SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સંજ્ઞામાં વધારે લપેટાયેલો છું એને જોતા જોતા એ સંજ્ઞાઓને દૂર કરવાનો પ્રયત્ન કરતો જાય તોજ એ જ ચંદનપૂજા સાચી ચંદનપૂજા બને છે એટલે કે તો જ જીવોને સાચી શીતલતાનો અનુભવ થાય છે. જેમ ભાવપૂર્વકની જલપૂજા કર્મમળ ઓળખાવી દૂર કરવાનો પ્રયત્ન કરાવે એમ ભાવપૂર્વકની ચંદના પૂજા આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ સંસારને ઓળખાવીને એના તાપનો નાશ કરાવવામાં સહાય ભૂત થતાં થતાં શીતલતાનો અનુભવ પેદા કરાવવામાં સહાયભૂત થાય છે. આથી ઉપાધ્યાય જી શ્રી વીર વિજય મહારાજાએ ચંદન પૂજાના દુહામાં પણ કહ્યું છે કે શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ ! આત્મ શીતલ કરવા ભણી પૂજો અરિહા અંગ II૧l. ભાવાર્થ :- શ્રી અરિહંત પરમાત્માઓના મુખને જોતાં અંતરમાં શીતલતા પેદા કરાવે છે કારણ કે એ મુખ નિર્વિકારી જીવનું મુખ છે. પ્રસન્નતા વાળા જીવનું મુખ છે હંમેશા પ્રસન્ન જીવોનું મુખ વારંવાર જોઇએ એટલે પ્રસન્ન મુખવાળાના વારંવાર દર્શન કરીએ તો એમાં શક્તિ રહેલી છે કે પોતાનામાં રહેલી બાહ્ય અપ્રસન્નતા તેમજ આંતરિક અપ્રસન્નતાને દૂર કરીને પ્રસન્નતા પેદા કરાવવામાં જરૂર સહાયભૂત થાય છે. ભગવાને બાહ્ય અપ્રસન્નતા વાળી સામગ્રીનો એટલે જે સામગ્રીથી જીવોને બાહ્ય અપ્રસન્નતા પેદા થાય એવી સામગ્રીનો સર્વથા ત્યાગ કરીને આંતરિક અપ્રસન્નતાનો સંપૂર્ણ નાશ કરી પોતાના આત્માની સંપૂર્ણ પ્રસન્નતા પેદા કરી છે એવા પરમાત્માના મુખનાં દર્શન કરવાના છે. ઘર, પેઢી, કુટુંબ, પૈસા ટકાની ચિંતા-મેળવવા આદિની વિચારણા કર્યા કરવી એ બાહ્ય અપ્રસન્નતા કહેવાય છે. આથી એ ઘર આદિની જેટલી વારંવાર જીવો વિચારણા કરતા જાય છે તેમ તેમ મુખ ઉપર અપ્રસન્નતા પેદા થતી જાય જ છે. એ બાહ્ય અપ્રસન્નતા ને દૂર કરવા માટે પરમાત્માના મુખનું દર્શન કરવા જાઉં છું એ ભાવ રાખીને જાય તો જ પરમાત્માના દર્શનથી બાહ્ય અપ્રસન્નતાનો નાશ થતો જાય એજ રીતે આંતરિક અપ્રસન્નતા વિષય અને કષાય રૂપ રાગાદિ પરિણામની વિચારણાઓ કરીને જીવન જીવવું એટલે કે વિષય અને કષાયની પરિણતિને જીવતી રાખીને જીવન જીવવા પ્રયત્ન કરવો તે આંતરિક અપ્રસન્નતા કહેવાય છે. પરમાત્માના જીવો એ એ આંતરિક અપ્રસન્નતાને પરૂષાર્થ કરીને સંપર્ણ નાશ કરેલી છે માટે એમનું મુખ અંતરથી પણ સદા માટે પ્રસન્નતા વાળું રહેલું છે. આથી એ પરમાત્માના દર્શન કરતાં-મુખના દર્શન કરતાં પોતાનામાં રહેલી બાહ્ય અપ્રસન્નતા અને આંતરિક અપ્રસન્નતાને ઓળખાવીને એને દૂર કરવાની વિચારણાઓ પેદા કરાવીને આત્માને શીતલતાનો આંશિક અનુભવ કરાવે છે માટે પ્રભુનું મુખ શીતલ હોવાથી શીતલતાનો રંગ પેદા કરાવવામાં સહાય ભૂત થતું જાય છે. પણ એ શીતલતા ચંદનમાં રહેલી હોવાથી જેમ જેમ ચંદન ઘસવામાં આવે તેમ તેમ તેમાં શીતલતાની સુવાસ પ્રગટ થતી જાય છે તેમ ભગવાનનું દર્શન વારંવાર કરતા કરતા બાહ્ય અને આંતરિક શીતલતાની સુવાસ પોતાના આત્મામાં પેદા થતી થતી વધતી જાય છે. આવી આત્માની શીતલતા પેદા કરતા કરતા લાંબાકાળ સુધીની શીતલતા ટકાવવા માટે જ ચંદનથી એટલે શીતલ દ્રવ્યથી અરિહંત પરમાત્માના અંગોની પૂજા કરવી જોઇએ. આ રીતે અરિહંત પરમાત્માની ચંદનથી પૂજા કર્યા પછી અંતરમાં શીતલતાનો અનુભવ થતાં આધિ-વ્યાધિ અને ઉપાધિનો તાપ શાંત થતો જાય છે. એ તાપની શાંતતાથી સંસાર એટલે સુખમય સંસાર આખો ભૂલાતો જાય છે અને જીવો આત્મિક ગુણોની સન્મુખ થતાં જાય છે. આ સ્થિતિ જીવની પેદા થાય ત્યારે જીવ પહેલા ગુણયુક્ત ગુણસ્થાનકને પામ્યો એમ કહેવાય છે. Page 24 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy