Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates યોગીન્દ્દેવ- પ્રત્યેક જીવ સુખી થવા ઈચ્છે છે. ૫૨માત્મા પૂર્ણ નિરાકુળ હોવાથી અનંત સુખી છે. પરમાત્મા બે પ્રકારના છે- (૧) સકલ પરમાત્મા, (૨) નિકલ પરમાત્મા. ચાર ઘાતી કર્મોનો નાશ કરનાર શ્રી અરિહંત ભગવાન શરીર સહિત હોવાથી સકલ પરમાત્મા કહેવાય છે અને કર્મ રહિત સિદ્ધ ભગવાન શરીર રહિત હોવાથી નિકલ પરમાત્મા કહેવાય છે. બહિરાત્મા સંસારમાર્ગી હોવાથી બહિરાત્મપણું સર્વથા હેય છે. અંતરાત્મા મોક્ષમાર્ગનો પથિક છે તેથી અંતરાત્મપણું કથંચિત્ ઉપાદેય છે અને ૫૨માત્મપણું અતીન્દ્રિય સુખમય હોવાથી સર્વથા ઉપાદેય છે. તેથી બધાએ પુરુષાર્થપૂર્વક બહિરાત્મપણું છોડીને, અંતરાત્મા થઈને પરમાત્મા બનવાની ભાવના કરવી. પ્રશ્ન ૧. આત્મા કોને કહે છે? તે કેટલા પ્રકારના છે? બહિરાત્માનું સ્વરૂપ લખો. ૨. અંતરાત્માનું લક્ષણ અને ભેદ સ્પષ્ટ કરો. ૩. પરમાત્મા કોને કહે છે? સકલ અને નિકલ પ૨માત્માની સ્પષ્ટતા કરો. ૪. મુનિરાજ યોગીન્દુના જીવન અને કવન ઉપર સંક્ષિપ્ત પ્રકાશ આપો. ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40