SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય ચારિત્રસિંહગણિએ, સાંકળેલા ૯ગણધરસાર્ધશતકાન્તર્ગત પ્રકરણમાં તથા સોળમા સૈકાના સેમધર્મગણિએ રચેલી ઉપદેશસપ્તતિકામાં પણ આપણા નાયક વિશે ડી ઘણું હકીક્ત મળી આવે છે. છતાં તેમાં તેમના જન્મસ્થાન વગેરેની હકીકત તે નથી મળતી. આચાર્ય અભયદેવ વિશે પૂક્ત જે જે ગ્રંથમાં થોડી ઘણું હકીકત મળે છે તે બધાય ગ્રંથે તેમના પછીના લગભગ બે સૈકા જેટલા મેડા છે અને એમ કહેવાથી જ એ બધા ગ્રંથે એમના વિશે પૂરેપૂરી ચક્કસ માહિતી પૂરી પાડી શકતા નથી, એટલું જ નહીં પણ જે કાંઈ ડી ઘણું અધૂરીય માહિતી આપે છે તેમાં કેટલીક દંતકથામય અને ચમત્કારથી ભારેભાર ભરેલી છે. સંભવ છે કે બસો વરસના ગાળામાં કઈ પણ બાબતને પૂરેપૂરો ચોક્કસ વૃત્તાંત ન પણ જળવાય. . આજે પણ જે એક માહિતી સાંભળી હેય પછી તે જ માહિતી બેચાર મુખે ફરે વા બેચાર ઘરે આથડે અને એમ કરતાં બેચાર દિવસ વીતી જાય તે પછી એ અસલ માહિતી અક્ષરશ: મેળવવી કઠણું થઈ પડે છે, તે પછી બસે વરસના ગાળામાં લખાયેલ પ્રબંધગ્રંથ એ અસલ હકીકતને બરાબર પૂરેપૂરી ચકકસાઈથી શી રીતે જાળવી શકે? આમ છે માટે જ પ્રભાવકચરિત્ર વગેરે પૂર્વોકત બધા પ્રબંધ માં તેમના વિશે જે જે માહિતી સચવાયેલ છે તેમાં પૂર્વાપર કમ પણ એક સરખો સચવાયેલ હોય એમ જણાતું નથી. તીર્થકલ્પમાં, ગણધરસાર્ધશતકાંતર્ગત પ્રકરણમાં અને ૯ જુઓ ગણધરસાર્ધશતકતગત પ્રકરણ-ચારિત્રસિહગણિ. ૧૦ ઉપદેશસપ્તતિકા–સેમધર્મગણિ. ૧૧ જુઓ તીર્થકલ્પ પૃા ૧૦૪ કલ્પ ૫૯ "तओ उवसंतरोगेण पहुणा xxx कालाइकमेण कया ठाणाइनवंगाणं वित्ती" ૧૨ જુઓ ગણધરસાર્ધ શતકાંતર્ગત પ્રકરણ પૃ૦ ૧૩-૧૪ “તતઃ શ્રીમહમદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004868
Book TitleNavangivruttikar Abaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherVadilal M Parekh Kapadwanj
Publication Year1954
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Biography
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy