________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાત વ્યસન જાઆ આમિષ મદિરા દારી, આખેટક ચોરી પરનારી; એહી સાત વ્યસન દુખદાઈ,
દુરિત મૂલ દુર્ગતિકે ભાઈ. દવિત યે સાતો વ્યસન, દુરાચાર દુખધામ; ભાવિત અંતર-કલ્પના, મૃષા મોહ પરિણામ.
અશુભમે હાર શુભમેં જીત યહી હૈ ધૂત કર્મ, દેહકી મગનતાઈ, યહૈ માંસ ભખિબો. મોહકી ગહલ સો અજાન હૈ સુરાપાન; કુમતિકી રીતિ ગણિકાકો રસ ચખિબો. નિર્દય હૈ પ્રાણઘાત કરબો યહ શિકાર; પર-નારી સંગ પર-બુદ્ધિકો પરખિબો. પ્યાર સોં પરાઈ સજ ગહિબેકી ચાહ ચોરી; એઈ સાતાં વ્યસન વિડારિ બ્રહ્મ લખિબો.
- બનારસીદાસ જુગાર રમવો, માંસ ખાવું, મદિરાપાન કરવું, વેશ્યાગમન કરવું, શિકાર ખેલવો, ચોરી કરવી, પરસ્ત્રી સેવન કરવું એ સાત વ્યસન છે.
કોઈ પણ વિષયમાં લવલીન થવું તેને વ્યસન કહે છે. અહીં બૂરા વિષયમાં લીન થવું તેને વ્યસન કહેવામાં આવ્યું છે અને એના ૭ ભેદ કહ્યા છે, જે જીવોમાં મુખ્યપણે આકુળતા ઉત્પન્ન કરે છે અને તેને દુરાચારી બનાવે છે. આમ તો રાગદ્વષ અને આકુળતા ઉત્પન્ન કરનાર બધી ટેવો વ્યસન જ છે. નિશ્ચયથી તો જે આત્માના સ્વરૂપને ભૂલાવી દે, તે મિથ્યાત્વ સહિતના રાગ-દ્વેષ પરિણામ જ વ્યસન છે.
૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com