Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચોર
'ज्ञान'
هههههها
દર્શન
www.kobatirth.org
Fu
Sa
AM
Acharya Shri Kailassagarsuri Gyanmandir
وادر
HARYA SRI KAILASSAGARSURI CYANBANDIR SHREE WAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar 382 007. Ph.: (078) 2327252, 23276204-05 Fax: (0 23276249
For Private And Personal Use Only
* 28:4 #His : 43
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषय-दर्शन
પૃ8 :
લેખક : તંત્રી
અ'ક લેખ : ૧. બાવીસમું વર્ષ ૨. શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા ? ૩. હું તે ભલે એકલે ! ૪. તેરાપંથસમીક્ષા ૫. શ્રી. દીપાલિકા પર્વ ૬. નવી મદદ
૧૮
શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ પૂ ૫. શ્રી. ધુરંધરવિજ્યજી ગણિ ૨૧ પૂ. મુ. શ્રી. માનતુંગવિજ્યજી મ. .
પૂઠા પાનું-૨, ૩
૨૪
નવી મદદ ૫૦૦) પૂ. આ. શ્રી. વિજયપૂર્ગાનન્દસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી માટુંગા તપગચ્છ
સંધ-માટુંગા ૧૫૧) પૂ. પં. શ્રી. માનવિજયજીના સદુપદેશથી શ્રી જૈન સંધ-ઘાટકોપર ૫૧) પૂ. આ. શ્રી. વિજ્યુલબ્ધિસૂરિજી મહારાજનાં સદુપદેશથી શ્રી તપગચ્છ અમર જૈન
શાળા-ખં ભાત ૫૧) પૂ. મુનિ શ્રી. પુણ્યવિજયજીના સદુ પદેશથી શ્રી. લુણાવાડ મોટી પાળ જૈન
ઉપાશ્રય-અમદાવાદ ૨૫) પૂ. આ. શ્રી. વિજયેાદયસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી. ખુશાલભુવન જૈન
ઉપાશ્રય, માદલપુર-અમદાવાદ ૨૫) પૂ. પં. શ્રી. મંગલવિજ્યજી મહારાજના સદુપદેશથી શ્રી સંભવ જૈન શ્વેતાંબર
| કમિટિ–મારીમેડા ૨૧) પૂ. પં. શ્રી. યશોભદ્રવિજયજી મહારાજ ના સદુપદેશથી શ્રી. ગાડી પાર્શ્વનાથ
ટેમ્પલ ટ્રસ્ટ-પૂના-૨ ૧૫) પૂ. આ. શ્રી. વિજ્યદર્શનરિજી મહારાજના સદુપદેશથી શ્રી. સિદ્ધક્ષેત્ર જૈન મટી
ટાળા-પાલીતાણા ૧૫) પૂ. આ. શ્રી. વિજયભક્તિસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી. જૈન સંધ-થરા ૧૫) પૂ. આ. શ્રી. વિજયસમુદ્રસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી, મોહનવિજ્ય જૈન પાઠ
- શાળા-જામનગર ૧૫) પૂ. મુનિશ્રી લબ્ધિસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ- ચાણસ્મા ૧૫) પૂ. મુનિશ્રી નિરંજનવિજ્યજી મહારાજના સદુપદેશથી શ્રી દેવબાગ જૈનસંધ-જામનગર
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|૩ અ* I अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्य प्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : धीकांटा रोड : अमदावाद (गुजरात)
તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૨ || વિક્રમ સં. ૨૦૧૨: વીર નિ.સં.ર૮૮૧: ઈ. સ. ૧લ્મ | માં વાંક : ? || આસો સુદ ૧૫ સેમવાર : ૧૫ ઑકટોબર २५३
બાવીસમું વર્ષ
કમેક્રમે મજલ કાપતાં કાપતાં “શ્રી જૈન સત્યપ્રકાશ” એકવીસ વર્ષ પૂરાં કરીને આ અંકે બાવીસમા વર્ષમાં પ્રવેશ કરે છે, તે પ્રસંગે અમે સૌ કોઈને સાથ, સહકાર અને શુભેચ્છાની માગણી કરીએ છીએ.
અખિલ ભારતીય સૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલને સ્થાપન કરેલ શ્રી. જૈન ધર્મ સત્યપ્રકાશક સમિતિનું આ માસિક મુખપત્ર અંદર અંદરની કેઈ પણ ચર્ચાથી સર્વથા અળગા રહીને માત્ર બીજાઓ તરફથી જૈન ધર્મ કે એના કોઈ પણ અંગ ઉપર થતા આક્ષેપોનો યુતિપુર:સર પ્રતિકાર કરવાની નીતિને વરેલ હેવાથી જુદા જુદા ગરછ અને સમુદાયેનું એ એક મિલનસ્થાન બની રહેલ છે અને પ્રતિકાર ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા, પુરાતત્તવ, ઈતિહાસ વગેરે વિષયને લગતી લેખનસામગ્રી એ પિતાની મર્યાદા અનુસાર પ્રગટ કરતું રહે છે.
સમિતિની આર્થિક સ્થિતિ જરાય સદ્ધર નથી. ખરી રીતે તે દર વર્ષે મેળવે અને દર વર્ષે ખરચ કરે એવી આકાશવૃત્તિ જેવી સમિતિની સ્થિતિ છે. એવી આર્થિક સ્થિતિની પણ અમને વિશેષ ચિંતા એટલા માટે નથી કે અત્યાર સુધી ચતુર્વિધ સંઘે જેવી રીતે એની આર્થિક જરૂરિયાત પૂરી પાડી છે, તેવી જ રીતે ભવિષ્યમાં પણ પૂરી પાડતા રહેશે, કારણ કે આ સમિતિ અને આ માસિક એ શ્રીસંઘનાં પિતાનાં જ છે.
આમ છતાં એક વાત ખરી કે જે સમિતિ પાસે વિશેષ આર્થિક સગવડ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ઃ ૨૨
હાય તા એ વિશેષ પ્રમાણમાં કામ કરી શકે અને માસિકને વધારે સમૃદ્ધ અનાવી શકે. આ માટે અમે ચતુર્વિધ શ્રીસ`ઘને સમિતિને વધારે આર્થિક સહકાર આપવાની વિનંતી કરીએ છીએ.
આ બધાં વર્ષો દરમ્યાન પૂજ્ય મુનિવરો તથા વિદ્વાનેાએ લેખસામગ્રી માકલીને, સંસ્થાએ તથા સગૃહસ્થાએ આર્થિક મદદ આપીને તથા અન્ય રીતે જે સહકાર આપ્યા છે તે માટે એ સૌના અમે ડાર્દિક આભાર માનીએ છીએ; અને ભવિષ્યમાં પણ એવા જ સહકાર આપતા રહે એવી પ્રાર્થના સાથે નવીન વર્ષમાં પ્રવેશ કરીએ છીએ.
—તત્રી
ย
[ અનુસંધાન પાન ૨૦ નું ચાલુ ]
અને નિમરાજ જ્યારે સાજા થયા ત્યારે એમણે પહેલું કાર્યાં બધાયથી અળગા થઈ જવાનું કર્યું, એ કે બહુ હેાય ત્યાં ઘર્ષણ, એક હોય ત્યાં શાંતિ. જાણે એ વાત એમના રામરામમાં રમી ગઈ હતી.
અને જ્યારે મિરાજ આ બધી સામગ્રીને ત્યાગ કરીને સૌથી અળગા થઈને વનવગડાની વાટ ભણી ચાલી નીકળ્યા, ત્યારે એમના મુખ ઉપર, જાણે કે વિરહિણી પોતાના પતિને મળવા ચાલી જતી હાય એવા આનંદ વિલસી રહ્યો હતો.
સર્વાંના ત્યાગમાં જાણે એમનુ સર્વ સુખ સમાઈ ગયું હતું.
એકલતા જાણે એમને અમૃત સમી મીઠી થઈ પડી હતી.
મિરાજની એકલતાની વાત તો પવનવેગે ચામેર પ્રસરી ગઈ. દુનિયા તો રહી દાર’ગી. કાઈ એના ત્યાગની પ્રશંસા કરતું; કાઈ કાપૂર કહીને એના તિરસ્કાર કરતું. પણ નિમરાજ તા એકલતામાં મસ્ત અને આનંદસાગરમાં ઝીલ્યા કરતા.
ન કોઇની પરવા, ને કાઇની ચિતા. પોતે ભલા અને પોતાની એકલતા ભલી, એકલતા જાણે એમની સહધર્મચારિણી બની ગઈ.
*
એક દિવસ કાઈ કે આવીને કહ્યું : “ રાજર્ષિ, તમે તે। આવીને નિરાંતે બેસી ગયા, પણ તમારી પ્રાણપ્યારી મિથિલા તો ભડકે બળી રહી છે. ’
For Private And Personal Use Only
નમિરાજે તરત કહ્યું : “ મિથિલા ભડકે બળે છે એમ તમે કહ્યું ? પણ એ મિથિલા નથી બળતી એ તો મારી મમતા અને અહંકાર, મારી આસક્તિ અને મારા ગર્વ ભડભડ બળી રહ્યાં છે? એ છેા બળતાં ! જોજો, રખે કાઇ ઍને હારતાં. મમતા અને અહંકાર, આક્તિ અને ગ ભસ્મ થયા વગર ભારી એકલતા અને મારી શાંતિ સિદ્ધ નથી થવાની, સૌને જઈ તે કહેજો કે જેનુ જે થવાનું ાય તે ભલે થાય, પણ હું તે ભલા એકલા !' ''
—ઉત્તરાધ્યયન સૂત્રના આધારે
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા?
માનનીય શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પોતાની ચૌલુક્ય યુગની નવલકથાઓમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મંત્રી ઉદયન જેવા જેના બહુમાન્ય પુરુષનું વિત ચિત્રણ કર્યું છે એ સુવિદિત છે. એ વિકૃત ચિત્રણ રદ કરવા માટે જેને સમાજ તરફથી અનેક વખત માગણી કરવામાં આવ્યા એનું કશું પરિણામ આવ્યું નથી, એ સૌ કોઈ જાણે છે.
થોડા દિવસ પહેલાં, શ્રી મુનશીજીએ સ્થાપેલ મુંબઈના ભારતીય વિદ્યાભવને “રીલીજિયસ લીડર્સ' (ધર્મનાકા) નામે એક અંગ્રેજી પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં ઈસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પૈગંબર અંગે કંઈ અગ્ય લખાણ હોવાથી, મુસલમાનોએ એની સામે મોટી ઝુંબેશ ઉપાડી અને હિંસક તોફાને પણ કર્યા. પરિણામે શ્રી. મુનશીજીએ એ પુસ્તકનું વેચાણ બંધ કરવાની તરત જાહેરાત કરી અને પિતાની દિલગીરી પણ વ્યક્ત કરી.
* આ ઘટના ઉપરથી, શ્રી. મુનશીજીનું જેના શાંત વિરોધ તરફ ધ્યાન દોરીને એમના હાથે જેનોને થયેલ અન્યાય દૂર કરવા માટે ભાઈશ્રી યંભખુએ એક લેખ ભાવનગરથી પ્રગટ થતા “જૈન” પગના તા. ૨૨-૯-૫૬ના અંકમાં લખ્યો છે. સાથે સાથે એને અંગે
જૈન” પત્રે પણ એ જ તારીખની સામયિક કુરણમાં એક નોંધ પ્રગટ કરી છે. એ બને લખાણે “જૈન” પત્રમાંથી ઉદ્ધત કરીને અહીં સાભાર રજૂ કરીએ છીએ, અને સાથે સાથે શ્રી જ્યભિખુએ મહામંત્રી ઉદયનના પાત્રને શ્રી મુનશીજીએ વિકૃત રૂપે ચીતરેલ છે તે અંગે એક વિસ્તૃત લેખ આ પત્રમાં લખ્યો હતો તેને કેટલેક ભાગ પણ આપીએ છીએ; અને આશા રાખીએ છીએ કે શ્રી. મુનશીજી હજુ પણ આ બાબતનો વિચાર કરી, જેનોને થયેલ અન્યાય દૂર કરશે.
શ્રી. જયભિખુને લેખ પ્રતિકારના આ માગને પ્રતિષ્ઠા શા માટે?
છેલ્લા દિવસે માં એક બનાવ બની ગયે : અને તેણે જનતાનું એક યા બીજી રીતે લક્ષ ખેંચ્યું છે. વાત એવી છે કે ગુજરાતના જાણીતા સાક્ષર અને ઉત્તર પ્રદેશના રાજપાલ માનનીય શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા સ્થાપિત ભારતીય વિદ્યાભવન નામની મુંબઈની ઉચ્ચ શિક્ષણ અને સંશોધનની સંસ્થાએ તાજેતરમાં હેનરી થોમસ અને ડેનાલી થોમસ દ્વારા લિખિત, રિલીજીયસ લીડર્સ -ધાર્મિક આગેવાને-નામનું પુસ્તક પ્રગટ કર્યું. આ પુસ્તક સૌ પ્રથમ આજથી પંદર વર્ષ પહેલાં ૧૯૪૧ માં પ્રગટ થયેલું. તાજેતરમાં આ પુસ્તકની નવી આવૃત્તિ ભારતીય વિદ્યાભવન તરફથી “ભવન બુક યુનિવર્સિટી સિરીઝ” પ્રગટ થાય છે, તેમાં પ્રગટ કરવામાં આવી છે. આ સિરીઝના મુખ્ય સંપાદક તરીકે શ્રી. મુનશીજીનું નામ રહે છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ આ પુસ્તકમાં ઈસ્લામ વિષે અને તેના સંસ્થાપક હઝરત મહમદ પિગંબર વિષે કંઈક ન છાજતાં વિધાન હશે. આ વિધાને મુસ્લિમ જનતામાં વિરોધની લાગણી પ્રગટાવી; ને કેટલેક ઠેકાણે હિંસક રીતે એ વિરોધ દાખવવામાં આવ્યો. અને સદા બને છે તેમ, કોમવાદીઓએ આમાં ઝનૂનપૂર્વક ભાગ લીધે. આ વિરોધે એવું ઉગ્ર રૂપ લીધું કે એમાં દશેક નિર્દોષ માનવીઓનાં લેહી રેડાયાં; અને જાનમાલની ખુવારી પણ ઠીક થઈ. | મુસ્લિમ જનતાએ વિરોધ કર્યો તે સાથે જ શ્રી. મુનશીજીએ તરત જ, જરા પણ વિલંબ વિના, પિતાની દિલગીરી વ્યકત કરી અને જાહેર કર્યું કે હું મુખ્ય સંપાદક છું, પણ આ પુસ્તકનું લખાણ મેં જોયું નથી; ને બધાં પુસ્તકે બજારમાંથી ને સ્ટોકમાંથી લઈને, નાશ કરવા માટે સરકારને સંપી દેવામાં આવશે. | આપણું વડાપ્રધાન પંડિત શ્રી. જવાહરલાલ ને રુએ પણ આ અંગે પિતાનું નિવેદન બહાર પાડયું, ને મુસલમાનોને આઘાત કરતાં એ પુસ્તકમાંનાં વિધાનને તિરસ્કારી કાઢયાં. ગૃહપ્રધાને માનનીય શ્રી, ગેવિંદવલમ છે તે પણ કેમવાદને તિરસ્કારી કાઢતાં, મુસ્લિમને ખાતરી આપતું નિવેદન કર્યું.
આ બનાવ અંગે અમારે કંઈ કહેવાનું નથી. આ તે ફક્ત આ બનાવની મુખ્ય હકીકત જ અમે અહીં આપી છે. વળી અમે તે માનીએ છીએ કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભવવી એ બરાબર નથી અને કેઈના ધર્મને આદર કરે એ પિતાના જ ધર્મને આદર કરવા સમાન છે. પણ જેઓ લેકેની ધાર્મિક લાગણીઓ દુભવવામાં કુશળ છે, ને પછી લાંબી તર્કબાજી કરીને પિતાની એ ભૂલને સ્વીકાર કરવાની ખેલદિલી દાખવી શકતા નથી, તેમજ વાજબી છતાં પ્રશાંત વિરોધની અવગણના કર્યા કરે છે તેઓને માટે આ પ્રસંગ બેધપાઠરૂપ હાઈ એ તરફ ધ્યાન દેરવું અમે જરૂરી લેખીએ છીએ.
શ્રી. મુનશીજીએ વર્ષોથી જૈનોનાં દિલ દૂભવ્યા છે. એના પ્રાણપુરુષને નવલકથામાં વણીને એમને હલકટ ચીતરવામાં પાછું વળીને જોયું નથી, ખંભાતના મુસલમાનોને લૂંટવાને ને સ્ત્રી–બાળકને કતલ કરવાને બનાવ જેનેના માથે ઠોકી બેસારીને એમણે જેને અહિંસાને હલકી દેખાડવામાં આનંદ અનુભવે છે. પ્રસંગના પુરાવારૂપ ‘ામેઉલ હિકાયત’ નામના ગ્રંથનું નામ આપી, પિતાની વાતને બચાવ કરવા તેઓએ ખોટો ભ્રમ ઊભો કર્યો છે, પણ ખરી રીતે આ પુસ્તકમાં આ ઝઘડા અગ્નિપૂજકે ને મુસ્લિમ વચ્ચેને બતાવ્યું છે ને એમાં અઢારે તેમને મહારાજા સિદ્ધરાજે સજા કર્યાનું કહ્યું છે!
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાર્ય જેવા આજની ગુજરાતી ભાષાના પિતા અને ગુજરાતની સંસ્કૃતિના મહાન સંછાને તેઓએ, મંજરી જેવું ક૯પત પાત્ર ઊભું
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકઃ ૧] શ્રી, મુનશીજી વિચાર કરશે ખરા? કરી, જાતીય ભાવનાથી વિચલિત થતા બતાવ્યા છે! ને મહાન દાનવીર, શૂર ઉદયન મંત્રીને લંપટ ને સ્વાથી બતાવવામાં પણ કઈ મણ નથી રાખી.
આવું ઘણું ઘણું કહી શકાય છે, આ અગાઉ અમે એક લેખદ્વારા તે કાં જ છે, પણ અહીં એ વિગતેમાં ઊતરવાની જરૂર નથી. અહીં તે ફક્ત આ એટલું જ પૂછવા માગીએ છીએ, કે શું આજના લેકશાહીના આ જમાનામાં પ્રતિ કારના આવા હિંસક કે હીન માર્ગો જ કામિયાબ થશે ? શાંત અને અહિંસક વિર ધના પ્રશસ્ત માર્ગો નાકામિયાબ નીવડશે ? છેલ્લા પ્રસંગથી બોધપાઠ લઈને શ્ર મુનશીજી જૈન ધર્મને ન્યાય આપવા તૈયાર થશે ખરા? ભલે મેડે મીંડે પણ શ્રી. મુનશીજી તેમના હાથે જૈનેને થયેલ અન્યાય દૂર કરવાનું પગલું ભરશે તે ઉચિત થયું લેખાશે.
આ વાત અહીં રજૂ કરવાથી અમે સંપ્રદાયવાદી ગણાઈ જઈશું એને અમે મુલ ભય નથી, કારણ કે જેમ અમે દરેક ધર્મને ઈજજતની નજરે જોવામાં માને છીએ, તેમ અમારા ધર્મને પણ સૌ ઈજજતની નજરે જુએ અને જાણે-અજ પણ કંઈ એની અવહેલના ન કરે એમ ઈચ્છીએ છીએ. પારકા ધર્મની ઈજા કરનાર માટે પોતાના ધર્મની ઈજજત ચાહવી એ સંકુચિતતા નથી. ગાંધી અલા અને રોમ કંઈ એકબીજાના વિરોધી ન હતા.
આશા છે કે આપણા સમાજના અગ્રગણ્ય પુરુષે શ્રી. મુનશીજીને બાબતમાં ઘટતું કરવા વિનંતી કરશે. ને આજના ભારતમાં મુનશીજી એ ? તે એમના માટેનું એ કામ ભાદાર ગણાશે.
–જયભિ | નેધ: આ લેખને વિગતથી સમજવા માટે શ્રી, જયભિખુએ આ પત્રમાં નવા અંક પ તથા ૭માં) લખેલ લેખમાંથી કેટલાક સારભાગ અત્રે ઉધૃત કરેલ છે.
ગુજરાતનો નાથ' ને મહામંત્રી ઉદયન ગુજરાતના રાષ્ટ્રીય ઇતિહાસના સર્જનમાં જેનો જેટલો ફાળે છે, તેટલે સંજન અને સંવર્ધનમાં પણ છે. અલબત્ત, જેનોએ પોતાના ધર્મ માટે, મંદિર સ્થાન માટે અઢળક દ્રવ્ય ખર્યું હશે, સાથે સાથે એણે જનસમુદાય માટે પણ એ મન, ધન ન્યોછાવર કરેલાં છે. ગુજરાતને જે સુવર્ણયુગ લેખાય છે, એમાં એ પિતાનું વિશિષ્ટ સ્થાન રાખે છે. જે એ જેન વીરો માત્ર પોતાના વાડા કે - કરનાર ઝનૂની અંધશ્રદ્ધાળુઓ હેત તે, મહારાજા સિદ્ધરાજ જેવો વિચક્ષણ વર રાજમાં, લશ્કરમાં ને લેકમાં જવાબદારીવાળી ને જોખમભરી ઉચ્ચ પદવી આ | ગુજરાતના ઈતિહાસના આરંભ સાથે જ જૈન વીરોની નામાવલિ આગળ ઊભી રહે છે. ગૂર્જર રાષ્ટ્રનો પાયો નાખનાર વીર વનરાજને ઉછેરનાર જૈન શીલગુણસૂરિજી ! ગાદીપતિ વનરાજને મહામંત્રી જોબ ને વીરસેનાની માં મગ
તન, ન વીરે
આચાર્ય
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : રર મો વીરમહત્તમ, ભીમના મંત્રી વિમલશાહ, કર્ણદેવના મંત્રી મુંજાલ ને સાન્ત મહેતા, એ બા જૈન વીર જ હતા. ને ગુજરાતમાં જ્ઞાનની સરિતાને ધીમી ધીમી વહેવરાવી કલિકાલ
જ્ઞ હેમચંદ્રાચાર્યરૂપી મહાસાગરમાં સમાવનાર શ્રી, વીરગણિ, શ્રી. જિનેશ્વરસૂરિ, શ્રી. શાંતિસ શ્રી. અભયદેવસૂરિ વગેરે ચામુંડરાજથી કર્ણદેવ સુધીના સમયમાં થયેલા જ્ઞાનવીરે પણ ઢંજ હતા. | દિગવિજ્ય રાજા સિદ્ધરાજના સમયમાં જ કેટલા વિખ્યાત, વિબુત મંત્રી વીર હતા શ્રી જ નામાવલિ વાંચીએ તે ઉપરની વાતની ખાતરી થઈ જશે. અજેય માળવાને વિજય ડેર મહામંત્રી મુંજાલ ને રાજાની ગેરહાજરીમાં પાટણનો સરમુખત્યાર રહેનાર સાંતુ મંત્રી
જૈન હતા. મહામંત્રી આશુક પણ એક કુશળ જેન મંત્રી હતા. સોરઠ પર ઘણી મહેનત { મેળવીને એનું સંચાલન પણ સજજન નામના રણકુશળ જૈન સેનાપતિને સોંપાયું હતું. યુવતચરિત્રની રચનાર શ્રી. ચંદ્રસૂરિજી પણ પૂર્વાશ્રમમાં લાટ દેશના મંત્રી હતા. મહામંત્રી , પણ સિદ્ધરાજના સમયમાં આપબળથી રાજકાજમાં જોડાયા હતા, ને દક્ષિણÁારસમા, તના સરહાકેમ નિમાયા હતા. આ મંત્રીએ સિદ્ધરાજ ને કુમારપાળ એમ બે રાજાઓની રી, ને એ સેવામાં જ આખરે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. આ ઉપરાંત વાગૂભટ, પૃથ્વીપાલ વગેરે અનેક જૈન મંત્રીઓનાં નામ ગુજરાતના સુવર્ણયુગમાં સૂર્યસમાં ચમકી
આ જૈન વીરો માત્ર પોતાના પંથના જ અનુદાર પૂજારી હેત, પિતાના ધર્મબંધુઓ ધ્યાન આપનાર હેત તે ગૂજરાતના આ પરમ પ્રતાપી બે ગૂર્જરેશ્વરે કંઈ ઘેલો નહોતા રાજ્યના મહત્ત્વના પદ પર સ્થાપત. સ્વધર્મનું પાલન એ બ્રાહ્વણ, ક્ષત્રિય ને વૈશ્ય T માટે સમાન હતું. જેઠેષ પણ એક ભારે ચીજ છે, એ અમે જાણીએ છીએ, પણ તેમાંય મર્યાદા હેવી આપણે ત્યાં એક એવો દશકે આવી ગયો કે અત્યારના તમામ જૈનેતર લેખકોએ ન વીરને એક યા બીજા બહાને હલકા પાડવામાં પિતાની લેખિનીની સફળતા ' પણ એમાં તે અમે ગુજરાતના ગૌરવને ભંગ માનીએ છીએ, તે ગરવી ગુજરાતના આ હલકો ને ખટપટી, ઈક્કી ને અસહિષ્ણુ બતાવવાને અક્ષમ્ય દેવ કર્યા જેવું
લે
.
મારવા.
આવેલા
તા. વર્ષો પહેલાં મુંબઈમાં મીનલ-મુંજાલ ' નામનું નાટક જોયેલું. બધી રીતે એ નાટક " મારવા * કતું, પણ મહામંત્રી ઉદયનના ધીરદાત્ત પાત્રને હાસ્યરસ પ્રધાન બનાવી “ઉદો
કે રજૂ કરેલ. આ વાત તે વખતે પણ મનને ખટકેલી. અલબત્ત, એ વેળા ડી જેવા લેખાતાં ને આજના મહાગુજરાતીઓ પણ એ તરફથી વહેલા-મોડા Rા તે છે, તેવું ઇતિહાસ-જ્ઞાન સામાન્ય પ્રજાને ઓછું હતું. ગુજરાતમાં, ગુજરાત
છે આથી-મથુરાથી દ્વારકા આવનાર શ્રીકૃષ્ણના જમાનાથી-એક પ્રવાહ વહેતે આવેલે. પણ આજેમ વેપારકુશળ સિંધી વેપારીઓ તરફ એક જાતની લેકવૃત્તિ છે, તેવી વૃત્તિ ડિમોલી નાર વેપારકુશળ મારવાડીએ તરફ હતી. એટલે એ મશ્કરી લેને જાણે
બહારનું
છે, પણ
ગમી જતી હતી.
પણ મહીમા ઉદયન ભલે મૂળ મારવાડી ( શ્રીમાલથી આવેલા ) હોય, પણ એય
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧ ]
શ્રી, મુનશીજી વિચાર કરશે ખરા ?
[ ૭ મહાગૂજરાતી હતા. ગુજરાતના જ થઈને જીવ્યા હતા, ને ગુજરાતના વિજયમાં પ્રાણ અાં હતા. ગુજરાતના સુવર્ણયુગના તેઓ એક સમર્થ ચિંતક, બાહારી મુસદ્દી, અજોડ યોદ્ધા હતા. ને ગુર્જર ચક્રવર્તીએ સિદ્ધરાજ જયસિંહ ને મહારાન્ત કુમાળપાળના ખાસ વિશ્વાસુ હતા. તેમણે અને તેમના પુત્રાએે સમસ્ત ભારતવર્ષમાં સાહિત્યમાં અને શૌર્ય માં—ગુજરાતનુ માં ઉજ્જવલ રાખવા આખું જીવન અર્પણ કર્યું હતું.
કમનસીબી કહો કે ગમે તે કહા, પણ આવા મહામંત્રી, શ્રી. કનૈયાલાલ મુનશીના હાથ પર ચઢી ગયા, ને શ્રી. મુનશીએ માત્ર કથારસ જમાવવા, ખીજ્ર' પાત્રાની જેમ, જૈનાના આ મહાન કર્મવીર, ધર્મવીર ને રણવીર મંત્રીને ખૂબ હીન રીતે ચીતર્યો. દુષ્ટ ખલનાયક સર્જવા મહામંત્રી ઉયનને ઇચ્છા, કાવતરાંળાજ ને વ્યભિચારી ચીતરવામાં તેમણે પાછું વાળીને ન જોયું.
શ્રી. મુનશી પોતે ભાવ બ્રાહ્મણ છે, પણ તે કરતાંય બ્રાહ્મણુ સંસ્કૃતિના પરમ પૂજારી છે. એ સંસ્કૃતિ સામેની કાઈ પણ સંસ્કૃતિનો ધારક એમને કદાય ગમ્યા નથી. મહિષ` ચાણકય બ્રાહ્મણ સંસ્કૃતિના ઉદ્ધાર માટે યત્ન કરે તે પ્રરાસ્ત; આશ્રમ, અરણ્ય ને વર્ણાશ્રમની સંસ્કૃતિને વેગ આપવા કંઈ કરે તે સુંદર; ને એની સામે મહામંત્રી ઉદયન જેવા જૈન સંસ્કૃતિ માટે કંઈ કરે, મંદિર, ઉપાશ્રય કે ગ્રંથભંડાર સ્થાપે, તે હીન-અધમ કાર્ય ! આવા ભાસ તેમની નવલામાંથી ઊઠયો છે ને એથી જ ‘પાટણતી પ્રભુતા ’ના આનંદર જિતના પાત્રે, ‘ગુજરાતના નાથ' ના ઉદા મંત્રીએ તે ‘રાધિરાજ’ માંના હેમચંદ્રાચાયના ચિત્રણે જૈનોનાં દિલ દુભાવ્યાં છે; છતાંય જેના એક વેપારી પ્રશ્ન હાવાથી એણે આ તરફ થાડીએક ચળવળ ચલાવી, પછી સદાને માટે આંખ આડા કાન કર્યાં છે.
પણ જેમ સસલું આંખ બંધ કરી લે એટલે એની સામેની આફત ટળી જતી નથી, તેમ આ નવલકથાએ – જે મોટા ભાગે ઇતિહાસથી દૂર રહીને ચીતરાઈ છે – ધીરે ધીરે જનતા પર કાબૂ કર્યો છે.
વળી, વધુ આગળ વધીને કહીએ તેા શ્રી. મુનરી પાતે પણ આને ઇતિહાસની નવલે નથી કહેતા, અલબત્ત, એના આધાર માટે તેમણે ઐતિહાસિક પાત્રા જરૂર લીધાં છે. શ્રી. મુનશી પ્રારંભિક અવસ્થામાં મત્તૂર લેખક અલેકઝાંડર ડુમાના પૂર્જારી હતા, ને તેની શ્રી મટીયર્સ (Three Musketeers) ‘ટ્વેન્ટી ઇયર્સ, આફ્ટર' (Twenty Years After) નામની નવલકથાએ તેમના પર જાદુ કર્યો હતો. એ જાદુથી વશ થઈ તે તેમણે ગુજરાતને તેવા પ્રકારની નવલકથા આપવાનું વિચાર્યું. આ માટે તેમણે ગુજરાતના સુવર્ણયુગ સમા સાલકી યુગને પસંદ કર્યો ને એનાં પાત્રા લઈ ને તેઓએ ‘ પાટણની પ્રભુતા, ’ ‘ ગુજરાતના નાથ ' તે ‘ રાધિરાજ' નામની ત્રણ અપૂર્વ રસરિત કલાકૃતિઓને જન્મ આપ્યો.
માનનીય મુનશીજીની કલમના જાદુ માટે કઈ કહેવાની જરૂર નથી. પણ તેમણે રચેલી આ નવલે જેને માટે સદાકાળ મસ્તકળ જેવી રહી છે. અલબત્ત, અમે માનીએ છીએ કે નવલ એ ઇતિહાસ નથી, છતાં ઇતિહાસનું કાર્ય એ જરૂર કરે છે. નવલકથાકાર ધારે તેવી મૂર્તિ જનસમુદાયના હૃદયમાં ઊભી કરી શકે છે. એટલે કુશળ નવલકથાકાર હુમાના અનુકરણમાં રચાયેલી આ કલાકૃતિ ઉપરની તે અંગ્રેજી નવલકથાનાં રૂપાંતર જેવી છે, એ નવલકથાનાં પાત્રોની સામે એમણે દેશી નામ મૂકયાં, જેમકે થ્રો મસ્કેટિયર્સના શિક્ષુને સ્થાને મુંજાલ વગેરે, એવી રીતે મીનલ, ઉડ્ડયન, આનંદર જિત વગેરે પાત્રા પડયાં. આટલું જ નહિ, જાણીતા વિવેચક
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ શ્રી. વિશ્વનાથ ભટે “ગુજરાતી સાહિત્યમાં અપહરણ વગેરે લેખોમાં ફકરાના ફકરા, સંવાદોના સંવાદો, ઘટનાઓની ઘટનાઓ કેવી રીતે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારી, ગુજરાતના સુવર્ણયુગનાં પાત્રા-મુંજાલ, મીનળ, ઉદયન, જ્યસિંહ વગેરેનાં મોમાં મૂક્યાં છે, તે બતાવ્યું છે. અને તેમણે એક સ્થળે તે એવા ઉદ્ગારો કાઢયા છે કેઃ
માની દાસવૃત્તિ શ્રી. મુનશીની પાસે ઈતિહાસની પવિત્ર વ્યક્તિઓને ઈક્કી અને વ્યભિચારી બનાવે છે.'
માની દાસવૃત્તિનાં બીજ જૈન પ્રતાપી પાડ્યો ઓછાવત્તાં ભોગ બન્યાં છે, પણ મહામંત્રી ઉદયન વિષે તે કાંઈ મર્યાદા રહી નથી, અલબત્ત, તેઓએ પિતાની કલાકૃતિ માટે કોઈ અન્ય વ્યક્તિ પસંદ કરી હતી તે ઠીક થાત. પણ જેને જે ઉજવળ કાળ હતો એના પર કલંક લગાવ્યું છે. આથી બ્રાહ્મણ અને જેને વચ્ચેની બિરાદરીને ઘક્કો લાગ્યો છે, ને ફક્ત નવલકથાઓ જ વાંચતી ને ઈતિહાસથી અનભિન્ન પ્રજામાં એક ખાટી બ્રમણી ફેલાઈ છે.
એટલે જેઓ ઇતિહાસથી અનભિા છે, તેઓની જાણમાં અમે આ વાત લાવવા માગીએ છીએ કે ઉપર્યુક્ત ત્રણે નવલકથાઓ સાચા ઈતિહાસ પર રચાયેલી નથી, પણ એલેકઝાંડર દુમાની કલાકૃતિઓનું આપણી ભૂમિ પરનું સામાન્ય અવતરણ છે.
આ વિશે ગુજરાતના બે વિવેચકોના ઉતારા આપી એ વિશેષ રૂપષ્ટ કરીશું. આ ચર્ચા કરનાર મુખ્ય બે લેખકો છે. શ્રી. રામચન્દ્ર શુકલ અને શ્રી. વિશ્વનાથ ભટ્ટ.
' શ્રી. રામચન્દ્ર શુકલ એમના “પાટણની પ્રભુતા-એની માં, માની નવલકથાઓ સાથે સરખામણું” એ લેખમાં કહે છે કે “આ અનુકરણ હોઈ લેખક મહાશયે બહુ સાવધાનીથી કામ કર્યું છે. ઉપર ટપકે વાંચતાં ભિન્ન અને અલગ લાગશે, કિન્તુ બારીક નજરે જોઈશું તો “પાટણની પ્રભુતા' “શ્રી મઢેટીયર્સ' અને “ટવેન્ટી ઈગર્સ આફટર' એ પુસ્તકમાંથી વાંચી શકાશે. આ આધાર લેવામાં રા, મુનશીએ પિતાનું નૈપુણ્ય દર્શાવ્યું છે, “ કારણ તેમણે આખા ને આખાં પાત્ર લીધાં નથી, પરંતુ મિશ્રણ કરી તેમને ઉપયોગ કર્યો
કર્યો છે. અહીંથી ઘટના ઉઠાવી રા. મુનશીએ અન્ય જગ્યાએ ઘટના બેસાડી છે, અને કઈ “વ્યક્તિનું વર્ણન કેઈને લાગુ પાડયું છે. મૂળવાતુનો કેટલાક ભાગ, પાંત્રીસહિત સમૂળગે છેડી દેવામાં આવ્યો છે ને કેટલીક નૂતન વસ્તુઓને ઉમેરો કરવામાં આવ્યો છે.” [ ગુજરાતી સાહિત્ય : તેનું મનન અને ચિંતન, પા. ૧૮૧.] ત્યાર પછી શ્રી. શુકલે એ લેખમાં શ્રી. મુનશીએ પ્રકરણનાં મથાળાંથી માંડી પાત્રો અને પ્રસંગોમાં ડ્રમામાંથી શું લીધું છે તે વિસ્તારથી દર્શાવ્યું છે.
આ પછી “વિવેચનમુકુર” નામના ગ્રંથમાં વિવેચક શ્રી. વિશ્વનાથ ભરે પણ એમના સાહિત્ય અને અપહરણ” એ નામના લેખમાં કહ્યું છે:
વર્તમાન સમયની કેટલીક સારી માઠી પ્રેરણાઓની પેઠે આ વાડ્મય ચારીની પ્રેરણાનું “પણ ઉગમસ્થાન ઇતિહાસકાર રા. મુનશીને ગણશે “પાટણની પ્રભુતા તથા ગુજરાતનો નાથ'
* શ્રી મહેરીયર્સ' તથા “ટવેન્ટી ઈયર્સ આફટરનાં સંયોજન છે. સાધારણ લેખકોની માફક “એમનું અપહરણ તરત પકડાય એવું સીધું સાદુ કદી હોતું નથી, એમાં કસાયેલા ચોરની “કુશળતા હોય છે. તેઓ ડૂમા કનેથી વસ્તુ લે છે તે મૂળ મુદ્દો યથાપૂવરાખી વિગતમાં અપૂર્વતાનો
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક : ૧]
"
“દાવા કરવા સહેલા થઈ પડે
[૯
એવા પા કરી નાંખે છે. ‘ પાટણની પ્રભુતા'માં Twenty
k
( years After ને રાણીના નગરત્યાગ અને લેાકાનું બંડ એ ભાગ સ્વીકારી બાકીના
k
ભાગ પડતો મૂકયો છે, અને ‘ ગુજરાતનેા નાથ 'માં Three Masketeersમાં આટગ્નની
www.kobatirth.org
શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા?
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ પરાભપરંપરા સિવાયનું બીજું ઘણું જવા “ મસ્કેટિયર્સ'ના શિલ્યૂ અને ટવેન્ટી ઇયર્સ “ ‘ પાટણની પ્રભુતા ’માં હૃદય ને હૃદયનાથ એ
“ વીલીયમ્સ ડયુક ઑફ બકી’ગહામ ’ નામના પ્રકરણ પરથી જ લેવામાં આવ્યું છે. તફાવત ફક્ત
*
*
એટલે જ છે કે મૂળમાં કીગહામ એનને પ્રેમ દાખવવા વીનવે છે તેા ‘ પાટણની પ્રભુતા ’માં “ મીનળ મુંજાલને એ જાતની અરજી કરે છે. આ એક ફેરફાર સિવાય ડૂમાના આખા વાકય“ ખેડાના ભાવ અને કવિચત તે શબ્દો પણ લેખકે આબાદ ઉતારી લીધા છે.
"3
દીધુ છે. ‘ પાટણની પ્રભુતા'ના મુંજાલ ‘શ્રી આફટર ’નાં મેઝેરીના મિશ્રણમાંથી ઘડયો છે. આખું પ્રકરણ : શ્રી મસ્કેટીયર્સ 'ના‘જ
'
આ ઉપરાંત ખુદ ગુજરાતને નાથ 'ની પ્રસ્તાવનામાં જ મશ્નર સાક્ષરવર્ય શ્રી. નર્સિંહરાવ ભાળાનાથ દીવેટિયા આ નવલના સત્યાસત્યની ઝાંખી કરાવતાં પૃ. ૧૧માં લખે છે, કે–
rr
“ આ વાર્તામાં–વાર્તાયુગલમાં વૃત્તાંતા તથા પાત્રા ઐતિહાસિક પાયા ઉપર રચાયેલાં છે ખરાં, તથાપિ કલાવિધાનની માગણીને આદર આપીને ઐતિહાસિક અંશને ત્યાગ કરીતે, કલ્પિત રચનાને પણ સ્થાન ચાતુર્યથી અપાયેલું છે.
*
‘દાખલા તરીકે પ્રસન્નમુખી ( કાશ્મીરાદેવી ને મીનલદેવીની ભત્રીજી તરીકે સબંધ, “ મુંજાલની યુવાવસ્થામાં દ્રાવિડ દેશની મુસાફરી, ચંદ્રપુરમાં મીનલદેવી જોડે સ્નેહસમાગમ,
kr
મીનલદેવીને ગુજરાતના રાજા કર્ણદેવ જોડે લગ્ન કરવામાં મુંજાલના સાહચર્યના મહેતુ,
“સારાંશ મુંજાલ અને મીનલદેવી વચ્ચેના વિલક્ષણ સ્નેહ-સબધ, આચારની વિશુદ્ધિ છતાં એ
k
એનાં હૃદયાન અંતર્યંત લગ્ન, કીર્તિદેવ જોડે મુંજાલનો ગૂઢ સંબંધ, આ સર્વે વેિકલ્પનાની સફળ અને સબળ ઉત્પત્તિ
છે.
“ મુખ્ય પાત્રોમાં સજરી અને કીર્તિદેવ એ કેવળ કલ્પનાકૃતિઓ છે ( ગૌણ
tr
“ પાત્રાની વાત કરવાની જરૂર નથી. ) આ ઉપરાંત કેટલાંક પાત્રો જેવાં કે કાક, દેશલ,
kk
વિશલ, ઉબક ઇતિહાસપ્રસિદ્ધ છતાં એમના સમય જરાક પાછળ ખસેડી પ્રસ્તુત વાર્તાનાં
“ સમયમાં મૂકયો છે. તેમજ પ્રસ્તુત વાર્તાનો સમય વિ. સ’. ૧૧૫૪ ના હાઈ કેટલાક પ્રસંગા
krk
* મે–ત્રણ વર્ષ આગળપાછળ ખસેડીને, ખેંચી તાણીને સં. ૧૧૫૪ માં આણ્યા છે, તે પણ “ વાર્તાનું કેન્દ્રસ્થાન સાચવવા માટે કલાવિધાનની આજ્ઞાને અનુસરીને કર્યું છે.
“ આ વાર્તા છે, ઇતિહાસ નથી. ઇતિહાસની સામગ્રી લઇને રચેલી કથા છે, એટલું
fr
* સ્મરણમાં રાખતાં આટલી ઇતિહાસ સાથે લીધેલી છૂટના ખુલાસા મળવા સાથે ક્ષમા પણ
“ મળશે જ. એટલું જ નહિ પણ એ છૂટ લેવામાં કલાવિધાયકના ચાતુર્યં ચમત્કાર પણ રસિક
r
વાચકને જણાશે. કારણ કે ઐતિહાસિક પ્રસંગે મુખ્ય ભાગે સાચા લીધા છે. જેવા કે
માળવાની ચઢાઈ તે સાન્ત મહેતાને પાટણ સાચવવા રાખેલા તે, મીનલદેવીની જાત્રા, - નવધણને પકડવા તે, ખેંગારે લીધેલી ચાર પ્રતિજ્ઞા અને તેનુ પ્રતિપાલન, હેમચાર્યની “દીક્ષા, ખેતીષ્ઠ પર ખંભાતમાં થયેલા જીલમ વગેરે. અને કલ્પના ધડેલા પ્રસંગાની અલ્પ “ તેમજ ચતુરાઇથી યથાપ્રયેાજન ગૂંથણી થઈ છે. (કાર્તિકૌમુદી, પ્રબન્ધચિંતામણિ, ચતુ
3
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ “વિંશતિ પ્રબંધ, રાસમાલા, ધી બોમ્બે ગેઝેટિયરમાંનો ગુજરાતનો ઇતિહાસ, ઠવાયકાવ્ય, “જામે-ઉલ-હિકાયત” એ ગ્રંથોમાં બહુઅશે આ વાત સામગ્રી જશે.) પૃ. ૧૧-૧૨.”
આટલાં અવતરણે આ નવલકથાના કાલ્પનિક વસ્તુતત્ત્વને સાબીત કરવા માટે બસ થશે. એ સિવાય પણ સાક્ષરવર્ય શ્રી. ન. જે. દવેટિયા જે ઐતિહાસિક પ્રસંગોને સાચા ઠેરવે છે, તેમાં પણ કેટલી ઘાલમેલ કરવામાં આવી છે, ને કોઈની પાઘડી કોઈને માથે મૂકવામાં આવી છે, તે અમે આગળ બતાવીશું.
શ્રી. મુનશીએ આમાં કાલવ્યુત્ક્રમ પણ કર્યો છે. એમનું પ્રિય પાત્ર કાક મહારાજા કુમારપાળના સમયમાં થયેલે છે, ને એ લાટના દુર્ગપાળને બદલે લાટને કુશળ સૈનિક હતો, છતાં એમણે કાકને સુંદર રીતે ચીતર્યો છે, ને એમની સામે મહામંત્રી ઉદયનને ખટપટી, સ્વાર્થસાધુ ને વ્યભિચારી ચીતર્યા છે. કોક વાર્તાના નાયક જેવો લાગે છે, ઉદયન ખલનાયક.
મંજરી એ શ્રી. મુનશીનું પિતાનું કલ્પના સંતાન છે. એટલે તે દ્વારા તેમણે જે જે ઘટનાઓ નિર્માણ કરી છે, તે પણ કપોલકલ્પિત જ છે. મહામંત્રી ઉદયનને તેમણે આ મંજરી પાછળ પાગલ બતાવ્યા છે. એ આ નિરાધાર બ્રાહ્મણબાળાનું અપહરણ કરવા મથે છે, ને પિતાની સાથે પરણવા એ અબળાને સતાવે છે. અહીં મહામંત્રી વાચકને દુષ્ટ રાક્ષસ જેવા લાગે છે, જે ઘટના ખરેખર રીતે સર્વથા – એ સો ટકા–ટી છે. કારણ કે મંજરી પોતે જ ખોટી રીતે ઊભી કરેલી છે. મૂલ નાસ્તિ ફતે શીખા ! આવી રીતે મંજરી સાથેનો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને “રાજાધિરાજ' ગ્રંથમાં આવેલ પ્રસંગ, જે માટે જેનોએ ખૂબ છતાં વાંઝિયે વિરોધ કર્યો હતો, તે પણ આ માનવંતા લેખકની કલ્પના જ હતી.
જેમ મંજરી શ્રી. મુનશીનું કલ્પિતપાત્ર છે, તેમ તેમને મશદર બ્રાહ્મણયોદ્દો કાને પણ જબરદસ્તીથી સિદ્ધરાજની સમીપ ખેંચી આણેલું પાત્ર છે. લેખકે એના તરફ ખૂબ પક્ષપાત દાખવ્યો છે, કે જે સાહસનું માન અન્યને ફાળે જવું જોઈએ એ એને આપ્યું છે, ને જે દુષ્ટ કાર્યની લાંછના અન્યને ફાળે જવી જોઈએ તે જેમને ફાળે આવી છે. અને તે માટે “ખતીબ પર ખંભાતમાં થયેલે જુલમ વાળી ઘટના (જેને શ્રી. ન. ભ, દિવેટિયા સાચે ઐતિહાસિક પ્રસંગ માને છે.) પ્રત્યક્ષ પ્રમાણ છે. આ ઘટનામાં જેનો યશ યુવાન રાજવી
સિંહ સિદ્ધરાજને મળવું જોઈએ, તે શ્રી. મુનશીએ બ્રાહ્મણોદ્ધા કાકને અપાવ્યો છે, ને જે અપકાર્ય કર્યાની જવાબદારી અગ્નિપૂજકો તથા બ્રાહ્મણોની હતી તે જેનોના ને ખાસ કરી ખંભાતના સૂબા મહામંત્રી ઉદયનને માથે ઓઢાડી છે.
અમે ગુજરાતના નાથ'નું એ અન્યાયી પ્રકરણ રજૂ કરીએ, તે પહેલાં તે ઘટના સમજવા શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીકૃત “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ માંથી સિદ્ધરાજની ન્યાયપ્રિયતાવાળું પ્રકરણ નીચે આપીએ છીએ ?
સિદ્ધરાજની ન્યાયપ્રિયતા “સિદ્ધરાજના દરબારમાં આવા ધાર્મિક વાદવિવાદો તે કઈ વાર થતા હશે, પણ લેકેની ફરિયાદો સાંભળવાનું અને તેને ન્યાય ચુકવવાનું કામ તે હમેશાં થતું હશે, એમ કુમારપાલની દિનચર્યાની જે વિગતો હેમન્ડે આપી છે તેથી લાગે છે. સિદ્ધરાજ અને તેની મા મીનળદેવીના અદલે ન્યાયની અનેક દંતકથાઓ પ્રચલિત છે. પણ ઈ. સ. ૧૨૧૧ માં
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧] શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા?
[ ૧૧ મુસ્લમાન ગ્રંથકાર મુહમ્મદ શફીએ લખેલા જામે-ઉલ-હિકાયત નામના ગ્રંથમાં લખેલે નીચે કિસ્સો સિદ્ધરાજના મરણ પછી તરત પરદેશી-પરધર્મીએ નેધલે હાઈને સિદ્ધરાજની ન્યાયપ્રિયતાને વિશ્વસનીય અને સચોટ દાખલા છે –
ગુજરાતના રાજ્યમાં ખંભાત નગરમાં અમિપૂજક અને સુન્ની મુસલમાને રહે છે. ત્યાં એક મરિજદ હતી, જે અમિપૂજકોએ કાફિર દ્વારા બળાવી મૂકી. આ દંગામાં એંશી મુસલમાને માર્યા ગયા. ડેવળ અલી નામનો એક ખતીબ ( ખુતબા પઢવાળા) બચી ગયો. તેણે અણહિલવાડ જઈ પુકાર કર્યો પણ કોઈ એ તે તરફ ધ્યાન આપ્યું નહિ એટલે શિકારની સમયે જંગલમાં રાજાને મળી ખંભાત સંબંધી બધી હકીકત તેણે રજૂ કરી. આ વાતની બરાબર તપાસ કરવાની ઈચ્છાથી “હું ત્રણ દિવસ સુધી જનાનખાનામાં જ રહીશ માટે તમે રાજ્યનું કામ સંભાળશે,' એમ પિતાના પ્રધાનને કહી જ્યસિંહ સાંઢણી ઉપર સવાર થઈ એક દિવસ અને એક રાતમાં ખંભાત પહોંચ્યા, અને ત્યાં છાની રીતે તપાસ કરતાં બધી વાત સાચી હોવાની ખાતરી થતાં ત્રીજે દિવસે રાતે પાછા આવી, વળતે દિવસે દરબારમાં ફરિયાદીઓને અરજી કરવાની વખતે અરજી કરવાની ખતીબને આરતા કરી. ખતીબનું ખ્યાન પૂરું થતાં કાફિરોનું એક ટોળું તેને ડરાવવા તથા તેની વાતને જુટ્ટી કરાવવા ચાહતું હતું, પણ જયસિંહે કહ્યું કે, “આ ઝઘડે ધાર્મિક હોવાથી કોઈને વિશ્વાસ ન કરતાં મેં જાતે ખંભાત જઈ તપાસ કરી છે અને મુસલમાન ઉપર ખરેખર જુલમ કરવામાં આવ્યા છે, એમ મને માલમ પડ્યું છે. મારા રાજ્યમાં સર્વ લેકે સુખ શાન્તિને સમાન રીતે ઉપભોગ કરી શકે એવી પ્રજાપાલનની સુવ્યવસ્થા રાખવી એ મારું કર્તવ્ય છે.' આમ કહીને બ્રાહ્મણે તથા અગ્નિપૂજકામાંના દરેક સમુદાયના બબ્બે મુખ્ય નેતાઓને ગ્ય દંડ કરવાની આજ્ઞા આપી.” ધાર્મિક બાબતમાં સિદ્ધરાજની આવી સમદષ્ટિને પરિણામે મુલમાનેએ પિતાના ધર્મને પ્રચાર કરવા પ્રયત્ન કર્યો હોય એ સંભવિત છે અને નરૂદ્દીન ઈસ્માઈલીએ એ પ્રયાસ કરેલે એમ કહે છે.”
ભારતના ઈતિહાસમાં અને ધાર્મિક સહિષ્ણુતાના બનાવોમાં સોનેરી અક્ષરોએ નોંધવા લાયક આ કિસાની માનનીય શ્રી મુનશીજી જેવા સિદ્ધહસ્ત નવલનવેશના હાથે કેવી દુર્દશા થઈને આ પ્રસંગ કેવી રીતે રજૂ થયે તે “ગુજરાતના નાથનાં કેટલાંક પ્રકરણે ” જોતાં ખાતરી થશે. આ પ્રસંગમાં તેઓએ સિદ્ધરાજને સ્થાને બ્રાહ્મણોદ્ધા કાકને મૂકીને ક્યાં રાજ ભેજ ને ક્યાં ગાંગો તેલી” જેવો ઘાટ કર્યો છે. તેમજ જે દેવ બ્રાહ્મણ તથા અમિપૂજકે માથે સિદ્ધ થશે, એ દોષ મહામંત્રી ઉદયનની સરનશીની નીચે આવેલા ખંભાતના શ્રાવકે માથે મઢી દીધી છે.
ખંભાતને રસ્તે’ વાળા પ્રકરણમાં શ્રી. મુનશીજી કથે છે :
એવામાં પાટણના રાજકર્તાઓમાં એક નવો મુત્સદ્દી દાખલ થયો. તે ઉર મહેતા “જ્યારે તે મંત્રીપદ પામ્યો ત્યારે તેને પાટણની સત્તા હાથ કરવાની ઘણી હોંશ હતી. પણ “મુંજાલના વ્યક્તિત્વે આગળ તેની હોંશ નકામી ગઈ. તેણે કર્ણાવતી અને ખંભાત બેય માગી “લીધાં અને મીનલદેવીએ તે તેને આપ્યાં.
ઉદાની મહત્ત્વાકાંક્ષા અપાર હતી, બધા મંત્રીઓને ઝાંખા કરવા તે ધર્મધુરંધર બની રહ્યો. કર્ણાવતી અને ખંભાત જેવાં બંદરોમાં ઘસડાઈ આવતી અઢળક દેલત તેણે જૈન
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૨ મતના ઉદ્ધાર માટે ખરચવા માંડી. દેશદેશના જૈન સાધુઓ, જે વિદ્વાને ઉદા મહેતાના “દરબારમાં આંટાફેરા માવા લાગ્યા. અને ભૂખડીબોરસ ધમીએ ન્યાલ થવા લાગ્યા. “ઉદાએ ધીમેધીમે માથું ઊંચકવા પ્રયત્ન કર્યો એટલે મુંજાલે તેની પાસેથી કર્ણાવતી લઈ લીધું. ઘવાયેલ મંત્રી ખંભાતમાં જઈ રહ્યો.
ખંભાત ગુજરાતનું મુખ્ય બંદર હતું. અને ગુર્જર ધનાડ્યો દરિયાઈ વેપાર ઘણે જ કરતા હોવાથી એ શહેર નીચે બધાની મૂડી હતી. આથી ઉદાની દેલત અને સત્તા અનુ“પમ થઈ પડી. ખંભાતમાં પૈસો હતો અને તેમાં તે જેનધર્મનું અને ઉદ્દાની સત્તાનું મથક બન્યું.”
[ આ પ્રકરણના અંતે એવું આવે છે કે સિદ્ધરાજનો મોકલ્યો કોક ખંભાતમાં ઉદા મહેતાની સત્તા તેડવા જઈ રહ્યો છે. હવે આવે છે પ્રકરણ તેરમું શીર્ષક છે. “ ખતીબ.” એ પ્રકરણને જરૂરી ભાગ નીચે પ્રમાણે છેઃ ]
મહા સુદ બારસની સવારે કાક છેક ખંભાતની પાસે આવી પહોંચ્યા...તેણે વિસામે, લેવાનો નિશ્ચય કર્યો. એક ઘટાદાર વૃક્ષ નીચે દેવતા પાડી રાંધવા બેઠી. રાંધતાં રાંધતાં એણે ઉદા મહેતાનો વિચાર કરવા માંડ્યો. એકદમ ઉપરની ઘટા હાલી...ઉપર જોયું તે ઝાડની ઘટામાં વાંદરા જેવું લાગ્યું. ઝાડમાં ભરાઈ રહેનાર નહેાત વાંદરા અને નહે માણસ... કાકે તેને હેડે ઊતરવા હાથના ચાળાથી સૂચવ્યું. પેલે આદમી શ્રેતન્યા કરતો હતો. પણ તે કંઈ બે નહિ તેમ ઊતર્યો નહિ.
કાકને મિનજ ગયો. બાણ સાંધવા માંડ્યું. પેલા માણસે ન સમજાય તેવા દયામણે અવાજ કર્યો, અને તે હેઠળ ઊતરવા માંડ્યો.
મુસલમાન!” પેલાએ ભય સાથે દાઢી ઘસતા કહ્યું “ અહીં કયાંથી આવ્યા?” પેલાએ ખંભાત તરફ આંગળી કરી. * આ ઝાડ પર ક્યાંથી આવ્યો ?' "
થોડાક ગુજરાતી શબ્દો, થડા ન સમજાય એવા શબ્દો, અને હાથના ચાળાથી સમજાવ્યું કે તેનાં ઘરબારને નાશ કરવામાં આવ્યા છે અને બૈરી છોકરીને મારી નાખવામાં આવ્યાં છે.
“કેણે ?” “ “ઈસબરાક” કહી શ્રાવકે જ્યાં ચંદન ઘસતા હતા, ત્યાં પિલાએ આંગળી કરી, “ “ શ્રાવકેએ ? શા સારુ?’ “ચન,” પેલાએ ટૂંકામાં જવાબ આપ્યો. કાક સમયે. “ “ તારું નામ શું ?' * * ખતીબ.’ “ “ તે કોઈને ફરિયાદ કરી ? ” ખતીએ ડોકું ધુણાવ્યું અને આકાશ તરફ આંગળી કરી: “અલ્લાહ ! ”
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક : ૧]
શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા ?
• ઉદામંત્રી પાસે ફરિયાદ કરવી હતી ને?' કાર્કપૂછ્યું.
* સિબરાક. ’
www.kobatirth.org
<<
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩
X
X
X
આ પછી કાક ખતીબને લઇ ને ખંભાતમાં આવે છે, ત્યાં ‘ મિથ્યાદષ્ટિ’ કહી ખતીબને મારવા શ્રાવકા એકત્ર થઈ જાય છે. એક તરફ એકલા કાકનુ ને બીજી તરફ દ્વારા પ્રજાજતા ને સિપાઇ નુ શુદ્ધ જામે છે તે ત્યાં આ સમશેરબહાદુર કાક મહાશયે માત્ર લાકડાની પટાબાથી તલવાર્—ભાલાવાળાઓ સામે બુદ્ધ કર્યું, અને વાત આગળ ચાલે છે.
આ ખંભાતમાં જ બ્રાહ્મણ યાદ્દા કાકને દામુ મહેતાના ભત્રીજા ચાંગા સાથે મેળાપ થાય છે. ને પારકા છેાકરાને જિત કરી ધર્મધુરધર બનનાર ઉદા મહેતાનુ ખટપટ્ટી જીવન અહીં નિરૂપાય છે.
અસ્તુ અહીં કઈ બધા પ્રસંગે રજૂ કરી એની છાનબીન કરવાની નથી. ચોખાની
તપેલીમાંથી એક ચાખા ચાંપી જોતાં જેમ ચઢવા ન ચઢવાની ખાતરી કરી શકાય છે, તેમ આ પ્રસંગ રજૂ કરી, એ જ કથયિતવ્ય છે, કે આ પ્રસગા કપાલકલ્પિત છે ને જે મુસલનમાન ખેતીબનાં ઘર બાળી નાખવાનુ તે બૈરાં-છેકરાં મારી નાખવાનું ભયંકર તહેામત જેના માથે મઢીને આલમમાં તેને એક ખૂની તરીકે રજૂ કરવામાં આવ્યા છે, તે સામે માનનીય શ્રી. મુનશીજી પાસે ઇન્સાફ માગવાનો હેતુ છે! કાકનું જે વખતે સ્થાન નથી, તે વખતે તેને રજૂ કરી, યામાત્રનો પાટલા એને માથે બંધાવી શ્રી. મુનશીજીએ બ્રાહ્મણવ'ની કંઇ સેવા કરવા ધારી હોય તો નિરર્થક છે. આલાની ટોપી માલાને માથે મૂકવાથી' બ્રાહ્મણુ સંસ્કૃતિની સેવા કદી થઈ શકશે નહિ, એ તે હ્રાઃ વ્હાલ fવજ્ર: વિજ્ર:।
વિશેષમાં એ ખાસ નોંધવાલાયક ખીના છે કે: શ્રી, મુનશીએ પોતે આ ખેતીબવાળા પ્રકરણને અહીં ઇતિહાસનું રૂપ આપવા પ્રયત્ન સેવ્યા છે, તેઓશ્રી ફૂટનેટમાં– જામી ઉલ હિકાયત, સર હ. ઈલિઅટના ઇતિહાસમાં આપેલા તરજુમા પથી' એમ લખીને એક ભારે ભ્રમણા વાચકેાના મગજમાં પેદા કરે છે. તે ક્રાઇ મુસલમાન લેખકના ઇહાસના આધારે જ આ લખાયુ' છે એવા આભાસ ઉપજાવવાનો યત્ન કર્યાં છે.
For Private And Personal Use Only
આપણે એ મૂળ કિતાબ વિષે જ તપાસ કરીએ, એટલે શાખા કરતાં મૂળ હાથમાં આવી જાય અને એમ કરતાં ‘ જામી–ઉલ—હિકાયત'માં વસ્તુ જ ભિન્ન જોવા મળે છે તે શ્રી. મુનશીજીએ અખાની પેલી ઉક્તિ જેમ ‘કહ્યું કશું ને કહ્યું કશું-આંખનું કાજળ ગાલે કસ્યું' જેવું કર્યું` દેખાય છે. એ ગ્રંથમાં તદ્દન જુદી જ વાત છે. એમાં કાક નથી, ઉદ્દયન નથી મુસલમાનાનાં બૈરાં-છેાકરાંને મારવાની વાત—જે ગમે તેવા જુલમગાર આ નામધારી કદી પણ ન કરી શકે! ત્યાં જેનું અલગ નામ પણ નથી.
તાજેતરમાં જ ગુજરાતની સુપ્રસિદ્ધ ગુજરાત વન કયુલર સીસાયટી (ગુજરાત વિદ્યાસભા) તરફથી પ્રગટ થયેલ, અક્ષ્મીના વિદ્રાન અધ્યાપક પ્રા. મૌલાના સૈયદ અબુઝફર નદખીએ તૈયાર કરેલ ‘ગુજરાતની નિવાસ ' ( આર્યોના આગમનથી લઈ મુસલમાનોના આગમન સુધી )ના પૃ. ૨૯૮ ને નીચે મુજબ ઉતારા વાચકાની જાણ માટે કરીએ છીએ.
.
k
ઈ. સ. ૧૨૩૫ (હિં. સ. ૬૩૩) પર્યં'તા છે. તેના સમયમાં નૂરુદ્દીન મહમ્મદ અતિ વિદ્વાન શખ્સ થઈ ગયા હતા. જામે-ઉલ-હિકાયત તેના જ ગ્રંથ છે. તેમાં ઍફી
સુલતાન શમ્મુદ્દીન અલ્તમશને જમાના ઈ. સ. ૧૨૧૭ (હિ. સ. ૬૦૭)થી માંડી ફી એક
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨
"C
લખે છે કે, એક વખત હું ખંભાતમાં હતા; એ સમુદ્રને કિનારે આવેલુ છે; ત્યાં સંખ્યાબંધ સુન્ની મુસલમાન રહે છે. તેઓ ધર્મચુસ્ત છે અને ઉદાર દિલના છે. મેં સાંભળ્યું કે એ શહેર ગુજરાતના રાજા જયસિંગ ( અવસાન ઈ. સ. ૧૧૪૩–હિ. સ. ૧૩૮ )ના કબજામાં હતું, જેનુ પાયતખ્ત અણહીલવાડ ( નહરવાલા ) હતું—તેના સમયમાં અહીં' આતશપૂજા ( પારસી ) અને મુસલમાનની ઘણી વસ્તી હતી. મુસલમાનોની એક મસ્જિદ હતી, જેની પાસે એક મિનારા પણ હતો; તે ઉપર ઊભા રહી બાંગી ખાંગ પોકારતો હતો. પારસ આએ હિંદુઓને મુસલમાના ઉપર હુમલા કરવાને ઉશ્કેર્યાં. તેમણે તે મિનારા તોડી નાખ્યા, મસ્જિદ બાળી નાંખી અને ૮૦ મુસલમાનોને મારી નાખ્યા. મસ્જિદના ખેતીખનુ નામ કુત્બ અલી હતું તે બચી અણહીલવાડ ચાલ્યેા ગયા અને તેણે તમામ પીડિતાની ફરિયાદ કરી. રાજાના દરબારીઓમાંથી કાઈ એ તેની ફિરયાદ સાંભળી નહિ, અને કાઇએ ધ્યાન આપ્યું નહિ; કાઈ એન તે મદદ કરી, હરેક દરબારી પોતાના ધર્મબંધુને બચાવવાની કાશીશ કરતા રહ્યો.
""
કુત્બ અલીએ સાંભળ્યુ કે રાજા શિકાર કરવા જનાર છે. તે જંગલમાં જઈ રાજાના જવાના રસ્તા ઉપર એક ઝાડ નીચે ખેડો. રાજા ત્યાં પહોંચ્યા ત્યારે કુત્બ અલીએ વિનતી કરી કે આપ હાથીને થોભાવી મારી ફરિયાદ સાંભળી લે. રાજાએ સવારી રોકી. કુત્સ અલીએ એક કવિતા હિંદીમાં ( બહુધા ફીતે હિંદી શબ્દનો ઉપયોગ કરવાના ભાવાર્થ પ્રાચીન ગુજરાતી ઝમાન હશે) બનાવી હતી અને તેમાં તમામ બનાવા વર્ણવ્યા હતા, તે રાજાના હાથમાં મૂકી. રાજાએ તે કવિતા વાંચી અને નાકરને હુકમ કર્યાં કે તારે કુત્બ અલીને સુરક્ષિત તારી પાસે રાખવા અને હું કહું ત્યારે તેને દરબારમાં હાજર કરવા. ત્યાર પછી રાજા પાછા ફર્યાં અને પોતાના નાયબને ખેલાવી કહ્યું કે તમામ રિયાસતનુ કામ તમારે કરવું, ત્રણ દિવસ માટે તમામ કામ છેાડી દઈ ઝનાનામાં રહીશ. હવે પછી સલ્તનતના કારોબાર માટે મને કાઈ પણ રીતે છેડવા નહિ. તે જ રાતે રાજા એક સાંઢણી ઉપર સવાર થઈ ખંભાત ગયા અને ચાળીસ ફરસગનું અંતર એક રાત-દિવસમાં કાપ્યુ અને સાદાગરના વેશે શહેરમાં દાખલ થયા.
“ બુજારા અને ગલીકૂચીમાં અલગ અલગ જગ્યાએ રહી કુત્બ અલીની શિકાયતા વિશેની સત્યતા વિશે (હકીકતા) તપાસતા રહ્યો. રાજાને સારી રીતે ખબર પડી ગઈ । મુસલમાના ઉપર અતિ જુલમ થયા છે અને તેની કતલ કરવામાં આવી છે. તે પછી તેણે એક વાસણ સમુદ્રના પાણીથી ભરાવ્યું અને સાથે લઈ પાટણ તરફ રવાના થયા. ત્યાં પોતાની રવાનગીની ત્રીજી રાતે તે પહોંચ્યા. સવારે તેણે દરબાર ભર્યો અને કુત્બ અલીને મેલાવીને કહ્યું કે તમે સ અનાવાનુ મ્યાન કરે.. તેણે તમામ હકીકત સભળાવી. દરબારી આદમીએ તેના ઉપર ખાટા મ્યાનના આક્ષેપ મૂકવાની તથા ધમકાવવાની ઇચ્છા કરી, ત્યારે રાજાએ પોતાના પાણીવાળાને મેલાવીને હાજર રહેલાએતે વાસણ આપવાને ફરમાવ્યું, જેથી કરીને તેઓ તેમાંથી પીએ. હરેક શખ્સ ચાખીને તે છોડી દીધું અને તેઓ સમજી ગયા કે સમુદ્રનું ખારું પાણી છે, પીવા લાયક નથી.
“ તે બાદ રાનએ કહ્યું : આ મામલામાં જુદા જુદા ધર્મવાળાને સધ હતા, તેથી મેં કાઈ ઉપર ભરેાંસા ન કર્યો અને મેં નતે ખંભાત જઈ આ બાબતની તપાસ કરી, ત્યારે માલૂમ પડ્યું કે ખરેખર મુસલમાના ઉપર અતિ જુલમ થયા છે. ત્યાર પછી તેણે કહ્યું કે તમામ રૈયતની પરિસ્થિતિ વિશે સંભાળ રાખવાની અને એનુ રક્ષણ કરવાની મારી
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧]
શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા ?
[ ૧૫
:
ક્રુજ છે. તે સહીસલામતીથી રહી શકે તે પછી ગેરમુસલમાનેમાંથી બબ્બે આદમીને ( બહુધા જે આ મામલામાં ફિસાદ કરવામાં આગેવાન હતા) સજા કરવાના અને એક લાખ ‘સેતર ' કે · બાલૂતરા ' ( ચાંદીના સિક્કા ) આ મસ્જિદ અને મિનારા તૈયાર કરવામાં વાપરવાને તેણે હુકમ કર્યો અને ચાર જાતના કીમતી કપડાના ટુકડાને બનાવેલા ખિલાત અર્પણ કર્યાં. આ ખિલાતનાં કપડાં આજ પ"ત (ઈ. સ. ૧૨૨૭–હિ. સ. ૬૨૫) રાખી મૂકવામાં આવ્યાં છે અને કાઇ મેટા તહેવારને દિવસે બતાવવામાં આવે છે. આ સર્વ મસ્જિદ અને મિનાર કૈટલાક દિવસ પહેલા કાયમ હતાં, પણ માળવાના લશ્કરે અણહીલવાડ ઉપર હુમલો કર્યો ત્યારે તે તોડી પાડવામાં આવ્યાં. સૈયદ શ તમન[ સદુદ્દીન શ (વેપારી) ] ส એ પાતાને ખર્ચે તે ફરીથી બનાવ્યા અને એકને બદલે ચાર મિનાર બધાવી તે ઉપર સાનાન કળશ ચડાવ્યા. તે પોતાના ધર્મની ઇમારત ગેરઇસ્લામ મુલકમાં છેાડી ગયા. તે ઈમારત આજ પર્યંત માજૂદ છે.”
આટલા અવતરણથી વાયકા સમજી શકશે કે આ બનાવ બીજી રીતે કેવા ફેરવી નાખવામાં આવ્યા છેઃ તે જેને માટે ગુજરેશ્વર જયંસ હને ધન્યવાદ મળવા જોઇ એ, જે ગુજરાતની સાચી અસ્મિતા લેખાવી જોઈએ, એના લાભ આજની સરકારી કચેરીએમાં જેમ લાગવગના જોરે કાઈ ને બદલે કાઇ લાભ મેળવી જાય છે, તેમ કાકને મળ્યા છે. કારણમાં ફક્ત તે બ્રાહ્મણ છે !
પારકા છોકરાને જિત કરનાર ઉદામંત્રીનુ ચિત્ર દોરી, શીરા માટે શ્રાવક બનનારાનું ચિત્ર શ્રી.મુનશીજી દોરે છે. જેમાં એક માતા પેાતાની પુત્રીને ‘ઉદા મહેતાને પરણુ કાં સાધ્વી થા એવી ફરજ પાડે છે. અપાસરાની ભીતના ભોંયરામાં એને કેદ કરે છે, ત્યાં પરાપકાર માટે નિર્માયેલા કાક (સિનેમાના ડગ્લાસ ફેરએકસ જેમ,) ત્યાં કૂદી આવે છે. મજરી બ્રાહ્મણત્વની અભિમાનિની છે; મહારાજ કર્ણદેવના વખતમાં કાશ્મીરથી પાટણમાં આવેલા વિઠ્ઠલ શિરામણિ દ્રદત્ત વાચસ્પતિની કન્યા છે.
કાક ખંભાતના કારાગૃઢમાંથી એને ઉદાની પત્ની અથવા જૈન સાધ્વી થતી એક વાર બચાવે છે. વળી બીજી વાર ઉદા મહેતા કારસ્તાન રચી મંજરીનુ અપહરણ કરે છે, ત્યાં પણ બહાદુર કાક પહોંચી જાય છે, ને બચાવે છે! પણ હવે ઉદા મહેતાથી માંજરીતી રક્ષા કેવી રીતે કરવી એ બહુ વિકટ સવાલ પેદા થાય છે. કાક બહુ ભણેલા નથી માટે મજરીતે ગમતા નથી. આખરે તાડ એવા નીકળ્યા કે ‘મંજરી જો કાઇ જોડે પરણે તે ઉદ્દો એનો કડી છેડે, કારણ કે મંજરી કરતાં શાખરૂં ઉદાને વહાલી હતી. '
ન છૂટકે મંજરી કાક સાથે લગ્ન કરવા તૈયાર થઇ! પણ ધર્મષ્ટ કાક એવી રીતે મજરીતે પરણવા ઇચ્છતા નહાતો. (જે મંજરીનાં પળભરનાં દર્શનથી યાગમૂર્તિ કવિકાલસર્વજ્ઞ હેમચદ્રાચાર્યનુ મન ધ્રૂજી ઊઠે છે, એની સામે જંગના ખેડનારા, એહું ભણેલા કાક કેવા સ’યમ દાખવે છે !) એ ઉદા મહેતાને સમજાવવા જાય છે પણ કપરી ઉદાથી કાક હારે છે તે એને સચાગબળના દબાણે લગ્નગ્રંથીમાં જોડાવું પડે છે ! અને છતાંય ઉદા મહેતાના માણસે એને ઉપાડી લઈ જઈ ભોંયરામાં કૈદ કરે છે, તે વળી ત્યાં હજાર હાથવાળા કાકદેવ પહોંચી જાય છે.
એટલે ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારાયેલી આ ધર્મપ્રાણ તે રાષ્ટ્રપ્રાણ વિભૂતિ મહામ`ત્રી ઉદયનને જાણે બદનામ કરવા માટે જ અહીં બીડુ ઝડપાયુ લાગે છે. કાકનો સમય બદલી પહેલાં આણવામાં આવ્યો છે તે મજરી જેવી કલ્પનાકૃતિની ઉદ્દયન મંત્રીને બદનામ કરવા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૨
અહીં રચના કરવામાં આવી છે. એટલે વાચકે એટલુ' જાણી લેવું જોઈએ કે મંજરીબાઇ આકાશકુસુમવત અથવા શશશગ બરાબર છે. લેખકે પોતાના મનાભાવના ચિત્રણ માટે ને કલ્પનાવિહાર માટે એનું એ લીધું છે.
પ્રસ્તુત લેખ ખૂત્ર લાંખે થયા છે તે આ મહામંત્રી વિશે મેં મારા વીરધર્માંની વાતે ભા. ૩ જા 'માં વિશેષ લખવાનું ધાર્યું. હાવાથી આટલેથી સમાપ્ત કરું છું.
સાથે સાથે શ્રીવૃ ંદાવનલાલ વર્મા રચિત, આ કાલક જેવી આ વિભૂતિને અપમાન કરનારી કૃતિ ‘ હુંસમયૂર 'ની આલેચના વખતે મેં કહ્યું હતું તે ફરી કહીશ, કે આ સંસ્કૃતિ એટલે માત્ર બ્રાહ્મણ સંસ્કૃતિ નહિ; પણ જૈન, બૌદ્ધ, અને બ્રાહ્મણ સંસ્કૃતિ ! આ ત્રણે સંસ્કૃતિમાં આય સંસ્કૃતિનુ મધુ છુપાયેલુ છે.
ગુજરાતી પ્રજા એ દુકાનદારાને દેશ છે, એ જૂના આક્ષેપ છે. મહારાષ્ટ્રીઓના હૈયામાં સ્વઉધ્ધારક છત્રપતિ શિવાજી મહારાજનું જેટલુ માનગૌરવ વસેલુ છે, તેટલું મહત્ત્વ ગૂર્જર ચક્રવ મહારાજ સિંહરાજ તે મહારાજ કુમારપાળ વિષે આપણામાં નથી ! ધાર્મિક અસિંહષ્ણુતાએ આમાં મોટો ભાગ ભજવ્યા છે. માનનીય શ્રી. મુનશી વિષે, એમના કલાકૌશલ વિષે, લેખકને માન છે. કેટલીક વાર જમાનાની હવા સાથે લેખક વહી જાય છે. ગઈ કાલ ગમે તેવી હતી, આજે મુનશીજી ભારતસર્વસ્વના બન્યા છે. એ વેળા એક નમ્ર ભારતીય તરીકે પ્રાર્થના છે, કે ભવિષ્યમાં તે આ સર્વોત્તમ નવલકથાઓના આ અધમતમ ભાગોને રૂખસદ આપશે, તે ગૂજરાતની અસ્મિતાના સાચા પૂજારીનું બિરુદ સાર્થક કરશે. —જયભિખ્ખુ
છ
હું જૈન ” પત્રની નોંધ
ધ્યાન આપવા જેવી વાત
કોઈને આ વાત જૂનાં પડ–પોપડાં ઉખેળવા જેવી લાગે તે ભલે લાગે;
પણ જે વાત ગેરવ્યાજબી છે તે, એના દોષનું નિવારણ કરવામાં ન આવે ત્યાં લગી, ગેરવ્યાજબી જ લેખાવાની; અને તેથી અવસર આવ્યે એ દોષનું નિવારણ કરવાનું કહેવું એ કાઈ રીતે અનુચિત હોય એમ અમને લાગતું નથી—ઊલટું એમ કરવું એ જરૂપ છે એમ અમે માનીએ છીએ અને તેથી આ નોંધ લખીએ છીએ.
વાત આમ છે. ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક માનનીય શ્રી, કનૈયાલાલ મુનશીએ પોતાની નવલકથાઓમાં આચાર્ય હેમચંદ્રસૂરિ અને મંત્રી ઉદયન જેવા જેમાના માન્ય પુરુષનું વિકૃત ચિત્રણ કરેલું, એ વાત ઘણી જૂની થઈ હોવા છતાં આપણા મનમાંથી ગઈ નથી શ્રી. મુનશીજીનાં આ લખાણા સામે આપણે વિરોધ પણુ ઠીક ઠીક કરેલા; પણ એની સામે શ્રી. મુનશૌજી સાવ અણુનમ જ રહેલા, અને પોતાની આ ભૂલને સુધારવાની એમને જરૂર નહીં લાગેલી.
ઘેાડા દિવસ પહેલાં, શ્રીમાન મુનશીજીએ મુખઈમાં સ્થાપેલ ભારતીય વિદ્યાભવન તરફથી એક અંગ્રેજી પુસ્તક નામે “ રિલીજિયસ લીડર્સ”ની નવી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ]
શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા ?
[ ૧૭ આવૃત્તિ પ્રગટ થઈ. એના લેખક તે કોઈ અંગ્રેજ છે; પણ એ પુસ્તકના મુખ્ય સંપાદક શ્રી. મુનશીજી છે. આ પુસ્તકમાં મુસલમાન ભાઈ આને પોતાના ધમસંસ્થાપક અંગે કંઈક વાંધા પડતું લખાણ લાગ્યું અને એની સામે એમણે જખ્ખર ઝૂંબેશ ઉપાડી, આ નિમિત્તે હિંસક તાકાના થયાં, ખૂનામરકી થઈ અને શ્રી. મુનશીજીની નનામી કાઢીને એને જલાવવામાં સુદ્ધાં આવી અને પરિણામે શ્રી. મુનશીજીએ તરત જ પાતાની દિલગીરી જાહેર કરી અને એ પુસ્તકની બધી નકલે નાશ કરવાની જાહેરાત કરી.
આ સંબધમાં ગુજરાતના લાકપ્રિય લેખક ભાઈશ્રી જયભિખ્ખુએ એક નાના સરખા લેખ લખી મેલ્યા છે તે અમે આ અકમાં અન્યત્ર પ્રગટ કર્યાં છે. તે તરફ અમે જૈન સંઘનું અને શ્રીમાન મુનશીજીનું ધ્યાન દોરીએ છીએ; અને ભાઈશ્રી જયભિખ્ખુએ જે કઈ કહ્યુ છે તે ઉપર સૌ ગભીરપણે વિચાર કરે એમ ઈચ્છીએ છીએ.
અહીં મુખ્ય પાયાના સવાલ એ છે કે, આપણી ઉછરતી લેાકશાહીમાં આપણે કેવા વિરાધને મચક આપવાની પ્રણાલિકા ઊભી કરવા માગીએ છીએ ? શું તેાફાની અને હિંસક વિરોધ હોય તા જ એની આગળ નમતું આપવું અને સાચી વાત પણ શાંત રીતે કહેવામાં આવતી હાય તેા તેની સામે આંખઆડા કાન કરવા; એ માગે આપણે જવું છે કે વિરધ પાછળની વસ્તુ સાચી હોય તે એના સ્વીકાર કરીને એમાં સુધારો કરી લેવાના માગ સ્વીકારવા છે ?
જૈનાએ તે શ્રીમાન મુનશીજી પાસે પેાતાની વાત વર્ષોથી મૂકેલી જ છે. અને જ્યારે મુસ્લિમ બિરાદરાનું મન દુભાવતી જાતનું શ્રી. મુનશીજી ઘડીના છઠ્ઠા ભાગમાં નિવારણ કરતા હૈાય ત્યારે તે આપણે સહેજે ઇચ્છીએ અને આશા રાખીએ કે શ્રી, મુનશીજી આપણને થયેલ અન્યાયનું પણ, ભલે માટૅ માટે પણુ, નિવારણ કરે, સાચી વાતના સ્વીકાર કરવામાં અને થયેલી ભૂલના સુધાર કરવામાં કદી મેડુ થયું ગણાતું નથી
પાતાના હાથે થયેલ ભૂલને સુધારવાની કે અન્યાય દૂર કરવાની જ વાત હાય ત તે જૈનાને પણ શ્રી. મુનશીજી પાસે પોતાની એ જૂની માગણીનું પુન રુચ્ચારણ કરવાના પૂરેપૂરા હક્ક છે; અને જૈનાના એહક્કના સ્વીકાર કરીને શ્રી. મુનશીએ પેાતાની ભૂલ સુધારવી જ જોઇ એ. બાકી લાઠી ઉસકી ભેંસ, ચમત્કારે નમસ્કાર કે બળિયાના બે ભાગની એકાંગી નીતિનું જ જો શ્રી. મુનશીજીને અનુસરણ કરવું હોય તેા તે એમના પેાતાના અખત્યારની વાત છે. પણ દેશના એક આગેવાન પુરુષ આવી નીતિને અપનાવે એ કોઈ રીતે વ્યાજબી તે નહીં જ લેખાય. ધ્યાન દોરવું એ આપણું કામ છે. શું કરવું તે શ્રીમાન મુનશીજીએ વિચારવાનું છે.
જોઈએ, શ્રીમાન મુનશીજી હવે શું કરે છે ?
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું તો ભલો એકલો!
લેખક શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ [ ક્રમાંક ૨પર થી ચાલુ ]
[૪]
મેટાનું મન મેટું મિથિલાપતિના લશ્કરે સુદર્શનપુરને બરાબર ઘેરો ઘાલ્યો છે, ચકલુંય બહાર ફરકે તે ખબર પડી જાય એવો એ બૂહ છે. સુદર્શનપુરના કિલ્લામાં પણ યુદ્ધની જ વાતો ચાલી રહી છે. કેઈને યુદ્ધને કાળો નથી, કોઈના મનમાં પરાજિત થવાનો ભય નથી, કોઈને વાત પડતી મૂકવા જેવી આળસ નથી.
બને સિને સજજ થઈને ખડાં છે. સૌ સૌના બૂહ ભલે ન્યારા હૈય, પણ ધ્યેય તે બનેનું એક જ હતું. શત્રુને ગમે તે ભોગે પરાજય કરવો.
સાધ્વી સુત્રતાના મનને કોઈ વાતે નિરાંત નથી. નમિરાજે એમને ખાલી હાથે પાછાં વાળ્યાં, તેની એમને નિરાશા પણ નથી. એ પણ ગમે તે રીતે યુદ્ધ અટકાવવાના પિતાના ધ્યેયને પાર પાડવાને દઢ નિશ્ચય કરીને આવ્યાં હતાં.
કેનું ધ્યેય પાર પડવાનું હતું ? મિથિલાપતિનું? માલવપતિનું? કે સાધ્વી સુત્રતાનું? જાણે એની ઘડીઓ ગણાઈ રહી હતી.
સાધ્વી તે ચારેકોર ફર્યા કરે છે. એને ગમે તેમ કરીને પિતાના મોટા પુત્ર પાસે પહોંચવું છે. જે વાત પિતાના નાના પુત્ર નકારી હતી અને મોટા પુત્ર પાસે સ્વીકાર કરાવવાની એને આશા હતી.
–અને એક દિવસ એ ચંદ્રચશના રાજભવનમાં પહોંચી ગઈ.
વર્ષો વીતી ગયાં હતાં અને વેશ પણ પલટાઈ ગયો હતો, છતાં ચંદ્રશને પિતાની માતાને ઓળખતાં વાર ન લાગી. પરલેક સિધાવેલી માની લીધેલ માતાને પોતાને આંગણે ઊભેલી જોઈને એનું અંતર ગગફ્ટ થઈ ગયું. એનો અવાજે રૂંધાઈ ગયો. માતાનું અંતર પણ જાણે જુગ જુગ જૂના પડોને ભેદી રહ્યું. બન્નેના અંતરની નેહવાદળી, મિલનની ઉષ્માથી પ્રવાહી બનીને, નેત્રા વાટે આંસુરૂપે વર્ષવા લાગી.
પુત્ર હાથ જોડીને ખડે છે. સાધ્વીમાતા તેને કહી રહી છે: “મહાનુભાવ ! હું આજે તારે દ્વારે ભિક્ષા માગવા આવી છું. વત્સ ! તું આ યુદ્ધનું નિવારણ કર. તારા નાના ભાઈ એ મને ભલે નકારી, પણ તું મને નહીં નકારે એવી આશા લઈને હું અહીં આવી છું. તને તો મેં અંતરનાં ધાવણ પાઈને ઊછેર્યો હતો. પુત્રક! બેલ, મારી આટલી વાત માનીશ ને ?”
માતા ! આયો ! એ માનવાની વાત તે પછી; પણ તારી વાતને નકારનાર એ મારે. ભાઈ કણ? એ તે કહે ?”
મિથિલાપતિ નિમિરાજ તારે ના ભાઈ થાય! હું તમ બન્નેની જનની ! શું ભાઈ ઊઠીને ભાઈને સંહાર કરશે?”
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧] હું તે ભલે એકલે !
[ ૧૯ અને પછી સુત્રતાએ પિતાની વીતકકહાણી સંભળાવીને છેવટે કહ્યું: “નમિરાજ ન માન્ય તેનું મને દુઃખ નથી. પણ તું તે મેટો ભાઈ કહેવાય. મોટામાં મોટું મન રાખવું ઘટે! તું જ આગળ થઈને યુદ્ધની શાંતિની ઉોષણા કરી અને આ સંહારને અટકાવ.”
ચંદ્રયશના અંતરમાં માતાની વાત વસી ગઈ. મેટા મનના બનીને એણે સુલેહને વાવટો ફરકા. નગરના દરવાજા ઉઘાડીને એ સામે પગલે નમિરાજની પાસે પહોંચ્યો. બને ભાઈ એકબીજાને ભેટી પડ્યા.
યુદ્ધનાં વાદળ પળવારમાં વેરાઈ ગયાં. સાધ્વી સુત્રતાનું ધ્યેય સફળ થયું. સર્વત્ર આનંદ આનંદ છવાઈ રહ્યો.
અને ત્યાગી માતાને મોટો પુત્ર નાના ભાઈને રાજ્ય ભળાવીને ત્યાગી બનીને ચાલી નીકળ્યો.
મિથિલા અને માલવ દેશ તે ધન્ય દિવસે એકરૂપ બનીને ત્યાગી માતા અને ત્યાગી પુત્રને નમન કરી રહ્યાં.
હું તે ભલે એકલે! વર્ષો વીતી ગયાં.
એક દિવસ મિથિલાપતિ નમિરાજના રાજપ્રાસાદમાં પરિચાર દોડાદોડ કરી રહ્યા છે. કેઈને મનમાં ચેન નથી. રાજરાણીઓનાં મન પણ બેચેન બની ગયાં છે. મંત્રીઓ અને સામતિ પણ ઉદાસ જેવા દેખાય છે.
મિથિલાપતિ મહાભયંકર વ્યાધિમાં સપડાયા છે. અમિરાજનું શરીર દાહની પીડાથી ઘેરાઈ ગયું છે. એમના રોમેરેામ દાવાનળની લાય અને વીંછીના ડંખની વેદના પ્રગટી છે. એમની પીડાને કઈ પાર નથી. મુલાયમ પુષ્પશયાઓ પણ આજે શાતા આપી શકતી નથી. એ તે ધખધખતી રેતીમાં માછલી તરફડે એમ પોતાની પથારીમાં તરફડિયાં મારે છે. એમના તનને
ક્યાંય આરામ નથી; એમના મનને ક્યાંય નિરાંત નથી. એક એક પળ જાણે યુગયુગ જેવી વીતી રહી છે.
મિરાજ બેકાસા નાખે છે, ચીસો પાડે છે, અને રાજરાણીઓ, મંત્રીઓ અને અન્ય રાજકર્મચારીઓ, અપાર ધનવૈભવ, વિશાળ સૈન્ય અને અદમ્ય શક્તિના માલિકને અસહાય બનીને તરફડતે જોઈ રહે છે.
શું કરવું? એ કોઈને સૂઝતું નથી. દેશ-વિદેશના વૈદ્યો આવે છે. પાણીમૂલે ધન વપરાય છે. પણ કોઈની કશી કારી ફાવતી નથી.
માંત્રિકે આવે છે, તાંત્રિક આવે છે; પણ દર્દ એવું નઠેર બનીને આવ્યું છે કે કેઈનય ગજ વાગતું નથી.
નમિરાજ બિચારા પિલાયા જ કરે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ] શ્રી. જન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ આ દેહમાં કવચિત ચંદનવિલેપન થોડીક શાંતિ આપી જાય છે. એટલે રાજરાણીઓ પિતે જ ચંદનવિલેપન ઘસીને એના કટોરા ભરે છે.
નમિરાજનાં તન અને મન વધુ ને વધુ સંતાપી બનતાં જાય છે. હવે તે એમને કોઈની વાતમાં પણ રસ નથી. કેઈની વાત સાંભળતાં પણ એ દુઃખી દુઃખી થઈ જાય છે, ચિડાઈ જાય છે.
એક દિવસ રાજરાણીઓ ચંદનવિલેપન ઘસતી હતી, અને એમના હાથમાંનાં સુવર્ણકંકણોમાંથી મધુર રેવ ઊઠતો હતો.
ત્યાં તે નમિરાજ બરાડી ઊઠ્યા: “બંધ કરે આ અવાજ. આ કકશ રવ ક્યાંથી આવે છે? હાંકી કાઢે એ અવાજ કરનારને !”
રાણીઓએ સૌભાગ્યના ચિહ્નરૂપ એક એક કંકણ રાખીને બાકીનાં કંકણે ઉતારી નાખ્યાં! ફરી ચંદનવિલેપન ઘસાવા લાગ્યું.
ત્યાં ફરી પાછા નમિરાજ બેલી ઊઠી : “કેમ, ચંદન ઘસનાર બધા કક્યાં ગયા? મારી પીડા તે જુઓ ! ચંદન ઘસવું કેમ બંધ કર્યું ? વાહ સંસાર ! દુઃખ પડે ત્યારે પોતાના પણ પોતાને તજી જાય !”
પટ્ટરાણી નમ્રતાથી કહે છે: “નાથ ! ચંદન બરાબર ઘસાય છે. એના કટોરા ભર્યા પડયા છે. આપ માગે તેટલું વિલેપન હાજર છે. આજ્ઞા કરે.”
“ ત્યારે એ ઘર્ષણના અવાજ કેમ નથી સંભળાતા?” - “સ્વામી ! આપને કંકણનો અવાજ અકારે થઈ પડયો, એટલે અમે એક એક સૌભાગ્યકંકણ રાખીને બાકીનાં ઉતારી નાખ્યાં. એટલે એનો અવા બધ .”
બંધ થયો. એક એક કંકણું રહ્યું એટલે...! અવાજ... ...બંધ થયો ? એમ જ ને...? અને નમિરાજ કેઈ ઊંડા વિચારમાં ઉતરી ગયા.
શરીરની પીડા જાણે મનોમંથનમાં વિસરાઈ ગઈ. એ જાણે મનોમન કહેતા હતા: “એક જ કંકણ રહ્યું એટલે ઘર્ષણ ટળી ગયું, ખરું ને? એક હેાય ત્યાં ઘર્ષણ ન ટકે એમ જ ને ?”
અને જાણે એમને કેઈ સુખની ચાવી લાધતી હોય એવો સંતોષ એમના મુખ ઉપર
દેખાવા લાગે.
સૌ સમજ્યાં કે રાજાની પીડા ઓછી થઈ છે.
નમિરાજ વધુ ને વધુ ચિંતનમાં ઊતરતા ગયા. એમને થયું કયાં એ વખત, જ્યારે રણમેદાનમાં અસિધારાઓના ખણખણાટથી હૈયું નાચી ઊઠતું હતું, અને ક્યાં આજનો વખત,
જ્યારે એક સુવર્ણકંકણનો અવાજ પણ અકારે થઈ પડ્યો છે ! બે ભેગા થયા કે ઘર્ષણ થયું જ સમજે. એકલું હોય ત્યાં ન ઘર્ષણ, ન વિવાદ, ન વિગ્રહ કે ન કલહકંકાસ, સાચું સુખ અને સાચી શાંતિ તે એકલા રહેવામાં જ મળે.
અને જાણે એમને અંતરનું જ્ઞાન લાધી ગયું. એમણે નિર્ણય કર્યો આ રોગ મને ભરખી જવાનું હોય તો ભલે ભરખી જાય. પણ એ રોગમાંથી બચું તો પછી હું તો એકલે જ બની રહેવાનો. પછી તે ભલે હું ને ભલું મારું એકલાપણું. આ રાજવૈભવ અને જંજાળ મારે માટે હવે નકામાં. સુખ અને શાંતિ તે એકલતામાં જ મળવાનાં!
[ જુઓ અનુસંધાન પાનું ૨]
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરાપંથ-સમીક્ષા
લેખક : પૂ. પં. શ્રી. ધુરંધરવિજયજી ગણી
(લેખાંક છઠ્ઠો] તેરાપંથના તે તે વિચારો—–જો કે તે વિચારોને રજૂ કરનારાઓ તો એમ માનતા અને મનાવતા હોય છે કે, અમે જે વિચારો રજૂ કરીએ છીએ એ જ વ્યાજબી છે, એ જ શાસ્ત્રોક્ત છે, બાકી બીજાઓ જે કહે છે તે વિકૃત છે, પણ એથી એ ભૂલભરેલા વિચારો સાચા દરતા નથી. વિશ્વમાં ખોટો માલ વેચનારે પણ એમ કહેતા હોય છે કે સાચે ને શુદ્ધ માલ અમે વેચીએ છીએ, પણ એમ કહેવા માત્રથી ખોટ માલ સાચો ને શુદ્ધ થઈ શકતું નથી. માલની પરીક્ષા કરવાથી તેનું સાચાપણું અને ટોપણું જણાઈ આવે છે. પોતાના માલની પરીક્ષા કરાવતા જે કરે તેને માટે માનવું જોઈએ કે તેના માલમાં ગોટાળો છે. તેરાપંથના વિચારો એ પ્રકારના છે. તેઓ પોતાના વિચારોને કસેટીએ ચડાવવાના પ્રસંગેથી હમેશાં દૂર રહેતા આવ્યા છે. તેઓ વાતચિતમાં પણ, જેમાં વિચારોની અથડામણ જે મુદ્દાઓ ઉપર ઊભી થાય છે તે પ્રસંગ આવે એટલે તુરત ખસી જવા માટે તલપાપડ બની જતા હોય છે. એ સર્વ તેમના વિચારોમાં ખામી છે તેનું સ્પષ્ટ દર્શન કરાવે છે.
ભિખમજીએ રજૂ કરેલા વિચારોમાં જેમની મતિ આગમના વિશુદ્ધ વિચારેથી સંસ્કારિત છે તેઓને કેટલી ને કેવા પ્રકારની ખામી છે એ સહજમાં સમજાય એવું છે. તે વિચારે આ છે –
(૨૯) જીવવું મરવું ઈચ્છે તેમાં ધર્મને અંશ નથી. એવી અનુકંપાથી કર્મને વંશ વધે છે. મેહથી કરે તે રાગદ્વેષ—-ઈન્દ્રિયોને ભેગ વધે. આત્માની અનુકંપા આચરવી. જીવને મરતા દેખીને કાંઈ શાચ ફિકર કરવી નહિ. ઉપદ્ર સહ્યા અને ત્રત પાળ્યા, મેહની અનુકંપા પણ શ્રાવકોએ તાળી, કાચા હતા તે ચળી ગયા–તેમનું બધું ગયું. દેઢ-અડગ રહ્યા તેઓને પ્રભુએ વખાણ્યા. ચંપા નગરીના શ્રાવક અરણક (અર્જક) ને ઈન્ડે વખાણ્યો. નમિરાજર્ષિ મિથિલા બળતી મેલીને ચાલી નીકળ્યા. કૃષ્ણના ભાઈ ગજસુકુમાલ કષ્ટમાં હતા છતાં પ્રભુએ તેમની કરણ ન આવ્યું. અનેક મુનિઓને ઉપસી થયા છતાં કોઈએ તેમની કરુણા કરી નહિ અને ઉપસર્ગો દૂર કર્યા નહિ. પ્રભુને પણ ઉપસર્ગો થયા છતાં બચાવ્યા નથી. જગત મસ્યગલગલે ન્યાયે ચાલે છે. ચુલણીપિયા સ્થિર રહ્યો ત્યાંસુધી તે પ્રશંસાપાત્ર બન્યો અને
અસ્થિર થયો એટલે તેની પ્રશંસા ન થઈ. સુરાદેવ, ચૂલશતક, શકડાલ પુત્ર માર્યા ત્યાંસુધી સ્થિર રહ્યા પછીથી અસ્થિર બની ગયા. અસ્થિર બન્યો એટલે તેમના વ્રત ભાંગ્યા. ચેડા મહારાજા અને કણકના સંગ્રામને અધિકાર નિરયાલીમાં અને શ્રીભગવતીજીમાં છે. એક કોડ ને એંસીલાખ યુદ્ધમાં મર્યા. તેમની અનુકંપા કેઈએ ન કરી. સમુદ્રપાલ ચેરને મરતે દેખી વૈરાગ્ય પા, પણ ચરને બચાવવાનો વિચાર કર્યો નહિ. સાધુ, શ્રાવક એ બન્નેની રીત એક જ છે.
તેરાપંથના આ ઉપરના વિચારમાં જડતાનો અતિરેક સ્પષ્ટ જણાય છે. શાસ્ત્રના તે તે દષ્ટા અને ઉલ્લેખે જે હકીકત સમજાવે છે તે હકીકત સમજ્યા વગર આંખનું કાજળ ગાલે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ ઘસવા જેવી ચેષ્ટા કરવી એ કેટલું અજૂગતું છે. વનમાં તપ તપતા મુનિવરની-કેઈ ધ્યાનસ્થ દશામાં રહીને કેવળજ્ઞાનની નિકટ પહોંચતાં મુનિનીવાત આગળ કરીને એમ કહેવું કે કોઈ મુનિની વૈયાવચ્ચ— સેવા કરવી એ નકામી છે. કોઈ કર્મવશ રાગને પરવશ પડેલા મુનિ કર્મ નિર્ઝરતા હોય, તેમની સેવા કેઈ ન કરતું હોય—એટલે એમની સેવા આટઆટલા હોવા છતાં ન કરી માટે અન્ય પણ ન કરવી, એવું તારણ એમાંથી કાઢવું એ મૂઢતાની પરાકાષ્ઠા છે. અતરાયના ઉદયથી આહાર માટે ફરતા મુનિને ગોચરી ન મળે એટલે બીજા મુનિને પણ વહોરાવવું નહિ અને કહેવું કે એમાં લાભ છે. અનુકંપાનો નિષેધ કરતાં પહેલાં અનુકંપા શું છે એ જે તેરાપંથે વિચાર્યું હોત તે જે ગેરસમજુતિઓ કરવામાં આવી છે એ કદાચ ન થાત. જાણી જોઈને જે આવી ભૂલ કરવામાં આવી હોય તે તેને માટે બીજું કહેવાનું શું હોય. છતી આંખે અજવાળાને અંધારું માનનારને કોણ સમજાવી શકે ?
(૩૦) તાપે તપતા જીવને છાંયે મૂકે તે સાધુ સાધુ નથી અને શ્રાવક શ્રાવક નથી. એવી કરણી એ તો અન્ય દર્શનીઓની હવા છે.
(૩૧) નિજનિજ કર્મવશ જીવો જન્મે છે અને મરે છે, એ અસંયમી જીના જીવનને ઉપાય સાધુ ન કરે.
(૩૨) એક ખાબોચિયું છે. તેમાં ગંદુ પાણું ભર્યું છે. તેમાં ઘણાં દેડકા ને માછલાં છે. લીલફૂલ પણ ઘણું છે. લટ અને પિરા વગેરે ત્રસ–સ્થાવર જીવોને કઈ પાર નથી. આવા ખાબોચિયામાં પાણી પીવા માટે ભેંસો પડી રહી છે. ભેંસને તરસ ખૂબ લાગી છે. આ સ્થિતિમાં સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૩) સડેલા ધાન્યને એક ઢગલે છે, તેમાં ઈયળો ઘણી છે. ઈંડાં પણ ઘણાં છે અને બધાં સળવળ સળવળ થાય છે. એ સળ્યા ધાન્યને ચરવા માટે ભૂખ્યા બકરાઓ આવ્યા. ત્યાં સાધુ કે શ્રાવક શું કરે?
(૩૪) કંદમૂળનું ભરેલું ગાડું છે. તેમાં અનંતા આવે છે. એ કંઇ ખાવાને ભૂખ્યા બળદો આવ્યા. ત્યાં સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૫) કાચા પાણીના ભરેલા માટલા છે. એ પાણી અણગળ છે. તેમાં પારાવાર જી છે. લીલકૂલ, પિરા વગેરે અનંત જીવો છે. પાણીના માટલે પાણી પીવા માટે ગાય આવી. ત્યારે સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૬) ખાંતરથી ભલે ઊકરડે છે. તે ભીનો છે. તેમાં લટ-ઈયળ, ગિડેલા, ગઈઆ આદિ અનેક પ્રકારના ત્રસ જીવો ટળવળે છે. નિજકર્મવશ ત્યાં ઉપન્યા છે. એ ઉકરડા ઉપર પંખીઓ ચણે છે. તેને સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૭) કોઈ એક જગ્યા ઉપર અનેક –સંખ્યાબંધ ઉદ હરેફરે છે. જરી અવાજ થતા દશે દિશામાં નાસભાગ કરી મૂકે છે. એ ઉંદર ઉપર બીલાડી ત્રાટકી તે સમયે સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૮) મિષ્ટાનનો થાળ ઊઘાડે પડ્યો છે. તે ખાવા માટે જીવે દેડાદોડ કરી રહ્યા છે. અનેક માખીઓ તેના ઉપર બણબણી રહી છે. તેને પકડવા માટે ભાગે પાછળ પડયો છે. તેનું સાધુ કે શ્રાવકે શું કરવું.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક : ૧]
તેરાપ થ–સમીક્ષા
[ ૨૩
આમાં એક ખીજાને દૂર કરે તો શાંતિ થાય એમ છે પણ સાધુ-શ્રાવકને તે બધા સરખા છે. તે કાઇની વચમાં પડે નહિ. તેઓ પોતપોતાનું કરે છે, તેમાં સાધુ વચમાં ન પડયો તે તેમાં સાધુનુ શું ગયું ? સાધુ તે છકાયના પીહર છે, તે એકલા ત્રસકાયને છેડાવે અને પાંચકાયને મરતા દેખીને ન રાખે તો તે પાંચકાયના પીહર કઈ રીતે ગણાય. રજોહરણ લઈ તે ઊડે તે જોર કરીને છોડાવે તેમાં જ્ઞાનાદિમાંથી કયે। ગુણ આરાધાય છે ? છેડાવવું કે ભેળુ કરવુ એ તે સંસારનો ઉપકાર છે એથી સિદ્ધિ મળે નહિ. જેટલા સંસારના ઉપકાર છે તે સર્વ સાવદ્ય છે. તેમાં જૈન ધર્મ નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર તે તપ આ ચાર પમાડે તે ચાર મેટા ઉપકાર બાકી કાંઇ નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરાપ'થીઓના ઉપરના વિચાર। . અણસમજુ આત્માઓ ઉપર્ કારી ઘા કરી બેસે એવા છે. શકય અને અશકય, કાર્યની રીત અને ગેરરીત, આવડત અને બિનઆવડત એ કાઈ પણ તેમાં નથી, ગંદા પાણીનું ખામાચિયું વગેરે વાતો કેટલી ખેદી રીતે રજૂ કરીને અનુકંપાનું ખંડન કરવાના પ્રયત્ન આદર્યું છે. ઉપરની સ્થિતિમાં સમજી શ્રાવક ખાત્રાચિયામાં પેસતી ભેંસાને વારે અને વિવેકપૂર્વક તેની તરસ દૂર કરવા પ્રયત્ન કરે. એ પ્રમાણે શકત્વ એટલા વે ન મરે તે તરફ તેનુ લક્ષ્ય રહે.
જ્યાં શકય ન હોય ત્યાં સમજી શ્રાવક અને સાધુને પણ એ જીવાને એ રીતે રીખાતા —મરતા જોઇને દયાભાવ જાગે. જે આત્મામાં એ દયાભાવનુ ઝરણુ સૂકાઈ ગયું છે એ આત્મા પોતે બીજું આરાધન શું કરવાનો છે. જ્ઞાનાદિ આરાધવાના છે તે પણ પરમ કારણિકભાવ જાગૃત કરવા માટે. નિષ્ઠુર-નૃશંસ-નિર્દય આત્માની જ્ઞાનાદિ આરાધના વિફળ છે. અનુક'પાના નિષેધ માટે વિચિત્ર વાતા વિચિત્ર રીતે રજૂ કરવાથી વિશ્વને ઘણું સહન કરવું પડે છે. મત્યસ્યગલાગલ ન્યાયે ચાલતા જગત સામે આંખમીચામણા કરવાથી કાઈ મુક્તિ મળતી નથી. વિશ્વમાં રહેવું છે—મુક્તિના માર્ગને આરાધવા છે તે અન્યની ભાવયા વિચારતાં તેના અંગભૂત દ્રશ્યદયા પણ વિચારવી તે કરવી આવશ્યક છે. કેવળ દ્રવ્યયાથી ઐહિક લાભ થાય છે—અને તેમાં જ્યારે ભાવદયાના ભાવ ભળે છે ત્યારે તે ધર્મનુ શુદ્ધ ધર્મનું અંગ બને છે. એને આદર કરવા એ માર્ગ છે–જિનવર કથિત માર્ગ છે, એના અનુસરણમાં શ્રેય છે.
[ ક્રમશઃ ]
Ø
जम्भं दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जन्तवो ॥
[સત્તા. અ. ૧૧ ના. ૧૧]
પહેલું તો જન્મ ધરવા એ જ દુ:ખ છે, પછી એની પાછળ ઘડપણ આવે એય દુ:ખ છે, રાગા થવા એય દુઃખ છે અને વારે વારે મર્યાં કરવું તે ભારે દુઃખ છે. અરે આ આખાય સસાર એ રીતે દુઃખરૂપ છે કે જ્યાં અજ્ઞાની વડા હાથે કરીને ક્લેશ પામ્યા જ કરે છે.
X
X
×
X
જેમ ચાર ખાતર પાડવાની જગ્યાએ જ પકડાઈ જઈ પેાતાના કર્મ વડે પાપકારી થઈ તે કપાય છે, એ જ રીતે, આ પ્રજા પોતાના જ પાપ વડે પકડાઈ જઈ આ લોકમાં અને પરલોકમાંય કપાયા કરે છે—દુઃખ પામ્યા કરે છે, જે જે પાપકર્મો કર્યા રિણામે ભાગવ્યા સિવાય છૂટકારા જ નથી.
હાય તેનાં દુષ્પ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી દીપાલિકા પર્વ
લેખક: પૂ. મુ, શ્રી. માનતુંગવિજ્યજી મહારાજ
શ્રી દીપાલિકા પર્વની ઉજવણી સામાન્યતઃ ભારતવર્ષ કરે છે અને તે પણ સારું સારું ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, ગાનતાનમસ્તાનમાં ફરવા, મોજશેખ ઉડાવવા, ફટાકડા ફોડવા, ગરબા બનાવવા-ગાવા, તેમજ વેપારી વર્ગમાં ચોપડા ચોખા કરવા રૂપ થઈ રહેલ છે.
આ રીતની ઉજવણી જેનો પણ કરી રહ્યા જણાય છે, પરંતુ જ્ઞાની જેનોએ આ પર્વની ઉજવણી વિહાર છઠ્ઠ અને સોળ પહોરના પૌષધ કરીને કરવી જોઈએ. આસો વદ ૧૪ અને વદ ૦)) ના રેજ શાસનપતિ ચરમતીર્થપતિ શ્રી. વર્ધમાન સ્વામી (શ્રી, મહાવીરસ્વામી ) એ ચોવિહાર છઠ્ઠ કરી સોળ પર અખંડ ધર્મદેશના આપી હતી. અને તે જ સમયે વળી શ્રી. ઉત્તરાધ્યયન સુત્રના અધ્યયને ૩૬ (છત્રીસ) તથા પુણ્ય-પાપના અધ્યયન -૫૫ મળી ૧૧૦ પ્રકારેલ છે. એટલે આ દિવસેમાં વિહાર છઠ્ઠ કરી, સોળ પહેરના પૌષધ કરી, ગુરુમહારાજ પાસે ધર્મદેશના સાંભળવા પૂર્વક ધર્મની જ પ્રવૃત્તિ-પૂર્વક તે પર્વ આરાધવાનું હોય છે. અને પાપારંભ-સાવદ્ય વ્યાપારને ત્યાગ કરવાનો હોય છે.
આ દિવસોમાં સામાન્ય જનતા, વેપારી વર્ગ વેપાર-ધં. : ઉધાર જમેના ખાતા ચોખા કરે છે, ચેપડા ખા કરે છે, તેમ ધમી આત્માઓએ પણ પિતાના પાપ-પુણ્યના હિસાબરૂપ ચોપડાનો મેળ જરૂર કાઢવો જોઈએ. સુધર્મની આરાધનાથી જ પાપ-પુણ્યના ચોપડા ચોખા થઈ શકે છે માટે આ પર્વમાં કરવા યોગ્ય સુધર્મની આરાધના કરી પોતાના પાપ-પુણ્યના મેળ કાઢી તે પાપ-પુણ્યના ચોપડા ખા કરવા ઉજમાલ બનવું જોઈએ.
આમ પાપ-પુણ્યના ચોપડા ચોખ્ખા કરવારૂપ તપ, જપ, ધ્યાન, સુદેવ-ગુરુ-ધર્મની આરાધના કરવી એ જ આ પર્વની સાચી ઉજવણી છે.
વિશેષમાં વદ ૦)) ની રાતના પ્રથમ પહેરે શ્રીમહાવીરસ્વામિ સર્વજ્ઞાય નમ: અને પાછલી રાતના શ્રી મહાવીરસ્વામિપારગતાય નમ: એ પદની વીસ વીસ નવકારવાળી ગણવી. તેમજ બીજી નવકારવાળી પહેલા શ્રી. મહાવીરસ્વામી નિર્વાણ પામ્યાના દેવ વાંધા બાદ નવકારવાળી ગણી શ્રી. ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયાના દેવ વાંદવા તથા શ્રી. ગૌતમસ્વામિસર્વાય નમ: એ પદની વીસ નવકારવાળી ગણવી જોઈએ.
આ રીતે શ્રી દીપાલિકા પર્વનું આરાધન ભવ્યાત્માઓએ પિતાના પાપ-પુણ્યના ચોપડા
ખા કરવા સારુ સુદેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા–પૂર્વક કરવું જોઈએ. ફટાકડા ફોડવા આદિની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧) પૂ. મુનિશ્રી ગુણસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ-ભાગલપુર, ૧૧) પૂ. ઉપાધ્યાય શ્રી. ધર્મ વિજયજી મહારાજના સદુપદેશથી શ્રી વીશાશ્રીમાળી જૈન - સંધસાવરકુંડલા ૧૧) પૂ. આ. શ્રી. વિજ્યઉમંગસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધવલાદ ૧૧) પૂ. પં. શ્રી. જ્યાનંદવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સાહિત્ય મંદિર જૈન
સંધ—પાલીતાણા ૧૦) પૂ. મુનિશ્રી રામચંદ્રવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી વીશા નિમા જૈન | પંચ–ગોધરા ૧૦) પૂ. આ. શ્રી. માણીકણસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી હરિપુરા જૈન સંધ-સુરત ૧૦) પૂ. ૫. શ્રી. પ્રવીણવિજ્યજી ગણિવરના સદુપદેશથી શ્રી જૈન સંધ—વાપી ૧૦) પૂ. મુનિશ્રી પ્રદ્યોતનવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધવડાલા ૧૦) શ્રી. જૈન સંધ- એવા ૧૦) પૂ. ૫. શ્રી. તિલકવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી ઓસવાલ જૈન સંધ-સીનાર (૭) પૂ. આ. શ્રો. જિતેંદ્રસૂરિજીના સદુપદેશથી શ્રી જૈન સંધ મુંડારા ૫) પૂ. મુનિશ્રી ભદ્ર કરવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈનતપગચ્છ સંધ-રાજકોટ
૫) પૂ. મુનિશ્રી માનતું ગવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જસપરા જૈનસંધ-જસરા - ૫) પૂ. મુનિશ્રી ત્રિભુવનવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ-પાસાલીયા ૫) પૂ. મુનિશ્રી રૂચકવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન વેતાંબર મૂર્તિ પૂજક
સંધ-વરતેજ પ) પૂ. મુનિશ્રી બુદ્ધિસાગરજી મહારાજના સદુપદેશથી શેઠ પાનાચંદ બલાલની
પેઢીકપડવંજ ૫) પૂ. મુનિશ્રી અમીસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ-પ્રાંતિજ ૫) ૫. શ્રી. સુમતિવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ-નોંધણવદર ૫) પૂ. આ. શ્રી. વિજયભુવનતિલકસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન તપગચ્છ a સંધ—માલ્મી ૩) પૂ. મુનિશ્રી ચંપકસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન મહાજન સમસ્ત-રીદોળ ૨) પૂ. મુનિશ્રી કનકવિજ્યજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ-ધનલા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B, 8801 vii ન હત્યા કરી શ્રી જેન સત્ય પ્રકાશ અંગે સુચના ચાજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3 1. શ્રી. જૈનધર્મ” સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ - 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. . જમના રૂા. 31 મનીઆઈ દ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂા. 5001 0 દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રૂા. 10 11 રાખવામાં આવેલા 4, ઓ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. વિનંતિ 5. ગ્રાહકોને એક મેક્લવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવર ચતુમોસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને . તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો , સરનામું બદલાવવાની સુચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે, 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષો કે ઐતિહાસિક માહિતીની સુચના આપવા વિનતિ છે. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મેલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખો ટૂંકા, મુદાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઇ એ. શાહુકાને સૂચના 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મૃદ્રક : ગાવિંદલાલ જગશીભાઈ શાલ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકાર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ.. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય. જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal Use Only