Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 42
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૮ અષ્ટાનિકા મહાપર્વ દિનેશ- આવો ભાઈ જિનેશ, પાન ખાશો ! જિનેશ- ના. દિનેશ- કેમ ? જિનેશ– તમને ખબર નથી, આજે કાર્તિક સુદ આઠમ છે ને! આજથી અષ્ટાલિકા મહાપર્વ શરૂ થઈ ગયું છે. દિનેશ- તો શું થયું? તહેવાર તો ખાવા-પીવા માટે જ હોય છે. પર્વના દિવસોમાં તો માણસો સારું ખાય, સારું પહેરે અને મોજથી રહે છે. અને તમે.....? જિનેશ- ભાઈ, આ ખાવા-પીવાનું પર્વ નથી. આ તે ધાર્મિક પર્વ છે. એમાં તો લોકો સંયમ પૂર્વક રહે છે, પૂજા-પાઠ કરે છે, તાત્ત્વિક ચર્ચાઓ કરે છે. એ તો આત્મ-સાધનાનું પર્વ છે. ધાર્મિક પર્વોનું પ્રયોજન તો આત્મામાં વીતરાગ ભાવની વૃદ્ધિ કરવાનું છે. દિનેશ- આ પર્વને અષ્ટાલિકા કેમ કહે છે? જિનેશ- એ આઠ દિવસ સુધી ચાલે છે ને? અષ્ટ=આઠ, અતિ=દિવસ. આઠ દિવસનો ઉત્સવ તે અષ્ટાલિકા પ. દિનેશ- તો એ દર વર્ષે કાર્તિકમાં આઠ દિવસનું થતું હશે ? ૩૮ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56