________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૨ મતના ઉદ્ધાર માટે ખરચવા માંડી. દેશદેશના જૈન સાધુઓ, જે વિદ્વાને ઉદા મહેતાના “દરબારમાં આંટાફેરા માવા લાગ્યા. અને ભૂખડીબોરસ ધમીએ ન્યાલ થવા લાગ્યા. “ઉદાએ ધીમેધીમે માથું ઊંચકવા પ્રયત્ન કર્યો એટલે મુંજાલે તેની પાસેથી કર્ણાવતી લઈ લીધું. ઘવાયેલ મંત્રી ખંભાતમાં જઈ રહ્યો.
ખંભાત ગુજરાતનું મુખ્ય બંદર હતું. અને ગુર્જર ધનાડ્યો દરિયાઈ વેપાર ઘણે જ કરતા હોવાથી એ શહેર નીચે બધાની મૂડી હતી. આથી ઉદાની દેલત અને સત્તા અનુ“પમ થઈ પડી. ખંભાતમાં પૈસો હતો અને તેમાં તે જેનધર્મનું અને ઉદ્દાની સત્તાનું મથક બન્યું.”
[ આ પ્રકરણના અંતે એવું આવે છે કે સિદ્ધરાજનો મોકલ્યો કોક ખંભાતમાં ઉદા મહેતાની સત્તા તેડવા જઈ રહ્યો છે. હવે આવે છે પ્રકરણ તેરમું શીર્ષક છે. “ ખતીબ.” એ પ્રકરણને જરૂરી ભાગ નીચે પ્રમાણે છેઃ ]
મહા સુદ બારસની સવારે કાક છેક ખંભાતની પાસે આવી પહોંચ્યા...તેણે વિસામે, લેવાનો નિશ્ચય કર્યો. એક ઘટાદાર વૃક્ષ નીચે દેવતા પાડી રાંધવા બેઠી. રાંધતાં રાંધતાં એણે ઉદા મહેતાનો વિચાર કરવા માંડ્યો. એકદમ ઉપરની ઘટા હાલી...ઉપર જોયું તે ઝાડની ઘટામાં વાંદરા જેવું લાગ્યું. ઝાડમાં ભરાઈ રહેનાર નહેાત વાંદરા અને નહે માણસ... કાકે તેને હેડે ઊતરવા હાથના ચાળાથી સૂચવ્યું. પેલે આદમી શ્રેતન્યા કરતો હતો. પણ તે કંઈ બે નહિ તેમ ઊતર્યો નહિ.
કાકને મિનજ ગયો. બાણ સાંધવા માંડ્યું. પેલા માણસે ન સમજાય તેવા દયામણે અવાજ કર્યો, અને તે હેઠળ ઊતરવા માંડ્યો.
મુસલમાન!” પેલાએ ભય સાથે દાઢી ઘસતા કહ્યું “ અહીં કયાંથી આવ્યા?” પેલાએ ખંભાત તરફ આંગળી કરી. * આ ઝાડ પર ક્યાંથી આવ્યો ?' "
થોડાક ગુજરાતી શબ્દો, થડા ન સમજાય એવા શબ્દો, અને હાથના ચાળાથી સમજાવ્યું કે તેનાં ઘરબારને નાશ કરવામાં આવ્યા છે અને બૈરી છોકરીને મારી નાખવામાં આવ્યાં છે.
“કેણે ?” “ “ઈસબરાક” કહી શ્રાવકે જ્યાં ચંદન ઘસતા હતા, ત્યાં પિલાએ આંગળી કરી, “ “ શ્રાવકેએ ? શા સારુ?’ “ચન,” પેલાએ ટૂંકામાં જવાબ આપ્યો. કાક સમયે. “ “ તારું નામ શું ?' * * ખતીબ.’ “ “ તે કોઈને ફરિયાદ કરી ? ” ખતીએ ડોકું ધુણાવ્યું અને આકાશ તરફ આંગળી કરી: “અલ્લાહ ! ”
For Private And Personal Use Only