SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ * - રાજ | MT. કલા-સંસ્કૃતિ-કલાકાર શ્રી, યશ્વર ક, શુકલનાં ઈટાલિ સન્માન કરે છે. [ હવે હિંદ પણ કરશે. ] કાન્સની સરકારે જાહેર બની ગયેલી સાહિત્યકૃતિઓના પ્રકાશન પર કર નાંખી તેમાંથી ગરીબ લેખકોને મદદ કરવાનું ઠેરવ્યું છે. સર રાધાકૃષ્ણ બ્રિટિશ-એડમીના ફેલો તરીકે ચૂંટાયા છે. અલીગઢ યુનીવર્સીટીએ બર્નાડ શૈ અને એચ. જી. વેલ્સનાં પુસ્તકો પોતાના પ્રખ્યાલયમાંથી બહાર કઢાવી નાંખ્યાં છે. સ્કુલ ઑફ મોડને કેચ ખુલ્લી મૂકતાં મા. મુનશીએ કેન્ય–સાહિત્યને આપેલી અંજલિ. હિમાલય-આરેહણમાં બે પિલાંડવાસીઓનું મૃત્યુ. સસ્તુ, સાદુંને સલામતીભરેલું વિમાન બનાવવા માટે ફ્રેન્ચ સરકારે જાહેર કરેલું ત્રીશ લાખ ફ્રાન્કનું ઇનામ. શેઠ આનંદીલાલ પોદારે મુંબઈમાં આયુર્વેદિક કોલેજના મકાન ને હોસ્પીટલ માટે કરેલું સાડાત્રણ લાખનું દાન, કુમારી શાતા આપેટેના પ્રભાત-શિલ્મ કંપની સામે ઉપવાસ. [રામબાણ ઇલાજ ! ] ને ઉપવાસ છોડયા છતાં એટલો જ તંગ મામલ. [રામનું બાણ પણ એક વખત તે નિષ્ફળ ગયુંજ હતું ને ! ] હિંદથી દર અઠવાડિયે ૪૫ લાખ લગભગનું રેનું પરદેશ ચડે છે. ( હિન્દ એટલેજ કામધેનું છે ને ? ] મહાત્માજી બિમાર કવિ ખબરદારની મુલાકાત લે છે. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં કવિશ્રી ખબરદારનું વ્યાખ્યાન ગોઠવાયું છે, એકસફર્ડ યુનીવસીટીએ જાણીતા હાસ્યલેખક પી. જી. વુડહાસને ડોકટર ઓફ લીટરેચરની પદવી આપી છે. જગત-પુસ્તકમંડળે જëાન સ્ટેઈનબેકની ગ્રેપ્સ ઓફ રોથ’ નામની નવલકથા----જેના ફીલ્મ માટે લેખકને ૭૫૦૦૦ ડોલર આપવામાં આવ્યા છે-ને એગસ્ટ માસના રસિક પુસ્તક તરીકે જાહેર કરી છે. ઈગ્લાંડમાં વાર્ષિક ગર્ભપાતની સરેરાશ દેઢ લાખની આવી છે; ફ્રાન્સ સ્વરૂપતી સ્ત્રીઓનું સંગ્રહસ્થાન ખોલનાર છે. [પાશ્ચાત્ય સંસ્કૃતિનાં બંને વિકાસચિહે છે.) બસીર-આસામમાં કોલસા ને લોખંડની નવી ખાણો મળી આવી છે. [ હિંદનું આકર્ષણ વધ્યું. ) દેશ–પંજાબના હિંદી ખ્રિસ્તિઓના સમાજે જે યુદ્ધ આવી પડે તે બ્રિટનને ચરણે પિતાની સેવા પહેલેથી જ ધરી દેવાને ઠરાવ પસાર કર્યો છે. [ ધર્મનાશ્વવતા તે આનું નામ–એક ગાલે તમા પડે તે બીજે આગળ ધરવાને #પદેશ દેનાર ભગવાન ઈશુને પણ આકાશમાંથી પુપો વેરવાનું મન થાય એવી.] શ્રી. સુભાષચંદ્ર બોઝ મહાસભાના શિસ્તના નિયમન સામે દર્શાવેલો દેશવ્યાપી વિરોધ [ સિવાય દેશમાં બીજું છે પણ શું? ] મુંબઈ-સરકારના આકરા કરો સામે શ્રી. સુભાષ પિકાર. [ પોકાર ઘણી વખત પુની ગરજ સારે છે.] મહાત્માજીએ સુભાષબાબુના પલટાયલ વર્તન સંબંધમાં દાખવેલ ખેદ. મહાત્માજીને લાગે છે કે પ્રજાએ હજુ સ્વૈચ્છિક સ્વરૂપે જીગરથી શુદ્ધ અહિંસાને અપનાવી નથી. [મનુથી માંડીને ચાણકય અને કાલિકાચાર્યથી માંડીને હેમચંદ્રાચાર્ય સુધીના દરેકને એમજ લાગેલું.] બંગાળના કેદીઓના ઉપવાસ. દેશભરમાં તેમના છુટકારા માટે થળવળ. મહાત્માજી તેઓના ઉપવાસ સંબંધમાં કહે છે, “ભૂખમરાની લડત અયોગ્ય છે.” સરકાર ઉપવાસ છોડયા પહેલાં છુટકારાને પ્રશ્ન હાથ ધરવાની ના કહે છે. છેવટે બેઝબંધુઓના આગ્રહ અને બાહેધરીથી ઉપવાસ મુલતવી રખાયા છે. સિલેનમાં હિંદીઓની હાડમારીઓને નિકાલ આણવાને પંડિત જવાહરલાલ સિલોનની મુલાકાતે. પણ સિલેન હિંદીઓને ધૂકારવામાં મક્કમ છે. [ ગેરા સંસ્થાનવાદની ખૂબીજ એ છે-કે જે પ્રદેશને સંસ્થાનના દિવ્ય સ્વાતંત્ર્યહક આપવામાં આવે ત્યાંની પ્રજા પિતાના મૂળ સંસ્કાર વીસરી ગઈ હોય છે એટલું જ નહિ પણ ગેરાઓને આજીવન સ્વામી ને મિત્ર માની લેહી ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034628
Book TitleSuvas 1939 10 Pustak 02 Ank 04
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy