SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧] શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા ? [ ૧૫ : ક્રુજ છે. તે સહીસલામતીથી રહી શકે તે પછી ગેરમુસલમાનેમાંથી બબ્બે આદમીને ( બહુધા જે આ મામલામાં ફિસાદ કરવામાં આગેવાન હતા) સજા કરવાના અને એક લાખ ‘સેતર ' કે · બાલૂતરા ' ( ચાંદીના સિક્કા ) આ મસ્જિદ અને મિનારા તૈયાર કરવામાં વાપરવાને તેણે હુકમ કર્યો અને ચાર જાતના કીમતી કપડાના ટુકડાને બનાવેલા ખિલાત અર્પણ કર્યાં. આ ખિલાતનાં કપડાં આજ પ"ત (ઈ. સ. ૧૨૨૭–હિ. સ. ૬૨૫) રાખી મૂકવામાં આવ્યાં છે અને કાઇ મેટા તહેવારને દિવસે બતાવવામાં આવે છે. આ સર્વ મસ્જિદ અને મિનાર કૈટલાક દિવસ પહેલા કાયમ હતાં, પણ માળવાના લશ્કરે અણહીલવાડ ઉપર હુમલો કર્યો ત્યારે તે તોડી પાડવામાં આવ્યાં. સૈયદ શ તમન[ સદુદ્દીન શ (વેપારી) ] ส એ પાતાને ખર્ચે તે ફરીથી બનાવ્યા અને એકને બદલે ચાર મિનાર બધાવી તે ઉપર સાનાન કળશ ચડાવ્યા. તે પોતાના ધર્મની ઇમારત ગેરઇસ્લામ મુલકમાં છેાડી ગયા. તે ઈમારત આજ પર્યંત માજૂદ છે.” આટલા અવતરણથી વાયકા સમજી શકશે કે આ બનાવ બીજી રીતે કેવા ફેરવી નાખવામાં આવ્યા છેઃ તે જેને માટે ગુજરેશ્વર જયંસ હને ધન્યવાદ મળવા જોઇ એ, જે ગુજરાતની સાચી અસ્મિતા લેખાવી જોઈએ, એના લાભ આજની સરકારી કચેરીએમાં જેમ લાગવગના જોરે કાઈ ને બદલે કાઇ લાભ મેળવી જાય છે, તેમ કાકને મળ્યા છે. કારણમાં ફક્ત તે બ્રાહ્મણ છે ! પારકા છોકરાને જિત કરનાર ઉદામંત્રીનુ ચિત્ર દોરી, શીરા માટે શ્રાવક બનનારાનું ચિત્ર શ્રી.મુનશીજી દોરે છે. જેમાં એક માતા પેાતાની પુત્રીને ‘ઉદા મહેતાને પરણુ કાં સાધ્વી થા એવી ફરજ પાડે છે. અપાસરાની ભીતના ભોંયરામાં એને કેદ કરે છે, ત્યાં પરાપકાર માટે નિર્માયેલા કાક (સિનેમાના ડગ્લાસ ફેરએકસ જેમ,) ત્યાં કૂદી આવે છે. મજરી બ્રાહ્મણત્વની અભિમાનિની છે; મહારાજ કર્ણદેવના વખતમાં કાશ્મીરથી પાટણમાં આવેલા વિઠ્ઠલ શિરામણિ દ્રદત્ત વાચસ્પતિની કન્યા છે. કાક ખંભાતના કારાગૃઢમાંથી એને ઉદાની પત્ની અથવા જૈન સાધ્વી થતી એક વાર બચાવે છે. વળી બીજી વાર ઉદા મહેતા કારસ્તાન રચી મંજરીનુ અપહરણ કરે છે, ત્યાં પણ બહાદુર કાક પહોંચી જાય છે, ને બચાવે છે! પણ હવે ઉદા મહેતાથી માંજરીતી રક્ષા કેવી રીતે કરવી એ બહુ વિકટ સવાલ પેદા થાય છે. કાક બહુ ભણેલા નથી માટે મજરીતે ગમતા નથી. આખરે તાડ એવા નીકળ્યા કે ‘મંજરી જો કાઇ જોડે પરણે તે ઉદ્દો એનો કડી છેડે, કારણ કે મંજરી કરતાં શાખરૂં ઉદાને વહાલી હતી. ' ન છૂટકે મંજરી કાક સાથે લગ્ન કરવા તૈયાર થઇ! પણ ધર્મષ્ટ કાક એવી રીતે મજરીતે પરણવા ઇચ્છતા નહાતો. (જે મંજરીનાં પળભરનાં દર્શનથી યાગમૂર્તિ કવિકાલસર્વજ્ઞ હેમચદ્રાચાર્યનુ મન ધ્રૂજી ઊઠે છે, એની સામે જંગના ખેડનારા, એહું ભણેલા કાક કેવા સ’યમ દાખવે છે !) એ ઉદા મહેતાને સમજાવવા જાય છે પણ કપરી ઉદાથી કાક હારે છે તે એને સચાગબળના દબાણે લગ્નગ્રંથીમાં જોડાવું પડે છે ! અને છતાંય ઉદા મહેતાના માણસે એને ઉપાડી લઈ જઈ ભોંયરામાં કૈદ કરે છે, તે વળી ત્યાં હજાર હાથવાળા કાકદેવ પહોંચી જાય છે. એટલે ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારાયેલી આ ધર્મપ્રાણ તે રાષ્ટ્રપ્રાણ વિભૂતિ મહામ`ત્રી ઉદયનને જાણે બદનામ કરવા માટે જ અહીં બીડુ ઝડપાયુ લાગે છે. કાકનો સમય બદલી પહેલાં આણવામાં આવ્યો છે તે મજરી જેવી કલ્પનાકૃતિની ઉદ્દયન મંત્રીને બદનામ કરવા For Private And Personal Use Only
SR No.521738
Book TitleJain_Satyaprakash 1956 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy