Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 13
________________ મિત્રાદષ્ટિની સઝાય એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમદષ્ટિ હવે કહીએ રે, જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિશ્યો લહીએ રે, વીર જિનેસર દેશના દા આ ગાથામાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કેપહેલી પાંચ ગાથામાં જે વાતો કહી છે તે પ્રસંગથી જ ભૂમિકારૂપે કહી છે. હવે દષ્ટિનું નિરૂપણ શરૂ કરાય છે. મિત્રાદષ્ટિ પ્રાપ્ત થયે છતે જીવને જે બોધ થાય છે, તે તૃણના-ઘાસના અગ્નિ જેવો હોય છે. તૃણનો અગ્નિ ખૂબ જ મંદ પ્રકાશ આપે છે અને થોડીવારમાં બુઝાઈ જાય છે. પરંતુ કાજળઘેરી રાત્રિમાં મહાઅટીમાં ભૂલા પડેલા મુસાફરને એ પ્રકાશ પણ લક્ષ્ય ચીંધનારો બને છે. જ્યાં ગાઢ અંધકારના કારણે ક્યાં જવું અને શું કરવું-એ સૂઝતું ન હતું, ત્યાં આવો પ્રકાશ સુરક્ષિત સ્થાનને ચીંધે છે. શ્રાન્ત, ઉદ્વિગ્ન, ભયગ્રસ્ત અને ઈષ્ટ સ્થાનને પામવાની ઉતાવળ હોયએવા મુસાફરને એ તૃણનો અગ્નિ; પોતાને ઈષ્ટ સ્થાને પહોંચાડનારા માર્ગને દર્શાવશે-એવી પ્રતીતિ કરાવી જાય છે. તેથી એ મુસાફર શ્રમાદિને અવગણી એ દિશા તરફ પ્રયાણ શરૂ કરે છે. બસ! આવું જ મિત્રાદષ્ટિમાં સાધકને બનતું હોય છે. અનાદિકાળથી અજ્ઞાનરૂપી ઘોર અંધકારના કારણે વિષયકષાયને પરવશ બની સંસારમાં જ્યાં-ત્યાં અથડાવા-ટીચાવાના કારણે જ્યારે આત્મા શાન્ત, ઉદ્વિગ્ન અને ભયથી ત્રસ્ત બની ઈષ્ટ-સુરક્ષિતસ્થાનને પામવા માટે ઉતાવળો બને છે, ત્યારે તે સાધકને મિત્રાદષ્ટિનો તૃણના અગ્નિ જેવો પણ તારક બોધ એક આશ્વાસનનું ધામ બને છે. અંધકારની તીવ્રતમ અવસ્થામાં એ પ્રકાશ જતો રહ્યા પછી પણ સાધકની નજર એ દિશામાં જ મંડાયેલી રહે છે. ગમે ત્યારે પણ એ પ્રકાશ ફરી પાછો જોવા મળશે એવી આશાથી સ્થિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 146