________________
કેઈએ સાડાત્રણ હાથ જેટલે ઓટલે પણ ઊતરવા ન આપે. રાજાની આજ્ઞા હતી કે ચૈત્યવાસી આચાર્યોની સંમતિ સિવાય કઈ પણ સંવેગી સાધુ પાટણમાં ક્યાંય ઊતરી ન શકે. એથી આ બન્ને આચાર્યોને ઉતારા માટે જગ્યા ન મળી તે ન જ મળી. આ બનાવથી તે બને બુદ્ધિમાન આચાર્યો હારે એમ ન હતા. તેઓ બને પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ હતા તેથી વેદ ઉપનિષદ વગેરે ગ્રંથના સારા અભ્યાસી હતા અને બ્રાહ્મણધર્મ તરફ પણ તેમને સમભાવ હતો એટલે તેઓએ પિતાની બુદ્ધિ લડાવી પાટણના રાજમાન્ય પુરોહિત સેમેવરના ઘર તરફ જઈ વેદનાં શુદ્ધ ઉચ્ચારણમય વચન દ્વારા પુરોહિતને ઊંચે સ્વરે આશીર્વાદ આપતાં કહ્યું કે –
अपाणिपादो ह्यमनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । स वेत्ति विश्वं नहि तस्य वेत्ता शिवो ह्यरूपी स जिनोऽवताद्वः ॥
પુરોહિત આવા અપૂર્વ આશીર્વાદ સાંભળીને તેમના તરફ આકર્ષાયા અને તેમને બન્નેને પિતાના ઘરમાં બેલાવી બેસવા માટે ભદ્રાસને ગોઠવી દીધાં. છતાંય પોતાના ત્યાગ ધર્મને અનુસરીને તેઓ પોતાની કાંબળી પાથરીને તેની જ ઉપર બેઠા અને પુહિતને પોતાને આચાર સમજાવ્યો. થોડી વાતચિત થતાં તેઓએ વેદધર્મ અને જૈનધર્મ વચ્ચેની જે એકવાક્યતા છે તેના તરફ પુરોહિતનું ધ્યાન ખેચ્યું. પછી તે પુરેહિતે તેમને કુશળપ્રશ્ન, આગમનને હેતુ વગેરે પૂછતાં જાણી લીધું કે આવા તપસ્વી અને વિવેકી સરળ મુનિઓને પણ પાટણમાં ક્યાંય ઉતારે મળતું નથી
“સરીતાર્થ રીવાર તત્ર બ્રાન્તી રે ..
विशुद्धोपाश्रयालाभात् वाचं सस्मरतुगुरोः ॥ ૩૫ જે શિવરૂપ અરૂપી ઈશ્વર એવા જિનભગવાન હાથ, પગ અને મન
વગરના છે છતાંય તમામ પદાર્થોને ગ્રહણ કરે છે, આંખ વગરના છતાંય જુએ છે, કાન વગરના છતાંય સાંભળે છે, તે સમગ્ર વિશ્વને જાણે છે છતાં તેમને કોઈ જાણતું નથી એવા એ પરમાત્મા તમારું રક્ષણ કરે.
[ ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org