Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj
Catalog link: https://jainqq.org/explore/004868/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री. अभयदेवसूरि ज्ञानमंदिर : कपडवणज નવાંગીવૃત્તિકાર શ્રી. અભયદેવસૂરિ [ આગમપ્રભાકર મુનિરાજ શ્રી. પુણ્યવિજયજી મ. ની પ્રેરણાથી ] : લેખક : અધ્યાય બેચરદાસ જીવરાજ દોશી પ્રકાશકઃ— વાડીલાલ એમ. પારેખ કપડવણજ / ઉદ્દઘાટન : વિ. સ. ૨૦૧૦ વૈશાખ સુદિ ૫ : તા. ૭-૫-૧૯૫૪, શુક્રવાર Page #2 -------------------------------------------------------------------------- ________________ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ रयो बप्पभट्टाख्या अभयदेवसूरयः। माचार्याश्च मलयगिर्याद्याश्चाऽभवन् परे ॥ (શ્રી વિનયવિજય ઉપાધ્યાય; યુગપ્રધાનસંબંધ, લોકપ્રકાશ) જગતમાં જે દેશમાં અને જે કાળમાં જ્યારે જ્યારે પ્રજાને ભીડ પડી છે ત્યારે ત્યારે કેઈ ને કઈ ભીડભંજન વ્યક્તિ પ્રજાની વારે આવી જ પહોંચી છે, એ કે પ્રાકૃતિક વા દૈવી નિયમ સનાતન છે માટે જ (ગીતા અધ્યાય ૪ માં) કહેલું છે કે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत !। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ७ ॥ परित्राणाय सा विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ ८ ॥ અર્થાત્ જ્યારે જયારે પ્રજા અધર્મને વશ પડી ભારે મૂઝવણમાં પડે છે, ધર્મને નામે અધર્મ જોર પકડે છે, સાધુપુરુષે સીદવા માંડે છે અને દુષ્ટ લેકે પ્રબળ બને છે તેને તે સમયે પ્રજાના પિકારે જ કોઈ એવી ભીડભંજન વ્યક્તિને પકવે છે કે જેના જન્મથી પ્રજા ફરી પાછી ધર્મને માર્ગે ચડે છે, જડતાનું– અધર્મનું જોર નરમ પડે છે. જૈન શાસનમાં આવી ભીડભંજન વ્યક્તિઓ અનેક થતી આવી છે. દાખલા તરીકે: (૧) જે સમયે કેવળ અંધશ્રદ્ધાએ જોર પકડ્યું ત્યારે આચાર્ય સિદ્ધસેન દિવાકરે જન્મીને એ અંધશ્રદ્ધાના અંધારાને ભેદવા ખરેખરા દિવાકરનું જ કામ કરી બતાવ્યું હતું. [૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ (૨) જે સમયે આચારમાં શિથિલતા વ્યાપી ગઈ અને અનાચારીઓની પ્રબળતા થઈ ગઈ ત્યારે આચાર્ય હરિભદ્ર એ અનાચારનાં જાળાંને તેડી ફરી પાછું સદાચારનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. (૩) સમગ્ર જૈન શ્રત એક સમયે કઠાગ્ર રહેતું, દુષ્કાળની ખતરનાક અસરને લીધે જ્યારે એ શ્રુત નાશની અણું ઉપર આવી પહોંચ્યું ત્યારે શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણે મહાપરિશ્રમ કરીને સમસ્ત શ્રમણ સંઘને વલભીપુરમાં એકઠા કરીને તેને માંડ માંડ માંડ્યું અને સૌથી પ્રથમ પુસ્તકારૂઢ કર્યું. (૪)ફરી પાછું એ જ શ્રુત જ્યારે છિન્નભિન્ન થઈ જવા આવ્યું ત્યારે, પ્રવચનિક પુરુષ યુગપ્રધાન શ્રી અભયદેવસૂરિએ,તેની અનેક જુદી જુદી વાચનાઓ મેળવી, તેમને સરખી કરીને અને અસ્તવ્યસ્ત થયેલા એ શ્રતના પાઠેને મહાપરિશ્રમે ઠીકઠાક કરીને એ મહામૂલા જેન શ્રુતને, તેની ઉપર વૃત્તિઓ રચીને, કાળના જડબામાંથી બચાવી લીધું છે, એટલું જ નહીં પણ કાયમને માટે તે યુતને તેમણે ચિરંજીવ કરેલું છે. માટે જ તેઓ જૈન શાસનમાં મહાકાવચનિક પ્રભાવકની કેટિમાં મોખરે આવે છે અને તેથી જ મહાવૈયાકરણ શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે તેમની ગણના યુગપ્રધાન પુરુષમાં કરી બતાવી છે. આવી ભીડભંજન વ્યક્તિઓને જૈનશાસનમાં યુગપ્રધાન વા પ્રભાવક ગણવામાં આવે છે. જેમના નામ સાથે આ કપડવંજ નગરમાં જ્ઞાનસંસ્થા સ્થપાઈ રહી છે તે આચાર્ય અભયદેવસૂરીશ્વરજી એવા જ યુગપ્રધાન અને પ્રાવનિક પ્રભાવક પુરુષ હતા. પ્રસ્તુત છે માટે કહેવું જોઈએ કે આચાર્ય અભયદેવના સમયે શ્રમસંઘની શિથિલતાને લીધે જેન આગમોની જે અવ્યવસ્થા દુરવ્સ્થા અને દુર્બોધતા હતી તેના કરતાં વર્તમાનમાં તે એ અનેકગણું વધી પડી છે. તેને દૂર કરવા સારુ જૈન સંઘ ધ્યાન નહીં આપે અને નિષ્કિયની પેઠે એ સ્થિતિ તરફ હજુ પણ આંખમીચામણું કર્યા કરશે તે વર્તમાન જૈન આગમ સાહિત્ય ભવિષ્યમાં કેવી ભયાનક પરિસ્થિતિએ પહોંચશે, તે કલ્પના પણ જેન શાસનના પ્રેમીને કમકમા ઉપજાવનારી છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય અભયદેવના સમયે શ્રમણસંઘમાં જે જાતની શિથિલતા હતી તેના કરતાં વર્તમાનમાં બીજી જાતની શિથિલતા વ્યાપી ગઈ છે. વિદ્યાને રસ સુકાવા લાગે છે, આગમન અભ્યાસની પરંપરા તે ક્યારનીય છિન્નભિન્ન થઈ ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં કથાવાર્તા રાસ અને લકરંજન ચાલી રહ્યાં છે. આ સમય વિજ્ઞાનપ્રધાન છે અને જૈનધર્મને છતે કરીને તેના અભ્યાસપ્રચાર દ્વારા જગતમાં શાંતિ પહોંચાડી શકાય તેવા અદ્યતન શુદ્ધ સાહિત્યના નિર્માણને છે. તેવે ખરે સમયે આપણે ઊંઘતા રહેશું અને આગમોની અશુદ્ધ મહા અશુદ્ધ આવૃત્તિઓ કરી કરીને સંતેષ માનીશું તે માનું છું કે આપણે બીજા કેને મૂઢ કહીશું? આશા તે રાખું છું, આવી આવી સ્થપાનારી જ્ઞાનસંસ્થાઓ યુગના પ્રવાહને પારખીને જૈનશાસનની પ્રભાવના વધે તેવી રીત જરૂર અખત્યાર કરશે. અહીં સ્થપાનારી જ્ઞાનસંસ્થા તરફ શુભ લાગણુઓ બતાવવા સાથે મારે બે મુદ્દા તરફ આપ સૌનું ધ્યાન ખેંચવાનું છે. પહેલે મુદ્દો આચાર્ય અભયદેવને ઈતિહાસ. બીજો મુદ્દો કપડવંજની ધર્મપ્રિયતા. સાધક નિસ્પૃહ મુનિઓ વા આચાર્યો સાધનાના ખપપૂરતું સાહિત્ય નિમેં છે. તેઓ પિતે જાતે પિતાના અંગત વિષય સંબંધે ભાગ્યે જ કલમ ચલાવે છે. જુઓ, મહાપ્રભાવક દિવાકરજીએ પિતા માટે ક્યાંય કશે પરિચય આપેલ છે? એવા જ કાંતદશી આચાર્ય હરિભદ્ર પિતાની જાતને કયાંય જરા જેટલી પણ ઓળખાવવા પ્રયાસ કરેલ છે? એ શિષ્ટ પરંપરાના અનુયાયી યુગપ્રધાન શ્રી અભયદેવસૂરિએ પણ પિતાની જાતને તે શું પણ પોતાના મૂળ નામ વગેરેને સુધ્ધાં કયાંય પરિચય આપેલ નથી. તેમણે જે જે અંગસૂત્રે વા બીજા ગ્રંથ ઉપર વૃત્તિઓ લખેલ છે તેમાં દરેકમાં અંતભાગે પોતાની ટૂંકી વંશાવલી-માત્ર ગુરુપરંપરા આપેલ છે. ૧ જુઓ સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગવૃત્તિ, ભગવતીવૃત્તિ, જ્ઞાતાસુત્રવૃત્તિ, પ્રશ્ન- વ્યાકરણુસૂત્રવૃત્તિ અને પાકિસૂત્રવૃત્તિની પ્રશસ્તિઓ. Page #5 -------------------------------------------------------------------------- ________________ એ ગુરુપર'પરામાં ગુરુનુ નામ, ધર્મ કુલ તરીકે ચાંદ્રકુલ, કઈ વૃત્તિ ક્યા ગામમાં કર્યો વર્ષે અને કયે સ્થાને રહીને કરી તે, રચેલી વૃત્તિનુ લેાકપરિમાણુ, વૃત્તિ રચવામાં જેમણે જેમણે સહાયતા આપી હોય તેમનાં નામ તથા જેમણે પોતે કરેલી તમામ વૃત્તિઆને શેાધી આપેલ છે એટલે તે તમામ વૃત્તિને આખેઆખી જોઈ તપાસીને તેમના ઉપર પ્રામાણ્યની મહાર કરી આપવા જેમણે સČથા નિસ્પૃહભાવે કેવળ શ્રુતભક્તિથી મહાપરિશ્રમ ઉઠાવેલ છે તેમની હકીકત કૃતજ્ઞતાપૂર્વકના નિર્દેશ-એ બધુ તેઓએ લગભગ પ્રત્યેક વૃત્તિને છેડે નાંધેલ છે તથા એ સાથે સાથે તે તે વૃત્તિમાને રચવાનું પ્રયાજન—વિશિષ્ટ પ્રયેાજન–વૃત્તિની આદિમાં કે અંતમાં વા કાંક અને સ્થાને ખતાવેલ છે. તેમણે કરેલા પ્રયેાજનના આ નિર્દેશ જ તેમના સમયની પરિસ્થિતિ ઉપર ઘણા સારા પ્રકાશ પાડે છે. આ સિવાય તેઓ પેાતાની મુનિવ’શાવલી શરૂ કરતાં પહેલાં જ કેટલેક સ્થળે શ્રીમઢાવીરાય નમઃ। શ્રીપાર્શ્વનાથાય નમઃ। એ રીતે બન્ને તીનાયકાને પણુ સ ંભારતા રહ્યા છે. જોકે વૃત્તિાના પ્રારંભમાં તા કેવળ શ્રીવ માનસ્વામિને નમસ્કાર કરવાના નિર્દેશ છે અને અંતમાં તેમને તી નાયકેને કયાંય કચાંય સભારે છે તે પણ કાઈ વિશિષ્ટ વૃત્તાંતનું સૂચક છે, જે વિશે આગળ કહેવામાં આવશે. પ્રયેાજનના નિર્દેશમાં જે ઇતિહાસ છુપાયેલ છે તેના થાડા ઉલ્લેખ અહી થઈ જાય તા અસ્થાને નથી. પ્રત્યેાજન ખાખત લખતાં તેઓ જણાવે છે કે ૨આગમાના અભ્યાસ–પરિશીલનના સંપ્રદાય ટકી શકયો નથી, તે વિશેની તક - દૃષ્ટિએ થતી ચર્ચા અટકી ગઈ છે, આગમાના મનન-ચિંતનની ચાલી આવતી પરંપરા વીસરાઈ ગઈ છે, આગમાની વાચનાઓનુ પણ વૈવિધ્ય છે, આગમાની લખેલી પેાથીએ પણ અશુદ્ધ રીતે લખાયેલી ૨જીએ સ્થાનાંગવૃત્તિની પ્રાસ્તિઃ સńવાયદીનવાત્ યાદિ શ્લોક. *] " Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ છે, કયાંય કયાંય આગમેના અર્થ વિષે મતભેદે પણ પ્રવતે છે, આગામે બાબત દુરસંપ્રદાય પ્રવર્તી રહ્યો છે, એટલે જે પરંપરા ઉપલબ્ધ છે તે પ્રામાણ્ય પ્રાપ્ત નથી, પિથી લખવામાં બેકાળજીપણાને લીધે આગમે ખિલ–ખંડિત થઈ ગયા છે, ઉપલબ્ધ લિખિત પુસ્તક વિગુણ છે, આગમનાં કૂટ પુસ્તકને પ્રચાર થઈ રહ્યો છે, વાચનાના ભેદે અપાર છે, આવા આવા હેતુને લીધે આગમે મહાદુર્બોધ બની ગયા છે. જે જ્ઞાન ઉપર સંયમ સદાચાર ત્યાગ બ્રહ્મચર્ય વગેરે સાધુએની ચર્ચાને મૂળ આધાર છે તે જ્ઞાન મૂળ આગમમાં જ ઉપલબ્ધ છે એથી આગમ પિતે જ વ્યવસ્થિત વાચનાવાળા અને વ્યવસ્થિત પાઠવાળા ન હોય તે પછી મુનિઓને સંયમધમ શેના આધારે ટકે? આ બધી પરિસ્થિતિને જોઈ–સમજી આગમની તરફ અસાધારણ ભક્તિ ધરાવનાર સમ્યક્ જ્ઞાન દર્શન અને ચારિત્રના આરાધક એવા શ્રીઅભયદેવસૂરિને તેમના ઉપર વૃત્તિ લખવાની પ્રેરણા થઈ આવે એ સહજ હતું એટલું જ નહીં પણ પિતે આદરેલી વૃત્તિએ લખવાની પ્રવૃત્તિ ઉપરના અનુચિત આક્ષેપોને પણ તેઓએ સામને કરેલ અને તેમની સામે ઊભી થયેલી વિનપરંપરાને પહોંચી વળવા સુધાં તૈયારી દાખવેલી. પ્રભાવકચરિત્રકાર તેમના વિશે લખતાં કહે છે કે આચાર્ય અભયદેવના શરીરમાં થયેલ રક્તવિકારને વ્યાધિ જોઈને તેમના સમયના લેકે એટલે સાધુઓ વા ગૃહસ્થ એમ કહેવા લાગેલા કે આચાર્યો અંગે ઉપર લખેલી વૃત્તિઓમાં ઉત્સુત્રપ્રરૂપણ આવી જવાને લીધે તેમને શિક્ષારૂપે કોઢ જે ભયંકર વ્યાધિ ન થાય એમ કેમ બને? એ રીતે તે સમયના આચારહીન જડ લેકેએ ૩ જુઓ પ્રભાવચરિત્ર-ઓગણીશમે શ્રીઅભયદેવસૂરિચરિતપ્રબંધ ક્ષેત્ર ૧૩૦, જુઓ ટિપ્પણ ૧૪ મું. તથા લે. ૧૩૧– “ अमर्षणजनास्तत्र प्रोचुरुत्सूत्र देशनात् । वृत्तिकारस्य कुष्ठोऽभूत् कुपितैः शासनामरैः ।। Page #7 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઓની રચના અને રંગ વચ્ચે કાર્યકારણની સાંકળ સુધ્ધાં બેસાડી દીધેલી. આચાર્ય પિતે તે કોઢ જેવા મહાવ્યાધિથી ઉત્પન્ન થયેલા મરણના ભયને લીધે એટલા દુઃખી ન હતા જેટલા દુ:ખી વૃત્તિઓ ઉપરના અનુચિત આક્ષેપને લીધે હતા. અરેતેઓ એવા દુ:ખી થઈ ગયા હતા કે આવા અગ્ય આક્ષેપને લીધે પ્રચાર પામતી જૈન શ્રતની અપભ્રાજનાને લીધે તેમને એક વખત અનશન કરવાને વિચાર સુધ્ધાં થઈ આવેલે. - આચાર્ય અભયદેવનાં જન્મસ્થાન, માતાપિતા, જાતિગોત્ર, ધરેજગાર વગેરે વિશે જે ઘણું થડી હકીકત મળે છે તે સૌથી પહેલાં વિક્રમ સંવત ૧૩૩૪માં લખાયેલ “પ્રભાવક ચરિત્રને આધારે સચવાયેલ છે. અને ત્યારપછી એને મળતી આવે એવી અને એટલી જ હકીક્તને આશરે સેળમા સૈકામાં સંકળાયેલા એવા સાવ અર્વાચીન પુરાતનપ્રબંધસંગ્રહને પણ ટેકે છે. વિક્રમ સંવત ૧૩૬૧ માં રચાયેલા પ્રબંધચિંતામણિ તથા સંવત્ ૧૩૮૯ માં ગૂંથાયેલા “તીર્થકપમાં પણ આચાર્ય અભયદેવ વિશે જે ડી ડી હકીક્ત મળે છે તેમાં તેમના જન્મસ્થાન વગેરે વિશે કશી માહિતી સાંપડતી નથી. આ ઉપરાંત સુમતિગણિ ૪ જુઓ પ્રભાવરિત્ર–અભયદેવસૂરિચરિત શ્લ૦ ૧૩૬– "निशम्येति गुरुः प्राह नातिमें मृत्युभीतितः । रोगाद् वा पिशुना यत्तु कद्वदा तद्धि दुस्सहम् ॥" ૫ જુઓ પ્રભાવક ચરિત્રપ્રશસ્તિ લે. ૨૨. ર-નસ-શો-શાવાદ ૬ જુઓ પુરાતનપ્રબંધસંગ્રહની પ્રસ્તાવના. 'છે જુઓ પ્રબંધચિંતામણિપ્રશસ્તિ ૦ ૫. ૮ જુઓ તીર્થકલ્પપ્રશસ્તિ લે. ૩ તેન્દ્ર-રાજા-ર-શોતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય ચારિત્રસિંહગણિએ, સાંકળેલા ૯ગણધરસાર્ધશતકાન્તર્ગત પ્રકરણમાં તથા સોળમા સૈકાના સેમધર્મગણિએ રચેલી ઉપદેશસપ્તતિકામાં પણ આપણા નાયક વિશે ડી ઘણું હકીક્ત મળી આવે છે. છતાં તેમાં તેમના જન્મસ્થાન વગેરેની હકીકત તે નથી મળતી. આચાર્ય અભયદેવ વિશે પૂક્ત જે જે ગ્રંથમાં થોડી ઘણું હકીકત મળે છે તે બધાય ગ્રંથે તેમના પછીના લગભગ બે સૈકા જેટલા મેડા છે અને એમ કહેવાથી જ એ બધા ગ્રંથે એમના વિશે પૂરેપૂરી ચક્કસ માહિતી પૂરી પાડી શકતા નથી, એટલું જ નહીં પણ જે કાંઈ ડી ઘણું અધૂરીય માહિતી આપે છે તેમાં કેટલીક દંતકથામય અને ચમત્કારથી ભારેભાર ભરેલી છે. સંભવ છે કે બસો વરસના ગાળામાં કઈ પણ બાબતને પૂરેપૂરો ચોક્કસ વૃત્તાંત ન પણ જળવાય. . આજે પણ જે એક માહિતી સાંભળી હેય પછી તે જ માહિતી બેચાર મુખે ફરે વા બેચાર ઘરે આથડે અને એમ કરતાં બેચાર દિવસ વીતી જાય તે પછી એ અસલ માહિતી અક્ષરશ: મેળવવી કઠણું થઈ પડે છે, તે પછી બસે વરસના ગાળામાં લખાયેલ પ્રબંધગ્રંથ એ અસલ હકીકતને બરાબર પૂરેપૂરી ચકકસાઈથી શી રીતે જાળવી શકે? આમ છે માટે જ પ્રભાવકચરિત્ર વગેરે પૂર્વોકત બધા પ્રબંધ માં તેમના વિશે જે જે માહિતી સચવાયેલ છે તેમાં પૂર્વાપર કમ પણ એક સરખો સચવાયેલ હોય એમ જણાતું નથી. તીર્થકલ્પમાં, ગણધરસાર્ધશતકાંતર્ગત પ્રકરણમાં અને ૯ જુઓ ગણધરસાર્ધશતકતગત પ્રકરણ-ચારિત્રસિહગણિ. ૧૦ ઉપદેશસપ્તતિકા–સેમધર્મગણિ. ૧૧ જુઓ તીર્થકલ્પ પૃા ૧૦૪ કલ્પ ૫૯ "तओ उवसंतरोगेण पहुणा xxx कालाइकमेण कया ठाणाइनवंगाणं वित्ती" ૧૨ જુઓ ગણધરસાર્ધ શતકાંતર્ગત પ્રકરણ પૃ૦ ૧૩-૧૪ “તતઃ શ્રીમહમદેવ Page #9 -------------------------------------------------------------------------- ________________ 13ઉપદેશસતિકામાં જણાવેલ છે કે શ્રીયંભણુપાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના પછી તેમને મહારગ શમી ગયે અને પછી તેમણે સ્વસ્થ થયા બાદ અંગે ઉપર વૃત્તિઓ લખવી શરૂ કરી. ત્યારે ૧૪પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં એ ઉલ્લેખ છે કે અંગ ઉપર વૃત્તિઓ લખ્યા પછી તેમને એ મહારોગ પેદા થયે અને પછી થંભણપાર્શ્વનાથની સ્થાપના-ઉપાસના બાદ શમી ગયે. વળી તેમને કયે રેગ થયેલો? એ વિશે પણ પૂર્વોક્ત બધા ગ્રંથમાં એકમત નથી. પ્રબંધચિંતામણિ અને ઉપદેશસસતિકા તેમને કઢ થયાનું સ્પષ્ટ જણાવે છે, ત્યારે ૧૯તીર્થકલ્પ તેમને કે બીજા મહાવ્યાધિને લીધે અતિસાર-સંગ્રહણી–વગેરે વ્યાધિઓ થયાનું सूरिस्थापितः स श्रीमान् स्तम्भनकपार्श्वनाथः । ४। भगवन्तोऽपि ततः स्थानात શ્રીષ્મદિવસને સમાગમુ: | ૪ | ચિતૈણ તગ નવાનો ૪ તા. ક્રમમિરે” (૧૩ જુઓ ઉપદેશસણતિકા બીજો અધિકાર– રાબરd: જયં માતઃ” ઈત્યાદિ લો. ૧૧ તથા તવાઇ રોગનિર્મા: x x x ચત્તે વિતી મ” ક. ૨૦. ૧૪ જુઓ પ્રભાવક ચરિત્ર–અભયદેવસૂરિચરિત લે૧૧૩– “અવરોનૈવ સંપૂff નવા વૃત્તાંતતઃ ” તથા “મારામાસ્ત્ર છાત નિરાયામતિના રાતા યાયાવાનું પ્રમોશે રોષો સુચતિઃ ” ૦ ૧૩૦ ૧૫ જુઓ પ્રબંધચિંતામણિ પૃ૦ ૧૪૮ રતૈમન પાર્શ્વનાથ પ્રાદુર્ભાવ ૨૨૧ ૧૬ જુઓ પુરાતનપ્રબંધસંગ્રહ પૃ. ૯૫-૯૬ શ્રીઅભયદેવસૂરિપ્રબંધ. " प्रभुभिम्रन्थसंपूर्णतावधि यावद् आचाम्लाभिग्रहोऽग्राहि, संपूर्णेषु ग्रन्थेषु x xx “આarઋતવા ઝગારનિ ૨ ગમળt wવારો નાતઃ ” ૧૭ જુઓ ટિપણ પંદરમું. ૧૮ જુઓ ઉપદેશસમિતિકા બીજો અધિકાર “કુછવ્યાધિમૂત્રે ૦ ૩ ૧૯ જુઓ તીર્થકલ્પ પૃ. ૧૦૪ પંક્તિ ૨૯– “તાથ મહાવહિવળ કલાકારોને ના” Page #10 -------------------------------------------------------------------------- ________________ નોંધે છે. વળી, ૨પ્રભાવકચરિત્ર 'પુરાતનપ્રખ ધસ ગ્રહમાં તેમને રક્તવિકાર-લેાહીવિકાર થયાના ઉલ્લેખ છે. ત્યારે રરગણધરસા - શતકાંત ત પ્રકરણમાં તેમને શરીરની કાંઈક અસ્વસ્થતાને લીધે કાઈ દુષ્ટ રાગ વધ્યાની હકીકત મળે છે. ઉપર જણાવેલ બધી જુદી જુદી હકીકતા ઉપરથી આચાર્ય અભયદેવ વિશે જે જે નિશ્ચિત હકીકતા તારવી શકાય છે તે અધી આ પ્રમાણે છે: ૧. તેમને કાઈ ખાસ રાગ થયેલેા હતેા. ૨. તેમણે શ્રી ભણુપાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના કરી હતી. ૩. ૧૧૨૦ વિક્રમ સંવતમાં તેમણે વૃત્તિઓ લખવાની શરૂઆત કરેલી. ૪. તેમણે જે જે વૃત્તિઓ અંગે ઉપર લખી તે વિશેષે કરીને પાટણમાં રહીને લખી અને પચાશકની વૃત્તિ ધાળકામાં રહીને લખી. ૫. જોકે તેઓ પ્રશસ્તિમાં કયાંય ભણુપાર્શ્વનાથ વિશે કશું જણાવતા નથી, તેમ પેાતાના રેગશમન વિશે પણ કાંઈ સૂચવતા નથી, છતાં પ્રશસ્તિઓમાં તે કાંય કચાંય તીથ કરીમાં ભગવાન મહાવીર ઉપરાંત કેવળ ભગવાન પાર્શ્વનાથને . ૨૦ જીએ ટિપ્પણી ૧૪. શોષો દુરાતિઃ '' ક્લે ૧૩૦, ૨૧ જીઓ ટિપ્પણ ૧૬ --' ર્ વેજારો લાતઃ । "" ૨૨ જુએ ગણવરસા શતકાંતત પ્રકરણ પૃ૦ ૧૩~~ 66 'तत्र च किचित् शरीरापाटवकारणं बभूव, यथा यथा औषधादि प्रयुज्यते तथा तथा असौ दुष्टरोगो वरिवर्धते । ,, ૨૩જીએ સ્થાનાંગવૃત્તિના પ્રાંતભાગ—— ♡ " नमो भगवते वर्तमानतीर्थनाथ य श्रीमन्महावीराय | नमः प्रतिपन्थिसार्थ प्रमथनाय श्रीपार्श्वनाथाय" । [3 Page #11 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર કરે છે, તેમાં તેમની શ્રી પાર્શ્વનાથ તરફની અસાધારણ ભક્તિનું સૂચન છે. અને તેમની થંભણ પાર્શ્વનાથની ઉપાસના આ સૂચનમાં સમાયેલી હેય એ સુસંભવિત છે. તેમના જમાનાની આચારે શિથિલ એવી ચિત્યવાસી સાધુઓની પરંપરામાં પણ એક એવી મુનિમંડળી હતી, જે આગમે તરફ દઢ ભક્તિ ધરાવતી હતી, આગમોનાં અભ્યાસ મનન અને ચિંતનની પ્રામાણિક પરંપરાને સાચવનારી હતી અને તે જમાનામાં જે સુવિહિત મુનિઓ ગણાતા તેમના કરતાંય આ ત્યવાસીની શિથિલ મુનિમંડળી આગમેની બાબતમાં વિશેષ પ્રામાય ધરાવતી હતી, જેને લીધે શુદ્ધ ક્રિયાપાત્ર એવા અભયદેવને પણ પિતાની વૃત્તિઓને શોધી આપવા અને તેમાં પ્રામાયની મહેર મેળવવા એ અશુદ્ધ ક્રિયાપાત્ર એવી મંડળીને આશ્રય લે પડો. ૭. સૌથી વધારે મહત્વની તે જમાનાની ઐતિહાસિક બાબત તે પ્રજનના નિર્દેશમાં ખરેખર છુપાયેલ છે. આમ આ સાત બાબતેમાંની છેલ્લી બે વિશે થોડું સ્પષ્ટીકરણ કરવું વિશેષ જરૂરી છે. પણ તે કરતાં પહેલાં શ્રીઅભયદેવસૂરિએ પિતે બતાવેલા પિતાના પ્રથમ વૃત્તિ રચવાના સમયના નિર્દેશ દ્વારા તેમનાં જન્મ, દીક્ષા અને આચાર્યપદ વિશે આમ કલ્પના કરી શકાય : ૧. વિક્રમ સંવત ૧૦૮૮ તેમને જન્મ. ૨. સોળમે વર્ષે દીક્ષા એટલે ૧૧૦૪ માં દીક્ષા. ૩. ૧૧૦૪ પછી ૧૧૧૪ સુધી સંયમની સાધના અને જ્ઞાનની ઉપાસના અર્થાત્ લગભગ દસ વરસ જેટલા વિદ્યાભ્યાસનો ગાળે. જુઓ સમવાયાંગવૃત્તિની પ્રશસ્તિને પ્રારંભ ___ " नमः श्रीवीराय प्रवरवरपार्वाय च नमः ।" જુઓ જ્ઞાતાધર્મકથાગવૃત્તિની તથા પ્રવ્યાકરણની વૃત્તિની પ્રશસ્તિનો પ્રારંભ “નમઃ શ્રીવર્ધમાનાય શ્રીવમયે ના” Page #12 -------------------------------------------------------------------------- ________________ પછી ત્રણેક વરસ રોગના ઉપશમનના સમય અને પછીનાં છે વરસ વૃત્તિએ રચવાની પૂર્વ તૈયારીના સમય એટલે ૧૧૧૯ સંવત સુધીના ગાળા. ૫. ૧૧૨૦ માં આચાર્યપદ અને વૃત્તિએ લખવાના પ્રાશ, ૬. ૧૧૫૫ લગભગ તેમના નિર્વાણુ સમય, આ રીતે જોતાં તેઓએ એક ઘર સડસડે વર્ષનું આયુષ્ય ભોગવ્યુ` હાય. તેમના જીવનના કેાઈ પ્રસ ંગેા વિશે વા તેમના સંપૂર્ણ આયુષ્યના પરિમાણુ વિશે હજી સુધી કેાઈ સ્પષ્ટ ઉલ્લેખ સાંપડયો નથી તેથી જ તેમના પ્રથમ વૃત્તિરચનાના સમયને ધ્યાનમાં રાખીને અહીં ઉપર જણાવેલી વર્ષની ગણનાને કલ્પવામાં આવેલ છે, એથી અહીં ક૨ેલી વર્ષોની ગણના તદ્દન ખરેખરી હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એ ખાખત જે કાઈ પ્રામાણિક ઉલ્લેખ જડી, જાય તે આ કલ્પનાને નરી કલ્પના જ સમજી લેવી. શ્રીઅભયદેવ પોતે જણાવે છે કે તે ર૪પાટણમાં રહીને વિક્રમ સંવત ૧૧૨૦ માં સ્થાનોંગ, સમવાયાંગ અને જ્ઞાતાધમ કથાંગની વૃત્તિએ લખેલી છે. પછી ધોળકામાં રહીને રપ૧૧૨૪ માં સુવિહિતશિરોમણિ આચાર્ય હરિભદ્રકૃત પચાશક ઉપર વૃત્તિ રચેલી છે. અને ત્યાર બાદ ૨૬૧૧૨૮ માં પાંચમા અંગ વ્યાખ્યા પ્રસ અથવા ભગવતી સૂત્ર ઉપર વૃત્તિ રચેલી છે. અને આ સિવાય બીજી ખીજી જે નાની વૃત્તિ અને કૃતિઓ લખેલી છે તેમાં જ્ગ્યા સાલ તેઓએ આપેલ નથી. એથી જન્મ અને દીક્ષા વચ્ચે સાળ વરસના ગાળા રાખી પછી દીક્ષા અને અભ્યાસકાળ દરમિયાન ખીજાં દશ વરસના ગાળા કલ્પ્યા છે અને પછી રાગ તથા તેના શમનનું ત્રણેક વરસનું તથા ૨૪ જુઓ સ્થાનોંગ, સમવાયાંગ, જ્ઞાતાધર્મવૃત્તિઓની પ્રશસ્તિ ૨૫. જુઓ પોંચાશકવૃત્તિની પ્રસ્તિ, ૨૬ જી ભગવતીસૂત્રની પ્રશસ્તિ, [3K Page #13 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઓ રચવાની પૂર્વ તૈયારીનું એ વરસનું અંતર ગાઢવી ૧૧૧૯ સુધી પહોંચી જવાય છે. આ પછી આચાર્ય પદ અને વૃત્તિરચનાના ૧૧૨૦ ના સમય ખરાખર સ`ગત થાય એવી કલ્પના ગેાઠવી છે. તેઓએ આચાય થયા પછી જ બધી રવૃત્તિએ લખી છે એ હકીકત તે તેમના લખાણ દ્વારા સુનિશ્ચિત છે, એટલે ૧૦૮૮ વર્ષે સૂરિ પદ્મની કલ્પના શી રીતે અંધ બેસે ૧૦૮૮ વર્ષ અને પ્રથમ વૃત્તિ રચનાના સમય ૧૧૨૦ એ બે વચ્ચે ખત્રીશ વરસ જેવડા માટે ગાળા છે, એ દરમિયાન એમણે એ ખત્રીશ વરસ કયાં અને કેમ વીતાવ્યાં ? એ પ્રશ્નના ઉત્તર કેવી રીતે મેળવાય ? કદાચ તેમના રાગે શમી જવા માટે એ ખત્રીશ વરસ લઈ લીધાં હાય તા તે ૧૦૮૮ વાળી આચાર્ય પદ્યની કલ્પના સંગત થઈ શકે, પરંતુ એને માટે સવિશેષ પ્રામાણિક આધારની જરૂર તે છે જ. એવા મજબૂત આધાર વિના એ કલ્પના કેવળ કલ્પના જ કહી શકાય. આચાર્ય શ્રીએ પેાતે જ વૃત્તિએ રચવાનાં જે અનેક પ્રયોજના બતાવેલાં છે તેમાં જ તેમના સમયની પરિસ્થિતિને સમજાવવાની પૂરી ઐતિહાસિક સામગ્રી સમાયેલ છે એમ મેઘમ કહેવાથી વા લખવાથી તેમના સમયની પરિસ્થિતિને સ્પષ્ટ ખ્યાલ આવી શકે એમ નથી. માટે જ તે ખાખત પ્રકાશમાં આણુવા અહી જૈન પર પરાના જૂના ઇતિહાસ ઉખેળવા જરૂરી છે. ભગવાન મહાવીરના શાસનની પરંપરા એટલે સર્વાંશે કે ચેટ ઘણે અંશે સાચા ત્યાગવીર સંયમી, અપરિગ્રહી અને બ્રહ્મચારી એવા મુનિઓની પરંપરા અને ગૃહસ્થની પરંપરા. જ્યાં સુધી આત્મા પ્રધાન હતા અને શ્રેયાલક્ષી વૃત્તિ હતી ત્યાં સુધી એ પરંપરા ટકી શકી, પણ જ્યારે આત્માને બદલે પ્રચારલક્ષી પરકલ્યાણ પ્રધાન અન્યું અને વૃત્તિ પ્રેયાલક્ષી બની ત્યારે એ પરંપરાએ ઉપરથી તે ત્યાગીનું અને અંદરથી ભેગીનું રૂપ ધારણ કર્યું. ભ૦ મહાવીરના વનવાસી નિગ્રન્થ વસતિમાં આવતા તેય કયાંય વખા૨૭ જુઓ દરેક વૃત્તિની પ્રશસ્તિ. દરેક પ્રશસ્તિમાં તેમણે પેાતાનુ નામ આચાર્યપદ સાથેનુ અર્થાત્ ‘ અભયદેવસૂરિ ' એમ નિર્દેશલ છે. * ૧૫ ] Page #14 -------------------------------------------------------------------------- ________________ રમાં, કેડમાં, ઉજજડ ઘરમાં કે સ્મશાનમાં રહી પિતાની કઠેર સાધના કર્યા કરતા. આ તરફ લેકના સંસર્ગમાં રહીને બૌદ્ધધર્મ પિતાનું સ્વત્વ ગુમાવીને પણ જેટલે ફેલાયે જતે હતો તેટલે જૈનધર્મ ફેલાતે ન હતા. તે જોઈને ખેદ પામતા તે શ્રમણને જૈનધર્મને ફેલાવે, કરવાના, તેને કાયમ માટે ટકાવી રાખવાના અને લેકેની વધારે સંખ્યાને જૈનધર્મ પહેચે એવું કરવાના કેડ જાગ્યા. એને સિદ્ધ કરવા એ ધુરંધર નિરોએ ચેત્યોને વહીવટ પિતાના હાથમાં લીધે અને પિતાના પરિવારને ચેત્યેની રખેવાળીનું કામ સેપ્યું. ચેત્યેના ગૌખીકે ચિત્યનું દ્રવ્ય ખાઈ જતા, ચૈત્યનાં ખેતરે તથા બાગબગીચાઓને ઉગ એ ગૌખીકે પિતાના અંગત ઉપભેગ માટે કરતા તે બધું આ તપસ્વીઓએ અટકાવ્યું અને ચૈત્યમાં પૂજન દર્શન વંદન માટે આવનારી જનતાને તેઓ પોતાની ત્યાગપ્રધાન ઉપદેશધારાદ્વારા તળ કરવા લાગ્યા. પણ ચેત્યેની આ સંપત્તિ સામે તેમને ત્યાગ વધારે વખત ન ટકી શક્યો અને એ નિગ્રંથનાં સંતાને પિતે ગૌષ્ટીકેની પેઠે જ વર્તવા લાગ્યા, અને કાયમી ચૈત્યવાસી બની ત્યાં ચેચમાં જ પડયાપાથર્યા રહેવા લાગ્યા. ચિની સંપત્તિને ઉપગ પોતે પિતાના ઉપભેગ માટે કરવા લાગ્યા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ નવસે વર્ષ પછી અર્થાત્ વિકમના પાંચમા સૈકામાં આ પરંપરાને જન્મ થઈ ગયે. આચાર્ય હરિભદ્ર પોતે રચેલા સંબધપ્રકરણમાં આ પરંપરાની જે ચર્ચા વર્ણવી છે તે વાંચતાં માલુમ પડે છે કે ચૈત્યવાસી સાધુઓ આચારમાં શિથિલ બન્યા હતા, મુનિ ધર્મના કઠેર આચારને તેમણે તજી દીધા હતા, વેશ તે મુનિને હતે પણ આચાર તે એક ન્યાયનિષ્ઠ ગૃહસ્થ કરતાંય ઊતરતે હતે. તેઓ પિતે અને પિતાના માણસો દ્વારા તમામ ચિત્યનો વહીવટ કરતા અને પિતાના આરામ માટે ચૈત્યદ્રવ્યને સ્વછંદપણે ઉપયોગ કરતા. તેઓ બ્રહ્મચર્યમાં ઢીલા બન્યા, પરિગ્રહી અને વિલાસી પણ થઈ ગયા. ગુરુને વેશ અને તાબામાં સંપત્તિ એટલે પછી શી મણ રહે? આ બધું પણ [ ૨૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મની રક્ષા માટે, ચિની સુરક્ષિતતા માટે અને શ્રી મહાવીરના તીર્થની ચિરંજીવિતા માટે ધર્મને નામે ચાલવા લાગ્યું, એટલે એમની સામેય કોણ થઈ શકે? એ ત્યવાસી સાધુઓ મંત્ર તંત્ર તંત્ર જોતિષ વૈદ્યક અને ધંધારોજગાર વગેરેની લેકપ્રિય પ્રવૃત્તિઓમાં ભારે કુશળ હતા તેથી જનતામાં તેમની ભારે લાગવગ વધેલી. તે સમયના કેટલાક રાજાએ પણ તેમના પ્રભાવમાં આવી ગયા હતા અને શ્રાવકે તે પહેલેથી જ એમના પ્રભાવથી અંજાયેલા હતા. આવી જેનશાસનની ન કલ્પી શકાય એવી ભયંકર દુર્દશા જેવા છતાંય કેની મગદૂર છે કે તેમની સામે એક હરફ પણ કાઢી શકાય ? વિક્રમના આઠમા સૈકામાં થયેલા પ્રખ્યાત સંવેગી આચાર્ય શ્રી હરિભદ્ર જેકે આ પરંપરાને હતા છતાંય તેઓના ખ્યાલમાં જેનશાસનની એ દુર્દશા આવી જ ગયેલી તેથી તેઓએ એને ખૂબ વિરોધ કરે અને એમાં સુધારો કરવા ભારે મથામણ કરેલી. પિતે એ પરંપરાના શેથિલ્યને ત્યાગ કરી સંવેગ માર્ગે ચડયા અને ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજાવવાના પ્રયાસમાં તેમણે પિતાનું આખુંય જીવન વીતાવી દીધું. આ બધી બાબત તેમણે પિતાના ચરણકરણનુયોગને લગતા પંચાશક ષોડશક અણકે સંબેધપ્રકરણ વગેરે ગ્રંથમાં જોરશેરથી જણાવેલી છે. આમ છતાંય કઈ રડ્યાખડ્યા આત્માથી જ એ પરંપરાથી છૂટા રહ્યા અને બહુમતી તે એ પરંપરાની જ ટકી. આમ ઠેઠ વિક્રમના અગિયારમા સૈકા સુધી એમનું તાંડવ ચાલતું રહ્યું અને એને લીધે જ શ્રી અભયદેવસૂરિના કહેવા પ્રમાણે આગમના અભ્યાસની પરંપરા છિન્નભિન્ન થઈ ગઈ આગમને સ્વાધ્યાય તે ટકે પણ શી રીતે ? એ ચૈત્યવાસી મુનિએ ત્યાગની વાણુને બોધનારા આગમના અધ્યયનને મહત્વ શા માટે આપે ? આમ થવાથી જેમનાં અધ્યયન અધ્યાપન વાચના પ્રચ્છના પરા ૨૪] Page #16 -------------------------------------------------------------------------- ________________ વના વગેરે અટકી પડયાં છે એવાં જૈન મૂળસુત્રા અંગો કે ખીજા ગ્રંથાના પાઠ અને વાચનાએ ખંડિત જ થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય, અશુદ્ધિખડુલ થઈ જાય અને ભારે દુર્ગંધ પણ થઈ જાય એ તદ્ન સ્વાભાવિક છે. એટલું જ નહિ પણ આગમાનાં કુટ પુસ્તક પણ લખાયે જાય. માટે જ શ્રીઅભયદેવે પોતે વૃત્તિએ લખતાં જે જે મુસીબતા પડી છે તેની ફરિયાદો નોંધી બતાવી છે, તે એમના કાળની એ ચૈત્યવાસી પર પરાની વાસ્તવિક પરિસ્થિતિની સૂચક છે અને એ જ પરિસ્થિતિએ શ્રીઅભયદેવને અંગે ઉપર વૃત્તિઓ રચવાને પ્રેર્યાં છે. જોકે તેમના સમયે જૈનશાસનની પરિસ્થિતિ ભારે વણસેલી હતી છતાંય આચાર્ય હરિભદ્રની પેઠે તેમના સમયમાંય દરિયામાં મીઠા પાણીની વીરડીની પેઠે કેટલાક મુનિએ સંવેગપક્ષી હતા અને સરખામણીમાં સંચમી તથા શુદ્ધ પ્રરૂપક હતા. રાજા ભીમના સગામાં ગણાતા શ્રીમાન દ્રોણાચાય અને તેમની મ’ડળી તે વખતે પણ ઊંચું માથુ રાખીને પોતાની સચમસાધના કરતી હતી. આગમાનાં સ્વાધ્યાય પઠન-પાઠન વગેરે એ મડળીમાં ચાલતાં હતાં અને એ રીતે એ સડળીને આગમા પ્રત્યે ભારે સદ્દભાવ હતા. એ સમયે જેઓ સવેગપક્ષમાં ગણાતા ત્યાગી મુનિએ હતા તેમાં શ્રીદ્રોણાચાય અને તેમની મંડળી જેવા કોઇ આગમાના અભ્યાસી નહીં હોય તેથી જ પોતાની વૃત્તિએના સશોધન માટે અને તેમની ઉપર પ્રામાણ્યની મહાર મરાવવા માટે ત્યાગી શ્રી અભયદેવને વિશાલ હૃદયવાળા તટસ્થ એવા શ્રી દ્રોણાચાર્ય તથા તેમની મંડળીના આશ્રય મેળવવા પડેલા, એ હકીકતને તે પોતે વૃત્તિની દરેક પ્રશસ્તિમાં લખ્યા વિના રહ્યા નથી, એટલું જ નહીં પણ દરેક પ્રશસ્તિમાં શ્રી દ્રોણાચાય અને તેમની પતિ મડળીના શ્રી અભયદેવે ભારે ૨૯કૃતજ્ઞતાપૂર્વક વાર વાર ઉલ્લેખ ૨૮ જુઓ પ્રશ્નવ્યાકરણવૃત્તિનો આરંભઃ- પ્રાયોઽક્ષ્ય વ્રૂત્તિ ૨ પુસ્તાનિ '' ૨૯ જુઓ દરેક વ્રુત્તિની પ્રશસ્તિમાં આવેલા ગીતાર્થ શ્રીદ્રોણાચાર્યજીના [ + Page #17 -------------------------------------------------------------------------- ________________ કરેલ છે. એ સૂચવે છે કે શ્રી અભયદેવ તથા શ્રી દ્રોણાચાય વચ્ચે એક રીતે જોતાં વિપક્ષભાવ હાવા છતાંય ધષ્ટિએ ભારે સખ્ય હતું. એ મને માર્ટમના ન હોય, ઉદાર ન હાય, એક બીજાની જુદી જુટ્ઠી માન્યતાને સહી લેનારા ન હાય તો કઢી પણ એમના વચ્ચે સખ્ય આદર અને સદ્દભાવ ન રહે અને એમ ન થાય તા અભયદેવની રચેલી વૃત્તિએ શેાધાયા વિનાની જ રહે અને એમના ઉપર આદેયતાની–પ્રામાણ્યની મહાર ન જ વાગે. આ જોતાં દ્રોણાચાય અને તેમની મંડળીનાં ઔદાર્ય, શાસનભક્તિ અને આગમપ્રેમ ભારે અદ્ભુત હતાં એમાં શક નથી રહેતા. જે સમયે પાટણમાં કાઈ સંવેગીને ઊતરવાનું ઠેકાણુંય ન મળે તેવે કપરે સમયે સવેગીને આદર આપવા અને તેમના ગ્રંથાનું સમગ્ર અવલેકન કરી સંશોધન કરી આપવું એ કાંઈ કાઈ કાચી છાતીવાળાનું કામ નથી; એ તો મહાપ્રભાવશાલી ધર્માંના ખરા અર્થમાં પ્રેમી એવા ઉદારમનના શ્રી દ્રોણાચાય જ કરી શકે તથા આ તરફ ત્યાગી અપરિગ્રહી હાવા છતાં ય જે શ્રમણસ ઘે શિથિલાચારી એવા છતાંય આગમભકત શ્રી દ્રોણાચાર્યના સશાધનને કબૂલ રાખ્યું–પ્રામાણિક માન્યું અને તે સ ંશોધનને એક મહેાપકારની જેમ સ્વીકૃતિ આપી તે પણ એક અદ્ભુત ભાવનાનું સૂચક છે. આમ જોકે અભયદેવના સમયની પરિસ્થિતિ જૈનશાસન માટે સુભગ ન હતી છતાંય શ્રીદ્રોણાચાર્ય જેવા ચૈત્યવાસી મહાનુભાવ મહાપુરુષોને લીધે એ અસુભગતાય સહી શકાય એવી હતી એ ભારે સંતાનું કારણ હતું. શ્રીદ્રોણાચાર્યે કેવળ વૃત્તિઓના સંશાધનની પ્રવૃત્તિથી સતાષ ન માનતાં એથનિયુક્તિ જેવા ચણકરણપ્રધાન ગ્રંથ ઉપર લગભગ ૩॰સાત હજાર શ્લોકપ્રમાણુ વૃત્તિ પણ રચેલી છે અને તે નામના સાદર ઉલ્લેખ : tr નમઃ પ્રસ્તુતાનુયોગશોધિાયે શ્રીદ્રોળાચાર્યપ્રમુલવષયે ।” ( સ્થાનાંગવૃત્તિ ). ૩૦ જુઓ મૃતિપનિકા, EY Page #18 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિને તે વખતના અચૈત્યવાસી શ્રમણ સંઘે પ્રમાણભૂત માનીને સ્વીકારેલી પણ છે; એ મહાનુભાવતા બન્ને પક્ષની એ જમાનામાં તો એક અદ્ભુત ચમત્કાર જેવી જ ગણી શકાય, જયારે વ માન જમાનામાં વિજ્ઞાનવિદ્યાની પ્રધાનતા હોવા છતાં ય આવી ઉદારતા ભાગ્યે જ નજરે ચડે છે. માટે જ ખારા ઊસ જેવા દરિયામાં મીડી વીરડી જેવી ઉપમા. શ્રીદ્રોણાચાય ને આપી છે તે જરાય વધારે પડતી નથી. ગણુધરસાર્ધ શતકાન્તગ ત પ્રકરણમાં શ્રી દ્રોણાચાય અને અભયદેવ વચ્ચે જે જાતના સદ્ભાવ હતા તેના સરસ ઉલ્લેખ છે. એટલે સુધી હતું કે જ્યારે શ્રીદ્રોણાચાય આગમાની વાચના આપતા ત્યારે તેમના પક્ષના બધા ચૈત્યવાસી આચાર્યાં તેને સાંભળવા જતા; તે વખતે શ્રીઅભયદેવસૂરિ પણ તે વાચનામાં જતા ત્યારે ખુદ દ્રોણાચા ઊભા થઈને તેમને લેવા જતા અને તેમનું આસન ૩૧પેાતાની પાસે જ નખાવતા. આવે એ બન્ને વચ્ચે આદરભાવ જોઈને કેટલાક ચૈત્યવાસી આચાર્ય રાધે ભરાતા છતાં શ્રીદ્રોણાચાર્ય સામે અક્ષર પણ ન ખેાલી શકતા અને પોતપોતાના મઠમાં જઈ એમ ખડખડચા કરતા કે આ વળી અભયદેવ આજકાલના અમારા કરતાં શું મેટા થઈ ગયા છે ? જેથી ખુદ દ્રોણાચા પેાતે તેને આટલું બધું માન આપે છે. પેાતાના પક્ષના આચાર્યના એ ખડખડાટ સાંભળીને ગુણપક્ષપાતી અને ગુણરસિક શ્રીદ્રોણુસૂરિએ એ ચૈત્યવાસીઓની સામે અભયદેવના ગુણાનું પ્રદર્શીન કરી તેમને શાંત પાડેલા અને અભયદેવની રચેલી તમામ વૃત્તિઓને જોઇ તપાસી આપવાનું પણ તેમની સમક્ષ વચન આપ્યું—આટલું તેમની ગુણુજ્ઞતા ૩૧ જુએ ગણધરસાધ શતકાંતગત પ્રકરણ પાનું ૧૪---- << ,, 'ततोऽसौ अपि भगवद् गुणसौरभाकृष्टः स्वसान्निध्ये प्रभोरासनं दापयति । ઇત્યાદિ. ૩૨ જી ગણધરસાર્ધ શતકાંતર્ગત પ્રકરણ પાનું ૧૪~~~ अहो केन गुणेन एष अस्मभ्यमधिकः येन अस्मन्मुख्योऽपि अयं द्रोणाचार्यः अस्य एवंविधमादरं दर्शयति । "" [ ૨૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવતા અને ભાવભીરતા સમજવા પૂરતું છે અને આમાંથી બીજું પણ એક સૂચન મળે છે કે ધર્મના પવિત્ર કાર્યમાં સદ્ભાવ સાથે જ્યાંથી જેટલી સહાયતા મળે તે બધી વિના સંકેચે આદરપૂર્વક કૃતજ્ઞતા સાથે લેવી એ ઉત્તમ કાર્ય છે. પ્રભાવક ચરિત્રના કર્તા પ્રભાચંદ્રસૂરિ પિતાના શબ્દોમાં શ્રી અભયદેવસૂરિ વિશે જે વૃત્તાંત નેધે છે તે સંક્ષેપમાં આ પ્રમાણે છે : આશરે દશમા સિકાને અંતે અને અગ્યારમા સૈકાના પ્રારંભમાં શ્રીવર્ધમાનસૂરિ૩૩ વિદ્યમાન હતા. તેઓ એક મેટા હરેડ ચૈત્યવાસી આચાર્ય હતા અને ચોરાશી ચૈત્યને બહેળે વહીવટ તેમના હસ્તક હતું. તેમ છતાં આગમના અભ્યાસને બળે વિવેકપૂર્વક સન્માર્ગ અને દુર્ભાગનું પૃથકકરણ કરી તેઓ શુદ્ધકિયાપાત્ર તપસ્વી અને ઉત્કટ સંયમી બન્યા હતા. પૂર્વે જેનું વર્ણન કર્યું છે તેવી ચૈત્યવાસની વિષમ પરિસ્થિતિને લીધે લેકમાં જૈનધર્મની થતી અપભ્રાજનાને ટાળવા અને શુદ્ધ ક્રિયાની પ્રવૃત્તિ વધે તે માટે તેઓનું વિશેષ લક્ષ્ય ખેંચાયું. તે વખતે ખાસ કરીને ગુજરાતમાં અને તેમાંય તેની રાજધાની પાટણમાં ચૈત્યવાસીઓની ભારે પ્રબળતા હતી, તેની સામે થઈને તેમની શિથિલતાને દૂર કરવા અને તેઓ શુદ્ધ ક્રિયાપાત્ર બને તે જ એક હેતુથી તેમણે પિતાના વિદ્વાન ધીર ગંભીર અને સહનશીલ એવા જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ નામના બે શિષ્યોને પાટણ જવાને આદેશ કર્યો અને મરણાંત કષ્ટ સહીને પણ શુદ્ધ કિયામાર્ગને પ્રચાર કરવાની જવાબદારી તેમને માથે મૂકી. આ બન્ને મહાનુભાવ ફરતાં ફરતાં પાટણમાં તે આવી પહોંચ્યા. પછી તેઓ બને ઉતારો મેળવવા પાટણને એકેએક પાડો ખૂંદી વળ્યા અને એકેએક ઘર ફરી વળ્યા, છતાંય તેમને ૩૩ જુઓ પ્રભાવક્યરિત્ર શ્રી અભયરિચરિત્ર પૃ ૧૬૩ થી ૧૬૬, ભલે ૯૧ થી ૧૭૪. ૩૪ જુઓ પ્રભાવક ચરિત્ર પૃ ૧૬૪ ૦ ૪૭– ૨૮] Page #20 -------------------------------------------------------------------------- ________________ કેઈએ સાડાત્રણ હાથ જેટલે ઓટલે પણ ઊતરવા ન આપે. રાજાની આજ્ઞા હતી કે ચૈત્યવાસી આચાર્યોની સંમતિ સિવાય કઈ પણ સંવેગી સાધુ પાટણમાં ક્યાંય ઊતરી ન શકે. એથી આ બન્ને આચાર્યોને ઉતારા માટે જગ્યા ન મળી તે ન જ મળી. આ બનાવથી તે બને બુદ્ધિમાન આચાર્યો હારે એમ ન હતા. તેઓ બને પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ હતા તેથી વેદ ઉપનિષદ વગેરે ગ્રંથના સારા અભ્યાસી હતા અને બ્રાહ્મણધર્મ તરફ પણ તેમને સમભાવ હતો એટલે તેઓએ પિતાની બુદ્ધિ લડાવી પાટણના રાજમાન્ય પુરોહિત સેમેવરના ઘર તરફ જઈ વેદનાં શુદ્ધ ઉચ્ચારણમય વચન દ્વારા પુરોહિતને ઊંચે સ્વરે આશીર્વાદ આપતાં કહ્યું કે – अपाणिपादो ह्यमनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । स वेत्ति विश्वं नहि तस्य वेत्ता शिवो ह्यरूपी स जिनोऽवताद्वः ॥ પુરોહિત આવા અપૂર્વ આશીર્વાદ સાંભળીને તેમના તરફ આકર્ષાયા અને તેમને બન્નેને પિતાના ઘરમાં બેલાવી બેસવા માટે ભદ્રાસને ગોઠવી દીધાં. છતાંય પોતાના ત્યાગ ધર્મને અનુસરીને તેઓ પોતાની કાંબળી પાથરીને તેની જ ઉપર બેઠા અને પુહિતને પોતાને આચાર સમજાવ્યો. થોડી વાતચિત થતાં તેઓએ વેદધર્મ અને જૈનધર્મ વચ્ચેની જે એકવાક્યતા છે તેના તરફ પુરોહિતનું ધ્યાન ખેચ્યું. પછી તે પુરેહિતે તેમને કુશળપ્રશ્ન, આગમનને હેતુ વગેરે પૂછતાં જાણી લીધું કે આવા તપસ્વી અને વિવેકી સરળ મુનિઓને પણ પાટણમાં ક્યાંય ઉતારે મળતું નથી “સરીતાર્થ રીવાર તત્ર બ્રાન્તી રે .. विशुद्धोपाश्रयालाभात् वाचं सस्मरतुगुरोः ॥ ૩૫ જે શિવરૂપ અરૂપી ઈશ્વર એવા જિનભગવાન હાથ, પગ અને મન વગરના છે છતાંય તમામ પદાર્થોને ગ્રહણ કરે છે, આંખ વગરના છતાંય જુએ છે, કાન વગરના છતાંય સાંભળે છે, તે સમગ્ર વિશ્વને જાણે છે છતાં તેમને કોઈ જાણતું નથી એવા એ પરમાત્મા તમારું રક્ષણ કરે. [ ૨૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ તેમ કઈ પોતાના મકાનમાં ઊતરવા પણ દેતું નથી. એથી તેણે તેમને સારુ પોતાની ચંદ્રશાળા ખેલી આપી તેમાં નિરાંતે રહેવાનું સૂચન કર્યું. પુરોહિત અને મુનિઓ વચ્ચે છેડે પરિચય વધતાં પુરોહિતે બીજા યાજ્ઞિક પંડિત બ્રાહ્મણોને બોલાવી તેમની સાથે ચર્ચાવિનેદ કર્યો અને તેથી તે તથા બીજા પંડિતે ઘણું પ્રસન્ન થયા અને આમ પાટણમાંથી શુદ્ધ નિર્દોષ ભિક્ષા માગી લાવી તેઓએ પુરેહિતની ચંદ્રશાળામાં રહી પાટણના ચિત્યવાસીઓના મજબૂત ગઢને દવાને વિચાર કર્યો. આ તરફ પાટણમાં સંવેગી સાધુ આવ્યાની અને પુરોહિતને ત્યાં ઊતર્યાની ખબર ચૈત્યવાસી આચાર્યોને પહોંચી ગઈ અને તેઓ બને સંવેગી મુનિઓ પિતાની સંમતિ વિના પાટણમાં પિઠા હેઈને ચૈત્યવાસી આચાર્યોએ તેમના ઉપર રાજાના હુકમને ભંગ કર્યાને આરેપ સાથે પોતાના માણસો મારફત તેમને તરતરત પાટણમાંથી બહાર નીકળી જવાનું કહેણ કર્યું. ચૈત્યવાસીઓના ચેકીદાર નેકરોએ પહિતને ઘેર આવીને પોતાના આચાર્યને હુકમ તે બને મુનિઓને કહી સંભળાવ્યો અને તાબડતોબ પાટણમાંથી બહાર નીકળી જવાની સૂચના કરી દીધી. આ સાંભળીને પુરોહિતે કહ્યું કે હમણ આ બન્ને ગુણવંત પવિત્ર મુનિઓ મારા મહેમાન છે માટે તમે સીધું તેમને કાંઈ સૂચન કરે તે ઉચિત નથી. હમણું તે તેઓ મારી જવાબદારી ઉપર જ મારે ત્યાં ઊતર્યા છે, છતાં આ સંબંધે કઈ વિશેષ નિર્ણય કરે હોય તે રાજસભામાં જ તમારે આવવું જોઈએ. - જ્યારે નેકરોએ પુરોહિતે આપેલ જવાબ પિતાના માલિક ચિત્યવાસી આચાર્યો પાસે પહોંચાડ્યો ત્યારે બધાય ત્યવાસી મઠપતિ આચાર્યો ભેગા થઈને રાજા ભીમની કચેરીમાં પહેચ્યા અને પોતાની સંમતિ સિવાય પાટણમાં કઈ પણ સંવેગી મુનિ પિસી જ ન શકે અને પેઠે હોય તે તત્કાળ તેણે પાટણથી બહાર નીકળી જવું જોઈએ એવું શાસન ચાવડાવંશના રાજા વનરાજના ૨૦] Page #22 -------------------------------------------------------------------------- ________________ વખતથી ઠેઠ ચાહવું આવે છે એ વાત રાજાને કાને નાખી, અને પિતાના પૂર્વજ પિતાપિતામહના શાસન પ્રમાણે રાજાએ આ બને મુનિઓને પાટણમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડવી જોઈએ એમ પણ સૂચવ્યું. આ બધું સાંભળીને કચેરીમાં બેઠેલા પુરહિતે રાજાને કહ્યું કે આ બન્ને સંતે ગુણવાન છે અને તેમના ગુણોથી આકર્ષાઈને મેં તેમને મારા ઘરની ચંદ્રશાળામાં ઉતાર્યા છે, તે હે મહારાજા ! તમારા રાજ્યમાં આવા સરળ પ્રકૃતિના ગુણ જને પણ શું નહીં રહી શકે? પુરોહિતનું વચન સાંભળી રાજાએ ત્યવાસી આચાર્યોને કહ્યું કે મારે મારા વડીલેનું વચન કબૂલ છે. અને સાથે કઈ પણ ગુણ જન મુનિ વેરાગી કે પંડિત હોય તે કેવળ ગુણની દૃષ્ટિએ પાટણમાં જરૂર રહી શકે એ માટે તમારે વધ કાઢ અસ્થાને છે. આથી આચાર્યો પોતપોતાના મઠમાં પાછા ફર્યા અને રાજાએ આ બન્ને મુનિઓના રહેઠાણ માટે શેડી જમીન પણ કાઢી દીધી એથી તે જમીન ઉપર રાજપુરોહિત સેમેશ્વરે તે સાધુઓને રહેવા લાયક વસતિ પણ બાંધી આપી. આ વખતથી સાધુઓને સારુ ખાસ જુદી જુદી વસતિઓ બંધાવા લાગી અને ચૈત્યવાસને કેરે મૂકનારા, શુદ્ધ કિયાના આરાધક મુનિએય હવે તે નવી બંધાવેલી વસતિમાં રહેવા લાગ્યા. આમ, સંવેગી મુનિઓએ હવે ચિત્યવાસને બદલે વસતિવાસના ખુલા રિવાજને સ્વીકાર કર્યો. હવે તેઓ ટોળે મળીને પાટણમાં આવવા લાગ્યા અને શુદ્ધ કિયાની આરાધના પૂર્વકના વસતિવાસને પ્રચારમાર્ગ આમ ખુલ્લે પણ થઈ ગયે. પિતાના ગુરુ શ્રીવર્ધમાનસૂરિએ જે ફરજ પિતાને માથે નાખી હતી તેને બરાબર અદા કરીને હવે શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ છેડી બીજે સ્થાને જવાનું વિચારવા લાગ્યા. શ્રી બુદ્ધિસાગરસૂરિએ જાબાલિપુરમાં એટલે જાહેરમાં રહીને ૧૧૮૦ [૨૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ માં એક નવું બુદ્ધિસાગર નામનું વ્યાકરણ રચ્યું છે તે સંભવ છે કે કદાચ આ અરસામાં હેય. એથી એમ કલ્પના કરવી અસ્થાને નથી કે બુદ્ધિસાગરસૂરિ પાટણ છેડી જાલેર તરફ જઈ ત્યાં રહ્યા હાય અને જિનેશ્વરસૂરિએ પાટણથી વિહાર કરી ધારાનગરી તરફ પ્રયાણ કર્યું હોય. એ સમયે રાજા ભેજને લીધે વિશેષ પ્રસિદ્ધિ પામેલી ધારા નગરીમાં મહીધર નામે મોટા શેઠ રહે, તેમનાં પત્નીનું નામ ધનદેવી. તેમને અભયકુમાર નામે એક પુત્ર પ્રભાવક ચરિત્રકારે મહીધરને “શેઠ” કહા છે એથી સંભવ છે કે તેઓ જાતે વાણિયા હોય. જ્યારે જિનેશ્વરસૂરિ ધારા પહેચી ત્યાં ચોમાસુ કરવાની વૃત્તિથી સ્થિર થયા ત્યારે તેમણે ધારાની જનતાને જૈનધર્મને ઉપદેશ આપવા વ્યાખ્યાન દેવાં શરૂ કર્યા. સમગ્ર જનતા સાથે અભયકુમાર પણ તેમના વ્યાખ્યાનમાં નિયમિત આવવા લાગ્યું. તે એ વ્યાખ્યાનને નિયમિત સાંભળી મનન પણ કરતે રહેતે તેથી તેને તેમનાં વ્યાખ્યાનની સારી એવી સમજ પડતી. આ વખતે અભયકુમારનું વય લગભગ સેળ વરસ હોઈ તે વ્યાખ્યાનમાં સાંભળવામાં આવતું જગતનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કષાયવૃત્તિનાં દુષ્પરિણામ, કેવળ સ્વાર્થ સાધનની વૃત્તિથી ઉત્પન્ન થતી વિષમતા, હિંસા અસત્ય વગેરેની અનિટતા એ બધું બરાબર સમયે અને તેથી તેના ચિત્તમાં સંસારની સ્વાર્થ સાધુવૃત્તિને તજી દઈ સ્વ અને પરના કલ્યાણના નિમિત્તરૂપ સવેગ પક્ષની દીક્ષા લેવાનો વિચાર કુર્યો. જ્યારે એ વિચાર બરાબર પાકી ગયે અને તેના ચિત્તમાં વિશેષ દઢતાથી સ્થિર થઈ ગયે ત્યારે તેણે એ વિશે પિતાનાં માતાપિતાની સંમતિ મેળવી શ્રીજિનેશ્વરસૂરિ પાસે જેન દીક્ષા સ્વીકારવાને પોતાને દઢ સંકલ્પ જાહેર કર્યો. આચાર્યું પણ તેના સંક૯૫ની નિશ્ચલતા, તેની યોગ્યતા, ઉત્સાહ વગેરે જેઈ તપાસી તેની બરાબર પરખ કરી તેને દીક્ષા આપી તેનું નામ અભયદેવમુનિ ૭૬ જુઓ બુદ્ધિસાગરવ્યાકરણની પ્રશસ્તિ. Page #24 -------------------------------------------------------------------------- ________________ રાખ્યું. અભય તો કેવળ પોતાના આત્મકલ્યાણની દષ્ટિએ જ મુનિમાર્ગને આશરે આવેલું હતું. તેથી ઉગ્ર સંયમ ઉગ્ર તપ દ્વારા કઠોર એવી આત્મશુદ્ધિની સાધનામાં મંડી પડ્યો. અને સાથે તેણે જેન પરંપરાનાં અને બીજી બીજી વેદાદિ પરંપરાનાં સમગ્ર શાસ્ત્રોને અભ્યાસ પણ શરૂ કરી દીધું. સેળ વરસની વયે દીક્ષા પામેલા આ અભયમુનિ અહીં ક૯પેલા સં. ૧૧૧૪ સુધીના વખતમાં તો સ્વપર શાસ્ત્રના અસાધારણ પારગામી થયા. આ પછી ગુરુએ તેમને આચાર્યપદ આપ્યું તેથી હવે તેઓ અભયદેવસૂરિને સુવિહિત નામે ખ્યાત થયા. તેમણે પોતાની નજરોનજર આગમોની દુર્દશા જોઈ હતી અને શુદ્ધાચાર તથા શુદ્ધ ક્રિયામાર્ગને ભારે હાસ થયેલે જે હતો. શાસ્ત્રોની શુદ્ધ વ્યાખ્યા વિના શુદ્ધાચાર શુદ્ધક્રિયાને પ્રચાર અશક્ય હતું તેથી ૧૧૧૪ પછી વૃત્તિઓને રચવા માટે પિતાની શારીરિક અને માનસિક તૈયારી કરી અને તે માટેની બીજી બધી બાહ્ય સાધન સામગ્રી એકઠી કરી ૧૧૨૦ની સાલથી અંગસૂત્રે ઉપર વૃત્તિઓ લખવાને ભાર ઉપાડી લઈ તે પ્રવૃત્તિ ઝપાટાબંધ તેમણે પાટણમાં રહી શરૂ કરી દીધી. તે વખતે પાટણમાં વિરાજતા અને આગમની પરંપરા આમ્નાય સંપ્રદાયના જાણકાર મહાનુભાવ મધ્યસ્થ વૃત્તિવાળા ચયવાસી શ્રીદ્રોણાચાર્યની સહાય તેમને પિતે આરંભેલી પ્રવૃત્તિમાં પાટણમાં મળે એમ હતું. એ સિવાય પિતાની સંવેગી પરંપરામાં કઈ એવા આગમવિદે ન હતા જેથી તેઓ તેમની મદદ પિતાની પ્રવૃત્તિમાં મેળવી શકે અને વળી સંવેગી પરંપરાના આચાર્યોએ શ્રીદ્રોણાચાર્યની બહુશ્રુતતા અને પ્રામાણિકતા સ્વીકારેલી હતી તેથી તેઓએ આ કામ પાટણમાં જ ઉપાડયું તથા શરૂ કરેલી પ્રવૃત્તિ નિર્વિદને પૂરી થાય તે હેતુથી તેઓએ આકરું આયંબિલનું તપ પણ સાથે સાથે શરૂ રાખ્યું. તેમણે સૌથી પહેલાં સ્થાનાંગસૂત્રની વૃત્તિ સંવત ૧૧૨૦માં પાટણમાં રહીને પૂરી કરી અને સંવત ૧૧૨૮માં ભગવતીસૂત્રની [ જરૂ Page #25 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ પણ પાટણમાં રહીને જ પૂરી કરી. વચ્ચે ગીતાર્થ અને સુવિહિતશિરોમણિ શ્રીહરિભદ્રસૂરિએ રચેલા તથા શુદ્ધ માર્ગના પ્રરૂપક એવા પંચાશક ગ્રંથ ઉપર તેઓએ સં. ૧૧૨૪માં ધૂળકામાં રહીને વ્યાખ્યા રચીને પૂરી કરી. આમ તેઓ કવચિત પાટણ છોડીને બહાર પણ વિહરતા હતા છતાંય મોટે ભાગે તેઓ પાટણમાં રહીને વૃત્તિઓ રચવાની પ્રવૃત્તિ કરતા રહેતા. વૃત્તિઓ જેમ જેમ રચાતી ગઈ તેમ તેમ મહાતધર શ્રી દ્રોણાચાર્ય તેમને તપાસી તપાસીને શુદ્ધ કરતા ગયા અને દરેકે દરેક વૃત્તિ ઉપર પોતાની પ્રામાણ્ય-મેહર મારતા ગયા. સં. ૧૧૨૦થી સં. ૧૧૨૮ સુધીમાં તેઓએ વૃત્તિઓ રચવાનું શરૂ રાખ્યું છે તે જોતાં તેમણે આયંબિલતપ પણ તે સમય દરમિયાન ચાલુ રાખેલું. એક તે ભારે પરિશ્રમનું કામ, મગજ ઉપરનું તાણ, લાંબા ઉજાગરા અને લૂખે સૂકો ખોરાક ઈત્યાદિ કારણેને લીધે, એમ કહેવામાં આવે છે કે, તેમના શરીરમાં લેહીવિકારને રેગ થઈ આવ્યું, જેને તે સમયના લેકે એ કેહને રગ માન્ય. અને વૃત્તિઓ બનાવતાં કયાંય ઉસૂત્રનું પ્રરૂપણ થઈ જવાથી તેની સજા રૂપે તેમને એ કેઢ થયે છે, એમ એ લેકે કહેવા લાગ્યા. આ અપવાદ આચાર્ય અભયદેવને એ અસહ્ય લાગ્યું કે તેઓને અનશન કરવાને સુધાં વિચાર થઈ આવ્યું. એવામાં તેમને સ્વપ્ન આવ્યું કે નાગરાજે આવીને જીભ વડે પિતાને રેગ ચાટી લીધે છે અને પિતે થાંભણ ગામ પાસેની શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કઢાવી તે નિમિત્તે એક નવું તીર્થ સ્થાપવા જઈ રહ્યા છે. પ્રાત:કાળ થતાં આ સ્વપ્નની વાત તેમણે પિતાના ગુરુને કહી અને પછી કેટલાક શ્રાવકોએ તેમની સાથે ચાલવાની ઈચ્છા બતાવી તેથી તેઓ થાંભણે તરફ અશક્ત શરીરે પણ વિહાર કરવા તત્પર થઈ ગયા. ધીરે ધીરે વિહાર કરતા તેઓ થાંભણ પહોંચ્યા અને શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનાં દર્શન કરતાં થી આવતાં જ એક વ ૨૪] Page #26 -------------------------------------------------------------------------- ________________ જ તેઓએ ત્યાં જ “જ્ય તિહુઅણુવરકપરુકખ એ વાક્યથી શરૂ થતું ત્રીશ ગાથાનું ચમત્કારિક તેત્ર રચી કાઢયું. આ વખતે ચિત્તની શુદ્ધિ, ભક્તિભાવને ઉદ્વેક અને પ્રસન્ન ભાવનાની પ્રબળતાને લીધે તેમના રોગની પીડા ઓછી થવી શરૂ થઈ અને ધીરે ધીરે એ રેગ તદન શમી ગયે. એ દરમિયાન તેમણે થાંભણામાં એક ભવ્ય જિનાલય બાંધવા સારુ શ્રાવકોને પ્રેર્યા, જેને પરિણામે થંભણ પાર્શ્વનાથ નામનું એક નવું જ તીર્થ પ્રસિદ્ધ થયું. તેમણે લખેલી તમામ વૃત્તિઓની નકલે લખાવી લખાવીને તે સમયના દરેક આચાર્યોને આપવામાં આવી અને ખાસ ખાસ જ્ઞાન-ભંડારોમાં પણ મૂકવામાં આવી. લખાવનારાઓમાં ખાસ કરીને પાટણના, ખંભાતના, આશાવળના (અસારવા-અમદાવાદ-ના) અને ધોળકાના શ્રાવકેએ વિશેષ ભાગ ભજવે અને સારી રીતે નાણું ખ. છેક છેલે શ્રી અભયદેવસૂરિ પિતાનાં ધારેલાં તમામ સત્કાર્યો પૂરાં કરી, તમામ વાસનાઓને વિલય કરી પાટણમાં જ પંચત્વને પામ્યા. તેમના પંચત્વ વિશે બીજી પણ એક એવી માન્યતા ચાલે છે કે તેઓ કપડવંજમાં નિર્વાણ પામ્યા. તેમની પાદુકા કપડવંજમાં સ્થાપેલી મળે છે તેથી જ આ બીજી માન્યતા પ્રચારમાં છે. પાદુકાની સ્થાપના બહુ જૂની નથી એટલે આ માન્યતા માટે કેઈ વિશેષ સંવાદક પ્રમાણની જરૂર ખરી. પ્રભાવકચરિત્રકાર (પૃ. ૨૭૧ ટલે ૧૭૩-૧૭૪) તેમનું નિર્વાણ પાટણમાં કર્ણરાજાના રાજ્યકાળે થયાનું સ્પષ્ટ લખે છે, એ યાદ રાખવા જેવું છે. આચાર્ય અભયદેવની વૃત્તિઓનું અધ્યયન કરતાં નવયુગના પંડિતનેય તેમના અસાધારણ પાંડિત્યને પરિચય મળે છે. જે આગમની અનેક વાચનાઓ તેય જુદી જુદી અસ્તવ્યસ્ત હતી, પાડતરને પાર ન હતું અને ફૂટ પુસ્તકેય ફેલાવે પામેલાં એવે ૩૭ જુઓ ઔપપાતિકવૃત્તિને પ્રારંભ–“દું જ વવો વાવના ” જુઓ સમવાયાંગવૃત્તિનો પ્રારંભ–“રોજિદ્ રાજનાથામપરમપિ સંઘ સૂત્ર મુખ્ય ” Page #27 -------------------------------------------------------------------------- ________________ વખતે આગામેની વાચનાઓને, પઠેને બરાબર મેળવી શુદ્ધ કરવા સારુ તેમને કેટલે બધે શ્રમ કરવું પડ્યો હશે, કેટકેટલા ઉજગરા વેઠવા પડયા હશે. વર્તમાનમાં એક પુસ્તકને શુદ્ધ કરીને સંપાદન કરવા જતાં કંઠે પ્રાણ આવી જાય છે તે પછી જે સમયે સંપાદન સંશોધનનાં સાધને ઘણું જ ઓછાં, કેઈ બીજાની સહાથતા પણ નહીં અને એકલે હાથે રચના કરવાની ભારે જવાબદારી, બીજી તરફ જેવી અને જેટલી જોઈએ તેવી અને તેટલી અનુકુળતા નહીં, એટલું જ નહીં વિરોધપક્ષની પ્રબળતા અને ધારેલા કાર્ય ઉપર આક્ષેપ, આવી સ્થિતિમાં આચાર્ય અભયદેવે નવાંગની વૃત્તિઓને રચીને જે પિતાના પાંડિત્યને, ધીરતાને, શાસનભક્તિ અને સહનશીલતાને, ગુણગ્રાહકતાને તથા સમદર્શિતાને પરિચય આપણને બતાવ્યું છે તે અજોડ અસાધારણ અને અનુપમ છે. વળી એમણે જે જે વૃત્તિઓ રચી છે તે સુબેધ, સૂત્રના અર્થને બરાબર સ્પષ્ટ કરનારી અને પ્રાંજલ ભાષામાં લખાઈ છે. એક વખત એ પણ હતું કે વૃત્તિઓ લખનારા સૂત્રને અર્થ સ્પષ્ટ કરવા જતાં વૃત્તિઓને વાદમહાર્ણવ બનાવી દેતા અને એથી બિચારું સૂત્ર ક્યાંય દૂર પડયું રહેતું. પરંતુ અભયદેવે પિતાની વૃત્તિઓમાં ક્યાંય આવું થવા દીધું નથી અને દરેક દરેક સૂત્રને બરાબર સ્પષ્ટ કરવા પૂરતું ધ્યાન આપેલ છે. વિવરણ કરતાં જ્યાં સંવાદક પ્રમાણોની જરૂર જણાય ત્યાં તે પૂરતા પ્રમાણમાં આપેલા છે. અનેક વાચનાઓમાંથી અમુક એક વાચનાને પ્રાધાન્ય આપી વિવરણ કરેલું છે અને સાથે વાચનાભે તરફ અભ્યાસીઓનું ધ્યાન પણ ખેંચ્યું છે તથા જુદા જુદા પાઠમાંથી બરાબર તુલના કરી કરીને અને પૃથક્કરણ કરીને તેમણે વિવરણ કરવા માટે પાઠે ચૂંટી કાઢયા છે અને બીજા પાઠાંતરે પણ આવશ્યકતાનુસાર નેંધી બતાવેલાં છે. અર્થ સમજાવવા સારુ પૂરો પ્રયત્ન કરતા છતાંય જ્યાં સ્પષ્ટતા થઈ શકે તેમ ન હોય ત્યાં તેમણે પૂર્વની વૃત્તિઓને ટાંકીને સંતેષ મા છે વા પૂર્વના વિચારભેદે ટાંકી બતાવીને ખામોશી પકડી છે. આટલી બધી વૃત્તિઓમાં કે એક પણ ઠેકાણે તેમણે ૨૬] Page #28 -------------------------------------------------------------------------- ________________ પિતાની કલ્પના બતાવવાને મુદ્દલ પ્રયાસ કરેલ નથી, આ જ તેમની સરળતા, શાસનભક્તિ, સંયમિવૃત્તિ અને નિરભિમાનવૃત્તિ ભૂરિ ભૂરિ પ્રશંસનીય છે. આપણે જોઈએ છીએ–અનુભવીએ છીએ કે વિદ્યા અને નિરભિમાનવૃત્તિ એ બેને સંવાદ ક્યાંય ભાગ્યે જ દેખાય છે. થોડુંક લખતાં બેલતાં કે રચતાં આવડ્યું કે પોતાની કલ્પનાનાં ઉડ્ડયન થયા વિના નહીં રહેવાનાં; ત્યારે આચાર્ય અભયદેવે આટલું આટલું અસાધારણ ગુંફન કર્યું, આટલું ઘેર કઠોર તપ તપ્યું છતાં ક્યાંય પિતાના પાંડિત્યના પ્રદર્શન માટે એક પણ અક્ષર કાઢો નથી તેમ તેઓ તેવું બોલ્યા પણ નથી. એ તે પિતે “અમુક આચાર્યને ચરણરજ સમાન અણુ શિષ્ય વૃત્તિ કરે છે” એવું જ લખતા રહ્યા છે અને અભ્યાસી મહાનુભાને વિનવતા રહ્યા છે કે આમાં ક્યાંય મારી કોઈ ભૂલચૂક થઈ હોય તે જરૂર તેઓ મને ક્ષમા આપે અને બતાવવા કૃપા કરે. મારે માર્ગ ઘણું કઠણ હતું, સાધને ઓછાં, એકલે હાથે પ્રવૃત્તિ કરવી અને શરીરની દુર્બળતા એથી ખલન થવાં સહજ છે, એમ તેઓ વારંવાર સૂચવ્યા કરે છે. છેવટે એ કહેવું જરૂરી છે કે અભયદેવસૂરિએ વૃત્તિઓ ન રચી હેત તે આજે આગમોના કેવા હાલ હેત તે કહેવું મુશ્કેલ છે. વૃત્તિઓ છતાંય આજે આગમ ઉપેક્ષાપાત્ર બન્યા છે તે વિના વૃત્તિ તેમના તરફ કેરું ધ્યાન આપત? ગુજરાતે એક અસાધારણ તિર્ધરને પકવીને પોતામાં સમાવી ધન્યતા અનુભવી છે એ હકીકત અભયદેવસૂરિ માટે અક્ષરશ: સત્ય છે. અભયદેવને પુરુષાર્થ સમજી આપણે એ દ્વારા પ્રેરણા મેળવીએ અને એને જ માગે આગમના ઉદ્ધાર સંશોધન સંપાદન અને તેમની અદ્યતન ઢબની આવૃત્તિઓને તૈયાર કરવા કરાવવામાં આપણું સઘળાં સાધન વાપરવાને સંકલ્પ કરીએ તે આ ઉત્સવ, ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૫૦ આ સંસ્થાનું સ્થાપન અને આ મહાપ્રયાસ બધું સફળ ગણાય. આ હકીકત તરફ સમગ્ર જૈન સંઘનું અને ખાસ કરીને કપડવંજના જૈનસંઘનું અને તેમાંય આ સંસ્થા માટે ધનને ભેગ આપનાર શ્રીમાન વાડીલાલભાઈ તથા તેમનાં ધાર્મિક ધર્મપત્નીનું ધ્યાન ખેંચું છું. શિવમસ્તુ આ સાથે શ્રી અભયદેવસૂરિએ રચેલા ગ્રંથનાં નામ અને તેમનું તેમણે પિતે જણાવેલું કલેકપરિમાણ આપી આ પ્રબંધ પૂરે કરું છું. શ્લેકપરિમાણુ જેવાથી ખબર પડશે કે તેમણે એકલે હાથે કેટલી કેટલી વિપુલ રચનાએ કરેલી છે. ગ્રંથનામ રચના સમય સ્થળ બ્લેક પરિમાણ વિક્રમ સંવત અંગસૂત્ર ૧ સ્થાનાંગવૃત્તિ ૧૧૨૦ પાટણ ઉપરની ૨ સમવાયાંગવૃત્તિ , ૦૩૫૭૫ વૃત્તિઓ: ૩ ભગવતવૃત્તિ ૧૧૨૮ ૧૮૬૧૬ ૪ જ્ઞાતાસૂત્રવૃત્તિ ૧૧૨૦ ૦૩૮૦૦ વિજયાદશમી પ ઉપાસકદશાસૂત્રવૃત્તિ ૬ અંતકૃત દશાસૂત્રવૃત્તિ ૦૦૮૯ ૭ અનુત્તરીપ પાતિકસૂત્રવૃત્તિ ૦૦૧૯૨ ૮ પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિ ४६०० ૯ વિષાસૂત્રવૃત્તિ પ્રથમ ઉપાં ૧૦ ઉવવાઈયસૂત્રવૃત્તિ ૦૩૧૨૫ ગની વૃત્તિ: ૧૧ પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણ ૦૦૧૩૩ શ્રીહરિ ભદ્રકૃત ગ્રન્થઃ ૧૨ પંચાશકસૂત્રવૃત્તિ ૧૧૨૪ ધૂળકા, ત્યાંના ધનપતિ બકુલ અને નંદિક શેઠના - ઘરમાં રહીને બનાવી ૦૭૪૮૦ તેત્રઃ ૧૩ જયતિહુઅણુસ્તાત્ર થાંભણું ૦૦૦૩૦ ૦૦૮૧૨ - ૫૮૪૧૨ ૨૮] Page #30 -------------------------------------------------------------------------- ________________ પરચૂરણ: ૧૪ પંચનિર્ચથી ૧૫ ષષ્ઠકર્મગ્રંથસપ્તતિકાભાષ્ય આ રીતે શ્રી અભયદેવસૂરિજીએ એકલે હાથે આશરે બધા થઈ ને સાઠ હજાર લેક રચ્યા છે. કપડવંજ જે નગરમાં આ ઉત્સવ ઉજવાય છે તે નગર કપડવંજ પણ કાંઈ આજકાલનું નથી. કપડવંજનું નામ શાસ્ત્રના પાના ઉપર ચડી ચૂક્યું છે, અને અહીંનાં વતની શ્રાવક-શ્રાવિકાઓની ધર્મપ્રીતિનું વર્ણન પણ જૈનગ્રંથમાં મળે છે. આચાર્ય ૩૮ગુણચન્ટે સંવત ૧૧૩૯માં પિતે બનાવેલા મહાવીરચરિત્રની પ્રશસ્તિમાં ર્પટવાણિજ્યપુરને જે ઉલ્લેખ કરેલ છે તે જ આ કપડવંજ નગર છે. ગુણચંદ્રસૂરિ લખે છે કે કપડવંજના વતની વાયડકુલના ગેવર્ધન શેઠ અને તેમનું વિપુલ કુટુંબ ભારે ધર્મપ્રિય હતું. તેમનામાં જેનધર્મ પ્રતિ અસાધારણ ભકિતભાવ હતું. તેમણે બાવન જિનાલયનું ભવ્ય મંદિર આ શહેરમાં જણાવ્યું હતું એ વગેરે વગેરે વર્ણન કરીને શ્રીગુણચંદ્રસૂરિ આપણુ ધર્મનાયક શ્રી અભયદેવસૂરિ તથા તેમના ગુરુ શ્રીજિનેશ્વરસૂરિ અને શ્રીબુદ્ધિસાગરસૂરિનાં નામે પણ બહુ સદ્દભાવ સાથે નેધે છે. અને છેલ્લે તેઓ જણાવે છે કે અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિની ખાસ પ્રેરણું મળવાથી આ મહાવીરચરિત્ર કપડવંજમાં પૂરું બનાવી શકાયું છે. આ તે કપડવંજની પ્રાચીન જાહેરજલાલી થઈ. વર્તમાનમાં પણ જે શહેર આગમના અનન્ય ઉપાસક આનંદસાગરસૂરિજી તથા એવા જ આગમપ્રેમી શ્રીપુણ્યવિજયજી વગેરે મુનિઓનાં જન્મસ્થાનરૂપ છે અને સમતાવંત સાધ્વીજી શ્રીરતનશ્રીજી (પુણ્યવિજયજીનાં માતાજી) વગેરે અનેક સુશીલ સાધ્વીઓનાં જન્મ૩૮ જુઓ શ્રીવીઝારિયની પ્રશસ્તિ લે ૬૪ થી. [૨૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્થાનરૂપ છે તથા જે શહેરમાં ધર્મભાવનાવંત સુશ્રાવક વાસ કરી રહ્યા છે તે શહેરમાં સ્થાપવામાં આવતી અભયદેવસૂરિ જ્ઞાનમંદિરની સંસ્થા આપણુ શ્રમણ સંઘમાં, શ્રમણીસંઘમાં, શ્રાવકસંઘમાં અને શ્રાવિકાસંધમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવે અને સમસ્ત ગુજરાતની જનતાનું કલ્યાણ મંગળ થાય એવી સર્વોદયકારી પ્રવૃત્તિ દિન પ્રતિદિન કરતી રહે ! શિવમસ્તુ સર્વજગતઃ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન મારી અભિલાષા મારામાં રહેલી અનેક ત્રુટીઓને અને તેને હઠાવવા જોઈતાચોગ્ય પુરુષાર્થની જ્યારથી મને મારામાં હરેક પળે ખામી દેખાવા લાગી ત્યારથી જેમ ઘેડાને કાબૂમાં રાખવા માટે એક લગામની અને એક ચાબૂકની જરૂર છે તેમ મારા બિનકાબુ મનને (અને તેના વડે કરી આત્માને) આમતેમ રવડી જતું બંધ કરવા કોઈ પણ ઉપાય જ જોઈએ. તેમ લાગતું હતું, જેથી આમ થવાનાં કારણે શેધી તેની દવા કરવાની કંઈ સૂઝ પડે. આત્માને શું શું આવરણે લાગેલાં છે, કેવા પ્રમાણમાં તેને રંગ આત્મા ઉપર લગાડેલે છે, તે બધું જાણ્યા વિના એટલે કે શત્રુને અને તેના સ્વરૂપને ઓળખ્યા વિના આવા જબરજસ્ત આત્મશત્રુ ઉપર લગામ કેમ ચઢાવવી તે વિચાર હરહમેશ રહ્યાં કરતે. જવાબ એક જ મળતું કે જ્ઞાન કરવા આ બાબત તારે ઊંડા ઊતરવું જોઈએ. વ્યવસાયમાં લાગેલે હું ઊંમરે પાકટ થતો જતો, ક્યારે કાળ ભરખી જશે તેની ખબર નથી, એવી જરાતરા લાગણી થવાથી હું જરા ચેત્યો અને તેના હિસાબે મને કર્મગ્રન્થ ભણવાની અભિલાષા થઈ અને આસ્તે આતે એક સારી અને ધર્મના અંદરના મર્મ સમજાવી શકે તેવી પાઠશાળાની જોગવાઈની જરૂર લાગી. આજકાલ ભણતર, મર્મ વિનાસમજે, માત્ર મોટે ભાગે પોપટીઆ જ્ઞાનરૂપ અપાયું જાય છે. આમાં સુધારો કરવાનો અને યુવાનો ઘણો અવકાશ છે. પણ વ્યવસ્થા અને તેને માટે જોઈતાં નાણાંની તંગી અને વિશેષમાં મોટે ભાગે આવા સંસારી માયાથી વિહોણા બનાવે તેવા જ્ઞાનની અંદર ન છુટકે પૈસા આપવાની લાગણી હેવાથી પાઠશાળાઓ ઘણું પાંગળી ચાલે છે. મારા ગામમાં આવેલી એક પાઠશાળા જે શેઠ મણિભાઈ સામળભાઈના નામથી ચાલે છે, તેને જે પગભર કરવામાં આવે અને તેને સ્થાયી બેસવા માટે મકાનની પણ જોગવાઈ કરવામાં આવે તે આ દિશામાં કંઈ સક્રિય પગલું ભરાયઃ અને જો તેમ થાય તે મારા ઉપર લગામ લગાવવાની જોગવાઈ થઈ કહેવાય અને લગામ આવતાં મનને આજુબાજુથી ખેંચી ભેડા ઘણું પ્રમાણમાં પણ આ બાજુ વાળે અને ઉમરે પહોચેલે અને શરીરથી થાકી ગયેલે મારે જીવ આ તરફ સહેજે વળી શકે, તે વિચારથી મારી પાસે જે [૩૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ કઈ ધન હોય તેમાંથી થોડું ઘણું પણ આ રસ્તે ખરચી મારા આત્માને સહસ્તે વાળવા પ્રયત્ન કરે તેવા વિચારો મારા મનમાં સતત ચાલતા હતા, તેવામાં સ્વ. ભાઈશ્રી ચીમનભાઈએ શ્રી. નવપદજીની આયંબીલની ઓળી કરાવી અને ઘણા પ્રભાવક આચાર્યો અને સાધુ મુનિરાજે અત્રે પડવણજ આવી તે સમયે કપડવણજ શોભાવ્યું. એ વખતે મને સાધુઓ પાસેના પુસ્તક સંગ્રહ માટેની જરૂરીઆત અને જરૂરીઆતના લીધે સંગ્રહ સંગ્રહના લીધે માવજત અને છેલ્લે તેને સહીસલામત અને વખતસર ઉપયોગી બની શકે તેવી રીતે રાખી મૂકવાની જોગવાઈ એની પણ મોટી આવશ્યક્તા છે તેમ મને લાગ્યું, રાતે તે જ વિચારે મને એક જ્ઞાનમંદિરની જરૂરીઆત છે તેમ સમજાયું. આથી મેં પાઠશાળા અને જ્ઞાનમંદિર માટે સાથે જોગવાઈ કરવી તે નક્કી કર્યું', અને મેં તેને માટે રકમ જુદી મૂકવા નિર્ણય કરી ટ્રસ્ટ બનાવ્યું. રકમ ઘણી ઓછી હોવાથી જમીન અને મકાને બેઉની જોગવાઈ માટે પૂરતી તે ન હતી, એટલે જમીન સતે મેળવવા વખત કાઢવો પડવોઃ પણ તે દરમિયાન કેટલીક રકમનું વ્યાજ સારા જેવું તેમાંથી મળ્યું. આ જમીન ૯૯ વરસના પટેથી મળતાં અને બધી મળી પચાસ હજારની રકમ ખરચી શકાય તેમ છે તેમ માલુમ પડવાથી, મકાનનું કામ શરૂ કરી દીધું. મને જરૂર કોઈ શાસનદેવતાની સહાય હોવી જોઈએ, તેમ હંમેશાં લાગ્યા કરે છે. નહિ તે આ જ્ઞાનમંદિર માટે પરમ મહાજ્ઞાની અને નવાંગીના ટીકાકાર ૧૦૦૮ શ્રી અભયદેવસૂરીશ્વરજીનું નામ રાખવાનું મને ક્યાંથી સૂઝે ? બીજા કોઈને પૂછીને કે બીજા કોઈના કહેવાથી મેં નામ રાખ્યું નથી. મને શંકા એટલા જ માટે થાય છે કે મેં કંઈ તેમના માટે વાંચ્યું નથી કે સાંભળ્યું પણ નથી. માત્ર અમારા કપડવણજમાં તેમણે પાછલા દિવસો ગાળી અત્રે જ કાળધર્મ પામ્યા, તે તેમનાં પગલાં હોવાથી જાણતા હતા. ' મને શ્રદ્ધા છે કે જે શાસનદેવે મને આવી સહાય કરી છે તેજ હવે પછી પણ મને આ મકાનને “જ્ઞાનની પરબ' કે જે મારી મોટામાં મોટી અભિલાષા છે તે બનાવી દેવામાં સહાય કરશે જ અને અનેકને તેમના પૈસાનો વય આ તરફ વાળવા પ્રેરણા આપશે. લી. સંધસેવક. કપડવણજ વા. મ. પારેખ ૨૨] Page #34 -------------------------------------------------------------------------- ________________ ગોવિંદલાલ જગશીભાઈ શાહ શા 2 દી મુ 8 ણા લ ય પાનકોર નાકા : અમદાવાદ pale 2 Personal