________________
નમસ્કાર કરે છે, તેમાં તેમની શ્રી પાર્શ્વનાથ તરફની અસાધારણ ભક્તિનું સૂચન છે. અને તેમની થંભણ પાર્શ્વનાથની ઉપાસના આ સૂચનમાં સમાયેલી હેય એ સુસંભવિત છે. તેમના જમાનાની આચારે શિથિલ એવી ચિત્યવાસી સાધુઓની પરંપરામાં પણ એક એવી મુનિમંડળી હતી, જે આગમે તરફ દઢ ભક્તિ ધરાવતી હતી, આગમોનાં અભ્યાસ મનન અને ચિંતનની પ્રામાણિક પરંપરાને સાચવનારી હતી અને તે જમાનામાં જે સુવિહિત મુનિઓ ગણાતા તેમના કરતાંય આ ત્યવાસીની શિથિલ મુનિમંડળી આગમેની બાબતમાં વિશેષ પ્રામાય ધરાવતી હતી, જેને લીધે શુદ્ધ ક્રિયાપાત્ર એવા અભયદેવને પણ પિતાની વૃત્તિઓને શોધી આપવા અને તેમાં પ્રામાયની મહેર મેળવવા એ અશુદ્ધ ક્રિયાપાત્ર એવી
મંડળીને આશ્રય લે પડો. ૭. સૌથી વધારે મહત્વની તે જમાનાની ઐતિહાસિક બાબત તે પ્રજનના નિર્દેશમાં ખરેખર છુપાયેલ છે.
આમ આ સાત બાબતેમાંની છેલ્લી બે વિશે થોડું સ્પષ્ટીકરણ કરવું વિશેષ જરૂરી છે. પણ તે કરતાં પહેલાં શ્રીઅભયદેવસૂરિએ પિતે બતાવેલા પિતાના પ્રથમ વૃત્તિ રચવાના સમયના નિર્દેશ દ્વારા તેમનાં જન્મ, દીક્ષા અને આચાર્યપદ વિશે આમ કલ્પના કરી શકાય : ૧. વિક્રમ સંવત ૧૦૮૮ તેમને જન્મ. ૨. સોળમે વર્ષે દીક્ષા એટલે ૧૧૦૪ માં દીક્ષા. ૩. ૧૧૦૪ પછી ૧૧૧૪ સુધી સંયમની સાધના અને જ્ઞાનની
ઉપાસના અર્થાત્ લગભગ દસ વરસ જેટલા વિદ્યાભ્યાસનો ગાળે. જુઓ સમવાયાંગવૃત્તિની પ્રશસ્તિને પ્રારંભ ___ " नमः श्रीवीराय प्रवरवरपार्वाय च नमः ।" જુઓ જ્ઞાતાધર્મકથાગવૃત્તિની તથા પ્રવ્યાકરણની વૃત્તિની પ્રશસ્તિનો પ્રારંભ
“નમઃ શ્રીવર્ધમાનાય શ્રીવમયે ના”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org