Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન
મુનિ શ્રી નરવાહનવિજયજી
અપ્રશસ્ત – પ્રશસ્ત રામન વર્ણના
અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોય છે માટે તે સંસારી જીવો કહેવાય છે. આ સંસારી જીવોનો અત્યંતર સંસાર રાગ-દ્વેષના પરિણામવાળો હોય છે એટલે અનાદિ રાગ દ્વેષના પરિણામ એ જીવોનો અત્યંતર સંસાર કહેવાય છે અને એ અત્યંતર સંસારના યોગે જીવોનો બાહ્ય સંસાર જન્મ-મરણ રૂપ કહેવાય છે કારણ કે એ રાગ-દ્વેષના પરિણામથી જીવોને જન્મ મરણ રૂપ પરંપરા વધતી જ જાય છે અને એથી એ જન્મ મરણ રૂપ બાહ્ય સંસાર કહેવાય છે. આ રાગ દ્વેષના પરિણામ જીવોને અવ્યવહાર રાશીમાં રહેલા હોય છે ત્યારથી જ હોય છે અને તે રાગદ્વેષના પરિણામ નવમા ગુણસ્થાનક સુધી રહ્યા જ કરે છે અને દશમાં ગુણસ્થાનકે જીવોને એક રાગના જ પરિણામ હોય છે.
અવ્યવહાર રાશિમાં રહેલા જીવો સૂક્ષ્મ નિગોદરૂપે એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયપણા રૂપે રહેલા હોય છે. ત્યાં એ જીવોનું મિથ્યાત્વ અવ્યક્ત રૂપે હોય છે આથી આ જીવોનો રાગ પણ અવ્યક્તપણે રહેલો હોય છે જ્યારે એક સાથે જેટલા જીવો મોક્ષે જાય ત્યારે તે અવ્યવહાર રાશીમાંથી એટલા જ જીવો બહાર એ બહાર નીકળી એકેન્દ્રિય રૂપે ઉત્પન્ન થાય તેને વ્યવહાર રાશિમાં એટલા જીવો આવ્યા કહેવાય છે અને એ જીવો જે એકેન્દ્રિયપણા રૂપે આવે છે તે જીવો એકેન્દ્રિયના બાવીશ ભેદોમાંથી કોઇને કોઇ ભેદ રૂપે ઉત્પન્ન થયેલા હોય છે આથી અવ્યવહાર રાશીમાં સૂક્ષ્મ નિગોદ રૂપે જીવો રહેલા હોય છે તે જીવોને અનાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે કહેવાય છે અને વ્યવહાર રાશીમાં સૂક્ષ્મ નિગોદ રૂપે જે જીવો ઉત્પન્ન થાય તે જીવોને સાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે જીવો કહેવાય છે. આથી અવ્યવહાર રાશીમાં જીવો રહેલા હોય તે જીવોનો જે રાગનો પરિણામ હોય છે તેનાથી કાંઇક વિકાસ પામેલો રાગનો પરિણામ વ્યવહાર રાશીમાં આવેલા જીવોનો હોય છે આથી તે જીવોની અપેક્ષાએ વ્યક્ત રૂપે રાગનો પરિણામ કહેવાય છે.
આ રીતે વ્યવહાર રાશીમાં આવેલા એકેન્દ્રિય જીવો જે પુગલોનો આહાર ગ્રહણ કરે છે તે સચિત્ત પુદ્ગલરૂપે હોય-અચિત્ત પુદ્ગલરૂપે પણ હોય છે અને સચિત્ત-અચિત્ત મિશ્ર પુદ્ગલરૂપે પણ એ આહાર હોય છે. તે આહારનો પુદ્ગલો અનુકૂળ હોય તો તે પુગલોને ગ્રહણ કરતાં રાજીપો પેદા થતો જાય છે એટલે એ રાજીપાથી રાગાદિનો પરિણામ વિશેષ સ્પષ્ટ રૂપે બનતો જાય છે અને પ્રતિકૂળ આહારના પુગલોનો. આહાર મલે તો તેમાં નારાજી પેદા થતાં દ્વેષાદિનો પરિણામ વિશેષ સ્પષ્ટ થતો જાય છે. આ રીતે પુગલોનો આહાર પુરૂષાર્થથી ગ્રહણ કરી અને પરિણાવી જીવો રાગાદિ વધારતા વધારતા શરીર બનાવવાનો પ્રયત્ન કરતા જાય છે અને એમાં એ પુદગલોને પરિણમન કરતાં રસવાળા પુગલોનો સંગ્રહ કરે છે અને ખલા એટલે ખરાબ રસવાળા પુદ્ગલોનો નાશ કરે છે. આ રીતે રસવાળા પુદ્ગલોને અસંખ્યાતી વાર બનાવી સંગ્રહ કરતા તેમાંથી શક્તિ પેદા કરીને શરીર બનાવે છે. આથી પુરૂષાર્થ કરીને શરીર બનાવેલું હોવાથી એ શરીર પ્રત્યેનો રાગ-આસક્તિ અને મૂચ્છ તેમજ મમત્વ બુધ્ધિ રૂપે રાગ વિશેષ રીતે સ્પષ્ટ થતો જાય છે અને એજ શરીરની શક્તિથી આહારના પુદગલો સમયે સમયે અસંખ્યાતી વાર ગ્રહણ કરતાં કરતાં તેમાંથી
Page 1 of 97.
Page #2
--------------------------------------------------------------------------
________________
શક્તિ પેદા કરીને ઇન્દ્રિય બનાવવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત કરે છે. આથી શરીર અને સ્પર્શેન્દ્રિય બન્ને પ્રાપ્ત થતાં એના પ્રત્યેનો રાગ વિશેષ સ્પષ્ટ રીતે બનાવી જીવન જીવતા જાય છે. આ રીતે એકેન્દ્રિયપણામાં જીવો વધારેમાં વધારે એક ભવનું બાવીશ હજાર વરસનું આયુષ્ય ભોગવતા ભોગવતા પોતાનો કાળ પૂર્ણ કરી શકે છે અને પોતાના આત્માના રાગાદિ પરિણામને સંસ્કાર રૂપે સ્થિર કરતા જાય છે આ રીતે એકેન્દ્રિયમાં નિગોદ સિવાયના બાકીના એકેન્દ્રિયપણામાં અસંખ્યાતા ભવો કરતાં કરતાં અસંખ્યાતા કાળ સુધી રાગાદિને સ્થિર કરે છે અને નિગોદને વિષે અનંતા ભવો કરતા કરતા અનંતી ઉત્સરપિણી-અવસરપિણી કાળ સુધી આજ રાગાદિ પરિણામોને સ્થિર કરતાં જાય છે એ અનંતા ભવોમાં અનાદિ સૂક્ષ્મ નિગોદના જીવો કરતાં સાદિ સૂક્ષ્મ નિગોદમાં વિશેષ રાગાદિ પરિણામ હોવાથી વિશેષ રીતે પેદા થયેલા રાગાદિના સંસ્કાર સ્થિર કરતાં જાય છે. આ રીતે એકેન્દ્રિયપણામાં કાળ પસાર કરતાં કરતાં અકામ નિર્જરા દ્વારા દુ:ખને સહન કરતાં પુણ્ય બંધાય એ પુણ્યના પ્રતાપે જીવો બેઇન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. એ બેઇન્દ્રિયપણાની પ્રાપ્તિ થાય એટલે જીવો કર્મબંધ વિશેષ રીતે કરતા જાય છે. એટલે કે એકેન્દ્રિય જીવો કરતાં પચ્ચીશ ઘણો અધિક કર્મબંધ કરે છે કારણકે એ જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિયો હોય છે. એકેન્દ્રિયપણામાં રહેલા જીવો સ્પર્શેન્દ્રિયથી એના આઠ વિષયો તેમજ છઠ્ઠું વિકારોને વિષે રાગ કરતા કરતા એટલે રાગાદિ કરતા કરતા ફ્ક્ત કરે છે એમ બેઇન્દ્રિયવાળા જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો તેના છઠ્યું વિકારો તથા બેઇન્દ્રિયના પાંચ વિષયો અને તેના વ્હોંતેર વિકારો એમ ચૌદ વિષયો તથા એકસો અડસઠ વિકારોને વિષે રાગાદિ પરિણામ કરતા કરતા સંસારની વૃધ્ધિ કરતા જાય છે. આ જીવોને એક ઇન્દ્રિય અધિક મલવાથી આ જીવો આહારની શોધ માટે નીકળેલા હોય-ભૂખ લાગી હોય છતાં પણ જો એ મળેલા આહારના પુદ્ગલો રસનેન્દ્રિયથી ચાખવાથી જો સ્વાદમાં અનુકૂળ । લાગે તો તે ઉપયોગમાં લે અને અનુકૂળ ન લાગે તો ભૂખ વેઠીને પણ એ આહારને છોડીને બીજા આહાર શોધ માટે જાય છે અને જતાં જતાં મરણ પામી જાય છે. આ રીતે અનુકૂળ આહારની શોધથી મૃત્યુ પામે છે તેમાં રાગાદિ પરિણામની પુષ્ટિ થતી હોવાથી ભારેકર્મના બંધ ચાલુ હોય છે અને કદાચ રાગાદિ જોરમાં હોય તો એકેન્દ્રિયપણાનું આયુષ્ય બાંધીને એકેન્દ્રિયમાં પણ ચાલ્યો જાય છે આથી આ રાગાદિ પરિણામની વૃધ્ધિ બેઇન્દ્રિયાદિ જીવોને કર્મબંધ વિશેષ કરાવી બે હજાર સાગરોપમ કાળ સુધી એટલે એક હજાર સાગરોપમ કાળ બેઇન્દ્રિયપણામાં પછી વચમાં ભવ બદલીને બીજીવાર બેઇન્દ્રિય બનીને એક હજાર સાગરોપમ કાળ પસાર કરે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે પાછા એકેન્દ્રિયપણામાં જાય આથી એ વિચારો કે જેને મન નથી એવા બેઇન્દ્રિય જીવો રસનેન્દ્રિયના સ્વાદથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરે તો મનવાળા એવા સન્ની જીવોની દશા શું ? અ સન્ની જીવોમાં આપણે પણ આવી શકીએ છીએને ? તો મનથી રાગાદિ પરિણામ મંદ કરી અને સંયમીત કરવાનો પ્રયત્ન કેટલો એ વિચારો ! કોઇવાર એકેન્દ્રિય જીવો કે બેઇન્દ્રિય જીવો અકામ નિર્જરા કરીને તેઇન્દ્રિયપણાની પ્રાપ્તિ કરે તો તે તેઇન્દ્રિયપણામાં એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ઘણો અધિક કમબંધ કરતા જાય છે. આ જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય એમ ત્રણ ઇન્દ્રિયો હોય છે. આથી આ જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો તથા છઠ્યું વિકારો, રસનેન્દ્રિયના પાંચ વિષયો તથા તેના વ્હોંતેર વિકારો, ઘ્રાણેન્દ્રિયના બે વિષયો તથા તેના બાર વિકારો એમ કુલ પંદર વિષયો અને તેના એકસો એંશી વિકારોના અનુકૂળ-પ્રતિકૂળમાં રાગાદિ પરિણામ પેદા કરીને પોતાનો સંસાર વધારે છે. આ રીતે બેઇન્દ્રિય જીવો કરતાં તેઇન્દ્રિયપણામાં રહેલા જીવો રાગાદિ પરિણામ વિશેષ રીતે કરતા જાય છે.
Page 2 of 97
Page #3
--------------------------------------------------------------------------
________________
આ જીવોનો સ્વભાવ :- આહારની શોધ માટે નીકળે, ભૂખ લાગેલી હોય અને સ્પર્શનેન્દ્રિયને અને રસનેન્દ્રિયને અનુકૂળ આહાર મળે તો પણ પોતાની ઘ્રાણેન્દ્રિયને અનુકૂળ ન લાગે તો એટલે કે ગંધ પોતાને અનુકૂળ ન લાગે તો તે આહારને છોડીને બીજે જાય છે. એમાં જતાં જતાં વચમાં ગમે ત્યાં ચગદાઇ જતાં મરણ પામે તો પણ આ જીવોની આહારની સંજ્ઞા રહેલી હોવાથી કર્મબંધ વિશેષ કરે છે. ઘણાં જીવોનો અહીં પણ એવો સ્વભાવ હોય છે કે ગમે તેટલા સારા સ્વાદવાળા પદાર્થો વિશ્વાસુ માણસે બનાવેલા હોય તો પણ ખાવા માટે આપવામાં આવે તો પહેલા ચાખશે. જો ચાખવામાં પોતાને અનુકૂળ લાગશે તો ખાશે નહિ તો કહેશે ભૂખ નથી પેટ બરાબર નથી ઇત્યાદિ અનેક પ્રકારના વચનો કહીને ખાશે નહિ. એવી જ રીતે કેટલાક જીવોનો એવો સ્વભાવ હોય છે કે ગમે તેટલા રસાસ્વાદવાળા પદાર્થો આપવામાં આવે વિશ્વાસુ એ બનાવેલ હોય તો પણ એ પદાર્થોને ખાવાથી ચાખવાથી અનુકૂળ સ્વાદવાળા હોય તો પણ એ પદાર્થ હાથમાં લઇ નાક પાસે લઇ જઇ સુંઘશે એને એ પદાર્થની ગંધ અનુકૂળ લાગશે તોજ એ પદાર્થને ખાવાનો ઉપયોગ કરશે નહિ તો છોડી દેશે અને ખોટા બહાના કાઢીને ભૂખ્યા રહેશે. આ સ્વભાવને જ જ્ઞાની ભગવંતોએ વિશેષ રાગાદિનું કારણ કહેલ છે અને આ રીતે તેઇન્દ્રિય જીવો વિશેષ કર્મબંધ કરીને એકેન્દ્રિયાદિમાં ચાલ્યા જાય છે. જો કોઇ વિશેષ દુ:ખ વેઠવાથી અકામ નિર્જરા સારી રીતે પેદા થઇ જાય તો તે જીવ ચઉરીન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે.
ચઉરીન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરીન્દ્રિય એમ ચાર ઇન્દ્રિયો હોય છે એ ચઉરીન્દ્રિયમાં ચક્ષુ ! વધારે મળેલી હોવાથી આ જીવોને જે પદાર્થો આહાર માટે મલતા હોય-ભૂખ લાગેલી હોય-રસના સ્વાદમાં બરાબર હોય-ગંધમાં પણ બરાબર હોય પણ જો જોવામાં અનુકૂળ ન લાગે તો તે પદાર્થોને ગ્રહણ કરતા નથી અને એને છોડીને બીજા પદાર્થોની શોધ માટે નીકળે છે આથી એટલી આહાર સંજ્ઞા વિશેષ પેદા થયેલી હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં સો ઘણો અધિક કર્મબંધ કરે છે અને પોતાનો સંસાર વધારતા જાય છે. ચઉરીન્દ્રિય જીવો પોતાની ચાર ઇન્દ્રિયોના વીશ વિષયો અને બસોને ચાલીશ વિકારોને વિષે રાગાદિ પરિણામ કરતાં કરતાં પોતાના આત્માનો સંસાર વધારતા જાય છે અને એકેન્દ્રિયાદિ પણાનું આયુષ્ય બાંધી પાછા એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે. એમાં કોઇવાર દુઃખ વેઠતા વેઠતા અકામ નિર્જરા વિશેષ પેદા થઇ જાય તો ચઉરીન્દ્રિયપણામાંથી અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ રૂપે ઉત્પન્ન થાય છે. આ જીવોને મન ન હોવાથી પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ અને પ્રતિકૂળ પદાર્થોને વિષે રાગાદિ પરિણામ કરીને એટલે ઇન્દ્રિયોનાં ત્રેવીશ વિષયો અને બસો બાવન વિકારોને વિષે રાગાદિ કરીને એકેન્દ્રિય જીવો કરતાં હજાર ગણો કર્મબંધ કરી સંસારમાં પરિભ્રમણ કરતા જાય છે એમાં દુઃખ વેઠતા વેઠતા અકામ નિર્જરા થઇ જાય તો સન્ની પંચેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. જો વિશેષ નિર્જરા થાય તો મનુષ્યપણાને પામે અન એનાથી ઓછી નિર્જરા થાય તો સન્ની તિર્યંચપણાને પામે છે. અહીં અસન્ની પંચેન્દ્રિયપણા સુધી જીવો પોતાના કર્મની પ્રધાનતાથી જીવે છે એમાં પુરૂષાર્થ કામ લાગતો નથી કારણકે અહીં સુધીનાં જીવોને ભગવાનની દેશનાના શબ્દો પણ ઉપયોગી થઇ શકતા નથી.
સન્ની પંચેન્દ્રિય તિર્યંચપણાને પામેલા જીવો મનુષ્ય લોકને વિષે ઉત્પન્ન ન થયા હોય અને મનુષ્યલોકની બહાર ઉત્પન્ન થયા હોય તો ત્યાં એ જીવોને ભગવાનની દેશનાના શબ્દો સાંભળવા મલતા નથી અને આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલો કર્મબંધ વિશેષ કરતા જાય છે એટલે આ જીવો મળેલી પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયોને વિષે અને બસો બાવન વિકારોને વિષે અનુકૂળ-પ્રતિકૂળ કરતાં કરતાં પોતાના આત્માનો સંસાર વધારતા જાય છે અને વિશેષ રીતે રાગાદિ
Page 3 of 97
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિણામ કરતાં કરતાં નરકાદિ દુર્ગતિઓમાં ભટકવા માટે ચાલતા થાય છે. આથી સન્નીપણું પામીને એ સન્નીપણામાં મોટે ભાગે એ રાગાદિના પરિણામના પ્રતાપે બે હજાર સાગરોપમ કાળમાં દુઃખનો કાળ વિશેષ રીતે ભોગવતા જાય છે અને એમાં કોઇવાર અકામ નિર્જરાથી ભૂખ આદિ વેઠવામાં રાગાદિની કાંઇક મંદતા પેદા થઇ જાય તો દેવ આયુષ્ય બાંધીને દેવલોકમાં જાય છે. આ રીતે જીવો રાગાદિ પરિણામને આધીન થઇને અશુભ પરિણામોની તીવ્રતાને પેદા કરતાં કરતાં એટલે અશુભ આર્તધ્યાન કરતાં કરતાં સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે આથી અનુકૂળ પદાર્થના રાગને અશુભધ્યાન દુર્ધ્યાન રૂપે કહેવાય છે. આ રીતે તિર્યંચપણામાં બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી જીવો એકેન્દ્રિયપણામાં જાય. પાછા ત્રસપણાને પામે અને અકામ નિર્જરાથી સન્ની તિર્યંચપણાને પામી પાછા બે હજાર સાગરોપમ કાળ ત્રસપણામાં પસાર કરી પાછા એકેન્દ્રિયપણામાં જાય. આ રીતે કરતાં કરતાં રાગ મોહનીયની આધીનતાના કારણે અસંખ્યાતી અવસરપીણી અસંખ્યાતી ઉત્સરપીણી કાળ સુધી રખડ્યા કરે છે અને એકેન્દ્રિયપણામાં જો નિગોદમાં જાય તા અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ સુધી પણ રખડ્યા કરે છે.
બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિયપણામાંથી જીવો જ્યારે અકામ નિર્જરા કરીને મનુષ્યપણાને પામે છે તે મનુષ્યપણામાંથી મોક્ષે જઇ શકતા જ નથી કારણકે ક્લિષ્ટ કર્મો કરીને આવેલા હોય છે એના કારણે એ ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મમાં છઠ્ઠા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરતા નથી આથી એ ભવમાં મોક્ષે જતા નથી.
મનુષ્યપણામાં એ જીવોને પુણ્યના ઉદયથી જે અનુકૂળ સામગ્રી મળેલી હોય તે સામગ્રીમાં રાગ પેદા થતાં એ રાગના કારણે પુણ્ય ઉપરની શ્રધ્ધા પેદા થતી નથી આથી એમાં રાગ વિશેષ રીતે પેદા કરી કરીને એ સામગ્રીને મેળવવામાં-ભોગવવામાં-સાચવવામાં-ટકાવવામાં-વધારવામાં અને મારી પાસેથી ચાલી ન જાય-નાશ ન પામી જાય એની કાળજી રાખવામાં સમય એટલે કાળ પસાર કરતા જાય છે અને રાગને પુષ્ટ કરતા જાય છે એજ સર્વસ્વ છે એજ મારે જે સુખ જોઇએ છે તે સંપૂર્ણ સુખ આપશે એવા વિશ્વાસથી પોતાનું જીવન જીવતા જીવતા એકાગ્રતા પેદા કરીને નરકાયુષ્યનો બંધ કરે અથવા તિર્યંચાયુષ્યનો બંધ કરી વા માટે જતા રહે છે અને આ રીતે સન્નીપણાના ચારે ગતિમાંથી મોટા ભાગે નરક અને તિર્યંચપણાના દુ:ખ ભોગવવા માટે એક હજાર સાગરોપમ કાળ સુધી ફ્ક્ત કરે છ એ અનુકૂળ પદાર્થોના રાગના કારણે એમાં સર્વસ્વ સુખની બુધ્ધિથી જીવો અનેક પ્રકારના અશુભ કર્મો ઉપાર્જન કરીને નરકપણું અને મનુષ્યપણું એમાં પણ નરકપણાનું આયુષ્ય લાંબુ અને મનુષ્યપણાનું આયુષ્ય ટુંકું એટલે ઓછું એમ નરક અને મનુષ્ય રૂપે ભવો કરતા કરતા એક હજાર સાગરોપમ કાળ ભટક્યા કરે છે. કેટલાક મનુષ્યો એના જેટલા તીવ્રરાગના પરિણામ વાળા ન હોય તો તિર્યંચનું આયુષ્ય બાંધી તિર્યંચમાં જાય એમ તિર્યંચ અને મનુષ્ય એમ વારંવાર એક હજાર સાગરોપમ કાળ સુધી ભવો કરતાં કરતાં ફ્ક્ત કરે છે તેમાં મનુષ્યનું આયુષ્ય ઓછું તિર્યંચનું આયુષ્ય મોટું એ રીતે જન્મ મરણ કરતાં કરતાં એક રાગના કારણે ફ્ક્ત કરે છે. શાસ્ત્ર કહ્યું છે કે મનુષ્યપણામાં ગર્ભમાં આવેલો જીવ બે મહિનાના આયુષ્યવાળો મનુષ્ય ગર્ભમાં રહેલો હોય તે ચારે પ્રકારના આયુષ્યમાંથી કોઇને કોઇ આયુષ્યનો બંધ કરી શકે છે. આથી આવા મનુષ્યો ગર્ભમાં બે માસ રૂપે રહી નરકનું આયુષ્ય બાંધીને નરકમાં ઉત્પન્ન થાય છે આથી એક હજાર સાગરોપમ કાળમાં વિચારીએ તો તેમાં સુખનો કાળ વધારે ગણાય કે દુઃખનો કાળ વધારે થાય ? આ રીતે એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે મનુષ્યપણામાંથી એક ભવ કોઇને કોઇ વિકલેન્દ્રિયનો કરી પાછો મનુષ્ય થાય અને પાછો ફરીથી નરકમાં ઉત્પન્ન થાય અને એ રીતે નરક-મનુષ્યપણું કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ સુધી ફરીથી ફ્ય
Page 4 of 97
Page #5
--------------------------------------------------------------------------
________________
કરે છે. આ રીતે વારંવાર કરતા કરતા અસંખ્યાતી ઉત્કરપીણી અવસરપીણી ર્યા કરે છે એમાં બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે જીવ એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે. આ રીતે એક અનુકૂળ પદાર્થોના રાગના કારણે એ પદાર્થો મેળવવા આદિની ભાવના અને પરિણામના કારણે આ રીતે અસંખ્યાતી કે અનંતી. ઉત્કરપીણી અવસરપીણી કાળ ર્યા જ કરે છે. છતાં જે સુખ સર્વસ્વ બુધ્ધિ રાખીને મેળવવા માટે મહેનત કરે છે તે મલતું નથી. આથી એજ વિચારો કે એક રાગ મોહનીય કર્મ આત્મામાં ન હોત તો એ આત્મા આટ આટલા દુઃખો વેઠે છે તે વેઠી શકત ખરો ? પાછા એ દુ:ખો એકેન્દ્રિયાદિના-નરકાદિના એ માત્ર રાગથી એ સુખની આશામાંને આશામાં વેઠી રહેલા હોય છે કારણકે આવેલું દુ:ખ આજે નહિને કાલે જશે બે દિવસ પછી જશે થોડા કાળ પછી જશે કાયમ કાંઇ રહેવાનું છે ? અને એ સુખના રાગના કારણે એ સુખની આશાએ જીવોને આવેલા દુ:ખને વેઠવાની શક્તિ પણ પેદા થતી જાય છે અને દુ:ખને સારી રીતે વેઠી રહેલા હોય છે એમાં જો દુ:ખ વેઠાય એમ ન હોય તો રાડો પાડે-બૂમો મારે એ બધુ બને પણ દુ:ખ વેઠતા વેઠતા મેં પાપ કરેલ છે માટ દુ:ખ આવ્યું છે એવો વિચાર પેદા થતો નથી. પણ મને જ કેમ દુ:ખ આવ્યા કરે છે ? ક્યારે દુ:ખ જશે ? અને મને સુખ મલશે ? આ જ વિચારોની એકાગ્રતા અંતરમાં ચાલ્યા કરતી હોય છે એક રાગ મોહનીયના કારણે જીવો આ રીતે દુ:ખ વેઠીને-સહન કરીને નવા દુ:ખોને ઉપાર્જન કરતા જાય છે અને પોતાના આત્માનું સંસારનું પરિભ્રમણ વધારતા જાય છે.
એવી જ રીતે અપ્રશસ્ત રાગ મોહનીયના કારણે એટલે કે આલોકના અનુકૂળ પદાર્થોને મેળવવા-ભોગવવા-વધારવા-ટકાવવા-સાચવવા માટે તથા આ લોકમાં આવેલ દુ:ખોનો નાશ કરવા માટે
લોકમાં આનાથી અધિક સુખની સામગ્રી એટલે દેવલોક આદિની સામગ્રી મેળવવા માટે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી સાડા નવ પૂર્વનું જ્ઞાનભણે દેશના લબ્ધિ પેદા કરે અને નિરતિચાર ચારિત્રનું પાલન વ્યવહારથી કરે એટલે દ્રવ્ય ચારિત્રનું પાલન વ્યવહારથી કરે. અંતરમાં અહિંસાનો પરિણામ ન હોવા છતાંય બાહ્યથી અહિંસાનું પાલન કરે વ્યવહારમાં અહિંસાનું પાલન દેખાડે તો પણ આવી અહિંસા પાલન કરવા છતાંય જીવોને દ્રવ્ય અહિંસા કે ભાવ અહિંસાનો પણ લાભ મલતો નથી પણ ભાવ હિંસાનો પરિણામ જ ગણાય છે. આવી પણ અહિંસા લાંબાકાળ સુધી પાલન કરે તો. પરભવનું લાંબુ આયુષ્ય બાંધી શકે છે એટલે મનુષ્યનું લાંબુ આયુષ્ય અથવા દેવલોકનું લાંબુ આયુષ્યા એકત્રીશ સાગરોપમનું બાંધી શકે છે.
અપ્રશસ્ત રાગના કારણે એટલે સુખના અર્થીપણાથી ક્રિયા થયેલી હોવાથી નિયમાં પાપાનુબંધી પુણ્ય બંધાય છે. અકામ નિર્જરા થાય છે અને દર્શન મોહનીય કર્મ એટલે મિથ્યાત્વ મોહનીય ગાઢ બાંધે છે. એ પાપાનુબંધી પુણ્ય નવમા ગ્રેવેયકમાં ઉદયમાં આવતા એ જીવોને અહમ ઇન્દ્રપણાનું જે સુખ મલ્યું છે તેમની સાથે પોતાના જેવા બીજા આત્માઓને સુખી જોતા જોતા મેં મહેનત કરીને આ સુખ મેળવ્યું છે એમાં આને કેમ મળ્યું એવી વિચારણા રૂપે મને જ મલવું જોઇએ આવા પરિણામથો એકત્રીશ સાગરોપમ કાળ સુધી અસંતોષ રૂપી આગ-ઇર્ષ્યા ભાવથી બળ્યા કરે છે. એના કારણે મળેલા સુખને સુખ રૂપે ભોગવવા દેતા નથી અને પાપનો અનુબંધ બંધાવી સંસારની વૃદ્ધિનું કારણ બનતું જાય છે.
આમાં મુદ્દો એટલો જ સમજવાનો કે શુભ ભાવોથી કરેલી ધર્મની આરાધના જો એમાં અહિંસાનું પાલન વ્યવહારથી પણ ન હોય તો નાના નાના એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અનુબંધો બાંધી શકે છે અને વ્યવહારથી અહિંસાનો પરિણામ એટલે પાલન હોય તો લાંબા આયુષ્યનો બંધ પણ કરી શકે છે.
Page 5 of 97
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તરાગ
નિર્મમત્વ વીરાગાય વૈરાગ્યાત યોગ સંતતિઃ |
યોગાત્ સંજાય તે જ્ઞાન જ્ઞાનાતુ મુક્તિઃ પ્રજાય તે III ભાવાર્થ :- જીવોને નિર્મમત્વથી વેરાગ્ય પેદા થાય છે એટલે નિર્મમત્વપણું વીરાગ માટે થાય છે. વેરાગ્યથી યોગની સંતતિ પેદા થાય છે અર્થાત યોગનો વ્યાપાર આત્મિક ગુણ તરક્કો પેદા થતો જાય છે. યોગથી આત્મામાં જ્ઞાન પેદા થાય છે અને જ્ઞાનથી જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. IITI.
અનુકૂળ પદાર્થોને મેળવવા-વધારવા-સાચવવા-ટકાવવા આદિની ઇચ્છાથી દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવી-સારા અને શુભ વિચારોમાં રહેવું-વ્રત નિયમ કરવા તપ વગેરે કરવો એ બધા અનુષ્ઠાનોને જ્ઞાનીઓએ શુભ આર્તધ્યાન વાળા અનુષ્ઠાનો કહેલા છે.
એજ અનુષ્ઠાનોનું સેવન ઇષ્ટ સુખને મેળવવાના હેતુથી કરવામાં આવે તો જ આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતાં જાય છે અને એ ગુણોની અનુભૂતિ કરાવવામાં સહાય ભૂત થાય છે. પણ એ ઇષ્ટ સુખ એટલે જે સુખમાં દુ:ખનો અંશ ન હોય. પરિપૂર્ણ હોય એટલે અધુરૂં ન હોય અને આવ્યા પછી નાશ ના પામે એવું હોય તે ઇષ્ટ સુખ કહેવાય છે એ ઇષ્ટ સુખને મેળવવાની ઇચ્છા-અભિલાષા-રૂચિ પેદા કરવી હોય તો ત્યારે જ જીવ કરી શકે છે કે ઇચ્છિત સુખ આ સુખની ઇરછા પેદા કરવામાં વિઘ્નરૂપે એટલે અંતરાય રૂપે છે એ જાણીને એ અંતરાયને દૂર કરવા પ્રયત્ન કરતો જાય તો જ ઇષ્ટ સુખની ઇચ્છા થતી જાય.
ઇચ્છિત સુખ એટલે અનુકૂળ પદાર્થોમાં કે જે અનેક દુઃખોથી ભરપુર, ક્ષણિક સુખ પેદા કરાવનારું શરીર-ધન અને કુટુંબ આદિ સામગ્રીથી પ્રાપ્ત થતું જે સુખ છે તે એ સુખ કહેવાય છે એ અનુકૂળ પદાર્થોનું
એકાંતે દુ:ખ રૂપ-દુ:ખનું ળ આપનારું અને દુ:ખની પરંપરા વધારનારું છે એમ લાગે અને એનાથી સાવચેત રહી ચું સુખ પ્રત્યેના રાગને બદલે ઇષ્ટ પદાર્થના સુખના રાગને વધારવાનો પ્રયત્ન કરવામાં આવે તોજ ઇષ્ટ સુખનો અભિલાષ પેદા થતો જાય જેને મોક્ષનો અભિલાષ કહેવાય છે. આ રીતે જ્યારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે જ ઇષ્ટ સુખ જેનાથી પેદા થતું હોય છે જે સાધનોથી એ ઇષ્ટ સુખની આંશિક અનુભૂતિ થતી હોય એવા સાધનો પ્રત્યે રાગ પેદા કરીને એ સાધનોનું સેવન કરવું એ પ્રશસ્ત રાગ વાળી ભક્તિ કહેવાય છે.
શ્રી અરિહંત પરમાત્માનું દર્શન પાપને પાપ રૂપે ઓળખાવી પાપથી શક્તિ મુજબ છૂટવાનો પ્રયત્ન કરાવતા કરાવતા નિષ્પાપ કરાવવાની શક્તિ પેદા કરાવવામાં ઉપયોગી થાય છે કારણકે શ્રી અરિહંત પરમાત્માઓ સઘળાય પાપોથી રહિત થયેલા છે નિષ્પાપ બનેલા છે. આથી એમનું દર્શન પાપ રહિત થવામાં ઉપયોગી થતું હોવાથી ઉપકારી તરીકે અંતરમાં ભાવ પેદા થતો જાય છે દુનિયાના વ્યવહારમાં પણ સામાન્ય રીતિએ નિયમ હોય છે કે આપણાથી જે મોટા માણસો હોય એમની પાસે જવાથી એમની પાસે જે હોય તે મેળવવાની ઇચ્છા પેદા થતી જાય છે અને એથી જ એ મોટા માણસો એમની પાસેની ચીજ જરૂર મને આપશે એમ વિશ્વાસ આવે તો વારંવાર એમની પાસે બહુમાન અને આદરપૂર્વક જવાની ભાવના થાય છે. સામાન્ય અનુકૂળ સામગ્રી આપનાર પ્રત્યે ઉપકારી તરીકેની જો આટલી ભાવના રહેતી હોય અને એ માટે એમના. દર્શનની વારંવાર ભાવના રાખી જવાતું હોય તો આ તો ત્રણ લોકના નાથ પુરૂષાર્થ કરીને સંપૂર્ણ પાપ રહિત થયેલા એમના દર્શને જવાથી પાપને પાપ રૂપે ઓળખાણ થતી જાય એ પાપથી છૂટવાની ભાવના થતી જાય
Page 6 of 97
Page #7
--------------------------------------------------------------------------
________________
અને એમ કરતાં કરતાં પાપ રહિત જેટલા અંશે થવાય એ જીવન જીવવામાં આનંદ પેદા થતો જાય તો પછી સંપૂર્ણ પાપ રહિત થાઉં અને જીવન જીવાય તો કેવો આનંદ આવે ? આવી ભાવના પેદા થતી જાય અને આથી જ એમના જેવા સંપૂર્ણ પાપ રહિત બનવાની ભાવના પેદા થતી જાય છે એજ ખરેખર શ્રી અરિહંત પરમાત્માના દર્શનનું ફ્ળ કહેલું છે. આ રીતે દર્શન કરવાથી મોહનીય કર્મમાં દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો ગાઢરસ ઉદયમાં હોય છે તે નાશ પામતા પામતા મંદરસ થતો જાય છે એટલે મિથ્યાત્વની મંદતા થતી જાય છે. આ મિથ્યાત્વની મંદતા થવાની સાથે જ જ્ઞાનાવરણીય કર્મમાં મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે આથી અત્યાર સુધી જે જ્ઞાન અજ્ઞાન રૂપે કામ કરતું હતું અને અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ કરણીય રૂપે લાગતો હતો તે અકરણીય રૂપે લાગવાની શરૂઆત થાય છે અને એ રાગ આવા ઉપકારી પ્રત્યે વધતો જાય છે. આજ રીતે દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે એનાથી ચક્ષુ અચક્ષુ દર્શનાવરણીય કર્મમાં એ ઇન્દ્રિયો સતેજ થતાં એનો ઉપયોગ અનુકૂળ પદાર્થોમાં કરવાનું વારંવાર મન થતું હતું તે અટકી જાય છે અને એજ ચક્ષુ-અચક્ષુરોન્દ્રિયનો ઉપયોગ ભગવાન શ્રી અરિહંત પરમાત્માના ગુણોની વિચારણામાં તથા એમની ભક્તિમાં જોઇતી સામગ્રી લાવી ભક્તિ કરવામાં ઉપયોગ કરવા માટે વારંવાર ઉપયોગી બને છે. એવી જ રીતે એ મિથ્યાત્વની મંદતા થતાની સાથે જ અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં દાનાંતરાય કર્મમાં પુણ્યના ઉદયથી મળેલી સામગ્રીનો ભગવાનની ભક્તિમાં-દાન દેવામાં ઉપયોગ કરવાના ભાવ થાય છે. લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી જે સામગ્રી મલે તે સામગ્રીનો ઉપયોગ મોજ મજા શરીરની સુખાકારીમાં થતો હતો તેના બદલે જેટલો વધારે ઉપયોગ ભગવાનની ભક્તિમાં થાય એવો ભાવ પેદા થતાં સારી રીતે ભક્તિમાં ખરચવાનું મન થયા કરે છે ભોગાંતરાય-ઉપભોગાંતરાય કર્મમાં પોતાના ભોગ ઉપભોગમાં પદાર્થોનો ઉપયોગ કરવાને બદલે બીજાના ઉપયોગમાં આવે એવી ભાવના વિશેષ વધતી જાય છે તથા વીર્યંતરાય ક્ષયોપશમ ભાવથી પોતાના મન, વચન, કાયાના યોગના વ્યાપારને અનુકૂળ સામગ્રી મેળવવા આદિના ઉપયોગમાં લેવાને બદલે દેવની ભક્તિમાં-ગુરૂની સેવામાં તથા સાધર્મિક ભક્તિ આદિના ઉપયોમાં લેવાય એ રીતની ભાવનાઓ પેદા થતી જાય છે. એક મિથ્યાત્વની મંદતાના
કારણે આ રીતે બાકીના ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જ જાય છે અને એની અનુભૂતિનો આનંદ વધતો જાય છે આથી શ્રી અરિહંત પરમાત્માઓનું દર્શન આ રીતે ઉપકાર કરવામાં સહાયભૂત થતું હોવાથી વારંવાર દર્શન કરવાનું મન થયાજ કરે છે અને આથી જ એ દર્શન કરતાં કરતાં આવા ઉપકારી અરિહંત પરમાત્માના અંગોને સ્પર્શ કરતો ક્યારે થાઉં ? એટલે એમની સેવા, ભક્તિ, પૂજા કરતો ક્યારે બનું આ ભાવ પેદા થતો જાય છે અને પછી સેવા પૂજા કરતો થાય છે.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જીવોને દર્શન કરતાં આવા ભાવો અંતરમાં પેદા થતા જાય તે પ્રશસ્ત રાગ પૂર્વકનું દર્શન કહેવાય છે.
(૧) સવારમાં મંદિરે દર્શન કરવા જતાં ઘરમાંથી બહાર નીકળે તો ભગવાનના ગુણાની વિચારણા કરતા કરતા ઘરમાંથી નીકળવાનું હોય છે.
(૨) ભગવાનના મંદિરે જતાં જેમને ઘર આદિનો ત્યાગ કરેલો છે એમના દર્શને જવા માટે નીકળું છું માટે જેટલો સમય એમનાં દર્શને જવામાં થાય એટલો સમય આ ઘર-કુટુંબ આદિના વિચારોથી-એના વચનોથી-કાયાથી એ ઘર આદિનો પ્રવૃત્તિથી છૂટ્યો એનો આનંદ અંતરમાં પેદા કરતા કરતા ભગવાન પાસે જવાનું છે.
Page 7 of 97
Page #8
--------------------------------------------------------------------------
________________
(૩) ભગવાનનું મંદિર, ઘર આદિ પાપ વ્યાપારથી છોડાવવામાં સહાયભૂત થતું હોવાથી મંદિરે જતાં કોઇપણ સંસારીક (સાવધ પ્રવૃત્તિ) ના કાર્યો સાથે લઇને જવું નહિ જેમકે દૂધની કોથળી લેવા માટે થેલી સાથે લાવવી, શાકની થેલી સાથે લાવવી ઇત્યાદિ કોઇ કામ લઇને મંદિરે જવાનું નહિ.
(૪) સાવધ વ્યાપારની પ્રવૃત્તિઓનાં કામો સાથે લઇને નીકળતા ભગવાન પ્રત્યેના એમના ગુણો પ્રત્યેનાં વિચારો અંતરમાં રહેતા નથી.
(૫) અંતરમાં ભગવાન પ્રત્યેના-ગુણોના વિચારો ન રહેવાથી મંદિરે જવાની પ્રવૃત્તિ સાવધ રૂપે બની
જાય છે આથી જે લાભ મલવો જોઇએ તે મલતો નથી.
(૬) આથી મંદિરે જવા નીકળતા મૌનપણે જવાનું અને ભગવાનના દર્શન કરીને જે ઉલ્લાસ પેદા થયો હોય તે ઉલ્લાસ સાથે મૌનપણે ઘરે આવવાનું.
(૭) મંદિરેથી પાછા આવતા સાવધ પ્રવૃત્તિના વિચારો કરે-વચનો બોલે-પ્રવૃત્તિ કરતો કરતો ઘરે આવે તો ભગવાનની ભક્તિનું ફ્ળ નાશ પામે છે.
(૮) કેટલો પુણ્યશાળી છું કે જેથી ભગવાનના દર્શને જતાં ઘર આદિ પ્રવૃત્તિ પાપ રૂપે ઓળખાય છે અને એ પાપપ્રવૃત્તિઓથી છૂટી જવાય એ ભાવના અંતરમાં પેદા થતી જાય છે.
(૯) આથી ભગવાન પાસે-મંદિરે જતા-આવતા જેટલો વધારે સમય જાય તો એટલો કાળ પાપ વ્યાપારથી છૂટ્યો એનો આનંદ ટક્યો રહે.
(૧૦) આ રીતે દર્શન-વંદન કરવાથી બાકીના સમયમાં ઘર-પેઢી આદિમાં રહેલો હોઉ છું એ સમય પાપરૂપ છે. એ પાપથી છૂટવાની ભાવના અંતરમાં રહ્યા કરે એનો આનંદ પેદા કરવામાં સહાયભૂત ક્યારે થાય એ ભાવનામાં રહેતો હોય.
(૧૧) મંદિરમાં પ્રવેશ કરતા નિસીહી - ત્રણવાર બોલી પ્રવેશ કરવાનો. આનો અર્થ એ છે કે સંસારના સાવધ વ્યાપારના વિચારો-વચનો અને કાયાથી એની પ્રવૃત્તિ બહાર મૂકીને ભગવાનના દર્શને જાઉં છું.
(૧૨) સાવધ વ્યાપારના વિચારો એટલે ઘર-પેઢો-કુટુંબ-પરિવાર-પૈસા ટકાના વિચારો સમજવા. (૧૩) એ વિચારો ભગવાન પાસે લઇને જતાં આશાતનાનો દોષ લાગે છે.
(૧૪) આશાતના એટલે આ = ચારે બાજુથી શાતના = નાશ અથવા ત્યાગ. આત્માની ચારે બાજુથી
જેનો ત્યાગ થાય તે આશાતના કહેવાય છે.
આશાતનાથી ભગવાનની ભક્તિથી જ પુણ્ય બંધાય છે તે પુણ્યનો નાશ થાય છે.
આશાતનાથી આત્મામાં રહેલો વિનય ગુણ એ વિનય ગુણનો નાશ થાય છે.
આશાતનાથી ઉચિત વ્યવહારનો પણ નાશ થાય છે એટલે કે પોતાના જીવનમાં ઉચિત વ્યવહારનું પાલન શક્ય બનતું નથી પણ સ્વાર્થી વ્યવહારનું જીવન ચાલે છે.
(૧૫) આથી આશાતનાના કારણે જે ભક્તિ થાય છે તે ભક્તિથી પાપાનુબંધિ પુણ્ય બંધાય છે.
(૧૬) ભગવાનની સેવા, પૂજા કરવા જતાં પૂજાની જે સામગ્રી સાથે લઇને નીકળે તે સામગ્રી નાભિથી નીચેના ભાગમાં રાખ્યા વગર તેમજ નાસિકાથી ઉપર ન જાય એની કાળજી રાખીને લઇ જવી જોઇએ.
(૧૭) એ પૂજાની સામગ્રી સાથે મંદિરમાં પ્રવેશ કરતી વખતે નિસીહી બોલી પ્રવેશ કરવો અને ભગવાનના મુખ્ય ગભારા પાસે સામગ્રી લઇ જઇને મસ્તક નમાવી નમો જિણાણું બોલવું.
Page 8 of 97
Page #9
--------------------------------------------------------------------------
________________
(૧૮) આ રીતે ગભારા પાસેથી જો પ્રદક્ષિણા દેવાનું સ્થાન હોય તો એ પૂજાની સામગ્રી સાથે ત્રણ પ્રદક્ષિણા આપવી.
' (૧૯) ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી પૂજાની સામગ્રીમાંથી એક વાટકીમાં બરાસ અને એક વાટકીમાં કેશર કાઢીને કેશર ઘસવાની રૂમમાં જાય ત્યાં ઓરીસાને ઉપયોગ પૂર્વક દ્રષ્ટિ પડિલેહણ કરીને પાણીથી સાફ કરી સુખડનો ટુકડો પાણીથી સાફ કરીને પછી પહેલા બરાસ ઘસવાની શરૂઆત કરે પછી બરાસને નખ ન અડે એ રીતે વાટકીમાં લઇ પછી કેશર ઘસવાની શરૂઆત કરે એ પણ નખ ન અડે એ રીતે વાટકીમાં લે.
(૨૦) કેશર જાડું ઘસાયું હોય તો એક સોનાની, ચાંદીની અથવા તાંબાની સળી રાખેલી હોય એ સળીથી થોડું થોડું પાણી નાંખીને હલાવીને પાતળું બનાવે પણ આંગળી નાંખીને પાતળું બનાવાય નહીં. કારણ કે નખ અડવાથી એ કેશર પ્રભુજીના અંગને અડાડાય નહિ એટલે પૂજા થાય નહિં.
(૨૧) આ રીતે બરાસ-કેશરની વાટકી તેયાર કર્યા પછી એક થાળી ધોઇ એ થાળીમાં વાટકીઓ મૂકીને ફ્લ લાવ્યા હોય તે ફૂલ થાળીમાં મૂકવા.
(૨૨) જો પોતાને ત્યાં બગીચો હોય તો અથવા ફૂલ ઉગાડવાના કુંડા હોય તો સ્નાન કર્યા પછી પૂજાના કપડા પહેરીને પછી ફ્લે ચૂંટવા જોઇએ એમાં જો ડાળી કડક હોય કે જેથી ક્લ ચૂંટતા મરોડવી પડે એમ હોય તો એક અંગુઠાની ચાંદીની અથવા તાંબાની અંગૂઠી કરાવી એ પહેરીને પછી ફ્લ ચૂંટવાથી ડાળને કિલામણા ઓછી થશે કારણકે અંગૂઠો અને આંગળી બન્ને નો ભાગ પોચો હોવાથી ચૂંટવામાં કિલામણા વધુ થાય જ્યારે એક ભાગ કઠણ અંગૂઠીવાળો અને એક ભાગ પોચો એમ રહેવાથી ચૂંટવામાં જલ્દી ચૂંટી શકાય તથા ડાળીને કિલામણા ઓછી થાય.
(૨૩) આ રીતે ચૂંટેલા ફ્લ લાવેલા હોય તો તેને પાણીથી ધોવાની જરૂર રહેતી નથી.
(૨૪) માળી પાસેથી ફ્લ લીધેલા હોય તો તે અશુધ્ધ રૂપે રહેલા હોવાથી પાણીથી ધોઇને શુધ્ધ કરવા જોઇએ પછી ભગવાનને ચઢાવવાના ઉપયોગમાં લઇ શકાય.
(૨૫) આ રીતે થાળીમાં ફ્લ-બરાસની વાટકી, કેશરની વાટકી લઇને કપડા બરાબર કરીને હાથ ધોઇ ધૂપથી પીને પછી થાળી પણ ધૂપીને પોતાના પહેરેલા કપડાને, કપડાના છેડાને હાથ ન લાગે એ રીતે લઇ ગભારામાં જવું જોઇએ.
(૨૬) ગભારાના બહારમાં રહીને એટલે બહારના ભાગમાં રહીને મુખકોશ આઠ પડથી બાંધીને હાથ પાણીથી ધોઇ-ધૂપથી ધૂપીને થાળી હાથમાં લઇ ગભારા પાસે નિસીહી બોલીને ગભારામાં પ્રવેશ કરવા જોઇએ.
૨૭) ગભારાના બહારના ભાગમાં નિસીહી બોલવાનું કારણ એ છે કે રંગમંડપમાં જે ચીજે રહેલી હોય તેની વિચારણાઓનો ત્યાગ કરવાનો હોય છે તથા ગભારાની બહાર રંગ મંડપમાં રહેલા જીવો સાથે વાતો ચીતોનો ત્યાગ કરવાનો હોય છે.
(૨૮) નિસીહી બોલી ગભારામાં પ્રવેશ બાદ ગભારામાં જે કોઇ ચીજ જોઇતી કરતી હોય તેની વિચારણા કરવાની છૂટ હોય છે.
(૨૯) આ રીતે પૂજાની થાળી અંદર લઇને જતાં ધૂપ ગભારામાં લઇ જવાનો તથા સળગાવવાનો નિષેધ કહેલો છે. પૂજાની થાળી નાભિની ઉપરના ભાગમાં રાખીને ડાબા હાથે પકડીને જમણા હાથે ત્રીજી આંગળીથી પૂજા કરવાની હોય છે.
Page 9 of 97
Page #10
--------------------------------------------------------------------------
________________
(૩૦) પૂજા કરવાની શરૂઆત કરતાં કેશરમાં નખ ન લાગી જાય એની કાળજી રાખવી જોઇએ એટલે કેશરમાં નખ ન બોળાઇ જાય એની કાળજી રાખવી જોઇએ.
(૩૧) નખ સાથે કેશરમાં આંગળી બોળવાથી એ કેશર ભગવાનના અંગને લગાડાય નહિ. એ લગાડવાથી આશાતનાનો દોષ લાગે છે.
(૩૨) કેશર અને બરાસમાં આંગળીનું ટેરવું બોલવું જોઇએ. ઉપયોગ રાખીને પ્રયત્ન કરવામાં આવે તો ધીમે ધીમે એની ટેવ પડી શકે છે.
(૩૩) બરાસ પૂજામાં બે આંગળીના ટેરવા બાળીને ભગવાનના આખા શરીરે વિલેપન થઇ શકે છે. બરાસ પૂજા એ વિલેપન પૂજી છે એટલે એ વિલેપન પછી પાતળા સુંવાળા વસ્ત્ર વડે પ્રભુ પ્રતિમાજી સાફ કરવા જોઇએ કે જેથી પ્રતિમા ઉપર ઓઘરા (લીસોટા) દેખાય નહિ અને પ્રતિમાનું તેજ ઓસરે નહિ.
(૩૪) કેશર પૂજા વાટકીમાં ટેરવું બોળીને એક અંગે એક સાથે પૂજા કરવાની હોય છે. એ રીતે નવા અંગે પૂજા કરતાં કેશરમાં નવ વાર આંગળી બોળવાની હોય છે. (૩૫) નીચે પ્રમાણે પૂજા કરો.
૧- પહેલો જમણો અંગૂઠો પછી ડાબો અંગૂઠો. ૨- પહેલો જમણો ઢીંચણ બીજો ડાબો ઢીંચણ . ૩- બે કાંડા. પહેલું જમણું કાંડુ પછી બીજું ડાબું કાંડુ. ૪- બે ખભા. પહેલો જમણો ખભો બીજો ડાબો ખભો. ૫- મસ્તક ઉપર. ૬- લલાટ ઉપર. - કંઠ ઉપર. ૮- હૃદય ઉપર અને ૯- નાભિ ઉપર.
અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન
સામાન્ય રીતે પૂજા ત્રણ પ્રકારની કહેલી છે. (૧) અંગ પૂજા, (૨) અગ્ર પૂજા અને (૩) ભાવ પૂજા.
૧ - અંગ પૂજાનું વર્ણન
ત્રણ લોકના નાથ દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની અંગ પૂજા કરવા માટે સૌથી પહેલા સાત પ્રકારની શુદ્ધિ કરવી પડે. જ્યાં સુધી જીવો પોતાના શરીરાદિની સાત પ્રકારની શુદ્ધિ ન કરે ત્યાં સુધી અંગ પૂજા કરવાનો એટલે કે પ્રભુજીના અંગને સ્પર્શ કરવાનો પણ અધિકાર કહેલો નથી કારણ કે અનાદિકાલથી જગતમાં પરિભ્રમણ કરી રહેલા જીવો અશુધ્ધ ઉપયોગવાળા હોય છે આથી સાત પ્રકારની શુદ્ધિ જણાવે છે.
અંગ વસન મન ભૂમિકા
પૂજાપગરણ સાર ન્યાય દ્રવ્ય વિધિ શુધ્ધતા
Page 10 of 97
Page #11
--------------------------------------------------------------------------
________________
શુધ્ધિ સાત પ્રકાર ॥૧॥
(૧) અંગ :- બે હાથ, બે પગ, મસ્તક, છાતી, પેટ અને પીઠ. આ આઠ અંગ કહેવાય છે. આ આઠ અંગોની શુધ્ધિ પાણીથી કરીને સ્વચ્છ કરવાનું વિધાન છે. એટલે જેમ બને તેમ ઓછા પાણીથી અંગોની શુધ્ધિ કરવાની હોય છે. જો એમાંના કોઇપણ અંગ અશુધ્ધ હોય તો જ્ઞાની ભગવંતો કહે છે કે પ્રભુજીને સ્પર્શ કરવામાં જે પ્રમાણે અંતરમાં શુધ્ધિ પેદા કરવી છે તે આવતી નથી માટે અંગોની અશુધ્ધિ દૂર કરીને શુધ્ધિ કરવાનું વિધાન કહેલું છે.
(૨) વસન :- પૂજા કરવા માટેનાં વસ્ત્રો શુધ્ધ જોઇએ છે. એટલે કે સાંધા વિનાનું વસ્ત્ર પૂજામાં જોઇએ. પુરૂષોને માટે ધોતીયું અને ખેસ આ બે વસ્ત્રો જોઇએ. એમાં ખેસથી જ મુખકેશ કરવાનો હોય છે. રૂમાલ જુદો રાખવાનું વિધાન નથી. ધોતીયું અને ખેસ ફાટેલા જોઇએ નહિ તેમજ મેલાં જોઇએ નહિ. રોજે રોજ સેવા પૂજા કર્યા પછી-પજાનાં કપડાં પાણીમાં બોળીને સુકવી નાંખવા જોઇએ કારણકે પરસેવા વાળા કપડા સુકવીને બીજા દિવસે ઉપયોગમાં લેવાતા નથી માટે રોજ પાણીમાં બોળી દેવા જોઇએ. વ્હેનો માટે સાડી, ચણીયો તથા બ્લાઉઝ સાંધા વિનાના ફાટ્યા વગરના જોઇએ તેમજ મુખકોશ બાંધવા માટે રૂમાલ જોઇએ એ કપડા પણ સેવા પૂજા કરીને પાણીમાં બોળીને સુકવી નાંખવા જોઇએ. પરસેવા વાળા કપડા સુકવીને બીજા દિવસે ચાલે નહિ આથી નિશ્ચિંત થાય છે કે પુરૂષોને પાટલુન ખમીસ પહેરીને સેવા પૂજા થાય નહિ. કેવળ પૂજાના વસ્ત્રો જ નહિ પરંતુ પૂજાના અન્ય ઉપકરણો જેવા કે પક્ષાળ માટેના કળશ-કેસર સુખડની વાડકી-ધૂપીયું-દીવી-સ્કૂલ માટેની થાળી વિગેરે પણ રોજે રોજ ચોક્ખી માટીથી સાફ કરીને ચકચકાટ રાખીને વાપરવા જોઇએ. છોકરાઓને પણ ધોતીયું પહેરવાની ટેવ પાડવી જોઇએ.
(૩) મન :- પૂજા કરવા માટે મનની પણ શુધ્ધિ જોઇએ. એટલે કે ઘર, પેઢી, કુટુંબ, પરિવાર, પૈસા ટકાની વિચારણાવાળું મન અથવા અનુકૂળ પદાર્થોને મેળવવા આદિની વિચારણાવાળું મન એ અશુધ્ધ મન કહેવાય છે. અનાદિકાળથી જીવોને અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ રહેલો હોય છે અને એ રાગના કારણે મારાપણાની બુધ્ધિ રહેલી હોય છે. આથી એ વિચારોથી છૂટવા માટે ઉપકારી એવા શુધ્ધ પરમાત્માઆના અંગે સ્પર્શ કરવા માટે જેટલો કાળ અંગ શુધ્ધ કરી વસ્ર શુધ્ધ કરી સેવા પૂજા કરવામાં જાય ત્યાં સુધી મનમાં એ અનુકૂળ । પદાર્થોના વિચારો પેદા ન થાય એ માટે મનની શુધ્ધિ પણ જરૂરી છે. કારણ કે એ મનની શુધ્ધિ વગર શુધ્ધ પરિણામ પેદા કરીને સંપૂર્ણ શુધ્ધ બનવાની ભાવના પણ પેદા થઇ શકતી નથી માટે મન શુધ્ધિ કહેલી છે.
(૪) ભૂમિકા :- જ્યાં શુધ્ધ-સંપૂર્ણ શુધ્ધ આત્માને સ્થાપન કરવા છે એ ભૂમિ પણ શુધ્ધ જોઇએ છે. જો અશુધ્ધ ભૂમિમાં સ્થાપન કરવામાં આવે તો એ અશુધ્ધ ભૂમિના પ્રતાપે મન શુધ્ધિની સ્થિરતા પેદા થઇ શકતી નથી. જેટલી ભૂમિની શુધ્ધિ સારી એટલી મનની પ્રસન્નતા, એકાગ્રતા સુંદર રીતે લાંબા કાળ સુધી ટકી શકે છે. માટે ભૂમિ પણ હાડકા વગરની કોઇપણ જનાવર આદિના કલેવર વગરની તેમજ ખરાબ તત્વોથી રહિત થયેલી જોઇએ કે જેથી કોઇ દુષ્ટ દેવાદિનો ઉપદ્રવ પેદા થઇ શકે નહિ.
(૫) પૂજો પગરણ સાર ઃ- ભગવાનની ભક્તિના એટલે પૂજાના ઉપકરણો જેમકે કળશ, થાળી, વાટકીઓ, પૂજાની ડબ્બી આદિ ચીજો એટલે પદાર્થો ઉપકરણ રૂપે કહેવાય છે. એ પણ ચોક્ખા શુધ્ધ કરેલા અને સુંદર જોઇએ. શ્રાવકે પોતાની શક્તિ મુજબના સારામાં સારા ઉપકરણો લાવીને એ ઉપકરણોથી ભગવાનની ભક્તિ કરવી જોઇએ.
(૬) ન્યાય દ્રવ્ય :- જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની ભક્તિમાં જોઇતા દ્રવ્યો જેમકે
Page 11 of 97
Page #12
--------------------------------------------------------------------------
________________
અંગભૂંછણા, દૂધ, પાણી, કેસર ઇત્યાદિ ચીજો ન્યાય સંપન્ન દ્રવ્યથી એટલે નીતિના પૈસાથી લાવીને ભક્તિ કરવી જોઇએ કારણ કે નીતિના પૈસાથી લાવેલા દ્રવ્યોથી ભક્તિ કરવામાં આવે તો પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે અને અનિતીના પૈસાથી લાવેલા દ્રવ્યોથી ભક્તિ કરવામાં આવે તો પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતું નથી પણ એથી વિપરીત પાપાનુબંધી પુણ્ય બંધાય છે. પુણ્યાનુબંધિ પુણ્ય એટલે એ દ્રવ્યોની ભક્તિથી જે પુણ્ય બંધાય એનાથી જે સુખની સામગ્રી મલે તે અઢળક મલે છતાં પણ એ સામગ્રી પ્રત્યે રાગ પેદા થવા દે નહિ. રાગને નષ્ટ કરવામાં એ સામગ્રીની લીનતાનો નાશ કરવામાં સહાયભૂત થાય તેમજ આત્મિક ગુણો પેદા કરવામાં એ સામગ્રી સહાયભૂત થતી જાય છે આથી એવું પુણ્યાનુબંધિ પુણ્ય ગ્રહણ કરવા લાયક કહેલું છે.
પાપાનુબંધિ પુણ્ય એટલે કે અનિતીના પૈસાથી દ્રવ્યો લાવીને ભક્તિ કરવામાં જીવોને પુણ્ય બંધાય છે પણ એ પુણ્યથી મળેલી સામગ્રી એ સામગ્રી પ્રત્યે રાગ પેદા કરાવીને સુખમાં લીનતા પેદા કરાવી આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતી નથી પણ અનેક પ્રકારના રાગના કારણે પાપના વિચારો પેદા કરાવીને સંસારની વૃદ્ધિ કરવામાં એટલે જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થાય છે માટે જ્ઞાની ભગવંતોએ એ પુણ્યને ગ્રહણ કરવા લાયક કહેલ નથી.
(૭) વિધિ શુધ્ધતા :- એટલે કે જ્ઞાની ભગવંતોએ કહેલી વિધિને સાચવીને એ વિધિ મુજબ થોડી પણ ક્રિયા થાય તો થોડી ક્રિયા વિધિ મુજબ કરવાનું વિધાન છે. અવિધિથી ઘણી ક્રિયા થતી હોય તો એ ઘણી ક્રિયા કરવાનો આગ્રહ રાખવો નહિ. શક્તિ હોય, સમય હોય તો વિધિ પૂર્વક ઘણી ક્રિયા કરવાની પણ આજ્ઞા છે કારણ કે જેટલું વિધિપૂર્વક કરતાં જે આનંદ આવે, ઉત્સાહ વધે અને ચિત્તની પ્રસન્નતા પેદા થતી જાય એમાં કર્મોની નિર્જરા વિશેષ રીતે પેદા થતી જાય છે અને સાથે સાથે અશુભ કર્મનો બંધ અલ્પ રસે થતો જાય છે અને શુભ કર્મોનો બંધ તીવ્રરસે થતો જાય છે જ્યારે અવિધિથી કરાતી ક્રિયા અશુભ કર્મોની નિર્જરા ઓછી કરે છે. અશુભ કર્મ જે બંધાતા હોય તે તીવ્રરસે બંધાતા જાય છે અને જે શુભ કર્મો બંધાતા. હોય છે તે મંદરસે બંધાતા જાય છે આથી વિધિ પૂર્વક કરવા પ્રયત્ન કરવો જોઇએ.
આ રીતે સાત પ્રકારની શુદ્ધિને બરાબર જાળવીને તૈયાર થાય ત્યારે ભગવાનના અંગને સ્પર્શ કરવા માટે યોગ્ય બને છે.
અંગ પૂજા એટલે ભગવાનના શરીર સંબંધી પૂજા.
પ્રભુના અંગ ઉપર આગલા દિવસનું જે ફ્લ, કેશર આદિ રહેલું હોય કે જેને નિર્માલ્ય દ્રવ્ય કહેવાય છે એને ઉતારવું જોઇએ. એ ઉતારવા માટે સૌથી પહેલા એ નિર્માલ્ય દ્રવ્ય ઉપર કોઇ ત્રસ જીવ રૂપે જીવ જંતુ રહેલા હોય એન દૂર કરવા માટે મોર પિંછીથી એક ચિત્તે સાફ કરવા જોઇએ કે જેથી એ ત્રસ જીવો ત્યાંથી પોત પોતાના સ્થાને ચાલ્યા જાય અથવા આઘા પાછા થઇ જાય. એ રીતે મોર પિંછીથી પ્રમાર્જના કરીને એટલે પૂજીને પછી પબાસન ઉપર જે જીવ જંતુઓ હોય. નિર્માલ્ય દ્રવ્ય રૂપે ફ્લ વગેરે રહેલા હોય એને થાળીમાં લઇ બહાર સારી જગ્યાએ મુકવા જોઇએ કે જેથી એ જીવો-મરી ન જાય અને વધારે દુ:ખ ન પામે એ રીતે મુકવા જોઇએ એટલે કે જ્યાં તડકો ન આવે અને છાંયડામાં એ જીવોને શાતા રહે ત્યાં પરઠવવા જોઇએ.
આ રીતે નિર્માલ્ય દ્રવ્ય ઉતાર્યા બાદ પાણીથી એટલે પાણીના કળશથી કેશર ભીનું કરવું જોઇએ એટલે આગલા દિવસનું કેશર સુક હોય છે એને ભીનું કરવું જોઇએ. આ રીતે કેસર ભીનું કરી પછી એક મોટા વાટકામાં પાણી લઇ ચોખુ એક કપડુ એ પાણીમાં પલાડીને ભગવાનના અંગ ઉપર જ્યાં જ્યાં કેસર
Page 12 of 97
Page #13
--------------------------------------------------------------------------
________________
હોય તે કેસર એ ભીના કપડાથી એટલે ભીનું કપડું વતા ક્વતા દૂર કરવું જોઇએ એટલે બરાબર ભગવાનનું અંગ કેસર રહિત કરવું જોઇએ. એ રીતે કરતાં કરતાં કદાચ કોઇ અંગમાં કેસર રહી ગયું હોય તો તે દૂર કરવા માટે વાળાકુંચીનો ઉપયોગ જેમ પોતાના દાંતમાં કોઇ અનાજનો કણીયો ખાતા ખાતા ભરાઇ ગયો હોય તો સળી વડે જે રીતે કાઢીએ છીએ કે દાંતમાં પીડા ન થાય અને નીકળી જાય એમ ધીમે ધીમે વાળાકુંચીથી એ કેસર સાફ કરવું જોઇએ.
આ રીતે કેસર સાફ કર્યા પછી ભગવાન સંપૂર્ણ નિર્માલ્ય દ્રવ્યથી રહિત થાય છે અને પછી જ પંચામૃતથી અભિષેક કરવાનો હોય છે.
પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, સાકર અને કેસર. આ પાંચ દ્રવ્યોના મિશ્રણથી જે તૈયાર થાય તેને પંચામૃત કહેવાય છે. પંચામૃત તૈયાર કર્યા પછી કળશમાં એ પંચામૃત લઇને તેમાં કળશ એવા જોઇએ કે ઉપરથી ઢાંકણાવાળા કે જેથી અભિષેક કરતાં કરતાં નાળચામાંથી જે ધારા પડે એ ધારા વખતે કોઇ કસ જીવો ઉડતા ઉડતા આવી કળશમાં પડીને મરણ ન પામે એ જીવોની જીવ હિંસા ન થાય એ માટે ઢાંકણાવાળા કળશો જોઇએ. એ કળશોમાં પંચામૃત ભરીને થાળીમાં એ કળશ લઇ બે હાથે થાળી પડીને પછી થાળી નીચે મૂકી બે હાથે કળશ પકડીને ભગવાનના મસ્તકના અંગ ઉપરથી પંચામૃતનો અભિષેક કરવો જોઇએ.
- વાસ્તવિક રીતિએ ક્ષીર સમદ્રના પાણીથી ભગવાનનો અભિષેક કરવાનો કહેલો છે. એ ક્ષીર સમુદ્રના પાણીમાં એવી જોરદાર શક્તિ રહેલી છે કે એ પાણીનું એક ટીપું પણ જો પીવા મલે તો મનુષ્યના શરીરમાં રહેલા સઘળા રોગોનો નાશ કરવાની શક્તિ રહેલી છે. અર્થાત એક ટીપાથી શરીરના સંપૂર્ણ રોગો નાશ થઇ શકે છે એવી તાકાત હોય છે પણ તે લાવી શકીએ એવી તાકાત ન હોવાથી પંચામૃત બનાવીને ક્ષીર સમુદ્રના પાણીની કલ્પના કરી અભિષેક કરવાનો કહેલો છે.
પલાળ માટેનું જળ કુવાનું અથવા ટાંકામાં વરસાદનું સંઘરી રાખેલ જળ જ વાપરવું જોઇએ. હાલમાં આવતું પાણી બીલકુલ અશુધ્ધ તેમજ ભયંક્ર આશાતના લગાડનાર છે. શ્રી જિનમંદિરમાં લોખંડની એક ખીલી પણ નહિ વાપરનાર આપણે લોખંડની પાઇપમાં પસાર થતા ગંદા-દવા નાખીને અપાતા પાણીનો ઉપયોગ શ્રી અરિહંત પરમાત્માના પક્ષાળ માટે કરીને કેટલી આશાતના કરીએ છીએ તે વિચારો. શક્તિશાળી સંઘોએ જગ્યાની અનુકુળતા હોય તો અવશ્ય ટાંકુ બનાવીને આશાતનાથી બચી જવું જ જોઇએ.
જ્ઞાની ભગવંતો એ અંગપૂજાને વિજ્ઞોપશમનિકી એટલે કે વિઘ્નોને ઉપશમાવનારી કહેલી છે. આત્માને વિપ્ન રૂપ ચીજ થાય તે અંતરાય કહેવાય. એટલે કે આત્મિક ગુણના દર્શનમાં વિઘ્ન કરનાર. એટલે કે ધર્મની આરાધના કરાવતા કરાવતા જીવને ગથીની ઓળખ કરાવીને ગ્રંથીભેદ સૂધી ન લઇ જવામાં વિઘ્ન કરનાર એ અંતરાય કહેવાય છે.
જ્યાં સુધી જીવોને ભગવાનની જલપૂજા કરતા કરતા શરીરનો રાગ રહેલો હોય છે એટલે કે પોતાના શરીરનો રાગ પુષ્ટ થતો જાય-ગમે-આનંદ પેદા કરાવે ત્યાં સુધી ભગવાનની અંગપૂજા એ સાચી અંગપૂજા ગણાતી નથી અને જીવો પોતાના આત્મામાં રહેલી ગ્રંથીને ઓળખી શકતા નથી. અનુકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ દ્વેષ એ ગ્રંથી કહેવાય છે.
અનાદિ કાળથી જીવોનો સ્વભાવ પડેલો છે કે બીજા જીવોના અંતરના (આત્માના) રાગાદિ પરિણામને ઓળખી શકે છે પણ પોતાના રાગાદિ પરિણામને ઓળખી શકતો નથી અને જ્યાં સુધી પોતાના રાગાદિ પરિણામને ઓળખવાનું મન ન થાય એ જ વાસ્તવિક રીતિએ અંગપૂજા જે જલ પૂજા પંચામૃત રૂપે
Page 13 of 97
Page #14
--------------------------------------------------------------------------
________________
કરવાની છે તે વાસ્તવિક રીતિએ પૂજા ગણાતી નથી અર્થાત્ સાચી પૂજા ગણાતી નથી. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની પૂજાથી શરીરનો રાગ ઘટે, રાગ તૂટે અથવા ઉપશમ પામે એ જ ભગવાનની સાચી પૂજા કહેવાય છે.
જેમ જેમ શરીરનો રાગ ઘટતો જાય તેમ તેમ ભગવાનની અંગ પૂજાથી શરીરના બધા દુઃખો એટલે શરીરને આવતા વિઘ્નો નાશ થતા જાય છે. એટલે કે શરીરનો રાગ ઓછો કરતા કરતા જે જીવો અંગપૂજા કરે છે એ જીવોનું શરીર નિરોગી રહે છે કારણકે શરીરમાં કર્મના ઉદયથી ગમે તેવા રોગો આવે તો પણ રાગ તૂટવાના કારણે એ જીવોને દુઃખમાં સમાધિ ભાવ પેદા કરાવે છે. એજ નિરોગીતાનું લક્ષણ કહેવાય છે આથી અંગપૂજા વિઘ્નોને ઉપશમાવનારી કહેલી છે એનો અર્થ જ એ છેકે શરીરનો રાગ એજ અંગપૂજામાં વિઘ્નરૂપ ગણાય છે. આ રીતે અંગપૂજા કરતા કરતા વિચારણા કરનારો જીવ બને એટલે અવશ્ય શરીરનો
રાગ ઘટવા માંડે અને જેમ જેમ અધિક અધિક રાગ ઘટતાં ગ્રંથી ભેદ થતાં વાર લાગતી નથી.
અંગપૂજાથી જેટલો શરીરનો રાગ ઘટે એટલું શરીર સારી રીતે ભગવાનની ભક્તિમાં, ગુરૂની સેવામાં અને સાધર્મિક ભક્તિમાં જોડાતું જાય છે એટલે વધુને વધુ જોડાતું જાય તો પણ શરીરનો થાક લાગવાના બદલે આનંદ વધતો જાય અને સંસારની પ્રવૃત્તિ એ શરીરથી કરવામાં આવે તો પ્રવૃત્તિ કરતા કરતા શરીરમાં થાક વધતો જાય આવી અનુભૂતિ પેદા થતી જાય એજ વાસ્તવિક રીતિએ અંગપૂજાનું પ્રત્યક્ષ ફ્ળ કહેવાય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની અંગપૂજામાં એ શક્તિ છેકે અનાદિકાળના રાગાદિનો ઢાળ બદલાયા વિના રહે નહિ માટે જ વિઘ્નોને ઉપશમાવનારી અંગપૂજા કહેલી
છે.
આત્મિક ગુણોને પેદા કરાવવામાં વિઘ્ન રૂપ સૌ પ્રથમ કોઇ ચીજ હોય તો તે રાગ મોહનીય જ
કહેલી છે.
અનાદિ કાળથી જીવના અંતરમાં જે રાગ મોહનીય બેઠેલી છે એ ચારે પ્રકારની સંજ્ઞાઓને સતેજ રાખવા માટે સાધન રૂપ ગણાય છે.
પરિગ્રહ સંજ્ઞામાં ધન વગેરે નવ પ્રકારનો પરિગ્રહ કહેલો છે. પરિગ્રહમાં નવે પ્રકારનો પરિગ્રહ લેવાનું કારણ એ છે કે એમાં એકેન્દ્રિય જીવોથી પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ કરવાનો હોય છે. કારણ કે એકેન્દ્રિય આદિ જીવો માટે ધાન્ય એ પરિગ્રહનું કારણ કહેલું છે. મનુષ્ય માટે મુખ્યતા ધનની છે માટે નવ પ્રકારના પરિગ્રહના વર્ણનમાં ધન પ્રથમ કહેલ છે કારણ કે મનુષ્યને કોઇપણ વસ્તુ મેળવવા માટેનું મુખ્ય સાધન ધન છે. એવી બુધ્ધિ મનુષ્યોની હોય છે.
જો અંગપૂજા કરતાં ધનનો રાગ ન ઘટે તો એ જીવોની અંગપૂજા નિક્ળ કહેલી છે. ધનનો રાગ ન ઘટે તો પ્રભુપૂજા આરાધના રૂપે બનવાને બદલે વિરાધના રૂપે બને છે. આથી અંગપૂજા કરતા કરતા રાગાદિ પરિણામો આત્માને વિઘ્ન રૂપ બને છે એ વિઘ્નોને દૂર કરનાર હોવાથી રાગાદિ પરિણામ ઘટાડવાની તાકાત રહેલી છે.
જો રાગાદિ પરિણામોને નાશ કરવાની ભાવનાથી અંગપૂજા અને અગ્રપૂજા કરવામાં આવે તો કલ્પવૃક્ષ સમાન પરમાત્માનું શાસન ભવો ભવ મલવાની સાથે સાથે તુચ્છ એવા ક્ષણિક પદાર્થો એટલે ભૌતિક સુખની સામગ્રી પણ મલ્યા વગર રહેતી નથી પણ એની એ જીવોન કિંમત હોતી નથી.
અંગપૂજા વિઘ્નોને ઉપશમાવે એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યેથી રાગાદિ ઓછા થાય અને અગ્રપૂજાથી અભ્યુદય થાય એટલે આંતરિક અને ભૌતિક સામગ્રી પ્રાપ્ત થતી જાય છે.
Page 14 of 97
Page #15
--------------------------------------------------------------------------
________________
ભૌતિક મળેલી સામગ્રીમાંથી રાગાદિ પરિણામને દૂર કરવાની શક્તિ જૈન શાસન સિવાય બીજા કોઇપણ દર્શનમાં નથી માટે જૈન શાસન અથવા જૈન દર્શન સર્વથી ઉંચુ સ્થાન ધરાવે છે.
મોક્ષનો અભિલાષ પેદા કરવા માટે જ આ અંગપૂજા કરવી એ પ્રયત્ન રૂપે છે કારણ કે એ પોતાના
રાગાદિ પરિણામ ને ઉપશમાવનારી હોવાથી એ રાગાદિને નબળા પાડવાનો પ્રયત્ન નહિ કરીએ તો મોક્ષનો અભિલાષ પેદા થશે નહિ. દેવ, ગુરૂ, ધર્મની આરાધના મોક્ષ માટે કરતા હોઇએ તો । સુખમય સંસાર જોઇતો જ નથી એમ અંતરમાં માન્યતા પેદા કરવી પડશે. જેમકે (મારે) જેને શ્રીમંતાઇ જોઇએ છે એનો અર્થ જ એ થાય છે કે મારે દરિદ્રતા જોઇતી જ નથી. એમ ગણાય છે એવી જ રીતે મને સુખ ગમે છે એનો અર્થ જ એ થાય છે કે દુઃખ ગમતું જ નથી. એવી જ રીતે અહીંયા પણ વિચારવાનું મારે મોક્ષ જોઇએ છે એનો અર્થ જ એ છે કે સંસાર જોઇતો જ નથી મને મોક્ષ ગમે છે એનો અર્થ જ એ છે કે સુખમય સંસાર મને ગમતો જ નથી. સંસાર છૂટતો નથી એ બને પણ એ જીવની દ્રઢ માન્યતા તો એજ હોય કે સુખમય સંસાર જોઇતો જ નથી તોજ મોક્ષ જોઇએ છે એમ કહી શકાય.
અંગપૂજા અને અગ્રપૂજા જીવને ક્રિયા કરાવીને પુણ્યબંધ કરાવવામાં સહાયભૂત થાય છે પણ નિર્જરા કરાવવામાં સહાયભૂત થતી નથી. જ્યારે નિર્જરા હંમેશા ભાવપૂજાથી થાય છે. અંગપૂજામાં અને અગ્રપૂજામાં ભાવ ભળે તો કર્મબંધનો સાથે નિર્જરા પણ થઇ શકે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે ક્રિયા એ કર્મ છે. પરિણામે બંધ અને પરિણામે નિર્જરા થાય છે તથા પરિણામે મોક્ષ થાય છે. ભાવપૂજામાં તપ રહેલો છે. ભગવાનની ભક્તિથી અંતરના રાગાદિ પરિણામોને મંદ કરવાનો વિચાર એનું નામ તપ કહેવાય છે. ક્રોધાદિ કષાયોને નાશ કરવાની ઇચ્છા એ પણ તપ કહેવાય છે.
અંગપૂજા - વિઘ્નોપશમિની કહેલી છે.
અગ્રપૂજા - અભ્યુદય સાધિની કહેલી છે. અને ભાવપૂજા - નિવૃત્તિ કારિણી કહેલી છે.
પાપ વ્યાપારોનો નાશ ભાવપૂજાથી થાય છે. પાપના વિચારો - પાપના વચનો બોલાય તે તથા કાયાથી થતી પાપની પ્રવૃત્તિ આ ત્રણેયનો નાશ ભાવપૂજાથી થાય છે. ઓછા પાપોથી જીવન જીવતા જીવતાં તાકાત કેળવવાનો પ્રયત્ન કરવાનોકે સંપૂર્ણ પાપ રહિત જીવન હું જીવતો ક્યારે થાઉં. એટલે સંપૂર્ણ પાપ રહિત જીવન જીવવા માટેનો પ્રયત્ન કરવો એટલે એ લક્ષ્ય રાખીને ભાવપૂજા કરવામાં આવે તો ભવ ભ્રમણ એટલે જન્મ મરણનો પરંપરા તૂટ્યા વિના રહે નહિ.
પરમાત્મા વીતરાગી હોવા છતાં રાગી જીવોને ફ્ળ આપે તો ભક્તિથી વીતરાગી બનાવ્યા વગર રહેતા નથી અર્થાત્ વીતરાગીની પ્રાપ્તિનું ફ્ળ આપે છે.
સામાન્ય રીતિએ સામા જીવોના ગુણોને ગુણ રૂપે જોઇને આનંદ પ્રાપ્ત કરવો હોય એટલે ગુણને ગુણરૂપે જોવાની દ્રષ્ટિ પેદા કરવી હોય તોય પોતાના દોષોને દોષ રૂપે જોવાની દ્રષ્ટિ પેદા કરી એ દોષોને દૂર કરવાની ભાવના રાખવી જોઇએ. આ ખુબજ જરૂરી છે અને તોજ બીજાના ગુણો ગુણરૂપે દેખાય અને એ ગુણોને જોઇને આનંદ પેદા થતો જાય.
જીવવાનું કુટુંબની સાથે અને રાગ રાખવાનો દેવ, ગુરૂ અન ધર્મ પ્રત્યે.
શરીર, ધન અને કુટુંબનો રાગ દેવ, ગુરૂ, ધર્મની આરાધનાથી ઘટતો જાય તો એ આરાધનાનો ધર્મ એ સાચો ધર્મ કહેવાય. જો એ રાગ ન ઘટે તો એનું ભારોભાર દુઃખ હોવું જ જોઇએ એટલે રહેવું જ જોઇએ.
Page 15 of 97
Page #16
--------------------------------------------------------------------------
________________
વીતરાગની ભક્તિ કરીએ-વીતરાગના દર્શન કરીએ-સકલ કલેશોથી રહિત થયેલાના દર્શન પૂજન કરીએ અને પોતાના કલેશો લેશરૂપે ન ઓળખાય તો એવા જીવનું દર્શન પૂજન ફોગટ કહેલું છે.
અનુકૂળ પદાર્થોને મેળવવા-ભોગવવા-વધારવા-ટકાવવા-સાચવવા આદિની વિચારણાઓ એને જ્ઞાની ભગવંતોએ કલેશના પરિણામો કહેલા છે.
અનુકૂળ પદાર્થો મલે પુણ્યથી અને એ અનુકૂળ પદાર્થો મેળવવાની ઇચ્છા થાય એ કલેશ નામના પાપના ઉદયથી થાય છે.
અનુકૂળ પાદર્થો ભોગવાય પુણ્યોદયથી ભોગવવાની ઇચ્છા એ કલેશ નામના પાપના ઉદયથી. અનુકૂળ પદાર્થો વધે પુણ્યોદયથી વધારવાની ઇચ્છા એ કલેશ નામના પાપના ઉદયથી. અનુકૂળ પદાર્થો સચવાય પુણ્યોદયથી સાચવવાની ઇચ્છા એ કલેશ નામના પાપના ઉદયથી. અનુકૂળ પદાર્થો ટકે પુણ્યોદયથી ટકાવવાની ઇચ્છા એ કલેશ નામના પાપના ઉદયથી.
આથી વીતરાગ પરમાત્મા કલેશોથી સંપૂર્ણ રહિત છે એમની ભાવથી ભક્તિ કરતાં કરતાં કલેશોનો. નાશ કરવાની ભાવના રાખવાથી સંપૂર્ણ કલેશોથી રહિત થઇ વીતરાગ બની શકાય છે.
સંપૂર્ણ લેશોથી રહિત થયેલા શ્રી જિનેશ્વરોની ભક્તિ કરવાથી એ કોઇ દિ' પ્રસન્ન થતા નથી છતાં પણ એમની કરેલી સ્તુતિ કદી નિક્ક જતી નથી.
અંગપૂજા થોડા કાળ માટે કરવાની હોય છે પણ એની વિચારણા અને અંગપૂજાના ભાવો અંતરમાં ચોવીસે કલાક રાખી શકાય છે અને એ રાખીને જીવન જીવાય તો અંગપૂજા ર વીશ કલાકની કહી શકાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે દેવ, ગુરૂ, ધર્મની આરાધનાની ક્રિયાઓ અનુષ્ઠાનો જ્યારે કરવાનો વખત મલે ત્યારે પ્રસન્ન ચિત્તે શાંતિથી કરવાના હોય છે. જ્યારે ઘર, પેઢી આદિની પ્રવૃત્તિ જલદીથી પૂર્ણ બુદ્ધિથી કરવાનો પ્રયત્ન કરે તો જ ચોવીસે કલાક ભાવપૂજા વાળો જીવ કહેવાય.
જેમ સ્તુતિ, ચૈત્યવંદન આદિ ભાવપૂજા છે તેમ શ્રાવક સંસારની પ્રવૃત્તિ કરે તે છોડવા લાયક માનીને કરે અને દેવ, ગુરૂ, ધર્મની આરાધના ગ્રહણ કરવા લાયક માનીને કરે એટલે સંસારની પ્રવૃત્તિ આશ્રવ રૂપે માને અને ધર્મની પ્રવૃત્તિ સંવર રૂપે માનીને કરે તો તે પણ ભાવપૂજા રૂપે ગણાય છે. ભાવપૂજા એ અમૃત અનુષ્ઠાન કહેવાય છે આથી લેશોથી રહિત થવાની ભાવના રાખીને ચોવીસે કલાક કલેશોથી. સાવચેતી રાખીને જીવન જીવાય તો એ જીવન કેવલજ્ઞાન સુધી પહોંચાડી શકે છે એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. આથી અમૃત અનુષ્ઠાનની ક્રિયાઓથી જીવોને જેવી અનુભૂતિ થાય એવી અનુભૂતિનું વર્ણન શાસ્ત્રોમાં જ્ઞાની ભગવંતોએ કહેલું છે.
ભાવપૂજા કરતાં કરતાં જેમ જેમ લેશોની મંદતા થતી જાય તીવ્રતા નાશ પામતી જાય તેમ તેમ અનુકૂળ પદાર્થોની સામગ્રીમાં ભયભીત થઇને જીવન જીવાતું હતું તે હવે નિર્ભય રીતે જીવન જીવાતું જાય છે એટલે કે અનુકૂળ સામગ્રીમાં નિર્ભયતા પેદા થતી જાય છે જેને જ્ઞાની ભગવંતો અભય ગુણની પ્રાપ્તિ કહે છે.
શ્રાવકોને સવારના પ્રતિક્રમણ કર્યા બાદ અને સામાયિક કર્યા બાદ સામાયિકના કપડામાંજ ઘરેથી. દેરાસર જવા નીકળે ત્યારે એક થાળી, વાસક્ષેપ માટે વાટકી, ધૂપ, દીપ, અક્ષત, નેવેધ અને ફ્લ લઇને નીકળે અને સવારે વાસક્ષેપ પૂજા કરે તે વખતે ભગવાનને સ્પર્શ કરવાનો હોતો નથી. થાળીમાં વાટકી મૂકી વાટકીમાં વાસક્ષેપ કાઢી થાળી અને વાટકી સાથે મુખકોશ બાંધી ગભારામાં જઇ અધ્ધરથી નવ અંગે વાસક્ષેપ પૂજા કરે પછી બહાર નીકળી ભગવાનની ડાબી બાજુ ઉભા રહી ધૂપ પૂજા કરે, ભગવાનની જમણી બાજુ ઉભા રહી દીપક પૂજા કરે પછી અક્ષત-નૈવેધ અને ફ્લપૂજા કરી ભાવપૂજા રૂપે ચૈત્યવંદન કરે.
Page 16 of 97
Page #17
--------------------------------------------------------------------------
________________
બપોરના મધ્યાન્હ કાળે અષ્ટપ્રકારી પૂજા કરવામાં જળપૂજા આવે છે તે જળપૂજા ભાવપૂજા ત્યારે જ છે બને કે જ્યારે જીવ અનુકૂળ પદાર્થોથી નિર્ભય બને.
જીતના અંતરમાં નિર્ભયતા પેદા થતી જાય તેમ વૈરાગ્ય ભાવ પેદા થતો જાય અને એ તૈરાગ્ય ભાવ આવે એટલે હૈયું એવું બને તેમજ જીવન પણ એવું બને કે ઘરના કુટુંબીઓ તેમજ બહારના પરિચિત વ્યક્તિઓને લાગે કે આ વ્યક્તિ આખી બદલાઇ ગઇ. એ બધાથી જીવન ન્યારું થઇ જાય,
જેમણે પુરૂષાર્થ કરીને પોતાના સઘળાય કર્મ મળનો નાશ કરેલો છે એવા પરમાત્માનો અભિષેક હું મારા કર્મમળનો નાશ કરવા માટે કરૂં છું એ ભાવના રાખીને અભિષેક કરવાનો છે.
હે ભગવાન્ ! આપ તો સંપૂર્ણ શુધ્ધ છો. આપને આ પક્ષાળની કોઇ જરૂર નથી પરંતુ કર્મરૂપી મેલથી હું ખરડાયેલો છું. માટે ખરેખર તો મારે શુધ્ધ બનવાની જરૂરત છે જે આપના જેવા ઉજ્વળ મનોભાવવાળા તેમજ પૂર્ણ જ્ઞાનીની આરાધના વિના અશક્ય હોવાથી તે વાતની સતત યાદને માટે હું આપની આ પક્ષાળ પૂજા કરૂં છું.
પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રી બીજા જીવોના ઉપયોગમાં જેટલી વધારે વપરાય એનાથી ચારે પ્રકારના ઘાતીકર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા કરવામાં સહાયભૂત થાય છે અને એજ સામગ્રી પોતે અને પોતાના કુટુંબના ઉપયોગમાં જેટલી વધારે વપરાય એનાથી ચારે પ્રકારના ધાીકર્મી ગાઢ રૂપે બંધાય છે. જળપૂજા એટલે પંચામૃતનો અભિષેક કર્મમળ અથવા કર્મરજના નાશને માટે કહેલી છે, એ કર્મમળ જ્ઞાની ભગવંતોએ ત્રણ પ્રકારના કહેલા છે.
(૧) દુ:ખ આપનારા કર્મો કર્મમળ રૂપે કહેલા છે.
(૨) સુખ આપનારા કર્મો કર્મમળ રૂપે કહેલા છે અને (૩) પાપ કરાવનારા કર્મો કર્મમળ રૂપે કહેલા છે.
જે જીવો જળપૂજા કરતાં કરતાં દુઃખ આપનારા કર્મમળનો નાશ કરવા પ્રયત્ન કરતા હોય એટલે એનાથી ગભરાતા હોય તો એ જીવો કદી દુઃખ આપનારા કર્મમળનો નાશ કરી શકતા નથી કારણકે દુઃખ આપનારા કર્મમળ શેના કારણે પેદા થાય છે એ જાણતા નથી તથા દુઃખ ન જોઇએ મારે દુઃખનો નાશ કરવો છે, આવી બુધ્ધિવાળા જીર્યા અંતરથી સુખ આપનારા કર્મોને ઇચ્છી રહેલા હોય છે અને એ સુખ આપનારા કર્મો માટે ગમે તેવા પાપ કરવા પડે તો એ પાપથી ગભરાતા નથી પણ એ પાપોને કર્તવ્ય ફરજ માનીને સારી રીતે કરતા હોય છે આથી આ વિચારણાઓ અને વૃત્તિ રહેલી હોવાથી દુઃખ આપનારા કર્મમળનો નાશ થવાને બદલે એ કર્મમળ મજબૂત થતા જાય છે અને એથી જ જળપૂજા કરતાં કરતાં જન્મ મરણનો પરંપરા દુઃખ આપવાવાળી વધતી જ જાય છે.
જે જીવો જળપૂજા કરતા કરતા પાપ કરાવનારા કર્મમળથી ગભરાઇને દૂર કરવા માગતા હોય તો તે જીવોનાં પણ પાપ કરાવનારા કર્મમળ નાશ પામતા નથી કારણ કે આ જીવોને પાપ કરાવનારા કર્મોથી ગભરાટ પેદા થતાં એનો નાશ ઇચ્છે છે પણ સુખ આપનારા કર્મમળ કાઢવાનું મન થતું નથી આથી એ પાપ કરાવનારા કર્મોથી જે ગભરાય છે તે સુખ આપનારા કર્મો માટે થતાં પાપ કરાવનારા કર્મો દૂ કરવાની ભાવનાવાળા હોય છે તથા અનાદિકાળથી જગતમાં પરિભ્રમણ કરતા જીવોને એ ખબર નથી કે પાપથી દુઃખ આવે છે એટલે જે જીવોએ પાપ કરેલા હોય એ જીવોને દુઃખ આવ્યા જ કરે છે તેમજ પુણ્યથી સુખ આવે છે એટલે જે જીવોએ પુણ્ય કરેલા હોય તે જીવોને સુખ સુખ આવ્યા જ કરે છે છતાંય જગતના જીવો જે પાપ છે કરે છે એ શાના માટે કરે છે ? તો એનો જવાબ એજ આવે છે કે સુખ । આપનારા કર્મો મેળવવા-ભોગવવા
Page 17 of 97
Page #18
--------------------------------------------------------------------------
________________
આદિ માટે પાપ કરતા હોય છે આથી જે સુખના પદાર્થો પુણ્યથી મળે છતાં પણ તે સુખના પદાર્થો પાપની ઇચ્છાઓ પેદા કરાવે પાપની પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે અને એ માટે કરેલા પાપો દુઃખ પેદા કર્યા વિના રહે નહિ. આ વાતની સમજણ આવે તો પાપ કરાવનારા કર્મ મળથી ગભરાવાને બદલે જે પદાર્થ પાપ કરાવે એ પદાર્થ સુખ આપનાર હોવાથી એનાથી ગભરાટ પેદા થાય પણ સુખ આપનારા કર્મમળથી ગભરાટ પેદા થતો ન હોવાથી જળપૂજા જન્મ મરણની પરંપરા દૂર કરવાને બદલે વધારે છે અને આત્માને સંસારને વિષે સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવો અથવા અનંતાભવો સુધી દુઃખ આપ્યા કરે છે. જે જીવો જળપૂજા કરતાં કરતાં કર્મમળને નાશ કરવાનો ભાવનાવાળા હોવાથી વિવેક ચક્ષુ પેદા કરતા કરતા અંતરમાં સહજ રીતે એ વિચારણા પેદા કરતા જાય કે સુખ આપનારા કર્મમળનો નાશ કરવા ઇચ્છે તોજ પાપ કરાવનારા કર્મોથી છૂટી શકું અને દુઃખ આપનારા કર્મોથી પણ બચી શકું કારણકે અનાદિકાળથી જીવોને પાપ કરવાની પ્રેરણા આ સુખ આપનારા પદાર્થો જ પેદા કરે છે અને જીવ જેમ જેમ પાપ કરતો જાય તેમ તેમ દુઃખીને દુઃખી થતો જાય છે આથી જો મારે ખરેખર સુખી થવું હોય તો સુખ આપનારા કર્મમળનો જ નાશ કરવાની ભાવના રાખીને પ્રયત્ન કરવો જોઇએ અને એ રીતે પ્રયત્ન કર્યા કરીશ તોજ ધીમે ધીમે સુખ આપનારા કર્મોનો રાગ ઓછો થવાથી વૈરાગ્ય ભાવ પેદા થતો જશે તોજ હું મારા આત્માનું કલ્યાણ કરી શકીશ આથી જળપૂજા કરતાં કરતાં આત્મા મોહ રાજાની નિદ્રામાં સુતેલો છે એને જાગ્રત કરવા માટે સુખ આપનારા કર્મોથી ક્યારે છૂટાય એ ભાવના રાખવાની છે તોજ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પેદા કરીને આત્મા પોતાના કલ્યાણ માર્ગમાં એટલે મોક્ષમાર્ગમાં આગળ વધતો વધતો સંપૂર્ણ આત્માનું સ્વરૂપ પેદા કરી શકશે. આ વિચારથી દ્રવ્યપૂજા ભાવપૂર્વક રૂપે કરવાની કહેલી છે. આ રીતે કરતા જીવોના જન્મ મરણની પરંપરા નાશ થયા વિના રહેતી
નથી.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જે જીવો અંગપૂજામાં જળપૂજા કરતાં કરતાં કર્મમળથી રહિત થઇને નિર્મળ થવા માટે સુખ આપનારા કર્મોથી ગભરાટ પામે એ જીવોની આ વિચારણા શરૂ થાય ત્યારથી દશ ભવની (જન્મ મરણની પરંપરા) પરંપરા નાશ પામે છે. બીજીવાર વિચારણા કરે તો દશ X દશ = સો જન્મ મરણની પરંપરાનો નાશ થાય છે. આ રીતે વારંવાર જેટલી વાર વિચારણા કરતો થાય તેમ તેમ દશ દશના ગુણાકારે જન્મ મરણની પરંપરા અવશ્ય નાશ પામે છે. આજ ખરેખરૂં જળપૂજાનું ફ્ળ કહેલું છે. જે જીવો જળપૂજા કરતા કરતા સુખ આપનારા કર્મોથી ગભરાટ પામે નહિ અને પોતાની પાસે છે
એનો આનંદ માને તથા એ મેળવવા માટે એ પદાર્થોની માગણી કરવા પ્રક્ષાલ કરતા કરતા વિચારણા કરે તો દશ ભવ ઘટવાને બદલે વધ્યા કરે છે અને એ વિપરીત પરિણામ હોવાથી દશ ગુણ્યા દશની પરંપરા રૂપે જન્મ મરણ વધ્યા જ કરે છે.
આથી એ નિશ્ચિંત થાય છે કે સુખ આપનારા કર્મમળ જ આત્માને ભયંકર નુક્શાન કરનારા છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે શ્રી જિનેશ્વર પરમાત્માની જળપૂજા સુખ આપનારા કર્મમળથી છૂટવા માટે કરીએ તોજ જીવ આત્મિક ગુણોને પેદા કરતો જાય અને પોતાના કલ્યાણ માર્ગમાં આગળ વધતો જાય આજ જળપૂજાથી ચિત્તની પ્રસન્નતા પેદા થતી જાય છે એજ ખરેખર જળપૂજાનું ફ્ળ કહેલું છે.
આથી નિશ્ચિત થાય છે કે દુઃખ આપનારા કર્મો તેમજ પાપ કરાવનારા કર્મો આત્માને જેટલું નુક્શાન નથી કરતા એના કરતાં સુખ આપનારા કર્મો જીવોને વિશેષ રીતે નુક્શાન કરે છે કારણ કે જીવોને સુખ । મેળવવા માટે પાપ કરવામાં જરાય આંચકો (લાગતો નથી) અને એના કારણે છેવટે દુઃખની પરંપરા ચાલુ થઇ જાય છે. આથી ધર્મ કરવા છતાંય અંતરમાં ધર્મ પેદા નહિ થવા દેવામાં પણ એ સુખ
Page 18 of 97
Page #19
--------------------------------------------------------------------------
________________
આપનારા કર્મો જ કામ કરે છે કારણ કે સુખ આપનારા કર્મો જે ધર્મથી દુ:ખરૂપ લાગે તોજ ધર્મ કરવાથી ધર્મ પેદા થઇ શકે છે પણ તે દુ:ખરૂપ લાગતો નથી. લગાડવા પ્રયત્ન પણ કરવા દેતા નથી. આ સુખ આપનારા કર્મો દુ:ખ રૂપ નહિ લગાડવા દેવામાં મિથ્યાત્વ મોહનીય કર્મ ભાગ ભજવે છે અને જ્યાં સુધી એ ગાઢ હોય છે ત્યાં સુધી જીવની ધર્મ કરવાની સ્થિતિ હોવા છતાં ય ધર્મ પેદા કરવાની ભાવના પેદા થવા દેતી નથી. આથી સુખને દુઃખરૂપ લગાડવા પ્રયત્ન કરવો એજ હિતાવહ છે.
આ રીતે જળપૂજા ભાવપૂર્વક કર્મમળ દૂર કરવાની ભાવનાથી થતી જાય તો પછી જીવને ચંદનપૂજા ભાવપૂર્વક કરવાનું મન થાય અને ચંદનપૂજાને ભાવપૂજા રૂપે બનાવી શકે.
જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત |
2ષભ ચરણ અંગુઠડે દાયક ભવ જલ અંત IIII ભાવાર્થ :- આ અવસરપિણીના ત્રીજા આરાના છેડે કષભદેવ ભગવાનનો આત્મા ચ્યવન પામ્યો, જન્મ અને વીશલાખ પૂર્વ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા ત્યાર પછી ઇન્દ્ર મહારાજા એટલે સૌધર્મ ઇન્દ્ર આવીને ભગવાનને રાજગાદી ઉપર બેસાડીને રાજ્યાભિષેક કર્યો તે વખતે કોઇ વ્યવહાર ન હોવાથી રાજા તરીકે સ્થાપવા, રાજગાદી ઉપર બેસાડવા ઇત્યાદિ કામ સૌધર્મ ઇન્દ્રને કરવાનો કલ્પ હતો તો તે વખતે સૌધર્મ ઇન્દ્ર આવીને વિનીતા નગરીને શણગારી, રાજદરબાર ગોઠવીને કહષભદેવ કુમારને રાજ પોષાકથી શણગારીને રાજ સિંહાસન ઉપર બેસાડ્યા તે દિવસે તે કાળના યુગલિક મનુષ્યો જે હતા તેઓના અંતરમાં અતિ ઉત્સાહ અને આનંદ પેદા થવાથી પોતાના માથે આજથી સ્વામિ એટલે રાજા બનવાના જાણીને નદી ઉપર જઇ ત્યાં રહેલા ઝાડના પાંદડામાં એટલે એ પાંદડાને સંપુટ રૂપે બનાવીને નદીમાંથી જલ ભરીને
ઋષભદેવ કુમારનો રાજ્યાભિષેક કરવા માટે લઈને આવ્યા અને એ વખતે ઋષભદેવ કુમારને સારા રાજ વિભવના પોષાકમાં રહેલા જાણીને તથા આખો રાજદરબાર ભરાયેલો જાણીને વિચારમાં પડી ગયા કે હવે
આ પાણીથી કઇ રીતે અભિષેક કરવો ? આ જીવો હજુ એટલે સરલ અને જડ એટલે અજ્ઞાન હતા માટે ઉભા રહ્યા અને વિચારે છે કે આ પાણીથી મસ્તક ઉપરથી અભિષેક કરીએ તો આખો રાજપોષાક બગડે માટે એ રાજપોષાક બગડે નહિ અને અભિષેક થાય તો શું કરવું ? આ વિચાર કરીને કહષભકુમારના અંગુઠાને પાણીથી અભિષેક કરીને એ યુગલિક મનુષ્યોએ કહષભ કુમારનો રાજ્યાભિષેક કર્યો, રાજા બનાવ્યા. આ રીતે વિવેક પૂર્વક અભિષેક કરવામાં આવે તો એ અભિષેક જીવોને ભવજલનો એટલે કે દુ:ખ આપનારૂં જલ, સુખ આપનારૂં જલ અને પાપ કરાવનારૂં જલ. આ ત્રણે પ્રકારના જલનો નાશ કરવા માટે વચલા સુખ આપનારા જલનો નાશ કરવામાં સહાયભૂત થાય છે એટલે કે સંસાર રૂપી જલનો અંત આપવામાં સહાયભૂત થાય છે.
જલપૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ | જલપૂજા ળ મૂજ હજો માંગો એમ પ્રભુ પાસ llll. જ્ઞાન કળશ ભરી આતમાં સમતા રસ ભરપુર |
શ્રી જિનને નવરાવતાં કર્મ હોયે ચકચૂર ||૧|| ભાવાર્થ :- અનાદિ કાલથી જીવોને રાગ દ્વેષનો મેલ લાગેલો છે જે મેલ એવો ભયંકર રીતે જામ થયેલો છે કે જલ્દીથી નાશ થાય એવો નથી. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જલપૂજા મન-વચન અને કાયાના વ્યાપારની એકાગ્રતા પેદા કરીને કરો કે જેથી અનાદિનો જે મેલ રાગ દ્વેષના મલરૂપે રહેલો છે તેનો વિશેષે કરીને નાશ થાય અને મલરૂપી મેલ આત્મા ઉપરનો જેમ જેમ નાશ પામતો જાય તેમ તેમ
Page 19 of 97
Page #20
--------------------------------------------------------------------------
________________
ભગવાન પાસે માગવાનું મન વારંવાર થાય છે કે હે ભગવન્ ! મને જલપૂજાનું ફ્લ જરૂરથી આપજો એ માંગણી કરતા રહેવાની અને અંતરમાથી રાગ દ્વેષનો મલ કેટલો ઓછો થતો જાય છે એ જોતા રહેવાનું તોજ વાસ્તવિક ફ્લ જલપૂજાથી મલી રહ્યું છે એવો વિશ્વાસ પેદા થતો જાય.
આ રીતે અનાદિકાળનો વળગેલો-લાગેલો મળ જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પેદા થતો જાય છે એ જ્ઞાનનો પ્રકાશ જીવને સમ્યજ્ઞાન રૂપે બનવામાં સહાયભૂત થતાં એ જ્ઞાનથી વિવેક · ચક્ષુ પેદા થતી જાય છે એ વિવેક ચક્ષુથી આંતર દ્રષ્ટિનો પ્રકાશ પેદા થતો જાય છે એટલે કે અત્યાર સુધી અનુકૂળ પદાર્થોમાં સર્વસ્વ સુખની બુધ્ધિ રહેતી હતી તે ઓછી થતાં થતાં સર્વસ્વ સુખની બુધ્ધિ નષ્ટ થતી જાય છે અને અ અનુકૂળ પદાર્થોના સુખ કરતાં બીજું ચઢીયાતું સુખ છે એવી બુધ્ધિ પેદા થાય તે જ્ઞાન સમ્યજ્ઞાન રૂપે કહેવાય છે. એ જ્ઞાનરૂપી કળશ એટલે એ કળશને ભરીને શેનાથી ભરવાનો ? સમ્યજ્ઞાન રૂપી કળશ સમતા રસથી આત્મા ભરે છે. સમતા રસ એટલે પુણ્યથી મળેલી સામગ્રીમાં લીનતા ન થાય અને પાપના ઉદયથી મળેલી સામગ્રીમાં દીનતા ન થાય સુખ અને દુઃખ બન્નેમાં સમાન વૃત્તિ એટલે સુખમાં વૈરાગ્ય ભાવ રાખીને જીવતા આવડે દુઃખમાં સમાધિ ભાવ રાખીને જીવતા આવડે તે સમતા કહેવાય છે એ સમતા રૂપી રસથી કળશ ભરીને શ્રી જિનેશ્વર પરમાત્માને નવરાવતા એટલે ચોક્ખા પાણીથી અભિષેક કરતાં પોતાના આત્મામાં રહેલા કર્મો તે ચકચૂર એટલે નાશ પામતા જાય છે. આ રીતે ભાવ પેદા કરીને શ્રી જિનેશ્વર પરમાત્માને અભિષેક કરતા આવડે તો જ્ઞાની ભગવંતો કહે છે કે અશુભ કર્મો તીવ્ર રસે બંધાયેલા હોય તે અવશ્ય મંદરસવાળા થાય અને ચિત્તની પ્રસન્નતા સહજ રીતે વધતી
જાય છે. આ રીતે જલપૂજા કરવાથી આત્મા આ કાળમાં પણ ઘણા કર્મોથી હળવો બનીને ચારઘાતી કર્મોનો
ક્ષયોપશમ ભાવ પેદા કરીને જો દર્શન મોહનીય કર્મ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ ગાઢ ન હોય તો મંદ બનીને જીવને ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરાવ્યા વગર રહેતી નથી માટે સમકીત પામવાનું લક્ષ્ય રાખોને શ્રાવકે આવા ભાવથી અવશ્ય જલપૂજા કરવી જોઇએ.
શરીરનું સ્નાન જેમ રોજ કરીએ છીએ તેમ શ્રી જિનેશ્વર પરમાત્માને પણ રોજ સ્નાન રૂપે અભિષેક અવશ્ય કરવો જોઇએ તોજ આત્મા આંતર દ્રષ્ટિવાળો બની સભ્યજ્ઞાનવાળો બનીને સમકીતની પ્રાપ્તિ કરી શકે.
એકવાર જીવને સમકીતની પ્રાપ્તિ થાય તો વધારેમાં વધારે એ જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં મોક્ષે જવાનો જ એમ શાસ્ત્ર કોલ આપે છે તો જલપૂજા એવી રીતે કરો કે જેથી સંસાર મર્યાદિત થઇ જાય અને વહેલામાં વહેલા અરિહંત જેવા બનીએ એ ન બનાય તો અવશ્ય વહેલામાં વહેલા સિધ્ધ તો થઇએજ આ ભાવ રાખી સૌ કોઇ જલપૂજા કરતા શીખો વહેલામાં વહેલા મુક્તિ પદને પામો એ અભિલાષા. ચંદન પૂજ અને કેશરપૂજાનું વર્ણન
આ રીતે જલપૂજા પૂર્ણ કર્યા બાદ પહેલા પબાસન ઉપરના પાણીને પાટ લુસણાથી બરાબર ચોખ્ખું કરી નાંખવું જોઇએ એ ચોખ્ખું કરતા ભગવાનને જરાય પાટલુસણાનું કપડું ન અડે એની સતત કાળજી રાખવી જોઇએ અને પાટલુસણું કર્યા પછી અભિષેકના પાણીની કુંડી બહાર કાઢી બહાર મુકી આવવી જોઇએ ત્યાર પછી હાથ ધોઇ ધૂપથી ધૂપીને હાથ સ્વચ્છ કરી પોતાના ધોતીયા અને ખેસને અંગલુછણા ન અડે એ રીતે કાળજી રાખીને પોતાના શરીરને જે રીતે ધીમે ધીમે ટુવાલથી દીલ લુસે એના કરતાં કોમળ હાથથી ભગવાનને પહેલું અંગલુછણું કરે પછી બીજું અંગલુછણું કરે અને પછી જો કોઇ જગ્યાએ પ્રતિમાને
Page 20 of 97
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષે પાણી રહેલું જણાય તો તે દૂર કરવા બારીકાઇથી ત્રીજું અંગલુછણું કરે. આ રીતે ત્રણ અંગલુછણા કર્યા પછી કેવી રીતે ચંદન પૂજા કરે તે કહેવાય છે.
જેના શ્વાસોશ્વાસમાં કમળની સુગંધ છે એવા શ્રી અરિહંત પરમાત્માને સ્પર્શ કરતાં પહેલાં આપણા બન્ને હાથની હથેળી સુગંધિત કરવી જોઇએ. ભલે આપણે સ્નાન કરી-શુધ્ધ થઇને પૂજા માટે આવતા હોઇએ તો પણ આપણા શરીરમાંથી સતત વહ્યા કરતી દુર્ગધવાળા હાથે ભગવાનને સ્પર્શ કરવાથી આશાતના થાય
ત્રણ લોકના નાથ શ્રી અરિહંત પરમાત્માની પૂજા નાગી (ઉઘાડી) આંગળીથી થાય નહિ. શક્તિશાળીએ હીરાની વીંટી, જેનાથી તે ન બને તો સોનાની વીંટી, તે પણ ન બને તો ચાંદીની વીંચી અગર તાંબાની વીંટી અવશ્ય પહેરીને જ પૂજા કરી આશાતનાના પાપથી બચવું જોઇએ. ખરેખર તો બધાજ આભૂષણો પહેરીને ઠાઠમાઠથી ભગવાનની પૂજા-ભક્તિ કરવાં જોઇએ.
પાટલુસણાની સાથે અંગલુછણા અડવા ન જોઇએ નહિ તો આશાતનાનું પાપ લાગે છે. એવી જ રીતે પાટ લુસણા સાથે અંગ લુંછણા ધોવાય નહિ, ભેગા સુકવાય નહિ અને સુકાઇ ગયા પછી પણ ભેગા મુકાયા નહિ. જે કપડું ભગવાનના અંગે અડે એ બીજી કોઇ જગ્યાએ અડવું જોઇએ નહિ. અંગલુંછણા કર્યા પછી એને એક થાળમાં મુકવા જોઇએ. અંગલુછણા ધોવા માટે પણ ચોખા કપડા પહેરીને ધોવા જોઇએ. તેમજ એજ રીતે ચોખા કપડા પહેરીને સુકવવા જોઇએ અંગ લુંછણા સુકવેલા સુકાઇ જાય એટલે નીચે ન પડે એની કાળજી રાખવી જોઇએ અને નીચે જમીન ઉપર પડેલું અંગ લુંછણું બીજા દિવસે અથવા એ દિવસે ભગવાનના અંગ લુંછણા માટે ઉપયોગ થાય નહિ એવી જ રીતે સુકાઇ ગયેલા અંગ લુંછણા ઘડી વાળીને મુકવા હોય તો ચોક્ખા કપડા પહેરીને ઘડી વાળવા બેસાય અને ઘડી વાળવા નીચે જમીનને ન અડે એની કાળજી રાખવી જોઇએ. જમીનને અડેલા ભગવાનના અંગે અડાડાય નહિ. આ રીતે અંગલુછણા માટે કાળજી રાખીને ઉપયોગપૂર્વક તથા ભગવાનના અંગે અડાડવાનું કપડું છે એમ બહુમાન અંતરમાં રાખીને પ્રયત્ન કરે તો સારા પરિણામ સારી રીતે ટકી રહે છે. એવી જ રીતે ચોખા કપડા પહેરીને ઘડી વાળવા બેસે તો ઘડી વાળતા એ અંગલુંછણું પોતાના કપડાને ન અડે એની કાળજી રાખવાની હોય છે. આ રીતે કાળજી રાખવાથી ભગવાન પ્રત્યે બહુ માન ભાવ-આદર ભાવ અને ભક્તિ ભાવ અવશ્ય અંતરમાં વૃદ્ધિ પામ્યા વગર રહે નહિ. આજે લગભગ આ રીતે કાળજી લેવાની મોટે ભાગે બંધ થઇ ગયેલી છે આથી ભગવાનની ભક્તિમાં ઉલ્લાસ વધતો નથી તેમજ ભગવાન પ્રત્યે આદર ભાવ-બહુમાન ભાવનો વીર્ષોલ્લાસ પણ વધતો નથી મોટે ભાગે એ ક્રિયાઓ રૂટીંગ મુજબ થયા કરે છે તથા જંગલુછણા વગેરે કરવાની ક્રિયા મોટે ભાગે પૂજારીને સોંપી દેવાય છે.
જલપૂજાથી કર્મમળ દૂર કરવાની ભાવના રાખીને ઉલ્લાસપૂર્વક અંગલુછણા કર્યા પછી ચંદનપૂજા કરવાની શરૂઆત કરતાં ચંદનપૂજા એટલે બરાસપૂજા ભગવાનના નવ અંગે જ કરવી એવું વિધાન નથી. પણ ભગવાનના દરેક અંગે કરી શકાય છે એટલે કે આખા શરીરે કરી શકાય છે અને એ ચંદન પૂજા કરતાં જમણા હાથની ત્રીજી આંગળી ભેગી કરીને પણ એ આંગળીઓથી ચંદન પૂજા થઇ શકે છે. એ ચંદના પૂજા કરતાં શરીરે લપેડા ન થઇ જાય એની કાળજી રાખીને કરવાની હોય છે તથા એ ચંદનપૂજા કરતાં કરતાં પણ આંગળીઓનાં નખ ચંદનમાં ન લાગી જાય એટલે નખ ચંદનને ન અડી જાય એની કાળજી રાખીને કરવાની હોય છે. આ રીતે શાંતિથી ચંદન પૂજા કરતાં પણ વાર લાગે પણ એમાં જે શાંતિનો અનુભવ ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થાય એ ઉતાવળથી કરાતી ચંદનપૂજામાં એ અનુભવ થતો નથી.
Page 21 of 97
Page #22
--------------------------------------------------------------------------
________________
ભગવાનની ભક્તિ કરતાં કરતાં પુણ્યથી મળેલા અનુકૂળ પદાર્થો ટક્યા રહે એવી ભાવના રાખે તો. એ ભક્તિ દુર્ગતિમાં લઇ જાય છે તથા જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થાય છે.
જળપૂજાથી કર્મમળ દૂર કરવાની ભાવના પેદા થતી જાય તો એવી ભાવપૂર્વકની કરેલી જળપૂજા પછી ચંદનપૂજા અને કેશરપૂજા કરતા કરતાં જીવને શીતલતા પેદા થતી જાય છે એ શીતલતા પેદા કરવાનું લક્ષ્ય રાખીને શીતલતાનું પ્રતિપક્ષી ચીજતાર ગણાય છે જ્યાં સુધી જીવ તાપને આધીન હોય તાપની પ્રવૃત્તિ ગમતી હોય ત્યાં સુધી શીતલતાની ઇચ્છા થતી નથી. તાપ કેટલા પ્રકારનો હોય છે ? તાપ બે પ્રકારનો હોય. છે. (૧) બાહ્ય તાપ, (૨) આંતરિક તાપ. બાહ્ય અને આંતરિક બન્ને પ્રકારના તાપનો નાશ કરવાની ભાવના જાગે અને બન્ને પ્રકારના તાપથી જીવ તપેલો રહે છે એ તાપ દૂર કરીને શીતલતા જોઇએ જ છે. અવો ભાવ આવે તો જ ચંદન પૂજા અને કેશર પૂજા શીતલતા પેદા કરવાવાળી બની શકે છે.
બાહ્ય તાપ અને આંતરિક તાપ એ બન્ને તાપને શમાવે, શમાવવામાં સહાયભૂત થાય એને જ શીતલતા કહેવાય છે.
બાહ્ય તાપ એટલે આધિ-વ્યાધિ અને ઉપાધિ જ્ઞાની ભગવંતોએ સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિના તાપથી ભરેલો કહેલો છે. સંસારમાં કોઇપણ જગ્યાએ કોઇપણ સ્થાનમાં આધિ વ્યાધિ અને ઉપાધિ ન હોય એમ બનતું નથી. ચૌદ રાજલોક રૂપી સંસારમાં કોઇ એક પણ આકાશ પ્રદેશ ખાલી નથી કે જે આકાશ પ્રદેશ ઉપર રહેલા જીવો આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ બાહ્ય તાપથી સેકાતા ન હોય અર્થાત તાપમાં જીવો બળ્યા જ કરે છે. આથી જ એ તાપનો નાશ કરી શીતલતાનો અનુભવ કરવા માટે જ જ્ઞાની ભગવંતોએ ચંદન પૂજા અને કેશર પૂજા કરવાનું વિધાન કરેલું છે. જો ચંદનપૂજા અને કેશરપૂજા કરતાં કરતાં જીવોને સંસારના તાપને શમાવી શીતલતાનો અનુભવ ન કરાવે અથવા એ શીતલતાના અનુભવનું લક્ષ્ય પેદા ન કરાવે તો એ ચંદનપૂજા કે કેશરપૂજા જન્મ મરણની પરંપરાનો નાશ કરવા સમર્થ બનતી નથી. સંસાર એટલે આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરેલો. આધિ એટલે ઘર-પેઢી, કુટુંબ પરિવાર પૈસો ટકો. વ્યાધિ એટલે શરીરમાં પેદા થતાં અનેક પ્રકારના રોગોની પીડા. ઉપાધિ = આધિને પ્રાપ્ત કરવાની વિચારણાઓ અને એને માટેની થતી પ્રવૃત્તિ
1 ચમન માટેની થતી પ્રવૃત્તિઓ એ ઉપાધિ કહેવાય છે. આધિના તાપને શમાવે એનું નામ ચંદનપૂજાની શીતલતા કહેવાય છે. ખરેખર તો પુણ્યના ઉદયથી જે મળ્યું છે તે આધિરૂપે જ મળેલું ગણાય છે. આથી ચંદન પૂજા કરતાં કરતાં પુણ્ય બંધાતું જાય એ પૂણ્યથી સામગ્રી જે મળે તે શીતલતા રૂપે મલે તેમાં આધિરૂપ વિચારણાઓ એટલે તાપ પેદા ક નથી પણ એ આધિની સામગ્રી પણ શીતલતા પેદા કરાવે એટલે કે ચંદન પૂજાથી જે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય એ પૂણ્યના પ્રતાપે ઘરપેઢી-કુટુંબ-પરિવાર પૈસા ટકાની સામગ્રી મલે એ એવા પ્રકારની મલે છે કે જે આધિરૂપી તાપ પેદા કરાવવામાં સહાયભૂત થતી નથી પણ એ અનુકૂળ પદાર્થો શીતલતા પેદા કરાવવામાં સહાયભૂત થતા જાય છે એટલે વૈરાગ્ય ભાવ પેદા કરાવીને રાગાદિને ઉપશમાવે છે. આથી તાપની. ઉપશમતા રૂપ શીતલતા ગણાય છે. આજ વાસ્તવિક ચંદનપૂજાનું ફળ ગણાય છે.
શરીરને વિષે ગમે તેવું અસાધ્ય દર્દ પેદા થયું હોય તો પણ પરમાત્માની ચંદન પૂજાથી એ જીવને શાંતિનો અનુભવ કરાવે છે એટલે કે અસાધ્ય દર્દની અસહ્ય પીડામાં પણ એ ચંદનપૂજા શીતલતા એવી પેદા કરાવે કે એમાં એને હાયવોય થવા દે નહિ આત્માને દીન બનવા દે નહિ અને એ શીતલતાથી સમાધિ ભાવની શક્તિ પેદા કરાવે છે એટલે સમતા ભાવ પેદા કરાવી વ્યાધિને ભોગવવાની શક્તિ આપે છે.
પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થો (સારા શબ્દ રૂપ-ગંધ-રસ અને સ્પર્શ) ને વિષે ઇન્દ્રિયોને જોડવી.
વું મલતું
Page 22 of 97
Page #23
--------------------------------------------------------------------------
________________
એ આત્માને જન્મ મરણની પરંપરા વધારીને દુર્ગતિમાં લઇ જનારી ચીજ છે એટલે કે આત્માને બલાત્કારે ખેંચીને દુર્ગતિ તરફ લઇ જાય છે. એવી જ રીતે પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવાથી જીવની જન્મ મરણની પરંપરા વધારીને દુર્ગતિ તરફ લઇ જાય છે. આ અનુકૂળ વિષયો પ્રત્યે ઇન્દ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી એને જ જ્ઞાની ભગવંતો આંતરિક તાપ કહે છે એ આંતરિક તાપથી જન્મ મરણની પરંપરા વધે છે.
આથી આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ બાહ્ય તાપ એ આંતરિક તાપને વધારનારી ચીજ છે. બાહ્ય તાપથી જે કંટાળે એ જીવોને જ આંતરિક તાપથી ગભરાટ પેદા થાય.
બાહ્ય તાપને ન ઓળખનાર જીવો ગમે તેટલી ચંદન પૂજા કરે તો પણ એ જીવો વિષય કષાય રૂપ પોતાના આત્મામાં રહેલા આંતરિક તાપને ઓળખી શકતા નથી.
અર્થ દંડ સિવાયની અનર્થ દંડની જેટલી મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે ઉપાધિ કહેવાય છે.
પુણ્યના ઉદયથી જે સામગ્રી પ્રાપ્ત થઇ હોય તેમાંથી શરીર, ધન અને કુટુંબના જીવન જરૂરીયાત માટે સામગ્રી જેટલી જોઇતી હોય તેને ટકાવવાનો, સાચવવાનો વિચાર કરી મન, વચન, કાયાથી જે વ્યાપાર કરવો તે વ્યાપાર અર્થદંડ રૂપે કહેવાય છે અને એનાથી વધારે સામગ્રીની ઇચ્છાઓ કરીને મન, વચન, કાયાથી જે વ્યાપાર કરવો તે અનર્થદંડની પ્રવૃત્તિ કહેવાય છે.
સંસારમાં રહેલા જીવોને ભાવપૂર્વક કરેલી ચંદન પૂજા અનર્થ દંડના તાપનો નાશ કરી અનર્થદંડ રૂપે શરીર, ધન, કુટુંબનાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ કરાવતા આત્મિક ગુણોની શીતલતાનો આંશિકથી અનુભવ પેદા કરાવે છે.
ધર્મની નિંદા ન થાય એટલા પુરતું હું અને મારૂં કુટુંબ એને જીવાડવા માટેની એટલે એટલી સામગ્રીની ઇચ્છા કરવી તે અર્થદંડ કહેવાય એનાથી વધુ ચીજની ઇચ્છા એ અનર્થદંડ કહેવાય છે.
શ્રાવકને જીવન જરૂરીયાતમાં અતિ ઉના ઘીથી ચોપડેલું અનાજ મલે. સાંધા વિનાનું કપડું અંગ ઢાંકવા માટે મલે અને ઝુંપડા જેવું મકાન રહેવા માટે મલે એની ચિંતા વિચારણા કરવી અથવા એટલું ન મલે તો મેળવવા માટેની ચિંતા વિચારણાઓ કરવી એ અર્થદંડ રૂપે ગણાય છે. આનાથી અધિક પદાર્થોની ઇચ્છાઓ કરવી એની વિચારણાઓ કરવી એ અનર્થદંડની વિચારણાઓ કહેવાય છે. ચંદનપૂજાથી અનર્થદંડની વિચારણાઓનો નાશ થતાં જીવને એટલી શીતલતાનો અનુભવ અવશ્ય પેદા થતો જાય.
આ રીતે ચંદન પૂજાથી જીવ અનર્થદંડના મન, વચન, કાયાના વ્યાપારોથી છૂટી જાય એટલે એટલી શીતલતાનો અનુભવ થાય તો ધીમે ધીમે પુરૂષાર્થ કરતાં કરતાં અર્થદંડની પ્રવૃત્તિથી છૂટતા વાર લાગતી નથી.
સર્વવિરતિની અપેક્ષાએ અવિરતિના ઉદયવાળા જીવો અર્થ ઉપાર્જન કરે કુટુંબનું ભરણ પોષણ કરે અને એના માટેના એટલે સુખાકારીના વિચારો કરે તો પણ એ પ્રવૃત્તિ અધર્મની એટલે પાપની જ પ્રવૃત્તિ ગણાય છે. એ પ્રવૃત્તિ કરતા કરતા જેટલું નીતિનું પાલન કરે એટલો જ ધર્મ ગણાય. બાકી પૈસા કમાવવા જવું એ ધર્મની પ્રવૃત્તિ ગણાય કે અધર્મની પ્રવૃત્તિ ગણાય ? આથી અધર્મની પ્રવૃત્તિ ને અધર્મની પ્રવૃત્તિ રૂપે માન્યતા પેદા કરાવી સંપૂર્ણ ધર્મની પ્રવૃત્તિની ઇચ્છા એટલે સર્વ વિરતિની ઇચ્છા પેદા કરાવે એજ ચંદન પૂજાનું ફળ કહેલું છે.
પરમાત્માની ચંદનપૂજા કરતાં કરતાં જીવો આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞામાં લપેટાયેલા, એ પદાર્થો આઘા પાછા થાય-કોઇ જોઇ જાય તો ભયભીત થઇને જીવનારા જીવોને હું કો
Page 23 of 97
Page #24
--------------------------------------------------------------------------
________________
સંજ્ઞામાં વધારે લપેટાયેલો છું એને જોતા જોતા એ સંજ્ઞાઓને દૂર કરવાનો પ્રયત્ન કરતો જાય તોજ એ જ ચંદનપૂજા સાચી ચંદનપૂજા બને છે એટલે કે તો જ જીવોને સાચી શીતલતાનો અનુભવ થાય છે.
જેમ ભાવપૂર્વકની જલપૂજા કર્મમળ ઓળખાવી દૂર કરવાનો પ્રયત્ન કરાવે એમ ભાવપૂર્વકની ચંદના પૂજા આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ સંસારને ઓળખાવીને એના તાપનો નાશ કરાવવામાં સહાય ભૂત થતાં થતાં શીતલતાનો અનુભવ પેદા કરાવવામાં સહાયભૂત થાય છે. આથી ઉપાધ્યાય જી શ્રી વીર વિજય મહારાજાએ ચંદન પૂજાના દુહામાં પણ કહ્યું છે કે
શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ !
આત્મ શીતલ કરવા ભણી પૂજો અરિહા અંગ II૧l. ભાવાર્થ :- શ્રી અરિહંત પરમાત્માઓના મુખને જોતાં અંતરમાં શીતલતા પેદા કરાવે છે કારણ કે એ મુખ નિર્વિકારી જીવનું મુખ છે. પ્રસન્નતા વાળા જીવનું મુખ છે હંમેશા પ્રસન્ન જીવોનું મુખ વારંવાર જોઇએ એટલે પ્રસન્ન મુખવાળાના વારંવાર દર્શન કરીએ તો એમાં શક્તિ રહેલી છે કે પોતાનામાં રહેલી બાહ્ય અપ્રસન્નતા તેમજ આંતરિક અપ્રસન્નતાને દૂર કરીને પ્રસન્નતા પેદા કરાવવામાં જરૂર સહાયભૂત થાય છે. ભગવાને બાહ્ય અપ્રસન્નતા વાળી સામગ્રીનો એટલે જે સામગ્રીથી જીવોને બાહ્ય અપ્રસન્નતા પેદા થાય એવી સામગ્રીનો સર્વથા ત્યાગ કરીને આંતરિક અપ્રસન્નતાનો સંપૂર્ણ નાશ કરી પોતાના આત્માની સંપૂર્ણ પ્રસન્નતા પેદા કરી છે એવા પરમાત્માના મુખનાં દર્શન કરવાના છે.
ઘર, પેઢી, કુટુંબ, પૈસા ટકાની ચિંતા-મેળવવા આદિની વિચારણા કર્યા કરવી એ બાહ્ય અપ્રસન્નતા કહેવાય છે. આથી એ ઘર આદિની જેટલી વારંવાર જીવો વિચારણા કરતા જાય છે તેમ તેમ મુખ ઉપર અપ્રસન્નતા પેદા થતી જાય જ છે. એ બાહ્ય અપ્રસન્નતા ને દૂર કરવા માટે પરમાત્માના મુખનું દર્શન કરવા જાઉં છું એ ભાવ રાખીને જાય તો જ પરમાત્માના દર્શનથી બાહ્ય અપ્રસન્નતાનો નાશ થતો જાય એજ રીતે આંતરિક અપ્રસન્નતા વિષય અને કષાય રૂપ રાગાદિ પરિણામની વિચારણાઓ કરીને જીવન જીવવું એટલે કે વિષય અને કષાયની પરિણતિને જીવતી રાખીને જીવન જીવવા પ્રયત્ન કરવો તે આંતરિક અપ્રસન્નતા કહેવાય છે. પરમાત્માના જીવો એ એ આંતરિક અપ્રસન્નતાને પરૂષાર્થ કરીને સંપર્ણ નાશ કરેલી છે માટે એમનું મુખ અંતરથી પણ સદા માટે પ્રસન્નતા વાળું રહેલું છે. આથી એ પરમાત્માના દર્શન કરતાં-મુખના દર્શન કરતાં પોતાનામાં રહેલી બાહ્ય અપ્રસન્નતા અને આંતરિક અપ્રસન્નતાને ઓળખાવીને એને દૂર કરવાની વિચારણાઓ પેદા કરાવીને આત્માને શીતલતાનો આંશિક અનુભવ કરાવે છે માટે પ્રભુનું મુખ શીતલ હોવાથી શીતલતાનો રંગ પેદા કરાવવામાં સહાય ભૂત થતું જાય છે. પણ એ શીતલતા ચંદનમાં રહેલી હોવાથી જેમ જેમ ચંદન ઘસવામાં આવે તેમ તેમ તેમાં શીતલતાની સુવાસ પ્રગટ થતી જાય છે તેમ ભગવાનનું દર્શન વારંવાર કરતા કરતા બાહ્ય અને આંતરિક શીતલતાની સુવાસ પોતાના આત્મામાં પેદા થતી થતી વધતી જાય છે.
આવી આત્માની શીતલતા પેદા કરતા કરતા લાંબાકાળ સુધીની શીતલતા ટકાવવા માટે જ ચંદનથી એટલે શીતલ દ્રવ્યથી અરિહંત પરમાત્માના અંગોની પૂજા કરવી જોઇએ.
આ રીતે અરિહંત પરમાત્માની ચંદનથી પૂજા કર્યા પછી અંતરમાં શીતલતાનો અનુભવ થતાં આધિ-વ્યાધિ અને ઉપાધિનો તાપ શાંત થતો જાય છે. એ તાપની શાંતતાથી સંસાર એટલે સુખમય સંસાર આખો ભૂલાતો જાય છે અને જીવો આત્મિક ગુણોની સન્મુખ થતાં જાય છે. આ સ્થિતિ જીવની પેદા થાય ત્યારે જીવ પહેલા ગુણયુક્ત ગુણસ્થાનકને પામ્યો એમ કહેવાય છે.
Page 24 of 97
Page #25
--------------------------------------------------------------------------
________________
કે જે અપુર્નબંધક દશાના પરિણામને જીવ પામ્યો, મોક્ષની રૂચિવાળો થયો અથવા મોક્ષમાર્ગને ઓળખીને મોક્ષમાર્ગમાં પડ્યો એટલે ચાલવા માંડ્યો અથવા મોક્ષમાર્ગને અનુસરનારી બુધ્ધિનો ક્ષયોપશમ ભાવ પેદા થયો એમ કહેવાય છે. આ પરિણામ પેદા થવાથી શીતલતાનો આ રીતે અનુભવ થવાથી જ્ઞાની
ભગવંતો કહે છે કે એટલે અંશે મોહનીય કર્મનો એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થયો અથવા એટલે અંશે મિથ્યાત્વની મંદતાની શરૂઆત થઇ એમ કહેવાય છે. આ પરિણામના કારણે જીવને સમયે સમયે અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ રૂપે અશુભ કર્મોની નિર્જરા થતી જાય છે એટલે તીવ્રરસવાળા અશુભ કર્મો મંદરસવાળા થતાં જાય છે. નવા બંધાતા અશુભ કર્મો મંદરસે બંધાય છે અને નવા બંધાતા શુભકર્મો તીવ્રરસે બંધાતા જાય છે.
આ રીતે ચંદનપૂજા કર્યા પછી કેશરપૂજા નવ અંગે કરવાની હોય છે એમાં ચંદન સાથે મિશ્રીત કેશર હોવાથી ભગવાનની મૂર્તિને કેશરની ગરમીથી ખાડા ન પડી જાય માટે ચંદનની સાથે મિશ્રીત કેશર કરીને ભગવાનના નવ અંગે પૂજા કરવાની હોય છે. કારણ કે ચંદન શીતલ હોય છે જ્યારે કેશર ગરમ હોય છે એવી જ રીતે શીતલતા અને તાપના મિશ્રણથી જ આત્માના પરિણામ સમતુલ રૂપે જળવાઇ રહે જેમ સંસારમાં બન્ને ગરમ હોય તો સંસાર લાંબો ચાલે નહિ, બન્ને શીતલ હોય તોય એટલે કે બન્ને ઠંડા હોય તોય સંસાર ચાલે નહિ. જ્યારે એક શીતલ અને એક ઉષ્ણ હોય તોજ સંસાર લાંબા કાળ સુધી ચાલી શકે તેમ અહીં પણ આત્માના પરિણામ એકદમ ઠંડા હોય તો પુરૂષાર્થ કરી શકે નહિ. એકદમ ગરમ હોય તોય પુરૂષાર્થ જોઇએ એવો થઇ શકે નહિ જ્યારે શીત અને ઉષ્ણ સમકક્ષ રૂપે હોય તો જ પુરૂષાર્થ કરતા કરતા પોતાના રાગાદિનો નાશ કરવા સમર્થ બની શકે. આથી અહીં એમ લાગે છે કે ભગવાનના અંગને પણ ચંદન, કેશર મિશ્રિત કેશરપૂજા કરવાનું જ્ઞાની ભગવંતોએ જણાવ્યું લાગે છે. બાકી તો કેવલી ભગવંતો જાણે. આ વિષય બહુશ્રુત ગમ્ય છે. ચંદન, કેશરના મિશ્રણથી એમ જણાય છે કે એકલી ચંદન પૂજાથી અનર્થદંડના તાપના વિચારા આદિ પ્રવૃત્તિથી જીવને શીતલતાનો અનુભવ થયો એમ અર્થદંડની અધર્મની પ્રવૃત્તિથી એટલે એના તાપથી છૂટવા માટે અને સર્વવિરતિના એટલે ધર્મની શીતલતાનો અનુભવ કરવા માટે ચંદન, કેશર મિશ્રણના કારણે એટલે શીત અને તાપના મિશ્રણથી ધીમે ધીમે અર્થદંડનો તાપ નાશ કરવામાં સહાયભૂત કેશરપૂજા થતાં થતાં જીવને અર્થદંડના સંપૂર્ણ તાપનો નાશ કરાવી સર્વવિરતિ રૂપ ધર્મની જે શીતલતા એનો અનુભવ કરાવવામાં સહાયભૂત થાય એ હેતુથી આ કેશરપૂજાનું વિધાન કરેલું હોય એમ લાગે છે કે કેશરપૂજા કરતાં કરતાં પોતાના આત્મામાં રહેલો ધર્મ એ પેદા કરવાની ભાવના પેદા થતી જાય. જેમ જેમ નવ અંગે કેશરપૂજા કરતાં કરતાં પોતાના બાહ્ય તાપની શાંતતા અને આંતરિક વિષય કષાયના તાપની શાંતતાનો એટલે શીતલતાનો અનુભવ પેદા થતો જાય એજ કેશરપૂજાનું ફળ જણાય છે. જો આ રીતે કેશરપૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો શાસ્ત્ર કહે છે કે જીવને પોતાને પોતાના કુટુંબના ભરણ પોષણની પ્રવૃત્તિ પણ અધર્મ રૂપે લાગ્યા વિના રહે નહિ અને જેમ જેમ વારંવાર કેશરપૂજા કરતાં કરતાં અર્થદંડની પ્રવૃત્તિ અધર્મ રૂપે લાગ્યા કરતાં એના સંસ્કાર લાંબાકાળ સુધી જીવના અંતરમાં ટકી રહેવાથી શક્તિ આવતા અધર્મની પ્રવૃત્તિ છોડતા વાર લાગતી નથી. આથી કેશરપૂજા અધર્મની પ્રવૃત્તિ ને અધર્મ રૂપે ઓળખાવવા માટે અને લાંબાકાળ સુધી સંસ્કાર દ્રઢ કરવા માટે કહેલી છે એમ જણાય છે.
આ રીતે ભાવપૂર્વક જળપૂજા અને ચંદનપૂજા કરતા કરતાં આત્મામાં શુધ્ધ પરિણામ પેદા કરવા માટે અને એ શુધ્ધ પરિણામ લાંબાકાળ સુધી ટકાવવા માટે ફૂલપૂજા અથવા પુષ્પપૂજા કહેલી છે. ફૂલપૂજા (પુષ્પપૂજા) નું વર્ણન
Page 25 of 97
Page #26
--------------------------------------------------------------------------
________________
સુગંધી અને શુધ્ધ એટલે ચોખા ફ્લ તેમજ તાજા ફ્લે ચઢાવવા જોઇએ. (૧) સુગંધી ફ્લોની પાંખડીઓ કે તેની કળીઓ, ડાળીઓ તોડાય નહિ.
(૨) પાંખડી તોડી તોડીને અંગરચનામાં ઉપયોગમાં લેવાય છે એ રીતે તોડીને અંગરચના થાય. નહિ.
(3) ફ્લના હાર ગૂંથીને જ ભગવાનને ચઢાવવાના ઉપયોગમાં લેવાય પણ વીંધેલા હાર એટલે એક બીજા ક્લને સોયથી વિંધી હાર બનાવેલા હોય તો તે રીતે હારનો ઉપયોગ થાય નહિ.
(૪) ક્લોથી મંદિરનો શણગાર કરતા વીંધેલા તોરણો લટકાવાય નહિ. વીંધેલા હારોથી જો શણગાર કરવામાં આવે તો આરાધના કરવાને બદેલ વિરાધનાનો દોષ વધારે લાગે છે.
(૫) સામાન્ય રીતે ફ્લપૂજામાં ફ્લ સચિત્ત છે. વનસ્પતિ રૂપે છે છતાં પણ એ જીવોને જેમ બને તેમાં કિલામણા એટલે પીડા ઓછી થાય એ રીતે સ્પર્શ કરીને ઉપયોગ કરવો જોઇએ.
(૬) જ્ઞાની ભગવંતો કહે છે કે લપૂજામાં ફ્લોનો ઉપયાગ એટલા માટે કરવાનો કહેલો છે કે જો શ્રાવક પૈસા ખર્ચીને એને ભગવાનની ભક્તિના ઉપયોગમાં ન લે તો વિષયના રસીયા જીવો એને ખરીદ કરીને વધારે દુઃખ આપીને માથામાં વેણીરૂપે બનાવીને નાખશે, સુગંધી પદાર્થો બનાવવાના ઉપયોગમાં દુ:ખ વધારે આપશે આથી એ જીવોને દુ:ખ ઓછ થાય અને શાંતિથી પોતે પોતાનું આયુષ્ય ભોગવે એ હેતુથી ક્લપૂજા કરવાનું વિધાન કહેલું છે.
(૭) અખંડજ્જ સુગંધીવાળા જ ચઢાવવાનો આગ્રહ રાખવો જોઇએ. (૮) ગમે તેવા ફ્લો ચઢાવવામાં આશાતના થાય છે.
(૯) ફ્લોથી દેરાસર શણગારવામાં વીંધેલા ફ્લોના તોરણો હોવાથી દોષ લાગે છે તેમજ ક્લની પાંદડીઓ તોડીને શણગાર થતો હોવાથી એનો દોષ વધારે લાગે છે તેમજ શણગાર કર્યા પછી બીજા દિવસે એ ફ્લોનો ઢગલો જ્યાં ત્યાં પડેલો હોય છે. એના ઉપરથી જનાવરો, મનુષ્યો, વાહનો જતા હોવાથી એ ક્લોના જીવોને જે દુ:ખ પડે છે એની આશાતના થાય છે તથા એ ફ્લોમાં ત્રસજીવો ઉત્પન્ન થયેલા હોય એમની જયણા પળાતી ન હોવાથી એ જીવોને દુ:ખ પડે-કિલામણા થાય-મરણ પામે એ જીવોની વિરાધનાનું પાપ વિશેષ લાગે છે માટે એ રીતે શણગાર કરવો ઉચિત જણાતું નથી.
(૧૦) જૈન શાસન અહિંસા પ્રધાન ધર્મ છે. જેમ બને તેમ શ્રાવકે પણ ઓછી હિંસાથી જીવન જીવવાનું વિધાન છે તો પછી ભગવાનની ભક્તિમાં જયણા પૂર્વક-ઉપયોગ પૂર્વક સચિત્ત ચીજોનો ઉપયોગ કરવો જોઇએ.
(૧૧) જ્ઞાનીઓએ કહ્યું છે કે ઉપયોગ અને જયણાપૂર્વક ક્લનો ઉપયોગ-પાણીનો ઉપયોગ-અગ્નિનો ઉપયોગ શ્રાવક કરે તો સ્વરૂપ હિંસા ગણાય છે એટલે એ ક્રિયામાં અશુભ કર્મોનો બંધ ઓછો, શુભ કર્મોનો બંધ વિશેષ તેમજ નિર્જરા વધારે થાય છે અને જો જયણા અને ઉપયોગ રહિત એ ક્લનો ઉપયોગ કરવામાં આવે તો હેતુ હિંસા કહેવાય છે. એનાથી અશુભ કર્મોનો બંધ વિશેષ શુભકર્મોનો બંધ ઓછો થાય છે એમ સમજવું.
ભાવપૂર્વક જળપૂજા અને ભાવપૂર્વક ચંદનપૂજા કરતાં જીવને સંસારની ઓળખ થઇ અને સંસારના તાપથી શીતલતા પ્રાપ્ત થઇ તેમ આ ક્લપૂજા કરતાં કરતાં આત્મામાં શુધ્ધ પરિણામ પેદા થતો જાય છે. કારણકે જ્ઞાની ભગવંતો કહે છે જેમ ક્લ સુગંધી ચઢાવવાના કહેલા છે એનાથી આત્મામાં શુધ્ધ પરિણામ
Page 26 of 97
Page #27
--------------------------------------------------------------------------
________________
રૂપ સુગંધ રહેલી છે એ પેદા થતી જાય છે અને એની સુવાસ આત્મામાં પેદા થતા પોતાના શરીરમાં રહ્યા જ કરે છે. એ શુધ્ધ પરિણામ સુગંધને પ્રાપ્ત કરવા માટે ક્લપૂજાનું વિધાન કરેલું છે.
ભાવપૂર્વકની પુષ્પપૂજા શુધ્ધ પરિણામ પેદા કરાવી વ્યવહારમાં પણ આત્માને શુધ્ધ પરિણામની સુવાસ પેદા કરાવી લાંબાકાળ સુધી એ સુવાસને ફ્લાવવામાં સહાયભૂત થાય છે આથી જ્ઞાની ભગવંતો કહે છે કે પહેલે ગુણસ્થાનકે જીવને શુધ્ધ પરિણામ પેદા થતાં જો ગ્રંથી ભેદવાની શક્તિ ન હોય તેમજ સમકતા પામવાની પણ તાકાત ન હોય તો એટલેકે સત્વ ઓછું પડતું હોય તો જીવને એ શુધ્ધ પરિણામ ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે તો અસંખ્યાત કાળ સુધી ટકાવી શકે છે અને પોતાનું જીવન શુધ્ધ પરિણામની સુવાસથી સારી રીતે જીવી શકે છે.
જળપૂજાથી સુખ આપનારા કર્મમળને દૂર કરવાની ભાવના પેદા થતી જાય, ચંદન પૂજાથી સંસારનો તાપ નાશ પામતા પામતા શીતલતા પેદા થતી જાય, તેમ તેમ સુખમય સંસાર જીવને ફીકો લાગતો જાય અને એના કારણે સુખમય સંસાર પ્રત્યે અણગમો પેદા થતાં નિર્ભયતા ગુણ પેદા થતો જાય એટલે અત્યાર સુધી સુખમય સંસારને કાંઇપણ થાય તો પોતે ભયભીત થઇ જતો હતો તે હવે સુખમય સંસારને ગમે તે થાય તો પણ એને કાંઇ અસર થતી નથી કારણકે સુખમય સંસારને ઓળખતો થયો આથી ભાવપૂર્વક પુષ્પપૂજા કરતાં કરતાં સુખમય સંસાર એકાંતે દુ:ખરૂપ - દુ:ખનું ફ્લ આપનાર અને દુઃખની પરંપરા વધારનાર છે. આવી બુદ્ધિ અંતરમાં પેદા થતી જાય છે આથી ભગવાનના શુધ્ધ સ્વરૂપના સુખની સુવાસ ફ્લાતા એમના સુખની આંશિક અનુભૂતિ કરવાની ભાવના પેદા થતી જાય છે. અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતાં જીવે અનંતીવાર મનુષ્ય જન્મ પામીને અનંતીવાર અષ્ટપ્રકારી પૂજા કરી પણ તે પૂજા અનુકૂળ પદાર્થો મેળવવા આદિના ભાવથી કરેલી હોવાથી એ પૂજા કરવા છતાં પણ સુખ આપનારા કર્મોનો એટલે કર્મમળોને દૂર કરવાની ભાવના થવાને બદલે એને પ્રાપ્ત કરવા આદિના ભાવથી કરેલી માટે શુધ્ધ પરિણામ પેદા કરવાનો ભાવ પેદા થયો નહોતો. હવે પુરૂષાર્થ કરતાં કરતાં કર્મની કાંઇક લઘુતા પેદા થતાં મિથ્યાત્વ મોહનીય કર્મની મંદતા થઇ જતાં ઇષ્ટ સુખને મેળવવાની જિજ્ઞાસા એટલે અભિલાષ પેદા થતો જાય છે. ઇષ્ટ સુખ એટલે દુ:ખના લેશ વિનાન, પરિપૂર્ણ અને આવ્યા પછી નાશ ન પામે એવું જે સુખ તે ઇષ્ટ સુખ કહેવાય છે. આ ઇષ્ટ સુખની બુધ્ધિ ઇચ્છિત સુખના પદાર્થોમાં રહેલી હતી તે હવે પોતાના અંતરમાં થાય છેકે આ પદાર્થો એવા સુખને આપી શકતા નથી. ઇચ્છિત સુખ એટલે જે પદાર્થો મેળવવાની ઇચ્છા થાય તે પદાર્થો મલા કે તરત બીજા અનેક પદાર્થો મેળવવાની ઇચ્છાઓ પેદા કરાવ્યા કરે અને એ ઇચ્છિત પદાર્થો હંમેશા ક્ષણિક સુખની અનુભૂતિ કરાવનાર છે એટલે ક્ષણિક સુખની સાથે અનેક પ્રકારના દુ:ખોને પેદા કરાવનાર હોવાથી એ ક્ષણિક સુખ પોતે દુ:ખ મિશ્રીત ગણાય છે માટે દુ:ખથી ભરપુર, અધરૂં હોય છે કારણકે બીજા અનેક પદાર્થોની અપેક્ષા પેદા કરાવનાર છે અને નાશ પામવાવાળું છે એટલે કાયમ રહેવાવાળું નથી એવું જે સુખ તે ઇચ્છિત સુખ કહેવાય છે. હંમેશા ઇચ્છિત સુખ સંયોગને આધીન હોય છે એટલે સંયોગ વગર ભોગવાય એવું એ સુખ નથી જ્યારે ઇષ્ટ સુખ સંયોગની અપેક્ષા વગરનું છે. સંયોગ વગર અનુભવ કરી શકાય એવું છે. આથી જ કહેવાય છે કે મિથ્યાત્વની મંદતા થતાં ઇચ્છિત સુખના પદાર્થોમાં ઇષ્ટ સુખ મલશે. એવી કલ્પનાઓ હતી તે નષ્ટ થતાં ઇષ્ટ સુખ ઇચ્છિત સુખ કરતાં ભિન્ન છે અને તે ઇચ્છિત સુખ કરતાં જુદી જગ્યાએ રહેલું છે માટે ઇષ્ટ સુખ ઇચ્છિત સુખ કરતાં જરૂર ચઢીયાતું હોવું જોઇએ એવી બુધ્ધિ પેદા થતાં એને મેળવવાની ઇચ્છા પેદા થાય છે અને એ ઇરછા પેદા થતાં જ ઇચ્છિત સુખ પ્રત્યે જે રાગાદિ પરિણામ હતા તે ઓછા થતાં જાય છે એટલે ઇચ્છિત સુખ પ્રત્યે નત ભાવ પેદા થતો જાય છે. આજ મિથ્યાત્વની.
Page 27 of 97
Page #28
--------------------------------------------------------------------------
________________
મંદતાનો અનુભવ પ્રત્યક્ષ ફ્ળ રૂપે ગણાય છે.
આ રીતે મિથ્યાત્વની મંદતા કરવામાં સહાયભૂત થનાર ફૂલપૂજા મોહનીય કર્મના એટલા કર્મોનો
નાશ કરનાર ગણાય છે માટે વિઘ્નોનો ઉપશમ કરનાર ગણાય છે.
આથી મિથ્યાત્વની મંદતાવાળા જીવોને જે કર્મોની નિર્જરા પેદા થતી જાય છે એ જણાવે છે. પહેલા ગુણસ્થાનકે સન્ની પર્યાપ્તા જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે છે એ સિવાયના જીવો કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરતાં નથી. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરીને એ કર્મોને ભોગવતો ભોગવતો નિર્જરા કરતો કરતો જ્યારે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટી સાગરોપમમાંથો ઓગણત્રીશ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ ખપાવી દે. નામ અને ગોત્ર કર્મની વીશ કાટોકોટી સાગરોપમમાંથી ઓગણીશ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ ખપાવી દે અને મોહનીય કર્મની સીત્તેર કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિમાંથી અગણ્યો સીત્તેર કોટાકોટી સગારોપમની સ્થિતિ ખપાવી દે છે એમ જ્યારે સાતે કર્મોની એક કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ રહે છે તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ ગણાય છે.
આટલી સ્થિતિ સત્તામાં રહે ત્યારે જીવો ગ્રંથી દેશે આવેલા ગણાય છે. આ ગ્રંથી દેશે અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય જીવો અને લઘુકર્મી જીવો આવે છે અને એ જીવો જ્યાં સુધી ગ્રંથી દેશમાં રહેલા હોય ત્યાં સુધી અંતઃ કોટાકોટી સાગરોરપમથી અધિક સ્થિતિ બંધ કરતા નથી. આવા જીવોમાં પણ અંતઃકોટાકોટી સાગરોપમ રૂપે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ અભવ્યના જીવો જ કરે છે એ સિવાયના જીવો કરતા નથી આથી અભવ્ય જીવોના સ્થિતિ બંધ કરતાં સમયે સમયે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ હીન રૂપે લઘુકર્મી
ભવ્ય જીવો કે જે જીવોએ મિથ્યાત્વની મંદતા કરેલી છે એ જીવોને હોય છે આથી વિઘ્નરૂપ થતાં મિથ્યાત્વનો હ્રાસ એટલે નાશ થાય છે તે અંગપૂજાનું ફ્ળ ગણાય છે. આને વિઘ્નોને ઉપશમાવનારી પૂજા ગણાય છે. આ રીતે કર્મોનો હ્રાસ થતાં ઇષ્ટ સુખની જિજ્ઞાસા પેદા થાય છે એને જ જ્ઞાની ભગવંતો શુધ્ધ પરિણામ કહે છે અથવા મોક્ષનો અભિલાષ કહે છે અથવા અપુનર્બંધક દશાનો પરિણામ અથવા શુધ્ધ યથાપ્રવૃત્ત કરણનો અધ્યવસાય કહેવાય છે.
આ શુધ્ધ પરિણામ જ્યાં સુધી પેદા થયેલ નહોતો ત્યાં સુધી ઇચ્છિત સુખના પદાર્થમાં સર્વસ્વ સુખની બુધ્ધિ રહેલી હતી તેનાકારણે તે સુખ માટે જે પાપ કરવા પડે તે પાપ તીવ્ર ભાવે કરવામાં જરાય આંચકો લાગતો નહોતો આનંદથી કરતો હતો હવે એ સુખની ઓળખ થતાં ઇષ્ટ સુખ મેળવવાનો અભિલાષ પેદા થતાં ઇચ્છિત સુખ માટે તીવ્રભાવે પાપ કરવાના પરિણામો નષ્ટ થઇ જાય છે કારણકે અંતરમાં એવા પરિણામ પેદા થાય છેકે એ સુખ મલે તોય શું ? અને ન મલે તોય શું ? એ સુખો માટે પાપ કરીને તેના ફ્ળ સ્વરૂપે આવતું દુઃખ છેવટે તો મારે જ ભગોવવાનું છે તો શા માટે અ સુખો માટે હું પાપ કરૂં ? આવી વિચારણાઓથી તીવ્રભાવે પાપ કરવાનાં પરિણામો નષ્ટ થઇ જાય છે. જેમ જેમ તીવ્રભાવે પાપ કરવાના પરિણામો નષ્ટ થતાં જાય તેમ તેમ તે ઇચ્છિત સુખોના પદાર્થો પ્રત્યેનો રાગ ઘટતો જાય છે એટલે કે પહેલા જેવો. હવે એ પદાર્થો પ્રત્યે રાગ રહેતો નથી. આથી એ પદાર્થો પ્રત્યેનો રાગ સહજ રીતે ઘટતો જાય આ રીતે જ્યારે પરિણામની ધારામાં બનતું જાય છે ત્યારે શુધ્ધ પરિણામ વધતો જાય છે અને લાંબાકાળ સુધી એ પરિણામ ટકી શકે છે આ રીતે પરિણામની વિશુધ્ધિ થતાં થતાં લાંબાકાળ સુધી સ્થિરતા પેદા થાય એનાથી અત્યાર સુધી ઇચ્છિત સુખના રાગની ખાતર પોતાના જીવન વ્યવહારની પ્રવૃત્તિ ચાલતી હતી તે સ્વાર્થવાળી પ્રવૃત્તિ હતી તેમાં મારા તારાપણાનો બેદ પણ રહેતો હતો તેના બદલે હવે સ્વાર્થવૃત્તિનો વ્યવહાર નષ્ટ થતાં
Page 28 of 97
Page #29
--------------------------------------------------------------------------
________________
ઉચિત વ્યવહારની પ્રવૃત્તિ ચાલુ થતી જાય છે એટલે પોતાના વ્યવહારું જીવનમાં મારા તારાનો ભેદ નષ્ટ થતો જાય છે. કુટુંબના સૌ સભ્યો એક સરખા લાગતા જાય છે. આ ઉચિત વ્યવહારના પાલનથી આત્મામાં જે આનંદની અનુભૂતિ પેદા થાય એ આનંદ અત્યાર સુધીમાં કોઇવાર પેદા ન થયો હોય એવો અનુભવાય છે. આ જ આનંદને જ્ઞાની ભગવંતો આંશિક આત્માનો આનંદ કહે છે કે જે પરમાત્માની ફૂલપૂજા કરતાં કરતાં પરમાત્માઓ જે પોતાના આત્માના સંપૂર્ણ શુધ્ધ પરિણામના આનંદની અનુભૂતિમાં સદા માટે મસ્ત રહે છે એનો આંશિક અનુભવ પેદા થતો જાય છે. આથી ફૂલપૂજામાં વીર્યોલ્લાસ વધતો જાય છે એને જ જ્ઞાનીઓ મોક્ષના સુખનો આંશિક અનુભવ કહે છે એ અનુભવ જેમ જેમ લાંબાકાળ સુધી ટકે, વધતો જાય તેમ તેમ ઇચ્છિત પદાર્થોનું સુખ જે લાંબાકાળના અનુભવવાળું હોવા છતાંય એ સુખ સુખ લાગતું નથી પણ એકાંતે દુઃખરૂપ લાગવા માંડે છે આથી એ ઇચ્છિત સુખની સામગ્રીમાં રહેવું પડે, મેળવવું પડે, રાખવું પડે, વધારવું પડે, સાચવવું પડે પણ હવે એ આત્માને એ ગમતું નથી જાણે એ કરવું પડે છે માટે કરૂં છું એમ લાગ્યા કરે છે અને હવે એ પદાર્થોથી કેમ અળગા થવાય, છૂટા થવાય એવો પ્રયત્ન કરતો જાય છે અને ન છૂટાય એનું અંતરમાં ભારોભાર દુઃખ રહ્યા કરે છે. આને જ વાસ્તવિક રીતે લપૂજા ભાવપૂર્વકની કહેવાય છે. જે સાચા ભાવની ફૂલપૂજા એટલે પુષ્પપૂજા ગણાય છે.
આ રીતે પુષ્પપૂજા કર્યા પછી ભગવાનની અંગરચના કરે આભૂષણ વગેરે ભગવાનને પહેરાવે.
મહારાજા કુમારપાળ એક ઋતુના ફૂલની અંગરચના કરીને જ્યારે આરતી ઉતારતા હતા ત્યારે એ
અંગરચનાને જોઇને અંતરમાં જે આનંદ પેદા થયેલો એ આનંદમાંને આનંદમાં આરતી ઉતારતા ઉતારતા
થંભી ગયેલી હતી અને મહારાજા કુમારપાળ ભાવનામાં ચઢ્યા કે એક ઋતુના ફૂલની અંગરચનાથી આવો આનંદ પેદા થાય છે તો છએ ૠતુના ફૂલની અંગરચના કરવાથી કેવો આનંદ પેદા થાય ? જો હું છએ ૠતુના ફૂલો લાવીને અંગરચના ન કરૂં તો હું રાજા શાનો ? ભગવાનનો સેવક શાનો ? આથી ત્યાને ત્યાં જ અભિગ્રહ કરે છે કે છએ ૠતુના ફૂલો લાવી અંગરચના ન કરૂં ત્યાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ. આ વિચારણા કરી કે તરત જ આરતી ફરવા માંડી ! પછી ભગવાનની ભાવપૂજા કરીને ગુરૂ ભગવંત પાસે જઇ વંદન કરીને ઉપવાસનું પચ્ચક્ખાણ માંગે છે. ગુરૂભગવંત પૂછે છે કે આજે કોઇ તિથિ નથી ઉપવાસ શાનો ? એટલે કુમારપાલ કહે છે કે મારે અભિગ્રહ છે. શાનો ? જ્યાં સુધી છએ ૠતુના ફૂલ લાવીને અંગરચના ન કરું ત્યાંસુધી ચારે આહારનો ત્યાગ કરેલો છે. ગુરૂ ભગવંત કહે છે કુમારપાલ વિચાર કરીને કરે છે ? હાજી જો નહિ મલે તો દેહ જશે એજ ને ! આટલી મક્કમતા કુમારપાલની હતી. ત્રણ દિવસ ઉપવાસ થયા ચોથા દિવસે સવારે પોતાના બગીચામાં છએ ૠતુના ફૂલ પેદા થઇ ગયા.
આમાં વિચારો ફૂલપૂજા કરતાં એની અંગરચના કરીને જોતાં કેટલો વીર્યોલ્લાસ પેદા થયેલો હશે. શુધ્ધ પરિણામના સુખની અનુભૂતિ કેવી થઇ હશે કે જેથી મક્કમતા સાથે આવો અભિગ્રહ પેદા કરવો અને શરીર જાય તો ચિંતા નહિ ! આ પરિણામના અધ્યવસાયથી કેટલા અશુભકર્મોનો ભુક્કો બોલાવ્યો ?
કેટલાય જન્મ મરણોનો નાશ કર્યો આમાંનો કોઇ પરિણામ આપણને પેદા થાય છે ? આમાંની આંશિક અનુભૂતિ આપણા આત્મામાં પેદા થાય છે એવી અનુભૂતિ દેખાય છે ? અથવા એવી અનુભૂતિ આંશિક પેદા કરવાનું લક્ષ્ય પણ ખરૂં ? આ લક્ષ્ય પેદા થતું જાય તોજ મનની શુધ્ધિનો અનુભવ થાય અને મનની શુધ્ધિ એને જ જ્ઞાની ભગવંતો ભાવથી સુગંધીવાળો જીવ થયો એમ કહે છે.
આ રીતે શુધ્ધ પરિણામના અનુભવથી મનની શુધ્ધિના અનુભવથી સુખમય સંસારથી જીવ નિર્ભય બનતો જાય છે એટલે કે એ સુખમય સંસારની સામગ્રી હવે રહે તોય એમાં આનંદ પેદા થતો નથી અને એ
Page 29 of 97
Page #30
--------------------------------------------------------------------------
________________
સુખમય સંસારની સામગ્રી ચાલી જાય તો એના વગર હવે શું કરીશ એવા વિચારો પેદા થતા નથી માટે એ નિર્ભયતા ગુણ કહેવાય છે. મનની શુધ્ધિ પેદા થવાથી સુખમય સંસાર ક દુઃખમય સંસાર બન્નેમાં જીવન જીવવા માટેનો અંતરમાં ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે એટલે કે સુખમય સંસારમાં લીનતા પેદા થતી નથી અને દુઃખમય સંસારમાં દીનતા પેદા થતી નથી એટલે કે સુખમય સંસારમાં વૈરાગ્ય ભાવથી અને દુઃખમય સંસારમાં સમતા અથવા સમાધિ ભાવથી જીવન જીવવાના ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે આને નિર્ભયતા ગુણ કહેવાય છે. આવી નિર્ભયતા પૂર્વક જીવન જીવવા પ્રયત્ન કરવો એજ શુધ્ધ પરિણામની સ્થિરતા કરાવવામાં એટલે મન શુધ્ધિ વધારવામાં-સ્થિર કરવામાં સહાયભૂત થાય છે. આ મન શુધ્ધિના પ્રતાપે જીવો સાતે પ્રકારના ભયોથી રહિત થાય છે. એટલે અભય ગુણને પેદા કરે છે. આ અભય ગુણના કારણે ઉપકારી એવા અરિહંત પરમાત્માઓએ જો આ મોક્ષમાર્ગ મુક્યો ન હોત તો મારૂં શું થાત ? સંસારમાં કેટલું પરિભ્રમણ કર્યા કરત ? આ માર્ગ મુક્યો છે માટે સુખને ઓળખી શક્યો ઇચ્છિત સુખને ઓળખીને એનાથી સાવધ રહી આત્મીક એવા ઇષ્ટ સુખની ઇચ્છાને પ્રાપ્ત કરી આંશિક એનો અનુભવ કરી શક્યો અને એ અનુભૂતિના આનંદમાં આજે નિર્ભય રીતે હાયવોય વગર જીવન જીવી શકું છું એવા ઉપકારી અરિહંત પરમાત્માની ભક્તિ અત્યાર સુધી કરવી પડતી હતી માટે કરતો હતો પણ હવે તો ઉલ્લાસપૂર્વક ખેદ રહિત મન કરીને એટલે અખેદ ભાવ પેદા કરોને ભક્તિ કરવાનું મન થાય છે કારણકે દુનિયામાં પણ સામાન્ય રીતે જે આત્માઓ કૃતજ્ઞ હોય છે કે જેઓએ એમના ઉપર ઉપકાર કર્યો હોય એ નાનો ઉપકાર હોય તો પણ જીંદગીભર સુધી ભુલાતો નથી. આખી જીંદગી યાદ કરે છે અને એ ઉપકારીઓનું કામ કાજ જરૂર પડે ત્યારે અવશ્ય કરવાનું મન થાય છે એમ ઉપકારી એવા અરિહંત પરમાત્માઓએ નિઃસ્વાર્થ ભાવે જીવોનું કલ્યાણ કરવાની બુધ્ધિથી પોતે કેવલજ્ઞાન પામી જગતને વિષે મોક્ષમાર્ગ મુક્યો છે તો એ માર્ગને હું પામી શક્યો. પામીને યત્ કિંચિત્ આરાધના કરી રહ્યો છું એવા ઉપકારીની ભક્તિ અખેદ રીતે કરવાની ભાવના રાખીને કરવાનું મન થાય છે અને કરે છે. આ રીતે અભય અને અખેદ ભાવ પેદા કરીને અત્યાર સુધી બીજા જીવોના દોષો જોવાનું મન થતું હતું અને બીજાના ગુણોને પણ દોષો રૂપે બનાવીને જોવાની અને બોલવાની ટેવ હતી એના બદલે પોતાના આત્માના દોષો જોવાનું મન થાય છે અને બીજાના નાના પણ ગુણોને મોટા કરીને પોતાનામાં એ ગુણો નથી તે લાવવાનું મન થાય છે એટલે બીજા જીવો પ્રત્યે અદ્વેષ ભાવ પેદા કરીને જીવન જીવવાનું મન થાય છે. કદાચ અનાદિના સંસ્કારના કારણે બીજાના દોષો દેખાઇ જાય તો પણ તરત જ વિચાર કરે કે હું અજ્ઞાન હતો તો મારામાં આ દોષો નહોતા ? અજ્ઞાન જીવોમાં દોષો હોય એમાં આશ્ચર્ય શું ? અજ્ઞાન છે માટે હોય આવી વિચારણા કરીને અંતરમાં દ્વેષ પેદા થતો હતો તે થવા દેતો નથી અને અદ્વેષ ભાવ પેદા કરી પોતાનું જીવન જીવતો જાય છે અને પોતાના દોષોને ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. આ પ્રમાણે અભય-અખેદ અને અદ્વેષ ભાવ કેળવવાનો પ્રયત્ન કરતા કરતા મન શુધ્ધિ વધારતો જાય છે અને શુધ્ધ પરિણામમાં આગળ વધતો જાય છે. આ ભાવના અને વિશુધ્ધિથી આત્મામાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ અનંત ગુણ વિશુધ્ધિએ વધતો જાય એ એની સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો દર્શનાવરણીય કમનો તેમજ અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ વધતો જાય છે અને સાથે સાથે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ વધતો જાય છે. આ ક્ષયોપશમ ભાવના કારણે આત્મામાં મૈત્રીભાવ- કારૂણ્ય ભાવ (દયાભાવ) પ્રમોદભાવ તેમજ માધ્યસ્થ ભાવ રૂપે ચાર ભાવનાઓના વિચારો પેદા થતાં થતાં લાંબાકાળ સુધી ટક્યા રહે છે આને જ જ્ઞાની ભગવંતો આત્માનો ભાવ સુગંધ રૂપે મન શુધ્ધ પરિણામ કહે છે.
Page 30 of 97
Page #31
--------------------------------------------------------------------------
________________
આ રીતે જલપૂજા-ચંદનપૂજા અને પુષ્પપૂજા કરતાં કરતાં મન શુધ્ધ થતું જાય એને જ જ્ઞાની ભગવંતો અંગપૂજા વિઘ્નોને ઉપશમાવનારી છે એમ કહેલ છે. આરીતે આંતરિક વિઘ્નોનો ઉપશમ થતો જાય એના બાહ્ય વિઘ્નોનો પણ ઉપશમ અવશ્ય થતો જ જાય છે એટલે બાહ્ય વિઘ્નો નાશ પામ્યા વગર રહેતા જ નથો. જો કદાચ નિકાચીત કર્મના ઉદયવાળા બાહ્ય વિઘ્નો હોય તો કદાચ નાશ ન પામે તો પણ એના ઉદય કાળમાં જીવોને શાતા અને સમાધિ ભાવ પેદા કરવામાં સહાયભૂત થતા જાય છે. આને જ અંગપૂજાનું વાસ્તવિક ફ્ળ કહેલું છે. આવા ફ્ળને પામો અથવા આવા ફ્ળને પામવાનો અભિલાષ રાખીને અંગપૂજા વારંવાર કરતા રહી એ ભાવ આવે છે કે નહિ એ જોતા જોતા એ પેદા નહિ થવા દેવામાં જે વિઘ્નો આવતા હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરી શુધ્ધ પરિણામને પામીને આત્મકલ્યાણ સાધો એવી
અભિલાષા.
પેથડ શાહ મંત્રી અષ્ટપ્રકારી પૂજા કરતાં કરતાં મધ્યાન્હ કાળથી પૂજા કરી ભગવાનની ફૂલોથી અંગ રચના કરવા બેસતા તો તેમના ધર્મપત્ની એમને કોઇ વિઘ્ન ન કરે એ માટે મંદિરની બહાર ધ્યાન રાખવા બેસતા હતા એમાં એકવાર રાજાને ત્યાં મહત્વનું કામ આવ્યું મંત્રી સિવાય એ કામ ઉકલે એમ નથી આથી મંત્રીને બોલાવવા ચિઠ્ઠી લખી ને માણસને મોકલ્યો છે ત્યારે તે ચિઠ્ઠી લઇ મંત્રીશ્વરની પત્નીએ કહ્યું બેસો, મંત્રીશ્વર પૂજામાં છે. રાજાનો માણસ છે મહત્વનું કામ છે છતાં ભગવાનની ભક્તિથી કેટલો અંતરનો વિશ્વાસ હશે ? જો કદાચ રાજા ગુસ્સે થઇને મંત્રી મુદ્રા લઇ લેશે તો ? આવો વિચાર સરખો પણ પેદા થયો નથી કેમ ? મંત્રી મુદ્રા લઇ લેશે તો પણ શું ચિંતા છે ? જીવતા આવડે છે એમ વિચાર હશે ત્યારે આ કહી શકાય ને ? થોડીવાર પછી બીજો માણસ ચિઠ્ઠી લઇને આવે છે તો પણ એજ જવાબ થોડીવાર પછી રાજા ખુદ આવે છે તો વ્યવહારથી ઉચિત સન્માન આપીને રાજાને પણ એજ કહે છે મંત્રીશ્વર પૂજામાં છે ! એટલે રાજાએ કહ્યું કે હું બોલાવા નથી આવ્યો મંત્રીશ્વરની પૂજા જોવા આવ્યો છું તો મંદિરમાં લઇ જાય છે. એ પૂજા જોઇને રાજાને ખુદને થાય છે કે છે કોઇ ચિંતા ? પૂજામાં મંત્રીશ્વર કેવા ખોવાઇ જાય છે કે આખો સંસાર ભૂલી જાય છે. તો ભાગ્યશાળી વિચારો ભગવાન પરમાત્માની અંગપૂજા કરવી હોય તો આ રીતે કરવાનું વિધાન છે. આટલા વર્ષોથો અંગપૂજા કરો છો એમાં આવો એકાદ દિવસ નોંધાયેલો છે કે જે ભગવાનની પૂજામાં ખોવાઇ ગયા હોઇએ અને આખોય સુખમય સંસાર ભૂલાઇ ગયો હોય ? તો પછી કર્મોની નિર્જરા કેવી રીતે થશે ? જન્મ મરણની પરંપરા પણ કેવી રીતે ઓછી થશે એ વિચારો. આ દ્રષ્ટાંતો પણ પાંચમાં આરામા જ થયેલા છે ને ! આપની જેમ જ એ જીવોને દેવ, ગુરૂ, ધર્મની સામગ્રી મળેલી હતી ને ? છતાં પણ પુરૂષાર્થથી અનુકૂળ સામગ્રી વધારે મળેલી હોવા છતાં તેની ચિંતા છોડીને મનની શુધ્ધતા, પ્રસન્નતા જાળવીને કેવી સુંદર રીતે અંગપૂજા કરતા હતા ? એ જીવોને જે અનુકૂળ સામગ્રી મળેલી એમની અપેક્ષાએ આજે અનુકૂળ સામગ્રીના ઠેકાણાય નથી છતાં પણ એ તુચ્છ સામગ્રી પ્રત્યેનો રાગ મમત્વ-આસક્તિના કારણે અંગપૂજા કરવા છતાંય શુધ્ધ પરિણામ પેદા થતો નથી. અરે પેદા કરવાનું લક્ષ્ય પણ થવા દેવાનું મન નથી. આ શું સુચવે છે એ વિચારો ? મોક્ષ માટે આરાધના કઇ રીતે થઇ શકશે ?
અરિહંત પરમાત્માના ધર્મની આરાધના અનુકૂળ સામગ્રી મેળવવા આદિ માટે કરીએ અને આવેલી પ્રતિકૂળતાદિ દૂર કરવા માટે કરીએ તો તેનાથી પાપાનુબંધિ પુણ્ય બંધાય છે.
જેની પાસે ધર્મ હોય એ જીવોને પુણ્યના ઉદયથી સુખની સામગ્રી મળેલી હોય તો તેમાં લીન થવા દેશે નહિ અને પાપના ઉદયથી દુ:ખની સામગ્રી હોય તો તેમાં દીન થવા દેશે નહિ. આથી લીનતા અને દીનતાનો નાશક પેદા થયેલો ધર્મ છે.
Page 31 of 97
Page #32
--------------------------------------------------------------------------
________________
જેની પાસે ધર્મ હોય એવા જીવો નરકમાં હોય તો પણ નરકના દુ:ખોમાં સાવધ હોય છે અને જેની. પાસે ધર્મ ન હોય એ નવમા ગ્રેવેયકના સુખમાં અહમ ઇન્દ્રપણાના સુખમાં રહેલો હોય તો પણ તે સુખી નથી. પણ દુ:ખી છે.
આથી જેન શાસન કહે છે કે જે જીવોએ અંતરમાં ધર્મ પેદા કરેલો હશે તે પાપના ઉદયથી આવેલી. દુઃખની સામગ્રીમાં પણ સુખી હોય છે અને જે જીવોએ અંતરમાં ધર્મ પેદા કરેલો નહિ હોય તો તે પુણ્યના ઉદયથી મળેલી સુખની સામગ્રીમાં પણ દુ:ખી જ રહેશે.
અર્થદંડ રૂપે રાખેલી ધન આદિની સામગ્રી એ પણ અધર્મ રૂપે છે એવી માન્યતા પેદા કરેલી નહિ હોય તો તે અર્થદંડની સામગ્રી અનર્થદંડ પેદા કરાવ્યા વગર રહેશે નહિ.
ધન રાખીને જીવન જીવવું એ અધર્મ છે. અધર્મની ક્રિયાથી નિવૃત્તિ કરાવે તે ભાવપૂજા છે. અધર્મની પ્રવૃત્તિ અધર્મરૂપે લાગે તોજ જીવને ધર્મ પેદા કરવાની ભાવના થાય.
અરિહંત પરમાત્માની ભક્તિ કરતાં અનુકૂળ સામગ્રી મેળવવાની ઇચ્છા કરતાં એને ટકાવવાની ઇચ્છા એટલે મળેલી અનુકૂળ સામગ્રી ટકી રહે એવી ઇચ્છા અને ભાવના એજ વધારે પાપ બાંધવામાં સહાયભૂત થાય છે.
ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ ક્રિયા કરવાથી એટલે ભગવાનના શાસનની આરાધના આજ્ઞા મુજબ કરવાથી જીવને સંસાર સાગરથી તારે જ. કદાચ તરત ન તારે તો સગતિ તો આપે જ અને જીવોને દુર્ગતિથી અવશ્ય બચાવે જ એટલે દુર્ગતિમાં કદી જવા ન દે. જે પહેલા આયુષ્યનો બંધ કરેલો ન હોય તો અને દુર્ગતિનું આયુષ્ય બંધાઇ ગય હોય તો આ આજ્ઞાની આરાધનાના સંસ્કાર સાથે લઇને જતાં ત્યાં દુ:ખમાં સમાધિ પેદા કરાયા વગર રહેજ નહિ. આજ્ઞા મુજબની આરાધના આ કોલ આપે છે. ફૂલપુજાના દુહાઓનું વર્ણન:
સુરભિ અખંડ કુસુમાગ્રહી પૂજો ગત સંતાપ | સમજંતુ ભવ્ય જ પરે કરીએ સમકીત છાપ ||૧||
પાંચ કોડીને ફ્લડે પામ્યા દેશ અઢાર |
રાજા કુમારપાલનો વર્યો જય જયકાર //રા. ભાવાર્થ :- અનાદિ કાળથી જીવો અનુકૂળ પદાર્થ પ્રત્યેના ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થ પ્રત્યેના ગાઢ દ્વેષ રૂપ સંતાપથી યુક્ત છે. એ સંતાપ જેમના સંપૂર્ણ નાશ થયેલા છે એવા શ્રી અરિહંત પરમાત્માઓને ફ્લપૂજા કરતા કરતા પોતાના આત્મામાં રહેલા સંતાપની ઓળખ થાય અને એ ઓળખ કરીને એ સંતાપને દૂર કરવાનું મન થાય અને દૂર કરવા પ્રયત્ન કરવાનો ભાવ રહ્યા કરે એ હેતુથી એટલે કે અનુકૂળ પદાર્થોનો રાગ અને પ્રતિકૂળ પદાર્થોનો દ્વેષ એ સંતાપના દોષથી એ સંતાપની પ્રવૃત્તિથી આત્મા જન્મ મરણનો પરંપરા વધારી રહ્યો છે અને સંસારમાં દુ:ખી થયા કરે છે આથી એ સંતાપ જેમ જેમ દૂર થતો જાય તેમ જન્મ મરણની પરંપરા નાશ પામતી જાય આથી એ સંતાપને ઓળખી એનાથી સાવધ રહી સંતાપને દૂર કરવા માટે જ સુગંધથી યુક્ત એવા અખંડ ફ્લો સારામાં સારા લાવીને શ્રી અરિહંત પરમાત્માને ચઢાવવાથી સંતાપને દૂર કરવાનું બળ શક્તિ આપે છે એ બળ અને શક્તિ પેદા કરવા માટે ક્લપૂજા કરવાની કહેલી છે. તથા એ સુગંધ યુક્ત અખંડ ફ્લ ગ્રહણ કરીને એવી રીતે ભગવાન ઉપર ચઢાવવાના છેકે જેથી
Page 32 of 97
Page #33
--------------------------------------------------------------------------
________________
ભગવાનની આકૃતિ એકદમ સુંદર લાગે એમના શરીરમાંથી ચારે બાજુ સુવાસ પ્રસરતી હોય એનો આનંદ રહ્યા કરે એ માટે ફ્લોથી કરેલી અંગ રચના એટલે ભગવાનના અંગે એ ફ્લો ચઢે છે તે ફ્લોને ભવ્યની છાપ મલે છે એટલે કે જે ભવ્ય જીવો ફ્લ રૂપે પેદા થયેલા હોય તે ભગવાનના અંગ ઉપર ચઢવાને લાયક બને છે. માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે અંગ ઉપરથી જે ફ્લ નીચ પડે તે ફ્રીથી ચઢાવાતું નથી કારણ કે જે અભવ્ય જીવો ફ્લરૂપે થયેલા હોય છે તે ભગવાનના અંગ ઉપર ટકતા નથી ખરી પડે છે માટે એ અંગ ઉપર ચઢતા ચઢીને ટકેલા ફ્લોને ભવ્ય જીવની છાપ પેદા થાય છે અને આ રીતે ફ્લો ચઢાવતાં મન શુદ્ધિ એટલે શુધ્ધ પરિણામની સુગંધવાળો આત્મા બને છે માટે સમકીતની છાપ જીવને પેદા થાય છે. આથી પુષ્પ પૂજા અવશ્ય કરવાનું વિધાન કહેલું છે.
પૂર્વ ભવમાં કુમારપાલ રાજાનો જીવ મનુષ્યપણામાં ચોર, લુંટારૂં, ડાકુનો ઉપરી સરદાર હતો કેટલાય માણસોને લૂંટતો અને મારી નાંખતો એમાં એકવાર મોટું સૈન્ય આવીને અને લુંટારાઓને લુંટવા. પ્રયાસ કર્યો તેમાં બધા નાશી ગયા અને આ કુમારપાલનો જીવ અને પોતાની પત્ની ગર્ભવતી હતી તેમાં કુમારપાલનો જીવ નાશી છૂટ્યો અને પત્ની પકડાઇ ગઇ એના ગર્ભ સાથે ટુકડે ટુકડા કરીને મારી નાંખી એ આંખ સામે જોતાં અંતરમાં પત્નીના રાગના કારણે ભયંકર ક્રોધ પેદા થયો પણ હાલ કાંઇ કરી શકાય એમાં નહોતું માટે ત્યાંથી નાશીને બાજુમાં નગર હતું તે નગરમાં જઇ બજારમાં ક્રતો હતો તેમાં એક શેઠના. ઓટલા ઉપર બેઠો છે ભૂખ લાગેલી છે. શેઠને જમવાનો સમય થતાં ઉભા થાય છે અને અતિથિને જોતાં જમવાની વિનંતી કરે છે છતાંય આ કુમારપાલનો જીવ ભુખ લાગેલી હોવા છતાં શેઠને કહે છે કે મને કામ આપો તો કામ કરીને પછી હું જમું બાકી એમને એમ હું જમું નહિ. શેઠે યોગ્ય જીવ જાણીને કામ બતાવ્યું, કામ કરીને જમવા બેઠો શેઠે નોકર તરીકે રાખ્યો શેઠને ત્યાં રોજ સાધુ મહાત્માઓ વહોરવા આવે એમને આ નોકર વહોરાવે છે એમાં વાત થતાં શેઠને આ વાત કરી અને કહ્યું કે મારા મનમાંથી આ પત્નીને જે રીતે મારી છે તે નીકળતી નથી. શેઠ સમજાવે છે સાધુ ભગવંત પણ સમજાવે છે પણ મનમાંથી નીકળતું નથી. એમાં પર્યુષણ પર્વના દિવસો આવ્યા તેમાં એક દિવસ શેઠ કુટુંબ સાથે ગામ બહાર મંદિરે પૂજા કરવા જાયા છે તેમાં આ નોકરને સાથે લઇ જાય છે અને પૂજા કરવાનું કહે છે ત્યારે આ કુમારપાલનો જીવ કહે છે કે તમારા દ્રવ્યથી પૂજા કરું એમાં મને શો લાભ થાય ? ઉભા રહો અત્યાર સુધીમાં જે પગાર મળે છે તેમાંથી પાંચ કોડી વધેલી છે તે લાવીને હું મારા દ્રવ્યથી ભગવાનની પૂજા કરું એ માટે પાંચ કોડી લાવીને એના ક્લ લઇને પ્રસન્નતા પૂર્વક લપૂજા કરે છે. એમાં પુણ્યાનુબંધિ પુણ્ય બંધાયું કારણકે એ ફૂલ ચઢાવતાં કોઇ સ્વાર્થનો ભાવ નહોતો. નિ:સ્વાર્થ ભાવરાખીને શુધ્ધ મનથી ફ્લ ચઢાવ્યા તેમાં કર્મોની નિર્જરા થતાં મનુષ્યનું આયુષ્ય બાંધીને અઢાર દેશના માલિક થવાય એવું પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી કુમારપાલ તરીકે અવતાર પામ્યા એટલે મનુષ્ય થયા અને અઢાર દેશને પામ્યા એ અઢાર દેશને પામવા છતાં અહિંસા પ્રત્યેનો જોરદાર ભાવ પેદા કરીને મનોબલ મજબૂત કરીને જન્મ મરણની પરંપરા તોડીને ત્રીજા ભવે મોક્ષ નિશ્ચીત કરી શક્યા અને અઢારે દેશમાં અમારી પ્રવર્તન કરાવી આ ભવમાં શાસનનો જય જયકાર વર્તાવ્યો. આ રીતે લપૂજા કરી સૌ વહેલામાં વહેલા મુક્તિ પદને પામો એ અભિલાષા.
૨ - અગપૂજાનું વર્ણન
(૧) અંગપૂજા ગભારામાં રહીને ભગવાનના અંગે કરવાની હોય છે.
Page 33 of 97.
Page #34
--------------------------------------------------------------------------
________________
(૨) અગ્રપૂજા ગભારાની બહાર નીકળીને રંગમંડપમાં આવીને ગભારા પાસે ઉભા રહીને ધૂપપૂજા અને દીપકપૂજા કરવાની હોય છે.
(૩) ધૂપપૂજા ભગવાનની ડાબી બાજુ ગભારા બહાર ઉભા રહીને કરવાની હોય છે. (૪) દીપકપૂજા ભગવાનની જમણી બાજુ ગભારાની બહાર ઉભા રહીને કરવાની હોય છે.
(૫) ધૂપપૂજા કરતા થાળીમાં ધૂપદાણું મુકીને બે હાથે થાળી પકડીને કરવાની હોય છે તેમાં જમણી સાઇડથી ડાબી સાઇડ ઉતારવાનું હોય છે. એકલો ધૂપ એટલે ધૂપની સળી પકડીને કે ધૂપ દાણાનો ડોયો (હાથો) પકડીને ઉતારાય નહિ.
(૬) થાળીમાં રાખીને ધૂપ ઉવેખતાં એટલે ઉતારતાં થાળીમાં દીપક રખાય નહિ.
(૭) દીપકપૂજાની દીવિ થાળીમાં લઇને બે હાથે ઉતારવાની હોય છ. એ પણ જમણી બાજુથી ડાબી બાજુ ઉતારવાની હોય છે.
(૮) જ્યારે દીપકપૂજા ચાલતી હોય ત્યારે થાળીમાં ધૂપની સળી કે ધૂપદાણું રખાય નહિ.
(૯) ધૂપપૂજા અને દીપકપૂજા કરતાં નાભિથી નીચે ન જવું જોઇએ તેમજ નાસિકાથી ઉપર જવું જોઇએ નહિ એ રીતે ઉતારવું જોઇએ.
(૧૦) ધૂપ અને દીપ ઉતારતાં એકી સંખ્યામાં આવર્ત ઉતારવા જોઇએ. બેકી સંખ્યામાં થવા જોઇએ નહિ. એટલે કે એક-ત્રણ-પાંચ-સાત ઇત્યાદિ.
(૧૧) દીપકપૂજા કરતાં દીપકના દુહા બોલાય પણ સાથે આરતિ કે મંગલ દીવો બોલાય નહિ. (૧૨) એના પછી અક્ષતપૂજા કરવા માટે ગભારાથી દૂર થઇ રંગ મંડપમાં જમીન પજી પાટલો પુંજીને મુકવો પછી હાથ ધોઇ થાળી વાટકી ધોઇને થાળી લઇને પાટલા પાસે ભૂમિ પુંજીને બેસવું.
(૧૩) થાળીમાં ચોખા કાઢી થાળી ઝાલીને દુહા બોલવા પછી એ થાળીના ચોખામાંથી સાથીયાની ઢગલી પછી ત્રણ ઢગલી અને પછી સિધ્ધશીલાની ઢગલી કરવી જોઇએ અથવા પહેલા ત્રણ ઢગલી પછી સાથીયાની ઢગલી અને પછી સિધ્ધશીલાની ઢગલી કરવી જોઇએ એમ પણ ચાલે છે.
(૧૪) પછી સાથીયો કરી સિધ્ધશીલા કરવી જોઇએ.
(૧૫) નૈવેધ પૂજા કરતી વખતે થાળીમાં નૈવેધ મૂકી બે હાથે થાળી પકડી દુહો બોલીને પછી નૈવેધ સાથીયા ઉપર ત્રણ ઢગલી ઉપર મુકવું જોઇએ.
(૧૬) ફ્ળપૂજા કરવાના વખતે થાળીમાં ફ્ળ મૂકી બે હાથે થાળી પકડીને દુહો બોલી સિધ્ધશીલા ઉપર ફ્ળ મૂકવું જોઇએ.
(૧૭) દરેક પૂજામાં થાળી જોઇએ એનું કારણ એ છે કે ભગવાન પ્રત્યેનો આદર ભાવ અને બહુમાન ભાવ અંતરમાં પ્રગટ કરવા માટે અથવા પ્રગટ થયેલા હોય તો વધારવા માટે જરૂરી છે. (૧૮) અહીં સુધીની જે પૂજા કરવી તે અગ્રપૂજામાં ગણાય છે. આ અગ્રપૂજા અભ્યુદય સાધની કહેલી છે.
અભ્યુદય બે પ્રકારે થાય છે.
(૧) બાહ્ય અભ્યુદય
(૨) આંતરિક અભ્યુદય.
(૧) બાહ્ય અભ્યુદય સાધવામાં સહાયભૂત થાય એટલે કે સંસારમાં જે કાંઇ અનુકૂળ સામગ્રી જોઇએ એ સામગ્રીને મેળવી આપવામાં, ભોગવવામાં, સાચવવામાં, ટકાવવામાં ન ચાલી જાય એની કાળજી રાખવામાં અને વધારવામાં સહાયભૂત થાય.
Page 34 of 97
Page #35
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભગવંતો કહે છે કે ભાવપૂર્વક અગ્રપૂજા કરવામાં આવે તો એ અગ્રપૂજાથી દુનિયાની સારામાં સારી અનુકૂળ સામગ્રીઓ સારામાં સારા રસ પૂર્વકની એટલે પુણ્યાનુબંધિ પુણ્યબંધ પૂર્વકની મલતી જ જાય. છે એટલે કે એ મેળવવામાં આ અગ્રપૂજા સહાયભૂત થતી જાય છે. એવી જ રીતે એ સામગ્રીને ભોગવવામાં પણ સહાયભૂત થતી જાય છે કારણ કે ભાવપૂર્વકની અગ્રપૂજા હોવાથી વૈરાગ્ય ભાવ સાથે રહેલો જ હોય છે. એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવના કારણે એ સામગ્રીની ઓળખ અંતરમાં રહેલી જ હોય છે કે આ સામગ્રી, સાવધ ન રહું તો આત્માને દુર્ગતિમાં લઇ જનારી છે એ ઓળખ રહેલી જ હોય છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે દુનિયાની સારામાં સારી ઉત્તમ કોટિની સામગ્રી કે અહમ ઇન્દ્રપણા રૂપે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવું, ઇન્દ્રપણું, ચક્રવર્તીપણું, વૈરાગ્યભાવ પૂર્વકનું રાજાપણું, શેઠપણું, શાહુકારપણું આવી સઘળી ઉત્તમ સામગ્રીઓ અગ્રપૂજા ભાવપૂર્વક કરવાથી પ્રાપ્ત થાય છે અને એ સારી સામગ્રીનો ભોગવટો સુખરૂપે પણ એજ આત્માઓ કરી શકે છે એ સુખની સામગ્રીનો ભોગવટો કરવા છતાં પણ એ જીવોને વૈરાગ્ય ભાવ સાથે રહેલો હોવાથી અત્પરસે અશુભ કર્મોનો બંધ થયા કરે છે તથા શુભ કર્મોનો બંધ તીવ્ર રસે થયા કરે છે અને સાથે સાથે બંધાયેલા અશુભ કર્મોની નિર્જરા વિશેષ વિશેષ રીતે થયા કરે છે. ભોગવવા છતાં પણ સુખની સામગ્રી સુખરૂપે અનુભવવા છતાં પણ એ સામગ્રીમાં રાગ પેદા થતો નથી માટે ભોગાવલી કર્મ નિકાચીત રૂપે બંધાતું નથી. આજ અગ્રપૂજાનું પ્રત્યક્ષ ળ કહેલું છે અને બાહ્ય અસ્પૃદય સાધની ભક્તિ કહેવાય છે. આવી સ્થિતિ મિથ્યાત્વની મંદતાવાળા જીવોને આંશિક રીતે હોય તેમજ ગ્રંથીભેદ કર્યા પછી સમકીતી જીવોની આવી સ્થિતિ હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે ધર્મ કોલ આપે છે કે જે મને પ્રાપ્ત કરવાના હેતુથી એટલે ધર્મ પેદા કરવાના હેતુથી સેવે અથવા આરાધે એને હું સંસારમાં, મને સાથે રાખીને જીવશે ત્યાં સુધી એ જીવોને દુ:ખી થવા નહિ દઉં અને ઉંચામાં ઉંચી બાહ્ય સામગ્રી એ જીવોને આપતો જ રહીશ. પણ જે જીવોએ મને પામતા પહેલા કોઇ અશુભ કર્મો નિકાચીત રૂપે બાંધેલા હોય અને એ ઉદયમાં આવે અને ભોગવવા જ પડે એમ હોય તો પણ મને પકડ્યા પછી જો મારો ત્યાગ નહિ કરે અને એ દુ:ખના કાળમાં મને સાચવી રાખશે તો હું એને ફ્રીથી એવા કર્મોથી દુ:ખ ભોગવવું જ પડે એવી સ્થિતિ પેદા થવા નહિ દઉં કારણ કે એ દુઃખોને સમાધિ પૂર્વક સહન કરવામાં સહાયભૂત થઇશ એટલે કે સહન શક્તિ એવી વધે એમાં સહાયભૂત થતો જઇશ કે જેથી એનાથી શુભકમાં સારા રસે એટલે પુણ્યાનુબંધિ પુણ્ય રૂપે બંધાવી બીજા જન્મોમાં જરૂર બાહ્ય સામગ્રીથી સુખી બનાવીશ. આ રીતે ધર્મ આત્માને કોલ આપે છે. આ કોલ આપણને સંભળાય છે ? કેટલો લાભ ? એ લાભ મેળવવામાં માત્ર એટલી શરત. કઇ ? અનુકૂળ પદાર્થોની સામગ્રીને ઓળખીને એમાં રાગાદિ પરિણામ ન થાય એ રીતે મેળવવાનો-ભોગવવા આદિનો પ્રયત્ન કરવાનો ! બોલો કેટલો સહેલો ઉપાય છે. આ રીતે અગ્રપુજા ભાવપૂર્વક કરવાથી બાહ્ય અભ્યદયા આવી રીતે સાધવામાં સહાયભૂત થાય તો અત્યંતર અભ્યદય કેટલો સુંદર પેદા કરવામાં સહાયભૂત થતો હશે ?
(૨) ભાવપૂર્વક અગ્રપૂજા કરવાથી અત્યંતર અભ્યદયમાં અનાદિકાળના જે અનુકૂળ પદાર્થોના રાગના સંસ્કારો એ સુખ સર્વસ્વ છે એવી માન્યતાઓ સદંતર નાશ પામતી જાય છે અને મનશુધ્ધિ એટલે મનની પ્રસન્નતા-ચિત્તની એકાગ્રતા પેદા થતાં-મિથ્યાત્વ મોહનીયની મંદતા થતાં થતાં વિવેક ચક્ષ પેદા થતી જાય છે એટલે કે અત્યાર સુધી ઇચ્છિત પદાર્થો જેમ વધારે પ્રાપ્ત થાય તેમ વધારે આબાદી શાંતિ પ્રાપ્ત થાય એવી માન્યતા હતી તેના બદલે પોતાના આત્માના હિતાહિતની વિચારણા પેદા થતી જાય છે. એટલે કે મિથ્યાત્વની મંદતાથી વિવેક પેદા થતાં જીવનમાં જે કોઇ પ્રવૃત્તિ કરતો હોય તે પ્રવૃત્તિ કરતાં આમાં આત્માનું
Page 35 of 97
Page #36
--------------------------------------------------------------------------
________________
હિત થાય એમ છે કે અહિત થાય એમ છે. હિત થાય તો કેટલું થાય એવું છે અને અહિત થાય તો કેટલું અહિત થાય એમ છે ? એની વિચારણા અંતરમાં ચાલુ થાય છે આ રીતે વિચારણાઓ જેમ જેમ જીવ વારંવાર પેદા કરતો જાય છે તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં એ જ્ઞાન જે વધે તે આત્મિક ગુણ પેદા કરવામાં એટલે આત્માનું હિત કરવામાં ઉપયોગી થાય એ રીતે સહાયભૂત થતું જાય છે માટે એ જ્ઞાન સમ્યજ્ઞાન રૂપે કામ કરતું થાય છે. એજ રીતે દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે એનાથી જીવ વિચાર કરતો બને છે કે પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોના સુખો એમાં ઇન્દ્રિયોને જોડીને એ સુખમાં આનંદ માનીને જીવવું એજ જીવના દુઃખનું કારણ બને છે એટલે અહિતનું કારણ બને છે કારણકે એ ઇન્દ્રિયોના સુખોની આધીનતાએ - પરાધીન બનાવી મને અનંતકાળ દુઃખી દુઃખી કર્યો છે આથી એ ઇન્દ્રિયોના વિષયો ત્રેવીશ, વિકારો બસો બાવન એને ઓળખીને એનાથી સાવધગિરિ પેદા કરાવવામાં સહાયભૂત થાય છે અને અંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી આત્માને પોતાના મન, વચન, કાયાના, વીર્યના વ્યાપારને અહિત માર્ગે જોડતો હતો તે ઓળખીને હિતમાર્ગે જોડવાનો પ્રયત્ન કરાવવામાં સહાયભૂત થાય છે. આને ભાવપૂર્વક કરેલી અગ્રપૂજાનું ફ્ળ કહેલ છે. આજ અત્યંતર અભ્યુદય સાધની કહેવાય છે. આ રીતે અભ્યુદય આંતરિક પેદા કરતાં કરતાં અનંત ગુણ વિશુધ્ધિ પેદા કરાવતા કરાવતા સારો કાળ હોય લઘુકર્મીતા હોય તો જીવને એક અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવ્યા વગર રહેતી નથી. આને અત્યંતર અભ્યુદય સાધની રૂપે અગ્રપૂજા કહેવાય છે.
ધૂપપૂજાનું વર્ણન
વાસ્તવિક રીતે ધૂપપૂજા કરવામાં પદાણામાં દશાંગ-અગરૂ વગેરે સુગંધી ચૂર્ણ નાંખીને એમાં અગ્નિ પ્રગટાવવાની હોય છે એટલે કે ધૂપદાણામાં અગ્નિ રાખીને તેમાં દશાંગ આદિ ધૂપનું ચૂર્ણ નાખતા એટલે સુગંધી ચૂર્ણ નાંખતા એ સુગંધી ચૂર્ણની સુવાસ ધૂમાડા રૂપે થઇને ઉર્ધ્વગતિએ જાય એટલે એની
સુવાસ ચારે બાજુ ફ્લાતી જાય છે આથી વાતાવરણ એકદમ સુગંધમય બને એ રીતે ધૂપપૂજા કરવાનું
વિધાન કહેલું છે. ધૂપની અગરબત્તી હજી હવે થોડાકાળમાં શરૂ થયેલ છે એમાં એવા સુગંધી પદાર્થો જોરદાર હોતા નથી માટે એની સુગંધી સુવાસ ફેલાતી નથી અને મોટે ભાગે ધૂમાડા રૂપે પ્રસરી જાય છે. માટે જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી એનો સુગંધી ધૂમાડો ઉત્પન્ન થઇને ઉંચે ચડે છે. તેમ શ્રી જિનેશ્વરદેવની ધૂપપૂજાથી કર્મરૂપી કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ ભાવના રૂપી ધૂપ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અને આત્મા ઉંચે ચડે છે.
ધૂપપૂજા કરતાં કરતાં જેમ ધૂમાડો ઉંચે ચઢતો જાય છે એમ જ્ઞાની ભગવંતો કહે છે કે કર્મ રૂપી ઇંધન એટલે લાકડા જેમ જેમ બળતા જાય એટલે નાશ પામતા જાય તેમ તેમ આત્મા શુધ્ધ પરિણામમાં ઉંચે ચઢતો જાય છે. કયા કર્મોનો નાશ થાય છે ? તો જીવને ઉંચે ચઢવામાં રોકનાર અંતરાય કરનાર એવા અશુભધ્યાન રૂપી જે કર્મો સહાયભૂત થાય છે એ અશુભધ્યાન રૂપી કર્મો નાશ પામતા જાય છે. અશુભધ્યાનનાં બે ભેદ કહેલા છે.
(૧) રૌદ્રધ્યાન અને (૨) આર્તધ્યાન
ધ્યાન એટલે મનની એકાગ્રતા. અશુભ અને અશુધ્ધ વિચારોની એકાગ્રતા પેદા કરી કરીને સ્થિરતા પ્રાપ્ત કરવી તે ધ્યાન કહેવાય છે. શરીર, ધન અને કુટુંબની સુખાકારી વધારવાના, સાચવવાના, ટકાવવાના વિચારોની એકાગ્રતા કરતા કરતા જીવન જીવવું એ તેમજ શરીર, ધન અને કુટુંબને આવેલી
Page 36 of 97
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રતિકૂળતા એને
। દૂર કરવાના વિચારોની એકાગ્રતા કરીને જીવન જીવવું તેમજ અનુકૂળ સામગ્રી મને સારી રીતે પ્રાપ્ત થાઓ એવી માગણી કર્યા કરવી એ અશુભ ધ્યાનના વિચારો કહેવાય છે.
આર્ત્ત = પીડિત, દુ:ખી આત્માને દુઃખી કરનાર એવો જે એકાગ્રતાનો પરિણામ તે આર્તધ્યાન કહેવાય છે.
આર્તધ્યાનનાં જ્ઞાની ભગવંતોએ બે ભેદ કહ્યા છે.
(૧) અશુભ આર્તધ્યાન (૨) શુભ આર્તધ્યાન
શરીર, ધન, કુટુંબ, પરિવાર આદિ સુખાકારી પદાર્થો મેળવવા, ભોગવવા, સાચવવા, ટકાવવા, વધારવા માટેની એકાગ્ર ચિત્તથી વિચારણાઓ કરવી અને પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ થયેલો હોય તે પદાર્થોનો વિયોગ કેમ જલ્દી થાય એવી એકાગ્રતા પૂર્વકની વિચારણાઓ કરીને જીવન જીવવું એને અશુભ
આર્ત્તધ્યાન કહેવાય છે.
શુભ આર્તધ્યાન :- ઇતર દેવ દેવીને દેવ તરીકે માનીને ઇતર સન્યાસીને ગુરૂ તરીકે માનીને તથા ઇતર ધર્મને ધર્મ તરીકે માનીને આલોક કે પરલોકના સુખોની ઇચ્છા કરવી એ મેળવવા માટે માનતા કરવી એ લૌકિક મિથ્યાત્વ રૂપે શુભ આર્ત્તધ્યાન કહેવાય છે તેમજ શ્રી અરિહંત દેવ-ગુરૂ તથા અરિહંતે કહેલા ધર્મને આલોક તથા પરલોકના સુખના હેતુથી માનતા કરીને સેવવા એ લોકોત્તર મિથ્યાત્વરૂપ શુભ આર્તધ્યાન કહેવાય છે. આ શુભ આર્દ્રધ્યાનમાં આયુષ્યનો બંધ જીવ કરે તો નિયમા સદ્ગતિનું આયુષ્ય
બાંધે છે.
અશુભ । આર્તધ્યાનમાં આયુષ્ય । બંધ કરે તો નિયમા દુર્ગતિનું એટલે તિર્યંચનું આયુષ્ય બાંધે છે શુભ આર્તધ્યાનથી સદ્ગતિનું આયુષ્ય બંધાય છે તેમાં પાપાનુબંધિ પુણ્ય બાંધિને અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગાદિની તીવ્રતા પેદા કરાવીને સંસારની વૃધ્ધિનું કારણ બને છે માટે ધૂપપૂજા કરતા કરતા એ આર્તધ્યાનને પેદા કરાવનારા કર્મોનો નાશ થતો જાય તેમ તેમ શુધ્ધ પરિણામની વૃધ્ધિ થતી જાય છે એવી જ રીતે રૌદ્ર એટલે ભયંકર આત્માને ભયંકર વિચારો પેદા કરાવીને એકાગ્રતા પેદા કરી દુર્ગતિમાં લઇ જવામાં સહાયભૂત થનારા પરિણામો એને રૌદ્રધ્યાનના પરિણામો કહેવાય છે. આ રૌદ્રધ્યાનના પરિણામમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા નરક આયુષ્યનો બંધ કરે છે. ધૂપપૂજા કરતાં કરતાં આવા ભયંકર કોટિના જે નરકમાં લઇ જવાવાળા કર્મોનો નાશ થતા જાય છે તેમ તેમ આત્મા ઉર્ધ્વ એટલે શુધ્ધ પરિણામમાં આગળ વધતો જાય છે.
જો ધૂપપૂજા કરતા કરતા આવા ધ્યાનના પરિણામોને પેદા કરાવનારા કર્મોને નાશ કરવામાં સહાયભૂત ન થાય તા તે ધૂપપૂજા સંસારની વૃધ્ધિનું કારણ બને છે આથી ભાવપૂર્વકની ધૂપપૂજા થાય એ રીતે અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ.
અભય-અખેદ અને અદ્વેષને પેદા કરેલો જીવ મિથ્યાત્વના ઉદયવાળો હોવા છતાં અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતો કરતો અસંખ્ય ગુણ અસંખ્ય ગુણના ક્રમે અશુભ કર્મોની નિર્જરા કરતો કરતો શુધ્ધ પરિણામમાં આગળ વધતો વધતો એમાં સ્થિરતા પામતો પામતો ભાવ મલ રાગ-દ્વેષના પરિણામ રૂપે
આત્મામાં રહેલા છે તેનો હ્રાસ કરતો એટલે નાશ કરતો કરતો ગ્રંથીભેદ સુધી પહોંચે છે. આ પરિણામમાં આગળ વધતા અને લાંબાકાળ સુધી એ પરિણામ ટકાવતા આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ નષ્ટ થતા જાય છે અને શુધ્ધ પરિણામની સ્થિરતાના કારણે શુભ પરિણામોની સ્થિરતામાં રહેતો શુધ્ધ પરિણામથી મિત્રાદ્રષ્ટિ તારા દ્રષ્ટિના ગુણોને પ્રાપ્ત કરતો જાય છે અને એ ગુણોને પ્રાપ્ત કરતાં એવો આનંદ
Page 37 of 97
Page #38
--------------------------------------------------------------------------
________________
વીર્ષોલ્લાસ સાથે આત્મામાં પેદા થાય છે કે જેના પ્રતાપે શ્રી અરિહંત પરમાત્મા જેવા બીજા કોઇ ઉપકારી જ નથી એવી ભાવનામાં ઓતપ્રોત થાય છે તથા એ અરિહંતને ઓળખાવનારા સુગુરૂ પ્રત્યે પણ અંતરથી. આદર બહુમાન ભાવ વધતો જાય છે આથી ધર્મ પ્રવૃત્તિમાં એ જીવને જે આનંદ પેદા થાય છે એ હવે સંસારની અનુકૂળ સામગ્રીની પ્રવૃત્તિમાં આનંદ પેદા થતો નથી. ઉપરથી એ પ્રવૃત્તિ આત્માને પોતાને બોજારૂપ લાગે છે. આજ ધૂપપૂજાનું આંતરિક તથા બાહ્ય અભ્યદય પ્રાપ્ત કરાવનારૂં ફળ કહેલું છે.
આ રીતે મિથ્યાત્વ મોહનીયની જેમ જેમ વિશેષ મંદતા પેદા થતી જાય છે તેમ તેમ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ વધતો જાય છે અનાથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવની સ્થિરતા વધે છે અને પોતાના મન, વચન, કાયાના યોગનો વ્યાપાર આ ઉપકારી એવા અરિહંતાદિની ભક્તિમાં ઉપયોગ કરવાનું મન થયા જ કરે છે એટલે ભગવાનની ભક્તિ કરે-ભગવાનની વાણી સાંભળે-ભગવાનના શાસનની આરાધના કરતો જાય છે. આને જ જ્ઞાની ભગવંતો. મિથ્યાત્વ રૂપી દુર્ગધ દૂર થતી જાય છે એમ કહે છે. દુહાઓનું વર્ણન:
ધ્યાન ઘટા પ્રગટાવીએ વામ નયન જિન ધૂપ, મિચ્છત દુર્ગધ દૂરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ ||૧ અમે ધૂપની પૂજા કરીએ રે ઓ મન માન્યા મોહનજી | પ્રભુ ધૂપ ઘટા અનુસરીયે રે ઓ મન માન્યા મોહનજી | પ્રભુ નહિ કોઇ તમારી તોલે રે ઓ મન માન્યા મોહનજી |
પ્રભુ અંતે છે શરણ તમારું રે ઓ મન માન્યા મોહનજી ! ભાવાર્થ - ભગવાનની ડાબી બાજુ ઉભા રહીને એટલે કે ભગવાનની ડાબી બાજુની આંખ સામે ઉભા રહીને શ્રી જિનેશ્વર પરમાત્માની ધૂપ પૂર્વ ભાવપૂર્વક કરવામાં આવે તો તેનાથી ધ્યાન રૂપી વિચારોના સમુદાયો પેદા થતા જાય છે એટલે કે સારી સુગંધના ધૂમાડાની જેમ અંતરમાંથી આર્ત અને રોદ્ર ધ્યાન રૂમ કર્મ મલોનો સમુદાય નાશ પામતો જાય તેમ તેમ આત્મામાં રહેલું જે શુધ્ધ સ્વરૂપ એ શુધ્ધ સ્વરૂપના વિચારોના સમુદાયો સહજ રીતે પ્રગટ થતા જાય છે અને આ રીતે શુધ્ધ પરિણામના સમુદાયો (વિચારોના) પેદા થતાં થતાં આત્મામાં અશુભ વિચારો અને અશુધ્ધ વિચારોના સમુદાયો ચાલતા હતા. વારંવાર પજવતા હતા તે કર્મોનો હ્રાસ થવાથી નાશ પામતા જાય છે એનો અંતરમાં વીર્ષોલ્લાસ વધતો જાય છે અને એ વીર્ષોલ્લાસના આનંદમાં, અંતરમાં મિથ્યાત્વરૂપી દુર્ગધ ભરેલી હતી અથવા રહેલી હતી તે નાશ પામતી જાય છે એટલે દૂર થતી જાય છે. મિથ્યાત્વરૂપી દુર્ગધ કઇ સમજવી ? જ્ઞાની ભગવંતો કહે છે કે ઇચ્છિત સામગ્રી મેળવવા આદિના વિચારો ચાલતા હતા તેને મિથ્યાત્વ રૂપી દુર્ગધ તરીકે ગણે છે એવી જ રીતે પાપના ઉદયથી જે પ્રતિકૂળતાઓ પેદા થતી જાય છે એને દૂર કરવાના વિચારો, નાશ કરવાના વિચારો એને પણ મિથ્યાત્વરૂપી દુર્ગધ રૂપે કહે છે. એ નાશ પામે એટલે જેટલે અંશે એ દુર્ગધના પુદ્ગલો નાશ થતા જાય તેમ તેમ આત્મ સ્વરૂપ પેદા થતું જાય છે એટલે આત્મ સ્વરૂપ પ્રગટે છે માટે વર્ષોલ્લાસથી ધૂપપૂજા કરતાં કરતાં જીવો બોલે છે કે અમે ધૂપપૂજા કરીએ છીએ ઓ મારા મોહન રૂપે રહેલા જિનેશ્વરો મનથી અમે ધૂપપૂજા કરીએ છીએ અને એ કરતાં કરતાં મનમાં થાય છે કે અમે હે ભગવન ધૂપના ગોટાના સમુદાયની જેમ અમે પણ અનુસરીએ છીએ કારણ કે અમારા કર્મની ઘટાઓ એટલે કે ધ્યાન રૂપી-અશુભ ધ્યાન રૂપી
Page 38 of 97
Page #39
--------------------------------------------------------------------------
________________
કર્મની ઘટા એટલે સમુદાયો ધુમાડા રૂપે રહેલા તેનો નાશ થતો જાય છે માટે અમે અનુસરીએ છીએ એમ કહીએ છીએ.
શ્રી અરિહંત પરમાત્માઓએ પોતાના આત્માના કલ્યાણની ભાવના સાથે જગતના સઘળાય જીવોના કલ્યાણની ભાવના કરી અને એ માટે પુરૂષાર્થ કરીને જગતને વિષે કલ્યાણના માર્ગની સ્થાપના કરીને કલ્યાણનો માર્ગ મુકીને ગયા માટે એમના જેવા કોઇ પરોપકારી (ઉપકારી) થયા નથી, થશે નહિ અને થવાના નથી કારણકે અરિહંતના આત્માઓની સરખામણી અરિહંતના આત્માઓની જ સાથે થઇ શકે છે પણ બીજાની સાથે થતી નથી. આથી આવા પરોપકારી નિ:સ્વાર્થ ભાવપૂર્વકના અરિહંતો જ છે માટે હે ભગવન ! તમારી તોલે કોઈ આવે એમ નથી એવી જ રીતે અરિહંત પરમાત્માઓની જેવી સહન શક્તિ હોય છે એવી સહન શક્તિ પણ બીજા જીવોની હોતી નથી તેમજ કર્મ ખપાવવા માટે કર્મોની સામે શૂરવીર પણ જેવા અરિહંતના આત્માઓ હોય છે. એવા બીજા કોઇ હોતા નથી આથી તમારી તોલે કોઇ આવવામાં અથવા થવામાં સમર્થ થતું નથી માટે તમારી તોલે કોઇ નથી એમ કહેવાય છે. પણ હે ભગવન ! તમારી ધૂપપૂજા કરતાં કરતાં કર્મોનો નાશ થતાં થતાં એવી શક્તિ આપો કે મારો પણ આત્મા શુધ્ધ પરિણતિની સુવાસવાળો બનતા બનતા ઉર્ધ્વગતિને પામી સંપૂર્ણ શુધ્ધ પરિણતિની સુવાસવાવો થઇ તમારી સાથે સિદ્ધિગતિમાં આવીને રહું.
આવા ઉપકારી અરિહંત પરમાત્માઓનું શુધ્ધ સ્વરૂપ પેદા કરવા પેદા થયેલા શુધ્ધ સ્વરૂપમાં લાંબાકાળ સુધી સ્થિરતા પેદા કરવા અને અંતે સમાધિ મરણ પ્રાપ્ત કરવા શરણ તમારું જ કહેલું છે. શરણ એટલે માર્ગ પ્રાપ્ત ન કર્યો હોય એને માર્ગ પમાડવામાં સહાયભૂત થાય અને માર્ગ પામેલાને માર્ગમાં સ્થિર કરીને પોતાના જેવા બનાવવામાં સહાયભત થાય તે શરણ રૂપ અથવા શરણભત કહેવાય છે. જેમ છેલ્લે પણ સ્વીકારવાનું હોય એમનું શરણ શરૂઆતથી હંમેશ માટે જ સ્વીકારેલું છે એ રીતે ભાવ પેદા કરવાનો છે કારણકે દુનિયાના વ્યવહારમાં પણ કહેવાય છે કે જે અંતે શરણ સ્વીકારવા લાયક છે તે અત્યાર થી શરણું સ્વીકારે તોજ અંતે સ્વીકારવા લાયક બની શકે છે. સંસારમાં પણ જે જીવો લગ્નગ્રંથીથી જોડાય છે તે આખી જીંદગી શરણ રૂપ માનીને તથા અંતે શરણ રૂપ બનાવવા મથે છે કારણકે મને આખી. જંદગી જીવાડનાર હોય તો આ છે. આ બુધ્ધિ પેદા કરીને શરણ સ્વીકારે છે અને અંતે પણ શરણ રૂપ એ બને છે. આથી કહેવાય છે સુખ અને દુ:ખમાં બન્ને કાળમાં સહાય કરનાર-જીવાડનાર-સાથ આપનાર શરણરૂપ એ છે. એમ શ્રી અરિહંત પરમાત્માઓ અંત સમયે શરણરૂપ છે એનો અર્થ જ છે કે વર્તમાનમાં સુખ દુઃખના કાળમાં એટલે એ મેળવી આપનાર એમાં જીવાડનાર, સહાય કરનાર, સાથ આપનાર અને એ સાથ આપીને કાયમના સાથને પ્રાપ્ત કરાવનાર રૂપે શરણ રૂપ આપ એક જ છો. માટે આજથી અંત સમયા સુધી આપનું શરણ મેં સ્વીકારેલ છે. આ રીતે ધૂપપૂજા કરતાં કરતાં ધુમાડા રૂપે શુધ્ધ પરિણામને રોકનાર કર્મોનો નાશ કરતા કરતા સુગંધ રૂપ, સુવાસ રૂપ શુધ્ધ પરિણામને પેદા કરી એને ટકાવી શુધ્ધ પરિણામના સમુદાયનો વિસ્તાર કરી આત્મ પરિણતિની સ્થિરતાનો અનુભવ કરીને આત્મ કલ્યાણ સાધો એ અભિલાષા. આ ધૂપપૂજા કરવાનો સાર તેમજ પ્રત્યક્ષ ળ કહેલ છે.
દીપપૂજાનું વર્ણન
Page 39 of 97.
Page #40
--------------------------------------------------------------------------
________________
છે.
ભગવાનની ભક્તિ કરતા કરતા અનુકૂળ પદાર્થો માગવાની ઇચ્છા થવી એ પદાર્થો વધારવાની, ટકાવવાની ઇચ્છા થવી એ પાપના ઉદયથી ઇચ્છાઓ થાય છે એમ કહેવાય છે. વર્તમાનમાં તમે જે રીતે ભગવાનની ભક્તિ કરો છો એ ભક્તિ કરતા કરતા અંતર આત્મામાં શું વિશ્વાસ પેદા થાય છે ? અથવા થયો છે ?
(૧) દિપકપૂજા ભગવાનની જમણી બાજુ ગભારાની બહાર ઉભા રહીને કરવી જોઇએ. ભગવાનની ભક્તિથી જરૂર બધુ મલવાનું છે અને જે કાંઇ મલે છે તે ભગવાનની ભક્તિથી જ મળે
થાય.
જરૂર હું સંસાર સાગરથી તરી રહ્યો છું એ વિશ્વાસ પેદા થાય ભક્તિ કરું એનાથી જરૂર જન્મ મરણની પરંપરા ઘટે જ છે એવો વિશ્વાસ છે ભક્તિ કરું છું એ ભક્તિથી જરૂર મારી સદ્ગતિ થશે એવો વિશ્વાસ થાય છે ?
ત્રીજા નંબરે મારી ભક્તિથી દુર્ગતિના દ્વાર બંધ થાય છે ? એવો પણ વિશ્વાસ પેદા થાય છે ? ધર્મની કરણી આશય સાથે કરવી જોઇએ જેવો આશય હોય એવું પુણ્ય બંધાય અને એવી નિર્જરા
જ એટલે પોતાના આત્માના હિતની વિચારણા રાખીને જે કાંઇ કરણી કરવી એ જ કહેવાય
છે.
છે ? એટલે કે જે રીતે હું ? બીજા નંબરે જે રીતે
દિપકપૂજા આત્મામાં રહેલા જ્ઞાનરૂપી ચક્ષુ એ વિવેકને પેદા કરવામાં સહાયભૂત થાય અથવા જ્ઞાનરૂપી ચક્ષુ પેદા કરાવે.
જ્ઞાની ભગવંતો કહે છે કે તીર્થંકર પરમાત્માઓના જ્ઞાનથી એમના શાસનમાં એમનાથી જેટલા જીવો મોક્ષે જાય છે એના કરતાં અભવ્ય જીવોના આત્માઓથી અનંત ગુણા અધિક જીવો મોક્ષે જાય છે કારણ કે તીર્થંકરના આત્માઓને કેવલજ્ઞાન પેદા થયા પછી પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધીના કાળમાં એમનાથી જેટલા જીવો પ્રતિબોધ પામે એટલા જ મોક્ષે જઇ શકે છે જ્યારે અભવ્ય જીવો સંસારમાં સદાકાળ રહેવાવાળા હોવાથી અનંતીવાર ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મ પામીને અનંતીવાર સાડાનવ પૂર્વનું જ્ઞાન ભણે એ જ્ઞાનથી જે યોગ્ય જીવ હોય તો તે વાણી સાંભળીને પોતાનું તથા ભવ્યત્વ ખીલવીને પુરૂષાર્થ કરીને મોક્ષે જાય આથી અનંતા જીવો મોક્ષે જઇ શકે છે એ તીર્થંકરના આત્માઓ કરતાં અનંત ગુણા અધિક થઇ શકે છે.
વર્તમાનમાં આપણને ભગવાનના શાસનનું જેટલું જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ આપણા પોતાના આત્મા માટે કેટલો કરીએ છીએ ? અને બીજાના આત્મા માટે કેટલો ઉપયોગ કરીએ છીએ ?
અભવ્ય - દુર્વ્યવ્ય ભારે કમી આત્માઓ ભગવાનના શાસ્ત્રનું જ્ઞાન ભણી પોતાના આત્મા માટે એ જ્ઞાનનો ઉપયોગ નિયમા કરતા નથી પણ એ જ્ઞાન બીજા આત્માઓને જરૂર ઉપયોગી બને છે.
એવી જ રીતે ભક્તિયોગમાં શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ કરતાં કરતાં અનેક તીર્થોની યાત્રાઓ કરે અનેકવાર તીર્થોને વિષે ચોમાસા કરે પણ અનુકૂળ પદાર્થોનો રાગ જાય નહિ. કાઢવાનો પ્રયત્ન કરે નહિ એ રાગ મને ધર્મ પેદા કરવામાં વિઘ્ન રૂપ થાય છે એમ માને નહિ. એવી માન્યતા પેદા થવા દે નહિ તો જ્ઞાની ભગવંતો કહે છે કે ભક્તિ, તીર્થયાત્રાઓ ગડગુમડ જેવી બને છે એટલે કે શરીરમાં ગુમડું થયું હોય મોટું થતું જાય અને પાકે નહિ અને જેવી પીડા કરે એવી પીડા કરનારી એ ક્રિયા બને છે. માટે જ્ઞાનીઓ કહે છે કે અનુકૂળ પદાર્થોના રાગને સાચવીને પૂર્વક્રોડ વરસ સુધી ધર્મની આરાધના કરે તો પણ
Page 40 of 97
Page #41
--------------------------------------------------------------------------
________________
એ આરાધના આકાશમાં ચિત્રામણ જેવી છે, છાર ઉપર લીંપણ જેવી છે. વંધ્યા પુત્ર જેવી છે. આથી જ્ઞાનીઓ કહે છે કે રાગને ઓળખીને રાગનો ઢાળ બદલો તો જ જન્મ મરણની પરંપરા ઘટે. નહિ તો દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવા છતાંય જન્મ મરણની પરંપરા વધશે.
જગતમાં રહેલા જીવો દેવ, ગુરૂ, ધર્મની આરાધના મોટા ભાગે મોહના અંધકારને આધીન થઇને કરે છે માટે દિપકપૂજા કરવા છતા જ્ઞાન ચક્ષુ પ્રગટ થતાં નથી એટલે જ્ઞાનના પ્રકાશનો અનુભવ થતો નથી. સાધુ ભગવંતોએ ગુજરાતી ભાષામાં જે જે સ્તોત્રો, સ્તવનો, સ્નાત્ર પૂજા-પૂજા વિધિ આદિ જે લખ્યા છે એમાં મંગળ લીલા સુખ ભર પાવે ઘર ઘર હર્ષ વધાઇ આવે છે એનું શું ? તમારી વાત સાચી છે રચના કરનાર સાધુ ભગવંતો છે ને ? એ તમે માનો છોને ? શાસ્ત્રે કહ્યું છે કે સંસાર સાગરથી તારે એ મંગળ કહેવાય. એ મંગળ લીલામાં દેશવિરતિપણાની પ્રાપ્તિ-સમકીતની પ્રાપ્તિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ તથા
માર્ગાનુસારીપણાની પ્રાપ્તિ તેમજ મોક્ષમાર્ગને અનુસરનારી બુધ્ધિની પ્રાપ્તિ થવી તે મંગલ લીલા કહેવાય છે. એ મગલલીલાને જે સુખપૂર્વક પ્રાપ્ત કરે એના આત્માના ઘરને વિષે સદા માટે હર્ષનાદની વધાઇ રહેલી જ હોય છે. એ જ વધાઇને પ્રાપ્ત કરવા માટે દિપકપૂજા કહેલી છે. એને જ જ્ઞાની ભગવંતોએ દિપકપૂજાથી જ્ઞાન પ્રકાશ કહેલો છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની ભક્તિ કરતાં માગ્યા વગર જે સામગ્રો મલ્યા કરે એમાં વૈરાગ્ય ભાવની વૃધ્ધિ થયા કરે અને ભગવાનની ભક્તિ કરતાં અનુકૂળ સામગ્રી માંગીને મેળવો તો એ સામગ્રીથી આત્મામાં મોહનો અંધકાર વધે છે અને જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થાય છે. દિપક પૂજા કરતાં કરતાં મોહનો અંધકાર દૂર કરવાની શ્રધ્ધા રાખવી અને જે જીવોએ મોહનો અંધકાર દૂર કર્યો છે તેના ઉપર શ્રધ્ધા રાખવી એ આત્માની અનન્ય શક્તિને પેદા કરવામાં સહાયભૂત થાય છે. જૈન શાસનમાં ભક્તિ કરવા માટે ચાર નિક્ષેપાથી ભક્તિ કરવાનું વિધાન કરેલું છે. (૧) નામ નિક્ષેપાથી ભક્તિ થાય, (૨) સ્થાપના નિક્ષેપો, (૩) દ્રવ્ય નિક્ષેપો, (૪) ભાવ નિક્ષેપો. ભગવાનનું નામ સ્મરણ યાદ કરીને ભક્તિ કરવી તે નામ નિક્ષેપો. ભગવાનની મૂર્તિની સ્થાપના કરીને ભક્તિ કરવી તે સ્થાપના નિક્ષેપો. ભગવાનના ચ્યવન કલ્યાણ આદિની વિચારણા કરી ભક્તિ કરવી તે અથવા દ્રવ્યપૂજાથી ભક્તિ કરવી તે દ્રવ્ય નિક્ષેપો અને કેવલજ્ઞાન પામ્યા પછી કેવલી તરીકની ભક્તિ કરવી તે ભાવ નિક્ષેપો કહેવાય છે. એક એક નિક્ષેપાથી અનંતા અનંતા જીવો મોક્ષે ગયેલા છે પણ દરેક નિક્ષેપા ભાવપૂર્વકના હોય તો. નામ નિક્ષેપાથી નમો અરિહંતાણં બોલતા બોલતા તીર્થંકર થયેલાના દાખલા છે.
તમે દુઃખને ઇચ્છો છો ? ના. એટલે દુઃખને ઇચ્છતા નથી અને સુખને ઇચ્છો છો છતાં પણ સુખનો કાળ થોડો મલે છે એટલે થોડો પ્રાપ્ત થાય છે અને દુઃખનો કાળ ઘણો થાય છે એનું કારણ શું ? એની કોઇ દિ' વિચારણા કરી છે ? જ્ઞાનીઓ કહે છે કે સંસારના સુખની ઇચ્છા એજ મારા આત્માને દુઃખ આપનારી, દુઃખ વધારનારી, દુ:ખને પેદા કરનારી છે ! એમ યાદ કરો છો ?
દિપકપૂજા બાહ્ય અંધકાર અને આંતર અંધકારનો નાશ કરે છે જ્યારે જીવ દિપકપૂજા કરે ત્યારે જે બાહ્ય અંધકાર હોય છે તે દિપકના પ્રકાશથી નાશ પામતાં ત્યાં રહેલા પદાર્થો દિપકના પ્રકાશથી દેખાય છે. આંતર પ્રકાશમાં જેમ જેમ દિપકપૂજા જીવ કરતો જાય તેમ તેમ મોહનો અંધકાર નાશ પામતો જાય એની સાથે જ્ઞાનાવરણીય કર્મના ઉદયરૂપ અંધકાર નાશ પામતો જાય અને આત્મામાં જ્ઞાન-જ્ઞાન રૂપે પ્રકાશ પેદા થતો જાય છે. આત્મામાં મોહનો અંધકાર નાશ પામતો જાય છે. છતાં મોહનો ઉદય હોવા છતાં એ જ્ઞાન પ્રકાશને જ્ઞાન રૂપે રાખી શકે છે. અજ્ઞાન રૂપે થવા દેતું નથી આથી એ જ્ઞાન પ્રકાશથી જગતને વિષે જે Page 41 of 97
Page #42
--------------------------------------------------------------------------
________________
પદાર્થો જેવા સ્વરૂપે રહેલા હોય છે તેવા સ્વરૂપે ઓળખાવવામાં, સમજાવવામાં સહાયભૂત થાય છે ત્યારે જ્ઞાનપ્રકાશ થયો એમ કહેવાય. દિપકપૂજાથી જ્ઞાનનો પ્રકાશ કઇ રીતે થાય છે એ જણાવે છે. જેમ ભગવાનની ધૂપપૂજા કરતાં કરતાં શુધ્ધ પરિણામનો સમુદાય મિત્રાદ્રષ્ટિ તારાદ્રષ્ટિ રૂપે પેદા થતો જાય છે તેમ દિપકપૂજા કરતાં કરતાં એ શુધ્ધ પરિણામની સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં એટલે જ્ઞાન સમ્યકજ્ઞાન રૂપે બનતાં જગતમાં રહેલા પદાર્થો જેવા સ્વરૂપે કેવલજ્ઞાની એવા શ્રી અરિહંત પરમાત્માઓ પોતાના કેવલજ્ઞાનથી એ પદાર્થો જેવા સ્વરૂપે જગતમાં રહેલા છે એવા સ્વરૂપે જૂએ છે. એવા જ સ્વરૂપે એ પદાર્થો આ દિપકપૂજાથી જ્ઞાનના ક્ષયોપશમના પ્રકાશના કારણે એવા દેખાતા જાય છે. એટલે કે ગ્રહણ કરવા લાયક પદાર્થો ગ્રહણ કરવા લાયક દેખાય છે અને છોડવા લાયક પદાર્થો છોડવા લાયક રૂપે દેખાય છે. એટલે બલાદ્રષ્ટિ તેમજ દીખાદ્રષ્ટિનો પ્રકાશ આત્મામાં પેદા થતો જાય છે.
આથી દિપકપૂજાથી મોહનો અંધકાર નાશ પામતાં પામતાં જ્ઞાનાવરણીય કર્મનો અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામતો જાય છે. અજ્ઞાન રૂપ અંધકાર આત્મામાં એ રીતે રહેલો હતો કે ગ્રહણ કરવા લાયક પદાર્થો છોડવા લાયક રૂપે લાગતા હતા અને છોડલા લાયક પદાર્થો ગ્રહણ કરવા લાયક રૂપે લાગતા હતા એના બદલે જ્ઞાનનો પ્રકાશ જ્ઞાન રૂપે પેદા થતાં ગ્રહણ કરવા લાયક પદાર્થો ગ્રહણ કરવા લાયક રૂપે લાગવા માંડે છે અને છોડવા લાયક પદાર્થો છોડવા લાયક રૂપે લાગવા માંડે છે. આથી આ પ્રકાશના કારણે સંસારની સઘળી સાવધ પ્રવૃત્તિ એટલે પાપવાળી પ્રવૃત્તિઓ તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી લાગે છે. અને નિરવધ પ્રવૃત્તિ એટલે પાપ વગરની પ્રવૃત્તિઓ એ આત્મ કલ્યાણ કરનારી, સુખ આપનારી સુખની પ્રાપ્તિમાં સહાયભૂત કરનારી અંતરમાં લાગવા માંડે છે આથી અત્યાર સુધી અજ્ઞાનના કારણે સાવધ પ્રવૃ પ્રાણ ત્યાગ કરવાની તૈયારીવાળો હતો તે હવે ધર્મની પ્રવૃત્તિ માટે એટલે નિરવધ પ્રવૃત્તિ માટે પ્રાણ તજવાની તેયારીવાળો થાય છે. આજ દિપકપૂજાનું પ્રત્યક્ષ ળ ગણાય છે.
આ રીતે દિપકપૂજાથી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરતો કરતો અનંત ગુણ વિશુદ્ધિને પ્રાપ્ત કરતો કરતો તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી પાપની પ્રવૃત્તિ છે એમ માનતો થાય છે એટલે હવે એ જીવને એવો અધ્યવસાય એટલે પરિણામ પેદા થાય છે કે જે પરિણામ હજી સુધી સંસારમાં કોઇવાર પેદા થયો ન હોય એવો અપૂર્વ પરિણામ પેદા થાય છે અને એ પરિણામની સાથે સાથે પાપની પ્રવૃત્તિને જીવનમાં ચાલુ રાખનાર અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો દ્વેષ એ બન્ને ઉપર ભયંકર કોટીનો એટલે તીવ્રતમ રૂપે ગુસ્સો પેદા થાય છે જેને જ્ઞાની ભગવંતો અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ પ્રશસ્ત રૂપે કહે છે. એ પેદા થાય છે. આ પેદા થતાની સાથે જ પોતાના આત્મામાં જે ગ્રંથી રહેલી છે કે જે અનુકૂળ પદાર્થોના ગાઢ રાગનો પરિણામ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષનો પરિણામ કહેવાય છે. એ ગ્રંથીનો તરત જ ભેદ થાય છે. આ રીતે ગ્રંથી ભેદ થતાની સાથે જ અંતરમાં મોહનો અંધકાર જે હતો તેનો નાશ થયો એમ કહેવાય છે એટલે એ મોહનો અંધકાર આત્માને રાગાદિ પરિણામને આધીન બનાવીને પ્રવૃત્તિ કરાવતો. હતો તે હવે મોહનો અંધકાર નાશ પામતાં આત્મા રાગાદિ પરિણામને પોતાને આધીન બનાવે છે એટલે એ આત્માને જ્યાં રાગ કરવાનું મન થાય ત્યાં જ રાગ કરાવે છે. જ્યાં દ્વેષ કરવાનું મન થાય ત્યાં દ્વેષ કરાવે છે. એટલે પોતાના કહ્યાગરા રાગાદિ પરિણામ બને છે.
આ રીતે ભગવાનની દિપકપૂજા કરતાં કરતાં રાગાદિ પરિણામ પોતાના કહ્યાગરા બનતાં ભગવાના પ્રત્યે એવો સુંદર ભાવ પેદા થતો જાય છે કે અંતરમાં ભાવના વિચારોમાં થાય કે ભગવાન જગતના સ્વરૂપને પોતાના જ્ઞાનબળથી એટલે ક્ષાયિક જ્ઞાનથી જે રીતે જૂએ છે એ રીતે મને પણ દેખાતા જાય છે એટલે છોડવા
Page 42 of 97
Page #43
--------------------------------------------------------------------------
________________
લાયક પદાર્થો છોડવા લાયક રૂપે જાણવા લાયક પદાર્થો જાણવા લાયક રૂપે અને ગ્રહણ કરવા લાયક પદાર્થો ગ્રહણ કરવા લાયક રૂપે દેખાય છે એટલે જાણે છે. આ રીતે પદાર્થોને સૂક્ષ્મ બુધ્ધિથી જાણવાની શક્તિ પેદા થતાં અનંત ગુણ વિશુધ્ધ પરિણામની વૃધ્ધિ પેદા થતી જાય છે. આને જ જ્ઞાની ભગવંતો દિપકપૂજાનું આ કાળમાં પ્રત્યજ્ઞ જ્ઞાન રૂપે અથવા પ્રત્યક્ષ વિવેક બુધ્ધિ રૂપ ફ્ળ કહે છે. આવી વિવેક બુધ્ધિ જીવને પેદા થતી જાય અને એ વિવેક બુધ્ધિ હવે જીવને સમ્યક્ત્વ ગુણ પેદા કરાવ્યા વિના પાછી જશે નહિ એમ કહેવાય છે. આથી એમ કહેવાય છેકે જીવના અંતરમાં જેમ મોહનો અંધકાર નાશ પામે એમ જ્ઞાનાવરણીય કર્મનો અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામે છે માટે વિવેકની સાથે જ્ઞાનચક્ષુ પેદા કરે છે એટલે આત્મામાં વિવેક અને જ્ઞાનનો પ્રકાશ પેદા કરવામાં આ દિપકપૂજા ખુબજ લાભદાયી ગણાય છે. મોહનો અંધાપો જીવને પહેલા ગુણસ્થાનકે હોય છે. મોહનો ઉદય જીવોને એકથી દશ ગુણસ્થાનકમાં હોય છે. મોહનો અંધાપો જીવોને સંસાર વૃધ્ધિનું એટલે જન્મ મરણની પરંપરા વધારવાનું કારણ બને છે. જ્યારે મોહનો ઉદય જીવને ચોથા ગુણસ્થાનકથી હોવાથી સંસાર વૃધ્ધિનું કારણ બનતો નથી.
જીવનમાં દાનધર્મ, શીલધર્મ, તપધર્મ કરતા કરતા રાગાદિ મારા આત્માના શત્રુઓ છે એમ હૈયામાં પેદા ન થાય તો તે દાનાદિ ધર્મો સંસાર વૃધ્ધિનું કારણ થાય છે પણ સંસાર નાશનું કારણ બનતા નથી. પાપાનુબંધિ પુણ્ય બાંધવાનું કારણ બને છે. આવું પુણ્ય બાંધીને કરવું છે શું ? દેવલોક મલશે પછી શું ?
સંસાર ભ્રમણનો નાશ કરવા સમર્થ બનશે નહિ !
માટે જ્ઞાની ભગવંતો કહે છે કે દિપકપૂજાથી મોહના અંધકારના નાશથી વિવેક પેદા થાય અને જ્ઞાનાવરણીય કર્મના નાશથી અંધકાર નાશ થઇ સમ્યગજ્ઞાન પેદા થાય આથી રાગાદિ પરિણામ પોતાને સ્વાધીન બને છે.
આ રીતે ગ્રંથી ભેદ થાય ત્યારે અનુકૂળ પદાર્થ પ્રત્યેનો ગાઢ રાગ જે ચાર ઠાણીયા રસવાળો હોય છે તે બે ઠાણીયા રસવાળો બને છે અને એજ રીતે પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો દ્વેષ ચાર ઠાણીયા રસવાળો હોય છે તે બે ઠાણીયા રસવાળો થાય છે. આ રીતે ગ્રંથી ભેદ થયા પછી અક અંતર્મુહૂર્તમાં જીવો સમકીતની પ્રાપ્તિ કરે છે એટલે સૂક્ષ્મ બુધ્ધિથી તત્વોને જાણવાનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં જ છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા થાય છે જેને હેયમાં હેય બુધ્ધિ ઉપાદેયમાં ઉપાદેય બુધ્ધિ કહેવાય છે. અથવા કેવલજ્ઞાની ભગવંતો જગતમાં રહેલા પદાર્થો જેવા સ્વરૂપે હોય છે તેવા સ્વરૂપે જૂએ છે તે જ રીતે સમકીતી જીવોને પદાર્થો દેખાય છે એટલે જ્ઞાનથી જાણે છે. આજ દિપકપૂજાનું વાસ્તવિક રીતે આંતરિક ફ્ળ કહેવાય છે.
દિપકપૂજાના દુહામાં પણ કહ્યું છે કે
દ્રવ્ય દીપ સુવિવેકથી કરતાં દુઃખ હોય ફોક । ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાસિત લોકા લોક ||૧||
ભાવાર્થ :- સમ્યક્ વિવેક પુર્વક દ્રવ્ય દિપક કરતાં આવડે તો - સમ્યક
વિવેક એટલા માટે કહ્યો
છે કે દિપકપૂજા કરતાં દિપક ખુલ્લો રખાય નહિ ચારે બાજુ કાચથી ઢાંકેલો જોઇએ. જો એ ઢાંકેલો ન હોય તો દિપકપૂજા કરતાં ઉડતા ત્રસ જીવો પડીને એમાં મરી જાય તો એ જીવોની હિંસાનું પાપ લાગે છે માટે એ હિંસાથી બચવા માટે જ્ઞાની ભગવંતોએ સુવિવેક શબ્દ કહેલો છે.
આ રીતે સુવિવેક પૂર્વક દ્રવ્ય દીપ પ્રગટાવતાં સકામ નિર્જરા થાય છે. પુણ્ય બંધ વિશેષ થાય છે અને પાપબંધ અલ્પ થાય છે આથી દિપક પ્રગટાવવામાં અગ્નિ કાય જીવોની હિંસા હોવા છતાં એમાં હિંસા
Page 43 of 97
Page #44
--------------------------------------------------------------------------
________________
કરવાનો ભાવ ન હોવાથી સ્વરૂપ હિંસા રૂપે હિંસા કહેવાય છે માટે પાપ બંધ ઓછો ગણાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે એ દ્રવ્ય દીપ પ્રગટાવતાં જીવોને પેદા થતાં દુઃખો સઘળા ફોક થાય છે એટલે નાશ પામે છે. દુઃખો ફોક થાય છે એટલે આત્મામાં પેદા થતાં સંકલેશ ભાવરૂપ દુઃખો નાશ પામે છે.
સંકલેશ એટલે અનુકૂળ પદાર્થોને વિષે રાગ પેદા થવો રતિ પેદા થવી એ સંકલેશ કહેવાય છે અને પ્રતિકૂળ પદાર્થોના સંયોગોમાં દ્વેષ પેદા થાય અરતિ પેદા થાય એ પણ સંકલેશ કહેવાય છે.
આથી દ્રવ્ય દીપ પ્રગટાવતાં જીવોને પુણ્યના ઉદયથી સુખની એટલે અનુકૂળ સામગ્રી મળેલી હોય તેમાં રતિ ભાવ કે રાગ પેદા થવા ન દે પણ વૈરાગ્ય ભાવ પેદા કરાવવામાં અને પેદા થયેલા વૈરાગ્ય ભાવને
ટકાવવામાં સહાયભૂત થાય છે માટે એ જીવોના દુઃખો ફોક થાય છે એટલે નાશ પામે છે એમ કહેવાય છે. એવી જ રીતે જે જીવોને પાપના ઉદયથી દુ:ખો આવેલા હોય. પ્રતિકૂળતાઓ આવેલી હોય એ દુઃખો અને પ્રતિકૂળતાઓમાં દ્વેષ ભાવ કે અરતિ ભાવ પેદા થવાને બદલે સમતા ભાવ અને સમાધિ ભાવ પેદા કરાવે એટલે મેં પાપ કરેલા છે તે પાપના ઉદયથી દુ:ખો આવેલા છે માટે મારે પાપના નાશ માટે સારી રીતે વેઠ ોલેવા જોઇએ. માટે તે વેઠવાની, સહન કરવાની શક્તિ પેદા કરાવવામાં સહાયભૂત ભગવાનની દિપક પૂજા ઉપયોગી થાય એવો ભાવ રાખીને દુઃખોને સમતા રાખી સહન કરે તે દ્રવ્ય દિપકથી દુઃખો નાશ પામ્યા એમ કહેવાય છે એટલે સુખમાં વૈરાગ્ય ભાવ અને દુઃખમાં સમાધિ ભાવ પેદા કરાવે એ જ દુઃખોના નાશનું કારણ ગણાય છે.
દ્રવ્ય દિપકનું જેમ દુઃખોના નાશનું ફ્ળ જણાવ્યું એથી નિશ્ચિત થાય છે કે ભગવાન પાસે દુઃખના નાશ માટે એટલે જે કોઇ પ્રતિકૂળતાઓ પાપના ઉદયથી આવેલી હોય તેનો નાશ કરવા માટે જવાય નહિ પણ તે પ્રતિકૂળતાને સારી રીતે સહન કરી શકું સમતા ભાવ રાખીને સહન કરી શકાય એવી શક્તિ માગવા માટે જવાય એવી જ રીતે અનુકૂળ પદાર્થો મલ્યા કરે, વધ્યા કરે એ માટે ભગવાન પાસે જવાય નહિ પણ એ અનુકૂળ પદાર્થોમાં રાગ ન થાય, રતિ ન થાય અને વૈરાગ્ય ભાવ ટક્યો રહે એ શક્તિ પેદા કરવા માટે જવાય. આ રીતે દ્રવ્ય દિપકની પૂજા કરતાં કરતાં ભાવ દિપક આત્મામાં પેદા થતો જાય છે એમાં આત્મામાં ભાવ દિપક રૂપે શું અનુભૂતિ થાય એ જણાવે છે. આ રીતે વૈરાગ્ય ભાવ અને સમાધિ ભાવ આત્મામાં પેદા થતા જાય તેમ તેમ ભાવ દિપક રૂપે મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં વિવેક પેદા થતો જાય છે અન જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં સમ્યગજ્ઞાન પેદા થાય છે એટલે જ્ઞાન-જ્ઞાન રૂપે પરિણામ પામે છે અને એથી લોકને વિષે જે પદાર્થો જેવા સ્વરૂપે રહેલા હોય છે તે સ્વરૂપે એ પદાર્થો જણાય છે. એટલે કે પાંચ અસ્તિકાયના સમુદાયવાળો લોક કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ અસ્તિકાય કહેવાય છે.
અલોકાકાસ્તિકાય રૂપે એક અસ્તિકાય અલોકને વિષે હોય છે. પાંચ અસ્તિકાય રૂપે રહેલા લોકને વિષે જીવો અને પુદ્ગલો જે જે સ્વરૂપે રહેલા હોય છે તે સ્વરૂપે જણાય છે તે સમ્યજ્ઞાન કહેવાય છે આથી એ ભાવ દિપક પ્રગટ થતાં લોક તથા અલોકના જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ સમ્યગ્ રૂપે જીવને પેદા થાય છે તથા અલોક અનંતો રહેલો હોય છે એ પણ જ્ઞાન થાય છે આને લોકાલોક ભાસિતપણું કહેવાય છે. આ રીતે આત્મામાં જ્ઞાન પેદા થતું જાય અને લોકના પદાર્થો જણાતા જાય તે ભાવ દિપક રૂપે ગણાય છે. આ રીતે દ્રવ્ય દિપકની પૂજા કરતા કરતા ભાવ દિપક પેદા કરી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં જીવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ થઇ શકે છે. આ દિપકપૂજા કહેવાય છે.
Page 44 of 97
Page #45
--------------------------------------------------------------------------
________________
૬ - અક્ષતપૂજાનું વર્ણન
જન્મ કરતાં મરણની વેદના આઠગણી અધિક વધારે હોય છે કારણકે જન્મ વખતે આત્મપ્રદેશો વિસ્તાર પામે છે એટલે પહોળા થતા જાય છે જ્યારે મરણ વખતે આત્મપ્રદેશો સંકોચ પામે છે એટલેકે અંગુલના અસંખ્યાતમા ભાગમાં બધા આત્મપ્રદેશો સંકોચાઇને ભેગા થાય ત્યારે જીવ મરણ પામે છે.
જ્ઞાની ભગવંતો જે સુખની અનુભૂતિ કરે છે એના આનંદમાં તરબોળ બની સ્થરિતા પામતા જાય છે અને આનદ વધારતા જાય છે તેના અંશ રૂપે આંશિક એ જ્ઞાનની અનુભૂતિનો પ્રકાશ દિપકપૂજાથી જીવોને પેદા થઇ શકે છે. એને જ આંતર ચક્ષુના પડલો નાશ પામ્યા (ખુલ્યા) એમ કહેવાય છે.
જન્મ મરણની પરંપરા ઘટાડવી હોય તો અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ ઘટાડી શ્રી અરિહંતાદિ પ્રત્યે રાગ વધારવો જોઇએ.
અક્ષત પૂજામાં અક્ષત જ શાથી જોઇએ ? સફેદ ચીજ શા માટે ? કારણકે સિધ્ધ શીલાની પૃથ્વી સફેદ ટીકની કહેલી છે. જગતને વિષે ત્રણ ચીજો પીસ્તાલીશ લાખ યોજનની કહેલી છે. પહેલી સિધ્ધશીલાબીજી મનુષ્યલોક અને ત્રીજી પહેલી નારકીનો પહેલો નરકાવાસ. મનુષ્ય લોક પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળો હોવાથી મનુષ્યલોકમાંથી જ જીવો પુરૂષાર્થ કરીને સિધ્ધિગતિમાં જાય છે માટે ઉર્ધ્વલોકમાં લોકના અગ્રભાગે સિધ્ધશીલા નામની પૃથ્વી પણ પીસ્તાલીશ લાખ યોજનની કહેલી છે. પીસ્તાલીશ લાખ યોજન મનુષ્ય લોકમાંથી કોઇ એવી તસુભાર જેટલી જમીન બાકી નથી કે જે જમીન ઉપરથી અત્યાર સુધીમાં અનંતા અનંતા જીવો મોક્ષે ગયેલા ન હોય અર્થાત્ દરેક જમીન ઉપરથી અનંતા જીવો મોક્ષે ગયેલા છે.
સફેદ પદાર્થો આંખ સામે રાખીને ધ્યાન ધરવામાં આવે તો એ ધ્યાનમાં એકાગ્રતા પેદા થતી જાય છે. વધતી જાય છે અને ચિત્તની પ્રસન્નતા પેદા થતી જાય છે માટે સફેદ ચીજ અક્ષત રૂપે લેવાના કહેલા છે. તથા ડાંગર હંમેશા દુનિયાના વહેવારમાં પણ મંગલ રૂપે કહેલ છે. કોઇપણ શુભકાર્ય કરવું હોય તો તે કાર્યની સફ્ળતા માટે-નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે ડાંગર સામેથી મલે અથવા ડાંગરના દર્શનથી શરૂ કરે તો શુભકાર્ય સારી રીતે પૂર્ણ થાય એમ કહેવાય છે. એમ અહીંયા પણ ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાન જે સુખની અનુભૂતિ કરે છે એ પ્રાપ્ત કરવા માટે, શુભ કાર્ય તરીકે ગણાતુ હોવાથી એની સફ્ળતા વિઘ્ન વગર સારી રીતે પ્રાપ્ત થાય એ હેતુથી મંગલ રૂપે ડાંગર એટલે ચોખાનો ઉપયોગ થાય છે. આથી એ ચોખામાં જેટલી સદી વધારે એટલી સિધ્ધપણાના સુખની એકાગ્રતા વધારે પ્રાપ્ત થાય તથા ચોખા એટલે અક્ષત જોઇએ અને તે પણ અખંડ જોઇએ શાથી ? તો જ્ઞાનીઓ કહે છે કે સિધ્ધિ ગતિનું સુખ જોઇએ છે તે અખંડ રૂપે પ્રાપ્ત થાય પણ ખંડિત નહિ. માટે અખંડ ફ્ળ મેળવવા માટે અક્ષત પણ અખંડ જોઇએ અખંડનો ભાવ જ્ઞાની ભગવંતો એ કહે છે કે હુ જેવા ભાવથી હે ભગવન્ ! આપની ભક્તિ કરું છું એ ભક્તિના ફ્ળ સ્વરૂપે જ્યાં સુધી સિધ્ધિ ગતિનું સુખ ન મલે ત્યાં સુધી સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાપણાને પ્રાપ્ત કરતો રહું એટલે કે એ સન્નીપણામાં આરાધના કરતા કરતા સિધ્ધિગતિના સુખને નજીક બનાવીને સંપૂર્ણ પ્રાપ્ત કરતો થાઉં માટે સન્ની પર્યાપ્તાપણું અખંડ રૂપે સાધના કરવા મને મલ્યા કરો એ ભાવ રહેલો છે. જો એકવાર સન્ની પર્યાપ્તપણાને પ્રાપ્ત થાઉં અને પાછો વચમાં અસન્નીપણાનો અસંખ્યાતો કે અનંતોકાળ પ્રાપ્ત થાય તો અખંડ સાધના કરવી છે તે થઇ શકતી નથી અને આરાધના ખંડિત થઇ જાય છે એ આરાધના ખંડિત ન થાય માટે
Page 45 of 97
Page #46
--------------------------------------------------------------------------
________________
અખંડ અક્ષતથી પૂજા કરતાં જ્યાં સુધી સિધ્ધિ ગતિ ન મલે ત્યાં સુધી સંસારમાં પણ અખંડ રૂપે સન્ની પર્યાપ્તપણાને પ્રાપ્ત કરતો થાઉં એ માગણી કરાય છે. એ સન્ની પર્યાપ્તપણા રૂપે ભલે નરક ગતિ મલો એની મને ચિંતા નથી કારણકે નરકગતિના દુઃખોમાં પણ સમાધિ ભાવ ટકાવી સકામ નિર્જરા પેદા કરતા કરતા મનુષ્યપણાને પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે જો નારકીના ભવને બદલે અસન્નીપણાના એકેન્દ્રિયાદિપણામાં પેદા થાય તો ત્યાં દ્રવ્ય મન ન હોવાથી દુઃખના કાળમાં દીનતા થયા જ કરે છે પણ સમાધિ ભાવ ટકી શકતો નથી માટે એ કાળમાં દુઃખમાં દીનનાં સંસ્કાર દ્રઢ થતાં કરેલી આરાધના મોટે ભાગે નિફ્ળ બને છે અને પછી એ દુઃખને વેઠતા વેઠતા નવેસરથી અકામ નિર્જરા કરીને પુણ્ય ભેગું કરતો જાય અને જ્યારે અનંતુ પુણ્ય ભેગું થાય ત્યારે ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મ મલે છે એમાં ખંડિત ફ્ળ કહેવાય છે. એવું ખંડિત ફ્ળ હવે મારે જોઇતું નથી. મારે તો અખંડિત ફ્ળ જ જોઇએ છે માટે અખંડ અક્ષતથી પૂજા કરવા આવેલ છું એવી જ રીતે સન્નીપણાનો, નારકીને બદલે દેવલોકનો ભવ મલે તો ત્યાં દેવલોકમાં પણ અહીંની કરેલી અખંડ આરાધનાના પ્રતાપે વૈરાગ્ય ભાવ સાથે લઇને જતાં સુખના કાળમાં જીવન જીવી શકાય છે અને એ દેવલોકના સુખના કાળમાં વૈરાગ્ય ભાવ રાખીને જીવન જીવે તો પણ એ જીવો સન્ની પર્યાપ્તા હોવાથી સકામ નિર્જરા સાધી શકે છે અને પોતાની આરાધનામાં આગળ વધી શકે છે માટે તે અખંડ ફ્ળ કહેવાય છે. આજ રીતે સન્ની પર્યાપ્તા તિર્યંચમાં ગયેલા જીવો કે જે જીવોએ પહેલા તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય અને પછી પાછળથી અક્ષત પૂજા ભાવથી કરતાં કરતાં અખંડ ફ્ળ રૂપે જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી સન્ની પર્યાપ્તાપણાના અનુબંધ બાંધતા જાય તો તે જીવો સુખમાં વૈરાગ્ય ભાવ અને દુઃખમાં સમાધિ ભાવ પેદા કરીને તિર્યંચમાં જાય તો તે તિર્યંચપણામાં પુણ્યના ઉદયથી જે સુખની સામગ્રી મલે તેમાં વૈરાગ્ય ભાવ જાળવીને અને પાપના ઉદયથી દુ:ખ આવ તો દુઃખમાં સમાધિ ભાવ ટકાવીને જીવન જીવતાં પોતાના આત્માનું કલ્યાણ સાધતા જાય છે. એવી જ રીતે મનુષ્યપણામાં અક્ષત પૂજા કરતાં કરતાં અખંડપણે સુખમાં લીન થવા રૂપે અને દુઃખમાં દીન થયા વગર સુંદર રીતે આરાધના કરતા કરતા પોતાના આત્માનું કલ્યાણ કરતા જાય છે.
આથી જ્ઞાની ભગવતો કહે છે કે જો ભાવપૂર્વક અક્ષત પૂજા કરતા આવડે તો અક્ષત પૂજાથી મનના શુધ્ધ પરિણામોને અખંડપણે જાળવી શકે છે તેમજ ચિત્તની પ્રસન્નતા જેમ જેમ પેદા થતી જાય તેને પણ અખંડ પણે જાળવીને પોતાના આત્માને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે તે સંસારનો કાળ અસન્નીપણાનો એટલે ખંડિત રૂપ પ્રાપ્ત ન થાય એની કાળજી રાખીને સન્નીપણાના કાળને અખંડ રીતે પ્રાપ્ત કરતા કરતાં કલ્યાણના માર્ગમાં આગળ વધતા પોતાના આત્માનું કલ્યાણ સાધતા જાય છે.
જેમ પૃથ્વીચન્દ્ર, ગુણ સાગરના જીવો પોતાના જીવનમાં એવી રીતે આરાધના કરતા કે જે આરાધનાના પ્રતાપે જ્યારે જ્યારે જે જે ભવમાં સુખની સામગ્રી મલતી ત્યારે વૈરાગ્યભાવ જાળવીને પોતાનું જીવન જીવતા જે જે ભવમાં દુ:ખની સામગ્રી મલતી તો તે દુ:ખની સામગ્રીમાં પોતાના પાપના ઉદયથી માનીને સમાધિપૂર્વક દુ:ખ ભોગવતા હતા આવા પરિણામના યોગે એકવીશ ભવ સુધી સંસારમાં રહ્યા પણ સન્ની પર્યાપ્તાના ભવો સિવાય બીજા ભવોને પામ્યા નથી એટલે અસન્નીપણાના ભવોને પામ્યા નથી એજ અક્ષત પૂજા ભાવપૂર્વક કરી એનું અખંડ ફ્ળ કહેવાય છે એવી જ રીતે શ્રીપાલ અને મયણાના જીવે પોતાના જીવનમાં જે અક્ષતપૂજાથી આરાધના કરી એના પ્રતાપે નવ ભવ સુધી સંસારમાં રહ્યા પણ એકેન્દ્રિયાદિ અસન્નીપણાના ભવને પામ્યા વગર સન્નીપણાના ભવને પામતા પામતા પોતાના આત્માનું કલ્યાણ સાધી
ગયા.
Page 46 of 97
Page #47
--------------------------------------------------------------------------
________________
આથી નિશ્ચિંત થાય છેકે જ્યાં સુધી જીવ મોક્ષમાં ન જાય ત્યાં સુધી સન્ની પર્યાપ્તપણાના ભવોની પ્રાપ્તિ જોઇતી હોય અને વચમાં અસન્નીપણાના ભવને પ્રાપ્ત ન કરવા હોય તો સુખની લીનતા અને દુઃખની દીનતાનો નાશ કરવો જોઇએ. એટલે સુખની સામગ્રોમાં વૈરાગ્ય ભાવ અને દુ:ખની સામગ્રીમાં સમાધિ ભાવ પેદા કરવો જોઇએ અને એ રીતે જીવન જીવાય તોજ એ જીવન સમાધિમય ગણાય છે અને એવું જીવન જીવવાથી મરણ પણ સમાધિપૂર્વકનું પ્રાપ્ત થાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે એકવાર સમાધિમરણ જીવને પ્રાપ્ત થાય અને કોઇ નિકાચીત કર્મો પૂર્વે બાંધેલા સત્તામાં રહેલા ન હોય તો નિયમા સંખ્યાતા ભવોમાં જીવની મુક્તિ થાય છે.
તો અક્ષત પૂજા કરવામાં શુધ્ધ અક્ષત તથા અખંડ ગ્રહણ કરીને કરવા માટે જ્ઞાનીઓ વિધાન કરે છે એ અક્ષતને થાળીમાં ગ્રહણ કરી થાળી બે હાથે ઝાલી અક્ષતપૂજાનો દુહો બોલી ભગવાનની સામે થાળી ત્રણવાર ઉતારી પછી એ થાળીના ચોખાથી પાટલા ઉપર પાંચ ઢગલી કરવાનું વિધાન કહેલ છે. તેમાં પહેલી ઢગલી નીચેની પછી વચલી ત્રણ ઢગલી અને પછી પાંચમી ઢગલી ઉપરના ભાગમાં કરવાનું વિધાન છે.
નીચેની જે ઢગલી પાટલા ઉપર કરેલી છે તેનો સાથીયો કરે. સાથીયાના ચાર પાંખીયા થાય છે એ ચારે પાંખીયા કરતાં મનમાં વિચાર કરે છે કે અનાદિ કાલથી આ જીવ આ ચારેય ગતિરૂપ સંસારમાં એટલે નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ અને દેવગતિ રૂપ જે સંસાર એમાં ભટક્યા જ કરે છે, ર્ડા જ કરે છે. આ ચારેય ગતિરૂપ સંસારમાં સુખ કોઇગતિમાં નથી દરેક ગતિ દુઃખથી ભરેલી છે. તેમાં નરક ગતિમાં રહેલા જીવોને તે નારકીના ક્ષેત્રમાં ઉત્પન્ન થતાની સાથે જ એકાંતે ક્ષેત્ર જન્ય દુઃખ દુઃખ અને દુઃખ હોય છે ત્યાં રહેલા નારકીના જીવો પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી બચાવો-બચાવોની રાડો પાડ્યા કરે છે તથા અહીંથી મરીને ક્યારે બીજે જતો રહું ? એ વિચારણાઓ તથા એવા પ્રકારના ભયંકર કોટિના ખરાબ શબ્દોનો અવાજ બોલ્યા જ કરે છે. ( ચાલ્યા જ કરે છે.) એક ક્ષણ પણ એ અવાજ વગરનો કાળ પસાર થતો નથી. એમાં ઓછામાં ઓછું એકવાર જીવને નારકી રૂપે ઉત્પન્ન થયા પછી દશ હજાર વરસ તો રહેવું જ પડે છે અને વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમ કાળ સુધી રહેવું જ પડે છે અને અનેક પ્રકારની વેદના વેઠવી જ પડે છે.
તિર્યંચગતિમાં રહેલા મોટા ભાગના જીવો મન વગરના-વાચા વગરના એક માત્ર પોતાના શરીરની સાથે સ્પર્શેન્દ્રિયવાળા હોય છે એ જીવોને દુઃખની વેદના ભયંકર કોટિની હોય છે છતાં પણ આ જીવોને જે વેદના હોય છે તે દ્રવ્યમન અને વાચા વગરના હોવાથી પોતાની વેદના વ્યક્ત કરી શકતા નથી પણ અવ્યક્તપણે (બે ભાન અવસ્થાની જેમ) ભોગવ્યા કરે છે છતાં પણ આ જીવોને આવી ભયંકર વેદનામાં પણ કાંઇક પોતાના શરીરને અનુકૂળ આહારના પુદ્ગલો મલે એટલે એમાં રાજીપો કરી કરીને પોતાના દુઃખની વેદના એ ક્ષણિક રાજીપાના સુખમાં ભુલી જાય છે અને એ રાજીપાવાળા પુદ્ગલોની ઇચ્છા તથા આશામાં જ એ દુઃખની વેદના વેઠે છે અને પોતાનો જઘન્યથી એક અંતર્મુહૂર્તનો-સંખ્યાતો કાળ-અસંખ્યાતો કાળ અને અનંતો કાળ પસાર કર્યા જ કરે છે. કેટલાક થોડા ઘણાં જીવોને દ્રવ્ય મન ન હોવા છતાં થોડી ઘણી વાચા હોવાથી એ વાચાને આધીન થઇ આહારાદિ મેળવવા એટલે કે પોતાને વાચા આદિને અનુકૂળ આહાર આદિના પુદ્ગલો મેળવવા માટે એક સ્થાનેથી બીજા સ્થાને ફરતા ફરતાં જે કાંઇ દુઃખો આવે એ દુઃખોને ભોગવ્યા કરે છે અને એમાં કેટલીક વાર પોતાના પ્રાણોથી રહિત પણ થઇ જાય છે કોઇ જીવો પોતાના સંપૂર્ણ પ્રાણો નાશ ન થાય તો ખોડ ખાંપણ વાળા થઇને પણ અનુકૂળ આહારાદિની આશામાં ફ્ક્ત કરે છે એમાં જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કરતા કરતા ફ્ય
Page 47 of 97
Page #48
--------------------------------------------------------------------------
________________
કરે છે જે જીવોને બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસન્ની પંચિન્દ્રિય જીવો કહેવાય છે એમાં કેટલાક જીવો દ્રવ્યમન, વચન, કાયાવાળા હોય છે તે જીવોમાં વિશેષ રીતે આહાર સંજ્ઞાની પ્રધાનતાને આધીન થઇ આહારની શોધ માટે સ્થંકરે છે અને પોતાનો જીવન કાળ અડધા ભૂખ્યા અને અડધા તરસ્યા રૂપે પસાર કર્યા જ કરે છે અને જ્યાં જાય ત્યાં આહાર માટે પોતાનું મોટું જ્યાં ને ત્યાં નાંખ્યા જ કરે છે જે જીવોને સન્ની પંચેન્દ્રિય તિર્યંચો કહેવાય છે.
આ સન્ની તિર્યચોમાં થોડા ઘણાં તિર્યંચોને પૂર્વભવનું જ્ઞાન પેદા થતાં એટલે જાતિ સ્મરણ જ્ઞાન પેદા થતાં પોતાનો પૂર્વ ભવ જોતાં પોતે કરેલી વિરાધના તથા પાપને જોતાં એ તિર્યંચના ભવમાં સજાગ થઇ પોતાના આત્માના કલ્યાણના માર્ગે ચાલતા થાય છે કેટલાક કોઇ મહાપુરૂષોના પરિચયથી એમની વાણી સાંભળતા કલ્યાણના માર્ગે ચઢે છે કેટલાક તપશ્ચર્યા કરતા કરતાં અવધિજ્ઞાનની પ્રાપ્તિ કરીને કલ્યાણના માર્ગે ચઢે છે આથી ત્યાં પણ એ જ્ઞાનની પ્રાપ્તિમાં ભગવાનના શાસનની આરાધના જ એમાં કામ લાગે છે. આથી તિર્યંચ ગતિમાં મોટા ભાગે દુ:ખ અને થોડાકાળ માટે વચમાં વચમાં ક્ષણિક સુખ પ્રાપ્ત કરીને તિર્યંચગતિમાં જીવો ભટક્યા કરે છે પણ ઠરેઠામ થઇ શકતા નથી.
ત્રીજા પાંખિયાની (સાથીયાના ત્રીજા પાંખીયાની) મનુષ્ય ગતિ ગણાય છે જેમાં અત્યારે વર્તમાનમાં આપણે રહેલા છીએ એ મનુષ્યનું શરીર પણ સાત ધાતુઓથી ભરેલું છે. રસ-રૂધિર એટલે લોહી, માંસ, મેદ, અસ્થિ = હાડકા, મજ્જા એટલે ચરબી અને શુક્ર એટલે વીર્ય. આ રીતે સાત ધાતુઓની દુર્ગધથી ભરેલું છે એના ઉપર એક મટેલી એટલે ચારે બાજુથી ચામડીનું પડ છે એમાં એ ચામડીનાં સાત પડો આવેલા છે એનાથી મઢેલું હોવાથી એ ચામડીના પગના પ્રતાપે જીવોને રાગ-દ્વેષ થયા કરે છે, જોવું ગમે છે તથા એ મનુષ્યના શરીરમાં એ સાતે ધાતુને સમતોલ પણે સરખાપણું જાળવી રાખવા માટે વાયુ-પીત્ત અને કફ્તી. ગોઠવણ હોય છે જે ત્રણેયને સરખે ભાગે રાખવા મનુષ્યોને રોજ એના શરીરની ચિંતા વિચારણા કરી કરીને જીવે તો સરખું રહે છે એમાં પણ કોઇવાર વાયુ વધી જાય, કોઇવાર પીત્ત વધી જાય, કોઇવાર કફ વધી જાય તો અનેક પ્રકારની ઉપાધિ પેદા કર્યા જ કરે છે આથી આવા શરીરની ચિંતા વગર મોટે ભાગે જીવ જીવી શકતો નથી. આટલં પરાધીનપણાનું દ:ખ હોવા છતાં પણ જીવોને શરીરને અને ઇન્દ્રિયને અનુકૂળ આહારના પદાર્થો મલે એટલે એમાં રાગ કરી કરીને પરાધીનપણું વધારતા જાય છે અને પ્રતિકૂળ આહારના પદાર્થો મલે તો તેમાં દ્વેષ કરી કરીને પરાધીનપણું વધારતા જાય છે છતાં જીવો અનુકૂળ પદાર્થોની આશામાં એ પરાધીનતાનું દુ:ખ ભૂલીને જરૂર મારે જોઇએ છે તે સુખ મલશે એમ માનીને પોતાના મનુષ્યપણાનો કાળ પસાર કરે છે પણ પરાધીનતા દૂર કરીને સ્વાધીનતાને પ્રાપ્ત કરું એવા વિચારો પેદા થવા દેતા નથી અને અનુકૂળ પદાર્થો મેળવવા, ભોગવવા, સાચવવા, ટકાવવા ન ચાલ્યા જાય એની કાળજી રાખવામાં પ્રયત્ન કરતા કરતા પોતાનો કાળ પૂર્ણ કરે છે અને એવા પરાધીનપણાના દુ:ખમાં સુખ માનીને પોતાની જીંદગી મોટે ભાગે દુ:ખમાં પસાર કરે છે અને આના કારણે અનેક પ્રકારના રાગાદિ પરિણામો ક્રોધાદિ કષાયો પેદા કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે.
કેટલાક થોડા ઘણાં જીવો. આવી પરાધીનતાને જાણીને એ શરીર આદિની પરાધીનતાથી છુટી સ્વાધીનતા પેદા કરવા માટે સમજણના ઘરમાં આવવા પ્રયત્ન કરી સમજણ પ્રાપ્ત કરી એમાં ગમે તેટલા વિપ્નો આવે તો વિપ્નોના સારી રીતે સામનો કરીને સંપૂર્ણ પરાધીનતાનો નાશ કરી અશરીરી બની સદા માટેનું પોતાનું કલ્યાણ સાધી લે છે આથી મનુષ્યગતિમાં ઘણું દુઃખ અને વચમાં વચમાં થોડું થોડું ક્ષણિક સુખા જીવોને મલ્યા કરે છે. સાથીયાની ચોથી પાંખડી દેવગતિ રૂપે સુચવે છે એ દેવગતિમાં પણ દુ:ખ દુ:ખ અને
Page 48 of 97
Page #49
--------------------------------------------------------------------------
________________
દુ:ખ જ હોય છે કારણકે ત્યાં અસંખ્યાતા કાળ સુધી કે સંખ્યાતા કાળ સુધી રહ્યા પછી કોઇપણ દેવને કાયમ રહેવાનું મન થાય તો પણ રહી શકતા નથી પોતાનું આયુષ્ય પૂર્ણ થવા આવે એના થોડા કાળ પહેલા મારે જવાનું છે. એ યાદ આવતાં જ એ સામગ્રીને મૂકીને જવાના વખતને જૂએ એટલે એટલો બધો દુ:ખી બને છે કે જેના કારણે દેવીઓ બોલાવે નહિ. દેવીઓ ઇચ્છે નહિ કોઇ એને આવકાર આપે નહિ અને જે સામગ્રીમાં રહ્યો તેને મુકીને જતાં અંતરના ટુકડા થઇ જાય એવી વેદના પેદા થતી જાય છે. માથા પછાડે, પગ પછાડે એ પદાર્થોને ભેટી પડે ઇત્યાદિ અનેક પ્રકારની વેદનાઓ રહેલી છે તથા જ્યાં દેવગતિમાં દેવરૂપે ઉત્પન્ન થાય
ત્યાં જ સાથે રહેલા દેવતાઓ એક બીજાની બધ્ધિ સિદ્ધિની સામગ્રી જોઇ જોઇને દુ:ખી થયા કરે છે, ઇર્ષ્યા કર્યા કરે છે અને ત્યાં નિયમ હોય છે કે ઉત્પન્ન થતાં જેટલી સામગ્રી મલી હોય તેમાં વધારો પણ થાય નહિ અને ઘટાડો પણ થાય નહિ એમાં પોતાની આજુબાજુ દુશ્મનના જીવો હોય અને પોતાના કરતાં અધિક સામગ્રીવાળા હોય તો તેઓને જોઇને આખી જીંદગી ઇર્ષાની આગમાં કાળ પસાર કરે છે તેમજ ઇન્દ્રની આજ્ઞાની પરાધીનતા પણ ત્યાં જોરદાર કડક રૂપે હોય છે. એક બીજા બલવાન દુશ્મન દેવો એની દેવીઓને ઉપાડીને ભાગી જાય અને કાંઇ ન કરી શકે એવા અનેક પ્રકારના તોફાનો ત્યાં રહેલા હોય છે માટે જ્ઞાની ભગવંતો દેવગતિને પણ દુ:ખરૂપ કહે છે. એક માત્ર એટલું હોય છે કે ત્યાં કમાવાની મહેનત કરવાની નહિ તથા ખાવા પીવાનું નહિ. મન થાય કે એવો જ ઓડકાર આવી જાય જેથી એ પદાર્થની તૃપ્તિનો અનુભવ થઇ જાય. આ સિવાય ત્યાં પણ ઘણાં દુઃખો હોય છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે દેવગતિમાં પણ સુખ નથી. આ રીતે દેવગતિમાં દુ:ખ હોવા છતાં થોડા જીવો એવા હોય છેકે જે સમજણના ઘરમાં રહીને પોતાનો કાળા પસાર કરતાં પોતાના આત્માનું કલ્યાણ થોડું ઘણું કરી શકે છે.
આથી સાથીયો કરીને જીવ ભગવાન પાસે માગણી કરે છે કે આવી ચારે ગતિ દુ:ખથી ભરેલી છે. એ દુ:ખનો નાશ કરવા અશરીરી બનવા ચારે ગતિને ચૂરવા એટલે નાશ કરવા માગણી કરે છે કે હે ભગવાન ! આવા અનેક પ્રકારના દુઃખોથી ભરેલી ચારે ગતિથી મને જલ્દી છૂટવાની શક્તિ આપો એ માગણી કરીને સાથીયો કરે છે. સાથીયાની જગ્યાએ નંદાવર્ત સાથીયો પણ બનાવાય છે તેમાં ચારે ગતિમાં અનેક બીજી શેરીઓ પ્રશેરીઓ આદિ રહેલી છે એમાં પરિભ્રમણ કરતા કરતા દુ:ખ વેઠતા વેઠતા હું થાકી ગયો છું માટે એનાથી જલ્દી છોડાવ અથવા છૂટવાની શક્તિ આપ એ માટે નંદાવર્ત સાથીયો કરે છે. (કરાય છે.)
આ રીતે સાથીયો કરી ચારે ગતિના દુઃખોને જાણ્યા પછી એ દુ:ખોથી છૂટવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણેની માગણી કરવા ત્રણ ઢગલીઓ કરે છે. અથવા કેટલાક દર્શન, જ્ઞાન, ચારિત્રની ત્રણ ઢગલી કહે છે.
ચાર ગતિના દુ:ખનું વર્ણન જાણ્યા પછી ચારે ગતિમાંથી એકેય ગતિમાં જીવને રહેવાનું મન થતું નથી પણ એ ચાર સિવાયની પાંચમી સિધ્ધિ ગતિમાં જવાનું મન થાય છે અને એ સિદ્ધિ ગતિમાં આ શરીર લઇને જવાતું નથી. શરીરનો સર્વથા નાશ થાય પછી જ જીવ સિદ્ધિ ગતિમાં જાય છે. આથી અશરીરી બનવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર જોઇએ. અંતરમાં પુરૂષાર્થ કરીને જીવ જેટલું જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રાપ્ત કરીને એને લાંબાકાળ સુધી ટકાવી રાખવા પ્રયત્ન કરી એમાંથી ક્ષાયિક ભાવે પ્રાપ્ત કરે ત્યારે અશરીરી બની શકે છે. એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રાપ્ત કરવા માટે ભગવાનની ભક્તિની આરાધના આરાધક ભાવ પેદા કરીને કરવા માંડે તોજ જીવો જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરી શકે છે. એ આરાધક ભાવ પેદા કરવા માટે (૧) ક્ષમાં ગુણ, (૨) ઇન્દ્રિયની સંયમતા અને (૩) સમતા ભાવ. આ ત્રણ ગુણો જોઇએ છે. કારણ કે જ્યાં સુધી જીવોના અંતરમાં ક્રોધાદિ કષાયો હોય છે ત્યાં સુધી અરિહંત પરમાત્મા પ્રત્યે શ્રધ્ધા
Page 49 of 97.
Page #50
--------------------------------------------------------------------------
________________
પેદા થતી નથી એટલે કે અરિહંત પરમાત્માનું સુખ એજ સાચું અને ઇષ્ટ સુખ છે અને એ સુખ જ ખરેખર મારા આત્માનું સુખ છે એ સુખને નહિ ઓળખવા દેવામાં આ ક્રાધાદિ કષાયો એજ અંતરાય રૂપ અથવા વિપ્ન રૂપ થાય છે આથી એ ક્રોધાદિનો જેટલો ઉપશમ કરી ક્ષમાં ગુણ પેદા કરતો જઇશ એટલું જ મારા આત્મામાં રહેલા ઇષ્ટ સુખને મેળવવાની શ્રધ્ધા થશે અને એ ઇષ્ટ સુખ એજ સાચુ સુખ છે માટે જેમ બને તેમ મારે ક્રોધાદિ કષાયને આધીન થયા વગર ક્ષમાં ગણને પેદા કરીને જીવન જીવતા થવું જોઇએ કારણ કે મારો પોતાનો ધર્મ ક્રોધ કરવો એ નથી પણ ક્ષમાં ગુણ રાખીને જીવન જીવવું એજ મારો ખરો ધર્મ છે એમ માનીને જેમ જેમ ક્ષમા ગુણને પેદા કરવાનો પ્રયત્ન કરે તેમ તેમ સિદ્ધિગતિ પ્રત્યે સિદ્ધિ ગતિના સુખ પ્રત્યેની શ્રધ્ધા મજબૂત થતી જાય છે આથી સુખની સાચા સુખની શ્રધ્ધા કરાવવામાં ક્ષમાં ગુણ સહાયભૂત થાય છે.
આ રીતે ઇષ્ટ સુખની શ્રધ્ધા પેદા થતી જાય તેમ તેમ એ ઇષ્ટ સુખ કેવું છે ? એ જાણવાની જિજ્ઞાસા. પેદા થાય તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયોની સંયમતા ગુણ જોઇએ છે. જ્યાં સુધી જીવો ઇન્દ્રિયોને આધીન થઇને એટલે અનકુળ પદાર્થોમાં ઇન્દ્રિયોને જોડીને જીવન જીવતા હોય છે અને પ્રતિકૂળ પદાર્થોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડીને જીવન જીવતા હોય છે ત્યાં સુધી ઇષ્ટ સુખનું જ્ઞાન પેદા થઇ શકતું નથી.
ઇન્દ્રિયોનું સુખ વાસ્તવિક રીતે સુખ નથી પણ એકાંતે દુ:ખ રૂપ-દુ:ખ ફ્લેક અને દુઃખાનુબંધિ રૂપે છે એમ જ્યારે ઇન્દ્રિયોની સંયમતા કરવાનો પ્રયત્ન કરતો જાય ત્યારે સમજાય છે એ સમજણ પેદા થાય એટલે ઇષ્ટ સુખનું જ્ઞાન અંતરથી પેદા થતું જાય છે એ સમ્યકજ્ઞાન કહેવાય છે. આ રીતે ક્ષમાં ગુણથી શ્રધ્ધા ઇન્દ્રિયની સંયમતાથી સમ્યકજ્ઞાન પેદા થતું જાય સ્થિર થતું જાય એમ સમતા ગુણથી એટલે સમતા ભાવથી એ આંશિક એટલે ઈષ્ટ આંશિક સુખની અનુભૂતિ થયેલી હોય એની સ્થિરતા પ્રાપ્ત થાય છે એ સ્થિરતા લાંબાકાળ સુધી ટકી રહે એ ચારિત્ર કહેવાય છે. આથી ક્ષમા ઇન્દ્રિયની સંયમતા અને સમતા ભાવ ગુણો આત્મામાં ક્ષયોપશમ ભાવે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણ ગુણોને પેદા કરીને એની સ્થિરતા લાવે છે અને આ રીતે ક્ષયોપશમ ભાવે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સ્થિરતા પ્રાપ્ત કરતાં કરતાં જો સારો કાળ હોય તો જીવો પુરૂષાર્થ કરીને ક્ષાયિક ભાવે સમકીત પામે છે એટલે ક્ષાયિક ભાવે શ્રધ્ધા પેદા કરે છે એનાથી પછી ક્ષપક શ્રેણિ માંડીને મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરીને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને પછી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને ક્ષાયિક ભાવે જ્ઞાન એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય ક્ષાયિક ભાવે પેદા કરે એટલે જીવા શરીરનો નાશ કરીને પોતાના આત્માને અશરીરી બનાવીને સિદ્ધિ ગતિમાં પહોંચાડે છે એટલે સિદ્ધિ ગતિમાં જીવનો વાસ થાય છે એમ કહેવાય છે. આજ અક્ષતપૂજાનું ફળ કહેલું છે. દુહા :
શુધ્ધ અખંડ અક્ષત ગ્રહિ નંદાવર્ત વિશાલ I. પૂરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકલ જંજાલ IIII અક્ષત પૂજા કરતાં થકાં સદ્દ કરૂં અવતાર | ળ માગું પ્રભુ આગળ તાર તાર મુજ તાર ||રા સંસારિક ફળ માગીને રઝળ્યો બહુ સંસાર | અષ્ટ કર્મ નિવારવા માંગુ મોક્ષફળ સાર ll3II
Page 50 of 97
Page #51
--------------------------------------------------------------------------
________________
ચિંહુગતિ ભ્રમણ સંસારમાં જન્મમરણ જંજાળ ! પંચમ ગતિ વિણ જીવને સુખ નહિં બિહંકાળ III
દર્શન જ્ઞાન ચારિત્રના આરાધનથી સાર |
સિધ્ધશીલાની ઉપરે હો મુજ વાસ શ્રીકાર //પી. ભાવાર્થ :- સસારની સઘળી જંજાલને ટાળવા માટે એટલે નાશ કરવા માટે શુધ્ધ - અખંડ એવા અક્ષત (ચોખા)ને ગ્રહણ કરીને વિશાલ નંદાવર્તન કરી ભગવાનની સન્મુખ ઉભા રહેવાનું છે. કઇ રીતે ? સલ જંજાલનો નાશ કરીને એટલે અનાદિકાળથી જીવોને અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢરાગ રહેલો છે. અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ રહેલો છે એજ ખરેખર જંજાલનું મૂલ છે એમાંથી જ સંસારની સઘળી જંજાલો પેદા થાય છે એમાં વર્તમાનમાં પૂયના ઉદયથી જે સામગ્રી મળેલી હોય છે એ સામગ્રીના વિચારો કરતા કરતા એટલે એને મેળવવાના વધારવાના-ટકાવવાના ના ચાલ્યા જાય એની કાળજી રાખવાના વિચારો કરતા-વાતો ચીતો કરતા અને એને મેળવવાની પ્રવૃત્તિ કરતા સેવા પૂજા કરવી, ભગવાનનું દર્શન પૂજન કરવું એ જંજાલ પૂર્વકનું દર્શન કહેવાય છે. એ જંજાલને દૂર કરીને ભગવાનની સન્મુખ ઉભા રહેવાથી જ સંસારનો નાશ કરવાની એટલે સઘળીય જંજાલોથી છૂટવાની શક્તિ પેદા થાય છે આથી અનકૂળ સામગ્રી પુણ્યના ઉદયથી જે મળેલી છે એને જંજાલ માનીને અથવા એ મનાવવા માટે તેમજ પાપના ઉદયથી આવેલી પ્રતિકૂળતાઓની સામગ્રી એ પણ જંજાલ છે એનાથી છૂટવા હું પ્રયત્ન કરું છું. એ ભાવ પેદા કરવાનો છે અને એ ભાવથી અક્ષત પૂજા કરવાની છે.
આ ભાવ રાખીને અક્ષતપૂજા કરવામાં આવે તો જ મનુષ્ય જન્મ સળ થાય આથી મનુષ્ય જન્મને સળ કરવા માટે સંસારની સઘળી સાવધ પ્રવૃત્તિ જંજાલ રૂપ લાગે તો જ અક્ષતપૂજાથી મનુષ્ય જન્મ સળા થાય અને એ સાવધ પ્રવૃત્તિ જંજાલ રૂપ ન લાગી હોય તો લગાડવા માટે અને લાગી હોય તો જંજાલ રૂપ પરિણામને સ્થિર કરવા માટે એટલે લાંબાકાળ સુધી એ પરિણામોને ટકાવવા માટે જ્ઞાની ભગવંતોએ અક્ષતપૂજા કરવાનું વિધાન કરેલ છે અને એ રીતે કરે તો કરનારને અંતરમાં થાય કે મનુષ્ય જન્મમાં કરવા લાયક કાંઇક કરી રહ્યો છું અને એનાથી મારો જન્મ સફળ કરી રહ્યો છું અને આ ભાવ અંતરમાં પેદા થતો જાય એટલે ભગવાન પાસે માગવાનું મન થાય એટલે ફળ સ્વરૂપે માગવાની ઇચ્છા થાય કે હે ભગવાન ! જો આ સામાન્ય અક્ષતપૂજાથી પણ મને આવા ભાવ પેદા થતા જાય છે એટલે સાવધ પ્રવૃત્તિ જંજાલ રૂપ લાગે છે તો તારી આજ્ઞા મુજબ સારી રીતે અનુષ્ઠાન કરવા માંડુ તો મને કેવા ભાવો આવે ? આથી તારી ભક્તિથી જો મન ફળ મલતું હોય તો તે મારે જોઇએ છે અથવા માગવું છે કે તું મને તારા એટલે આ સઘળી જંજાલો નાશ પામે અને એને તિલાંજલી દઇ તારા જેવો બનું ! એટલે કે તું મને તરવાની શક્તિ આપ આપ અને આપ ! આમ ત્રણ વાર કહેવાનું કારણ એ છેકે જે તરવાનો વિચાર પેદા થયો છે તે દ્રઢ વિશ્વાસ પૂર્વકનો છે એ જણાવવા માટે છે એ તરવાનો વિચાર મોઢાનો ખાલી બોલવાનો નથી માટે બીજીવાર કરવાનો વિચાર બોલે છે તે અંતરનો ગણાય છે અને ત્રીજીવારનો વિચાર કરવાનો કહેવાય છે તે હૃદયનો એકલો નથી પણ છેટ નાભિથી એ વિચાર કરીને બોલું છું એટલે માગણી કરું છું કે તું મને તાર !
સંસાર સાગરથી તરવાનું મન એટલા માટે થાય છે કે હે ભગવન્ ! અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંતીવાર મનુષ્ય જન્મ પામીને અનંતીવાર તારી ભક્તિ કરી પણ એ ભક્તિ કરતાં કરતાં સંસારિક ફળની માગણી કર્યા કરી એના કારણે ઘણો કાળ સંસારમાં રઝળ્યો એટલે રખડ્યો હવે મારે રખડવા જવું નથી. રઝળવામાં કંટાળો પેદા થાય છે માટે એ રખડવાનું બંધ કરવાની
Page 51 of 97.
Page #52
--------------------------------------------------------------------------
________________
શક્તિ આપ ! આથી નિશ્ચિત થાય છેકે આલોકના સંસારીક પદાર્થોની ઇચ્છાથી કે પરલોકના પદાર્થની. ઇચ્છાથી તેમજ આ લોકમાં આવેલ દુ:ખોના નાશની ઇચ્છાથી જે કાંઇ ધર્મ કરવો એ સંસારિક ળની માગણીવાળો ધર્મ ગણાય છે એનાથી આત્માને લાભ થવાને બદલે સંસારમાં રખડવાની એટલે સંસારમાં જન્મ મરણની પરંપરાની વૃદ્ધિ થાય છે માટે મારે હવે એવા સંસારની વૃદ્ધિ જોઇતી નથી તો શું જોઇએ છે ? મોક્ષળ જોઇએ છે ! એ ક્યારે કેવી રીતે મળે ? તો કહે છે કે આઠે કર્મનો નાશ થાય તોજ મોક્ષફળ મળે આઠ કર્મનો નાશ કરવા માટે સૌથી પહેલા આઠેય કર્મનો રાજા ગણાતો મોહનીય કર્મ છે એને નાશ કરવા માટે એ મોહને ઓળખવો પડે.
મોહ - આજે દુનિયાના જીવોને કયી સ્થિતિમાં મૂકીને બેઠો છે એ વિચારો. પહેલું તો એ કે- જે પોતાનું નથી એને દુનિયાના જીવો પોતાનું માને છે એજ હોટું દુ:ખ છે. આ પ્રમાણે પોતાના આત્માનું મોટું દુઃખ માને તો જ મોહનો નાશ કરવાનું મન થાય, દુનિયાના જીવો પોતાની પાસે પૈસા ન હોય અને જો સામાન્ય વિચારશીલ હોય તો એમ માને કે-પૈસા નથી એ પાપનો ઉદય માટે પૈસા ન હોય તોય તે સ્થિતિ શાંતિથી ભોગવવી અને સુકૃત કરવું. પરિણામે પાપ જાય પુણ્ય આવે અને પુણ્યથી પૈસા મળે આ ઇચ્છા કે ભાવના પણ બરાબર નથી. કારણ કે પૈસા મેળવવાની વાત છે ત્યાં સુધી દુ:ખ રહેવાનું. કારણ કે પૈસા મલ્યા, પાપ કર્યું, પૈસા ગયા વળી સુકૃત કર્યું પાપ ગય પુણ્ય આવ્યું પેસા મલ્યા અને પાછી એની એજ દશા. એતો ઘંટીના પડ જેવી દશા છે. આથી અશુભોદય માની સુકૃત કરતાં પણ પાછા પૈસા મેળવવાની જ ભાવના રાખવી એ યોગ્ય નથી મોહની દશા કહેવાય છે.
કયા જીવો માટે મોક્ષની વાત છે ?
જેને સુખ મળે તેને તે સુખ તેના પોતાના પશ્ય યોગે જ મળે ને ? અને જેને દુ:ખ આવે તેને પણ તેના પોતાના પાપના યોગેજ આવે ને ? આવું તો તમે માનો છો ?
હવે આપણે એ વિચાર કરવો છે કે-ઘડીમાં સુખ આવે છે અને ઘડીમાં દુ:ખ આવે છે તો એની આત્મા ઉપર શી અસર થાય છે ? તમને કોઇ દિ' એવી ચિંતા થાય ખરી કે- આમ સુખ અને દુ:ખ આવ્યા કરે એવુંજ આપણે ચાલ્યા કરવાનું ? અહીં આપણે જન્મ્યા છીએ હમણાં આપણે અહીં જીવીએ છીએ પણ એકદિ' મરણ આવવાનું છે ને બીજે ક્યાંક પાછું જન્મવાનું છે ત્યાંય જીવાય તેટલું જીવવાનું ને પાછું મરીને બીજે જન્મવાનું તો શું આપણે આમ જ જન્મવાનુ, જીવવાનું ને મરવાનું ચાલ્યા કરવાનું છે ? અને એમાં જીવતા કોઇવાર સુખ ને કોઇવાર દુ:ખ ભોગવ્યા કરવાનું છે ? આવી ચિંતા કોઇ વારેય તમારા હૈયામાં પેદા થઇ છે કે નહિ ? આવું કેટલા વખતથી ચાલે છે ? અનાદિકાળથી આપણે આમ જ અસ્થિરપણે જીવતા આવ્યા છીએને ? હવે આપણને એમ થાય છે કે-આવું હજ ક્યાં સુધી ચાલ્યા કરવાનું ? અને અત્યા સુધીની જેમ સુખ દુઃખ ભોગવતે ભોગવતે જન્મવું, જીવવું ને મરવું એવું જો ચાલ્યા જ કરે તો તે આપણને ગમે ? તેમાં આપણને વાંધો ખરો ? પણ આવું બધું બન્યાં કરે એ આપણને પસંદ છે ? જેમને આવું બધું બને તે પસંદ ન હોય તે જીવોને માટે જ મોક્ષની વાત છે.
એટલે આ રીતે પોતાના આત્માની સ્થિતિનો વારંવાર વિચાર કરે એટલે મોહ નબળો પડતો જાય અને મોક્ષની ઇરછા પેદા થતી જાય અને આ રીતે મોક્ષની ઇચ્છા પેદા થયા કરે એટલે એ જીવને પોતાના મોહના વિચારો ખટક્યા વગર રહે નહિ.
Page 52 of 97
Page #53
--------------------------------------------------------------------------
________________
આથી આત્માનું હિત કરવું જરૂરી છે એમ ન લાગ્યું હોય અને રાત દિવસ દુનિયાના પદાર્થોને જ મેળવવાના અને સાચવવાના વિચારો અને પ્રયત્નો ચાલુ હોય ત્યાં સુધી આત્માના હિતના ઉપાયો કહેવાથી શો ફાયદો થાય ?
આત્માના હિતના બતાવેલા ઉપાયો એવી દશા હોય ત્યાં સુધી પ્રાય: કશી જ અસર ન ઉપજાવે. ઘી અને ગોળ નાંખીએ તો લાડવો થાય પણ તે રાખમાં નાંખીએ તો શું થાય ? લાડવો હોય એવો ઘાટ બને તો પણ એ કામ શું લાગે ? નકામો જ જાયને ? અરે નકામો જાય એટલું જ નહિ પણ ઘી અને ગોળ જેવી કિંમતી ચીજો પણ નાશ પામે. ઘી અને ગોળ નાંખવાથી લાડવો બને ખરો પણ તે ઘઉંના આટામાં અને તે પણ વિધિ મુજબ નખાય તો ! એ જ રીતે તમારામાં આત્માના હિતોના ઉપાયો રૂપ ઘી-ગોળ નાંખતા પહેલાં તમને ઘઉંના આટા જેવા બનાવવા જોઇએને ?
ઘઉંના આટા જેવા ક્યારે બનાય ? ઘઉંના આટા જેવા ત્યારે જ બનાય કે જ્યારે સંસારના પદાર્થોને મેળવવાની મહેનત કરવી એ નકામી છે તેમજ નુક્શાન કરનારી છે અને આત્માના હિતનો વિચાર તથા પ્રયત્ન કરવો એજ કામનો છે અને ફાયદો કરનારો છે એમ લાગે ! આટલું લાગે તોજ આત્માના હિતના ઉપાયો જોઇએ તે રીતિએ ગમે માટે આત્માનું હિત કરવું હોય તો સૌથી પહેલાં આત્માને યોગ્ય બનાવવો જોઇએ. શરીર, ધન, કુટુંબ આદિ બાહ્ય પદાર્થોનો પ્રયત્ન નકામો છે. આત્મ હિત કરનારો નથી એમ લાગવું જોઇએ. બહારના પદાર્થો મેળવવા અને સાચવવા એ આત્માના હિતનો ઉપાય નથી પણ એથી આત્મ હિતનો નાશ થાય છે અને આત્માના હિત માટે કાંઇક બીજું જ કરવા યોગ્ય છે એટલું સમજાઇ જવું જોઇએ.
આટલું સમજાય એટલે મિથ્યાત્વ મોહનીયની મંદતા થાય. મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય અને આત્માના હિત માટેનો પ્રયત્ન શરૂ થાય તેમ તેમ ગ્રંથીભેદ સુધી પહોંચી ગ્રંથીભેદ કરી-સમકીત પામી-સર્વવિરતિને પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણિ માંડીને ક્ષાયિક સમીકીતની પ્રાપ્તિ કરી ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાન પામી. મન-વચન-કાયાના યોગોનો સર્વથા નિરોધ કરી અયોગિ ગણસ્થાનકને પ્રાપ્ત કરી વેદનીય-આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે અઘાતો કર્મોનો સંપૂર્ણ નાશ કરી જીવો આઠેય કર્મથી સર્વથા રહિત થઇ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. એવા આઠેય કર્મોને નાશ કરવાની શક્તિ પેદા થાય કે જેથી હે ભગવન્ ! હું જે મોક્ષળ માગું છું તે મને જલ્દી મલે ! એટલે આત્માના સારભૂત એવા મોક્ષળને મને આપો !
નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ અને દેવગતિ એ ચારે ગતિને વિષે જન્મ મરણની જંજાળ સદા માટે રહેલી છે એ જન્મ મરણની જંજાળથી જીવો ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.
જેમ જીવ નરક ગતિમાં જાય તો સંખ્યાતા આયુષ્યમાં અથવા અસંખ્યાતા આયુષ્યના કાળ પછી અવશ્ય ત્યાંથી બહાર આવવું જ પડે છે. ઘણા એવા ભારેકર્મી જીવોને નરકના દુ:ખમાં ગયા પછી ટેવાઇ ગયેલા હોય તો ત્યાંથી બહાર નીકળવાનું ગમતું નથી. ત્યાંને ત્યાં રહેવું પડે એમાં આનંદ આવે છે કે જેમ અહીં કેટલાક રીઢા ગુનેગાર એવા હોય છેકે પકડાઇએ અને જેલમાં જવું પડે તો જેલમાં એમને આનંદ આવે છે કારણકે રોટલા તો ખાવા મલે છે ને ! જ્યારે એવા જીવોને જેલમાંથી બહાર કાઢે ત્યારે એમને એમ થાય છે કે અમને કાઢે છે. અહીં રાખે તો સારું પણ સજા પુરી થયેલી હોય તો તે મુજબ બહાર કાઢવા પડે તો પણ મનમાં પસ્તાવો કરે છે એમ કેટલાક જીવોને નરકમાં ગમી જાય તો પણ આયુષ્ય પૂર્ણ થયે બહાર નીકળવું જ પડે છે. એ બહાર નીકળીને મનુષ્ય કે તિર્યંચ થાય તે મનુષ્ય કે તિર્યંચના ઓછા આયુષ્યવાળો
Page 53 of 97
Page #54
--------------------------------------------------------------------------
________________
થઇ પાછો નરકનું આયુષ્ય બાંધી નરકમાં જાય છે એમ નરક-તિર્યંચ અથવા નરક-મનુષ્યપણાના જન્મ મરણ કર્યા જ કરે છે એ જન્મ મરણ જંજાળ કહેવાય છે. તિર્યંચગતિમાં રહેલા જીવો એક એક અંતર્મુહૂર્ત એકેન્દ્રિયાદિના ભવો કરી કરીને અસંખ્યાતા અથવા અનંતા જન્મ મરણ કર્યા જ કરે છે અને એ જન્મ મરણની જંજાળ એવા પ્રકારની હોય છે કે મોટે ભાગે બેભાન અવસ્થા જેવી અવસ્થામાં કાળ પસાર કરે છે અને ભમ્યા કરે છે.
મનુષ્યગતિને વિષે રહેલા જીવો મનુષ્ય મનુષ્યપણાના જન્મ મરણના ભવો કરે તો સાત ભવો કરે અને આઠમો ભવ વિલેન્દ્રિયપણામાંથી કોઇ એકનો ફરી પાછા મનુષ્યના સાત ભવ કરે એમ કરતાં કરતાં બે હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ ઉત્કૃષ્ટથી કર્યા કરે પછી એક ભવ એકેન્દ્રિયનો કરી મનુષ્યપણું પામી ઉપરની જેમ બેહજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કર્યા કરે આ રીતે અસંખ્યાતી. ઉત્સરપિણી-અસંખ્યાતી અવસરપીણી કાળ સુધી જન્મ મરણના ભ્રમણમાં ભમ્યા કરે છે.
દેવગતિને વિષે ઉત્પન્ન થયા પછી ત્યાંથી મરીને ત્યાં દેવરૂપે ફ્રીથી જન્મ થતો નથી માટે પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થઇ તિર્યંચ દેવ અથવા મનુષ્ય દેવરૂપે થતાં થતાં જન્મ મરણ કર્યા કરે છે અને ભમે છે કેટલાક દેવો દેવગતિમાંથી એકેન્દ્રિયપણામાં પૃથ્વીકાય અકાય અને પ્રત્યેક વનસ્પતિ કાય રૂપે ઉત્પન્ન થઇ એકેન્દ્રિયમાં અસંખ્યાતો કે અનંતો કાળ જન્મ મરણ કર્યા કરી ભમે છે. પૃથ્વી આદિમાંથી. સાધારણ વનસ્પતિ રૂપે ઉત્પન્ન થઇ અનંતોકાળ ભ્રમણ કરી શકે છે. જઘન્યથી અંક અંતર્મુહૂર્તનો ભવ કરીને બહાર નીકળી શકે છે. આથી અહીં જ્ઞાની ભગવંતો કહે છે કે ચારે ગતિરૂપ સંસારમાં જન્મ મરણની. જંજાળ સિવાય કાંઇ નથી એટલે દુ:ખ જ રહેલું છે. આથી જીવને સુખ જોઇતું હોય તો પંચમી જે સિદ્ધિ ગતિ એ સિદ્ધિ ગતિ સિવાય જીવને ત્રણેકાળમાં એટલે ભૂતકાળ-વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં એટલે સદા માટે સાદિ અનંતકાળ માટે સુખ નથી સદા માટે સાદિ અનંતકાળનું સુખ સિધ્ધિ ગતિમાં જ જીવોને રહેલું છે. બાકી કોઇ જગ્યાએ નથી જ. તિર્યંચ ગતિ રૂપે-સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય રૂપે અથવા સૂક્ષ્મ કે બાદર વાયુકાય રૂપે જીવ સિદ્ધિગતિમાં રહેલા જીવોની સાથે એક જ અવગાહનામાં (જગ્યામાં) રહે તો પણ આ જીવોને તિર્યંચગતિવાળા હોવાથી, એ સુખની એટલે સિદ્ધિગતિના સુખની એક અંશ પણ અનુભૂતિ થતી નથી અને ત્યાંથી મરણ પામીને એ જીવોને ચોદે રાજલોકમાં પરિભ્રમણ કરવું પડે છે પણ સિધ્ધના જીવોના સુખની અનુભૂતિ એ જીવોને થતી નથી.
આથી એ સિધ્ધશીલાની ઉપર આત્માનો વાસ કરવો હોય તો સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણેની આરાધના સુંદર રીતે જીવ કરતો જાય અને એ આરાધના સારરૂપ બને તો જીવનો સિધ્ધશીલા ઉપર સદા માટેનો વાસ પેદા થાય છે એ કલ્યાણકારી એવો સાદિ અનંત કાળ વાળો જે વાસ મારો સદા માટેનો હો એમ માગણી કરીએ છીએ.
આ રીતે આરાધના કરતા જીવ સન્નીપણાના ભવોને પ્રાપ્ત કરતા કરતા છેલ્લા સન્ની પર્યાપ્તાપણાના. મનુષ્યપણાના ભવને પામીને દર્શન, જ્ઞાન, ચારિત્ર એ રત્નત્રયીની આરાધના કરીને જીવ સિદ્ધિગતિને પામી શકે છે. એ સિધ્ધશીલા ઉપરનો અશરીરીપણા રૂપ જે વાસ એ જ વાસને જ્ઞાની ભગવંતોએ કલ્યાણકારી વાસ કહેલો છે.
આ રીતે અક્ષતપૂજા કરતાં કરતાં અખંડ ળ રૂપે સન્નીપણાને પ્રાપ્ત કરતાં કતાં સિધ્ધશીલા ઉપર આત્માનો જલ્દી સાદિ અનંતકાળ રૂપે વાસ પેદા થાય એ માગણી કરાય છે. આ રીતે અક્ષત પૂજા ભાવપૂર્વકની અક્ષતપૂજા કહેવાય છે અને અંતરમાં એટલે આત્મામાં અનંત ગુણ વિશુદ્ધિ પ્રાપ્ત થતી જાય છે
Page 54 of 97
Page #55
--------------------------------------------------------------------------
________________
આથી આ રીતે ભાવ પેદા કરીને અથવા પેદા કરવાનો અભ્યાસ પાડીને અક્ષતપૂજા કરતાં વહેલામાં વહેલા
સૌ સિધ્ધિ ગતિને પામો એ અભિલાષા.
૭ - નૈવેદ્યપૂજાનું વર્ણન
અક્ષત પૂજા કરતાં કરતાં સિધ્ધિ ગતિમાં જવાની તાલાવેલી જાગી છે તેમ નૈવેધ પૂજા ભાવથી કરતા કરતા આહાર સંજ્ઞાનો નાશ કરવાનો છે એટલે આહાર સંજ્ઞા તોડવાની છે. ભાવપૂર્વકની નૈવેધ પૂજાનું ફ્ળ (પ્રત્યક્ષળ) આહાર સંજ્ઞાનો નાશ કરવો એ અને પરોક્ષ ફ્ળ અણાહારીપણાની પ્રાપ્તિ. જ્ઞાની ભગવંતો કહે છે કે સ્નાન કરવું એ વેદના ઉદયનું કારણ છે કારણકે શરીરની જેટલી શુધ્ધિ સ્વચ્છતા એટલો વેદનો ઉદય વિશેશ રીતે પેદા થાય છે આથી સાધુ ભગવંતોને સ્નાનનો નિષેધ કરેલો છે.
નૈવેધપૂજાથી આહાર સંજ્ઞાનો એવી રીતે નાશ કરે કે પાપના ઉદયથી રોટલો અને મરચું ખાવા મલે તો પણ સમાધિ ભાવ રાખીને ખાય એટલે કે બીજા જીવોને આટલુંય મલતું નથી મને તો પેટ ભરવા આટલું ય મલે છે ને ? અને કોઇ પુણ્યશાળીને મિષ્ટાનની પ્રાપ્તિ થાય તો એ ખાતા ખાતા વૈરાગ્ય ભાવ રાખીને ખાય
એટલે એમાં આનંદ ન આવી જાય એ રીતે ભાવ રાખીને ખાય એટલે કે એ ખાવામાં રાગ પેદા થવા દે નહિ. એટલે કે પોતાની ઇન્દ્રિયોને અનુકૂળ સ્વાદવાળો આહાર મલ્યો હોય તો તેના વખાણ કરે નહિ. વખાણ્યા વગર એનો ઉપયોગ કરે અને પાપોદયથી સ્વાદ વગરનો અથવા હલકો આહાર મલે તો તે વખોડે
નહિ એટલેકે વખોડ્યા વગર એનો ઉપયોગ કરે. આ જ સાચી નૈવેધપૂજાની ફ્લશ્રુતિ છે.
શ્રી અરિહંત પરમાત્માઓને પ્રણિધાન પૂર્વક નમસ્કાર કરવામાં આવે તો તે નમસ્કારમાં તાકાત એટલે શક્તિ રહેલી છેકે હાથમાં જેમ પાણી રાખવામાં આવે તો હાથના છિદ્રોમાંથી એ પાણી ધીમે ધીમે નીચે પડી જાય છે તેમ લાંબાકાળના બાંધેલા પાપો આત્મામાંથી નાશ કરવા માટે સમર્થ થાય છે. પ્રણિધાન એટલે પરમાત્માઓએ જે છોડ્યું છે તે છાડવાની બુધ્ધિપૂર્વકનો નમસ્કાર તે અથવા જ્ઞાન-દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરવાની બુધ્ધિપૂર્વકનો નમસ્કાર કરવો તે પ્રણિધાનપૂર્વકનો નમસ્કાર. એવી જ રીતે ગુરૂ ભગવંતને કરેલો નમસ્કાર પ્રણિધાન પૂર્વકનો તો તે લાંબાકાળના પાપોને ટકવા દેતું નથી અર્થાત્ નાશ પામે છે.
જ્ઞાની ભગવંતો કહે છેકે ક્રિયાના અનુષ્ઠાનો ગમે તેટલા શુધ્ધ હોય પણ પરિણામ અંતરના અશુધ્ધ હોય તો એવી સારી પણ ક્રિયા સંસાર વૃધ્ધિનું કારણ બને છે.
જેમ જેમ સારામાં સારૂં સુંદર નૈવેધ ઉંચામાં ઉંચુ લાવીને પૂજા કરે તેમ તેમ આહારની મૂર્છાનો ત્યાગ થતો જાય તો જ સાચી નૈવેધ પૂજા કહેલી છે.
દવ-ગુરૂ-ધર્મની આરાધનાના અનુષ્ઠાનોમાં એકાગ્રતા ટકતી નથી એ ટકાવવા માટે શરીરને આહાર આપે તે આત્માનંદી કહેવાય છે અને જે જીવો માત્ર શરીરને ટકાવવા માટે શરીરને પુષ્ટ કરવા માટે આહાર આપે તે પુદ્ગલા નંદી કહેવાય છે.
અનુકૂળ પદાર્થો પ્રત્યેની લાલસા ન ઘટે તેમજ સ્વાદવાળા પદાર્થોની લાલસા ન ઘટે અને ઘટાડવાનું લક્ષ્ય પણ ન હોય તો જ્ઞાની ભગવંતો કહે છે કે કરેલી નૈવેધપૂજા એ ભાવપૂજા રૂપે પરિણામ પામતી નથી પણ દ્રવ્યપૂજા રૂપે બને છે અને સંસારની વૃધ્ધિ કરે છે.
પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડવાથી અબ્રહ્મનું સેવન કહેવાય છે. અબ્રહ્મના સેવનથી વિવેક ગુણ નષ્ટ થાય છે એટલે કે આત્મામાં વિવેક ગુણ પેદા થવા દેતો નથી તથા
Page 55 of 97
Page #56
--------------------------------------------------------------------------
________________
બુધ્ધિનો પણ નાશ થાય છે એટલે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જ્ઞાનની વૃધ્ધિ થાય પણ તે જ્ઞાન આત્મામાં પરિણામ પામવા દે નહિ. એટલે એ જ્ઞાન આત્મામાં પરિણામ પામતું નથી. એટલે કે જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણામ પામે છે. ગરમા ગરમ અને ટેસફૂલ ખાવાથી શરીરને અને ઇન્દ્રિયોને આનંદ આવે પુષ્ટ થાય પણ આત્માને કોઇ લાભ પેદા થતો નથી.
જૈન શાસન આત્માના આનંદ ઉપર તથા આત્માના લાભ ઉપર ભાર મુકે છે. જે પ્રવૃત્તિ કરતાં આત્માના લાભનું કારણ બને એ જ પ્રવૃત્તિ જૈન શાસન કરણીય રૂપે ગણે છે.
પુણ્યથી મલતી આહારની સામગ્રી રસપૂર્વક અને ટેસપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો નિર્જરા ઓછી થાય એટલે અકામ નિર્જરા થાય અને કર્મબંધ વિશેષ થાય છે જ્યારે એ સામગ્રી રસ વગર અને ટેસ વગર ઉપયોગ કરવામાં આવે તો નિર્જરા વિશેષ થાય અને કર્મબંધ ઓછો થાય છે.
આયંબિલનો લુખો પણ આહાર રસપૂર્વક વાપરવામાં આવે તો પણ નિર્જરા ઓછી થાય છે કારણકે કોઇપણ ખાવાનો પદાર્થ લુખો કે ચોપડેલો રસપૂર્વક ખાવાની જૈન શાસન ના પાડે છે એટલે જ્ઞાની ભગવંતો ના કહે છે. આથી રસપૂર્વક આહારના પુદ્ગલોનો ઉપયોગ કરે અને નૈવેધપૂજા કરે તો તે પૂજાથી અકામ નિર્જરા થાય-જ્ઞાન પરિણામ પામે નહિ તેમજ વિવેક ગુણ પેદા થવા દે નહિ, પેદા થયો હોય તોય નાશ કરે છે.
નૈવેધપૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો આહારના પુદ્ગલોનો ઉપયોગ કરવા છતાં સ્વાદની અનુભૂતિ થવા છતાં એ સ્વાદમાં લેપાય નહિ તો આત્મ પરિણતિ પેદા કરવાના જ્ઞાનમાં ઉપયોગી થાય છે અને મોહનીય કર્મના ઉદયની મંદતા થતાં-ક્ષયોપશમ ભાવ પેદા થતાં વિવેક ગુણ પેદા થતો જાય છે અને આત્માને સારા વિચારોમાં સ્થિર કરે છે.
આહાર કરવાની ક્રિયા એટલે ખાવાની ક્રિયા એ ધર્મની ક્રિયા નથી પણ અધર્મની જ ક્રિયા કહેવાય છે. આથી ખાવું એ અધર્મ ગણાય છે.
ધર્મની આરાધના કરવા માટે ભૂખ્યા પેટે સમાધિ ટકતી નથી આથી ધર્મની આરાધનામાં સમાધિ ભાવ ટક્યો રહે એટલે પુરતો જ આહાર કરવાનો છે પણ એ આહાર કરતાં અંતરમાં એજ ભાવ હોય છેકે આહાર કરવો એટલે ખાવું એ પાપ છે. અધર્મની ક્રિયા છે. કરવા યોગ્ય નથી જ. શ્રી તીર્થંકર પરમાત્માઓ છેલ્લે ભવે પોતે જાણે છે. ત્રણ જ્ઞાનના ધણી હોવા છતાં કેવલજ્ઞાન પામીને શાસનની સ્થાપના કરવાના છીએ એમ જાણે છે છતાં એ આત્માઓ પોતાના કર્મોને ખપાવવા માટે આહાર અને પાણી વગરનો તપ પોતાની શક્તિ મુજબ કરે છે અને કર્મો ખપાવે છે માટે એ આત્માઓ પણ ખાવું એ પાપ માને છે તોજ તપ કરી શકે છે ને ?
જ્યાં સુધી જીવો પહેલા ગુણસ્થાનકે ગુણયુક્ત ગુણસ્થાનકમાં દાખલ થતાં નથી ત્યાં સુધી સંજ્ઞાને એટલે આહાર સંજ્ઞાને આધીન થઇને આહાર કરતા હોય છે અને સંસારની વૃધ્ધિ કરે છે. જીવોને સંજ્ઞાના તાાનો ત્યાં સુધી જ હોય છે.
જ્યારે જીવોને અંતરમાં મોક્ષનો અભિલાષ પેદા થાય કે તરત જ પોતાની આહારાદિ સંજ્ઞાઓની ઓળખ પેદા થતાં એનાથી સાવધ થાય છે અને એની આધીનતા શક્તિ મુજબ દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. આ આહાર સંજ્ઞા જ જીવોને નૈવેધ પૂજા રોજ કરવા છતાંય અણાહારીપણાનો ભાવ પેદા થવા દેતી નથી અને નૈવેદ્યપૂજા કરવા છતાં પણ આહાર પ્રત્યેની લાલસાઓ કુદાકુદ કરે છે અને સંસારની વૃધ્ધિ કરાવે છે. આહાર સંજ્ઞાની સાથે જ બાકીની ત્રણ સંજ્ઞાઓ બેઠેલી જ હોય છે અને એ પણ કુદાકુદ કર્યા
Page 56 of 97
Page #57
--------------------------------------------------------------------------
________________
વગર રહેતી નથી. જેમકે પુણ્યના ઉદયથી જે આહારના પુગલો મળેલા હોય છે તે કોઇ જોઇ ન જાય કોઇ લઇ ન જાય એની ચિંતા અને વિચારણા અંતરમાં સતત રહ્યા કરે છે એ ભયસંજ્ઞા કહેવાય છે. મનગમતા પદાર્થો, ગરમાગરમ પદાર્થો, ટેસક્ત પદાર્થો જેમ જેમ જીવ રસપૂર્વક ઉપયોગ કરે છે તેમ તેમ વેદનો ઉદય વધે છે. વેદ સતેજ થાય છે એ મેથુન સંજ્ઞા કહેવાય છે અને જે પદાર્થો પુણ્યોદયથી મળેલા છે તે પદાર્થો ચાલ્યા ન જાય એની આસક્તિ-રાગ-મમત્વ બુધ્ધિ તે પરિગ્રહ સંજ્ઞા કહેવાય છે. આથી આહાર સંજ્ઞાની. સાથે જ આ ત્રણેય સંજ્ઞાઓ રહેલી જ હોય છે અને કુદાકુદ કર્યા જ કરે છે.
જ્યારે જીવ આહાર સંજ્ઞાને ઓળખીને સમજણ પેદા કરતો જાય છે તેમ તેમ બાકીની ત્રણેય સંજ્ઞાઓ ઓળખાતી જાય છે અને જેટલે અંશે એ સંજ્ઞા ન બળી પડે એટલે અંશે અણાહારીપણાની વિચારણા અને ભાવો પેદા થતા જાય છે. આથી આહાર એજ દુ:ખ રૂપ છે. દુ:ખનું ફ્લ આપનાર છે અને દુ:ખની પરંપરા વધારનાર એ માટે અધર્મની ક્રિયા કહેવાય છે. આહાર સંજ્ઞાને ઓળખીને સમજણ પેદા કરનાર જીવને એ સંજ્ઞાઓ પજવતી નથી કારણકે એને જે મળે તે ખાવા પીવામાં ચલાવી લે છે. સંજ્ઞાને જીવ ઓળખે એટલે જીભના તોફનો બંધ થાય છે એટલે અનુકૂળ આહારના પદાર્થોના વખાણ કરતો નથી અને પ્રતિકૂળ આહારના પદાર્થોને વખોડતો પણ નથી. અંતરમાં એવા વિચારો પેદા કરે છે કે દુનિયામાં કેટલાય મનુષ્યો છે તેમાં ઘણાયને ટાઇમસર (સમય સર) ખાવા પીવા મલતું નથી જ્યારે મને મારા પુણ્યોદયથી આટલુંય ખાવા પીવા મલે છેને એય ઘણું છે. આથી જો આહાર સંજ્ઞાથી જીવ સાવધ ન રહે તો જેમ જેમ આહાર કર તેમ તેમ એ આહાર અંતરમાં રહેલા સુવિચારોને બદલે અસદ્ વિચારો પેદા કરે છે. સુવિચારો પેદા થવા દેતી નથી આથી આહાર સંજ્ઞાને જ્ઞાની ભગવંતોએ દુ:ખદાયક કહેલી છે અથવા પાપ જનક એટલે પાપ પેદા કરાવનાર કહેલી છે. આથી જ આહાર કરવો એ અધર્મની ક્રિયા કહેવાય છે માટે જ વ્યવહારમાં કહેવાય છે કે ખાવાના પદાર્થો પોતે ખાય એ અધર્મ કહેવાય અને બીજાને આપે એ ધર્મ કહેવાય છે કારણકે બીજાના પેટને તૃપ્ત કરવું એ ધર્મ કહેવાય છે. આ રીતે બીજાનું પેટ ભરાવીને બે શબ્દો સારા કહીએ તો એની અસર એ જીવ ઉપર સારી થાય છે.
જૈન શાસન રાગના ત્યાગ માટ જ જગતને વિષે ઉભેલું છે. રાગને પોષવા માટે જૈન શાસન નથી. નૈવેધ પૂજામાં જેમ જેમ ઉંચા અને કિંમતી આહારના પદાર્થો મુકે તેમ તેમ આહાર સંજ્ઞાનો નાશ થવો જોઇએ અને અણાહારીપણાનું લક્ષ્ય પેદા થવું જ જોઇએ અને એ સાથે આહારના ત્યાગનો આનંદ અંતરમાં પેદા થતો જાય છે.
| ઉપવાસનો વાસ્તવિક આનંદ ત્યારે જ કહેવાય કે જે ખાવાના ત્યાગનો આનંદ પેદા કરાવે.
દેવલોકમાં રહેલા દેવોની પાસે ભૌતિક સામગ્રી વધારે હોવા છતાં મનુષ્યો કરતાં એ દેવો હેઠ કહેવાય છે કારણકે આત્મિક વિકાસની સામગ્રી મનુષ્યો પાસે કઇ ગણી વધારે છે એ દેવો પાસે નથી જ.
જેમ જેમ નેવેધપૂજામાં આનંદ આવતો જાય તેમ તેમ આહાર સંજ્ઞા નષ્ટ થતી જાય અને આત્મિક વિકાસની વૃદ્ધિ થતી જાય છે એ આત્મિક વિકાસની વૃદ્ધિનો આનંદ વધતો જાય છે.
દેવોની પાસે પુણ્યના ઉદયથી ભૌતિક સુખોની સામગ્રી હોય છે તે નાશ કરવામાં કોઇપણ કારણ હોય તો તે વિષયોનો અભિલાષ ગણાય છે એટલે કે વિષય વાસનાઓના વિચારોને આધીન થયેલા જીવોનું પુણ્ય નાશ પામતું જાય છે. એવી જ રીતે મનુષ્યોમાં પણ આત્મિક ગુણોના વિકાસમાં ગમે તેટલા આગળ વધેલા હોય પણ એ જીવો વિષય વાસનાના અભિલાષોને આધીન થતાં જાય તો તેઓના પણ આત્મિક ગુણો નાશ પામતા જાય છે અર્થાત નાશ પામે છે.
Page 57 of 97
Page #58
--------------------------------------------------------------------------
________________
પુણ્યના ઉદયથી. મળેલી વિષયોની સામગ્રી વિષય વાસના પૂર્વક ભોગવવામાં આવે એટલે આનંદપૂર્વક ભોગવવામાં આવે તો તે ભોગવતા પુણ્યનો નાશ કરે છે માટે મળેલી સામગ્રીનો વાસના રહિત થઇને ભોગવટો કરવો જોઇએ. વાસના રહિત ભોગવવ એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા કરીને ભોગવવી અને આ રીતે જ્ઞાન ગર્ભિત વેરાગ્ય ભાવ પેદા કરીને ભોગવે તો નવું પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતુ જાય અને આનાથી વધારે સારી સામગ્રી મલ્યા કરે. વિષયોની વાસનાપૂર્વક મળેલી સામગ્રીનો ભોગવટો કરે તો પુણ્યને સમાપ્ત કરે એટલે નાશ કરે એમ જે આત્મિક ગુણો પેદા થયેલા હોય એ ગુણોનો પણ નાશ કરે છે.
પ્રાપ્ત થયેલા ગુણોનો નાશ ન થાય એની કાળજી રાખીને જીવન જીવવું એનું નામ જ્ઞાન ગર્ભિત વેરાગ્ય કહેવાય. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને આહાર સંજ્ઞા કાબુમાં હોતી નથી. આથી આહાર સંજ્ઞાને આધીન થઇને આહાર કરતાં કરતાં જીવને વિષય વાસનાના વિચારો પેદા કરાવવામાં સહાયભૂત થાય છે અર્થાત વિષયવાસના રૂપ વેદનો ઉદય થાય છે માટે મેથુન સંજ્ઞા સતેજ થાય છે એટલે ઉત્તેજિત બને છે અને વેદનો ઉદય પેદા થાય છે એને આધીન થઇને જીવન જીવાય છે એજ સંસારી જીવન કહેવાય છે. આથી નૈવેધપૂજા કરતા કરતા ભાવપૂર્વક કરવામાં આવે તો આહાર સંજ્ઞા નાશ. પામતી જાય અને એના કારણે સવેદીપણાનો નાશ થતો જાય અને અંતરમાં અવેદી બનવાનો ભાવ પેદા થતો જાય છે. અવેદીપણાનું સુખ એટલે વેદના ઉદયના અભાવનું સુખ. અનાદિકાળથી જીવો સવેદી સુખના અનુભવવાળા હોવાથી એ સુખોના કારણેજ જેમ જેમ લાલસા કરતાં જાય એની આતસ પેદા કરતા જાય તેમ તેમ સંસારની વૃદ્ધિ કરીને જન્મ મરણની પરંપરા કરીને પરિભ્રમણ કરતા જાય છે. એમાં અનંતીવાર મનુષ્ય જન્મને પામ્યા છતાં ધર્મની આરાધના પણ અનંતીવાર કરવા છતાં સવેદીપણાના સુખ કરતાં અવેદીપણાનું સુખ વિશેષ છે અને તે મારા આત્મામાં રેહલું છે અને એજ ખરેખરૂં સુખ છે એવી બુધ્ધિ હજી સુધી પેદા થઇ હોય એમ લાગતું નથી. આથી અનંતીવાર નૈવેધ પૂજા કરી સવેદીપણાના સુખના અભિલાષા અને આતસ થી જીવન પસાર કર્યું હવે ખબર પડી કે એ સવેદીપણાનું સુખ બેના સંયોગ વગર પેદા થતું નથી, અનુભવાતું નથી અને એ બે પરપદાર્થનો સંયોગ એજ દુઃખનું મૂલ છે. આથી સવેદીપણાનું સુખ જ દુ:ખરૂપ ગણાય છે કારણકે પર પદાર્થના સંયોગથી પેદા થતું હોવથી, એ પેદા થયેલું પણ સુખ પરાધીન રૂપે કહેવાય માટે સ્વાધીન ન હોવાથી દુઃખરૂપ કહે છે જ્યારે અવેદીપણાનું સુખ પર પદાર્થના સંયોગ વગર આત્મા પોતેજ એનો એકલો અનુભવ કરી શકે છે અને એ અવેદીપણાનું સુખ નિર્વિકારી હોય છે માટે સ્વાધીન છે એજ ખરેખર સુખ છે એ વાત હવે સમજાય છે માટે એ સુખને શ્રી તીર્થંકર પરમાત્માઓએ પુરૂષાર્થ કરીને પેદા કરેલું છે એની અનુભૂતિ સદાકાળ રૂપે કર્યા જ કરે છે. આથી એ આત્માઓનું દર્શના પણ નિર્વિકારી રૂપે ગણાય છે આથી એમના દર્શન, પૂજનથી અવેદીપણાનું સુખ પ્રાપ્ત કરવાનું મન થાય છે અથવા કરવાનું છે. મેથુનની ક્રિયા રાગ અને દ્વેષ બન્નેના પરિણામથી થાય છે એકલા રાગ કે એકલા દ્વેષથી આ ક્રિયા થઇ શકતી નથી કારણ કે આ ક્રિયામાં જે આનંદ આવે છે એનાથી રાગ મોહનીય પુષ્ટ થાય છે અને એની સાથે સાથે અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો અસંખ્યાતા તેઇન્દ્રિય જીવો અસંખ્યાતા ચઉરીન્દ્રિય જીવો સંખ્યાતા કે અસંખ્યાતા સમુરિછમ મનુષ્યો તથા સંખ્યાના નવ લાખ ગર્ભજ મનુષ્યોની હિંસા થાય છે. ક્રિયાની રતિ એટલે ક્રિયાના આનંદના કારણે આ જીવોની હિંસા થાય છે એનું દુ:ખ રહેતું નથી માટે એ આનંદમાં સાથે ને સાથે હિંસાવાળા જીવો પ્રત્યે દ્વેષ થાય છે એમ કહેવાય છે. આથી રાગ અને દ્વેષથી એ ક્રિયા થાય છે એમ કહેવાય છે. આવી જ રીતે બાકીની ઇન્દ્રિયોને વિષે જે જે અનુકૂળ પદાર્થો
Page 58 of 97
Page #59
--------------------------------------------------------------------------
________________
જીવને મલે છે અને એની સાથે ઇન્દ્રિયોનો સંયોગ કરતાં આનંદ અને રતિ પેદા થાય છે તે રાગ મોહનીય કહેવાય છે અને એ અનુકૂળ પદાર્થ તૈયાર થવામાં મેળવવા આદિમાં જેટલા જીવોની હિંસા થાય છે એનું અંતરમાં દુઃખ પેદા થતું ન હોવાથી દ્વેષભાવ રહેલો છે માટે દ્વેષ મોહનીય કર્મ કહેવાય છે.
આથી પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડીને આનંદ માનવાથી રાગ-દ્વેષ અને બન્નેથી એ ક્રિયાઓ થાય છે એમ કહેવાય છે. જ્ઞાની ભગવંતો પણ એમ કહે છે જો નૈવેધપૂજા કરતાં કરતાં જીવોના અંતરમાં રાગવાળા પદાર્થો પ્રત્યે જેટલી લીનતાનો નાશ થાય એટલે અલીપ્ત રૂપે જીવન જીવાય તો તેમાં રાગ મોહનીયનો ઉદય હોવા છતાં એની આધીનતાનો નાશ થયો એટલે કર્મબંધ ઓછો થતો જાય છે. નિર્જરા વધારે થાય છે અને સાથે સાથે જે જીવોની હિંસા થાય છે તેમાં રાગમાં અલિપ્ત ભાવના કારણે દ્વેષ રૂપે પણ કર્મબંધ થતો નથી માટે અશુભ કર્મો જે બંધાય છે તેમાં ઓછા રસે અશુભ કર્મનો બંધ થાય છે આજ નૈવેદ્યપૂજાનું પ્રત્યક્ષ ફ્ળ ગણાય છે.
આવા પરિણામો નૈવેધ પૂજાથી પેદા થતા જાય છે ખરા ?
વિષય વાસનાની લાલસાઓ રાગદ્વેષ પૂર્વકની હોય છે. માટે પુણ્યનો નાશ કરે છે તેમજ આત્મિક ગુણોનો પણ નાશ કરે છે.
સ્વદારા સંતોષ એટલે એમનો રોજ ઉપયોગ કરવો એવું નહિ જેમ ઘરમાં સુંઠ હોય તો તે સુંઠનો ઉપયોગ સામાન્ય રીતે દવા માટે કરાય છે પણ રોજ કરાતો નથી એમ આમાં પણ સમજવું.
આથી સવેદીપણાનો સ્વભાવ, સવેદીપણાના વિચારો એ આત્માનો પોતાનો મૂલ સ્વભાવ કે વિચારો નથી પણ વૈભાવિક વિચારો છે.
આત્માના પોતાના સ્વભાવ રૂપે પરિણામો નિર્વેદીપણાના જ હોય છે એ સ્વભાવ સવેદી વિભાવ દશાએ દબાયેલા છે એ દબાયેલા સ્વભાવને પેદા કરવા માટે અને વિભાવ દશાના પરિણામોને નાશ કરવા
માટે જ જ્ઞાની ભગવંતોએ નૈવેધપૂજાનું વિધાન કહેલું છે.
આ રીતે ભાવપૂર્વક નૈવેધપૂજા કરવામાં આવે તો મંદિરમાંથી નીકળ્યા પછી પોતાના સવેદીપણાના વિચારો પ્રત્યે અંતરમાં પશ્ચાતાપ પેદા થતો જાય અને એ વિભાવ દશાના પરિણામોનો નાશ કરવાની ભાવના પેદા થતી જાય અને એ પરિણામો નાશ કરવાની શક્તિ પેદા થાય એટલે એવું સત્વ પેદા થાય અને એવું સત્વ મને આપો એવી ભાવના કરવાનું મન થાય છે.
જીવ જ્ઞાનના ઉપયોગમાં જેટલો વધારે કાળ રહે એટલા કાળમાં વેદના પરિણામો જીવને હેરાન કરતા નથી.
નિર્વેદી એવા અરિહંત પરમાત્માનું દર્શન, પૂજન નિર્વેદી બનવા માટે કરવાનું છે કારણ કે જીવો જ્યાં સુધી નિર્વેદીપણાને પામે નહિ ત્યાં સુધી અણાહારીપણાને પ્રાપ્ત કરી શકતા નથી.
તીર્થંકર પરમાત્માઓ છેલ્લે ભવે પણ જેમનું ભોગાવલી કર્મ ભોગવીને પૂર્ણ કરવાનું હોય એટલે ખપાવવાનું હોય એ તીર્થંકર પરમાત્માના આત્માઓ પણ સ્વયં લગ્ન કરવાની ઇચ્છા પેદા કરતા જ નથી. કોઇપણ સમજાવે તો પણ એ ક્રિયાના પ્રત્યે એમનું મન જ થતું નથી. માત્ર એમના પોતાની માતા જ્યારે એ લગ્નની ક્રિયા માટે વિનંતી કરે ત્યારે એ આત્માઓ મુખ નીચું રાખીને અંતરમાં ગ્લાની પેદા કરીને એટલે સૂર્યાસ્ત વખતે જેમ સૂર્ય ગ્લાની પામેલો હોય છે એની જેમ એમના મોઢા ઉપર શ્યામતા પેદા થાય છે અને લજ્જાપણું જણાય છે એવા ભાવ પોતાના દેખાડીને માતાની આજ્ઞા ખાતર પાપવાળી લગ્નની ક્રિયા કરે છે અને પોતાનું ભોગાવલી કર્મ જે બાકી રહેલું હોય છે તે એ રીતે ભોગવીને નાશ કરે છે. આથી આવા
Page 59 of 97
Page #60
--------------------------------------------------------------------------
________________
ભાવથી ભોગાવલી ભોગવવા છતાંય નવા ભોગાવલી ભોગવવા લાયક બંધાતા નથી. પોતાનું મુખ પ્લાન બને છે એનું કારણ એ છેકે આ ક્રિયા ખુદ પાપરૂપ છે પાપને પેદા કરનાર છે એટલે પાપજનક છે આવી. બુદ્ધિ પોતાના આત્મામાં સ્થિર થયેલી હોય છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે મેથુનની ક્રિયા કરતાં, પાપરૂપ છે અને પાપજનક છે આવી બુદ્ધિ સમકીતી જીવોમાં રહેલી હોય છે અને જે આત્માઓમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્યભાવ દ્રઢ રૂપે પેદા થયેલો હોય એ જીવોના અંતરમાં હોય છે. આથી આવા જીવો એ ક્રિયા કરવા છતાંય કર્મોની નિર્જરા કરી શકે છે અને પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શકે છે કારણ કે હેય પદાર્થમાં હેય બુધ્ધિ રહેલી હોય છે. નિર્વેદી પાસે શુધ્ધ-પવિત્ર સારા એવા નૈવેધનો થાળ સવેદીપણાના નાશ કરવાની બુદ્ધિથી મુકવો જોઇએ. અને એ મુકતા પોતાના સવેદીપણાના વિચારોનો ખેદ પશ્ચાતાપ વ્યક્ત કરવાના છે કે જેથી દુર્ગતિના દ્વાર સદા માટે બંધ થઇ જાય.
સંપૂર્ણ નિર્વેદીપણું જીવોને વેદનો ઉદય ઉદયમાંથી તેમજ સત્તામાંથી સંપૂર્ણ નાશ પામે ત્યારે પેદા થાય છે એટલે કે નવમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે જ વેદનો ઉદય તેમજ સંપૂર્ણ નાશ થાય છે ત્યાં સુધી જીવોને વેદનો ઉધ્ય તેમજ સત્તા હોવાથી સવેદીપણાનો કાળ કહેવાય છે તેમાં આંશિક નિર્વેદીપણાની અનુભૂતિ જરૂર હોઇ શકે છે અને અણાહારીપણું તેરમા ગુણસ્થાનકના અંતે મન, વચન, કાયાના યોગનો સંપૂર્ણ નિરોધ થાય ત્યારે ચોદમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે.
જ્યાં સુધી જીવો સવેદીપણામાં રહેલા હોય છે ત્યાં સુધી વીતરાગતા પેદા થતી નથી. રાગ-દ્વેષનો સંયમ પ્રાપ્ત થઇ શકે એ સંયમતાનો અનુભવ થઇ શકે પણ વીતરાગતા પ્રાપ્ત થઇ શકતી નથી.
| ઇચ્છા એનું નામ આહારસંજ્ઞા કહેવાય છે. ઇચ્છાપૂર્વકનો આહાર એ સંજ્ઞા સહિતનો. આહાર કહેવાય અને ઇચ્છા વગરનો આહાર તે સંજ્ઞા વગરનો આહાર કહેવાય છે. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જીવ પુરૂષાર્થ કરીને ગુણયુક્ત મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે એ જીવોને ઇચ્છા વગરનો એટલે આહારસંજ્ઞા વગરનો આહાર પણ હોઇ શકે છે એટલે એવા આહારની શરૂઆત થાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જેટલી વિષયોની લાલસા વધારે એટલી જીવોની જન્મ મરણની પરંપરા વધારે હોય છે એટલે એટલો કાળ પરિભ્રમમ કરવાનું વધારે છે એમ કહેવાય.
ભગવાનની ભક્તિ કરતા કરવાની ભાવના ત્યારે જ કહેવાય કે અંતરમાંથી લાલસા ઘટતી જાય તો.
લાલસા ઘટાડવાની વિચારણા પણ ચાલુ થાય તોય જન્મ મરણની પરંપરા ઘટ્યા વગર રહે નહિ.
વિષય વાસનાઓની લાલસાઓના વિચારો ઘટાડવા માટે એનો નાશ કરવા માટે ભગવાન પાસે નેવેધપૂજા કરવાનું મન થાય છે ? નૈવેધ પૂજા તમે શા માટે કરો છો ? જો એ ભાવના ન હોય ન પેદા થાય તો સમજવું કે નેવેધપૂજા કરવા છતાં જન્મ મરણની પરંપરા ઘટવાની નથી.
મેથુનની લાલસા અંતરમાંથી ઘટે તો પરિગ્રહની લાલસા પણ ઘટ્યા વગર રહે નહિ. મેથુનની લાલસાઓ ઘટવા માંડે એટલે પરિગ્રહને વધારવાની સંગ્રહવાની ઇચ્છાઓ અંતરમાંથી તૂટવા માંડે. આહાર સંજ્ઞા જેમ જેમ ઘટે તેમ તેમ મેથુનસંજ્ઞા ઓછી થવા માંડે મેથનસંજ્ઞા ઓછી થવા માંડે તેમ તેમ પરિગ્રહસંજ્ઞા પણ અંતરમાંથી ઘટવા માંડે. શરીર એ પણ પરિગ્રહ જ છે. આથી નેવેધપૂજા કરતાં કરતાં શરીરનો રાગ પણ ઘટવો જ જોઇએ.
મેથન એ પાપ છે એવું અંતરમાં બેસે તો શરીરનો રાગ ચોક્કસ ઘટે જ માટે રાગ વગર શરીરને
Page 60 of 97
Page #61
--------------------------------------------------------------------------
________________
ટકાવવાનું છે. શરીર પ્રત્યેનો જેટલો રાગ એટલી જન્મમરણની પરંપરા વધે. શરીરના રાગવાળા જીવો શરીરને જોઇને ધર્મ કરે અને શરીરને જોઇને ધર્મ કરનારા જીવો ધર્મ પામી શકે નહિ એટલે કે શરીરનો પૂજારી આત્મિક ગુણોને પ્રાપ્ત કરી શકે નહિ જ્યારે ધર્મનો પૂજારી અવશ્ય આત્મિક ગુણોને પામી શકે છે. શરીરનો પૂજારી દેવ, ગુરૂ, ધર્મની આરાધના શરીરને પૂછી પૂછીને કરે એટલે શરીરને જોઇ જોઇને કરે. મારું શરીર સુકાઇ જશે તો ? મારું શરીર થાકી જશે તો ? ઇત્યાદિ વિચારો કરે અને પૈસા કમાવવા માટે, સંસારની પ્રવૃત્તિ કરવા માટે કે જે એને રસવાળી પ્રવૃત્તિ હોય તે કરવામાં એ શરીરને પૂછે નહિ. શરીરનું જે થવું હોય તે થાય પણ મારે આ તો કરવું જ છે એ રીતે કરતો હોય છે.
પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોની ઇચ્છા એટલે ભોગવવા માટેની લાલસાઓ એ મેથુન કહેવાય છે અને પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોના જટલા સાધનો હોય તે પરિગ્રહ કહેવાય છે એટલા માટેજ શરીર પણ પરિગ્રહમાં ગણાય છે.
નિર્વેદી એવા તીર્થંકર પરમાત્માઓની નૈવેધપૂજા કરતાં કરતાં પોતાનું સર્વદીપણું ઓળખાતું જાય એનાથી થતું નુક્શાન એની ખબર પડતી જાય. જન્મ મરણની પરંપરા વધારનાર છે એવી સમજણ પડતી. જાય તો જ અ નેવેધપૂજા આત્મામાં રહેલા ચારે ઘાતી કર્મોનો (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય) ક્ષયોપશમ ભાવ પેદા કરતો જાય.
વિષયોની લાલસાના પરિણામો આત્મામાં રહેલા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવને નાશ કરનારી ચીજ છે. જેટલી વિષયોની વાસનાની લાલસાઓ કુદાકુદ કરે એટલું જ્ઞાનનું આવરણ વધતું જાય
અબ્રહ્મ એટલે મેથન સેવનના પાપને જ્ઞાની ભગવંતોએ અકુશલપણા રૂપે કહેલ છે એટલે કે પુણ્યના ઉદયકાળમાં જીવોને સારા વિચારો પ્રાપ્ત થતાં હોય છે એ સારા વિચારોને બગાડીને મનમાં ખરાબ વિચારોને પેદા કર્યા કરે એ અકુશલપણું કહેવાય છે એટલે કે સજ્જનોને જેવા વિચાર પેદા થવા જોઇએ એવા વિચારો પેદા થવા દે નહિ તે અકુશલપણાની ઉત્પત્તિ કહેવાય છે.
એ અકુશલના વિચારોમાં ને વિચારોમાં જીવો પોતે શું પ્રવૃત્તિ કરી રહેલા છે શું બોલે છે એ એમને પોતાને ખબર પડતી નથી અને આથી આવા અકુશલપણાના વિચારોના કારણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોય છે કે જેનાથી યાદશક્તિ વધતી હોય છે તે ઘટવા માંડે છે એટલે પોતાની મુકેલી ચીજો ક્યાં મુકેલી છે એ પણ યાદ આવતું નથી અને અકુશલપણાના વિચારો કહેવાય છે.
અબ્રહ્મના સેવનને જ્ઞાની ભગવંતો અધર્મરૂપે કહે છે પાંચે ઇન્દ્રિયના અનુકૂળ પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડવાથી તેમજ પ્રતિકૂળ વિષયો પ્રત્યેથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી એ અબ્રહ્મ કહેવાય છે એ અબ્રહ્મ ને અધર્મ કહેવાય છે. એ અધર્મના વિચારો બુદ્ધિને બગાડે છે એટલે જ્ઞાનાવરણીય કર્મના. ક્ષયોપશમ ભાવનો નાશ કરે છે. એટલે કે જેમ જેમ સારા સારા ખાવા પીવા આદિ પદાર્થોની વિચારણા જીવા કરતો જાય અને એવી જ રીતે સારું સાંભળવું, સારું સુંઘવું સારું જોવું, સારો સ્પર્શ કરવો એવા પદાર્થોની ઇચ્છાઓ અને વિચારણાઓ જીવોની બુદ્ધિનો નાશ કરે છે તેમજ વિવેક દ્રષ્ટિનો પણ નાશ કરે છે કારણકે જેમ જેમ એ વિચારો જીવ વધારેને વધારે કરતો જાય તેમ તેમ રાગાદિ પરિણામ તીવ્ર બનતા જાય છે અને એ રાગાદિ પરિણામના કારણે મોહનીય કર્મનો ઉદય તીવ્ર થતો જાય છે એના પ્રતાપે વિવેક દ્રષ્ટિ અંતરમાંથી નાશ પામે છે એટલે કે સારાસારનો વિચાર કરી શકતો નથી, હિતાહિતનો વિચાર કરી શકતો. નથી અને એના કારણે અહિતની પ્રવૃત્તિ, અહિતના વચનો, અહિતના વિચારો અંતરમાં સારા લાગે છે.
Page 61 of 97
Page #62
--------------------------------------------------------------------------
________________
કરવા જેવા લાભદાયી માનતો જાય છે. આવા વિચારો એજ આત્માને જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થતા જાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે આ વિચારોનો નાશ કરવા માટે નેવેધપૂજા કરવાનું વિધાન કરેલું છે. જેમ જેમ ભગવાનની ભક્તિ સારા સારા નૈવેધ મુકીને કરવામાં આવે તેમ તેમ વિવેક દ્રષ્ટિને નાશ કરવાવાળા વિચાર આદિનો નાશ કરવાનો છે. જો આ લક્ષ્ય વગર નૈવેધપૂજા થાય તો જન્મ મરણની પરંપરા ઘટે નહિ. વધતી જ જાય છે. આથી નૈવેધપૂજા આવા વિચારાદિને સાચવીને વધારીને અનાદિકાળથી અનંતીવાર મનુષ્ય જન્મ પામીને કરતા આવ્યા છીએ. અત્યાર સુધી પણ એજ રીતે કરી છે હવે જાણકારી મેળવી સમજણ મેળવી તો હવે શું કરવું છે એજ રીતે નૈવેધપૂજા કરવી છેકે વિચારાદિમાં
ફાર કરીને કરવી છે ? એ અબ્રહ્મની પ્રવૃત્તિ અધર્મની પ્રવૃત્તિ હોવાથી જન્મ મરણ વધારનારી જ છે. ધર્મની પ્રવૃત્તિ ધર્મ મેળવવાના હેતુથી હોય તો જન્મ મરણ ઘટાડી શકે ! માટે નૈવેધપૂજા ભાવપૂર્વક કરતાં કરતાં અધર્મને અધર્મ રૂપે માનતા થઇએ અને શક્તિ મુજબ અધર્મની પ્રવૃત્તિથી છૂટકારો મેળવીએ એ ભાવથી કરવાની છે !
અબ્રહ્મની પ્રવૃત્તિ એટલે એનું સેવન પાપજનક કહેલું છે કારણકે પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોની જે વિચારણા જીવો કરે છે એ વિચારો બીજાની પાસે બોલતા વારંવાર વિચારતા જેના અંતરમાં પાપ ભીરતા હોય, પાપનો ડર હોય એ જીવોને એ પાપરૂપ લાગ્યા વિના રહેતા નથી એ પાપ જનકની પ્રવૃત્તિ કરવાનો વખત આવે તો પણ એ જીવોને પાપરૂપ લાગતાં પ્રવૃત્તિ કરતાં શરમ આવે છે અટલે કે પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોની સાથે ઇન્દ્રિયોને જોડતાં અંતરમાં શરમ-લજ્જા પેદા થતી જાય અને અંતરમાં પાપરૂપ લાગ્યા કરતી હોય છે. આથી આવી વિચારણાઓ-વચનો અને પ્રવૃત્તિઓને જ્ઞાની ભગવંતો પાપજનક કહે છે એટલે પાપને પેદા કરાવનારી, પાપને વધારનારી અને પાપને પુષ્ટ કરનારી કહેલી છે. આથી નિર્વેદી એવા પરમાત્મા પાસે નૈવેધ મુકતા મુકતા પાપ જનક પ્રવૃત્તિ જે સવેદીપણાની અથવા અબ્રહ્મના સેવનની એનાથી છૂટવાની શક્તિ આપો અને સદંતર એના વિચારો, વચનો અને પ્રવૃત્તિનો નાશ કરી નિર્વેદી જલ્દી બની શકું એવી શક્તિ આપો એ માટે નૈવેધપૂજાનું વિધાન કહેલું છે !
આવા વિચારો મિથ્યાત્વ મોહનીય કર્મની મંદતા પેદા થયા વગર થાય નહિ અને સાથે સાથે પોતાનો અવિરતિનો ઉદય એના પ્રત્યે નક્ત ભાવ અને ગુસ્સો વધતો જાય. વિરતિનું જીવન ગમતું જાય એટલે અવિરતિના ત્યાગનું જીવન ગમતું જાય તોજ આ બની શકે છે. માટે હે ભગવન્ ! આપની પાસે સારામાં સારા શુધ્ધ નૈવેદ્ય રૂપે આહારના પુદ્ગલો મુકતાં મુક્તાં એ આહારની લાલસાઓનાં વિચારો એનાથી પેદા થતાં સવેદીપણાની લાલસાઓ અને આતશના વિચારો મારા નાશ પામો એવી માગણી કરવાની કહેલી છે ! આ રીતે રોજે રોજ માગણી કરવાના હેતુથી નેવેધપૂજા કરવામાં આવે તો જરૂર એ માગણીથી ચારે ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા થયા વગર રહેતો નથી એમાં વિશેષ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે.
અબ્રહ્મ એટલે મેથુનને બુદ્ધિનો નાશ કરનાર, વિવેકનો નાશ કરનાર અને સવૃત્તિની કુશળતાને એટલે સદ્વિચારોની ધારાને નાશ કરનાર કહેલું છે. વિષયની વાસનાઓ-લાલસાઓ અને એની આતશના વિચારો એજ સંસાર વૃદ્ધિનું જન્મ મરણનું મુખ્ય કારણ કહેલું છે. જ્યાં સુધી જીવોના અંતરમાં એના વિચારો રમતા હોય છે ત્યાં સુધી નૈવેધપૂજાથી નિર્વદીપણાની સન્મુખ થવાના નિર્વેદીની ઇરછા પેદા થવાના વિચારોનો આશા રાખવાની નહિ. જ્યારે નૈવેધપૂજાથી પોતાના સવેદીપણાના વિચારો દુ:ખરૂપ દુ:ખનું ફ્લ આપનાર અને દુ:ખની પરંપરા વધારનાર આ જ છે આવું લાગે ત્યાર પછી જ જીવોને
Page 62 of 97
Page #63
--------------------------------------------------------------------------
________________
નિર્વેદીપણાના ભાવ પેદા થાય એટલે અંતરમાં થાય કે આના સિવાય બીજું સુખ જરૂર છે અને તે મારા પોતાના આત્મામાં છે અને તે સંયોગ વગરનું છે અને એ સુખ જ ખરેખરૂં સુખ છે અને એ સુખ પેદા થયા પછી સાદિ અનંત કાળ સુધી રહેવાવાળું છે એ સુખના અંશની અંતરમાં ઝાંખી થાય તોય આસવેદીનું સુખ તુચ્છ લાગે સવેદીપણાના સુખ પ્રત્યે નફરત જાગે અને એ સવેદીપણાનું સુખ એ સુખ નથી પણ અનેક પ્રકારના દુઃખથી ભરેલું છે એવું જણાયા વગર રહેતું નથી આથી જ જ્ઞાની ભગવંતો નૈવેધપૂજા કરતા કરતા એ નિર્વેદી અથવા અવેદીપણાના સુખની આંશિક અનુભૂતિ પેદા કરવાનો પ્રયત્ન કરવાનું લક્ષ્ય રાખવાનું કહે છે અને એ સુખની આંશિક અનુભૂતિ આ જન્મમાં થાય તોજ મનુષ્ય જન્મ સફ્ળ થાય.
આ મૈથુન કર્મને જ્ઞાની ભગવંતોએ ચાર ઉપમાઓ આપીને ઓળખાવેલું છે. (૧) પંક, (૨) પનક (સેવાળ), (૩) પાશ (બંધન), (૪) જાળ.
૧. પંક સમાન અબ્રહ્મ અથવા મૈથુન છે.
એ
પંક એટલે મહાન્ કર્દમ = કદર્ય = કાદવ. કાદવમાં ચાલવાવાળા મનુષ્યો ગમે તેટલા સાવધાન રહે, હોંશિયાર હશે તો પણ પ્રમાદવશ પગ લપસી પડતાં શરીર બગડે અને વસ્ત્રો પણ બગડ્યા વિના રહેતા નથી. કદાચ કાદવમાં ખૂંપી જાય તો તેમાંથી કેટલીકવાર બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. એવી જ રીતે મૈથુન કર્મ પણ મહાન કદર્મ જેવું કહેલું છે. એકવાર મૈથુનને વિષે પગ પડી ગયા પછી એટલે એમાં ફ્સાઇ ગયા પછી તેમાંથી છૂટકારો મેળવવો બહુ દુષ્કર કહેલું છે. એટલે કે એમાંથી બહાર નીકળવું એ કષ્ટ સાધ્ય છે અથવા અસાધ્ય પણ બની જાય છે. મૈથુન કર્મરૂપી મહા કાદવમાં પડ્યા પછી પોતાના અંતરની લાલસાઓ આતશના પરિણામોથી પાછા ફરવું બહુ જ કષ્ટ સાધ્ય રૂપે જ્ઞાનીઓએ કહેલું છે અને જો કદાચ બહાર નીકળાય એવું ન હોય અને આતશના પરિણામો વધતા જ જતાં હોય તો એ મૈથુન નામના પાપને ઝીરવવું એટલે એ વિચારોને સહન કરવાની તાકાત ન હોય તો એ પાપ અસાધ્ય રૂપે બનીને મૃત્યુ સુધી પહોંચાડે છે એટલે કે જીવોને આપઘાત સુધી પહોંચાડે છે આથી આત્માને કલંકિ કરનાર કહેલું છે અથવા બુધ્ધિને કલંકિત કરનાર કહેલું છે અથવા જ્ઞાન-વિજ્ઞાનને કલંકિત કરનાર કહેલું છે અથવા ખાનદાન કુળની ખાનદાનીને કલંકિત કરનાર કહેલું છે માટે મહાન્ કર્દમ સમાન મૈથુન રૂપી પાપ કહેલું છે એ પાપથી છૂટકારો મેળવવા માટે જ નૈવેધપૂજાનું વિધાન કહેલું છે.
૨. ૫નક સમાન મૈથુન પાપ
પાણીમાં થતી સેવાળ તેમાં કદાચ કોઇ ફ્સાઇ જાય તો તેમાંથી પણ છૂટકારો મેળવવામાં સરલતા નથી. બહુ જ કષ્ટ પડે છે તેવી જ રીતે મૈથુન પાપ રૂપ સેવાળમાં જીવ ફ્સાઇ જાય તો તેમાંથી બહાર નીકળવું કોક અપવાદ સિવાય બહુ જ કઠીન કહેલું છે.
દરિયા કિનારે કે નદી કિનારે અથવા તળાવના કિનારે એટલે એ કિનારા પાસે ચારે બાજુ લીલી વનસ્પતિ નાની નાની ઉગેલી રહેલી હોય છે. એમાં એ વનસ્પતિની સાથે રહેલી માટી એટલી પોચી થઇ ગયેલી હોય છે કે પગ મુકતાની સાથે પગ જમીનમાં અંદર ઉતરતો જાય છે અને સાથે સાથે માટીની પોચાશની સાથે માટી ચીકણી બની જાય છે. એ ચીકાશના પ્રતાપે જેમ જેમ બહાર નીકળવા પ્રયત્ન કરે તેમ
તેમ અંદર ઉતરતો જાય છે એ સેવાળ રૂપ ગણાય છે એમ આ મૈથુન પાપ રૂપ સેવાળ એવી જોરદાર હોય છે કે એ પાપના સેવાળવમાં સેલો જીવ એની લાલસાના વિચારોમાં ફ્સાયેલો હોય પછી વાસનાના વિચારોમાં
Page 63 of 97
Page #64
--------------------------------------------------------------------------
________________
ફ્લાયેલો હોય છે અને એના કારણે અંદરની આતશોના વિચારો ગમે તેવા કારણોથી બહાર નીકળવા પ્રયત્ન કરે તો પણ એ વિચારોથી બહાર નીકળી શકતો નથી જેમ જેમ બહાર નીકળવાના વિચારો કરે તેમ તેમ લાલસા-વાસનાના વિચારોની ચીકાસમાં એવો અંદર ખૂંપતો જાય છે કે એમાંથી અપવાદ સિવાય કોઇ બહાર જલ્દી નીકળી શકતું નથી. એનાથી છૂટકારો મેળવવા માટેનો એક જ પ્રયત્ન જ્ઞાની ભગવંતોએ કહેલો છે કે જે ભાવપૂર્વક નૈવેધપૂજા કરે અને સવેદીપણાના સુખથી છૂટવાની શક્તિ આપો એમ માગણી કરે અને એની લાલસાઓ વાસનાઓના વિચારોથી છૂટું એવો પ્રયત્ન કરી શકું એવી શક્તિ આપો એમ માગણી કરતો રહે-પ્રયત્ન કરતો રહે તોજ બહાર નીકળી શકે છે નહિ તો બહાર નીકળવું બહુ જ કઠીના
છે.
૩. પાશ-મૈથુન નામનું પાપ છે.
પાશ = બંધન. મજબૂત દોરડાથી બંધાઇ ગયા પછી જીવ બહાર નીકળવા ગમે તેટલો પ્રયત્ન કરે પણ તે બહાર નીકળી શકતો નથી પણ ઉપરથી અંદરને અંદર ફ્લાતો જાય છે તેમ મેથુન રૂપ પાપને અને એની લાલસાઓને જ્ઞાની ભગવંતોએ ભયંકર બંધન રૂપ કહેલું છે. અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરી રહેલા જીવો મેથુન રૂપ પાપના બંધનમાં સદા માટે બંધાયેલા છે જ. એ બંધન બંધન રૂપ ત્યારે જ લાગે કે ભગવાનની ભક્તિ પ્રશસ્ત રાગ પૂર્વ-ભાવપૂર્વક નૈવેધપૂજા કરે તો. અર્થાત્ નૈવેધપૂજા જો સાચા ભાવથી અંતરથી કરવામાં આવે તો મૈથુન પાપ બંધન રૂપ લાગ્યા વિના રહે નહિ જ. આથી મેથુનની લાલસાઓ-વાસનાઓ-રૂપી પાશ એટલે બંધન એવું ભયંકર છે કે જો જીવ એ લાલસાઓ અને વાસનાઓના બંધનમાં ફ્લાય કે તરત જ આત્માને ચારે બાજુથી બાંધવા માંડે છે અને જીવ જ્યારે એ બંધનથી છૂટવાનો વિચાર કરે એટલે એમાં વધારેને વધારે બંધાતો જાય છે કારણકે એ લાલસાઓ-વાસનાઓ પોષવા માટે મહેનત કરવી પડે જે માગે તે લાવીને આપવું પડે એમાં જરાય ઓછું ના લાગે એની કાળજી રાખવી પડે આ બધો પ્રયત્ન કરવા છતાં પણ પોતાની લાલસા અને વાસનાઓ ના પોષાય તો જીવ પાછો દુ:ખીને દુ:ખી થતો જાય છે અને એનાથી ગમે તેટલા છૂટવા પ્રયત્ન કરે તો પણ છૂટી શકતો નથી માટે જ્ઞાની ભગવંતો કહે છે કે- મેથુન કર્નની લાલસા અને વાસના પણ જીવાત્માને માટે મહાભયંકર બંધન સ્વરૂપ છે. જાણતાં કે અજાણતાં દુષ્ટ બુધ્ધિથી એટલે ખરાબ બુદ્ધિથી કે સરલ બુદ્ધિથી, ઇચ્છાથી કે અનિચ્છાથી જીવનો મેથુન કર્મના માર્ગે પગ મંડાઇ જતાં વાર લાગતી નથી પણ તેને છોડવામાં ભવોના ભવો બગડ્યા વિના રહેતા નથી અને એ ભવોમાં જે રીતે નિકાચીત રૂપે બાંધેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો થતો નથી. જેમ ભગવાન મહાવીરના આત્માએ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં સંગીત સાંભળનાર પહેરેગીરના કાનમાં તપાવેલું શીશું નાંખીને મારી નાંખ્યો એનાથી કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ નિકાચીત રૂપે બાંધ્યું એ સત્તાવીશમાં ભવમાં અવશ્ય ભોગવવું પડ્યું. એવી રીતે મેથુન કર્મના પાશમાં પડીને આત્માને ભવોભવ બગાડવા ન હોય તો ભાવપૂર્વકની નૈવેધપૂજા નિર્વેદી બનવા માટે પ્રયત્ન કરવો જોઇએ. જેટલો સુંદર પ્રયત્ન થશે એનાથી ભવોભવ ઓછા થશે અને જેટલા ભવ મોક્ષે જવાના બાકી હશે તે બગડ્યા વિનાના અધુરી આરાધનામાં સહાયભૂત થતાં અવેદી અથવા નિર્વેદી બનાવ્યા વગર રહેશે નહિ. તો એ લક્ષ્ય રાખીને નૈવેધપૂજા કરવા ભાવનાવાળા બનો. ૪. જાળ રૂપ મૈથુન નામનું પાપ છે.
Page 64 of 97
Page #65
--------------------------------------------------------------------------
________________
જેમ શિકાર કરવાવાળા શિકારીઓ પશુ અને પંખીના શિકાર માટે જંગલમાં જાય છે અને જે જંગલમાં જાય ત્યાં જાળ પાથરીને દાણા વગેરે નાંખે છે અને ખોરાક વગેરે નાંખે છે એ ખોરાકની અને દાણાની લાલચે ત્યાં આવી પોતાનું પેટ ભરવા માંડે છે તેમાં એ જીવોને ખબર ન હોવાથી પેટ ભરી લોધા પછી
જ્યાં બહાર નીકળવા જાય કે પક્ષીઓ ઉડવા પ્રયત્ન કરે તો તે બહાર નીકળી શકતા નથી અને ઉડી શકતા નથી અને ફ્લાઇ જાય છે તેમજ શિકારીને હાથે મરણને શરણ થાય છે એવી રીતે અનાદિ કાળથી. સંસારને વિષે મોહરાજાએ અનુકૂળ પદાર્થોના રાગની અને પ્રતિકૂળ પદાર્થોના દ્વેષની મોટો જાળ પાથરેલી છે તેમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતા એકેન્દ્રિય જીવો થી પંચેન્દ્રિય સુધીનાં જીવો એ ઇન્દ્રિયોની. ગુલામીને આધીન થઇને એની રંગીલી માયાને વિષે ફ્લાઇને પોતાનું જીવન હર હંમેશ ધૂળ ધાણી કરતા જાય છે એટલે પરિભ્રમણ કરતા જ જાય છે અને એ મેથુન રૂપી જાળમાં ફ્લાયા પછી મોટે ભાગે જીવ નીકળી. શકતો નથી અને મરણને શરણ થાય છે. એ જાળમાંથી નીકળવા માટેનો જ્ઞાની ભગવંતોએ એજ રસ્તો કહેલો છે કે નેવેધપૂજા ભાવપૂર્વક કરવાની સવેદીની જાળમાંથી નીકળી શકાય છે.
વેદ કર્મનો ઉદય જીવોને જ્યાં સુધી એની લાલસાના-વાસનાના વિચારો ચાલુ હોય ત્યાં સુધી એની આતશ અંતરમાં ચાલુને ચાલું હોય છે. આથી એ જીવોને ચંચળતા પેદા થતી જાય છે. ચિત્તની વ્યામોહતા એટલે વ્યાકુળતા પેદા થતી જાય છે અને વારંવાર એ વિચારોની લીનતા થતી જાય તેમ તેમ એ જીવો મૂઢ બનતા જાય છે એટલે મૂઢતા પેદા થતી જાય છે. આથી નિશ્ચિત થાય છે કે જ્યારે મનમાં ચંચળતા ચાલતી હોય વ્યામોહતા પેદા થતી જાય અને મૂઢતા વધતી જાય તો સમજવું કે મનમાં વિષયના પદાર્થોની લાલસાના વિચારો વાસનાઓના વિચારો તેમજ તેની આતશના વિચારો પેદા થતા જાય છે એની લીનતા. થતી જાય છે અને જીવ એમાં પરોવાયેલો છે એમ કહેવાય છે. એક બીજા એક બીજા વિજાયતીયનું આકર્ષણ પેદા થતું જાય એને તથા સજાતીય સજાતીયનું આકર્ષણ પેદા થતું જાય અને વેદનો ઉદય કહેવાયા
છે.
જ્યાં સુધી જીવના જીવનના અણુમાં વિષય વાસનાના સંસ્કાર રહેલા હશે ત્યાં સુધી જીવના જન્મ મરણ ઘટવાના જ નથી.
જેટલા અંશોમાં અંતરમાંથી મેથુન પાપનો ત્યાગ કરાશે એટલે વિષય વાસનાના પદાર્થોનો સર્વથા. ત્યાગ કરાશે ત્યાં સુધી તેટલા અંશોમાં જન્મ મરણ અવશ્ય ઓછા થશે અને તેટલા કાળ સુધી એ જીવોનું મગજ ઠંડુ થતું જશે આંખોમાં નિર્વિકારતા પેદા થતી જશે તેમજ અંતરમાં દયાભાવ-પ્રેમભાવ પેદા થતો જશે. અને એમાંથી સમતા ભાવ પેદા થતો જાય છે અને એ સમતા ભાવના પ્રતાપે જન્મ મરણની પરંપરા ઓછી થશે અને ધર્મની પ્રાપ્તિ થશે એટલે આત્મામાં રહેલો ધર્મ ક્ષયોપશમ ભાવે પ્રગટ થતો જશે. આજ ખરેખર નેવેધપૂજાનું ળ કહેલું છે.
નારકીમાં એક બીજાને મારવાથી સંખ્યાતો કે અસંખ્યાતો કાળ પસાર કરેલો હોય એ સંસ્કારના પ્રતાપે અંતરમાં રહેલા પાપનો પાપ ભાવનાનો વેર-વિરોધનો મરવા તથા મારવાનો એટલે મારવાના વિચારોનો ત્યાગ અતીવ દુષ્કર લાગે છે એવી જ રીતે અનુકૂળ પદાર્થોના વિષયો જીવ ને ગમે તેટલા દુ:ખો પેદા કરાવે દુ:ખનું ફ્લ આપ્યા કરે અને દુઃખની પરંપરા વધાર્યા કરે તો પણ જીવોને એ અનુકૂળ પદાર્થો રૂપા વિષયોની લાલસાઓનો ત્યાગ અતીવ કષ્ટકારી દુ:ખદાયી લાગે છે આથી એ અનાદિના સંસ્કારોનો નાશ કરવા એમાં ઘસારો પાડવા માટે આ નૈવેધ નિર્વિકારી અથવા નિર્વેદીની કરવાની કહેલી છે એનાથી એ તાકાત અને શક્તિ જરૂર આવશે. મેથુનના વધારે પડતા સેવનથી મનુષ્યોના શરીરમાં એક પછી એક
Page 65 of 97
Page #66
--------------------------------------------------------------------------
________________
સુસાધ્ય કષ્ટ સાધ્ય અને અસાધ્ય રોગો અનેક પ્રકારના પેદા થાય છે. સુસાધ્ય એટલે રોગો પેદા થયા પછી સારી રીતે રોગનો નાશ થઇ શકે તે સુસાધ્ય કહેવાય છે. કષ્ટ સાધ્ય એટલે રોગો પેદા થયા પછી દૂર કરવા માટે ઘણો પ્રયત્ન કરે તો પણ તે નષ્ટ થવામાં ઘણો સમય લાગે તે કષ્ટ સાધ્ય રોગ કહેવાય છે અને કેટલાક એવા ભયંકર રોગો પેદા થાય છેકે જે પેદા થયા પછી નાશ પામતા નથી ગમે તેટલી દવાઓ કરાવે ઉપચારો કરાવે છતાં પણ એ રોગો અસાધ્ય રૂપે રહી જીવનું મરણ ન થાય ત્યાં સુધી કાયમ ટકી જ રહે છે અને જીવોના પ્રાણોને લઇને જાય તે અસાધ્ય રોગો કહેવાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે આવા અનેક પ્રકારના રોગોથી જીવો પીડા પામતા, રીબાતા અને દયાજનક દશા ભોગવતા પોતાના મનુષ્ય જન્મને બરબાદ કરે છે. આવા અનેક પ્રકારના રોગો પેદા થવા છતાંય અંતરમાંથી વિષય વાસનાના વિચારો લાલસાઓ નાશ પામતા નથી.
પ્રાકૃતિક મૈથુન એટલે સ્વાભાવિક મૈથુન અને અપ્રાકૃતિક મેથુન એટલે અધ્યવસાયોથી અથવા બીજા કોઇ સાધનોથી મૈથુનની ક્રિયા થાય છે. આ બન્નેમાંથી કોઇપણનો વધારે પડતો દુરૂપયોગ કરવાથી આ પ્રમાણે રોગોની ઉત્પત્તિ થાય છે.
(૧) કંપ થવો-હાથ-પગ-મસ્તક અને શરીરના બીજા કોઇ ભાગ વગર કારણે કંપ્યા કરે એટલે ધ્રુજારી આવ્યા કરે તે કંપ કહેવાય છે. આવી ધ્રુજારી પેદા થવા છતાંય જીવો પોતાના અંતરમાંથી વિષય વાસનાના વિચારો, લાલસાઓ નાશ કરવા પ્રયત્ન કરતા નથી.
(૨) વેદ = શ્રમ વિના પણ એટલે થાક વિના પણ સીમાતીત પરસેવા પેદા થતો જાય એટલે વગર પુરૂષાર્થે પરસેવો વધ્યા જ કરે છે.
(૩) શ્રમ - મામુલી કામ કરતાં અથવા કામ નહિ કરવા છતાં પણ શરીરને વિષે થકાવટ લાગ્યા કરવી. એટલે થાક લાગવો.
(૪) મૂચ્છ - મોહ થવો. અતિશય મૈથુનના કારણે માથાની ગ્રંથીઓ નબળી પડી જાય જેનાથી સારા કે ખરાબ કોઇપણ પદાર્થો પ્રત્યે મૂચ્છ પેદા થતી જાય. ઘણીવાર કુટુંબમાં કહેય ખરા કે નાખી દેવા લાયક જોવાય ન ગમે એવા પદાર્થો પ્રત્યે તમને કેમ આકર્ષણ થાય છે. રાખવાનું અને સંગ્રહ કરવાનું મના થાય છે એજ સમજાતું નથી. આને જ્ઞાની ભગવંતો મોહ અથવા મૂર્છા કહે છે એ પણ મથુનમાંથી જ પેદા થાય છે.
(૫) ભૂમિ – અમુક કામ મેં કર્યું કે નથી કર્યું ? મેં ખાધું કે નથી ખાધું ઇત્યાદિ અનેક પ્રકારના વિચારોની સ્મરણ શક્તિ ઓછી થતી જાય છે. પોતાની મુકેલી ચીજો પોતાને પણ યાદ આવે નહિ કોઇ યાદ કરાવે તો યાદ આવે.
(૬) ગ્લાનિ - કમરનો દુ:ખાવો સાથળનો દુ:ખાવો પગની પિંડીઓનો દુ:ખાવો તથા શરીરના અંગોપાંગો શિથીલ થતા જાય અને વારંવાર લાંબાકાળ સુધી દુ:ખાવો પેદા થયા જ કરે અને વધ્યા જ કરે તે ગ્લાનિ કહેવાય છે.
(૭) બળક્ષય - મેવા, મિષ્ટાન્ન ખાવા છતાંય કોઇપણ જાતનું બળ કે શક્તિ વધે નહિ પરિણામે ચાલવું, બેસવ આદિ ક્રિયાઓ બધી મડદાલ બની જાય એટલે જાણે મરવાના વાંકે ક્રિયાઓ કરતો હોય એમ ક્રિયાઓ થાય છે તે બળક્ષય કહેવાય છે.
આ ઉપરાંત ક્ષય રોગ, ભગંદર રોગ, દમ રોગ, બ્લડ પ્રેશરનો રોગ, ડાયાબીટીશનો રોગ, સંધીવા, લકવા એમ અનેક પ્રકારના અસાધ્ય રોગો પેદા થતા વાર લાગતી નથી. આ રોગો પેદા ન થવા
બાદ બાd.
Page 66 of 97
Page #67
--------------------------------------------------------------------------
________________
દેવા હોય તો નૈવેધપૂજા ભાવ પૂર્વક કરતાં કરતાં સવેદીપણાના વિચારો નાશ કરી નિર્વેદી-અવેદીપણાના વિચારો પેદા કરી જલ્દીથી નિર્વેદી થાઉં એવી શક્તિ આપો એ માગણી કરતા રહેવાની છે.
એવી જ રીતે જીવોનો વધ કરાવવામાં બંધનમાં નાંખવામાં જગતને વિષે અપયશ પેદા કરાવવામાં સહાયભૂત થતું હોય તો આ મેથુન નામનું જ પાપ કામ કરે છે. જ્ઞાનીઓએ આ મેથુન પાપમાંજ એનો સમાવેશ કરેલો છે. આથી વિચારો આ પાપ કેવું ભયંકર છે ? જીવોને કેટલું નુક્શાન કરે છે ?
આ વેદનો ઉધ્ય જે સવેદીપણાએ ક્ષણિક સુખરૂપે ભોગવીએ છીએ અને અનેક પ્રકારના દુ:ખથી. મિશ્રીત થયેલા સુખમાં આનંદ માનીએ છીએ એ સુખને જ્ઞાનીઓએ ત્રણ પ્રકાર રૂપે બંધ આશ્રયી કહેલું છે.
(૧) અતિનિકાચીત રૂપે, (૨) અલ્પનિકાચીત રૂપે અને (૩) અનિકાચીત રૂપે હોય છે.
(૧) અતિનિકાચીત વેગવાળા જીવોને યુવાન વય મલતાં જ વેદનો ઉદય ભડકે બળ છે. એટલે અતિ તીવ્રરૂપે ઉદયમાં કામ કરે છે. વેદકર્મના અતિ તીવ્રતાના પ્રતાપે એવા જીવોની મેથુન સંજ્ઞા અત્યંત બળવાન હોવાથી શરીર, મન અને ઇન્દ્રિયો પણ સર્વથા બેકાબુ બને છે.
નૈવેધપૂજા કરનારા તમે તમારો વેદનો ઉદય આવો અતિ નિકાચીત રૂપે તમને પજવે નહિને ? એવો વિશ્વાસ છે !
ભલે વેદનો ઉદય પજવે છે જરૂર પણ અમો નૈવેધપૂજા ભાવથી કરીએ છીએ. આહાર સંજ્ઞાનો નાશ કરતા કરતા મેથુનનો નાશ કરી નિર્વેદીપણાના ભાવો પેદા કરવાની ભાવના છે માટે અમોને અતિ નિકાચીત વેદકર્મ બંધાતુ નથી અને ઉદયમાં પજવતું નથી આટલો વિશ્વાસ પૂજા કરનારાના અંતરમાં ખરો કે નહિ ? તોજ અંતરમાં મોક્ષનો અભિલાષ પેદા થતાં સમકીતની પ્રાપ્તિ જીવો પુરૂષાર્થથી કરી શકે. ચારિત્ર મોહનીયનો ઉદય એ જુદી ચીજ છે અને વેદનો ઉદય એ ચીજ જુદી છે. અવિરતિના ગાઢ ઉદયના કારણે ચારિત્ર લઇ ન શકે પણ ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી શકે તો પણ વેદનો ઉદય અતીતીવ્ર રૂપે ભોગવવાનો બાકી હોય તો એની આતશ જીવને પેદા થતાં રહી ન શકે એવું પણ બને છે જેમ ક્ષાયિક સમીકીત પામેલા શ્રેણિક મહારાજાના જીવને વેદનો ઉદય તીવ્રપણે રહેલો હતો. તેમજ સત્યની વિધાધર જે હતા તે પણ સાયિક સમજીતી હતા છતાં પણ વેદના તીવ્ર ઉદયના કારણે રાજાના અંત:પુરમાં જેટલી રાણીઓ હતી તે દરેક રાણીની સાથે વૈક્રીય શરીરથી ભોગ ભોગવેલા છે. અંતરમાં હેય પદાર્થમાં હેય બુદ્ધિ હોવા છતાં વેદના ઉદયની આતશના કારણે રહી શકાતું ન હોવાથી એ કામ કરતો હતો જ્યારે પકડાયો ત્યારે લોકોએ ફ્ટિકાર આપ્યો છે તેમાં કેવલી ભગવંત ત્યાં પધાર્યા છે તેમાં આ સત્યની વિધાધર દેશના સાંભળવા જાય છે. લોકો અંડધૂત કરે છે ત્યારે કેવલી ભગવંત કહે છે આશાતના ને કરો નિયમાં ક્ષાયિક સમકીત પામેલો જીવ છે. આથી કોઇક સમઝીતી જીવોને વેદની અતિતીવ્ર આતશના કારણે રહી ન શકે એમ બને એથી સમકીત ચાલ્યું જતું નથી.
અત્યારે વર્તમાનમાં મહાદેવનાં મંદિરમાં જે લિંગ રાખવામાં આવે છે તે આ સત્યકી વિધાધરનું કહેવાય છે. એ સત્યકી હાલ નરકમાં છે ક્ષાયિક સમકીત પામતા પહેલા આયુષ્ય નરકનું બાંધેલું હતું માટે ગયા છે ત્યાંથી મનુષ્યમાં આવીને મોક્ષે જવાના છે.
અનુકૂળ પદાર્થો પ્રત્યે અત્યંત રાગ રાખીને મારાપણાની બુદ્ધિ રૂપે મમત્વ રાખીને જીવે એવા જીવોને અતિ નિકાચીત વેદકર્મ બંધાય છે. ભગવાનની ભક્તિ કરનારા આપણને અતિ નિકાચીત વેદ કમી બંધાતું નથી ને ? આટલું નિશ્ચિત રૂપે કહી શકીએ ને ? અને એજ અતિ નિકાચીત વેદનો ઉદય જન્મ મરણની પરંપરા વધાર્યા વિના રહેતી નથી. વાસનાના વિચારો ઓછા થતાં જાય તો જ જન્મ મરણની
Page 67 of 97
Page #68
--------------------------------------------------------------------------
________________
પરંપરા અટકે છે. એ જન્મ મરણની પરંપરા અટકાવવા વાસનાના વિચારો નાશ કરવા માટે જ નૈવેધપૂજા કહેલી છે. વિષય વાસનાના વિચારો જ્ઞાન અને દર્શનના ક્ષયોપશમ ભાવનો નાશ કરે છે. આથી જ્ઞાનના વિચારોમાં ઉપયોગમાં જેટલો કાળ પસાર કરો એટલા કાળ સુધો વાસનાના વિચારો અવશ્ય નાશ પામે છે.
અનુકૂળ પદાર્થોની વિચારણા તમોને મંદિરમાં ન આવે ને ? બીજાના સારા કપડા જોઇને બીજાની સારી સામગ્રી જોઇને પરફ્યુમ છાંટેલા સુગંધવાળા કપડા જોઇને તમોને શું વિચારો આવે ? વાસનાના વિચારો ન આવે ને ? વાસનાના વિચારો મંદિરમાં જો આવે તો ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પેદા થવા દે નહિ અને એ બીજાની સારી સામગ્રી જોઇને મંદિરમાં જો વાસનાન વિચારો આવે તો તે ઇર્ષ્યા ભાવ કહેવાય
છે.
વાસનાના વિચારોનો સંતોષ માત્ર ભોગોને ભોગવવાથી ન થાય ભોગવવાથી તો ઉપરથી વાસનાના વિચારો વધે છે. મનુષ્યના ભોગોને તો જ્ઞાનીઓએ અતિ તુચ્છ રૂપે કહેલા છે. એ મેથુનના ભોગવટાની કિંમત કાંઇ જ નથી. અતિ તુચ્છ રૂપે છે બિભત્સ ગણાય છે. જોવા પણ ગમે એવા નથી. આથી દેવલોકમાં વૈમાનિકના એકથી ચાર દેવલોકમાં રહેલા દેવોને મનુષ્યની જેમ ભોગો હોય છે. એ દેવોના ભોગો પણ ત્યાં કચ્છ રૂપે ગણાય છે. આગળના દેવલોકોને વિષે કેટલાક દેવલોકમાં દેવીને સ્પર્શ કરવાથી વેદ શમે. કેટલાક દેવલોકમાં દેવીના શબ્દ સાંભળવાથી વેદ શમે. કેટલાક દેવલોકમાં મનથી ચિંતન કરે અને વેદ શમે એટલે તૃપ્તિ થાય અને કેટલાક દેવલોકમાં નામ યાદ કરીને સંતોષ પામે છે. આથી અનુત્તર વાસી દેવો પોતાના જ્ઞાનના સ્વાધ્યાયમાં મનનો ઉપયોગ રાખીને વેદના ઉદયનો નાશ કરે છે આથી અનુત્તર વાસી. દેવોને પ્રાયઃ અવેદી કહેલા છે તેમને વેદના વિચારો વાસના પજવતી નથી.
રત્નત્રયી અને તત્વત્રયીની આરાધના કરનાર આપણને વેદના વિચારો પજવે નહિ ને ? અતિ નિકાચોત વેદનો બંધ આપણને નહિ થાય એવો વિશ્વાસ ખરો ને ? જે રીતે આપણે આરાધના કરીએ છીએ એ આરાધના કરતાં અનંતો કાળ સંસારમાં હવે રખડપટ્ટી થવાની નથી એટલો તો વિશ્વાસ ખરો ને ?
અતિ નિકાચીત કર્મ પુરૂષાર્થથી નબળું પાડી શકાય છે. નેવેધપૂજા જો ભાવથી કરવામાં આવે તા. તેનાથી વેદના વાસનાના વિચારો નાશ પામતા જાય તો અનંતા જન્મ મરણની પરંપરા પણ નાશ પામતી જ જાય. આથી નેવેધપૂજા કરતાં કરતાં અંતરમાં વિચારણા કરો કે હે ભગવન્ ! વેદના વમળના વિચારોમાંથી
મુક્તિ આપો અને સાથે સાથે સંકલ્પ કરો કે મારો સંસાર જરૂર ઘટતો જાય આવી પ્રત્યક્ષ અનુભૂતિ નૈવેધપૂજાથી થાય છે ? આથી જ્ઞાની ભગવંતો કહે છે કે આવા વિચારવાળાં જીવોને ધર્મની આરાધના કરતા કરતાં સંસારમાં સ્થિર થવા દેતો નથી.
ભગવાનની ભક્તિમાં એકાગ્રતા પેદા થતી નથી, વીર્ષોલ્લાસ પેદા થતો નથી, સારા ભાવો પેદા થતા નથી, ટકતા નથી એનું મુખ્ય કારણ વિષય વાસનાના વિચારો છે.
નિર્વેદીપણાનો આંશિક આસ્વાદ પેદા થાય એટલે અણાહારીપણાનો આંશિક આસ્વાદ આવે. માટે જ્ઞાનીઓ કહે છે કે વાસનાના વિચારો ચાલતા હોય ત્યાં સુધી નિર્વેદીપણાના વિચારો ક્યાંથી આવે ? અને એ ન આવે ત્યાં સુધી અણાહારીપણાના વિચારા ક્યાંથી આવે ? અતિ નિકાચીત બાંધેલો વેદનો ઉદય ખાવા-પીવા-પહેરવા-ઓઢવા આદિની ગમે તેટલી સારામાં સારી સામગ્રી મલે તો પણ એને વધારવાની અને એનાથી ચઢીયાતી સામગ્રી મેળવવા માટેના વિચારો અને વાસનાઓની સીમા રહેતી નથી. એ અતિ નિકાચીત વેદના ઉદયના કારણે થાય છે પણ એને પુરૂષાર્થથી એટલે નૈવેધપૂજાથી એ વિચારણાઓનો નાશ કરી શકાય છે.
Page 68 of 97
Page #69
--------------------------------------------------------------------------
________________
વૈમાનિકના એકથી ચાર દેવલોકના દેવોનું સુખ મનુષ્યના જેવું મેથુન હોવાથી તુચ્છ છે. મેથુન રૂપે સુખ ભોગવવું એ તુચ્છ કહેવાય છે. આ રીતે તુચ્છ રૂપે ભોગવાતું સુખ મન બગાડે, શરીર બગાડે અને જોવામાં વિચારવામાં પણ બિભત્સ લાગે એવું હોય છે.
અલ્પ નિકાચીત વેદનો ઉદય – આ ઉદયવાળા જીવો ગ્રહસ્થાશ્રમમાં રહે છતે પણ ભોગ વિલાસોમાં મર્યાદાવાળા હોય છે. સારી સંતતિ પ્રાપ્ત કરવાની તમન્નાવાળા હોય છે તથા દાનધર્મ-શીલધર્મ અને તપધર્મ કરવાવાળા હોય છે તથા સાત્વિક ભાવનામાં આ જીવોની મસ્તી હોય છે.
અલ્પ નિકાચીત વેદના ઉદયવાળા જીવોને અંતરમાં સંયમ પ્રત્યેની ભાવના બેઠેલી હોય છે. પણ વેદનો ઉદય ચાલુ હોવાથી સંયમનો સ્વીકાર કરી લઉં એવી ભાવના ઉત્કટ બનતી નથી કારણ કે એ વેદના ઉદયના કારણે સંયમ લઇને પાળવાની શક્તિ દેખાતી નથી. માટે સંસારમાં લગ્ન ગ્રંથીથી જોડાય છે અને સંસારમાં જીવે છે આથી એ નિશ્ચિત થાય છે કે આવા જીવોને લગ્નની ક્રિયા એ પાપની ક્રિયા લાગે છે એ ક્રિયા કરવી પડે છે માટે કરે છે પણ ઉલ્લાસથી કરતો નથી પણ અંતરમાં માત્ર એક જ ધ્યેય હોય છે કે એક સંતતિ પેદા થાય પછી બ્રહ્મચર્યનો નિયમ અને શક્તિ દેખાય તો સંયમનો સ્વીકાર.
આથી અલ્પ નિકાચીત વેદના ઉદયવાળા જીવોની ભાવના સંયમની ક્રિયા સંસારની હોય આનાથી અધિક સંસારની લાલસાના વિચારોવાળા જીવોને અતિ નિકાચીત વેદનો ઉદય કહેવાય છે.
અલ્પ નિકાચીત વેદના ઉદયવાળા જીવોની ભાવનાના કારણે સંસારમાં એક સંતતિની જ ભાવનાવાળાઓના ઘરમાં સત્વશાળી પુરૂષનો જ મોટે ભાગે જન્મ થાય છે.
જેમકે વજસ્વામીજીના પિતાશ્રી ધનગિરિજી.
ધનગિરિના પિતા જ્યારે ધનગિરિ ઉંમર લાયક થયા ત્યારે ગામમાં જે કોઇ સારુ કુળ દેખાય એના માબાપને મળીને પોતાના દિકરા માટે કન્યા નક્કી કરીને આવે અને દિકરાને કહે છે. આ માબાપનો કન્યા સાથે તારૂં નક્કી કરેલ છે. ધનગિરિને ખબર પડે એટલે એ કન્યાને ખાનગી મળવા માટે ધનગિરિજી જાય અને પૂછે કે તું મારી સાથે લગ્ન કરવાની છો ? પેલી કન્યા હા કરે એટલે ધનગિરિ કહે કે ધ્યાન રાખીને કરજે હું દીક્ષા લેવાનો છું ! આટલું કહે એટલે પેલી કન્યા ગભરાય પોતાના માતા પિતાને વાત કરે એટલે એના માતા પિતા ધનગિરિની સાથે નક્કી થયેલું ફોક કરી નાંખે આવી રીતે અનેક કન્યાઓની સાથેનું ફોક કરાવ્યું એમાં એક સુનંદા નામની કન્યાની સાથે માતા પિતાએ નક્કી કરેલું એમની પાસે પણ ધનગિરિજી ગયા અને એ જ રીતે વાત કરી એટલે સુનંદાએ કહ્યું તમારે જે કરવું હોય તે કરજો હું તો તમારી સાથે લગ્ન કરવાની છું આ સાંભળીને ધનગિરિજી વિચારે છેકે મારું ભોગાવલી કર્મ બાકી છે એમ માનીને એની સાથે લગ્ન કરે છે. બોગ ભોગવતા ગર્ભ રહ્યો એટલે સુનંદાને કહે છે કે હવે હું દીક્ષા લેવા. જાઉં છું. જે દિકરો ઉત્પન્ન થશે એ તને જીવાડશે એમ કહીને સંયમનો સ્વીકાર કરે છે. આ અલ્પ નિકાચીત વેદનો ઉદય હતો માટે ગર્ભ રહ્યાની સાથે જ સંયમ લેવા નીકળે છે અને એમાં વજસ્વામીજી પેદા થયા અને એ વજસ્વામીએ પણ પોતાના આત્માના કલ્યાણની સાથે માતાનું પણ કલ્યાણ કર્યું.
આવા જીવોની પોતાના જીવનમાં થતી દાનની પ્રવૃત્તિ, શીલની પ્રવૃત્તિ અને તપની પ્રવૃત્તિ સત્વ રૂપે એટલે સત્વ પેદા કરનારી, સત્વ વધારનારી અને સત્વથી પુષ્ટ થયેલો પોતાના આત્મ કલ્યાણના માર્ગમાં આગળ વધારનારી હોય છે. આથી જેમ જેમ આ જીવો દાનાદિ ધર્મોનું આચરણ કરતા જાય તેમ તેમ પોતાના આત્મિક ગુણોમાં આગળ વધતા જાય છે અને એ એકાગ્રતાના પ્રતાપે મનોબલ મજબૂત બનાવી કલ્યાણના માર્ગે આગળ વધતા જાય છે તે અલ નિકાચીત વેદના ઉદયવાળા જીવો કહેવાય છે અને એ
Page 69 of 97.
Page #70
--------------------------------------------------------------------------
________________
અલ્પ નિકાચીત વેદના ઉદયવાળા જીવોને વેદની ક્રિયાથી જે આનંદ થાય એ આનંદ રૂપે હોતો નથી. એનાથી અધિક આનંદ ભગવાનની ભક્તિમાં એની એકાગ્રતામાં તથા ભગવાનના ગુણોની વિચારણામાં એની તન્મયતા પ્રાપ્ત કરવામાં હોય છે આથી જ આવા જીવોનો મોક્ષનો અભિલાષ વિશેષ રીતે પેદા થતાં થતાં એની આંશિક અનુભૂતિમાં કાળ પસાર થતો જાય છે અને એ આનંદના કારણે વેદના ઉદયનો આનંદ તુચ્છ લાગે છે એના પ્રત્યે નત ભાવ પેદા થતો જાય છે. એજ ખરેખર નૈવેધપૂજાનું પ્રત્યક્ષ ળ કહેલું છે. આ રીતે નેવેધપૂજા કરતાં કરતાં આવા પરિણામો પેદા કરીને આંશિક આત્મિક સુખનો આ ભવમાં અનુભવ કરીએ કે જેના કારણે વેદના સુખનો આનંદ વેદના વિચારો, લાલસાઓ, વાસનાઓ પ્રત્યે નત ભાવ પેદા થતો જાય તોજ આ જન્મમાં કરેલી પૂજા સળ થઇ એમ ગણાય તો મનુષ્ય જન્મ જે પ્રાપ્ત થયો છે તે સળ થયો એમ ગણાય.
૩. અનિકાચીત વેદનો ઉદય – પૂર્વભવમાં સત્કર્મના સેવનથી મનુષ્યપણામાં બ્રહ્મચર્ય ધર્મ પ્રત્યે રાગ પેદા થતો જાય, વધતો જાય અને એના કારણે મેથુનની ક્રિયા એ પાપરૂપે જ છે એવી બુદ્ધિ સ્થિર થતી. જાય છે તે અનિકાચીત વેદનો ઉદય કહેવાય છે.
અનિકાચીત વેદના ઉદ્યવાળા જીવો બ્રહ્મચર્યના પાલન પૂર્વક સંસારમાં રહેલા હોય છે. આ જીવોને બ્રહ્મચર્યના પાલનમાં જે આનંદ આવે એ મેથુનની ક્રિયામાં આનંદ આવતો નથી. આજ એનું ખરેખરૂં લક્ષણ ગણાય છે. જ્ઞાની ભગવંતો કહે છેકે સંસારમાં રહેલા જીવોને આ રાગ મોહનીય કર્મ એવું ભયંકર કોટિનું કહ્યું છે કે જે જીવો નવમાં ગુણસ્થાનકે વેદના ઉદયને સર્વથા ઉપશમાવીને અવેદીપણાને પ્રાપ્ત કરીને એનો અનુભવ કરતો કરતો જીવ અગ્યારમાં ગુણસ્તાનને પ્રાપ્ત કરે, વીતરાગ દશાને અનુભવે અને ત્યાંથી પતન પામે છે. એક માત્ર પોતાના જે કપડા છે એ કપડા આદિ પ્રત્યેના આંશિક મમત્વના કારણે પતન થતાં થતાં અવેદીપણાને બદલે સવેદીપણાનો ઉદય થાય છે અને એમાં નીચે ઉતરતા ઉતરતા જીવો વેદના ઉદયને આધીન થઇ ઠેઠ નિગોદ સુધી પહોંચે છે. આવા અવેદીપણાના સુખનો અનુભવ કરી નિગોદમાં ગયેલા વર્તમાનમાં અનંતા જીવો રહેલા છે. આથી આ રાગ મોહનીયથી સાવચેત થવા માટે નૈવેધપૂજા ભાવથી કરતો કરતો રાગમોહનીયનો ઢાળ બદલીને વેદની વાસનાનો સંયમ કરી એની અનુભૂતિ કરતો થાય તોજ આ નૈવેધપૂજા લાભદાયી થાય. આ રીતે નૈવેધપૂજા ભાવપૂર્વક કરતાં કરતાં મનુષ્ય જન્મની સફળતા કરો એ અભિલાષા.
આથી નેવેધપૂજા કરતા કરતા આહારનો ત્યાગ જેટલો વધારે થતો જાય એટલો વેદનો ઉદય સંયમ પામતો જાય અને એ સંયમીત થાય એનાથી અતિ નિકાચીત વેદ, અલ્પ નિકાચીત થતો જાય. નિર્વેદપણાના અંશનો આનંદ થાય અને અનિકાચીત બનતા બનતા સંપૂર્ણ નિર્વેદીપણાનો અનુભવ પેદા કરી શકે છે અને અણાહારીપણામાં આગળ વધતો જાય છે.
સંસાર આખોય આગમાં ભડકે બળતો કહેલો છે એ સંસાર રૂપી આગમાં દાઝી ન જવાય માટે વેરાગ્ય ભાવ પેદા કરીને જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. જેમ આગમાં જનાર જીવની પાસે ચન્દ્રકાંત મણિ હોય તો તે આગ એ જીવને કાંઇ કરી શકતો નથી. અની જેમ એટલે ચન્દ્રકાન્ત મણિની જેમ વૈરાગ્ય ભાવ સાથે હોય તો સંસાર રૂપી આગ જીવને કાંઇ કરી શકતી નથી.
મેથુન કર્મ મીઠી ખણજ જેવું કહેલું છે. જેમ મીઠી ખણજ એવા પ્રકારની હોય છે કે ખણવાનું મન થાય જેમ જેમ ખણવા માંડે તેમ સંતોષ થાય અને લોહી નીકળે, ચામડી ઉખડે એટલે પીડા વધે એની જેમ આ મેથુન નામનું પાપ ભોગવવામાં આનંદ થાય અને પછી તરત જ પીડા થાય. દુઃખ થાય એટલે પાછી પીડા
Page 70 of 97
Page #71
--------------------------------------------------------------------------
________________
વધારે શરીરનો દુઃખાવો વધારે અને સંસારની વૃધ્ધિ કરે એટલે આત્માને દુઃખ વધાર્યા વગર રહેતું નથી માટે મીઠી ખણજ જેવું કહ્યું છે એ મીઠી ખણજ જેવા પાપન નાશ કરવા માટે નૈવેધપૂજાનું જ વિધાન કહેલ
છે.
હજારો લાખો રૂપિયાનો ખર્ચ પુરૂષ એક સ્ત્રી માટે કરે તે પોતાની મૈથુનની લાલસા પોષવા માટે કરે છે અને છતાંય જીવો દુ:ખીને દુઃખી રહે છે કારણકે પોતાની ઇચ્છા મુજબ મૈથુન સંજ્ઞા ન પોષાય એટલે દુઃખ વધતું જાય છે અને પોતાના આત્માનો સંસાર વધારતો જાય છે. પોતાના આત્મામાં રહેલી મોહની વાસનાઓને પુષ્ટ કરવા માટે જીવો હજારો અને લાખો રૂપિયાનો ખર્ચ કર્યા જ કરે છે. ધન કમાવા માટે દોડાદોડ કરે એ દોડાદોડમાં ખાવા પીવાનો પણ સમય રહેતો નથી. અપ્રમત્ત ભાવે પૈસા પાછળ મહેનત કરતો જાય છે અને સંસારની વૃધ્ધિ કરતો જાય છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે જો એવો અપ્રમત્ત ભાવ મોક્ષના અભિલાષને પેદા કરી મોક્ષ મેળવવા માટે જીવો કરે તો જીવોનો મોક્ષ હથેલીમાં થઇ જાય અર્થાત્ દેખાય.
અનુકૂળ પદાર્થો જેમ જેમ પુણ્યના ઉદયથી મળે તેમ તેમ સહજ રીતે એનો ગમો પેદા થાય - આનંદ પેદા થાય અને આત્મા એનાથી રંગાતો જાય એ પદાર્થો મારી પાસે કાયમ રહે એવી બુધ્ધિ જે પેદા થાય એને જ્ઞાની ભગવંતોએ રાગ કહ્યો છે. આવી બુધ્ધિનો ભગવાનની નૈવેધપૂજાથી નાશ થાય છે અને આંશિક નિર્વેદપણાના સુખનો આસ્વાદ પેદા થાય છે.
બ્રહ્મચર્યના આનંદને કાયમી ટકાવી રાખવા માટે અને એને વિઘ્નરૂપ બનીને કોઇ એનો નાશ કરે
નહિ એ માટે ફ્લપૂજા છે. બ્રહ્મચર્યનો નાશ કરવા માટેનું મોટામાં મોટું સાધન પરિગ્રહ છે. પરિગ્રહનો આનંદ માનતા એની મૂર્છા પેદા થવાથી એટલે જેમ જેમ પરિગ્રહની મૂર્છા વધે તેમ તેમ બ્રહ્મચર્યના આનંદનો નાશ થાય છે.
આ રીતે નૈવેધપૂજા ભાવપૂર્વક કરતાં આહાર સંજ્ઞાનો નાશ કરી સર્વદીપણાની વાસના-લાલસાઓનો નાશ કરી નિર્વેદીપણાના સુખનો આસ્વાદ બ્રહ્મચર્યપણાના આસ્વાદને પ્રાપ્ત કરી પોતાના આત્માનું સૌ સુંદર રીતે કલ્યાણ સાધો એ અભિલાષા. નૈવેદ્યપૂજાના દુહાઓનું વર્ણન
અણાહારી પદ મેં કર્યા વિગ્ગહ ગઇ અનંત I દૂર કરી તે દીજીએ અણાહારી શિવ સંત ॥૧॥ આહારે વેદ ઉદય વધે જેહથી બહુ જંજાળ | નિર્વેદી આગળ ઠવો ભરી નૈવેધનો થાળ ા૨ા
નિર્વેદી આગળ ધરો શૂચિ નૈવેધનો થાળ । વિવિધ જાતિ પકવાન શું શાળી અમૂલક દાળ ||૩|| અણહારી પદ મેં કર્યા વિગ્ગઇ ગઇઅ અનંત । દૂર કરી એમ કીજીએ દિયો અણહારી ભદંત ॥૪॥ વેદે વાહ્યો જીવ વિષયી થયો ભવમાંહે ઘણું ભટકાય । મોહની ઘર વસ્યો મોહની ખોળતો મળે મોહન ન ઓળખાય ।
Page 71 of 97
Page #72
--------------------------------------------------------------------------
________________
વેદે નડ્યો જડ્યો સંસારી ઘડ્યો નિર્વેદી ચડ્યો નહીં છાંય રે ।।
ભાવાર્થ :- અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અત્યાર સુધીમાં અનંતા જન્મ મરણ કર્યા તેમાં એકેન્દ્રિયથી શરૂ કરીને પંચેન્દ્રિયપણા સુધીનાં કોઇપણ જન્મ મરણ કર્યા એ મરણ કરી-કરીને બીજા સ્થાને ઉત્પન્ન જીવ થાય ત્યારે એક સ્થાનેથી બીજા સ્થાને એક સમયમાં જીવ ઉત્પન્ન થતો હોય તો જ્યાંથી મર્યો ત્યાં આહાર કરીને મર્યો (નીકળ્યો) અને જ્યાં ઉત્પન્ન થયો ત્યાં આહાર મલે છે માટે આહારી કહેવાય છે.
કેટલાક જીવો મરણ પામી બે સમયે બીજા સ્થાને ઉત્પન્ન થાય તેમાં જે સમયે જ્યાંથી મરે ત્યાંથી આહાર લઇને મરે છે અને જ્યાં ઉત્પન્ન થાય ત્યાં આહાર મલે છે માટે અણાહારીપણું પ્રાપ્ત થતું નથી.
કેટલાક જીવો ત્રણ સમયે જ્યાં ઉત્પન્ન થવાનું હોય ત્યાં પહોંચે છે તેમાં પહેલા સમયે આહાર લઇને નીકળે. ત્રીજા સમયે જ્યાં પહોંચે ત્યાં આહાર મલે છે પણ વચલા સમયમાં આહાર મલતો ન હોવાથી એ વચલા સમયમાં રહેલા જીવને આહારની ઇચ્છાવાળા અણાહારી કહેવાય છે. એ વિગ્રહગતિપણાનું અણાહારીપણું કહેવાય છે. એવી જ રીતે ચાર સમયે પહોંચનાર જીવોને વચલા બે સમય અણાહારી ગણાય અને પાંચ સમયે પહોંચનાર જીવને વચલા ત્રણ સમય અણાહારી કહેવાય છે. આ રીતે અનંતીવાર જન્મ મરણ કરતા કરતા અનંતીવાર વિગ્રહગતિપણામાં અણાહારીપણાનો અનુભવ કરેલો છે પણ એ આહાર સંજ્ઞાથી યુક્ત અણાહારીપણું હોવાથી એ અણાહારીપણું મારે જોઇતું નથી માટે તે દૂર કરીને હે ભગવન્ ! આહાર સંજ્ઞા વગરનું સદા માટેનું શિવ સુખરૂપ અણાહારીપણું મને આપો ! એવી માગણી કરે છે. IIII
જ્ઞાની ભગવંતો કહે છે કે આહારથી વેદનો ઉદય વધે છે એ વેદના ઉદયના કારણે જીવને ઘણાં પ્રકારની જંજાળ પેદા થતી જાય છે. એ વેદના ઉદયથી છૂટવા અને એનાથી પેદા થતી જંજાળથી છૂટવા માટે નિર્વેદી એવા શ્રી અરિહંત પરમાત્મા પાસે નિર્વેદીપણાના સુખને પ્રાપ્ત કરવા માટે શુધ્ધ નૈવેધ ભરીને થાળને ઢોકો એટલે મૂકો.
એવી જ રીતે શ્રી અરિહંત પરમાત્માઓ સદા માટે નિર્વેદી છે એ નિર્વેદોની આગળ નિર્વેદી બનવા માટે એટલે સવેદીપણાનો નાશ કરી નિર્વેદી બનવાની ભાવના રાખીને શુધ્ધ એવા નૈવેધનો થાળ અનેક પ્રકારના પકવાન આદિથી યુક્ત તથા દાળ, શાક આદિ આખો થાળ ભોજનનો તૈયાર કરી ધરો અથવા એમને એ થાળ ધરાવીને એમની પાસે મુકો કે જેથી આહાર સંજ્ઞા નાશ પામી નિર્વેદી જલ્દીથી બનવાની શક્તિ આપે. II3II અણાહારી પદ વિગ્રહગતિમાં ઘણાં કર્યા એ દૂર કરીને હે ભગવન્ ! અણાહારી પદ મને આપો એટલે શિવ સુખ આપો ।।૪। વેદની વાહે જીવ દોડે છે તેમાં વિષયી બન્યો એટલે પાંચ ઇન્દ્રિયોના સુખોમાં લપેટાઇ ગયો અને એ પાંચે ઇન્દ્રિયાની લપેટથી સંસારને વિષે જીવો ઘણું ઘણું ભટક્યા છે અને વર્તમાનમાં ભટકી રહ્યા છે. હજી પણ સાવધ નહિ રહે તો ઘણું ઘણું ભટકવું પડશે ! અને એ વિષયી બનીને મોહના ઘરમાં વસ્યા છે અને એ મોહનીયના ખોળે રહેતા આત્મા એવા બની ગયેલા છે કે આ આત્મા છે એમ ખબર પડતી નથી. અને એ વેદે નડેલો હોવાથી એ વેદે એને એવા જડ્યા છે એટલે બાંધ્યા છે કે તે સંસારી રૂપે ઘડેલા છે અને આ રીતે વેદના ઉદયથી ઘડાયેલા સંસારના તાપમાં એવા ફ્સાયા છે કે જે એ તાપથી બચવા માટે નિર્વેદી એવા શ્રી અરિહંત પરમાત્માની છાંયડી એ ચઢી શકતા નથી. અર્થાત્ સંસારના તાપમાં ભટકતા ભટકતા એવા શેકાયા કરે છે કે શ્રી અરિહંત પરમાત્મા નિર્વેદીરૂપે બનેલા એમની જે શીતલતા જેવી છાંયડી જે આત્માને નિર્વેદીપણામાં મસ્ત બનાવે એવી છાંયડીને પામી શકતા નથી અને પરિભ્રમણ કર્યા જ કરે છે તો હવે ઠેઠ આટલી સુંદર સામગ્રીને પામેલા આપણે છાંયડીને નહિ પામીએ તો Page 72 of 97
Page #73
--------------------------------------------------------------------------
________________
કેટલો કાળ હજી આ સંસારમાં તપતા રહીશું તે કહી શકાશે નહિ માટે નિર્વેદીની ભાવના રાખી આહાર સંજ્ઞાઓનો નાશ કરવા પ્રયત્ન કરતા રહી સવેદીપણાના સુખથી સાવધ બની આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધી નિર્વેદીપણાના સુખને પામો એ અભિલાષા.
૮. ફળપૂજાનું વર્ણન
(૧) નૈવેધપૂજા કરીને એટલે નૈવેધને થાળીમાં લઇ બે હાથે થાળી ઝાલી નૈવેધપૂજાના દુહા બોલીને ત્રણવાર ભગવાન પાસે ઉતારી થાળીમાંથી બે હાથે નૈવેધ લઇને સાથીયા ઉપર મુકવું.
(૨) ત્યાર પછી ફ્ળ જે મૂકવાનું હોય તે ફ્ળ થાળીમાં લઇ બે હાથે થાળી પકડીને ફ્લપૂજાનો દુહો બોલીને ત્રણવાર થાળી ભગવાનની સામે ફેરવીને થાળી નીચે મુકી બે હાથે ફ્ળ હાથમાં લઇ સિધ્ધશીલા ઉપર મુકવું.
કુમારપાલ મહારાજા અઢાર દેશના માલિક હોવા છતાં સીત્તેર વર્ષે ધર્મ પામ્યા ત્યારથી અંતરમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રધાનતા રાખીને એ જ્ઞાન, દર્શન, ચારિત્ર માટે બાર માસમાં જેટલો ખરચ કરતા હતા એટલો ખરચ પોતાના માટે કે પોતાની પત્ની માટે કરતા ન હતા તેમજ દર વરસે સાધર્મિક ભક્તિ માટે એક કરોડ સોનામહોર ખરચતા હતા એટલે કે વાપરતા હતા.
આથી એ નિશ્ચિત થાય છેકે અઢાર દેશના માલિકના અંતરમાં પણ પરિગ્રહ જેટલો દાનમાં આપતા
હતા એના સિવાય બાકીનો રહેલા પરિગ્રહ-એની મૂર્છા અને મમત્વ દૂર કરવાની ભાવનાવાળા હતા. આ ભાવનાના પ્રતાપે જ્ઞાન, દર્શન, ચારિત્રની તેમજ દેવ, ગુરૂ, ધર્મ રૂપ તત્વત્રયીની આરાધના કરતાં કરતાં કેટલાય જન્મ મરણોનો નાશ કરી ત્રીજા ભવે મુક્તિ નિશ્ચિત કરી દીધી. એ એમની ભક્તિ કેવી એકાગ્રતા પૂર્વકની હશે ? એ વિચારા !
અપરિગ્રહી એવા શ્રી અરિહંત પરમાત્માની ફ્ળપૂજામાં સારામાં સારા ફ્ળ લાવી મૂકીને એટલે પરિગ્રહ રૂપે મુકીને એ પરિગ્રહથી છૂટવા એની મૂર્છા અને મમત્વથી છૂટવા માટે અપરિગ્રહી બનવા માટે ફ્ળપૂજા કરવાની છે. વારંવાર ફ્ળપૂજા કરતા કરતા અપરિગ્રહપણાના સુખનો અનુભવ કરાવે છે અને એ પરિગ્રહ રહિતપણાનો આસ્વાદ લાંબાકાળ સુધી ટકાવવામાં સહાયભૂત થાય છે. ફ્ળપૂજાથી આ રીતે અપરિગ્રહપણાના સુખનો અનુભવ થાય તો બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બન્નેના સુખની અનુભૂતિથી આંશિક મોક્ષના સુખની અનુભૂતિ અહીં ભક્તિ કરતે કરતે જીવોને થાય છે અર્થાત્ થઇ શકે છે.
મૈથુનને પાપ માનવું-મનાવવું હજી સહેલું છે પણ પરિગ્રહને પાપ માનવું અને મનાવવું એ ખુબ અઘરૂં
છે.
પરિગ્રહ એ પાપ છે માટે જ અપિરગ્રહી એવા સાધુ ભગવંતોને વંદન કરીએ છીએ. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બન્નેના સુખનો અનુભવ કરવો એ ફ્ળપૂજાનું પ્રત્યક્ષ ફળ કહેવાય છે.
સંસારમાં રહેલા જીવોન પરિગ્રહ વગર ચાલતુ નથી ડગલેને પગલે પૈસો જોઇએ પૈસા વગર જીવન જીવાય એવું નથી. સંસારમાં બેઠા છો માટે જીવન જીવવા માટે પૈસો (પરિગ્રહ) જોઇએ પણ સંસાર છૂટતો નથી. સંસાર છોડીને જીવન જીવાય એવી શક્તિ નથી માટે સંસારમાં બેઠા છીએ અને માગીને જીવાય નહિ માટે પૈસો રાખવા પડે છે માટે રાખ્યો છે બાકી પરિગ્રહ રાખવા જેવો નથી જ કારણકે પરિગ્રહ એ પાપ જ છે. એવી બુધ્ધિ તો શ્રાવકના અંતરમાં બેઠેલી જ હોય છે માટે પરિગ્રહથી સાવચેતી રાખીને જીવન જીવે છે.
Page 73 of 97
Page #74
--------------------------------------------------------------------------
________________
મથુન અને પરિગ્રહ એ બે પાપો બાકીના સોળે સોળ પાપોને ખેંચી લાવે છે. આ બે પાપોને પાપ ના માને એને જ જ્ઞાનીઓ મિથ્યાત્વ નામનું પાપ કહે છે.
નૈવેધપૂજા કરતા કરતા બ્રહ્મચર્યનો આંશિક આનંદ પરિગ્રહને પાપ મનાવ્યા વગર રહે નહિ.
પરિગ્રહમાં સૌથી પહેલું શરીર આવે છે. આ શરીરને સુખાકારી રૂપે જાળવી રાખવા માટે જ બધી સાધન સામગ્રી જોઇએ છે માટે શરીરને સૌથી પહેલા પરિગ્રહ રૂપે માની ને એનેજ પાપરૂપ માનવાની બુદ્ધિ પેદા કરવાની છે. એટલેકે જીવ જેમ જેમ ળપૂજા કરતો જાય તેમ તેમ શરીરને પાપરૂપ માનતો જાય તોજ શરીરનો રાગ ઘટતો જાય અને જેમ જેમ શરીર પ્રત્યેનો રાગ ઘટતો જાય તેમ તેમ શરીર પ્રત્યે અનાદિકાળથી જીવની મારાપણાની બુદ્ધિ બેઠેલી છે તે નાશ પામતી જાય અને જેટલી મારાપણાની બુદ્ધિ નાશ પામે તેમ ભેદજ્ઞાન અંતરમાં પેદા થતું જાય એટલેકે શરીર એ હું નથી પણ હું એટલે આત્મા છે. આ શરીર મારાથી પર એટલે જુદુ છે. આ રીતે શરીર પ્રત્યેનું ભેદજ્ઞાન લાંબા કાળ સુધી ટકી રહે એનેજ જ્ઞાની ભગવંતો આંશિક મોક્ષની અનભૂતિ કહે છે કારણકે મોક્ષનું સુખ એટલે અશરીરીપણાનું સુખ આથી શરીર પ્રત્યેની મૂચ્છ-મમત્વ જેટલું ઘટે અને આ શરીર એ મારૂં નથી. માના પેટમાં પેદા થયેલું છે. અહીં મુકીને જવાનું છે. આ બુદ્ધિના કારણે શરીરનું મમત્વ જેટલું ઘટે એટલા પ્રમાણમાં મોક્ષના સુખની અનુભૂતિ થતી જાય છે.
સારામાં સારૂં ળ ભગવાન પાસે મુકવાનું કારણ શરીર પ્રત્યેનો રાગ ઘટાડીને ભેદજ્ઞાન કરવા માટે છે. અશરીરી પાસે ભક્તિ ભાવથી સારામાં સારૂં ળ શરીરનો નાશ કરવા માટે મુકવાનું છે. જીવ ળપૂજા કરતો જાય અને અશરીરીપણાનો જે આસ્વાદ પેદા થતો જાય એ દિવસના બાકીના ભાગમાં શરીરની સુખાકારી રાખવા છતાં એમાંથી રાગને દૂર કરે. શરીરની સેવા કરવા છતાં અશરીરીપણાનું ધ્યેય અંતરમાં સ્થિર રહે અને શરીર પ્રત્યે આનંદ પેદા થવા દે નહિ.
અશરીરીપણાનો આસ્વાદ અપરિગ્રહપણાનો આસ્વાદ શરીર પ્રત્યેનું ભેદજ્ઞાન અંતરમાં સ્થિર કરવામાં સહાયભૂત થાય.
પરિગ્રહનો અર્થ - પરિ = આત્માની ચારે બાજુથી.
ગ્રહ = વળગાડ. એટલેકે આત્માની ચારે બાજુથી મૂચ્છ મમત્વ ભાવ પેદા કરાવીને જે રહે તે પરિગ્રહ કહેવાય છે અથવા આત્માની ચારે બાજુથી જે વળગે-વળગ્યા કરે તે પરિગ્રહ કહેવાય છે.
શરીર હોવા છતાં શરીર પ્રત્યેનું મમત્વ પજવે નહિ એ ળપજાનું પ્રત્યક્ષ ળ કહેવાય છે.
સારા સારા ળો લાવીને ભગવાન પાસે મુકતાં અથવા ચઢાવતા આત્મામાં ક્ષયોપશમ ભાવ જ્ઞાનાદિ કર્મોનો એવો પેદા થતો જાય કે જેના પ્રતાપે શરીરનું ભેદજ્ઞાન પેદા કરાવ્યા વિના રહે નહિ.
જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ ભાવ જો ટકાવી રાખવામાં આવે તો સદા સ્થિર અને શાશ્વત એવું મોક્ષળ આપે છે. અત્યાર સુધી શરીરનો રાગ કરીને આનંદ કરતો હતો તે હવે ળપૂજા કરતા કરતા અશરીરીપણાનો રાગ વધતાં વધતાં એ અશરીરીપણાનો આનંદ ખુબ ઉંચી કોટિનો છે એવો ભાવ પેદા થતો જાય અને એનો આંશિક પ્રત્યક્ષ અનુભૂતિ રૂપે અનુભવાય એનો આનંદ થાય છે.
મોક્ષના સુખનો આંશિક અનુભવ અપરિગ્રહી જીવો જે કરી શકે છે એ પરિગ્રહની મૂચ્છ મમત્વ વાળા તથા પરિગ્રહના રાગવાળા જીવો કરી શકતા નથી.
- આત્માને ચારે બાજુથી મૂચ્છ પેદા કરાવે એવું આ શરીર એ પરિગ્રહ રૂપે હોવાથી પાપરૂપે જ છે અને એ શરીરને જાળવવા માટેના પદાર્થો પણ પરિગ્રહ રૂપે હોવાથી પાપરૂપે જ છે આવી સમજ પેદા કરીને
Page 74 of 97
Page #75
--------------------------------------------------------------------------
________________
અથવા પેદા કરવા માટે ફ્ળપૂજા કરે તો આંશિક મોક્ષના સુખની અનુભૂતિ કરાવ્યા વિના ન રહે.
સાધુ ભગવંતોના દર્શન કરતા એમને વંદન કરતાં આ આત્માઓ અપરિગ્રહીપણાના સુખની અનુભૂતિ કરે છે એવું પ્રત્યક્ષ જોતાં છતાં પરિગ્રહના સુખનો આસ્વાદ એ દુઃખ રૂપ છે. દુઃખનું ફળ આપનાર છે અને દુઃખની પરંપરા વધારનાર છે માટે એ આસ્વાદ છોડવા લાયક જ છે એવો પ્રયત્ન કરીએ નહિ તો કરેલી ફ્ળ પૂજાનું કાંઇ ફ્ળ મલે નહિ. માત્ર પાપાનુબંધિ પુણ્ય બંધ કરાવે. અકામ નિર્જરા કરાવે પણ સંસાર કાપવામાં સહાયભૂત થાય નહિ.
પરિગ્રહપણાનો ગાઢમોહ જીવોને અનંત નગર એવા નિગોદમાં રખડવા માટે મોકલી દેનારો છે. ભગવાનની ફ્ળપૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો જન્મ મરણની પરંપરાનો નાશ કરવામાં સહાયભૂત થાય છે.
જે ગ્રહણ કરાય અને જેના પ્રત્યે મૂર્છા ભાવ તથા મમત્વ ભાવ ઉત્પન્ન થાય તે પરિગ્રહ કહવાય. અનાદિ કાળથી ભવ-ભવાંતરોમાં એટલે અનેક ભવોને વિષે પેદા કરેલી પરિગ્રહ સંજ્ઞા, પોપેલી, વધારેલી એ સંજ્ઞાના કારણે ચારે ગતિના જીવોને જુદી જુદી વસ્તુઓને એટલે જુદા જુદા પદાર્થોને જોવાની-ખરીદવાની-સંગ્રહ કરવાની તથા તે તે વસ્તુઓ એટલે પદાર્થો પ્રત્યે માયા વધારવાનો ભાવ અનાદિકાળથી રહેલો છે.
અનુકૂળ પદાર્થોને જોવાની ઇચ્છા એ પરિગ્રહ જોયા પછી ખરીદવાની ઇચ્છા એ પરિગ્રહ અને ખરીદ્યા પછી સંગ્રહ કરવાની ઇચ્છા એ પરિગ્રહ અને સંગ્રહ કરેલા પદાર્થો પ્રત્યે માયા વધારવી એ પણ
પરિગ્રહ કહેવાય છે ! આ માન્યતા આપની પેદા થાય એવી છે ? ફ્ળપૂજા કરતા કરતા આ માન્યતા પેદા કરતા જવાની છે. દુનિયાના લેટેસ્ટ પદાર્થો હોય છતાં એ પદાર્થો પ્રત્યે મમત્વ અને રાગ ન રાખે એનું નામ શ્રાવક કહેવાય. પુણ્ય હોય તો પદાર્થો મલવાના જ છે. આ વિશ્વાસ હોય અને એ પદાર્થો રાખવામાં જેમને મૂર્છા પેદા ન થાય એને શ્રાવક કહેવાય છે.
અપરિગ્રહીની ફ્ળપૂજા કરતા કરતા પરિગ્રહ છોડવાની જરૂર છે જ નહિ પણ પરિગ્રહ પ્રત્યેની મૂર્છા છોડવાની છે એ મૂર્છા ઓછી કરતા કરતા મૂર્છા છોડવાની ભાવના ફ્ળપૂજા કરનારા તમારા અંતરમાં ખરી કે નહિ ? આવા જીવોને પોતાના શરીર-ધન અને કુટુંબ આદિ પ્રત્યે મમત્વ ન હોવાથી રાગભાવ હોતો નથી પણ વાત્સલ્ય ભાવ હોય છે. આવા વાત્સલ્ય ભાવવાળા જીવો સંસારમાં રહીને પણ અપરિગ્રહના સુખની આંશિક અનુભૂતિ કરી શકે છે ! બોલો તમોને થાય છે ?
જેને ભગવાનની ફ્ળપૂજા કરતા કરતા શિવસુખ ફ્ળ એટલે મોક્ષફ્ળ જોઇતું હોય એ જીવોને પરિગ્રહ એ પાપરૂપ જ છે એમ લાગવું જોઇએ.
સ્થાવર કે જંગમ જે પરિગ્રહ પોતાની પાસે રહેલો છે એનું જેટલું મમત્વ ઘટતું જાય એટલો વૈરાગ્યભાવ પેદા થતો જાય છે. જેટલું પરિગ્રહ પ્રત્યે નિર્મમત્વ ભાવ પેદા થતો જાય એટલો વૈરાગ્ય ભાવ પેદા થતો જાય અને સાથે સાથે મોક્ષનો અભિલાષ પેદા થતો જાય છે.
મમત્વ બુધ્ધિ જાય એટલો અપરિગ્રહપણાનો આસ્વાદ આવે અને અપરિગ્રહનો આસ્વાદ વધતો જાય તેમ તેમ પરિગ્રહ છોડવાની બુધ્ધિ પેદા થતી જાય. દ્રવ્યથી જોવાની ઇચ્છા એટલે જે જે · અનુકૂળ પદાર્થો લાગે તે વારંવાર જોવાની ઇચ્છા પેદા થયા કરે જોઇને જોતાં જોતાં કોણ કોનાથી અધિક અનુકૂળ સારા પદાર્થો છે એ જાણવાની જિજ્ઞાસા થાય. નવા નવા પદાર્થોને જોવાની ઇચ્છાઓ થાય તે દ્રવ્યથી પરિગ્રહ ગણાય છે. પોતાને લેવાના ન હોય, રાખવાના ન હોય, ભોગવવાના ન હોય છતાં પણ બીજાના પદાર્થોને
Page 75 of 97
Page #76
--------------------------------------------------------------------------
________________
જોવાની વારંવાર ઇચ્છાઓ પેદા થયા કરે. આણામાં આપેલા પદાર્થો જીઆણામાં આપેલા પદાર્થો વારંવાર જોવાની ઇચ્છાઓ થાય અને એ પદાર્થોને જોઇને આનંદ પામવો અથવા સરખા સારા પદાર્થો ન આપ્યા હોય તો મોટું બગાડવું જેમ તેમ બોલવું આવા સુખી હોવા છતાં આપી આપીને આવું જ આટલું જ આપ્યું એવા અનેક વિચારો કરીને રાગ દ્વેષ પેદા કર્યા કરવો એમાં સફળતા મલે તેનો આનંદ પેદા કર્યા કરવો એ. પરિગ્રહ જ કહેવાય છે. એવી જ રીતે વેપારી વેપારીના માલ-જાત વગેરેમાં પદાર્થોને જોઇને આનંદ-નારાજી પેદા કરવી એ રીતે અનેક પ્રકારે દ્રવ્યોને એટલે પદાર્થોને જોતા જોતા રાગાદિ કરવા એ દ્રવ્યથી પરિગ્રહ કહેવાય છે.
વગર લેવા દેવાઅ આ પરિગ્રહનું પાપ જીવનમાં ચાલુ છે ને ? ફ્લપૂજા અપરિગ્રહીની કરો અને પોતાને બીન ઉપયોગી કોઇ લેવા દેવા નહિ એવા બીજાના પરિગ્રહના પદાર્થોને જોઇને રાજીપો નારાજી કર્યા કરવા એની વાતો ચીતો કર્યા કરવી એનાથી પરિગ્રહનું પાપ બંધાય છે એ ખબર છે ? આવા દ્રવ્ય પરિગ્રહના પાપથી છૂટકારો મેળવેલા જીવો કેટલા છે ? અરે નિવૃત્ત થયેલા જીવો એથી ઓફીસેથી નિવૃત્તિ લીધેલા જીવોને તો આ દ્રવ્ય પરિગ્રહનું પાપ તો વિશેષ રીતે ચાલતું દેખાય છે ને ? કે આ પાપથી. બચેલા દેખાય છે ? આ પ્રવૃત્તિ ચાલુ રાખીને ળપૂજા કરે તો એ ળપૂજાથી શું લાભ થાય ? વિચાર કરવા જેવો નથી ? ક્ષેત્રને આશ્રયીને જોવાથી પરિગ્રહ લાગે તે આ રીતે જે જે દેશોનાં ક્ષેત્રો જોયેલા હોય તે દેશોના ક્ષેત્રોની એક બીજા દેશોના ક્ષેત્રો સાથે સરખામણી કરતો જાય. બાગ-બગીચાઓની સરખામણી કરતો જાય, રસ્તાઓની સરખામણી કરતો જાય. મકાનો, ઓફીસો આદિ એવા અનેક ક્ષેત્રોની સાથે સરખામણી કરતો જાય અને એમાં રાગ-દ્વેષ કરતો જાય એટલે રાગાદિ પરિણામો કરતો જાય તે ક્ષેત્રને આશ્રયીને જોવાથી પરિગ્રહનું પાપ લાગ્યા કરે છે. આ પાપ પણ તમારા જીવનમાં નહિ ને ? ળપૂજા કરતા કરતા. આવા બીન જરૂરીયાત પાપો પરિગ્રહ એટલે મૂચ્છ-મમત્વ રૂપે કરો નહિ ને ? આજે લગભગ મોટા ભાગે પહેલા કરતા એક બીજા દેશોને જોઇને આવા પાપો જીવનમાં સહજ થઇ ગયેલા લાગે છે ? જો આ રીતે જીવન જીવાતું હોય તો અપરિગ્રહીની પૂજા એટલે ળપૂજા કરતાં અપરિગ્રહી થવાનું મન જ ક્યાંથી થાય ? અને એ ન થાય તો મોક્ષનો અભિલાષ અંતરમાં પેદા ક્યાંથી થાય ? પોતાને કાંઇ લાગે વળગે નહિ કોઇ લેવા દેવા નહિ એવા ક્ષેત્રોને જોઇને કેટલા પાપ બંધાય છે ? અરે એ દેશોની વાત જવા દો પણ જે બંગલામાં કે ઘરોમાં વાસ્તુપૂજા ભણાવા જાય ત્યાં પણ કોઇ રાખવાનું નથી, રહેવા દેવાનું નથી છતાં પણ એ જોઇને ઘરે આવતા રાગાદિ પરિણામથી કઇ વાતોચીતો થાય છે એ વિચારો ? આવા જ વિચારોમાં જીવતા હોઇએ તો અપરિગ્રહી ભગવાનની ફળપૂજા કરવા છતાં પણ પરિગ્રહ પાપરૂપ છે અહિત કરનારો છે. અપરિગ્રહી જ બનવા જેવું છે એવો ભાવ પણ ક્યાંથી આવે ? પછી એ પૂજા ળવાળી ન બને તો અંતરમાં આશ્ચર્ય પામવા જેવું ખરું? વિચારો ! કાળને આશ્રયીને જોવામાં પરિગ્રહનું પાપ લાગે તે આ રીતે- આ કાળ માન સારૂં આ હતું સારી શિયાળામાં તો શરદી થયા જ કરે ઠંડીમાં બહાર નીકળવાનું મન જ થાય નહિ કામ કરવાનું પણ મન ન થાય ઉનાળામાં ગરમી વધારે લાગે માટે શાંતિથી ઘરમાં જ રહેવું ગમે તથા ચોમાસામાં વરસાદના કારણે પસંદ ના પડે છતાં પણ શિયાળો સારો કે જેથી બપોર પછી શાંતિથી કામ કરી શકાય ઇત્યાદિ કરતુઓના કાળ માન પ્રત્યે રાગાદિ પરિણામ કરીને જીવવું એવી બદતુઓને જોવાની ઇરછાઓ પેદા થયા કરે એ કાળ આશ્રયી પરિગ્રહથી પાપ બંધાયા કરે છે.
ભાવ આશ્રયી- કયા પદાર્થની સાથે કયો પદાર્થ શોભે એની વિચારણાઓ કરવી જેમકે આ રંગની. સાથે આ રંગવાળા પદાર્થો શોભે ! કપડામાં મેચીંગની વિચારણાઓ કરવી. ખાવા પીવાના પદાર્થોમાં
Page 76 of 97
Page #77
--------------------------------------------------------------------------
________________
વિચારણા કરવી કયા મિષ્ટાન્નની સાથે કર્યું સાણ શોભે ! ઇત્યાદિ જે વિચારણાઓ કરવી તે ભાવને આશ્રયી પરિગ્રહ ગણાય છે.
ભગવાન જિનેશ્વર પરમાત્માઓની એટલે અપરિગ્રહી એવા તીર્થકરોની ળપૂજા કરતા કરતા જો અપરિગ્રહી બનવાની અંતરથી ભાવના હોય. પરિગ્રહ એ પાપરૂપ છે માટે છોડવા લાયક જ છે એવી બુદ્ધિ સ્થિર કરી છોડવાની તાકાત પેદા કરવાની ભાવના હોય તો જ્ઞાની ભગવંતો કહે છે કે સૌથી પહેલા બીન ઉપયોગી, બીન જરૂરીયાતવાળા પરિગ્રહોને જોવાની વિચારણાઓથી અવશ્ય છૂટવાનો પ્રયત્ન કરવો જોઇએ એટલે ઉપર જણાવેલી વિચારણાઓનો, એવા પરિગ્રહને જોવાનો શોખ સદંતર બંધ જ કરી દેવો જોઇએ. તોજ કાંઇક ફળપૂજા કરતા કરતા અંતરમાં આનંદ પેદા થશે
આ રીતે જુદા જુદા નવા નવા પદાર્થોને જોવાની વૃત્તિ ચાલુ રહેશે તો પછી એમાંથી જે મન ગમતા. પદાર્થો સારા લાગશે તો તે ખરીદવાની પણ ભાવના પેદા થયા વગર રહેશે નહિ. આ લઇએ તો કેવું સારું? કેવો સારો પદાર્થ છે? ગમે તે થાય આપણે તો લેવો જ છે એવી વિચારણાઓ પેદા કરીને ખરીદી કર્યા વગર રહેવાશે નહિ એ જે ખરીદવાની ઇચ્છા એ પણ પરિગ્રહ કહેવાય છે. એ જ રીતે ખરીદ કર્યા પછી એને રાખીને વારંવાર જોઇ જોઇને રાજીપો કર્યા કરવાની ભાવના થયા જ કરે અને જે આવે એને બતાવવાનું જણાવવાનું મન થયા કરે એમાં જે એના વખાણ કરે એનાથી રાજીપો થયા કરે અને કોઇ ન વખાણે અને વખોડે તેમાં નારાજી થયા કરે છે એનાથી પરિગ્રહ જન્ય પાપ લાગ્યા કરે છે. આ રીતે જોવાથી-ખરીદવાથી પરિગ્રહનું પાપ લાગે છે તેમ સંગ્રહ કરવાની વૃત્તિથી પણ પરિગ્રહનું પાપ લાગ્યા કરે છે, પોતાના શરીર, કુટુંબને સુખાકારી પદાર્થો જોઇએ એનાથી જેટલા અધિક પદાર્થો રાખવાની ભાવના હશે તો ભવિષ્ય લાગશે એવી વિચારણા કરીને વારંવાર ખરીદી કરતા કરતાં પદાર્થોનો સંગ્રહ કર્યા કરવો તે સંગ્રહ પરિગ્રહ કહેવાય છે એ સંગ્રહ કરેલા પદાર્થો પ્રત્યે મમત્વ બુદ્ધિ અને મૂરચ્છ ભાવ જીવને એટલો બધો પેદા થયેલો હોય છે કે કોઇ જોઇ ન જાય-લઇ ન જાય એની સતત કાળજી રાખ્યા કરતો હોય છે અને એ મમત્વવાળા પદાર્થો હું જ એકલો એનો ઉપયોગ કરીશ પણ બીજા કોઇને ઉપયોગ કરવા આપીશ નહિ આવી ભાવના અને વિચારોમાં પોતાનો કાળ પસાર કરતો હોય છે આ પણ બીન જરૂરીયાત પરિગ્રહ ગણાય છે. ળપૂજા કરતા કરતા અપરિગ્રહી બનવાની ભાવનાથી આ પરિગ્રહથી છૂટવા પ્રયત્ન કરે તો પણ ઘણો લાભ થાય છે. આ રીતે જોવાની વૃત્તિથી-ખરીદવાની વૃત્તિથી અને સંગ્રહ કરવાની વૃત્તિથી જે જે પદાર્થો પોતે ભેગા કરેલા હોય તે તે પદાર્થો પ્રત્યે અંતરથી માયા વધારતો જાય એટલે એ માયાના પ્રતાપે મૂચ્છભાવ-મમત્વ ભાવ વધારતા જવું તથા એ પદાર્થોની માયા એટલી બધી હોય કે એ પદાર્થ જોવામાં ન આવે તો મન વિહવળ થઇ જાય, બેચેન બની જાય, કાંઇ કામની સૂજ પડે નહિ, ખાવા પીવાની ઇચ્છા થાય નહિ અને
જ્યારે એ પદાર્થને ફ્રીથી જૂએ એટલે શાંતિ વળે એ માયા ભાવ કહેવાય છે. આવા માયા ભાવમાં ચોવીશે કલાક રહેતો જીવ પરિગ્રહથી કર્મબંધ કર્યા જ કરે છે. આ ળપૂજા અપરિગ્રહીની ભાવપૂર્વક કરતા કરતા. માયા રૂપે પરિગ્રહથી જે પાપ બંધાય છે એજ દુર્ગતિમાં લઇ જનારૂં કારણ છે એમ માનતો થાય, જાણતો થાય અને એ પાપથી છૂટીને અપરિગ્રહીના ભાવવાળો ક્યારે બનું એ વિચારણા લાંબા કાળ સુધી ટકાવવા માટે રોજ વારંવાર ફળપૂજા કરવાનું વિધાન કહેલું છે.
પુણ્યના ઉદયથી મલતા પદાર્થને લેવાની ઇચ્છા એ અવિરતિ કહેવાય છે. લીધેલા પદાર્થને ગલ્લામાં મુકવાની ઇચ્છા એ આર્તધ્યાન કહેવાય છે અને તે પદાર્થનો ભોગવટો કર્યા પછી વધે અને એને સંગ્રહ કરવાની ઇચ્છા, ભવિષ્યમાં કામ લાગશે એ વિચારથી સંગ્રહ કરવાની ભાવના એ રીદ્રધ્યાન કહેવાય છે.
Page 77 of 97
Page #78
--------------------------------------------------------------------------
________________
અત્યાર સુધી અપ્રશસ્ત રાગાદિ પરિણામોને આધીન થઇને અપ્રશસ્ત કષાયો પેદા કરીને જીવન જીવેલા છીએ અને એ જ જીવન ખરેખરું જીવન છે એવી અંતરમાં સ્થિર રૂપે માન્યતા છે એ માન્યતાના કારણે જ ગમે તેટલી સારામાં સારી રીતિએ શ્રી અરિહંત પરમાત્માઓની ભક્તિ કરીએ તો પણ સારા પરિણામો (ભાવો) પેદા થતાં નથી. એમાંથી શુધ્ધ પરિણામોના ભાવો પેદા થતા નથી અને લાંબા કાળ સુધી ટકતા નથી એ ત્યારેજ બને કે આ અપ્રશસ્ત રાગાદિનું જીવન સંસારમાં જન્મ મરણની પરંપરા વધારનારૂં છે એમ લાગે તોજ અપરિગ્રહીપણા માટે પ્રયત્ન થઇ શકે.
આથી ફ્ળપૂજા કરતા કરતા જેમ જેમ પરિગ્રહનું મમત્વ ઘટે તેમ તેમ શિવળનો પ્રત્યક્ષ અનુભવ પેદા થતો જાય. એ શિવળના પ્રત્યક્ષ અનુભવી જીવોને અનુકૂળ સામગ્રી પુણ્યથી મળેલી છે. પુણ્ય છે માટે ભોગવાય છે પુણ્ય છે માટે ટકે છે પુણ્ય છ માટે સચવાય છે અને પુણ્ય છે માટે રહે છે આવી શ્રધ્ધા વધતી આમ કર્યું માટે આમ થયું આવો વિચાર પેદા થાય નહિ.
છે
જાય છે પણ
ખેડૂતો જમીનમાં બીજ વાવે છે તે ઘાસ પકવવા અને ઘાસ મેળવવાની ઇચ્છાથી વાવતા નથી પણ અનાજની ઇચ્છાથી બીજ વાવે છે એ ખેડૂતને ખબર જ છેકે અનાજ પેદા થશે એની સાથે સાથે ઘાસ પેદા થવાનું જ છે અને કોઇ કહે કે ખેતરમાં છોડવા મોટા મોટા થઇ ગયા છે એ ઘાસના છોડવા હોય પણ અનાજનો એક પણ દાણો પેદા ન થયો હોય તો ખેડૂતને શું થાય ? કોઇ કહે કે કાપી નાખતો શું કહે ? ભાઇ એમ કાપી નખાય નહિ હજી અનાજ ઉગ્યું નથી એમ ખેડૂતને જે અક્કલ હોય છે એવી રીતે ભગવાનની ભક્તિ કરનાર આપણને મોક્ષફ્ળ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તે બીજરૂપે છે અને એ મોક્ષફ્ળનું બીજ જરાયે દેખાય નહિ અને ઘાસની જેમ અનુકૂળ સામગ્રીઓ વધતી જતી દેખાતી હોય તો અંતરમાં આપણને શું થાય ? કે ઘાસરૂપ અનુકૂળ સામગ્રી વધુ અમાં આનંદ પેદા થતો જાય ?
જ્ઞાની ભગવંતો કહે છેકે મોક્ષફ્ળ રૂપ બીજના હેતુથી કરેલી ભગવાનની ભક્તિ ઘાસરૂપ અનુકૂળ સામગ્રી આપવાના જ છે એટલે એ સામગ્રી મલવાની જ છે. આથી એને મેળવવાની ઇચ્છા પેદા કરાય જ નહિ. તોજ મોક્ષફ્ળની આંશિક અનુભૂતિ જીવને પેદા થયા કરે.
મૂર્છા વગર પદાર્થોને રાખેલા હોય તો ફ્ળપૂજાથી એ પદાર્થો વધે તો અંતરમાં આનંદ પેદા થાય નહિ અને કદાચ એ પદાર્થો ચાલ્યા જાય તો દુઃખ પણ પેદા થાય નહિ. પરિગ્રહના સુખની અનુભૂતિ કરતો કરતો જીવ અનંતોકાળ દુઃખી થયો છે. હવે દુઃખી થવું નથી માટે અપરિગ્રહીની ફ્ળપૂજા કરતાં કરતાં અપરિગ્રહીપણાના સુખનો અનુભવ કરતો ક્યારે થાઉં એ ભાવ રાખીને કરવાની છે અને એના માટે શરીર, ધન અને કુટુંબ આદિની મૂર્છા ઉતારવાની છે એક બીજા પ્રત્યેની મૂર્છા ઉતારીને આત્માની ચિંતા વિચારણા કરતા કરતા જીવન જીવતા શીખવાનું છે.
આવી ભાવના વગર ગમે તેટલા સારામાં સારા ઉંચામાં ઉંચા ફ્ળો લાવીને પૂર્વક્રોડ વરસ સુધી એટલે ચોરાશી લાખ વરસને ચોરાસી લાખે ગુણીએ ત્યારે એક પૂર્વ થાય એવા ક્રોડપૂર્વ વરસ સુધી ફ્ળપૂજાથી ભક્તિ કરતો જાય તો પણ આત્માને કાંઇ લાભ પેદા થઇ શકતો નથી અર્થાત્ થતો નથી.
ભગવાનનું દર્શન કરતા રાજીપો વધારે થાય કે પોતાનું શરીર આરિસામાં જોતાં વધારે આનંદ થાય ? જો પોતાના શરીરને જોતાં વધારે આનંદ થતો હોય અને તેનું દુઃખ પણ અંતરમાં લાગતું ન હોય તો ભગવાનના દર્શનથી દર્શન એટલે સમ્યગ્દર્શન પેદા થશે નહિ. અપરિગ્રહીના દર્શન કરતાં પોતાનું પરિગ્રહ રૂપે મળેલું શરીર-રૂપ આદિ જોતાં અંતરમાં દુઃખ લાગવું જ જોઇએ તોજ દર્શન પેદા થાય. ભગવાનના ગુણગાનના શબ્દો બોલતા તથા પોતાના દોષોનાં શબ્દો બોલતા અનાદિકાળથી અનુકૂળ પદાર્થો પ્રત્યેની જે
Page 78 of 97
Page #79
--------------------------------------------------------------------------
________________
ઓતપ્રોતતા અંતરમાં રહેલી છે એવી ઓતપ્રોતતા ભગવાનના દર્શનમાં આવતી નથી. એટલે સંસારની પરંપરા જન્મ મરણની પરંપરા ઘટવાને બદલે વધે છે.
અપરિગ્રહી બનવાના સાધ્યપૂર્વક અપરિગ્રહીની ફ્ળપૂજા કરવાની છે. મોક્ષના ફ્ળની પ્રાપ્તિ માટે અહીં અપરિગ્રહીપણાનું સાધ્ય પ્રાપ્ત કરવું જ પડે.
પરિગ્રહ વધે તેમ આનંદ ।વે કે એ પરિગ્રહ નાશ પામે એમાં આનંદ આવે ?
ખાવું એ પાપ છે જો સાવધ ન રહું તો દુર્ગતિમાં લઇ જનાર છે એવું ખાતા ખાતા કોને યાદ આવે ? પુણ્યથી મળેલા પદાર્થોને ભોગવવા, સાચવવા, ટકાવવા આદિના વિચારો કરીને જીવવું એ મનુષ્ય જન્મને નિક્ળ કરનારા વિચારો છે કારણકે એ વિચારો પરિગ્રહરૂપે છે જો એમાં જ સમય પસાર કરીશ તો આત્મકલ્યાણના વિચારો ક્યારે કરતો થઇશ ? આ ભાવના સતત અંતરમાં રહેવી જોઇએ.
શ્રાવક આવેલા રોગોને (રોગાદિને) આશીર્વાદ માનીને ભોગવે તો સકામ નિર્જરા કરતો જાય અને આત્માનું કલ્યાણ સાધતો જાય હાયવોય કરીને ભોગવે નહિ.
જ્ઞાની ભગવંતો કહે છેકે ધર્મ કરવો જેટલો સહેલો છે એટલો ધર્મ પામવો બહુ જ દુષ્કર છે એટલે બહુજ મુશ્કેલ છે.
પુણ્યથી મલતી ચીજોમાં રાજી થવું, આનંદ માનવો એ પોતાના હાથે દુર્ગતિમાં જવાનો ધંધો ઉભો કરવો કહેલ છે. કારણકે રાજીપો આનંદ અને હાસકારાથી પરિગ્રહ સંજ્ઞાની પુષ્ટિ થાય છે અને એ પરિગ્રહસંજ્ઞાની પુષ્ટિથી જ આત્માની દુર્ગતિ થાય છ.
શિવનો અભિલાષ પેદા નહિ થવા દેવામાં પરિગ્રહ એજ મોટામાં મોટું નુક્શાન કરે છે એટલે અંતરાય રૂપ છે.
ઘોડાપુરથી અંતરમાં ચાલતી પરિગ્રહની ઇચ્છાઓ અને લાલસાઓ શિવળની ઇચ્છાને પેદા થવા દેતી નથી.
પેદા થાય તો ટકવા દેતી નથી સામાન્ય રૂપે ટકે તો લાંબા કાળ સુધી ટકાવવામાં સહાયભૂત થવા દેતી નથી અને આથી જ જ્ઞાની ભગવંતોએ પરિગ્રહને મોક્ષના અભિલાષ માટે મોટામાં મોટું વિઘ્ન કહેલ છે. શ્રી અરિહંત પરમાત્માઓ પાસે છેલ્લે ભવે ઉંચામાં ઉંચી કોટિનો પરિગ્રહ હતો છતાં પણ એમાં રાગાદિ પરિણામ કર્યા વગર ત્ર્યાશી લાખ પૂર્વ વરસ સુધી જીવન જીવી બતાવી ત્રિવિધે ત્રિવિધે પરિગ્રહનો ત્યાગ કરી ઉંચામાં ઉંચુ અપરિગ્રહીનું જીવન જીવી બતાવી ઘોર પરિષહો-ઉપસર્ગોને સહન કરી કેવલજ્ઞાન પામી એ માર્ગ બતાવીને ગયેલા છે એમની પાસે પરિગ્રહની માગણી કરાય ખરી ? એ વિચારો. પરિગ્રહ સંજ્ઞાને મજબુત કરવા માટે સહાયભૂત જે જે ચીજો બને છે તેને માટે વૃક્ષનું દ્રષ્ટાંત આપેલું છે.
જેમ વૃક્ષને મોટી મોટી શાખાઓ એટલે ડાળીઓ હોય છે એ શાખાઓથી વૃક્ષના જીવનને ખુબ ટેકો મળે છે. તેમ પરિગ્રહ રૂપી જે વૃક્ષ તેને લોભ-ક્રોધ-માન-માયા રૂપ કષાયો જ મોટી ડાળો રૂપે રહેલા છે જે ધીમે ધીમે આત્માને ભાન ભૂલા બનાવતા જાય છે.
પૈસાનું મમત્વ જીવોને સન્નીપાત પેદા કરાવે છે. જીવ ભાન ભૂલો અને મોહાંધ બનીને પોતાનો સંસાર વધારતો સંસારમાં પરિભ્રમણ કરતો જાય છે.
સંસારી જીવો બે પ્રકારના હોય છે. (૧) અર્થ પ્રધાન અને (૨) કામ પ્રધાન.
અર્થ પ્રધાન જીવો પોતાનું જીવન પૈસા પાછળ વ્યતિત કરે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. કામપ્રધાન જીવો કામસુખ મેળવવા પાછળ ક્રોધ, માન, માયા લોભરૂપી ડાળીઓની સહાય લઇ પોતાનું
Page 79 of 97
Page #80
--------------------------------------------------------------------------
________________
જીવન વ્યતિત કરે છે અને પરિગ્રહ વધારીને સંસારમાં પરિભ્રમણ કરતા જાય છે.
આજે મોટા ભાગે ભગવાનની પૂજા કરનારા જીવોને પૂજા ભક્તિ કરતા કરતા પોતાનો પરિગ્રહ વધે છે, ટકે છે માટે ભગવાનની પૂજા ગમે છે અને કરે છે પણ જો પરિગ્રહ વધતો ન હોય, ટકતો ન હોય તો પૂજા ભક્તિ ગમે ખરી ? અપરિગ્રહિની પૂજા કરતાં પરિગ્રહ ખટકે તોજ અપરિગ્રહપણું પ્રાપ્ત કરવાનું મન થાય. આજે એ મન છે ? શાથી પરિગ્રહ જેટલો ગમે છે એટલું અપરિગ્રહપણું ગમતું નથી. આથી ફળપૂજા કરવા છતાય આત્મિક વિકાસમાં આગળ વધવાનું મન થતું નથી. પરિગ્રહની સળતાના કારણે એના આનંદમાં પોતાનો કાળ સળ કરતા જાય છે. આજે પરિગ્રહને પાપરૂપ માનવામાં ક્રોધાદિ સહાયભૂત થાય છેકે પરિગ્રહ વધારવામાં ક્રોધાદિ સહાયભૂત થાય છે ?
પરિગ્રહ જેમ જેમ વધતો જાય તેમ તેમ તેના સંરક્ષણની તથા તે પરિગ્રહ વધારવાની ચિંતાઓ, વિચારણાઓ સમુદ્રના તરંગોની જેમ વધતી જાય છે એટલે ચોવીસે કલાક આત્માને એની વિચારણામાં સ્થિર રાખે છે. પરિગ્રહની મસ્તીમાં ચઢેલા માનવ જ્યારે જુઓ ત્યારે અદ્ધિ ગારવ-શાતા ગારવ અને રસ ગારવા આ ત્રણેય ગારવાથી યુક્ત હોય છે.
ધૂળી ઘર જાણો છોને ? નાના બાળકો રેતીમાં ઘર ઘરની રમત કરે છે એ ઘર-ઘરની રમત કરતા. કરતા પોતે જે ઘર બનાવેલું હોય તેમાં એક દરવાજો બે દરવાજા ત્રણ ત્રણ દરવાજાવાળા પણ બનાવે છે એ બનાવતા બનાવતા જો કોઇ છોકરો એના રેતીવાળા ઘરને તોડી નાંખે તો ગુસ્સો થાય છે રોવા બેસે છે મારામારી પણ કરે છે કલાકો સુધી એક બીજા બોલે નહિ એમ પણ બને છે. રેતીવાળા રમતના ઘરમાં પણ જીવોને નાનપણમાં આટલું મમત્વ હોય તો મોટા થયા પછી જેમ જેમ સમજણ આવે કે એ ઘરમાં રહેવાય નહિ. અંદર પણ પેસાય નહિ તો તે વખતે મમત્વ રહેછે કે નાશ પામ છે એટલેકે જેમ જેમ ઉંમર વધે જ્ઞાન પ્રાપ્ત થાય તેમ તેમ એ રેતીવાળા ઘરનું મમત્વ નાશ પામે તેમજ પોતે આવા ઘરમાં આટલો રાગ કરી દુ:ખી થતો હતો, ઝઘડો કરતો હતો એમ પોતાના અજ્ઞાન ઉપર ભારોભાર તિરસ્કાર પેદા થતો જાય છતાય જ્ઞાનીઓ કહેછેકે એ ધૂળી ઘરના રાગથી જો આયુષ્યનો બંધ પડે તો દુર્ગતિનું આયુષ્ય જીવો બાંધી શકે છે.
એવી જ રીતે ભણી ગણીને તૈયાર થયેલા હોય એ જીવો જ્યાં સુધી સમજણના ઘરમાં ન આવે ત્યાં સુધી એ જીવોને આવા ફ્લેટના મકાનમાં, બંગલાના, મકાનમાં અથવા પાંચ પચ્ચીસ વર્ષ રહેવા લાયક કોઇપણ મકાનમાં મમત્વ બુધ્ધિ પેદા કરીને જીવન જીવતા કોઇ એ મકાનને તોડી નાંખે, ભાંગી નાંખે અને કાંઇપણ નુક્શાન કરે તો એ નુક્શાન ખમાતું નથી એની સાથે ઝઘડા કરે, મારામારી કરે, કોર્ટે જાય અને અંતે એક બીજા પ્રત્યે વેરઝેર રાખીને જીવન જીવે અને જન્મ મરણની પરંપરા વધારતા જાય છે. જો એ જીવો. સમજણના ઘરમાં આવે તો શાસ્ત્ર કહે છેકે જેમ નાના બાળક રૂપે ધળી ઘરની વિચારણા મોટા થયા પછી કરતાં અજ્ઞાનતા ઉપર હસવું આવે તેમ આ સમજણના ઘરમાં દાખલ થાય એટલે જે પદાર્થો પોતાના નથી. એના ઉપર અજ્ઞાનના કારણે મમત્વ બુદ્ધિથી જે વિચારણાઓ કરેલી હોય તે જોતા વિચારતા હસવું આવ્યા વિના રહેતું નથી અને જીવ એ અજ્ઞાનતા રૂપે મમત્વ કર્યું એનો એને સંકોચ અને લજ્જા પેદા થતી જાય છે.
એટલે જ જ્ઞાની ભગવંતો કહે છેકે સંસારના બધા પદાર્થો ધૂળી ઘર જેવા સમજીને જીવન જીવતા શીખવાનું છે એ જીવન જીવવાની શક્તિ અપરિગ્રહીની ફળપૂજા કરતા કરતા પેદા થતી જાય છે કે અપરિગ્રહી બનવાની ભાવનાના કારણે પોતાનો પરિગ્રહ પોતાના પરિગ્રહના મમત્વ ઉપર ધૂળી ઘર જેવી બુદ્ધિ પેદા થતી જાય છે. આ રીતે શક્તિ પેદા કરવા માટે જ રોજ ફળપૂજા કરવાનુંવિધાન છે.
Page 80 of 97
Page #81
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહના વિશેષણોનું વર્ણન
(૧) અનંત, (૨) અશરણ, (૩) દુરંત, (૪) અધ્રુવ, (૫) અનિત્ય, (૬) અશાશ્વત, (૭) પાપકર્મ મૂલક, (૮) અવકરણીય, (૯) સ્વ અને પરનો વધ. આ બધા વિશેષણો કહેલા છે.
(૧) અનંત :- પરિગ્રહ હંમેશા અનંતરૂપે હોય છે. પરિગ્રહને પાર કરવા માટે કોઇની પાસે કાંઇપણ સાધન નથી માટે તે અનંત કહેવાય છે. જેમ જેમ ઇચ્છાઓ પેદા થતી જાય તેમ તેમ એ ઇચ્છાઓનો અંત થતો જ નથી. તમોને કેટલું મલે તો આગળ પરિગ્રહની ઇચ્છા ન થાય ? જ્ઞાનીઓ કહે છેકે જેમ જેમ પરિગ્રહ મલતો જાય-વધતો જાય તેમ તેમ એની ઇચ્છાઓનો અંત આવતો જ નથી. જહા લાહો તહા લોહો એટલેકે જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ વધતો જાય છે અને જેમ જેમ પરિગ્રહ વધતો જાય કે ન વધતો જાય તો પણ અંતરમાં અસંતોષની આગ પેદા કરતો જ જાય છે પરિગ્રહ વધે અને સંતોષઆવે એમ કોઇ કાળે બનતું નથી. આથી પરિગ્રહનો સ્વભાવ જીવને અસંતોષી બનાવવાનો અને જેમ જેમ અસંતોષ વધે તેમ મળેલો ગમે તેટલો પરિગ્રહ હોય તો પણ ઓછો જ લાગે અને એજ વિચારો લાંબાકાળ સુધી ટક્યા રહેતા એમાં આયુષ્યનો બંધ પડે તો દુર્ગતિનું આયુષ્ય બંધાયા વગર રહેતો નથી. પરિગ્રહ પરિમાણ લીધુ હોય તેમાં જેટલો પરિગ્રહ રાખ્યો હોય તેમાં સંતોષ રહેકે અસંતોષ પેદા થાય ? અને પરિગ્રહ પરિમાણ લીધા પછી પાપના ઉદયથી ધન ચાલ્યુ જાય તો અંતરમાં ૬ઃખ થાય કે સમાધિભાવ ટક્યો રહે ?
જ્યાં સુધી અંતરમાં પરિગ્રહ પ્રત્યે મમત્વ બુધ્ધિ બેઠેલી હોય છે ત્યાં સુધી અપરિગ્રહી એવા અરિહંત પરમાત્માને નમન કરે, વંદન કરે, પૂજા કરે, ભક્તિ કરે, સ્તવના કરે તો પણ અપરિગ્રહી થવાનું મન થતું નથી કારણકે પરિગ્રહનું મમત્વ દુઃખરૂપ લાગતું નથશે.
પુણ્યના ઉદયથી પરિગ્રહ મલતો જાય, વધતો જાય, ટકતો જાય સચવાતો જાય અને એની મમત્વ બુધ્ધિ જે બેઠેલી છે એ જો અંતરમાં ખટકે નહિ તો ગમે તેટલો ધર્મ કરવા છતાં એ જીવ જૈનશાસનને પામેલો નથી તેમજ સમજેલો પણ નથી એમ શાસ્ત્ર કહે છે.
સંસારી જીવો પરિગ્રહ વગર જીવવા માગે તો એમને માટે એ દોષ કહેવાય છે પણ એ પરિગ્રહમાં મમત્વ બુધ્ધિ શ્રાવકને ન હોય. સાધુ જીવનમાં પરિગ્રહ રાખીને જીવાય તો દોષ કહેવાય છે. પુણ્યના ઉદયથી પરિગ્રહ વધતો જાય તો પણ તે દુઃખ રૂપ લાગવો જ જોઇએ.
અપરિગ્રહીની ફ્ળપૂજા કરતાં પરિગ્રહ એ દુર્ગતિમાં લઇ જવાના કારણ રૂપ છે એવી માન્યતા અંતરમાં સ્થિર ન થાય તો એ ફ્ળપૂજા નિક્ળ છે એટલે આત્માને કાંઇ લાભ કરે નહિ.
દર્શન મોહનીય કર્મ ગાઢ હોય એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ ગાઢ રસવાળુ ઉદયમાં હોય ત્યાં સુધી પરિગ્રહમાં મમત્વ બુધ્ધિ બેઠેલી હોય છે અને જ્યારે મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થાય એટલે પરિગ્રહનું મમત્વ દુર્ગતિમાં લઇ જનારૂં છે એમ લાગવા માંડે અને ભગવાનની ભક્તિ ફ્ળપૂજા નિષ્પરિગ્રહી બનવા માટે કરૂં છું એવા ભાવ પેદા થતા જાય છે.
પરિગ્રહ એ પાપ છે કારણકે મને અસંતોષની આગ પેદા કરાવે છે. એનાથી છૂટવા માટે ફળપૂજા કરું છું આવું ધ્યેય રાખીને ભગવાનની ફ્ળપૂજા કરતાં ભગવાન પ્રત્યે અંતરમાં અહોભાવ પેદા થાય છે. જેમ પરિગ્રહ વધે એમ તમને શું થાય ? વધારે દુઃખી થાઉં છું એવો વિચાર આવે ખરો ? જો સાવધ નહિ રહું તો હજી વધારે દુઃખી થઇશ અને દુર્ગતિમાં ભટકવા જઇશ એવા વિચારો આવે ખરા ?
કર્મનો બંધ અને અનુબંધ પેદા કરાવવામાં પરિગ્રહ જ સહાયભૂત છે એમ કહેલું છે. મળે એવું નથી Page 81 of 97
Page #82
--------------------------------------------------------------------------
________________
માટે જ છે એમાં સંતોષ માની લેવો એવો સંતોષ એ ગુણરૂપ નથી એવા જીવોને સંતોષી ન કહેવાય કારણકે આવી વૃત્તિ અને વિચારણા દુર્ગતિમાં લઇ જનાર છે આતો ન મલે આવા બ્રહ્મચારી એના જેવી હાલત કહેવાય કારણકે આવા જીવોને પુણ્યનો ઉદય જાગે અને પરિગ્રહ મલે તો તેમાં આનંદ અને મમત્વ ભાવ પેદા થયા વગર રહેતો નથી.
વૈરાગ્ય ભાવ વગરનો દાન-શીલ-તપ અને ભાવ એ ચારે પ્રકારનો ધર્મ આકાશ કુસુમવત્ છે. આકાશમાં ચિત્રામણ સમાન છે. માટે ધર્મ પ્રવૃત્તિ કરતાં વૈરાગ્ય ભાવ જરૂરી કહ્યો છે. પરિગ્રહ સંજ્ઞા તોડવા માટે ફ્ળપૂજા કરું છું આટલી બુધ્ધિ તો અંતરમાં સ્થિર થવી જ જોઇએ.
પુણ્યાનુબંધી પુણ્ય બંધાતા જીવને સંસારના સુખની સામગ્રી વધુને વધુ મલતી જાય છે. ભગવાનની ભક્તિ સારામાં સારી રીતિએ કરવાથી પુણ્ય બંધાય છે એ પુણ્યથી સંસારની સામગ્રી સારામાં સારી મલ્યા કરે એ મળેલી સામગ્રીમાં જીવને રાગ પેદા થતો જાય તો તે પાપાનુબંધી પુણ્યવાળી સામગ્રી ગણાય છે અને મળેલી સામગ્રીમાં વૈરાગ્ય ભાવ વધતો દેખાય આત્મિક ગુણ તરફ જીવ આગળ વધતો દેખાય તો સમજવું કે એ સામગ્રી પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી છે એમ કહેવાય છે આથી મળેલી સામગ્રીમાં જીવોની પરિક્ષા થાય છે.
અપરિગ્રહીની પૂજા શા માટે ? અપરિગ્રહી બનવા કે પરિગ્રહી બનવા ? સંસારની સામગ્રી વધે તેમ આનંદ આવે કે વૈરાગ્ય વધે ? આ રોજ વિચારવાનું છે.
અનુકૂળ પદાર્થોની સુખની ઇચ્છાઓ અને આશાઓને જીવો એકેન્દ્રિયપણામાં જાય તો પણ સાથે લઇને જાય અને તે આશામાં ન આશામાં જીવોને એકેન્દ્રિયપણાના દુ:ખોને વેઠવાની શક્તિ આપે છે તો પછી એક મોક્ષનો અભિલાષ કરી લીધો હોય તો એ મોક્ષ સુખના અભિલાષ પાપના ઉદયથી દુઃખ આવે તો દુઃખ વેઠવાની શક્તિ ન આપે ? માટે જ્ઞાનીઓ કહેછે કે મોક્ષનો અભિલાષ સુખની સામગ્રીને દુઃખરૂપ લગાડે દુઃખ વેઠવાની શક્તિ આપે અને સુખની સામગ્રી ન છૂટે તો દુઃખરૂપ લગાડવામાં સહાયભૂત જરૂર
ન
થાય.
છોડવા લાયક ચીજ હોય તો એક પરિગ્રહ જ છે. સંસાર છોડવા લાયક જ છે. અનુકૂળ સામગ્રીઓમાં રહેવા લાયકપણું નથી આવી બુધ્ધિ મોક્ષના અભિલાષીને હોય જ.
પરિગ્રહના મુખ્ય બે લક્ષણો કહલા છે.
(૧) મળતા પરિગ્રહમાં સંતોષ પેદા ન થવા દે પણ અસંતોષની આગ પેદા કરાવે છે.
(૨) મળેલા પરિગ્રહમાં અસંતોષ પેદા કરાવી એ મળેલી ચીજોને લેવાની ઇચ્છા પેદા કરાવી લે એ જ્યારે એ ચીજોને લે એટલે ગ્રહણ કરે એટલે પૂર્વે બાંધેલું પુણ્ય ખતમ કરાવે છે.
ફ્ળપૂજા કરતા કરતા આત્માના જે દુશ્મનો કહેલા છે તે દુશ્મન તરીકે જ માનવાના પણ મિત્ર તરીકે માનવાના નહિ જ એજ જૈનશાસન શીખવાડે છે. (કહે છે.)
આંખ સામે સાધુપણાને રાખીને આત્માને સજાગ રાખવાનું જ જૈનશાસન કહે છે.
જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ પેદા ન થાય ત્યાં સુધી અપ્રશસ્ત રાગથી પૂજા કરે છે એમ કહેવાય અને જ્યારે મિથ્યાત્વનો ક્ષયોપશમ ભાવ પેદા થાય અથવા પેદા કરવાની ભાવના થાય ત્યારથી પ્રશસ્ત રાગની શરૂઆત થાય છે અને તે જીવો પ્રશસ્ત રાગથી પૂજા કરે છે એમ કહેવાય છે.
પ્રશસ્ત રાગથી ભગવાનની ભક્તિ કરતાં પરિગ્રહ ખટક્યા વિના રહે નહિ.
પરિગ્રહનો સ્વભાવ છેકે જેમ જેમ પદાર્થોનો લાભ વિશેષ પેદા થતો જાય તેમ તેમ અસંતોષ વધે અને
Page 82 of 97
Page #83
--------------------------------------------------------------------------
________________
લોભ વધે મળેલી ચીજ લેવાની ઇચ્છા થાય એટલે બંધાયેલું પુણ્ય નાશ થાય. (ખતમ થાય.) મળેલી ચીજનો ભોગવટો કરતાં સુખરૂપે ભોગવવા ન દે કારણકે અસંતોષના કારણે એની સાથે બીજા પદાર્થોને મેળવવાની ઇરછાઓના કારણે મળેલા પદાર્થોને સુખરૂપે ભોગવવામાં સહાયભૂત થતા નથી એટલે સુખરૂપે ભોગવવા. દેતા નથી. પરિગ્રહને અનંત એટલા માટે કહેલો છે કે જે પદાર્થ મલે તેમાં સંતોષ થવાને બદલે અસંતોષની આગ પેદા કરાવી જે મલે એનાથી ડબલ મલે તો સારૂં ચારગણું મલે તો સારૂં આઠ ગણું-સોળ ગણું એમ કરતા કરતા ચૌોદરાજલોક રૂપ જગતના બધા પદાર્થો મળી જાય તોય જીવને અસંતોષની આગ બુઝાતી નથી અને સંતોષ ગુણ પેદા થતો નથી આથી જગતમાં રહેલા અનંતા પદાર્થો પરિગ્રહ રૂપે જીવને મલી જાય તો પણ જીવની આશાઓ અને ઇચ્છાઓ અનંત રૂપે ઉભીને ઉભી જ રહે છે પણ એ ઇચ્છાઓકે આશાઓ નાશ પામતી નથી માટે પરિગ્રહને જ્ઞાની ભગવંતોએ અનંત કહેલો છે.
પરિગ્રહની ત્રિપદી જ્ઞાનીઓએ આ પ્રમાણે કહેલી છે.
(૧) અસંતોષ પેદા કરાવે, (૨) મળેલ પદાર્થને સંતોષ પૂર્વક કે સુખપૂર્વક ભોગવવા ન દે, (૩) પુણ્યથી મળેલ પદાથે લેવાથી પુણ્ય ખતમ થઇ જાય છે. આ ત્રણને પરિગ્રહની ત્રિપદી કહેવાય છે.
આ રીતે પરિગ્રહને અનંત રૂપે ઓળખીને ળપૂજા ભાવથી કરતાં અપરિગ્રહી બનવાની શક્તિ આપો એ ભાવના ભાવવાની છે અને અપરિગ્રહી અથવા નિષ્પરિગ્રહી બનવા માટે પરીગ્રહની ઓળખાણ પેદા કરાવી જીવન જીવવાની શક્તિ આપા તોજ અનંત તરીકે ગણાતા એવા પરિગ્રહથી છૂટવાનું મન થશે એની ઇરછાઓ અને આશાઓને નાશ કરવાની ભાવના થશે તો આવી ભાવના પેદા કરવાનો પુરૂષાર્થ કરતાં કરતાં ળપૂજા કરી આત્મકલ્યાણમાં આગળ વધો એ અભિલાષા.
(૨) પરિગ્રહ અશરણ રૂપ છે :- પરિગ્રહ જગતમાં રહેલા કોઇપણ જીવોને શરણ આપવા માટે સમર્થ થતો નથી. પરિગ્રહ અત્યાર સુધીમાં કોઇપણ જીવને શરણ આપી શક્યો નથી, વર્તમાનમાં શરણ આપતો નથી અને ભવિષ્યમાં કોઇને પણ શરણ આપશે નહિ માટે અશરણ રૂપે કહેલો છે. જેને પોતાના માનીએ છીએ એ પણ શરણ રૂપ બનવાના નથી એટલેકે એ પણ શરણ આપવાના નથી. સ્વાર્થ માટેનાં સગા કોઇ દિ કોઇને શરણ રૂપ બને ખરા ? - રાગવાળો રાગી જીવ મરવાના વાંકે જીવી રહેલો છે એમ કહેવાય છે
રાગના પદાર્થોમાં રાગપૂર્વક જીવે એ ધર્મ માટે બાયલો છે એવા જીવો ધર્મક્રિયા કરવા છતાં ધર્મની પ્રાપ્તિ કરી શકે નહિ. રાગવાળા પદાર્થોને શરણરૂપ માનીને જીવે એ પરિગ્રહનો સેવક ગણાય ભગવાનનો સેવક નહિ. સગા વહાલા બધા શરીરની કાળજી રાખવાવાળા છે પણ આત્માની ચિંતા કરનાર કોઇ નથી માટે એ બધા શરણરૂપ નથી પણ અશરણરૂપ છે.
અરિહંતને શરણરૂપ સ્વીક્રાય પછી આ ભવમાં સુખનો રાગ પેદા થવા દે નહિ એવી શક્તિ એમાં રહેલી છે. વૈરાગ્ય ભાવ જળહળતો રાખે અને મરતી વખતે જરૂર સમાધિ અપાવે. અરિહંતનું શરણ સ્થિર કરેલું હોય એવા આત્માઓને સુખમાં લીન ન થવા દે અને દુ:ખમાં દીન ન થવા દે.
અરિહંતાદિ ચારેનું શરણ ચૌદ રાજલોકના અસંખ્યાતમા ભાગે રહેલી સિધ્ધ શીલા ઉપર સિધ્ધ રૂપે સદા માટે રહેવાની માલિકી અપાવે અને સંસારમાં રખડપટ્ટી કરાવનાર અનાદિકાળથી અંતરમાં રહેલા. ચાર શરણ કેજે ઘર શરણ, પેઢી શરણ, કુટુંબ શરણ અને પેસો શરણ એ સંસારમાં ચોદે રાજલોકમાં રખડપટ્ટી કરાવ્યા જ કરે કોઇ એક સ્થાને જીવને સ્થિર રહેવા દે નહિ. મારે એ પેસો શરણ રૂપ નથી જ. જે ચીજ કોઇ કાળે મારી થઇ નથી, મારી થતી નથી અને કોઇ કાળે મારી થવાની નથી એવી ચીજો માટે
Page 83 of 97
Page #84
--------------------------------------------------------------------------
________________
અપ્રશસ્ત વચનો બોલવા, મનથી અપ્રશસ્ત વિચારો કરવા કે કાયાથી પ્રવૃત્તિ કરવી એ શોભે ખરૂં ? જે ઘર આદિને શરણ રૂપ માનીને જીવે એને વાસ્તવિક રીતે અરિહંતાદિના દર્શન કરવાનો પણ અધિકાર નથી. છતાં પણ એવા જીવો ધર્મ આદિના અનુષ્ઠાનો કરે તો પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી માત્ર પાપાનુબંધિ પુણ્ય બંધાય છે. આ જન્મમાં ગમે તેટલી મહેનત કરીને જીવો હજારો લાખો કે કરોડો રૂપિયા રૂપે પરિગ્રહ ભેગો કરે સ્થાવર મિલ્કત રૂપે ગમે તેટલા મકાનો જમીનો આદિનો માલિક બને તા પણ અંતે તો આ બધુ અહીં જ મુકીને જવાનું છે ને ! આમાનું કશું સાથે આવવાનું ખરૂં ? કોઇપણ સાથે લઇને ગયા ખરા ? ગમે તેવા રોગાદિ શરીરમાં પેદા થયા હોય તો પણ એ લાખો કે કરોડો રોગાદિને નાશ કરી નિરોગી બનાવવામાં સહાયભૂત થાય છે ખરા ? કદાચ પુણ્યોદય હોય અને રોગાદિ નાશ થઇ પણ જાય પણ એથી મરણથી બચાવવામાં સહાયભૂત થાય ? એટલે મરણ અટકાવે ? મરણને રોકે ? ગમે તેટલી જીવવાની ઇચ્છા હોય તો પણ એ જીવવા દેવામાં એટલે જીવન જીવવામાં સહાયભૂત થાય એમ છે ? માટે જ્ઞાની ભગવંતો એજ કહેછે કે પરિગ્રહ કોઇ કાળે કોઇ પણ જીવને માટે શરણ રૂપ નથી જ બનતો.(થતો.) આ ભાવ અંતરમાંપેદા કરી એને લાંબાકાળ સુધી સ્થિર બનાવવા માટે ભાવથી અપરિગ્રહી એવા આત્માઓની ફ્ળપૂજા કરવાની છેકે જેથી અનાદિકાળથી જીવોને પરિગ્રહ શરણરૂપ લાગે તે અશરણરૂપ લાગતો થાય. જો આ ભાવ પેદા થવાની શરૂઆત થાય તોજ મિથ્યાત્વનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં થતાં પરિગ્રહ એ એકાંતે દુઃખરૂપ દુઃખફ્લક દુઃખાનુબંધિ લાગ્યા વગર રહેજ નહિ.
(૩) દુરંત :- પૈસો વગેરે વધારવાના રસ્તે જતાં મનુષ્યોને જેનું પરિણામ ખતરનાક જ આવે છે. ધનવાનો મૃત્યુના સમયમાં હાયપીટ કરતાં રોગમાં પીડાતા પોતાની ભેગી કરેલી માયાન ટગર ટગર જોતાં જ આંખ બંધ કરી દે છે અને દુર્ગતિના અતિથી બને છે.
દુરંત એટલે ખતરનાક. પૈસો વગેરે વધારવાના રસ્તે જતાં માણસોને ઘણું ઘણું કષ્ટ વેઠવું પડે છે. ગમે તેવા શબ્દો સાંભળવા પડે, મારા મારી પણ થાય, મહેનત કરવા છતાંય પૈસો આવવાના બદલે રોકેલો પૈસો પણ નાશ પામી જાય, જેને આપેલા હોય એ પૈસા આપે નહિ, ગમે તેમ બોલે ગુસ્સો કરે ધક્કા ખવડાવે એમ અનેક પ્રકારના કષ્ટોને વેઠવા પડે એવી સ્થિતિ જે પેદા થાય તે ખતરનાક રસ્તો કહેવાય છે. અરે પૈસા માટે જેનું મોઢું જોવાલાયક ન હોય તેનું મોઢું જૂએ ભાઇ બાપા કરે અને છેક હરિજન વાસમાં જવું પડે તો પૈસા માટે જવા તૈયાર થાય એમ અનેક પ્રકારના કષ્ટોને વેઠવાની શક્તિ પેદા કરે ત્યારે પૈસો મલે જે માણસ હાથ જોડવા લાયક ન હોય, ભયંકર કોટિનો હોય છતાં પણ એ માણસને હાથ જોડવા પડે, સલામ ભરવી પડે એમ પૈસા માટે સારા ગણાતા માણસો શું શું નથી કરતા. આ રીતે પરિગ્રહ માટે જે પ્રવૃત્તિઓ કરવી એ ખતરનાક પ્રવૃત્તિઓ કહેવાય છે. આ રીતે ગમે તેવા પ્રયત્ન કરીને પણ પૈસો લાવે અને
અંતરમાં થાય. ચાલો ગમે તે રીતે પણ પૈસા મલે છે ને ! એમ આનંદ માનતો જાય. એ રીતે પૈસા મેળવીને ઘરે આવે તો ઘરે આવતાં કેટ કેટલા વિચારો પૈસા માટેનાં સારા કરતો કરતો આવ્યો હોય કે જેથી આ લાવીશું આ લાવીશું આને આપીશું આટલું દેવું ઓછું થશે ઇત્યાદિ વિચારણાઓ કરતો કરતો જ્યાં ઘરે આવે કે ઘરમાં કોઇને સપ્ત બિમારી આવી હોય, એક્સીડન્ટ થયો હોય, કોઇ પડી ગયા હોય ઇત્યાદિ બીના બનેલી જૂએ કે તરતજ એના બધા વિચારો કકડ ભૂસ થઇ જાય અને મેળવેલ પૈસા બધા એમાં ખર્ચાઇ જાય અને ઉપરથી બીજા ઉછીના લાવવા પડે એવી હાલત બની જાય માટે આવા વિચારો વારંવાર કકડભૂસ કરનાર આ પરિગ્રહ જ છે. એવી બુધ્ધિ પેદા કરવાની છે માટે પરિગ્રહને દુરંત કહેવાય છે. આવી રીતે મેળવેલા પૈસાનો સદ્ઉપયોગ કરી શકે નહિ અને સદઉપયોગ કરવાનું મન પણ થાય નહિ.
Page 84 of 97
Page #85
--------------------------------------------------------------------------
________________
રાગ મોહનીય કર્મને પ્રશસ્ત રૂપે બનાવીને આત્મકલ્યાણ કરવાનું કામ મનુષ્યોજ કરી શકે છે અને એ પ્રશસ્ત રાગને ટકાવીને ધર્મ આરાધના કરે તો એ ધર્મઆરાધનાથી જરૂર સંસાર કપાય છે.
પૈસો જેમ જેમ વધતો જાય તો એ વધેલા પૈસાને ટકાવવામાં, સાચવવામાં ન ચાલ્યો જાય એની કાળજી રાખવામાં અને કોઇ જોઇ ન જાય એની કાળજી રાખવામાં જીવ સારી રીતે ખાઇ શકતો નથી, પી. શકતો નથી, સુઇ શકતો નથી, બેસી શકતો નથી, કોઇની સાથે સારી રીતે વાતચીત કરી શકતો નથી અને આખો દિવસ એજ પેસાના વિચારોમાં ન વિચારોમાં કાળ પસાર કરતો જાય છે. એટલેકે જીવને ગાંડા જેવો બનાવી દે છે. જેમ ગાંડા માણસને કોઇ નસ મગજની નબળી પડતાં એકના એક વિચારો વારંવાર ચાલ્યા જ કરે છે એનાથી પાછો ફ્રી શકતો નથી એવી જ રીતે આ જીવ પૈસાના મમત્વના કારણે એના વિચારો સિવાય બીજા વિચારો મગજમાં પેદા કરી શકતો જ નથી અને આ વિચારોના કારણે માનસીક ટેન્શન વધી જતાં માથાનો દુ:ખાવો થાય, કમ્મરનો દુ:ખાવો થાય, પેટનો દુ:ખાવો થાય, પગનો દુ:ખાવો. થાય એમ વારંવાર આખા શરીરમાં કોઇને કોઇ દિ' દુ:ખાવા ચાલુ રહેતા કોઇ કામ કરવાનું મન ન થાય. બેચેની રહ્યા કરે, બ્લડ પ્રેસર ચઢ ઉતર થયા કરે, કોઇવાર લો થાય કોઇ વાર હાઇ પ્રેશર થાય અને એમ કરતાં કરતાં ડાયાબીટીસ જેવી લાંબી કાયમની બિમારી પેદા થઇ જાય આવી રીતે અનેક અસાધ્ય રોગો શરીરમાં પેદા થઇ જાય કે જેના કારણે એ પેસો એમાંને એમાં જ પૂરો થઇ જાય. આવી રીતે પૈસાની અને જે પરિગ્રહ ભેગો કરેલો છે એની ચિંતા વિચારણા કરતા કરતા જ્યારે મરણની વેળા આવે અને મરણ આંખ સામે દેખાવા માંડે એટલે મરણ પથારીએ પડેલા એ જીવને કોઇ ગમે તેટલા નવકાર મંત્ર સંભળાવે તો પણ એનું ધ્યાન-મન એમાં એકાગ્ર થતું નથી પણ પોતે મહેનત કરીને ભેગી કરલી સામગ્રીને જોતાં જોતાં અંતરમાં એ સામગ્રી છોડીને જવું પડે છે અને ક્યાં ચાલ્યો જઇશ એના જ વિચારો કર્યા કરે છે. આ બધી સામગ્રી કોને મલશે, કોણ લેશે એને શું કરશે ? આ સામગ્રી વગર બીજે હું કેવી રીતે રહી શકીશ અને ક્યાં જવું પડશે ? ઇત્યાદિ વિચારણાઓમાં કાળ પસાર કરતા કરતા છેવટ માટેની આંખ મીંચાઇ જાય છે. અર્થાત આંખ મીંચી દે છે. જ્ઞાની ભગવંતો કહેછે કે પરિગ્રહના મમત્વના વિચારોના કારણે પોતાના આવી પડેલા રોગોની બિમારી પણ ભૂલી જાય છે અને ભેગી કરેલી સામગ્રીને માયા રૂપે જોતો જોતો આંખ મીંચાઇ જાય પણ એમાંની કોઇ સામગ્રી સાથે જતી નથી અર્થાત ન જાય એમ બને જ છે પણ મરતી વખતે કરેલા વિચારોનાં સંસ્કારો જીવ સાથે લઇને જાય છે અને દુર્ગતિમાં ભટકવા માટે ચાલતો થાય છે.
આવા જીવોને મનુષ્ય જન્મ મલે તો પણ દીકરાઓ બોલાવે નહિ કોઇ રાખવા તૈયાર થાય નહિ. દેવભવમાં ઉત્પન્ન થાય તો ત્યાં રહેલી દેવોઓ હડે હડે કરે કોઇ જગ્યાએ શાંતિ પેદા થાય નહિ. પરિગ્રહનું મમત્વ અને એનું સ્મરણ આવા પરિણામો અને ળ આપે છે માટે એ દૂરંત એટલે ખતરનાક કહેલો છે આ રીતે પરિગ્રહ રંત સમજવા માટે સમજીને એનાથી બચવાનો પ્રયત્ન કરવા માટે જ જ્ઞાની ભગવંતોએ ભાવથી ળપૂજા કરવાનું વિધાન કરેલું છે. આ રીતે પરિગ્રહની ઓળખ થાય તોજ અપરિગ્રહીપણું ગમતું થાય.
નિષ્પરિગ્રહીની ભક્તિ કરતા આ પરિગ્રહ છોડવાની તાકાત માગવાની છે. જ્યાં સુધી એ તાકાત ન આવે ત્યાં સુધી એ પરિગ્રહ પાપ છે, છોડવા લાયક છે એવી બુધ્ધિ અંતરમાં સતત ચાલ્યા કરે એ માટે
ળપૂજા કરવાની છે. પરિગ્રહ વધે એનું અંતરમાં દુઃખ પેદા થતું જાય તો માનવું કે અપરિગ્રહી માની જે ભક્તિ કરીએ છીએ તે બરાબર છે.
(૪) અધ્રુવ :- પરિગ્રહ સીને માટે નાશવંત છે. આધિ-વ્યાધિ-અસંતોષ અને અવિશ્વાસને આપનાર
Page 85 of 97
Page #86
--------------------------------------------------------------------------
________________
એટલે પેદા કરનાર છે. પરિગ્રહ કોઇ દિવસ કોઇની પાસે શાશ્વત એટલે કાયમ રહેવાવાળો નથી, રહેતો. નથી માટે અધ્રુવ કહેવાય છે. જેમ જેમ પરિગ્રહની વૃદ્ધિ થતી જાય તેમ તેમ અસંતોષ અને અવિશ્વાસ પેદા કરાવતો જાય છે અને વધારતો જાય છે એ અસંતોષ અને અવિશ્વાસના પ્રતાપે જીવોના અંતરમાં આધિ પેદા કરાવે છે અને શરીરને વિષે અનેક પ્રકારના વ્યાધિ પેદા કરાવતો જાય છે.
અસંતોષ અને અવિશ્વાસ એ ઉપાધિના વિશેષણો છે જેમ જેમ પરિગ્રહ વધે તેમ તેમ ઘરના અને કુટુંબના નિકટના ગણાતાં મનુષ્યો પ્રત્યે એટલે ઘરની વ્યક્તિઓ પ્રત્યે પણ અવિશ્વાસ પેદા થતો જાય છે. એ જોઇ જશે તો લઇ લેશે તો હું બહાર જાઉં અને કોઇ ન હોય તો તે લઇ લેશે તો ? ઇત્યાદિ અનેક વિચારોથી મન ભ્રમિત થતું જાય છે એટલે એ ચક્રાવાના વિચારોમાં ર્યા જ કરે છે અને પોતાની ગણાતી
વ્યક્તિઓ પ્રત્યે અવિશ્વાસ પેદા થતાં થતાં ચીડીયો સ્વભાવ પેદા થતો જાય અને વારંવાર જે આવે એમના. પ્રત્યે ગુસ્સો વધતો જાય છે આથી એમને કોઇ બોલાવે નહિ અને પૈસાના પ્રતાપે બીજાને જવાબ પણ એવી. રીતે આપે કે મારા જેવો હોંશિયાર દુનિયામાં કોઇ નથી એમ દેખાડે આથી જ અપ્રશસ્ત રાગથી કરેલી ધર્મ આરાધનાની ક્રિયાઓ સારા વિચારો શુધ્ધ પરિણામો પેદા થવા દેતા નથી. અશુભ વિચારોમાં જીવને જીવાડી સંસાર વૃધ્ધિનું કારણ બને છે. પ્રશસ્ત રાગપૂર્વક પૂજા કરવામાં આવે તોજ એ પૂજા આત્મકલ્યાણ સાધવામાં સહાયભૂત થાય છે. જો પરિગ્રહનું મમત્વ રાખીને સંપૂર્ણ જ્ઞાની બની શકાતું હોત તો તીર્થકર પરમાત્માના આત્માઓ રાજ્ય, વૈભવ, બધ્ધિ, સિધ્ધિ, પરિવાર આદિ બધુ છોડીને અપરિગ્રહી બની સંયમ ધારણ કરત નહિ. તીર્થંકર પરમાત્માઓ બધાનો ત્યાગ કરી સંપૂર્ણ જ્ઞાન બને છે એ એજ સૂચવે છેકે પરિગ્રહ અને એનું મમત્વ છોડવા લાયક જ છે.
શ્રી અરિહંત પરમાત્માઓ પાસે છેલ્લે ભવે ઉંચામાં ઉંચી કોટિની પરિગ્રહની સામગ્રી હોય છે છતાં આ પરિગ્રહ મને સુખ આપશે માટે એને સાચવું, સંગ્રહ કરૂં એવી બુધ્ધિ અંતરમાં ક્યારેય હોતી નથી. આ પરિગ્રહ મને અનુકૂળ છે. ભવિષ્યમાં મને કામ આવશે એવી પણ વિચારણા હોતી નથી.
પરિગ્રહની ઇરછા માત્રથી જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મનો બંધ થયા જ કરે છે એમાં અશુભ કર્મો વિશેષ રીતે બંધાય.
પરિગ્રહ માનવને હેવાન બનાવે છે. પરિગ્રહ સજ્જનને દુર્જન બનાવે છે.
જ્ઞાની ભગવંતો પરિગ્રહના જે વિશેષણ જણાવે છે એ એટલા માટે કે આ રીતે પરિગ્રહ ઓળખાય તો. મમત્વ મૂચ્છ પેદા ન થાય કે જેથી જલ્દીથી એનાથી છૂટી શકાય જો એ પરિગ્રહને ન છોડી શકે તો અંતરમાં ભારોભાર દુ:ખ થાય.
શિવ ળ મેળવવામાં અને એના માર્ગની પ્રાપ્તિમાં પરિગ્રહ એ વિપ્ન રૂપ જ છે. એવી બુધ્ધિ પેદા થાય પછી જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઇ શકે.
મનુષ્યોને પ્રિયમાં પ્રિય ચીજ પરિગ્રહ જ છે એ જ્યાં સુધી ન ઓળખાય દુ:ખ રૂપ ન લાગે ત્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઇ શકે નહિ.
ઓછામાં ઓછા પરિગ્રહના પદાર્થોમાં મમત્વ હોય તો તે પરિગ્રહ કહેવાય અને અબજો રૂપિયા હોવા છતાં મમત્વ ન હોય તો તે પરિગ્રહ રૂપે ગણાતો નથી. પૈસાને સ્પર્શ કરે એટલે વિચારોની સ્થિરતા જતી રહે છે વિચારો વા માંડે છે અને વિચારોની આંધિ પેદા થતી જાય છે આથી જ્ઞાની ભગવંતો પરિગ્રહને એટલે પૈસાને અધૂવ કહે છે. આ રીતે પ્રશસ્ત રાગ બનાવવાના પુરૂષાર્થ કરતા કરતા ભાવથી ળપૂજા કરવામાં
Page 86 of 97
Page #87
--------------------------------------------------------------------------
________________
આવે તો જ્ઞાની ભગવંતો જે રીતે પરિગ્રહને સમજાવવા માગે છે તે રીતે સમજી શકાય અને આત્મકલ્યાણમાં આગળ વધી શકાય.
(૫) અનિત્ય :- લક્ષ્મી અનિત્ય રૂપે છે સ્થિર રહે જ નહિ. તીજોરીમાં પણ સ્થિર ન રહે કાંતો વધે અને કાંતો ઘટે. લક્ષ્મી દેવોના પગે ભમરો હોવાથી ક્યારેય અને કોઇને ત્યાં પણ એ સ્થિર રહેતી નથી. લક્ષ્મી એટલે અસ્થિર અને ચંચળ એનું મમત્વ કે આસક્તિ રખાય ખરી ? જૈન પરિગ્રહને એટલે લક્ષ્મીને અગ્યારમો પ્રાણ ક્યારેય માને નહિ ઉપરથી દશ પ્રાણોને લુંટી લેનાર અથવા નાશ કરનાર છે એમ માને છે !
રાગ મોહનીય કર્મ શુભ ક્રિયાઓ કરાવીને આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે છે જો પ્રશસ્ત રાગ રૂપે ભક્તિ થાય તોજ મિથ્યાત્વ મોહનીય કર્મની મંદતા થાય અને પછી જીવ પુરૂષાર્થ કરી ગ્રંથી ભેદ સુધી પહોંચી શકે અને ગ્રંથી ભેદ કરી સમકીતની પ્રાપ્તિ કરી શકે એનાથી વધારે સત્વ પેદા થાય તો દેશવિરતિ પામી શકે એથી વધુ સત્વ પેદા થાય તો સર્વવિરતિ પામી શકે. આ ન પામવા દેવામાં કોઇ હોય તો વિઘ્ન રૂપે પરિગ્રહને જ કહેલો છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે અનિતીથી આવેલો પૈસો વધારેમાં વધારે ટાઇમ સુધી ટકે તો દશ વરસ સુધી ટકે એથી આગળ નહિ પછી કોઇને કોઇ કારણ આવી જાય કે જેથી એ પૈસો જતો જ રહે માટે પૈસાને અનિત્યની ઉપમા અપાય છે.
ભોગાવલી કર્મ એને કહેવાય કે જે ભોગવતા એને પોતાના પરિગ્રહની ચિંતા ન હોય પણ બીજા જીવો એ જીવોના સુખની ચિંતા કરતા જાય છે ભક્તિ રૂપે બાકી આવા જીવો ભોગાવલી કર્મ ભોગવતાં પોતાના કર્મોનો નાશ કરતો જાય છે. જો વાસ્તવિક રીતે શિવફ્ળ જોઇતું હોય તો અથવા શિવળ રૂપે વાસ જોઇતો હોય તો એને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે અહીં વર્તમાનમાં ઉત્તમ ફ્ળ મુક્તા કેવલજ્ઞાન મલવાનું નથી પણ કેવલજ્ઞાનને અનુસરનારૂં આત્માને કેવલજ્ઞાન સન્મુખ લઇ જવામાં સહાયભૂત એવું શ્રુતજ્ઞાન તો અહીંજ પ્રાપ્ત થાય છે એજ ફ્ળપૂજાનું પ્રત્યક્ષ ફ્ળ કહેલું છે.
અપરિગ્રહીની ભાવના રાખીને પરિગ્રહ એ સંખ્યાતા ભવો અસંખ્યાતા ભવો કે અનંતા ભવો વધારનાર છે એમ માનીને અપરિગ્રહીની ભક્તિ કરે તોજ ભગવાનની ભક્તિ વારંવાર પ્રાપ્ત કરી સિધ્ધ શીલા સુલભ બનાવે છે.
(૬) અશાશ્વત :- પરિગ્રહ કોઇ દિવસ શાશ્વત રહી શકતો નથી. મળેલો કે મેળવેલો પરિગ્રહ કોઇને માટે પણ શાશ્વત એટલેકે જીવનની છેલ્લી ઘડી સુધી ટકી રહેશે એવો વિશ્વાસ રાખવો એ દીવો લઇને કુવામાં પડ્યા જેવું છે.
જેમ જેમ પરિગ્રહ વધે ત્યારે એમ વિચાર કરતો જાય કે હાશ હવે છેલ્લી જીંદગીમાં વૃધ્ધાવસ્થામાં શાંતિથી જીવાશે પરંતુ આ પરિગ્રહ શાશ્વત રૂપે કોઇનો રહેતો નથી ક્યારે કયી રીતે નાશ પામી જાય ચાલી જાય એ કહેવાય નહિ કારણકે જેવો વૃધ્ધાવસ્થામાં શાંતિનો વિચાર કરે કે તરત જ એવા વિઘ્નો આવવા માંડે કે એ પરિગ્રહ ઓછો થતો જ જાય માટે જ્ઞાનીઓ એને અશાશ્વત કહે છે. આજે લગભગ મોટા ભાગે આવું જ જોવા મલે છે કારણકે માંડ માંડ ભેગા કરેલા પૈસાથી ફ્લેટ લે અથવા લોન લઇ ફ્લેટ લે અને પછી મહેનત કરી પૈસા કમાય કે લોન બે પાંચ વરસમાં પૂર્ણ કરીશ ત્યાં એજ ફ્લેટ વારંવાર પૈસો માગ્યા જ કરે તાત્કાલિક જરૂર પડે એટલે એ પ્રમાણે એમાં પૈસા નાખ્યા વગર ચાલે નહિ આથી લોન ભરવાની ઉભી ને ઉભી રહે અને ઘરમાં પૈસો નખાતો જાય ઇત્યાદિ અનેક રીતે પૈસો જતો રહેતો હોય મહેનત પહેલા કરતા
Page 87 of 97
Page #88
--------------------------------------------------------------------------
________________
વધારે કરવાની શરૂઆત કરે છતાં સરવાળે તો જે હોય તે પ્રમાણે રહે છે આથી પૈસો અશાશ્વત કહેવાય છે. શાશ્વત રહેતો જ નથી. આ રીતે ભાવથી ફળપૂજા કરતા કરતા પરિગ્રહ જુદા જુદા પ્રકારોથી ઓળખાતો જાય તો જ અનાદિકાળના પરિગ્રહ પ્રત્યેના મમત્વના સંસ્કારો પડેલા છે તે નબળા પડતા જાય એ પરિગ્રહના મમત્વના સંસ્કારોનો નાશ કરવા માટે જ જ્ઞાની ભગવંતોએ ળપૂજાની રચના કરેલી છે.
(૭) પરિગ્રહ પાપમૂલક કહેલો છે :- પરિગ્રહ એજ મોટામાં મોટા પાપરૂપે છે એ મોટા પાપના કારણે જીવો સમયે સમયે સાતે કર્મોનું બંધન કરી રહેલા છે.
જીવોને પાપ કરાવનારનું મૂલ કોઇપણ હોય તો પરિગ્રહ જ છે. જેમ આસક્તિ વધારે એમ પાપના વિચારો ઘોડા પુરની જેમ ચાલે છે માટે પરિગ્રહને પાપમૂલક કહેવાય છે.
પરિગ્રહ વધે તેમ મૂર્છા વધે છે. પૈસાનો લોભ અને સુખની લાલસા પરિગ્રહને પાપરૂપે માનવા દેતું નથી.
પરિગ્રહ જુઠુ બોલાવે ચોરી કરાવે અને પાંચ ઇન્દ્રિયોના સુખોમાં ગળાડૂબ સુધી જીવને રાખે છે.
પરિગ્રહના કારણે હિંસા કરવામાં-જુઠુ બોલવામાં-ચોરી કરવામાં પાપ કરું છું એવો ભાવ પેદા ના કરી પાપમાં અરરાટી પેદા થતી નથી.
પરિગ્રહ સંસાર વૃદ્ધિનું કારણ છે માટે સંસાર માટે ગુણરૂપ છે અને મોક્ષ સુખને પ્રાપ્ત કરવામાં વિઘ્નરૂપ છે.
(૧) પરિગ્રહમાં મસ્તાન બનેલા જીવો પૈસાની લેવડ દેવડ કરે એ પેસાને સ્પર્શ કરે એના પ્રતાપે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યા જ કરે છે એમાં રાજીપો કરે તો વિશેષ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરે છે.
પરિગ્રહનો સ્વભાવ છેકે સમ્યગજ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવ પેદા કરાવે આજે લગભગ છોકરાઓને શું કહેવાય છે ? ભણશો નહિ તો ખાશો શું? અને નહિ ભણો તો પછી જીંદગીમાં કરશો શું? રોટલા કોણ ખવડાવશે ? આથી આજે ખાવા માટે ભણવાનું થઇ ગયું પણ આત્મજ્ઞાન માટે ભણવાનું ગયું એ વિચાર એને સમ્યકજ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવનો વિચાર કહ્યો છે. જૈન શાસનના સૂત્રો ભણવાથી એ શું ઉપયોગમાં આવવાના ! પૈસો કમાવવાના ઉપયોગમાં આવશે ? લગભગ આજે જૈન શાસનના સૂત્રો એના અર્થો ભણવાના બંધ થયા હોય તો શાથી ? એનો ઉપયોગ શું ? આ વિચારણા એજ સમ્યજ્ઞાન પ્રત્યેનો ઉદાસીના ભાવ બતાવે છે.
આવો ઉદાસીનભાવ આજે તમારામાં નહિને ?
આજે જૈનકુળમાં જન્મેલા સમ્યજ્ઞાન ભણી શકે એમ કેટલાય છે. ધારણા કરીને, ગોખીને યાદ રાખી શકે એવાય કેટલાય છે. લાંબાકાળ સુધી ટકાવી શકે, ચિંતન, મનન કરી શકે એવાય કેટલાય છે છતાં પણ નથી ભણતા, ભણેલું યાદ નથી રાખતા એનું કારણ શું? એ શું કામમાં આવે ? જ્ઞાની ભગવંતો કહેછેકે સમ્યગજ્ઞાન મેળવેલું હશે તો પુણ્યથી મલતી સામગ્રી ભોગવવામાં અનેક પ્રકારના રાગાદિ પાપોથી. બચાવવામાં સહાયભૂત થશે એવી જ રીતે પાપના ઉદયથી દુ:ખ આવે તો દુ:ખના કાળમાં હાયવોય થવાને બદલે સમાધિ ભાવ રાખવામાં રખાવવામાં સહાયભૂત થાય છે. જ્યારે પરિગ્રહ માટે ભણેલું જ્ઞાન સુખમાં અસંતોષની આગ પેદા કરાવીને સંસારની વૃદ્ધિ કરાવે અને દુ:ખના કાળમાં હાયવોય કરાવી સંસારની વૃદ્ધિમાં કારણ બને છે. તમોને કયા જ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવ બેઠેલો છે ? પરિગ્રહ માટે ભણાતું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે. બોલો તમે અજ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવવાળા છો કે સમ્યગજ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવવાળા છો ?
Page 88 of 97.
Page #89
--------------------------------------------------------------------------
________________
અનુકૂળતામાં નિર્લેપ રીતે જીવે એજ પ્રતિકૂળતામાં સમાધિભાવ પૂર્વક રહી શકે.
અપરિગ્રહીની ભક્તિ કરે અને પુણ્યોદયથી પરિગ્રહ વધે એમાં દુઃખ પામવાને બદલે આનંદ માને આનંદપૂર્વક રાચે માર્ચ એ આ કલિકાલનું અચ્છેરૂં ગણાય છે. નહિ તો અપરિગ્રહીની શિવળ માટે ભક્તિ કરે અને પરિગ્રહ જ દુઃખરૂપ છે, પાપમૂલક છે એવી ભાવના આવ્યા વગર ન રહે. સમ્યજ્ઞાન મેળવવામાં પ્રમાદી બનાવે અને બેપરવાહી બનાવે અટલે નિયત રૂપે અપ્રમત્તભાવે સમ્યજ્ઞાન મેળવવા દે નહિ. મહાપુરૂષોએ મહેનત કરીને પ્રાણના ભોગે જ્ઞાનને સાચવીને-ટકાવીને-વધારીને આપણા સુધી પહોંચાડ્યું એ જ્ઞાનની આપણા અંતરમાં કાંઇ કિંમત છે એ સમ્યજ્ઞાનને જો આવી રીતે સાચવીને ટકાવીને પહોંચાડવાનો પ્રયત્ન ન કર્યો હોત તો આપનું શું થાત ? એવો કોઇ વિચાર આવે છે ? કે સમ્યજ્ઞાન પ્રત્યે ઉદાસીન પ્રમાદી અને બે પરવાહવાળા છીએ ? સમ્યજ્ઞાન ભણવામાં આળસ પેદા કરે તે પ્રમાદ અને થશે ભણશું. ભણવું જ જોઇએ એવું કાંઇ ઓછું છે. મન થશ તો સૂત્રો ભણશું નહિ તો કાંઇ નહિ કારણકે આ જ્ઞાન મહ્તમાં ભણવા મલે છે માટે આ જ્ઞાન પ્રત્યે બેદરકારી વધતી જાય છે.
આથી જ્ઞાની ભગવંતો કહે છેકે અનાદિકાળથી જીવોને પરિગ્રહના મમત્વના કારણે પરિગ્રહ મેળવવા, ભોગવવા, વધારવા, ટકાવવા, સાચવવા આદિ માટે પૈસા ખર્ચીને પણ જ્ઞાન મલતું હોય તો તે જ્ઞાન મેળવવા માટે મન પરોવીને જીવો પ્રયત્ન કરે છે પણ તે જ્ઞાન અજ્ઞાન રૂપે છે. આત્માને માટે કોઇ જ ઉપયોગી નથી જ્યારે આત્માને ઉપયોગી એવું જે સમ્યજ્ઞાન મહ્તમાં ભણવા મલતું હોય, જાણવા મલતું હોય, સમજવા મલતું હોય, વારંવાર વિચારણા કરવા મલતું હોય તો તે જ્ઞાન જીવોને મેળવવા આદિનું મન થવાને બદલે ઉદાસીન ભાવ પેદા થાય આળસ આવે પ્રમાદ પેદા થાય અને બેદરકારીપણું પેદા થયા કરે એટલે એક બે દિવસ આવે પછી ચાર-છ દિવસ ખાડા પાડે એ બેદરકારી કહેવાય છે. એના કારણે જીવો સમ્યજ્ઞાન મેળવી શકતા નથી. પાપમૂલક પરિગ્રહમાં જ મસ્ત બની ફ્ળપૂજા કરવા છતાંય પોતાનો મળેલો મનુષ્યજન્મ હારી જાય છ માટે ભાવપૂર્વક ફ્ળપૂજા કરતાં સમ્યજ્ઞાનની રૂચિ પેદા કરી સમ્યજ્ઞાનને પામો એ અભિલાષા.
(૨) દર્શનાવરણીય કર્મનો બંધ
ચક્ષુદર્શનાવરણીય અને અચક્ષુદર્શનાવરણીય આ બે દર્શનાવરણીય કર્મમાં વિશેષ બંધાય છે કારણકે મળેલી પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ અનુકૂળ પદાર્થો મેળવવા આદિમાં કરવાથી તથા પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવાથી આ દર્શનાવરણીય કર્મ બંધાય છે. આથી એ ઇન્દ્રિયોના ક્ષયોપશમ ભાવના ઉપયોગમાં મસ્ત બનેલો આત્મા ચાલવામાં, ખાવામાં દોડધામ કરવામાં બોલવા આદિના વ્યવહારમાં બેદરકાર બનીને જીવન જીવતાં ઘણાં નાના મોટા જીવોની હિંસા કરે તો પણ તે હિંસામાં આનંદ માને છે પણ દુઃખ થતું નથી તેમજ એ બેદરકારપણાથી બીજા જીવોની ઇન્દ્રિયોનો ઘાત થાય તોય ચિંતા કે પરવા કરતો નથી પણ આનંદ માને છે અને એ આનંદના નશામાં સદા માટે ઉંઘતો રહે છે આથી હું શું કરું છું ! મારે શું કરવું જોઇએ એની દરકાર કરતો નથી. આવા બધા અનેક કારણોને આધીન થઇને જીવો દર્શનાવરણીય કર્મનો બંધ કરે છે.
જેમ ચક્ષુનો ઉપયોગ આત્મકલ્યાણ કરનારા અરિહંતના દર્શનમાં ન કરે, શાસ્ત્ર વાંચનમાં ન કરે પણ જગતના પદાર્થોને જોવામાં કરતો જાય અને એ જોતાં બીન ઉપયોગી સારા નરસાપણાના વિચારો કરીને સંસારની વૃધ્ધિ કરતા જાય છે. એજ રીતે અચક્ષુનો એટલે ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોને વિષે પણ જાણવું. આ રીતે પરિગ્રહના મમત્વમાં રહેલા જીવને એ મમત્વના કારણે અપરિગ્રહીની ફ્ળપૂજા કરવા છતાંય સંસારનો નાશ થતો નથી કારણકે પરિગ્રહ એને પાપમૂલક લાગતો નથી. આથી ભાવપૂર્વક ફ્ળપૂજા
Page 89 of 97
Page #90
--------------------------------------------------------------------------
________________
કરતા કરતા નિષ્પરિગ્રહી બનવાનો ભાવરાખી પરિગ્રહનું મમત્વ ઓછું થાય એવો પ્રયત્ન કરવાથી આ ભવમાં જ નિપરિગ્રહપણાનો આંશિક અનુભવ કરી શકાય છે.
(3) અશાતા વેદનીય કર્મનો બંધ - પૈસાના લોભે અને સુખની લાલસાએ પરિગ્રહના મમત્વના કારણે જીવો અશાતા વેદનીય કર્મનો બંધ કરે છે. કારણકે પૈસાના લોભના કારણે જીવો અહિંસામાં બેદરકાર રહી હિંસાની પ્રવૃત્તિ કર્યા જ કરે છે. ગમે તે પ્રવૃત્તિ કરતા પૈસા મલતા હોય અથવા પરિગ્રહ મલતો હોય તો જોઇએ આ વૃત્તિ અને વિચારો આત્માને અહિંસા પ્રત્યે બેદરકાર બનાવે છે અને હિંસા પ્રત્યે સત્વ ખીલવી પ્રયત્ન કરાવે છે. એજ રીતે જેમ જેમ પેસો વધે તેમ તેમ સંયમના લક્ષ્યને બદલે અસંયમી અને દુરાચારીપણાના ભાવો પેદા કરીને એ તરફ પ્રવૃત્તિ કરાવવામાં આગળ વધારે છે આથી ગાઢ અશાતા વેદનીય કર્મ બાંધે છે તેમજ તપ કરવાને બદલે ઇચ્છાઓનો વિરોધ કરવાને બદલે ઇચ્છાઓ લાલસાઓ. ભોગની લાલસાઓના વિચારોમાં વિશેષ રીતે પ્રયત્ન કરતો કરતો પેસો મેળવવા આદિનો પ્રયત્ન કરતો જ જાય છે. આથી જીવો અહિંસાને બદલે હિંસા સંયમને દુરાચાર અને તપને બદલે ભોગ લાલસામાં પ્રયત્ન કરતા કરતા અશાતા વેદનીય ગાઢ બાંધી જન્મ મરણની પરંપરા વધારતા જાય છે આથી જીવો ભાવપૂર્વક ફળપૂજા કરે તો હિંસાને બદલે અહિંસાના લક્ષ્યવાળા બની અપરિગ્રહી બનવાના ભાવવાળા થાય છે. તેમજ પોતાના દુરાચારનો પશ્ચાતાપ કરતા કરતા સંયમી બનવાની ભાવના રાખી પોતાની શક્તિ મુજબ સંયમી બનતા જાય છે એવી જ રીતે નિષ્પરિગ્રહી બનવાની ભાવના કારણે ભોગ લાલસાઓનો સંયમ કરી શક્તિ મુજબ નાશ કરતા કરતા તપ કરવાનો અભ્યાસ કરીને સુંદર રીતે સારામાં સારો તપ જીવનમાં કરવાવાળા બને છે. એનાથી શાતા વેદનીય કર્મ બંધાય છે આ પ્રત્યક્ષ ળ કહેવાય છે.
સુખનો રાગ અને પરિગ્રહ એ પાપ છે એવું જે માને તેનું ભાવ મન સદા માટે જાગ્રત રહી શકે છે.
(૪) મોહનીય કર્મ - પરિગ્રહની અતિ આસક્તિમાં રહેલા જીવો જેટલી મમત્વ બુધ્ધિ વધારતા જાય. છે સ્થિર કરતા જાય છે તેમ પોતાના કુટુંબની ખાનદાનીનો નાશ કરે છે. જે ધાર્મિક સંસ્કારો પૂર્વભવના.
લઇને આવ્યો હતો તે સંસ્કારોનો નાશ કરતો જાય છે અને ઉચિત વ્યવહારનો નાશ કરતો જાય છે. અને સાથે સાથે મિથ્યાત્વ મોહનીય કર્મ ગાંઠ બાંધતો જાય છે. તથા ટી.વી. વગેરે નાટક ચેટક વગેરે રમત ગમત વગેરે જોવાના આનંદથી જીવો ગાઢ ચારિત્ર મોહનીય કર્મનો બંધ કર્યા કરે છે.
પરિગ્રહની આસક્તિ અને મમત્વ ખાનદાન કુટુંબને બટ્ટો લગાડે અને ધાર્મિક સંસ્કારોનો નાશ કરે છે. અનેક પ્રકારના ધર્મના અનુષ્ઠાનોનું સેવન (આચરણ) કરવા છતાં મિથ્યાત્વ મોહનીય કર્મ નબળું પડતું નથી એનું મુખ્ય કારણ પરિગ્રહ પ્રત્યેની આસક્તિ કામ કરે છે.
ધર્મક્રિયાઓ ગમે તેટલી વધે છતાંય અંતરના ધર્મને પેદા કરવાને બદલે નાશ કરવામાં સહાયભૂત કોઇપણ હોય તો તે પરિગ્રહની આસક્તિ છે. ધર્મના સંસ્કારોનો ખાતમો એ પરિગ્રહની આસક્તિનું પ્રત્યક્ષ ળ ગણાય છે.
શરીર એ હું નથી પણ શરીરથી ભિન્ન એવો હું આત્મા છું આવી માન્યતા અંતરમાં દ્રઢ કરવી પડશે. તોજ પરિગ્રહની આસક્તિ ઘટશે. શરીર કોઇનું થયું નથી, વર્તમાનમાં થતું નથી અને ભવિષ્યમાં કોઇનું થવાનું નથી આથી એ શરીરમાં જેટલી આસક્તિ રાખીશ એનાથી જન્મ મરણની પરંપરા વધ્યા કરશે જો જન્મ મરણ ઘટાડવા હોય તો શરીરની આસક્તિ ઘટાડ્યા વિના ચાલશે નહિ.
લાંબુ આયુષ્ય બાંધવા માટે ભગવાનની ભક્તિની સાથે અહિંસાનું લક્ષ્ય જોઇશે. અનુકૂળ પદાર્થોની ઇચ્છાઓ રાખીને કુટુંબ પરિવારની સુખી થવાની વિચારણાઓ રાખીને તથા લીલીવાડી કેમ થાય અને ટકી
Page 90 of 97
Page #91
--------------------------------------------------------------------------
________________
રહે એવી ભાવના રાખીને ભગવાનની ભક્તિ કરતા કરતા એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જન્મ મરણ ભોગવવા પડે એવા અનુબંધ બંધાય છે. મનુષ્ય આયુષ્યના પણ એવા જ અનુબંધો બંધાયા કરે જેથી એવા જીવો મનુષ્યપણા રૂપે જન્મ પામે પણ તે યોનિમાંથી બહાર નીકળી શકે નહિ. યોનિમાંને યોનિમાં એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા ભવો કરતા જાય છે. સાત ભવ મનુષ્યના એક ભવ વિકલેન્દ્રિયનો એમ બે હજાર સાગરોપમ સુધી જન્મ મરણ કર્યા કરે છે આવા અનુબંધો જેને બાંધેલા હોય એવા જીવોનો સ્વભાવે બીજાની નિંદા કરવાનો અને આપ બડાઇ કરવાનો હોય છે.
(૧) જેમ જેમ પરિગ્રહ વધે તેમ તેમ પરિગ્રહ વગરના જીવોની નિંદા કર્યા જ કરે અમે મહેનત કરીને આગળ આવ્યા એમને મહેનત કરવી જ નથી બેઠે બેઠે ખાવું છે કોઇ આપે ? અને વગર મહેનતનો રોટલો પચે નહિ એવી રીતે પોતાના સ્નેહી સંબંધી આદિ જીવોની નવરા પડે એટલે નિંદા કર્યા જ કરે તો નિંદાનો સ્વભાવ.
(૨) આપ બડાઇ જ્યાં જાય ત્યાં પોતાના વખાણ કર્યા કરે પૈસાનો લોભ પૈસાનો મોહ જીવને આપ બડાઇનો સ્વભાવ પેદા કરાવ્યા વગર રહે નહિ.
(૩) બીજાના ગુણોને ગુણરૂપે જોવા દે નહિ.
જ્યાં સુધી જીવને અનુકૂળ પદાર્થોનો રાગ મારા આત્માને દુ:ખ આપનારો છે એવું લાગે નહિ. ખતરનાક છે એમ લાગે નહિ ત્યાં સુધી ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પેદા થાય નહિ અને એ ન થવાથી જગતમાં રહેલા બીજા જીવોના સારામાં સારા ઉંચી કોટિના ગુણો હોય તો પણ તે ગુણોને ગુણ રૂપે જોવા દે નહિ. દોષ રૂપે બનાવીને એ ગુણોને જુએ આવા જીવો એટલેકે નિંદા કરવાના સ્વભાવવાળા આપ બડાઇવાળા અને ગુણને ગુણરૂપે ન જોનારા જીવો પોતાના પાપોને છુપાવીને જીવતા હોય છે એટલે પોતાના પાપોને છુપાવવામાં આનંદ માનતા હોય છે એમાં હું ખોટું કરું છું એમ એમને લાગે નહિ. આથી અશુભ નામ કર્મોનો બંધ વિશેષ કરતા જાય અને સાથે નીચ ગોત્રનો બંધ પણ કરતા જાય છે અને જન્મ મરણની પરંપરા વધારતા જાય છે પૈસાને રાખતાં સંકુચિત વિચારણાઓ કરીને જીવે તો તેનાથી ભોગવંતરાય આદિ કર્મો બંધાય છે એટલેકે ભોગવંતરાય ઉપભોગાંતરાય કર્મો તેની સાથે વીર્યંતરાય કર્મ પણ જોરદાર રસે બાંધતા જાય છે.
અરિહંત પરમાત્માના દર્શનથી જે પુણ્ય બંધાય એ પુણ્ય વૈરાગ્ય ભાવ પેદા કરાવવામાં સહાયભૂતા થાય તો તેજ દર્શન વાસ્તવિક રીતિએ સાચું ગણાય છે.
દુનિયાના અનુકૂળ પદાર્થોને ભોગવવાથી કદી આત્મામાં તૃપ્તિ થતી નથી એતો બીજા અનેક પદાર્થોને ભોગવવા માટેની અતૃપ્તિની આગ એની વિચારણાઓ પેદા કરે છે. ભાવપૂર્વક ફળપૂજા કરતાં પોતાનો પરિગ્રહ સંસાર વર્ધક છે એમ ન લાગે તો એ ભાવપૂર્વક કરેલી ળપૂજા પાપાનુબંધિ પુણ્ય બંધાવે છે.
જેમ મદારી સાપને સાથે રાખીને એ સાપથી પોતાની આજીવિકા ચલાવે કેમકે એ સાપ સાથે રાખે છે છતાં સાપથી સાવધ હોય છે કારણકે માને છેકે સાવધ ન રહું તો મારા પ્રાણોને લઇ લે એટલે નાશ કરે એટલી શક્તિ એનામાં છે એમ તમોને પણ ખબર છેકે પરિગ્રહ કેવો ? પરિગ્રહનું મમત્વ આસક્તિ મૂચ્છ આદિ કેવા છે ? એને ઓળખો છોને ? સાપ એક ભવ મારે અને આ પરિગ્રહના મમત્વ રૂપી સાપો સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા ભવ મારે એવા છે ! માટે આનાથી સાવચેતી રાખીને જીવન જીવવું જોઇએ.
પૈસાનો સ્વભાવ જ એ છેકે મારૂં મેળવેલું હું અને મારું ગણાતું કુટુંબ જ ભોગવીએ બીજા કોઇને પણ
Page 91 of 97
Page #92
--------------------------------------------------------------------------
________________
આપીએ નહિ બીજાને આપું નહિ આવી બુધ્ધિ પેદા કરાવે છે.
આવા વિચારો જીવોને ભોગાંતરાયાદિ અંતરાય કર્મો જોરદાર રસે બંધાયા જ કરે છે. તથા ઉદારતાના બદલે કૃપણતા ગુણ પેદા કરાવે છે અને સંસારમાં જન્મ મરણ વધારે છે. આ રીતે પાપમૂલક એવો પરિગ્રહ આઠેય કર્મોનો બંધ અનુબંધ રૂપે કરાવ્યા જ કરે છે એ બંધ અને અનુબંધ દુર્ગતિનું કારણ બને છે એ દુર્ગતિથી બચવા માટે અને દુર્ગતિનો નાશ કરવા માટે જ્ઞાની ભગવંતો એ ળપૂજા ભાવપૂર્વક કરવાનું વિધાન કરેલું છે જો અપરિગ્રહી જીવોની ભાવપૂર્વક ળપૂજા કરે તો એનાથી જરૂર પાપમૂલક પરિગ્રહનો સ્વભાવ બદલાય અને અશુભ કર્મોનો તીવ્રરસ થતો હતો તે મંદરસ થતો જાય અને આત્મા લઘુકર્મી બનતો બનતો મિથ્યાત્વ મોહનીયની મંદતા કરી ગ્રંથી ભેદકરીને સમકીતની પ્રાપ્તિ કરી શકે છે. તો આ રીતે અપરિગ્રહી બનવાની ભાવના રાખીને ફળપૂજા કરતા કરતા સમ્યત્વને પ્રાપ્ત કરી સી પોતા પોતાના આત્માનું કલ્યાણ સાધો એ અભિલાષ.
(૮) અવકરણીય પરિગ્રહ :- અવકરણીય = અવરોધ રૂપ નિરર્થક પણે એટલે બીન ઉપયોગી એવા પાપોને એટલે કર્મોને બંધાવીને આત્મ કલ્યાણના માર્ગમાં અવરોધ રૂપ થાય છે એટલે આત્મકલ્યાણ તરફ દ્રષ્ટિ પેદા થવા દેતો નથી.
પૈસો જેમ જેમ વધે તેમ તેમ એ પૈસાવાળા જીવો નિરર્થક વિચારો ઘણાં કરે છે. નિરર્થક વચનો ઘણાં બોલે છે અને ન કરવા લાયક પ્રવૃત્તિઓ પણ ઘણી કરે છે એટલે કે હરવા ફ્રવા જવાનું બાગ બગીચામાં ક્રવા જવાનું નિરાંતે ત્યાં બેસી ટાઇમ પાસ કરવાનું હોટલોમાં જમવા જવાનું ખાવા પીવા આદિનો શોખા વધતો જાય અને એમાં જ આનંદ પેદા કરાવે આત્મિક ગુણોને પેદા કરાવે એવા વિચારો-વચનો અને એની પ્રવૃત્તિઓ કરવાની ભાવના કે વિચારો પેદા થાય નહિ એમાં આનંદ આવે નહિ. તે અવકરણીય પ્રવૃત્તિઓ કહેવાય છે. પૈસાનો સ્પર્શ કરતાં, રાગ કરતાં, આસક્તિ કરતાં, મમત્વ કરતાં અને મૂચ્છ ભાવના વિચારો કરતા કરતા આત્મા પોતાની કતલ કરતો જાય છે કારણકે એકવાર વિચારણા કરવાથી દશ ભવો એટલે જન્મ મરણની પરંપરા વધે છે અને બીજીવાર, ત્રીજીવાર એમ અનેકવાર વિચારો કરવાથી દશ ગુસ્યા દશ રૂપે દરેક વખતે જન્મ મરણની પરંપરા વધે છે. સામાન્ય રીતે પણ વિચારણા કરીએ તો એક રૂપિયો સ્પર્શ કરતા અથવા બે રૂપિયાને સ્પર્શ કરતા વિચારમાં ક્રૂ થાય એમ પાંચની નોટ, દશની નોટ, વીશની નોટ, પચાસની નોટ, સોની નોટ, પાંચસોની નોટ કે હજારની નોટ સ્પર્શ કરતા વિચારોમાં ફાર રહે છે જ એને રાગની આસક્તિની મૂચ્છ આદિની માત્રાના પરિણામમાં ફ્રાર રહ્યા જ કરે છે એમ પૈસાથી જન્મ મરણ વધે છે એમ કહેવાય છે.
સ્વ અને પરનો વધ કરવામાં પણ પરિગ્રહ નિમિત્ત બનતો જાય છે જન્મ મરણની પરંપરા વધે છે એમાં સ્વ એટલે પોતાના આત્માનો વધ (હિંસા) કહેવાય છે અને જેની પાસેથી પૈસા લેવાના હોય તે ન આપે તો તેનો વધ અથવા હિંસા કરવાના ભાવો-પરિણામો તે પર વધ કહેવાય છે.
બંધન કરાવનાર, ચિત્તમાં મલીન ભાવ કરાવનાર પરિગ્રહ છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, વિયોગ, વૈરભાવ, કલેશભાવ આદિ દુઃખોને પણ પેદા કરાવનાર પરિગ્રહ છે. કુટુંબીઓનું અપમાન કરાવનાર, પડોશીઓનું અપમાન કરાવનાર, બીજા જીવોનું પણ અપમાન કરાવનાર, તિરસ્કાર કરાવનાર પણ આ પરિગ્રહ છે. નહિ પ્રાપ્ત થયેલા પેસાને પ્રાપ્ત કરવાની તૃષ્ણા પેદા કરે છે. પ્રાપ્ત થયેલા પૈસામાં આસક્તિ પેદા કરે છે. અધિક આસક્તિ પેદા કરાવનાર પણ આ પરિગ્રહ છે.
આજે મોટે ભાગે દેવ, ગુરૂ, ધર્મની આરાધનાના અનુષ્ઠાનો કરતાં સંતોષનો આનંદ પેદા થાય છે
Page 92 of 97
Page #93
--------------------------------------------------------------------------
________________
એ સંતોષ વાસ્તવિક રીતિએ આત્માના ગુણરૂપે કામ કરતો નથી પણ એ સંતોષ મોહના ઘરનો હોવાથી આત્માને ઠગનારો છે. શાથી ? કારણકે આટલી સુંદર ભક્તિ કરતા આનંદ આવે છે પણ ઘર આદિનો રાગ દુ:ખ રૂપ લાગતો નથી. લાગે છે ? જો એ ઘર આદિ દુ:ખરૂપ લાગે તો આત્માનો સંતોષ કહેવાય. ભગવાનના ગુણોને જોઇને આનંદ થાય એની સાથેને સાથે સંસારના અનુકૂળ પદાર્થોનો આનંદ દુઃખ રૂપ લાગવો જ જોઇએ. એ આવે તો તે ગુણોનો આનંદ સાચો આત્માના ઘરનો આનંદ કહેવાય.
પ્રશસ્ત રાગ પેદા થાય એટલે અપ્રશસ્ત રાગથી આત્માને સાવચેત રાખે જ. ભગવાનનો સેવક પરિગ્રહ ન છૂટી શકે તો રાખે ખરો પણ પરિગ્રહ છોડવા જેવો છે એમ તો માને
સંસારમાં લગ્ન ગ્રંથીથી જોડાયા પછી પુત્ર પ્રાતિ પેદા થાય અનો જે મોહ એ પુત્ર પ્રાપ્તિ મોહ રૂપે પરિગ્રહ ગણાય છે.
સ્ત્રી પ્રાપ્તિનો મોહ તે બીજો પરિગ્રહ કહેવાય છે. કોઇપણ નવી ચીજ જુએ ને ભોગવવાની વિચારણા થાય તે ત્રીજો કામ વાસનાનો મોહ કહેવાય છે.
ધન - આભૂષણ એટલે ઘરેણા વગેરે મકાન વગેરેનો ઇત્યાદિ અનેક પ્રકારના મકાન આદિના મોહ તે દ્રવ્ય પરિગ્રહનો ચોથો મોહ ગણાય છે. વિષય વાસનાનો મોહ તે પાંચમો પરિગ્રહ ગણાય છે. તીજોરીમાં કે બેંકમાં મુકેલા નાણા સંગ્રહ કરેલા તે ભાવ પરિગ્રહ છે. ટેસ્ટફ્સ ખાવાનો મોહ તે ભોજન પરિગ્રહ. આવા અનેક પ્રકારના પરિગ્રહો જ્ઞાની ભગવંતોએ કહેલા છે એ સઘળા પરિગહો પરિગ્રહ રૂપે લાગે એ માટે ળપૂજા કરવાનું વિધાન કહેલું છે. જ્ઞાની ભગવંતોએ પરિગ્રહને પાપ કહેલો છે. પરિગ્રહ એટલે પૈસો એને કાળો નાગ કહેલો છે. પરિગ્રહ એટલે પેસો એને કડવું તુંબડું પણ કહેલ છે. પેસાને વિશ્વાસ ઘાતક કહેલો છે. પેસાના કારણે જ માણસ સરલના સ્થાને વક્ર બને છે. કોમળના સ્થાને કઠણ બને છે. ધાર્મિકના સ્થાને અધાર્મિક બને છે અને પ્રેમીના સ્થાને દ્રોહી બને છે માટે આત્મિક ગુણોને દુષિત કરનાર પેસો એટલે પરિગ્રહ જ છે.
પરિગ્રહ રૂપે પોતાનું જે બાહ્ય કુટુંબ, માતા, પિતા, પતિ, પત્ની, દિકરા, દિકરી, ભાઇ, વ્હન, સ્નેહી, સંબંધી ઇત્યાદિ સંબંધવાળું કુટુંબ તે બાહ્ય કુટુંબ કહેવાય છે એ બાહ્ય કુટુંબ નો આધાર કર્તવ્ય નિષ્ઠા, સંતોષ અને આતિથ્ય ભાવ ઉપર રહેલો છે.
માતા, પિતા આદિ તરફ શું શું કર્તવ્ય છે એ વિચારણા કરી પ્રયત્ન કરવો એ કર્તવ્ય નિષ્ઠા કહેવાય છે. જેમ જેમ કર્તવ્ય માનીને રાગાદિ રહિત પણે કુટુંબ સાથે જીવન જીવવા પ્રયત્ન કરે તો એ જીવનથી અંતરમાં સંતોષ પેદા થતો જાય છે એટલે કે જીવન જીવ્યાનો સંતોષ થાય અને એમાંથી કુટુંબની સાથે પોતે અતિથિ તરીકે રહેલો હોય અને એમાં વિચાર કરે કે બધા જીવો કુટુંબના અતિથિ તરીકે ભેગા થયેલા છે ક્યારે કયો જીવ અતિથિમાંથી ક્યાં જતો રહેશે એ કહેવાય નહિ. આવી વિચારણા ચાલુ રાખીને આતિથ્ય ભાવ પેદા કરતો જાય તો કુટુંબ પ્રત્યે રાગાદિ પરિણામ થાય નહિ અને પોતાના આત્માની દુર્ગતિ પણ થાય નહિ. આથી કર્તવ્યનિષ્ઠા-સંતોષ અને આતિથ્ય ભાવ પેદા કરી બાહ્ય કુટુંબ સાથે જીવન જીવે તો આંતરિક શુભ કુટુંબ સાથે સારી રીતે જીવન જીવવાના ભાવ જાગે.
પરિગ્રહ પાપ રૂપે લગાડવો હોય અને પરિગ્રહને છોડવા માટે પ્રયત્ન કરવો હોય તો કુટુંબને અતિથિ તરીકે માનીને જીવે તોજ એ પુરૂષાર્થ બની શકે.
જેમ જેમ મિથ્યાત્વની મંદતા થતી જાય તેમ તેમ કુટુંબ પ્રત્યે આતિથ્ય ભાવ વધતો જાય અને
Page 93 of 97
Page #94
--------------------------------------------------------------------------
________________
રાગાદિ પરિણામનો ભાવ ઘટતો જાય છે. જીવ જો જાગ્રત રહીને જીવન જીવતો બને તો. આતિથ્ય ભાવમાં કદંબ પ્રત્યે રાગ હોય પણ એ રાગ દુર્ગતિમાં લઇ જાય એવો ન હોય તથા સદ્ગતિને રોકે એવો પણ હોતો. નથી.
આતિથ્ય ભાવથી સંતોષ ભાવ પેદા થાય છે. આંતરિક કુટુંબના બે ભેદો છે. (૧) અશુભ આંતરિક કુટુંબ, (૨) શુભ આંતરિક કુટુંબ. અશુભ આંતરિક કુટુંબમાં. ક્રોધ અને માયા માતા પિતાના સ્થાને છે. અજ્ઞાનતા-પત્ની એટલે સ્ત્રીના સ્થાને છે. રાગ-દ્વેષ સંતાનના સ્થાને છે.
માન, લોભ, શોક અને ભય તેના ભાઇઓના સ્થાને છે. આ અશુભ કુટુંબના સહવાસથી જીવ અધમવૃત્તિથી અવરાઇ જાય છે, પ્રમાદી બની જાય છે, સંકુચિત વૃત્તિવાળો થાય છે, વિકાર ભરેલી વૃત્તિઓ પ્રબળ બને છે, કોઇપણ કામમાં નિરૂત્સાહ મંદતાવાળો તંદ્રાવાળો અને તામસ સ્વભાવવાળો બને છે. આથી ધર્મી જીવોએ આ અંતરંગ અશુભ કુટુંબનો જેમ બને તેમ જલ્દી ત્યાગ કરવો જોઇએ.
શુભ કુટુંબ રૂપે ક્ષમા અને સત્ય માતા પિતાના સ્થાને છે, સરલતા પત્ની એટલે સ્ત્રીના સ્થાને છે, નિર્લોભતા વ્હેન છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર બંધુઓના સ્થાને છે અને શોચ, તપ અને સંતોષ સંતાન એટલે પુત્રોના સ્થાને છે. આ કુટુંબને સાચવીને જીવનારો જીવ શુધ્ધ પરિણામ પેઘ કરતો કરતો પોતાના આત્માનું ઉત્થાન કરી સારો કાળ હોય તો મોક્ષ સુધી પહોંચે છે. વર્તમાનમાં છઠ્ઠા સાતમાં ગુણસ્થાનક સુધી પહોંચે છે.
આ રીતે અનાદિકાળથી જીવો પરિગ્રહસંજ્ઞામાં જકડાયેલા છે એને ઓળખીને પરિગ્રહ રૂપે સારામાં સારૂં ફળ અપરિગ્રહી એવા તીર્થંકર પરમાત્મા પાસ મુકીને હે ભગવન્ ! આ પરિગ્રહથી જલ્દીથી છૂટવાની શક્તિ આપ કે જેથી આંતરિક શુભ કુટુંબનું સારી રીતે અનુકરણ કરી અપરિગ્રહી બનવાના ભાવ રાખી અપરિગ્રહી બનીને જલ્દીથી જીવન જીવી શકું ? આ હેતુથી આ ળપૂજા કરું છું.
ફળપૂજાનો દુહો
થાળીમાં ફળ લઇ બે હાથે પકડી દુહો બોલવો
ઇન્દ્રાદિક પૂજા ભણી ફ્લ લાવે ધરી રાગ |
પુરૂષોત્તમ પૂજા કરી માંગે શિવ ળ-ત્યાગ III ભાવાર્થ :- શ્રી અરિહંત પરમાત્માઓ પુરૂષોને વિષે ઉત્તમ તરીકે ગણાય છે માટે એવા પુરૂષોત્તમની પૂજા ઇન્દ્રાદિક દેવતાઓ એ પાંચ રૂપ કરી ભગવાનનો જન્મ મહોત્સવ કરવા મેરૂ પર્વત ઉપર લઇ જઇ અભિષેક કરીને જે પ્રમાણે રાગપૂર્વક ળોને લઇને ભગવાન પાસે ધરીને પૂજા કરી એ રીતે હું પૂજા કરતા કરતા શિવસુખ માંગુ છું કે જે આ દ્રવ્ય ળનો ત્યાગ કરીને પરિગ્રહનો નાશ કરવાની શક્તિ આપો. અપરિગ્રહીપણાની ભાવના લાંબાકાળ સુધી ટકી રહો અને અપરિગ્રહી રૂપ શિવપણું હું જે માંગુ છું તે મને આપો આમ વિચારી થાળી નીચે મૂકી તેમાનું ળ બે હાથે લઇ ત્રણવાર ભગવાન સામે ઉતારી આલેખેલી સિધ્ધશિલા ઉપર આનંદપૂર્વક પધરાવો ! આ રીતે ભાવપૂર્વક ળપૂજા કરવાનું વિધાન કહેલું છે. આ રીતે
Page 94 of 97.
Page #95
--------------------------------------------------------------------------
________________
અષ્ટપ્રકારી પૂજા કરતા કરતા સો મોક્ષ સુખને જલ્દી પામો એ અભિલાષા સાથે.....
ચૈત્યવંદનનો વિધિ
આ રીતે અંગપૂજા અને અગ્રપૂજા સમાપ્ત કર્યા પછી હવે જેની પૂજા ભક્તિ કરી છે તે શ્રી અરિહંત પરમાત્માના ગુણ ગાવા રૂપ ભાવપૂજા શરૂ કરવાની છે.
ઉભા થઇ ત્રણવાર નિસીહિ બોલે કે જેથી ભગવાનની દિશા સિવાય બાકીની ત્રણ દિશાનું વર્જન કરે છે. એક ખમાસમણ દઇ અનાયાસે પણ પૂજા ભક્તિ કરતાં થઇ ગયેલ હિંસાની આલોચના લેવા રૂપ ઇરિયાવહિ-તસ્સ ઉત્તરી અને અનન્દ કહી એક લોગસ્સનો કાઉસગ્ગ કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ત્રણ ખમાસમણા દેઇ જે ભગવાનની પૂજા ભક્તિ કરી હોય તેમનું ચૈત્યવંદન આવડતું હોય તો તે કહેવું નહિતર ગમે તે ભગવાનનું ચૈત્યવંદન કહો જંકિંચિ નામ તિર્થં - નમુથુણં કહી મુક્તાસૂક્તિ મુદ્રા કરી જાવંતિ ચેઇઆઇં કહી ખમાસમણ દઇ જાવંત કે વિસાહુ કહી હાથનીયા કરી નમોડર્ણત કહી ભાવવાહી સ્તવના ધીમા સાદે અને સુંદર રાગથી કરવી જેથી હૈયામાં પ્રભુ ભક્તિનો આનંદ જરૂર પેદા થશે. સ્તવના પૂરી થયેથી બન્ને હાથ જોડી લલાટ સુધી લઇ જઇ જયવીયરાય સૂત્ર સેવના આભવ મખંડા સુધી કહી બન્ને હાથ નીચા કરી બાકી રહેલ પ્રાર્થના સૂત્ર પૂર્ણ કરી ઉભા થઇ અરિહંત ચેઇઆણં-અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ કરી મારી નમોડહત કહી થોય કહી એક ખમાસમણું દેવું અને છેલ્લે અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહી વિધિ પૂર્ણ કરી ભગવાનને પૂંઠ ન પડે એ રીતે બહાર નીકળતાં પહેલાં પોતાની ભક્તિમાં જે આનંદ આવ્યો તે વ્યક્ત કરવા અને સાથે તે આનંદ વિશેષ ટક્યો રહે તે માટે ઘંટનાદ કરે.
અષ્ટપ્રકારી પૂજાના દુહ
જલપૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ જલપૂજા ળ મુજ હજો માંગો એમ પ્રભુ પાસ. જ્ઞાન કળશ ભરી આત્મા સમતા-રસ ભરપુર શ્રી જિનને નવરાવતાં કર્મ હોયે ચકચૂર III શીતલ ગુણ જેમાં રહ્યો શીતલ પ્રભુ મુખ રંગ | આત્મ શીતલ કરવા ભણી પૂજો અરિહા અંગ ||રા
સુરભિ અખંડ કુસુમાગ્રહી પૂજો ગત સંતાપ | સમજંતુ ભવ્ય જ પરે કરીએ સમકીત છાપ ||
પાંચ કોડીને ક્લડે પામ્યા દેશ અઢાર રાજા કુમાર પાળનો વર્યો જય જયકાર ||
ધ્યાન ઘટા પ્રગટાવીયે વામ નયન જિન ધૂપ મિચ્છિત્ત દુર્ગધ દૂરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ II. અમે ધૂપની પૂજા કરીએ રે ઓ મન માન્યા મોહનજી
Page 95 of 97
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રભુ ધૂપ ઘટા અનુસરીયે રે ઓ મન માન્યા મોહનજી પ્રભુ નહિ કોઇ તમારી તોલે રે ઓ મન માન્યા મોહનજી પ્રભુ અંતે છે શરણ તમારું રે ઓ મન માન્યા મોહનજી
દ્રવ્ય દીપ સુવિવેકથી કરતાં દુ:ખ હોય ફોક ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાસિત લોકાલોક ||
શુધ્ધ અખંડ અક્ષત ગ્રહિ નંદાવર્ત વિશાલ પૂરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકલ જંજાલ II, અક્ષત પૂજા કરતા થકાં સદ્દ કરૂં અવતાર | ફળ માગું પ્રભુ આગળ તાર તાર મુજ તાર || સંસારિક ફળ માગીને રઝળ્યો બહુ સંસાર |
અષ્ટ કર્મ નિવારવા માંગુ મોક્ષળ સાર || ચિંહુ ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ ! પંચમ ગતિ વિણ જીવને સુખ નહિં બિહુ કાળ ||
દર્શન જ્ઞાન ચારિત્રના આરાધનથી સાર | સિધ્ધ શીલાની ઉપરે હો મુજ વાસ શ્રી કાર ||
નૈવેદ્યપૂજા
અણાહારી પદ મેં કર્યા વિગ્રહ ગઇ અનંત I દૂર કરી તે દીજીએ અણાહારી શિવ સંત || ન કરી નૈવેધ પૂજના ન ધરી ગુરૂની શીખ | લેશે પરભવે અશાતા ઘર ઘર માંગશે ભીખ ||
ફળપૂજા
ઇન્દ્રાદિક પૂજા ભણી ફ્લ લાવે ધરી રાગ | પુરૂષોત્તમ પૂજા કરી માંગે શિવળ ત્યાગ II
દૂધના પ્રક્ષાલ વખતે
મેરૂ શિખર નવરાવે હો સુરપતિ મેરૂ શિખર નવરાવે | જન્મકાળ જિનવરજીકો જાણી પંચ રૂપ કરી આવે ||૧| રત્ન પ્રમુખ અડ જાતિના કળશા ઔષધિ ચૂરણ મિલાવે ! ક્ષીર સમુદ્ર તીર્થોદક આણી સ્નાત્ર કરી ગુણ ગાવે ||રા
Page 96 of 97
Page #97
--------------------------------------------------------------------------
________________ એણીપરે જિન પ્રતિમાકો નવણ કરી બોધિ બીજ માનું ભાવે | અનુક્રમે ગુણરત્નાકર સી જિન ઉત્તમ પદ પાવે ||3I. ૐ હ્રીં શ્રીં પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રી મતે જિનેન્દ્રાય-જલં-ચંદન પુષ્પ ધૂપ-દીપકં-અક્ષતં-નૈવેદ્ય-ફ્લે-યજામહે સ્વાહા ||. નવઅંગી પૂજાના દુહા જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત ! બહષભ ચરણ અંગુઠડે દાયક ભવજલ અંત III જાનુબળે કાઉસ્સગ રહ્યા વિચર્યા દેશ વિદેશT ખડા ખડા કેવલ રહ્યું પૂજો જાનું નરેશ ||રા લોકાંતિક વચને કરી વરસ્યા વરસી દાન ! કર કાંડે પ્રભુપૂજના પૂજો ભવિ બહુમાન ll3II. માન ગયું દોય અંશથી દેખી વીર્ય અનંત | ભુજબળે ભવજલ તર્યા પૂજો ખંધ મહંત llll. સિધ્ધ શિલા ગુણ ઉજળી લોકાંતે ભગવંત ! વસીયા તેણે કરણ ભવી શિર શિખા પૂર્જત આપી તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવન જન સેવંત | ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલ તિલક જયવંત IIII સોળ પ્રહાર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુલ ! મધુર ધ્વનિ સુરનર સુણે તેણે ગળે તિલક અમૂલ IIછા હૃદય કમળ ઉપશમ બળે બાળ્યા રાગ અને દોષ | હિમદહે વનખંડને હૃદય તિલક સંતોષ ll8II રત્નત્રયી ગુણ ઉજળી સકલ સુગુણ વિશ્રામ | નાભિ કમળની પૂજના કરતાં અવિચલ ધામ ll9ll (1) અંગુઠે, (2) ઢીંચણે, (3) કાંડે, (4) ખભે, (5) મસ્તકશિખા, (6) કપાળે, (7) કંઠે, (8) હૃદયે, (9) નાભિ. ઉપદેશક નવ તત્વનાં તેણે નવ અંગ જિણંદ | પૂજો બહુવિધ રાગશું કહે શુભવીર મુણિંદ | સમાપ્ત Page 97 of 97.