________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ઃ ૨૨
હાય તા એ વિશેષ પ્રમાણમાં કામ કરી શકે અને માસિકને વધારે સમૃદ્ધ અનાવી શકે. આ માટે અમે ચતુર્વિધ શ્રીસ`ઘને સમિતિને વધારે આર્થિક સહકાર આપવાની વિનંતી કરીએ છીએ.
આ બધાં વર્ષો દરમ્યાન પૂજ્ય મુનિવરો તથા વિદ્વાનેાએ લેખસામગ્રી માકલીને, સંસ્થાએ તથા સગૃહસ્થાએ આર્થિક મદદ આપીને તથા અન્ય રીતે જે સહકાર આપ્યા છે તે માટે એ સૌના અમે ડાર્દિક આભાર માનીએ છીએ; અને ભવિષ્યમાં પણ એવા જ સહકાર આપતા રહે એવી પ્રાર્થના સાથે નવીન વર્ષમાં પ્રવેશ કરીએ છીએ.
—તત્રી
ย
[ અનુસંધાન પાન ૨૦ નું ચાલુ ]
અને નિમરાજ જ્યારે સાજા થયા ત્યારે એમણે પહેલું કાર્યાં બધાયથી અળગા થઈ જવાનું કર્યું, એ કે બહુ હેાય ત્યાં ઘર્ષણ, એક હોય ત્યાં શાંતિ. જાણે એ વાત એમના રામરામમાં રમી ગઈ હતી.
અને જ્યારે મિરાજ આ બધી સામગ્રીને ત્યાગ કરીને સૌથી અળગા થઈને વનવગડાની વાટ ભણી ચાલી નીકળ્યા, ત્યારે એમના મુખ ઉપર, જાણે કે વિરહિણી પોતાના પતિને મળવા ચાલી જતી હાય એવા આનંદ વિલસી રહ્યો હતો.
સર્વાંના ત્યાગમાં જાણે એમનુ સર્વ સુખ સમાઈ ગયું હતું.
એકલતા જાણે એમને અમૃત સમી મીઠી થઈ પડી હતી.
મિરાજની એકલતાની વાત તો પવનવેગે ચામેર પ્રસરી ગઈ. દુનિયા તો રહી દાર’ગી. કાઈ એના ત્યાગની પ્રશંસા કરતું; કાઈ કાપૂર કહીને એના તિરસ્કાર કરતું. પણ નિમરાજ તા એકલતામાં મસ્ત અને આનંદસાગરમાં ઝીલ્યા કરતા.
ન કોઇની પરવા, ને કાઇની ચિતા. પોતે ભલા અને પોતાની એકલતા ભલી, એકલતા જાણે એમની સહધર્મચારિણી બની ગઈ.
*
એક દિવસ કાઈ કે આવીને કહ્યું : “ રાજર્ષિ, તમે તે। આવીને નિરાંતે બેસી ગયા, પણ તમારી પ્રાણપ્યારી મિથિલા તો ભડકે બળી રહી છે. ’
For Private And Personal Use Only
નમિરાજે તરત કહ્યું : “ મિથિલા ભડકે બળે છે એમ તમે કહ્યું ? પણ એ મિથિલા નથી બળતી એ તો મારી મમતા અને અહંકાર, મારી આસક્તિ અને મારા ગર્વ ભડભડ બળી રહ્યાં છે? એ છેા બળતાં ! જોજો, રખે કાઇ ઍને હારતાં. મમતા અને અહંકાર, આક્તિ અને ગ ભસ્મ થયા વગર ભારી એકલતા અને મારી શાંતિ સિદ્ધ નથી થવાની, સૌને જઈ તે કહેજો કે જેનુ જે થવાનું ાય તે ભલે થાય, પણ હું તે ભલા એકલા !' ''
—ઉત્તરાધ્યયન સૂત્રના આધારે