Book Title: Vitrag Vigyana Pathmala 1 Author(s): Hukamchand Bharilla Publisher: Todarmal Granthamala Jaipur View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હે પરમાત્મા, આપ સમસ્ત ઉપમાઓથી રહિત પરમ પવિત્ર શુદ્ધ ચેતન ( જ્ઞાન-દર્શન) મય છો. આપનામાં કોઈ પણ પ્રકારનો વિરોધ ભાવ નથી. આપે શુભ અને અશુભ બન્ને પ્રકારના વિકારી ભાવોનો અભાવ કર્યો છે અને સ્વાભાવિક પરિણતિથી સહિત થઈ ગયા છો તેથી કદી પણ ક્ષીણ દશાને પામવાના નથી. ૫. આપ અઢાર દોષોથી રહિત છો અને અનંત ચતુષ્ટય યુક્ત બિરાજમાન છો. કેવળજ્ઞાનાદિ નવ પ્રકારના ક્ષાયિકભાવ ધારણ કરનાર હોવાથી મહાન મુનિ અને ગણધર દેવાદિ આપની સેવા કરે છે. ૬. આપના બતાવેલા માર્ગે ચાલીને અનંત જીવ મુક્ત થઈ ગયા છે, થઈ રહ્યા છે અને હંમેશા થતા રહેશે. આ સંસારરૂપી સમુદ્રમાં દુઃખરૂપી અથાણું ખારું પાણી ભરેલું છે. આપના સિવાય બીજું કોઈપણ એનાથી પાર ઉતારી શકે તેમ નથી. ૭. આ ભયંકર દુઃખ દૂર કરવામાં નિમિત્ત કારણ આપ જ છો; એમ જાણીને હું આપના શરણે આવ્યો છું અને હું અનંતકાળથી દુઃખ પામ્યો છું તે આપને જણાવી રહ્યો છું. ૮. મારા જ્ઞાનસ્વભાવી આત્માને ભૂલીને પોતાની જાતે જ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છું અને મેં કર્મોનાં ફળ પુણ્ય-પાપને અપનાવી લીધા છે. પોતાને પરનો કર્તા માની લીધો છે અને પરને પોતાને કર્તા માની લીધો છે. પરપદાર્થોમાંથી કેટલાકને ઈષ્ટ માની લીધા છે અને કેટલાકને અનિષ્ટ માની લીધા છે. પરિણામે અજ્ઞાન ધારણ કરીને પોતે જ આકુળ થયો છે. જેવી રીતે હરણ મૃગજળને વશ થઈને રેતીને પાણી સમજીને પોતાના અજ્ઞાનથી જ દુઃખી થાય છે. શરીરની દશાને જ પોતાની દશા માનીને પોતાના પદ (આત્મસ્વભાવ) નો અનુભવ કદી કર્યો નથી. ૯-૧૦. હે જિનેશ! આપને ઓળખ્યા વિના હું જે દુ:ખ પામ્યો છું તે આપ જાણો જ છો. તિર્યંચ ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિમાં ઉત્પન્ન થઈને અનંતવાર મરણ કર્યું છે. ૧૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40