Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 41
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રાગ-દ્વેષ-મોહ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે અને તેને ધર્મ માનવો તે મહાહિંસા છે. રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે જ પરમ અહિંસા છે અને રાગાદિ ભાવોને ધર્મ ન માનવો તે જ અહિંસા બાબતની સાચી સમજણ છે. અહીં એ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે કે તીવ્ર રાગ તો હિંસા છે પણ મંદ રાગને હિંસા કેમ કહો છો? પરંતુ વાત એમ છે કે જો રાગ હિંસા હોય તો મંદ રાગ અહિંસા કેવી રીતે થઈ જાય? તે પણ રાગની જ એક દશા છે. એ વાત જરૂર છે કે મંદ રાગ મંદ હિંસા છે અને તીવ્ર રાગ તીવ્ર હિંસા છે. તેથી જો આપણે હિંસાનો પૂર્ણ ત્યાગ ન કરી શકતા હોઈએ તો એને મંદ તો કરવી જ જોઈએ. રાગ જેટલો ઘટે તેટલું સારું જ છે, પણ તેના સદ્ભાવને ધર્મ કહી શકાતો નથી, ધર્મ તો રાગદ્વેષ-મોહનો અભાવ જ છે અને તે જ અહિંસા છે, જેને પરમ ધર્મ કહેવામાં આવે છે. પ્રશ્ન ૧. અહિંસાના વિષય ઉપર એક સંક્ષિપ્ત નિબંધ લખો. તેમાં અહિંસા વિષેની પ્રચલિત જૂઠી માન્યતાઓનું ખંડન કરીને સમ્યક્ વિવેચન કરો. ૨. અમૃતચંદ્રાચાર્યના જીવન અને કવન ઉપર પ્રકાશ આપો. ૩. “રાગાદિ ભાવોની ઉત્પત્તિ જ હિંસા છે અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે જ અહિંસા છે.” આ વિચાર ઉપર તર્કયુક્ત વિવેચન કરો. ૪. મંદ રાગને અહિંસા કહેવામાં શું દોષ છે? તે સ્પષ્ટ કરો. ૩૭ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56