Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 430
________________ (૭૪ર) ગદષ્ટિસમુચ્ચય નિર્મલ સાધુ ભગતિ લહી...સખી, યોગ અવંચક હોય....સખી, કિરિયાવંચક તિમ સહી... સખી. ફલ અવંચક જોય....સખી.” શ્રી આનંદઘનજી વળી આ અવંચકત્રયની પ્રાપ્તિ બે પ્રકારે ઘટે છે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે સાચા સપુરુષ-ભાવસાધુનું બાહ્યથી-દ્રવ્યથી સ્થૂલ ગુણવંતપણે તથાદશન થવું તે દ્રવ્યથી ગાવંચક છે; તેવા પુરુષ પ્રત્યે દ્રવ્યથી વંદનાદિ ક્રિયા દ્રવ્ય-ભાવ તે દ્રવ્યથી ક્રિયાવંચક છે; અને તેવા સપુરુષો પ્રત્યેની તે દ્રવ્ય ક્રિયાથી અવંચકત્રયી પ્રાપ્ત થતું ફળ તે દ્રવ્યથી ફલાવંચક છે. સાચા સપુરુષને આશ્રીને ભાવગીને અવલંબીને થતા આ દ્રવ્ય અવંચકત્રય પણ જીવને ઉપકારી થાય છે, કારણ કે તે ભાવ અવંચિકત્રયીના કારણરૂપ થઈ પડે છે. ભાવથી-સાચા સરુષનું, ભાવસાધુનું સપુરુષ સ્વરૂપે અંતર્થી–ભાવથી સૂક્ષ્મ ગુણવંતપણે તથાદર્શન થવું તે ભાવથી ગાવંચક છે. અને તેવા સપુરુષ પ્રત્યે જે ભાવ વંદનાદિ કિયા તે ભાવથી ક્રિયાવંચક છે. અને તેવા સપુરુષ થકી જે ભાવ ધર્મ ફલસિદ્ધિ થવી તે ભાવથી ફલાવંચક છે અથવા સદ્દગુરુના સદુઉપદેશજન્ય સબંધ થકી જીવને સ્વરૂપ લક્ષ્યને વેગ થે તે ભાવથી ભેગાવંચક, પછી તે સ્વરૂપલક્ષ્યને અનુલક્ષી સ્વરૂપસાધક ક્રિયા તે ભાવથી ક્રિયાવંચક અને સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી-આત્મસિદ્ધિ પામવી તે ભાવથી ફલાવંચક, આમ દ્રવ્યથી કે ભાવથી અવંચકત્રયની પ્રાપ્તિ જેને હોય, તે કઈ પણ મુમુક્ષુ યોગી આ યોગ પ્રયોગને અધિકારી છે એમ તાત્પર્ય છે. પણ તેમાં મુખ્યતા તે ભાવની જ છે. આ બન્ને પ્રકારમાં પણ મુખ્ય મહત્વનો મુદ્દો એટલો જ છે કે-આ અવંચકત્રય સપુરુષ આશ્રી હેવા જોઈએ, સાચા સંત-ખરેખરા ભાવસાધુ ભાગીને આશ્રીને જ હોવા જોઈએ. વધારે શું? તાત્પર્યરૂપ સારાંશ કે-સપુરુષનું તથાદર્શન અર્થાત્ તેના સ્વરૂપની ઓળખાણ તે ચોગાવંચક છે. પુરુષને સત્પુરુષ સ્વરૂપે ઓળખી તેના પ્રત્યે જે પ્રામાદિ ક્રિયા કરાય તે ક્રિયાવંચક છે. અને તે સપુરુષ થકી ધર્મસિદ્ધિ બાબતમાં પ્રાપ્ત થતું જે સાનુબંધ ફલ તે ફલાવંચક છે. અથવા સ્વરૂપને ઓળખવું તે ચગાવંચક, સ્વરૂપને સાધવું તે ક્યિાવંચક, ને સ્વરૂપને પામવું તે ફ્લાવંચક. એમ એનું સ્વરૂપ કહી દેખાડી પ્રકૃતજન કહે છે : कुलादियोगिनामस्मान्मत्तोऽपि जडधीमताम् । श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशतः ॥ २२२ ॥ વૃત્તિકૃઢોજિના-ઉક્ત લક્ષણતા કુયોગી આદિને, અમ7-આ થકી, આ ગદષ્ટિસમુરચય થકી, અત્તોડજિ-હારા કરતાં પણ, જ્ઞધીનતા-જડબુદ્ધિ એવા બીજાઓને, શું ? તે કે શત્રના7 શ્રવણથકી, vપતા-પક્ષપાત, શુભેચ્છા આદિને લીધે, ૩૧ ડતિ જેરાત–લેશથી ઉપકાર છે તથા પ્રકારે બીજપુષ્ટિ વડે કરીને.

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456