________________
(૭૦૦)
ગદષ્ટિસમુચ્ચય ૪. વિનીતપણું વિનીત–વળી આ જોગીજન વિનીત હોય છે. આ જોગી પુરુષ વિનયથી નમ્ર હોય છે, કદી પણ અભિમાનથી ઉન્નત-અક્કડ વા ઉન્મત્ત હોતા નથી. ગિધર્મની પ્રાપ્તિ થવી તે
વિનયને જ પ્રભાવ છે, કારણ કે વિનય વિના વિનય' અર્થાત્ આત્મ*ગુણ પ્રમોદ વિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હોતી નથી, વિનયથી જ વિનયનીઅતિશય રહે” આત્મવિદ્યાની (Spiritual education) પ્રાપ્તિ હોય છે. એટલે
યેગી પુરુષ વિનયનો આ મહાપ્રભાવ જાણતા હોવાથી સ્વભાવથી જ “વિનીત” હોય છે. તેથી પિતાનાથી અધિક ગુણવંતને તેઓ યથાયોગ્ય વિનય સાચવે છે; અભ્યથાન-ઊઠીને સામા જવું, આસનદાન, પૂજન, બહુમાન, સત્કાર આદિ ઉચિત ઉપચાર આચરે છે. પુરુષના, સપુરુષના વચનામૃતના, અને સસાધનના યથાયોગ્ય વિનય-બહુમાન-ગૌરવાદિ તે કરે છે, અને તેમાંથી કોઈની પણ સ્વપ્નાંતરે પણ લેશમાત્ર આશાતના, અવજ્ઞા કરતા જ નથી. કારણ કે તે જાણે છે કે-એક સતપુરુષની કે એક સતવચનની કે એક સસાધનની આશાતના તે સર્વ સપુરુષની, સર્વ સત્વચનની, અને સર્વ સસાધનની આશાતના છે. (જુઓ કલેક ફૂટનેટ પૃ. ૪૨૩) અને એકની પૂજામાં તે સવની પૂજા છે, કારણ તે સર્વ સત્ એક અખંડ અભેદ પરમ અમૃત રસસાગરસ્વરૂપ છે. એટલે એકની વંદના તે સર્વની વંદના છે, અને એકની નિંદના તે સર્વની નિંદન છે. આમ જાણતા હોઈ તે ભવભીરુ યેગી પુરુષ કેઈ પણ સત્ની આશાતના દૂરથી જ વજે છે. અને જ્યાં ક્યાંય પોતાનાથી અધિક ગુણ દેખે છે, ત્યાં આ સાચા ગુણાનુરાગી મુમુક્ષુઓને આત્મા પ્રફુલ બને છે, અને તે ગુણ પ્રત્યે સહજ સ્વભાવે વિનયથી નમી પડે છે. આ તેને “ગુણપ્રમાદ અતિશય રહે છે. (જુઓ પદ્ય, પૃ. ૧૯૭-૧૯૮)
પણ ગુણ દેખીને તે કદી મત્સર ધરતા નથી, અથવા અભિમાનથી અક્કડ રહેતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ મહારો આત્મા જે નિજ ભાન વિના
અનંત કાળથી આથડડ્યો, તેનું કારણ સાચા સંત ગુરુને મેં સેવ્યા હેતા “ એવો માર્ગ અને અભિમાનને મૂકયું હેતું-એ છે. આ દુષ્ટ અનિષ્ટ મહાશત્રુરૂપ વિનય તણે” અભિમાનથી તે હું આટલે કાળ આટલે બધો દુખી થયે; તે હવે
પણ મિથ્યાભિમાન રાખી જે હું વિનયપૂર્વક સંતચરણ નહિં સેવું. તે હજુ પણ મહારે તે ને તે જ ભવદુઃખ સહેવાને વારો આવશે. અભિમાનથી કદી કેઈનું કલ્યાણ થયું સાંભળ્યું નથી, પણ વિનયમાર્ગના સેવનથી જ સર્વ કેઈનું કલ્યાણ થયું છે, થાય છે, ને થશે. અરે! શાસ્ત્રમાં તે એટલે સુધી કહ્યું છે કે જે સદ્ગુરુના ઉપદેશથી પિતાને કેવળ જ્ઞાન થયું છે, તે ગુરુ પોતે હજુ છદ્મસ્થ (જ્ઞાનાવરણ યુક્ત) રહ્યા હોય, તે પણ તે કેવળી ભગવાન પણ તે પરમ ઉપકારી ગુરુને વિનય કરે છે. એવો આ વિનયને માગ શ્રી વીતરાગદેવે ભાખે છે, એ માગને મૂળ હેતુ કઈ “સુભાગ’–સૌભા