________________
योगसारः ३/२६
अन्यैस्तोषितैर्न कोऽपि लाभ:
२८३
क्षयः कर्त्तव्यः । ततः स निर्मलीभवति । मुनिनाऽऽत्मा समीकर्त्तव्यः । स भावनाभिर्भावनीयः । ततस्तत्र समतानन्दः प्रादुर्भवति । स संसारस्थोऽपि मुक्तिसुखमनुभवति । एवं तेन स्वात्मा तोषितो भवति ।
परमात्मा गुरुः स्वात्मा च यदि मुनिना तोषितास्तर्हि तेनान्येषां रञ्जनाय प्रयत्ना न कर्त्तव्या: । एतत्त्रितये तोषिते तेन सर्वं जगत्तोषितम् । तत एतत्त्रितयव्यतिरिक्तजगज्जनानां तोषणेन मुनेर्न कश्चिदपि लाभो भवति । यदि मुनिना सर्वं जगत्तोषितं परन्त्वेतत्त्रितयं न तोषितं तर्हि तज्जगत्तोषणं व्यर्थम् । एतत्त्रितयतोषणेन मुनेर्मुक्तिर्निश्चिता भवति । अन्ये तोषिताः सन्तः सांसारिकपदार्थान्दद्युः, न तु मुक्तिम् ।
अत्रेदं हृदयम् - जगद्रञ्जनेन न कोऽपि लाभः । परमात्मगुर्वात्मान एव तोषणीयाः રદ્દા
अन्यैस्तोषितैर्न कोऽपि लाभ इति प्रतिपादितम् । अधुना तस्य
अवतरणिका
कारणं प्रतिपादयति
-
દોષોનો ક્ષય કરવો. તેથી તે નિર્મળ બને છે. મુનિએ આત્માને સમ બનાવવો. તેને ભાવનાઓથી ભાવિત કરવો. તેથી તેમાં સમતાનો આનંદ પ્રગટે છે. તે સંસારમાં હોવા છતાં પણ મોક્ષના સુખને અનુભવે છે. આમ તેના વડે આત્મા ખુશ થાય છે.
જો મુનિએ પરમાત્માને, ગુરુદેવને અને પોતાના આત્માને ખુશ કર્યા તો તેણે બીજાને ખુશ કરવાના પ્રયત્નો ન કરવા. આ ત્રણને ખુશ કરવાથી તેણે આખા જગતને ખુશ કર્યું છે. તેથી આ ત્રણ સિવાયના જગતના લોકોને ખુશ કરવાથી મુનિને કોઈ પણ લાભ નથી. જો મુનિ આખા જગતને ખુશ કરે, પણ આ ત્રણને ખુશ ન કરે તો તે જગતને ખુશ કરવું નકામું છે. આ ત્રણને ખુશ કરવાથી મુનિનો મોક્ષ નક્કી થઈ જાય છે. બીજાને ખુશ કરવાથી તેઓ સાંસારિક પદાર્થો આપે છે, મોક્ષ નહીં.
અહીં કહેવાનો ભાવ આવો છે - જગતને ખુશ કરવાથી કોઈ લાભ નથી. પરમાત્મા, ગુરુદેવ અને આત્માને જ ખુશ કરવા. (૨૬)
અવતરણિકા - બીજાને ખુશ કરવાથી કોઈ લાભ નથી એમ બતાવ્યું. હવે તેનું કારણ બતાવે છે –