Book Title: Ramayan
Author(s): Harman Jacobi, Vijay Pandya
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/032759/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ ગ્રંથમાળા : 153 રામાયણ '(હર્મન યાકોબીના Das Ramayanaના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં અનુવાદ) લેખક હર્મન યાકોબી અનુવાદક વિજય પંડ્યા પ્રધાન સંપાદક જિતેન્દ્ર બી. શાહ भारतीय કt the elp) L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD 380 009 આવી Page #2 -------------------------------------------------------------------------- ________________ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ ગ્રંથમાળા: 153 રામાયણ (હર્મન યાકોબીના Das Ramayanaના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં અનુવાદ) લેખક હર્મન યાકોબી અનુવાદક વિજય પંડ્યા પ્રધાન સંપાદક જિતેન્દ્ર બી. શાહ હતી કે विद्यामशि લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ 380 009 2012 Page #3 -------------------------------------------------------------------------- ________________ Ramayana Gujarati Translation: Vijay Pandya General Editor Jitendra B. Shah Published by Dr. Jitendra B. Shah Director L. D. Institute of Indology Ahmedabad 380 009 (India) Phone : (079) 26302463 Fax: 26307326 Idindology@gmail.com (c) L. D. Institute of Indology Copies 500 Price : Rs. 200.00 ISBN 81-85857-36-9 Printed by Sarvoday Offset 13-A, Gajanand Estate, Old Manek Chowk Mill Compound, Nr. Idgah Police Chowky, Ahmedabad 380 016 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય રામાયણ અને મહાભારત આ બે મહાકથાઓ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. પ્રત્યેક સદીમાં આ મહાકથાઓએ ભારતીય સમાજ, લોકો અને ચિંતકોને માર્ગદર્શન આપ્યું છે. આ બન્ને કથાઓએ વિશ્વની સંસ્કૃતિઓને પણ પ્રભાવિત કરી છે અને તેથી વિદેશી વિદ્વાનો પણ આ મહાકાવ્યોનું અધ્યયન, સંશોધન આદિ કરવા આકર્ષાયા છે. રામાયણ મહાકાવ્ય ઉપર ભારતીય વિદ્યાના પ્રકાંડ વિદ્વાન પ્રો. હર્મન યાકોબીએ વિસ્તારપૂર્વકનો સંશોધનાત્મક લેખ લખ્યો છે. તે લેખ હજુ સુધી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ ન હતો તેથી અહીં તેનો અનુવાદ પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ સંશોધનમાં વિદ્વાન પ્રો.હર્મન યાકોબીએ વિભિન્ન વાચનાઓના આધારે મૂળ પાઠની તારવણી, મહત્ત્વના પાઠોની સમીક્ષા અને તેના ઉપર વિદ્વત્તાપૂર્ણ ચિંતન પ્રસ્તુત કર્યું છે. આદિકવિએ રચેલા મૂળ ગ્રંથના અંશો અંગે અને સમયે સમયે ઉમેરાયેલા પ્રક્ષિપ્ત અંશો વિશેની માહિતી આપી છે. તે ઉપરાંત સંશોધકશ્રીએ છંદ, ભાષા અને વ્યાકરણની દષ્ટિએ તુલના કરી છે. ભારતીય સાહિત્યમાં રામાયણનું સ્થાન, રામાયણની કથાનો ઉદ્દભવ અને વિકાસ જેવા મહત્ત્વના વિષયો ઉપર નિષ્પક્ષ ચિંતન પ્રસ્તુત કર્યું છે. મહાકાવ્યની રચનાની દીર્ઘ યાત્રાને પરિણામે રામાયણને વર્તમાનમાં સાંપડેલા આકાર અંગે પણ ચિંતન કરવામાં આવ્યું છે. આમ આ સંશોધન રામાયણના પ્રત્યેક જિજ્ઞાસુને ઉપયોગી થાય તેવું છે અને સંશોધકોને વિશેષ ઉપયોગી થાય તેવું છે. આ ગ્રંથનો અનુવાદ સંસ્કૃત ભાષાના વિદ્વાન અને રામાયણના અભ્યાસુ પ્રો. વિજયભાઈ પંડ્યાએ કર્યો છે તે માટે સંસ્થા તેમનો આભાર માને છે. પ્રકાશન કાર્યમાં સહયોગ કરનાર તમામ મિત્રોનો અહીં વિશેષ આભાર માનું છું. 2012, અમદાવાદ જિતેન્દ્ર બી. શાહ Page #5 -------------------------------------------------------------------------- _ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ઈ. સ. ૧૮૯૩માં પ્રકાશિત થયેલા ડૉ. હર્મન યાકોબીના મૂળ જર્મન ભાષામાં લખાયેલા Das Ramayana પુસ્તકના ડૉ. એસ. એન. ઘોસાલે કરેલા અંગ્રેજી અનુવાદની સહાયથી આ ગુજરાતી અનુવાદ વિદ્વાનો અને રામાયણ-અભ્યાસીઓ સમક્ષ મૂકતાં હું મૂળભૂત રીતે, ભક્તિભાવથી ભરેલો શ્રીભગવાન રામચન્દ્રને અર્થ અર્પણ કર્યાનો ભાવ અનુભવું છું. એમ કરી શક્યો તેનો આનંદ અને ગૌરવ તો હું અનુભવું જ. રામાયણ અભ્યાસીઓ માટે મૂળ ૧૮૯૩માં પ્રકાશિત થયેલું પુસ્તક આજે ઈ. સ. ૨૦૧૨માં પણ એટલું જ પ્રસ્તુત છે. વધુમાં ગુજરાતના વિદ્યાકીય ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાનું પ્રચલન ઓછું હોવાથી ઘણા અભ્યાસીઓ આ પુસ્તક અંગ્રેજીમાં હોવાથી ઉપયોગ કરી શકતા ન હતા અને રામાયણના અભ્યાસનો તો આ પુસ્તક પાયો છે, એમ કહીએ તો અતિશયોક્તિ નથી. એટલે મારી રામાયણપ્રીતિ એમ કહેતી હતી કે આ સૌ અભ્યાસી મિત્રો પણ આ ગ્રંથથી પરિચિત થાય એમ કરવું જોઈએ અને એટલે આનો અનુવાદ પ્રસ્તુત કરતાં એક વિદ્યાકીય ઋણ હું ફેડી રહ્યો છું એવી પણ મને અનુભૂતિ થાય છે. વાલ્મીકિ રામાયણનો સમીક્ષાત્મક અભ્યાસ (critical study) કેવી રીતે થઈ શકે એનું આ ગ્રંથ એક ઉજ્જવળ ઉદાહરણ છે. વિદ્યાકીય ક્ષેત્રમાં આધુનિક સમયમાં (પ્રાચીન સમયમાં પણ હતી જ) સમીક્ષાત્મક દૃષ્ટિ અત્યંત મહત્ત્વની છે, અને એના સિવાયનું સર્વ વિદ્યાકીય ક્ષેત્રમાં એકડા વગરના મીંડા જેવું છે. એટલે જો સમીક્ષાત્મક દૃષ્ટિ અભ્યાસીએ વિકસાવવી હોય તો આ ગ્રંથનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો જોઈએ. આ ગ્રંથનું સતત પરિશીલન કરવું જોઈએ. આજે યાકોબીએ પ્રસ્તુત કરેલાં કેટલાંક તારણો અને સ્થાપનાઓ ગ્રાહ્ય ઠરતાં નથી એ સાથે મતભેદ પણ રહેવાના, પણ યાકોબી પાસેથી આપણે કોઈ પણ ગ્રંથને કઈ રીતે સમીક્ષાત્મક દૃષ્ટિથી જોવો તે શીખી શકાય છે. યાકોબી પછી વાલ્મીકિ રામાયણ પર ઘણું કાર્ય થયું છે, અને યાકોબીની ઘણી સ્થાપનાઓ આજે ત્યાજય ઠરી છે. તો પણ આ The Page #7 -------------------------------------------------------------------------- ________________ Ramayana એક બળકટ (Seminal) પુસ્તક આજે પણ છે તે હકીકત નકારી શકાશે નહીં. ગોલ્ડમેન અને બ્રોકીન્ટન જેવા વિદ્વાનોએ રામાયણ પરની સમીક્ષાના ક્ષેત્રમાં ઘણી નવી રસપ્રદ પ્રસ્થાપના કરી છે. તે સર્વનો આધાર લઈને યાકોબીનું ખંડન પણ થઈ શકે. તો કેટલીક બાબતમાં યાકોબી આજે લગભગ 112 વર્ષ પછી પણ અવિચલ છે તે તેમની મેધાને અંજલિ છે. અંગ્રેજી અનુવાદમાં પાદટીપ ક્રમાંકમાં ક્યાંક સરતચૂક છે તો ક્યાંક છાપભૂલ છે, ક્યાંક તર્કહીન અવ્યવસ્થા છે. તો આ ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથની આકૃતિને હાનિ ન પહોંચે તે રીતે થોડી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક આજે તદ્દન અપ્રસ્તુત હોવાથી પાદટીપની વિગત છોડી પણ દીધી છે. આટલો ગુજરાતી અનુવાદકના પક્ષે ખુલાસો. આ સર્વે જેવું પણ સિધ્ધ થયું હોય તેવામાં એલ. ડી. ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડોલોજીના ગતિશીલ નિયામક આદરણીય શ્રી જિતેન્દ્ર શાહનો મોટો ફાળો છે. તેમણે મને અનુવાદ માટે પૂરાં પાડેલાં પ્રેરણા અને ચાલના વગર આ ગ્રંથનો અનુવાદ (જે કરવાનું ઘણા સમયથી મારા મનમાં હતું.) હું આ સમયમર્યાદામાં તો રજૂ કરી શક્યો ન જ હોત તે નિઃશંક છે. એટલે ડૉ. જિતેન્દ્ર શાહનો અંતઃકરણથી આભાર. અનુવાદની પ્રેસ નકલ તૈયાર કરી આપનાર મારાં વિદ્યાર્થિની શ્રી રાજવી ઓઝાનો પણ આભાર માનું છું. રામાયણના અભ્યાસમાં આ પુસ્તકનું નમ્રતાથી અને ભગવાન રામચન્દ્રને ભક્તિપૂર્વકનું અર્પણ કરી હું એક વિશેષ ભાવસ્થિતિમાં મુકાઉં છું. વિજયા દસમી, 2012 ડૉ. વિજય પંડ્યા (રાષ્ટ્રપતિ પુરસ્કૃત, 2010) ઓનરરી પ્રોફેસર એલ. ડી. ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, અમદાવાદ 380 009 Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા 1. પહેલો વિભાગ - વાચનાઓ 2. બીજો વિભાગ - પ્રક્ષિપ્ત અંશો વિશે માહિતી 3. ત્રીજો વિભાગ - ભારતીય સાહિત્યમાં રામાયણનું સ્થાન Page #9 -------------------------------------------------------------------------- _ Page #10 -------------------------------------------------------------------------- ________________ રામાયણ પહેલો વિભાગ વાચનાઓ રામાયણનો પાઠ: સાંપ્રત સમયમાં જેટલી જાણ છે તે પ્રમાણે રામાયણનો પાઠ પણ ત્રણ સંસ્કરણોમાં સચવાયેલો છે. 1. ભારતમાં જે અનેક વાર પ્રકાશિત થયું છે (અનેકમાં 1859 અને 1888 એમ બે વાર મુંબઈથી) તે અતિ પ્રચલિત સંસ્કરણને પ્લેગલે ‘ઉત્તરીય સંસ્કરણ તરીકે ઓળખાવ્યું છે. અને જે ટીકાકારોનું સંસ્કરણ છે. તે દક્ષિણ ભારતમાં ઉપયોગમાં હોવાથી અને તેમાં પ્રથમ ટીકાકાર કતક પણ એ જ પ્રદેશના હતા, અને એટલે આ સંસ્કરણનું ‘ઉત્તરીય એવું નામકરણ બંધ બેસતું નથી. તે જ રીતે બીજું નામાભિધાન ટીકાકારોનું સંસ્કરણ) પણ ગેરમાર્ગે દોરનારું છે. કારણ કે બંગાળી સંસ્કરણને પણ ટીકાકારો તો મળ્યા જ છે. આ સંસ્કરણને આપણે “સી” તરીકે (ટીકાકારોની commentator વાચના) ઓળખીશું. અમારા સર્વ સંદર્ભે બોમ્બેની બીજી આવૃત્તિ (બોમ્બે, નિર્ણય સાગર પ્રેસ 1887) પ્રમાણે છે. 2. ગોરેસિઓની આવૃત્તિમાં આપણને મળતી બંગાળી વાચનાને આપણે “બી” સંજ્ઞા આપીએ છીએ. 3. ત્રીજી વાચનાને ગીલેમીસ્ટરે નિશ્ચિત કરેલ અને, જેને તેમણે “પશ્ચિમી' એવી સંજ્ઞા આપેલી. આપણે એને “એ” સંજ્ઞા આપી છે. આ વાચના બોનની (માલ્કોમીઆનસ હસ્તપ્રતસંગ્રહ) હસ્તપ્રત દ્વારા મારી જાણમાં Page #11 -------------------------------------------------------------------------- ________________ રામાયણ આવેલ અને મારાં નિરીક્ષણોમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને લાહોરના પ્રો. સ્ટેઈનની ભલી દરમિયાનગીરીથી કાશ્મીરની બે હસ્તપ્રતો અમારી યુનિવર્સિટીના ગ્રંથાલયે મારા માટે મેળવી આપેલી. આ બે માંથી એકમાં પહેલા અને ત્રીજા કાંડનો ખંડ છે, જયારે બીજીમાં ઉત્તરકાંડ છે. કાશ્મીરની પહેલી હસ્તપ્રત બર્લીનની “એ” હસ્તપ્રત સાથે મળતી જણાય છે. આ ત્રણે વાચનાઓની પારસ્પરિક ભિન્નતાને ત્રણ પ્રકારોમાં વિભાજિત કરી શકાય. 1. આ ત્રણેમાંની દરેક વાચની બીજી બેથી ઘણી વાર જુદી પડે છે અથવા તો પાઠને લાગેવળગે છે ત્યાં સુધી જે સર્વમાં સાધારણ શ્લોકો છે તેમાં દરેક વાચના જુદી પડે 2. દરેક વાચનામાં ગણનાપાત્ર સંખ્યાના શ્લોકો કે દીર્ઘ ખંડો કે આખાને આખા સર્ગો મળે છે, જે ફક્ત તે જ વાચનામાં છે. અથવા તો બાકીની બેમાંથી એકની સાથે સમાનતા ધરાવનારા છે. 3. શ્લોકોનો ક્રમ પણ બધી જ વાચનાઓમાં અને એમાં તો જુદો જુદો મળવો સુલભ છે. છેલ્લા બે મુદ્દાઓને સંબંધ છે ત્યાં સુધી વાચનાઓનો પારસ્પરિક સંબંધ સહેલાઈથી મોખરે તરી આવે છે. બોમ્બે આવૃત્તિનો સારસંક્ષેપ અને ગોરેસિઓની આવૃત્તિનો સંબંધ એ, બી અને સી સાથેના સંબંધને સ્પષ્ટ રીતે ફૂટ કરે છે. એ પ્રત્યક્ષપણે દર્શાવે છે કે, સીના કયા શ્લોકો બીમાં પણ મળે છે, અને, આડકતરી રીતે, કયા મળતા નથી. તેમજ બીના કયા શ્લોકો સીમાં મળતા નથી. વળી, ઘણી વાર તો, બીના શ્લોકોનો ક્રમ પણ ગૂંચવાડાભર્યો છે. જો, સીનો ક્રમ આપણે સામાન્ય ગણીએ તો સીનો ક્રમ ગૂંચવાડાભર્યો છે. બન્ને વાચનાઓની પારસ્પરિક ભિન્નતા દર્શાવવા માટે સી અને બી બન્નેના ચોથા કાંડના પહેલા 30 સર્ગોના સમાન શ્લોકોને મેં ગયા. આ શ્લોકોની સંખ્યા 749 છે. પણ પ્રસ્તુત ભાગમાં કુલ શ્લોકોની સંખ્યા સીમાં 1303 છે જ્યારે બીમાં 1128 છે. હવે જો બન્નેના સમાન શ્લોકોની તેમજ બન્નેના વિશિષ્ટ શ્લોકોની સંખ્યા ગણવામાં આવે અને ટકાવારી કાઢવામાં આવે તો, આપણને આવું પરિણામ મળે છે. સીમાં સમાન શ્લોકોના 75% અને વિશિષ્ટ શ્લોકોના 43%, બીમાં સમાન શ્લોકો 66% અને વિશિષ્ટ શ્લોકો 34% છે. બધી જગ્યાએ આ આંકડા ભલે એક સરખા ન હોય, એટલું તો સલામતીપૂર્વક કહી શકાય કે, એક વાચનાના શ્લોકોને મળતા શ્લોકો બીજી વાચનામાં Page #12 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી નથી. અને, સૌથી વિશેષ તો, આપણે જો આ પરિસ્થિતિને લક્ષમાં લઈએ તો, આપણને આ વાચનાઓના મૂળ વિશે કેટલાંક મહત્ત્વનાં ઇન્વિતો પ્રાપ્ત થાય છે. વધારાના શ્લોકોને આપણે વત્તા + ના ચિહ્નથી બતાવીએ તો આપણને એવું કલ્પવાની ફરજ પડે છે કે સીની પુનર્રચના કરનારે બીના શ્લોકોને ઉમેર્યા છે, અથવા તેમાં ન મળતા શ્લોકોને બાદ રાખ્યા છે. શ્લોકોના ક્રમમાં પરિવર્તન એક બીજી ધારણા પર ભાર મૂકે છે અને તે એ છે કે સીની જેમ બી પણ પાઠનો એક સ્વતંત્ર દસ્તાવેજ છે, અને જે મુખ્યત્વે મૌખિક પરંપરાથી જાળવવામાં આવેલો. સ્મૃતિમાં સચવાયેલા શ્લોકોનો ક્રમ સહેલાઈથી ફરી જાય અને આ પ્રક્રિયામાં એ અસાધારણ નથી કે બીજી પંક્તિ પહેલી તરીકે આવે અને બે પંક્તિઓની વચ્ચે બીજો શ્લોક આવી જાય, દીર્ઘ ખંડો વિશે પણ આવું બન્યું છે. વેબરે આ પ્રમાણેનો મત રજૂ કર્યો છે જે વધુ ચોક્કસાઈભરી ચિકિત્સા માંગી લે છે. કારણ કે આપણે જોઈશું કે આ બાબતો, પહેલી દષ્ટિએ જેટલી દેખાય છે એટલી સરળ નથી. આપણે યથાર્થ પરિસ્થિતનો તાગ મેળવવા સમાન શ્લોકો દ્વારા દર્શાવાતા પહેલા પ્રકારના પરિવર્તનને આપણી નજર સમક્ષ રાખવું જોઈશે. એ એક સર્વસાધારણ મત છે કે, સી મૂળ પાઠ આપે છે. હૉલ નોંધે છે કે બંગાળી વાચના એ “આધુનિક વિકૃતિ' છે, અને “પ્રક્ષિપ્ત છે (વિલ્સનના વિષ્ણુપુરાણના અનુવાદ-૨.૧૯૦ અને ૩-૩૧૭ની તેમની આવૃત્તિમાં)* તાજેતરમાં બોટલીક પણ આ વિશે પોતાનો નિર્ણય આપે છે. “મહાકાવ્યની વિલક્ષણતાઓ આર્ષરૂપો નથી પણ પુનરચનાઓ છે, અને પરિણામે પુરાતન ભાષાનું મારીમચડીને કરેલું તે અનુકરણ છે એમ માની શકાય નહીં. એટલે જે તે વાચના, અહીં બંગાળી વાચના, આવાં પ્રકારનાં લક્ષણો ઓછાં ધરાવતી હોય, તે વધુ પ્રાચીનતાનો દાવો કરી શકે નહીં એવું સ્વીકારવાની ફરજ પડે છે. બંગાળી વાચના પહેલી નજરે વિચિત્ર અને કઢંગી જણાતી આ વિલક્ષણતાઓ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે તે મેં બે ઉદાહરણોથી દર્શાવ્યું છે. બોમ્બે આવૃત્તિનો ૪-૫૬-૨૧મો શ્લોક આમ છે. इच्छेयं गिरिदुर्गाच्च भवद्भिरवतारितुम् भने समुद्र नेतुं इच्छामि भवद्भिर्वरुणालयम् / 4.58.33 બંગાળી વાચનાને વિકૃત રીતે રજૂ કરનારને કર્મણિ અર્થમાં તુમન્ત પ્રયોગ રુચ્યો નહીં અને પરિણામે તેણે કેટલાંક એવાં પરિવર્તનો પ્રસ્તુત કર્યા કે જેને કારણે ૪-૫૬૨૯મો શ્લોક આ પ્રમાણે વંચાય છે. इच्छेयमस्माद् गिर्यग्राद भवद्भिरवतारणम् Page #13 -------------------------------------------------------------------------- ________________ રામાયણ અને 4-58-17 આ પ્રમાણે भवद्भिर्तीतमिच्छाम्यात्मानं वरुणालयम् બી દ્વારા રચેલાં પરિવર્તનો સી વાચનાએ જે સાચવ્યાં છે, તે મૂળ પાઠ આપણે પારખી શકીએ છીએ. આપણે, ગ્રંથમાં જેમ આગળ વધતા જઈશું તેમ આવા ઘણા પ્રસંગોએ આ પ્રકારની વિલક્ષણતા આપણા ધ્યાનમાં આવશે. એક ખાસ મહત્ત્વનું ઉદાહરણ આપણે અહીં ચર્ચાએ છીએ. સગરના પુત્રોએ પૃથ્વી ખોદી નાખી અને જેને દિશાગજ કહેવાય છે (સી-૧-૪૦) તે તેમની નજરે પડ્યો. એમાં શંકા નથી કે શબ્દ “દિશા” સંસ્કૃતમાં સ્વીકારાયો છે. પણ પ્રયોગ ઘણો જૂજ છે. પણ એથી ઊલટું “દિશા” શબ્દ પ્રાકૃત-પાલીમાં પ્રચલિત છે. પછીથી આને ભૂલ માની લઈને બી અને એ ની વાચનાઓમાંથી દૂર કરવામાં આવ્યો. આ કેવી રીતે બન્યું તે સંબંધિત ખંડોની તુલના કરીને નિશ્ચિત કરી શકાય. (હું બી વાચનાના પહેલા કાંડની કાશ્મીરી હસ્તપ્રતને કે સંજ્ઞા આપીશ.) 1. સી 40.13 દિન વિરૂપ ધારયન્તમ્ મહીતનમ્ બી 42.12 दिशोगजं महीमिमाम् એ 33.42 आशागजं महीमिमाम् કે 42 आशागजं इमां महीम् 2. સી ૪૦.૧૬એ તે તY" પ્રક્ષિi કૃત્વા શિવાનં મહાનિમ્ બી ૪૨.૧૫એ તે તે दिशोगजं अरिन्दम (આ જ પ્રમાણે કેમાં) એ ૩૩.૪૪બી તે તે " " વિપત્તિ રોપમન્ સી ૪૦.૧૬બી માનયત્નો હિ તે રામ નમુખસ્વી રસાતત્તમ્ બી ૪૨.૧૫બી મચમીના હિશાં પાનં ક્ષિપાં વિપરિણમ્ (આ જ પ્રમાણે કેમાં) એ ૩૩.૪૫એ ચિમના વિશે ક્ષે નાત્વી વસુન્દરમ્ 3. સી 40.20 દિશાનું સૌમનાં દશ્તે મહીવત્તા બી 42.19 મારા વ્ર સૌમનાં વંદગુર્ત તે મરીનમ્ (આ જ પ્રમાણે કેમાં) 33.99 आशागजं सुमनसं महान्तमचलोपमम् / Page #14 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 4. સી 41.7. पूज्यमानं महातेजा दिशागजमपश्यतः બી 43.7 सोऽवैक्षत विरूपाक्षं आशागजमवस्थितम् / (આ જ પ્રમાણે કેમાં) 34.7 स्तूयमानो महातेजा दिग्गजं स ददर्श ह / 41.9 दिशागजस्तु तच्छ्रुत्वा प्रत्युवाच महामतिः / બી 43.9 आशागजोऽपि तच्छ्रुत्वा पृच्छतोंऽशुमतो वचः / (આ જ પ્રમાણે કેમાં) એ 34.9 દ્રિવાડુિં----સૌખ્યમંશુમતો વવઃ 6. સી 41. 10 तस्य तद् वचनं श्रुत्वा सर्वान् एव दिशागजान् / બી 43.10 इति तस्य वचः श्रुत्वा सर्वान् एव हि दिग्गजान् / (આ જ પ્રમાણે કેમાં) એ 34.10 તી તત્ વવનમ્ કૃત્વા સર્વાન ઇવ દિ કિનાન્ ! . (આ જ પ્રમાણે કે માં) આ ઉપરના ખંડો પરથી એટલું સમજી શકાય છે કે એ અને બી પાઠમાંથી વાંધાજનક શબ્દ દિશાને દૂર કરવાનો સભાન પ્રયત્ન કરે છે. પણ તેમણે એક જ રીતે એ રીતે નથી કર્યો. કેટલીવાર તેમણે એક જ શબ્દને તેની જગ્યાએ મૂક્યો છે તો કેટલીક વાર, જુદો પર્યાય આપ્યો છે. વળી તુલના એમ પણ આગળ દર્શાવે છે કે એ હસ્તપ્રતનો ઉદ્દભવ બીમાંથી એટલા માટે નથી થયો કે એ બી કરતાં સી સાથે પ્રાયઃ વધુ સંમત થાય છે. વધુમાં બી પણ એમાંથી ઉદ્ભવી નથી કારણ કે ઓછામાં ઓછા એક પ્રસંગે (ત્રીજા ખંડમાં) બી સી સાથે સંમત થાય છે. એ સાથે નહીં. આ જ નિરીક્ષણ પાઠના બાકીના સર્વ ભાગોના સંદર્ભમાં પણ યથાર્થ છે. નિઃશંકપણે સીએ મૂળ પાઠ જાળવી રાખ્યો છે. જે ખંડોને ઉપર ટાંક્યા છે તેમાંથી બીજો એવું દર્શાવે છે કે એ અને બી વાચના સીથી જુદા પાઠ પર આધારિત છે. પંક્તિના બીજા ચરણમાં ત્રિશાસ્ત્રમ્ શબ્દ આવે છે જેને બીએ રિશાં પાનમાં પરિવર્તિત કર્યો છે. જ્યારે એમાં ઢિશોરક્ષ છે આની જગ્યાએ સી સંભવતઃ દિ તે રામ એટલા માટે ઉમેરે છે કે જેથી પછીના એક જ વાક્ય બનાવતા બે ચરણોમાં એક જ શબ્દનું પુનરાવર્તન ટળે. આ હકીકતો એવું દર્શાવે છે કે સીએ કેટલાક કિસ્સાઓમાં પ્રાચીન પાઠ જાળવ્યો છે અને બીજી વાચનાઓએ દેખીતા હેતુથી તેમાં પરિવર્તન પણ કર્યું છે. તે એ પણ દર્શાવે છે કે બાકીની વાચનાઓના કર્તાઓએ સીના પાઠની પુનર્રચના કરી હતી. પણ એની સામે એ પણ સ્વીકારવું પડે કે આવા ખંડોમાં નગણ્ય પરિવર્તનો છે અને ગણનાપાત્ર હોય તો પણ પાઠમાં તેમનો સમાવેશ કરવા માટેનું કોઈ કારણ જણાતું નથી. ગ્લેગલને પણ Page #15 -------------------------------------------------------------------------- ________________ 6 રામાયણ. આ સ્વીકારવું પડે છે. આ મત બહુ સુચારુ રીતે રજૂ થયો છે પણ વધુ પરીક્ષણ કરતાં તેમાં તથ્ય જણાતું નથી. આ પ્રકારની ધૂન અને તરંગની ધારણા સરેરાશ કદની કવિતામાં રજૂ થયેલાં પરિવર્તનોની સમજૂતી આપે છે. પણ રામાયણ જેવા મોટા કદના મહાકાવ્યની નહિ. આપણે એ ધારવું ન્યાય ગણાશે કે આ પરિવર્તનો માટેના અન્ય આયોજિત પ્રયત્નનો તરત જ અંત આવવો જોઈતો હતો અને આરંભમાં મૂળ પાઠથી ભેદ મોટો હતો પણ મધ્યમાં અને કૃતિને અંતે તે ક્રમશઃ ઓછો થવો જોઈતો હતો. પણ તેને બદલે, આરંભમાં, મધ્યમાં અને, અંતે આપણને વધુ મહત્ત્વનાં અને ઓછાં મહત્ત્વનાં પરિવર્તનો મળે છે. તે જ પ્રમાણે ઉમેરણો અને હાસ પણ ઓછાવત્તા મહત્ત્વનાં મળે છે. આ એવી હકીકતો છે કે જે પુનર્રચના કરનારની ધૂન પ્રમાણેની પ્રવૃત્તિની ધારણા સાથે બંધ બેસતી નથી. આવા કિસ્સાઓ ફક્ત એક જ પુનર્રચના કરનારની ધારણા નહિ પણ ઓછામાં ઓછા બેની એક બી માટે અને બીજી એ માટે ધારણા કરવી પડે. પણ આ સર્વે મુશ્કેલીઓ તરત જ અદશ્ય થઈ જાય જો આપણે એવી અવધારણા બાંધવા તૈયાર હોઈએ કે જેમાં વાચનાઓ નિશ્ચિત થવાના સમયે અસ્તિત્વ ધરાવતા રામાયણનો પાઠ કરનારા વ્યવસાયી સૂતચારણોની સંસ્થા હયાતીમાં હતી અને તેથી તે એવી ફૂલી-ફાલેલી હાલતમાં હતી કે મૌખિક રીતે જળવાયેલા પાઠની પણ હયાતી ધરાવતી હસ્તપ્રતો કે લોકો પાસે રહેલી અંગત નકલો જેટલી જ અધિકૃત હતી. આપણને અંદાજથી પણ જાણ નથી કે કૃતિનું સૌ પ્રથમ ક્યારે સંપાદન કરવામાં આવ્યું પણ આપણે કંઈક નિશ્ચિતતા સાથે, એવી ધારણા બાંધી શકીએ કે આ સંપાદન ત્યારે કરવામાં આવ્યું જ્યારે લેખનનું પ્રચલન સાર્વત્રિક થયું. એ વિચિત્ર જ જણાય કે લેખનની રીતિ મહાકાવ્યને પણ લાગુ પાડવામાં ન આવે. પણ એથી કરીને સૂતચારણો રામાયણના ખરા પારંપરિક જાળવણી કરનારા અને ઉભાવક છે એમ માનતાં આ વિગત અટકાવી શકશે નહીં. આવી ધારણાથી માનેલી ઘટનાના વિકાસ માટે આવશ્યક એવી ઉપર કહેલ હકીકતો સમજવામાં સરળ બને છે. એ અત્યંત સ્વાભાવિક છે કે કંઠસ્થ કરેલાં પદ્યોના ક્રમમાં સ્મૃતિમાં ગૂંચવાડો પેદા થતો જ હોય છે, ખાસ કરીને હજારો પઘોનો એક સાથે પાઠમાં પણ ગણનાપાત્ર પરિવર્તન આવ્યું હોય, કારણ કે સૂતચારણને જો કોઈ શ્લોક યાદ ન આવે તો તે અવકાશ પોતે (નવી રચના કરીને) ભરી દેવા સમર્થ હતો. આપણે એ વિગત પણ લક્ષમાં લેવી જોઈએ કે, સૂત-ચારણો પોતાના સમયના પ્રશિષ્ટ સાહિત્યમાં સુશિક્ષિત હતા. ગૌડી અને વૈદર્ભ શૈલી પૂર્વ અને પશ્ચિમના પ્રદેશમાં ઉદ્દભવી હતી અને આ પ્રદેશો પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં કેન્દ્રો હતાં. એટલે મહાકાવ્યની ભાષાની Page #16 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી અનિયમિતતાઓ પ્રત્યે લોકો કંઈક અંશે તિરસ્કારથી જોતા અને પરિણામે બંગાળી અને પશ્ચિમી વાચનાઓમાંથી તે દૂર કરવાના સભાન પ્રયત્નો થયા. પણ આના ઉપરથી કોઈ એવી તો દલીલ ન જ કરે કે, આવી પરિસ્થિતિને કારણે, વ્યાકરણદુષ્ટ રૂપો મહાભારતમાં આવતાં અટકી ગયાં. કારણ કે રામાયણ એ કાવ્ય ગણાતુ અને આ પ્રકારના સ્વરૂપનાં લક્ષણોએ પણ, રામાયણના પાઠના આકાર પર પોતાનો પ્રભાવ છોડ્યો. પણ આવી વિચારણા મહાભારતમાં એટલા માટે ઉદ્ભવતી નથી કે મહાભારત ઘણા પ્રાચીન સમયથી ધર્મશાસ્ત્રનો ગ્રંથ ગણાવા લાગ્યો હતો. એક વખત આ વાચનાઓ નિશ્ચિત થઈ ગઈ અને વિદ્વાનોના લેખનની પરંપરામાં જળવાઈ ગઈ, તેથી તેનું ભાગ્ય પણ આવા પ્રકારની અન્ય કૃતિઓ જેવું જ બની ગયું. વિસ્તાર કરનાર પણ પોતે જેને પ્રક્ષિત માને તેને ગાળી નાખે, ભિન્ન પાઠોમાંથી પસંદગી કરે અથવા અટકળથી ભ્રષ્ટ પાઠને સુધારવા પ્રયત્ન કરે. તિલક ટીકામાંથી આપણને આ પ્રક્રિયાનું આખું ચિત્ર મળે છે. અને તેના કર્તા રામવર્મનના સમીક્ષાત્મક દૃષ્ટિબિન્દુનો પણ આપણને ખ્યાલ મળે છે. અસ્વીકૃત કે સ્વીકૃત એવા પાઠોનો ઘણીવાર ઉલ્લેખ થાય છે. આ પાઠોને પ્રાચીન (ઉં. ત. બંગાળી સંસ્કરણ 1-93, 102-154), પારંપરિક પા (5-50-18, 21-21) (6-48-3) અથવા સામwાયિક એવા નામથી ઓળખવામાં આવે છે. (1-16-29) ઘણી હસ્તપ્રતોને આધારે વ૬પુસ્તકમત (૧-૨૧૮)અથવા અ-પારંપરિક અપાજી (6-6 6-25) અથવા નવી અટકળનો આધુનિઋત્વિત: પાટ: (5-1-102, 42-9) વગેરેનાં પ્રમાણથી આ પાઠોનો ઘણી વાર સ્વીકાર કરવામાં આવે છે અથવા તેમનો ત્યાગ કરવામાં આવે છે અથવા ઉચિત ઠેરવવામાં આવે છે. ઘણાં પાઠાન્તરો એવા પણ છે જે નથી સ્વીકારાયા કે નથી સ્પષ્ટપણે તેમનો ત્યાગ કરવામાં આવ્યો. આવા પાઠાન્તરો દક્ષિણ ભારતની આવૃત્તિમાં મળે છે.૧૦ આ સર્વ પાઠાન્તરો સંખ્યામાં ઘણાં ઓછાં છે અને બીજી વાચનાઓની સરખામણીમાં ઓછાં મહત્ત્વનાં છે. એક સુખદ અકસ્માતને કારણે ભિન્ન વાચનાઓને જેને કારણે આકાર સાંપડ્યો છે તે હકીકતોમાં આપણને એક અંતર્દષ્ટિ મળે છે. આને કારણે કેટલેક અંશે પાઠના ઇતિહાસ વિશેનાં યથાર્થ તારણો આપણે તારવી શકીએ છીએ. 28 પદ્યોનો એક દીર્ધ ખંડ સી અને એમાં ત્રણ વાર અને બીમાં બે વાર પુનરાવર્તિત થાય છે. રાવણ દ્વારા બંદી બનાવાએલી સીતા પાસે રામચન્દ્રનો સંદેશ લઈને આવેલા અને સીતા પાસેથી વિદાય લેતાં પહેલાના હનુમાનનો સીતા સાથેનો સંવાદ આ ખંડનો વિષય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ રામાયણ આ ખંડ સીમાં અને એમાં પહેલવહેલા આ પ્રસંગે હનુમાનને જે સાહસ કરવું પડ્યું તેનું વર્ણન પહેલાં આવે છે. આ પ્રસંગ પછી આ ખંડ ફરી આવે છે. જ્યારે બીમાં પહેલવહેલો આવે છે. (બીમાં આ બીજી વાર આવે છે જ્યારે હનુમાન રામને સંદેશો આપે છે ત્યારે આ જ ખંડ ત્રીજી વાર આવે છે.) સર્વ પાઠાંતરો સાથે હું આ ખંડનો પાઠ પહેલા ભાગને અંતે આપું છું. ત્યાં રજુ થયેલી સામગ્રી પરથી આપણે જોઈ શકીએ છીએ કે, એ ને એ જ વાચનામાં પણ પાઠ અચલ રહ્યો નથી, પણ અન્ય પાઠાંતરો પણ દરેક પુનરાવર્તન સમયે પ્રવેશી ગયાં છે. વાચનાના સંપાદકોએ, પૂર્વતર ખંડ સાથે પછી પાઠમાં પ્રવેશેલા ખંડને સરખાવવાની તસ્દી લીધી નથી. પણ તેમને જે સામગ્રી મળી તેને આધારે ખંડનો પાઠ નિશ્ચિત કર્યો છે અને આ જ સર્વસામાન્ય પદ્ધતિ હતી. હવે, એક જ વાચનામાં ખંડના પુનરાવર્તનનાં પાઠાન્તરો અસંખ્ય હોય પણ તાત્ત્વિક રીતે અર્થભિન્નતા ન ધરાવતાં હોય તો, આપણે જોઈ શકીએ છીએ કે અગણિત પાઠાન્તરો-જે અનભિપ્રેત છે પણ અનિવાર્ય છે-નો ભોગ પાઠ કેવી રીતે બને છે. એક જ વાચનામાં જુદા જુદા ખંડોનાં પાઠાંતરો કરતાં જુદી જુદી વાચનાઓમાં એકજ ખંડમાં જોવા મળતી સમાનતા વધુ મહત્ત્વની છે. તે નિઃશંક છે કે, ત્રીજું એ પહેલાનું શાબ્દિક પુનરાવર્તન છે. પણ ત્રીજાના 42 થી 48 શ્લોકો બધી જ વાચનાઓનાં મળતા નથી. (બી-૧માં નથી પણ બી-૨માં મળે છે.) અને ત્રીજા કરતાં એકના સમાપનના શ્લોકો જુદા છે. અહીં વળી, ત્રણે વાચનામાં સંમતિ છે. આના પરથી એટલું તો જરૂર તારવી શકાય કે એ, બી, સી, કોઈક પ્રાચીન વાચનામાંથી ઊતરી આવી છે, અને એટલે 1 અને ૩માં આ ભેદ પ્રદર્શિત થયો. ઉર (Ur)-મૂળ વાચનાને લેખિત સ્વરૂપ મળ્યું ન હતું એ મતને અનુમોદન આપતી આ દલીલ થઈ શકે નહીં. પણ હજુ પાઠની પરંપરા મુખ્યત્વે મૌખિક હતી. એ વાત બહુ પ્રાચીન કાળમાં સ્થાપિત થઈ ચૂકી હતી. એટલે રામાયણની પહેલી આવૃત્તિ પણ પાઠનાં પરિવર્તનો અને પરસ્પર પરિવર્તનોને ઘૂસી જતાં અટકાવી શકી નહીં. આ અ-સાંપ્રદાયિક ગ્રંથની મૌખિક પરંપરામાં અનિવાર્ય હતું અને સહેલાઈથી સમજાવી શકાય તેમ હતું. સર્વ વાચનાઓ પ્રકાશમાં આવે અને સમીક્ષિત આવૃત્તિના સ્વરૂપમાં પ્રકાશિત થાય ત્યારે જ આ સંરક્ષિત વાચનાઓ પરથી ઉર (Ur) વાચના સ્થાપિત થઈ શકે. - હવે આપણે આગળ એ નિષ્કર્ષ પર આવવું જોઈએ કે રામાયણની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ તે પહેલાં પારંપરિક ઢબે દીર્ઘકાળ સુધી મૌખિક રીતે આ સચવાયેલું. એ સમયે રામાયણ એક જથ્થામાં હશે. આને આપણે ડીઆસ્કસ (Diaskeuse)*(ડીઆસ્કેસ (જર્મન ભાષા) એટલે એવું લખાણ જે સતત પોતાને ભૂસે છે અને નવી કલાકૃતિ તરીકે Page #18 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી : નિષ્પન્ન થાય છે.) કલાકૃતિના સ્વરૂપમાં સ્થપાયું ગણી શકીએ જેને Uથી ઓળખાવી શકાય. પહેલા કાંડના પહેલા અને ત્રીજા સર્ગની સામગ્રીનું સર્વેક્ષણ આના આધારે છે. આ સામગ્રીની બે અનુક્રમણિકામાં પહેલી વધુ પ્રાચીન છે કારણ કે, તેમાં પહેલા અને છેલ્લા કાંડની પ્રક્ષિપ્ત ગણાતી સામગ્રી આવતી નથી, જે બીજી અનુક્રમણિકામાં આવે છે. આપણે એનું પરીક્ષણ હાલ પૂરતું બાજુ પર રાખીએ છીએ. આપણે હજુ પ્રાચીન ભારતીય ગ્રંથોમાં મળતા રામાયણનાં ઉદ્ધરણોથી ફલિત થતી વિવિધ વાચનાઓની ચકાસણી કરવાની બાકી છે. મહાભારતનાં ઉદ્ધરણો વિશેનો વિચાર આપણે અલગ પ્રકરણમાં કરીશું અને તેને ગણતરીમાં ન લઈએ તો, ભવભૂતિના ઉત્તર રામચરિતમાં શબ્દશઃ અવતરણો મળે છે. મા નિષદ્ર (એ જ સ્વરૂપમાં ધ્વન્યાલોકમાં આનન્દવર્ધને ઉદ્ધત કર્યો છે.) એ જ પાઠ સાથે સર્વ વાચનાઓમાં મળે છે. પણ તેનો આપણે અહીં વિચાર કરવાના નથી. બાલચરિત (એટલે બાલકાંડ) ના છેલ્લા અધ્યાયના બે શ્લોકો ભવભૂતિએ ઉદ્ધત કર્યા છે પણ બી વાચનામાં નથી અને સી અને એમાં એકદમ જુદા સ્વરૂપમાં મળે છે. પણ બર્લીન હસ્તપ્રત એ અને કાશ્મીર હસ્તપ્રત એક બીજા સાથે બરાબર મળતી આવે છે અને ભવભૂતિના શ્લોકો સાથે પણ ત્રણ પાઠાન્તર સિવાય મળતી આવે છે. આ શ્લોક त्वदर्थमिव विन्यस्तः शिलापादोऽयमग्रतः / यस्याऽयमभितः पुष्पैः प्रवृष्ट इव केसरः / / સીના પ્રક્ષિપ્ત સર્ગમાં આવે છે. પણ બીજી કોઈ વાચનામાં નથી મળતો. બોનની હસ્તપ્રતનો શ્લોક આની ઘણી નજીક આવે છે. ____ त्वदर्थमिव विन्यस्तः शिलापट्टोऽयमग्रतः / यस्याऽयमग्रतः पुष्पैः प्रहृष्ट इव केसरः // બાકીની હસ્તપ્રતોના પાઠ વેબરમાં મળે છે. અને જેની સાથે એ અને કાશ્મીરની હસ્તપ્રત શબ્દશઃ મળતી આવે છે. એટલે એવું ફલિત થાય છે કે જે વાચનામાંથી ભવભૂતિએ અવતરણ આપ્યું છે તે પશ્ચિમની બહુ જ નજીકની છે. જો કે આ નિષ્કર્ષ એકદમ અસંદિગ્ધ તો નહીં કહેવાય કારણ કે મૂળ વાક્ય વાંધાથી મુક્ત નથી. ભવભૂતિએ વાલ્મીકિના ખરબચડા રત્નને પોતાના હેતુથી સંસ્કાર્યું હોય, અને ઉત્તરરામચરિત એક લોકપ્રિય કૃતિ છે. અને ઘણી પેઢીઓએ ઉત્કટ લાગણીનાં આંસુઓ સાર્યા છે, એટલે એ શક્ય છે કે ભવભૂતિએ જે આકારમાં પદ્યો આપ્યાં હોય તેણે મૂળને એવા પ્રદેશમાં ધકેલ્યું હોય કે જયાં અલંકૃત કવિતા માટેની અંગત રુચિએ રામાયણના પાઠ પર પોતાનો પ્રભાવ Page #19 -------------------------------------------------------------------------- ________________ 10 રામાયણ પાથર્યો હોય. એ વિશેષ રીતે દર્શાવવામાં આવ્યું છે કે, જે ખંડ ભવભૂતિએ આપ્યો છે તેનો સંદર્ભ સીની વાચના સાથે છે. એ સાથે નહીં. પાંચમા અંકના ઉપાજ્ય પદ્યમાં, રામના ખર સાથેના યુદ્ધમાં રામે પાછાં ભરેલાં ત્રણ પગલાંનો ઉલ્લેખ થયો છે. કેવળ સી-૩-૩૦, 23 આની સાથે સમાનતા ધરાવે છે. तमापतन्तं संक्रुद्धं कुतास्त्रो रुधिराप्लुतम् / अपासर्पद् द्वित्रिपदं किञ्चित् त्वरितविक्रमः // આ પદ્ય ગોરેશિયોની આવૃત્તિમાં જરા જુદી રીતે આવે છે, અને ત્યાં ખાસ કરીને દિત્રિપદું શબ્દ જે આપણા માટે ખાસ મહત્ત્વનો છે તે ત્યાં નથી. तमापतन्तं वेगेन दीप्तास्यं रुधिरप्लुतम् / अपसृत्य ततः स्थानाद् दृष्टवा त्वरितविक्रमः // બોનની હસ્તપ્રતમાં આ શ્લોક છે જ નહીં, બર્લીનની બન્ને હસ્તપ્રતોમાં ડૉ. કલાટ જણાવવાની કૃપા કરે છે તે આ પ્રમાણે છે. એ : તમેવાડઉપદ્રવત્ વૃદ્ધ વૃત્તાë ધક્ષત | अपसर्पत् प्रतिपदं किञ्चिच्चैव परिक्रमम् // બી : તમેવાડમદ્રવત્ વૃદ્ધત્તાકું ધરતમ્ | अपसर्पत् प्रतिपदं किञ्चित् त्वरितविक्रमः // ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતમાં આનન્દવર્ધન ૩-૧૬-૧૭ને ઉદ્ધત કરે છે. જેનું બીજું અધું ચરણ પદ્ય 79 પરની અર્જુનવમેદવની (૧૩મી સદીનો આરંભ) ટીકામાં એ જ પ્રમાણે મળે છે. શ્લોક આ પ્રમાણે છે. रविसंक्रान्तसौभाग्यस्तुषारावृतमण्डलः / निश्वासान्ध इवाऽदर्शश्चन्द्रमा न प्रकाशते / બધી જ વાચનાઓમાં પહેલા અર્ધચરણમાં તુષાર મળે છે, બીજુ અર્ધચરણ કેવળ સીમાં મળે છે, બીમાં સનિશ્વાસ રૂવા મળે છે તો કાશ્મીરની હસ્તપ્રતમાં નિષ્ઠાવાન વા, બોન હસ્તપ્રતમાં નિરાયાવદ્રશ્ય (મૂળનું છે !). આનન્દવર્ધન અબ્ધ શબ્દને છોડી દે છે જે કેવળ સીમાં આવે છે. કાવ્યાલંકારવૃત્તિ ૪-૩-૧૪માં વામન કવિના નામનો ઉલ્લેખ કર્યા સિવાય નીચેનો શ્લોક ઉદ્ધત કરે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી गगनं गगनाकारं सागरः सागरोपमः / राम-रावणयोयुद्धं राम-रावणयोरिव બીજું અર્ધ ચરણ સી ના ૬-૧૦૭-૫૨માં આવે છે. પહેલું ચરણ આ પ્રમાણે છે. सागरं चाम्बरप्रख्यं अम्बरं सागरोपमम् / દેખીતું છે કે વામન કરતાં આ પાઠ વધારે સારો છે. આ પરિવર્તન જણાય છે અને તે “અનન્વય અલંકારનાં વધુ ઉદાહરણો દર્શાવવા માટે થયેલું લાગે છે. વધુમાં વામનના ગ્રંથની બધી જ હસ્તપ્રતોમાં પહેલું ચરણ મળતું નથી. જો આપણે વામનના આ પદ્યને રામાયણનું અવતરણ ગણીએ તો આપણે એ માનવું પડશે કે, વામનને સી વાચના જાણીતી હશે અથવા તો સીની નિકટની કોઈક કારણકે એ અને બીમાં ઉપર ઉદ્ધત પદ્ય મળતું નથી. આઠમી અને નવમી સદીનાં ઉપર્યુક્ત ઉદ્ધરણો આપણને એટલું સ્વીકારવાની ફરજ પાડે છે કે તે સમયે કેવળ એક જ વાચના અસ્તિત્વમાં હતી જે સી ની નજીક હતી અને સંભવતઃ બીજી પણ જે અત્યારની એની નિકટ છે. રામાયણનાં કાવ્યાત્મક સર્જનો જેવાં કે ક્ષેમેન્દ્રનું સમાયણ-કથા-સાર-મંગરી'' (૧૧મી સદીની મધ્યમાં) અને ભોજનું રામાયણ-વધૂ (સંભવતઃ એ જ સમય) દ્વારા પણ જે પાયામાં છે તે વાચનાઓ વિશે નિર્ણય આપણે તારવી શકીએ છીએ. ખાસ કરીને પહેલી કૃતિ મૂળ ગ્રંથ સાથે પોતાને જોડીને પદે પદે તેને અનુસરે છે. હવે આપણે એ જોઈએ કે એ અને બીમાં આમ તો વધારાના ખંડ સાથે એ કેવી રીતેનો સંબંધ ધરાવે છે. સીમાં બાલકાંડને અંતે યુધાજીની વિનંતિથી દશરથ ભરત અને શત્રુષ્ણને માતામહને ત્યાં મોકલે છે. તેનું પાંચ પદ્યમાં વર્ણન છે. (77.15 બીથી ૨૦-એ) એ અને બીમાં બે સર્ગમાં વિસ્તારથી આ વાત બહેલાવી છે. દશરથનો પોતાના પુત્ર ભરતને ઉપદેશ છે અને રાજકુમારના શિક્ષણની પિતામહ કરેલી વ્યવસ્થા આ બાબતોનું વર્ણન થયું છે. ક્ષેમેન્ટે આપેલા ઉદ્ધરણમાં સંબંધિત પદ્યો આ પ્રમાણે છે : ततो मातामहपुरं भरतः पितुराज्ञया / शत्रुघ्नानुगतः प्रायान् मातुलेनाभियाचितः / / स तत्र गुणरत्नानां महोदधिरिवापरः / जग्राह सकला विद्या गुरुभ्यो विपुलाशयः / / सच्छास्त्राधिगमात् तस्य धर्मसंक्रान्तिदर्शनम् / मनो बभूव विशदं माजितं सुकृतैरिव // Page #21 -------------------------------------------------------------------------- ________________ રામાયણ भरते सानुजे राज्ञः कैकेयस्य पुरे स्थिते / उत्कण्ठाकुलितो भेजे चिन्तां दथरथो नृपः // ભરતના શિક્ષણના ઉલ્લેખ પરથી એવું ફલિત થાય છે કે ક્ષેમેન્દ્ર છે અને સંભવતઃ બીનો ઉપયોગ કર્યો. જ્યારે બીજી તરફ ભોજે સંભવતઃ સી નો ઉપયોગ કર્યો કારણકે ભરતની મુલાકાત વિશે એક સંક્ષિપ્ત ઉલ્લેખ તે નીચેના પદ્યમાં કરે છે. (બીજા કાંડના આરંભમાં) गच्छता दशरथेन निर्वृतिं भूभुजामसुलभां भुजबलात् / मातुलस्य नगरे युधाजितः स्थापितौ भरतलक्ष्मणानुजौ / / કમનસીબે રઘુવંશના 12 સોંમાં રામાયણનું પુનઃ કથન એટલું સંક્ષિપ્ત છે કે, એના આધારે વાચનાની ચર્ચા થઈ શકે તેમ નથી. પણ છતાં એક હકીકત હું જણાવ્યા સિવાય રહી શકતો નથી. કાલિદાસ, ચિત્રકૂટથી ભરતે વિદાય લીધી ત્યાર પછી 12-22 અને ૨૩માં વાયસે કરેલા અનાદરને કારણે થયેલી સજાનું વર્ણન કરે છે. જ્યારે આપણી પાસેની વાચનામાં ભરત રામને મળે છે તે પહેલાં આ ઘટના બને છે, અને તે જ પ્રમાણે રામાયણ-કથા-સાર-મંજરીમાં પણ છે. સી જો કે એને પ્રક્ષિપ્ત ગણે છે અને તેથી ભોજ એનો ઉલ્લેખ કરતા નથી. વાયસનો પ્રસંગ ઘણો પુરાણો છે કારણ કે સીતા હનુમાન દ્વારા રામને આ પ્રસંગની યાદ કરાવે છે. પણ મૂળ કથામાં આ પ્રસંગ બનતો નહીં હોવાથી એ શક્ય છે કે જયાં આ ખંડને ઉમેરવામાં આવ્યો છે ત્યાં કોઈ સંગતિ જળવાઈ નથી. અને જે વાચનાનો કાલિદાસે ઉપયોગ કર્યો છે ત્યાં આ પ્રસંગ જુદા જ સ્થળે આવે છે. એટલે આ ઘટનાએ પછીથી આકાર લીધો છે. સમાપનમાં હું મલ્લિનાથના ઉદ્ધરણોના ઉલ્લેખ કરું છું જેનો આ પહેલાં નિર્દેશ થઈ ચૂક્યો છે. આ અવતરણો સી વાચનાનાં છે. કેટલીક વાર બોમ્બે સાથે મળતાં આવે છે. તો કેટલીક વાર દક્ષિણ ભારતની આવૃત્તિઓ સાથે મળતાં આવે છે, પણ મેં જે અવતરણો અહીં ચર્ચા અને, રામાયણના જે સંદર્ભો આપ્યા તે રામાયણની સામગ્રીના અભ્યાસમાંથી મને પ્રાપ્ત થયેલા છે, અથવા કોઈ ખાસ પ્રયત્ન સિવાય મને પ્રાપ્ત થયેલા ઘણા પુરાવાઓ ક્રમશઃ પ્રકાશમાં આવશે અને તેના આધારે રસપ્રદ નિરીક્ષણો કરી શકાશે. પણ તે અમારા અભિપ્રાયની વિરુદ્ધ જનાર નથી પણ અમારા મતને અનુમોદન આપનાર બનશે. અમારો મત એ કે પ્રમાણમાં પ્રાચીન કાળમાં, ઘણી વાચનાઓ અસ્તિત્વમાં હતી. અહીં સીતા પાસેથી વિદાય લેતા હનુમાનના પ્રસંગનો જુદાં-જુદાં સંસ્કરણો અને વાચનાઓમાં મળતાં પાઠાન્તરો સાથેનો પાઠ આપે છે. પ્રથમ છે બોમ્બે આવૃત્તિનો પ Page #22 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 13 ૩૯માં આવતો પાઠ, બીજામાં એ જ સ્થળે મળતું બીજું સંસ્કરણ 5-56. ત્રીજામાં ત્રીજું સંસ્કરણ 5-68. ટી થી દક્ષિણ ભારતીય આવૃત્તિઓનાં પાઠાન્તરોનો નિર્દેશ કર્યો છે. પછી પશ્ચિમ ભારતીય સંસ્કરણનાં પાઠાન્તરો જે બોન હસ્તપ્રતોનાં છે. જેનો પહેલા, બીજા અને ત્રીજામાં એથી નિર્દેશ કર્યો છે. છેવટે, બંગાળી વાચનાનાં પાઠાન્તરો (ગોરેસિયોની भावृत्ति) छ ने भी संशा द्वितीय (5-53) भने तृतीय (५-६८)मा मापी छ. ततस्तं प्रस्थितं सीता वीक्षमाणा पुनः पुनः / भर्तृस्नेहान्वितं वाक्यं सौहार्दादनुमानयत् / / 19 / / सी 1 . अनुमान्य च - 2 સી भर्तुःस्नेहान्विता, 31 मने 2ii हनूमन्तमभाषत उभ नथ.. એ 1 એ वाक्यम् माटे भर्तुः / अन्वमानयत् 2 એ सीता भाटे दृष्ट्वा सी 30 भर्तृस्नेहादिदं वा भर्तुःसुहृद(म्) तमथाब्रवीत्, ત્રીજામાં નથી. બી 2 એ तमभिप्रस्थितम् सी. 30 भर्तृस्नेहाद् इदं वा सौहार्दात् तमथाब्रवीत् ત્રણમાં નથી यदि वा मन्यसे वीर वसैकाहमरिन्दम / कस्मिंश्चित् संवृते देशे विश्रान्तः श्वो गमिष्यसि // 20 // સી 2 એ यदि त्वम् तात, इहानघ सी क्वचित् सुसंवृते 1 ટી વગેરેમાં 2-20-27 નથી. मे 1 मे वीरनी ४०या तावत् 2 मे यदि त्वम्...तावद् सी. क्वचित् सुसंवृते उसी यदि मा भी 2 मे यदीह---तात सी. क्वचित् त्वम् 3 में यदि माम् मम चैवाल्पभाग्यायाः सान्निध्यात् तव वानर / अस्य शोकस्य महतो मुहूर्तं मोक्षणं भवेत् / / 21 / / सी 1 टी में सी51 अल्प 2 सी शोकस्यास्याप्रमेयस्य 3 स्याद् अपि क्षयः 3 मे चाप्यल्प सी.30 शोकविपाकस्य मुहूर्तं स्याद् विमोक्षणम् से चाप्यल्प, बी वीर्यवान् सी.31. सी उम Page #23 -------------------------------------------------------------------------- ________________ રામાયણ એ 1 બી तव वीर्यवान्, सी.30 शोकस्यास्य विपारस्य मुहूर्तं स्यादपि क्षयः 2 સી 2 જેમ 3 બી વીર્યવત્ સીડી સી ર જેમ. બી 2 અને 3 સી સી ર જેમ. 3 40. दर्शनेन तवानघ सी स्याद्यदि क्षयः बा दर्शनेन तवानवसार ततो हि हरिशार्दूल पुनरागमनाय तु / प्राणानामपि सन्देहो मम स्यान्नात्र संशयः // 22 // सी 1 मे. गते हि. जी से गते हि. भी पुनः सम्प्राप्तये त्वयि सी प्राणेष्वपि न विश्वासो मम वानरपुङ्गव / 3 . गते हि त्वयि विक्रान्त. जी तु भाटे वै टीम. सी. 3 नाम वण विक्रान्ते छे. એ 1 એ गते हि जी पुनरापत्तये त्वयि. डी. नास्ति संशयः गते हि जी मूहूर्तसमये त्वयि सी. सी. 2 4 4 अपि न. ४२यामे इह 3 मे गते हि. ची पुनः सम्प्राप्तये त्वयि બી 2 એ गते हि. भी मुहूर्तं गगने त्वयि. सी.31. विश्वासो मम न स्यात् प्लवङ्गम गते हि. भी पुनरागमनात् त्वयि तवादर्शनजः शोको भूयो मां परितापयेत् दुःखाद् दुःखपरामृष्टं दीपयन्निव वानर // 23 // સી 2 એ अदर्शनं च ते वीर. बी. दारयिष्यति. सी. डी. दुःखतरं प्राप्तां दुर्मनः शोककर्शिताम् उ मे भी जं चापि भयं. सी. पराभूताम् दुर्गताम दुःखभागिनीम् टी सी3. सी 3 म એ 1 એ तव चादर्शनं वीर. सी.31 दुःखदुःखतरं भृत्वा दुर्मनस्कां अभागिनीम् अदर्शनं हि तेतीव की तापयिष्यति सी.30 दुःखदुःखतरं प्राप्य दुर्मनस्कां ह्यभागिनीम् तवादर्शनमप्येतद् ही तापयिष्यति, सी.डी तरं भूत्वा दुःखितां दुःखभामिनीम् की 2 सी 2 म. जी. मे ४म. 30. दुःखितां शोककर्शिताम्. 3 से जंवीर Page #24 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 15 به مه به पी. से 38म. सी.30 इदं दुःखतरं भूत्वा दुःखानां मन्दभागिनीम्. अयं च वीर सन्देहस्तिष्ठतीव ममाग्रतः / सुमहांस्त्वत्सहायेषु हर्युक्षेषु हरीश्वर // 24 // सी 1 टी 0 हरीश्वरः 2 सी सुमहत्सु ही महाबलः 3 सी. त्वत्सहायेन 30 असंशयः 20 30 नसंशयः महाबलः 3 30. वानरेषु महामते तिष्ठतीह 1. महाबल अयं हि 3 च संशयः कथं नु खलु दुष्पारं तरिष्यति महोदधिम् / तानि हर्यक्षसैन्यानि तौ वै नरवरात्मजौ // 25 // सी 18 जी तरिष्यन्ति 2 जी सन्तरिष्यन्ति सागरम् 3 थी तरिष्यन्ति टीम 59 तम४ मे 1 ली तरिष्यन्ति 2 वी पारयिष्यन्ति सागरम् पी 2 श्री तरिष्यन्ति 3 में नु ने पहले तु जी तरिष्यन्ति सी वानरसैन्यानि त्रयाणामेव भूतानां सागरस्येह लङ्घने शक्तिः स्याद् वैनतेयस्य तव वा मारुतस्य वा // 26 // सी 1 टी पी सागरस्यास्य 2 जी. सागरस्यति 3 31 वायोर्वा तव चानघ टी. की मां ની જેમ એ 2 બી सागरस्याति... 3 जी सरपुं सी गतिः स्याद् બી ર બી सागरस्याभि... 34 सागरस्य विलङ्घने तद् अस्मिन् कार्यनिर्योगे वीरैवम् दुरतिक्रमे / किं पश्यसे समाधानं त्वं हि कार्यविदां वरः // 27|| सी 1 टी सी पश्यसि 2 थे. बी तद् अत्र कार्यनिर्बन्धे समुत्पन्ने दुरासदे सी. पश्यसि 3. कार्यविशारदः 3 अने. टी. सी पश्यसि 30. ब्रूहि वाक्यविदां वर. Page #25 -------------------------------------------------------------------------- ________________ 16 રામાયણ 22 3 अस्मिन ना ४२या अहम् मे 1 मे. संयोगे 2 सीन भ 3 3. देवैरपि दुराक्रमे सी. पश्यसि .. त्वं वीर 40 2 मे निर्बन्धे थी. समुत्पन्ने सुदारुणे, सी पश्यसि 32 कार्यविशारदः ___ 3 मे बी सन्देहे सम्प्राप्तवति दुष्करे सी पश्यसि ही कार्यविशारदः काममस्य त्वमेवैकः कार्यस्य परिसाधने / पर्याप्तः परवीरघ्न यशस्यस्ते फलोदयः // 28 // सी. 2 बलोदयः ते 4 प्रभाए 20 से 3 wi એ 1 ડી तु बलोदयः 2 . न त्वदुचितं मम 3 0 14 जी 2. नान्यश्चेति मतिर्मम 3 30 किंतु विज्ञापयामि ते बलैः समग्रैयुधि तं रावणं जित्य संयुगे / विजयी स्वपुरं यायात् तत् तस्य सदृशं भवेत् // 29 // સી 1 ટી मे यदि सी.... पुरीं 3. तत्तु मे स्याद् यशस्करम् भ. नथी 3 अने टी में यदि की हत्वा रावणमाहवे पुरीं रामो / नयेत् तत् स्याद् यशस्करम् 1 मे यदि की विजित्य च दशाननम् सी. रामो सी 3 लेभ. 2 ५छीना Reas पछी मावे छे. मे बी शरैस्तमुग्रं यदि मां युधि निर्जित्य रावणम् सी. रामो 1. सी. 3 भ में यदि जी जित्वा रावणमाहवे સી अयोध्यां स्वं पुरीं रामो 80 सी उठेभ બી 2 એ यदि जी निहत्य रजनीचरान सी. 31. नयेच्च रामः परं तत् स्याद् यशस्करम् उसे ली जित्वा मां रावणं यदि संयुगे सी. 31 नयेत स्वपुरी रामस्तत् स्यात् तस्य यशस्करम् बलैस्तु संकुलां कृत्वा लङ्कां परबलार्दनः / मां नयेद् यदि काकुत्स्थस्तत् तस्य सदृशं भवेत् // 30 // સી 1 भने 2 8. मे शरैस्तु..... भी. 2 थी परपुरञ्जयः 3 जी पुरीम् સી 3 એ 1 અને 3 બી 2 અને ૩માં આની પહેલાં નિમ્નપદ્ય આવે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ 17 હર્મન યાકોબી यथाहं तस्य वीरस्य वराद उपधिना हृता / रक्षसा तद्भयाद् एव तथा नार्हति राघवः // એ 1 બી वञ्चयित्वा हृता वनात् / बी 2 बी सी विरहे रुदती सती / हृता ह्येतेन पापेन 3 बी बलाद् सी. जीवतां रक्षसां एव / तद् यथा तस्य विक्रान्तं अनुरूपं महात्मनः / भवेद् आहवशूरस्य तथा त्वमुपपादय // 31 // भवत्य ते 4 प्रभारी 28 भने 3 सी. टी, એ 2 3बी 2,3 तद् अर्थोपहितं वाक्यं प्रश्रितं हेतुसंहितम् / निशम्य हनुमान् शेषं वाक्यमुत्तरमब्रवीत् // 32 // સી 1 ટી भी प्रश्रितं ने पहले सहितम् शेषं भाटे वीर 2ii तस्य (!) 3 सी. निशम्याहं ततस्. अब्रुवम् टी स२ . मे 2 जी... संयुतं, सी तस्या 3 श्री. संयुतम् सी. प्रशम्याहं ततस्तस्या, 30 अब्रुवम् બી 2 બી प्रसृतम्, सी वीरो 3 00 प्रसृतम् सी प्रशम्याहं ततः ही अब्रुवम् देवि हर्यक्षसैन्यानां ईश्वरः प्लवतां वरः / सुग्रीवः सत्यसम्पन्नस्तवार्थे कृतनिश्चयः // 33 // सी 1 टी सी सत्त्व.... उ भने टी. सी. सत्त्व.. टी. 2 मा मा भने उन 46 सुधीनां પદ્યો નથી. मे 1,2,3 बी प्रवतां, सी. सत्त्व.... 3 से बी. सैन्येन संवृत्तः / બી 2,3 એ वानरसैन्यानां, सी. सत्त्व 2 वी शत्रुतापनः / स वानरसहस्राणां कोटिभिरभिसंवृतः / क्षिप्रमेष्यति वैदेहि राक्षसानां निबर्हणः // 34 // Page #27 -------------------------------------------------------------------------- ________________ રામાયણ सी 2 सुग्रीवः प्लवगाधिपः, उभ नथी. એ 1 ડી निषूदकः 2 . प्रियकृत् ते महाबलः, 3 भi नथी. બી 2 સી ડી सुग्रीवो वैदेहि प्लवगाधिपः उभा नथी 35 थी. 41. 2. सी. मे मां नथी. तस्य विक्रमसम्पन्नाः सत्त्ववन्तो महाबलाः / मनः संकल्पसंपाता निदेशे हरयः स्थिताः // 35 // सी 3 सी. सदृशा. मे 131 निर्देशे 3 बी. सत्य सी....... सिद्धार्था निर्दशे बी 2 सी. ... ...सम्पन्ना निर्देशे 3 सी.....सम्पन्ना येषां नोपरि नाधस्तान्न तिर्यक् सज्जते गतिः / न च कर्मसु सीदन्ति महत्स्वमिततेजसः // 36 // सी 1 टी वगैरे नहि, 3 20 से एषाम्, मे उ मे तेषाम् मे 2 आने 3 नाधश्च, सी न ते, 3 विक्रमाः असकृत् तैर्महौत्साहै: ससागरधराधरा / प्रदक्षणीकृता भूमिर्वायु मार्गानुसारिभिः // 37 / / સી 1 સી प्रदक्षिणा 3 मने टी 3 में श्री महाभागैर्वानरैबलसंयुतै,: એ 1 ડી सर्व 3 मे तैश्चापीयं महाभागैः सत्त्ववद्भिर्महात्ममिः બી 2 भने उ मे नैकशस्तैर्महाभागैः मद्विशिष्टाश्च तुल्याश्च सन्ति तत्र वनौकसः / मत्तः प्रत्यवरः कश्चिन्नास्ति सुग्रीवसन्निधौ // 38 // બી 2 उमे तथा तुल्याः अहं तावद् इह प्राप्तः किं पुनस्ते महाबलाः / नहि प्रकृष्टाः प्रेषन्ते प्रेष्यन्ते हीतरे जनाः // 39 // એ 1 ડી हीनते 2 . प्रेषयन्त्यवरान् वराः / की 2 3 सी.30 नहि प्रकृष्टान् प्रेषयांस्तु प्रेषयन्त्यवरावरान् / Page #28 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 18 तद् अलं परितापेन देवि शोको व्यपैतु ते / एकोत्पातेन ते लङ्कामेष्यन्ति हरियूथपाः // 40 // भी 3 भने 3 2040 शोको ना ४२यामे मन्युर् 3 2ii सी ते भाटे वै એ 1 भने, 3 जी मन्युर् 3 31 कपिकुञ्जरः जी. 2 3 40 मन्युरपैतु 31 हरिपुङ्गवाः मम पृष्ठगतौ तौ च चन्द्रसूर्याविवोदितौ / त्वत्संकाशं महासंघौ नृसिंहावागमिष्यन्ति // 41 // सी 1 टी सी महासत्त्वौ 3 सी. महाभागे टी. भ. 5 तेम थे 1. सी. महासत्वौ 30. राजपुत्राविहेष्यतः 3 से भी हृष्टतुष्टा तु वैदेहि भविष्यस्याचारादिव सी महाभागौ બી 2 અને 3 સી મીંમાન 3 એ વ ને બદલે દિ અહીંથી 48 સુધીના શ્લોકો ૩માં નથી. तौ हि वीरौ नरवरौ सहितौ रामलक्ष्मणौ / आगम्य नगरी लङ्कां सायकैर्विधमिष्यतः // 42 // सी 1 टर में ततो वीरौ मे 1,2 मे तौ च, भीमा नथी.. सगणं रावणं हत्वा राघवो रघुनन्दनः / त्वामादाय वरारोहे स्वपुरी प्रतियास्यति // 43 // सी 1 टी स्वपुरम् 2 मे भी राक्षसं हत्वा नचिराद् स्वाम् मे 1 . स्वपुरम् 2 બી नचिराद् 31. स्वां पुरीमभियास्यति / બી 2 બી वरवर्णिनीम् 3. स्वां पुरीम् तद् आश्वसिहि भद्रं ते भव त्वं कालकाङ्क्षिणी न चिराद् द्रक्ष्यसे रामं प्रज्वलन्तमिवानिलम् // 44 // સી 2 એ समास्.....सी.32 क्षिप्रं द्रक्ष्यसि रामेण निहतं रावणं रणे. એ 1 ડી अचिराद् द्रक्ष्यसि पतिं तपन्तमिव भास्करम् Page #29 -------------------------------------------------------------------------- ________________ 20 રામાયણ 2 સી ડી માં સી ર જેમ, બીમાં પણ તેવું निहते राक्षसेन्द्रे च सपुत्रामात्यबान्धवे / त्वं समेष्यसि रामेण शशाङ्केनेव रोहिणी // 45 // 1 ટી એ માટે મિન એ 1 અને 2 એ 2 ની જગ્યાએ તું क्षिप्रं त्वं देवि शोकस्य पारं द्रक्ष्यसि मैथिलि / रावणं चैव रामेण द्रक्ष्यसे निहतं बलात् // 46 // સી 2 ટી क्षिप्रमेष्यति काकुत्स्थो हर्यऋक्षप्रवरैर्युतः (टी. वृतः) / यस्ते युधि विनिर्जित्य शोकं व्यपनयिष्यति // टर 1 बी यास्यसि 1 निहतं द्रक्ष्यसे चिरात् भेजी यास्यसि २मने उभीमा नथी. एवमाश्वास्य वैदेहीं हनुमान् मारुतात्मजः / गमनाय मतिं कृत्वा वैदेही पुनरब्रवीत् // 47 // अभ्यवादयत् / એ 2 ડી जानकीम् 7. 30. जानकीम् નિમ્નલિખિત પદ્યો રમાં નથી. तं अरिघ्नं कृतात्मानं क्षिप्रं द्रक्ष्यसि राघवम् / लक्ष्मणं च धनुष्पाणि लङ्काद्वारमुपागतम् // 48 // સી 3 એ अरिघ्नं सिंहसंकाशम् ते 4 प्रभा ટી 3 સી धनुष्मन्तम् 31. टी. 3 उपस्थितम् એ 1 સી ससुग्रीवम् 31 उपस्थितम् उ से अरिघ्नं सिंहविक्रान्तम् बी. द्रक्ष्यति 3. उपस्थितम् બી એ બી न चिराद् द्रक्ष्यसे रामं सुग्रीवं च महाबलम्, ही उपस्थितिम् नखदंष्ट्रायुधान् वीरान् सिंहशार्दूलविक्रमान् / वानरान् वारणेन्द्राभान् क्षिप्रं द्रक्ष्यसि संगतान् // 49 // એ 3 સી वानरेन्द्रांश्च / द्रक्ष्यति की 3 सी वानरेन्द्राभान् 31. चागतान् Page #30 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી शैलाम्बुदनिकाशानां लङ्का मलय सानुषु / नर्दतां कपिमुख्यानां आर्ये युथान्यनेकशः // 50 // સી 3 ડી नचिराच्छोष्यसे स्वनम्. ટી 3 अचिराच्छोष्यसि स्वनम् એ 1 સી हरि... श्रोष्यसि निस्वनम् 3 सी. 30 कपीनां नर्दताम् आर्ये श्रोष्यसे नचिराद् गिरः / जी में नीलाम्ब.... सी.30 .....सैन्यानां नचिराच्छ्रोस्यसे ध्वनिम् 1 (સીએ)માં સમાપનના શ્લોકો स तु मर्माणि घोरेण ताडितो मन्मथेषुना / न शर्म लभते रामः सिंहार्दित इव द्विपः // 51 // मे मे स हि मर्मसु घोरेषु रुद मा देवि शोकेन मा भूत् ते मनसो भयम् / . शशीव भर्ना शक्रेण संगमिष्यसि शोभने // 52 // टीपी प्रियं सी पत्या 31 भर्ना नाथवती ह्यसि मे मे मा शुचो देव्यशोकार्हे भी मनसि क्लमः ___सी वशिनी श्रीरिवेन्द्रेण 3. 2. नाम - रामाद् विशिष्टः कोऽन्योस्ति कश्चित् सौमित्रिणा समः / अग्नि-मारुत कल्पौ तौ भ्रातरौ तव संश्रयो // 53 // मे मे जी को (प) विशिष्टास्तु रामेण सौमित्रेर्वापि कः समः संश्रयः / नास्मिश्चित्रं वत्स्यसि देवि देशे रक्षोगणैरध्यषितेऽतिरौद्रे न ते चिरादागमनं प्रियस्य क्षमस्व मत्संगमकालमात्रम् // 54 // मे तत्सङ्ग 3 (સી એ બી)માં સમાપ્તિના શ્લોકો निवृत्तवनवासं च त्वया सार्धमरिन्दम / अभिषिक्तं अयोध्यायां क्षिप्रं द्रक्ष्यसि राघवम् // 28 // Page #31 -------------------------------------------------------------------------- ________________ રામાયણ એ આ નિર્વ... માટે તુ ડી ઝૂક્ષતિ ततो मया वाग्भिरदीनभाषिणी शिवाभिरिष्टाभिरभिप्रसादिता / उवाह शान्ति मम मैथिलात्मजा तवातिशोकेन तथातिपीडिता // 29 // ટી એ મસિMા, સી ન TE, ડી fપ શોન તા એ એ તથા બી માય રિતું પ્રસાવિતા. સી વાર, ડી 7 વાપિ યથાનિ... બી એ તથા સીડી ૩વી શક્તિ મમ વાર નાની 7 વાપિ શીવ પ્રગહીવનન્દ્રિતા | પાદટીપ 1. બર્નેલની (તાંજારના મહેલની સંસ્કૃત હસ્તપ્રતોની વર્ગીકૃત અનુક્રમણિકા, 1879, 1888) પૃ.૧૭૯ પર, કતક વિશે આ પ્રમાણે નોંધ છે. તેના વતન વિશે ચોક્કસ હોવું અશક્ય છે, પણ, મંગલશ્લોકમાં કાલહસ્તીશને નમસ્કાર દક્ષિણ તેલુગુ પ્રદેશનો નિર્દેશ કરે છે. રામવર્ગને ઉદ્ધત કરેલા 2-70-29 પરના ખંડમાં કતક કાંજીવરમાં જો વા મળતા એક વિશેષ પ્રકારના વાહન(માનવ)નો ઉલ્લેખ કરે છે. જ્યારી 2 તથા પ્રસિદ્ધમ્. દેખીતું છે કે, કતક દક્ષિણના હતા. જો, ટીકાકાર રામાનુજને સંપ્રદાયના સ્થાપક સાથે એકરૂપ ગણી શકાય તો તે આપણી દક્ષિણ ભારતની વાચનાના વિસ્તારના અનુમોદનમાં એક વધારાનો પુરાવો બનશે, અને, એ જ રીતે, તવારીખ પર આધારિત નિર્ણય માટે એક રસપ્રદ સૂચન નીવડશે. રામવર્મન તિલકમાં ૫-૨૮૧૯માં (રામાનુનસમ્રાયપુસ્ત૬) રામાનુજ નો ઉલ્લેખ કરે છે. તિલકના કર્તા રામવર્મનું મહારાષ્ટ્ર અથવા ઉત્તર ભારતના જણાય છે, કારણ કે તે 5-1-168 પર વિતાને સમજાવતાં વન્દવાનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ મરાઠી અને હિન્દુસ્તાની બન્નેમાં સરખો છે. 1-59-19 પર મુષ્ટિક શબ્દની ટોન્ડ થી સમજૂતી પણ આ જ મતને અનુમોદન આપે છે. આ શબ્દ હિન્દીના ડોમ અને મરાઠીના ડોન્ડ સાથે સમાનતા ધરાવે છે. આ શબનો નિકાલ કરનારી હલકી જાતિનું નામ છે. બ્રાઉનના તેલુગુ શબ્દકોશમાં આ શબ્દ નથી. ૧૮૬૪ની પ્રથમ બોમ્બે આવૃતિની દ્વિતીય બોમ્બે આવૃતિ સંશોધિત આવૃત્તિ છે. જેમાંથી મૂઈ ઉદ્ધત કરે છે તે વધારે જૂની કલકત્તા આવૃત્તિ મને ઉપલબ્ધ નથી. પણ હું જાણું છું કે, પ્રતાપ ચંદ્રરાય (કલકત્તા ૧૮૮૧)ની પછીની આવૃત્તિ (જ મને ભેટ મળેલી)ના એક થી ચાર કાંડો, મેં સરખાવ્યા છે તે બોમ્બે આવૃત્તિ સાથે મળતા છે. મહેશ્વરતીર્થ અને ગોવિન્દરાજની ટીકાઓવાળી મદ્રાસ ૧૮૫૬ની સૌથી જૂની તેલુગુ આવૃત્તિની મને જાણ છે. અનન્તનારાયણ શાસ્ત્રી અને રામસ્વામી શાસ્ત્રી આ બે પંડિતોએ આ આવૃત્તિ Page #32 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 23 તૈયાર કરી છે. (નાનાશાનીતશ્રીમદ્રામાયણમૂના-નાસ્થપાટમે યુpયુ$વિવારપૂર્વ મુખ્ય સંશોધ્ય) ૧૮૬૩માં બેગ્લોરથી કન્નડ લિપિમાં પ્રકાશિત પહેલા છ કાંડોના પાઠ સાથે, આ આવૃત્તિનો પાઠ મળતો આવે છે અને, આ આવૃત્તિમાંથી, મેં સરખામણી કરી છે ત્યાં સુધી મદ્રાસ ૧૮૬૯ની ગીફ્લેમીસ્ટરની આવૃત્તિઓ છાપવામાં આવી છે. ૧૮૬૯માં મદ્રાસમાં ગ્રંથલિપિમાં છપાયેલી આવૃત્તિ પણ હું જયારે આ આવૃત્તિઓનો ઉલ્લેખ કરું છું અથવા તો પાઠાન્તરો નોંધું છું ત્યારે, હું તેમના માટે t, kit, G, સંજ્ઞાઓ પ્રયોજું છું. 3. કતક સભાનપણે પ્રક્ષિપ્ત-શ્લોકોની સ્વીકૃતિ વિશે કેવો વ્યવહાર કરે છે તે વિચારણામાં લેવાનું છે. ગમે તે હોય, બીજી વાચનાનો પાઠ તેમને જાણીતો ન હતો અથવા તો, ઓછામાં ઓછું એમને નોંધપાત્ર લાગ્યો ન હતો એ હકીકતનો વિચાર કરીએ તો, આનાથી વિપરિત પરિસ્થિતિને પહેલેથી જ બાકાત રાખવામાં આવી છે. 4. પોતાની આવૃત્તિના વિલ્સનના વિષ્ણુપુરાણનો અનુવાદ 2-190 અને 3-317. 5. તેલુગુ અને કન્નડ આવૃત્તિઓમાં તે તે પાઠ મળે છે. 6. તેલુગુ 1, કન્નડ અદશ્યત પાઠ. 7. તેલુગુ 1,2, કન્નડ પ્રત્યાહાંડશુમતી વર્ષ: I વધુ મહત્ત્વની અંલંકારશાસ્ત્રીઓના ગ્રંથોમાંથી આપણે આ વિભિન્ન શૈલીઓની લાક્ષણિકતાઓ શી હતી તે જાણીએ છીએ એટલે આપણે વિશ્વાસપૂર્વક એ વિધાન કરી શકીએ તેમ છીએ કે જે શૈલીની ભિન્નતા રામાયણના વિવિધ વાચનાઓના ઉદ્દગમ્ માટે જવાબદાર ન હતી. ગૌડીશૈલીની લાક્ષણિકતાઓ રામાયણના બંગાળી સંસ્કરણમાં જોવા મળતી નથી. 9. મહેશ્વરતીર્થે એક પ્રગલ્મ અટકળ કરી હોવાનું જણાય છે. રામવર્મનું પોતાના તરફથી કોઈ આધાર સિવાય મહેશ્વરતીર્થની અટકળો જણાવે છે. દા.ત. બી.વી. 13-42 તીર્થસ્તુ ‘વિરાત્રીયમ્ મમ' इति पाठं प्रकल्प्य 45 अत्र 'जीवित संगमः' इति पाठं कल्पयामास / 10. શ્લેગલ પ્રસ્તાવનાના પૃ. 34 પર જણાવે છે કે, એક ટીકાકાર પ્રમાણે 2-101, શ્લોક (તં તુ સમ: વગેરે) દાક્ષિણાત્ય પાઠમાં નથી મળતો પણ, તીર્થ અને રામવર્મનું આ પ્રકારનો કશો ઉલ્લેખ કરતા નથી. એથી ઉલટું ગોવિન્દરાજના કહેવા પ્રમાણે શ્લોક ખોટી જગ્યાએ (101 સર્ગમાં) છે. ૧૦૩મા સર્ગ પછી તે ૧૦૪માં સર્ગ તરીકે આવે છે. કન્નડ, તેલુગુ અને ગ્રંથ આવૃતિઓમાં ખરેખર પછીની જગ્યાએ છે. અહીં એ પણ ઉલ્લેખી શકાય કે, રઘુવંશ 13-73 પર મલ્લિનાથ બોમ્બે આવૃત્તિમાંથી 6-127-41 શ્લોક ટાંકે છે. પણ, તેમાં મવાને બદલે મવાદ્ય તત: પાઠ છે. દક્ષિણભારતની આવૃત્તિઓમાં પણ આ આવે છે. એ બોમ્બે આવૃત્તિ સાથે લગભગ મળતો આવે છે, જયારે બી 111-36 જુદો શ્લોક આપે છે. મલ્લિનાથ રઘુવંશના 2-75 પર રામાયણનો 1-37, 10 થી 14 શ્લોકો ટાંકે છે. ૧૦એમાં તેઓ બોમ્બે આવૃત્તિના પરમ્ વિરુદ્ધ ટી ની સાથે પર્વતમ્ વાંચે છે. ટીના નેતુ થી ઊલટું બોમ્બની સાથે 13 એમાં રૂત્યેનદ્ વાંચે છે અને ૧૩dમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ રામાયણ ટી ન, અવોર્થવ અને બોમ્બના અવશીર્થત ની જગ્યાએ અવીર્યત વાંચે છે. આ જ ટીકાકાર કિરાત 1-9 પર નિન્દ્રીય પ્રમશ સ્વરોષે પરણવત્ ટાંકે છે. બોમ્બે અને દક્ષિણ ભારતીય આવૃત્તિઓમાં ૨-૧-૨૪માં સ્વતોષપરકોષવિત્ એવું જુદું પાઠાન્તર છે. આ એ અને બીમાં તો છે જ નહીં. 11. જુઓ બૂહલરનો કાશ્મીરનો અહેવાલ પૃ. 47. ખૂહલરે વાચનાના પ્રશ્ન સાથે આને સંબંધ છે, તેનો ઉલ્લેખ કર્યો છે. હું પ્રો. સ્ટેનનો આભારી છું. એમણે ક્ષેમેન્દ્રના ગ્રંથની હસ્તપ્રત મને મેળવી આપી. D B E Page #34 -------------------------------------------------------------------------- ________________ બીજો વિભાગ પ્રક્ષિપ્ત અંશો વિશે માહિતી હવે આપણે એક બીજા ક્ષેત્રની સમીક્ષા કરીએ. જેઓ રામાયણનો અભ્યાસ કરવામાં રોકાયેલા છે તેઓ એ તારણ પર ચોક્કસ આવ્યા છે કે વાચનાઓમાંની ભિન્નતા સિવાય પણ પાઠમાં ઘણાં ઉમેરણો અને પરિવર્તનો છે. હું હવે આદિકવિની કલમમાંથી ન ઉતરી આવ્યા હોય તેવા ઘણા અંશો છે તે દર્શાવવાનો પ્રયત્ન કરીશ. પહેલો પ્રયત્ન તો એ છે : કયા માપદંડથી પુરાતન પાઠથી પછીના ખંડને જુદો તારવી શકાય? આપણે કેટલાંક પરિબળો જોઈશું જેમાં છંદ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. થોડા અપવાદો સિવાય રામાયણમાં શ્લોકનું માપ બરાબર જાળવવામાં આવ્યું છે. આપણે એની ચર્ચા પછી કરીએ છીએ. મહાભારતમાં અને કૃત્રિમ કવિતાઓમાંના જેવા જ છંદો છે. પથ્યા સિવાય પણ વિપુલાના ચાર પ્રકારો તો જાણીતા જ છે. અને તેના જે નિયમો જણાવવામાં આવે છે તે અહીં પણ લાગુ પડે જ છે. નિયમમાં અણચિંતવ્યા અપવાદો પણ ધ્યાનમાં લીધા છે. હું બોમ્બે આવૃત્તિના 2 થી 6 કાંડોમાંના અપવાદો નોંધમાં ઊતારું છું અને સાથે સાથે દક્ષિણ ભારતીય આવૃત્તિઓના પાઠો તેમ જ તેની સાથે બી-૧માં સમાનતા ધરાવતા શ્લોકોનો પણ ઉલ્લેખ કરું છું'. છંદની દૃષ્ટિએ ખામી ધરાવનારા શ્લોકોમાંથી ઘણા ઓછા 2-6 કાંડમાં આવે છે, અને તેથી સગવડ માટે આપણે એની કાંઈ નોંધ ન પણ લઈએ પણ 1 અને 7 કાંડોમાં તે કેવી રીતે આવે છે, જ્યારે વિદ્વાનો તેમની પ્રમાણભૂતતા વિશે જ વાજબી શંકા ધરાવે છે. હકીકકતમાં, છંદની વિશિષ્ટતાને લાગેવળગે છે ત્યાં સુધી આ બે કાંડો બાકીનાથી જુદા પડતા નથી. શ્લોક તે જ લક્ષણો નિયમિતપણે દર્શાવે છે અને તેનો કુશળતાથી ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ તેમાં બે અપવાદો છે. એક તો પહેલા કાંડમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ રામાયણ, વિશ્વામિત્ર પ્રસંગ અને છેલ્લા કાંડમાં રાવણ-પ્રસંગ આ બંન્નેમાં એવા ઘણા શ્લોકો છે જે છંદની દષ્ટિએ વિશિષ્ટ અને દોષભર્યા હોય. પહેલાં ખંડમાં નીચેનાં ચરણો અનિયમિત છે. 1-54-9 વમુwતુ વ્રÈ (બી 1 55-9 બ્રહ્મÈવમુસ્તુ) પ૩-૩ સેકન્નડુ પ્લેચ્છથ (બી. પ૬-૩ 2 ની જગ્યાએ તુ) (ટી... 2 સ્વૈચ્છી એ 1. 2 રો.) 56-14 તેવુ શાન્તપુ બ્રહ્માસ્ત્રમ્ (તે જ પ્રમાણે બી અને ટી) 64-5 માં મા પૈવી રાખે પદં તે વરુણ્વ મમ શાસનમ્ (ટી મા પૈવીર્વમ્ વર રોડે) (ગાયથી) (બી 66- 5 વં મે શરુ માં મૈપી: પ્રિય છે પ્રિયભાષિણી ) 65-13 સમૂઢમિવ ગ્રોવચમ્ (બીમાં નથી) 65-27 પૂનામા દ્રષિમ્ (બીમાં નથી) 64-5 ના અપવાદ સિવાય આ સર્વ ચરણો છંદની દૃષ્ટિએ ગાથા-બોલીની જેમ બરાબર છે. આ ચર્ચાસ્પદ 54-56 અને 65 સર્ગોની બાબતમાં સાચુ છે. આ સર્ગોમાં વિશ્વામિત્રે બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યાની વાત છે. આની વચ્ચે આવનારા 57 થી 64 સર્ગોમાં વિશ્વામિત્ર વિશેની પુરાકથાઓ (ત્રિશંકુ, અમ્બરીષ અને શુનઃ શેપ) નું આંશિક નિરૂપણ થયું છે. પણ મુખ્ય કથાનક સાથે સીધું જોડાયેલું નથી અને આંશિક રીતે, પ્રથમ વાર્તાનું જ વિસ્તરણ છે જેમાં વિશ્વામિત્ર પ્રથમ રાજર્ષિ (57) પછી મહર્ષિ (63, 64) અને છેવટે બ્રહ્મર્ષિનું ગૌરવ પ્રાપ્ત કરે છે. એટલે છંદની વિશેષતા એ હકીકતનો પૂરાવો છે કે ખંડ સંપૂર્ણ હોય અને સર્વ વાચનાઓમાં સ્વીકૃત હોય તો તે, મૂળ લેખક સિવાયના કવિએ રચેલો હોય અને મૂળ લેખકે તેનો સમાવેશ કર્યો હોય. એ જ આધારે રાવણકથાચક્ર ધરાવનારા ૭મા કાંડના ભાગને પણ ભિન્ન કવિરચિત સ્વીકારવો જોઈએ. તેના કારણમાં અહીં પણ બહુ વિસ્તારી નહીં તેવા ખંડમાં છંદની દષ્ટિએ વિશિષ્ટ અને અતિ ખામીભર્યા એવાં છ ચરણો મળે 5-26 6-26 અમરાવત સમાસાર્થે મતાનુન વ વિચ Page #36 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 27 16 -5 ર્વિ નિમિત્ત રૂછી મે (ટી. ૧વેશ્યા) 16-30 તા વર્ધનુ વનિતા (ટી. ૧.વર્તુથ, તીર્થ: નષ્પક્ષ માર્ગમ) 21-14 સંતાર્યમાળનું વૈતાળીમ્ 30-10 પક્ષનચતુષ્પાતો વા (ટી. 1 પક્ષ વતુષ્કો લહિયાનું પરિવર્તન) ગોરેસીઓમાં પ-૨૬ મમવતીમાસાદ (?) (છંદની દૃષ્ટિએ ખોટું) 6-33 મતાનુની વિચઃ (સી પ્રમાણે) 16-5 જિમિટું યન્નિમિત્ત તુ ! 16-36 માસનેગૃઢ વનિતા 25-11 તીર્થમાનું વૈતરણીમ્ (છંદની દષ્ટિએ ખોટું) 38-10 વસુખો વા પક્ષી વા (લહિયાનું પરિવર્તન) “એમાં મમરાવતી સમાસાર્થે યમનાક્ની દર્તિવઃ (છંદની દૃષ્ટિએ ખોટું) किमिदं ह्यनिमित्तं मे आसनेभ्यः प्रचलिता (સત્તાર્થમાનું વૈતર નથી) (fક્ષાત્ શ્લોક એમાં બિલકુલ જુદો છે.) ઉપરનાં ત્રણે ચરણો નવ અક્ષરનાં છે. એમાંનું એક કોઈ પણ પરિવર્તન સિવાય બી માં સચવાયું છે. યમતાનુની હર્તિવઃ એક એમાં મમરાવતી છે. બે બીમાં આવે છે. જેમાં એક અક્ષરને દબાવી દેવાથી તે આઠ અક્ષરનો થઈ જાય છે. પણ આ રીતે પુનર્રચના પામેલું ચરણ છંદની દષ્ટિએ ખામીભર્યું છે. અને આ એના પાદમાં પણ આવે છે. એમાં કોઈ શંકા જ નથી કે આ ત્રણ નવ અક્ષરના પાદો મૂળ છે. એટલે બાકીના અનિયમિત પાદોમાંનો એક (fક્ષણશ) પણ મૂળનો છે. તેથી અનિયમિત શ્લોક રચનાનાં ચાર ઉદાહરણો છે. આ એક ખંડ સામગ્રીની દષ્ટિએ સંપૂર્ણ છે અને સ્વાયત્ત છે. છંદનો આધાર રાખીને કાવ્યના જુદા-જુદા વિભાગોનું પરીક્ષણ કરવાથી જે Page #37 -------------------------------------------------------------------------- ________________ 28 રામાયણ પરિણામ પ્રાપ્ત થાય છે તે આપણા હેતુ માટે જૂજ મહત્ત્વનું છે. ભલેને પછી તે રસપ્રદ જણાતું હોય કારણ કે સમગ્ર સાતમો કાંડ જ પછીનું ઉમેરણ છે એ વાતની શંકા થઈ શકે તેમ નથી. છઠ્ઠી કાંડના સમાપનથી જ તે પ્રતિપાદિત થાય છે. ત્યાં શ્રવત્તિનું વચન આપવામાં આવ્યું છે. રામાયણ જે સાંભળશે તેને આ ફળ પ્રાપ્ત થશે. (ાતિવ્યન્દ્રિ વાર્ષ પુરા વાલ્મીકિના તો જયારે સમાપન રચાયું ત્યારે આ ફળશ્રુતિ યથાર્થ હતી અને હજુ ઉત્તરકાંડ રામાયણનો અભિન્ન ભાગ ન હતો. એ જ રીતે વિશ્વામિત્ર પ્રસંગ પાછળનું ઉમેરણ છે. એ માહિતીનો કંઈ ખાસ લાભ આપણને મળતો નથી કારણ કે એડોલ્ફ હોલ્ટઝમેને યોગ્ય કારણોથી પ્રથમ કાંડની અધિકૃતતા વિશે શંકા ઉઠાવી છે. (ભારતીય રાશિનું ગ્રીક મૂળ, કાર્લ સૃહેન ૧૮૪૧-પૃ. 36) આપણે આગળ આ મુદ્દાની પણ સમીક્ષા કરીશું. પણ પ્રાથમિક સાધનરૂપે પહેલા કાંડની અધિકૃતતાની વિરુદ્ધની તાર્કિક દલીલો આપણી નજર સમક્ષ રાખવી હિતાવહ છે. જો આ દલીલો યથાર્થ હોય, તો પણ પ્રક્ષિપ્ત ખંડની માહિતીના પ્રશ્નમાં તેનો શો ઉપયોગ! પહેલેથી જ પ્રક્ષિપ્ત એવા પહેલા કાંડમાં હજુ એવો ખંડ છે જે વધુ પાછળથી ઉમેરાયેલો છે. અત્યાર સુધી આપણને જે પરિણામો મળ્યાં છે તે સંતોષજનક નથી. આપણે સૌ પહેલાં છંદની સહાયથી સમીક્ષા કરીએ છીએ. કારણ કે તેની સહાયથી આપણે કાવ્યનું યથાર્થ મૂલ્યાંકન કરવાની આશા રાખીએ છીએ. જો આપણો આ પ્રયત્ન નિષ્ફળ જાય તો વધારે ઉદ્યમ સાથે આપણે બીજા માપદંડ પાસે જવું જોઈએ. વળી બીજી રીતે પણ પાઠના વિભિન્ન ભાગોને છૂટા પાડવા માટે પણ છંદનો ઉપયોગ થઈ શકે. પ્રચલિત પાક્ય શ્લોકો ઉપરાંત શ્લોકના ચાર પ્રકાર મળે છે જે વિપુલાથી જાણીતા છે. પ્રશિષ્ટ કૃતિઓ વિશે મેં દર્શાવ્યું છે તે પ્રમાણે (Indische studien 17, પૃ. 444) અહીં પણ વિપુલાના વિભિન્ન પ્રકારોનું પ્રમાણ અને પાઠ્ય શ્લોકોના સંદર્ભમાં પ્રમાણ કવિએ કવિએ જુદું પડે છે. અને પ્રત્યેક કવિના વૈયક્તિક અભ્યાસ અનુસાર હોય છે. આવાં સમીક્ષણો રામાયણના ભિન્ન ભાગો વિશે પણ આરંભી શકાય પણ એ શંકાસ્પદ છે કે આ રીતે ખાસ કિંઈ સિદ્ધ કરી શકાય કારણ કે ભરોસાપાત્ર સરેરાશ મેળવવા માટે વિસ્તૃત અંશોનો આધાર લેવો પડે. જયાં પ્રક્ષેપણ શંકાસ્પદ છે તે નાના અંશોમાં આ પાઠનો કોઈ ઉપયોગ નથી. આ સમીક્ષણનું પરિણામ દર્શાવવા હું હજારનું પ્રમાણ ગણતરી માટે લઉં છું. બીજા કાંડના 16OO શ્લોકો જે રીતે આવે છે તે રીતે આંકડા મૂકું છું. પછીથી પહેલામાંથી (3) અને બીજામાંથી (3) ઇન્દ્રજિત પ્રસંગોમાંથી (6-44 થી 50 અને 6-80 થી 90) પછીથી હનુમાન પ્રસંગમાંથી (4) આવે છે. (પ-૧ થી 55) અને છેવટે (5) વિશ્વામિત્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 29 પ્રસંગમાંથી (1-54 થી 65) આંકડાઓ આપવામાં આવ્યા છે. એ ધ્યાનપાત્ર છે કે બીજા ખંડમાં ત્રીજા પ્રકારની વિપુલા અને ચોથા ખંડમાં બીજા પ્રકારની વિપુલાની સંખ્યા પહેલા ખંડની સરેરાશ સંખ્યા કરતાં ઘણી પાછળ રહે છે. જ્યારે પાંચમા ખંડમાં પહેલા પ્રકારની વિપુલાની સંખ્યા અસ્વાભાવિકપણે ઊંચી છે પણ આના આધારે એથી મોટાભાગના કાવ્યના કર્તા કરતાં, બીજા કોઈ કવિનું કર્તુત્વ ગણવાનું બહુ જ જોખમી છે. - વિપુલા 1 2 3 4 1. ખંડ 38 29 32 4 2. ખંડ 38 28 17 6 3. ખંડ 39 31 28 1 4. ખંડ 41 12 33 2 5. ખંડ 65 21 285 કેટલાક ખંડોમાં વિપુલામાં પડ્યો પુષ્કળ મળે છે. તો બીજા કેટલાકમાં બહુ જ ઓછાં છે એ પણ જણાવી શકાય. શું અહીં પ્રક્ષિપ્ત ખંડો ઓછા પ્રમાણમાં છે કે કવિ જ્યારે વાર્તા કહેવાનો આરંભ કરે છે ત્યારે વિપુલા પદ્ય તેના માનસમાં ઝબકે છે. મને ઘણીવાર એવું લાગ્યું છે કે વિપુલા પઘથી નવું વિષયવસ્તુ આરંભાય છે. ભાષાકીય વિશિષ્ટતા એકબીજાથી કર્તાઓને જુદા તારવવાનું એક બીજું સાધન છે. સંભવતઃ કોશગત આંકડાકીય ગણતરી દર્શાવશે કે કેટલાક શબ્દો કવિતાના કેટલાક ભાગમાં આવે છે તો બીજે તેઓ અનુપસ્થિત હોય છે. મેં મારા વિદ્યાર્થી શ્રી વિષ્ક્રને સંજ્ઞાવાચક નામો અને વિશેષણો અંગે આવું સમીક્ષણ કરવાનું કહ્યું છે અને મેં જાણ્યું છે કે તેને રસપ્રદ પરિણામો મળ્યાં છે. અલબત્ત આ માપદંડ ગૌણ સાધનરૂપે ત્યારે જ અપનાવાનું છે જયારે બીજા કારણોથી ખંડ પ્રક્ષિપ્ત જણાતો હોય. છેવટે વ્યાકરણગત અનિયમિતતાઓનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. પણ સમગ્ર કાવ્યમાં તેમાં લગભગ એકવાક્યતા છે. પરિણામતઃ આ લાક્ષણિકતાને અધિકૃતથી પ્રક્ષિતને અલગ તારવવા માટેની કસોટી તરીકે નહીં ગણી શકીએ. ૧૮૮૭ના Koing Saehs. Gesellschaft der Wissenschaft-l Phil. Hist. 11 31941 ell બોટલીન્કના સંગ્રહમાંથી મેં કશું લીધું નથી. કદાચ આપણા ખાસ પ્રયોજનમાં એનો જે પણ ઉપયોગ થાય તે ખરો. Page #39 -------------------------------------------------------------------------- ________________ 30 રામાયણ જ્યારે સર્વ સ્થળે લાગુ પડી શકે, તેવા તટસ્થ (Objective) માપદંડથી અધિકૃત કે પ્રક્ષિત ખંડની ચકાસણી) કરવાના આપણા પ્રયત્નો નિષ્ફળ જાય છે ત્યારે દરેક ઉદાહરણમાં આંતરિક પ્રમાણોને આધારે આપણે સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયત્નમાં આપણે પોતાની પૂર્વના કે પછીના ભાગ સાથે વિરોધ દર્શાવતો ખંડ હોય તો તેને તારવવો જોઈએ. વધુમાં સમગ્ર વર્ણનમાં સ્વાભાવિક કે વિલક્ષણ પરિવર્તન દર્શાવતું હોય અથવા તો બાહ્ય સ્વરૂપમાં કોઈ વિચિત્રતાઓ હોય તો તેને તારવવાં જોઈએ. હું એવા ખંડની ચકાસણી આરંભુ છું જેમાં મોટા ખંડનું પ્રક્ષેપણ ઘણે અંશે શક્ય છે. હું હનુમત્ પ્રસંગની વાત કરી રહ્યો છું જેનો મેં પહેલા ભાગના બીજા ખંડમાં ઉલ્લેખ કર્યો છે. હનુમાનનો રાવણની અશોકવાટિકામાં સીતા સાથે વાર્તાલાપ અને પછી તેમની વિદાય લીધા પછી હનુમાને વિચાર્યું કે (પ-૪૧) રાક્ષસો સાથે કેવી રીતે થોડું તોફાન કરી શકાય. તેમણે અશોકવાટિકાનો નાશ કર્યો. પોતાના વિરાટ સ્વરૂપથી રાક્ષસીઓને ડરાવી અને રાવણે તેમની સામે મોકલેલા રાક્ષસો સાથે લોહિયાળ યુદ્ધ ખેલ્યું. તેમણે ઘણા શત્રુઓને પરાભૂત કર્યા અને છેવટે રાવણના પુત્ર અને તો મારી નાખ્યો. પણ ઇન્દ્રજિતે બ્રહ્માસ્ત્રથી તેમને બાંધી દીધા. પછી તેમને રાવણ સમક્ષ લાવવામાં આવે છે. તો રામ તરફથી તેમના દૂત તરીકે સીતાને રામને સોંપી દેવાનું કહે છે. ક્રોધમાં આવી રાવણ તેને મારી નાખવા ઈચ્છે છે પણ વિભીષણ ઠપકો આપે છે કે દૂતને મારી નાખી ન શકાય પણ તેને અંગવિકલ કરીને દંડ કરી શકાય. રાવણે તેમની પૂંછડી તેલમાં બોળેલાં ચીંથરાંથી વીંટાળી દીધી અને પછી તેને સળગાવી નગરમાં ફેરવવામાં આવતાં, હનુમાને પોતાને બંધનમાંથી મુક્ત કર્યા જેથી કરીને અગ્નિ તેમને કશી ઈજા પહોંચાડી શકે નહીં (કારણ કે સીતાએ હનુમાનને રક્ષવાની અગ્નિને પ્રાર્થના તો કરી જ હતી) અને સળગતી પૂંછડી સાથે એક ઘરથી બીજા ઘર પર હનુમાન કૂદવા લાગ્યા અને આખી લંકામાં આગ લગાડી. શુભ શુકનો અને ચારણોનાં ગીતોએ સર્વ જગ્યાએ ફેલાએલી આગ સીતાને તો ભોગ નહીં બનાવે ને એવા હનુમાનના ભયને શાંત કર્યો. અહીંયાં ઉપર્યુક્ત અને પદમા સર્ગમાં પુનરાવર્તન પામી વિદાય દશ્ય પુરું થાય છે. બોમ્બે આવૃત્તિમાં નીચેના શ્લોકો વાર્તાના ચાલુ પ્રવાહમાં અંતરાયરૂપ બને છે.* राक्षसान् प्रवरान् हत्वा नाम विश्राव्य चात्मनः / समाश्वास्य च वैदेही दर्शयित्वा परं बलम् // 23 // Page #40 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 31 नगरीमाकुलं कृत्वा वंचयित्वा च रावणम् / दर्शयित्वा बलं घोरं वैदेहीमभिवाद्य च // 24 // प्रतिगन्तुं मनश्चक्रे पुनर्मध्येन सागरम् / ततः स कपिशार्दूलः स्वामिसन्दर्शनोत्सुकः // 25 // બારોટ રિશેષમરિષ્ટનેમિઃ વિગેરે દક્ષિણ ભારતની આવૃત્તિઓ, તીર્થ અને ગોવિન્દરાજ તતઃ સ થી સીધો આરંભ કરીને ચાલુ કરી દે છે. આપણે હનુમાન-પ્રસંગની પૂર્વે અને પશ્ચાતું આવતા વિદાય-દશ્ય વિશે વિશેષ તારણો પર આવીએ તે પહેલાં આપણે એ પણ નિશ્ચિત કરવું ઘટે કે મૂળ પ્રતમાં (ડીઆઓયુસ યુ Diakeuse U) પણ એ જ પરિસ્થિતિ પ્રવર્તતી હતી કે કેમ, કારણ કે બીમાં હનુમાન-પ્રસંગની પહેલાં વિદાય-દશ્ય આવતું નથી. આ (વિદાય-દશ્ય)સી અને એમાં જ આવે છે. એટલે બહુ જ વાજબી શંકા ઉપજે છે કે ઉર-UR (મૂળ રામાયણ)માં પણ હનુમાન-પ્રસંગ પહેલાં આવતો કે પછીથી. આંતરિક પ્રમાણોને આધારે પછીનો વિકલ્પ અસંભાવ્ય છે કારણ કે પહેલું તો વિદાય-દશ્ય સીતા સાથેના પહેલાં આવતા સંવાદનું સ્વાભાવિક સમાપન છે અને બીજું, પ્રસંગ પછીનો બીજો શ્લોક (દ્રિ વા મી) અર્થહીન છે. કારણ કે સીતાનું એ બાલિશ વર્તન હતું કે તેમણે હનુમાનને પોતાની સાથે છૂપાઈને એક દિવસ વધારે રહેવાનું કહ્યું, જ્યારે હનુમાન પોતાના શત્રુઓ પાસેથી માંડ માંડ છૂટ્યા હતા. ઊલટું સીતાની ઈચ્છા આ પ્રસંગ પૂર્વે ઉચિત ત્યારે હતી કે જ્યારે હનુમાનને ત્યાં સુધી કોઈએ જોયા ન હતા. મૂળમાં એટલે એ શંકા કરવાની નથી કે વિદાય-દશ્ય સી અને એ માં પ્રસંગપૂર્વે ઘટ્યું હતું. પણ બીએ પુનરાવર્તન ટાળવા આ પ્રસંગને ઊંચકીને પ્રસંગ પછી મૂક્યો. પુનઃ એ બી સીએ પ્રસંગ પછી આને મૂક્યો. એટલે એ ચોક્કસ છે કે, ઉર UR (મૂળ રામાયણ)માં પણ ત્યાં એનું પુનરાવર્તન કરવામાં આવ્યું. વિદાયના દશ્યનું પુનરાવર્તન આમ અતિ સ્પષ્ટ હોવા છતાં સંદર્ભમાં અસંગત છે. પણ એને એ રીતે સંતોષજનક રીતે સમજાવી શકાય છે કે સમગ્ર હનુમાન-પ્રસંગ જ પછીનું ઉમેરણ છે. તેના અહીં આરોપણથી સંદર્ભમાં ખલેલ પહોંચે છે અને તેથી તૂટેલા દોરનું સંધાન કરવું આવશ્યક હતું. સૂતો આવા સૂક્ષ્મ કાર્યમાં નિષ્ણાત ન હતા અને મૂળના કર્તાઓ (Diakeuasts) તો ઘણા જ ઓછા નિપુણ હતા. પણ ખંડનું પુનરાવર્તન કરીને તેઓએ આ મુશ્કેલીનું નિવારણ કર્યું. એમ કરતાં પછીની વાર્તાને જોડી દીધી અને તે રીતે કથાકારનો સંદર્ભ પુનઃ અનુસંધાન કરવામાં શ્રોતાઓને સહાય કરી.” Page #41 -------------------------------------------------------------------------- ________________ 32 રામાયણ હવે મૂળ કાવ્યમાં આ પ્રસંગ આગંતુક છે એ હકીકતના સમર્થનમાં આપણી પાસે બે આડકતરા મહત્ત્વના પુરાવા છે. પ્રથમ તો રામ પાસે પાછા આવી (પ-૬૫ થી 68) હનુમાને પોતાની અને સીતા વચ્ચે જે કંઈ બન્યું તે સર્વનો અહેવાલ આપે છે. (આ પ્રસંગે ૩માં નોંધ્યું તે પ્રમાણે વિદાય-દશ્ય આવે છે) પણ લંકામાંનાં પોતાનાં સાહસો, રાવણ સાથેનો વાર્તાલાપ, તેમની સાથે કરવામાં આવેલો અસભ્ય વ્યવહાર અને પોતે લીધેલો બદલો આ સર્વ વિશે તે કશું જ કહેતા નથી. પણ આ પછી આવતા ૬-૩માં રામે રાવણ, તેનું સૈન્ય અને લંકા વિશે હનુમાનને અહેવાલ આપવાનું કહ્યું હોવાથી તે લંકાને સમૃદ્ધ અને સુરક્ષિત ચિતરે છે. આ અણઘડ રીતે ઉમેરાએલા પદ્ય ૩-૨૯ના સ્પષ્ટ વિરોધમાં છે, જેની શ્રોતાને કંઈ સમજ પડી ન હોય કારણકે હજુ સુધી લંકાનાં તેમનાં (હનુમાનનાં) સાહસ વિશે તો તેમને કશું કહ્યું નથી.” ते मया संक्रमा भग्नाः परिखाश्चावपूरिताः / दग्धा च नगरी लङ्का प्राकाराश्चावसादिताः // પછીથી લંકાદહન વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રામે નગરને ઘેરો ઘાલ્યો છે, તે વખતે અને લંકાદહન અને રાવણના મૃત્યુને મહિનાથી વધુ સમય થયો નથી છતાં, નગર પૂર્ણ વૈભવ સાથે ઊભું છે. (પ.૩૮.૬૪, 65.25) બીજા પુરાવો ૬-૧૨૬માં રામના અનુભવ વિશેનો હનુમાનનો અહેવાલ છે. હનુમાન ત્યાં કહે છે. अभिज्ञानं मयादत्तं रामनामाङ्गुलीयकम् / अभिज्ञानं मणि लब्ध्वा चरितार्थोऽहमागतः // 45 / / मया च पुनरागम्य रामस्याक्लिष्टकर्मणः / अभिज्ञानं मया दत्तं अचिष्मान् स महामणिः // 46 / / પણ લંકામાંના સાહસનો કોઈ ઉલ્લેખ નથી. આ પ્રસંગની અધિકૃતતા વિરુદ્ધનો એક બીજો પૂરાવો ૪૬મા સર્ગમાં છે જે સમગ્ર વૃત્તાન્ત પ્રસ્તુત કરે છે. ત્યાં હનુમાને હણેલા યૂપાક્ષ અને વિરૂપાક્ષ યોદ્ધાઓનું વર્ણન છે. પણ આ જ યોદ્ધાઓ પછીથી જીવતા જણાયા છે. અને ૬ઠ્ઠી કાંડના 76 અને ૯૬મા સર્ગોમાં તેમનું મૃત્યુ નિરૂપાયું છે. પણ, સર્ગ ૩૮માં હનુમાન પોતાના અનુભવોનું બયાન વાનરો આગળ કરે છે. તેનાથી આ સમસ્યાનો હલ થતો નથી. કારણ કે આ માહિતી શ્રોતાઓ કે વાચકો માટે બિનજરૂરી છે કારણ કે આ સર્વનું સવિસ્તર વર્ણન પહેલાં થયું જ છે. આ પછીથી ઉમેરાયું છે. તે માટે એ હકીકત છે કે સીતા પાસેથી હનુમાન બે વાર વિદાય લે છે. તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 33 पुनदृष्टा च वैदेही विसृष्टश्च तया पुनः // 165 / / પછીના પ૯ અને ૬૦મા સોંમાં આ પ્રસંગનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પણ તે એટલો ઘણાં પુનરાવર્તનોથી ગૂંચવાડાભર્યો છે કે (બી 59-7,8= 60-5,6 અને પ૯-૨૫-૨૮=૧૮, 59-61) તેને પ્રાચીન ગણી શકાય તેમ નથી. આ પ્રસંગની અધિકૃતતાની વિરુદ્ધમાં પુરાવાઓ રજૂ કરવાને બદલે આ સર્ગમાંનો તેમનો ઉલ્લેખ તેમની પોતાની અધિકૃતતા વિશે પ્રશ્ન ઊભો કરે છે. શંકાસ્પદ બનેલા આ પ્રસંગમાં હનુમાન રાવણના પુત્રને હણે છે. કોઈ પણ વ્યક્તિને માટે એવું વિચારવું સ્વાભાવિક ગણાશે કે આ પરાક્રમ કાવ્યમાં હલચલ મચાવી દેશે અને ૬ઠ્ઠા કાંડમાં યુદ્ધ દશ્યમાં આનું ઔચિત્ય પણ છે. પણ અક્ષનો ઉલ્લેખ કેવળ 6-59-58 અને ૬-૬૦-૭પ એમ બે સ્થળે જ થયો છે. આ બન્ને સ્થળોને સહેલાઈથી પ્રક્ષિપ્ત ગણી શકીએ તેમ છીએ. 6-59 પ્રક્ષિપ્ત છે. એ બીજી રીતે પણ અનુમોદિત થાય છે. આ સર્ગ શ્લોક અને ત્રિષ્ટ્ર, છંદના મિશ્રણમાં રચાયો છે. અહીં અકંપન અને નરાન્તકને જીવતા દર્શાવ્યા છે. જયારે પદમાં સર્ગમાં પ્રથમનું અને ૫૮માં બીજાનું મૃત્યુ નિરૂપાયું છે. વધુમાં અહીં વર્ણવવામાં આવેલા લક્ષ્મણના રાવણ સાથેના યુદ્ધમાં રાવણ લક્ષ્મણને ભાલાથી વધે છે એ ખરેખર તો સર્ગ ૧૦૦માંના આ જ પ્રસંગોનું અનુકરણ અને પુનર્ધટન છે. છેવટે જો કે રામ રાવણ સાથે યુદ્ધ કરે છે. ત્યારે રામ 100-46 થી પરમાં નિરૂપ્યા પ્રમાણે પહેલવહેલા રાવણને મળે છે. ૬૦-૭૫ના બીજા ખંડની બિનઅધિકૃતતા સંદર્ભમાંથી ફલિત થાય છે. રાક્ષસોએ કુંભકર્ણને જગાડ્યો છે. અને તેની નિદ્રા દરમ્યાન રામનું સમુદ્રને પાર કરવું, લંકાદહન, હનુમાન દ્વારા અક્ષનું હણાવું (પ-૭પ)ની બનેલી આ ઘટનાઓથી તેને વાકેફ કરવામાં આવે છે. પણ છેલ્લી બે ઘટનાઓની કુભકર્ણને જાણ હશે કારણ કે, એ બન્યા પછી રાક્ષસો સાથેની ચર્ચામાં તેણે તે જ કાંડના ૧૨મા સર્ગમાં જણાવ્યું છે તે પ્રમાણે ભાગ લીધો છે. હનુમાન-પ્રસંગની શૈલીનો બારીકાઈથી અભ્યાસ કરીએ તો રામાયણના અધિકૃત ખંડો સાથે હનુમાન પ્રસંગ જોડાયેલો છે તે બાબતમાં મને શંકા નથી થતી. ખાસ તો શ્લોક પૂરો કરવા માટે વિશેષણો અને નિપાતોનો ઉપયોગ અને ચોક્કસ વર્ણનનો અભાવ ખાસ ધ્યાનમાં આવશે. એક બીજી પણ બાબત અહીંયા જણાવી દેવી જોઈએ અને તે એ કે આ પ્રસંગના મોટા ભાગમાં એક પ્રકારનો વિડંબનાનો ભાવ વ્યાપ્ત છે. પ્રસંગના રમૂજી અંગ પર ભાર મૂકવા હનુમાનની વાનરની પ્રકૃતિનું ઉજ્જવળ રંગોમાં નિરૂપણ કરવામાં Page #43 -------------------------------------------------------------------------- ________________ 34 રામાયણ આવ્યું છે. સંગીતકારો આ પ્રસંગને દાખલ કરી, શ્રોતાઓમાં હાસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરતા. એટલે કવિ એ વિચારવા રહેતો નથી કે, હનુમાનના પાત્રને આ શોભે છે કે નહીં. જયારે સતત વાનરોની પશુપ્રકૃતિને આગળ કરવામાં આવે છે અને અતિશયતાભર્યું નિરૂપણ કરવામાં આવે છે ત્યારે વિડંબનાની છાપ ઊઠે છે. અને તેથી સંબંધિત ખંડની અધિકૃતતા વિશે આપણે શંકાશીલ બનીએ છીએ. આ રીતે 5-61 થી ૬૪માં પોતાની કૂચની સફળતાથી વાનરો ઉન્મત્ત બની ગયા અને મધુવનને છિન્નભિન્ન કરી નાખ્યાના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ખંડ બિનજરૂરી અને ગૂંચવાડો પ્રેરનારો છે. જો આને કાઢી નાખીએ તો, ૬૦મા સર્ગનો અંત ૬૫મા સર્ગના આરંભ સાથે સહેલાઈથી જોડાઈ જાય तस्माद् गच्छाम वै सर्वे यत्र रामः स-लक्ष्मणः / સુગ્રીવશ મહાતેગ: #ાર્યDાસ્ય નિવેદ્રને II60-11 ततः प्रस्रवणं शैलं ते गत्वा चित्रकाननम् / प्रणम्य शिरसा रामं लक्ष्मणं च महाबलम् // 65-1 // હવે આપણે નાના-મોટા ખંડોની અધિકૃતતાનો વિચાર કરીશું. સુગ્રીવ સીતાની શોધમાં વિનત, હનુમત, સુષેણ અને શતબલિની આગેવાની હેઠળ અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં ચાર સમૂહોમાં વાનરોને મોકલે છે. આ પ્રસંગ જગતની ચાર દિશાઓનું વર્ણન કરવાની સુગ્રીવને તક પૂરી પાડે છે. (4-40 થી 43) આ ચાર કૂચો મૂળ કાવ્યમાં ઘટી નથી અને કેવળ પોતાના મિત્રો સાથે હનુમાનને જ સીતા શોધવાનું કામ સોંપવામાં આવેલું છે એ હકીકતમાંથી ફલિત થાય છે કે અભિજ્ઞાનના ચિહ્ન રૂપે મુદ્રિકા હનુમાન લઈ જાય છે. ૪૪માં સર્ગમાં મૂળ વાર્તા આવે છે જેમાં સુગ્રીવ હનુમાનને સીતાની શોધ કરવાનો આદેશ આપે છે અને રામ મુદ્રિકા તેમને સોંપે છે.૧૦ આ વધુ ત્રણ સમૂહો મોકલવાની વાર્તામાંની અસંગતિને દૂર કરવાનો એક નબળો પ્રયત્ન પહેલો શ્લોક ઉમેરીને કરવામાં આવ્યો છે. विशेषेण तु सुग्रीवो हनुमत्यर्थमुक्तवान् / स हि तस्मिन् हरिश्रेष्ठे निश्चितार्थोऽर्थसाधने / સીતા પ્રતિ દૂત તરીકે હનુમાનને પસંદ કરવા અને છતાં બીજી ત્રણ ટૂકડીઓ મોકલવી એમાં રહેલી અસંગતિ કૃતિમાં એક કે બે શ્લોક ઉમેરીને દૂર થઈ શકે નહીં. Page #44 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 35 મૂળ પાઠને સ્થાપિત કરવા અને અસંગતિ દૂર કરવા આપણે 40 થી 43 સર્ગોને દૂર કરવા જોઈએ. આ સર્ગોમાં ચાર ટૂકડીઓ અને ચાર દિશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આનું પરિણામ એ આવે છે કે આ સર્ગો હોય તો 45 થી 47 સર્ગોનું કોઈ વજૂદ રહેતું નથી અને ૪૪મા સર્ગના અંતને આપણે ૪૮મા સર્ગના આરંભના બીજા શ્લોક સાથે જોડી શકીએ. પછી વાર્તા કોઈ પણ વિક્ષેપ વગર આગળ ચાલે છે. स तद् गृह्य हरिश्रेष्ठः कृत्वा मुनि कृताञ्जलिः / વન્વિત્વ વ વૈવ પ્રસ્થિત: પ્લવર્ષમ: II44-25II स तु दूरमुपागम्य सर्वैस्तैः कपिसत्तमैः / ततो विचित्य विन्ध्यस्य गुहाश्च गहनानिच // 48-2 // અહીં અને ૪૯-૧૫માં વિજ્યનો ઉલ્લેખ ધ્યાન ખેંચનારો છે. એવું સમજી શકાય કે સીતાની શોધમાં હનુમાને મુખ્યત્વે વિધ્યમાં પરિભ્રમણ કર્યું. કવિના મનમાં પણ આ જ હતું તે પ૩-૩ પરથી પણ ફલિત થાય છે. ત્યાં વાનરોએ વિષ્ણુની તળેટીમાં સમુદ્ર જોયો અને પ્રાયોપવેશનનો સમય તો વીતી ગયો હતો. એટલે ત્યાં નિશ્ચય કર્યો. હવે વિષ્યની શોધ હનુમાને દક્ષિણને ખુંદી નાખવાના મેળવેલા આદેશ સાથે અસંગત એટલા માટે બને છે કે વિધ્યાચળની હારમાળા કિષ્કિન્ધાની છેક ઉત્તરે છે. આથી તદ્દન વિપરીત ૪૧મા સર્ગમાં દક્ષિણનું વર્ણન આવે છે. જ્યાં વિભ્યનો ૫-૮માં સૌ પ્રથમ ઉલ્લેખ થયો છે. ફરીથી એ પણ નોંધવું જોઈશે કે સુગ્રીવ જ્યાં ઊભો છે ત્યાંથી દિશાઓનું વર્ણન શરૂ થતું નથી. પણ ગંગાના પ્રદેશોમાંથી આરંભાય છે.૧૧ જે આ ખંડના કર્તાનું વતન છે. આરંભબિન્દુમાં પરિવર્તન આવવું એ ખંડના પ્રક્ષિપ્ત હોવાના સમર્થનમાં નવો પૂરાવો છે. કારણ કે એટલું તો કલ્પી શકાય કે લેખક વર્ણિત પરિસ્થિતિથી પોતાને એટલો દૂર રાખે કે જેથી ભૂલને કોઈ અવકાશ ન રહે. એટલે જો ઉપર્યુક્ત ખંડને દૂર કરવામાં આવે તો હનુમાન સીતાને શોધી કાઢવાનો આદેશ મેળવે છે અને તેથી કોઈ ખાસ દિશા શોધવાની આવશ્યકતા ઊભી થતી નથી. આમ કરવાથી અલબત્ત ૬ઠ્ઠી કાંડના વિષયવસ્તુ વિશેની પ્રાચીનતમ અનુક્રમણિકા અને પહેલો કાંડ બન્ને સુસંગત બને છે. ૬-૧૨૬-૪૦માં કહેવામાં આવ્યું છે आदिष्टा वानरेन्द्रेण सुग्रीवेण महात्मना / दशकोट्यः प्लवङ्गानां सर्वाः प्रस्थापिताः दिशः // અને 1-1-71 Page #45 -------------------------------------------------------------------------- ________________ 36 રામાયણ स च सर्वान् समानीय वानरान् वानरर्षभः / दिशः प्रस्थापयामास दिदृक्षुर्जनकात्मजमाम् // આ શ્લોકોમાંથી એવો અર્થ નીકળતો નથી કે ચાર દિશાઓમાં ચાર સમૂહો મોકલવામાં આવ્યા હતા. જો કે પાઠ એવા અર્થઘટનને નકારી પણ કાઢતો નથી. પણ એનો અર્થ એ કે સીતાની શોધમાં વાનરોને મોટી સંખ્યામાં સર્વત્ર મોકલવામાં આવ્યા હતા. - આ ચાર દિશાઓમાં કૂચની વાર્તા પ્રક્ષિપ્ત છે. એના વધુ સમર્થનમાં એ હકીકત પણ છે કે વાર્તામાં આવતા સર્વ વાનરો હનુમાનની સાથે જાય છે. આમાં પશ્ચિમ દિશામાં શોધવાની જવાબદારી જેને સોંપવામાં આવેલી તે સુષેણ પણ છે. વધુમાં બાકીની ત્રણ કૂચને દાખલ કરાવનાર વાર્તામાં જણાય છે ખરા, પણ કોઈ મહત્ત્વનો ભાગ ભજવતા નથી. ગૂંચવાડાભર્યા અને ત્રુટક વર્ણનમાં પણ ભૌગોલિક વર્ણન પ્રક્ષિપ્ત છે એ આ મતના સમર્થનમાં પુરાવારૂપે માની શકાય. આ કદાચ કોઈ સંગીતકારની સરજત છે, જે પોતાની તૈયાર કૃતિઓની મંજૂષામાં આ લોકપ્રિય કથાવસ્તુને પણ મેળવવા માંગતો હતો. આવાં કથાવસ્તુને દિગ્વિજય અને મહાભારતમાંના આવા પ્રવાસોમાં કુશળતાથી વણી લેવામાં આવ્યું છે. આવા બીજા પ્રક્ષેપોનાં નાનાં ઉદાહરણો દર્શાવવા હું પ્રથમ તો ૬-૬૯નો ઉલ્લેખ કરીશ. અહીં થોડા હણાએલા રાક્ષસોની નોંધ લેવામાં આવી છે જે કાં તો ત્રિશિર (327), નરાન્તક (૬-૫૮)ની પહેલાં હણાયેલ છે. અથવા તો કેટલાક રાક્ષસો જેવા કે મહોદર (6-97) અને મહાપાર્થ (6-98) જેવા ફરી હણાય છે. વધુમાં શ્લોકોમાં ઇન્દ્રવજની ઘૂસણખોરી પણ ધ્યાનાકર્ષક છે અને આના માટે એક યુવાન કવિના સાહસને જવાબદાર ગણવું જોઈએ. ઉપર (બીજો ભાગ, બીજો વિભાગ) સર્ગના આરંભે અને અંતે શ્લોકોના પુનરાવર્તન પરથી પ્રક્ષિપ્ત સર્ગ શોધી કાઢવામાં આપણે સફળ થયા છીએ. આવી લાક્ષણિકતાને આપણે વારંવાર ધ્યાન પર લેવાની છે. જો કે હનુમાન પ્રસંગ જેવા મોટા ખંડોમાં એમ થશે નહીં. 6-17- 27 થી 30 શ્લોકો પછીના સર્ગમાં (પ-૧૭ થી 20) પુનરાવર્તન પામ્યા છે. આ સર્ગોમાં વિભીષણનો સત્કાર વર્ણવવામાં આવ્યો છે. સુગ્રીવ વિભીષણ જાસૂસ હોવાથી વિભીષણને મારી નાખવાની રામને સલાહ આપે છે. પણ રામ અસહાયનું રક્ષણ કરવાની પોતાની ફરજ વિશે દઢતાથી બોલે છે. સુગ્રીવ અને રામના વાર્તાલાપની વચ્ચે વાનરોની સભામાં એક તપાસ સમિતિને દાખલ કરવામાં Page #46 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 37 આવી છે. આમાં સુગ્રીવ બીજા બધા પછી બોલે છે. પણ તેનું વક્તવ્ય તેના પ્રથમ વક્તવ્યની જેમ તે જ શબ્દો સાથે અંત પામે છે. તે સમયે બન્ને ખંડોમાં (17-30 અને 18-20) આ શ્લોકો આવે છે. एवमुक्त्वा तु तं रामं संरब्धोऽवाहिनीपतिः / वाक्यज्ञो वाक्यकुशलम् ततो मौनमुपागमत् // કૌંસમાંના શબ્દોને બદલે બીજા ખંડમાં આમ છે. રઘુશ્રેષ્ઠ સુગ્રીવો ! એ તદ્દન સ્પષ્ટ છે કે 17.13 થી 18-16 સુધીનો ભાગ પછીનું ઉમેરણ છે. પ્રક્ષેપણનો ઉદ્દેશ જો કે નીતિસારના સિદ્ધાન્તો શિખવવાનો છે. એ સ્પષ્ટ છે કે શ્રીમંતોના વર્તુળમાં આ વિષય બહુ લોકપ્રિય હતો અને તેથી ભાટ-ચારણો, જનતાને રાજી કરવાની એક પણ તક જવા દેતા નહીં.૧૩ આ પ્રકારની ચર્ચામાં બીજા કાંડના દસમા સર્ગના શુષ્ક અને ઉપદેશાત્મક સૂર હોવાને કારણે પ્રક્ષિપ્ત હોવાની છાપ પાડે છે. એક બીજું પણ ધોરણ છે જેનાથી પ્રક્ષિપ્ત અંશને પકડી શકાય. કેટલીક વાર પ્રકરણને અંતે એક નવો વિષય દાખલ કરવામાં આવે છે. જે, પ્રક્ષિપ્ત ખંડ પછી પુનરાવર્તિત કરવામાં આવે છે. હનુમતે પોતાની સીતા સાથેની મુલાકાતનો આપેલો પહેલો અહેવાલ સીમાં આ શબ્દો સાથે પૂરો થાય છે. एतदेव एव मयाख्यातम् सर्वं राघव यद्यथा / सर्वथा सागरजले सन्तारः प्रविधीयताम् / / 5-65-27 / / આ ઉપદેશવચનની અસર ત્રણ સર્ગો પછી ૬-૧માં અનુભવાય છે. હૃદયસ્પર્શી દેશ્યને લંબાવવા ખંડો દાખલ કરવામાં આવે છે. જો કથાકાર શ્રોતાને રસતરબોળ કરી શકે તો, તે પ્રમાણે તેને પુરસ્કાર મળે. આ કિસ્સામાં ૬૬માં સર્ગની ભાષામાં ખૂબ ગૂંચવાડો છે અને ૬૭મો સર્ગ વિદાય-દશ્યનું શબ્દશઃ પુનરાવર્તન છે. જે અગાઉ નિઃશેષપણે અમે દર્શાવ્યું છે. એક ઉદાહરણ એવું પણ ઉલ્લેખી શકાય કે જેમાં એક જ વિષયનાં જુદાં જુદાં રૂપાંતરો બાજુ બાજુમાં જાળવવામાં આવ્યાં હોય. છઠ્ઠા કાંડના આરંભમાં વિભીષણનો દેશનિકાલ વર્ણવવામાં આવે છે. તો અહીં ઘણો ગૂંચવાડો છે. ૬ઠ્ઠા સર્ગમાં તેમજ 10, 11 અને ૧૨માં રાક્ષસોની સભા ભરાય છે. અહીં જરા પણ શંકા નથી કે એક જ વિષયનાં ચાર કાવ્યોનો આરંભ સાથે જાળવવામાં આવ્યો છે. ભિન્ન રૂપાંતરોમાંથી કોઈ એક વાર્તાના પુનર્ગઠન માટેનો કોઈ પ્રયત્ન જ કરવામાં આવ્યો નથી. હું ફક્ત હકીકતનો ઉલ્લેખ કરીશ પણ મૂળના પુનર્ગઠનનો પ્રયત્ન નહીં કરું. સંભવત: રચનાકારોએ Page #47 -------------------------------------------------------------------------- ________________ રામાયણ (diaskeuasts) એ પરંપરા પ્રાપ્ત તત્ત્વોને પડતાં મૂકવાનું સાહસ કર્યું નહીં. એ સિવાય આટલી બધી મોટી સંખ્યામાં શ્લોકો ખાસ કરીને સીમાં કેવી રીતે આપણા માટે જળવાયા હોય? આની રચના થઈ શકે એમ નથી. કારણ કે આ શ્લોકોનું વિધેય નથી અને બીજી બાબતો પણ છે. આવા શ્લોકોના ટૂકડા પણ છે જે અત્યાર સુધી સચવાયા છે. પણ છતાં સરળતાથી દૂર કરી શકાય તેમ છે. કોઈ પણ વ્યક્તિ પારખી શકે છે કે સંપાદકોએ કૃતિ સાથે સંપ્રજ્ઞતાથી કે ઉપલકપણે કામ લીધું છે. જે રીતે જોવું હોય તેમ. હોમરનાં મહાકાવ્યોની જેમ રામાયણની રચના અને ઇતિહાસ વિશે આપણને ચોક્કસ અને અશેષ અભ્યાસ જ મૂલ્યાંકનાત્મક માહિતી પૂરી પાડી શકે. છઠ્ઠા કાંડમાં મોટા ભાગના પ્રક્ષેપો અપેક્ષિત છે. રાક્ષસો સાથેના યુદ્ધોમાં ખડકો અને વૃક્ષો શત્રુઓ સામે ફેંકવામાં આવતાં. પણ આ શસ્ત્રો અભુત આયુધો આગળ બિન અસરકારક બની જતાં. કવિઓ અને ભાટ-ચારણો પોતાની રચનામાં આ કથાવસ્તુનો બહુ જ યોગ્ય રીતે વિનિયોગ કરતા. 60 સર્ગોમાં જાણે અંતહીન યુદ્ધ વર્ણવાયું છે. મૂળ વર્ણન બહુ જ સંક્ષિપ્ત હશે તેનું અનુમાન ૧-૧ની સમીક્ષણ કરતી અનુક્રમણિકામાં એક પંક્તિમાં સમસ્ત લંકાયુદ્ધને સમાવવામાં આવ્યું છે તેના પરથી થઈ શકશે. तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमाहवे / रामः सीतामनुप्राप्य परां व्रीडामुपागमत् / / 8 / / બીજી તરફ 6-01-16 થી આરંભ થાય છે અને ઇન્દ્રજિતના મરણ સુધી અને છેવટની નિર્ણયાત્મક લડાઈ સુધી પણ સંઘર્ષ કેવળ ત્રણ દિવસ ચાલે છે. विभीषण-हनुमद्भ्यां कृतं कर्म महद् रणे // 16 // अहो रात्रैस्त्रिभिर्वीरः कथंचिद् विनिपातितः // ત્રણ દિવસનું કાર્ય તો ચોક્કસપણે જાણી શકાય. બાંધે છે. બીજો દિવસ : રાક્ષસોને મારીને પાછા હટાવવામાં આવ્યા છે. કુમ્ભકર્ણને જગાડ્યો છે. તે હિંસકપણે યુદ્ધમાં કૂદી પડ્યો છે. પણ છેવટે માર્યો જાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 39 ત્રીજો દિવસ : ઇન્દ્રજિનું યુદ્ધ અને તેનું મોત ચોથો દિવસ : (રાવણ સાથે યુદ્ધ અને તેનું મોત) દેખીતું છે કે મૂળ વિસ્તાર કરનારા વતનીઓ બીજી જ રીતે ગણતરી કરે છે. 14 તેઓ એક એવી ચુસ્ત માન્યતા ધરાવે છે કે રામ, બરાબર 14 વર્ષ પછી ચૈત્રના શુક્લ પક્ષની નવમીને દિવસે પોતાના પિતાની નગરીમાં પાછા વળ્યા હશે અને એટલે કાવ્યમાં અહીં-તહીં આવતી સર્વ તારીખો કોઈ પણ રીતે, આની સાથે સંવાદી બનાવવી જોઈએ. એટલે તેમને દીર્ઘ સમય જોઈએ છે અને લંકામાં અડધો માસનું યુદ્ધ ચાલે છે. હું ૬ઠ્ઠી કાંડમાંના દીર્ઘ ખંડોને પાછળના પ્રક્ષિપ્ત અંશો તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરીશ. જયારે સમુદ્રના કિનારે વાનરો ઊભા રહ્યા છે, ત્યારે રામ ભયાનક શુકનો જુએ છે. જે તરત જ ૬-૨૩ના યુદ્ધની આગાહી કરે છે. આજ ૨૩-૨-૧૩ના શ્લોકો ૪૧૧૧-૧૨માં પુનરાવર્તિત થાય છે. આ બે ખંડો વચ્ચેનો ભાગ ગાળી નાખીએ તો આપણે કંઈ ખાસ નક્કર ગૂમાવતા નથી. ત્યાં જ આપણા ધ્યાનમાં આવે છે કે શુક અને સારણ વાનરોના સૈન્યની જાસૂસી કરે છે અને રાવણને અહેવાલ આપે છે. રાવણ એક બીજા શાર્દૂલ નામના જાસૂસને મોકલે છે, અને તેની પાસેથી પણ માહિતી મેળવે છે. આ પહેલાં સમુદ્ર કિનારે જ્યારે સૈન્ય આવે છે ત્યારે ૨૦મા સર્ગમાં પણ શાર્દૂલ અને શુકને જાસૂસ તરીકે મોકલવામાં આવે છે. દેખીતું છે કે ગમે તે એક વાર્તા બીજીની ઉભાવના માટે જવાબદાર છે, અને મારા મત પ્રમાણે પછીના ખંડોમાં આવતી વાત વધારે પ્રાચીન છે. જયારે નગરના દરવાજે સૈન્ય આવી પહોચ્યું હોય ત્યારે સમુદ્રની પેલે પાર શત્રુ હોય તેના કરતાં એ વધુ સંભવિત છે કે નગરના દરવાજે સૈન્ય આવી પહોચ્યું હોય ને જાસૂસી કરવામાં આવે. આપણે વાર્તાના ક્રમિક વિકાસને વધુ આગળ અનુસરી શકીએ. શાર્દૂલ શુક્ર-સારણ જેવું જ કાર્ય કરે છે. અને એટલે એક વાર્તા બીજી વાર્તા કરતાં ભાગ્યે જ સારી છે. વધુમાં મને તો દરેક વાર્તા બિનજરૂરી લાગે છે કારણ કે જાસૂસીની કોઈ અસર તો કાવ્યના કોઈ પણ બનાવ પર પડતી નથી. ભારતીયોની યુદ્ધકળામાં યૂહરચના શૌર્ય જેટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે પછીના ગાયકોએ વાલ્મીકિની ઉપેક્ષાના કારણે આવેલી ખામીને સુધારી છે. પછીથી એ દશ્ય આવે છે જેમાં રામનું માયાવી મસ્તક અને ધનુષ્ય દ્વારા સીતાને ભ્રમમાં નાખવાનો રાવણ પ્રયત્ન કરે છે. પણ પ્રભાવશાળી આરંભ પછી દશ્ય નિન્દનીય સ્થિતિમાં સમાપ્ત થાય છે. સંભવતઃ અત્યારનો પાઠ ઘણો વિકૃતિ પામ્યો છે. ૩૪મા સર્ગના અંતથી અને ૩પમાં સર્ગના આરંભથી જે રીતે વાત આગળ વધે છે તે પ્રમાણે Page #49 -------------------------------------------------------------------------- ________________ 40 રામાયણ મૂળ વિચાર એ હતો કે કૂચ કરતા સૈન્યના કોલાહલે રાવણની યુક્તિને ખુલ્લી પાડી દીધી. રાવણે સીતાને એવું કહ્યું છે કે પ્રહસ્તે શત્રુના સૈન્યને રાત્રિના હૂમલામાં પરાસ્ત કર્યું છે અને સમુદ્રની પેલી પાર સુધી હટાવી દીધું છે. એ જે હોય તે રામાયણની રચનાની ગૂંથણી આવી છે કે બે જોડિયા ભાઈઓની વાત 47 અને ૪૮માં કરી છે. અહીં રાવણ સીતાને રામ-લક્ષ્મણનાં મૃત શરીર પુષ્પક વિમાન પરથી બતાવે છે. બન્નેમાં સીતા કરુણ વિલાપ કરે છે. અને એકમાં સરમા અને બીજીમાં ત્રિજટા એ સહાનુભૂતિભરી રાક્ષસીઓ સીતાને સાચી હકીકત જણાવે છે. અત્યારે તો આ બેમાંથી કઈ વાર્તા વધુ પ્રાચીન છે તેનો નિર્ણય કરવો રહેવા દઈએ. પણ મહાભારતમાં જણાવ્યું છે તેમ એક પ્રાચીન કથા જે ૮૧માં સર્ગમાં આવે છે એનાં બે રૂપાંતરો છે. ત્યાં હનુમાન અને વાનરો સમક્ષ માયાવી સીતાને લાવીને તેનો શિરચ્છેદ કરે છે. આ રાક્ષસની યુક્તિ છે. ઈન્દ્રજિતુ પોતે કહે છે. પીડામમિત્ર યગ્ન ર્તવ્યમેવ તત્વ | (81-28) આ યુક્તિ થોડીવાર માટે કામ આપે છે. શત્રુઓ ગૂંચવાડામાં પડે છે અને વિભીષણ સમગ્ર બાબતને સ્પષ્ટ નથી કરતો ત્યાં સુધી રામ નિરાશામાં સરી પડે છે. આ ઘટના અહીં નિરૂપિત પાત્રોનાં ચરિત્ર સાથે સુસંગત છે અને તેમની આવેગભરી લાગણીઓને નિરૂપવાનો ઉદ્દેશ છે. એથી ઊલટું અહીં ચિત્રિત બે દશ્યો બાહ્ય અને આંતરિક સમર્થન વગર એક જ ઉદ્દેશનો દુરુપયોગ દર્શાવે છે. રાવણે રામના મરણની સીતાને શા માટે ખાત્રી કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે તે જાણે છે કે આવી માન્યતા થોડા સમય માટે જ ટકવાની છે. તરત જ તો સીતા તેને વશ થવાની નથી. રાવણનું આ છળ સીતાને વ્યથિત કરશે પણ આવા મહાન રાક્ષસને આ શોભતું નથી. પણ કથાગાયકોને એક હૃદયસ્પર્શી દશ્યનું વર્ણન કરવામાં સહાયભૂત બને છે. અને સીતાના વિલાપોથી જનતા વ્યથિત પણ બને છે. બાકીના સર્ગો 6-35 થી 40 પણ બિનજરૂરી છે. ૧૪મા શ્લોક પછી 35 અને 36 બન્ને અસંગત છે. ૩૭માં સર્ગમાં સૈન્યને ખડું કરવામાં આવ્યું છે. આ વાત ફરી 41 અને ૪રમાં પણ દર્શાવી છે. 38 અને ૩૯માં સુવેલ પરથી રામે જોયેલી લંકાનું સવિસ્તર વર્ણન કર્યા પછી આ સર્વ તદ્દન વધારાનું છે. અહીં સુધી જેનું વર્ણન કરવામાં આવ્યું તેની સાથે સમાનતા ધરાવતા એક બીજા પુનરાવર્તનને પણ ઉલ્લેખી શકાય. ૭૪મા અને ૧૦૧મા સર્ગોમાં લગભગ સમાન રીતે હનુમાન એક હજાર માઈલનુ અંતર કાપીને ઔષધિ લાવવા વાયુમાર્ગે પ્રવાસ કરે છે. કૈલાસ અને ઋષભ વચ્ચેના સ્થળે Page #50 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 41 તે ઔષધિ મળતી નથી. છેવટે તે પોતાના માથા પર આખો પર્વત ઉપાડીને લંકા પાછા ફરે છે. ૧૦૧મા સર્ગનું સંક્ષિપ્ત વર્ણન ૭૪માના દીર્ઘ વર્ણનની અપેક્ષા રાખે છે. 15 પણ આનો થોડો ભાગ ત્રિષ્ટ્રમાં રચાયો છે જે હંમેશાં પછીથી ઉમેરણ પામેલા પ્રક્ષિત અંશનું ચિહ્ન છે. બીજું પણ એક એવું લક્ષણ છે કે જે તેની અધિકૃતતાની વિરુદ્ધ જાય છે. લંકા પહોંચવા માટે હનુમાને મારેલો કૂદકો એક રાક્ષસી-વિરાટ કૃત્ય છે અને એનું ઠીક ઠીક વિગતોમાં વર્ણન કરવામાં આવ્યું છે. શું એ જ કવિ આથી વધારે અભૂત અને હનુમાનની અકથ્ય સિદ્ધિના કાર્યને આટલા સંક્ષેપમાં વર્ણન કરે ખરો ? ચોક્કસ નહીં. પહેલા કાર્યથી જે અસર ઊભી થઈ છે તેને આ વાર્તા હાનિ પહોંચાડશે. પણ એથી ઊલટું તે પુરાણી કથામાંથી એવાં ઘટકોને દાખલ કરવાની તક ઝડપી લેશે કે જે શ્રોતાઓ પાસે ખાસ તાળીઓ પડાવે. (સરખાવો 6-74-75 અને 5-1-10) ૫૦મા સર્ગમાં ફરી એકવાર હનુમાનને ઔષધિઓ લાવવા મોકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ વાત પૂરી થતી નથી. કારણકે ગરુડ દૈવી હસ્તક્ષેપ (deus ex machina) રૂપે રજુ થાય છે. અને બાણની અનિષ્ટ અસરમાંથી રામલક્ષ્મણને સાજા કરે છે. આ દેખીતી રીતે જ વાર્તાનું પ્રાચીનતર સ્વરૂપ છે. હનુમાને અદ્દભુત રીતે આણેલી ઔષધિથી સાજા થવું એ પછીની શોધ છે. જે પ્રાચીનતરને હાંકી કાઢવા માટે રચાઈ છે. કેટલાક કથાકારોએ ૫૦મા સર્ગમાં ગરુડના દેખાવાના સ્થળે પછીનું રૂપાંતર ઉમેર્યું હશે. એ હકીકતથી લક્ષિત થાય છે કે ઔષધ-પર્વત તરફ હનુમાનને મોકલવાની વાતનો આરંભ ૫૦-૨થી થાય છે. ગરુડ દ્વારા વીરપુરુષો સાજા થાય છે તે સૌ પ્રથમ ઘટના છે અને તે સંભવતઃ પ્રાચીન કવિતાનો ભાગ હતો અને બે વાર સાજા થવાની વાર્તાઓ ચમત્કાર રૂપે કથવામાં આવી છે અને મૂળ કથાઘટકનાં જ પરિવર્તનો છે જેનો યશ કથાકારોને જાય છે. ઉપર વર્ણવી એવી ઘટનાઓ વારંવાર બને છે. કથાવસ્તુનાં રૂપાંતરો મૂળ ખંડ તરીકે ગણવામાં આવે છે. અને વાર્તાના વિસ્તાર માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી નવાં ઉમેરણો અને પ્રસંગો માટેની તકો સર્જાય છે. બીજા કાંડમાં એક રસપ્રદ ઉદાહરણ આવે છે. વનવાસ પામેલાઓએ અયોધ્યા અને સંબંધીઓને ત્યજ્યા પછી (40) 41 થી ૪૪માં દશરથના મહેલમાંના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. ૪૨ના સર્ગમાં જેવો તેમનો પુત્ર નજરથી ઓઝલ થયો કે દશરથ બેભાન થઈ ગયા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કૌશલ્યા અને કૈકયી તેમને ટેકો આપે છે. પણ તે કૈકેયીને તેના પરિવાર સાથે કાઢી મૂકે છે. તે ભાનમાં આવે છે અને વિલાપ કરવા માંડે છે અને કૌશલ્યાના નિવાસે જાય છે. ત્યાં ફરી Page #51 -------------------------------------------------------------------------- ________________ 42 રામાયણ એક વાર તે કલ્પાંત કરવા માંડે છે. છેવટે તે પોતાની દષ્ટિ ગુમાવી બેસે છે અને કૌશલ્યાને કહે છે. “કૌશલ્યા હું તને જોઈ શકતો નથી. તારા હાથથી સ્પર્શ કર. મારી દૃષ્ટિ રામ સાથે જ જતી રહી છે. અને હજુ પાછી વળી નથી.” (42-34) કવિન્યાયની માંગ છે કે આ વૃદ્ધ માણસનું હવે મરણ થવું જોઈએ. પોતાના પ્રિય પુત્રના વિયોગનો આ શોકાતુર રાજાને મરણતોલ આઘાત લાગવો જોઈએ. એ તો કવિનો દેખીતો ઉદેશ હતો. કવિને આવો ખ્યાલ હતો તે પ૧-૧૪ થી ફલિત થાય છે કારણ કે લક્ષ્મણ ગુહ સાથે રાત્રિના પહેલા પ્રહરમાં ચોકી કરતાં કહે છે. 16 कौशल्या चैव राजा च तथैव जननी मम / नाशंसे यदि जीवन्ति सर्वे ते शर्वरीमिमाम् / / પણ કાવ્ય અત્યારે છે તે પ્રમાણે દશરથ જીવે છે અને છ દિવસ પછી મરણ પામે છે. જયારે રામનો સારથિ સુમ7 પાછો વળે છે અને દશરથને પોતાની કથની કહે છે. પછીની રાત્રિએ રાજા જાગે છે. અને કૌશલ્યાને કહે છે કે જુવાનીમાં તેનો ઇરાદો ન હતો પણ તેનાથી એક તપસ્વી યુગલનો પુત્ર પોતાના બાણથી હણાયો હતો. માતા-પિતાએ તેને પણ પુત્રના વિયોગથી ભવિષ્યમાં કોઈ દિવસ મરણનો શાપ આપ્યો હતો. દશરથને એવું લાગે છે કે શાપની હવે અસર થશે. ઉપર જેનો અનુવાદ કર્યો તેવી સરખી અભિવ્યક્તિઓ અહીં ફરીથી આવે છે. ___ चक्षुभ्यां त्वां न पश्यामि कौशल्ये त्वं हि मां स्पृश / 64-61 મૃત્યુનાં ચિહ્નો તેને જણાય છે અને છેલ્લી ચીસમાં તે રામ-સીતાને બોલાવે છે અને છેલ્લો શ્વાસ લે છે. આ રીતે 63 અને ૬૪મા સર્ગમાં વર્ણવવામાં આવ્યું છે. મને જરા પણ શંકા નથી કે રામની વિદાય પછી આ વાર્તા ઉમેરવામાં આવી હતી અને હું હજુ પણ માનું છું કે ૬૩મા સર્ગના આરંભમાં મૂળ હકીકતોના અવશેષો મળે છે. બીજો શ્લોક આ પ્રમાણે છે : सभार्ये हि गते रामे कौशल्यां कोशलेश्वरः / _ विवक्षुरसितापाङ्गी स्मृत्वा दुष्कृतमात्मनः // 3 // પછી ક્રમિકતા જાળવતો પછીનો શ્લોક આવે છે. स राजा रजनी षष्ठी रामे प्रवाजिते वनम् / अर्धरात्रे दशरथः सोऽस्मरद् दुष्कृतं कृतम् // 4|| પણ રીના જેવી પછીના શ્લોકની શરૂઆત પ-૪માં પાછળથી ઉમેરાઈ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 43 स राजा पुत्रशोकातः स्मृत्वा दुष्कृतमात्मनः / कौशल्यां पुत्रशोकार्तामिदं वचनमब्रवीत् / / 5 / / સંભવ કે ત્રીજામાંથી બીજી પંક્તિ અને ચોથામાંથી પહેલીને લઈને શ્લોક ઉમેર્યો છે. કારણકે ત્રીજો પ બીમાં શબ્દશઃ આવે છે. હાલના સંદર્ભમાં સિતાપી અભિવ્યક્તિ અનુચિત વિશેષણ જણાય છે. અને વિવધુ મુખ્ય ક્રિયાપદનું સ્થાન લઈ શકે નહીં, જે એને અહીં આપવામાં આવ્યું છે. હવે બન્ને અડધિયાઓ દૂર કર્યા પછી ૩બીનો કૌશલ્યા શબ્દ ન સમજી શકાય તેવો બને છે. શક્ય છે કે સોનુને જેવા શબ્દની જગ્યાએ તે આવે છે. કારણ કે રામ પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં ગયા છે. આ બન્ને અર્ધશ્લોકો 6 દિવસના સિદ્ધાન્તને જાળવવા ઉમેરાયા છે જે રામની વિદાય અને દશરથના મરણ વચ્ચેના છે. 17 એ અને બીમાં આ શ્લોક નથી. પણ બન્ને વાચનામાં ૬૫મો સર્ગ એવા શ્લોક સાથે આરંભાય છે કે જેમાં સામગ્રી એકસરખી છે. અને જેમાંથી સીના શ્લોકોમાંથી જે તારણ મેં તારવ્યું છે તેનું અનુમાન થઈ શકે છે. रामे मनुजशार्दूले सानुजे वनमाश्रिते / રાના શરથ: શ્રીમાનું (એ સ્ટ્રીમ) ખાપર્વ સમ્મદ્યત || છતાં અહીં એવું વિધાન આવે છે કે અહીં વર્ણવાયેલી ઘટના રામની વિદાય પછી છઠ્ઠા દિવસે બને છે. કવિના આશયની વિરુદ્ધનો આ દિવસ નિશ્ચિત કરવાનું કોઈ ખાસ કારણ નથી. મારી ધારણા આ પ્રમાણે છે. રામનો વનવાસ અને નગરમાં પ્રત્યાગમન શુક્લપક્ષની નવમીએ ઘટે છે. છ દિવસ પછી ચેત્રની પૂર્ણિમા છે. સંભવતઃ દશરથનું મૃત્યુ આ દિવસે થયું હોય. જો અમારી આ ધારણાઓ યથાર્થ હોય તો 40 થી 44 સર્ગો દૂર કરવા જોઈએ. તે એક જ વિષય પરનાં અનુવર્તનો છે જે દ્વારા પછીના કથાકારો શ્રોતાઓને લાગણીના પ્રવાહમાં ખેંચવા ઈચ્છતા હતા. રામની ઘરેથી વિદાય પછી ચિત્રકૂટ પર સ્થિર થવા સુધીના પ્રવાસની મૂળ ઘટનાઓનો અનુક્રમ છે. પછી કવિ રાજાનું મૃત્યુ, ભારતનું પ્રત્યાગમન, રાજયપુરા વહન કરવા, ભરતનો રામને પાછા લાવવા માટેનો પ્રવાસ આ૮ સર્વ અયોધ્યાની ઘટનાઓ વર્ણવવા કવિ પાછા જાય છે. ૯૪મા સર્ગથી વાર્તાના પહેલા સૂત્રને ૯૬મા સર્ગના બીજા સૂત્ર સાથે વણી લેવામાં આવે છે. અત્યાર સુધીનું આપણું પરીક્ષણ સ્વતંત્ર ટૂકડાઓને પછીના પ્રક્ષિપ્ત અંશો તરીકે દર્શાવવા પૂરતું મર્યાદિત રહ્યું છે. હવે પછીના ઉમેરાતા એવા પહેલા કાંડમાંથી મૂળ Page #53 -------------------------------------------------------------------------- ________________ રામાયણ કથાદોરને તારવવાનું વિપરીત કાર્ય કરીશું. એડોલ્ફ હોલ્ટઝમેને પોતાના ગ્રંથ “ઓન ધી ગ્રીક ઓરિજિન ઓફ ધી ઇન્ડીઅન ઝોડીઆક, કાર્લસૂફે ૧૮૪૧માં દર્શાવી દીધું છે કે પહેલો કાંડ એ પાછળનું ઉમેરણ છે. હું પૃ. 36 પર આવતા આખા ખંડને અહી ઊતારું છું. હું પહેલા પ્રકરણમાં આવતી વિભિન્ન અસંગતિઓ સંક્ષેપમાં દર્શાવીશ. ૧૭માં સર્ગમાં દેવો પોતાના નિવાસસ્થાને પાછા વળી રહ્યા છે તેવું વર્ણન આવે છે, પણ એથી ઘણું પહેલાં ૧૪મા સર્ગમાં પ્રકરણમાં તેઓ- દેવો અદશ્ય થઈ જાય છે તેવું કહેવામાં આવ્યું છે. ૧૫મા સર્ગમાં વિષ્ણુ કયા પરિવારમાં જન્મ લેવો તેવું વિચારે છે. પણ સર્ગ ૧૪૩૬માં વિષ્ણુ દેવોને તેઓ શા માટે આટલા ગભરાએલા છે તે પૂછે છે. ઉત્તરમાં દેવો તેમના ભયનું કારણ રાવણ છે એમ કહે છે. પણ આ પહેલાંના ૩૧મા શ્લોકમાં દેવોએ આ અંગે વિષ્ણુને આ જ રાક્ષસ વિશે કહ્યું છે. અને વિષ્ણુએ પૂછ્યું પણ છે કે તેમણે શું કરવું જોઈએ. ત્રણ યજ્ઞોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. અને આમાંથી કોઈ પણ એક બાકીના બેને બિનજરૂરી બતાવે છે. ૧૩મા સર્ગનો અશ્વમેધ યજ્ઞ, ૧૪મા સર્ગનો રૂષ્ટિ: પુત્રીના, અને વળી પાછો ૧૫મા સર્ગમાં રૂષ્ટિ: પુત્રીના. પહેલો યજ્ઞ તો ઋષ્યશૃંગે ૧૧મા સર્ગમાં કર્યો છે. બીજા પ્રસંગે વસિષ્ઠ કર્યો છે. અને તિથિઓમાં ગૂંચવાડો છે. જેના વિશે યુ. શ્લેગલ પોતાની નોંધમાં ઉલ્લેખ કરે છે. ઋષ્યશૃંગના માર્ગદર્શન હેઠળ તૈયારીનું એક વર્ષ વીતી ગયા પછી તે જ તૈયારીઓ વસિષ્ઠના માર્ગદર્શન હેઠળ થતી વર્ણવવામાં આવી છે. આનું પરિણામ એ આવે છે કે યજ્ઞ, બીજી વસન્તઋતુને બદલે ત્રીજીમાં થાય છે. ઈશ્કેલી સંતતિ (પુત્રોના જન્મથી વંશ ચાલુ રહે) એ કાં તો અશ્વમેધ યજ્ઞ દ્વારા યજમાનો અને તેમની પત્નીઓનાં પાપ ધોઈને અથવા ઋષ્યશૃંગની નિર્મળ ઈચ્છાના (13-56) સામર્થ્યથી અથવા ૧૪મા સર્ગ પ્રમાણે ઋષ્યશૃંગની પ્રાર્થનાને માન આપી દેવોની કૃપા દ્વારા મેળવવામાં આવે છે. અથવા છેવટે દેવો રાવણના જુલ્મથી મુક્ત કરવા માટે વિષ્ણુને મનુષ્ય તરીકે જન્મ લેવા વિનંતિ કરે છે. આમાં બે કથાતરો વચ્ચે ભેદ પાડી શકાય તેમ છે. એક પ્રમાણે અશ્વમેધ યજ્ઞના સામર્થ્યથી દશરથને પુત્ર મેળવવામાં સહાય કરે છે. બીજા કથાતર પ્રમાણે દેવો રાવણના દમનમાંથી પોતાને બચાવવા વિષ્ણુ પાસે જાય છે. વિષ્ણુ દશરથના પુત્ર રૂપે જન્મ લેવા ઈચ્છે છે. પહેલા કથાંતર પ્રમાણે સ્વર્ગમાંની સમગ્ર મંત્રણા અનાવશ્યક છે અને બીજા કથાંતર પ્રમાણે અશ્વમેધ યજ્ઞ બિનજરૂરી છે. પ્રથમ કથાંતર પૃથ્વીથી આરંભાય છે જેમાં ઋષ્યશૃંગ નિરર્થક છે કારણ કે વસિષ્ઠ તેના કરતાં વધુ જાણીતા છે. ઋષ્યશૃંગ-પ્રસંગની ઉભાવનાનો ઉદ્દેશ અંગદેશના રાજવી કુટુંબના સહકાર પર રામનો જન્મ આધારિત છે એવું દર્શાવવાનો છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 45 પહેલા કાંડ પર એક અછડતી નજર નાખતાં જ સમજી શકાશે કે પુનર્લેખન કરનારે પછીનાં ઉમેરણોથી કાવ્યનો વિસ્તાર કર્યો તેમાં કઈ પ્રેરણા રહી હશે. રામને એવી સ્થિતિએ પહોંચાડવા જોઈએ કે જે અન્ય સર્વ વીરનાયકો કરતાં ચઢિયાતા હોય. અહીંયાં સૌ પ્રથમ તો ચમત્કારિક જન્મની વાત આવે છે. પછીથી ધનભંગ દ્વારા રામને મહાભારતના નાયકોની સમકક્ષ મૂકવામાં આવે છે. અને એમનાથી પણ વધુ ચઢિયાતા દર્શાવ્યા છે. અને છેવટે, જયેષ્ઠ રામ (પરશુરામ) સાથેની મુલાકાત જેમાં જયેષ્ઠ રામનો નાના રામના હાથે પરાભવ થાય છે. લગ્નની ઊજવણી, પોતાની સેવા આપનારા વિખ્યાત ઋષિઓ, રામની વસિષ્ઠ ટાંકેલી વંશાવળી આ સર્વ રામની મહાનતા દર્શાવવાની અભીપ્સામાંથી ઉદ્ભવે છે. ખાસ કરીને વંશાવળી દર્શાવે છે કે આ પ્રકરણ એવા સમયે ઊભળ્યું હશે કે જે કાળે બીજી દંતકથાઓ સાથે એને પણ સ્વેચ્છાએ નિરૂપવામાં આવ્યું હોય. ભારતીય પરંપરા સાથે તદ્દન અસંગત છે અને ભિન્ન ભિન્ન ગોત્રના રાજાઓના નામનો ગૂંચવાડો થાય તે રીતે ભેળસેળ કરવામાં આવી છે. અને તેનો દેખીતો હેતુ આ સર્વ પ્રતિષ્ઠિત રાજવીઓ રામચંદ્રના પૂર્વજો છે એવું દર્શાવવાનો છે. બીજા ખંડોનો હેતુ રામનો મહિમા કરવાનો નથી પણ અધિકૃત કથાઓમાં જે સ્થળોનો ઉલ્લેખ થયો નથી તેનો રામ-કથામાં સમાવેશ સ્થળોનો મહિમા કરવા માટે થયો છે. એટલે વિશ્વામિત્ર સાથેની આ વિચિત્ર યાત્રા. પણ બીજા કાંડના અધિકૃત ખંડો સાથે પહેલા કાંડનો સૂર એક ચિત્રાત્મક વિરોધ દર્શાવે છે. પહેલા કાંડની શુષ્ક વાર્તાઓનાં સ્થળનામોનું વર્ણન, વ્યુત્પત્તિની યુક્તિઓ, ચમત્કારિક શસ્ત્રો વગેરેની શૌર્યભરી પ્રવૃત્તિઓને અણગમતી ઢબે પતાવ્યા પછી બીજા કાંડના આરંભમાં જ વાચકને અલંકૃત અને જોમભરી વાણીનો અનુભવ થાય છે. અને તેને સુખદ આશ્ચર્ય થાય છે. અહીં સાચા કવિને તરત જ ઓળખી શકાય છે. બીજા કાંડના કાવ્યાત્મક ગુણ ધરાવતા ખંડોમાં પહેલા કાંડના પ્રસંગોનો કોઈ ઉલ્લેખ જ આપણને મળતો નથી. એથી ઊલટું એ વાતનો મોટો હોબાળો કરવામાં આવે છે કે રામ ધનુર્વિદ્યાનો અભ્યાસ કેવી રીતે કરી શકે, જ્યારે એ જ કવિ સર્વ બાણાવળીઓ કરતાં ચઢિયાતા ઠરે તેવાં પરાક્રમો રામને નામે ચઢાવે નહીં. આ કારણોથી હું માનું છું કે થોડા સર્ગોને બાદ કરતાં, સમગ્ર કાંડ વાલ્મીકિની કલમમાંથી ઊતરી આવ્યો નથી. પછીના સમયમાં પરસ્પર વિરોધી હોય તેવાં ઉમેરણોથી તે અસ્તિત્વમાં આવ્યો હશે.” અલગ સંદર્ભમાં રામાયણના પહેલા કાંડનો સમાવેશ કરવાના હેતુની આપણે ચર્ચા કરવી જોઈએ. અહીંયાં હોલ્ટઝમેનના વિધાનને સંમતિ આપવી પૂરતી છે. તેમનાં કારણોને આપણે સહેલાઈથી વિસ્તારી શકીએ પણ હું બે મુદ્દા પર ભાર મૂકીશ. પહેલાં Page #55 -------------------------------------------------------------------------- ________________ 46 રામાયણ કાંડમાં આપણે જોઈએ છીએ કે સીતાની બહેન ઊર્મિલાને લક્ષ્મણ ઘરે લાવે છે. પણ બીજા કાંડમાં આપણને કશું જ એના વિશે સાંભળવા મળતું નથી. લક્ષ્મણની પત્નીના ઉલ્લેખ માટેનો પ્રસંગ તો આવે જ છે. જ્યારે લક્ષ્મણે રામ સાથે વનમાં જવાનો નિશ્ચય કર્યો અને ત્રણેએ પોતાનાં માતા-પિતાની વિદાય લીધી. એક હૃદયસ્પર્શી દશ્ય માટેનો આ પ્રસંગ હતો. પણ વાલ્મીકિ બિચારી ઊર્મિલાને વિસરી ગયા જણાય છે કારણ કે વાલ્મીકિ રામને જૂઠા ઠેરવતા નથી. જ્યારે પછીથી 3-18-3 પોતાની સાથે લગ્ન કરવા ઈચ્છતી શૂર્પણખા લક્ષ્મણને બતાવે છે. રામે આમ એટલા માટે કર્યું કે, હજુ લક્ષ્મણ કુંવારા (સતવાર) હતા. બીજો મુદ્દો જ્યારે રામને વનવાસ આપવામાં આવે છે ત્યારે ભારતની અનુપસ્થિતિનો છે. બીજા કાંડમાં માની લેવામાં આવે છે અને સ્પષ્ટપણે ઉલ્લેખ પણ કરવામાં આવે છે. પહેલા કાંડમાં એવું કહેવામાં આવ્યું છે કે ભરત અને શત્રુદ્ધ પોતાના મામાને ત્યાં ગયા છે. એટલે, એવું માની શકાય કે આ અંશને નિવારી શકાય તેમ નથી અને એટલે પહેલા કાંડમાં પણ આ ખંડને દૂર કરી શકાય તેમ નથી. પણ જો પહેલા કાંડના ભરતને લગતા ખંડનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરવામાં આવે તો તરત જ ધ્યાન પર આવશે કે આ ભાગનો બહુ જ અણઘડ રીતે આકાર આપવામાં આવ્યો છે. ૭૩મા કાંડમાં યુધાજિત પોતાના ભાણા ભરતને મળવા આવ્યો છે એવો ખાસ ઉલ્લેખ થયો છે. આ લગ્નદિનની સવારે બને છે. ચાર લગ્નો થાય છે. પણ છેલ્લા સર્ગ સુધી યુધોજિતનો કોઈ ઉલ્લેખ નથી ત્યાં દશરથ ભરત અને શત્રુનને યુધોજિન સાથે જવાની અનુમતિ આપે છે. અને સંદર્ભની માગ છે કે, લગ્ન પછી અને અયોધ્યામાં સહુ પાછા આવે પછીથી આ બને. નવપરિણીત વર કૈકયના દૂરના પ્રદેશ સુધી પ્રવાસ કરે તે પસંદ કરેલી ક્ષણ પણ અનુરૂપ છે. એથી વધુ નોંધપાત્ર હકીકત એ છે કે, આ દૂરના પ્રદેશમાં ભરત ઘણાં વર્ષો ગાળે છે, કારણ કે રામ વનમાં જાય છે ત્યારે જ ભરતને પાછો બોલાવવામાં આવે છે. કવિ, અને ખાસ કરીને તે કે જેણે રામાયણને અત્યારનો આકાર આપ્યો છે તેણે લગ્ન અને રામનો વનવાસ એ બે વચ્ચે ઘણો સમય પસાર થાય છે એમ કહ્યું છે. ૧-૭૭૨૫માં કહેવાયું છે. रामश्च सीतया सार्धं विजहार बहून ऋतून् / અહીં ટીકાકાર નોંધે છે દશ વર્ષાનિત્યર્થ તિ ભાવ: ! આ દ્વારા કદાચ ટીકાકાર ૫૩૩-૧૭-૧૮૨ના કથનનો ઉલ્લેખ કરી રહ્યા છે. મન્થરાએ કૈકેયીને કહેલ સમગ્ર વાર્તાથી કાંડમાં તદ્દન વિપરીત ૨-૮-૨૮માં વાત વ તુ માન્ચે મરતો નાયિતત્ત્વયા | આ રીતે, પહેલા કાંડની વાર્તાઓ બીજા કાંડમાં નિરૂપાએલી ઘટનાઓ સાથે અસંગત છે.૨૩ વાલ્મીકિ Page #56 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી ભરતની અનુપસ્થિતિ માટેનાં કારણો આપવા માટે કોઈ દબાણ હેઠળ નથી. કથાએ તેમને એક હકીકત તરીકે આપી અને પરમ્પરા પાસેથી ઘટનાઓ જે રીતે તેમને મળે છે તે રીતે નિરૂપી તે તરફ આપણને દોરે છે. ભારત માર્ગમાં હતો નહીં (તે દેખાતો ન હતો) અને કવિ અને શ્રોતાઓ માટે એ પૂરતું હતું. સામગ્રીની દષ્ટિએ, પહેલો કાંડ પછીથી રચાયો હોવાનું ગણાય છે. કારણ કે ઘણાં મહાકાવ્યોનું વળગણ પૂરતું હોય છે કે જેમાં નાયકોના જુવાનીના સમયને વર્ણવવામાં આવે.૨૪ પણ આપણે એટલું માની શકીએ કે મૂળ કાવ્યનો આરંભ કોઈક રીતે પહેલા કાંડમાં લઈ જવામાં આવ્યો હતો. આપણે પછીનાં ઘણાં બધાં કલ્પિત સર્જનોને જુદા પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કવિતાનો સાચો આરંભ પાંચમા સર્ગથી કરવાનું શોધવું જોઈએ. આની પહેલાં, કાવ્યનો મહિમા (1-5-1 થી 4) ગાવામાં આવ્યો છે જેમાં લવ અને કુશના મુખમાં" વર્તણાવ: મુકવામાં આવ્યું છે. પણ કોઈ ખાસ મુશ્કેલી સિવાય વર્તયિષ્યામિ અથવા વયિામમાં શબ્દનું પરિવર્તન કરી શકાય છે. એટલે આ ચાર શ્લોકોમાં આપણે કથાગાયકોની ગંભીર પ્રસ્તાવના જોઈ શકીએ છીએ. બંગાળી સંસ્કરણમાં સાચો હેતુ સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે. ખરું કાવ્ય પાંચમા શ્લોકથી શરૂ થાય છે. પછીના શ્લોકમાં કોશલ પ્રદેશનો મહિમા આવે છે અને પછીના બે શ્લોકોમાં તેના મુખ્ય નગર અયોધ્યાનું વર્ણન આવે છે. પછી ૯મા શ્લોકમાં દશરથનો ઉલ્લેખ આવે છે, જેની પછી આ રાજવીની પ્રશંસા કે વર્ણન આવવું જ જોઈએ. તેને બદલે પાંચમાં સર્ગનો બાકીનો આખો ભાગ અયોધ્યાના વિગતપ્રચુર વર્ણનમાં રોકાયો છે. આ આખો ટૂકડો પછીનું ઉમેરણ છે. એ સામાન્ય તર્કથી પણ સમજી શકાય તેમ છે. પણ આનું પ્રાધાન્ય પણ એ રીતે વર્તાય છે કે આનો આરંભ આ પંક્તિથી થાય છે. પુરીમાવાસયામાસ ના ટ્રશરથસ્તા ! જે ૯મા શ્લોકમાં આવે છે. દેખીતી રીતે પ્રાચીન પાઠમાં આનો સમાવેશ આ રીતે થયો છે. પછીના સર્ગમાં પહેલા શ્લોકનો હેતુ પણ આવો જ છે. આપણે આ શ્લોકને જો બાજુમાં મૂકી દઈએ તો પછીના ત્રણ શ્લોકોમાં (2 થી 4) દશરથનું સંક્ષિપ્ત અને અતિશયતાભર્યું વર્ણન આવે છે. આ વર્ણનને પ-૯માં રાજાના સૌ પ્રથમ ઉલ્લેખ સાથે સીધું જોડી શકાય કારણ કે પ-રમાં આ રાજવીનો ઉલ્લેખ આવે છે, જે આવા સ્થળે ધારી શકાય. ચોથા શ્લોકથી સર્ગના અંત સુધી, દશરથના શાસન દરમ્યાનની અયોધ્યાની પરિસ્થિતિનું વર્ણન છે. આની પૂર્વેના સર્ગના નગરના વર્ણનની સમાંતર છે. અને સરળતાથી તેને પછીથી જોડી દેવામાં આવ્યું હોવાનું માની શકાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ 48 રામાયણ દશરથને એક વખત દાખલ કર્યા પછી, એવું સ્વાભાવિક રીતે માની શકાય કે હવે તેની પત્નીઓનો ઉલ્લેખ આવશે. પણ અહીં કે કાવ્યમાં પછી પણ તેમને ક્યારેય પણ યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યાં જ નથી. ૧૪-૩૩માં કૌશલ્યાનો આકસ્મિક ઉલ્લેખ થયો છે. પછી ૧૬મા સર્ગમાં સુમિત્રા અને કૈકેયીની સાથે તેનો ઉલ્લેખ થયો છે. વાચકને તેમના વંશ વિશે કશી જ આવશ્યક માહિતી મળતી નથી. પણ ક્રમશઃ વાર્તાના વિકાસ સાથે વાચક માહિતી એકત્ર કરતો જાય છે. ઉપરિ કથિત હકીકતોથી આપણા માટે એવા અનુમાન પર આવવું શક્ય છે કે કવિએ વાચકોને રાણીઓનો પરિચય કરાવવાનું એટલા માટે ટાળ્યું છે કે તેણે (કવિએ) એવું માની લીધું છે કે વાચક પરંપરામાંથી પ્રાપ્ત કથાનાં પાત્રોથી પરિચિત છે. પોતાની વાર્તા પ્રસ્તુત કરવા મુખ્ય પાત્રો વિશે સંક્ષિપ્તમાં કહેવું પૂરતું હતું. દશ્યમાં તે આવતાં અને તેના કારણે તેઓ સીધાં કાર્યમાં આવી જતાં. દશરથ રાજાના નામનો ઉલ્લેખ પછી સાતમા સર્ગમાં તેના શાણપણની પ્રશંસા આવે છે. તે ચોક્કસપણે પછીનું ઉમેરણ છે. વાર્તા માટે તેનો કોઈ ઉપયોગ નથી. એ હકીક્ત સિવાય પણ જ્યારે મુખ્ય પાત્ર દશરથનો બે શ્લોકમાં પરિચય આપ્યા પછી ઓછાં મહત્ત્વનાં પાત્રોનું વર્ણન વધુ પડતું લાંબું થઈ જાય અને તેથી અન્ય મહત્ત્વનાં પાત્રો ખાસ કરીને રાણીઓને સદંતર બાકાત રાખવામાં આવી છે. એ તદ્દન સંભવિત છે કે દશરથના વર્ણન પછી તરત જ ૧૮મા સર્ગમાં તેના પુત્રોનો ઉલ્લેખ આવે છે. એટલે, છઠ્ઠી અને અઢારમા સર્ગોની વચ્ચે જે કંઈ બને છે તે પ્રક્ષિત છે કારણ કે આમાં આવતી અસંગતિઓ એ જ પ્રતિપાદિત કરે છે. આ હકીકતને હોટ્ઝમેને દર્શાવી છે. ૧૮માં સર્ગમાં પ્રાચીન કાવ્યના ટૂકડાઓ મળે છે. આ વાત એ પરથી સાબિત થાય છે કે આ સર્ગના કેટલાક શ્લોકોની બીજા કાંડના પહેલા સર્ગના કેટલાંક શ્લોકો સાથે ગાઢ શાબ્દિક સમાનતા છે. હોર્ટ્ઝમેને દર્શાવ્યું છે તે પ્રમાણે બીજા પ્રાચીન કાવ્યના આરંભના ટૂકડાઓ આપણને આરંભમાં મળે એવી આપણી ધારણા સ્વાભાવિક છે. અલબત્ત સમગ્ર આરંભ નહીં કારણ કે તેમાંના નગણ્ય ભાગનો વિસ્તાર પામેલા ગ્રંથના આરંભ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. અને તે પણ કોઈ પરિવર્તન વગર. તેનું કારણ પણ એ છે કે પહેલા કાંડની પછી ચિપકાવેલી સામગ્રીને ધ્યાનમાં તો લેવી પડે. ૧-૧૮ના એક સરખા શ્લોકો પરથી એવું સમજાય કે પ્રાચીન પાઠમાં બહુ મોટું ભંગાણ પડ્યું છે. એટલે છૂટા પડેલા ભાગોને જ્યારે હું જોડવાનો પ્રયત્ન કરું છું, ત્યારે મારા પુનર્ગઠનમાં રહેલી સમસ્યાઓથી હું પૂરો સભાન હોઉં છું. અત્યારે ઉપલબ્ધ સામગ્રીના આધારે અત્યારનો પાઠ આ પ્રમાણે છે એટલું દર્શાવી શકાય. આ રીતે ચાર પુત્રોના જન્મની ચમત્કારિક કથા પછીની નિર્મિતિ છે. એમ હોવાથી ૧૮-૧૬માં દશરથને Page #58 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 48 ચાર પુત્રો જન્મ્યા છે એવી વાત આવે છે અને અયોધ્યાના રાજા દશરથ છે એ ઉલ્લેખ સાથે એ સર્ગ પૂરો થાય છે. ત્યાર પછી પુત્રોનાં નામો જણાવવાં જ જોઈએ. તે ૨૧૨૨માં એવી રીતે થાય છે કે વસિષ્ઠનો પણ નિપુણતાથી ઉલ્લેખ કરવામાં આવે છે અને માતાનાં નામો પણ સૂચવવામાં આવે છે. કેવળ કૌશલ્યાનું નામ લુપ્ત છે. તે પછીથી (21-8=1-18-12) पूरे 43वामां आवे छे, यो पात भुण्य पात्र भने ती छे. પછીથી રામની પ્રશસ્તિ પહેલા કાંડના ૧૮મા સર્ગમાં (સંભવતઃ 27-33) કે બીજા કાંડના પહેલા સર્ગમાં (સંભવતઃ 5.10-33) આવે છે. પણ મારે નિરર્થક અટકળોમાં ન ઊતરવું જોઈએ. એટલી જ વાત પર ભાર મૂકાવો જોઈએ કે, ૨-૧-૩૬ના શ્લોક સાથે સ્થિર પ્રસ્તાવના પછી, ખરું નિરૂપણ શરૂ થવું જોઈએ. अथ राज्ञो बभूवैव वृद्धस्य चिरजिविनः / प्रीतिरेषा कथं रामो स्यान्मयि जिवति // મૂળ પાઠના આરંભનું પુનર્ગઠન सर्वापूर्वमियं येषां आसीत् कृत्स्ना वसुन्धरा / प्रजापतिमुपादाय नृपाणां जयशालिनाम् // 1 // येषां स सगरो नाम सागरो येन खानितः / षष्टिः पुत्रसहस्राणि यं यान्तं पर्यवारयन् / / 2 / / इक्ष्वाकूणामिदं तेषां राज्ञां वंशे महात्मनाम् / महदुत्पन्नमाख्यानं रामायणमिति श्रुतम् // 3 // तदिदं वर्तयिष्यावः सर्वं निखिलं आदितः / धर्मार्थकामसहितं श्रोतव्यमनसूयता // 4 // कोसलो नाम मुदितः स्फीतो जनपदो महान् / निविष्टः सरयूतीरे प्रभूतधनधान्यवान् / / 5 / / अयोध्या नाम नगरी तत्रासील्लोकविश्रुता। मनुना मानवेन्द्रेण या पुरी निर्मिता स्वयम् // 6 // आयता दश च द्वे च योजनानि महापुरी / श्रीमती त्रीणि विस्तीर्णा सुविभक्त-महापथा // 7 // Page #59 -------------------------------------------------------------------------- ________________ 50 રામાયણ तां तु राजा दशरथो महाराष्ट्रविवर्धनः / पुरीमावासयामास दिवि देवपतिर्यथा // 9 // इक्ष्वाकूणामतिरथो यज्वा धर्मपरो वशी / महर्षिकल्पो राजर्षिस्त्रिषु लोकेषु विश्रुतः // 6-2 // बलवान्निहतामित्रो मित्रवान् विजितेन्द्रियः / धनैश्च सञ्चयैश्च चान्यैः शक्रवैश्रवणोपमः // 3 // यथा मनुर्महातेजा लोकस्य परिरक्षिता / तथा दशरथो नाम लोकस्य परिरक्षिता // 4 // राज्ञः पुत्रा महात्मानश्चत्वारो जज्ञिरे पृथक् / गुणवन्तोऽनुरूपाश्च रुच्या प्रोष्ठपदोपमाः // 18-16 // ज्येष्ठं रामं महात्मानं भरतं कैकेयिसुतम् / सौमित्रं लक्ष्मणमिति शत्रुघ्नमपरं तथा / वसिष्ठः परमप्रीतो नामानि कुरुते तदा // 22 / / सर्वे वेदविदः सूराः सर्वे लोकहिते रताः / सर्वे ज्ञानोपसम्पन्नाः सर्वे समुदिताः गुणैः // 25 // (2-1-5 मी) तेषामपि महातेजा रामो रतिकरः पितुः / स्वयंभूरिव भूतानां बभूव गुणवत्तरः // 2-1-5 // __ (1-18-24 (अने. 26) शुओ) कौसल्या शुशुभे तेन पुत्रेणामिततेजसा / यथा वरेण देवानामदितिर्वज्रपाणिना // 2-1-8-1-18-12 પ્રક્ષિપ્ત અંશો વિશે માહિતી 1, 2 થી 6 કાંડોના અનિયમિત શ્લોકો (अ) 8 २५१२नो पा६ यदन्नः पुरुषो भवति / 2-103.30 अभिवादये त्वा भगवन् 3-2-72 दशग्रीवो विंशतिभुजो 3-35-8 Page #60 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી ધ્વનિન: પતાવનશૈવ 5-4-20 આ શ્લોકોનાં ભવ, પ, શ, ધ્વન ને એક અક્ષર તરીકે લેવાના છે. એક અક્ષર દબાવી દઈને એક અક્ષર તરીકે લેવાના છે. ૬-૧૦૫-૧૦માં દિવ્યતા વિવાર: પણ અનિયમિત આવે છે. (બી) સંયુક્ત વ્યંજનો પણ, ગણવામાં આવતા નથી. એટલે કે, એની અગાઉના અક્ષરને છંદની દૃષ્ટિએ દીર્ઘ બનાવતો નથી.) તથા શ્વાસય ટ્રીમન્તમ્ 2-19-9 "વંતુ સમસ્થ પ્રીત્યર્થમ્ 5-53-13 વિમૃ યુદ્ધચી પ્રશ્રિતમ્ 6-113-93 (સી) બીજો પાદ નિયમથી વિરુદ્ધ શરૂ થાય છે. પૈતૃપિતામહૈધૃવ:. 2-105-3 પણ ટીકા એવો પાઠ ઉદ્ભૂત કરે છે જેમાં છંદ બરાબર જળવાયો હોય. पितृपैतामहैर् વિપુલાનો બીજો પ્રકાર અનિયમિત છે. (-- U -- UU U) પરિત્રાતં પથ્થમવત્ 2-72 अपविद्धैश्चापि रथैः 6-43-43 તતઃ વૃદ્ધો વાયુસુતો 6-59-112 તુરાવારં વિષમઃ 6-90-66 નિત્યમૂના નિત્યક્ષતા: 6-128-102 વિપુલાનો ત્રીજો પ્રકાર (U - U ... / - -U) અનિયમિત છે. તમન્યારોહતું સુગ્રીવ: 6-38-8 इह प्रहस्तेनानीतम् 6-31-44 અથવા વિ વં ત્ રોષમ્ વગેરે ર-૩૬-૨૮ શૈતા: સુબ્રુવુ: પાનીયમ્ 6-23-17 તેલુગુ આવૃત્તિ છેલ્લાં બે ઉદાહરણોમાં છંદ જળવાયો હોય તેવો પાઠ આપે છે. (ડી). Page #61 -------------------------------------------------------------------------- ________________ 52 રામાયણ अथवा देवि दोषं त्वं कञ्चिद् वगेरे (એફ) શૈલાશ સત્યુ: પાનીયમ્ (૬-૪૩-૧૭માં પ્રસુન્નુઃ રૂપ આવે છે. બી-૬-૧૮-૨૪ પ્રસન્નુ:) ચોથા પ્રકારના વિપુલાનો - U -- U આમ અંત આવે છે અને તે 3 થી 6 કાંડમાં 38 વાર આવે છે. અને સર્વ ઉદાહરણોમાં ચોથો અક્ષરદીર્ઘ છે અને પછી યતિ છે. 31 કિસ્સાઓમાં શ્લોક U - U - થી શરૂ થાય છે. ચોથો પાદ જો નબળો હોય તો આ રીતે અંત પામે છે. સુમિત્રાવીણ્યમના 2-4-32 એની ઉપેક્ષા પણ કરવામાં આવે છે. યપ્રસાનામfષમ - 2-6-24 તેલુગુ આવૃત્તિમાં અને ગોરેસીઓમાં આ પ્રમાણેનાં વિચલનો મળે છે. = બી 2.3.22 સુમિત્રોડપાયમાના. = બી 2-5-24 પત્રસાષિમ્ 2-4-32 2-6-24 2-19-9 ટી કે तद् आश्वासय हडमम् त्वम्. બી 2-16-12 તત્ સ્વાસય રીનાન. 2-72-9 = બી 2-74-10 પથિ તટ્ટીન્તમુત્સંખ્ય 2-103-30 = બી 2-111-36 યજ્ઞ: પુરુષો નૂનમ 3.2.72 ટી કે વા ને બદલે વાન = બી 3-17-2 મામગ્ન વાન્ ભવનું 3-35-9 ટી 1-2 કે વંશમુનો રસથીવો બીમાં નથી. પ-૪-૨૦ ટી 2 કે ધ્વનોવૈતાનિદૈવ = બી 5-10-22 વિન: નિશ્રાપ 6-31-44 = બી 6-7-47 પ્રદર્તનેહન્વિતમ્ ૬-૪૩-૪૩.ટી૧, ર, અપવિદ્ધેશ મિશ્વ = બી 6-18-53 2 બર્નશ 6-38-8 ટી૧, 2 કે તમન્નાડોદત્ = બી 6-14-11 અવરોદવૂ સુપ્રી: 6-59-112 ટી 1, કે કથ વાયુસુતઃ o બીમાં નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 6-90-66 ટી 1,2 ટુરવારનું ટી 1 સુવિષહમ્ ટી, કે વિષમ બી 6-30-32 દુરાધર્ષમ્ વિષહમ્ 6-105-10 ટી-૨ કે સ્વરેતા વિવાર: બીમાં નથી. 6-114 93 ટી 1,2 વિકૃશ્ય વૃદ્ધયા ધર્મનો બી 6-95 46 ટી ની જેમ 6-128-102 ટી 1 2 નિત્યપુષ્કા નિત્યક્ષતામ્ બી 6 - 113-6 ટી ની જેમ. છંદોભંગ કરનારા 16 ખંડોમાંથી 4 ગોરેસીઓની આવૃત્તિમાં આવે છે. (છૂટી છૂટી છપાઈ છે.) 7 અને 10 તેલુગુ આવૃત્તિઓમાં અનુક્રમે. એ નક્કી કરવું મુશ્કેલ છે કે તેલુગુ આવૃત્તિ કયો પાઠ આપે છે, મૂળ કે સુધારેલો? કુરીવાર ચોક્કસ મૂળ પાઠ જણાય છે, ત્યારે સુધારેલો પાઠ તત્ શ્વાસ્થ દીઠમમ્ त्वं त्वं, विंशद्भुजो दशग्रीवो, तमन्वरोहत् सुग्रीवो ध्वजोत्पताकिनश्चैव, विमृश्य बुद्धया धर्मज्ञो. 2. એ નોંધપાત્ર છે કે ઐતરેય બ્રાહ્મણ (સંપાદન, ઓફેટ, પ્રસ્તાવના પૃ.૫)ની શુનશેપની કથામાં ક્ષત્રિયોના ગૌણ સ્થાન વિશે ચર્ચા આવે છે. એ જ કારણથી ગંગાનું અવતરણ 1-30 થી ૪૪નો એક ખાસ અને પછીના સમયનો પ્રક્ષિપ્ત ભાગ હોવો જોઈએ કારણ કે, તેનો પણ શ્રવતિ સાથે અંત આવે છે. यः श्रावयति विप्रेषु क्षत्रियेषु इतरेषु च प्रीयन्ते पितरस्तस्य तस्य प्रीयन्ते दैवतानि च / इदमाख्यानमायुष्यं गंगावतरणं शुभम् / यः श्रृणोति काकुत्स्थ सर्वान् कामानवाप्नुयात् / (सर्वे पापाः प्रणश्यन्ति आयुः कीर्तिश्च वर्धते // ) રામવર્મનું પ૬મા સર્ગથી પોતાની ટીકાનો આરંભ આ શબ્દોથી કરે છે. રૂત મારગ પુનર્નપ્લેન સારમ્ ત્યક્તા: સાર્ધવર્તુર્વિતિઃ સ્તો: પ્રા| વ્યાધ્યાતપ્રાયા વિ. એથી ઊલટું મહેશ્વરતીર્થ અને ગોવિન્દરાજની ટીકાઓમાંથી એ નિશ્ચિત થતું નથી કે આરંભના આઠ શ્લોકોને તેમણે પુનરાવર્તનરૂપે ગણ્યા છે. (કારણ કે તેઓ બોમ્બે આવૃત્તિના 3-10, ૧૫-૨૦ને ગાળી નાખે છે.) એથી ઉલટું, પહેલા શ્લોકનો પ્રસ્થિતમ્ શબ્દ (તતતં સ્થિત સીતા વીક્ષમાળા) પહેલા કરતાં બીજા ખંડમાં વધારે સારી રીતે બંધ બેસે છે, એવું કોઈ કહી શકે. પણ આ વાંધો બીજા ખંડમાં બારીકાઈથી પરીક્ષણ કરતાં ટકતો નથી કારણકે હજુ હનુમાનને જવાનું આવ્યું પ્રતિમ્ નથી. તેથી પ્રથમ ખંડમાં પણ તેનું ઔચિત્ય નહીંવત્ છે, પણ ૩૮મા સર્ગના કેટલાક શ્લોકોમાં આ પણ એક શ્લોક છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ 54 રામાયણ मणिरत्नं कविवरः प्रतिगृह्याभिवाद्य च / / सीतां प्रदक्षिणम् कृत्वा प्रणत: पार्श्वतः स्थितः // 68 / / દેખીતુ છે કે, આની પછી તરત જ તતસ્તં પ્રસ્થિતમ વગેરે આવે છે. હવે સ્થિત” આપણને સંતોષ થાય તેમ સ્પષ્ટ બને છે. દક્ષિણભારતીય આવૃત્તિ (સંભવતઃ મહેશ્વરતીર્થ અને ગોવિન્દરાજને પણ સમાવતાં) એ ઊલટી રીતે, આલેખન કર્યું છે. એટલે, બીજી જગ્યાએ આવતા ખંડને કાઢી નાખ્યો નથી પણ, આખા પ્રસંગને થોડા શ્લોકોમાં સમાવી દીધો છે. ઉપર ટાંકેલા બે શ્લોકો (રક્ષાં પ્રવરનું દૃન્દા) હનુમાનના પ્રસંગમાં પાછા વળવાની સાથેના અનુસંધાનના પ્રયત્નરૂપ જણાય છે. બીમાં પ૩ અને ૫૪મા સર્ગના આરંભમાં ગોઠવેલા છે અને તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. प्रवरान रक्षसान् हत्वा नाम विश्राव्य चात्मनः / दग्ध्वा च नगरी लङ्कां सीतां द्रष्टुं ययौ कपिः // 53-1 / / गत्वा चामन्त्रयामास गमनाय महोदधेः / तमभिप्रस्थितं दृष्ट्वा वीक्षमाणा पुनः पुनः // 53-2 // પછીથી વિદાય-દેશ્ય (જુઓ ઉપર 1-1) આવે છે. અને પછી પ૪મો સર્ગ શરૂ થાય છે. आकुलां नगरी कृत्वा व्यथयित्वा च रावणम् / दर्शयित्वा बलं घोरमभिवाद्य च मैथिलीन् // 1 // તતઃ પિશર્તુતઃ વગેરે તે જ શ્લોકોનું પુનરાવર્તન કરવામાં આવે છે. કૃણ છે વગેરે. 3-36-17 અને 3-40-17 આ બે ખંડો વચ્ચે જે ટૂકડો આવે છે તે પછીથી ઉમેરાએલો પ્રક્ષપ્ત અંશ છે. ૪૧મા સર્ગમાં નિરૂપાએલા વિષયને ફરીથી અહીં ઊતારવામાં આવ્યો છે. એવા પણ કેટલાક હોઈ શકે છે, આવી નગણ્ય અસંગતિઓને interdum dormit, homerus (Homer also nods-હોમર પણ ક્યારેક ઝોકું ખાઈ જાય છે.) સિદ્ધાન્ત પ્રમાણે મહત્ત્વ ન આપે. પણ, એ કાળજી રાખવી જોઈએ કે આ બેદરકારી કવિ પર આરોપિત ન કરવામાં આવે કારણ કે રામાયણ વાલ્મીકિનું જીવનભરનું કાર્ય હતું. તેમણે આ કાવ્ય રચ્યું એટલું જ નહીં પણ, એક મહાકાવ્યના કવિની રીતે, જનસમાજમાં પ્રસ્તુત થાય તે રીતે, સ્મૃતિપટ પર અંકિત પણ કર્યું. આવી પ્રક્રિયા કૃતિમાં. અનીચ્છાએ પ્રવેશી ગએલી અસંગતિઓની ઘસણખોરીને અટકાવે છે. કવિએ આ દુર કરવા માટેની તક ઝડપી લેવાની પણ ઘણી કાળજી રાખી છે. એટલા માટે મહાકાવ્યની પદ્ધતિની વિપરીત જતી આ અસંગતિઓને કોઈએ હળવાશથી લેવી જોઈએ નહીં. એટલે, જો તે પ્રચુર પ્રમાણમાં હોય તો, બીજી કોઈ કલમથી ઊતરી આવેલા પ્રક્ષિપ્ત અંશો તરીકે ગણવામાં ઔચિત્ય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 55 10. એ નોંધપાત્ર છે કે, મુદ્રિકા 7ક્ષિતા: વનડ્રોપશોભિતમ છે. ૫-૧૧-૨૭માં રૂષવો નિતિષ્યિન્તિા રીમતક્ષ્મળ:-થી મૂળાક્ષરનો બીજો પણ એક સંકેત મળે છે. અશોકના સમયમાં લિપિ મોટે ભાગે જાણીતી હતી. રાજાએ પોતાના ઉપદેશ સિદ્ધાન્તોના પ્રચાર માટે તેનો ઉપયોગ કરેલો. એના શિલાલેખો વિદ્વાનોને સંબોધિત ન હતા નહીં તો, તે સંસ્કૃતમાં રચાયા હોત. પણ તે સામાન્ય જનતા માટે હતા જે, જનભાષા બોલનારા હતા. જો લોકો વાંચી શકે તેમ ન હોય તો, આ પ્રચલિત ભાષાનો શો ઉપયોગ થયો હોત ! એટલે મેક્સ-મૂલરનો આ મત સંભવતઃ અશોકની આજ્ઞાથી બાહ્ય સ્રોતોમાંથી મૂળાક્ષરો ઊછીના લઈને, વિદ્વાનોએ માગધી લિપિને રચી છે, તેને હું ભૂલભરેલો માનું છું. અશોકના મૂળાક્ષરોના ધ્વનિતંત્રની સંપૂર્ણ સમજ તેની પુનર્રચના કરતા વિદ્વાનોની અસર દર્શાવે છે. પણ, પ્રાચીનતમ શિલાલેખોની ધ્વનિ વગરની લિપિ એક લખવાની પદ્ધતિ તરીકે, લોકોએ અપનાવેલી અને લિપિના વ્યવહારુ ઉપયોગની સાક્ષી આપે છે, પણ પછીથી તેને ત્યજી દેવામાં આવી. સરયૂ પૂર્વની છે, મરુ પશ્ચિમની છે, વિધ્ય દક્ષિણનો અને હિમાલય ઉત્તરનો છે. બોલીન્કના અભિનંદન ગ્રંથમાં વિષ્ણુનો ઉલ્લેખ આવે છે. દક્ષિણ જાણીતું ન હતું એવા મતના સમર્થનમાં પુરાવા તરીકે પ્રસ્તુત કરી શકાય. પણ ઉપર નિરીક્ષણ કર્યા પ્રમાણે આ દલીલ ટકે નહીં. મારો એવો પણ અભિપ્રાય છે કે, અન્ય છંદોમાં આવતાં પદ્યો મોટે ભાગે, હંમેશાં નહીં, સર્ગનો અંત દર્શાવે છે. પણ તે મૂળ કવિની રચનાઓ નથી. મહાભારતના ૧૨મા પર્વનો વિચાર આવે છે. આ આવા જ ઉદ્દેશથી મહાકાવ્યમાં દાખલ કરવામાં આવેલો પણ, શિથિલ અને ઉપલક છે. 11. . 14. 6-108 પરની તિલકટીકામાં રામવર્મનું ભિન્ન મતો જણાવે છે. 15. આખો ૧૦૧મો સર્ગ પ્રક્ષિત છે એ બીજી રીતે પણ દર્શાવી શકાય. આગળના સર્ગને અંતે રામ એક ગંભીર પ્રતિજ્ઞા લે છે (5-48) अस्मिन्मुहूर्ते नचिरात् सत्यं प्रतिश्रृणोमि वः / अरावणमरामं वा जगत् द्रक्ष्यथ वानराः / / પછી રાવણ સાથેના પોતાના યુદ્ધને નિહાળવા ત્રણે જગતને આમંત્રણ આપે છે (5-55) अद्य पश्यन्तु रामस्य रामत्वं मम संयगे / त्रयो लोकाः सगन्धर्वाः सिद्धाश्च सहचारणाः // Page #65 -------------------------------------------------------------------------- ________________ 56 રામાયણ 16. (ડીનો પાઠ ટી પ્રમાણે છે. બૉમ્બે આવૃત્તિમાં સિન્થર્વવારા છે) દેખીતું છે કે, જેનું વર્ણન થનાર છે તે નિર્ણયાત્મક યુદ્ધ માટેનું આમંત્રણ છે. આ પ્રસંગોની વચ્ચે હનુમાને આણેલી ઔષધિઓથી લક્ષ્મણના સાજા થવાની વાત આવે છે. આ સંદર્ભમાં ખલેલ પહોંચાડે છે અને, યુદ્ધના વર્ણનની કરુણ શરૂઆત નિરર્થક બની જાય છે. ૧૦૧મો સર્ગ પ્રક્ષિત હોવા માટે એક બીજો પણ સંકેત છે. 100-57 અને 58 થોડાં પરિવર્તન સાથે 101-3 અને 4 માં પણ આવે છે. આ રીતે પછીના ઉમેરણને સરળતાથી ઓળખી શકાય છે. અત્યારના પાઠ પ્રમાણે ચોક્કસ આ બીજી વાત છે પણ આ માટેની શરત એ છે કે, સર્ગ 4549, પ્રક્ષિત હોવા જોઈએ. વળી ૫૦મો સર્ગ આ પ્રમાણે શરૂ થાય છે. ત્યાં રામ અયોધ્યાને સંબોધે છે. આyછે ત્યાં રિ છે.... પુનર્જમાં આવી અભિવ્યક્તિથી એવું ધારી શકાય કે, રામ પોતાની આગળ અયોધ્યા જુએ છે. લક્ષ્મણ અને ગુહ વચ્ચેનો વાર્તાલાપ જયાં ઘટે છે તે ગંગા અને અયોધ્યા વચ્ચેનું અંતર કદાચ રથ દ્વારા એક અથવા એથી પણ વધારે દિવસનો પ્રવાસ છે પણ આવા માટે મહાકાવ્યના કવિનો કોણ દોષ કાઢવાનું છે? વળી એ પ્રશ્ન પણ અપ્રસ્તુત છે કે ૭૧મા સર્ગમાં જેનો ઉલ્લેખ થયો છે તે ગિરિરાજ ભણી અયોધ્યાથી જતાં સાત દિવસ થાય છે. એટલે, સંભવતઃ ૪)માં પછી તરત જ ૫૦મો સર્ગ આવે છે. આવી 40-47 અને ૫૦પની અભિવ્યક્તિઓ સાથે સરખાવો. બીજી કૃતિઓમાં પણ આવું વિધાન આવે છે. રામવર્મનું પદ્મપુરાણ ૨-૫૭-૨માં આ શ્લોક ટાંકે 17. 18. 20. रामस्य निर्गमनदिनाद् दिने षष्ठेर्धरात्रके / हा हा लक्ष्मण हा सीते रामेति मृतो नृपः // છેલ્લે ઉલ્લેખાયેલી આ બંને કથાઓ કદાચ મૂળ કાવ્યને અજાણી છે. નહીં તો તેનું સંક્ષિપ્તમાં નિરૂપણ થયું હોત. 66-93 સર્ગોમાં વાર્તા જે પ્રમાણે આવે છે તે ચોક્કસ પોતાના વિસ્તાર અને બહુ પુનરાવર્તનને કારણે મૌલિક નથી. આ સમસ્યાનું પરીક્ષણ આપણને અહીં સુધી દોરી લાવે છે. હું એ બીજી તક સુધી મુલત્વી રાખું છું. હોટ્ઝમેનનું આ મહત્ત્વનું નિરીક્ષણ બાકીના અધિકૃત સર્ગો માટે પણ યથાર્થ છે. ૨-૧૧૮માં સીતાના લગ્નનો ઉલ્લેખ આવે છે. અહીં સીતા અનસૂયાને પોતાનાં સ્મરણો કહે છે. આ પ્રસંગ પ્રક્ષિપ્ત જણાય છે. કારણ કે, પહેલો કાંડ રામાયણનો અનિવાર્ય ભાગ જણાતો નથી. ઊર્મિલા સાથેના લક્ષ્મણના લગ્નનો ઉલ્લેખ અહીં એક શ્લોકમાં આવે છે, જે છેવટે ઉમેરવામાં આવ્યો છે. (53) અને તેના પ્રષિત હોવાનું એકદમ નજરે ચડે એવું એટલા માટે છે કે, એક વિષયને નિરૂપતા બે શ્લોકોની વચ્ચે તે આવે છે. એ અને બીમાં ભારતના પ્રવાસનો ખાસો એવો વિસ્તાર છે. પોતાના માતામહના ઘરે રહ્યા તે દરમ્યાન બન્ને રાજકુમારોને સર્વ શાસ્ત્રો શિખવવામાં આવે છે. જેણે આ પ્રસંગ કહ્યો છે તે કવિ પ્રમાણે આ નિવાસ ઘણાં વર્ષો સુધી લંબાયો છે. 21. Page #66 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 57. 22. 1 બીના 5-31-11,12 પ્રમાણે તે ફકત એક વર્ષ માટે હતું. 23. એ પણ નોંધપાત્ર છે કે, ૨-૬૯માં ભારતના પ્રત્યાગમન સમયે, આકસ્મિક ઢબે શત્રુઘ્નનો ઉલ્લેખ (70-28) કરવામાં આવ્યો છે. એનાથી એવી છાપ પડે છે કે, મૂળ વાર્તામાં કેવળ ભરત છે અને શત્રુઘ્નનો સમાવેશ પછીથી કરવામાં આવ્યો છે. આ છેલ્લું પાત્ર સામાન્ય રીતે, એવો તો ગૌણ ભાગ વાર્તામાં ભજવે છે. અને તેને માટે તે બિનજરૂરી પણ છે કે, મળ રામ-કથાનો એ અંશ નહીં હોય એમ માનવાની ફરજ પડે છે. મૂળ કથા કેવળ દશરથની ત્રણ રાણીઓની જેમ ત્રણ જ પુત્રોને જાણે છે. પછીના જૈન સાહિત્યમાં આવતી કથાઓમાં પણ ત્રણ પાત્રો આવે છે. લૉમને પણ વિનર ઝેઇશ્રીટમાં પૃ.૩૫ પર આ પ્રમાણે દર્શાવ્યું છે. 24. ટાબોય વહીલરના રહસ્યમય ઉત્તર-પશ્ચિમ સંસ્કરણમાં વાર્તા શૈશવથી આરંભાય છે. 25. રામાયણના આરંભનું પુનર્ગઠન પછીથી જુઓ. આ આંકડાઓ બોમ્બે આવૃત્તિના છે. 26. હું ૫-૮મા શ્લોકને પ્રક્ષિપ્ત માનું છું, કારણ કે, આગલા શ્લોકમાં છેલ્લા ચરણમાં જે કહેવાયું તેનું નિરર્થક પુનરાવર્તન છે. સુવિધ શબ્દ ઊછીનો લે છે. T H Page #67 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો વિભાગ ભારતીય સાહિત્યમાં રામાયણનું સ્થાન રામાયણનો ઉદ્દભવ અને વિકાસ મેં મૂળ રામાયણમાં પ્રક્ષેપણો અને ઉમેરણો અશેષપણે દર્શાવવા માટે આ પૂર્વેનું પરીક્ષણ કર્યું નથી. એમ કરવામાં અત્યારે આપણી પાસે છે તેના કરતાં વધુ સામગ્રી જોઈએ અને પ્રાથમિક રીતે વધુ અભ્યાસ માગી લે છે. હવે એ દર્શાવવું જોઈએ કે આ પ્રક્ષેપણોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે અને કઈ રીતે ઉમેરણ થયું છે. જેવી રીતે પછીની પેઢીઓએ આપણાં ઘણાં પ્રાચીન અને પવિત્ર દેવળોમાં કશુંક નવુ ઉમેર્યું છે. અને મૂળ બાંધણીને નુકસાન પહોંચાડ્યા વગર નાનાં દેવળો અને મિનારાઓ જોડાયા છે. તે જ રીતે ગાયકોની પેઢીઓએ રામાયણ પર હાથ અજમાવ્યો છે. અને છતાં, જેની આસપાસ ઘણું ઉમેરાયું છે તે પ્રાચીન કેન્દ્ર તો સમીક્ષકની ચિકિત્સક દષ્ટિને હજુ સ્પષ્ટ જ છે. જો કે સર્વ વિગતો નહીં તો પણ એક રૂપરેખા તો સ્પષ્ટ ખરી જ. આપણે ઉમેરણોનો સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો બે બાબતો નિશ્ચિતપણે જાણી શકીએ છીએ. પ્રથમ તો, જો ગૌણ લક્ષણો ધ્યાનમાં ન લેવામાં આવે તો મૂળ કૃતિમાં જે વિભાવના છે તેનું જ અહીં પ્રાથમ્ય છે, અને બીજુ પ્રક્ષેપણો શિથિલપણે કરવામાં આવ્યાં છે. અને તેથી સાંધો ભૂલ વગર પરખાઈ જાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોએ પોતાના સ્વાર્થી હેતુ માટે કૃતિમાં પરિવર્તન કર્યું હોય છે. પણ અહીં એવી કોઈ સંભાવના નથી. જો આવી રીતે ફુગાવેલી કૃતિ હોત તો, સાંધાઓ ઓળખી ન શકાત અને સમગ્ર કૃતિ સર્વાગ સંપૂર્ણ કૃતિ તરીકે રજુ થઈ હોત. પૂર્વગ્રહથી પરિવર્તિત કૃતિમાં કોઈ એવું ચિહ્ન મળતું નથી કે જ્યાં થોડા શબ્દો કે મૂળના થોડા શ્લોકો ખૂબ ખરાબ રીતે બદલવામાં આવ્યા હોય અથવા દૂર કરવામાં આવ્યા હોય. અલબત્ત, આ પ્રકારનું કશુંક કૃતિમાં દેખાવું જ જોઈએ, નહીં તો, એનો કોઈ પણ ઉલ્લેખ ન હોત પણ મને પોતાનો Page #68 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 59 સ્વાર્થ સાધવા માટે આ પૂર્વગ્રહથી પ્રેરિત પરિવર્તિત કૃતિ છે એવું અર્થઘટન કરવાનું સુચશે નહીં. વળી તે સમગ્ર કૃતિને અસર કરનારું પણ નથી. મતો અને વલણોને દાખલ કરવા હયાત સામગ્રીને નવો આકાર આપવામાં આવ્યો હોય તો જ આપણે પૂર્વગ્રહ પ્રેરિત પરિવર્તનની વાત કરી શકીએ. જે આ પ્રાચીન કૃતિથી અલગ પડતું હોય અથવા તો, તદ્દન વિરુદ્ધનું હોય. પણ આમાનું કશું જ રામાયણમાં શોધી શકાય તેમ નથી, કારણ કે જોડેલો ભાગ પણ મૂળ કૃતિની જેમ એ જ વિભાવનાથી અનુપ્રાણિત છે. પણ જ્યારે કૃતિમાં વિષ્ણુ અને રામના અભેદનો વિચાર એક નવા મત તરીકે પ્રવેશે છે. ત્યારે તે કેવળ પ્રક્ષિપ્ત ભાગો પૂરતો જ મર્યાદિત રહે છે. અને સમગ્ર કૃતિમાં વ્યાપેલો હોતો નથી. અને એટલે જ આપણે સ્વાર્થી હેતુઓ માટે કૃતિમાં પરિવર્તનની વાત કરી શકીએ તેમ નથી. જો વધારાના ખંડો દાખલ થયા તેની પૂર્વે મૂળ કાવ્યનું પુનર્ગઠન થઈ ગયું હતું એમ ધારણા બાંધીને, આ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો જો કોઈ પ્રયત્ન કરે તો આવી ધારણાના સમર્થનમાં પુરાવો રજૂ કરવો અનિવાર્ય છે. મને કલ્પના પણ થતી નથી કે, આવા મતના સમર્થનમાં કેવી રીતે પુરાવો પ્રસ્તુત થઈ શકે. બાહ્ય સાબિતીઓ તો કોઈ છે નહીં અને પાઠના ઝીણવટથી અને વારંવારના પરિશીલન પછી આંતરિક સાક્ષ્ય પણ મને તો જડતું નથી. સંભવતઃ ભારતીય સાહિત્યની ઉત્ક્રાન્તિમાંથી આ મત સાથે સંવાદી આવો વિચાર સ્વીકારવા કોઈ પ્રેરાય ખરું. આ વિચાર ગમે તેટલો ચમત્કૃતિભર્યો લાગતો હોય પણ જયાં સુધી ઉપર્યુક્ત સામગ્રીનું સર્વાગી પરીક્ષણ ન થાય ત્યા સુધી તે વિચાર ન્યાપ્ય ઠરતો નથી. અને તે આત્મકેન્દ્રી બની રહેતો હોવાથી કાવ્યની ગંભીર વિચારણાને પાત્ર ઠરતો નથી. આ સર્વ હકીકતો બ્રાહ્મણોએ કરેલા પુનર્ગઠનના મતની વિરુદ્ધ જાય છે. એટલું જ નહીં પણ આવી કોઈ પણ પૂર્વધારણાની વિપરીત ઠરે છે. મૂળ પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં મહાકાવ્યને ઢાળવામાં આવેલું એ વિચારનું સમર્થન કોણે કરેલું તે હું જાણતો નથી, પણ ઉમેરણો અને પરિવર્તનોના ઉદ્દગમને લાગેવળગે છે ત્યાં સુધી આપણે તેમના વિશે એક પ્રામાણિક મત જરૂર બાંધી શકીએ તેમ છીએ. આપણને રામાયણમાંથી જ જાણ થાય છે તે પ્રમાણે ભાટ-ચારણો અંશતઃ તેનું ગાન કરતા હતા અને અંશતઃ સંગીતના વાદ્યો સાથે ગાવામાં આવતું. (1-4-8-34, 7-71, 14, 94. 4 વગેરે) આ રીતે વાલ્મીકિના શિષ્યો અને રામના પુત્રો લવ અને કુશ દ્વારા, મૌખિક (1-4-10) પરંપરામાં સચવાયું. કુશીલવ ભાટ-ચારણ, અભિનેતા શબ્દના લોકપ્રિય અર્થ માટે કુશ અને લવ નામે પ્રયત્ન કરવામાં આવ્યો છે. (જુઓ પીટર્સનના કોશમાં કુશીલવર) પ્રાચીન સમયમાં જેમ મહાકાવ્યથી કવિતાનો વિકાસ થતો ગયો, તેમ, પ્રવાસ કરનારા ગાયકો, અભિનય કરનારાઓ અને કથાકારો (ાવ્યોપનીવિના) અસ્તિત્વમાં આવ્યા અને તે સ્વાભાવિક છે કે, કાવ્યનો ઉદ્દગમ ગમે તે હોય પણ મહાકાવ્યના ગીતોની Page #69 -------------------------------------------------------------------------- ________________ 60 રામાયણ જેમ તેને સંક્રાન્ત કરવામાં આવે છે. મૌખિક રીતે કથાકારો જાળવે છે. આમ રામાયણ સાથે પણ બન્યું, કારણ કે પ્રવાસી ગાયકોની આ વિલક્ષણતા હતી. પોતાની સંપત્તિનો ઉપયોગ કરવામાં તેઓ કાળજી રાખે. હું ભૌતિક પાસાનો વિચાર નથી કરતો. તેઓ શ્રોતાઓની તાળીઓ તો ઝંખતા જ. એ બહુ જ સ્વાભાવિક છે કે, તેમાંના જેમની પાસે કવિપ્રતિભા હતી તેઓ પોતાની રચનાઓથી પોતાની પાસેની સામગ્રીને સમૃદ્ધ કરતા, તેઓ શ્રોતાઓના ભાવ, કલ્પના અને રસ પરત્વે બહુ જ જાગૃત રહેતા. આ પ્રકારના સ્વરૂપમાં, કથાવસ્તુમાં હૃદયસ્પર્શી દશ્યોના બહેલાવવા (અલંકાર શાસ્ત્રીઓના મંતવ્ય પ્રમાણે રામાયણ કરુણ રસ પ્રધાન છે.) ઉપરાંત, કથાવસ્તુમાં પરિવર્તન થતું. (રમૂજી અને વિડંબનાત્મક દૃશ્યો અને નીતિશાસ્ત્રની સામગ્રીનાં) જે ઉમેરણો લોકોને ગમી જતાં, તે વળી પરંપરાથી જાળવવામાં આવતાં અને તે, એ રીતે, રામાયણનાં અંગભૂત બનતાં. ક્યારેક એવું પણ બનતું કે કથાનાં પછીનાં સ્વરૂપાંતરો, મૂળ કરતાં વધારે લોકપ્રિય બનતાં અને મૂળને દૂર પણ કરી દેતાં. આ રીતે રામાયણનું કદ ધીરે ધીરે વધતું ગયું અને, જો તેનું એક ગ્રથિત સ્વરૂપ આપવામાં ન આવ્યું હોત તો તે છિન્નભિન્ન થઈ ગયું હોત. નિઃસંશય, પ્રથમ કાંડમાં પહેલા સર્ગમાં આવતી સામગ્રીની અનુક્રમણિકાથી આ હેતુ સિદ્ધ થાય છે. પહેલા અને છેલ્લા કાંડના સામગ્રીનો અહીંયાં ઉલ્લેખ નહીં હોવાથી આ નિશ્ચિત કરનારું ગ્રથિત સ્વરૂપ પહેલા અને છેલ્લા કાંડની ઉદ્દભવ પહેલાં, બંધાયું હશે. સંભવતઃ રૂપાંતરિત (ડાયાસ્કેન્સ diaskense સ્વરૂપ) પણ સર્ગોમાં વિભાજન સાથે રામાયણના મૂળ ભાગને સમાવે છે. ઉત્તરકાંડમાં સર્ગોનો સંદર્ભ ઘણા પ્રસંગે આપવામાં આવ્યો છે. અન્ય સ્થળોની જેમ, કથાકારો દ્વારા વધારાના શ્લોકો લખવાની સતત પ્રક્રિયા મૂળ કાવ્યની સામગ્રી પૂરતી મર્યાદિત ન હતી. પણ પ્રથમ કવિએ ન નિરૂપ્યા હોય તેવા ખંડોને પણ આ પ્રક્રિયા લાગુ પાડવામાં આવી. છેવટે, પ્રથમ કવિએ નિરૂપેલા વાર્તાના આરંભે નાયક અને તેના પ્રતિસ્પર્ધકોના પૂર્વજીવનનો ઇતિહાસ રહે છે, અને મૂળ કથા ચાલુ રહે છે. આ પ્રમાણે ભારતમાં ખરેખર બન્યું. બાલકાંડમાં રામની યુવાનીને ગાવામાં આવી અને ઉત્તરકાંડમાં તેમના મૃત્યુ સુધી આ વાર્તા ચાલી. અહીં વિસ્તરેલા મહાકાવ્યના ખજાનાને સ્થિર કરવાની આવશ્યકતા વર્તાઈ. આનો પુરાવો આ હકીકતના સમર્થનમાં ત્રીજા સર્ગની સામગ્રીની અનુક્રમણિકા દ્વારા અપાય છે. છતાં ઉત્તરકાંડને હજુ આખરી સ્વરૂપ પ્રાપ્ત થયું નથી કારણ કે ત્રીજા સર્ગમાં એની સામગ્રીનો આછો ઉલ્લેખ થયો છે. ૭-૯૪-૨૬માં પણ તેનો સંકેત થયો છે. आदिप्रभृति वै राजन् पञ्चसर्गशतानि च / काण्डानि षट् कृतानीह सोत्तराणि महात्मना || Page #70 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી બાલકાંડ અને ઉત્તરકાંડની રચના અને મૂળ મહાકાવ્ય વચ્ચે ઘણો સમય પસાર થયો તે હકીકતના અનુમોદનમાં, આ બન્ને કાંડ પુરાવાઓ પુરા પાડે છે. આ ગ્રંથ દ્વારા જ રામાયણનો નાયક લોકોનો નૈતિક નાયક બની ગયો અને એક જાતિના નાયકમાંથી રાષ્ટ્રીય નાયકમાં પરિવર્તિત થયો. તેને ફાળે આવેલા સન્માને માનવીય સ્તરેથી દૈવી સ્તરે પહોંચાડ્યા અને પશ્ચિમ ભારતના બીજા મહાકાવ્યના નાયક કૃષ્ણની સાથે જે બન્યું તે જ રીતે, તેમનો વિષ્ણુ સાથે અભેદ સાધવામાં આવ્યો. ભારતીય ધર્મની ઉત્ક્રાન્તિના સંદર્ભમાં આલ્ફડ લ્યાલે ઐતિહાસિક આધારોનો ઉલ્લેખ કરતી પુરાકથાઓ (euhemerism)માં આ સિવાય બીજું ભાગ્યે જ બને એમ કહ્યું છે. રામ અને કૃષ્ણની બાબતમાં એક દંતકથાનો નાયક લોકપ્રિય દેવમાં ભળી ગયો છે જેમ કે યાદવકૃષ્ણ ભરવાડોનો દેવ ગોવિન્દમાં અને રાઘવ રાષ્ટ્રીય દેવ રામમાં જેણે દાનવોને જિત્યા. આ બન્યા પછી આ પ્રમાણેના વિભાવિત દેવ વિષ્ણુના અવતાર મનાયા. રામનું દૈવીકરણ અને વિષ્ણુ સાથેનો અભેદ એ પહેલા અને અંતિમ કાંડની નોંધપાત્ર હકીકતો છે. તેઓએ કવિના દષ્ટિપથમાં બૃહસ્વરૂપ ધારણ કર્યું. પણ પાંચ મૂળ કાંડોમાં થોડા પ્રક્ષિપ્ત ખંડોના અપવાદ સિવાય આ વિચાર જોવા મળતો નથી. ઊલટું રામ તો, નર્યા માનવ જ છે." પછીથી ઉમેરાએલા કાંડોમાં રામના પાત્રના પરિવર્તન માટે, વધુ લાંબો સમય જરૂરી બનેલો. પહેલા અને છેલ્લા કાંડમાં વાલ્મીકિ રામના સમકાલીન અને આદરણીય ઋષિ જણાય છે. એ તારણ પર પણ આ જ હકીકતથી. આવીએ છીએ. આ બન્ને ત્યારે જ શક્ય બનેલું જ્યારે વાલ્મીકિ પછીના કવિઓને દૂરના લાગેલા અને પરિણામે પૌરાણિક પાત્રની આભાથી તેઓ વીંટળાએલા અને તેમને માટે ધૂસરિત થયેલા. આ હેતુ માટે આવશ્યક એવો સમય આપણે નક્કી કરી શકતા નથી, પણ એટલું તો ચોક્કસ કે આ સમય દસકાઓથી નહીં પણ સદીઓથી માપવાનો છે. ગ્રીક અને સીથિયન ભારતીઓને પરિચિત હોવાથી હજુ પણ વધારાના ખંડો માટે રામાયણ ઊઘાડું હતું, એ આપણે ચોથા ભાગમાં દર્શાવીશું. મહાકાવ્યની રચનાની દીર્ઘ યાત્રાના પરિણામે રામાયણને આજનો આકાર સાંપડ્યો છે. છતાં પરમ્પરા તો એને એક સુગ્રથિત કાવ્ય તરીકે જુએ છે, અને જે ચોક્કસ મર્યાદા સાથે જળવાયું છે પણ ખરું. કાવ્યના કેન્દ્રની આસપાસ ઘણી પેઢીઓની મહાકાવ્ય રચના એકત્ર થઈ છે. અને છતાં, કેન્દ્ર તો એક પ્રમુખ કવિની સંવાદી રચના જ હતી. કવિ ક્યાં રહેતા હતા અને વાલ્મીકિના અનુકર્તાઓનું મહાકાવ્ય ક્યાં ઉભવ્યું ? ખાસ કરીને બાલકાંડ અને ઉત્તરકાંડની પરમ્પરા આ પ્રશ્નોના ઉચિત ઉત્તર માટે આપણી Page #71 -------------------------------------------------------------------------- ________________ રામાયણ સહાયે આવે છે. વધુ વિશેષ રીતે ૭-૪૫માં તમસાની પાસે, ગંગાના દક્ષિણ તરફના કિનારે વાલ્મીકિનો આશ્રમ હતો એમ રામ જણાવે છે. આની સાથે, ૧-૨-૩નું કથન અને ૭-૪૮ની કથા સંમત થાય છે. ૭-૬૬માં શત્રુઘ્ન વાલ્મીકિના આશ્રમમાંથી પશ્ચિમના કિનારેથી યમુના નદી તરફ પ્રવાસમાં આવી ચઢે છે. રામવર્મનના પુરાવા પ્રમાણે કતક ૬૬-૧પમાં યમુનાતરમ્ ને બદલે માતરમ્ વાંચે છે. જો કતકનો પાઠ સાચો હોય (મહેશ્વરતીર્થ પ્રમાણે વિનો અર્થ એ થાય) તો, આપણી પાસે એક જુદી જ પરંપરા આવે છે જે પ્રમાણે વાલ્મીકિનો આશ્રમ ગંગાના ઉત્તર કિનારા પર છે. હવે, અલાહાબાદની ગંગાને મળતી યમુનાના કિનારે બાન્દા જીલ્લામાં બુદ્ધેલ ખંડમાં ટેકરી એ આશ્રમ સ્થળ દર્શાવાયું છે. હજુ પણ આપણને રામાયણમાંથી મળતી રસપ્રદ વાત એ નોંધવાની છે કે તે (વાલ્મીકિ) અયોધ્યાના રાજકુટુંબ સાથે નિકટના સંપર્કમાં હતા. તેમના આશ્રમમાં નિર્વાસિત સીતાને આશ્રય મળે છે. અને ત્યાં તે કુશ અને લવ એ જોડિયાં બાળકોને જન્મ આપે છે. આ કુશ અને લવ, પછીથી વાલ્મીકિ પાસેથી કાવ્ય શીખે છે. ૧-૫માં ગાયકને જે રીતે રજૂ કરવામાં આવે છે તે જુઓ. ત્યાં કહેવામાં આવ્યું છે. इक्ष्वाकूणामिदं तेषां वंशे राज्ञां महात्मनाम् / महदुत्पन्नमाख्यानं रामायणमिति श्रुतम् // આ કથન પ્રમાણે, રામાયણનો ઉદ્દભવ ઇક્વાકુવંશમાં થયો, અને, કોઈ અંતર રાખ્યા સિવાય કાવ્યના કર્તા તરીકે વાલ્મીકિને ગણાવે છે. ઇશ્વાકુવંશના રામની કથા કે દંતકથા સૂતોના ઘણા કાવ્યોનો વિષય બન્યો, અને તેઓ ઇશ્વાકુવંશના રાજકુમારોની સભામાં ગાતા. એક પ્રમુખ કવિ બ્રાહ્મણ વાલ્મીકિએ આ વિષય વસ્તુ ગ્રહણ કર્યું અને ભિન્ન ભિન્ન ગીતોમાં વિખરાયેલાં જુદાં જુદાં અંગોને સાંકળ્યાં અને એકસૂત્ર કાવ્ય રચ્યું. આ પ્રકારનું કંઈ પહેલી વારનું ન હતું. પણ શાશ્વત મૂલ્યનું પહેલીવારનું હતું, જેને સમુચિત રીતે કવિવ્યમ્ તરીકે ઓળખી શકાય. જે પહેલું કૃત્રિમ કાવ્ય હતું. સર્વ સ્થળે, આપણે ઉચિત મહાકાવ્યની પૂર્વભૂમિકા રૂપે મહાકાવ્યના ગીતોની ધારણા રાખવી જ પડે. ભારતમાં પણ રામાયણ વિશે આ પ્રમાણે બન્યું. વાલ્મીકિ રચિત મહાકાવ્ય (વાલ્મીકિના કાવ્યના કર્તૃત્વ વિશે શંકા કરવાનું કોઈ કારણ નથી) પછી વ્યવસાયિક કથાકારો કુશીલવો દ્વારા કંઠસ્થ કરવામાં આવ્યું અને તેનો પ્રચાર કરવામાં આવ્યો. આ કુશીલવોને આપણે રાજસભાના સૂતોથી ભિન્ન તારવવા પડે." આ પૂર્વેની ચર્ચા પરથી આપણે એવું ધારી શકીએ કે રામાયણનો ઉદ્ગમ કોસલની ભૂમિમાં થયો હશે, જેના પર ઈક્વાકુ વંશના રાજાઓ શાસન કરતા હતા. સંભવતઃ એના Page #72 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 63 સૌ પ્રથમ ફેલાવાના સ્થળની સીમાઓની બહાર એવા પ્રદેશોમાં પ્રસર્યું કે જે ઈક્વાકુ વંશની ભિન્ન ભિન્ન શાખાઓના રાજાઓના શાસન હેઠળ હતા. અને, જેઓ તેમની સાથે સંકળાયેલા હતા. મહાકાવ્ય પોતાનામાં કાંડ પહેલા અને સાતમામાં આ, ઘટનાઓનું વર્ણન સમાવે છે. અન્ય રાજાઓની કથાઓનો પણ ત્યાં સમાવેશ કરવામાં આવ્યો છે. આનો દેખીતો હેતુ તો ભિન્ન ઈક્વાકુ રાજાઓને એકત્ર કરવા અને તેના વિષયવસ્તુને અયોધ્યાના રાજવીઓ સાથે નિકટનો સંબંધ સ્થાપવો આ રીતે, તેમની મહત્તા ગાવી. ત્યાં મિથિલાના વિદેહો પણ હતા જે સીતા દ્વારા અયોધ્યાના કુટુંબ સાથે સંબંધિત હતા. અને સાતમા કાંડમાં તેમના ઉદ્ગમ વિશેની કથા પણ કહેવામાં આવી છે. સાન્કાશ્યની ભૂમિ પણ એની પશ્ચિમે છે, જ્યાંના રાજવંશમાંથી રામચન્દ્રના બે ભાઈઓ પત્નીઓને આણે છે. પૂર્વમાં અંગદેશ છે જેના રાજા રોમપાદ દશરથ સાથે મૈત્રીભર્યો સંબંધ ધરાવે છે. ૭૩૮માં આપણને માહિતી મળે છે કે, કાશીના રાજા પણ રામચન્દ્રના મિત્ર છે. કથામાં વિશ્વામિત્રને દાખલ કરવાનો હેતુ પણ આ ઋષિનું સન્માન કરનારા કુટુંબને અથવા જેઓ કુશના વંશના હતા તેમના સંબંધમાં લાવવાનો છે. આને પરિણામે મહાકાવ્યમાં ઉલ્લેખ પામવા માટેની તેમને તક મળતી હતી. આ પ્રમાણેનો કિસ્સો કૌશામ્બી, મહોદય (કાન્યકુબ્ધ), ધર્મારણ્ય અને ગિરિવ્રજ (1-33) અને કાર્પિત્ય (૧-૩૩)નો છે. તે જ પ્રમાણે કૌશિકીની પૂર્વના કુટુંબો વિશે પણ છે. વિશ્વામિત્ર (૧-૩૪)ની મોટી બહેન સત્યવતી સાથે આ નદી એકરૂપ છે. રામાયણમાં પછીથી ઉમેરાયેલા ભાગોમાં આ નગરો અને દેશોના ઉલ્લેખ દ્વારા આપણને પુરાવા સાંપડે છે. આ પુરાવા એ હકીકતનું સમર્થન કરે છે કે, વાલ્મીકિનું મહાકાવ્ય સૌ પ્રથમ આ ઉપર વર્ણવેલા પ્રાંતોમાં ઉત્તમ વિસ્તારને પામ્યું, આ પ્રાંતો પૂર્વ હિન્દુસ્તાનમાં છે.૧૧ પરંપરા સાથે સુસંગત ઢબે, આપણે એવું માની શકીએ કે વીર નાયકોના નિવાસસ્થાનમાં રામાયણ ઉદ્ભવ્યું હશે, અને ત્યાંથી પછી પ્રસર્યું હશે. આવું આપણે મહાભારત વિશે પણ માની શકીએ. પશ્ચિમ ભારતના લોકો આમાં મુખ્ય ભાગ ભજવે છે. એટલું જ નહીં પણ સૂતો દ્વારા સૌ પ્રથમ (પરંપરા) ગાવામાં પણ આવી હશે. આ મહાકાવ્યનાં ગીતો રામાયણની જેમ એક સુસંગત કથાના સ્વરૂપમાં ઉતરી આવ્યાં હોય. એવું લાગતું નથી. પણ પરસ્પર સંબંધ ધરાવતા કથાનાયકના સ્વરૂપમાં તેની રચના થઈ હશે. રામાયણ કરતાં મહાભારતના પ્રસંગોનું સ્થળ વધારે દૂર હતું. મુખ્ય કાર્યમાં ભાગ લેનારી ઐતિહાસિક વ્યક્તિઓ વિશે પણ એમ જ એ સંભવિત છે કે પ્રાંતના એક ભાગમાં મહાકાવ્યના કથાચક્રનો આરંભ થાય, પણ અન્ય ભાગોના વિવિધ રાજકીય અને ધાર્મિક અભિગમો પ્રમાણે કથાચક્રને પરિવર્તન સહન કરવું પડે અને પુનર્રચના પણ થાય. આપણે Page #73 -------------------------------------------------------------------------- ________________ 64 રામાયણ પાછા આવા ઘણા સંકુલ પ્રશ્નોનો આગળ વિચાર કરીશું. અહીં આપણે બન્ને મહાકાવ્યોના પારસ્પરિક સંબંધ નિશ્ચિત કરવાના પ્રશ્નનો વિચાર કરી રહ્યા છીએ. દરેક મહાકાવ્ય અન્ય મહાકાવ્યના ઉદ્દભવ સ્થળે લઈ જવામાં આવ્યું હોવાથી બન્ને એકબીજા સાથે સંપર્કમાં આવ્યાં. આની રામાયણ-મહાભારતની ઉત્ક્રાન્તિ પર ક્યાં સુધી અસર થઈ ? આપણે વિધેયાત્મક ઉત્તર આપી શકીએ તેમ છીએ. રામાયણ મુખ્ય રૂપરેખામાં પૂરું થઈ ગયું હતું. જ્યારે મહાભારત હજુ રચાતું હતું. આ માટે નિમ્નલિખિત કારણો છે. 1. રામાયણમાં મહાભારતના નાયકોનો ઉલ્લેખ નથી. જ્યારે મહાભારતમાં રામાયણનો ઉલ્લેખ છે. એટલું જ નહીં પણ મહાભારતમાં રામપાખ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.૨ 2. મહાભારતના સાતમાં પર્વમાં, 6019-21 એ વાલ્મીકિ રામાયણનું અવતરણ છે. જે સાત્યકિના મુખમાં મૂકવામાં આવ્યું છે. (પ વાયં પુરી રીતઃ સ્તોને વાન્ધીવિના મુવિ . આ પ્રમાણે છે. न हन्तव्याः स्त्रिय इति यद् ब्रवीषि प्लवंगम / (सर्वकालं मनुष्येण व्यवसायवता સવાઈ પીડાશામમિત્રાનાં વત્ યાત્ ઋર્તવ્યમેવ તત્વ | પહેલું અને છેલ્લે ચરણ૩ બરાબર રામાયણ 6-81-28 (ગોરેસીઓ ૬૦-૨૪)માં તે જ પ્રમાણે આવે છે. આ રીતે મહાભારત સમાપ્તિને આરે પહોંચે તે પહેલાં રામાયણ પ્રાચીન ગ્રંથ તરીકે જાણીતો બન્યો હતો. પ્રોફેસર વેબરે પોતાના ગ્રંથ Ramayana પૃ. 40 પર મહાભારતના ઉપર્યુક્ત ખંડનો ઉલ્લેખ કર્યો છે. પણ રામાયણમાં તેનો સમાનાર્થી ખંડ તેમને જડ્યો નથી, પણ તેઓ એક બીજા અવતરણ 12.2086 તરફ વિશેષ ધ્યાન ખેંચે છે. (પુરા ગીતો માવે મહાત્મા आख्याने रामचरिते) राजानां प्रथमं विन्देत ततो भार्यां ततो धनम् / राजन्यसति लोकस्य कुतो भार्या कुतो धनम् // આ અંશ રામાયણમાં આવતો નથી.૧૪ પણ વેબરે આવા જ ભાવાર્થના બીજા ખંડ તરફ ધ્યાન ખેંચ્યું છે. જો મહાભારતમાં રામાયણમાંથી સીધું અવતરણ અને પ્રક્ષેપોથી મુક્ત એવો ખંડ મળે તો, આપણે એવું માનવા પ્રેરાઈએ છીએ કે, રામોપાખ્યાન રામાયણના અનુકરણમાં રચાએલું અને મહાભારતમાં (૩-ર૭૭-૨૯૧) સમાવવામાં આવેલું છે. અને વિદ્વાનો Page #74 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 65 દર્શાવે છે તે પ્રમાણે તે પ્રક્ષિપ્ત અંશોથી ફૂગાવેલું નથી. પૃ. 36 પર વેબર, કોઈપણ એકની તરફેણમાં નિર્ણય આપ્યા વગર જ ચાર સંભવિત પરિસ્થિતિઓ પ્રસ્તુત કરે છે. 1. રામોપાખ્યાન રામાયણનો સ્રોત છે. 2. રામોપાખ્યાન રામાયણની લુપ્ત થયેલી પ્રાચીન વાચનાનો સાર છે. 3. રામોપાખ્યાન રામાયણનો સાર છે જ. 4. બન્ને એક જ સ્રોતનો વિકાસ છે. વેબર કોઈ પણ ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકતા નથી તેનું કારણ એ છે કે રામાયણથી જુદાં પડતાં રામોપાખ્યાનનાં પરિવર્તનો તેને વધુ સરળતા અને મૌલિકતાનું લક્ષણ અર્પવામાંથી ઉદ્ભવ્યાં છે. મને એવું પણ જણાયું છે કે, એપિટોમ-સાર શબ્દની વેબરની પસંદગી બહુ સુભગ નથી. તે એવો અર્થ વહન કરે છે કે વાર્તાની મુખ્ય રૂપરેખાનો તે અનુવાદ છે. અને તેથી પરિવર્તનો જાણીતાં છે એમ માનીને સ્વીકારે છે. અને અભિપ્રેત પરિવર્તનો તો વાર્તાને વિરૂપ બનાવે છે. આવી ખોટી ધારણા આપણે ટાળી શકીએ જો આપણે “સારને બદલે “મુક્ત અનુકરણ' શબ્દ પ્રયોજીએ. જો કોઈ પ્રાચીન ગ્રંથના મુક્ત અનુકરણમાં સ્મૃતિને આધારે અને નહીં કે લેખિત પાઠને આધારે રચના કરે છે અને વિષયમાં પરિવર્તન આણે છે તે તો બહુ સરળતાથી મૌલિક ગ્રંથ હોવાની છાપ ઊભી કરે છે. હું આ મત કેવળ રામોપાખ્યાન વિશે જ નથી ધરાવતો પણ મહાભારતના અન્ય અસંખ્ય પ્રસંગો વિશે પણ આમ માનું છું. અને પ્રાસંગિક સંબોધનો રીંગનું, લૌન્તય વગેરે વિશે તો એવું કહી શકાય કે, મહાભારતમાં સમાવવા માટે વધુ પ્રાચીન ગીતો પ્રમાણે તેમની રચના કરવામાં આવી હતી. હવે હું રામપાખ્યાન વિશેના મારા અભિપ્રાયની યથાર્થતા દર્શાવવાનો પ્રયત્ન કરીશ અને બતાવીશ કે તેમાં ઘણાં એવાં સ્મરણ કરાવનારાં સ્થળો છે જે, શબ્દશઃ રામાયણ સાથે મળતાં આવે છે, અને એવાં પણ પરિવર્તનો છે કે, જે અસંદિગ્ધતાપૂર્વક રામાયણ સાથેની પોતાની ભિન્નતાને પણ જાહેર કરે છે. હું બોમ્બે આવૃત્તિની (એમ. આર) બન્ને રચનાઓને, ઉદ્ધત કરીશ, અને ગોરેસીઓ (બી) સાથેનું પાર્થક્ય પણ નોંધીશ. 1. અવળો વધ્યતાં એ વા વષ્ય: એ વા વિમુક્યતામ્ મ. ભા. 277, 22= આર 2,-10-33 બી-૯, 11. એમ, બી ના પહેલા અને બીજા વા માટે 2. કન્વિત્ ક્ષેમં પુરે તવ | મ. ભા. 1-278-3 વૂત્ તે શi રનર્ણય રાક્ષસેશ્વર, રા રૂ-રૂ-૪૧ (માં નથી) Page #75 -------------------------------------------------------------------------- ________________ 66 રામાયણ 3. हा सीते लक्ष्मनेत्येवं चुक्रोशार्तस्वरेण ह म. जी. 278-23 हा सीते लक्ष्मणेत्येवं आक्रुश्य तु महास्वनम् 21. 3-44-24 हा लक्ष्मणेति चुक्रोश त्रायस्वेति महावने 40. 50, 22 अभव्यो भव्यरूपेण भ. मा. 278-32/2 // 3-46-8 अभव्यो भव्यरूपां ताम् बी 52-14 मम लङ्का पुरी नामा रम्या पारे महोदधेः . . 278-34 लङ्का नाम समुद्रस्य मध्ये मम महापुरी 21. 3-47-28 लङ्का नाम समुद्रस्य द्विपश्रेष्ठा पुरि मम जी-43-34 मम पारे समुद्रस्य लङ्का नाम पुरी शुभा 2-3-48-10 महापुरी जी 3-54-14 कथं हि पीत्वा मध्विकं पीत्वा च मधुमाधवीम् लोभं सौवीरके कुर्यान्नारी काचिद् इति स्मरे, 5.278-40 सुरण्य (भी सुराष्ट्र) सौवीरकयोर्यद् अन्तरम् तद अन्तरम् दाशरथेस्तवैव च, 2 / 3-47, 45, 5 53-56 वसते तत्र सुग्रीवश्चतुर्भिः सचिवैः सह, म. 278-45 निवसत्यात्मवान् वीरश्चतुभिः सह वानरैः, 21-72-12 स वसत्यात्मवान् शूरश्चतुभिः सह वानरैः, बी 75-63 8. तृणमन्तरतः कृत्वा तमुवाच निशाचरम् भ.२८१-१७ तृणमन्तरतः कृत्वा प्रत्युवाच शुचिस्मिता, 21-5-21-3 (पीमा नथी) 8. अराक्षसमिमं लोकं कर्तास्मि निशितैः शरैः / .284-162 // 6-41-67 अराक्षसमिमं लोकं करोमि निशितैः शरैः, बी 6-16-68 10. ततः सुतुमुलं युद्ध अभवल्लोमहर्षणम् / .287-23 तद् बभूवाद्भुतं युद्धं तुमुलं रोमहर्षणम् / 2 // 3-25-34=ii 31-44 तत्रासीत् सुमहद् युद्धं तुमुलं लोमहर्षणम् 21-6-43-16=0 18-23 Page #76 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 1 2. 11. પરમપિતા નાથ મતિર્મવેત્ મ. परमापद्गतस्यापि धर्मे मम मतिर्भवेत् / 2 / . પરમપદ્ધતિસ્થાપિ ધર્મ વ ધૃતિર્મવેત્ | બી શિક્ષd 2 મવિનું બ્રહ્માસ્વં પ્રતિપાતુ મે મ. ર૭૫-૩૦=બી 7-10-30 શિક્ષિત ર વ્રતત્રં ભવનું પ્રતિમાનુ છે. રા. 7 10, 30-31. યશ્મન્ રાક્ષસોની તે નાતમિત્રવર્ષળ મ. ભા. 277, ૩૧=બી 7-1034 યાદ્ રાક્ષસોની તે નાતામિત્રનાશન | રા. 7-10-34 બી નાથર્ષે થીયતે વૃદ્ધિરમરત્વે તાનિ તે . મ. ભા. નાથર્ને ગાયતે વૃદ્ધિરમરત્વે મિ તે ! રા નાથર્ષે વર્તત વૃદ્ધિરમરત્વે મિતે બી હું સૌ પ્રથમ નિમ્ન બાબતોને જણાવીશ :(એ) પાંચ વખત બી કરતાં મ.ભા. સાથે સીના પાઠો વધુ નજીક છે. (બી) બે વાર તે બી સાથે મળે છે (અને ૭મા કાંડમાં) (સી) બે વાર બી સાથે કશું સમાન નથી. આ પરિસ્થિતિમાંથી એવું ફલિત થાય છે કે મ. ભા. સીનું ઉત્તમ પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે બીનું મ. ભા. સાથે સામ્ય અતિ નજીવું હોવાથી રામોપાખ્યાનના રચનાકાળે બીની પરિસ્થિતિ વિશે ચોક્કસ કહી શકાય તેમ નથી. નીચેની બે હકીકતો પણ રસપ્રદ છે. 1. રામોપાખ્યાનમાં ઉત્તરકાંડના બે શ્લોકો મળે છે. 2. એક વાર મ.ભા. ૩-૨૭૮-૪૦નો ખંડ રામાયણના એક ખંડ સાથે મળતો આવે છે, અને જે હરહંમેશના છંદમાં રચાએલો નથી. આના પરથી આપણે એમ તારવી શકીએ તેમ છીએ કે, રામોપાખ્યાનના રચનાકાળે, ઉત્તરકાંડ અને ઓછામાં ઓછું રાવણની કથા અસ્તિત્વમાં હતી. (2). અત્યારે છે તે પ્રમાણે રામાયણના સર્ગ અંતે જુદા છંદની રચનાથી અંત Page #77 -------------------------------------------------------------------------- ________________ 68 રામાયણ પામતા. આ સર્વ સમાનતા પરથી એટલું ચોક્કસ ફલિત થાય છે કે આપણું રામાયણ રામોપાખ્યાનનો સ્રોત છે. કોઈના પણ માનસમાં શંકા હોય તો અમે આગળ પૃ.૧૦ પર ઉઠ્ઠત કરેલા શ્લોકનો સંદર્ભ આપીએ છીએ. सागरं चाम्बरप्रख्यं अम्बरं सागरोपमम् / રામવિયોર્યુદ્ધ રમવાયરિવ / ૬-૧૦૭-પર (બીમાં નથી) આ અદ્ભુત શ્લોક એકવાર સાંભળ્યા પછી ભૂલી ન શકાય. આ મહાભારતમાં ફરી આ રીતે દેખો દે છે. दसकन्धर राजसून्वोस्तथा युद्धमभून्महत् / બાવ્યોપમન્યત્ર તયોરેવ તથાવત્ / 3-290-20 સામગ્રી અને સ્વરૂપની દૃષ્ટિએ આ બહુ જ નબળી પ્રસ્તુતિ છે. અને તેના પરથી જ પહેલી નજરે જ, આ અનુકરણ છે એમ જણાઈ આવે છે. વિસ્તારથી નિરૂપણ કરતા ગ્રંથનું રાખોપાખ્યાન ઉતાવળે કરેલી પ્રસ્તુતિ છે. આ વાત એ હકીકત પરથી પણ ફલિત થાય છે કે તે જે પ્રસંગને એક કે થોડા શબ્દોમાં રજુ કરે છે તે રામાયણમાં સવિસ્તાર નિરૂપવામાં આવ્યો છે. અને રામાયણના જ્ઞાન સિવાય તે અસ્પષ્ટ પણ રહે છે. ઉદાહરણરૂપે રામાયણમાં ૬-૮૪-૮૬માં કહેવામાં આવ્યું છે કે, જો ઈન્દ્રજિત નિકસ્મિલા યજ્ઞ પાર પાડે તો, પછી તે અજેય બને છે. એટલે વિભીષણ લક્ષ્મણને ઈન્દ્રજિતે યજ્ઞમાં હવિ અર્પણ કરતાં રોકવાની સલાહ આપે છે. આ સર્વ મહાભારતમાં ૩-૨૮૯-૧૭માં એક જ શબ્દમાં કહેવામાં આવ્યું છે. अकृताह्निकमेवैनं जिघांसुर्जितकाशिनम् / शरैर्जघान संक्रुद्धं कृतसंज्ञोथ लक्ष्मणः / / આપણે ઋતસંશો શબ્દનું અર્થગાંભીર્ય રામાયણના ૬-૮૭-૩ર વાંચીએ તો જ સમજી શકીએ. रावणात्मजमाचष्टे लक्ष्मणाय विभीषणः / यः स वासवनिर्जेता रावणस्यात्मसंभवः / / સ પણ રથમા થાય હનૂમાં નિયતિ | વગેરે આ નોંધ પણ મહાભારતના 3-282-69-71 સાથે સંવાદી છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 69 प्रत्ययार्थं कथां चेमां कथयामास जानकी / क्षिप्तां इषीकां काकाय चित्रकूटे महागिरौ / भवता पुरुषव्याघ्र प्रत्यभिज्ञानकारणात् // ग्राहयित्वाहमात्मानं ततो दग्ध्वा च तां पुरीम् / सम्प्राप्ता इति तं रामः प्रियवादिनमार्चयत् / / ઉશ્રુંખલ કાગડો અને નગર દહનનો ઉલ્લેખ જે રામાયણ સાથે (5-38-67, 41-56) પરિચિત ન હોય તે શ્રોતાઓથી સમજી ન શકાય. પણ કવિ દેખીતી રીતે રામાયણ વિશેનું સામાન્ય જ્ઞાન અહીં અને બીજે પણ દાખવે છે. ઉદાહરણ રૂપે જયારે તે ૨૮૪-૨૧માં વાર્તાના સુવેની સમીપતામાં સુવેલ નદી, વન કે પર્વત છે તે સ્પષ્ટ કર્યા સિવાય વાર્તા સાથેના સંબંધની પહેલાં કે પછી ઉલ્લેખ થતો નથી.) એને કોઈ સ્પષ્ટ ઉલ્લેખની આવશ્યકતા હતી પણ નહીં કારણ કે રામાયણમાંથી સૌ કોઈ જાણતા. ઉપર કહ્યું તેમ, રામાયણથી રામોપાખ્યાનમાં પરિવર્તનો સમજાવતાં, આપણે એ અભિપ્રાય સાથે આરંભ કરવો પડશે કે, યુવાન કવિએ સાર નથી આપ્યો પણ લોકપ્રિય મહાકાવ્યનું મુક્ત અનુકરણ કર્યું છે અને તે પણ સ્મૃતિમાં સચવાયેલી હકીકતોને આધારે અને નહીં કે લેખિત પાઠના આદ્યરૂપને અનુસરી. પરિસ્થિતિ પરિવર્તન અને રૂપાંતર માટે બહુ જ અનુકૂળ છે. આ રીતે રામાયણ ૬-૬૭માં રામ પોતાનાં દૈવી બાણોથી કુમ્ભકર્ણના હાથ-પગ અને છેવટે મસ્તક કાપી નાખે છે. રામોપાખ્યાનમાં ૨૮૯-૨૧માં લક્ષ્મણ આ રીતે ઇન્દ્રજિતને હણે છે. રામાયણ ૬૧૦૭-૫૩માં રામ જેવું રાવણનું મસ્તક કાપે છે કે, તેની જગ્યાએ નવું મસ્તક ઊગે છે અને આમ સો વખત બને છે. આવો જ ચમત્કાર રામોપાખ્યાન ૨૮૭-૧૬માં કુમ્ભકર્ણનાં અંગો જેને લક્ષ્મણ કાપી નાખે છે વિશે બને છે. રામાયણમાં ઈન્દ્રજિત્ 6-44 થી 46, 73, 80 થી ૯૦માં એમ ત્રણ વાર યુદ્ધ કરવા આવે છે. રામોપાખ્યાનમાં કેવળ એક વાર, અને અહીં પણ પહેલા અને છેલ્લા ખંડોને જોડી દેવામાં આવ્યા છે. અંગદની ૨૮૮-૧૫માંની પ્રવૃત્તિ ૬-૪૪માંથી છે. ઈન્દ્રજિત ૨૮૮-૧પમાં નગરમાં પાછો આવે છે. તે, રામાયણના 6-46 અથવા 73 પ્રમાણે છે, અને ઈન્દ્રજિતની પછીની ૨૮૯૧૭ની કૂચ 6-86 પ્રમાણે છે. અહીંયા એ શંકા ઉદ્ભવી શકે કે શું આપણા કવિ રામાયણની કોઈ પ્રાચીન વાચનાને અનુસરે છે જેમાં ઈન્દ્રજિતુ કેવળ એક વાર આવે છે. અથવા પરસ્પર મેળ ન ખાતી જ ભિન્ન વાચનાઓની કથાઓને એકમાં રામપાખ્યાનમાં જોડી દેવામાં આવી છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ રામાયણ છેલ્લી વાત વધુ સંભવિત મને જણાય છે. કારણ કે આપણે પહેલાં જોયું છે તેમ તેમાં પછીના મોટા ભાગના પ્રક્ષિપ્ત અંશોની માહિતી છતી થાય છે. જો ચમત્કારિક આયુધમાંથી છૂટકારો અને અદ્ભુત ઔષધિ દ્વારા રોગમુક્તિ જો બેને બદલે એક જ વાર થતી હોય તો, રઘુવંશ 12-76 થી ૭૯માંની કથાની જેમ રામોપાખ્યાન સમાન છે-મૂળ કથાનો અનુવાદ માનવાની જરૂર નથી. પણ વિગતોમાં ભિન્નતા હોવા છતાં, રામાયણની પૂર્વધારણા તો બને જ છે. અન્ય ઘણાં પરિવર્તન માટે કવિની કલ્પનાને આપણે જવાબદાર લેખવી જોઈએ. એથીય વધુ નકસાનકારક તો, આપણે એ ધારવું જોઈએ કે ભારતીયો પોતાના જાતઅનુભવોને કલ્પનાથી શણગાર્યા સિવાય રહી શકતા નથી. આવી ઘટના તો ન્યાયાલયમાં પણ બને છે જેના વિશે મને એકવાર સર ક્લાઈવ બેઈલેએ જણાવેલું : ન્યાયધીશો આ વિલક્ષણતા સામે સાવધાની રાખે છે કારણ કે, તે પુરાવાની ખરાબ રસમ છે. હવે, જો રામોપાખ્યાન રામાયણની પૂર્વધારણા રાખતું હોય અને, તે પણ સીમાં સચવાએલા રામાયણની તો એ પૂછવું જોઈએ કે જો રામાયણ સાર્વત્રિક જાણીતું હતું તો રામોપાખ્યાનની રચના જ શા માટે કરવામાં આવી ? ઉત્તર સ્વયંસ્પષ્ટ એ છે કે મહાભારતને એક વિશ્વકોશ બનાવવો અભિમત હતો, જેમાં સર્વ કથાઓ અને બીજી રસપ્રદ માહિતી પણ સમાવવામાં આવી હોય.૧૫ એટલે રામકથા અહીં અનુપસ્થિત તો રહે જ નહીં. મહાભારતમાં તે જ રીતે એનો સમાવેશ કરવામાં આવ્યો જે રીતે, ઘણી બીજી બધી કથાઓ પણ ઉમેરવામાં આવી હતી. હેતુ વધારે સારી રીતે સધાય એ માટે, તેને ફરીથી ઢાળવામાં આવી. રામાયણ અને રામોપાખ્યાનનો સંબંધ આપણને, આ પુનગ્રંથનથી અન્ય કથાઓને જે સહન કરવું પડ્યું હશે તેની અટકળ કરવા પ્રેરે છે. નલની કથા આનું ઉદાહરણ છે. સામગ્રીની રીતે જે રૂપમાં નલકથા ગમે તેટલી આકર્ષક હોય પણ જે રૂપમાં વ્યાવસાયિક કવિએ ઢાળ્યું છે તે જરા પણ સંતોષજનક નથી. છાંદસ કે વૈદિક ત્રિષ્ટ્રમ્ અને જગતી છંદમાં રચાયેલા સુસંબદ્ધ બહુ જ અલ્પ ખંડો જ પછીની પુનર્રચનાથી મુક્ત રહ્યા છે. અને તેમાંના વધુ મોટા ભાગના પરિવર્તનોથી પર રહ્યા છે. મહાભારત સમાપને પહોંચ્યું એના ઘણા સમય પહેલાં રામાયણ જાણીતું હતું એ જો સિદ્ધ હકીકત હોય તો, એ પ્રશ્ન ઊઠે છે કે, વધારે પ્રાચીન મહાકાવ્ય પછીના મહાકાવ્ય. પર કેવીક અસર છોડી છે. આ બાબતમાં કેટલીક હકીકતો આપણી સામે આવે છે. બન્ને કાવ્યોમાં આપણે એક જ ભાષા, એક જ શૈલી અને એક જ છંદ જોઈએ છીએ. એક જ ભાષા, સીમાં તો ખરી જ, જે રીતે બોલીંગ્સ પોતાના ગ્રંથમાં પૃ-૩૧ પર દર્શાવે છે. એક જ શૈલી અને અલ્પ ભેદ સિવાય રજૂઆતની પદ્ધતિ જે તત્કાલીન કવિઓની Page #80 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 71 શક્તિમત્તામાં પ્રગટ થાય છે. મહાભારતમાં ધ્યાનપાત્ર ભેદ એ છે કે સંબોધન સવાર કે 3]: જેવા શબ્દોથી રજૂ થાય છે જયારે રામાયણમાં તે કથાનો ભાગ બનીને આવે છે. મહાકાવ્યની કવિતા જ્યાં ફૂલી ફાલી તે કાબૂલથી બંગાળના પ્રદેશમાં એક બીજું પણ નોંધપાત્ર મળતાપણું છે. મૂળમાં તે પ્રમાણે હતું નહીં. મહાભારતના જે ટૂકડાઓ આર્ષ છંદો કે વૈદિક છંદ ત્રિષ્ટ્રમ્ કે જગતીમાં રચાયા છે તે નિર્ણયાત્મક રીતે, રજૂઆતને લાગે વળગે છે ત્યાં સુધી ગ્રંથના મોટાભાગ કરતાં વધુ પ્રાચીન છે. તેમાં, કથા ને અંકોડા વગરની ત્રુટક અને ટૂકડાઓનાં લક્ષણ ધરાવે છે. આપણે આ ખંડોને, પ્રાચીન મહાકાવ્યના પ્રતિનિધિરૂપ અવશેષો ગણી શકીએ. પણ સારૂપ્ય અને નિરૂપણના વૈશદ્યથી ગ્રંથના મોટા ભાગથી શૈલી જુદી પડે છે. આ ઉત્કૃષ્ટતા ખરેખર તો નવસર્જન છે અને સિદ્ધિ છે. અને તેનો યશ ઉચ્ચ કોટિની બક્ષિસ ધરાવતા પ્રસ્થાપિત કવિને આપવો ઘટે, કે જેના ગ્રંથે સર્વનાં હૃદય જિતી લીધાં છે. હું એ અત્યંત સંભવિત માનું છું કે આ પ્રભાવ વાલ્મીકિનો છે. તેમનો ગ્રંથ પણ સાથે સાથે હતો. અને મહાભારત હોવા છતાં પરંપરા તેમને વિવિ અથવા તો પ્રથમ કવિનું ગૌરવ આપે છે. ભાષાની અને અભિવ્યક્તિની એકરૂપતા જો પ્રમુખકવિની નિર્ણાયક અસરનું પરિણામ હોય તો મહાકાવ્યની પદ્યબદ્ધતા પરથી પણ આપણે એ જ નિર્ણય પર આવી શકીએ. એ આશ્ચર્યજનક છે કે, જે સિદ્ધાન્તો મહાકાવ્યના શ્લોકનું નિયમન કરે છે તે પ્રશિષ્ટ કવિ માટે પણ યથાર્થતા ધરાવે છે. પણ તે જ છંદ મોકળાશથી બ્રાહ્મણો અને ઉપનિષદોમાં પ્રયોજાય છે. અને છતાં, એ જ સમયે વૈદિક અનુષ્ટ્રમાંથી નિયમિત શ્લોકનો એ સંધિકાળ પણ છે. પ્રાચીન કાળના મહાકાવ્ય માટેનો ઉચિત છંદ ત્રિષ્ટ્રમ્ અને જગતી જણાય છે. આ આખ્યાનક એવા એના પ્રાચીન નામ પરથી પણ જાણી શકાય છે. આગળ જણાવ્યું તેમ મહાભારતમાં આ છંદમાં ઘણા આર્ષ ખંડો છે, જે વેદની નજીક છે. કોઈ સ્વાભાવિક રીતે પૂછી શકે કે જો એ વખત તે મહાકાવ્યનો છંદ હોય તે પછીના સમયમાં “આખ્યાનક કેમ ટક્યો નથી ! છંદનો જે કંઈ અમારો થોડો ઘણો અભ્યાસ છે તેના આધારે, આ પ્રમાણે સરળતાથી જવાબ આપી શકાય. તે એટલા માટે ટકી ન શક્યો કારણ કે વૈદિક ત્રિષ્ટ્રમ્ છંદે ઘણાં રૂપો ધારણ કર્યા જણાય છે, અને જે પછીના સમયમાં ઉપજાતિ૭, શાલિની, વાતોર્મિ અને બીજા છંદોમાં પરિણમ્યા હોય. જેટલો વધારે વિકાસ થયો તેટલાં તે જ છંદનાં વિવિધ સ્વરૂપો, સ્વેચ્છાએ વિવિધ પ્રકારોની અવેજીમાં આવ્યાઃ સતત બદલાતા સ્વરૂપોની વિવિધતાની જગ્યાએ, કાલાન્તરે મિશ્ર પ્રકારનાં પડ્યો હયાતીમાં આવ્યાં જેમાં દરેક પાદ સરખા અક્ષરોના હોય પણ, વિવિધ પ્રકારનું અનુકૂલન સાધ્યું હોય. એ સરળતાથી સમજી શકાય એવું છે. અને છંદની ઉત્ક્રાન્તિનો ઇતિહાસ અનુમોદન પણ આપે છે કે આખ્યાનકમાં આ પ્રકારોમાંથી દરેક બીજા સાથે સંમશ્રિત છે, અને એક અખંડ સુસંવાદી શુદ્ધ એકમ તરીકે ઉન્મીલન Page #81 -------------------------------------------------------------------------- ________________ રામાયણ સાધવાનો આખ્યાનકનો પ્રયત્ન હશે. આખાને આખાં પદ્યો એક જ પ્રકારની પંક્તિઓથી રચાતાં. એટલે, જૂના આખ્યાનકને બદલે ઉપજાતિમાં પદ્ય આવ્યું જેણે સર્વ વૈવિધ્યને ફગાવી દીધેલું. જો કે એમાં પ્રશિષ્ટ કવિઓએ બદલામાં ન સ્વીકારેલી 13 અને 14 અક્ષરોની પંક્તિઓને ન ગણીએ તો મહાભારતમાં ઉપજાતિ અને વંશસ્થમાં પછીના ખંડોનું બાહુલ્ય છે પણ રામાયણમાં તેમની સંખ્યા ઘણી ઓછી છે. આ હકીકત આવા ખંડો પછીથી થયેલાં ઉમેરણો છે એવી શંકાને ન્યાયી ઠરાવે છે. વિનિમય માટે આ છંદ અત્યંત અનુકૂળ હતો પણ તેની ચુસ્ત એકવાક્યતાને કારણે, મહાકાવ્યના છંદ માટે તે યોગ્ય ન હતો. ભારતમાં તેના ઉપયોગને કારણે જો એક જ છંદનો તેમાં પ્રયોગ કરવામાં આવે તો દળદાર મહાકાવ્યો અસહ્યપણે એકવિધ બની ગયાં હોત. * વૈદિક મંત્રનું ગણનાપાત્ર એકવિધતાભર્યા અનુષ્ટ્રભુમાંથી બ્રાહ્મણ અને ઉપનિષદોમાં મહત્તર વૈવિધ્ય ઉત્ક્રાન્ત થયું. આ ઉત્ક્રાન્તિઓએ કેટલીકવાર પ્રતીપ માર્ગ પણ ગ્રહણ કર્યો. મહાકાવ્યના શ્લોકમાં નિયત નિયમોને કારણે મુક્તિ રુંધાઈ ગયેલી જણાય છે, અને છતાં તેમાં ઘણા ગુણો છે. દરેક ચરણના પહેલા અને છેલ્લા અક્ષરોને આપણે ગણતરીમાં ન લઈએ તો પણ, સમાન ચરણો પાંચ પ્રકારનાં રૂપ દર્શાવે છે. પથ્થાનાં વિષમ ચરણો 6 પ્રકાર દર્શાવે છે, વિપુલાનાં સર્વ ચરણો 8 રૂપ દર્શાવે છે, આ રીતે અર્થે શ્લોક (નાનામાં નાનો છાંદીય એકમ) 645845=00 રૂપો ધરાવે છે. પહેલા અને છેલ્લા અક્ષરો દ્વિગુણિત થઈને આવતા હોવાથી જો, તે વૈવિધ્ય ગણીએ તો, કુલ 4470=280 રૂપાંતરો થાય. વૈયક્તિક વૈવિધ્યમાં ભેદ એટલો બધો નથી કે તેનું સર્વસામાન્ય લક્ષણ ભૂંસાઈ જાય અને તેણે ઘણા વૈવિધ્યને રૂંધી દીધું. આને કારણે ચુસ્ત નિશ્ચિત પ્રકારો પણ વિકસી શક્યા. વિપુલાના પરિવર્તિત પ્રકારોએ ઘણું વહેલું દેખો દીધેલો પણ પછી તેઓ બંધ એટલા માટે થઈ ગયા કે વિપુલાનાં ચરણ એકવિધ રીતે સમચરણો સાથે જોડાય છે કે, પરિણામે તે, અલગ જ એકમ બની જાય છે અને, તેથી પરિવર્તિત અંગ પ્રચલિત બની શકતું નથી.' પથ્થાના વર્ણનમાં અંશતઃ આવનારા શ્લોકના નિયમોનો ભારતીયોએ સૈદ્ધાત્તિક રીતે સ્વીકાર કર્યો છે અને તેઓ નિયમ તરીકે ઉદ્ઘોષિત થયા છે. વિપુલાના નિયમોને કવિ ચુસ્તપણે જાળવે છે અને તેમના માટે નિયત નિયમો ન હોવા છતાં મહાકાવ્યના વારંવારના વાચનથી, અંતઃ પ્રેરણાથી દરેક જણ શિખી લેતું હોય છે. આપણે પ્રાચીન સમય માટે પણ આવી પરિસ્થિતિ ધારી શકીએ છીએ. સંભવતઃ કોઈક મહત્ત્વના કવિએ આ ધોરણ દાખલ કર્યું અને, મહાકાવ્ય-કાળના કવિઓ તેને અનુસર્યા. રામાયણ અને મહાભારત વચ્ચે શ્લોકના બંધારણ અંગે પૂરેપૂરી સહમતિ છે. વાલ્મીકિ કદાચ પ્રસ્થાનકર્તા Page #82 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી કવિ હતા. આપણે બીજા કોઈ એવા કવિને જાણતા નથી કે, જે વાલ્મીકિના પુરોગામી હોય અને છતાં આવો યશ પ્રાપ્ત કર્યો હોય. આ માન્યતા પરંપરા સાથે પણ પૂરેપૂરી સંવાદિતા ધરાવે છે. રામાયણના પહેલા કાંડનો બીજો સર્ગ એ વર્ણવે છે કે, કેવી રીતે વાલ્મીકિએ અકસ્માતે શ્લોકને શોધી કાઢ્યો અને બ્રહ્મા છંદમાં રામનો ઇતિહાસ લખવાનું કામ વાલ્મીકિને કેવી રીતે સોપે છે. જો આ દંતકથાની જરા પણ સત્યતા હોય તો એવું જણાય છે કે વાલ્મીકિના કાવ્યમાં સૌ પ્રથમ વાર મહાકાવ્યનો શ્લોક પોતાના નિયમિત સ્વરૂપમાં પ્રગટ થાય છે. પરંપરા સાથે સુસંવાદી આ ઉપર્યુક્ત ચર્ચામાં આપણે એવો મત સ્થાપવાનો પ્રયત્ન કર્યો કે રામાયણ જ સૌ પ્રથમ સુસંબદ્ધ અને સુઆયોજિત ગ્રંથ હતો કે જેણે આવો યુગ પ્રવર્તક પ્રભાવ પાથર્યો. આ કાર્ય વાલ્મીકિએ પોતાની વાણીથી સિદ્ધ કર્યું. વળી જે ઉપસ્કૃત છંદ વાલ્મીકિએ દાખલ કર્યો તેને પણ આરંભથી જ વૈશ્વિક પ્રતિસાદ સાંપડ્યો. અને એના જ અનુસંધાનમાં આપણે એવું પણ આગળ ધારી શકીએ કે મહાકાવ્યના ગાયકોએ નવી અને સારી રુચિને સંતોષવા માટે પોતાનાં જૂનાં કાવ્યોને નવી પદ્યરચનાના રૂપ પ્રમાણે પુનગ્રંથિત કર્યા અને ત્યારે વાલ્મીકિના શ્લોક-છંદમાંની કથાઓને સાર્વત્રિક રીતે પુનગ્રંથિત કરી અને વાલ્મીકિનું રામાયણ સતત પ્રચારથી લોકપ્રિય બન્યું. અને જો આ મત યથાર્થ હોય અને અમે માનીએ છીએ કે, આ હકીકતથી ઠીક ઠીક સમર્થિત બને છે. આ એક અસ્પષ્ટ બિન્દુ છે જે મહાભારતની ઉત્ક્રાન્તિ દ્વારા સ્પષ્ટ બને છે. ૧૮૪૬માં એ હોટ્ઝમેને ક્યારનું પ્રતિપાદિત કરેલું અને તેના તે જ નામના ભત્રીજાએ હમણાં જ કીએલમાં ૧૮૯૨માં પ્રકાશિત થયેલા ગ્રંથમાં (Zur Geschichte and Kritik des Mahabharata)19 આનું સવિસ્તર નિરૂપણ કર્યું છે. જે પાઠ આપણી સામે છે તે નિર્ણયાત્મક અને સ્પષ્ટ રીતે પાણ્ડવોનો પક્ષ લે છે. પણ મૂળમાં કૌરવો કથાઓમાં વધુ ઉદાત્ત છે. કૌરવો વિશે કડક શબ્દોમાં જૂજ અપવાદો સિવાય નિન્દા કરવામાં આવી છે. પણ તેમનાં કાર્યો સતત ઉદાત્ત છે જ્યારે સજ્જન પાંડવો એક પછી એક દુષ્ટતા આચરતા જાય છે અને છતાં, અત્યંત સભ્ય કારણોથી સર્વ સંભવિત રીતે ન્યાયી ઠરાવવામાં આવે છે. મૂળ આયોજનમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું? એવું વિચારી શકાય કે કૃષ્ણના દૈવીકરણે પાંડવો માટે સહાનુભૂતિ પ્રેરી હોય. ઉલટું એમ પણ દલીલ કરી શકાય કે કૃષ્ણ દેવની કક્ષાએ પહોંચ્યા તેના ઘણા સમય પહેલાં પરિવર્તિત અભિગમે દેખા દીધી હતી. કૃષ્ણભક્તિ-સંપ્રદાય નિર્ણયાત્મક તબક્કે પહોંચ્યો હોય તો પણ સંભવતઃ તેને સાર્વત્રિક આવકાર મળ્યો નહીં અને પરિણામે, તેમના પરત્વેના સાદરના કારણે સમસ્ત કથા બદલવામાં આવી અને નવી વ્યવસ્થામાં ઢાળવામાં આવી. પણ આવી ધારણાની Page #83 -------------------------------------------------------------------------- ________________ 74 રામાયણ આવશ્યકતા એટલા માટે નથી કે, સર્વસંમતિથી મહાભારતને એક ચોક્કસ યોજના પ્રમાણે ઢાળવામાં આવ્યું હતું. પણ આવો નિર્ણય કેવી રીતે થઈ શકે અને તેને અમલમાં કેવી રીતે મૂકી શકાય? દોષનો ટોપલો દુષ્ટ બ્રાહ્મણોને માથે ઢોળી નહીં શકાય કારણકે તેઓનું મંડળ કોઈ પદની ઉચ્ચવચતા સિવાય સહગ્નશીષ હતું. તેઓ અવયવો તો હતા નહીં કે જેની રચના થઈ શકે, જેમના વિશે નિર્ણય થઈ શકે અનેક કાર્યમાં જેની પરિણતિ થાય તેવી યોજનાઓ બનાવી શકાય. અને આના વગર તો કોઈ પણ કાર્ય માટેની ઊર્જાની કલ્પના તો કરી જ ન શકીએ ને પરિણામોનો પૂરતો વિચાર કર્યા વગર, મહાકાવ્યનું પુનર્ગઠન સીધીસાદી રીતે થયું હશે. અતિ પ્રતિભાશાળી કવિએ રચેલા વધુ વિદગ્ધ અને સુસંવાદી કાવ્યના પરિશીલનથી. લોકોની રુચિ વધુ સંસ્કારાએલી બની ત્યારે આ જરૂરિયાતની બાબત બની અને પૂર્વના મહાકાવ્યનાં ગીતો પ્રત્યે દ્વેષ ધરાવનારું બન્યું. પુનગ્રંથનથી લોકોની રુચિમાં ઢળાયેલું તે બન્યું અને તેથી સંપૂર્ણપણે કાલગ્રસ્ત થયું નહીં. આ પુનર્ચથનમાં આપણને એક વિશેષ સમય અને સ્થળનો સૂર સંભળાય છે. જયાં, આવું પુનરભિમુખીકરણ બન્યું હતું અને જો તે એવી ભૂમિમાં બન્યું હોય કે જે પાંડવો પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવનારી હોય અને જેઓ મિત્રતાનો સંબંધ ધરાવતા હોય અને તેમની સાથે જોડાણ કર્યું હોય, તો તે તદ્દન સ્વાભાવિક છે અને, વધારે નિયંત્રણ વગર સમજી શકાય એવી બાબત છે કે, પુનર્ગથિત મહાભારતમાં પાંડવો એક વિશેષ અધિકાર ધરાવનારા, જનો હશે.એટલે, જો આપણે એમ કહીએ કે, મહાભારતનું પુનર્ગથન એવા પ્રદેશમાં થયું કે જ્યાં કૌરવોની સરખામણીમાં પાંડવોને પસંદ કરવામાં આવતા તે વિચિત્ર નહીં ગણાય. પ્રાચીન ભારતની ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર આમ બનવું સ્વાભાવિક અને અનિવાર્ય છે એમ દર્શાવશે. કોશલની પશ્ચિમે રામાયણ ઉદ્ભવ્યું અને પાંચાલનો દેશ પડોશી રાજય હતું. આ સ્થળના રાજવંશમાંથી દ્રૌપદી આવી જે પાંડુના પાંચ પુત્રોની સહિયારી હતી. પહેલા જ અવસરે રામાયણ આ પ્રદેશમાં પ્રસર્યું હશે અને પોતાનાં મૂળ ઊંડાં નાખ્યાં હશે, અને પછી દૂરના પશ્ચિમમાં રાજકુમારો જ્યાં રહેતા હતા ત્યાં પહોચ્યું અને, મહાકાવ્યની પરંપરા સાથે સુસંગત રીતે, આ પ્રદેશ કુરુઓની તરફેણમાં હતો. વળી એ પણ સ્વાભાવિક છે કે વાલ્મીકિની કવિતાને પ્રશંસા અને અનુકરણ પાંચાલ પ્રદેશમાં સૌ પ્રથમ અને પછી પશ્ચિમના પ્રાન્તોમાં પ્રાપ્ત થયાં. પરિણામ એ આવ્યું કે મહાકાવ્યનાં ગીતોને નવી પદ્ધતિથી ઢાળવામાં આવ્યાં જેમાં પાંડવોના હિતની તરફદારી કરી. આવું ઘટવા માટે બહુ દીર્ઘ સમય જરૂરી હતું એવું માનવું આવશ્યક નથી કારણ કે અન્ય પ્રજાના સાહિત્યના ઇતિહાસો એવાં ઘણાં પરિચિત ઉદાહરણો દર્શાવે છે કે કેવી રીતે એક પ્રમુખ કવિ શીઘ ક્રાંતિ કરી શકે છે. તે એવા જોમ સાથે કામ કરે છે કે બહુ જ અલ્પ કાળમાં પણ તદ્દન ન વિચારી શકાય તેવી રીતે નહીં એવી સર્વસામાન્ય રીતમાં ભંગાણ પાડે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 75 એટલે, આપણે કલ્પી શકીએ છીએ કે વાલ્મીકિની શૈલીનું શીધ્ર અનુકરણ થવા માંડ્યું અને તેથી પ્રાચીન કથાને નવા આકારમાં ઢાળવા માટે લાંબો સમય આવશ્યક ન હતો. રામાયણની મહાભારત પરની અસર વિશે મારો મત સંક્ષેપમાં નીચેના મુદ્દાઓ પર આધારિત છે. 1. અત્યારના આકારમાં રામાયણ મહાભારત કરતાં વધુ પ્રાચીન છે. 2. જો તે આદિ કાવ્ય ન હોય તો પણ સર્વ સુસંવાદી અને કૃત્રિમ કવિતાનું પૂર્વજ તો હતું અને, આ પ્રકારના સર્વ કાવ્યને એ અતિક્રમી ગયું અને તેને ઝાંખું પાડી દીધું. 3. નિરૂપણ, ભાષા અને છંદ વિશેની કવિતાની તદબીરને વાલ્મીકિએ પૂર્ણતાએ પહોંચાડી અને પછીના સમયના મહાકાવ્ય માટેનો એક માપદંડ બની રહી. 4. વાલ્મીકિએ પ્રસ્તુત કરેલી ઉચ્ચતર કાવ્યની શૈલીની પરિસ્થિતિઓએ, મહાભારતની કથાનાં વિષયવસ્તુ ધરાવતાં મહાકાવ્યનાં ગીતોને પુનર્ગથિત કર્યા. 5. આ પાંડવોનો આદર કરનારા પાંચાલોની ભૂમિમાં બન્યું અને રામાયણની ઉદ્ગમભૂમિ એવા કોશલવાસીઓના પડોશમાં હતું. પ્રો. વેબર રામાયણ પરના તેમના ગ્રંથમાં દશરથ જાતકની ચર્ચાને પ્રાધાન્ય આપે છે જે તેમના મત પ્રમાણે રામ-કથાનું પ્રાચીન સ્વરૂપ છે. કાવ્યાત્મક અલંકરણ વગરની તે આ કથાના જેવી જ છે. બનારસના રાજા દશરથને તેની પત્નીથી રામપંડિત, લખણ (કુમાર અથવા પંડિત) અને સીતાદેવી એમ ત્રણ સંતાનો હતાં. તેની પત્નીના મૃત્યુ પછી તેણે ફરીથી લગ્ન કર્યું જેણે ભરતકુમાર નામના પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મના આનંદમાં તેણે રાણીને એક વરદાન આપ્યું. સાત કે આઠ વર્ષ પછી, પોતાના પુત્રને ગાદી મળે તે માટે તેણે વિધિ કરી. રાજાએ જીદપૂર્વક ના પાડી પણ, પોતાની કાવતરાખોર પત્નીથી ડરી, પહેલી પત્નીનાં બાળકોને વનમાં ચાલ્યા જવાનું કહ્યું અને, બાર વર્ષ પછી (જયોતિષી પ્રમાણે જીવનનું શેષ આયુષ્ય) પાછા આવવાનું કહ્યું. પોતાની બહેન સાથે બન્ને રાજકુમારો હિમાલય ગયા. નવ વર્ષ પછી દશરથનું મરણ થયું. વિધવા રાણી પોતાના પુત્ર ભરતને રાજ ગાદીએ બેસાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. ભરત રામને પાછા લઈ આવવા જાય છે. પણ રામ નકારતાં કહે છે કે, તેણે બાકીનાં ત્રણ વર્ષ વનમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ રામાયણ રહેવું જ જોઈએ. પણ તે ભારતને પોતાની પાદુકાઓ આપે છે જેના દ્વારા પોતાની અનુપસ્થિતિમાં શાસન થઈ શકે. ત્રણ વર્ષ પૂરાં થાય ત્યાં સુધી રામ એકલા વનમાં રહે છે. મુદત પુરી થયા પછી, તે પાછા આવે છે અને સીતાદેવી સાથે લગ્ન કરે છે. હું, વાલ્મીકિના રામાયણ કરતાં આ કથાને પ્રાચીન માનતો નથી. પણ એથી ઊલટું તે વિકૃતિ છે. અહીંયા શત્રુઘ્ન નથી પણ દશરથનાં બાળકોની સંખ્યા તો તેટલી જ એટલે કે સીતાદેવીને દશરથની પુત્રી બનાવી હોવાથી ચાર જ રહે છે. આરંભથી જ અને નહીં કે, વનવાસ પછી તે રામની પત્ની હતી. કારણ કે સીતાના નામ આગળ દેવી એવું બિરુદ ઉમેરવામાં આવ્યું છે. વળી, બૌદ્ધ કથામાં, વરદાનની વાત બિનજરૂરી છે કારણ કે દશરથ પોતાના પુત્રને આટલા માટે વનમાં નથી જવા દેતા પણ, રાણીના કાવતરાનો ડર છે. આપણે એટલા માટે, ધારવું જોઈએ કે, જાતકકથાના કથક આગળ એ વાર્તા રહી છે, જેમાં રામ જ રાજગાદીના હકદાર હતા અને વરદાનને કારણે રામને વનવાસ થયેલો. વળી તે પણ ધ્યાન પર આવવું જોઈએ કે વાર્તામાં રામનો વનવાસનો ગાળો ગમે તેટલો અસંગત લાગતો હોય પણ તે ભરતના આગમનથી પ્રેરિત હતો. સંજોગોના દબાણને વશ થઈ રામે બાર વર્ષ સુધી પોતાના વતનના નગરમાં પરત નહીં આવવાનું વચન આપ્યું હશે. અને છેવટે પાદુકાની વાર્તા પણ કેટલી અસંગત છે, જયારે, કાયદેસરનો શાસક કેવળ ત્રણ વર્ષ માટે જ ગેરહાજર રહેવાનો છે. એથી ઊલટું, રામાયણની વાર્તા કેટલી ન્યાય અને અસરકારક ઠરે છે. આ વાર્તા પ્રમાણે ભારતે તરત જ રામની શોધમાં નીકળવાનું છે, નવ વર્ષ પછીથી નહીં, અને રામે પૂરાં 14 વર્ષ વનવાસ વેઠવાનો છે. જાતકની આંતરિક વિસંગતિઓ જ દર્શાવે છે કે, તેની વાર્તા રામ-કથા પર આધારિત છે, અને જે, ઘણાં બિંદુઓએ રામાયણ સાથે મળતી આવે છે તે પહેલી નજરે જ વર્તાઈ આવે છે. ભિન્ન સંપ્રદાયની વ્યક્તિ પોતાના સંપ્રદાયના સમર્થનમાં એક પ્રાચીન કથાનો ઉપયોગ કરે છે ત્યારે, તે પોતાની કથાને પરિણામે તેને અપરિવર્તિત રાખતો નથી. પોતાની કથા મૂળથી ભિન્ન છે પણ તદ્દન અલગ નથી. જાતકના કથકે આવું સ્વૈચ્છિક પરિવર્તન કર્યું હશે. તે (કથક) માતાની કાવતરાખોરી સામે પિતાની સાવધાની સંતાનોના વનવાસનું કારણ છે એમ દર્શાવે છે. અન્ય બૌદ્ધ વાર્તાઓમાં પણ આ જ આશય ફરીથી દેખા દે છે, જેમાં બે વિશે વેબરે ઉલ્લેખ કર્યો છે. જાતકના રચયિતા પોતાની કપોલકલ્પિત ઘટકને એક વાર જ નહીં પણ પોતાના હેતુ માટે સુસ્થાપિત વાર્તાનો ઉપયોગ કરી શક્યો. અપૂર્ણતામાંથી અથવા તો આ વિશેષતા અત્યંત દેખીતી હોવાથી પોતાના મૂળભૂત આશયને દબાવી દીધો નથી. એ આશય કૈકેયીનું વરદાન છે. જો કે, આનું વાર્તામાં કોઈ Page #86 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી પ્રયોજન નથી. પહેલા પરિવર્તને બીજાને આવશ્યક બનાવ્યું. આ દ્વારા કથાકારે દેખીતી રીતે બધું શક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ભરતના જન્મ પછી સાત આઠ વર્ષ મોટા ભાંડુઓ વનમાં જાય છે. જો કે જ્યોતિષીઓએ બાર વર્ષને અંતે દશરથનું મૃત્યુ ભાખ્યું છે, પણ દશરથ નવ વર્ષ પછી મરણ પામે છે. (અધિકૃત વાર્તાઓ અને કથાઓમાં ભવિષ્યવેત્તાઓ કદી ભૂલ કરતા હોતા નથી) આ રીતે ભરત 16 કે 17 વર્ષની ઊંમરનો છે, જે શાસન કરવા માટેની યોગ્ય ઉંમર છે. પણ અહીં તારીખો વિશે વિધાન કરવાનો હેતુ સ્પષ્ટ છે. આ સર્વ અંગો એ દ્વિતીય કક્ષાની રચના હોવાની છાપ ઊભી કરે છે. રામકથાના પ્રથમ ભાગ પૂરતી જાતક મર્યાદિત રહી હોવાથી, તેને પ્રાચીન માનવી કે કેમ તેના વિશે શંકા થઈ શકે, પણ સંભવતઃ એનું કારણ એ છે કે રામકથા મૂળમાં એક અખંડ હોવાને બદલે, બે મૂળ ભાગોને એકત્ર કરી બનાવી છે. પહેલો ભાગ દશરથના મુખ્ય પાત્ર સાથે અયોધ્યાના બનાવોવાળો છે. અને બીજો ભાગે રામના દિંડકારણ્યમાં પરાક્રમો તેમજ રાવણ પરનો વિજય છે. પહેલા ભાગનો આધાર ઇક્વાકુ રાજકુમારની કૌતુકભરી ઘટનાઓ છે. અને બીજો ભાગ પુરાકથાઓનું વર્ણન કરે છે. જેનું આપણે આગળ નિરૂપણ કરીશું. વેબરનો એવો મત છે કે, જયારે દશરથ જાતકનો ઉદ્દગમ થયો ત્યારે બીજો ભાગ હયાતીમાં ન હતો. પણ એથી ઉલટું મને એવી પ્રતીતિ છે કે જાતકના કથકે બીજા ભાગની એટલા માટે, નોંધ ન લીધી કે તેનો હેતુ રામને એક પવિત્ર બૌદ્ધ સાધુ રૂપેર ચીતરવાનો હતો અને આ હેતુને રામકથાનો યુદ્ધો અને લોહિયાળ દશ્યો પ્રચુર માત્રામાં ધરાવતો બીજો ભાગ જરા પણ અનુકુળ ન હતો. પણ જાતકમાં એ હકીકતનો સ્પષ્ટ નિર્દેશ છે કે, જાતકના કથક બીજા ભાગથી સુપરિચિત હતા. જાતકમાં, એનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. વાલ્મીકિને રામાયણ રામના સીતા સાથેના મિલનથી અંત પામે છે. પણ કથાની આવશ્યકતા અનુસાર, આને બદલે, જાતકમાં આ બન્નેનું લગ્ન થાય છે. આરંભમાં જાતક સીતાને રામની પત્ની બનતાં અટકાવે છે. પણ તેનું સીતાદેવી નામ સૂચવે છે કે તે રાણી-રામની પત્ની ક્યારની છે. જાતક વનવાસ દરમ્યાનથી જે ભૂમિકા ભજવી તે જ ભેજવવા માટેની તક પૂરી પાડે છે. પણ બૌદ્ધ રચનાકારે તેને રામની ભગિની તરીકે પ્રસ્તુત કરી. પણ આચારના સામાન્ય નિયમ અનુસાર ભાઈ સાથે બહેનનું લગ્ન થઈ શકે નહીં. પણ બૌદ્ધો આની છૂટ આપે છે. શાક્ય અને કોલિય પરિવારોના ઉદ્ગમની દંતકથાઓએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. આ દંતકથામાં ભાઈઓ અને બહેનોનાં લગ્ન પરિવારોના ભયજનક અવપતનને ટાળવા માટે દાખલ કરવામાં આવ્યાં છે. પણ જાતકકથા રામ-પંડિત અને તેની બહેન સીતાદેવી સાથેના લગ્ન માટેનું એક નાનું સરખું પણ કારણ આપતી નથી પણ દેખીતી રીતે જાતકના આરંભથી બન્ને પતિ-પત્ની તરીકે જ દેખાય છે, પણ કથાકારે તેમને ભાઈ-બહેન તરીકે પ્રસ્તુત કર્યા છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ 78 રામાયણ જાતકમાં એવાં કેટલાંક લક્ષણો છે જે, ખાસ કરીને રામાયણની યાદ દેવડાવે છે. આ રીતે જ્યારે રાણી સિરિગલ્મમાં જાય છે. ત્યારે, તેણે આવું શા માટે કર્યું તે કહેવામાં આવ્યું નથી. દેખીતું છે કે, રામાયણના ક્રોધાગારનો ઉલ્લેખ થયો છે અને ઉલ્લેખ આધાર વગરનો હોઈ શકે નહી. (2-9-22, 10,21) તદુપરાંત જાતકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, ઘણાં જનો વનવાસમાં જનારા સાથે ગયાં અને, ભરત પણ મોટા સૈન્ય સાથે આવ્યો. આ સૈન્ય તેણે નજીકમાં જ રાખ્યું. રામાયણમાં આ સર્વ ઠીક ઠીક વિગતો સાથે આવે છે. વેબરે પૃ. 65 પર નોંધ્યું છે કે, રામાયણમાં છેલ્લા સર્ગનો એક શ્લોક જાતકમાં પાલી ભાષામાં આવે છે. દક્ષિણ ભારતના સંસ્કરણમાં (બૉમ્બે આવૃત્તિમાં એ ત્રુટક છે.) આ શ્લોક આ પ્રમાણે મળે છે. दशवर्षसहस्राणि दशवर्षशतानि च / भ्रातृभिः सहितः श्रीमान् रामो राज्यमकारयत् // જાતકમાં શ્લોક આ પ્રમાણે છે. दशवस्ससहस्सानि वस्ससतानि च / कम्बुगीवो महाबाहू रामो राज्जमकारयि / આ શ્લોક વાર્તાની મધ્યમાં છે અને તદ્દન શુષ્ક છે. મોટાભાગના શ્લોકોની જેમ, આને પણ કોઈક પ્રાચીન સ્રોતમાંથી ઊછીનો લીધો હશે એવું વિચારવું જોઈએ. જાતકની પ્રસ્તાવના પૌરાણિક પંડિતનો ઉલ્લેખ કરે છે, જે તેના સ્રોતનું મહત્ત્વનું સૂચન કરે છે. હવે આપણા હાથમાં રામાયણ છે અને તેમાં ઉપર્યુક્ત શ્લોક આવે છે એટલે, પૂરેપૂરી સંભવિતતા છે કે તે જ સ્રોત બને છે, જેમાંથી વાર્તાના કથકે પોતાની પવિત્ર દંતકથા માટે, સામગ્રી મેળવી હશે. આપણે બૌદ્ધ જાતકમાં રામ-કથાના પ્રાચીનતર સ્વરૂપને પારખી શકતા નથી. એટલે આપણે એ તપાસવું જોઈએ કે, રામાયણમાં બૌદ્ધ અસરના કોઈ અવશેષો છે કે નહીં. વેબર પાંચમા પૃષ્ઠ પર કહે છે, “છેવટે, જેમાં બુદ્ધને ચોર માનવામાં આવે છે, તે ખંડ વિશે પણ અટકળ છે કે તે બીજા સ્તરે પ્રક્ષિપ્ત હોવો જોઈએ. વાચક પોતે જ નક્કી કરે. રામે ભારતની રાજગાદી સ્વીકારવાની વિનંતિ નકારી. જાબાલિ દલીલોથી રામને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ દલીલો લોકાયત દર્શનમાંથી લીધેલી છે. રામ તેના મતનું ખંડન કરે છે અને વચનભંગ નહીં કરવાનો પોતાનો નિશ્ચય દોહરાવે છે. આ વર્ણન ઉપજાતિ છંદના શ્લોકોમાં થાય છે અને ૫-૩૦થી 39 સુધી આ વિસ્તરે છે. 3) મો Page #88 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 79 શ્લોક આ પ્રમાણે છે : अमृष्यमाणः पुनरुग्रतेजाः निशम्य तन्नास्तिकवाक्यहेतुम् / अथाब्रवीत् तं नृपतेस्तनूजो विगर्हमाणो वचनानि तस्य / | વિષયનું નિરૂપણ એક વાર થયા પછી, તે ફરીથી આવે છે અને જુદા છંદમાં આવે છે. સ્વતંત્રપણે આ બંને પરિસ્થિતિઓ ખંડની પ્રામાણિકતા વિશે શંકા પેદા કરે છે. પણ એકબીજાથી સમર્થિત તેઓ પ્રક્ષિપ્ત અંશને જાહેર કરે છે. 24 આ અવધારણાને એ રીતે સમર્થન પ્રાપ્ત થાય છે કે બીજાં સંસ્કરણોમાં આ મળતું નથી. કાશ્મીરની હસ્તપ્રતમાં ૩૬મો શ્લોક ૨૯મા પછી તરત જ આવે છે અને, 38 અને 39 ગેરહાજર છે. છતાં, બીજી રીતે પણ, રામાયણનો બૌદ્ધ ધર્મ સાથે સંબંધ જોડી શકાય. ટાલ્બોયઝ હીલરે પોતાના History of Indiaમાં એવો મત રજૂ કર્યો છે કે રામની લંકા પરની ચઢાઈમાં, સલોનના બૌદ્ધ શત્રુઓ સાથેની લડાઈ છે. અને આ બૌદ્ધીનું નામ રાક્ષસો છે. (જુઓ વેબર પૃ. 4) પહેલા જ તબક્કે કોઈ પૂછી શકે કે કવિને સિલોનના બૌદ્ધોનો વૈષ શા માટે હોય કારણ કે એ ટાપુ તો ઘણો દૂર આવેલો છે. તેના સમયમાં જો બૌદ્ધો હોય તો તેઓ તેની ઘણી નિકટ હશે અને તેથી સીલોન જેવી દૂરની ભૂમિમાં કવિને શોધવા જવાની જરૂર ન પડે. એવું વિચારવું ન જોઈએ કે સીલોનના બૌદ્ધ ધર્મે પોતાની અસર ઉત્તર ભારત સુધી પ્રસારી હતી. જો ઉત્તર ભારતના બૌદ્ધ ધર્મે પોતાનો આગવો વિકાસ દક્ષિણની જેમ સાધ્યો હોય તો પણ બન્ને એકબીજાથી વ્યવહારિક રીતે સ્વતંત્ર હતા. વધુમાં, જો વાલ્મીકિએ સીલોનના બૌદ્ધોને રાક્ષસો તરીકે નિરૂપ્યા હોય, તો, પોતાના આશયને છૂપાવવામાં તેઓ અભુત રીતે સફળ થયા. રાક્ષસો બ્રાહ્મણ-યજ્ઞનો વિધ્વંસ કરે છે એમ વર્ણવાતા હોય (પણ બૌદ્ધો સામે આવો કોઈ આરોપ આપણને જોવા મળતો નથી) તો પણ તેઓ વેદોથી પરિચિત છે અને યજ્ઞ કરે છે. એ નોંધવું જોઈએ કે રાવણ પણ પોતાની કઠોર તપસ્યાથી બ્રહ્મા પાસેથી અપરાજેયતાનું વરદાન જબરજસ્તીથી મેળવે છે. ભારતીય કવિઓમાં પોતાના આશયને છૂપાવવાની કળા હોતી નથી અને પ્રસંગોપાત્ત જો તેઓ રૂપકગ્રંથિનો આશ્રય લેતા હોય તો તેઓ એવી રીતે કરે છે કે રૂપકગ્રંથિનો અર્થ અકળ રહેતો નથી. વ્યક્તિને આ રીતે વિચારવાની ફરજ પડે છે. પૂર્વ પ્રશિષ્ટ સમયના મહાન કવિ વાલ્મીકિએ એવું તે રૂપકાત્મક કાવ્ય રચ્યું કે, તેના ગોપિત રહસ્યને ૧૯મી સદી સુધી યુરોપનો વિદ્વાન શોધી નથી કાઢતો ત્યાં સુધી તે અકળ જ રહ્યું ! વાલ્મીકિની લંકા સીલોનનો નિર્દેશ કરતી હોય એ પણ મને શંકાસ્પદ લાગે છે. કવિના વારંવારના કથન અનુસાર સમુદ્રની પેલે પાર, ત્રિકુટ પર્વત ઉપર લંકાને Page #89 -------------------------------------------------------------------------- ________________ 80 રામાયણ વિશ્વકર્માએ બનાવેલી છે. ખાસ તો, વિખ્ય પર્વતની તળેટીથી અથવા મહેન્દ્ર પર્વતથી, આ ઉપખંડ સો માઈલ દૂર છે. સિલોનને ઘણું જ ઓછું લાગુ પડે છે. જો આ ટાપુ જ નગર હોત તો, વાસ્તવિક સીલોનની અસ્પષ્ટ દંતકથા વાલ્મીકિને કાને જરૂર પહોંચી હોત. કારણ કે, પ્રાચીન રામાયણને લંકા એક ટાપુ છે એવો નિર્દેશ અજાણ્યો છે. તે ફક્ત 6-8--20 (=બી 58, 2 જ)માં આવેલ છે. અને એ ઉપરાંત ૪-૧૧૧-૫૪માં આવે છે. જે બીમાં નથી. અહીં દ્વીપ એ જંબુદ્વીપની જેમ એક ખંડ તરીકે કલ્પવો જોઈએ. ચાર દિશાઓના વર્ણનનો આપણે ઉપર પછીના ઉમેરણ તરીકે ઉલ્લેખ કર્યો છે. ત્યાં રાવણની ભૂમિ પણ એક ટાપુ જણાય છે. આના માટે આપણે ટીકાની તુલના કરી શકીએ. છેવટે પછીથી ઉમેરાએલા ૭મા કાંડમાં પણ આનો પૂરાવો છે. વાલ્મીકિ માટે દેખીતું છે કે, લંકા એક કાલ્પનિક ભૂમિ હતી, જેના વિશે તેમને પણ ચોક્કસ માહિતી ન હતી. તેમના મતને ભારતીય બ્રાહ્મણો પણ અનુમોદન આપે છે. ખગોળશાસ્ત્રીઓ લંકાને વિષુવવૃત્તની રેખા પર મુકે છે. જેને પહેલી ઊંચામાં ઊંચી રેખા, જે ઉજ્જયિની પર કાપે છે. સીલોનના કોઈ પણ ખગોળશાસ્ત્રીએ પોતાના વતનને લંકા સાથે એકરૂપ માન્યું નથી. તેના નિરીક્ષણે એ દર્શાવ્યું હશે કે વિષુવવૃત્તને ઘણા અંશે ઉત્તરે અને લંકાની ઉચ્ચતમ રેખાની પૂર્વે આવેલું છે. હકીકતમાં તો પ્રશિષ્ટ સાહિત્યના યુગમાં પણ લંકા સિંહલદ્વીપથી જુદી હતી. દક્ષિણનાં સ્થળો ગણાવતી વખતે વરાહમિહિર ૧૧મા શ્લોકમાં લંકાનો અને ૧૫મા માં તદન જુદો એવો સિંહલદ્વીપનો ઉલ્લેખ કરે છે. ભવભૂતિના મહાવીરચરિતના ૭ના અંકના 13/14 પ્રમાણે, પુષ્પક વિમાનમાં અયોધ્યા પાછા વળતી વખતે સૌ પ્રથમ તો, રામચન્દ્ર સીલોન પરના રોહણ પર્વત પરના અગસ્તના આશ્રમની મુલાકાત લે છે. સમુદ્ર તો પાછળ છોડી દીધો છે. તે જ રીતે મુરારિ પણ અનર્ધરાઘવના ૭મા અંકના ૭૮મા શ્લોકમાં, સ્પષ્ટપણે સિંહલદ્વીપનો ઉલ્લેખ કરે છે. તે જ રીતે બાલ-રામાયણના ૧૦માં અંકના પપમા શ્લોકમાં પણ, જો કે સિંહલદ્વીપનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. એ જ બાલરામાયણ નાટકમાં સેતુ બાંધવા માટે વાનરો પર્વતોનાં શિખરો લઈ આવે છે જેમાં રોહણાચલ પણ છે, જે અસંગત ગણાત જો, રાજશેખરે લંકા અને સલોનને એક ગયું હોત તો. 25 સીલોનનું પ્રાચીનતમ અભિધાન આ બ્રાહ્મણ ઉપયોગ સાથે સુસંગત છે. એનો અર્થ એ છે કે સીલોન એ લંકા નથી પણ તામ્રપર્ણી છે. અલેક્ઝાન્ડરના સમકાલીનોને આ ટાપુ પરિચિત છે. અશોક તામ્રપર્ણી" તરીકે ઓળખાવે છે. મૂળમાં આ નામ કોઈક દરિયાઈ બંદરનગરનું હતું જે પછીથી સમસ્ત, દ્વીપ માટે વપરાતું થયું. પછીના ટોલેમન્સના સમયમાં સિંહલ અથવા સીહલ પ્રચલિત થયું. Page #90 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી એથી ઊલટું સીલોનના બૌદ્ધો તેમના ટાપુને 27 લંકા કહે છે. અને આ નામ સૌ પ્રથમ (302 અને 477 એ. ડી. વચ્ચે રચાયેલા)૨૮ દીપવંશમાં મળે છે. સિંહલ અને તામ્રપર્ણી નામોનો સંબંધ સીલોનના દંતકથાના પાત્ર એવા શાસક વિજય સાથે જોડાયેલો છે. તેઓ અતિપ્રચલિત અને પ્રાચીનતમ નામો હોઈ શકે. પણ લંકા એટલું લોકપ્રિય જણાતું નથી અને બૌદ્ધોએ કૃત્રિમ રીતે આપેલું નામ જણાય છે. આવી ધારણાને એ રીતે સમર્થન મળે છે કે આ નામ રામાયણમાંથી ઉછીનું લીધું છે, કારણ કે આ નામ દક્ષિણ ભારતમાં બહુ જ લોકપ્રિય હતું અને તેનું વિષયવસ્તુ પણ પ્રચલિતપણે જાણીતું હતું.૨૯ રામાયણમાં દક્ષિણ ભારતની પ્રતિમા ગમે તેટલી અનિશ્ચિત હોય પણ દક્ષિણના નિવાસીઓ પવિત્ર તીર્થો પર કબજો જમાવવા રામે જેની મુલાકાત લીધી છે, તે સ્થળોને ઉકેલી શકાય છે. એટલે, સીલોનના નિવાસીઓ જો એવો દાવો કરે કે, તેઓ એ ભૂમિમાં રહ્યા છે રામના નિવાસથી પ્રખ્યાત બની તો, એથી આશ્ચર્ય પામવાનું નથી. તેઓએ પોતાના વતન તરીકે લંકાને જણાવ્યું એ વાતને કોઈ સ્પષ્ટતાની એટલા માટે જરૂર નથી કે આ અવધારણા આપણા દેશના વિદ્વાનો દ્વારા અસંદિગ્ધ સિદ્ધાન્ત તરીકે સ્વીકારવામાં આવી હતી. હું માનું છું કે, આદમના પુલને રામના સેતુ સાથે એકરૂપ ગણતાં, સર્વને પ્રતીતિકર લાગ્યું છે. મારી આ ચર્ચા પછી પણ, જો કોઈ લંકાને સીલોનના પ્રાચીનતમ અને સંજ્ઞાવાચક નામ તરીકે સ્વીકારવા તૈયાર હોય તો, એ ધારવું જોઈએ કે, વાલ્મીકિ એવા સમયે થયા જયારે, તામ્રપર્ણી અને સિંહલદ્વીપ જેવાં ઐતિહાસિક નામો હજુ અજાણ્યાં હતાં. પણ બ્રાહ્મણ ભારતીયો તેમનાથી તદ્દન પરિચિત હતા. અંતમાં લંકા શબ્દ વિશે નોંધ કરવી જોઈએ. લંકાની એક ટાપુ તરીકે કલ્પના કરવામાં આવી છે. અહીં સંજ્ઞાવાચક નામને વિશેષણ તરીકે પ્રયોજવામાં આવ્યું છે, કારણ કે ઘણા લાંબા સમય સુધી ભાષા પાસે ટાપુ માટે કોઈ શબ્દ હતો નહીં. એનું કારણ એ કે, તેલંગના કિનારાઓ બહુ જ દરિદ્ર છે અને, નદીઓમાં પણ, કેવળ નાના નાના ટાપુ મળે. - બૌદ્ધોના સામ્પ્રદાયિક ગ્રંથોમાં, શ્લોકનો છૂટથી ઉપયોગ થયો છે. એટલે એવા તારણ પર પણ અવાય કે રામાયણ કરતાં તે પ્રાચીન છે. એ શ્લોકોની રચના માટે ચુસ્ત નિયમો હતા. પણ એવી હકીકતો છે કે, જે આવા તારણથી વિપરીત છે. પહેલું તો પછીનાં, સંસ્કૃત કાવ્યોમાં, સ્વરૂપની સંપૂર્ણતા માટે એટલો આગ્રહ નથી, ઉ. દા. હેમચન્દ્રનું પરિશિષ્ટ પર્વ. ખાસ કરીને, વૈજ્ઞાનિક ગ્રંથોમાં શ્લોકના બંધારણના ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું. બીજું, સાહિત્યની ભાષા તરીકે પાલીનો Page #91 -------------------------------------------------------------------------- ________________ રામાયણ ઉપયોગ કરવો એ એક નવીન સાહસ હતું. કવિઓને તેની લવચીકતા માટે દેખીતી રીતે સંઘર્ષ કરવો પડ્યો હતો. એટલે, છંદના વધુ ચુસ્ત નિયમોની તેમણે અવગણના કરી હશે. ત્રીજું પાલીની રચનાઓ સારી રીતે સચવાઈ નથી. આપણાં સંપાદનોમાંની ઘણી છંદવિષયક ભૂલોને સહેલાઈથી સુધારી શકાય. પ્રકાશિત કૃતિઓ દર્શાવે છે કે વિપુલા પદ્યનાં પછીનાં અંગો તેમનામાં સચવાયાં છે. શ્લોકના નિરૂપણ કરતાં પણ વધુ મહત્ત્વની હકીકત એ છે કે પ્રકાશિત સાહિત્યમાં આર્યા છંદ વાપરવામાં આવ્યો છે. પણ પછીનાં મહાકાવ્યો સુધી તે લોકપ્રિય છંદ જણાયો નથી. હવે આપણે એ તપાસવું જોઈએ કે, રામાયણ પર કોઈ ગ્રીક અસર પારખી શકાય છે કે કેમ. સૌ પ્રથમ તો, એવું જોવામાં આવ્યું છે કે, પહેલા કાંડના ૫૪મા સર્ગમાં યવન પલ્લવ, શક, તુષાર વગેરેનો ઉલ્લેખ આવે છે. પણ પૃષ્ઠ પાંચ પર એ ક્યારનું દર્શાવ્યું છે કે, પહેલો કાંડ વાલ્મીકિની રચનામાં પછીનું ઉમેરણ છે અને, વિશ્વામિત્ર-પ્રસંગ પહેલા કાંડમાં જોડી દેવામાં આવ્યો છે. એટલે, વિશ્વામિત્ર-પ્રસંગમાં યવન શબ્દના ઉલ્લેખ પરથી આપણે પહેલા કાંડ કે રામાયણના રચનાકાળ વિશે કોઈ તારણ પર આવી શકીએ નહી. બીજું આ ઉલ્લેખ પામેલી જાતિઓનો ચોથા કાંડના ચાર લોકના વર્ણનના સંદર્ભમાં થયો છે. (જુઓ વેબર, રામાયણ, પૃ. 24) પણ આગળ આપણે એવી દલીલો રજૂ કરી છે કે આ ખંડ મૂળ કાવ્યને અજાણ્યો હતો. યવનના આ ઉલ્લેખો સર્વ સંસ્કરણોમાં આવે છે. અને, તેથી એવું ફલિત થાય છે કે, જ્યારે ગ્રીકો ભારતીયોના સંપર્કમાં આવ્યા ત્યારે રામાયણ ગ્રંથ હજુ સ્થિર થયો ન હતો. વેબરનું નિરીક્ષણ છે તે પ્રમાણે ગ્રીક રાશિ અને જન્માક્ષરના ઉલ્લેખ પરથી તવારીખની કોઈ સામગ્રી મેળવી શકાશે નહી. આ કેવળ સંસ્કરણ સીમાં આવે છે. તેઓનું કથન છે, એ મત સત્યથી બહુ દૂર નથી કે, જન્માક્ષરની આવી પ્રસ્તુતિ ઉત્સાહી જયોતિષીઓનું બીજી કક્ષાનું કાર્ય હતું. તેઓ આવા મહત્ત્વના બનાવ અંગે બહુ જ પાંખી માહિતી આપવા ઇચ્છતા હતા. - રામાયણના રચનાકાળની સમસ્યાના સમાધાનની બાબતમાં એ ખૂબ જ મહત્ત્વનું હતું. વેબરનો મત એ હતો કે, લંકા પરની ચડાઈનું મૂળ પ્રારૂપ હેલનનું અપહરણ અને ટ્રોય પરની ચઢાઈ હતી. વેબરનો આ મત જો યથાર્થ હોત તો, રામાયણના રચના કાળની સમસ્યાના સમાધાનની બાબતમાં ખૂબ જ મહત્ત્વનું હતું. પણ આપણે બન્ને પ્રસંગો વિશેના આશયની સમાનતા એ નોંધવાની છે કે, સીતાનું અહીં બળજબરીથી અપહરણ થયું છે, Page #92 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 83 જ્યારે હેલનના અપહરણમાં તેની સંમતિ હતી અને લંકા અને ટ્રોય પરત્વેના યુદ્ધમાં પણ સમાનતા છે. પણ આ સમાનતા ત્યાં જ પૂરી થાય છે જેવા આપણે વિગતોમાં જઈએ છીએ. આશયના કથા ઘટકને ઊછીના લેવાનો વિચાર મને તો એટલા માટે બિનજરૂરી લાગે છે કે પ્રાચીન સમયમાં, અને ના, અત્યારના સમયમાં પણ સ્ત્રીનું અપહરણ એ પ્રચલિત રિવાજ છે. અને કેટલાક સભ્ય લોકોમાં એ સ્વીકૃત લગ્ન પ્રકાર છે. અને આને કારણે ઘણીવાર લોહિયાળ ઝઘડા પણ થાય છે. ઉદાહરણ તરીકે આપણે સાબીન સ્ત્રીઓનું અપહરણ અને હીરોડોટના પ્રથમ સર્ગને લઈ શકીએ જ્યાં રાષ્ટ્રો વચ્ચેની શત્રુતા અને યુદ્ધ સ્ત્રીઓનાં અપહરણથી આરંભાતાં હોય છે. સંસ્કૃતિના એક ચોક્કસ તબક્કે સ્ત્રીઓનું અપહરણ બધી જગ્યાએ પ્રચલિત હતું અને, ટંટા-ફિસાદ અને યુદ્ધોની વૃદ્ધિ માટે તે જ જવાબદાર હતું. એટલે, એવું માનવાને કોઈ કારણ નથી કે ભારતીયોએ સ્વયં આ ઘટકને ઉપયોગમાં લીધું નહીં. જો હજુ પણ આ કથાઘટકને ભારતીયોએ ઉછીનું લીધું એવું માનવામાં આવે તો, અપહરણ સાથે ન સંકળાયેલા કેટલાક પ્રસંગોના મળતાપણામાંથી જ આની ખાત્રી કરી શકાય. એવા પ્રસંગો કે, અપહરણનાં સ્વાભાવિક પરિણામો સાથે સંકળાયેલાં ન હોય પણ જે, પ્રાચીન કથાઓમાં આકસ્મિક રીતે આવી ગયાં હોય. પણ એવાં શોધવાનો આપણો પ્રયત્ન નિષ્ફળ જાય છે. એથી ઊલટું ભારતીય કથામાં ગ્રીક કરતાં જુદી પરિસ્થિતિ છે. 30 મને એવું જણાય છે કે રામનો પણછ ચઢાવવાનો પ્રસંગ ઓડિસીયસ સાથે બહુ ઓછો આંતરિક સંબંધ ધરાવે છે. રામે ધનુષ પર પણછ જનકરાજાની પુત્રી મેળવવા ચઢાવવાની છે. આ તો એક પ્રકારની શક્તિપરીક્ષા છે, જે લગ્ન પહેલાં યોજાવી જોઈએ અને કેટલીક લડાયક જાતિઓ માટે તો આ ફરિજયાત છે. આની સાથે સીગફ્રિડના પથ્થરફેંકને સરખાવો. ભારતીયો માટે ધનુષ મુખ્ય અસ્ત્ર હતું. એટલે, તે શક્તિ પરીક્ષામાં મુખ્ય ભાગ ભજવે છે. સીતા માટે જ નહીં પણ દ્રૌપદી માટે પણ તે શરત હતી. જો શક્તિપરીક્ષા એક જાતિનો રિવાજ હોય અને, ગ્રીકની કોઈ અલાયદી વિશેષતા ન હોય તો આપણે, ઉછીનું લેવાયું છે એ સત્ય સિદ્ધ કરવું હશે તો, એ માટેની ચોક્કસ સાબિતિ માગીશું. પણ એ તો છે નહીં. ઓડિસીયસે પણ પણછ ચઢાવેલી, પણ આશય તદ્દન જુદો જ છે. ઓડિસીયસને પોતાની પત્ની પેનેલોપીને મેળવવાની નથી તે તો એની પત્ની હતી જ, પણ પરિણયવાંછુઓને પાછળ રાખવા માટે પણછ ચઢાવવાની અને કુહાડીથી મારી નાખવાની કસોટી તો એક યુક્તિ હતી. હવે વેબર એક જનક જાતકનો ઉલ્લેખ કરે છે. આ કથામાં, વહાણભંગ થએ, સમુદ્રદેવી દ્વારા વ્યક્તિને બચાવવાની અને, પણછ ચઢાવીને રાજકુમારીને જિતવાની વાત Page #93 -------------------------------------------------------------------------- ________________ 84 રામાયણ આવે છે. “એવું જણાય છે કે લ્યુકોથિયા ઓડિસિયસને બચાવે છે અને બીજા પરિણયવાંછુઓ પણછ ચઢાવી શકતા નથી એ બે વાત ભેગી કરી દીધી છે. આ દ્વારા અથવા આ બે સંજોગોને ભેગા કરવાથી, હોમરની અચૂક યાદ આવે છે, અને બીજાથી (માનવા પ્રેરાઈએ છીએ) સીધા જ રામાયણના મિથિલાના રાજા જનકની સભાના પ્રસંગોનું સ્મરણ થાય છે. અને તે પણ બહુ જ પ્રાબલ્યથી. કારણમાં, અહીં મિથિલાની યુવાન રાજકુમારીનું વર્ણન આવે છે જેનું પણ સીતાના પિતા (જનક)ના જેવું જ નામ છે. આણે પૈતૃક રાજ પાછું મેળવવા કૂચ આદરી અને તે રીતે ઉપર્યુક્ત ભાગ્ય તેને મળ્યું. હવે આ બે પ્રસંગો ભેગા કરવામાં આવ્યા હોવાથી તેમના પર તરત જ છેકો મારી દેવાય નહીં અને તેઓ હોમર સુધી જાય છે. એટલે રામાયણના દેશ્ય માટે પણ આવો જ ઉદ્ગમ દર્શાવશે”. (વેબર, પૃ. 17) આ બે પ્રસંગોને જોડવાથી જાતક-કથાએ ઓડિસિયસકથાના અનુકરણમાં આકાર લીધો છે તો, તેનાથી આપણને રામાયણ વિશેના કોઈ કારણ પર આવવામાં સહાય મળતી નથી. રામાયણને જાતકમાં વર્ણવાયેલાં જનકનાં સાહસો તદ્દન અજાણ્યાં છે. જો જાતક રામાયણ કરતાં વધુ પ્રાચીન હોત તો, પણછ ચઢાવવાની વાત જાતકમાંથી રામાયણમાં આવી હોય એમ માની શકાય. પણ આવી પ્રક્રિયાએ રામાયણના પ્રસંગો અને વ્યક્તિઓનાં ચરિત્રોમાં, મૂળભૂત પરિવર્તન આપ્યું હોત. પણ આપણે ક્યારનું જોયું છે કે, દશરથ જાતક એ નિશ્ચિતપણે રામાયણમાં દ્વિતીય પ્રકારની નિર્મિતિ છે અને જનક-જાતકના સંદર્ભમાં આનાથી ઉલટું સિદ્ધ કરવા બહુ જ પ્રતીતિકર તર્કોની આવશ્યકતા રહે. પણ જો આપણે ઓડિસિયસ-કથા ભારતને પરિચિત થઈ ત્યારે, રામની ધનુષ પર પણછ ચઢાવવાની વાર્તા બની એ સ્વીકારીએ તો, જનક સાથે તે શા માટે જોડાઈ એ આપણને સમજી શકીએ. જનકની પાસે અત્યંત ભારે ધનુષ હતુ એ સંજોગ જનસાધારણની કલ્પનાને માટે પૂરતો પ્રેરણાદાયી હતો જેથી તેને, વાર્તાનો નાયક બનાવી દીધો અને, તેમાં ધનુષભંગ બહુ જ મહત્ત્વની ઘટના હતી. રામ અથવા અર્જુન આ હેતુ માટે વધારે યોગ્ય હતા કારણ કે તેઓએ આ પ્રકારનાં ધનુષ્ય તોડ્યાં હતાં. પણ આ બે મહાકાવ્યોમાં આ બે વીર નાયકોની વાર્તા એટલી દઢ બની ગઈ હતી કે, લોકો આ વીર પુરુષોમાં કોઈ નવા સાહસ આરોપિત કરી શક્યા નહીં. એમ કરે તો, યુગ-પ્રાચીન કથામાં વિરોધ આવે. મહાવંશમાં વિજય અને જનક-જાતકની વાર્તાનો ગ્રીક ઉદ્ગમ હોવાની સંભવિતતા કે શક્યતાનો હું વિરોધ કરવાનો નથી. (વબર, પૃ. 13 નોંધ 1 અને પૃ. 17) પણ આનું ઉછીનું લેવું રામ કથાના બહુ સમય પછીનું હતું. આ બન્ને બૌદ્ધ વાર્તાઓમાં દરિયાઈ સફરો ઓછો મહત્ત્વનો ભાગ ભજવતી નથી. તે સમયે તો આ બહુ જ જાણીતા પ્રસંગ Page #94 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 85 હતા. રામાયણના કવિ અથવા જેમની સાથે રામ-કથાનો વિકાસ થયો તેમને આ અજાણ્યું હતું. અથવા તો આ વિચાર જ એટલો ઓછો જાણીતો હતો કે, રામને વહાણમાં લંકા પહોંચાડવાનો વિચાર જ તેમના માનસમાં ફૂર્યો નહીં. જો, દરિયાઈ સફરનું ચોક્કસ જ્ઞાન હોત તો સેતુ બાંધવાના સાહસભર્યા કાર્યનો આશ્રય જ લેવામાં આવ્યો ન હોત. જે પ્રજાની વાર્તાઓ અને દંતકથાઓમાં દરિયાઈ સફરો એક લોકપ્રિય વિચાર તરીકે આવ્યા કરતો હોય ત્યાં, હનુમાનનું ઉડ્ડયન અને સાગરની રામને સહાય કલ્પવામાં ન આવી હોત. એ એવું દર્શાવે છે કે, જે લોકોમાં રામાયણ વિકસ્યું તે એવા ભૂ-ભાગમાં રહેતા હતા જે સમુદ્રથી ઘણો દૂર હતો. વેબરની અટકળ વિશે વાત કરતાં જો વાલ્મીકિએ હોમરની કથાઓના ઉપરછલ્લા જ્ઞાનમાંથી રામાયણ રચવાની પ્રેરણા લીધી હોત તો દરિયાઈ યાત્રા તો ઓડિસી અને ઈલીઅડમાં કદી અનુપસ્થિત છે જ નહિ અને તેથી રામાયણમાં પણ તેણે ભાગ ભજવ્યો હોત અને ઉપર ઉલ્લિખિત સહાય પહોંચાડવાની કાલ્પનિક રીતોને ઘડી કાઢી ન હોત. એ જો એવો કોઈ પણ વિચાર હોય કે વાલ્મીકિનો હોમરની કથાઓ સાથે એટલો ઊંડો પરિચય હતો કે તેનાથી, મહાકાવ્યને વસ્તુ મળ્યું તો, આ અતિ કપોલકલ્પિત છે. આ ઉપરછલ્લું પણ એટલા માટે છે કે, ભારતીય કથાસાહિત્યમાં આદિ કાળથી આવાં કથા ઘટકો ભરપુર છે. એટલે, તેમાંથી સામગ્રી ગ્રહણ કરવાને બદલે શું ભારતના મહાકાવ્યના કવિએ વિદેશમાંથી ઊછીનું લેવું જોઈએ? અહીં આપણે શબૂકની કથાનો ઉલ્લેખ કરવો જોઈએ આ કથામાં ખ્રીસ્તી નામનો સંદર્ભ જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 7-73 થી ૭૬માં આ કથા કહેવાઈ છે. જ્યારે રામ રાજય કરતા હતા ત્યારે, એક બ્રાહ્મણપુત્ર અકાળે અવસાન પામ્યો. પણ આ અકાળે અવસાન માટે રામને જવાબદાર ઠેરવવામાં આવ્યા. રામ સભા બોલાવે છે જેમાં નારદ સમજાવે છે કે બીજા અને ત્રીજા યુગમાં અધર્મની વૃદ્ધિ થતી હોય છે. ચોથા યુગમાં શૂદ્રો તપ કરશે. અને શૂદ્ર તપ કરે છે. અને પરિણામે બાળક મરી જાય છે. રામ પુષ્પક વિમાનમાં આ અનિષ્ટ તત્ત્વને શોધવા નીકળી પડે છે. રામને જણાય છે કે દક્ષિણમાં શૈવલ પર્વત પર એક માણસ તપ કરે છે. પૂછપરછ કરતાં રામને કહેવામાં આવે છે કે તે શબૂક નામનો શૂદ્ર છે. તે સ્વર્ગ જવા માટે તપ કરે છે. રામ તેને ખગથી હણે છે. આ પ્રસંગનું કથાવસ્તુ છે. કોઈ પણ પૂર્વગ્રહ સિવાય, જો કોઈ આ પ્રસંગની પરીક્ષા કરે તો, તેમાં વિદેશી અસરનું કાઈ ચિહ્ન જણાશે નહીં. આરંભથી જ ઉચ્ચતર ધાર્મિક જીવન, શૂદ્રને નકારવામાં આવ્યું છે. આમ કરીને ઉચ્ચતમ તબક્કાનો ચોથો આશ્રમ મેળવતાં તેને અટકાવવામાં આવ્યો છે. બ્રાહ્મણ પોતાના વિશેષાધિકાર તરીકે તેને જાળવવા માગતો હતો. આ પ્રકારના નિયંત્રણને બૌદ્ધ અને જૈન ધર્મનાં પ્રબળ બળોએ વિચ્છિન્ન કરી Page #95 -------------------------------------------------------------------------- ________________ 86 રામાયણ નાખ્યું. તેમના ધર્મમાં શૂદ્રને ભિક્ષુ બનતો અટકાવનારું કોઈ નિયંત્રણ ન હતું. પણ આવો અપવાદ રામના રાજ્યમાં બનવો જોઈએ નહીં. તત્કાલ તો જે કોઈ આ ચુસ્ત વ્યવસ્થાનું પાલન ન કરે તેને માટેની કડક સજા એ ચેતવણીરૂપ હતી. તેથી હું એ મત માનવા પ્રત્યે ઢળું છું કે શબૂકની કથા એવા દેશમાં તે સમયમાં ઉભવી કે જ્યાં મિશ્ર મઠ વ્યવસ્થા ઘણું કરીને, બૌદ્ધો અને જૈનોની અસ્તિત્વમાં હતી. એટલે બધુ સંવાદી રીતે આગળ વધે છે. અને તેથી હું એવું કોઈ કારણ જોતો નથી કે જેનાથી ભારતીય આદર્શથી શાસિત બાબતોને સમજાવવા પ્રીસ્તી વ્યવસ્થાની ધારણા કરવામાં આવે. અથવા દક્ષિણનો શૈવલ પર્વત કોઈ ખ્રીસ્તી સંદર્ભ ધરાવે છે. તે બહુ જ નબળી અને સર્વ રીતે અપ્રતીતિકર દલીલ બને. જો આ ભૌગોલિક આકારનું મહત્ત્વ હોત તો, બહુ જ પહેલાં પહોંચી ગયેલા દિગમ્બરોનો વિચાર કરવો યોગ્ય જણાત. તદુપરાંત એ જણાવવું જોઈએ કે બેનર્જી વધારે મુક્ત વૈષ્ણવ સંગઠનો સમજાવે છે. આમાં શૂદ્રોનો સમાવેશ થતો એટલું જ નહી પણ પ્રસંગોપાત્ત તેમનો ધાર્મિક ગુરુઓ તરીકે પણ સ્વીકાર કરવામાં આવતો. આ મલબાર અને કોરોમંડલના કિનારાઓના ખ્રીસ્તી પાદરીઓની અસરના કારણે છે. પણ હાલના સમયે, કોઈ આ મતને પણ માન્ય નહીં રાખે, કારણ કે, દક્ષિણના શૈવ ધર્મે આપણા યુગની આરંભની સદીઓની દ્રાવિડી સંસ્કૃતિને વિકસાવવામાં જ મોટી ભૂમિકા ભજવી છે તે આપણે જાણીએ છીએ. 5 આ સર્વ પરીક્ષણોએ રામાયણનો રચનાકાળ ચર્ચવા માટેનો માર્ગ તૈયાર કરી આપ્યો. આપણે મહાભારતના મોટા ભાગ કરતાં અને બૌદ્ધ દશરથ-જાતક કરતાં, રામાયણ વધુ પ્રાચીન છે એ મતના સમર્થનમાં પુરાવાઓ પ્રસ્તુત કર્યા છે. ઈસુની પૂર્વની આ રચના છે એનું આ હકીકત સમર્થન કરે છે. એથી વિપરીત રામની લંકા તરફથી કૂચની પુરાકથા બૌદ્ધ સીલોનનો સંદર્ભ ધરાવે છે. અને વાલ્મીકિના મહાકાવ્યનો બીજો ખંડ હોમરના કાવ્યના અનુકરણમાં રચાયો છે. એવા મતનો પણ અમે અસ્વીકાર કર્યો છે. અને છેવટે એ પણ દર્શાવ્યું છે કે ભારતમાં પછીના સમયના જાણીતા બુદ્ધ, ગ્રીક અને બીજા લોકો રામાયણના દ્વિતીય કક્ષાના ભાગમાં દેખીતી રીતે ઉલ્લેખ પામ્યા છે. જો એક બાજુ આપણે દ્વિતીય સ્તરના ખંડો માટે ઠીક ઠીક અર્વાચીન સમય નક્કી કરીએ - ઈસુની બીજી સદીમાં અથવા પછી તો, આપણા માટે એ માનવાની આવશ્યકતા ઊભી થાય છે કે પ્રાચીન અધિકૃત વાલ્મીકિનો મૂળ આયોજિત ખંડ ઠીક ઠીક પ્રાચીન છે. મારા મત પ્રમાણે પૂર્વ ભારતની રાજકીય પરિસ્થિતિના અભ્યાસ પરથી વધુ ચોક્કસ તારીખ નિશ્ચિતપણે નક્કી થઈ શકે. Page #96 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી એ કંઈક મહત્ત્વનું છે કે બુદ્ધ અને મહાવીરની કથાઓની જેમ, રામાયણમાં પાટલીપુત્રનો ઉલ્લેખ થયો નથી. જો કે ૧-૩૫માં રામને એવા સ્થળે લાવવામાં આવ્યા છે કે જ્યાં પછીના સમયમાં ભારતની રાજધાની અસ્તિત્વમાં આવી. ઉપર જણાવ્યું તે પ્રમાણે પૂર્વ ભારતનાં શહેરો જેવાં કે કૌશામ્બી, કાન્યકુબ્ધ, ગિરીવ્રજ, ધર્મારણ્ય અને કામ્પિલ્યના સ્થપાયાનો ઉલ્લેખ 1-32 અને ૩૩માં થયો છે. તે દેખીતું છે કે, જ્યાં રામાયણને પોતાના ઉદ્દગમ સ્થાન પર દેખાયા પછી આતુર સત્કાર અને કાળજી પ્રાપ્ત થયાં તે વિભાગોનું મહાસ્ય દર્શાવવું છે. જ્યારે રામાયણમાં વિશ્વામિત્રની કથાનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે, મેગાસ્થનીસના સમય દરમ્યાન, ભારતની રાજધાની પાટલીપુત્રનો ઉલ્લેખ પ્રાપ્ત કરવાની આપણે અપેક્ષા રાખી શક્યા હોત, પણ આગળ દર્શાવ્યાં તે કારણોથી. નન્દો અને મૌર્યોના સમય પહેલાં આ પ્રક્ષિપ્ત અંશો અસ્તિત્વમાં આવ્યા. 1-9 થી ૧૧માં અંગના રાજાને દશરથ સાથે વધુ નિકટના સંબંધમાં આણવામાં આવે છે. એ હકીકતને આધારે પણ આપણે એ તારણ પર આવી શકીએ છીએ. હવે વૃદ્ધિ પામી રહેલા મગધ૩૫ પર આક્રમણ કરવાની યોજનામાં અંગનો રાજા સૌ પ્રથમ ભોગ બનેલો. મૌર્યો પદભ્રષ્ટ થયો ત્યાં સુધી અંગનો કોઈ સ્વતંત્ર રાજા હતો જ નહીં. અંગ વંશના રાજાઓના અયોધ્યાના ઈવાકુઓ સાથેના સંબંધની પ્રાચીન દંતકથી અંગ વંશના રાજાઓનો મહિમા ગાવા માટે હતી પણ, તેથી કોઈ હેતુ સર્યો નહીં. મગધના રાજાઓએ મહાન સામ્રાજ્યના પાયાના પથ્થર નાખ્યા હતા. આ રાજાઓ બૌદ્ધોના સમકાલીન હતા અને અશોકના શાસન હેઠળ ભારતના અર્ધા ભાગને સમાવી લેતો વધુમાં વધુ વિસ્તાર રાજયે સાધ્યો. ઈશુની પૂર્વેના ગાળામાં ભારતના રાજકીય ઇતિહાસમાં આ સૌથી મહત્ત્વનો બનાવ હતો. ભારતીય પરંપરા પણ આનો તો સ્વીકાર કરે છે. વિષ્ણુપુરાણમાં જ પૃ. 148 પર નન્દ વિશે કહેવાયું છે. બીજા પરશુરામની જેમ તે ક્ષત્રિયોનો નાશ કરશે અને પછી શૂદ્રોનું શાસન થશે. અહીંયાં સરમુખત્યારશાહીએ વંશીય સ્વરૂપના શાસનને ઊથલાવી દીધું. આ રીતે જબરજસ્તીથી પચાવી પાડેલા રાજ્યનું રક્ષણ અને શાસન કરવામાં આવ્યું. રાજકારણ એક દુષ્કર કળા છે. મૌર્ય સામ્રાજ્યના પ્રથમ મંત્રી ચાણક્ય નીતિશાસ્ત્રના મુખ્ય જ્ઞાતા અમસ્તા જ નથી ગણાતા. પોતાના પ્રથમ ફેલાવા દરમ્યાન રામાયણ નવા સામ્રાજયના સ્થળે પહોંચ્યું ત્યાં ઐતિહાસિક ઘટનાઓએ પૂર્વની વ્યવસ્થાને ઊથલાવી પાડી હતી. તો, જો કૃતિ આવા પ્રસંગો ઘટ્યા પછી રચાઈ હોત તો, આ પ્રસંગોએ હવે જરૂર પોતાનાં ચિહ્નો છોડ્યાં હોત. પણ દેખીતું છે કે રામાયણ આવા કશાનુંય ચિહ્ન દર્શાવતું નથી. કવિ ઊંડાણભરી શાંતિથી જીવ્યો છે. ભૂમિના વિજેતાઓ જે પ્રકારનો વ્યવહાર કરતા હોય છે તે રાજકારણથી કવિ તદ્દન અનભિજ્ઞ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ 88 રામાયણ તેને તો, વાર્તાનું મુખ્ય કથાઘટન રાજમહેલની ખટપટ અને રાજગાદી માટેની સ્પર્ધા છે. મહેલનાં આવાં કાવતરાં રામને વનવાસમાં મોકલે છે. વાલી અને સુગ્રીવ બે ભાઈઓ આ જ આશયથી પ્રેરાઈને એકબીજાને રાજગાદી પરથી ઊથલાવે છે. પણ છેવટે રામની મદદથી સુગ્રીવ હંમેશ માટે સિંહાસન પર બેસે છે. પોતાના ભાઈ રાવણની વિરુદ્ધ વિભીષણનો વિદ્રોહ એ રાજવી કુટુંબના કલહનું ત્રીજું ચિત્ર ઉદ્ઘાટિત કરે છે. કવિએ જેને કારણે યુદ્ધ થયું એનો એ આવેગ અનુભવ્યો જણાતો નથી. કવિએ જો કે ઘણાં યુદ્ધો વર્ણવ્યાં છે પણ તેનું માનવીય પાસું સંપૂર્ણપણે ગેરહાજર છે. આ રાક્ષસી અને વિરાટ લડાઈઓ ખરેખર તો અણઘડ કપોલકલ્પિત કલ્પનાનું ફળ છે, જે અંગત અનુભવના વાસ્તવિક વિચારમાંથી ઉદ્ભવી નથી. હું એવું માનવા પ્રેરાઉ છું કે, રામાયણનાં આવાં વર્ણનોએ છેક અત્યાર સુધીની સદીની મહાકાવ્યની કવિતા પર ઊંડી અસર કરી છે. ઓછામાં ઓછું અંશતઃ રામાયણના યુદ્ધનું વર્ણન કરતા ભાગોના અનુકરણમાં શેષ મહાકાવ્યની કવિતામાં માનવ-વીર પુરુષો પણ શસ્ત્રાસ્ત્રોથી કપોલકલ્પિત શૌર્ય-કૃત્યો કરતા દર્શાવ્યા છે. જેની ચર્ચા આપણે ૩માં કરી છે. રાજકીય પરિસ્થિતિને લાગેવળગે છે ત્યાં સુધી, સામંતશાહી પ્રકારની સામંતોની શાસનપદ્ધતિ કવિતાના મૂળમાં રહી છે. ક્યાંય આપણને મહત્તર કે સંકુલ બનાવોનો પરિચય થતો નથી. ચોક્કસ, કોશલનો રાજવી શક્તિશાળી પણ ઉમદા રાજા જણાય છે, પણ તે અન્ય રાજકુમારો સાથે સમાનતાના સ્તરે ઊભો છે. અત્યારના આપણા પાઠ પ્રમાણે રામ પોતાની રાજસીમા પર એક દિવસમાં પહોંચે છે, પણ મૂળ વર્ણન પ્રમાણે સંભવતઃ બે દિવસ લાગે છે.૩૭ અયોધ્યા સિવાય આપણે બીજા કોઈ જ નગરનું નામ સાંભળતા નથી. નજીકમાં આવેલું શૃંગબેરપુર પણ સાથી નિષાદ અગ્રણી ગુહનું નગર છે. વાલ્મીકિના આ રાજયની પારના ભૂમિપ્રદેશો ખાસ કરીને દક્ષિણ ભારત વિશે અચોક્કસ જ નહીં, ભયાનક ખ્યાલો છે. જો વાલ્મીકિ નન્દો કે મૌર્યોના સમયમાં જીવ્યા હોત તો, પરિસ્થિતિ કંઈક જુદી જ હોત. એક મોટા રાજયનો મોટો કારોબાર દૂરના ભૂમિપ્રદેશો અને રાજ્યની સીમા પાર વિશે ઝીણી માહિતી માટેની તકો પૂરી પાડે છે. જો વાલ્મીકિ કોઈ શક્તિશાળી રાજ્યના નાગરિક હોત તો, તેમણે તદ્દન ભિન્ન જ ભૌગોલિક ભૂમિકા પૂરી પાડી હોત. તે અયોધ્યાના વંશપરંપરાગત રાજ્યવંશના કવિ હોવાથી સ્વાભાવિક છે કે, તે કેવળ કોશલનું વર્ણન કરે છે. આ પ્રદેશની પારની ભૂમિનું વર્ણન તે પોતાની કલ્પના પ્રમાણે કરે છે. હવે જો આપણે ઉપરના દૃષ્ટિબિન્દુથી મહાભારત સમયની રાજકીય પરિસ્થિતિનો વિચાર કરીએ તો, એક નોંધપાત્ર વિરોધ જોવા મળે છે. મહાભારતના કવિ મધ્યપ્રદેશ સાથે શત્રુતા ધરાવનાર તરીકે મગધ રાજ્યનું વર્ણન કરે છે. તેના રાજા જરાસન્ધ મગધની Page #98 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 89 સીમાની પાર પોતાના રાજ્યને વિસ્તાર્યું હતું. મગધ ઉપરાંત, તેના રાજ્યમાં ચેદિનો પ્રદેશ અને પશ્ચિમમાં મત્સ્યના ભાગ, સરયૂ પરનો કારુષદેશ, ઉત્તરમાં ગોમતી પરના પ્રદેશો, અંગ, અને બંડના પ્રદેશો, પૂર્વમાં પુષ્ઠ અને કિરાતનો સમાવેશ થતો હતો. તે કાશીના રાજાઓનો પણ મિત્ર હતો. અહેવાલ પ્રમાણે, અતિ શક્તિશાળી જરાસંધે મધ્યદેશની પ્રજા પર આક્રમણ કર્યું. તેમને પોતાના ઘરોમાંથી હાંકી કાઢ્યા અને તેમનામાં સંક્ષોભ પેદા કર્યો.” (Lassen Indische Alertumskunde I, પૃ. 609, બીજુ આવૃત્તિ, પૃ. 755) અહીં વાર્તામાં આપણને નન્દ, પ્રથમ મૌર્યના રાજયનું પ્રતિરૂપ મળે છે. અને જરાસંધ પ્રત્યેની શત્રુતા મગધના રાજ્યને બથાવી પાડનાર પરત્વેના વૈષનું પ્રતિબિંબ પાડે છે. એવું નથી કે, જરાસન્ધની પાછળ નન્દ કે ચન્દ્રગુપ્ત છૂપાઈ ગયા છે. મધ્યદેશના મહાકાવ્યના કવિઓ પોતાના સમયની અથવા નિકટતમ ભૂતકાળના બનાવો અને રાજકીય પરિસ્થિતિઓને પુરાકથાઓમાં કે પ્રાગુ-ઐતિહાસિક સમયમાં સંક્રમિત કરતા હતા. હું માનું છું કે, મહાભારતમાં કહેવાયેલી જરાસંધની કથાઓએ ઈ. સ. પૂર્વેની ચોથી સદીમાં ચોક્કસ આકાર ધારણ કરી લીધો હતો એવું માનવા આપણે હક ધરાવીએ છીએ. આ વિષયાન્તર પછી આપણે રામાયણના કાળ વિશેના આપણા ઉચિત સંશોધન તરફ પાછા વળીએ. એ નોંધપાત્ર છે, કે રામાયણના પ્રાચીનત્તર ખંડોમાં અયોધ્યાને રાજયની રાજધાની તરીકે ઉલ્લેખવામાં આવી છે. પણ બૌદ્ધો, જૈનો, ગ્રીક અને પતંજલિ તેનું સાકેત નામ આપે છે. નામમાં પરિવર્તન સૂચવે છે કે જૂનું નગર જીર્ણતા અને વિનાશને પામ્યું અને અનુગામી સમયમાં એક નવું નગર તેની નજીક ઉદ્ભવ્યું. ઉત્તરકાંડમાંથી જાણવા મળે છે કે નગર જનશૂન્ય બની ગયું અને છોડી દેવાયું અને એવી ભવિષ્યવાણી ભાખવામાં આવી છે કે, ભવિષ્યમાં જ્યાં સુધી ઋષભ ત્યાં આવીને વસે નહીં ત્યાં સુધી તે નિર્જન રહેશે. હું લગભગ એવું માનવા પર છું કે ૨-૧૧૪ના કવિએ અયોધ્યાનાં ખંડેર જોયાં હતાં. ધ્વસની શૂન્યતાના નગરના વર્ણને કવિ પર ઊંડી અસર કરી હતી. અયોધ્યાના ત્યાગનું કારણ શત્રુઓએ વેરેલો વિનાશ હોઈ શકે. નિવાસ બદલવા માટે તે જવાબદાર હોઈ શકે એ સંભવ છે. ઉત્તરકાંડની કથા પ્રમાણે, રામના પુત્ર લવે, પોતાનું શાસન સ્થળ બદલીને શ્રાવસ્તી કર્યું. (7-108-5)41 બુદ્ધ પ્રસેનજિતું (પ્રસંનદિ) શ્રાવસ્તી પર રાજ્ય કરતા હતા એની સાથે આ હકીકત મળતી આવે છે.૪૨ દેખીતું છે કે મૂળ રામાયણ આ સર્વ સ્થળાંતરો પહેલાં રચાયું હતું. અહીં અયોધ્યા ઈવાકુ રાજાઓના શાસનનું આ એક ભવ્ય સ્થળ હતું. નવું નામ હજુ છે નહીં અને શ્રાવસ્તીનો હજુ ઉલ્લેખ થયો નથી. બાલકાંડ માટે પણ આ સાચું છે. જો બાલકાંડના રચનાકાળે Page #99 -------------------------------------------------------------------------- ________________ 90 રામાયણ શ્રાવસ્તી શક્તિશાળી શાસકનું કેન્દ્ર હોત તો, આ નગર અનુલ્લિખિત ન રહ્યું હોત. આ મહાકાવ્યના ખંડમાં અન્ય મહત્ત્વનાં સ્થળોનો વિચાર કરવામાં આવ્યો છે. એટલે, આપણે તારણ પર આવી શકીએ કે બાલકાંડ અને તેનો પ્રાચીનતર ભાગ (દેખીતી રીતે, વિશ્વામિત્ર પ્રસંગ વિચારણા માટે આવતો નથી.) બહુ જ પહેલો ઈ. સ. પૂ.ની પાંચમી સદી પછી તો નહીં રચાયો હશે. જે પ્રમાણે પૂર્વ-બુદ્ધ કાળમાં બાલકાંડ રચાયુ હશે તે કર્તાનો મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે. ત્યાં દર્શાવ્યું તે પ્રમાણે 1-47 અને 48 પ્રમાણે મિથિલા અને વિશાલા જોડિયાં નગરો હતાં. પણ દરેકનો શાસક જુદો હતો. મિથિલાના જનક અને વિશાલાના સુમતિ શાસક હતા. પણ બુદ્ધના સમયમાં, બન્નેનો એક મુક્ત નગર વૈશાલી તરીકે વિકાસ થયો જયાં લિચ્છવી રાજવંશીઓનું સામૂહિક શાસન રહ્યું. ગાયકને પ્રાપ્ત થયેલા ૧-૫માં નોંધેલા પુરસ્કાર પ્રમાણે, રામાયણ-કાવ્ય ત્યારે બન્યું જે સમયે અયોધ્યાના ઇક્વાકુઓ શક્તિશાળી શાસક કુટુંબના સભ્ય હતા. પણ બુદ્ધ અને મહાવીરના સમયનાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ઈશ્વાકુ-વંશનો રાજા પ્રસેનજિતુ હજુ શ્રાવસ્તી પર રાજ્ય કરતો હતો. પણ જૈનો પ્રમાણે જ કોશલ નગરમાં નવ લચ્છવી કુમારોનું શાસન હતું જે વૈશાલીથી સ્વતંત્ર હતું. પુરાણો પણ ઇક્વાકુ-રાજાઓના અંત (વિષ્ણુ પુરાણ- 4-22) વિશે કહે છે અને તેમાં શાક્ય, શુદ્ધોદન અને રાહુલનો સમાવેશ થાય છે. કેટલાંક સ્થળોએ તેઓ વધારે લાંબો સમય રહ્યા હોય પણ છતાં, જેના હિતકારી આશ્રય હેઠળ રામાયણનો કવિ જીવ્યો તે સત્તાની ભવ્યતા તો અસ્ત પામી હતી અને તે ઘણા લાંબા સમય પહેલાં બન્યું હતું. ઘણા રાજકુમારોમાં શાસન વહેંચાઈ ગયું અને ખૂબ સરળતાથી નવા બચાવી પાડનારાઓએ પોતાના રાજયનો મગધ સુધી વિસ્તાર કર્યો. કોશલ પ્રદેશમાં પણ રાજવંશની જગ્યાએ સામંતશાહી દાખલ થઈ. રામાયણના પ્રક્ષિપ્ત ખંડોમાં આના ઉલ્લેખ થયા હોય તેવું જણાય છે. ત્યાં કૈકેયી એવો ભાવ રજૂ કરે છે કે આરંભમાં ભલે રાજ્ય રામને મળ્યું હોય પણ ભરત પછીથી રાજ્યનો શાસક બનશે. પણ મંથરા તેને સમજાવે છે કે સૌથી મોટો પુત્ર રાજ્યનો વારસદાર બને છે. જયારે નાનો આવા અધિકારથી વંચિત રહે છે. આવું વિધાન મૂર્ખતાભર્યું કહેવાય જો એ જે વ્યક્તિઓને કહેવામાં આવી રહ્યું છે તે, સામંતશાહી સિવાયના પ્રકારના શાસનમાં જીવતી હોય. વાલ્મીકિ જો કે ઈક્વાકુ રાજાઓના સર્વોચ્ચ શાસનકાળમાં જીવ્યા. ખંડો એવા સમયે ઘૂસાડવામાં આવ્યા જ્યારે સત્તાનું હંમેશ માટે અવપતન થયું. મગધના રાજાઓએ ઝડપથી અંતિમ સત્તાની ધૂંસરી ફગાવી દીધી, એટલે અમે માનીએ છીએ કે ઈ. સ. પૂર્વે પાંચમી સદી એ ઉલ્લેખિત Page #100 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 91 પ્રક્ષિપ્ત અંશોની ઉત્તરતમ મર્યાદા છે જયારે મૂળ કાવ્ય તો, એથી ઘણા વહેલા સમયમાં જાય છે. રામાયણની રચનાની આવી પ્રાચીન તારીખના અનુમોદનમાં બીજી કેટલીક હકીકતો પણ રજૂ કરી શકાય. ગ્લેગલે ભારપૂર્વક જણાવ્યું છે કે સતીની પ્રથા કાવ્યમાં દેખાતી નથી.૪° આવાં વિધાનોના વિરોધમાં છૂટા છવાયા ઉલ્લેખો હોઈ શકે. પણ નોંધપાત્ર હકીકત એ છે કે કથાની કોઈ પણ વિધવા અગ્નિમાં બળી મરવાની પદ્ધતિ અપનાવતી નથી. દશરથની ત્રણે રાણીઓમાંથી કોઈ નહીં કે વાલીની પત્ની તારા કે રાવણની પત્ની મન્દોદરી પણ નહીં. સર મોનિયર વિલિયમ્સ (Indian Wisdom બીજી આવૃત્તિ, ઈ. સ. પૂર્વે પાંચમી સદીથી મોડે નહીં. પૃ. 315) રામાયણના બહુ પહેલાંના રચનાકાળ માટે આની સર્વ પ્રથમ દલીલ તરીકે રજૂ કરે છે. હું તેમના શબ્દો ઊતારું છું. “રામાયણમાં સતીનો એક પણ કિસ્સો નોંધાયેલો નથી. મહાભારતમાં પાડુની રાણી માદ્રી પોતાના પતિ સાથે બળી મરે છે અને વસુદેવની ચાર રાણીઓ અને કૃષ્ણની કેટલીક રાણીઓ પણ તેમ જ કરે છે. પણ એ નોંધપાત્ર છે કે, હણાયેલા વીરપુરુષોની સંખ્યાબંધ વિધવાઓમાંથી કોઈને એ રીતે મૃત પતિ સાથે આ રીતે સળગી મરતી બતાવવામાં આવી નથી. આ દર્શાવે છે કે પંજાબ પાસેના ઉત્તર-પશ્ચિમ ભારતમાં સતીનો રિવાજ દાખલ થવા લાગ્યો હતો. (જ્યાં આપણે જાણીએ છીએ કે, ઈ. સ. પૂ. ૩૦૦માં તે પ્રચલિત હતો) પણ રામાયણની પ્રાચીનતમ રચનાના સમયે તે પૂર્વના પ્રદેશોમાં હજુ પહોંચ્યો નથી. પણ જો એક મહાકાવ્ય સતીના કોઈ કિસ્સાને નોંધતું નથી. અને બીજું કેવળ દુર્લભ કિસ્સાઓને નોંધે છે. કથાવસ્તુના સંજોગો તો આ રિવાજનો ઉલ્લેખ કરવા માટેની ઘણી તકો પૂરી પાડનાર હતા. આના પરથી એવું તારવી શકાય કે આપણે બન્ને મહાકાવ્યોની રચનાની પહેલી પંક્તિઓ જ્યારે લખાઈ તે સમય ઈ.સ. પૂ. ત્રીજી સદી પહેલાં મૂકવો જોઈએ. આપણે મેગાનીસ પાસેથી જાણીએ છીએ કે, તે છેક પૂર્વમાં મગધ સુધી પહોંચેલું.” કોઈ એવો પણ વાંધો લઈ શકે કે સતી-પ્રથા એ જાતિગત વિશેષતા છે અને પ્રાચીન સમયથી વૈયક્તિક કિસ્સાઓમાં ભારતમાં પ્રચલિત હતી. પણ મુદ્દો એ છે કે, શું એની પાછળ ધાર્મિક અનુમોદન હતું અને શું તે સાર્વત્રિક પ્રથા હતી. પણ ઐતિહાસિક કાળમાં જ આનું ચુસ્તપણે અનુસરણ કરવામાં આવ્યું છે. એટલે, ઉપરનો તર્ક વાજબી ઠરે છે. ત્રીજા કાંડમાં ખગોળને લગતી ઘટનાનો જે ઉલ્લેખ આવે છે, તે રામાયણનો રચનાકાળ ઈ. સ. પૂ. પાંચમી સદીના આરંભના વિચારને અનુમોદન આપનારો છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ 92 રામાયણ 16-12 આ સંદર્ભ આપે છે. निवृत्ताकाशशयनाः पुष्यनीता- हिमारुणाः / सितवृद्धतरायामा त्रियामा यान्ति साम्प्रतम् // પુષ્યનક્ષત્રે ઠંડી અને લાંબી રાત્રિઓ આણી. “રાત્રિના આરંભથી અંત સુધી આકાશમાં પુષ્ય નક્ષત્ર રહ્યું' એવો આ શબ્દોનો અર્થ થાય.” આ ત્યારે બને છે જ્યારે રાત્રિઓ દીર્ઘતમ અને દિવસો ટૂંકામાં ટૂંકા હોય છે, અને જ્યારે અધવૃત્ત-કોશૂર (colure) કર્કમાં પુષ્યમાં થઈને જાય છે. ઈ.સ. પૂ. સાતમી સદી પહેલાં આવી પરિસ્થિતિ હતી, જો આપણે માનીએ કે યોગનક્ષત્ર કેન્સર કર્ક નક્ષત્રના આરંભનો તબક્કો હતો. એ મહત્ત્વનું ઓછું છે કે, તારીખ એક સદી આગળ કે પાછળ જાય, કારણ કે અર્ધવૃત્ત-કોલ્યુર્સ(colures) 70 વર્ષમાં એક અંશ ખસે છે. પણ એ સ્પષ્ટ છે કે ઈ. સ. પૂર્વેની થોડી સદીઓ પહેલાં આ જ્ઞાન પ્રચલિત હતું, જેમાં પ્રાચીનતમ ગ્રીસ રાશિમાં ઉત્તરાયણ કર્કમાં રહેતું. કોઈક એક વાંધો ઉઠાવી શકે. કર્કનું નક્ષત્ર દર્શાવે છે કે આ નામ હકીકતો સાથે મેળ ખાતું નથી. અને ભારતમાં જેમ છે તે પ્રમાણે કૃત્તિકા નક્ષત્રો પોતાના અસ્તિત્વના સમયથી પણ વધુ એક સદી સુધી પ્રાધાન્ય ભોગવતા. એટલે અર્ધવૃત્ત કોશૂરની(Colure) સ્થિતિ વિશેનું આપણું જ્ઞાન બહુ જ પ્રાચીન સમયથી પ્રચલિત હતું. આ ખુલાસો શક્ય છે પણ હું એને સંભવિત માનતો નથી, કારણ કે પુષ્યનીતા કોઈ પરિભાષાનો શબ્દ નથી અને તેથી કોઈ ખગોળશાસ્ત્રીય બનાવ દર્શાવતો નથી. દેખીતી રીતે એ એક સામાન્ય શબ્દ છે. તે નિરીક્ષણમાંથી ઉદ્ભવે છે. અને ખગોળશાસ્ત્રીય શબ્દ તરીકે તેનું તવારીખની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. તવારીખ નિશ્ચિત કરવા માટે, ખગોળશાસ્ત્રને લગતાં વિધાનો ધરાવતો ખંડ પણ કદાચ ખૂબ મૂલ્યવાન છે. ૪-૨૩માં અપશુકનો વર્ણવવામાં આવે છે. ખરના રામ સાથેના યુદ્ધ પહેલાં આ અપશુકનો દેખાય છે. એમાં સૂર્ય પોતાનું તેજ ગુમાવે છે અને કાળો પડી જાય છે તે પણ છે. ગ્રહણ સાથે સંજોગો એટલા તો મળતા આવે છે કે એવું માની શકાય કે, કવિએ અંગત રીતે આનો અનુભવ કર્યો હશે, કહેવામાં આવ્યું છે. कबन्धः परिघाभासो दृश्यते भास्करान्तिके // 12 जग्राह सूर्यं स्वर्भानुरपर्वणि महाग्रहः // प्रवाति मारुतः शीघ्रं निष्प्रभोभूद् दिवाकरः // 13 उत्पेतुश्च विना रात्रि ताराः खद्योतसप्रभाः / संलीनमीनविहगा नलिन्यः शुष्कपङ्कजाः // 14 Page #102 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી ( 93 चीचीकूचीति वाश्यन्तो बभुवुस्तत्र सारिकाः // 15 પવનોનું ફૂકાવું, નક્ષત્રોનું દેખાવું, ઊંઘી જવા માટે પક્ષીઓનું માળામાં પહોંચી જવું. અને આવી બીજી ઘણી અસાધારણ ઘટનાઓ સૂર્યગ્રહણો 9 વખતે જોવામાં આવતી હોય છે. કોઈ એક ખાસ સ્થળે ખાસ કરીને ઘણા લાંબા સમયનું સંપૂર્ણ સૂર્યગ્રહણ જેમાં ઉપર કહેલી ઘટનાઓ બનતી હોય, બહુ જ ઓછી વાર થતું હોય છે. આવું સંપૂર્ણ સૂર્યગ્રહણ જર્મનીનાં ૧૯૯૦માં થનારું છે. હવે ઉપર્યુક્ત ચર્ચા પ્રમાણે જે પ્રદેશમાં પહેલવહેલું રામાયણ ગાવામાં આવેલું તે કદાચ અવધે છે. અવધ તો ઘણો નાનો ભૂમિપ્રદેશ છે. સંપૂર્ણ સૂર્યગ્રહણો (વર્તુળો અને આંશિક ગ્રહણો અહીં ગણતરીમાં લેવાયાં નથી) ઈ. સ. પૂર્વે 2800 વર્ષો દરમ્યાન થયાં. આની ચોક્કસાઈ વાં. ઓપોલ્ડર Von Oppolzer) અને શ્રમ (Schramm)ની સૂર્યગ્રહણોની યાદીની વિગતો પરથી કરી શકાય. મારી ગણતરીઓ સૂર્યગ્રહણોની તારીખ આપે છે. અને ઉત્તર અક્ષાંશનાં બિન્દુઓ દર્શાવે છે, જયાં વિષવવૃત્ત અયોધ્યાને વૃત્તમાં બરાબર મધ્યમાં છેદે છે. (ગ્રીનવીચથી ૮૨ના રેખાંશે) હું ઈ.સ. પૂ. ૧૮૦થી શરૂ કરું છું, કારણ કે એની પહેલાં આંશિક સૂર્યગ્રહણો હતાં. ઈ.સ. પૂ. 180 4 માર્ચ અક્ષાંશ 21deg ઈ.સ.પૂ. 519 23 નવેં. અક્ષાંશ 33 " 227 7 સપ્ટે. " 15 " 546 19 જૂન " 27deg " 241 15 જૂન " 18 " 548 23 ઓક્ટો.” 29deg " 248 મે " 33deg " 574 ૯મે " 28 " 274 24 માર્ચ " 34 " 729 14 માર્ચ " 32 " 281 6 ઓગસ્ટ " 19" " 762 15 જૂન " 35 " 309 15 ઓગસ્ટ " 29 " 769 5 મે " 29deg " 426 22 મે " 27deg " 794 6 નવે. " 26 રેખાંશ 29 અને ૨૪ની વચ્ચે અયોધ્યાની વૃત્તમાં વિષુવવૃત્ત જેને કાપે છે, તે સૂર્યગ્રહણોનો જ અહીં વિચાર કરવામાં આવ્યો છે. આ સૂર્યગ્રહણો 309, 426, 546, પ૪૮, 574, 769 ને ૭૯૪ના છે. આમાં પણ 426 અને ૨૪૮નાં સૂર્યગ્રહણો મોટામાં મોટાં છે. પણ વિપરીત રીતે ૩૦૯નું સૂર્યગ્રહણ હિમાલય પર પડે છે. એટલે, આપણે ધારણા ધારી શકીએ કે, કવિ ઘણું કરીને, ઈશ્વાકુ રાજાઓના દરબારમાં અવધમાં અથવા આશ્રમમાં અથવા તેની નજીક આવ્યા અને સંભવતઃ તેમને ૪૨૬નું કે છઠ્ઠી સદી Page #103 -------------------------------------------------------------------------- ________________ 94 રામાયણ અથવા તો ૮મી સદીનાં કોઈ પણ બે ગ્રહણોને નિહાળવાની કવિને તક મળી હતી. આ રીતે, જે અનુભવ કવિને મળ્યો તે તેમણે પોતાની કવિતામાં રજૂ કર્યો છે. છઠ્ઠી સદીનું સૂર્યગ્રહણ અને તે જ પ્રમાણે ૮મીનાં બે મનુષ્યના જીવનકાળ દરમ્યાન બને છે. કાવ્યની સ્મૃતિ પર આવા ઘણા પ્રસંગોના અનુભવે કાયમી અસર છોડી. જો આ સર્વ હકીકતો ધ્યાનમાં લેવામાં આવે તો, એ મત યથાર્થ જણાય છે કે, રામાયણ ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં, સંભવતઃ છઠ્ઠી સદીમાં અથવા તો ૮મી સદીમાં ઉદ્ભવ્યું હશે. મહાકાવ્યની ભાષા વિશેનો જે મત બંધાય તેના પર પણ મહાકાવ્યના કાળનો નિર્ણય આધારિત છે. એટલે, આપણે આ પ્રશ્નમાં ઊંડાણથી જવું જોઈએ. ભિન્ન ભિન્ન સંસ્કરણો વચ્ચેના સંબંધ વિશેની આપણી તપાસના પરિણામનો વિચાર કરીએ તો, સી સંસ્કરણ એક માપદંડ છે. અને તેથી આપણી આગામી અન્વેષણાનો પાયો છે. બોમ્બે આવૃત્તિમાં પ્રશિષ્ટ સંસ્કૃતથી ભિન્નતા સરખી જ છે જેટલી મહાભારતની પ્રશિષ્ટ સંસ્કૃતથી છે. આ ખરેખર કહેવાતા સંસ્કૃત-મહાકાવ્યની વિલક્ષણતાઓ છે.પર - હવે પ્રશ્ન એ છે કે, મહાકાવ્યની ભાષા પાણિનિ કરતાં પ્રાચીન છે કે નવતર છે પહેલા વિકલ્પ વિશે એવું કહી શકાય કે વાલ્મીકિ જેવા કવિ પાણિનિના વ્યાકરણના નિયમોની અવગણના કરી શક્યા ન હોત, જો તેમના સમયમાં નિયમોએ અધિકૃત સ્વીકૃતિ પ્રાપ્ત કરી હોય તો. બીજા વિકલ્પ વિશે, એટલા જ ભાર સાથે દલીલ થઈ શકે કે પાણિનિ અને અન્ય વૈયાકરણો રામાયણની ભાષાને ચર્ચાની પરિધિમાં લાવ્યા સિવાય રામાયણ જેવી વિખ્યાત કૃતિની ઉપેક્ષા કરી શક્યા ન હોત. અલબત આ તેમની પહેલાં બનેલું હોવું જોઈતું હતું. પાણિનિની ભાષા કરતાં મહાકાવ્યની ભાષા વધારે અર્વાચીન તબક્કાની હોવાથી બીજા વિકલ્પની પસંદગી કરવા તરફ વ્યક્તિ ઢળે છે. છતાં, નિમ્ન બાબતનો પણ આ સંદર્ભમાં વિચાર થવો જોઈએ. જો આપણે એવું સ્વીકારીએ કે વાલ્મીકિ પાણિનિ કરતાં અર્વાચીન છે, તેટલાથી મહાકાવ્યની ભાષા પાણિનિ કરતાં વધુ નવતર છે એવું સ્વીકારવાની ફરજ પડતી નથી. જો કે વાલ્મીકિના પ્રભાવે મહાકાવ્યને કાયમી સ્વરૂપ આપ્યું. કવિતા ચોક્કસપણે પાણિનિ કરતાં વધુ પ્રાચીન છે. એવું તો માની જ નહીં શકાય કે મહાકાવ્યના ગાયકોએ વિધિપૂર્વક બ્રાહ્મણોની પુષ્મિતા વાકુનો ઉપયોગ કર્યો. પણ પછી, મહાકાવ્યની કવિતાના પ્રચુરતાના કાળમાં મહાકાવ્યની કવિતા સ્વરૂપની શુદ્ધતાના માર્ગથી પથભ્રષ્ટ થઈ. પાણિનિ મહાકાવ્યની કથાના સંજ્ઞાવાચક નામોની Page #104 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 95 રચના વિશે ચર્ચા કરતા હોવા છતાં મહાકાવ્યની ભાષાની અનિયમિતતાઓનો ઉલ્લેખ ક્યાંય કરતા નથી. એટલે, આપણે એવા તારણ પર આવવું જોઈએ કે મહાકાવ્યની ભાષાને પોતાની ચર્ચાની પરિધિમાં તેમણે સમાવ્યું નથી. સંભવતઃ મહાકાવ્ય-ગાયકોનો સામાજિક દરજ્જો પણ નિમ્ન કક્ષાનો હોવાથી, તેમની ભાષાને શુદ્ધ અને પ્રમાણભૂત માનવામાં આવી નહીં. પાણિનિના સૂત્ર 6-3-109 પર પતંજલિ પ્રમાણે આર્યવર્તમાં આદર્શ તરીકે શિષ્ટોની ભાષા જ માનવામાં આવતી. (ભાણ્ડારકરન અનુવાદમાં, વિલ્સન લેકચરશીપ આર્ટ, 16 પૃ. 91) “આર્યોના દેશમાં જે બ્રાહ્મણો ધનનો સંગ્રહ કરતા નથી, તે ફક્ત એક ઘડામાં રહે એટલું જ અનાજ રાખે છે, જે લોભી નથી, જે નિઃસ્વાર્થ ભલું કરે છે. અને જે કોઈ પણ, જાતના પ્રયત્ન વગર જ્ઞાનની કેટલીક શાખાઓથી પરિચિત છે, તે જ આદરણીય શિષ્યો છે.' ભાગ્ડારકર આગળ નિરીક્ષણ કરે છે. તો, અહીં આપણને એકદમ સ્પષ્ટ પ્રમાણ મળે છે, કે સંસ્કૃત આર્યાવર્ત અથવા ઉત્તર ભારતના આદરણીય બ્રાહ્મણો કે સંતોની પ્રાદેશિક ભાષા હતી જે વ્યાકરણના અભ્યાસ સિવાય પણ ભાષા શુદ્ધ બોલી શકતા.” પછી તે આગળ કહે છે. અને આ જ વાત તમે, આધુનિક પ્રાદેશિક ભાષાઓ વિશે પણ કહી શકો. કોણ છે જે શુદ્ધ કે સારી મરાઠી બોલે છે ચોક્કસ, સુસંસ્કૃત, બ્રાહ્મણો અન્ય વર્ગોની ભાષા શુદ્ધ મરાઠી નથી. શિષ્ટ શબ્દનો અનુવાદ આમ થઈ શકે, “સંસ્કાર કે કેળવણી પામેલો મનુષ્ય અને આ કેળવણી કે સંસ્કાર, પ્રાચીન કાળથી, બ્રાહ્મણો પૂરતો જ મર્યાદિત હતાં. ભાષાનું જે લક્ષણ પાણિનિએ બાંધ્યું છે તે આની સાથે મળતું આવે છે. બ્રુનો લાઈબીખી (પાણિનિ પૂ. 47) પ્રમાણે “પાણિનિ જે સંસ્કૃતનું નિરૂપણ કરે છે તે બ્રાહ્મણો અને સૂત્રોની ભાષા સાથે, અન્વયની દૃષ્ટિએ એકરૂપ છે, ઔપચારિક સંબંધમાં, તે પછીનાથી, જુદી પડે છે, કારણ કે તેનામાં, વૈદિક કહેવાય તેવાં આર્ષરૂપો નથી. વળી, ચુસ્તપણે વ્યાકરણીય શબ્દોની સાથે સાથે દરેક સાહિત્યમાં જે આવતાં હોય છે તે શિથિલ રૂપોનો પણ પરિહાર કરે છે.” પતંજલિનો અહેવાલ અને લાઈબીખના અન્વેષણનું પરિણામ પરસ્પર અનુમોદન આપે છે કારણ કે, પાણિનિએ નિરૂપેલી ભાષા જો શિષ્ટો બોલતા હોય, તો તેની બ્રાહ્મણો અને સૂત્રોની ભાષા સાથે સમાનતા મળવી જોઈએ. શિષ્ટો સાહિત્યના પારંપરિક પુરસ્કર્તાઓ હતા અને તેથી તેમની વાણીમાં ભાષાનાં ઉચ્ચતમ ધોરણો મળે. દેખીતી રીતે, સંસ્કૃતની ભિન્ન વિવિધતાઓ અને જૂજ પરિવર્તનો બન્ને પ્રાચીન સમયમાં વિકસ્યાં. આનો આધાર સમાજના અન્ય વર્તુળોના ભાષકના શિક્ષણ પર રહેતો. આ નીચલી કોટિના સંસ્કૃતનો પૂરાવો મહાકાવ્યની ભાષામાંથી પ્રાપ્ત થાય છે.પ૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ રામાયણ રામાયણમાં વ્યાકરણશુદ્ધ સંસ્કૃત અથવા શિષ્યોની ભાષા અને લૌકિક સંસ્કૃત વચ્ચેનો ભેદ ઘણા પ્રસંગોએ દર્શાવવામાં આવ્યો છે. હનુમાન સુગ્રીવના સમાચાર રામને આપે છે ત્યારે રામ વાણીની શુદ્ધતાથી આશ્ચર્ય પામે છે. नानृग्वेदविनीतस्य नायजुर्वेदधारिणः / नासामवेदविदुषः शक्यमेवं विभाषितुम् // 28 नूनं व्याकरणं कृत्स्नमनेन बहुधा श्रुतम् / बहु व्याहरतानेन न किञ्चिदपशब्दितम् // 29 હનુમાન લંકામાં સીતાને મળે છે ત્યારે વિચારે છે કે તે કેવી રીતે સીતા સાથે વાત કરે. (પ-૩૦) वाचं चोदाहरिष्यामि मानुषीमिह संस्कृताम् // 17 यदि वाचं प्रदास्यामि द्विजातिरिव संस्कृताम् / रावणं मन्यमाना मां सीता भीता भविष्यति // 18 अवश्यमेव वक्तव्यं मानुषं वाक्यमर्थवत् / / માનુષ એ બોલતા વાનરના વિરોધમાં રજૂ થયો છે. તેનો નિર્દેશ પાણિનિના શિષ્ટની જેમ દિગતિરિવ થી દેખીતી રીતે થયો છે. અને, પહેલા ખંડમાંથી એ તદન સ્પષ્ટ થઈ જાય છે કે હનુમાનનું વેદોનું અને વ્યાકરણનું જ્ઞાન, તેમની શુદ્ધ પાણી માટે જવાબદાર છે. 55 શાણા પુરુષોની વાણીની શુદ્ધતા ર-૯૧-૨૨માં આ રીતે દર્શાવવામાં આવી છે. शिक्षास्वरसमायुक्तं सुव्रतश्चाब्रवीन्मुनीः / મુઈરે અન્ય ખંડો પણ એકત્ર કર્યા છે. (ઓરિજીનલ સંસ્કૃત ટેટ્સ પૃ. 159) જેમાં ભાષાને સંસ્કૃત રૂપે દર્શાવવામાં આવી છે. આથી વિપરીત કોઈ પણ સ્થળે ભાષાને પ્રાકૃત નામથી ઓળખવામાં આવી નથી. પ્રાકૃતજન અથવા સાધારણ જન એવા નિર્દેશો સમયે, એમ કરવાના પ્રસંગ હતા તો પણ. મારા મત પ્રમાણે ઉપર ઉદ્ધત ખંડોની તટસ્થ વિચારણા માધ્યમ વિશે નિમ્નોક્ત અભિપ્રાય તરફ દોરી જવી જોઈએ જે આ અંગેના રચનાકાળે કવિના માનસમાં રહી હશે. જે વેદો અને ભાષાશાસ્ત્રીય સજજતા ધરાવનારા હતા તે સાધારણ ન કરતાં વધુ શુદ્ધ ભાષા બોલતા હશે. આ સાધારણ જન પણ કંઈ જુદી ભાષા તો દેખીતી રીતે બોલતો નહીં જ હોય. ભેદ કેવળ શુદ્ધતાના અંશનો જ હતો. શુદ્ધ અથવા શુદ્ધીકૃત ભાષા સંસ્કૃત કહેવાતી. આ સંબંધ તે જ નિશ્ચિતપણે છે જેની વ્યાખ્યા પતંજલિએ કરી છે. અને શિષ્ટો અને અવશિષ્ટ જનો વચ્ચેનો જેમાં ભેદ રહેલો છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી જો આ અવધારણા યથાર્થ હોય તો સ્વીકારવું પડે કે, પાણિનિ વાલ્મીકિના પુરોગામી કે અનુગામી છે તે પ્રશ્નનો નિર્ણય નહીં થઈ શકે. જો અમારો મત સાચો હોય તો, દૂરતમ અર્થમાં વાલ્મીકિની રચનાએ, મહાકાવ્યની ભાષાને નિયમિત રૂપ આપ્યું અને રામાયણ સંસ્કૃતમાં રચાયું હતું. અને અશોકના સમયમાં (સંભવતઃ બુદ્ધના સમયમાં પણ) પ્રાકૃત ભારતની પ્રાદેશિક ભાષા હતી, જયાં એ ભાષા દ્વારા મોટા જનસમૂહને સંબોધી શકાય. તો, ભિન્ન રસ્ત, અશોકના ઘણા સમય પહેલાં, વાલ્મીકિ થઈ ગયા હશે એ મતને સમર્થન મળે છે. કારણ કે મહાકાવ્યની ભાષા એ સમયમાં ઘડાઈ જયારે સંસ્કૃત હજુ બહોળા વર્તુળમાં બોલાતી અને સમજાતી હતી.પ૬ મહાકાવ્યની સંભવિત પ્રાચીનતા ને ભિન્ન રીતે સ્થાપવા માટે પણ આ તર્કનો ઉપયોગ કરી શકાય. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય એવા સમયમાં ઉદ્ભવ્યું કે જયારે પ્રશિષ્ટ સંસ્કૃત બોલાતી ભાષા મટી ગઈ હતી. જો, આ સાહિત્ય સંસ્કૃતમાં રચાતું હોય તો, પ્રાચીન કૃતિઓ પણ સાહિત્યની હશે કે, જે, બોલાતી ભાષા સંસ્કૃતની સમકાલીન હોય કારણકે બોલાતી ભાષા તરીકે જો તે સાહિત્યિક હેતુઓ માટે અનુકૂળ ન હોય તો, મૃત ભાષા તો ઉપયોગમાં લઈ જ ન શકાય. સંસ્કૃત જયારે બોલાતી ભાષા હતી ત્યારે જો પૂર્વ-પ્રશિષ્ટ કાળનાં મહાકાવ્યો નો ઉદ્દભવ્યાં ન હોય તો, તે અમુક અંશો પોતાનો પાયો જ ગુમાવે છે, પ્રાચીનતર મહાકાવ્ય સાહિત્ય નષ્ટ પામ્યું હતું તેનો વાંધો હોઈ ન શકે પણ સંસ્કૃત મૃત બની ત્યારે જે રચાયું તે આપણી પાસે છે તે વાંધાજનક વિધાન છે. દરેક સ્થળે, નમૂનારૂપ ઉચ્ચ કક્ષાની કૃતિઓ, મહાકાવ્ય સુદ્ધાં, સચવાઈ છે. એટલે, ધારણા મુજબ, આ કૃતિઓ સંસ્કૃતમાં એવા કાળમાં રચાઈ હશે કે, જ્યારે અશોકના શિલાલેખોની ભાષા લોકપ્રિય ભાષા હતી. પણ આ શક્ય નથી. કારણ કે લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતું મહાકાવ્ય લાંબા કાળથી મૃત એવી ભાષામાં તો ન જ રચાયું હોય. તે લોકપ્રિય ભાષામાં અને ઓછામાં ઓછું એવી ભાષામાં કે જે, બહોળા વર્તુળમાં સમજી શકાતી હોય. ઘણીવાર એવું ધારી લેવામાં આવે છે, કે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની અભિવ્યક્તિની પદ્ધતિ પુરોગામી પ્રાકૃત સાહિત્યમાંથી ઊછીની લેવામાં આવી છે. આ અંશતઃ કથાસાહિત્ય વિશે સાચું છે, પણ, શૃંગારી કવિતાની બાબતમાં હાલ કવિની કવિતા હોવા છતાં, આ અતિ અસંભવિત છે. અવશિષ્ટ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય વિશે આવી ધારણાને કોઈ સમર્થન રહેતું નથી. એટલે, આપણે છેવટે એવું ધારવાનું રહે છે કે મહાકાવ્યની કવિતા જ અગ્રેસર હતી અને, પ્રશિષ્ટ સાહિત્યની આધારશિલા હતી. પછીથી આ સમસ્યા વિશે આપણે ખંડ ૭માં વાત કરીશું. પ્રશિષ્ટ સંસ્કૃત કવિતાની ભાષા મહાકાવ્યની ભાષામાંથી વિકસી છે અને પંડિત કવિ વ્યાકરણના નિયમોનું બરાબર પાલન કરે છે. તદુપરાંત, મહાકાવ્ય અને પ્રશિષ્ટ Page #107 -------------------------------------------------------------------------- ________________ 98 રામાયણ સંસ્કૃત વચ્ચે પણ ગાઢ સમાનતા છે. કવિઓ પાણિનિને વાણીની શુદ્ધિ માટેના અંતિમ પ્રમાણ તરીકે ગમે તેટલા સ્વીકારતા હોય, એક મુદ્દામાં તેઓ મહાકાવ્યના પ્રયોગથી જુદા પડે છે. મહાકાવ્ય કોઈ પણ જાતની મર્યાદા સિવાય વર્ણન માટે સાદા પરોક્ષ ભૂતકાળનો પ્રયોગ કરે છે. જ્યારે પાણિનિ પરોક્ષે તિ૭ એમ વર્ણન કરે છે. આ શરત એટલી મહત્ત્વની છે કે પ્રશિષ્ટ ગદ્યલેખકો દંડી અને બાણ ત્યાં જ પરોક્ષ ભૂતકાળનો ઉપયોગ કરે છે જ્યાં પાણિનિ પ્રમાણે માન્ય હોય. પ્રશિષ્ટ ગદ્યનો સ્રોત પ્રશિષ્ટ કાવ્ય કરતાં વેગળો છે. પછીના સ્રોત દેખીતી રીતે મહાકાવ્ય હતા કારણ કે, મહાકાવ્યની કવિતા પ્રશિષ્ટ કવિતાની અગ્રેસર હતી. પાણિનિના વ્યાકરણમાં સજ્જ એવો જો કોઈ કાલિદાસ અને આરંભના કવિઓની પાણિનિના વ્યાકરણથી પથભ્રષ્ટતા નોંધે છે તો, તેને જણાશે કે, મોટાભાગનાં વિમાર્ગચલન મહાકાવ્યની ભાષામાં આવે છે. સમાપનમાં સાહિત્યની પ્રાકૃત બોલીની પ્રતિનિધી પાલી સાથેનો મહાકાવ્યની ભાષાના સંબંધનો વધુમાં વિચાર કરીએ. દેખીતી રીતે અહીં ધ્વન્યાત્મક ફોનેટીક પરિવર્તનોને વિચારણામાં લેતા નથી. પણ રૂપોને પ્રયોજવાના સંદર્ભમાં બહુ જ મોટો ભેદ આગળ આવે છે. પાલીમાં અપૂર્ણ અને અનદ્યતન વર્ણનના ઉચિતકાલ છે પણ તેમના સ્વરૂપોમાં એટલો બધો ગૂંચવાડો છે કે ક્યારે વૈયાકરણોએ સ્વેચ્છાએ આવો ગૂંચવાડો દાખલ કર્યો અને, વિભક્તિ પ્રત્યયાત્ત ભાષાને એક છેતરામણો દેખાવ અર્પો જેના વિશે કોઈ ચોક્કસ નિયમ ઘડવો મુશકેલ છે. આ આપણી આગળની દેખીતી હકીકતો પરથી એ સ્પષ્ટ છે કે, પ્રાચીન ભાષામાં કે જેમાંથી પાલી વિકસે છે અનદ્યતન પ્રચુરપણે પ્રયોજાતો કારણ કે, ભૂતકાળના સ્વરૂપ ઘડતરમાં એનો મોટો ફાળો હતો. બીજી તરફ પરોક્ષ બહુ જ જૂજ પ્રયોજાય છે. કારણ કે તે પાલીમાં ઘણી ઓછી વાર આવે છે. પણ મહાકાવ્યોનું સંસ્કૃત આનાથી વિપરિત ચિત્ર આપે છે. તેમાં પરોક્ષનો પ્રયોગ પ્રચુર છે અને થોડાંક ક્રિયાપદોને, બાકાત રાખતો, અનદ્યતનનો પ્રયોગ ઘણો જૂજ છે. આના પરથી આપણે એ તારણ પર આવી શકીએ કે, મહાકાવ્યનું સંસ્કૃત અને પાલી એ ભાષાના બે પ્રવાહોને રજૂ કરે છે જે સમાંતર છે. એક જ સ્રોતમાંથી ઉદ્ભવતા હોવા છતાં તેમણે પોતાનો ભેદ જાળવી રાખ્યો. કાવ્યકળા જેમણે મહાકાવ્ય અને અલંકૃત કવિતા વાંચી છે તેમને આ બન્ને વચ્ચેનો ભેદ પરખાયો હશે જ. પણ ઉચિત કથનોથી તેને સમજાવવો દુષ્કર છે. જો આપણે એમ કહીએ કે, મહાકાવ્યનો કવિ વસ્તુની વધુ કાળજી રાખે છે જ્યારે પંડિત કવિ સ્વરૂપની તો આવાં Page #108 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી કાવ્યો વિશેનું આ એક સર્વધારણ વિધાન છે. 61 પંડિત કવિ કવિતાનું સૌન્દર્ય વધારનારાં ઘણાં ઉપકરણો સાથે કામ પાડે છે. તો મહાકાવ્યનો કવિ પણ એમાંના સૌથી વધુ મહત્ત્વના એવા ઉપમાને એના ભિન્ન ભિન્ન સ્વરૂપમાં વિનિયોગ કરવામાં કૃપણતા દાખવતો નથી. જો આપણે જર્મન મહાકાવ્યના ધોરણથી રામાયણનું મૂલ્યાંકન કરીએ તો, એવું જણાશે કે, ઘણાં ભવ્યાત્મક અલંકરણોથી તે ભરચક દેખાશે. ભારતીયો વાલ્મીકિની કાવ્યકળાનો પછીના મહાકવિઓ સાથેના આંતરિક સંબંધને કદી ભૂલ્યા નથી. અને એટલે, વાલ્મીકિ આદિ કવિ તરીકે સ્વીકૃત બન્યા હતા. ખરેખર તો, હું માનું છું કે, અલંકૃત કવિતા વાલ્મીકિના અનુયાયીઓએ વિસ્તારેલી કાવ્યકળાની શોધમાં ક્રમશઃ ઉત્ક્રાન્ત થઈ છે. અને જો હું, હોમરના અનુયાયીઓના નામની સાથે સમાનતાની રીતે, એમનો નિર્દેશ કરું કે જેમણે વાલ્મીકિના કાવ્યની વૃદ્ધિ કરી, અને છેવટે અત્યારનો આકાર સાંપડ્યો. મારી આ અવધારણાના અનુમોદનમાં, 6 શ્લોકો પ્રક્ષિપ્ત છે કે, મૂળના છે એનો કંઈ વિચાર કર્યા વગર રામાયણમાંથી ઉદાહરણો ટાંકીશ. આ અંલકારનો વિકાસ અને તેની લોકપ્રિયતા દર્શાવશે. અને અલંકૃત કવિતામાં જેનું પ્રભુત્વ રહ્યું છે તે, ઉત્ક્રાન્તિના આરંભના તબક્કાઓ પણ દર્શાવશે. સૌ પ્રથમ તો હું ઉપમાનું પ્રાચુર્ય દર્શાવું છું. ૨-૧૧૪માં વ્યથિત અયોધ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે 16 શ્લોકોમાં છે અને દરેકમાં પોતાની ભવ્યતા જેણે ગુમાવી દીધી છે તે નગર સાથેની સરખામણી છે. તે જ પ્રમાણે આવી જ પરિસ્થિતિ પ-૧૯ (2-19 છાપભૂલ છે-અનુવાદક)માં છે. જ્યાં સીતાના બંદીવાસને 29 ઉપમાઓથી વર્ણવવામાં આવ્યો છે. આ કેવળ પોતાના ઉદ્દેશને પાર પાડવા માટેની કાવ્યકળાનો સીધો સાદો વિનિયોગ નથી પણ તે સ્વરૂપમાં જ આનંદ પ્રકટ કરે છે. - ઉપમા સાથે રૂપક ગાઢ રીતે સંકળાયેલો અલંકાર છે. આ પોતાના પ્રાથમિક સ્વરૂપમાં, કાવ્યકળાનું અત્યંત મૌલિક સ્વરૂપ વર્તાય છે તે નોંધ સાથે જોડેલાં ઉદાહરણોથી સ્પષ્ટ થશે. એ સર્વવિદિત છે કે, આ મહાકાવ્યની કવિતામાં પ્રચુર પ્રમાણમાં છે. કલ્પનાને રંગીન બનાવવા, અત્યંત કુશળતા સાથે રામાયણમાં આનો વારંવાર પ્રયોગ કર્યો છે. વાલ્મીકિ અને તેમના અનુયાયીઓ પછીના કવિઓની કળાની અભિવ્યક્તિની નજીક આવે છે તેનાં થોડાં ઉદાહરણો દર્શાવશે. विषादनक्राध्युषिते परित्रासोर्मिमालिनि / किं मां न त्रायसे मग्नां विपुले शोकसागरे // 3-21-12 मन्थराप्रभवस्तीव्रः कैकेयीग्राहसंकुलः / वरदानमयो क्षोभ्यो मज्जयच्छोकसागरः // 2-77-13 Page #109 -------------------------------------------------------------------------- ________________ 100 રામાયણ આ જ વિચાર 2-59, 28 થી ૩૧માં આગળ નિરૂપવામાં આવ્યો છે. रामशोकमहावेगः सीताविरहपारगः / / श्वसितोमिमहावर्तो बाष्पवेगजलाविलः // बहुविक्षेपमीनोऽसौ विक्रन्दितमहास्वनः / प्रकीर्णकेशशैवाल: कैकेयीवडवामुखः / / ममाश्रुवेगप्रभवः कुब्जावाक्यमहाग्रहः / वरवेलो नृशंसाया रामप्रवाजना यतः / यस्मिन् बत निमगोऽहं कौसल्ये राघवं विना // दुस्तरो जीवता देवि ममायं शोकसागरः / / કોઈ કવિબ્રુવની નિમ્ન રચના રૂપકની ભાત દર્શાવે છે, જે ખરેખર તો હોવી જ होता न उता. 2-85, 15-20 ध्याननिर्दरशैलेन विनिःश्वसितधातुना दैन्यपादपसङ्घन शोकायासाधिशृङ्गिणा / प्रमोहानन्तसत्त्वेन सन्तापौषधिवेणुना / आक्रान्तो दुःखशैलेन मज्जिता कैकेयीसुतः / સમુદ્રનું પહેલાં આવી ગએલું કલ્પન ફરીથી 6-7-20 વગેરેમાં આવે છે. शक्तितोमरमीनं च विनिकीर्णान्तशैवलम् / (गजकच्छपसंबाधमश्वमण्डूकसंकुलाम् // रुद्रादित्यमहाग्राहं मरुद्वसु महोरगम् / )63 / रथाश्वगजतोयौधं पदातिपुलिनं महत् / अनेन हि समासाद्य देवानां बलसागरम् // 23. આગળ પ૭ વગેરેમાં. स चन्द्रकुमुदं 4 रम्यं सार्ककारण्डवं शुभम् / तिष्यश्रवणकादम्बं अभ्रशैवालशाद्वलम् // पुनर्वसुमहामीनं५ लोहिताङ्गमहाग्रहम् / ऐरावतमहाद्वीपं स्वातिहंसविलासितम् / / Page #110 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 101 वातसंघातजलोमि चन्द्रांशुशिशिराम्बुमत् हनुमान् अपरिश्रान्तः प्लुवे गगनार्णवम् // ६-५८-२८मा 59 मा नहानु यित्र छे. हतवीरौघवप्रां तु भग्नायुधमहाद्रुमाम् / शोणितौघमहातोयां यमसागरगामिनीम् // यकृतप्लीहमहापङ्कां विनिकीर्णान्त्रशैवलाम् / भिन्नकायशिरोमीनां अङ्गावयवशाद्वताम् / गृध्रहंसवराकी) कङ्कसारससेविताम् / तां कापुरुषदुस्तारां युद्धभूमिमयां नदीम् // वगैरे. ૬-૯૭-૧૧માં કંઈક અંશે જુદું मातंगरथकूलश्च शरमत्स्या ध्वजद्रुमाः / शरीरसंघातवहाः प्रससुः शोणितापगाः / / तावनु पनि 6-85-15 मावे छे. - व्याकोशपद्मवक्त्राणि पद्मकेसरवर्चसाम् / अद्य यूथतटाकानि गजवत् प्रमथाम्यहम् // 6-24-42- वर्णन सुमनथ. मम चापमयीं वीणां सरकोणैःप्रवादिताम् / ज्याशब्दतुमुलां घोरां आर्तगीतमहास्वनाम् // नाराचतालसन्नादां नदीमहितवाहिनीम् / अवगाह्य महारङ्गम् वादयिष्याम्यहं रणे // બે વાર લંકાની સ્ત્રી સાથેની સરખામણી આવે છે. वप्रप्राकारजघनां विपुलाम्बुवनाम्बराम् / शतघ्नीशूलकेशान्तां अट्टालकावतंसकम् // 5-2-21 तां रत्नवसनोपेतां गोष्ठागारावतंसकाम् / यन्त्रागारस्तनी ऋद्धां प्रमदामिव भूषिताम् // 5-3-18 સમાપનમાં કેટલાંક રામને માટે ઊચિત એવાં કલ્પનો. Page #111 -------------------------------------------------------------------------- ________________ 102 રામાયણ राक्षसेन्द्रमहासर्पान् स रामगरुडो महान् / उद्धरिष्यति वेगेन वैनतेय इवोरगान / / 5-21-27 सरजालांशुमान् सूरः कपे रामदिवाकरः / शत्रुरक्षोमयं तोयं उपशोषं नयिष्यति // 5-31-18 शरीरनाभिसत्त्वार्चिः शरारं नेमिकार्मुकम् / ज्याघोषतलनिर्घोषं तेजोबुद्धिगुणप्रभम् // दिव्यास्त्रगुणपर्यन्तं निघ्नन्तं युधि राक्षसान् / ददृशू रामचक्रं तत् कालचक्रमिव प्रजाः // 3-97-28 रामवृक्षं रणे हन्मि सीतापुष्पफलप्रदम् / प्रशाखा यस्य सुग्रीवो जाम्बवान्कुमुदो नलः // वगेरे 6-99-19 ઉદ્ધત ઉદાહરણો કવિતાના ક્ષેત્રમાં ઉત્ક્રાન્તિનો ખરેખરો માર્ગ કયો હતો તે ભરપુર રીતે દર્શાવશે. ઉપરિ અવતરિત ઘણા શ્લોકો પછીના કવિઓએ પણ રચ્યા હોય એવું બની શકે. ગમે તે હોય પણ આદર્શનો ઉગમ વાલ્મીકિમાં છે, જે શબ્દના તેના યથાર્થ અર્થમાં કોઈ પણ મહાન કવિની જેમ, પ્રસ્થાનકર્તા કહી શકાય જેમણે, કાવ્યકળાના નવા માર્ગો આંકી આપ્યા હોય. પછીની અલંકૃત કવિતામાં વારંવાર નોંધપાત્ર બનતા રૂપક સિવાયના અલંકારોનો પણ તે ઉપયોગ દર્શાવે છે. આપણને ૬-૧૦૮-૨૧માં સહોક્તિ भणे छे. तस्य हस्ताद्धतस्याशु कार्मुकं चापि सायकम् / ૧૦મા પૃષ્ઠ પર, આપણે આ શ્લોક આપ્યો છે. सागरं चाम्बरप्रख्यमम्बरं सागरोपमम् / सागरं चाम्बरं चेति निविशेषमदृश्यत / / सम्पृक्तं नभसाप्यम्भः सम्पृक्तं च नभोम्भसा / तादृग्रूपे स्म दृश्येते तारारत्नसमाकुले // સંકુલ ઉભેલા પ-૧૦-૧૩માં આવે છે. त्वां कृत्वोपरतो मन्ये रूपकर्ता स विश्वकृत् / नहि रूपोपमा (ह्य) अन्या तवास्ति शुभदर्शने / / Page #112 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 103 પ-૭-૯માં એકાવલિ મળે છે. સમાપનમાં ૪-૩૦-૪૫માં એક નોંધપાત્ર શ્લોક મળે છે જેમાં સમાસોક્તિ છે. આ ત્રિપુભ શ્લોકોમાં આવે છે. પણ, ગોવિન્દરાજ અને રામવર્મનની ટીકાઓ દ્વારા અનુમોદન મળે છે. તે આ પ્રમાણે છે. चञ्चच्चन्द्रकरस्पर्शहर्षोन्मीलिततारका / अहो रागवती सन्ध्या जहातु स्वयमम्बरम् // અલંકારોના દૃષ્ટિબિન્દુથી જ નહીં પણ કેટલાક વિષયોનું વર્ણન અને પસંદગી પરથી પર રામાયણ પછીની અલંકૃત કવિતાનું પુરોગામી છે. 17 વર્ષાઋતુનું, ૪-૨૮નું હેમંતનું, ૩-૧૬નું શિશિરનું, ૨-૧૯નું ચિત્રકૂટનું, ૨-૯૫નું મન્દાકિનીનું અને એવાં વર્ણનો પછીના કાળની રુચિને અનુમોદન આપનારાં છે. પાંચમો કાંડ વર્ણનોમાં સમૃદ્ધ છે જેને કારણે તેને સુન્દ્રા એવું નામ કદાચ મળ્યું હોય. આમાંનાં મોટા ભાગનાં વર્ણનો મૂળ કાવ્યનાં સંભવતઃ નથી. નિઃશંકપણે, જગતી-ત્રિષ્ટ્રમ્ પદ્યો વિશે પણ આવે છે. પછીના યમકોના પ્રારંભિક તબક્કા 5-5-3, ૪માં આપણને મળી શકે. या भाति लक्ष्मी वि मन्दरस्था यथा प्रदोषेषु च सागरस्था / तथैव तोयेषु च पुष्करस्था रराज सा चारुनिशाकरस्था हंसो यथा राजत पञ्जरस्थः // 18 सिंहो यथा मन्दरकन्दरस्थः / वीरो यथा गर्वितकुञ्जरस्थः चन्द्रोऽपि बभ्राज तथाऽम्बरस्थः // બીજા શ્લોકોમાં ખરેખર તો યમકોનું મૂલ્ય નહીંવત હોય છે, કારણ કે તે જ શબ્દોના તે રચાયેલા હોય છે, અથવા વર્ગોની સંપૂર્ણ સંવાદિતા દર્શાવતા નથી. પછીના ઉદાહરણમાં તે જ સ્થળે 13 અને ૧૪માં આપણને મૌલિક લય મળે છે. ददर्श कान्तश्च समालभन्त्यः तथा परास्तत्र पुनः स्वपन्त्यः / सुरू पवक्त्राश्च तथा हसन्त्यः વૃદ્ધા પર શાપિ વિનિ:સત્વ: Page #113 -------------------------------------------------------------------------- ________________ 104 રામાયણ महागजैश्चापि तथा सुसद्भिः रराज वीरैश्च विनिःश्वसद्भिः हृदा भुजङ्गरिव निःश्वसद्भिः // પાંચમા કાંડના પાંચમા અને સાતમા સર્ગો આ રૂપમાં રચાયા છે. ચોથા કાંડના ૨૮મા સર્ગમાં આવાં છૂટાછવાયાં ઉદાહરણો મળે છે. ત્રિષ્ટ્રભુ અને જગતીમાં રચાયેલા આ ભાગોની શૈલી આપણને અશ્વઘોષના બુદ્ધચરિતની યાદ અપાવે છે. આ બુદ્ધચરિતનો પહેલા સર્ગ સીલ્વન લેવીએ Journal Asiatique 19, ૨૧૧માં વર્ણવ્યો છે. પણ અત્યંત વિકસિત અલંકૃત કવિતા પાસેથી અપેક્ષા રાખીએ તે પ્રમાણે અશ્વઘોષનાં પડ્યો વધુ સંસ્કારાએલાં છે. યમકને સંબંધ છે ત્યાં સુધી 14-16 શ્લોકોને રામાયણમાંના આવા શ્લોકો સાથે સરખાવવા જોઈએ. સમાનતા નોંધપાત્ર છે, પણ સ્વરૂપની સિદ્ધિ બુદ્ધચરિતમાં વિશેષ પ્રમાણમાં છે. હું અહીં સંબંધિત શ્લોકો ઉતારું છું. उदारसंख्यैः सचिवैरसंख्यैः कृताग्रभावः स उदग्रभावः / शशी यथाभिरकृतान्यथाभैः शाक्येन्द्रराजः सुतरां रराज // 14 // तस्यातिशोभाविसृतातिशोभा रविप्रभावास्ततमःप्रभावा / समग्रदेविनिवहानदेवी बभूव मायापगतेव माया // 15 // प्रजासु मातेव हितप्रवृत्ता गुरौ जने भक्तिरिवानुवृत्ता // लक्ष्मीरिवाधीशकुले कृताभा जगत्यभूदुत्तमदेवताभा // 16 / / કાવ્યકળાને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લે પદ્ય રામાયણનાં આવાં પદોની સમકક્ષ છે, પણ એથી વિપરિત પહેલા બન્ને વાલ્મીકિના કોઈ પણ પદ્ય કરતાં વધુ કૃત્રિમ છે. કાવ્યકળાના વિકાસ વિશે મેં આરંભથી જે કંઈ કહ્યું તેનું જો કોઈ વિહંગાવલોકન કરે તો, સ્વીકારવું જ પડે કે લૌકિક અકૃત્રિમ મહાકાવ્ય કરતાં ઘણું વિકસિત હતું. અને Page #114 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 105 ભવ્ય અલંકૃત કવિતાનો ભંગ પણ જોઈ શકીએ છીએ જેમાં પછીથી અતિશય સૌદર્યનું આરોપણ થયું. આ અર્થમાં આપણે પરંપરા સાથે સંમત થઈ શકીએ કે તે આદિકાવ્ય છે. રામાયણની વીરગાથા હવે આપણે 2 થી ૬માં આવતા પ્રમાણભૂત રામાયણના કાંડો વિશેનો વિચાર કરીએ. પહેલો જ દષ્ટિક્ષેપ દર્શાવે છે કે, તે બે તદ્દન ભિન્ન ખંડોનું રચાયેલું છે. પહેલો ભાગ અયોધ્યા કાંડને સમાવે છે અને બહુ જ અસરકારક ઢબે દશરથના મહેલમાંની ઘટનાઓ અને વિકાસ વર્ણવે છે. અહીંયાં બધું જ માનવીય છે અને સ્વાભાવિક છે. અહીં એવું કશું જ નથી જેને કપોલકલ્પિત ગણી શકાય. આવા પ્રસંગો ભારતનાં રાજકુટુંબોમાં સામાન્ય હતા. પોતાના પુત્રને રાજગાદી અપાવવા રાણી કાવતરાં કરે છે અને પોતાના સ્પર્ધકોને દુઃખ પહોચાડે છે. ઇક્વાકુ રાજાઓના કુટુંબમાં આવો પ્રસંગ એ આરંભની દંતકથાની સામગ્રી બની હશે, અને, આ સંદર્ભમાં જે વ્યક્તિઓ આવે છે તેને પ્રતિનિધિ પાત્રોની છાપ આપવામાં આવી છે. કથાના આ ભાગમાં કોઈ આને પૌરાણિક પાર્શ્વભૂમિકા છે એમ અટકળ નહિ કરે. જો રામાયણ ભારતના પાછા આવવા સાથે પુરું થયું હોત તો, સમગ્ર કથા ઐતિહાસિક ઘટના પર આધારિત છે એવું વિચારી શકાત. એવી ઘટના કે, જે ઐતિહાસિક કાળમાં ખરેખર ઘટી હોય.૧૯ પણ બીજા ભાગની પરિસ્થિતિ તદ્દન વેગળી છે. ત્યાં સર્વ અતિપ્રાકૃત અને કપોલકલ્પિત છે. કેવળ કવિની પ્રતિભા કે શ્રદ્ધા આપણને આ સર્વ શક્ય છે એમ માનવા પ્રેરે છે. દેખીતી રીતે, પુરાકથાઓએ બીજા ભાગને મૂળભૂત સામગ્રી પૂરી પાડી. આપણે જો રામકથાનું પુરાકથાની દષ્ટિએ અર્થઘટન કરવા માગતા હોઈએ તો પહેલા ભાગને આપણે લક્ષમાં જ લેવું ન જોઈએ અને બીજા ભાગ પૂરતું જ મર્યાદિત રહેવું જોઈએ. પણ આ વિષયની ચર્ચા આપણે આરંભીએ તે પહેલાં આપણે મુખ્ય વાંધાનો નિકાલ કરવો જોઈએ. આપણે એવું વિધાન કરી શકીએ કે બીજા ભાગમાં વાલ્મીકીએ પ્રાચીન કથાઓનો ઉપયોગ કર્યો નહીં અને, પોતાના મસ્તિષ્કમાંથી સર્વ ઉત્પન્ન કર્યું. પણ આ અવધારણા છેક સુધી આપણે ટકાવી શકીશું નહીં. વાલી અને સુગ્રીવના પ્રસંગમાં રામ મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તે ઝાડીમાંથી બાણ મારી વાલીને હણે છે. શું કવિએ આવી ભૂમિકા ઉદાત્તતા અને ધર્મના મૂર્તિમંત એવા નાયકને અર્પી હોત ખરી જો તે ચોક્કસ કથાઓથી બંધાયેલા ન હોત તો? કવિએ અને સંભવતઃ પછીના કથાનાયકને આ દેખીતો વિરોધ ધ્યાનમાં આવ્યો છે અને તેથી રામના આ અપકૃત્યને ૪-૧૭-૧૮માં સુષુ Page #115 -------------------------------------------------------------------------- ________________ 106 રામાયણ દલીલોથી ન્યાયી ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. નિઃસંશય આ પ્રસંગમાં પ્રાચીન કથા છે જેની સાથે રામ સંકળાયેલા છે. એટલે અવશિષ્ટ કથા માટે જુદી અવધારણા બાંધવાનું આપણી પાસે કોઈ કારણ નથી. આ કથાના મહત્વ વિશેનો મત સૌ પ્રથમ લેસને (Indian Antiquity પૃ. 535) સૂચવેલો. આ પ્રમાણે રામાયણમાં દક્ષિણ ભારત પર આર્યોના વિજય અને વિસ્તારની કથા છે. બ્રાહ્મણ ધર્મના શાંતિપૂર્વકના ભૂતકાળમાંથી વિસ્તારને ધારી લે છે. પુરોહિતોનું ભક્ષણ કરતા અને યજ્ઞમાં ભંગ પડાવવા રાક્ષસો જંગલી જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રાહ્મણ-સંસ્થાઓ પ્રત્યે દ્વેષ ધરાવતા વાનરો મૂળ નિવાસીઓને રજૂ કરે છે. જેઓ આર્મક્ષત્રિયોની સહાયમાં આગળ આવ્યા અને, આ મત આકર્ષક છે તેની ના પાડી નહીં શકાય. પણ જો આપણે એમ પૂછીએ કે, રામ-કથાનું અર્થઘટન આ મત પ્રમાણે કરવું જોઈએ કે નહીં તો, તેનો ઉત્તર આપણને નકારમાં મળશે. કારણ કે રામનાં સર્વ સાહસો નિષ્ફળ પ્રયત્નો હતા. અને, તે અંગે કોઈ કાર્ય દર્શાવતાં નથી. વાનરો અને રાક્ષસોનું આધિપત્ય પહેલાંની જેમ ચાલુ રહે છે, ફક્ત બીજો વાનર અને બીજો રાક્ષસ રાજગાદી પર આવે છે. રામ કોઈ પણ જગ્યાએ આર્યરાજની સ્થાપના કરતા નથી અને, આવી યોજનાની શક્યતાનો વિચાર પણ ક્યાંય આવતો નથી. અને આપણે જો સ્વીકારીએ કે રામકથાએ મહત્ત્વ ત્યારે ધારણ કર્યું હશે જયારે આર્યોએ દક્ષિણ ભારત પર આધિપત્ય પ્રાપ્ત કર્યું. તો દરેક સ્થળે પ્રચલિત પરિસ્થિતિના ઉદ્ગમૂનો ખુલાસો કથામાંથી પ્રાપ્ત થાય. પણ દર્શાવ્યું છે તે પ્રમાણે, રામ-કથા એવું કશું કરતી નથી. એ તો સુસંગતપણે તે મતને વળગી રહે છે કે રામની દક્ષિણ ભારત પરની ચઢાઈ પછી પણ આર્ય પ્રભુત્વ કદી સિદ્ધ થયું નથી. વેબરે પોતાનો મત (પોતાના Literature Geschichte પૃ.-૨૦૯) કેટલેક અંશે બદલ્યો હતો. તે કહે છે કે રામાયણની કથાનો આધાર ઐતિહાસિક હકીકત છે. ખાસ કરીને આર્યસંસ્કૃતિનો દક્ષિણ તરફનો ખાસ કરીને સીલોન તરફનો વિકાસ. પણ આ સ્વરૂપમાં પણ, રામાયણમાં આવતા અહેવાલોમાંથી રૂપકાત્મક અર્થઘટનને કોઈ અનુમોદન સાંપડતું નથી. કારણ કે સંસ્કૃતિની બાબતમાં પણ રામાયણ કે રામની યાત્રાને કારણે આવેલાં પરિવર્તન કે સુધારાને રામાયણ દર્શાવતું નથી સિવાય કે રાજયગાદી બચાવવી અને તેમાં પરિવર્તન લાવવું. વળી, રામાયણમાંથી મળતું દક્ષિણ ભારતનું ચિત્ર પણ બહુ સ્પષ્ટ નથી એનું કારણ એ છે કે કવિની ભૌગોલિક ક્ષિતિજ બહુ મર્યાદિત હતી. તે દક્ષિણના બ્રાહ્મણ આશ્રમોને જાણે છે પણ કાલ્પનિક પ્રાણીઓ અને મિત્રોની ભૂમિ તરીકે કવિને તે વધારે જાણીતું છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 107 એટલે, એને બહુ મહત્વ આપવાની જરૂર નથી. બધે જ સ્થળે, રાક્ષસો વિશેની કથાઓ જે તે ભૂમિપ્રદેશો પૂરતી મર્યાદિત છે. જેમાંથી આપણને તેમની કેવળ હયાતી કરતાં વિશેષ કોઈ માહિતી મળતી નથી. આ કથાઓની પાર્શ્વ ભૂમિકા અતિ પ્રાચીન પાકુ ઐતિહાસિક સમય છે. અને તેથી સ્થાનિક મહત્ત્વ વિશેના સર્વ પ્રયત્નો બાજુએ ધકેલાઈ જાય. વધુમાં યજ્ઞોનો નાશ કરનારા રાક્ષસો સંપૂર્ણપણે કંઈ દક્ષિણ ભારતના જ છે એવું નથી. અપેક્ષાએ પછીના એવા પહેલા કાંડના રાજાની સહાયથી વિશ્વામિત્ર રાક્ષસોના હુમલાથી પોતાને બચાવતા આપણે જોઈએ છીએ અને તેનો આશ્રમ તો ચોક્કસ ઉત્તરના આર્ય ભારતમાં હતો. ૬૫-૬૬માં પૃષ્ઠ પર મેં ટોલ્બોય વહીલરના મતનું ખંડન કર્યું છે. વહીલરના મતમાં રામાયણમાં બૌદ્ધ ધર્મ પરત્વે દ્વેષનું ચિત્ર મળે છે. મેં ત્યાં જે ચર્ચા કરી છે તેને જોઈ શકાય. મેં એવો મત દર્શાવ્યો છે કે, રામાયણ કોઈ રૂપકાત્મક કાવ્ય નથી. આપણને આવી કોઈ સમજૂતીની આવશ્યકતા નથી. કારણ કે, હું હવે દર્શાવીશ તે પ્રમાણે ભારતીય પુરાણકથાઓથી પરિચિત બનેલાં પાત્રોને આપણે આ કથાનાં મુખ્ય પાત્રોમાં ઓળખી શકીએ તેમ છીએ. અથવા તો, તેની સાથેનો સંબંધ દર્શાવી શકીએ તેમ છીએ. સ્વરૂપમાં પ્રતીકાત્મક હોવાથી, બધી વિગતોમાં કથાઓ સમજાવીશ નહીં. આવું કાર્ય એન્જલો ડી ગુબરનેટીએ પોતાની સર્જનાત્મક શક્તિથી પોતાના પુસ્તક 'die in der indo Thiere, german ischen mythologie માં ખાસ કરીને પ્રકરણ 1, 2 અને ૯માં સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ ત્યાં તે સફળ થયા નથી. આનું કારણ એ છે કે, આવાં વર્ણનોમાં વિશિષ્ટ લાક્ષણિકતાઓ શોધી કાઢીએ તો પણ, આપણે ચોક્કસ હોઈ ન શકીએ કે, આ લાક્ષણિકતાઓ મૂળ પુરાકથાની છે કે પછીના કથાકારોની વૈભવી કલ્પનાની નિપજ છે. એટલે, આપણે એ વિચારથી સંતોષ માનવો પડે કે કથાનાં પાત્રો પુરાણકથાનાં પાત્રોનો સંદર્ભ આપે છે. અને જો કથાનાં પાત્રોને, પ્રકૃતિનાં પ્રતીકોથી સમજાવવાનો પ્રયત્ન કરે તો ગઈ પેઢીના તત્ત્વચિંતકોની જેમ વિચારોના આટાપાટાની રમતથી તે મુંઝાઈ જવાનો છે. ગઈ પેઢીના આ તત્ત્વચિન્તકો એવા હતા જેઓ કંઈક લાવી શકે તો લઈ આવવામાં માનતા. તેઓ હંમેલના તત્ત્વચિંતનના વ્યાપક મથાળાઓ હેઠળ જે લાવી શકે તે લાવી દેતા. આપણે સીતાથી અન્વેષણનો આરંભ કરીએ છીએ. સીતાના પૌરાણિક લક્ષણ વિશે તો કોઈ શંકા છે નહીં. ઋગ્વદમાં9 (4-57-6,7) ચાસ જેને સીતા કહેવામાં આવે છે તેની પૂજા આવે છે. આ પૂજાનું માનવીય સ્વરૂપ છે. પછીના વૈદિક ગ્રંથોમાં વેબરે ખાસ કરીને કૌશિકસૂત્રના અભૂતાધ્યાયમાં અને પારસ્કર ગૃહ્ય સૂત્રમાં ખેડાયેલી ભૂમિની દેવી Page #117 -------------------------------------------------------------------------- ________________ 108 રામાયણ તરીકે સીતાને પૂજવામાં આવે છે તે દર્શાવ્યું છે. સીતા અત્યંત સુન્દર છે, અને ઇન્દ્ર અને પર્જન્યની પત્ની તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામાયણની સીતા અને વૈદિક સાહિત્યની સીતા એક જ છે એ બાબતમાં શંકા નથી. જનક રાજા એક વખત ૧૬૬માં જમીન ખેડતા હતા ત્યારે તે અસ્તિત્વમાં આવે છે. અને ૭-૯૭માં ફરીથી માતા પૃથ્વીના ખોળામાં અદશ્ય થઈ જાય છે. સીતાને ગૃહ્ય સૂત્રોમાં ઇન્દ્ર કે પર્જન્યની પત્ની કહી છે. એટલે રામ ઇન્દ્ર-પર્જન્યનું સ્વરૂપ હોવા જોઈએ, જેના વિશે પાછળથી આપણે વાત કરીશુ. એટલે રામ-રાવણનું યુદ્ધ ખરેખર તો ઇન્દ્ર અને દુષ્કાળના રાક્ષસ વૃત્ર સાથેનો સંઘર્ષ હતો. વૃત્રની રાવણ સાથેની એકતા દર્શાવવા એવું કોઈ જણાવી શકે છે, તેનો પુત્ર જેનો પુરાણકથા પ્રમાણે તેના વ્યક્તિત્વનું એક પાસું ગણી શકાય-વિજેતા છે અને ઇન્દ્ર પર વિજય મેળવ્યો છે. એટલે, તે ઈન્દ્રજિત અથવા ઇન્દ્રશત્રુ છે. ઈન્દ્રજિતના મૂળ નામ મેઘનાદનો લગભગ ઉલ્લેખ થયો નથી. (7-12) રાવણનો ભાઈ કુંભકર્ણ ગુફામાં રહે છે. આ વેદમાં મળતા વૃત્રના વર્ણનની યાદ અપાવે છે. રાવણની સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ સીતાહરણની છે. આ યુદ્ધનું અનિવાર્ય કારણ હતું. આ હકીકતને પણ વૈદિક કલ્પનાનો આધાર છે. ઇન્દ્રના કોઈ પણ શત્રુએ તેની પત્ની છિનવી લીધી નથી. પણ પણિઓ પાણીના પ્રવાહને રૂંધે છે. તેઓ ગાયોનાં ટોળાને હાંકી ગયા છે અને પર્વતોની ગુફામાં રોકી રાખ્યાં છે. વૈદિક સમયના ભરવાડો માટે જે ગાયો છે. એ પછીના કૃષિકારો માટે પાકનું ખેતર હતું. દુષ્કાળના રાક્ષસની દુચેષ્ટા એ સીતાના અપહરણ સમાન વિચારી શકાય. આ એક પાત્રને આગળ લાવે છે અને તે છે હનુમતું. તેમના પુરાકથાના પાત્રની સમુચિત સમજ માટે, આપણે એ હકીકતને મહત્ત્વ આપવું જોઈએ કે, તેમને ગામડાના કુળદેવતા તરીકે સમજવામાં આવે છે. સર આફ્રેડ સી. લ્યાલ પોતાના, Asiatic Studiesના પૃષ્ઠ 13 પર આ પ્રમાણે કહે છે. “હનુમાન એક પવિત્ર વાનરમાંથી વીરતા ભરી કથાઓ અને જંગલની બેફામ દંતકથાઓના ધુમ્મસમાંથી સાર્વત્રિક ગ્રામવિસ્તારના કુળદેવતાના પદ સુધી પહોંચ્યા છે. ગામની વચ્ચે તેની મૂર્તિની સ્થાપના એ બાહ્ય દેખાતું નિશ્ચિત વસવાટનું ચિહ્ન અને પ્રતીક છે. તે દરેક ગામમાં હોય છે. મહાકાવ્ય પ્રમાણે હનુમાનના પાત્રમાં એવું કશું જ નથી જે તેમને અત્યારની સમસ્ત ભારતમાં સ્વીકૃત સ્થિતિએ લાવી મૂકે. એટલે રામાયણનો તો,આ પાત્રના વિકાસમાં કોઈ ફાળો નથી. એટલે, તેની મૂળ પ્રકૃતિમાં કશુંક એવું હોવું જોઈએ. પ્રતીકાત્મક લક્ષણે ગામડાના કુલદેવતાની માન્યતા અપાવી હોવી જોઈએ. એટલે, તેનો ખેતી સાથે સંબંધ હોવો જોઈએ જેના પર ગ્રામસમાજનો આધાર છે. મારી અટકળ છે કે તે વર્ષોના દેવ છે. એટલે, દરેક ગામમાં પૂજાવાની તે ક્ષમતા ધરાવે છે. કારણ કે, એ જાણીતું છે કે, વિલંબિત કે, આછો વરસાદ જરૂરિયાતો અથવા દુષ્કાળ લઈ આવે છે. અને, ફસલની પૂરી સફળતાનો આધાર Page #118 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 109 વરસાદ પૂરતા પ્રમાણમાં યોગ્યસમયે આવે છે કે નહીં તેના પર છે. જો હનુમતુ વર્ષાનું પ્રતિનિધિત્વ કરતા હોય તો તેમને પવન સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. આ પવન વાર્ષિક વરસાદ લાવે છે. અને વાદળો પણ લાવે છે કે, વર્ષા વર્ષાવે છે. રામાયણના હનુમાનના પાત્રમાં આ લક્ષણો આપણને જણાય છે. તે પવનદેવનો પુત્ર છે. એટલે, તેનું વિશેષણ મરુતાત્મજ અને મારુતિ છે. અન્ય સર્વ વાનરોની જેમ તે કોઈ પણ મજાનું સ્વરૂપ ધારણ કરી શકે છે, તે વાદળોની જેમ મરૂfપનું છે. વાદળની જેમ તે સીતાને શોધવા માટે સેંકડો માઈલ સમુદ્ર ઉપર અંતરિક્ષમાં ઊડે છે. સીતા પણ ખેતીનું પ્રતિનિધિત્વ કરે છે અને છેવટે તેને શોધી કાઢે છે. તેને દૂરના દક્ષિણમાંથી લાવવામાં આવી છે જ્યાંથી વર્ષા આવે છે. રામ પોતાના કાર્યમાં વાનરો એટલે કે વાદળોની સહાયથી સફળ થાય છે. આ વાદળો વર્ષે છે. આમ હનુમન્ કૃષિના દેવ હોવાથી આપણે તેને મૂળ રહેવાસી, આદિવાસીઓના પણ દેવ ગણી શકીએ. પણ સંસ્કૃત નામ હનુમન્ત તેની વિરુદ્ધનું છે જેનો અર્થ થાય છે જેને હનુ છે. આ અર્થ પ્રમાણે ઈન્દ્રનું-શિપ્રિન્, શિખવતુ આ વિશેષણ છે. નિરુકત 617 સમજાવે છે તે શિવે હનૂ નામ વા. અલબત્ત આપણે એ જાણતા નથી કે આ હનુનું પૌરાણિક મહત્ત્વ શું છે પણ ઈન્દ્રને લાગુ પાડવામાં આવે છે. ઈન્દ્ર વર્ષા સાથે સંબંધિત છે. એટલે સંભવ છે કે, હનુમાનની પણ એ જ વિશેષતા હોવાથી, તે પણ વર્ષોના દેવ હોઈ શકે. અહીં આપણે હનુમાનના ઈન્દ્ર સાથે સંબંધ જોડતા પૌરાણિક સંદર્ભને ઉલ્લેખી શકીએ. હનુમાને સમુદ્ર પાર કર્યા પછી સીતાની શોધ ઋગ્વદમાં ૧૦-૧૦૮માં વર્ણવાયેલી સરમાની પ્રવૃત્તિનું સ્મરણ કરાવે છે. સરમા રસાનાં જળ પાર કરે છે. (તથા રસાયા અતરમ્ સિ) અને દૂર પણિથી રક્ષાએલો ખજાનો જુએ છે. (ટૂર ધ્વી નરિ: પર્વ:) જે એને ઈન્દ્ર માટે યુદ્ધની ભેટ રૂપે પાછો મેળવવો છે. હવે, સરમા અને હનુમત, રસા અને સમુદ્ર, પણિઓનો ખજાનો અને સીતા તેમજ પણિ અને રાક્ષસો એવી સમાનતા છે. એ દેખીતું છે કે આ બન્ને પુરાકથાઓનું એકસરખું તો નિરુપણ થઈ શકે નહીં : છતાં મારે ભારપૂર્વક કહેવું જોઈએ એક બીજામાંથી વિકસી છે. હું માનું છું કે બન્ને પુરાકથા મૂળભૂત વિચાર તરફ જાય છે અને ભિન્ન આકારો સાથે ઉત્ક્રાન્ત થઈ છે. રામાયણ પોતે પણ આવા સંબંધોના સંકેત જાળવી રાખે છે. 6-33-34 પર (અલબત્ત દ્વિતીય કક્ષાનું પ્રક્ષેપણ, પૃ.૫૪ પર જુઓ) સીતાને આશ્વાસન આપવા એક સરમા નામની રાક્ષસી આવે છે. રાવણના જાદુઈ પ્રપંચોને કારણે સીતાને એવી ખાતરી થઈ ગઈ છે કે, રામ અને તેમના અનુયાયીઓ સર્વ માર્યા ગયા છે. સરમા સીતાને રહસ્ય કહે છે કે રાવણે શું કરવાનો નિશ્ચય કર્યો છે, શું કરી નાખ્યું છે. અને વચન આપે છે કે તેની ભવિષ્યની Page #119 -------------------------------------------------------------------------- ________________ 110 રામાયણ પ્રવૃત્તિઓ વિશે તે માહિતી એકત્ર કરીને તેમને જણાવશે. અહીંયાં આપણને વૈદિક સરમા કથાના અંતિમ તબક્કાનો વિકાસ દેખાય છે. આપણે રામ9 અને ઈન્દ્ર-પર્જન્યને એક ગયા છે, અને દર્શાવ્યું છે કે, ઈન્દ્ર-કથાની સમાંતર રામ-કથા ચાલે છે. વળી એ પણ શક્ય છે કે મૂળમાં રામ ઈન્દ્ર સાથે જોડાયેલા ન પણ હોય પણ દ્વિતીય કક્ષાએ, ઈન્દ્ર-કથાને પરિવર્તિત સ્વરૂપના રામ પર લાદવામાં આવી હોય. જો રામ અને ઈન્દ્રને એકરૂપ ન ગણવા હોય તો રામનું પુરાકથાત્મક સ્વરૂપ દર્શાવવું પડે, જેથી તે સંભવિત લાગે. પણ જો સૂર્ય-દેવતા અને એવા સાર્વત્રિક પ્રકારો વિશે વિચાર કરાય તો જ એ શક્ય બને. આ રીતે સર્વને મર્યાદિત કરી શકીએ. આ રીતે રામના ઈન્દ્ર સાથેના સ્વાભાવિક સંબંધની ધારણા રાખી શકાય અને એ રીતે રામ એ ઈન્દ્રનું સ્થાનિક સ્વરૂપ બને છે. એ એવું સ્થાનિક સ્વરૂપ કે જેમાં, ખેતી કરતા લોકોએ વૈદિક કાળથી ઢોર ઉછેરતી પ્રજામાં પ્રચલિત અને ઈન્દ્રમાંજ સ્વાભાવિક અભિવ્યક્તિ સાધી હોય તેવા વિચારોને દાખલ કર્યા હોય. તે કૃષિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે તે બીજી હકીકતથી પણ પ્રમાણિત થાય છે. સીતા જે ખેડાયેલી જમીનનું વ્યક્તીકરણ છે કે, તેમની પત્ની છે. વેબરે Uberden Ramayanaમાં પૃ. 7 પર દર્શાવ્યું છે તે પ્રમાણે રામનો આ પ્રકારનો સંબંધ એ જ પ્રકૃતિ ધરાવતા કૃષ્ણના ભાઈ રામ-હળ ધારણ કરનાર (હલિનું, હલભૂત, હલાયુધ, લાબલિનું વગેરે) સાથે ધરાવે છે, જેને બલરામ, બલદેવ અને બલ નામથી ઓળખવામાં આવે છે. બલરામની કથા આપણા રામથી ભલે ભિન્ન વર્તાતી હોય પણ સંપર્કનાં બે નોંધપાત્ર બિન્દુઓ છે. બલરામ રાક્ષસ ધેનુકને પ મારી નાખે છે. ધેનુ, ગર્દભનું સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે બીજા રામ રાક્ષસ ખરને- ગર્દભને મારી નાખે છે. વળી, તે દ્વિવિદ રાક્ષસને અને હરિવંશ પ-૯૮૦૨ પ્રમાણે મૈન્દને હણે છે. પણ આપણી રામકથામાં બન્ને વાનર તરીકે આવે છે અને રામ પક્ષે છે. એટલે એવું ધારવું જોખમી નહીં ગણાય કે, બન્ને રામના લોકપ્રિય દૈવીપણાના પાયામાં કૃષિકાર છે. આખી કથા રામકથા તરીકે વિકસી છે, પશ્ચિમમાં હળધારી અને પૂર્વમાં રાવણને જિતનાર રામ તરીકે, જો આ સાચું હોય તો આપણને બલરામમાં એવાં લક્ષણો મળવાં જોઈએ કે સંભવતઃ ઈન્દ્રનાં હોય, કારણકે અમારા મત પ્રમાણે મૂળ રામ ઈન્દ્રનું જ એક ભિન્ન સ્વરૂપ છે. ખરેખર એવું સર્વસાધારણ લક્ષણ શોધી કઢાયું છે, પીવાની તેની ઈચ્છા જેનું બલરામને સ્વભાવથી વ્યસન છે. (વિષ્ણુપુરાણ 5-25-5 (વિરાટર્ષન્ ગવાપાત્ર પુરાતન) પછીના ભારતીયોને મદિરાપાનની જેટલી વધુ મનાઈ ફરમાવવામાં આવી છે તેટલાં વધુ મદિરાપાન ભારતીયો પોતાના પ્રિય દેવોમાંના એકને અર્પણ કરે છે. એટલે, એ તારણ પર આવવું Page #120 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 111 પડે કે બલરામનો મદિરાપાન પ્રેમ એક સહજ-વૈદિક ઈન્દ્રના આ પ્રકારના વલણના જાતિગત સંદર્ભમાં, જરા પણ દુર્ગુણ ગણવામાં આવતો નહિ. મહાકાવ્યની કથા એક ત્રીજા રામને પણ જાણે છે. જમદગ્નિના ભયંકર પુત્રને કે જેણે પોતાની માતા રેણુકાની હત્યા કરી, અને પૃથ્વીને 21 વાર નક્ષત્રી બનાવી. તે પ્રમાણે, આ ત્રણે રામોમાં આ સૌથી મોટા છે એમ તેને માન્યતા આપે છે. કૃષિવિષયક કોઈ સંદર્ભ આવતો નથી. પુરાણકથાના ઉત્સાહી અભ્યાસીઓ રેણુકા-ધૂળભરેલીની હત્યાનું અર્થઘટન એવું કરી શકે કે, હળથી પૃથ્વીને ખેડવી અને પૃથ્વીને વારંવાર નક્ષત્રી કરવી એટલે, ફસલ લણવી. અને, ક્ષેત્ર અને ક્ષત્ર બન્નેના ઉચ્ચારોની સમાનતા અને માટે જવાબદાર હતી. પણ આવા અર્થધટનના અનુમોદનમાં કોઈ સબળ પ્રમાણ નહીં હોવાથી આનું કોઈ ખાસ મૂલ્ય નથી. આપણી અન્વેષણા માટે પણ એની ઘણી ઓછી મૂલ્યવત્તા છે. પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માન્યતા પામ્યા. તેઓ ખરેખર વ્યક્તિ હતા કે કૃષિના દેવ હતા એમ વિચાર થઈ શકે. પણ, આપણે એમને ચિત્રમાંથી દૂર કરીએ છીએ. એક બીજી હકીકત પણ લોકપ્રિય દેવ રામની પ્રાચીનતા પૂરવાર કરે છે. પછીના સમયની જેમ, વૈદિક કાળમાં પણ ઘણી વ્યક્તિઓનું રામ નામ આપવામાં આવ્યું છે. જેમકે ઋ. વે. 10-93-14, શત. બ્રા. 4-6-1.7 અને એ. બા. 7-34. તે હજુ પ્રાચીન કાળમાં જઈ શકે અને ભારોપીય દેવ બની શકે. આવું ત્યારે જ બની શકે જો આપણે અવેસ્તાના પવનદેવ રામનું કવાર્ડ્સ સાથે કંઈક સંબંધ દર્શાવી શકીએ. આ દેવ ઘણીવાર મિશ્ર સાથે આવે છે. સ્પીગેલ તેના વિશે કહે છે. પવનની વાયુ તરીકે ૧૫મી ગાથામાં તેની ખાસ પ્રશંસા કરવામાં આવી છે. તેનાં લક્ષણો પ્રમાણે વાયુનું વર્ણન ગાથા ૧૫.૫૪-૫૭માં કરવામાં આવ્યું છે. તે એક શક્તિશાળી અને કાર્યશીલ દેવ છે. સાથે સાથે, તે શક્તિશાળીઓમાં સૌથી વધુ ઝડપી છે. તેનું સોનેરી બશ્વર છે, સોનેરી રથ૭ અને સોનેરી પૈડું છે. એટલે તો યુદ્ધભૂમિ પર (15.49 ગાથા) તેનું આહવાન કરવામાં આવે છે. તેનું વીર યોદ્ધા તરીકેનું લક્ષણ એ હકીકતથી સમર્થિત થાય છે કે પ્રાચીનકાળના વીર પુરુષો તેનું આહ્વાન કરે છે અને તેમને તે વિજય અપાવે છે. શું ભારતીય રામઇન્દ્રની સાથે અવેસ્તાના પવનદેવ રામનું એક જ સ્રોતમાંથી ઉદ્ભવ્યા છે ? બન્ને દેશો એકરૂપ નહીં તો પણ નજીકના હોવાથી આ શક્યતાને નકારી શકાતી નથી. અવેસ્તાનો દેવતાવાદ સ્થિર લક્ષણ નહીં ધરાવતો હોવાથી કોઈપણ નિર્ણય પર આવવું શક્ય નથી. પણ હું એક હકીકતનો નિર્દેશ કરીશ, રામનું મિશ્ર સાથે, તે જ રીતે રામ લક્ષ્મણ સાથે, બલરામ કૃષ્ણ સાથે અને ઇન્દ્ર પુષન્ સાથે ઋગ્વદમાં સીતાના આહવાનમાં જોડાયેલા છે Page #121 -------------------------------------------------------------------------- ________________ 112 રામાયણ અને લક્ષ્મણના પૌરાણિક લક્ષણ વિશે કંઈ જ કહી શકાય તેમ નથી. તે કેવળ રામનો સાચો મિત્ર અને અનુયાયી છે. તે પોતાના ભાઈની આજ્ઞાનું જ અનુસરણ કરે છે. તેનું સૌમિત્રી-સુમિત્રાનો પુત્ર નામ શું તેને મિત્ર સાથે જોડી શકે? તેનું સાચું નામ લક્ષ્મણ જે રાક્ષસોથી (રાક્ષસ:) બચાવે તે સૂચવી શકે. આ પ્રમાણેની ભૂમિકા, તે રામકથામાં ભજવતો જણાય છે. તે જ પ્રમાણે સુગ્રીવ (સૂર્યનો પુત્ર) અને વાલિમ્ (ઈન્દ્રનો પુત્ર)ની કથાને પણ આપણે અવ્યાખ્યાયિત છોડીશું. અહીં ઋગ્વદના વૃષાકપિનો વિચાર કરી શકાય જેના વિશે ઇન્દ્ર કહે છે. ઈસરો વચ્ચે રાવીષમ્ ને સુ સુકૃતિ મુવમ્ (10-86-5) એક તરફ સૂકત પ્રમાણે ઇન્દ્ર વૃષાકપિને હણતો નથી. પણ બીજી તરફ મેં શંકા દર્શાવી છે કે વૃષાકપિ એ ખરેખર પૌરાણિક પાત્ર છે. રામ-કથાના પછીના વિકાસ વિશે કશુંય કહ્યા વગર આપણે આ ચર્ચો ભાગ્યે જ સમાપ્ત કરી શકીશું. વેબરે પોતાના ગ્રંથમાં પૃ. 9 પર રામચન્દ્ર નામમાં આવે છે તે પ્રમાણે રામનો ચન્દ્ર સાથે સંબંધ સમજાવ્યો છે આ સીતાક્યારી સાથે બીજી સીતાને આણવામાં આવી છે. તૈ. બા. 2-3-10 પ્રમાણે સીતા રાજા સોમને ચાહતી અને, તેને પ્રાપ્ત કરે તે હેતુથી સીતાને અલંકારોથી તેના પિતાએ વિભૂષિત કરી હતી. રામાયણમાં બરાબર તે જ રીતે સીતાને સુંદર અંગરાગ અત્રિનાં પત્ની (2-128-18) અનસૂયા પાસેથી મળેલો... આવું મિશ્રણ (દંતકથાઓનું) એ પરિણામ દર્શાવે કે રાજા સોમ રામ સાથે જોડાઈ ગયા. પણ આ સંબંધ વિશે કશુંય કહી શકાય તેવું રામાયણમાં કશું ચોક્કસ નથી. રામાયણના સોનેરી મૃગની વાર્તાના વિચાર સાથે, તેની કંઈ લેવાદેવા છે એનું મારે માટે નગણ્ય મૂલ્ય છે. રામની વિષ્ણુ સાથે એકરૂપતા, કેટલકે અંશે મહત્ત્વની અને પછીના સમયને સમજવા માટે નિર્ણયાત્મક છે, આપણે જોયું છે કે મૂળ કાવ્યને આ વિચાર આગંતુક છે.૭૯ પણ ઘણા સમય સુધી તે ઉપસી નહીં. તે મૂળ કાંડોના પૂરક ભાગોમાં મળે છે. પણ આદિ અને ઉત્તરકાંડમાં પછીથી ઉમેરાઈ છે. વિષ્ણુની સાર્વત્રિક પૂજા રામાયણમાં વિષ્ણુ ભક્તિના ફેલાવા માટે જવાબદાર છે. પ્રશ્ન એ છે કે, તે કેવી રીતે અહીં ઉદ્ભવી. કારણ કે, વૈદિક કાળથી વિષ્ણુ પોતે, એ પરિવર્તનોનો ભોગ બન્યા છે. ઋગ્વદમાં તે મહત્ત્વના દેવ નથી. જો કે તેમના પર વૈદિક પદ્ધતિએ ઉચ્ચ ગુણો આરોપવામાં આવે છે. મુઈરે પોતાના પુસ્તક Original Textના ચોથા ખંડમાં, ઋગ્વદમાંથી વિષ્ણુ વિષયક સર્વ ખંડો એકત્ર કર્યા છે. તે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે અન્ય દેવોની તુલનામાં (પ્રકરણ 2, વિભાગ 2) Page #122 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 113 ઋગ્વદનાં સૂક્તોમાં વિષ્ણુ ગૌણ સ્થાન રોકે છે. પણ એ નોંધપાત્ર છે કે, તે ઈન્દ્ર સાથે ઘણી વાર આવે છે. કારણ કે, એક દેવ બીજા દેવને સહાય કરે છે. પછીના કાળમાં, આ સંબંધ હજુ વધુ ઊંડો છે. આના પરિણામે, ઈન્દ્રના નાના ભાઈ-ઉપેન્દ્ર તરીકે વિષ્ણુ આવે છે. અને બન્નેને હરિ કહેવામાં આવે છે. આપણે એ જાણતા નથી કે, કેવી રીતે વિષ્ણુભક્તિ લોકપ્રિય થઈ અને ઈન્દ્રનું ધાર્મિક મહત્ત્વ કેવી રીતે વધુને વધુ ઘટવા માંડ્યું. એ ચોક્કસ હતું કે, આ પ્રક્રિયામાં ઈન્દ્રનાં ઘણાં લક્ષણો વિષ્ણુ૧, પર આરોપિત થવા લાગ્યાં, ખાસ કરીને, તે રાક્ષસોમાં શત્રુ-ત્યારિ બને છે, જે ભૂમિકા વેદોમાં ઈન્દ્રની છે. હવે તે જ પ્રક્રિયા રામની બાબતમાં પુનરાવર્તિત કરવામાં આવેલી જણાય છે. મારી માન્યતા પ્રમાણે રામ ઈન્દ્રનું પૌરાણિક પરિવર્તન છે. આ હકીકતની પુરાણકથાના આવા લક્ષણને કારણે પ્રારંભ થયેલો. એ લક્ષણ હતું રાક્ષસો પરનો વિજય. પણ રામ વિષ્ણુ ન હતા. તે વિષ્ણુના દેવના ઉચ્ચતમ અવતાર હતા. આ સ્વરૂપમાં ભારતીયોએ તેની પૂજા કરી છે. અને હજુ પણ તેના તરફ ભક્તિ ભાવ ધરાવે છે. આ દેવ ઘણા આકારોમાં ભારતીય સમક્ષ આવે છે. સર્વોચ્ચ દેવના મૂર્ત સ્વરૂપ રામમાં શ્રદ્ધા એ ધર્મ ભાવનાનો મૂળભૂત સિદ્ધાન્ત છે, અને જેણે શૈવધર્મની ભરતી અને તેની અયોગ્ય વહેમો અને દુર્ગુણોને ફેલાતા અટકાવેલા. રામમાંની શ્રદ્ધાએ હિન્દુસ્તાનના મધ્યકાળના સૌથી મહાન કવિ તુલસીદાસને પ્રેરણા આપી છે. જેમણે રામાયણ અથવા રામચરિત માનસ રચ્યું. રામચરિતમાનસ જે એનું ખરું નામ છે. આ રામચરિતમાનસ હજુ સુધી કરોડો હિન્દુઓનું બાઈબલ બની રહ્યું છે. 2 પાદટીપ રામ અને વિષ્ણુના અભેદને રામાયણના બ્રાહ્મણોએ કરેલા પરિવર્તનના પૂરાવા તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. આ મૂળમાં ક્ષત્રિયો માટે અભિપ્રેત હતું. પણ એથી ઊલટું બ્રાહ્મણો તાકતવર બની રહેલા બૌદ્ધધર્મ સામે વિષ્ણુનો મહિમા આગળ કરે છે. પણ વિષ્ણુ-સંપ્રદાય મૂળમાં શિવસંપ્રદાય અને અન્ય લોકપ્રિય સંપ્રદાયોની જેમ બ્રાહ્મણવાદથી સ્વતંત્ર હતો. જેમાં બ્રાહ્મણોએ જ તેને માન્યતા આપેલી અને બ્રાહ્મણ ધાર્મિક વિચારો સાથે તેને ભેળવી દેવામાં આવેલા. આ એ જ રીતે બનેલું જે રીતે જાતિગત વિશિષ્ટતાઓ જેવી કે સતીપ્રથા, વૃદ્ધનું વાનપ્રસ્થાશ્રમમાં નિર્ગમન, (વૃદ્ધ વ્યક્તિ દ્વારા પોતે એકત્ર કરેલી સંપત્તિ વારસદારને સોંપવાની બાબતમાં) અને બીજા એવાને ધાર્મિક માન્યતા આપવામાં આવતી. લોકપ્રિય સંપ્રદાયોને ચોક્કસ માન્યતા આપવામાં આવતી કારણ કે એમને ટાળી ન શકાય અને બૌદ્ધ ધર્મના ઝઝૂમતા ભય સાથે કશી જ લેવાદેવા નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ 114 રામાયણ જે ખરેખર વધારે ભયપ્રદ છે તે ઈસ્લામનો શું બ્રાહ્મણધર્મે ઉપાય કર્યો છે? બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચેનો આધ્યાત્મિક અને અન્ય સાધનોથી થએલો સંઘર્ષ સાબિત થઈ શકે તેમ નથી. કેટલાકને વિષ્ણુને બ્રાહ્મણોના દેવ તરીકે જોવાનું ગમ્યુ છે. પણ શિવ પણ જરા પણ ઓછા ઊતરતા અંશે નથી. શુક્લ યજુર્વેદના બ્રાહ્મણમાં વાહિકો અગ્નિને ભવ કહે છે. અને પ્રાચ્યો એથી ઊલટું શર્વ કહે છે. (વેબર, ઇન્ડિયન લીટરેચર, પૃ. 194 પરની નોંધ.) પછી ભવ અને શર્વ એ રુદ્ર-શિવનાં નામ છે. અને શિવ સર્વ દેવોમાં સૌથી વધુ બ્રાહ્મણિયા અગ્નિ સાથે એકરૂપ છે. નીલલોહિત એવા વિશેષણથી પણ તેને દર્શાવવામાં આવે છે. બીજા દેવોનું પણ તેમની (શિવ) સાથે સંમિશ્રણ થયું છે તેની ના પાડી શકાશે નહીં. પણ વિષ્ણુ માટે પણ આ વાત સાચી છે. શિવ અને વિષ્ણુ સંપ્રદાયોને તેમના અનુયાયીઓની જ્ઞાતિ સાથે કોઈ લેવાદેવા નથી પણ મેગાસ્થનિસ પ્રમાણે મેદાનના રહેવાસીઓ હકર્યુલીસ-કૃષ્ણને ભજતા અને પર્વતીય પ્રદેશના લોકો ડાઓનીસીઅસ-શિવને પૂજતા. રામાયણમાં ૧-૪-૫-૧૭માં કુશ-લવને ખુશીતવી કહેવામાં આવ્યા છે. રામાયણનો પાઠ કરવો જેના માટે ફરજિયાત હતો તે, મહાકાવ્યના ગાયકના સ્થાન વિશે, કુશ અને લવ અંગેના ખંડો 1-4, 7-11, 93-94 અત્યંત મહત્ત્વના છે. 7-93-8 પરથી એટલું તો ચોક્કસ જણાય છે કે, તેઓ પ્રવાસ કરનાર વ્યક્તિઓ હતી. ૭-૯૩-૧૦માં એવી રસપ્રદ સૂચના આપવામાં આવી છે કે, દરરોજ વીસ સર્ગોનું તો દાન કરવું જ. ૬-૧૨૮-૧૫પથી એવું સુપ્રતિપાદિત થતું નથી કે, મૂળમાં આ કથાગાયકો બ્રાહ્મણ હતા. અને આ ઉપસંહાર ખંડ પછીનો છે. પ-૧૨૦માં કાવ્યની નકલ ઉતારવાનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે ૭-૧૧૧નો ઉપસંહાર પણ મોડો છે. કારણ કે ત્યાં વાવવન્નો ઉલ્લેખ છે. વધુ કૃત્રિમ કવિતા ઉદ્ભવતાં અને, તેનું ખેડાણ અન્ય સાહિત્યવર્તુળોમાં થયા પછી, અને લિપિએ વ્યવહારુ ઉપયોગ પ્રાપ્ત કર્યા પછી, પરિણામે, કથાકારોની સ્થિતિનું અવપતન થયું. પછી, મૌખિક રીતે જળવાએલી પરંપરા લેખિત દસ્તાવેજમાં પરિણમી. ૧-૪-૨૦માં મુનિએ આપેલી સાદી ભેટો કુશ અને લવ સ્વીકારે છે પણ, રામચન્દ્ર ૭-૯૪૧૯માં આપેલી વીંટીનો અસ્વીકાર કરે છે. મહાકાવ્યના ગાયકોના અત્યારના વંશજો વિશે આર. સી. ટેમ્પલ કહે છે (લેજેડ્ઝ ઑફ ધી પંજાબ, ભાગ 1 પૃ. 10) કે તે પૈસા માટે જરૂર કળા પ્રસ્તુત કરે છે. તેમના ઘણા દુર્ગુણો અને દોષો છે પણ, લોભ એમનામાં નથી. જુઓ મૂર, ઓરિજીનલ સંસ્કૃત ટેસ્ટ વૉલ્યુમ 4, પૃ. 175 અને 441 મોનિયર વિલિઅન્સ દ્વારા ઉદ્ધત, કલકત્તા રીવ્યુ ૪પમાં આર. એન. કસ્ટ, ઇન્ડીઅન એપીક પોએટ્રીની નોંધ અને ઈન્ડીઅન વીડમ, બીજી આવૃત્તિ પૃ. 337 નોંધ-૧. 2-56-16 પ્રમાણે વાલ્મીકિ ચિત્રકુટ રહેતા હતા. પણ બીમાં આ ખંડ નથી અને ચોક્કસ એ બીજી વખતનો ઉમેરો છે. અધ્યાત્મ રામાયણ 2-6-64 પ્રમાણે વાલ્મીકિ જન્મથી બ્રાહ્મણ હતા. આરંભમાં તો, તેઓ કિરાતો વચ્ચે જીવ્યા, પછી લૂંટારાઓની સોબતે ચઢ્યા અને પોતે લુટારો બન્યા. શૂદ્ર પત્નીથી 3. 5. Page #124 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 115 તેમણે ઘણા પુત્રો હતા. સપ્તર્ષિઓને કારણે તેઓ પવિત્ર બન્યા. તે જ પ્રમાણે અત્યારની પરમ્પરા. વેબર તેમના રામાયણ પૃ. 9, નોંધ 2 પર જણાવે છે તેમ, રામાયણમાં આમાંનું કશું જ નથી. પણ ભવભૂતિમાં આવે છે અને, પરમ્પરા પ્રાચીન હશે અને સત્યનો અંશ હોય પણ ખરો. એવું જણાય છે કે તેમનામાં પરિવર્તન આવ્યું તે પહેલાં તેમના વિશે કંઈ ખાસ આદર હતો નહીં. એ તેમના નીચા દરજ્જાથી જણાય છે. ગાયકોને આમાં આનંદ આવતો. કંઈક અંશે, તેઓ વાલ્મીકિના જ પ્રતિનિધિ હતા, જે એક પુરાકથાનું પાત્ર બની ગયા. ૧-૪-૨૮માં કુશ અને લવ, કુશીલવોના આદિ ગાયકો કહેવામાં આવ્યા છે. પ્રશીમાની સર્વત્ર વત તત્ર યૌ 1 રથ્યાસુ પાનમાથુ ટર્ન ભરતાથન: અહીં સભાના ગાયકો વિશેનું કથન નથી. લોકોમાં તેમની કીર્તિથી રાજાને તેમનું સ્મરણ થાય નહીં. વાલ્મીકિએ કુશીલવાની યોગ્યતા વિશે કહ્યું છે તે પરથી પણ, સૂતોથી તે ભિન્ન છે એમ જણાય છે. 10. મિથિલા અને વિશાલા એ બેઉ નગરો એકબીજાની બહુ નજીક છે. પણ તેઓ પર ભિન્ન રાજવીઓનું શાસન હતું. મિથિલા પર જનકનું અને વિશાલા પર સુમતિનું શાસન હતું. જુઓ 1-47 અને 48. બૌદ્ધ સમય દરમ્યાન વૈશાલીની સાથે સાથે બન્ને નગરો વિકસ્યાં. વૈશાલીમાં લીચ્છવીઓનું જૂથશાસન હતું. જુઓ કર્નનું બુદ્ધિઝમ. નગરના મધ્યભાગને કુડ઼ગ્રામ કહેવામાં આવતું. મહાવીરના પિતા સિદ્ધાર્થ જયાં ન્યાયાધીશ હતા. 11. આપણે શત્રુઘ્ન અને ભરત-લક્ષ્મણના (7-70, 101, 102) પુત્રોના મુલ્કોને ગણતરીમાં ન લઈએ, કારણ કે આ દંતકથાઓ પછીના સમયની છે. પણ પશ્ચિમના અંતિમ છેડા સુધી થયેલા રામાયણના વિસ્તારની સાહેદી પૂરે છે. એ નોંધપાત્ર છે કે, દશરથની રાણી કૈકેયી દૂર દેશમાંથી આવે છે. કારણ કે કૈકયો બીઆસ અને રવિ નદીના ઉપરવાસમાં રહેતા હતા. રામાયણના કેન્દ્ર સાથે કૈકેયીનું નામ આટલું નિકટતાથી જોડાયેલું ન હોત તો, કોઈ એવી પણ અટકળ કરી શકત કે મગધની રાજધાની ગિવ્રિજ કે રાજગૃહની જગ્યાએ કેકની રાજધાની મૂકવામાં આવી છે. આને પણ 2-68-6 અને બીજી જગ્યાએ રાજગૃહ અને ૨-૬૮-૨૧માં ગિરિધ્વજ નામ આપવામાં આવ્યું છે. મગધ અને કોશલ એ બે વચ્ચેના કૌટુંબિક કલહનું પ્રતિબિંબ પાડતી કૈકેયીની ભૂમિકાને પણ શોધી શકાય. પણ હજુ સ્મૃતિમાં તાજું હતું કે, ઇશ્વાકુ રાજાઓ દૂરના પૂર્વમાં ઉદ્દભવ્યા હતા. ૨-૬૮-૧૭માં શત્રુને મળતી ઇક્ષમતીનો ઇક્વાકુ રાજવીઓના પૂર્વજોના નિવાસની હોવાનો ઉલ્લેખ છે. (fપતૃપૈતામહ પુષ્પાં તેતરિક્ષમતીં નવી) પ્રાચીન સમયમાં તેઓ કેકેયોના પાડોશીઓ હતા. દશરથને કૈકેયી પત્ની તરીકે મળી તેનો આ રીતે ખુલાસો થાય છે. વેબર પોતાના રામાયણ પરના ગ્રંથનાં નીચેના લાંબા ખંડો તરફ ધ્યાન ખેચે છે. મહાભારત 311177-11219, 3-2224-2247, ૧૨-૯૪૪-૯૫૫.૬૬મા પાન પર રામાયણ અને મહાભારતમાંથી સમાન ખંડો ઉધૃત કર્યા છે, જે કૌંસમાં દર્શાવવામાં આવ્યા છે. તેના પરથી બન્ને ગ્રંથોમાં કેટલે અંશે સમાનતા છે તેનો ખ્યાલ આવે છે. 13. મધ્યભાગનું ચરણ કવિએ કરેલો પ્રક્ષેપ છે અને તેને ઉધૃત કર્યું છે. અને તેથી, રામાયણ-પાઠમાં તેનો આકસ્મિક લોપ નથી. કારણ કે (1) આખો અને નહીં કે આખો અને બીજો અડધો શ્લોક Page #125 -------------------------------------------------------------------------- ________________ રામાયણ ટાંકવો જોઈએ. (2) મનુષ્ય માણસ નહીં પણ રાક્ષસ ઇન્દ્રજિતું રામાયણમાં બોલે છે. (3) ‘સર્વકાલ” અને “સદા' એ શબ્દાણુતા (Pleonasm)નું ઉદાહરણ છે. જેના માટે કવિને જવાબદાર લખવો જોઈએ. કવિએ મહત્ત્વનો વિચાર વ્યક્ત કરવા પૂરી પંક્તિ તો રચવી જ જોઈએ. 14. આ હું ચોક્કસપણે એટલે કહી શકું છું કે પ્રો. ઑફેટે રામાયણ (બૉમ્બે આવૃત્તિ)ના શ્લોકોના આરંભની યાદી તૈયાર કરી છે, અને મને માહિતી આપી છે કે, આ ઉપર્યુક્ત શ્લોક આમાં નથી. એટલે મારા તરફથી થનારી ભૂલની શક્યતાની બાદબાકી થાય છે. જુઓ મહાભારત 1-307 =1-2-37 अनाश्रित्येदमाख्यानं कथा भुवि न विद्यते / आहारमनपाश्रित्य शरीरस्येव धारणम् / / અભિવ્યક્તિમાં પણ સમાનતા મળે છે. ૧-૩૮-૨માં પ્રગાિમ: સ વાગ: અને ૬-૫૮-૫માં ભીમં મીનપરીક્રમનું આપણે વાંચીએ છીએ. આ શબ્દો નલકથામાં મળે છે. આ શબ્દો દરેક વાચક નલ-કથામાંથી શીખી શકે છે. 99. gall Hug 20447 The Evolution of the Indian metre in the post-Vedi time 18. રૂપો આ રીતે આવે છે. બીજો અને ચોથો પાદ U V U U -- U U U - TUU - Uu U--UU-UU પહેલો અને ત્રીજો પાદ (એ) પથ્યા U U -- U V U -- U U-UUU--U 0 -- 0 0 - - 0 (બી) વિપુલા 9- U UU-- UUUU U --D 2. U - U -- U U U U - U -- |-- U 0 - U - U U -- - 0 - 0 | Page #126 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 117 19. હોર્ટ્ઝર્મનના ઉપયુર્કત ગ્રંથમાં રજૂ કરેલા કપોલકલ્પિત જેવા મતની ચર્ચા કરવી મને રુચતી નથી, કારણ કે મેં વિસ્તારથી Gotting ischen Gelehrten Anzeigen 1892 પૃ. ૬૨૫માં તેનું સવિસ્તર નિરૂપણ કર્યું છે. 20. સરખાવો હોદ્ગમન, પૃ. 130. 21. તેમણે (વેબરે) અનુવાદ સાથે સંપાદન કર્યું છે. The Dasaratha Jataka, Copenhagen, 1871 આર. ફીક પણ રામાયણના જૈન સંસ્કરણ માટે, આવો જ મત ધરાવે છે. આ પરિવર્તનોનો ઉદ્દેશ પુરાકથાઓના નાયકોને પરિચિત કરવા અને, જૈન ધર્મ અને ઇતિહાસ માટે તેમની પ્રવૃત્તિઓને અનુકૂળ બનાવી તે હતો. તે સ્પષ્ટ હતું અને આ રીતે, જૈન ધર્મ, અતિપ્રાચીન કાળનો છે તેવું દર્શાવવામાં આવ્યું છે. સગરકથાનું જૈન સંસ્કરણ, કિીએલ 1889 પૃ. 21. 23. ત્રીજું ચરણ બર્લીનની હસ્તપ્રત એમાં અને બોનની હસ્તપ્રતમાં વીતશોમયજોધો, અને સી હસ્તપ્રતમાં પર્વ ગુણસમાનુજો છે. પહેલો શ્લોક ૧-૯૭માં પણ આવે છે. બીજો ત્યાં આ પ્રમાણે છે. રીમો રાજે ૩૫સિવા બ્રહ્મનો પ્રયાસ્થતિ 24. વધુમાં આ ખંડ બહુ જ પ્રાચીન પ્રક્ષેપમાં આવ્યો છે જે, 107-17 થી 111-11 સુધી વિસ્તરે છે. રામે અયોધ્યા આવવાની ના પાડતાં પોતાનો નિશ્ચય જણાવ્યો प्रवेक्ष्ये दण्डकारण्यमहमप्यविलम्बयन् / आभ्यां तु सहितो वीर वैदेह्या लक्ष्मणेन च // ભરત રામને પ્રત્યુપરેશનની ધમકી આપે છે. આ ધમકીની અસર વસિષ્ઠના 110 શ્લોકોની અંદર આવતા વક્તવ્યથી શિથિલ પડી જાય છે. આ તદ્દન અસંગત છે અને ભારતની એકદમ થતી પ્રતિજ્ઞા માટે બિનજરૂરી છે. એટલે અહીં પ્રક્ષેપની અંદર પ્રક્ષેપ મળે છે. 25. રોહણ પર્વતને મહેન્દ્ર સાથે એક ગણવો જોઈએ? કારણ કે અગત્યે મહેન્દ્રને તો, દરિયામાં નાખી દીધો છે. રામાયણ 4-41-19. રોહણનો દીપવંશમાં ઉલ્લેખ થયો છે અને ઓલ્ડનબર્ગ અનુક્રમણિકામાં તેના એક પ્રાન્ત તરીકે ઉલ્લેખ કરે છે. તમ્બપણી ગિરનાર 2-2 તમ્બપની ખાત્રી -4, કપુર્દિગિરિ 2-4, તમ્બપમ્નીય ખ ૧૩૬-કે. ડી. થી 13-9. તે જ રીતે સ્થળને અથવા શહેરને ઓળખવામાં આવતું જ્યાં સૌ પ્રથમ વિજયનું અવતરણ થયું અને તે રહ્યા (દીપવંશ 9-30). વધુમાં વિરુદ્ધના ખંડની એ નદી છે જેનો ઉલ્લેખ રામાયણમાં થયો છે. દસમી સદી પછીના શિલાલેખોમાં આ નામ મળે છે. જુઓ મૂલરનું સંપાદન, Ancient Inscriptions of Ceylone ક્રમાંક 116, 117, વગેરે. 27. Page #127 -------------------------------------------------------------------------- ________________ 118 રામાયણ 30, આને 31. દિપવંશ ૯-૧માં સીહલ અને લંકા એક માનવામાં આવ્યાં છે. જયારે ૯-૨૦માં ઓજદીપ, વરદીપ, મણ્ડદીપ અને તમ્બપન્નીને એક માન્યા છે. સીહલ નામનો સંબંધ સીહના પુત્ર વિજય સ્થાપેલા સામ્રાજય સાથે જોડ્યો છે. રામાયણ ભારતના અંદરના પ્રદેશમાં પોતાનો માર્ગ કર્યો તે મૂળ સ્વરૂપમાં નહીં પણ, પુનર્ગઠિત આકારમાં પ્રવેશ્ય. બેન્ગકોકના મંદિરોની રૂપરેખા રામના યુધ્ધને ચિતરે છે. એ પણ નોંધવું પડે કે બૌદ્ધ ધર્મ રામાયણના પ્રચારમાં કોઈ આડખીલી ઊભી કરી નથી. મોડેથી જાણમાં આવ્યું છે કે, કાવીમાં રામાયણ છે. તે અનુવાદ નથી પણ એક કલાત્મક કવિતા છે. કર્ને પણ આના સમર્થનમાં પોતાનો મત પ્રસ્તુત કર્યો છે, જે ૧૮૮૩માં પ્રકાશિત પોતાના લેખમાં જણાવ્યો છે. આને આપણે પૌરાણિક સમાંતર પુરાકથા તરીકે સ્વીકારી શકીએ. કોક્ષ (The Mythology of Arian Nations 1,132) રામને સૂર્યદેવ તરીકે જોવા પસંદ કરે. તે કહે છે, સીતાનું અપહરણ અને રામ દ્વારા રાવણના નાશ પછી પુનઃ પ્રાપ્તિની કથા સરમા અને પણિ તેમજ પેરીસ અને હેલેનની સમાંતર છે. રામાયણમાં વહાણોના ઘણા ઉલ્લેખો છે પણ તે નદીઓમાં ચાલતી હોડીઓના છે. ગંગામાં રામના પ્રવાસમાં અને ડૂબવાની સરખામણીમાં મારશ્નન્તવ નૌર્નસ્તે આ પ્રમાણે છે. સંભવતઃ નદીઓ પાર કરવા હોડીઓ હતી. પણ, વહાણ-યાત્રા હજુ મોટું પગલું છે. નારદપંચરાત્રની તેમની આવૃતિની પ્રસ્તાવનામાં કે. એમ. બેનરજી. વેબર, sitzungsberder Akad. d. wiss at Berlin XXXVII P.932 સેક્રેડ બૂકસ ઑફ ધી ઈસ્ટ, વૉલ્યુમ ૨૨થી 31. સર મોનીએર - વિલિયમ્સ પોતાના Indian Wisdom (બીજી આવૃત્તિ પૃ. 319, નોંધ ૧)માં આના જેવો મત રજૂ કર્યો છે. રામાયણ આપણા ઈસુના યુગના આરંભમાં રચાયું છે એ મત અંગે સાવધાની રાખ્યા પછી તે ઉમેરે છે, “હું એ મત સાથે પણ સંમત થઈ ન શકું કે, રામાયણ જેમાં રામને સીતાના ભાઈ બતાવ્યા છે અને, કેટલાક શ્લોકો અત્યારની રચના રામાયણના કેટલાક શ્લોકો સાથે એકરૂપ છે એવી બૌદ્ધ વાર્તા દશરથ-જાતકની નકલ છે. અને તે ત્યાર પછીનું છે. હું એમ પણ માનતો નથી મહાન ભારતીય મહાકાવ્ય આ અથવા બીજી કોઈ બૌદ્ધ કથાઓએ પૂરાં પાડેલા બીજમાંથી વિકસ્યું. એથી પણ ઓછું મહત્ત્વ એ વાતને આપું છું કે હિન્દુ મહાકાવ્યોએ પોતાનાં વિચારબીજો હોમરનાં કાવ્યોમાંથી લીધાં, અથવા તો એ તાર્બાઝ વ્હીલરના સૂચનને કે, બ્રાહ્મણો અને રાક્ષસો અને સીલોનના બૌદ્ધો વચ્ચેની શત્રુતાની લાગણી અને સ્પર્ધા વ્યક્ત કરવા રામાયણ રચાયું હતું અને રાક્ષસો બૌદ્ધોનું પ્રતીક હતા.' 33. 34. Page #128 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 119 35. પૌરાણિક સ્રોતો અને બૌદ્ધ-જૈન પરંપરા આપણને આ પ્રસંગો જાણવામાં ચોક્કસ સહાય કરે છે. જૈનો પ્રમાણે અજાતશત્રુ (કૂણિક) એ અંગપ્રદેશમાં ચમ્પાનગરીમાં રાજગૃહથી રાજધાની ફેરવી. વિદેહને ખાલસા કરવાનું તેણે શરૂ કરેલું પણ પૂરું કર્યું ન હતું. આથી સામન્તોના શાસન હેઠળના કાશી-કોશલના ભાગ્યનો અંત લાવી દીધો. કાલાશોક ઉદાયિન દ્વારા પાટલીપુત્રનો પાયો નાખવાનું શ્રેય અજાતશત્રુના પુત્ર (અથવા ભત્રીજો)ને આપવામાં આવે છે. જુઓ મારું શોધપત્ર On Kalasoka Udayin ZDMG Vol.35 પૃ.૬૬૭. 36. Indian Antiquary XIV પૃ. 209 પર ગ્રીઅર્સન દ્વારા સંપાદિત અને અનૂદિત બેલેડ ઑફ આલ્હા જુઓ. ઉપરની પાદટીપ જુઓ. 38. તાલ્બોયઝ વ્હીલર, History of India ભાગ. 2 પૃ. 135 પ્રમાણે “ગંગા નદીના ઉત્તર અથવા તો ડાબા કાંઠે આધુનિક સગૂર આવેલું છે.' ઇમ્પીરીયલ પ્રેઝીટીયરમાં આ નામનું કોઈ સ્થળ નથી. 39. જૈનોએ ઋષભને પોતાના પ્રથમ તીર્થંકર (Vsabhe Kosalie) માન્યા છે. તેઓ ઇક્વાકુભૂમિમાં જન્માં હતા. મારા મત પ્રમાણે, તે વાલ્મીકિ નથી, કારણ કે, દશરથના મૃત્યુથી માંડી ભરતનું રામને મળવું ત્યાં સુધીનો આખો ખંડ, અત્યારના આકારમાં દ્વિતીય સ્તરનો જણાય છે. રઘુવંશ 17-25 પ્રમાણે પછીથી કુશે કુશાવતીથી અયોધ્યામાં પોતાના શાસનનું સ્થળ ખસેડ્યું. કોશલની બહાર શ્રાવસ્તી છે. જૈનો પ્રમાણે કુણાલ પ્રાન્તની રાજધાની છે. જુઓ બેબર Verzeichnis der Sanskrit and Prakrit Handschriften. એવું હું ધારું છું. જો કે કોઈ ચોક્કસ સાબિતી નથી પણ હું જાણું છું ત્યાં સુધી આ રાજકુમાર ઈક્વાકુ વંશનો હતો. કલ્પસૂત્ર 128 અને નોંધ આ હકીકતને ૧-૪૨-૧માં નોંધવામાં આવી છે. कालधर्मं गते राम सगरे प्रकृतिजनाः / राजानं रोचयामासुरंशुमन्तं सुधार्मिकम् // આ એ જ ધારણા પર માન્ય રાખી શકાય કે, પ્રજાનો રાજ્યના વારસદારની પસંદગી પર બહુ મોટો પ્રભાવ રહ્યો હોય. નોંધપાત્ર શબ્દ ર-૦૯-૧ ખંડમાં પણ આવે છે. જેને હું દ્વિતીય સ્તરનું પરિણામ માનું છું. ઉપર પાદટીપમાં આનો વિચાર કર્યો છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ 120 રામાયણ 49. 46. Vol. 3 પૃ.૩૭૯, Zeitschrift F. D. Kunde des Morgeni. ગ્લેગલની પ્રતીતિ છે કે, ૭મી સદીના એલક્ઝાન્ડરની પહેલાં રામાયણનો પ્રસાર થઈ ગયો હતો. 47. તે જ પ્રમાણે ૨-૬૬-૧ર પણ આ પાછળનો ખંડ છે. 48. બી. પુષ્પદીના ! વૉ લીટ્રો પોતાના Wonder of the Sky (પાંચમી આવૃત્તિ, પૃ. ૨૩૪)માં આ પ્રમાણેનું વર્ણન આપે છે. એક ક્ષણમાં આકાશમાં અને મેદાનમાં આભા પ્રસરે છે. જયારે, પાતળા સૂર્યનો છેલ્લો અંશ અદશ્ય થઈ જાય છે. આકાશમાં ઊંડા ભૂરા રંગની ઝાંય, ક્ષિતિજ પર નારંગી રંગની છાંટ, આ વાતાવરણના ભાગોમાંથી પ્રસરે છે. આ ચંદ્રની છાયાની બહાર હોય છે, દિશાઓમાં કાળા સાંધ્ય-રંગ છવાઈ જાય છે, અને જોનારાઓ પર તાદશ અસર ઊભી કરે છે. દિવસ દરમ્યાન એકદમ રાત્રિનો આવિર્ભાવ થાય છે, ગરમી ઘટી જાય છે, પક્ષીઓ માળામાં પાછાં ફરે છે, ઘણા છોડવાઓ પોતાની પાંખડીઓ અને ફૂલો બીડી દે છે. અહીં નિરૂપિત વિગતોનું વર્ણન ખરેખર રામાયણના ઉપર્યુક્ત ખંડમાં સૂર્યગ્રહણના ઉલ્લેખ પહેલાં મળે છે. એટલે, કવિના સ્વકીય અનુભવ તરીકે આપણે વર્ણવીએ છીએ તેમાં પૂરું ઔચિત્ય છે. ખંડો આ પ્રમાણે છે. आकाशं तदनाकाशं चक्रुर्भीमाम्बुवाहकाः // 7 बभूव तिमिरं घोरं उद्धतं रोमहर्षणम् // दिशो वा प्रदिशो वाऽपि सुव्यक्तं न चकाशिरे // 8 क्षतजासवर्णाभा सन्ध्या कालं विना बभौ // 50. Memoir of the Royal Academy of Science, Vienna, Mata-nat class Vol.52 એજન Vol. 51 geal oleecllmus Berichten der Phil.hist classe der konigl Sachs. D. Wissensch 1887. આપણે મહાકાવ્યની ભાષાને પ્રાચીનતા અર્પવી જોઈએ, જો રામવર્મન તુત વિશે સાચા હોય તો. સંબંધિત ખંડ બોમ્બે આવૃત્તિમાં 2-49-13 છે. (ભૂત રૂ - રૂત્યેવ વામીણ) અને 2-103-25 (તત રૂ તદ્ ભવત્વિતિ). સંભવતઃ ગોવિદિરાજની આ ખંડ પરની સમજૂતી યથાર્થ છે. અત્ર માવો વીચરજોનિત્ય-વાત, બીજા ખંડમાં તેમનો અને મહેશ્વરનો પાઠ છે. તતૈતત્ તે મવત્વિતિ. વી. બોહલીક યથાર્થપણે કહે છે. (ઉપર પૃ. 5) કે મહાકાવ્યની વિલક્ષણતાઓ આર્ષરૂપો નથી પણ નવી રૂપરચનાઓ છે. મહાકાવ્યની ભાષાનો યુગ નક્કી કરવા એક હકીકત તરફ ધ્યાન દોરવું અગત્યનું છે કે આ નવી રૂપરચનાઓ બહુ જ ગણનાપાત્ર રીતે, વારંવાર આવતાં ગાથા-બોલીનાં લક્ષણોરૂપે પ્રાકૃત રૂપો કરતાં પ્રાચીનતર તબક્કાની છે. 53. આપણે આગળ જોયું છે તે પ્રમાણે પાણિનિ જ્યાં જીવ્યા તે પશ્ચિમનો પ્રદેશ મહાભારતના ઉદ્ગમનું સ્થાન હતું. ક વી. બોઈ* રૂપરચનાઓ : 1 રૂપરચનાઓ " Page #130 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 121 54. 55. પાણિનિએ નિરૂપેલી વાણીમાં સ્વર હતા પણ મહાકાવ્યની કે પછીની પ્રશિષ્ટ સંસ્કૃતમાં ધ્યાનમાં આવે તે રીતે તેની પરિહાર થયો છે. પ્રાકૃત બોલીઓ આવા સંસ્કૃત તરફ ગતિ કરે છે, જેમાં સ્વરલોપ થયો છે. ઓછામાં ઓછું અહીં પ્રાચીન સ્વરની અસર જોઈ શકાતી નથી. ઘણી ભારત જર્મન વાણીમાં જૂના સ્વરે શબ્દોની રૂપરચના પર ગણનાપાત્ર અસર છોડી છે જેનું પૂર્વસ્વરૂપ આપણે નિશ્ચિતપણે તે લોપ પામ્યા પછી પણ નિશ્ચિત કરી શકીએ છીએ. એટલે, પ્રાકૃત ભાષાઓમાં સ્વરના પ્રભાવની ગેરહાજરી અત્યંત મહત્ત્વની છે. આ હકીકત ઉપર નિર્દિષ્ટ ધારણાને સમર્થન આપે છે કે પ્રાકૃત ભાષા બોલીઓ જે ભાષા તરફ જાય છે તે સ્વરભાર સાથેનું સંસ્કૃત હોઈ શકે. જે લોકો વાંદરાઓને દક્ષિણ ભારતના મૂળ આદિવાસીઓ તરીકે ઓળખવા માંગતા હોય તો તેઓની એ સમજાવવાની ફરજ છે કે હનુમાનની પોતાની વાણીની શુદ્ધતા માટે પ્રશંસા કરવામાં આવે છે. 7-66-44 પ્રમાણે તેનો મહાન વૈયાકરણ તરીકે પણ ઉલ્લેખ થયો છે. મોનીએર વિલિયમ્સનો આ ત્રીજો તર્ક (P. 316) છે. “અશોકના શિલાલેખો પરથી એ દેખીતું છે કે, ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં, હિન્દુસ્તાનના મોટા જનસમૂહની ભાષા શુદ્ધ સંસ્કૃત ન હતી. ખરેખર તો, તે સંસ્કૃતની પ્રાદેશિક બોલીઓ હતી જેને પ્રાકૃત એવું સર્વસાધારણ નામ આપ્યું. જો આ લોકપ્રિય કાવ્યોનું પ્રથમ સંસ્કરણ ત્રીજી સદીમાં થયું હોય તો શું એ સંભવિત છે કે, પ્રાકૃતનાં કેટલાંક રૂપો સંવાદોમાં દાખલ કરીને ત્યાં જ રહેવા દીધાં હોય એવું નાટકોમાં કરવામાં આવ્યું છે. મૃચ્છકટિક પ્રાચીનતમ નાટક છે, જે ઈસુની બીજી સદીથી વધુ અર્વાચીન ન હોય (બી. સી.એ છાપભૂલ છે.) પૃ. 471 પ્રમાણે લેખકનો આ અભિપ્રાય શંકાસ્પદ છે. એ સાચું કે બન્ને મહાકાવ્યોની મૂળ કથાની ભાષા જ આજના પાઠમાં મળે છે, તે મોટે ભાગે સરળ સંસ્કૃત છે અને તે કોઈ પણ રીતે કઠિન કે કૃત્રિમ નથી. જનતાની ભાષા મોટે ભાગે વ્યવહારોપયોગી બની તે પહેલાં ઈ. સ. ૫૦૦માં લોકોની બહુમતી આ ભાષાને સમજતી હતી. નિશ્ચિતપણે કહેવું હોય તો, મહાકાવ્યમાં ભૂતકાળનાં સર્વરૂપો, અર્થભેદ સિવાય પ્રયોજાયાં છે. કેટલાંક ક્રિયાપદો સિવાય, અનદ્યતન ભૂતકાળનો પ્રયોગ બહુ જ જૂજ છે. અને એટલે, અનદ્યતન અને હ્યસ્તનનો અર્થભેદ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો એનાથી આપણે આશ્ચર્ય પામવું જોઈએ નહીં. પ૭. સુબધુ પાણિનિના નિયમનું ચૂસ્તપણે પાલન કરતા નથી. દંડીમાં, પૂર્ણ ભૂતકાળ એકદમ જ છઠ્ઠા ઉચ્છવાસમાં સમાવિષ્ટ વાર્તાઓમાં દેખો દે છે. રાજકુમારોની કથાઓ-વાર્તા કહેનારા પોતાના અનુભવોનું બયાન કરી રહ્યા છે. વર્ણનના કાળ તરીકે, હ્યસ્તન, ઐતિહાસિક વર્તમાન, સકર્તક અને અકર્તૃક, કૃદન્તો આવે છે. અર્ન્સ કુદ્ધ, Beitrage zur Pali Grammatikm P 108 59. Page #131 -------------------------------------------------------------------------- ________________ 1 22 રામાયણ 61. 3 60. છંદ માટે જુઓ આગળ પૃ.૨૪. ધ્વન્યાલોક પૃ. 148, કાવ્યમાલા આવૃત્તિ. ___ नहि कवेरितिवृत्तमात्रनिर्वहणेन किञ्चित् प्रयोजनम्, इतिहासाद् एव तत्सिद्धेः / 62. કાવ્યાદર્શ 2.66 उपमैव तिरोभूतभेदा रूपकमुच्यते / यथा बाहुलता पाणिपद्मं चरणपल्लवः / કૌંસમાં મૂકેલો શ્લોક દેખીતી રીતે જ, પછીનું ઉમેરણ છે, તે બીમાં નથી. આ ક્ષતિ માટે એ વ્યક્તિ જવાબદાર છે કે જે એટલું જાણતી નથી કે, દેડકાં સમુદ્રમાં હોતાં નથી. અશ્વ અને ગજ આ પંક્તિમાં ફરીથી આવે છે. 64. કમળ સમુદ્રમાં ઉગતું નથી એ હકીકતથી ભારતીયો અજાણ નથી પણ આ કવિઓનો કવિસમય હોવાથી દોષ ગણાતો નથી. જુઓ સાહિત્યદપર્ણ પ૯૦. 65. પછીના કવિઓ મીન, મકર, કર્કટ એવી રાશિઓનાં ચિહ્નનો ઉપયોગ આવાં વર્ણનો માટે કરે છે. અહીં નથી એનો અર્થ એ કે કવિ રાશિથી અનભિજ્ઞ છે. પુનર્વસુની મોટા માછલા સાથે, તિસ્ય (કેન્સર) અને શ્રવણ (ઇગલ)ની બતક અને સ્વાતિની બગલા સાથેની સરખામણી એ કપોલકલ્પિતની અતિશયતાનું ઉદાહરણ છે. वानराणाम् હું એવું માનું છું કે, કાલિદાસ પહેલાં પ્રચલિત કાવ્યકળામાં ચિત્રાત્મક વર્ણનો મહત્ત્વનો ભાગ ભજવતાં અને મારા-કથનની પુષ્ટિમાં ઋતુસંહાર અને માંડસોર શિલાલેખનો સંદર્ભ આપીશ. હું એવું માનું છું કે ઘટકર્પર કાલિદાસ પહેલાં થઈ ગયા. આ 22 પદ્યો પરથી (અને આખું કાવ્ય 22 પદ્યોનું જ છે) આપણે જોઈ શકીએ છીએ કે કવિ પોતાની રચના વિશે કેવું ગૌરવ અનુભવે છે. જો એ પછીથી થયા હોત તો, તેમણે એવી બડાશ ન મારી હોત કે, કોઈ ચર્મ માં તેમને અતિક્રમી ન શકે. પણ પછીનાં ધોરણેથી જો, મૂલવવામાં આવે તો, તેમની રચના તદ્દન નબળી છે. અલ્પને પણ ઉત્કૃષ્ટ કૃતિ તરીકે પ્રશંસવામાં આવતી અને એટલે જ કવિએ આવાં પ્રગભ વિધાનો કર્યા છે. હવે કૃતિ આ પ્રશંસાને પાત્ર નથી. 68. અહીં અને પછીનાં પદ્યોમાં પાદાન્ત મેં સંધિ છૂટી પાડી છે. એ ધ્યાનમાં રાખવાનું છે કે, પાદાન્ત પદ્ય પૂર્ણ બને છે, જેવું વાલ્મીકિનાં પઘોમાં મોટે ભાગે બને છે. જુઓ બોટલીન્કના ઉપર ઉલ્લેખાયેલા ગ્રંથનું પૃ. 31 69. એ સ્વાભાવિક રીતે વિવાદાસ્પદ છે કે, રામાયણમાં જે કહેવાયું છે તે પ્રમાણે જે પાત્રો છે તે, નિયતિથી અભિભૂત છે. કથા મૂળે, ઇક્વાકુ કુટુંબમાં જન્મેલી વ્યક્તિઓની આસપાસ છે. ઇક્વાકુ, દશરથ અને રામનો વેદમાં ઉલ્લેખ થયો છે પણ તે જુદો જુદો છે. પરિણામે, તેમની વચ્ચે કાંઈ સંબંધ હોય એવું જણાતું નથી. તેઓ વિખ્યાત હતા અથવા આ વંશના શક્તિશાળી 67. Page #132 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 123 રાજાઓ હતા એ સિવાય તેમનાં નામો પરથી કોઈ તારણ નીકળી શકે એમ નથી. સંદર્ભ ધરાવતા 10-64-4, 1-126-4, ૧૦-૯૩-૧૪આ ખંડો છે. એ વાત હું નકારતો નથી કે, કેટલાંક પરસ્પર ન સંકળાયેલાં કથાઘટકોએ કથાને પૌરાણિક પાર્શ્વભૂમિકા સંપડાવી હોય. તેમાં, 14 વર્ષ માટે રામના વનવાસની વાત આવે છે. જેનું પ્રતિરૂપ છે પાંડવોનો 13 વર્ષનો વનવાસ. રાજસ્થાનનો ઇતિહાસ આવા પ્રસંગોના પ્રવાહનાં અસંખ્ય ઉદાહરણો પૂરાં પાડે છે. એક રાજકુમારને પોતાના કુટુંબમાં સ્થાન મળતું નથી અને તેને હાંકી કાઢવામાં આવે છે, નિર્વાસિત થાય છે અને, બીજી કોઈ જગ્યાએ પોતાનું રાજ્ય સ્થાપે છે આ મૂળ કથા હતી. અને કથાનક તેનું સ્વરૂપાંતર હતું. પણ અહીં પુરાકથાઘટક પછીથી આરોપવામાં આવેલું. કોઈ સંભવતઃ એવી પણ અટકળ કરી શકે કે, મૂળ કથા ઈશુ નદીના કિનારા પરની પોતાની જાતિના કેન્દ્રમાંથી ઇક્વાકુ રાજકુમારનું નિર્વાસન દર્શાવે અને સરયૂ નદીની ભૂમિમાં પાછો આવે. આથી કૈકેયીની ભૂમિકા, ભરત-શત્રુઘ્નના કેયીના ઘરમાં શિક્ષણનો ખુલાસો મળે છે. નિર્વાસિત રાજકુમારને પોતાની માતા-કોસલની સ્ત્રીના ઘરમાં આશરો મળે અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપે. આવી અટકળો રજૂ કરવી સરળ છે પણ પ્રમાણોથી સમર્થન કરવું મુશ્કેલ છે. 70. ખંડ આ પ્રમાણે છે. अव्वाचि सुभगे भव सीते वन्दामहे त्वा / यथा नः सुभगा ससि यथा नः सुफलाऽससि // इन्द्रः सीतां निगृह्णातु तां पूषाऽनु यच्छतु / सा नः पयस्वती दुहाम् उत्तरामुत्तरां समाम् // ગ્રાસમેન; ઓ સમૃદ્ધ ચાસ, અમારી પાસે આવ, અમે તારી પૂજા કરીએ છીએ જેથી તું અમને સમૃદ્ધ અને ધનિક બનાવે. ઈન્દ્ર ચાસમાં આવે અને પૂષનું તેને માર્ગદર્શન આપે. તારામાં પ્રવાહ હોય જે અમને દરેક અનુગામી વર્ષે અત્રમાં સમૃદ્ધ બનાવે. લુડવીશઃ ઓ સુભગા સીતા, અહીં આવ, અમારો પૂજ્યભાવ તારા પર વર્ષાવીએ છીએ, જેથી તું અમારા તરફ માયાળુ બને. ઇન્દ્ર ચાસને ખોલી નાખે. પૂષનું તને માર્ગદર્શન આપે, તું દૂધથી ભરપૂર હોવાથી આગળને આગળ વહે (કારણ કે તું દૂધથી ભરપૂર ભવિષ્યમાં દર વર્ષે રહી છે.) 71. ઋગ્વદમાં વૃષાકપિ દ્વારા ઇન્દ્રાણીનું હરણ એ એવું સમાન ઉદાહરણ છે. છતાં, આ અશ્લીલ સૂકત અસ્પષ્ટ છે. સંભવતઃ વૃષાકપિ એ પુરાકથાની વ્યક્તિ છે જ નહીં પણ કશું અશ્લીલ એનાથી સૂચવાય છે. 72. વિભીષણની પત્નીનું નામ પણ સરમા (7-12) છે. રામ” શબ્દનો અર્થ વેદમાં “શ્યામ રંગના' એવો થાય છે પણ, પ્રશિષ્ટ સંસ્કૃતમાં “આનંદજનક અથવા ‘સુન્દર' અર્થ થાય છે. પણ તે રામ શબ્દથી સૂચવાતી ચોક્કસ પુરાકથાની વ્યક્તિઓ વિશે કોઈ સૂચન કરતો નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ 124 રામાયણ 74. રામ અને ઇન્દ્રની એકરૂપતા માટે ઉપર જે કહ્યું તે ઉપરાંત, રામ ૩-૨૭માં ત્રિશિરનો વધ કરે છે. જ્યારે ઇન્દ્ર ત્વષ્ટાના પુત્રને મારી નાખે છે. ખૂંધી મંથરાના કપટને કારણે, રામને વનવાસ થયો હોવાથી ઈન્દ્ર વિરોચનની પુત્રી મન્થરાને મારી નાખે છે. વિષ્ણુપુરાણના પાંચમા સર્ગ પ્રમાણે, તે રાક્ષસોને મારી નાખે છે, ધનુક અધ્યાય 8, પ્રલમ્બ 9, હુષ્ટિક 20, દ્વિવિદ 36. 76 . બર્લીનમાં સાયન્સ એકેડેમીની બેઠક પરના રીપોર્ટમાં વેબર XXX VIII પૃ. 818, નોંધ 2. સરખામણી માટે રામના રાવણ સાથેના નિર્ણયાત્મક યુદ્ધમાં ઇન્દ્ર રામને પોતાનાં રથ, બશ્વર અને શસ્ત્રો આપે છે. તે પણ નોંધવું જોઈએ. આ વાર્તા ભરતની વિદાય અને શૂર્પણખાના આગમનની વચ્ચે આવે છે. અને તેને પ્રક્ષિપ્ત આપણે ગણી શકીએ. અત્રિ અને અગત્યના આશ્રમોની મુલાકાતોનો ઉદ્દેશ આ ઋષિઓના સંપર્કમાં રામને લાવવાનો છે. બીજા કાંડમાં રામની ભરદ્વાજની મુલાકાત જેટલી જ તેમનામાં નવીનતા છે. ત્રીજા કાંડના આરંભમાં, સાહસ યુગ્મો એ હકીકત દર્શાવે છે કે, ભરતની વિદાય અને શૂર્પણખા સાથેનું સાહસ એ બે વચ્ચેનાં પસાર થએલાં 11, 12 વર્ષો તદ્દન નિરર્થક ન હતાં. હકીકતમાં તો, અત્યારના પાઠ પ્રમાણે પમ્પા સરોવરના તટે, રામે કશું કર્યા વગર દસ વર્ષો પસાર કર્યા એવી છાપ ઊભી કરવામાં આ ઘટનાઓ પૂરતી નથી. મૂળ કાવ્યમાં વનવાસીઓ ચિત્રકૂટ (2-117-14) છોડ્યા પછી, આગળ વધ્યા (3-11-1-5) અને પંચવટી આવ્યા. ત્યાં તેઓ સ્થાયી થયા. ત્યાં કેટલીક ઘટનાઓ બની જેનાથી, કથાનો બીજો ભાગ શરૂ થાય છે. કાવ્યના પ્રમાણભૂત ભાગોમાં, દેવો બહુ જ ઓછો હસ્તક્ષેપ કરે છે. તેમાં પણ વિષ્ણુ અને શિવનો જરા પણ હસ્તક્ષેપ નથી. પણ ઇન્દ્ર પોતાનો રથ અને બદ્ધર રામને આપે છે. ગરુડ ઇન્દ્રજિતના ધનુષ્યની ચમત્કારિક શક્તિનો નાશ કરે છે. અગ્નિ સીતાની શુદ્ધિની સાહેદી આપે છે. ખરેખર આ ભાગ મૂળનો હોય તો. સૂર્યદિવ અને ચંદ્રદેવ સુગ્રીવ અને હનુમાનના અનુક્રમે પિતા છે. આંખે ઊડીને વળગે તેવા વિરોધ રૂપે, છેલ્લા કાંડમાં એક પણ વાર્તા એવી નથી કે જેમાં કોઈને કોઈ દેવ આવતા ન હોય. 80. એવી ઘણી એમના વિશે પુરાણકથાઓ છે જેમાં તેમનું કોઈ સન્માન નથી. એટલે વિષ્ણુની પત્ની ઇન્દીરા કહેવાય છે. 82. ગ્રીઅર્સન સાથે સરખાવો. હિન્દુસ્તાનની આધુનિક પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય (ભાગ-૧, 1888) પૃ. 42. તે તુલસીદાસના રામાયણ વિશે કહે છે : ભાગલપુરથી પંજાબ અને હિમાલયથી નર્મદા સુધીના સર્વ વર્ગોમાં તેની સાર્વત્રિક સ્વીકાર થયો છે. તે નોંધપાત્ર છે કે દરેકના હાથમાં તે છે, દરબારથી તે ઝૂંપડી સુધી અને હિન્દુ સમાજના દરેક વર્ગ દ્વારા વાંચવામાં Page #134 -------------------------------------------------------------------------- ________________ હર્મન યાકોબી 125 કે સાંભળવામાં આવે છે અને, માણવામાં આવે છે. પછી તે ઉચ્ચવર્ગનો કે નિમ્ન વર્ગનો હોય, શ્રીમંત હોય કે ગરીબ યુવાન હોય કે વૃદ્ધ (ગ્રાઉઝનો રામાયણનો અનુવાદ). જયારે ગ્રીઅર્સન કહે છે આ છૂટછાટના જમાનામાં, રામાયણ કરતાં કોઈ ગ્રંથ વધુ શુદ્ધ હોઈ ન શકે. આપણે એ ભૂલવું ન જોઈએ કે, આ ગુણ તો વાલ્મીકિના રચનાનો છે. વાલ્મીકિની નૈતિક શુદ્ધતા વિશે, પહેલા અને છેલ્લા કાંડની અશ્લીલ વાર્તાઓ હોવા છતાં, કડકમાં કડક ટીકાકાર પણ શંકા ઉઠાવી શકે નહીં. તુલસીકૃત રામાયણની નૈતિક શુદ્ધિએ જો તેને સાર્વત્રિક માન્યતા મેળવી આપી હોય, તો આપણે એજ કારણથી એમ માની શકીએ કે તેના બે હજાર વર્ષ પહેલાં પ્રગટેલા મૂળ સ્વરૂપને પણ પ્રાચીન ભારતનાં જનોનાં હૃદય જીતવામાં સહાય કરી હશે ! Page #135 -------------------------------------------------------------------------- _ Page #136 -------------------------------------------------------------------------- ________________ - 500.00 लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामन्दिर द्वारा प्रकाशित अद्यतन प्रकाशनों की सूची 146 કૌટિલીય અર્થશાસ્ત્ર (શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈગ્રંથશ્રેણી : 2004-2005), પ્રા.નીતીન 2. દેસાઈ 147 આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન 500.00 દિલીપ ચારણ, પૃ.૧૦+૨૯૭ (2010) 148 સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાંગિરનાર (સંબોધિ-પુરાતત્ત્વ-વિશેષાંક-૨) 200.00 પ્રો.મધુસૂદન ઢાંકી, પૃ.૧૦+૧૫૦+ 30, 2010 149 શ્રીત્રિવિક્રમભટ્ટ પ્રતા મયન્તી-થી-ચપૂ. 250.00 સંપા. : મહોપાધ્યાય વિનયસાર, પૃ. 3 + રૂદ્ર (2010) 150 An Outline of the Avasyaka literature 1000.00 by Ernst Leumann (Eng. Trans. from German by George Baumann) 151 जैन दर्शन में द्रव्य, गुण और पर्याय की अवधारणा 250.00 प्रो.सागरमल जैन, प्रथम संस्करण 2011, पृ.८+७६ 76 નૈનન માલિન ર૬.૦૦ प्रो.दलसुख मालवणिया, द्वितीय संस्करण, 2012, पृ. 64 152 ભારતીય દર્શનોમાં પરિણામવાદ, .OO (સાંખ્યયોગ-ન્યાયવૈશેષિક-બૌદ્ધ-જૈન-કેવલાદ્વૈત વેદાન્તદશમ7 પ્રો.વસંત પરીખ, 2012, પૃ. 10+ 86 153 રામાયણ 250.00 હર્મન યાકોબીના Das Ramayanaના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં અનુવાદ ડૉ.વિજય પંડ્યા, 2012, પૃ. 8+128 154 શાંતિનાં સ્વરૂપો 250.00 ડૉ.હોમી ધાલાના "Many Faces of the Peace" નો અનુવાદ ડૉ.શ્રીદેવી મહેતા, 2011, પૃ. 8+ 128 The Central Philosophy of Jainism (Anekanta-Vada) 150.00 Bimal Krishna Matilal, II-Edition 2012, pp. 10 + 80 काश्मीर शिवाद्वयवाद में प्रमाण-चिन्तन (In Press) प्रो.नवजीवन रस्तोगी, प्रथम संस्करण 2013, पृ. 16+ 235