Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રબોધ- જૂઠું તો અજ્ઞાનપણાથી બોલાય છે. જ્યારે તેઓ બધું જ જાણે છે તો પછી તેમની વાણી સાચી જ હશે અને તેમને રાગ-દ્વેષ નથી તો તેઓ બૂરી વાત કેમ કહે? તેથી તેમનો ઉપદેશ ભલો પણ હશે. સુબોધ- દેવનો અર્થ તો સમજાયો પણ શાસ્ત્ર કોને કહે છે? પ્રબોધ- તે જ દેવની વાણીને શાસ્ત્ર કહે છે. તેઓ વીતરાગ છે તેથી તેમની વાણી પણ વીતરાગતાની પોષક હોય છે. રાગને ધર્મ બતાવે તે વીતરાગની વાણી નથી. તેમની વાણીમાં તત્ત્વનો ઉપદેશ આપે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કયાંય પણ તત્ત્વનો વિરોધ આવતો નથી. સુબોધ- તેના અભ્યાસથી શું લાભ થાય? પ્રબોધ- જીવ ખોટા રસ્તે ચાલતો બચી જાય છે, અને તેને સાચો રસ્તો મળી જાય છે. સુબોધ- બરાબર છે. દેવ અને શાસ્ત્રનો અર્થ તો તમે સમજાવ્યો અને ગુરુજી તો આપણા શિક્ષક સાહેબ છે જ. પ્રબોધ- પાગલ, શિક્ષક તો આપણા વિદ્યાગુરુ છે. તેમનો પણ આદર કરવો જોઈએ. પણ જે ગુરુની આપણે પૂજા કરીએ છીએ તેઓ તો નગ્ન દિગંબર સાધુ હોય છે. સુબોધ- ઠીક, તો મુનિરાજને ગુરુ કહે છે, એમ કેમ નથી કહેતા? સીધી વાત છે, જે નગ્ન રહેતા હોય તે ગુરુ કહેવાય છે. પ્રબોધ- તમે હજી પણ સમજ્યા નહિ ગુરુ નગ્ન રહે છે એ તો સારું છે, પણ માત્ર નગ્ન રહેવાથી જ કોઈ ગુરુ થઈ જતા નથી. તેમનામાં બીજી પણ ઘણી સારી વાતો હોય છે. તેઓ ભગવાનની વાણીનું રહસ્ય જાણે છે. સુબોધ- ઠીક, બીજી કઈ કઈ વાતો તેમનામાં હોય છે? પ્રબોધ- તેઓ હંમેશા આત્મધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે છે, સર્વ પ્રકારના આરંભ-પરિગ્રહથી સર્વથા રહિત હોય છે, વિષય-ભોગોની લાલસા તેમનામાં જરાપણ હોતી નથી, એવા તપસ્વી સાધુઓને ગુરુ કહે છે. સુબોધ- તેઓ જ્ઞાની પણ હોતા હશે? ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56