Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક્ષક- ના ભાઈ, મેં જણાવ્યું હતું ને કે રસ્તામાં અત્યંત વિશાળ પર્વતો છે. તે પર્વતોમાંના દરેક ઉપર એકેક વિશાળ સરોવર છે. તેમાંથી ૧૪ નદીઓ નીકળે છે અને સાતેય ક્ષેત્રોમાં વહે છે. તેમના નામ છે: ગંગા-સિંધુ, રોહિત-રોહિતામ્યા, હરિત-રિકાન્તા, સીતા-સીતોદા, નારી-નરકાન્તા, સુવર્ણકુલા-૩યકુલા અને રક્તા-રક્તદા. આ નદીઓ કમપૂર્વક ભરતક્ષેત્રથી માંડીને ઐરાવતક્ષેત્ર સુધી દરેકમાં બબ્બે વહે છે, જેમાંથી પહેલી પૂર્વ સમુદ્રમાં અને બીજી પશ્ચિમ સમુદ્રમાં પડે છે. આ મધ્યલોકને તિર્યક લોક પણ કહે છે કેમ કે તે ત્રિકો વસેલો છે ને? વિદ્યાર્થી- આપનો કહેવાનો અર્થ શું છે? ગામ તો પોળાઈમાં જ વસેલાં હોય છે? શિક્ષક- મધ્યલોકનાં ગામ પહોળાઈમાં વસેલાં છે પણ અધોલોકનાં નહિ, તે તો એકની નીચે એક છે. વિદ્યાર્થી- હું, શું કહ્યું ! અધોલોક ? શિક્ષક- હા, હા, આ જ પૃથ્વીની નીચે સાત નરક છે, જેનાં નામ છે- રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, મહાતમપ્રભા. તે કમપૂર્વક એકની નીચે એક છે. તે સ્થાનો બહુ જ દુઃખદાયક છે. રહેવાનાં સ્થાન પણ બિલ જેવાં છે. ત્યાંની આબોહવા અને વાતાવરણ ઘણાં જ દુષિત છે. ત્યાંના જીવો બાહ્ય વાતાવરણની પ્રતિકૂળતાથી દુઃખી તો છે જ, પરંતુ તેમને કષાયોની તીવ્રતા પણ છે તેથી અંદરોઅંદર મારફાડ કર્યા કરે છે. નરક શું દુઃખનું ઘર જ છે. જ્યારે જીવ ઘોર પાપ કરે છે ત્યારે ત્યાં ઉત્પન્ન થાય છે. જે જીવો ત્યાં ઉત્પન્ન થાય છે તેમને નારકી કહે છે. વિદ્યાર્થી- પાપી જીવ તો નરકમાં જાય છે અને પુણ્યાત્મા ? શિક્ષક- પુણ્યાત્મા સ્વર્ગમાં જાય છે. વિદ્યાર્થી- એ સ્વર્ગ કયાં છે અને કેવાં છે? ૨૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56