SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જોવાની વારંવાર ઇચ્છાઓ પેદા થયા કરે. આણામાં આપેલા પદાર્થો જીઆણામાં આપેલા પદાર્થો વારંવાર જોવાની ઇચ્છાઓ થાય અને એ પદાર્થોને જોઇને આનંદ પામવો અથવા સરખા સારા પદાર્થો ન આપ્યા હોય તો મોટું બગાડવું જેમ તેમ બોલવું આવા સુખી હોવા છતાં આપી આપીને આવું જ આટલું જ આપ્યું એવા અનેક વિચારો કરીને રાગ દ્વેષ પેદા કર્યા કરવો એમાં સફળતા મલે તેનો આનંદ પેદા કર્યા કરવો એ. પરિગ્રહ જ કહેવાય છે. એવી જ રીતે વેપારી વેપારીના માલ-જાત વગેરેમાં પદાર્થોને જોઇને આનંદ-નારાજી પેદા કરવી એ રીતે અનેક પ્રકારે દ્રવ્યોને એટલે પદાર્થોને જોતા જોતા રાગાદિ કરવા એ દ્રવ્યથી પરિગ્રહ કહેવાય છે. વગર લેવા દેવાઅ આ પરિગ્રહનું પાપ જીવનમાં ચાલુ છે ને ? ફ્લપૂજા અપરિગ્રહીની કરો અને પોતાને બીન ઉપયોગી કોઇ લેવા દેવા નહિ એવા બીજાના પરિગ્રહના પદાર્થોને જોઇને રાજીપો નારાજી કર્યા કરવા એની વાતો ચીતો કર્યા કરવી એનાથી પરિગ્રહનું પાપ બંધાય છે એ ખબર છે ? આવા દ્રવ્ય પરિગ્રહના પાપથી છૂટકારો મેળવેલા જીવો કેટલા છે ? અરે નિવૃત્ત થયેલા જીવો એથી ઓફીસેથી નિવૃત્તિ લીધેલા જીવોને તો આ દ્રવ્ય પરિગ્રહનું પાપ તો વિશેષ રીતે ચાલતું દેખાય છે ને ? કે આ પાપથી. બચેલા દેખાય છે ? આ પ્રવૃત્તિ ચાલુ રાખીને ળપૂજા કરે તો એ ળપૂજાથી શું લાભ થાય ? વિચાર કરવા જેવો નથી ? ક્ષેત્રને આશ્રયીને જોવાથી પરિગ્રહ લાગે તે આ રીતે જે જે દેશોનાં ક્ષેત્રો જોયેલા હોય તે દેશોના ક્ષેત્રોની એક બીજા દેશોના ક્ષેત્રો સાથે સરખામણી કરતો જાય. બાગ-બગીચાઓની સરખામણી કરતો જાય, રસ્તાઓની સરખામણી કરતો જાય. મકાનો, ઓફીસો આદિ એવા અનેક ક્ષેત્રોની સાથે સરખામણી કરતો જાય અને એમાં રાગ-દ્વેષ કરતો જાય એટલે રાગાદિ પરિણામો કરતો જાય તે ક્ષેત્રને આશ્રયીને જોવાથી પરિગ્રહનું પાપ લાગ્યા કરે છે. આ પાપ પણ તમારા જીવનમાં નહિ ને ? ળપૂજા કરતા કરતા. આવા બીન જરૂરીયાત પાપો પરિગ્રહ એટલે મૂચ્છ-મમત્વ રૂપે કરો નહિ ને ? આજે લગભગ મોટા ભાગે પહેલા કરતા એક બીજા દેશોને જોઇને આવા પાપો જીવનમાં સહજ થઇ ગયેલા લાગે છે ? જો આ રીતે જીવન જીવાતું હોય તો અપરિગ્રહીની પૂજા એટલે ળપૂજા કરતાં અપરિગ્રહી થવાનું મન જ ક્યાંથી થાય ? અને એ ન થાય તો મોક્ષનો અભિલાષ અંતરમાં પેદા ક્યાંથી થાય ? પોતાને કાંઇ લાગે વળગે નહિ કોઇ લેવા દેવા નહિ એવા ક્ષેત્રોને જોઇને કેટલા પાપ બંધાય છે ? અરે એ દેશોની વાત જવા દો પણ જે બંગલામાં કે ઘરોમાં વાસ્તુપૂજા ભણાવા જાય ત્યાં પણ કોઇ રાખવાનું નથી, રહેવા દેવાનું નથી છતાં પણ એ જોઇને ઘરે આવતા રાગાદિ પરિણામથી કઇ વાતોચીતો થાય છે એ વિચારો ? આવા જ વિચારોમાં જીવતા હોઇએ તો અપરિગ્રહી ભગવાનની ફળપૂજા કરવા છતાં પણ પરિગ્રહ પાપરૂપ છે અહિત કરનારો છે. અપરિગ્રહી જ બનવા જેવું છે એવો ભાવ પણ ક્યાંથી આવે ? પછી એ પૂજા ળવાળી ન બને તો અંતરમાં આશ્ચર્ય પામવા જેવું ખરું? વિચારો ! કાળને આશ્રયીને જોવામાં પરિગ્રહનું પાપ લાગે તે આ રીતે- આ કાળ માન સારૂં આ હતું સારી શિયાળામાં તો શરદી થયા જ કરે ઠંડીમાં બહાર નીકળવાનું મન જ થાય નહિ કામ કરવાનું પણ મન ન થાય ઉનાળામાં ગરમી વધારે લાગે માટે શાંતિથી ઘરમાં જ રહેવું ગમે તથા ચોમાસામાં વરસાદના કારણે પસંદ ના પડે છતાં પણ શિયાળો સારો કે જેથી બપોર પછી શાંતિથી કામ કરી શકાય ઇત્યાદિ કરતુઓના કાળ માન પ્રત્યે રાગાદિ પરિણામ કરીને જીવવું એવી બદતુઓને જોવાની ઇરછાઓ પેદા થયા કરે એ કાળ આશ્રયી પરિગ્રહથી પાપ બંધાયા કરે છે. ભાવ આશ્રયી- કયા પદાર્થની સાથે કયો પદાર્થ શોભે એની વિચારણાઓ કરવી જેમકે આ રંગની. સાથે આ રંગવાળા પદાર્થો શોભે ! કપડામાં મેચીંગની વિચારણાઓ કરવી. ખાવા પીવાના પદાર્થોમાં Page 76 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy