________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અને અંતે વૈરાગ્યનું જ પોષણ કરે છે. વિદ્યાર્થી- ઠીક, એમ વાત છે. આ પુરાણ અને ચરિત્ર-ગ્રંથ પ્રથમાનુયોગમાં જ
આવતા હશે. કરણાનુયોગમાં કઈ વાતનું વર્ણન હોય છે? શિક્ષક- કરણાનુયોગમાં ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિપે તો જીવનું વર્ણન હોય
છે અને કર્મો તથા ત્રણે લોકનું ભૂગોળ સંબંધી વર્ણન હોય છે. એમાં ગણિતની મુખ્યતા રહે છે કેમ કે ગણતરી અને માપનું વર્ણન હોય છે
વિધાર્થી- એ તો અઘરું પડતું હશે? શિક્ષક- (અઘરું) પડે જ. કેમ કે તેમાં અતિ સૂક્ષ્મ કેવળજ્ઞાનગમ્ય વાતનું વર્ણન
હોય છે. ગોમટસાર જીવકાંડ, ગોમ્મસાર કર્મકાંડ, લબ્ધિસાર અને
ત્રિલોકસાર આદિ એવા જ ગ્રંથ છે. વિદ્યાર્થી- ચરણાનુયોગ સહેલો પડતો હશે? શિક્ષક- હા, કેમ કે એમાં સ્થળ બુદ્ધિગોચર કથન હોય છે. એમાં સુભાષિત,
નીતિ-શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કેમ કે એમાં ગૃહસ્થ અને મુનિઓનાં આચરણના નિયમોનું વર્ણન હોય છે. આ અનુયોગમાં જે રીતે આ જીવ પાપ છોડીને ધર્મમાં લાગે અર્થાત્ વીતરાગતામાં વૃદ્ધિ કરે તે રીતે અનેક
યુક્તિઓથી કથન કરવામાં આવે છે. વિદ્યાર્થી- તો રત્નકરંડ શ્રાવકાચાર આ જ અનુયોગનું શાસ્ત્ર હશે? શિક્ષક- હા, હા, તે તો છે જ. સાથોસાથ મુખ્યપણે પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય આદિ
બીજાં પણ અનેક શાસ્ત્રો છે. વિદ્યાર્થી- તો શું સમયસાર અને દ્રવ્ય સંગ્રહ પણ આ જ અનુયોગનાં શાસ્ત્ર છે? શિક્ષક- ના, તે તો દ્રવ્યાનુયોગનાં શાસ્ત્ર છે. કેમકે છ દ્રવ્ય, સાત તત્ત્વ આદિનું
તથા સ્વ-પર ભેદવિજ્ઞાન આદિનું વર્ણન તો દ્રવ્યાનુયોગમાં હોય છે. વિદ્યાર્થી- એમાં પણ કરણાનુયોગની પેઠે કેવળજ્ઞાનગમ્ય કથન થતું હશે?
૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com