી શસ્ત્રબળ; બીજું હાથચડેલી રંગીન પ્રજામાં કેળવવામાં આવેલ કુસંપ, નિર્બળતા અને સંસ્કારભ્રષ્ટતા; અને ત્રીજું ગોરી પ્રજાની રાક્ષસી અને કુટિલ વૃત્તિઓને સમજવાની રંગીનની અશક્તિ. ગેરી પ્રજા જ્યારે રંગીનને પડખે લે છે ત્યારે રંગીને કુલાઈ જાય છે, સમજતા નથી કે આ કઈક નવી સોગઠાબાજી છે. એક ગોરા અમલદારે દક્ષિણ આફ્રિકાની ધારાસભામાં ગોરી પ્રજાનું માનસ વ્યક્ત કરતાં ખરું જ કહ્યું છે કે “દશ હજાર દેશીઓ કરતાં એક ગોરાની કિંમત વધારે છે.” જર્મની બ્રિટનનું દુશ્મન છતાં હારીને પણ વીસ વર્ષમાં પાછું ટટાર બન્યું છે, કેમકે તે ગોરું છે. પણ યુદ્ધમાં બ્રિટનને પડખે રહી એના પગ ચાટતા ચાટતાં સમરભૂમિ પર આળોટનારાઓની પ્રજા પાસે આજે રોટલો નથી, કેમકે એ રંગીને છે. દક્ષિણ–આફ્રિકામાં બોર યુદ્ધમાં મદદ કરી, હિંદીઓએ અંગ્રેજોને ડચ સામે વિજય અપાવ્યો; આજે હિંદીઓને હાંકી કાઢવામાં એ જ અંગ્રેજો ને ડો એક બન્યા છે; કેમકે બંનેની ચામડી ગોરી છે. પણ રંગીને એક નથી બની શકતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સુવાસ : શ્રાવણ ૧૯૯૫ - દક્ષિણ-આફ્રિકાની ગોરી સરકારે એશિયાવાસિઓ સામેની પિતાની નીતિમાંથી જાપાન અને સિરિયાને જુદાં તારવ્યાં છે, કેમકે એક બળવાન છે, બીજું પાકેલું ગયું છે. પરિણામે એ બંનેને રંગીન પ્રજા પ્રત્યેની પિતાની વિશેષ જવાબદારી કરી નથી જણાતી. જે ચીનને હિંદ યુગોથી પોતાનું મિત્ર ગણતું આવ્યું છે એ ચીન ગોરાઓને ચરણે પડે છે કે “અમને એશિયાવાસી ન ગણો.” હિંદીઓ ત્યાંની કચરાઈ ગયેલી મૂળ પ્રજા સાથે એક બનવાને બદલે પિતાની લાગવગને ઉપયોગ કરી ગોરાઓ સાથે સમાધાન વાંચો છે. કેઈને વિચારવાનો અવકાશ નથી કે ગોરી પ્રજાને મન રંગીની પવિત્ર ભૂમિ એટલે શિકારનું મેદાન, જંગલો કે સંસ્થાને વસાવવાનું સ્થળ, વેપારી ચૌટું કે લૂંટ ચલાવવાની કે અત્યાચાર ગુજારવાની બજારે છે. એની સાથેનું સમાધાન એ મિત્રતાના કરાર નથી પણ ભીખને ટુકડે છે. એવા ટુકડાઓથી પ્રજાનાં સત્ત્વ, સાહસ ને તનમના ચૂસાઈ જાય છે; એ સ્વાર્થ જુએ છે, સ્વમાન નથી જોઈ શકતી. પરિણામે સમાન પ્રજાઓ પર ગુજરેલા કે ગુજરતા ગમે તેવા અત્યાચારોથી એને કમકમાટી નથી ઉપજતી. કેાઈ કમભાગી પળે ગોરા સાહસિકોના મનમાં નવનવા દેશ શોધી કાઢવાને તલસાટ જો અને તે જ દિવસથી પોતપોતાના પ્રદેશોમાં સુખે વસતી રંગીન પ્રજાઓના ગળે ગોરાઓના સ્વાર્થની છૂરી આવી લટકી. આ માટે સાહસિકને દોષ ન દેવાય. મહાન પુરુ ની મહેનત કે મહત્તાને ઉપયોગ હંમેશાં દુષ્ટોને હાથે હળાહળ સ્વાર્થમાં જ થાય છે. પણ ઉછળતા સાહસિકે ને એ ખૂબ મોડું સમજાય છે. આફ્રિકાના અનેક પ્રદેશને સંશોધક હર્બટ ડે ત્યાંની પ્રજા પર ગુજરતા અત્યાચારો સાંભળી દુઃખથી ઘેલો બની ગયેલ, પિતાના એ શ્રમ પર તેણે આંસુ સાર્યા. આફ્રિકાની પ્રજા પર ગુજરતા અત્યાચારના કરુણ સ્મારકરૂપે તેણે દાનની આંખમાંથી પણ આંસુ સારે એવી એક પ્રતિમા ઊભી કરી છે. કન્ય કેગના સંશોધક અને એ પ્રદેશની પ્રજા સાથે મીઠાશ કેળવી કાન્સને તે પ્રદેશ અપાવનાર ડો. બાઝાએ જ્યારે એ દેશની નિર્દોષ પ્રજાનાં લેહી વહેતાં જયાં ત્યારે તેનું હૈયું ફાટી ગયેલું. અમેરિકા શોધાયું, ઓસ્ટ્રેલિયા શોધાયું, બીજા અનેક ટાપુઓ શોધાયા. આજે ત્યાં ગારી પ્રજા મહાલી રહી છે. પણ ત્યાંની મૂળ પ્રજાઓ ક્યાં છે? – તેમની સ્થિતિ શું છે? ગોરાઓ પાસેથી જગતને તે એટલું જ જાણવા મળ્યું છે કે તે તે પ્રદેશોમાં છુટીછવાઈ માણસખાઉ પ્રજાઓ વસતી હતી અને તે ધીમેધીમે લુપ્ત થઈ ગઈ છે. એમ તે જગતની પ્રાચીનમાં પ્રાચીન મહાન હિંદી પ્રજા વિષે પણ પરદેશોમાં કહેવાય છે કે અહીંના લોકો કાચું માંસ ખાય છે અને જ્યારે હિંદ અંગ્રેજોને હસ્તક ૫ડયું ત્યારે તેની વસતી દશ કરોડની હતી. [ બિચારાઓને લાગ્યું હશે કે એથી ઓછો આંકડો તો ગાંડાઓની ઈસ્પીતાલ સિવાય બીજે ક્યાંય માન્ય નહિ થાય.] ચીન આજે અફીણ ગણાય છે. પણ એને અફીણી બનાવ્યું કેણે ત્રણેક મહિના પર સાંઘાઈના એક પ્રતિષ્ઠિત ચીની પત્રમાં પ્રગટ થયેલ સમાચાર જે બેટા ઠેરવવામાં ન આવે તે એમ માનવું રહે છે કે, “હિંદમાં અફીણનું ઉત્પાદન વધારી ચીનને નબળું બનાવવાને ને તેનું નાણું ખેંચી લેવાને ત્યાં યુક્તિથી છેલ્લા બે સૈકામાં અફીણને પ્રચાર વધારવામાં આવ્યો છે. ત્યાંનાં ખ્રિસ્તિ દેવળામાં વ્યભિચારના અખાડા ચાલે છે અને અનેક પ્રકારની લાલચેથી સેંકડો ચીનાઓને તેમનું સ્વત્વ હણવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ રંગીન પ્રજાઓ - ૧૮૧ ખ્રિસ્તિ બનાવી દેવામાં આવે છે. આવા માણસો ગોરી અને ખ્રિસ્તિ પ્રજાની તરફેણમાં પ્રચાર કરવામાં ચેપી રોગની ગરજ સારે છે. ચીનમાં ગોરી પ્રજાએ ઠેર ઠેર પોતાનાં થાણું જમાવ્યાં છે. તે ચીનનું રાજતંત્ર અડાણવટમાં લખાવી તેને જાપાનની સામે લડવાને નાણાં ધીરે છે. એનો મૂળ ઉદ્દેશ તો ચીન-જાપાનને અંદરોઅંદર લડાવી બંનેને ખોખરાં કરવાનો છે.' અમેરિકાની મૂળ રેડઇન્ડિયન્સ પ્રજાને તે આજ સુધી જીવતી ને જીવતી બાળી દેવામાં આવી છે એ જગજાહેર વાત છે. ગોરાઓ કહે છે કે એ પ્રજાઓ તો પશુથીયે હલકી છે. કેણે માપ કાઢ્યું? ઇતિહાસ તે એમ પૂરવાર કરી શકે એમ છે કે ઉત્તર રશિયાને માર્ગ થઈ આર્યોની કેટલીક ટુકડીઓએ અમેરિકામાં જઈ ત્યાં વસવાટ જમાવેલો. અમેરિકાનો મહાન ઈતિહાસકાર પાર્કમેન તે ત્યાંની મૂળ પ્રજાએ ખેલેલાં અદ્વિતીય યુદ્ધોની પ્રશસ્ય નોંધ લે છે. ને અમેરિકામાં મળી આવતા પુરાતત્ત્વના ભવ્ય અવશેષ શું છેલ્લા ત્રણસો-ચારસો. વર્ષથી ત્યાં જઈ વસેલી ગોરી સંસ્કૃતિએ ઊભા કરેલા છે? ઈગ્લાંડમાં જેને માટે કંઈ સ્થાન ન રહ્યું હોય એવાઓને ઑસ્ટ્રેલિયા ધકેલી ધકેલી એ સંસ્થાનની ખીલવણી કરવામાં આવી છે. પણ એ ખીલવણી શું કેવળ એવા ઊતરેલ ગોરાઓએ જ કરી છે? ગોરાઓએ જ્યારે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલાંડ પર પિતાને વાવટે ચડાવ્યો ત્યારે તે પ્રદેશની પ્રજા જેવી અને જે સંખ્યામાં હતી તેવી અને તેથી અડધી સંખ્યામાં પણ આજે છે ? આફ્રિકા પરના અત્યાચાર વિષે તે વિચાર કરવાને પણ પત્થરી હૈયું જોઈએ. ઈ. ડી. મોરેલ જે નામાંક્તિ અંગ્રેજ લેખક પણ કહે છે કે, “એ કાળા અત્યાચારનાં લેહિયાળ પાનાં ઉકેલવાની હિંમત નથી. એ હિંદના વિજય જેટલાં જ લેહીથી રંગાયેલાં છે.” આફ્રિકા વિષે એક ભ્રમણ એ ફેલાવવામાં આવે છે કે ત્યાંની પ્રજા પશુ જેવી અને બિનસંસ્કારી હતી અને ગરાઓએ ત્યાં જઈને પ્રકાશ ફેલાવ્યો છે. પણ આ બંને હળાહળ જુઠાણાં છે. ગોરાઓએ તે ત્યાં જઈને લેહીની નદીઓ જ વહાવી છે. અને ત્યાંની પ્રજા યુગોથી સંસ્કારી હોવાનાં પૂરતાં પ્રમાણ છે. - પુરાણોમાં આફ્રિકાને ઊંચ દ્વીપના નામે ઓળખવામાં આવે છે. હિંદી સંસ્કૃતિ પશ્ચિમ એશિયાને માર્ગે થઈ ઈ. સ. પૂર્વે ૧૦૦૦ લગભગમાં ત્યાં પહોંચેલી. ઝીમ્બાબ્લેનાં ભવ્ય ખંડેરમાં આજે પણ તેના અવશેષો નજરે પડે છે. ખંડના અનેક ભાગોમાંથી મળી આવતાં ખડકચિત્રોને તો ગોરા સંશોધકોએ પણ ઈ. સ. પૂર્વે ૮૦૦૦ લગભગનાં ઠેરવ્યાં છે. મીસરના રાજવંશને સ્થાપક રાજા મેનીજ (અસમંજસ) ચક્રવર્તી સગરને પુત્ર હતા. બેબિલોનના ચક્રવર્તી સમ્રાટ પણ આફ્રિકાના ઉત્તર ભાગમાં જતાં હાર ખાઈ બેઠેલા. એચ. જી.વેલ્સના મતે ઈ. સ. પર૦ માં હિંદી પ્રવાસીએ દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધેલી. પૂર્વ–આફ્રિકામાં તે હિંદીઓ સદીઓથી જઈ વસ્યા હતા અને વાસ્કો ડી ગામાએ ત્યાં તેમને જોયેલ હોવાના પણ પુરાવા છે. હિંદ-વિધીઓમાં અગ્રપદ ધરાવનાર મી. ચચલના મતે પણ હિંદીઓ આફ્રિકામાં ગોરાઓ પૂર્વે ઘણું વર્ષ પહેલાં જઈ વસ્યા હતા. આમ આફ્રિકા અંધારખંડ હતો અને ગોરાઓએ એને શોધીને અજવાળામાં મૂકો એ વાત જુદભરી નથી જણાતી. એ ખરું છે કે લૂંટફાટની નીતિ ગોરાઓએ જ ત્યાં પહેલવહેલી અજમાવી. ચૌદમી સદીના મધ્યાન્હમાં પોર્ટુગલના રાજા હેન્રી ધી નેવીગેટરની સહાયથી કેટલાક ગોરા શોધકે એ પશ્ચિમ આફ્રિકાને કાંઠે પગ મૂક્યો. તેમની નજર ત્યાંના સુષ્ટિસૌન્દર્ય પર ન કરી પણ કેટલાંક ખેલતાં-કૂદતાં કાળાં માનવો પર જઈ ચોંટી. તેમણે એ માનવોમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - સુવાસઃ શ્રાવણ ૧લ્પ કેટલાક સશક્ત પુરુષોને ગુલામે તરીકે ઉઠાવવાની છેજના ઘડી. પરિણામે બંને પક્ષ વચ્ચે યુદ્ધ થયું. પણ શસ્ત્રધારી ખ્રિસ્તિઓએ અનેક કાળાં સ્ત્રી-પુરુષોને સંહાર કરી નાંખ્યો. તે પછી વિજય માટે તેમના વહાલા પ્રભુની સ્તુતિ કરી બાર ગુલામો લઈ તેઓ પોર્ટુગલ પાછો ફયો. એ પછી કોલંબસ રખડતે રખડતે અમેરિકા જઈ ચડો. શરૂઆતમાં તે પ્રદેશ સ્પેનને હસ્તક આવ્યો. તેને ત્યાં ધાતુઓ અને કુદરતી ખજાનાની વિપુલતા જણણ. પણ ત્યાંની મૂળ સ્વમાની પ્રજા તેને માટે મજૂરી કરવા તૈયાર થાય એમ નહતી. પરિણામે તેને પરદેશી ગુલામેની જરૂર જણાયું. પિર્ટુગલ તૈયાર જ હતું. તેણે સ્પેનને ગુલામો પૂરા પાડવાનો કોન્ટ્રાકટ કર્યો. અને ઈશુખ્રિસ્તના પવિત્ર નામ પર આફ્રિકામાંથી ટોળાબંધ ગુલામ ઉઠાવીને તેમને અમેરિકાને કાંઠે ખડકવા માંડયા. ગુલામોને પકડવામાં કેટલું લેહી રેડાતું હતું, કેટલાં નિર્દોષ ચૂંથાઈ જતાં હતાં, મુસાફરીમાં કેટલા ગુલામો મરી જતા હતા તેને ખ્યાલ રાખવાની પિટુગલને જરૂરત નહતી. પણ પોર્ટુગલને આ રીતે લાડ ખાટી જતું જેઈ યુરોપના બીજા દેશોની દાઢ સળકી. ૧૫૬૨ માં ઈગ્લાંડનાં મહારાણી એલીઝાબેથની ખાનગી ભાગીદારી સાથે હોકીન નામના અંગ્રેજે પણ એ પવિત્ર કામ ઉપાડી લીધું. એ પછી તે બધા દેશો વચ્ચે તે ધંધામાં હરીફાઈ ચાલી. સ્પેને પોર્ટુગલ સાથેના કરાર રદ કરી બીજા દેશોને પણ એ સફળ ધંધામાં જોડાવા દીધા. પણ સાથે જ તેનું અમેરિકા પણ બીજાઓ ખાઈ જવા માંડ્યા. આ બધા ધંધા, હરીફાઈ ને વિજયોમાં વધુમાં વધુ ભાગ ઈંગ્લાંડને ફાળે ગયો. - ઈ. સ. ૧૬ ૬૬થી ૧૮૦૦ના ગાળા દરમિયાન યુરોપની ગોરી પ્રજાએ આ રીતે અમેરિકાને કાંઠે ૧૦૫૯૧૧૧૫ ગુલામે ઊતાર્યા. આમાં સાઠ લાખ લગભગ તે એકલા ઈંગ્લાંડે જ ઉતાર્યા. એ બધાને પકડતાં રેડવું પડેલ લેહી, તેમનાં કુટુંબના હાલહવાલ, રસ્તે દુઃખ કે ભૂખથી તેમાંનાં લાખોનાં કરુણ મૃત્યુ એ કશાનો તો હિસાબ જ નથી. એક ગાળા દરમિયાન અઢી લાખ લગભગ ગુલામ રસ્તે દુઃખથી કચરાઈને મરી ગયાની નોંધ લેવાઈ છે. આ બધા ગુલામ મોટે ભાગે પશ્ચિમ-આફ્રિકામાંથી જ ઉઠાવાયેલા. આ વેપારમાં જોડાનાર પેઢીઓની સાથે જ રાજ્યને અને વહાણવટાના વેપારીઓને પણ એટલો જ આર્થિક લાભ થયેલો. ઇ. સ. ૧૭૭૫ માં બ્રિટનના સંસ્થાનમંત્રીએ પાર્લામેન્ટમાં જવાબ આપતાં કહેલું કે, “આ ઉમદા લાભદાયી ધંધો દેશથી ન છેડી દેવાય.' ઈગ્લાડનો વહાણવટા ઉદ્યોગ પણ એ અરસામાં ફાલી ફૂલી નીકળ્યો. ગુલામોના એ વેપારમાં એકલાં લીવરપુલનાં વહાણો જ વાર્ષિક રૂ. ૧૬૭૬૪૭૦૫ ને નફે કરતાં હતાં. નફામાં લોક ભાગ કાળી પ્રજામાં ઉમદા ખ્રિસ્તિ ધર્મના પ્રચાર માટે મીશનરીઓને મેંપાને. અમેરિકામાં ઉતારવામાં આવેલા ગુલામેની દશા વર્ણવી જાય એવી નથી. તેઓ કામ કરવાને અશક્ત બનતાં તેમને મારી નાંખવામાં આવતા. તેઓ સામનો કરે તે શરીરનું લોહી નીતરવા માંડે એ હદે તેમને ચાબખા મરાતા. કામ ન કરનાર કે ઓછું કરનારને દિવસ સુધી ઝાડ સાથે ભૂખ્યા બાંધી રાખવામાં આવતા. ડચ-ગિયાના ને બ્રિટિશ વેસ્ટ ઇનીઝમાં તો તેમને જીવતા સળગાવી દેવામાં આવતા. તેમનાં ગુહ્ય અંગ છેદી નાંખવામાં આવતાં કે તેમને ખાંડના ઊકળતા તાવડામાં ફેંકી દેવાતા. તેમના દેશમાં તેમનાં કુટુંબોની સ્થિતિ તે પ્રભુને આધીન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ રંગીન પ્રજાઓ - ૧૮૩ ગારી પ્રજાએ આફ્રિકાના દેશે સર કરવામાં વાપરેલી ક્રૂરતા અને અધમતાને ઈતિહાસ પણ એટલો જ કારણ છે. ગોરાઓને મન બિનગોરી ચામડી એટલે સંહાર કરવાનું ઠેકાણું. એમના ભગવાન ઈશુ યહુદી કામમાં જન્મેલા એ ખાતર એશિયાઈ યહુદીઓને પણ તેઓ ગરા ગણે છે. ઈશુની જન્મભૂમિ એશિયામાં આવેલી છતાં એને એઓ બિનએશિયાટીક ગણે છે. ગોરી ચામડી સિવાયનું જગત એમને મન પશુજગત છે. અને એના પ્રત્યે તેઓ પિતાની કશી ફરજ નથી માનતા. આફ્રિકામાં દોઢ લાખ ચોરસ માઈલ લગભગના વિસ્તારને દક્ષિણ રોડેશિયા નામે પ્રાન્તા છે. ત્યાંની પ્રજા તંદુરસ્ત અને આનંદી ગણાતી. એ પ્રાન્તના રાજ લેખેગ્યુલાને અંગ્રેજો ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તે એક અંગ્રેજ મીશનરી સાથે મિત્રતાથી સંકળાય; પરિણામે અંગ્રેજ વેપારીઓ ત્યાં આવતા જતા થયા. એ વેપારીઓને તે પ્રદેશની ખનીજ સંપત્તિ અખૂટ અને અમૂલ જણાઈ. તેમણે અંગ્રેજી ન જાણતા એ રાજા પાસે, તેને જુદી જ રીતે સમજાવી, એક કરાર પર સહી કરાવી લીધી. જ્યારે રાજાએ જાણ્યું કે તે કરાર તો માસિક રૂ. ૧૫૦૦ના બદલામાં દેશની બધી ખનીજ સંપત્તિ પરના હક્કો ઝૂંટવી લેતા હતા ત્યારે તેણે મહારાષ્ટ્ર વિકટેરિયાને તે કપટ સંબંધી લખી જણાવ્યું. મહારાણી વિકટેરિયાએ તેવા અંગ્રેજોને બિનસત્તાવાર જણાવી તેમની સાથે જોઇને વર્તવાની રાજાને સલાહ આપી; પણ પછી તે રેડેશિયામાં અંગ્રેજ કંપનીઓ સ્થપાયું. ને તે બ્રિટનના પીઠબળ સાથે નવાનવા હક્ક મેળવતી જ ગઈ. પછી તેમણે જુદાં જુદાં બહાનાં કાઢી ત્યાંની મૂળ પ્રજા સાથે ઝગડવા માંડયું. ને છેવટે હજારો માણસો ને હેરાને સંહાર કરીને એ પ્રદેશ પડાવી લીધો. તે પછી તેમણે મૂળ પ્રજા સામે કડકમાં કડક કાનુન કરી બધી જમીન ઝૂંટવી લઈ તે પ્રજાને વાડાઓમાં ધકેલી મૂકી. તેના પાસે મરછમાં આવે એટલું વળતર આપી ફરજિયાત મજુરી કરાવવા માંડી. અંગ્રેજો પર વિશ્વાસ રાખનાર રાજા લોબેચુલાના વંશજોએ સમ્રાટ જ્યોર્જ પર પિતાની કરણ સ્થિતિ સંબંધી લખેલો કકળતે પત્ર કઠણ હૈયાને પણ આંસુ સરાવે એવો છે. વીસમી સદીની શરૂઆતમાં બ્રિટન દક્ષિણ આફ્રિકામાં બોઅર યુદ્ધમાં સંડોવાયું હતું. આ વખતે ફ્રાન્સને મોરોક્કો ગળી જવાને તલસાટ જાગ્યો. તેણે મોરોક્કોના વિલાસી સુલતાનને ડાંક નાણાં ધીરી તેના પર કાબૂ જમાવ્યું. પહેલાં તે ઈગ્લાંડ ક્રાંસની વિરૂદ્ધ પડયું પણ પછી જર્મનીની વિરૂદ્ધ ફ્રાન્સનું બળ કેળવવું જરૂરી હોઈ તેણે ફ્રાન્સને ગુપ્ત કરારથી મોરક્કો ગળી જવાની છૂટ આપી. ખોટા આરોપ ઊભા કરવામાં તે ગોરી પ્રજા નિષ્ણાત જ છે. એવા જુદા જુદા આરે ઊભા કરી કાજો મેરોક્કોના એક નગર કેસેબ્લેન્કા પર તોપોને મારો ચલાવ્યો. હજારેની કતલ થઈ. ને થોડા જ વખતમાં મેરોક્કો ફ્રાન્સને હસ્તક જઈ ૫ડયું. આ જ રીતે ઇગ્લાંડની બેવડી ત્રેવડી રમતોથી પ્રેરાઈ કાજો ટક પાસેથી ટયુનિસ પડાવી લીધું, ઈટાલીએ ટ્રીપલી પડાવી લીધું. એ બંનેને કબજે લેતાં જે સંહાર થયો એ ગયો જાય એમ નથી. ઇટાલિએ થોડા જ સમય પૂર્વે લીધેલા એબીસીનિયાના કબજાથી એને કંઈક ખ્યાલ આવી શકશે. બેજિયમના રાજા લિયોપેડના મનમાં પણ સંસ્થાનવાદની દુષ્ટ ભાવના જાગી. તેણે ગોરી પ્રજાને પિતાના સંસ્થાનમાં વેપારી લાભો કરી આપવાનું વચન આપ્યું, મધ્ય આફ્રિકાની પ્રજાને અનેક જાતના સુખની લાલચ આપી; ને આફ્રિકન પ્રજાને પ્રિય થઈ પડેલા મુસાફર સ્ટેન્લીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ - સુવાસ શ્રાવણ ૧૯૫ મદદમાં લઈ કેગે ફી સ્ટેટ નામે સંસ્થાન વસાવ્યું. પણ પછી એ સંસ્થાનમાં ગુજરેલા અત્યાચારોની સીમા નથી. એ પ્રદેશમાં રમ્બર ને હાથીદાંત બેની પુષ્કળ પેદાશ છે. પણ ગોરા વેપારીઓ પોતે તે એ કામ કરી ન શકે. તેમણે ત્યાંની મૂળ પ્રજા પર એ ફરજ નાંખી. અને એ ફરજ અદા કરાવતાં તેમણે હજારોની કતલ કરી. સેકડોને શિકારી પ્રાણીઓના મોઢામાં ધકેલી દીધા, હજારોને ફાંસીએ લટકાવ્યા, સેંકડને ભૂખથી મારી નાંખ્યા. તેમને મારી નાંખવામાં બંદુકની ગોળીઓ નકામી વપરાઈ ન જાય એ ખાતર તેઓ સેંકડોને ઝાડ સાથે બાંધી ભૂખ-તરસ કે શિકારી પ્રાણીઓના શિકાર તરીકે મરવા દેતા. પુરુષ પાસે કામ કરાવવાને તેઓ તેમનાં સ્ત્રી–બાળકને પકડીને કડક સજા કરતા, તેમનાં અંગ છેદી નાંખતા, તેમને દિવસ સુધી ભૂખે મારતા. ઝાડ સાથે બાંધી રાખતા. તેમનાં ગામો સળગાવી મૂકતા, તેમને મારી નાંખી તેમનાં માંસની ઉજાણી કરતા. આ રીતે એ દારૂણ ગાળામાં તે પ્રદેશનાં ૨૦૦૦૦ માણસે હેમાઈ ગયાં. ચાલાક રાજા લિપેડે આવા ઘોરવર્તન માટે પોતાના પર દુનિયાને રોષ ન ઊતરે એ માટે કેન્દ્ર–કેગામાં પણ આજ નીતિ અમલમાં મૂકાવી. તે દેશના સારી વિભાગમાં, એ નીતિની રૂએ, એક જ દિવસમાં ૫૮ સ્ત્રી-છોકરાંને નાની કોટડીમાં પૂરી મારી નાંખવામાં આવેલાં. સેકડો સ્ત્રીઓને તેઓ ધગધગતા સળિયાથી કંપાવતા. ફેટ સિબુટમાં તેમણે ૧૧૯ સ્ત્રીઓ અને કુમળી કન્યાઓને એકજ દિવસમાં એ રીતે મારી નાખેલી. અંગ્રેજે પણ આ વિષયમાં ઊતરતા નથી. થોડા જ દિવસ પહેલાં બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રશ્ન પૂછવામાં આવેલ કે સિયેરાલીયોન નામના બ્રિટિશ સંસ્થાનમાં કંગાળ બની ગયેલી પ્રજાને કર ભરવાને પિતાનાં સંતાન વેચવાં પડે છે અને સરકાર તરફથી કર ન ભરનારાઓ પર અંગઘર્ષણ જેવા જુદા જુદા અત્યાચાર થાય છે એ વાત સાચી છે ?”તેના ઉત્તરમાં સર થોમસ ઈચ્છીએ કબૂલ કરેલું કે ગેરવર્તાવ ચલાવવામાં આવે છે ખરો. હિંદમાં એમણે શું કર્યું એ તે જગજાણીતી વાત છે. દક્ષિણ-આફ્રિકાનો ઈતિહાસ, ગાંધીજીના પ્રતાપે, હિંદને વિશેષ જાણીતા છે. ત્યાંની મૂળ પ્રજા બાજુ. તે પછી ત્યાં ડગે જઈ વસ્યા. તેમણે બાજુઓને અનેક રીતે ફસાવી, તેમના પર અત્યાચારો કરી, કેટલાક પ્રદેશ પડાવી લીધું. પછી ત્યાં અંગ્રેજોનું ધ્યાન આકર્ષાયું. તેમણે મૂળ પ્રજાને વિશ્વાસમાં લઈ ડચને ફૂટવા માંડ્યા. ડચો ઉત્તર તરફ આગળ વધતા ગયા. આફ્રિકાની ડચ પ્રજા બેઅર નામે ઓળખાય છે. તેનું ઝનૂન પણ અજબ ગણાય છે. તેની અને અંગ્રેજોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પણ છેવટે અંગ્રેજો ફાવ્યા ને બન્ને વચ્ચે સમાધાન થયું. સમાધાન થતાં જ અંગ્રેજો મૂળ પ્રજાને અને યુદ્ધમાં મદદ કરનાર હિંદી પ્રજાને વીસરી ગયા; ૧૮૪૩ માં મહારાણી વિકટોરિયાએ બહાર પાડેલ પ્રજાસમાનતાને ઢઢેરે ભૂલી ગયા. મૂળ પ્રજાને ડએ ઘણે અંશે તે કચરી નાંખી હતી. હવે બંનેએ સાથે મળી તેને વિશેષ કચરવા માંડી. હિંદીઓ ત્યાં વણનોતર્યા ગયા પણ નહતા. બંને ગોરી પ્રજાઓ કરતાં આફ્રિકા પર તેમને વિશેષ હક્ક હતું. અને મોટાભાગના હિંદીઓને તો નાતાલમાં ૧૮૬૦માં શેરડીનું વાવેતર કરવાનું હતું ત્યારે નહોંતરવામાં આવેલા. પણ કામ સર્યું કે વૈદ્ય વૈરી. બંને ગોરી પ્રજાએ અંદરથી એક થઈ હિંદી પ્રજાને મૂળ પ્રજાની જેમ કોઈ પણ જાતના હક્ક વગર અંત્યજવાડામાં ધકેલી દેવાની અથવા હિંદ પાછી કાઢવાની યોજનાઓ રચવા માંડી. હિંદી પ્રજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ અર્થશાસ્ત્રના અભ્યાસનું એક પ્રકરણ શ્રમ-વહેંચણી ન. હ. વ્યાસ મનુષ્યના જીવનમાં શ્રમને જેટલું મહત્ત્વનું સ્થાન છે તેટલું જ બલકે તેથી પણ વિશેષ શ્રમની યોગ્ય વહેંચણીને સ્થાન છે. પ્રત્યેક માનવીને શ્રમ કરવો પડે છે, પણ તે માત્ર ગમે તે ઢગથી શ્રમ કરીને મુક્ત નથી થતું; તેને અમુક જ પ્રકારનો શ્રમ કર પડે છે; પિતાની પરિસ્થીતીને અંગે જે પ્રકારના શ્રમનું નિર્માણ થયું હોય તે પ્રકારને શ્રમ કરવો પડે છે. આ રીતે પ્રત્યેક માણસને વિવિધ પ્રકારને શ્રમ કરવો પડે છે. આર્થિક જીવનની શક્યતા માટે માનવીના જીવનમાં શ્રમ અનિવાર્ય છે. પણ જીવનની સમગ્ર જરૂરિયાતો પ્રાપ્ત કરવાને માટે તે, વિવિધ પ્રકારને-પ્રત્યેક જરૂરિયાતને અનુલક્ષીને શ્રમ કરતા નથી. તે તે માત્ર સારી જીદગી સુધી એક જ પ્રકારનો શ્રમ ઉઠાવે છે અને છતાં તે શ્રમના બદલામાં તેનું સારું આર્થિક જીવન શક્ય બને છે, તેમજ બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. આનું કારણ શ્રમની–વહેંચણી છે. ઘણું પ્રાચીન કાળમાં જ્યારે માનવી આજના જેવા નિયમબદ્ધ આર્થિક સમાજમાં નહેતો વસતો ત્યારે શ્રમની વહેંચણીની હસ્તી નહોતી, તેને ખ્યાલ પણ ન હતો. જગત પ્રગતિશીલ છે, જગતમાં વસત માનવી પણ પ્રગતિશીલ છે. વ્યક્તિજીવનમાંથી કુટુમ્બ જીવન આવ્યું, કુટુંબજીવનમાંથી સમૂહજીવન આવ્યું, સમૂહજીવન સ્થિર થતાં ગ્રામ જીવન પ્રાપ્ત થયું અને ગ્રામજીવનમાંથી પ્રાંતો, રાષ્ટ્રો અને આજે, માનવી આંતરરાષ્ટ્રિય જીવનના ધ્યેય તરફ ઝપટભેર જઈ રહ્યો છે. આ બધી પ્રગતિના મૂળમાં શ્રમની-વહેંચણી રહેલી છે. શ્રમની વહેંચણી વિના પ્રગતિ આકાશ કુસુમવત છે. શ્રમની વહેચણી જેટલી વિશેષ તેટલી પ્રગતિ વિશેષ. શ્રમની વહેંચણની વ્યાપક્તા, પ્રગતિનું માપ કાઢવાનું સાધન છે. માનવી તેની પ્રાથમિક અવસ્થામાં પિતાની બધી જરૂરિયાતો માટે–અલબત જરૂરિયાતો ઘણી મર્યાદિત હતી–જેટલા પ્રકારને શ્રમ કરે પડે તે બધે શ્રમ કરતો. જેમકે સુધાશાન્તિ માટે પિતાના ખોરાકનું સાધન તેને પિતાને જ તૈયાર કરવું પડતું; શરીરના રક્ષણ માટે કપડાંઓ પોતાને જ તૈયાર કરવાં પડતાં–જે પ્રકારનાં કપડાઓ પ્રચલિત હતાં તેપિતાનાં આયુધો–શો; પોતાને રહેવાનું ઘર વગેરે વગેરે બધી જરૂરિયાત મેળવવાને માટે તેને પોતાને જ દરેક જાતને શ્રમ કરવો પડતો. એકજ માણસ પોતે શિકારી, મચ્છીમાર, પ્રત્યે તેમણે તીવ્ર વૈર કેળવ્યું. હજી સુધી એ ક્રમ ચાલુ છે. હવે તેને જુવાળ આવ્યો છે. અને સરકારે જાપાન-સિરિયા સિવાયની આખી એશિયાઈ પ્રજા સામે એ કાયદે અમલમાં મૂકવા ઠરાવ્યું છે. આ પ્રસંગે રંગીન પ્રજાના દરેક વર્ગો પોતપોતાનો જુદે સ્વાર્થ બળે એ કરતાં આખી પ્રજા એકમેકને માટે એકત્ર અવાજ રજુ કરે છે એના પર પ્રભુના વધારે ઊંડા આશિર્વાદ ઊતરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સુવાસ : શ્રાવણ ૧૯૯૫ રસોઇ પકાવનાર, કપડાં તૈયાર કરનાર, સુતારી કામ કરનાર, મકાન બાંધનાર વગેરે અનેક પ્રકારના શ્રમ કરનાર હતે. પણ જેમ જેમ માનવી સમાજમાં રહેતે થયો અને સમાજજીવન દિન-પ્રતિદિન પ્રગતિ પામવા લાગ્યું, તેમતેમ સમાજમાં તેમ જ વ્યક્તિના જીવનમાં શ્રમની વહેંચણીને સ્થાન મળ્યું. શ્રમની વહેંચણી આવતાં અમુક માણસો ખેડૂત બન્યા, કોઈ મચ્છીમાર બન્યા, કેાઈ દરજી બન્યા, કેઈ મોચી, કઈ ઘાંચી, કોઈ સુતાર તે વળી કઈ લુહાર બન્યા, એમ અનેક પ્રકારની જરૂરિયાત પૂરી પાડવાને માટે વિવિધ પ્રકારના ધંધાઓવાર શ્રમની વહેંચણના સિદ્ધાંત ઉપર આખાયે સમાજનું આર્થિક જીવન શક્ય બન્યું. શ્રમની –હેંચણના સિદ્ધાન્ત પ્રમાણે ચાલતું સમાજજીવન વધારે સુગમ, સરળ, સંગીન અને સુખ આપનારું પણ પરિણમ્યું. હજુ આ તો શ્રમની-વહેચણીની પ્રાથમીક ભૂમિકા જ હતી; વહેંચણી માત્ર સાદા સ્વરૂપમાં જ હતી. જેવી રીતે પ્રત્યેક કુટુમ્બમાં અને ખાસ કરીને જ્યાં અવિભક્ત કુટુંબની પ્રથા છે ત્યાં કુટુમ્બના પ્રત્યેક સભ્યને ભાગે અમુક પ્રકારનું કામ આવી જાય છે અને આખુંયે કુટુમ્બજીવન સરળતાથી અને સહેલાઈથી ચાલે છે, તેવી જ રીતે સમાજમાં રહેતા પ્રત્યેક માનવીને ભાગે અમુક અમુક પ્રકારનું કામ–અમુક પ્રકારને શ્રમ-કરવાનું આવે છે અને સારા સમાજનું આર્થિક જીવન સુંદર રીતે સુગમતાથી ચાલે છે. પણ આજે તો શ્રમની-વહેંચણીનો વિકાસ અને તેની વ્યાપકતા ન કલ્પી શકાય તેટલાં આગળ વધેલાં છે. વિજ્ઞાને યંત્રો આપ્યાં અને મંત્રોથી ઔદ્યોગિક ક્રાંતિ આવી. આ યંત્રની સફળતાના મૂળમાં તેમજ ઔદ્યોગિક ક્રાતિના વિજયના મૂળમાં શ્રમની વહેંચણી છે. આ શ્રમની-હેંચણને પ્રકાર ઉપર જોઈ ગયા તે સાદી શ્રમની-હેંચણી કરતાં જુદો છે. અર્થશાસ્ત્રમાં આ શ્રમની વહેંચણીને સંયુક્ત શ્રમની વહેંચણી કહેવામાં આવે છે. સંયુક્ત શ્રમની–હેંચણીને આધાર યંત્ર અને જથ્થાબંધ ઉત્પાદન ઉપર જ છે, ઉલટાવીને કહીએ કે યંત્રની હસ્તિ તેમજ જથ્થાબંધ ઉત્પાદનની શક્યતા કેવળ શ્રમની વહેંચણીને આભારી છે તે તે પણ બિલકુલ સત્ય છે. સાદી શ્રમની વહેંચણી આજના સામાજિક જીવનની જેટલી વાસ્તવિક ઘટના છે તેટલી જ બલકે તેથી પણ વિશેષ સંયુક્ત શ્રમની-હેંચણી યાંત્રિક ઉત્પાદનની વાસ્તવિક ઘટના છે. - ગૃહઉદ્યોગના યુગમાં, હજુ જ્યાં સુધી યંત્ર ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેક્યું નહોતું ત્યાંસુધી, પ્રત્યેક ઉદ્યોગમાં બનતી જુદી જુદી વસ્તુઓને, બનાવનાર સળંગ રીતે પહેલેથી છેલ્લે સુધી તેની બધી વિધિ પિતાના જ શ્રમથી સંપૂર્ણ કરી તૈયાર કરતો. જેમકે આપણો મચી પગરખાંને, સળંગ પિતાના શ્રમથી તેના બધા ભાગોને તૈયાર કરી, બનાવે છે, તે જ પ્રમાણે લુહાર, તે જ પ્રમાણે સુથાર. પ્રત્યેક કારીગર જે યંત્રનું અવલંબન નથી લેતા પણ હાથ કારીગરીથી કામ કરે છે તે તૈયાર કરવાની વસ્તુને સળગ પોતે જ તૈયાર કરે છે. * પણ યાંત્રિક ઉત્પાદનમાં જ્યાં સંયુક્ત શ્રમની વહેંચણીને સિદ્ધાન્ત ખૂબ જ વ્યાપક બને છે ત્યાં તો બનાવવાની વસ્તુના અનેક ભાગ પાડી નાખવામાં આવે છે અને પ્રત્યેક ભાગ જુદા જુદા માણસથી-મજૂરથી તૈયાર થાય છે, અને છેવટ બધા ભાગોનું સંયોજન એક જગ્યાએ થઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપમાં તૈયાર થઈ બહાર આવે છે. જેમકે બૂટના કારખાનાઓમાં આખેય બૂટ એક માણસ નથી બનાવતા પણ એ બૂટના લગભગ અશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રમ-વ્હેંચણી - ૧૮૭ જેટલા વિભાગેા કરી નાખવામાં આવેલા હાય છે અને પ્રત્યેક વિભાગ જુદો જુદો તૈયાર થઇ છેવટ બધાયે વિભાગાનું સંયેાજન થઈ છૂટ તૈયાર થાય છે. પ્રત્યેક મજૂર માત્ર બૂટને અસીમા ભાગ જ હરહંમેશને માટે બનાવ્યા કરતા હૈાય છે. આ પ્રમાણે શ્રમની હેંચણી જેટલી વધારે સૂક્ષ્મ તેટલી ઉત્પાદનની શક્તિ વધારે. એટલે ઉત્પાદનની શક્તિને વધારવા માટે શક્ય હાય ત્યાંસુધી શ્રમની હેંચણીને વધારે ને વધારે સૂક્ષ્મ બનાવવામાં આવે છે; ઉત્પાદનની વસ્તુના શકય હાય તેટલા વધારેમાં વધારે વિભાગેા પાડી નાખવામાં આવે છે. આમ કરવામાં કામ કરનારાઓને વધારે સંખ્યામાં રાકવા પડે છે અને તે ત્યારે જ બની શકે જ્યારે ઉત્પાદન જથ્થાબંધ કરવાનું હોય તેમ જ જથ્થાબંધ તૈયાર થતા ઉત્પાદન માટે વિશાળ બજાર હોય. માત્ર જથ્થાબંધ ઉત્પાદન અને વિશાળ બજારને પરિણામે શ્રમની વ્હેંચણીને સુક્ષ્મતમ બનાવી શકાતી નથી પણ ઉત્પાદન સતત ચાલુ રહેવું, જોઈ એ. જે ઉત્પાદન સતત ચાલુ ન રહે તેમ હોય તેા કાઈ પણ એક વસ્તુને સામો કે હજારમા ભાગ માત્ર બનાવવા પૂરતા મજૂર કામ કરવા તૈયાર નહિ થાય. ખેતીવાડીના ધંધામાં યાંત્રિક ઉત્પાદન કરતાં સંયુક્ત શ્રમની વ્હેંચણી બહુ જ ચેડા પ્રમાણમાં શકય બને છે તેનું કારણ આ જ છે. યાંત્રિક ઉત્પાદન જેટલા કૃષિઉદ્યોગ સતત હાતા નથી. ઉત્પાદનના ક્ષેત્રમાં સંયુક્ત શ્રમની વ્હેંચણીમાંથી પૂરેપૂરા લાભ ઉઠાવવા હાય તા પ્રત્યેક મજૂરને એકજ પ્રકારના કામ ઉપર——અને તે કામ ઉત્પાદનની વસ્તુને શકય હાય તેટલે નાના વિભાગ–સતત લગાડવા જોઇએ. આવી રીતે પ્રત્યેક મજૂરને તેની શક્તિ અને યાગ્યતા પ્રમાણે જુદા જુદા અક્કેક વિભાગનું કામ આપવાથી તે વિભાગ તૈયાર કરવામાં અસાધારણ કુશળતા, તે મજૂર પ્રાપ્ત કરી શકે છે. પરિણામે કામ વધારે સારૂં અને સચોટ બને છે. પ્રત્યેક વિભાગ તૈયાર કરવા પૂરતું યંત્ર પણ વિશિષ્ટ પ્રકારનું થતું જાય છે. શ્રમની વ્હેંચણીને પરિણામે ઉત્પાદનના ક્ષેત્રમાં અનેકવિધ ફાયદાઓ થાય છે. જેમકે પ્રત્યેક મજૂરને તેની શક્તિ કે ચાગ્યતા પ્રમાણે કામ આપી શકાય છે. સ્ત્રી મજૂરા અને ખાળ–મજૂરા ઉત્પાદનના ક્ષેત્રમાં શ્રમની–વ્હેંચણીના સિદ્ધાન્તને પરિણામે જ પ્રવેશી શકમાં છે. એકજ પ્રકારનું કામ સતત કરવાથી કાર્યમાં કુશળતા પ્રાપ્ત થાય છે; વખતને, મૂડીના, સાધનાના સંપૂર્ણ રીતે ઉપયેાગ થઈ શકે છે તેટલું જ નહિ પણ ધણા લાભથી ઉપયાગ કરી શકાય છે. યંત્રને ઉપયાગ ખૂબ જ વ્યાપક બનાવી શકાય છે. ઉપર જોયેલા શ્રમની વ્હેંચણીના ફાયદાએ માત્ર ઢાલની એકજ બાજુ છે. ઢાલની ખીજી ખાજી-તેનાથી થતા ગેરફાયદાઓ કેટલા ભયંકર છે તે ઊઁડાણથી વિચાર કરતાં કમકમાં આવે તેવા છે. શ્રમની વ્હેચણી ઉત્પાદનના ક્ષેત્રમાં જેવાં સ્ત્રી-મજૂરા અને બાળ-મજૂરાને લાવે છે કે તેનીજ સાથે બેકારી, અનીતિ, કુટુંબજીવનને વિનાશ અને શૈશવને નિર્દોષ આનંદ અને વિકાસ હણી નાખે છે. એકજ પ્રકારનું કામ આખી જિન્દગી સુધી કરતાં કદાચ તે કામ પૂરતી કુશળતા પ્રાપ્ત થાય પણ સાથે સાથે તે મજૂરના જીવનમાંથી જીવનની તેમજ શ્રમની ખીજી બધી બાજુએ બંધ થઈ જાય છે, તેના જીવનમાંથી વિવિધતા અને રસ ઊડી જાય છે, તે યંત્રની સાથે માત્ર યંત્રવત બની જીવન પસાર કરે છે, અને સદાને માટે મૂડીદારના ગુલામ ખની રહે છે કારણ કે એક વસ્તુને સામે! કે હજારમા ભાગ બનાવવા સિવાય તેને કંઇ આવડતું નથી. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મુવાસ ! શ્રાવથ ૧૯૯૫ યંત્રને ઉપયોગ અલબત્ત શ્રમની વહેંચણીને પરિણામે ખૂબ જ વ્યાપક બને છે પણું યંત્રની વ્યાપકતા સાથે માનવીના શ્રમની જરૂર ઓછી થતી જાય છે જેથી યંત્ર પોતે જ માનવીનું સ્થાન લેતું જાય છે અને માનવી કામ વિનાનો બેકાર રખડે છે. જ્યાં હજારો મજૂરોની જરૂર પડતી ત્યાં આજે યંત્ર એક ચાવી ચલાવનારથી હજજારો મજૂરોનું કામ કરે છે. આખા જગતભરમાં માનવીના આર્થિક જીવનને બેકારીને પ્રશ્ન આજે ગૂંગળાવી રહ્યો છે અને એ પ્રશ્ન માટે શ્રમની–વહેંચણું ઓછી જોખમદાર નથી. શ્રમની વહેંચણને સિદ્ધાંત તરીકે તેમજ ઉત્પાદનને તે જે વેગ આપે છે તે દષ્ટિએ " અવગણી શકાય કે વખોડી શકાય નહિ પણ મૂડીદારના કાબૂમાં એ સિદ્ધાન્ત મજૂરાના શેષણ અર્થે વપરાય છે તેટલા પૂરતી એ પ્રથા ભયંકર છે. આ સિદ્ધાંતને ઉપયોગ, માનવ જાતનું આર્થિક હિત સધાય અને માનવીનું આર્થિક કલ્યાણ થાય તે રીતે કરવામાં આવે તો તે ખરેખર આશિર્વાદરૂપ છે. ઉપર જોયેલા શ્રમની વહેંચણીના બે પ્રકાર-સાદી અને સંયુક્ત–ઉપરાંત ત્રીજા પ્રકાર ભૌગોલિક શ્રમની વહેંચણીને છે. આ પ્રકાર સાદી શ્રમની વ્હેચણીનું વિશાળ સ્વરૂપ છે. પ્રત્યેક દેશની પ્રાકૃતિક સંપત્તિ પ્રમાણે જુદા જુદા પ્રકારનું ઉત્પાદન થાય અને તે પ્રમાણે, પરસ્પર રાષ્ટ્ર આંતરરાષ્ટ્રિય વ્યાપારથી રાષ્ટ્રની બધી જરૂરિયાત પૂરી કરી દે. વિનિમયના સાધનેને પરિણામે આ પ્રકારની ભૌગોલિક શ્રમની વહેંચણી શકય બને છે અને તે શક્ય બનતાં આંતરરાષ્ટ્રિય વ્યાપારનો અને આંતરરાષ્ટ્રિય વ્યવહારને જન્મ થાય છે. જેમકે કૃષિપ્રાધાન્ય દેશ ખેતીનું જ ઉત્પાદન કરે, ઉદ્યોગપ્રાધાન્ય દેશ યાંત્રિક ઉત્પાદન જ કરે, પ્રત્યેક દેશ પિતાની પ્રાકૃતિક અનુકૂળતા પ્રમાણે ઉત્પાદન કરે. આ પ્રકારને પરિણામે જગતનું આર્થિક જીવન વધારે સુગમ અને સરળ બને છે. માનવીની દરેક પ્રકારની જરૂરિયાત પૂરી પડે છે. સદામિની મહેન્દ્રકુમાર દેસાઈ (રાગ તિસંગ–વિતાલ] માં મંદ મલકે માનિની, ઉલ્લસતી મધુ સ્કુરતી નંદિત, દેર દમામથી મોહિની દામિની મંદ મંદ મલકે માનિની. પ્રણયશિખ સેહત મેહતિમિરે, કૃષ્ણ–મેઘ મહીં વીજ સેહિની, પરમાનંદે નાચે ચતુરા, પુલકિત કાજળકાય યામિની, મંદ મંદ મલકે માનિની, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ જીવન સુવાસ प्रभा મહાન શિવાજીના પિતા શાહજી ખીજાપુરના નવાબના સરદાર હતા. નવાએ સરદારના પુત્રને સલામીએ ખેલાયેા. પણ શિવાજીએ ગાવધ ચલાવનારના દરબારમાં જવાની ચેકખી ના સંભળાવી. નવાખે ગાવધની બંધી ફરમાવી; સાદાં કતલખાનાં પણ તેણે ગામ બહાર લેવરાવ્યાં. ગેાવધ કરનારને માટે તેણે જ્યારે મૃત્યુની સજા જાહેર કરી ત્યારે જ શિવાજી તેના દરબારમાં ગયા. એક વખતે બીજાપુરના ચૌટામાં એક વીક્લ ખાટકીએ ગાય પર તરવાર ઉગામી. તે તલવાર ગાયના ગળાને સ્પર્શે એ પહેલાં જ ત્યાં અકસ્માત આવી પહોંચેલ શિવાજીએ ખાટીના એ. હાથ કાપી નાખ્યા. શિવેાજીના બગીચામાંથી ભાગવાનની રા સિવાય કાઇએ કંઇ તેવું નહિ એવું શિવાજીના ગુરુ કાશ્મદેવે ફરમાન કાઢેલું; પણ એક પ્રસંગે ભૂલથી ગુરુ કાણુદેવ પોતે જ થોડાંક ફળ તેાડી ખેઠા. એ ભૂલ માટે તે તરત જ પેાતાને જમણેા હાથ કાપી નાખવા તૈયાર બન્યા. પણ એ પળે ત્યાં આવી પહોંચેલ શિવાજી વગેરેએ તેમને પગે પડીને તેમ કરતાં અટકાવ્યા. છતાં ગુરુએ એ ભૂલની યાદગીરી માટે પેાતાના પહેરણની જમણી ખાંય તે હંમેશને માટે કાપી જ નાંખી, શિવાજી મુસલમાનાના કટ્ટા દુશ્મન હતા, તેમના પિતા શાહજી સુસલમાની નવાખના સરદાર હતા. એક પ્રસંગે શાહજી શિવાજીના પ્રદેશમાં ખંડાબાનાં દર્શને આવ્યા. શિવાજીએ સામે જઇ તેમનું ભક્તિભાવથી સન્માન કર્યું. ખંડેાબાના મંદિરથી જેજુરી ગામ સુધી પિતાને રાવંશી પાલખીમાં લઈ જવાની તેમણે વ્યવસ્થા કરી. ને તે પાતે હાથમાં જોડા ઝાલી પાલખીની સાથે સાથે ચાલ્યા. છત્રપતિ શિવાજી એક પ્રસંગે સંત તુકારામના ભજનમાં મસ્ત થઈ ડેાલવા માંડેલા. તે વખતે મેાગલ સૈન્ય તેમને ઘેરવાને આવી પહેાંચ્યું હાવાની બૂમ પડી. પણ મહારાજ ભજનની ધૂનનેજ વળગી રહ્યા. આ કટાકટીની પળે એક મરાઠા સરદારને એક યુક્તિ જડી આવી. ને મહારાણા પ્રતાપને જેમ રાજા માનસિંહે બચાવી લીધા હતા, ગુર્જરપતિ સિદ્ધરાજને જેમ શ્રી. મુનશીને બનાવટી કાક બચાવી લે છે એમ છત્રપતિ શિવાજીને બચાવવાને તેણે તેમના માથા પરનો મુગટ ઉઠાવી લીધા. તે મુગટ પેાતાના માથા પર મૂકી તે ત્યાંથી ભાગી નીકળ્યે, તે મેાગલ સૈન્યે તેનેજ શિવાજી માની તેને પી લીધા. * નેપોલિયનની સાત વર્ષની વયે તેના કાકાને ત્યાંથી ફળના એક કડિયા આવ્યેા. તેની નાની-મોટી છે બહેનેાએ તેમાંથી કેટલાંક ફળ ઉઠાવી લઇ ચારીના આરેાપ નેપોલિયન પર ઢાળ્યા. પિતાએ નેપોલિયનને ચાબખાની સજા કરી તેને ત્રણ દિવસ ભૂખે માર્યા. નેપોલિયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ એ બધું શાંતિથી સહ્યા કર્યું. છેવટે બહેનેા ભાઈની આ ક્રરુણુ સ્થિતિથી પીગળી ઊઠી. તેમણે પેાતાની ભૂલ ખૂલી. જ્યારે નેપોલિયનને આ સંબંધી પૂછવામાં આવ્યું ત્યારે તે ખાલ્યા, ‘ તે સ્ત્રી છે, મારી બહેનેા છે, કામળ વયની છે, તેમને સજા કરવામાં આવે તે કરતાં મને થતી સજાથી એમને વધારે શીખવાનું મળ્યું છે. ' નૈપોલિયને ટુઇલેરીસ–મહેલના સ્નાનખંડમાં મરામતની કેટલીક વ્યવસ્થા કરેલી. મહેલના અધિકારીએ તે વિભાગમાં ફ્રાંસના સર્વોત્તમ ચિત્રકારો પાસે કેટલાંક સુંદર ચિત્રા દારાવ્યાં. ખંડ તૈયાર થઈ જતાં નેપેાલિયને જ્યારે સ્નાન કરવા માટે ત્યાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં ારાયેલ ચિત્રામાં ક્રેટલાંક સ્ત્રીચિત્રો તરફ તેની નજર ખેંચાઈ. તે તરત સ્નાન કર્યા વિના જ ત્યાંથી બહાર આવ્યા. મહેલના અધિકારીને પેાતાની સમીપ ખેાલાવી તે ખેાલ્યેા; “ સ્ત્રીઓનું સન્માન જાળવે. ''-ને જ્યારે એ ખડમાંથી સ્ત્રીચિત્રાને ભૂંસી નાંખવામાં આવ્યાં ત્યારે જ તેણે તે ખંડમાં સ્નાન કર્યું. .. સેનાપતિ સાલ્ટને નેપેાલિયને સ્પેનના યુદ્ધમાં જવાની આજ્ઞા ફરમાવી. પણ સાલ્ટની સ્વરૂપવતી અને તેજસ્વી પત્નીને એવા જોખમી પ્રદેશમાં જવું ન ગમ્યું. તેણે સાલ્ટને દબાવી દીધા. નેપોલિયનને આ સમાચાર મળતાં તેણે સાલ્ટની પત્નીને પેાતાની સમીપ ખેલાવી. ને રૂપરૂપના અંબાર વર્ષાવતી એ ઉમરાવનદી તેપાલિયનની સમક્ષ આવી ધડાધડ પોતાની મુશ્કેલીએ વર્ણવવા માંડી. શ્રીમતીજી, નેપેાલિયને શાંતિથી કહ્યું, “હું તમારા પતિ નથી કે મારી સામે જેમતેમ ખેલા છે. તે જો પતિ હેત તેા તમે આ રીતે ખેલતાં શીખ્યાં પણ ન હેાત. યાદ રાખેા, શાસકની આજ્ઞા એ સેનાપતિને ધર્મ છે; પતિની આજ્ઞા એ સ્ત્રીને ધર્મ છે. મેં તમને અહીં શિખામણ લેવા નથી ખેાલાવ્યાં. જા, તરત સ્પેન ચાલ્યાં જાઓ. ” બિચારી ઉમરાવાદી તે ઠંડીગાર બની ગઈ. ખીજે જ દિવસે તેણે પતિની સાથે સ્પેનના રસ્તે પકડયા. 66 મુલાકાતે આવનાર પ્રત્યેક સ્ત્રીને નેપોલિયન ત્રણ પ્રશ્ન પૂછ્તાઃ ‘ તમે કયા કુળનાં છે ? તમારી વય શું? તમને કેટલાં સંતાન છે ?' આ ત્રણ પ્રશ્નાના ક્રમિક ઉત્તર ગોખી એક વૃદ્ધ અને બહેરાં મેડમ નેપોલિયનને મળવા ચાલ્યાં. પણુ કમભાગ્યે નેપોલિયને એ જ પ્રસંગે પેાતાના પ્રનેામાં ફેરફાર કર્યાં. તેણે પૂછ્યું, “આપ મૃત સેનાપતિનાં ભાભી થાએ ? ’ મેડમે કહ્યું. “ હું ખ્રિસેક......’ આપને કંઈ સંતાન છે ? ” નેપાલિયને પહેલા પ્રશ્નના ઉત્તર ન સમજાતાં પૂછ્યું, '' આવન વૃદ્ધ મેડમે હસીને ઉત્તર દીધા. .. "" 66 આટલાં બધાં સંતાનની ભાગ્યશાળી માતા તા નેપેાલિયનના ધ્યાન બહાર રહી શકે જ નહિ. એટલે એણે વિશેષ ખુલાસા માટે પૂછ્યું, આપની ઉમ્મર ? ” ". .. સાત ” વૃદ્ધાએ ગર્વથી ઉત્તર દીધા. .. નેપોલિયન પહેલાં તેા ગુંચવાયા. પણ પછી પરિસ્થિતિ સમજાઈ જતાં તેણે વૃદ્ધાને હસીને વિદાય આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ જીવન સુવાસ ૧૯૧ સેનાપતિ મન્થલે બે વખત છૂટાછેડા લેનાર સ્ત્રી સાથે લગ્ન કરવાની નેલિયન પાસે મંજુરી માગી. નેપોલિયનને છૂટાછેડાની પદ્ધતિ દૂષણભરી લાગતી. પિતાના સેનાપતિઓ એવી સ્ત્રી સાથે પરણે એ તેને ન મ્યું. પરિણામે તેણે એવી અનુમતિ આપવા ના કહી. પણ મેન્થોલને તદ્દન નિરાશ ન કરી નાંખવાને તેણે ઉમેર્યું, “તમે પ્રેસીડેન્ટ સેગરની ભત્રીજી સાથે પરણે એ વધારે યોગ્ય છે. ” પણ કમભાગે નેપોલિયને પ્રેસીડેન્ટની જે ભત્રીજીનું સૂચન કર્યું એ ભત્રીજીજ બે વખત છૂટાછેડા લેનાર અને મોન્ટેલની ઉક્ત પ્રિયતમા હતી. નેપલિયનને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તે ખીજાયો. તેણે કહ્યું, “મારી ન્યાયસભામાં છૂટાછેડા લેનાર સ્ત્રીઓને માટે સ્થાન નથી.” ને સેનાપતિ મન્થલને તેણે પોતાની પત્ની સાથે વર્ઝબર્ગની કોર્ટમાં પ્રવેશવાની મના ફરમાવી. એક વખતે નેપોલિયન ફ્રાન્સમાં બળવાનાં મૂળ રેપનાર રૂની પ્રતિમા પાસેથી પસાર થતો હતો. તે પ્રસંગે એ પ્રતિમા સામે જોઈ એ બબ, “આ માણસ જે પાકો જ ' ન હેત તો ફાન્સની શાન્તિ વિશેષ જળવાત.” પાસે ઊભેલ કેટલાક પ્રજાજનોએ આ સાંભળી પૂછયું, “નામદાર આપ આમ કેમ બેલે છે ? બળવાને લીધે વધારેમાં વધારે લાભ તે આપને થયો છે.” હું જાણું છું,” નેપોલિયને દુ:ખપૂર્ણ શાંતિથી કહ્યું, “પણ હું એ પણ જાણું છું કે રૂસો ન થયો હેત, બળવો ન થયે હેત કે હું પણ ન થયે હેત તે ફ્રાન્સની અને જગતની શાંતિ વિશેષ જળવાત.” એક પ્રસંગે એક મેલેઘેલે ચિત્રકાર નેપોલિયનને મળવાને આવ્યો. નેપોલિયને શરૂઆતમાં તે એના પ્રત્યે કશું ધ્યાન જ ન આપ્યું; પણ જ્યારે નેપોલિયન સાથે થોડોક સમય ચિત્રકલા સંબંધમાં વાતચીત કરી ચિત્રકાર જવાને ઊઠયો ત્યારે નેપોલિયન તેને બારણા સુધી વળાવવા ગયો. ચિત્રકારે વિનયપૂર્વક આ ફેરફારનું કારણ પૂછયું. નેપલિયન બોલ્યો, “માણસ આવે છે ત્યારે કપડાંથી ઓળખાય છે. જાય છે ત્યારે ગુણથી.” ગુરુ ચૈતન્યદેવ એક પ્રસંગે બેટમાં એક મિત્રની સાથે જળવિહાર કરતા હતા. એ પ્રસંગે તેમણે તરતમાં પોતે રચેલે ન્યાયને અદ્દભુત ગ્રન્થ મિત્રને જેવાને આપે. પણ અન્ય જોઈને તે મિત્રની આંખમાંથી ઊલટાં આંસુ સરી પડયાં. “કેમ?” ચૈતન્યદેવે ચમકીને પૂછયું. “ભાઈ,” મિત્રે દુઃખ છુપાવતાં કહ્યું, “મેં પણ અમરકીર્તિ કમાવાને ન્યાય પર એક ગ્રન્થ લખ્યો છે. પણ આ ગ્રન્થ જોતાં જણાય છે કે મારા એ ગ્રન્થને કઈ કશો ભાવ પણ નથી પૂછવાનું.” * “એમ !” ચૈતન્યદેવ હસીને પિતાના પ્રખ્ય સરિતામાં પધરાવતાં બેલ્યા, “હવે તે ભાવ પૂછાશે ને ?” એક પ્રભાતે ગુર્જરપતિ ભીમદેવના સામે રાજાની હાજરીમાં એક નિશાન તાકતા હતા. પણ તે નિશાન કેઈથી ભૂદાતું નહતું, એ પ્રસંગે ત્યાં મેલાઘેલા વેશમાં એક અજાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨- સુવાસ : શ્રાવણ ૧૨ વણિક–યુવાન આવી પહોંચ્યો. તેણે સામને ઉપહાસ કરતાં ગુણપૂજક રાજાએ તેને પણ નિશાન તાકવાની અનુમતિ આપી. યુવાને તે જ પળે નિશાનને એક બાણથીજ વીંધી નાખ્યું. - રાજાએ બાણુ કેટલે દૂર પડ્યું છે તે તપાસવાને એક સૈનિકને મેલવા માંડયો. યુવાને હસીને કહ્યું, “રાજન સૈનિક નહિ, ઘોડેસ્વાર મેકલે. નહિતર સાંજ સુધી પણ તે પાછો નહિ ફરે.”–ને ખરેખર તેનું બાણ નિશાન ભેદીને છ માઈલ છેટે જઈ પડયું હતું. “તારું નામ ?” રાજાએ તે યુવાનને પૂછ્યું. યુવાને વિનયપૂર્વક હસીને કહ્યું, “લેકે મને વિમલના નામે ઓળખે છે.” જગત એ યુવાનને આબુનાં સ્વર્ગીય દહેરાં બંધાવનાર વિમલમંત્રી તરીકે પિછાને છે. અવંતીમાં એક મેઘલી રાત્રે એક સુંદરી પોતાને મૃત પિતાને સંભારી “હા તાત, હા તાત”—એ પ્રમાણે વિલાપ કરતી હતી. રાજમહેલમાં તે વિલાપના પડઘા પડતાં રાજા ભેજે તે સુંદરીને પિતાપ્રેમ વખાણ્યો. પણું રાણીએ કહ્યું, “એ પિતાપ્રેમ ન હોય, વ્યવહાર છે.” “એ શી રીતે ?” રાજાએ પૂછ્યું. કેમકે એ વેશ્યા છે.” એ કેમ કરી જાણ્યું ?” રાજાએ ચકિત થઈ પૂછ્યું. “એમ કરીને,” રાજાના ગાલે ચૂંટી ખણતાં હસીને રાણી–સૌભાગ્યસુંદરી બોલી, કે વિલાપમાં તે એકલે તાત શબ્દ વાપરે છે. જયારે રૂદન વખતે ખરી રીતે તે બાપ કે પિતા શબ્દ વપરાય, પણ પોતાના ઓષ્ઠ પરની રંગપ્રભા ભૂંસાઈ ન જાય એ માટે તે એ એઠસ્થાની શબ્દો નથી વાપરતી.” સેનાપતિ ગ્રાન્ટનું લશ્કર જ્યારે દક્ષિણ તરફ કૂચ કરતું હતું ત્યારે સૈન્યના આગળના ભાગને લેફટનન્ટ પોતાને ગ્રાન્ટ તરીકે ઓળખાવી, ત્યાં આવેલાં ઘરોમાંથી જે કંઇ ખોરાક મળે તે પોતાના મદદનીશની સાથે હઈયાં કરી ગયે. પાછળ આવતા ગ્રાન્ટને જ્યારે આ બનાવની ખબર પડી ત્યારે તેણે શિક્ષાની એક જુદી યુક્તિ વિચારી. તે આગળના ભાગમાં આવી બોલ્યો, “લેફટનન્ટ મહાશય મારા નામે બધું હઈયાં તે કરી ગયા છે પણ એક ઘરમાં દુધીનું એક ભજિયું રહી ગયું છે, તેમણે સે સૈનિકો સાથે ત્યાં જઈએ ભજિયાનો પણ એગ્ય નિકાલ કરે જઈએ.”–ને બિચારા લેફટનન્ટને એમ કરવું પડયું. દુશ્મનસૈન્ય પર વિજય મેળવ્યા પછી સેનાપતિ ગ્રાન્ટ એ સૈન્યના સેનાપતિની શોધખોળ કરવા માંડી. પણ કેટલાક સૈનિકોએ કહ્યું, “નામદાર, આખા સૈન્યમાં આપ એમને જ પહેલા પકડવાનું પસંદ કરશે એમ માની તેઓ પહેલેથી જ સહીસલામત સ્થળે ચાલ્યા ગયા છે.” હત તારીની,” ગ્રાન્ટ હસીને કહ્યું, “મારે તે એને થોડુંક ઈનામ આપવું હતું. કેમકે દુશ્મન–સૈન્યમાં એના જેવા સેનાપતિઓ છે એને લીધે તે અમે મહત્વનો ભાગ આપ્યા વિના જ આટલી સહેલાઈથી વિજય મેળવી લઈએ છીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પરદેશી આંખે– [ ચર્ચાપત્ર ] તંત્રી શ્રી— આજે આપણે શિક્ષણ અને સંસ્કારમાં, વાણી અને વર્તનમાં, વિચાર અને પહેરવેશમાં, ધર્મ અને રાજકારણમાં તેા પરદેશી બની ગયા છીએ. પણ આપણાં એ મેટામાં મેટાં કમભાગ્ય નથી કે હજારો વર્ષોં સુધી હિંદનું સ્વાતંત્ર્ય સાચવી રાખનાર, જગતની સર્વોત્તમ સંસ્કૃતિ ઘડનાર, પ્રજાને પવિત્રતાના મંત્રો શીખવનાર આપણા મહાન પૂર્વજોને તે આપણા ઈતિહાસને પણ આપણે પરદેશીઓની આંખે કૅ પરદેશીએએ આપણને આપેલી આંકણીએ માપી રહ્યા છીએ ? કેટકેટલાંય ઐતિહાસિક અસત્યને આપણે પરદેશી આંખે સત્ય તરીકે જોઈ રહ્યા છીએ. એવાં અસત્યા અનેક છે પણ અહીં હું એ વિષયને નથી સ્પર્શતા. અહીં તે મારા આશ્ચય આપણાં કેટલાંય સ્વાભાવિક સત્યાને આપણે કેવળ પરદેશીઓને અનુસરીને ચૂથી રહ્યા છીએ; કેટલાંય નામેાને ભ્રષ્ટ કરી રહ્યા છીએ; અંગ્રેજીના ઉચ્ચારને ન સમજી, મૂળ તપાસી જોવાને ખલે, કેટલીક વખત, બિચારા પરદેશીઓએ લીધેલ શ્રમને પણ આપણે કુવા હાસ્યાસ્પદ બનાવી રહ્યા છીએ એ સંબંધી કંઇક ટાંચા આપવાના છે. ટાંચણા કે દાખલાઓ આપતાં તે તે લેખકનાં નામ નોંધવાં પડે એ સ્વાભાવિક છે. પણ એના અર્થ એ નથી કે હું એ લેખાની ભૂલા દર્શાવવા માગું છું. અનેક લેખકાની અનેક ભૂલા નાંધવાને અહીં અવકાશ પણ નથી. પરિણામે ચેડાક નોંધપાત્ર દાખલાઓ રજુ કરી, આપણી સ્વતંત્ર-સમગ્ર પ્રજાકીય ચાકસાઈ ધ્રુવળ પરદેશીઓને અનુસરીને કેટલી અવનત બની રહી છે એ દર્શાવવા રજા લઉં છું. ચંદન તે મલયાગીરી નામે રાજદંપતી અને સાયર તે નીર નામે તેમના પુત્રોની હડ્ડીકત ભારતજાણીતી છે. પણ કર્નલ ટાર્ડ, ‘ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇન્ડિયા’માં લખ્યું કે, ‘ચંદનરાજાએ ચન્દનાવતી (વડાદરા) વસાવ્યું હતું. તેને મલયાગીરી નામે પત્ની અને સાક્રી અને નીલા નામે એ છે।કરી હતી. ’ આ વિધાના કેટલાં સાચાં છે એની તપાસ કર્યાં વિના જ ‘એન્સાઇકલેપીડિયા ઈન્ડીકા ', ડૉ. નંદલાલકૃત ‘જોગ્રાફીકલ ડીક્ષનેરી' વગેરેમાં એની એ રીતે નોંધ લેવાઈ. વડાદરાનું મૂળ નામ પરદેશીઓએ વીરવતી (વીરાથી વસાયલી) ઠેરવ્યું. અંગ્રેજીમાં એ પરથી લખાયું–‘ Viravati ';ને એ અંગ્રેજી શબ્દ પરથી શ્રી. નર્મદાશંકર લાલશંકર કવિએ ‘ગુજરાત સર્વ સંગ્રહ'માં લખ્યું-‘વરાવતી.’ વરાવતીને અર્થ સ્વ. વિ જાણે. પણ એ પરથી ડૉ. અતેકર જેવા અનેક વિદ્વાનાએ એવા જ ઉતારા કર્યાં. રાજવી ધંધુરાજનું અંગ્રેજી શબ્દાંતર Dhandhuraj. એ પરથી રાવબહાદુર દેસાઇ જેવાના ઇતિહાસમાં પણ તંદુરાજ લખાયું. મહાકવિ આસડ ’ને કવિસભારંગાર'નું બિરુદ મળેલું. ‘ આસડ ’નું અંગ્રેજી રૂપાંતર Asad' અથવા ‘Ashad. ' એ અંગ્રેજી શબ્દ પરથી શ્રી. મેાતીચંદ કાપડિયાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ શ્રી. હેમચન્દ્રાચાર્ય' નામના પિતાના અનુવાદગ્રન્થમાં કવિનું નામ લખ્યું, “અષાડ.” બિચારાનું નામ બદલ્યું તે બદલ્યું પણ એને “કવિસભાશંગારના બિરુદને પણ “કવિસભા સંગ્રહ કરી દીધું. એ જ ગ્રન્થમાં મહારાણી જેતલ્લદેવી “Jayataladevi'નું નામ બદલાયું ‘જેટલાદેવી'. ટાડે વસ્તુપાળની પત્ની લલિતાદેવી વિશે લખ્યું કે, “લલિતાદેવી વસ્તુપાળ કે તેજપાળ બેમાંથી એકની મા, પત્ની કે છેવટે દીકરી હતી. આ પરથી કોઈકે એને દીકરી ઠેરવી તે કેઈકે એને મા ઠેરવી. મુદ્રાવ્યાપારને અર્થ થાય રાજમંત્રીને વ્યવસાય. પણ અણજાણુ પરદેશીઓએ તેને અર્થ કર્યો શરાફી ધંધે. ને એ અર્થને અનુસરી આપણું સંશોધકોએ કેટલાય મંત્રીઓને શરાફ ઠેરવી દીધા. ફાર્બસની રાસમાળામાં પાને પાને ગેરસમજુતીઓ ભરેલી છે. તેની વિરૂદ્ધ બીજી પ્રમાણ ભૂત હકીકત પણ મળી રહે છે. છતાં એ ગ્રન્થ જાણે ગુજરાતના ઇતિહાસને એક માત્ર અદ્ભુત ગ્રન્થ હોય એમ એની આગળ એવી વિશેષ આદરણીય હકીકતોને ઠેકર મારવામાં આવે છે. ઢડે લખ્યું કે, “સંવત ૧૨૩૪માં કુમારપાળના શાસનકાળ દરમિયાન તેના મંત્રી વસ્તુપાળે......મંદિરની પ્રતિષ્ઠા કરી.” કુમારપાળ ૧૨૩માં અવસાન પામેલ અને વસ્તુપાળને ઉદય ૧૨૭૫ પછી થયો છે એ નગદ ઇતિહાસ છે. છતાં આ હકીક્ત પરથી ડો. અલેકર જેવા અનેકે વસ્તુપાળને કુમારપાળને મંત્રી ઠેરવી દીધે. આપણું ભૌગોલિક નામોની વિકૃતિએ તે એ હદે સીમા વટાવી દીધી છે કે એને હવે સ્પર્શવું જ નિરર્થક જણાય છે. શ્રમણ-સંસ્કૃતિના બે મહાન સ્વભ-શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર. તેમાં જે તટસ્થ દષ્ટિએ જોવા જઈએ તો વધારે કસાયેલ ને વધારે ભવ્ય જીવન શ્રી મહાવીરનું લાગે છે. છતાં એડવીન આર્નોલ્ડ અને બીજા અંગ્રેજ લેખકોએ બુદ્ધને ઝડપ્યા અને આપણે બુદ્ધને જ સર્વસ્વ માની બેઠા. બુદ્ધનું જીવન આપણે બૈદ્ધ ગ્રન્થમાંથી નથી લીધું, વેલ્સ કે આર્નોલ્ડ જેવાએ આપ્યું છે એ લીધું છે;-મૂળ બૌદ્ધ ગ્રન્થો કરતાં કેટલાય વિકૃત સ્વરૂપે. ન પૂજવા જેવી કેટલીયે એતિહાસિક વ્યક્તિઓને આપણે પૂછએ છીએ; પૃથ્વીરાજ જેવી કેટલીયે મહાન વ્યક્તિઓને તરછોડી બેઠા છીએ. આજે આપણી દૃષ્ટિ છીછરી બની ગઈ છે. એક પણ વિષયના ઊંડા અભ્યાસ વિના અનેક વિષયોમાં માથું મારવાને આપણે તલપાપડ બની જઈએ છીએ પુરાણની પંદર લીટીને પણ શુદ્ધ અર્થ ન કરી જાણનાર આજે પૌરાણિક સાહિત્ય પર વિવેચન લખવા બેસી જશે; વેદનાં બે સૂતોને પણ સમજી ન શકનાર વૈદિક સાહિત્ય ઉપર નિબંધ લખવા બેસશે; જૈન ઈતિહાસ, સાહિત્ય કે તત્ત્વજ્ઞાનનું ડીટ ન જાણનાર આખા જૈનત્વનો પૂર્ણ અભ્યાસી હોવાનો ડોળ કરશે; ને શાંત–ભવ્ય તટસ્થતાપૂર્વક લખવા બેસી જશે કે “જૈનના પહેલા તીર્થંકર પાર્શ્વનાથે આમ કર્યું કે “જૈનોના બાવીસમા તીર્થકર આદિનાથે આમ કર્યું.” પણ હવે આપણે આ બધું દૂર કરી વધારે વિશુદ્ધ બનવું જોઈએ. ચલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ગોચરી ીટલરના બાલમિત્ર રેઈનહેલ્ડ હેનીશે હમણાં પિતાનાં સંસ્મરણે લખ્યાં છે, જે G° જર્મનીના એ માધાતાને પ્રભાવ અને તેના વિકાસના મૂળ પર સારો પ્રકાશ નાંખે છે. અમલદાર–પિતાના મૃત્યુ પછી હીટલર અનાથ અને કંગાલ બન્યું. તે સ્થિતિમાં તે વિયેનાના અનાથાશ્રમમાં જઈ વસ્યો, ત્યાં ડેનીશને એની મુલાકાત થઈ. ભૂખથી દબાયલા હીટલરને ખાવાનું આપી ડેનીશે એને વિશ્વાસમાં લીધે. ડેનીશ બજારૂ ચિત્રકાર હતો; હીટલર પણ કંઇક ચિત્રકામ જાણો. બંનેએ ભાગીદારીમાં એ કામ આદર્યું. હીટલરના પિતાના અવસાન પછી, તેની સુંદર સેવાઓના બદલામાં, સરકારે તેના કુટુંબને માસિક ૫૦ કોનનું પાન બાંધી આપેલું. એ નાણાં હીટલરની પરિણીત બહેન લઈ લેતી. હીટલર એ વિષે પરવા પણ ન કરતો. પણ શિયાળામાં જ્યારે તે ટાઢથી થરથરી ઊઠયો ત્યારે ડેનીશના કહેવાથી તેણે ગરમ કેટ ખરીદવાને બહેન પાસેથી થોડાક પૈસા મંગાવ્યા. ડેનીશ અને હીટલર બને ભાગીદારીમાં કામ કરતા, પણ હીટલરને આ સામાન્ય કામ જરીકે ગમતું નહિ. તે તો સમાજ, સંસ્કૃતિ ને રાજકારણની વાત કર્યા કરતો અથવા ગહને પુસ્તકે કે છાપાં વાંચવામાં જ વખત વીતાવતે. પરિણામે ડેનીશને ઊલટ તે ભારરૂપ થઈ પડયે. તેને સ્વભાવે ઉગ્ર હતા. રાજકીય ચર્ચાઓમાં તેને ખૂબ જ રસ પડત. અનાથાશ્રમના નિવાસીઓ તેના આ સ્વભાવની ઘણી વખત મશ્કરી પણ ઉડાવતા. તે જ્યારે ચર્ચા કરવા બેસે ત્યારે તેઓ તેના પહેરણનો પાછળનો ભાગ ગુપ્ત રીતે પાટલી સાથે બાંધી નાખતા અને પછી તેઓ ચર્ચામાં હીટલરને એવો ઉશ્કેરી મૂકતા કે તે મુક્કીઓ ઉગામી ઊભો થવા જતે તે સાથે જ પાટલી પણ ઊછળી પડતી. ધર્મને તે ખૂબ જ જરૂરી માને છે. કોઈ પ્રચલિત ધર્મ ન હોય તે ન સર્જાવીને પણ પ્રજાને તેના પર પ્રેમવતી કરવી જોઈએ એ તેને અભિપ્રાય છે. પાપ-પુણ્યને પણ તે સમજે છે ને માને પણ છે. તે સંબંધમાં તે વારંવાર વૉલ્ટેરનું દષ્ટાંત ટાંતોઃ “નાસ્તિક વિકટરને એક વખતે કેટલાક ગામડિયાઓએ લૂંટી લીધે. વોટર ચીડાઈ ગયે. ગામડિયાએએ કહ્યું, “જો પાપ-પુણ્ય છે જ નહિ તો આમાં દેષ શું છે? તમારા પાસે બચત નાણું હતું, અમારે તે જોઈતું હતું કે અમે તે લઈ લીધું.” આ પરથી વેસ્ટેરની આંખ ઊઘડી ગઈ ને તે હમેશ દેવળમાં જવા લાગ્યો!' કેથેલિક-ખ્રિસ્તિ ધર્મને તે ખૂબ જ વિરોધી છે. દુનિયામાં જે લોહી રેડાયું છે તેમાંને મેરે ભાગ તે એ ધર્મના નામ પર ચડાવે છે. ઇશુના કેટલાક સિદ્ધાંત એ માને છે. સુસંસ્કૃત હિંદ પ્રત્યે એને ખૂબ જ પ્રેમ છે. હિંદને તે સંસ્કૃતિઓની જનતા માને છે. ઈશુ સંબંધમાં તે કહે કે, “તે હિંદમાં રહેલ હોવો જ જોઈએ. તેના પર બુદ્ધ ધર્મની ઊંડી અસર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ પાશ્ચાત્ય સંસ્કૃતિ વિષે એને અભિપ્રાય ણા જ હલકા છે. તે કહેતા, પશ્ચિમને સંસ્કૃતિ જેવું કંઈ હતું જ કયાં ? એ તે બધું ધર્મયુદ્ધ ( ઝેડ ) ના પ્રસંગે પૂર્વમાંથી આયાત કરેલું છે. ' સ્ત્રીઓ વિષે તેના અભિપ્રાય લગભગ નેપાલિયન જેવા છે. તે કહેતા, ‘સ્ત્રીઓને સન્માન આપવું પણ એમના પાસેથી પવિત્રતા, સંસ્કાર અને સેવાપરાયણતાની પૂરેપૂરી આશા રાખવી. તે પાતે ધણા જ અતડા હતા. એક અમલદારના પુત્ર સાથે એને મિત્રતા બંધાયેલી. તે મિત્રની ખૂબસૂરત બહેન અને તે—બંને હૃદયથી પ્રેમમાં પડયાં, પણ બંને એકમેકને શબ્દોમાં તે તે કાઈ દિવસ ન જ કહી શકયાં. એક પ્રસંગે એક ગાવાળકન્યા એની વાગ્યારા પર મુગ્ધ બની ગઇ. તેણે તેના પાસે પ્રેમની માગણી કરી. તે હીટલરને પેાતાના એકાંત ઘરમાં પણ લઈ ગઈ. પણ હીટલર તેને સ્પર્ધા પણ વિના ત્યાંથી ભાગી છૂટયા. ગમે તેવા ગહન વિષયામાં પણ તે માથું મારતા. પણ એક વખતે શાપનહેગને લગતા વિષ્યમાં તેની કચાશ પકડાઇ જતાં પૂર્ણ અભ્યાસ વિના કાઇ પણ વિષય પર ન ખેલવાનું તેણે વ્રત લીધું. ' અન્યાયને તે ઉગ્ર વિરાધી હતા. એક વખતે એને લાગ્યું કે ડેનીશે તેની સાથેના કામમાં તેને છેતર્યા છે કે તરતજ તેણે વર્ષોજૂના મિત્રને પણ કા માં ધસડયેા. આજે તે જર્મનીના સર્વસત્તાધીશ છે પણ તેના જીવનનું ઘડતર ઉપરના સાધારણ પ્રસંગાને આભારી છે. સાપેક્ષવાદના નવા સિદ્ધાન્તના સંશાધક અને મહાન વિજ્ઞાનવેત્તા એઈન્સ્ટીનને તેના એક મિત્રે તેના નવા વાદની ટૂંકી વ્યાખ્યા પૂછી. એઈન્સ્ટીને કહ્યું : ‘સુંદર–ગુલામી યુવતી પાસે એક કલાક એક મિનિટથીયે એછે લાગશે, ભઠિયારા પર એક મિનિટ કલાક કરતાં પણ વધુ લાંખી જણાશે.......આનું નામ સાપેક્ષવાદ.' અમેરિકન મ્યુઝિયમમાં નેચરલ હીસ્ટરીના સાયન્સના પ્રેફેસર કહે છે કે, ‘ માનવી વધ્યા જ કરે છે. પાંચ લાખ વર્ષમાં એ રાક્ષસી ઊંચાઇએ પહોંચશે. ' બીજા કેટલાક વિદ્વાન એથી ઊલટા જ અભિપ્રાય ધરાવે છે. તેમનું એમ કહેવું છે કે, “લાખા વર્ષ પૂર્વે માનવી રાક્ષસી કદને! હતા. ધીમેધીમે તે ઘટતા જ આવ્યા છે. ”ને તેમની એ માન્યતાની સાબિતીમાં હમણાં વાશિંગ્ટનની બ્લેક ડાયમન્ડ ક્રાલસાની ખાણુ પાસેથી તેમને માનવીનું સાડાત્રણ ફૂટ લાંબું પગલું પણ મળી આવ્યું છે. કેપ્ટન કેરીના જન્મ વખતે એને બાપ એટલા બધા ખૂશ થઈ ગયેલા કે તેણે પોતાના પુત્રને હિંદી સૈન્યના બધા જ અંગ્રેજ કેપ્ટાનાં નામ એકી સાથે આપી દીધાં. એ અન્વયે કૅપ્ટન કેરીનું ખરું નામ ‘એસ્કર વીલિયમ ફ્રી એન્લીસ પ્રીવ્ઝ એલન જહાન ડૅાન પેટ્રો એલ્ફેનલ્સ મેલટાર ગુસ્ટાફ્સન ટટલ સ્ટેપ કાર્લ કરી' છે. નીગ્રાજાતિમાં એમ મનાય છે કે માઢામાં જો ચાંદીનાણું રાખવામાં આવે તે ભૂતપ્રેત વળગતાં નથી. એને અનુસરી જોન વેક્સ્ટર નામના નીગ્રેાએ ૪૪ વર્ષ સુધી સતત પોતાના મેઢામાં ચાંદીતા ડૉલર રાખેલા. તેમ કરતાં ત્રણ ડેાલર તા ચગળાઈને ખલાસ થઈ ગયેલા. જગતના મેટામાં મેટા સહરાના રણને ઠેકાણે પહેલાં જળ હતું. શેાધખેાળ કરતાં તેના ભૂગર્ભમાંથી સૂકી માછલીએ સાથેના કૂવાઓ મળી આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ સભ્યપરિચય | IIIIIIIIIIIIIIIIIIIIIIIIII શ આના, * ત્રણ કાવ્યગ્રન્થ ૧. પાંખડી-કર્તાઃ જેઠાલાલ નારાયણ ત્રિવેદી. પ્રકાશક: બચુભાઈ રાવત, કુમાર કાર્યાલય, રાયપુર, અમદાવાદ. કિમત બાર આના. ૨. કુમારનાં કાવ્યો–લેખકઃ મહેન્દ્રકુમાર મોતીલાલ દેસાઈ. પ્રકાશક : જે. એમ. દેસાઈ, અમદાવાદી પાળ, કડવા શેરી, વડોદરા. મૂલ્ય એક રૂપિયો. ૩. મદાલસા-લેખકઃ ગોવિન્દ હ. પટેલ. પ્રકાશક: ગોરધનભાઈ કીશોરભાઈ પટેલ, વડોદરા. કિંમત દશ આના. - જેટલાં સ્વરૂપ કુદરતનાં છે એટલાં જ કવિતાનાં છે. કવિતા સાગરની જેમ ગર્જતી હોઈ શકે, સરિતાની જેમ રૂપેરી પટે દેડતી પણ હેય; મેઘધનુષ્યની જેમ સુરમ્ય રંગપ્રધાન હોય તે ઝરમર વર્ષતી વર્ષની જેમ તે આહલાદક પણ હોઈ શકે; મોતીની જેમ ચમકતી હોય તો તમાળાની જેમ ગૂંથેલી પણ હેય; અમૃતબિંદુની જેમ મધુર હોય તે પુષ્પપાંખડીની જેમ સુગંધફરતી પણ હેય. મેઘદૂતને સહેજે ખેતીની માળાની ઉપમા આપી શકાય. એક શ્લોક કે ઓછામાં ઓછી પક્તિઓમાં એક જ ભાવ કે દર્શનને વાળીમાં મતીની જેમ પરેવતી, પૂજનના વાળમાં પુષ્પપાંખડીની જેમ સોહાવતી કે અમૃતબિંદુનો સ્વાદ બક્ષતી કવિતાને મુક્તક કહેવાય છે. “પાંખડી” એવા મુક્તકોનો સંગ્રહ છે. કુમારનાં કાવ્ય 'માં મુક્તકે છે; ભાવ, દર્શન કે આત્મમંથનને વિકસાવતી કે વર્ણવતી લાંબી કવિતાઓ પણ છે. “મદાલસા ' એ એક પૌરાણિક પ્રેમપ્રસંગનું ભાવ-ચિત્રદર્શન કરાવતું સળંગ અને સંવાદમય કાવ્ય છે. ત્રણે કાવ્યસંગ્રહમાં આમુખ પણ ગુજરાતના ત્રણ જાણીતા વિવેચકેએ લખ્યો છે. પાંખડીમાં શ્રી. રામનારાયણ પાઠક, કુમારનાં કાવ્યોમાં શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈ અને “મદાલસામાં શ્રી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. શ્રી રામનારાયણ પાઠકે પિતાના કથનમાં મુખ્યત્વે મુક્તકનું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી રમણલાલ દેસાઈ ‘કુમારનાં કાવ્યોના ગુણદોષ વર્ણવે છે; શ્રી ત્રિવેદી “મદાલસાનું અવલોકન કરતાં સાથે રસપાન પણ કરે છે. પ્રાચીન યુગ કવિતાને પ્રકૃતિમાં બાંધવા મથત; અર્વાચીન યુગ તેને વિજ્ઞાન અને જીવનના સામાન્ય પ્રશ્નોમાં બાંધવા મથે છે. આ ત્રણે કાવ્યગ્રન્થ અર્વાચીન કરતાં પ્રાચીન સ્વરૂપને વિશેષ પ્રમાણમાં અનુસરે છે એટલે સંભવિત છે કે અર્વાચીન યુગ-સંપ્રદાયીઓને એ યોગ્ય પ્રમાણમાં ન આકર્ષ; છતાં ત્રણેમાં કવિત્વના માધુયંગભ ચમકાર ઓછેવધત અંશે પણ છે જ. આ ત્રણે પુરતમાં મૌલિક ચિંતન, રમ્ય શબ્દગૂંથણ, સુલલિત પ્રવાહ, ચિત્રાત્મક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ • સુવાસ : શ્રાવણ ૧૯૯૫ દર્શન અને ભાવમાધુર્ય અલબત્ત ‘પાંખડી’માં વિશેષ પ્રમાણુમાં ઝગમગે છે છતાં ખીજા ખે પણ ઓછા આશાસ્પદ નથી જણાતા. ત્રણેને પોતપોતાના અલ્પ દોષા પણ છે. પણ તેમાં ‘કુમારનાં કાવ્યા’માં કેટલેક ઠેકાણે તરી આવતા અર્થકલિષ્ટતાને ઢાય અને અનાકર્ષક પ્રકાશન કંઈક વિશેષ પ્રમાણમાં ખૂંચે છે. તે સહેજે દૂર કરી શકાયાં હાત. ‘પાંખડી’નાં મુક્તકાના મોટા ભાગ તા રસ–માધુર્ય કે ભાવનાપ્રેરક છે પણ શરૂઆતનાં થેાડાંકમાં કંઈક અંશે પ્રયાસ જણાય છેઃ કવિતા સ્વાભાવિક ઊર્મિજન્ય હાવી ઘટે; નજેવા છતાં છંદેાભંગ પણ કયાંક કળ્યાંક રહી જવા પામ્યા છે. ‘મદાલસા ' કાવ્યને સંપૂર્ણ સમજવાને ઘેાડાક સંસ્કૃત શબ્દકારો ખરીદી લેવા જોઇએ. તેમાંના કેટલાક શબ્દો તા સંસ્કૃત કે ગુજરાતી બંનેમાંથી એક ભાષામાં ન મળી શકે એવા છે. > ઉપદેશસાર—મૂળ લેખક : શ્રી રમણ મહર્ષિ, પ્રકાશક: શ્રી નિરંજનાનંદ સ્વામી, તિરુવષ્ણુામલૈ, દક્ષિણ ભારત. કિમ્મત દેઢ આને. દક્ષિણે અરુણાચલ પર્વતની તલેટીમાં શ્રી રમણમહર્ષિના આશ્રમ છે. ત્યાં રહી તેએ જીવનનાં ગૂઢ તત્ત્વા શોધે છે, તપ અને સંયમમાં જીવન વિતાવે છે, જીજ્ઞાસુઓને ભાવભર્યા ઉપદેશ આપે છે. એ ઉપદેશનાં અનેક ભાષાઓમાં ભાષાંતર થયાં છે. દારૂક વનમાં રહેતા અભિમાની ઋષિને શિવે ઉપદેશ આપેલ; મર્ષિએ એ ઉપદેશને રમણીય પંક્તિઓમાં વણી લીધા. આ એને ગુજરાતી અનુવાદ છે. અનુવાદકનું નામ નથી આપ્યું પણ તે શ્રી કીશોરલાલ ઘ. મશરૂવાળા હેાવા વિશેષ સંભવ છે. અનુવાદ ગેય, મધુર અને સુવાચ્ય બન્યા છે. પાછળના ભાગમાં આપેલ ટિપ્પણી અને સ્પષ્ટ અર્થ સમજવામાં મદદકર્તા થઈ પડે છે. શરૂઆતમાં આપેલા શ્રી રમણુમહર્ષને પરિચય ભાવપ્રેરક છે. [ સ્વીકારાયલ અને બાકીનાં પરિચય હવે પછી ] સ્વીકાર પુસ્તક-છત્રપતિ શિવાજી; માનવશરીર વિકાસ; મંજરીમાળા; સંવાદ સંગ્રહ; વિહારદિગ્દર્શન; પુરાણાં પુષ્પા; શ્રી કુમારપાળ; હેમચંદ્ર વચનામૃત; સંસ્કૃત પ્રાચીન સ્તવન સંદેશ. ત્રૈમાસિક —ફાર્બસ ત્રૈમાસિક; જૈનસિદ્ધાન્ત ભાસ્કર; કુસુમ; દેશી રાજ્ય; જૈન સિદ્ધાન્ત ભાસ્કર; માનસી; માધુરી. માસિક—પ્રસ્થાન; શારદા; યુવક; નવરચના; ખાલેજીવન; મમિત્રઃ બાળક; ફારમ; શિક્ષણુપત્રિકા; બાલવાડી; ગાંડિવ; સ્ત્રી–એધ; ગુજરાત શાળાપત્ર; કમર; વેપાર ઉદ્યોગ; વ્યાયામ; વૈજ્ઞકલ્પતરુ; ખેતીવાડી વિજ્ઞાન; દીપક; જૈન સત્ય પ્રકાશ; આત્માનંદ પ્રકાશ; કચ્છી દશા ઓસવાળ પ્રકાશ; ગીતા; પ્રગતિ; અનાવિલ જગત; ક્ષત્રિય મિત્ર; વિશ્વવિજ્ઞાન; ગુપ્ત સહાય; વિાિર; તાન; ચાળ; અનેTM; New book digest; Indian Review; The Educational Review; The New Review; Radio Times. પાક્ષિક-ભોસવા; દુન્દુભિ. અઠવાડિક——પ્રજાબન્ધુ; ગુજરાતી; ગુજરાતી પંચ, નૌકા; જૈન; જૈન જ્યાતિ; સ્ત્રીશક્તિ; લેાકસેવા; રાજસ્થાન. અહેવાલ—શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મહેસાણા; સુખ સંચારક કંપની-મથુરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ LL મહાસભાના આગેવાના સાથેના મતભેદ પછી શ્રી સુભાષચંદ્ર ખેઝે પ્રજાવિકાસની અસંભવિત ચેાજના ઠીકઠીક પ્રમાણમાં રજુ કરવા માંડી છે. જગતમાં જ્યારથી પ્રજાતંત્રની શરૂઆત થઈ છે ત્યારથી સત્તાધિકારી પક્ષના વિરેાધી નાયક્રા પ્રજાને નચવવા હંમેશ આ જ નીતિને અનુસરતા આવ્યા છે એટલે એમાં નવીનતા કંઈ નથી; પણ જ્યારે જયારે એ વિરેાધના પરિણામે એવા નાયકાના હાથમાં સત્તા સોંપી દેવામાં આવી છે ત્યારે ત્યારે તે નાયક્રા પેાતાની બિનવ્યવહારૂ યાજનાએમાંથી એકેને અમલમાં મૂકી શકથા નથી એ વસ્તુસ્થિતિ શ્રી સુભાષચંદ્ર કાં તેા જાણતા નથી, જાણે છે તેા હૃદયને છેતરે છે. તેઓ કહે છે : ‘દાનિષેધને હું જરૂરી માનું છું, પણ તેનાથી આવતું નુકશાન નવા કરા નાંખીને નહિ પણ યુરેપિયા માટે જે દારૂ પીવાની છૂટ રાખવામાં આવી છે તે દારૂ પર વધારે કર નાંખીને વસૂલ કરવું જોઈએ...અંગ્રેજોને અત્યારે સ્વાતંત્ર્ય માટે અલ્ટીમેટમ આપી દેવાના સમય પાકી ગયા છે.' દારૂનષેધ મુંબઈ ઇલાકાની પ્રજાને ગમે છે એટલે શ્રી સુભાષબાબુ એને વિધ તા કરી શકતાં નથી; પણ કર પ્રશ્નને નથી ગમતા એટલે તે દૂર કરવાની તેઓ જરૂરિયાત જણાવે છે. સ્વાતંત્ર્ય પણ પ્રજાને ગમે એટલે એને સમય પાકી ગયા હેવાનું શબ્દોમાં કહેવું એ પણ એટલું જ સહેલું ગણાય. પણ એ બધું શી રીતે સંભવિત છે, માર્ગમાં શી મુશ્કેલીએ નડે એ પ્રથમ વિચારી લેવું આવશ્યક છે. દારૂની જેમને માટે છૂટ રાખવામાં આવી છે તેમના પર શકચ કર નાંખવાતી વાત ન વિચારાઈ હાર્ટ એમ કહેવુ એ તેા પ્રધાનમંડળને દેશદ્રોહી, પરદેશીએનું મિત્ર ને દારૂની તરફેણ કરનાર કહેવા બરેાબર છે. પણ દારૂથી આવનારી ત્રણ-સાડાત્રણ કરોડની કરને લગતી અને પચાશ લાખ લગભગની વ્યવસ્થાને લગતી—એમ ચાર કરાડની ખેાટને અમુક હજાર પરદેશીએ કૅ પરવાનાધારીએ પૂરી કરી શકે એ શી રીતે મનાય? તે એ માર્ગે લેવામાં આવે તાપણુ જ્યાંસુધી હિંદુ બ્રિટનને હસ્તક છે ત્યાંસુધી એને અમલ થઈ શકવા શું સંભવિત છે? “દારૂનિષેધ, પણ કર નહિ”એ વાત તા કાલસા બાળ્યા સિવાય સેાનાને ગાળવા જેવી છે. છતાં એટલું ખરું છે કે મુંબઈ સરકારે નવા કરની જે પદ્ધતિ સ્વીકારી છે એ કરતાં ઓછી નુકશાનકારક બીજી પદ્ધતિએ તેને મળી શકત. સેલ્સ-ટેક્ષથી પૈસાદારાને જરીકે નુકશાન નથી આવવાનું. તે તે ઊલટા પ્રશ્નની ખરીદશક્તિ ઘટાડી ગરીખાનાં કપડાંની કિંમત મેાંધી બનાવરો. અને પ્રેપર્ટી-ટેક્ષથી પૈસાદાર ને જેટલું શાષવાનું હશે એ કરતાં ભાડુઆત વર્ગને અને જેમના બંધે! નવાં મકાનની બાંધણી સાથે સંકળાયેલા છે એવા કડિયા-સુચાર કે મજૂરવર્ગને વધારે શાષવું પડશે. નવા કરા નાંખતી વખતે, હંમેશાં એ કરાથી થનાર નફાની ગણતરી કરતાં, નુકશાનની ગણતરી બમણા પ્રમાણમાં કરી લેવી જોઈએ, મેટાં શહે૨ેશમાં ભાડાંના વધારા ખેહદ વધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ - સુવાસ : શ્રાવણ ૧૫ ગયો છે એ જાણીતી વાત છે. એને કાયદાપૂર્વક ઘટાડવાની વાત પણ ચર્ચાઈ રહી છે. આમ પટ-ટેક્ષ અને ભાડાનો ઘટાડો બંનેના પરિણામે, પૈસાદારો નવા મકાન બાંધવાને બદલે પિતાની મૂડીને બેંકમાં સલામત રાખવી વધારે લાભદાયી ગણશે. પરિણામે જે મૂડી કરતી ફરતી અને વહેચાતી રહેત તે સ્થિર બની, દેશી સરકારને મદદકર્તા બનવાને બદલે ઊલટી પ્રજાના વ્યવસાય પર કાપ મૂકશે ને બેંક કે લેનના વ્યાજના દર ઘટાડવામાં મદદકર્તા થઈ પડશે. ભાડાના વધારાનાં અનેક કારણોમાંનું એક મુખ્ય કારણ એ પણ છે કે પ્રજા જેટલા પ્રમાણમાં શહેરો બાજુ ધસી રહી છે એટલા પ્રમાણમાં ત્યાં મકાને ન હેઈ જેઓ વધારે ભાડાં આપવાને તત્પર બને છે તેમને જ ભાડાના મકાન મળી શકે છે. એટલે ઉપરના બંને કાયદાઓના પરિણામે નવાં મકાનો બંધાતાં જે અટકી ગયાં તો પ્રજા કંગાલ ગામડાંઓમાં પાછી નહિ ફરે, પણ ગુપ્ત રીતે પણ વધારે ભાડાં આપવાને તૈયાર બની શહેરમાં વસવાની હરીફાઈ આદરશે. આને બદલે પ્રોપર્ટી-ટેક્ષમાંથી જે ભાડાના મકાનોને બાદ કરવામાં આવે તે પૈસાદારોને એવાં મકાન બાંધવાને ઉત્તેજન મળે, એની હરીફાઈના પરિણામે ભાડાં સ્વાભાવિક રીતે ઘટી જાય, એ હરીફાઈ મકાનોને પણ સારાં અને સ્વચ્છ બનાવવામાં મદદકર્તા થઈ પડે, મૂડી ફરતી રહે, ધંધે ખીલતે રહી પ્રજની ખરીદશક્તિ ટકાવી રાખે, સરકારને જમીનનું સારું વેચાણ થાય અને સરકારી કાગળિયાં કે બેંકમાં પડી રહેતી મૂડી ઈલાકાની સ્થાવર મિલકતમાં વધારે કરી પ્રજાના ધન તરીકે વહેચાઈ જાય. આ ઉપરાંત પ્રજાને કીર્તિ પ્રેમ વિકસાવી આવકને કેટલાક સ્વૈછિક માર્ગ પણ વધારી શકાય. પ્રજાના પૈસાદાર કે સેવકવર્ગ દારૂબંધીમાં કેટલે સહકાર આપવાને તૈયાર છે એની માગણી કરવામાં આવે ને જે પૈસાદાર અમુક રોકડ કે વાર્ષિક મદદ આપવાને તૈયાર થાય કે જે સેવકે દારૂને દૂર કરવામાં પોતાનું જીવન વીતાવવા તૈયાર હોય એવાઓને, તેમણે ? કરેલી કે કબૂલેલી આર્થિક કે સેવાવિષયક મદદની કદર તરીકે, તે તે મદદના પ્રમાણમાં, ત્યદુશ્મન, દત્યવિજેતા કે દૈત્યવિક્રમ” જેવા ચડઉતર કોટિના ઈલ્કાબ આપવામાં આવે. આ ઈલકાબેને માનમરતબો સરકારની સત્તામાં હોય એટલે દરજજે વધારેમાં વધારે સન્માનનીય અને કીર્તિવંત બનાવે. જે આનું યોગ્ય સ્વરૂપ ઘડવામાં આવે તે આ પ્રયોગ જરીકે નિષ્ફળ જવા સંભવ નથી. ઊલટ તે ચાલુ ઈલ્કાબ તરફની પ્રીતિને પોતાના તરફ ખેંચશે, અને દ્રવ્ય સાથે ભાવનાને પણ ખેંચી લાવશે. આ ઉપરાંત સમૃદ્ધિસંપન્ન નિર્વશજોની ગમે તેના હાથમાં જઈ પડતી સંપત્તિ, સટ્ટો કે લખલૂટ જંગમ મિલકતો-તેના પર કર કે તે સંબંધમાં કંઈક કાયદેસર યોગ્ય વ્યવસ્થા આખી પ્રજાને ભારરૂપ નહિ થઈ પડે. ને શ્રી બેઝનું અલટીમેટમ–બ્રિટનનું પ્રધાનમંડળ જ્યાં સુધી સત્તશિરોમણીઓનું ન બને ત્યાંસુધી, એકસંપ લશ્કરી પીઠબળ કે કેઈક રાજદ્વારી યુક્તિ વિના એ કાઈને દાદ દે એમ નથી. હાઈન-પ્રદેશમાં જર્મનરૂપસુંદરીઓનાં જ્યારે હબસી સૈનિકોને હાથે શિયળ લુંટાતાં હતાં ત્યારે મહાન હન્ડબર્ગની વિનંતિઓ કે પ્રભાવની આખા યુરોપમાં કેઇએ પરવા પણ ન કરેલી. પણ આજે હીન્ડબર્ગના શિષ્યને ચરણે ઢળાય છે, કેમકે તેણે સંગ સર્યા છે, બળને એકસંપ ને વ્યવસ્થિત બનાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ * - રાજ | MT. કલા-સંસ્કૃતિ-કલાકાર શ્રી, યશ્વર ક, શુકલનાં ઈટાલિ સન્માન કરે છે. [ હવે હિંદ પણ કરશે. ] કાન્સની સરકારે જાહેર બની ગયેલી સાહિત્યકૃતિઓના પ્રકાશન પર કર નાંખી તેમાંથી ગરીબ લેખકોને મદદ કરવાનું ઠેરવ્યું છે. સર રાધાકૃષ્ણ બ્રિટિશ-એડમીના ફેલો તરીકે ચૂંટાયા છે. અલીગઢ યુનીવર્સીટીએ બર્નાડ શૈ અને એચ. જી. વેલ્સનાં પુસ્તકો પોતાના પ્રખ્યાલયમાંથી બહાર કઢાવી નાંખ્યાં છે. સ્કુલ ઑફ મોડને કેચ ખુલ્લી મૂકતાં મા. મુનશીએ કેન્ય–સાહિત્યને આપેલી અંજલિ. હિમાલય-આરેહણમાં બે પિલાંડવાસીઓનું મૃત્યુ. સસ્તુ, સાદુંને સલામતીભરેલું વિમાન બનાવવા માટે ફ્રેન્ચ સરકારે જાહેર કરેલું ત્રીશ લાખ ફ્રાન્કનું ઇનામ. શેઠ આનંદીલાલ પોદારે મુંબઈમાં આયુર્વેદિક કોલેજના મકાન ને હોસ્પીટલ માટે કરેલું સાડાત્રણ લાખનું દાન, કુમારી શાતા આપેટેના પ્રભાત-શિલ્મ કંપની સામે ઉપવાસ. [રામબાણ ઇલાજ ! ] ને ઉપવાસ છોડયા છતાં એટલો જ તંગ મામલ. [રામનું બાણ પણ એક વખત તે નિષ્ફળ ગયુંજ હતું ને ! ] હિંદથી દર અઠવાડિયે ૪૫ લાખ લગભગનું રેનું પરદેશ ચડે છે. ( હિન્દ એટલેજ કામધેનું છે ને ? ] મહાત્માજી બિમાર કવિ ખબરદારની મુલાકાત લે છે. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં કવિશ્રી ખબરદારનું વ્યાખ્યાન ગોઠવાયું છે, એકસફર્ડ યુનીવસીટીએ જાણીતા હાસ્યલેખક પી. જી. વુડહાસને ડોકટર ઓફ લીટરેચરની પદવી આપી છે. જગત-પુસ્તકમંડળે જëાન સ્ટેઈનબેકની ગ્રેપ્સ ઓફ રોથ’ નામની નવલકથા----જેના ફીલ્મ માટે લેખકને ૭૫૦૦૦ ડોલર આપવામાં આવ્યા છે-ને એગસ્ટ માસના રસિક પુસ્તક તરીકે જાહેર કરી છે. ઈગ્લાંડમાં વાર્ષિક ગર્ભપાતની સરેરાશ દેઢ લાખની આવી છે; ફ્રાન્સ સ્વરૂપતી સ્ત્રીઓનું સંગ્રહસ્થાન ખોલનાર છે. [પાશ્ચાત્ય સંસ્કૃતિનાં બંને વિકાસચિહે છે.) બસીર-આસામમાં કોલસા ને લોખંડની નવી ખાણો મળી આવી છે. [ હિંદનું આકર્ષણ વધ્યું. ) દેશ–પંજાબના હિંદી ખ્રિસ્તિઓના સમાજે જે યુદ્ધ આવી પડે તે બ્રિટનને ચરણે પિતાની સેવા પહેલેથી જ ધરી દેવાને ઠરાવ પસાર કર્યો છે. [ ધર્મનાશ્વવતા તે આનું નામ–એક ગાલે તમા પડે તે બીજે આગળ ધરવાને #પદેશ દેનાર ભગવાન ઈશુને પણ આકાશમાંથી પુપો વેરવાનું મન થાય એવી.] શ્રી. સુભાષચંદ્ર બોઝ મહાસભાના શિસ્તના નિયમન સામે દર્શાવેલો દેશવ્યાપી વિરોધ [ સિવાય દેશમાં બીજું છે પણ શું? ] મુંબઈ-સરકારના આકરા કરો સામે શ્રી. સુભાષ પિકાર. [ પોકાર ઘણી વખત પુની ગરજ સારે છે.] મહાત્માજીએ સુભાષબાબુના પલટાયલ વર્તન સંબંધમાં દાખવેલ ખેદ. મહાત્માજીને લાગે છે કે પ્રજાએ હજુ સ્વૈચ્છિક સ્વરૂપે જીગરથી શુદ્ધ અહિંસાને અપનાવી નથી. [મનુથી માંડીને ચાણકય અને કાલિકાચાર્યથી માંડીને હેમચંદ્રાચાર્ય સુધીના દરેકને એમજ લાગેલું.] બંગાળના કેદીઓના ઉપવાસ. દેશભરમાં તેમના છુટકારા માટે થળવળ. મહાત્માજી તેઓના ઉપવાસ સંબંધમાં કહે છે, “ભૂખમરાની લડત અયોગ્ય છે.” સરકાર ઉપવાસ છોડયા પહેલાં છુટકારાને પ્રશ્ન હાથ ધરવાની ના કહે છે. છેવટે બેઝબંધુઓના આગ્રહ અને બાહેધરીથી ઉપવાસ મુલતવી રખાયા છે. સિલેનમાં હિંદીઓની હાડમારીઓને નિકાલ આણવાને પંડિત જવાહરલાલ સિલોનની મુલાકાતે. પણ સિલેન હિંદીઓને ધૂકારવામાં મક્કમ છે. [ ગેરા સંસ્થાનવાદની ખૂબીજ એ છે-કે જે પ્રદેશને સંસ્થાનના દિવ્ય સ્વાતંત્ર્યહક આપવામાં આવે ત્યાંની પ્રજા પિતાના મૂળ સંસ્કાર વીસરી ગઈ હોય છે એટલું જ નહિ પણ ગેરાઓને આજીવન સ્વામી ને મિત્ર માની લેહી ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ 202 સુવાસ : શ્રાવણ 15 સંસ્કારને સંબંધ ધરાવતી યુગનૂની મિત્રએને તરછોડવાને પણ તે તત્પર બનેલી હોય છે. જ્યારે તે એવી બને છે ત્યારે જ તે સંસ્થાનને લાયક લેખાઈ હોય છે.] ઈગ્લાંડની ઉમરાવસભાએ લોર્ડ સિંહાને ઉમરાવહક સ્વીકાર્યો છે. [ ભવિષ્યમાં કામ લાગશે.] ટ્રાન્સવાલ–સત્યાગ્રહ મુલતવી રહ્યો છે. કરાંચી–કોલેજમાં હડતાળ ને લાઠીમાર. [ યુદ્ધના મેદાને સુમસામ જોઈ હિંસાદેવીએ સંસ્કાર અને સરસ્વતી–મંદિરને આમ લીધે લાગે છે.] હિંદને મુસલમાની અમલમાં લાવવા ખાકાર ચળવળ આગળ વધે છે. [બે બિલ્લીઓ ન લડે તે બંદરને મળે શી રીતે ?] દિલ્હીમાં દ્રામ-હડતાળ. અમદાવાદની કેટલીક શિક્ષણ-સંસ્થાઓને પંક્તિભેદ કડવું લાગે છે. [ એમ ન થાય તો ખ્રિસ્તીઓને સમાન સામાજિક દરજજો મળી પણ શી રીતે શકે?] ચડા-જેલમાં તોફાન, રાજા મહેન્દ્રપ્રતાપને હિંદ આવવાની અનુમતિ નથી મળતી. [ હિંદ હિંદીઓનું નથી એ વાત કંઈ નવી નથી.] સર હેરમસજી એડનવાળાનું અવસાન. મેવાડના એક જૈન શ્રીમતે પિતાના પુત્રને ખ્રિસ્તી બનતે અટકાવનારને માટે ત્રણ હજારનું ઇનામ જાહેર કર્યું છે. [ ખ્રિસ્તી પ્રચારકોને હિંદુઓની શક્તિનું માપ કાઢવાને અવકાશ મળશે.] મુંબઈમાં તિલક જયંતિ ને શરાબબંધીનાં મંગલાચરણ, હિંદી મીલઉધોગ પર ઝઝમતે ભય; મને અઠવાડિયામાં બે દિવસ બંધ રાખવાની વિચારતી યોજના; [મ ને અને એમનાં કુટુંબને બન્ને દિવસ ઉપવાસ કરી પવિત્ર બનવાને અવકાશ મળશે. ] હિંદી લકર મલાયા ને કેરે જશે. (તદ્દન સ્વાભાવિક! ] સમવાયતંત્રની અનુકુળતા માટે વડી ધારાસભાની મુદ્દત ફરી એક વર્ષ માટે લંબાણ છે. [પ્રાન્તિક્તત્વ સામેના બખાળા જેમ પિલા હતા એમ સમવાયતંત્ર સામેના બખાળા પણ બ્રિટનને એવા જ લાગે છે.] મુંબઈમાં સામાન્ય હુલ્લડ અને શાન્તિ. ગુજરાતમાં દુષ્કાળને ઉગ્ર બનતે ભય. [ રાજા કાયસ્થ કારણુભ ].. દેશી રાજ્ય- ભાયાવદરના દરબાર પદભ્રષ્ટ થાય છે. [દાક્તરે પણ અંગને સડવા દઈને પછી જ તેના પર વાઢકાપ કરે છે. રાજકોટમાં ચાર નવી આગ્લનત્તિકાઓ. (ધનભાગ્ય ! } વીરાવાળા લેન મેળવવા માટે દેડાડ કરે છે. એ પણ ધનભાગ્ય ! ] લુણાવાડા રાજયમાં ખેડૂતો પર દમન, ભરતપુરમાં સ્ત્રીએ સત્યાગ્રહને પજો. ધામીની ન્યાય માગવા આવતી પ્રજા પર ગોળીબાર [ન્યાયનાં મંદિર બંધ થતાં શયતાનનાં ખૂલે એ સ્વાભાવિક છે. રાજાઓને લંડ ટાઇમ્સ ચેતવણું આપે છે. ( સમય પાકો હશે.] હૈદ્રાબાદમાં સુધારા; લીંબડીના યુવરાજ કહે છે, “સ્વાતંત્ર્ય એ તે પ્રજાને જન્મસિદ્ધ હક્ક છે. બંને સમાન નુષ્કા છે.] હૈદ્રાબાદના સુધારા સામે ત્યાંની મુસલમાન પ્રજાને વિરોધ. [અંગ્રેજી વ્યાપારીઓ પણ હિંદને આપી દેવાયેલા સ્વરાજ્યને વિરોધ કરે છે.]. પતિયાળા જેલમાં 200 કેદીઓના ઉપવાસ. પરદેશ–-ડેન્ઝીગનો તંગ બનતો મામલો. [ હળાહળ સ્વાર્થની અથડામણ એવી જ હોય છે.] ચીન-જાપાનમાં બ્રિટનવિરિધી દેખા. ટીએન્જીન સંબંધમાં બ્રિટને સ્વીકારી લીધેલી જાપાની શરતે; પણ પછી એવીજ ઉગ્ર પરિસ્થિતિ. ચીન-જાપાન યુદ્ધની શરૂઆતથી આજ સુધીમાં સવાનવ લાખ જાપાની યુદ્ધભૂમિ પર સૂતા. કાઉન્ટ સિયાને સ્પેનની મુલાકાતે. મેન-ઈટાલિની મિત્રતામાં થતા જતે વધારે. આયરિશ રીપબ્લિકનેએ લંડનમાં ચલાવેલા ધૂમધડાકા. [તે માટે નાણાંની મદદ એમને બ્રિટનના મિત્ર અમેરિકામાંથી જ મળે છે !] ચીનાઈ ડોલરની કિંમતમાં ઘટાડે. એ પણ જાપાનનો એક વિજયજ છે! ] એંગ્લ-ફ્રેન્ચ-રશિયન મુલાકાતને નડયા કરતાં ચાલુ અપશુકને. એક અબજ પડ આપીને પણ બ્રિટન કદાચ જર્મનીની શાંતિ ખરીદે. (પ્રત્યાઘાતનાં મૂલ્ય આપવાને તે સૌ તૈયાર બને છે; આધાત વખતેજ આંખ નથી ઊઘડતી.] ટીરેલરમાંથી ઈટાલિ પરદેશીઓને હદપાર કરે છે. અમેરિકા જાપાન સાથેના વેપારી કરાર તેડે છે; જાપાન જર્મનીની સાથે નવા વેપારી કરાર કરી વળતર મેળવી લ્ય છે. સેવિયેટ ચીનને ત્રણ કરોડ પાઉન્ડની લોન આપે છે. અડાણવટમાં શું લેવાયું છે એ પણ સાથેજ જાહેર કરવું જોઈતું હતું. ) અમેરિકાના માજી પ્રમુખ હુવર વર્તમાન–પ્રમુખ રૂઝવેલ્ટની નીતિને વખોડી કાઢે છે; ત્યાંની પ્રતિનિધિ-સભા પ્રેસીડેન્ટના લેન્ડીંગ બિલ પર વિચાર ચલાવવાની પણ ના પાડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com