Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 11
________________ મિત્રાદષ્ટિની સક્ઝાય બળદને ચારો ચરાવવા વનમાં લઈ જાય છે, ત્યાં એકવાર કોઈ વિદ્યાધર-યુગલની વાતચીતમાંથી પોતે જ્યાં વૃક્ષ નીચે બેસી હતી ત્યાં રહેલી સંજીવની ખવરાવવાથી બળદ માણસ બનશે-એવું તેણીને જાણવા મળ્યું. એ મુજબ સંજીવની ચરાવવાની ભાવનાથી સંજીવનીનું જ્ઞાન ન હોવાના કારણે તેણી દરરોજ એ વૃક્ષની આસપાસનો ચારો ચરાવવાની પ્રવૃત્તિ કરે છે. યોગાનુયોગ એક્વાર ચારાની સાથે અજ્ઞાત એવી સંજીવની પણ બળદના ચારામાં આવી અને એ ચારાને ચરવાથી બળદ માણસરૂપ થયો. આ રીતે માત્ર સંજીવની ચરાવવાની અપેક્ષાએ ચારો ચરાવવાની પ્રવૃત્તિ યોગ્ય ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ સંયોગવિશેષમાં ચારો ચરાવવાની પ્રવૃત્તિ જેવી રીતે અહીં હિતકારિણી છે-એવી રીતે સ્થિરાદિ ચાર દષ્ટિમાં વર્તનારા જીવોની, તે તે દર્શનની રુચિવાળા જીવોને ઉચિત એવી પ્રવૃત્તિ પણ હિતકારિણી છે. આ ચોથી ગાથાનો પરમાર્થ છે. જો હું છું ક્યું શંકા એ થાય છે કે સ્થિરાદિ ચાર દષ્ટિઓમાં વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થયા પછી ઘણી વાર સાધકની સાધનામાં અવરોધ જોવા મળે છે, જેથી તેમનું મોક્ષમાર્ગે થતું પ્રયાણ અટકી પડે છે-આવું કેમ બને છે. એ શંકાનું સમાધાન કરતાં પાંચમી ગાથામાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે દષ્ટિ પિરાદિક ચારમાં, મુગતિપ્રયાણ ન ભાંજે રે, રયણીશયન જિમ શ્રમ હરે, સુરનરસુખ તિમ છાજે રે, વીર જિણેસર દેશના પણ છેલ્લી ચાર દૃષ્ટિમાં તેવા પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યના કારણે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 146